CIA ALERT

ગુજરાત Archives - Page 128 of 158 - CIA Live

April 26, 2019
Gandhinagar-Gujarat.jpg
1min5220

રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું હતું. ગુજરાતમાં 26 બેઠકો પર 63.67 ટકા મતદાન થયું હતું. હારજીત અંગે સીધુ ગણિત માંડીએ તો ઉત્તર ગુજરાતની 3 બેઠક અને સૌરાષ્ટ્રની 7 જ્યારે સુરત, વડોદરા અને નવસારીમાં ભાજપ સારી એવી લીડથી જીત્યું હતું. એટલે ભાજપ માટે આ 7 સીટ ખતરાની ઘંટડી સમાન ગણી શકાય અને 19 સીટ સુરક્ષિત છે તેવું કહેવાય. રાજકીય એક્સપર્ટસનું કહેવું છે કે, ભાજપ માટે કપરા ચઢાણ આ સાત સીટ માટે જ છે.

હવે આગામી તા. 23 મે મહિનાના રોજ પરિણામ આવશે. ભાજપે ગત વખતની જેમ આ વખતે પણ 26 બેઠકો જીતવાનો સંકલ્પ કર્યો છે પણ આ વખતે ભાજપ માટે ખરાખરીનો મુકાબલો છે. કેટલીક બેઠકો એવી છે જેના પર ભાજપની સરસાઈ પર બ્રેક લાગી શકે છે. આ બેઠકો પર કૉંગ્રેસ ભાજપનું સ્પીડબ્રેકર બનશે. આમ જોવા જઈએ તો કહી શકાય કે, આ સીટો પર જ અસલી ઈલેકશન લડાયું છે. જ્યાં ખરી હાર-જીત થશે 23મીએ.

2017ના વિધાનસભા ચૂંટણીના પરિણામ પર એક નજર કરીએ તો, કેટલીક સીટ એવી હતી જ્યાં કૉંગ્રેસની જીત થઈ છે અને આ સીટો પર કૉંગ્રેસ 14 હજારથી લઈને 1.68 લાખના માર્જિનથી જીત્યું છે. આ સીટમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાંબરકાંઠા, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને અમરેલીનો સમાવેશ થાય છે.

 

April 25, 2019
gseb.png
1min10080

બોર્ડની ધો.10ની પરીક્ષામાં 17 લાખ 50 હજારથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,57,160 ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5.22 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

  • ધો.12 સાયન્સનું પરીણામ 9મી મે 2019
  • ધો.10નું પરીણામ 24-25મી મે 2019
  • ધો.12 કોમર્સનું પરીણામ 31મી મે 2019ના રોજ જાહેર થવાની શક્યતાઓ

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10નું પરિણામ આગામી તા. 24 અગર તા.25મી મે અને ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ તા.9મી મેના રોજ જાહેર કરશે, તેવું આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. આ બિલકુલ બિનસત્તાવાર સમાચાર છે. અલબત્ત ગુજરાત બોર્ડ દ્વારા ભૂતકાળમાં જે રીતે પરીણામો જાહેર થયા હતા એને ધ્યાનમાં રાખીને ચાલુ વર્ષે હાથ ધરવામાં આવી રહેલી કાર્યવાહીને જોતા ઉપરોક્ત તારીખ અથવા તેની આસપાસના દિવસોમાં ધો.12 સાયન્સનું પરીણામ જાહેર થાય તેવી શક્યતાઓ જોવાય રહી છે.

જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ તા.31મી મેના રોજ જાહેર થવાની શક્યતા છે. ગત તા.7મી માર્ચના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા લેવામાં આવી હતી.

બોર્ડની ધો.10ની પરીક્ષામાં 17 લાખ 50 હજારથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,57,160 ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5.22 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ત્યારે વર્ષ 2018ની તુલનાએ વર્ષ 2019માં વિદ્યાર્થીઓની સંખ્યા વધી હતી. પરિણામ બોર્ડની વેબસાઈટ ઉપર જાહેર થશે.

ગુણપત્રકોનું વિતરણ ગુરુવારના રોજ જે તે જિલ્લાના વિતરણ કેન્દ્ર ખાતેથી સવારે 11.00થી 4.00 કલાક દરમિયાન કરાશે. શાળાઓના પ્રતિનિધિઓ આચાર્યના સહી સિક્કા કરેલી ઓથોરિટીપત્ર રજૂ કરી ગુણપત્રકો મેળવી શકશે.

