CIA ALERT
02. May 2024
June 12, 20191min11180

Related Articles



સમગ્ર ગુજરાતના દરીયા કાંઠાઓ પરથી પ્રવાસીઓને હટાવાયા

Share On :
Print Friendly, PDF & Email

ગુજરાતમાં આવી રહેલા વાયુ વાવાઝોડાને લઈને તમામ પ્રકારના તકેદારીના પગલા ભરવામાં આવી રહ્યા છે. દરિયા કિનારે વસતા લોકોને સુરક્ષિત સ્થળ પર ખસી જવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે માછીમારોને પણ માછીમારી માટે ના જવાની સૂચના આપાઈ છે. વાવાઝોડુ હવે ગુજરાતથી 350 કિલોમીટર કરતા જેટલા અંતરે છે, જે સતત દીવ અને વેરાવળ તરફ ધસી રહ્યું છે.

ગુજરાતના દરિયા કિનારા પર કોઈ જાનહાનીની ઘટના ના બને તે માટે સ્થાનિકોને છેલ્લા 24 કલાકથી સલામત સ્થળ પર ખસી જવાની સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર દરિયામાં થઈ રહેલી હલચલ પર સતત નજર રાખવામાં આવી રહી છે. આવામાં દરિયા કિનારે ફરવા ગયેલા પ્રવાસીઓ વાવાઝોડાનો શિકાર ના બને તે માટે પણ તકેદારીના પગલા ભરવામાં આવ્યા છે. દીવ, દ્વારકા, કચ્છ વગેરે જગ્યાએ ફરવા માટે ગયેલા દરિયા પ્રવાસીઓને સૂચના આપવામાં આવી છે કે, આજે બપોર પછી દરિયા કિનારા પર ના જવું.

વાવાઝોડાના કારણે વેરાવળ, દીવ, જાફરાબાદ, મહુવા, સોમનાથ વગેરે દરિયા કિનારા પર અસર જોવા મળી રહી છે. અને આ તોફાન દરમિયાન કોઈ જાનહાની ના થાય તે માટે પણ દરિયા કિનારા પર વિવિધ ટીમો દ્વારા નજર રાખવામાં આવી રહી છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :