
- રૂ.260નો ભાવ એક માસમાં વધી 365-370 થઇ ગયો
- એક જ મહિનામાં સિમેન્ટના ભાવ 30થી 35 ટકા વધી ગયા
- સમગ્ર ભારતમાં સૌથી વધુ સિમેન્ટ વપરાશ કરતા સુરત અને દક્ષિણ ગુજરાતમાં બાંધકામ ઉદ્યોગને મોટો ફટકો પડે તેવી સ્થિતિ, હજુ પણ ભાવ વધવાની શક્યતા


જયેશ બ્રહ્મભટ્ટ
ધો.12 સાયન્સ બી ગ્રુપના સીબીએસઇ, આઇસીએસઇ તેમજ ગુજરાત બોર્ડના પરીણામો જાહેર થઇ ચૂક્યા છે, પણ મેડીકલ, ડેન્ટલ, હોમિયોપેથી અને આયુર્વેદિકમાં પ્રવેશ માટે ફરજિયાત નીટ પરીક્ષાના પરીણામને હજુ કમસે કમ 25 દિવસ જેટલો સમય બાકી છે.
નેશનલ ટેસ્ટીંગ ઓથોરિટીના સૂત્રોના જણાવ્યા અનુસાર તેમજ એન.ટી.એ.ના નોટિફિકેશનની માહિતી અનુસાર નીટ 2019નું પરીણામ તા.5મી જુન 2019ની આસપાસ જાહેર થશે.
મેડીકલ, ડેન્ટલ, હોમિયોપેથી અને આયુર્વેદિકમાં પ્રવેશ ઇચ્છુક વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે આ 25 દિવસનો સમયગાળો ભારે ઉચાટ વાળો રહેશે. જે વિદ્યાર્થીઓના નીટમાં 350થી નીચે સ્કોર આવે તેવું ગણિત છે એવા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આ સમયગાળો ભારે કપરો બની રહેશે. એક તરફ એવી મૂંઝવણ હશે કે મેડીકલમાં પ્રવેશ મળશે કે નહીં અને બીજી તરફ પ્રાઇવેટ મેડીકલ કોલેજો તેમજ ફોરેનની મેડિકલ કોલેજોમાં પ્રવેશ અપાવતા ધંધાદારી એજન્ટોના રોજેરોજ ફોનકોલ્સ અને મેસેજિસ આવશે.
ગુજરાતમાં મેડિકલ, પેરામેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે રચવામાં આવેલી કમિટી પણ નીટના પરીણામ સુધી નિષ્ક્રીય બેસી રહે છે. અત્યાર સુધી એવું જ અનુભવાયું છે કે પરીણામ આવ્યા પછીના દોઢથી બે મહિના પછી પ્રવેશ કમિટી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરે છે. નીટના પરીણામને હજુ 25 દિવસની વાર છે ત્યાં સુધી મેડીકલ પ્રવેશ સમિતિ, એન્જિનિયરિંગની વ્યવસ્થાની જેમ રજિસ્ટ્રેશન પ્રોસેસ પૂરી કરી દે તો બાદમાં પ્રવેશ કાર્યવાહી ઝડપથી હાથ ધરી શકાશે. પરંતુ, હજુ સુધી પ્રવેશ સમિતિ વહેલી જાગે તેવા કોઇ અણસાર જણાતા નથી.
નીટના પરીણામ સુધી પ્રાઇવેટ મેડીકલ કોલેજોમાં પ્રવેશ અપાવતા એજન્ટો તેમજ ફોરેનમાં મેડીકલ એડમિશન અપાવતા એજન્ટો પોતાની માયાજાળ બિછાવીને વાલીઓને અને વિદ્યાર્થીઓને એવા ડરાવશે કે ઘણાં વાલીઓ અને વિદ્યાર્થીઓ તેમની વાતોમાં આવી જઇને રશીયા, ચાઇના, ફિલિપાઇન્સ, યુક્રેન વગેરે જેવી મેડીકલ કોલેજોમાં પ્રવેશ માટેની ટોકન એમાઉન્ટ પણ આપી દેશે.