બોર્ડની વેબસાઈટ પરથી પરિણામ જાણી શકાશે. ગુણ ચકાસણીની અરજીઓ માત્ર ઓનલાઈન માધ્યમથી કરી શકાશે. ગુજરાત કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર 18002335500 ઉપરથી પરિણામ બાબતે કોઈ મુશ્કેલી હોય તો માર્ગદર્શન મળી શકશે.

April 21, 2019
CIA_Live_Logo_New2.jpg
1min13780
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી મોરફિન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલાં મુસ્લિમ માતા – પુત્રને રિમાન્ડ પર લેવામાં આવ્યા બાદ મોરફિન ડ્રગ્સ સપ્લાયનું નેટવર્ક સૌરાષ્ટ્રવ્યાપી હોવાનું ખુલ્યું હતું. રાજસ્થાનના વણઓળખાયેલા સપ્લાયરે રાજકોટના રફિકને અગાઉ બે વખત ડ્રગ્સ સપ્લાય કર્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.
રાજસ્થાનનો સપ્લાયર ઉધારીમાં પણ માલ સપ્લાય કરવામાં આવતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે રાજકોટ ઉપરાંત – જૂનાગઢ, અમરેલી, ભાવનગર સહિતનાં ગામોમાં રાજસ્થાની સપ્લાયરના સંપર્કમાં રહેતી વ્યક્તિઓની શોધખોળ શરૂ કરી હતી.
જંગલેશ્વરના તવક્કલ ચોકમાં રહેતા રફિક ઇબ્રાહિમ બેલિમ અને જુબેદા ઇબ્રાહિમ બેલિમ નામનાં મુસ્લિમ માતા – પુત્રને ગત તા.16/4ના એસઓજીના સ્ટાફે રૂ. રર.ર3 લાખની કિંમતના રરર.370 ગ્રામ મોરફિન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધા હતા અને પાંચ દિવસના રિમાન્ડ પર લીધા હતા.
પીઆઈ આર. વાય. રાવલ તથા ફોજદાર એચ. એમ. રાણા તથા સ્ટાફે હાથ ધરેલી તપાસમાં રફિક બેલિમ રાજસ્થાનના ફકીર શખસ પાસેથી મોરફિન ડ્રગ્સનો જથ્થો ખરીદતો હતો અને એક જ વખત લાવ્યાનું રટણ કરતા પોલીસે મોબાઈલની કોલ ડિટેઈલના આધારે તપાસ હાથ ધરી હતી અને રફિક બેલિમ રાજસ્થાની ફકિર શખસના સંપર્કમાં હોવાનું ખૂલ્યું હતું અને ચારથી પાંચ વખત ડ્રગ્સ ખરીદ્યાનું ખૂલ્યું હતું.
રાજકોટ ઉપરાંત જૂનાગઢ, અમરેલી, પોરબંદર અને ભાવનગરમાં સપ્લાય કરવામાં આવતું હોવાનું ખૂલતા મોરફિન ડ્રગ્સ સપ્લાયરનું નેટવર્ક સૌરાષ્ટ્રવ્યાપી હોવાનું ખૂલ્યું હતું. રાજકોટ પોલીસ રાજસ્થાન પોલીસની પણ મદદ માગી હતી અને રાજસ્થાની ફકીર શખસની શોધખોળ શરૂ કરી હતી તેમજ મોરફિન ડ્રગ્સનો મામૂલી જથ્થો ઉધારીમાં પણ આપવામાં આવતો હોવાનું ખુલ્યું હતું. પોલીસે ડ્રગ્સ નેટવર્ક ભેદવા માટેથી દોડધામ શરૂ કરી હતી.
April 21, 2019
Gandhinagar-Gujarat.jpg
1min5410

દેશના તમામ રાજ્યોમાં મુસ્લિમ વોટબૅંક નિર્ણાયક પરિબળ ગણાય છે ત્યારે ગુજરાતમાં મુસ્લિમ વોટબૅંકનું મહત્ત્વ લગભગ ખતમ થઈ ચૂક્યું છે.

હાલમાં પણ બંને મુખ્ય પક્ષો પૈકી કૉંગ્રેસે એકમાત્ર મુસ્લિમ ઉમેદવારને ભરૂચની બેઠક પરથી ટિકિટ આપી છે. જ્યારે ભાજપે તો એક પણ મુસ્લિમને ટિકિટ આપી નથી.

