CIA ALERT

ગુજરાત Archives - Page 120 of 158 - CIA Live

June 15, 2019
medical.jpg
1min15840

જયેશ બ્રહ્મભટ્ટ

ગુજરાતમાં મેડીકલ અને પેરામેડીકલ કોર્સમાં પ્રવેશ માટે જરૂરી પીન નંબર અને બુકલેટનું વિતરણ આગામી તા.17મી જુન ને સોમવારથી રાજ્યભરમાં આવેલી એક્સિસ બેંકમાંથી કરવામાં આવશે.

એમબીબીએસ, ડેન્ટલ, હોમિયોપેથી, આયુર્વેદિક, નેચરોપેથી કે જ્યાં નીટના સ્કોરના આધારે પ્રવેશ મળશે. જ્યારે ફિઝિયોથેરાપી, ઓપ્ટોમેટ્રી, નર્સિંગ, ઓર્થેટિક્સ વગેરે કોર્સમાં નીટ સિવાય એડમિશન મળશે. આ તમામ અભ્યાસક્રમોમના પહેલા વર્ષમાં પ્રવેશ માટે ધો.12 પીસીબી સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

ઓનલાઇન રજિસ્ટ્રેશન માટેની સઘળી વિગતો નીચે મુજબની અખબારી યાદીમાં સામેલ કરવામાં આવી છે.

In English

 

એક્સીસ બેંકની આ બ્રાન્ચ પરથી મળશે મેડીકલ એડમિશનના પીન અને બુકલેટ

June 15, 2019
Untitled-1-1280x497.jpg
1min14570

વડોદરા નજીક ડભાઈ તાલુકાના ફરતીકુઈ પાસે આવેલી હોટલ દર્શનના ખાળકૂવાની સફાઇ કરવા ઉતરેલા સાત મજૂરોના એક પછી એક કૂવામાં જ ગૂંગળાઇ જતા મોત નિપજ્યાની કમકમાટી ભરેલી ઘટનાએ સમગ્ર ગુજરાતમાં એરેરાટી ફેલાવી દીધી છે.

ખાળકૂવો સાફ કરવા માટે પહેલા પિતા-પુત્ર ઉતર્યા હતા અને તેમને જોવા માટે અન્ય મજૂરો એક પછી એક ઉતર્યા હતા. ખાળકૂવામાં અત્યંત ઝેરી ગેસ ધરબાયેલો હતો જેનાથી અજાણ મજૂરો અંદર ઉતરતા જ ગૂંગળામણનો ભોગ બન્યા હતા. આ દુર્ઘટનામાં થુવાવી ગામમાં રહેતા પિતા-પુત્ર અશોકભાઇ હરીજન અને હિતેષ હરીજન સહિત ચાર વ્યક્તિના મોત નીપજ્યા હતા.

મૃતકોના નામ

1. અશોક બેચરભાઇ હરીજન (રહે. વાંટા ફળીયું, થુવાવી)
2. હિતેષ અશોકભાઇ હરીજન (રહે. વાંટા ફળીયું, થુવાવી)
3. મહેશ મણીલાલ હરીજન (રહે. વસાવા ફળિયું, થુવાવી)
4. મહેશ રમણલાલ પાટણવાડીયા (રહે. દત્તનગર, થુવાવી)
5. અજય વસાવા (મૂળ રહે. કાદવાલી, ભરૂચ, હાલ હોટલ)
6. શહદેવ રમણભાઇ વસાવા (રહે. વેલાવી, તા. ઉમરપાડા, સુરત., હાલ હોટલ)

7. વિજય અરવિંદભાઇ ચૌધરી (રહે. વેલાવી તા. ઉમરપાડા, સુરત., હાલ હોટલ)

ઝેરી ગેસના કારણે મોત નીપજ્યાં હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. વડોદરા અને ડભોઇ ફાયર બ્રિગેડે છ કલાકની ભારે જહેમત બાદ દોરડાથી ખેંચીને મૃતદેહ બહાર કાઢ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ ઝેરી ગેસની અસર થતા એક મજૂર ખાળકૂવામાં ઢળી પડ્યો હતો અને તેને બચાવવા માટે અન્ય છ મજૂર ખાળકૂવામાં ઉતર્યા હતા. પરંતુ તેઓ પણ એક બાદ એક મોતને ભેટ્યા હતા.

ફરતીકુઈ પાસેની દર્શન હોટલના માલિક હસન અબ્બાસ છે. રાતે હોટલનો ખાળકૂવો સાફ કરવા માટે થુવાવી ગામના વસાવા ફળિયામાં રહેતા પિતા-પુત્ર સહિત ચાર અને હોટલના ત્રણ કર્મચારીઓ ઉતર્યા હતા. ખાળકૂવામાં ઉતરતા સાથે જ તમામને ઝેરી ગેસની અસર થતાં તેઓ ખાળકૂવામાં ડૂબી ગયા હતા અને મોતને ભેટ્યા હતા. ડૂબેલા મજૂરોને બચાવવાને બદલે ગભરાયેલા હોટલ માલિક હસન અબ્બાસે હોટલ બંધ કરીને દીધી હતી.