ફોરેન મેડીકલ ભણવા જવામાં કશું ખોટું નથી પરંતુ, એજન્ટોને બિનજરૂરી દોઢથી અઢી લાખ રૂપિયા ચૂકવવા કરતા વાલીઓ અને વિદ્યાર્થીઓએ જાતે જ ફોરેનની કોલેજોની વેબસાઇટ પરથી કોલેજનો સંપર્ક કરીને એડમિશન મેળવવું જોઇએ. આ પ્રક્રિયાથી એજન્ટોને આપવાની થતી દોઢથી અઢીલાખ જેવી માતબર રકમ બચાવી શકાય છે.
મેડીકલ કટઓફ 2018-19

ડેન્ટલ કટઓફ 2018-19

આયુર્વેદિક કટઓફ 2018-19

હોમિયોપેથી કટઓફ 2018-19

ગુજરાતના વાતાવરણમાં અસામાન્ય ફેરફારો જોવા મળી રહ્યા છે. આ ઉનાળામાં એક વખત માવઠું બેસી ચૂક્યું છે અને હવે ફરીથી આગામી ત્રણેક દિવસમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માવઠાની અસર વર્તાય તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ગરમીમાં ઘટાડો નોંધાશે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પણ પડી શકે છે એવી માહિતી સ્થાનિક કલેક્ટરેટ સુધી પહોંચાડી દેવામાં આવી છે.
દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે. પરિણામે હવામાન વિભાગે 10, 11 અને 12 મેનાં રોજ થન્ડર સ્ટોર્મ, ભારે પવન અને વીજળીનાં કડાકાની આગાહી છે. આ દિવસો દરમિયાન પવનની ગતિ પણ 30થી 40 કલાક પ્રતિ કિલોમીટરની રહી શકે છે. પરિણામે હળવી ઠંડક અનુભવાશે.
બનાસકાંઠા, રાજકોટ અને કચ્છમાં વાતાવરણમાં પલટો થવાની આગાહી છે. 11મી તારીખે બનાસકાંઠા, પાટણ, રાજકોટ અને અમરેલી માટે આગાહી આપવામાં આવી છે. 12મી મેના રોજ રાજ્યમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, સુરેન્દ્રનગર માટે વોર્નિંગ આપવામાં આવી છે.
જયેશ બ્રહ્મભટ્ટ
આજે તા.9મી મે 2019ની સવારે આઠ વાગ્યા પહેલા જ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર ધો.12 સાયન્સનું પરીણામ જાહેર થઇ ચૂક્યું હતું. અનેક વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ તેમજ સ્કુલોએ મળસ્કે ચાર વાગ્યાથી જ પરીણામ માટે વેબસાઇટ પર ખાંખોખોળા કરવાના શરૂ કરી દીધા હતા. સવારે પોણા સાતેક વાગ્યાથી વેબસાઇટ પર પરીણામ દેખાવાનું શરૂ થયું હોવાનું પેરેન્ટેસે જણાવ્યું હતું.
કેમેસ્ટ્રીએ રડાવી નાંખ્યા

ગુજરાત બોર્ડે ધો.12 સાયન્સમાં કુલ 15 વિષયોની પરીક્ષા લીધી હતી. 15 વિષયો પૈકી સૌથી ઓછું પરીણામ કેમેસ્ટ્રી વિષયનું આવ્યું છે. ઉપરના કોષ્ટક પરથી જોઇ શકાય છે. કેમેસ્ટ્રીનું પરીણામ ફક્ત 72.86 ટકા આવ્યું છે. જે તમામ વિષયોમાં સૌથી ઓછું છે. કેમેસ્ટ્રીમાં જ સૌથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.
ધો.12 સાયન્સના પરીણામ અંગે મળેલા પ્રાથમિક રિપોર્ટસ અને ફિડબેક એવા છે કે વિદ્યાર્થીઓને જેમાં ડર હતો અને જે વિષયનું પેપર કહેવાય છે કે ખરાબ રીતે સેટ કરવામાં આવ્યું હતું. પરીક્ષા પછી ગુજરાતભરમાંથી કેમેસ્ટ્રી વિષયની ફેર પરીક્ષા સામે વિરોધનો વંટોળ ઉઠ્યો હતો. એ કેમેસ્ટ્રીનું પરીણામ આજે સાવ કંગાળ રહ્યું હતું.