ગુજરાતમાં 9 ટકા જેટલાં મુસ્લિમો હોવા છતાં છેલ્લા ત્રણ દાયકાથી ગુજરાતમાંથી એક પણ મુસ્લિમ લોકસભામાં ગયો નથી. અગાઉ કૉંગ્રેસના અહમદ પટેલ મુસ્લિમ વોટબૅંકના મજબૂત પ્રતિનિધિ તરીકે 1977, 1980 અને 1985માં ભરૂચ બેઠક પરથી લોકસભાની બેઠક પર ચૂંટાઈને આવ્યા હતા. એ પછી અહેમદ પટેલ રાજ્યસભામાંથી ચૂંટાઈને સંસદમાં ગયા છે, પરંતુ લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરતા નથી. જ્યાં છ ટકા જેટલાં મુસ્લિમો છે એવા બનાસકાંઠામાંથી ભૂતકાળમાં જોહરાબેન ચાવડા (1962માં) લોકસભામાં ચૂંટાયાં હતાં અને 1977માં અમદાવાદમાંથી અહેસાન જાફરી લોકસભામાં પહોંચ્યા હતા. એ પછી કોઈ મુસ્લિમ ઉમેદવાર લોકસભમાં ચૂંટાઈને ગયો નથી.

April 19, 2019
hardik_slap.jpg
1min15120

સુરેન્દ્રનગરમાં પ્રચાર દરમિયાન હાર્દિક પટેલ પર હુમલો થવાની ઘટના સામે આવી છે.

હાર્દિક પટેલ વઢવાણના બદલાણા ગામે કોંગ્રેસના ઉમેદવાર સોમા પટેલ માટે પ્રચાર કરી રહ્યા હતા. હાર્દિક પટેલ જન આક્રોશ સભાને સંબોધન કરી રહ્યા હતા. ત્યારે જ એક તરુણ મિસ્ત્રી નામનો વ્યક્તિ સ્ટેજ પર ચડ્યો અને કોઇ કશું સમજે વિચારે એ પહેલા તરુણ મિસ્ત્રીએ હાર્દિક પટેલને જમણા ગાલે લાફો રશીદ કરી દીધો હતો. હાર્દિક પટેલ સમેત સ્ટેજ પર બેઠેલા લોકો કંઈ સમજે તે પહેલા જ આખી ઘટના બની ગઈ હતી. હાર્દિક પટેલ પર હુમલો કરનાર વ્યક્તિને સભામાં હાજર લોકોએ માર માર્યો હતો. પોલીસે ભારે જહેમત બાદ ટોળા વચ્ચેથી હાર્દિક પટેલ પર હુમલો કરનાર વ્યક્તિને બચાવી લીધો.

On Tweeter

April 19, 2019
fraud.jpg
1min10770
વેપારીનું અપહરણ કરી બગોદરા પાસે ઉતારી દઈ 62 લાખ પડાવી લીધા: પિતા-પુત્ર અને બે મહિલા સહિત સામે ફરિયાદ
પાંચ હાટડી ચાર રસ્તા વિસ્તારમાં રહેતા અને ડેરી તથા ઠંડા પીણાનો વેપાર કરતા હુશેન રજાકભાઈ (42) મેમણ વેપારીએ જિલ્લા પોલીસ વડાને અરજી કરી પોતાની સાથે 6 જેટલા શખસોએ ઠગાઈ કરી 62 લાખ રૂપિયા પડાવી લીધાની ફરિયાદ કરી છે. જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા ભાનુશાળી પિતા-પુત્ર અને બે મહિલા સહિત છ આરોપીઓના નામો આપ્યા છે.
એલસીબીની ટીમે આ પ્રકરણની તપાસ શરૂ કરતાં અને મેમણ વેપારીની પૂછપરછ કરતાં એવી વિગત બહાર આવી કે હુશેન મેમણને જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા હરીશ ગિરધરલાલ નંદા સાથે મિત્રતા હતા.િમત્રતા દાવે તેણે મેમણ વેપારી પાસેથી પૈસા મેળવવા પ્લાન કર્યો હતો.જેના અનુસંધાને હરીશ નંદાએ પોતાના જૂનાગઢ તેમજ અન્ય મિત્રો પાસે રૂા.61 લાખ 701 હજારની જૂની ચલણી નોટ છે જે બદલી આપશું તો મોટું કમિશન મળશે તેવી લાલચ આપી હતી અને ગત તા.28-3-19ના દિવસે ગોકુલનગરમાં બોલાવ્યા હતા.
આક્ષેપ થયો છે કે આ સ્થળે એક કાર આવી હતી જેમાં બીલખાનો સલીમ, જૂનાગઢનો મુન્ના ઈબ્રાહીમ મીર તથા બે અજ્ઞાત મહિલા બેઠી હતી જયારે હરીશ ગિરધરલાલ અને તેના પુત્ર ચિરાગે એકસંપ કરી વેપારીનું અપહરણ કર્યું હતું અને વેપારી પાસે રહેલી રૂા.62 લાખ જેટલી રકમ પડાવી લીધી હતી બાદમાં તેમને બગોદરા પાસેથી ઉતારી દીધા હતાં. આથી વેપારીએ પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હોવાથી જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરતા આ અંગે એલસીબીને તપાસ સોંપાઈ છે. તપાસનો દોર જૂનાગઢ અને બીલખા સુધી લંબાવાયો છે. જામનગરના ભાનુશાળી પિતા-પુત્રો પણ ફરારી થઈ ગયા હોવાથી પોલીસ તેને શોધી રહી છે.
April 16, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5430