 

June 15, 2019
mbbs.jpg
1min5300

ગુજરાતમાં એમબીબીએસ પ્રવેશ પ્રક્રિયામાં સરળતા કરવામાં આવી છે. ડોમિસાઈલમાં ગુજરાત ગુજરાતમાં જન્મેલા અને ધોરણ 10 અને 12 ગુજરાત બોર્ડમાં પરીક્ષા આપી હોય તેવા વિદ્યાર્થીઓએ મેડિકલમાં પ્રવેશ માટે ડોમિસાઇલ સર્ટિ.ની વિનાજ મેડિકલમાં પ્રવેશ મેળવી શકશે.

બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને ઉચ્ચશિક્ષણ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા 10 ટકા આર્થિક અનામત આપવાનો નિર્ણય કર્યો છે તેનો ગુજરાતે સૌ પ્રથમ અમલ કર્યો છે. ચાલુ વર્ષથી જ ગુજરાતના બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને મેડિકલ શિક્ષણમાં પ્રવેશ અપાશે. રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓનો જન્મ ગુજરાતમાં હોય અને જે વિદ્યાર્થીઓને 10મું ધોરણ અને 12મું ધોરણ ગુજરાતમાં પાસ કર્યું હોય. અને ગુજરાતના પાંચ માન્ય બોર્ડ હોય તેને આ વર્ષથી ડોમિસાઈલ સર્ટિફિકેટ રજુ નહીં કરવાની છૂટ આપવામાં આવે છે. આમ દસ હજાર વિદ્યાર્થીઓને ડોમિસાઈલ લેવામાં સરળતા કરી આપવામાં આવી છે. જે વિદ્યાર્થીઓને જન્મ ગુજરાત બહાર જન્મ થયો હોય અને ગુજરાતમાં ધોરણ 10 અને 12માં પરીક્ષા પાસ કરી હોય તેવા વિદ્યાર્થીઓને એડમિશન ફાર્મ દરમિયાન ડોમિસાઇલ સર્ટી આપવું પડશે. દીવ દાદરા નગર હવેલી તે વિદ્યાર્થીઓ ગુજરાતની બોર્ડની પરીક્ષા આપતા હતા. અને તે વિદ્યાર્થીઓને ગુજરાતની મેડિકલ કૉલેજમાં પ્રવેશ આપતા હતા. આ વખતે સિલવાસા ખાતે 150 વિદ્યાર્થીઓની મંજૂરી આપવામાં આવી છે. દાદરા નગર હવેલીની નવી મેડિકલ કોલેજ કેન્દ્ર સરકારે મંજૂર કરી છે. તેમાં ગુજરાતના વિદ્યાર્થીઓ માટે 10 સીટનો કોટા રિઝર્વ કરવામાં આવ્યો છે. મેડિકલની પ્રવેશ પ્રક્રિયા ઓનલાઇન થશે. આરોગ્ય કમિશનરના વડપણ હેઠળની કમિટી ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરશે અને મેરિટના આધારે પ્રવેશ મળશે. 4650 બેઠક ઉપર મેડિકલમાં પ્રવેશ અપાશે. તથા ધોરણ 12 સાયન્સમાં બોર્ડની પરીક્ષામાં ગ્રેસિંગ માર્ક સાથે 50 ટકા મેળવ્યા હશે. તેવા વિદ્યાર્થીઓ પણ નીટની ટકાવારીને આધારે મેડિકલમાં પ્રવેશ મેળવી શકશે, એવું તેમણે ઉમેર્યું હતું.

June 15, 2019
1min5100

અરબી સમુદ્રમાં સર્જાયેલા વાયુએ દિશા બદલી પણ તેની અસર સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારોમાં જોવા મળી રહી છે. ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લામાં ગુરુવારની બપોરથી શરૂ થયેલા વરસાદને પગલે શુક્રવાર સુવાર સુધીમાં સરેરાશ આઠ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો જેના કારણે હિરણ નદીમાં ઘોડાપૂર આવ્યા હતા તેમ જ તાલાલા હાઇવે પણ પાણી ભરાઇ જતા તે નદીમં ફેરાવાયો હતો. ગુરુવારની રાત્રિએ તાલાલા અને સૂત્રાપાડામાં છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો ખાબક્યો હતો, જ્યારે વેરાવળમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. તો ભારે વરસાદને કારણે સોમનાથ મંદિર નજીક આવેલ શોપિંગ સેન્ટરમાં દુકાનોમાં ગોઠણ સુધી પાણી ભરાયા હતા. બીજી તરફ દીવ, ઉના અને ગીરગઢડામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. વાવાઝોડાને લઇને દરિયાકાંઠાના શહેરો અને તાલુકામાં સવાર સુધીમાં છેલ્લા 24 કલાકમાં તાલાલા અને સૂત્રાપાડામાં 8 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. તેમ જ વેરાવળમાં બે, કોડિનારમાં બે, ઊનામાં એક અને ગીર ગઢડામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો.ગીરસોમનાથ જિલ્લામાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી ગઇ છે. દરમિયાન રાજકોટમાં વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ પડતા વીજ પુરવઠો ખોરવાયો હતો. શહેરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. 10 મિનિટ ધોધમાર વરસાદ વરસતા શહેરના રસ્તાઓ પર પાણી ભરાયા હતા. તો બીજી તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. રાજકોટ ઉપરાંત મોરબી, જામનગર, અમરેલી, જૂનાગઢમાં પણ વરસાદ વરસ્યો છે.