સેંકડો નહીં પણ હજારો વિદ્યાર્થીઓનું પરીણામ કેમેસ્ટ્રીએ બગાડી નાંખ્યું છે. જે વિદ્યાર્થીઓ કેમેસ્ટ્રી સિવાયના વિષયોમાં 80 પ્લસ માર્કસ લાવ્યા છે તેમને કેમેસ્ટ્રી વિષયમાં ગ્રેસિંગ મળ્યું છે. અનેક વિદ્યાર્થીઓ કેમેસ્ટ્રીમાં નાપાસ થયા હોવાનું જાણવા મળે છે.
શિક્ષણ સર્વદા અને સી.આઇ.એ. લાઇવને વિદ્યાર્થીઓ અને વાલીઓએ મોકલેલા રિપોર્ટસમાં એવી જ ફરીયાદો કરી કે કેમેસ્ટ્રીના પરીણામથી બિલકુલ સંતોષ નથી. કેમેસ્ટ્રીનું પેપર ખરાબ ગયું હતું અપેક્ષા હતી જ કે રીઝલ્ટ ખરાબ જ આવવાનું છે. અને આજે એ જ સ્થિતિ સર્જાય ચૂકી છે.
ડમી સ્કુલોએ ડાટ વાળ્યા, જેઇઇમાં મેરીટ લાવ્યા પણ પ્રવેશ માટેની લાયકાત મેળવી ન શક્યા
એવા પણ રિપોર્ટસ મળ્યા છે કે જેઇઇ મેઇન્સમાં જે વિદ્યાર્થીઓને 85થી ઉપર સ્કોર છે, 90 પ્લસ સ્કોર છે એવા વિદ્યાર્થીઓ આજે ધો.12ના પરીણામમાં 70 ટકા પણ મેળવી શક્યા નથી. એટલે કે તેઓ એનઆઇટીમાં મેરીટમાં પ્રવેશપાત્ર બની ગયા છે પરંતુ, તેમની પાસે એનઆઇટીમાં પ્રવેશ માટેની લાયકાત જેટલા પણ માર્કસ ધો.12માં મેળવી શક્યા નથી.
જેઇઇ મેઇનમાં મેરીટ હોય અને પ્રવેશ માટેની લાયકાત જેટલા પણ માર્કસ ધો.12માં ન મેળવી શકેલા વિદ્યાર્થીઓ ડમી સ્કુલોના હોવાનું જાણવા મળે છે. જેમણે સ્કુલના ભોગે ટ્યુશનને મહત્વ આપ્યું એવા વિદ્યાર્થીઓ પણ ઉડી ગયા હતા.
જયેશ બ્રહ્મભટ્ટ
ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ 2019માં લેવામાં આવેલી ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરીણામની પ્રાથમિક જાહેરાત તા.9મી મે સવારે 8 વાગ્યે ઇન્ટરનેટથી તેમજ પરીણામની હાર્ડ કોપી શાળા પરથી બપોરે 12 વાગ્યે મળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
ધો.૧૨ સાયન્સમાં આ વર્ષે એ ગ્રૂપમાં ૫૭૫૧૧ જયારે બી ગ્રૂપમાં ૮૯૭૬૦ અને એબી ગ્રૂપમાં ૩૧ વિદ્યાર્થીઓ નોંધાયા હતા.
આ લખાઇ રહ્યું છે ત્યારે પરીણામની પૂર્વ સંધ્યા છે અને ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરનારા અંદાજે 1.45 લાખથી વધુ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં ભારે ઉત્તેજના જોવા મળી છે. તમામના મનમાં એક જ સવાલ ઉપસ્થિત થઇ રહ્યો છે અને એ સવાલ કેમેસ્ટ્રીનું પરીણામ કેવું આવશે એ છે.
ગુજરાતમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજો એટલી બધી ખૂલી ગઇ છે કે જો પરીણામ ખરાબ આવશે તો એ કોલેજોમાં વિદ્યાર્થી સંખ્યા નહીં થાય અને કોલેજો બંધ કરવાની સ્થિતિ પેદા થવાની શક્યતા છે. આવી સ્થિતિમાં ગુજરાતનુ પરીણામ તો સારુ જ આવવાનું છે.