હિંમતનગર ખાતે આવતીકાલ તા.17 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રચાર સભા માટે તૈયાર કરવામાં આવેલા મંડપને આજે કુદરતી વાવાઝોડાએ તહસનહસ કરી મૂક્યો હતો. પ્રસ્તુત વિડીયો દર્શાવે છે કે ગુજરાતમાં આવેલા આંધી-તૂફાનને કારણે મોદીનો સભા મંડપ બિલકુલ વેરણછેરણ બની ગયો હતો.

Video From the Facebook wall of leading Journalist of Gujarat Shri Vivek Oza..

Posted by Vivek Oza on Tuesday, 16 April 2019

April 16, 2019
gseb-1280x720.jpg
2min15450

જયેશ બ્રહ્મભટ્ટ

ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા.26મી માર્ચે લેવામાં આવનારી ગુજકેટ 2019 પરીક્ષા માટેની હોલટિકીટ આજે રિલીઝ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ પોતાની હોલટિકીટ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરીને તેની ડિટેઇલ ચેક કરી લે એ હિતાવહ છે.

ઓપ્ટોમેટ્રી, નર્સિંગ, એગ્રિકલ્ચર, ફાર્મસી વગેરે જેવા બાયોલોજી બેઝ્ડ અભ્યાસ્ક્રમો તેમજ એન્જિનિયરિંગ, ટેક્નોલોજી, ફાર્મસી, એગ્રિકલ્ચર જેવા મેથ્સ ગ્રુપ બેઝ્ડ અભ્યાસક્રમો માટે ગુજકેટ પરીક્ષા આપવી ફરજિયાત છે.