June 15, 2019
rain.jpg
1min5180

ગુજરાતમાં વાયા વાવાઝોડાની મધદરિયે વિદાય થયા બાદ તેની અસરરૂપે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી સહિતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. કોડીનારમાં આઠ ઇંચ જ્યારે સૂત્રાપાડામાં છ ઇંચ જેટેલો વસસાદ નોંધાયો હતો. આ ઉપરાંત બીજી મોટા ભાગના જિલ્લાઓમાં એકથી પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જૂનાગઢમાં ધોધમાર વરસાદથી સોનલખી નદી વહેતી થઇ હતી તેમ જ દામોદર કુંડમાં નવા નીર આવ્યા હતી. જ્યારે ઉના અને તાલાલામાં પણ ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા તેમજ નદી નાળા વહ્યાં હતા.

સોરઠમાં વંથલી પંથકમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયેલો હતો. જિલ્લામાં સર્વત્ર વરસાદી માહોલ છવાયો હતો. રાજ્યના 114 તાલુકાઓમાં હળવા ઝાપટાંથી લઇ સાડા છ ઇંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ અનુસાર 24 કલાક દરમિયાન રાજ્યમાં અનેક સ્થળે મૂશળધાર વરસાદ વરસ્યો છે. વાયુ વાવાઝોડાના કારણે દરિયાઇ કાંઠાના સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદનું જોર જોવા મળ્યું છે. રાજ્યભમાં 61 તાલુકાઓ એવા છે જ્યાં અડધા ઇંચથી માંડીને સાડા છ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

તાલાલા તાલુકામાં સાડા છ ઇંચ જેટલો એટલે કે, 160 મી.મી, સૂત્રાપાડા તાલુકામાં છ ઇંચ એટલે કે 145 મી.મી., વેરાવળમાં 60 મી.મી., કોડીનારમાં 48 મી.મી., ગીર ગઢડામાં 30 મી.મી., ઉનામાં 22 મી.મી. વરસાદ વરસ્યો છે. જૂનાગઢના વંથલીમાં 86 મી.મી., મેંદરડામાં 72 મી.મી., માળીયામાં 69 મી.મી., જૂનાગઢ તાલુકા અને શહેરમાં 45 મી.મી., માંગરોળમાં 37 મી.મી., કેશોદમાં 32 મી.મી., વિસાવદરમાં 24 મી.મી., ભેંસાણમાં 20 મી.મી., માણાવદરમાં 17 મી.મી. વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત ભાવનગર શહેરમાં પણ જોરદાર ઝાપટાં શરૂ થયા હતા. જિલ્લામાં તળાજા તાલુકામાં 57 મી.મી., ઉમરાળામાં 39 મી.મી., પાલીતાણામાં 34 મી.મી., ભાવનગર શહેર અને મહુવામાં 33 મી.મી., વલભીપુરમાં 30 મી.મી., ગારીયાધારમાં 27 મી.મી., શિહોરમાં 14 મી.મી., ધોધામાં 13 મી.મી. વરસાદ પડ્યો હતો. બોટાદ જિલ્લાના ગઢડામાં 48 મી.મી., રાણપુરમાં 23 મી.મી., બરવાળામાં 19 મી.મી., બોટાદમાં 14 મી.મી., જ્યારે અમરેલી જિલ્લાના જાફરાબાદમાં 46 મી.મી., રાજુલામાં 44 મી.મી., ખાંભામાં 35 મી.મી., અમરેલી અને લાઠીમાં 30મી.મી., સાવરકુંડલામાં 29 મી.મી., વડીયામાં 25 મી.મી., લિલિયામાં 22 મી.મી., ધારીમાં 21 મી.મી. અને બાબરામાં 12 મી.મી. વરસ્યો છે. જ્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં 42 મી.મી., ધોરાજીમાં 30 મી.મી., જામકંડોરણામાં 17 મી.મી., જેતપુર અને વિછિંયામાં 15 મી.મી., ગોંડલમાં 14 મી.મી., લોધિકામાં 12 મી.મી. વરસાદ વરસ્યો છે. તાપી જિલ્લામાં સોનગઢમાં 25 મી.મી. અને વ્યારામાં 12 મી.મી. વરસાદ પડ્યો હતો. આ સાથે સુરત, પોરબંદર, ભરૂચ, નવસારી, ડાંગ, સુરેન્દ્રનગર, છોટાઉદેપુર, જામનગર, દેવભૂમિ દ્વારકા, અમદાવાદ, આણંદ જિલ્લામાં હળવા ઝાપટાં વરસ્યા હતા.