બી ગ્રુપ વાળા માટે પ્રવેશ સમસ્યા સર્જાશે
ધો.12 બી ગ્રુપમાંથી પાસ કરનારા વિદ્યાર્થીઓ માટે કોલેજમાં પ્રવેશની સમસ્યા સર્જાય તેમ છે. કેમકે ગત વર્ષ કરતા બી ગ્રુપમાં આ વખતે અંદાજે 12 હજાર જેટલા વિદ્યાર્થીઓ વધુ સંખ્યામાં નોંધાયા છે. 12 હજાર જેટલી સીટ બી ગ્રુપના અભ્યાસક્રમોમાં વધી નથી. પરીણામે બી ગ્રુપના વિદ્યાર્થીઓને મનગમતી કોલેજમાં પ્રવેશ ન મળે અથવા તો પ્રવેશ વંચિતરહેવું પડે તેવી સ્થિતિ સર્જાશે એમાં કોઇ શંકાને સ્થાન નથી.

એ ગ્રુપમાં એન્જિનિયરિંગમાં 50 ટકા સીટો ખાલી રહેેશે
એ ગ્રુપમાં એટલે કે એન્જિનિયરિંગ અને ટેકનોલોજીમાં પ્રવેશની કોઇ સમસ્યા નહીં સર્જાય કેમકે 60,900થી વધુ ઇજનેરીની સીટ્સની સામે ગુજકેટની પરીક્ષા ફક્ત 47000 જેટલી વિદ્યાર્થીઓએ આપી છે. આમ, અત્યારથી જ 13 હજાર જેટલી સીટો ખાલી પડી રહે તેવી સ્થિતિનું નિર્માણ થઇ ચૂક્યું છે. ગુજકેટ આપનારા વિદ્યાર્થીઓ બધા જ ઇજનેરીમાં પ્રવેશ લેતા નથી, કેટલાક ફાર્મસીમાં, કેટલાક આર્કિટેક્ચરમાં, કેટલાક લોકલ યુનિ.માં બીએસસીમાં પ્રવેશ મેળવશે તો કેટલાક જેઇઇ થકી નેશનલ ઇન્સ્ટિટ્યુટ્સમાં જશે. આમ એ ગ્રુપમાં ઇજનેરીની સીટો ખાલી પડી રહે તેવી સ્થિતિ સર્જાશે.

ધો.૧૨ સાયન્સમાં આ વર્ષે એ ગ્રુપમાં ૫૭૫૧૧ જયારે બી ગ્રૂપમાં ૮૯૭૬૦ અને એબી ગ્રૂપમાં ૩૧ વિદ્યાર્થીઓ નોંધાયા હતા.
2019માં વર્ષે એ ગ્રૂપમાં અંદાજે ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓ વધ્યા છે. જયારે બી ગ્રૂપમાં અંદાજે ૧૨ હજાર જેટલા વિદ્યાર્થીઓનો વધારો થયો છે.
ધો.૧૨ સાયન્સમાં સેમેસ્ટર સીસ્ટમ પ્રમાણે જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે તેમના માટે આ છેલ્લી તક છે. જયારે એનસીઇઆરટી પ્રમાણેના પાયલોટ પ્રોજેક્ટમા સામેલ થયેલી સ્કૂલોના ૧૨૨૬૩ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ઉપસ્થિત રહેશે.
રાજ્યના કુલ ૩૩ જિલ્લા પૈકીના માત્ર પંચમહાલ, મહીસાગર, નર્મદા અને ભરુચ જેવા માત્ર ૪ જિલ્લામાં ૩૬થી ૪૧ ટકા પાણી છે. તે સિવાયના ૨૯ જિલ્લાઓ પાણી માટે વલખાં મારી રહ્યાં છે.

રાજ્યના કુલ ૨૦૩ જળાશયો (ડેમો)માંથી હાલ પાણીનો હયાત જથ્થો ૨૧.૩૭ ટકા જેટલો છે. એમાં પણ પાણીનો વાપરવા લાયક (જીવંત) જથ્થો તો માંડ ૧૫.૫૩ ટકા જેટલો બચ્યો છે. કચ્છ-સૌરાષ્ટ્રની સ્થિતિ તો એકદમ દયનીય બની છે. અહીંના જામનગર, પોરંબદર, બોટાદ, દ્વારકા જિલ્લાના ડેમોમાં તો શૂન્ય ટકા પાણી છે.
લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ રાજ્ય સરકાર સાબદી થઈ છે. મુખ્યમંત્રીએ તાકીદના ધોરણે ઉચ્ચ-સ્તરીય બેઠકો યોજીને પાણીની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ લોકોને પીવા માટેનું પાણી પહોંચાડવા માટે જે કરવું પડે તે કરવા, તમામ જિલ્લા કલેકટરોને તાકીદ કરી છે. હવે આવી આકરી સ્થિતિમાં સરદાર સરોવર નર્મદા ડેમ સિવાય અન્ય સહારો જ રહ્યો નથી.
રાજ્યમાં જે કુલ ૧૭ મોટા ડેમો છે. એમાં પણ હાલ, તેની પાણીની કુલ સંગ્રહ શક્તિના માત્ર ૨૨ ટકા પાણી છે. મોટા ડેમો પૈકી કડાણા, પાનમ ડેમોમાંથી ૫૧-૫૧ ટકા અને કરજણ ડેમમાં ૪૩ ટકા પાણી છે. તે સિવાયના તમામ મોટો ડેમોમાં પણ ૨૦ ટકાથી ઓછું પાણી છે.
એવી જ રીતે, સરદાર સરોવર નર્મદા ડેમોમાં પણ હાલ, પાણીની તેની કુલ સંગ્રહ શક્તિની સરખામણીમાં ૫૧ ટકા જેટલું પાણી જરુર છે પણ તેમાંથી વાપરવા લાયક પાણીનો જીવંત જથ્થો તો માત્ર ૧૯ ટકા જેટલો જ બાકી રહ્યો છે.
સરકારે સરદાર સરોવર નર્મદા ડેમ આધારિત કેનાલ, પાઈપાલઈન નેટવર્કનો ઉપોયગ કરીને, અન્ય જિલ્લાઓના ખાલી ડેમો, તળાવો પાણીથી ભરીને લોકોને પીવા માટે પાણી પહોંચાડવાની વ્યવસ્થા ઉભી કરવાની શરુઆત કરી દીધી છે.
ગુજરાતના મેગા સિટી અમદાવાદમાં હવે મનપાએ તંત્રએ ક્લિન સિટીની ઝુંબેશ શરૂ કરી છે. જાહેર રસ્તા પર થૂંકનારા અને લઘુશંકા કરનારાઓને નોટિસો ફટકારીને તેમની પાસેથી દંડની વસૂલાત કરવામાં આવી રહી છે. મનપાએ છેલ્લા એક સપ્તાહમાં 48 વોર્ડમાં દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ જાહેરમાં પેશાબ કરતા 105 લોકોને નોટિસ ફટકારવામાં આવી છે, તેમની પાસેથી તંત્રએ રૂપિયા 10,600ની વસૂલાત કરી છે. આ ઉપરાંત જાહેરમાં થૂંકવા અંગે 330 લોકોને નોટિસ મોકલવામાં આવી છે અને તેમની પાસેથી રૂપિયા 34,900ની વસૂલાત કરવામાં આવી છે. સોલિડ વેસ્ટ રૂલ્સ ભંગ બદલ તમામ કેસોમાં કુલ 1013 લોકોને નોટિસ મોકલવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોેરેશન દ્વારા શહેરના જાહેર માર્ગ ઉપર થૂંકતા નાગરિકોને દંડવા માટે ઇ-મેમોની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. અમદાવાદ મ્યૂનિસિપલના વિભાગે અત્યાર સુધી રૂપિયા 7.08 લાખનો વહીવટી ચાર્જ વસૂલ્યો છે. જ્યારે 260 કિગ્રા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વેસ્ટ જપ્ત કરવામાં આવ્યો છે. પ્લાસ્ટિક અંગે 2475ને નોટિસ ફટકારવામાં આવી છે અને તેમની પાસેથી રૂપિયા 14.59 લાખનો દંડ વસૂલ કરાયો છે. 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ 26324 નોટિસો આપવામાં આવી છે.