૨૬ એપ્રિલના રોજ ગુજકેટ ૧૦ વાગ્યેથી લઈને ૪ વાગ્યા દરમિયાન યોજાશે

રાજ્યની ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી ફાર્મસી તથા ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટે યોજાનારી ગુજકેટ માટે ૧.૩૪ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. બોર્ડ દ્વારા ગુજકેટ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને હવે ટૂંક સમયમાં વિદ્યાર્થીઓને હોલ ટિકિટ ઓનલાઈન આપવામાં આવશે. ૨૬ એપ્રિલના રોજ ગુજકેટ ૧૦ વાગ્યેથી લઈને ૪ વાગ્યા દરમિયાન યોજાશે. આ વખતે પણ ગુજકેટ આપનારા બી ગ્રૂપના વિદ્યાર્થીઓ વધુ છે. આ વર્ષે ગુજકેટની તારીખ ચાર વાર બદલાઈ હતી.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજેકટ ૨૬ એપ્રિલના રોજ લેવાશે. ગુજકેટ માટે કુલ ૧૩૪૮૪૬ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેમાં એ ગ્રૂપના ૫૬૯૧૩, બી ગ્રૂપના ૭૭૪૭૮ અને એબી ગ્રૂપના ૪૫૫ વિદ્યાર્થીઓ છે. ગુજકેટ ડિગ્રી એન્જિનિયરિંગ ઉપરાંત ડિગ્રી ફાર્મસી અને ડિપ્લોમા ફાર્મસી માટે લેવાશે. ગુજકેટ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની કાર્યવાહી પૂર્ણ થયા બાદ હવે બોર્ડ દ્વારા હોલ ટિકિટ તૈયાર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. જેથી ટૂંક સમયમાં બોર્ડ વેબસાઈટ પર ગુજકેટની હોલ ટિકિટ મૂકાશે.ગુજકેટમાં સવારે ૧૦થી લઈને ૧૨ સુધી ફિઝિક્સ અને કેમિસ્ટ્રીનું સંયુક્ત પેપર પૂછાશે. ત્યારબાદ એક કલાકનો બ્રેક આપવામાં આવશે. બપોરે ૧ વાગ્યાથી ૨ વાગ્યા દરમિયાન બાયોલોજીનું પેપર પૂછાશે અને ફરી એક કલાકનો બ્રેક અપાશે. ત્યારબાદ બપોરના ૩ વાગ્યાથી ૪ વાગ્યા દરમિયાન ગણિતની પરીક્ષા લેવામાં આવશે. ગુજકેટ જિલ્લા મથકો પર લેવાનું આયોજન કરાયું છે.

How to Download Hall Ticket?

Gujarat Secondary and Higher Secondary Education Board (GSEB) has released the admit card for Gujarat Common Entrance Test (GUJCET) 2019 on its official website. The candidates who have applied for the GUJCET 2019 can visit the official website of GSEB- gsebht.in- to check and download their admit card.

The GUJCET 2019 would be conducted on April 26, 2019. Candidates can obtain their GUJCET 2019 admit cards either from the official website or from the direct link provided below.

Direct link to download GUJCET 2019 admit cardHow to download the GUJCET 2019 admit card

1. Go to the official website of GSEB- gsebht.in

2. On homepage, click on the link which reads “GUJCET 2019 Admit Card”

3. A login based page will open on your browser

4. Enter your Roll number, Date of Birth, and password

5. Your admit card for GUJCET 2019 will be displayed on the screen

6. Download and take a print out of your GUJCET 2019 for the future needs

GUJCET is an entrance exam to get admission for the undergraduate course in various programmes in the field of Engineering Degree/Diploma & Pharmacy courses offered by the Government and Private colleges of Gujarat.

April 16, 2019
eway_bill.jpg
1min6350

જૂનાગઢમાં નવા નાણાકીય વર્ષના પ્રારંભે જે જીએસટી વિભાગે દરોડો પાડી રૂ.227 કરોડનું બોગસ ઇ-વે બિલનું જંગી કૌભાંડ ઝડપી પાડયું હતું. જે પ્રકરણમાં પોલીસે મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી હતી. જ્યારે પૂછપરછમાં અનેક ચોંકાવનારી માહિતી સામે આવી હતી.

સૌરાષ્ટ્રના ગોંડલ અને ભાવનગરમાં કરોડોનું બોગસ બિલીંગ કૌભાંડ પકડાયા બાદ જીએસટી વિભાગની ટીમે નવા નાણાકીય વર્ષના પ્રારંભે જૂનાગઢમાં ખાદ્યતેલની 9 પેઢીઓ પર દરોડા પાડયા હતા. જે પ્રકરણમાં તપાસ કરાતા કુલ રૂ.227 કરોડનું બોગસ ઇ-વે બિલનું જંગી કૌભાંડ પકડાયું હતું. આ કામગીરી બાદ જીએસટી તંત્રએ આ કૌભાંડના માસ્ટર માઇન્ડને પકડવા કવાયત હાથ ધરી હતી જે દિલીપ મોહનભાઇ સેજપાલ હોવાનું ખુલતા તેની ધરપકડ કરી જેલ હવાલે કરાયો હતો. જીએસટી વિભાગના સૂત્રોએ જણાવ્યું કે આરેપી દિલીપ સેજપાલે જૂનાગઢ અને આજુબાજુના વિસ્તારોના મજૂરી કામ કરતા અને નાના વેપાર ધંધો કરતા વ્યક્તિઓ પાસેથી પાન કાર્ડ, આધાર કાર્ડ અને બેંકની વિગતો મેળવી લીધી હતી.