June 15, 2019
Vayu-kach-sandesh.txt.jpg
1min6410

ગુજરાતને માથેથી માંડ ટળેલું વાવાઝોડું ‘વાયુુ’ 16મી જૂને કદાચ પાછું ફરીને કચ્છ પર 17 અથવા 18મી જૂને ત્રાટકવાની શક્યતા અર્થ સાયન્સ મંત્રાલયે જાહેર કરી હતી. અર્થ સાયન્સ મંત્રાલયના સચિવ એમ રાજીવને જણાવ્યું હતું કે વાવાઝોડું ‘વાયુુ’ 16મી જૂને કદાચ પાછુ ફરે એવી શક્યતા છે અને 17 કે 18મી જૂને કચ્છ પર ત્રાટકવાની શક્યતા સર્જાઇ છે. જોકે, વાવાઝોડાની તીવ્રતા ઘટી જશે, પણ તોય એ કિનારા પર વાવાઝોડા સાથે અથડાશે. આ મામલે ગુજરાત સરકારને વાવાઝોડાની આડઅસર વિશે જાણ કરી દેવાઇ છે અને સરકાર ફરી એકવાર સાબદી થઇ છે. વાવાઝોડું ‘વાયુુ’ અગાઉ ગુરુવારે ગુજરાત પહોંચવાનું હતું, પણ બુધવારે રાતે એની દિશા બદલાઇ હતી. જોકે એ ગીર, સોમનાથ, દીવ, જૂનાગઢ અને પોરબંદર નજીકથી પસાર થયું હતું.