ગુજરાતમાં આવેલી રાય, પારુલ, આર.કે. તથા અન્ય ખાનગી યુનિવર્સિટીમાં બી.એસ.સી. તેમજ ખાનગી યુનિવર્સિટીમાં (એગ્રી). બી.ટેક., (એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ ) બી.એસ.સી.(હોર્ટી) અને કૃષિ ઇજનેરી (ડિપ્લોમા) જેવા કૃષિ સલગ્ન અભ્યાસક્રમો ચલાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કોઇ મંજૂરી આપી નથી. તેમજ ત્યાં ચાલતાં કોર્ષ ગુજરાત કૃષિ યુનિવર્સિટી અધિનિયમ, 2004ની કલમ નં.4(4)ની વિરુદ્ધ હોવાથી તાત્કાલિક અસરથી બંધ કરવા માટે સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે જણાવ્યું છે.
વર્ષ 2018-19માં સંબંધિત ખાનગી યુનિવર્સિટીઓએ ગુજરાત હાઇ કોર્ટમાં એસસીએ/એલપીએ દાખલ કરી દાદ માગી હતી. ગુજરાત હાઇ કોર્ટે સંયુક્ત રીતે સુનાવણી કરીને આ અરજીઓ અંતર્ગત આ ત્રણેય ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા કૃષિ અને સલગ્ન અભ્યાસક્રમો ગુજરાત કૃષિ યુનિવર્સિટીઓ અધિનિયમ, 204 ની કલમ નં. 4(4)ની જોગવાઇ મુજબ રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી મેળવેલ ન હોવાથી અને ઉક્ત અભ્યાસક્રમો ચલાવવા બાબતે આઇ.સી.એ.આર. દ્વારા નિધાર્રિત કરવામાં આવેલા ધારા-ધોરણોનો અમલ કરવામાં આવેલી ન હતી, હાઇ કોર્ટ દ્વારા 30 /10/2018ના ચુકાદાથી ખાનગી યુનિવર્સિટી દ્વારા ચલાવાતા કૃષિ સલગ્ન અભ્યાસક્રમોને અમાન્ય ઠરાવ્યા હતા.
જયેશ બ્રહ્મભટ્ટ 09253 44944
આગામી તા.9મી મે 2019ના રોજ ગુજરાત બોર્ડનું ધો.12 સાયન્સનું પરીણામ જાહેર થઇ રહ્યું છે અને એ પૂર્વે ગુજરાતની કોલેજોમાં પ્રવેશ માટેની કાર્યવાહીઓને અંતિમ સ્વરુપ આપવામાં આવી રહ્યું છે.
એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (એ.સી.પી.સી.)એ આ વખતથી એન્જિનિયરિંગ, ફાર્મસી, ડિપ્લોમા, આર્કિટેક્ચર વગેરે કોર્સમાં ઓનલાઇન પ્રવેશ કાર્યવાહી માટે જરૂરી 14 આંકડાના પીન નંબરના વિતરણ તેમજ ઓનલાઇન ફી ભરવા માટેની વ્યવસ્થામાં ફેરફાર કર્યો છે.
આ વખતથી કોટક બેંકમાં નહીં પરંતુ, આઇ.સી.આઇ.સી.આઇ. બેંકની રાજ્યભરમાં પથરાયેલી ચોક્કસ બ્રાન્ચમાંથી ઓનલાઇન પ્રવેશ માટેનો જરૂરી 14 આંકડાનો પીન મળશે.
ગુજરાતમાં આવેલી ધો.12 પછી પ્રવેશ માટેની ઇજનેરી, ફાર્મસી, ડિપ્લોમા ફાર્મસી, આર્કિટેકચર, ધો.10 પછી ડિપ્લોમા, કન્સ્ટ્રકશન ટેક્નોલોજી, હોટેલ મેનેજમેન્ટ, એમબીએ, એમસીએ વગેરે કોલેજોમાં ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. આ પ્રવેશ પ્રક્રિયામાં રજિસ્ટ્રેશન માટે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ દ્વારા બહાર પાડવામાં આવતા 14 આંકડાના પીન નંબરનું મહત્વ ઘણું છે. તેના વગર રજિસ્ટ્રેશન થઇ શકે નહીં.
ગત વર્ષ સુધી કોટક બેંકમાંથી 14 ડિજિટનો પીન મળતો હતો હવે આ વર્ષથી બદલાયેલી વ્યવસ્થા પ્રમાણે આઇસીઆઇસીઆઇ બેંકમાંથી પીન મળશે.