બાદમાં તેનો દુરૂપયોગ કરી જૂનાગઢમાં કુલ નવ પેઢીઓ ઉભી કરી હતી. આટલું જ નહીં તેણે આજ વ્યક્તિઓના મેળવેલા પુરાવાઓનો દુરઉપયોગ કરીને ગુજરાત રાજ્ય બહાર પણ બીજા 11 રાજ્યોમાં કુલ 15 પેઢીઓ ઉભી કરી જીએસટી નંબર મેળવી લીધા હતા. દિલીપ સેજપાલ દ્વારા કુલ રૂ.227 કરોડના ઇ-વે બીલ જનરેટ કરીને ગુજરાત રાજ્ય બહાર સીંગદાણા અને ધાણાનો માલ મોકલવામાં પણ ભૂમિકા ભજવી હતી. જેમાં કુલ 11 કરોડ જેટલા વેરાની રકમ સંડોવાયેલી છે. ઉલ્લેખનીય છે કે, જીએસટી તંત્ર દ્વારા ગઇતા.પાંચના તમામ નવ સ્થળોએ તપાસ કરાઇ હતી ત્યારે આરોપી દિલીપ સેજપાલ ફરાર હતો. જેથી જૂનાગઢમાં તેના રહેણાનક સ્થળને સીલ કરી એસઆરપી મુકી દેવાઇ હતી. ત્યારબાદ તે તપાસ અધિકારી સમક્ષ હાજર તેના નિવેદનો લઇ આ કૌભાંડમાં તેની ધરપકડ કરાઇ હતી.

મજૂરો અને નાના ધંધાર્થી પાસેથી પાનકાર્ડ સહિતની માહિતી મેળવી હતી
જીએસટી વિભાગના સૂત્રોએ જણાવ્યું કે આરોપી દિલીપે જૂનાગઢ અને આજુબાજુના વિસ્તારોમાં મજૂરી કામ અને નાના વેપાર ધંધો કરતા લોકો પાસેથી પાનકાર્ડ, આધાર કાર્ડ અને બેંકની વિગતો મેળવીને જૂનાગઢમાં નવ બોગસ પેઢીઓ ઉભી કરી હતી. આ લોકો પાસેથી લોનની લાલચ આપી વિગતો મેળવી હોવાનું જાણવા મળ્યું છે.

April 16, 2019
election19.jpg
1min12670

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાન આડે હવે માંડ અઠવાડિયાનો જ સમય બાકી રહ્યો છે ત્યારે જાહેર પ્રચાર આગામી રવિવારે સાંજે 5 વાગ્યે બંધ થઈ જશે. તે પૂર્વે ગુજરાતમાં 26 લોકસભા વિસ્તારોમાં જાહેર પ્રચારમાં વેગ આવ્યો છે. સ્થાનિક, પ્રદેશના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતને ઘમરોળી રહ્યા છે.

છેલ્લા દિવસોમાં મતદારો પર અપેક્ષિત અસર પાડવા ભાજપ-કૉંગ્રેસ સહિતના રાષ્ટ્રીય પક્ષો, ઉમેદવારો અને કાર્યકરો મથામણ કરી રહ્યા છે. રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત વ્યાપી ઝંઝાવતી પ્રવાસ શરૂ થઈ ગયા છે. કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી આજે સૌરાષ્ટ્રના પ્રવાસે હતા. અમરેલી, પોરબંદર અને જૂનાગઢ બેઠકને ધ્યાને રાખી રાજુલા પાસે તેમની સભા યોજવામાં આવી હતી. તેઓ ફરી સંભવત તા. 19મીએ ગુજરાત આવશે. જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ આજે કોડીનારના પ્રવાસે આવ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અગાઉ જૂનાગઢમાં એક સભા ગજાવી ગયા હવે અમરેલી બેઠકમાં બીજી સભા ગજાવવા તા. 18મીએ આવી રહ્યા છે. કેન્દ્રીયપ્રધાન સ્મૃતિ ઈરાની તા. 17મીએ ધોરાજીમાં રોડ-શો અને સભા માટે આવતા હોવાના અહેવાલ પણ મળ્યા હતા. ઉપરાંત અન્ય રાજ્યોના મુખ્ય પ્રધાનો અને અન્ય રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. સભા, સંમેલન, રોડ-શો વગેરે દ્વારા પ્રચારની પરાકાષ્ટા સર્જવાની રાજકીય પક્ષોની નેમ છે.