June 14, 2019
vayu11.jpg
1min6420
  • ગીરનાર પર્વત ઉપર દુકાનોના છાપરાં, બાંકડા ઉડયા : પાલિતાણામાં દીવાલ પડતાં એક મૃત્યુ
  • ઉત્તર ગુજરાતના શણગાલ ગામે 2પ મકાનોના છાપરાં ઉડયા : ચાર પશુના મૃત્યુ
  • વેરાવળમાં 14 હોડી ડૂબી, પાંચ ફીશીંગ બોટને નુકસાન : જામનગરમાં 182 વીજ ફીડરને અસર
સૌરાષ્ટ્રના સાગરતટે વિનાશક વાવાઝોડું વાયુ ત્રાટકવાનું હતું પણ સદ્દનસીબે ભયાનક તબાહી ટળી ગઈ છે છતાં ચક્રાવાતની અસરના કારણે અનેક જગ્યાએ, ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયા છે, થાંભલા ઊડયા હતા. દરિયામાં પ્રચંડ મોજાં ઊછળ્યા હતા. કોડીનાર, મૂળ દ્વારકા, માઢ બંદરમાં 30 જેટલા મકાનો ધરાશાયી થયા હતા અને અમુક મકાનોમાં દરિયાના પાણી ઘૂસી ગયા હતા. પોરબંદરમાં ભૂતેશ્વર મહાદેવનું મંદિર પડી ગયું હતું તો માધવપુરમાં મોબાઈલનો ટાવર પડી ગયો હતો. વેરાવળમાં 14 જેટલી બોટ ડૂબી ગઈ હતી. વાવાઝોડાંની દિશા બદલાઈ છે પણ ખતરો ટળ્યો નથી, તેવી હવામાન વિભાગની ચેતવણી બાદ સ્થળાંતર કરાયેલા લોકોનો આશરો યથાવત્ રાખવામાં આવ્યો છે અને ફૂડ પેકેટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. વાવાઝોડાં અને વરસાદની સ્થિતિ વચ્ચે અનેક જગ્યાએ પ્રસુતાઓને ડિલીવરી કરાવવામાં આવી હતી.
સૌરાષ્ટ્રનો ચિતાર જોઈએ તો, મોરબીના અહેવાલ મુજબ, દરિયા વિસ્તારના 16 ગામોના 8600 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. પ1 આશ્રયસ્થાઓ કાર્યરત કરાયા છે અને ફૂડ પેકેટ પણ આપવામાં આવ્યા છે. ભાવનગરના મહુવામાં તંત્ર દ્વારા શાળા નંબર પમાં સ્થળાંતરીત થયેલા નાગરિકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્ય મંત્રી વિભાવરીબેન દવેએ આ સ્થળની મુલાકાત લઈ ઘટતું કરવા સૂચના આપી હતી અને વ્યવસ્થા કરી હતી. પોરબંદરના અહેવાલ મુજબ, અહીં વાવાઝોડાંના પગલે 1પ થી 20 ફૂટ ઊંચા મોજાં ઉછળ્યા હતા. ચોપાટીને કોર્ડન કરી લેવાઈ હતી. પીજીવીસીએલની 93 ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. પોલીસે હોટેલ, ગેસ્ટ હાઉસ ખાલી કરાવ્યા હતા. ભારે પવનના કારણે 2પ પીલાણ (નાની હોડી) ગૂમ થઈ ગઈ હતી જ્યારે એક ફીશીંગ બોટ તૂટી ગઈ હતી. પોરબંદરમાં સ્થળાંતર કરાયેલા 40 હજાર લોકોને આરોગ્ય વિષયક સુવિધા આપવામાં આવી રહી છે. માળીયા હાટીનામાં અનેક સ્થળે વૃક્ષ પડયા હતા અને દિવસભર ઝાપટાં વરસ્યા હતા. ભાવનગર નજીક ઘાંઘળી ગામે પાંચ વીજ પોલ ધરાશાયી થતાં અંધારપટ છવાયો હતો. કોડીનારના માઢ ગામે દરિયાના પાણી ઘરમાં ઘૂસી ગયા હતા તે વાતથી મંત્રી ભૂપેન્દ્રસિંહ જાડેજાને વાકેફ કરવામાં આવ્યા હતા અને તેમણે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. તળાજામાં મેમણ સમાજના લોકોએ ગરીબ વિસ્તારોમાં ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું. દરિયા કિનારે આવેલા દીવમાં વૃક્ષો પડયા હતા અને પોલીસે ગોઠવેલા બેરીકેડ ઉડયા હતા. દીવમાં એનડીઆરએફની પાંચ ટીમ તૈનાત હતી. જેતપુરમાં એસટી બસના તમામ રૂટ બંધ કરી દેવાતાં મુસાફરો રઝળ્યા હતા. ડોળાસા વિસ્તારમાં વાવાઝોડાંની સામાન્ય અસર થઈ હતી અને વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. બોટાદમાં સુસવાટા સાથે વરસાદ વરસ્યો હતો. ફાડર મેલડી માતાજીના મંદિર પાસે બે વૃક્ષ પડી ગયા હતા.
વેરાવળથી મળતા અહેવાલ મુજબ, વેરાવળ બંદર પર લાંગરેલી માંગરોળની ત્રણ, વેરાવળની બે ફીશીંગ બોટોના એન્ક તૂટી જઈ મોટા પથ્થર સાથે અથડાતાં પાંચેય બોટને નુકસાન થયું છે. નાની મોટી 3પ હોડીઓ પણ તોફાની દરિયાની ઝપટે ચડી ગઈ હતી. 62 બોટોને રેસ્કયૂ કરીને બચાવી લેવાઈ હતી. બોટ એસોસિએશનના તુલસીભાઈ ગોહેલે જણાવ્યું હતું કે, બંદરના ઈસ્ટર્ન બેક વોટર વિસ્તારમાં દરિયા કિનારા નજીક 70 જેટલી બોટો લાંગરવામાં આવી હતી. પણ પ્રચંડ પવન અને મોજાંના કારણે બોટને નુકસાન થવાની ભીતિ હોવાથી 62 બોટને બચાવી લેવામાં આવી હતી. 14 બોટ તો સંપૂર્ણ ડૂબી ગઈ છે. આ બોટના કારણે માછીમારોને અંદાજે 1.40 કરોડનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. જૂનાગઢના અહેવાલ મુજબ, માંગરોળના માળીયામાં 32 હજાર લોકોનું સ્થળાંતર કરાયું હતું જ્યારે 2પ હજાર ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું. વાવાઝોડાંની અસર વિસરાવા લાગતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
તાલાલાના અહેવાલ અનુસાર, ભારે પવનના કારણે અનેક વિસ્તારમાં વૃક્ષો અને થાંભલા ધરાશાયી થઈ ગયા હતા. પ0 વીજકર્મીઓનો સ્ટાફ તૈનાત હતો. આજે તાલાલાના યાર્ડમાં કેસર કેરીની હરાજી બંધ રાખવામાં આવી હતી.
જામનગરથી મળતા અહેવાલ અનુસાર, જામનગર અને દેવભૂમિ દ‰વારકા જિલ્લાના કેટલાંક વિસ્તારોમાં ગઈકાલે બપોરે ભારે પવન સાથે વરસાદના કારણે બંને જિલ્લાના 182 જેટલાં વીજ ફિડરોને અસર થઈ હતી અને વીજ પૂરવઠો ખોરવાયો હતો.મોડી રાત્રી સુધીમાં મોટાભાગના વીજ ફિડરોને ચાલુ કરી દેવાયાં હતાં. ગઈકાલે બપોરે અડધી કલાક સુધી ચાલુ રહેલા તોફાની વરસાદના કારણે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં અનેક નાના-મોટા વૃક્ષો તૂટી પડયાં હોવાના 38 જેટલાં કોલ ફાયર બ્રિગેડ શાખાને મળ્યાં હતાં.36 જેટલાં ફાયરમેનો સાથેની 6 ટૂકડીઓ દ‰વારા મોડી રાત્રે 2-00 વાગા સુધીમાં આ તૂટી પડેલા વૃક્ષોને માર્ગ પરથી ખસેડી લેવાની કાર્યવાહી કરી તમામ 38 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો હતો. જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ‰વારા સંભવિત વાવાઝોડાના પગલે એલર્ટ બન્યું છે.કોઈ ખાના ખરાબી અથવા જાનમાલની નુકશાની થાય નહીં તે માટેના તમામ ચાંપતા પગલાં ભરવામાં આવી રહયાં છે.જેના ભાગરૂપે જામનગર’ જિલ્લાના નિચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતા લોકોને’ સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.ગઈકાલ સવારથી જ વહીવટી તંત્રની ટીમ દ‰વારા લોકોનું સ્થળાંતર શરૂ કરી દેવાયું હતું અને આજે વહેલી સવાર સુધીમાં જિલ્લાના કુલ 17907 વ્યકિતનું સ્થળાંતર કરી લેવાયું છે.
ઉત્તર ગુજરાતના પ્રાંતીજમાં વાવાઝોડાં સાથે વરસાદ ત્રાટક્યો હતો. અહીં અમીનપુરા ટેકરા વિસ્તારમાં રહેતા કનુભાઈ રાવજીભાઈ વાઘેલાને ઘરના સમારકામ દરમિયાન પતરું ઊડીને વાગી જતાં તેમનું મૃત્યુ થયું હતું. તાલુકામાં ખેતીના પાકને પણ વ્યાપક નુકસાન થયું છે. બાયડ તાલુકાના શણગાલ ગામે 2પ થી વધારે મકાનોના છાપરાં ઊડી ગયા હતા. આ બનાવમાં ચાર પશુઓના મૃત્યુ પણ થયા છે. ધોરાજીમાં લશ્કરના પ1 જવાનો બે દિવસથી ખડેપગે છે. ધોરાજી અને કંડોરણા વિસ્તારમાં ઝુંપડાંમા રહેતા લોકોને તાકીદથી ખસેડવામાં આવ્યા હતા અને 3પ00 જેટલા લોકો માટે ફૂડ પેકેટની વ્યવ્સથા કરવામાં આવી હતી.
વીરપુર (જલારામ)થી મળતા અહેવાલ અનુસાર, 2પ0 જેટલા અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જેતપુર તાલુકાના નવ ગામોના 600 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. ઊર્જામંત્રી સૌરભભાઈ પટેલ વીરપુર આવ્યા હતા અને સ્થિતિની સમીક્ષા કરી હતી. દ્વારકાના અહેવાલ મુજબ, અહીં ઊંચા મોજાં ઊછળ્યા હતા અને વીજ પુરવઠો ઠપ્પ થઈ ગયો હતો.
કેશોદથી મળતા સમાચાર મુજબ, સવારથી પવન સાથે વરસાદ હતો અને ભારે પવનથી વેરાવળ રોડ ઉપર આવેલા દ્વારકાધીશ મારકેટની અગાસીમાં લગાવેલું હોર્ડિંગ કડડભૂસ થતાં લોકોમાં ભય ફેલાયો હતો. આ ઉપરાંત ચારચોક વિસ્તારમાં આવેલી મારકેટમાં બાથરૂમની દિવાલ નીચે પડતાં બાઈકનો ભુક્કો બોલી ગયો હતો. વાંકાનેરના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર, તંત્રે વાવાઝોડાં સામે રક્ષણ મેળવવા તૈયારી કરી હતી અને વૃક્ષોની મોટી ડાળીઓ કાપી હતી પણ કાપેલા ઝાડની ડાળીઓ એક છત ઉપર રાખવામાં આવી હતી. જો વાવાઝોડું ફૂંકાત તો છત ઉપર રાખેલી ડાળીઓ ઊડીને અન્યોને ઈજા કરત. ખાંભાના અહેવાલ અનુસાર, ભારે પવન અને વરસાદ વચ્ચે અનેક સ્થળોએ વૃક્ષ ધરાશાયી થયા હતા. ખાંભા-ઊના સ્ટેટ હાઈ વછે પર 60 વર્ષ જૂનું પીપરનું વૃક્ષ ધરાશાયી થતાં ટ્રાફીક જામ થયો હતો. અને આખો દિવસ વિજ પુરવઠો ખોરવાયેલો રહ્યો હતો.
રાણાવાવમાં ખોજાબેન્કની બાજુમાં આવેલી હઝરત બાબા જાહેરશાપીરની દરગાહમાં વૃક્ષ ધરાશાયી થયું હતું અને વૃક્ષના કારણે દિવાલ પણ પડી હતી. ચોરવાડમાં પણ વીજ પુરવઠો ખોરવાયો હતો અને 300નું સ્થળાંતર થયું હતું. જવાહર ચાવડાએ ચારવાડ બંદરની મુલાકાત લીધી હતી.
જૂનાગઢમાં ગીરનાર પર્વત ઉપર આવેલી દુકાનોના છાપરાં ઉડયા હતા અને પ્રવાસીઓને બેસવાના બાંકડા પણ ઉડયા હતા. ટંકારાથી જાણવા મળ્યા મુજબ, અહીં સ્થળાંતરીત કરાયેલા લોકોને કન્યા શાળામાં આશરો અપાયો હતો. ટંકારામાં આર્ય વિદ્યાલય તથા ટંકારાના પૂર્વ સરપંચ ધર્મેન્દ્ર ત્રિવેદી દ્વારા સ્થળાંતરીત લોકોને રસ-પુરીના જમણ આપવામાં આવ્યા હતા. મીતાણા ગામે વીજ થાંભલા પડયા હતા. સલાયામાં ઝુંપડપટ્ટીના લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા. 90 જેટલા અગરીયાઓને પણ ખસેડવામાં આવ્યા છે. મોરબીના નવાગામે બે થાંભલા પડી ગયા હતા તો જામકંડોરણામાં 748 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. કોડીનાર નજીક 30 મકાનો તો ધરાશાયી થયા હતા પણ મોટલ પીપળો પણ તૂટી પડયો હતો.
પાલિતાણામાં તળેટી રોડ ઉપર ખીમત વિહાર ધર્મશાળામાં ચણતર કામ ચાલુ હતું ત્યારે સાતમા માળેથી દિવાલનો ભાગ બાજુમાં આવેલા મકાન ઉપર પડતાં સુતેલા બે વ્યક્તિ ઉપર પડયો હતો જેમાંથી એકનું મૃત્યુ થયું છે. ભાવનગરમાં ત્રણ સ્થળે વૃક્ષો ધરાશાયી થયા હતા. ખંભાળીયાના અહેવાલ મુજબ, દ્વારકા જિલ્લાના 194 ગામોમાંથી પપ હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. દ્વારકામાં 100 વર્ષ જૂનો વડલો ધરાશાયી થયો છે. માંગરોળમાં 100થી 120 કિ.મીની ઝડપે પવન ફૂંકાયો હતો. જેના કારણે વરસાદ વરસ્યો હતો અને અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. દરિયામાં જોરદાર મોજાં ઊછળ્યા હતા. માધવપરુમાં બંધ વાયરલેસ ટાવર ધરાશાયી થયો હતો. ઊનામાં 20 ફૂટ ઊંચા મોજાં ઉછળ્યા હતા. અનેક વૃક્ષો તૂટી પડયા હતા. ભાવનગરના શિપ બ્રકીંગ યાર્ડના ચાર હજાર મજૂરોને ગુજરાત મેરીટાઈમ બોર્ડના ટ્રનીંગ સેન્ટર કોલોનીમાં આશરો આપવામાં આવ્યો છે.
June 14, 2019
theft.jpg
1min10250

મેઘાણીનગર વિસ્તારમાં આવેલી કેરાલા રાજ્યની એક ખાનગી ફાયનાન્સ કંપનીનો બ્રાન્ચ મેનેજર બ્રાન્ચ બંધ થઈ ગયા બાદ તમામ સીસીટીવી કેમેરા બંધ કરી પોતાની પાસે રહેલી ચાવીથી તિજોરીઓ ખોલી લોકોએ ધિરાણ પર મુકેલા રૂ. 2.32 કરોડ સોનાના દાગીના અને રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.

પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. કેરેલાની એક ખાનગી ફાઇનાન્સ કંપનીની અમદાવાદ બ્રાન્ચમાં ગ્રાહકોને સોના સામે લોન આપી ગ્રાહકોનું સોનું ખાનગી ફાયનાન્સના લોકરમાં મૂકવામાં આવ્યા હતા.

મેઘાણીનગરની બ્રાન્ચમાં એક મહિના પહેલા અમીધર બારોટ બ્રાન્ચ મેનેજર તરીકે જોડાયો હતો. બંને લોકરની બે-બે ચાવી અમીધર પાસે રહેતી હતી. બ્રાન્ચ મેનેજર અમીધર અને અન્ય કર્મીઓ સાંજના છ વાગ્યાની આસપાસ બ્રાન્ચ બંધ કરીને ઘરે ગયાં હતાં અને બ્રાન્ચનો છેલ્લોે સ્ટોક જે તિજોરીમાં સોનું રાખ્યું હતું તે કુલ 593 પેકેટ બેન્કમાં હતા. સવારના નવ વાગ્યે કર્મીઓ ઓફિસ પહોંચ્યાં ત્યારે બ્રાન્ચનું શટર ખુલ્લું હતું અને બોક્સમાં સોનાનું પેકેટ ન મળતાં ઓફિસમાં તપાસ કરતાં બ્રાન્ચ મેનેજર અમીધરને આપેલી ચાવીઓ ઓફિસના ટેબલ પર પડી હતી. તે ચાવીઓ વડે બીજી તિજોરી ખોલી તો તેમાં પણ ગ્રાહકોનાં જે સોનાનાં પેકેટ મૂકેલાં હતાં તે પણ ગાયબ હતાં. જેથી કર્મચારીઓએ બ્રાન્ચ મેનેજર અમીધરનો સંપર્ક કર્યો હતો, પરંતુ બ્રાન્ચ મેનેજર અમીધરે પોતાનો મોબાઈલ ફોન બંધ કરી દીધો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

June 13, 2019
vayu-1280x720.jpg
1min11870
વાવાઝોડું ફંટાઈને હવે તેની દિશા બદલી રહ્યું છે. ગુજરાતનો દરિયાકાંઠો પસાર કર્યા બાદ તે ઉત્તર અરબ સાગરમાં કરાચીના દરિયા કિનારામાં પહોંચીને નબળું પડી શકે છે. હાલમાં ગુજરાતના દરિયા કિનારે ‘વાયુ’ની અસરના કારણે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં દરિયા કિનારે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને હળવો વરસાદ પડી રહ્યો છે.

સેટેલાઇટ ઇમેજીસ કહે છે વાયુ વાવાઝોડું ઓમાન તરફ ફંટાઇ રહ્યું છે

હવામાન અંગે વૈશ્વિક માન્યતા પ્રાપ્ત સ્કાયમેટની વેબસાઇટ પર કરવામાં આવેલા ફોરકાસ્ટ અનુસાર તા.13 અને તા.14 જુન દરમિયાન વાયુ વાવાઝોડાને કારણે ગુજરાતના સૌરાષ્ટ્રના દ્વારકા, ઓખા, જુનાગઢ, નલિયા અને રાજકોટમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. ઉપરાંત વેરાવળ અને ઓખામાં પણ ભારે વરસાદની સંભાવના છે.
સૌરાષ્ટ્રના દરિયાકિનારે ‘વાયુ’ વાવાઝોડું ત્રાટકવાની સંભાવના વચ્ચે વૈશ્વિક માન્યતા પ્રાપ્ત હવામાન એજન્સી સ્કાયમેટ ની આગાહી ગુજરાતના રહેવાસીઓ ઉપરાંત રાજ્ય સરકાર માટે રાહતજનક પુરવાર થઇ રહી છે.

વૈશ્વિક રીતે સ્વીકૃત સ્કાયમેટ વેબ ફોરકાસ્ટ કહે છે ગુજરાતની ધરતીને નહીં સ્પર્શે વાયુ

સ્કાયમેટ ફોરકાસ્ટ અનુસાર ‘વાયુ’ વાવાઝોડું ગુજરાત સાથે નહીં ટકરાય પરંતુ તે પોરબંદરના દરિયાકાંઠા નજીકથી પસાર થઈને ઓમાન તરફ ફંટાઈ જશે. હવામાન વિભાગે પણ જાહેરાત કરી છે કે વાવાઝોડું પોરબંદર, દ્વારકા અને ઓખાના દરિયાકાંઠા નજીકથી પસાર થશે. આ પહેલા ‘વાયુ’ વેરાવળથી દ્વારકા વચ્ચેના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ હતી.

સ્કાયમેટ મુજબ ‘વાયુ’ વાવાઝોડાનું સિસ્ટમ દરિયામાં ચાલુ જ રહેશે, પરંતુ જમીન તેને નબળું પાડી રહી છે. હાલમાં કેટેગરી 2નું વાયુ વાવાઝોડું નબળું પડી કેટેગરી 1 માં પરિણમી શકે છે. જોકે તેમ છતાં 135થી 145કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પવનની ગતિ વધીને 175 કિમી પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે છે.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા ‘વાયુ’ વાવાઝોડાના કારણે ઉદભવતી કોઈપણ પ્રકારની પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે ચાર દિવસથી તૈયારીઓ શરૂ કરી દેવાઈ હતી. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે NDRFની ટીમોને ગોઠવી દેવામાં આવી છે. ઉપરાંત 3 લાખથી વધારે લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા.
vayu latest update માટે છબી પરિણામ
June 12, 2019
vayu_main-1.jpg
1min13640

ગુજરાતમાં આવી રહેલા વાયુ વાવાઝોડાને લઈને તમામ પ્રકારના તકેદારીના પગલા ભરવામાં આવી રહ્યા છે. દરિયા કિનારે વસતા લોકોને સુરક્ષિત સ્થળ પર ખસી જવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે માછીમારોને પણ માછીમારી માટે ના જવાની સૂચના આપાઈ છે. વાવાઝોડુ હવે ગુજરાતથી 350 કિલોમીટર કરતા જેટલા અંતરે છે, જે સતત દીવ અને વેરાવળ તરફ ધસી રહ્યું છે.

ગુજરાતના દરિયા કિનારા પર કોઈ જાનહાનીની ઘટના ના બને તે માટે સ્થાનિકોને છેલ્લા 24 કલાકથી સલામત સ્થળ પર ખસી જવાની સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર દરિયામાં થઈ રહેલી હલચલ પર સતત નજર રાખવામાં આવી રહી છે. આવામાં દરિયા કિનારે ફરવા ગયેલા પ્રવાસીઓ વાવાઝોડાનો શિકાર ના બને તે માટે પણ તકેદારીના પગલા ભરવામાં આવ્યા છે. દીવ, દ્વારકા, કચ્છ વગેરે જગ્યાએ ફરવા માટે ગયેલા દરિયા પ્રવાસીઓને સૂચના આપવામાં આવી છે કે, આજે બપોર પછી દરિયા કિનારા પર ના જવું.

વાવાઝોડાના કારણે વેરાવળ, દીવ, જાફરાબાદ, મહુવા, સોમનાથ વગેરે દરિયા કિનારા પર અસર જોવા મળી રહી છે. અને આ તોફાન દરમિયાન કોઈ જાનહાની ના થાય તે માટે પણ દરિયા કિનારા પર વિવિધ ટીમો દ્વારા નજર રાખવામાં આવી રહી છે.