CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 134 of 142 - CIA Live

November 2, 2018
madhavpura_bank.jpg
1min27650
  • માધવપુરા બેંકમાં રાજ્યના 45,544 થાપણદારોના નાણા ફસાયેલા
  • 2001માં માધવપુરા બેન્કના ચેરમેન , એમ.ડી. અને શેરદલાલ કેતન પારેખની ત્રિપુટીએ 1800 કરોડ ચાંઉ કરી લીધાં હતા
  • બેંકમાંથી 63 કરોડ છૂટ્ટા થશે
  • 2 લાખની મર્યાદામાં રકમ અપાશે
  • વિધવા-ત્યક્તા, વયસ્ક નાગરિકોને લાભ
  • શનિવાર, તા.3 નવેમ્બર 2018થી નાણાંની ચૂકવણી શરૂ થશે

પોણા બે દાયકા પૂર્વે કથિત કૌભાંડને પગલે ફડચામાં ગયેલી માધવપુરા મર્કન્ટાઇલ બેંકમાં ફસાયેલી કરોડોની રકમ દિવાળીના પર્વ પૂર્વે રિલીઝ કરવામાં આવી છે. સેંકડો નહીં પણ હજારો થાપણદારોએ આ કદમને પગલે દિવાળી સુધરી ગઇ હોવાની લાગણી વ્યક્ત કરી છે. શનિવાર તા.3 નવેમ્બર 2018ના રોજ અમદાવાદમાં રિલીઝ કરાયેલી થાપણોના પ્રતિકરૂપે ચેક અર્પણ કરીને ચૂકવણાનો આરંભ કરાશે.

માધવપુરા બેન્ક કસ્ટમર્સ એસોસીએશન દ્વારા જણાવાયું હતું કે માધવપુરા બેંકમાં 45,544 થાપણદારોના નાણા ફસાયેલા છે. એ પૈકી રૂ. 63.33 કરોડની રકમનું ચૂકવણું બેંક દ્વારા કરવામાં આવશે. સામાન્ય થાપણદારોને 2 લાખની મર્યાદામાં નાણાં ચૂકવાશે. જોકે આ કારણે અસંખ્ય નાના થાપણદારોના નાણાં હાથ ઉપર આવી જતા મોટી રાહત થશે.

રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલાના પ્રયત્નોથી સિનીયર સિટીઝન્સ અને વિધવા-ત્યક્તા બહેનોને 3 લાખ આપવામાં આવશે. સુપર સિનીયર સિટીઝનોને 5 લાખ સુધીની મર્યાદામાં રકમ પરત કરવામાં આવશે. અમદાવાદમાં તા. 3ના રોજ ગુજરાત રાજ્ય સહકારી બેંકના સહકાર ભવન ખાતે પરસોતમભાઇ રુપાલાની હાજરીમાં અજયભાઇ પટેલ તથા જ્યોતિન્દ્રભાઇ મહેતાના હસ્તે પ્રતિકરૂપે 2 લાખના ચેક થાપણદારો, ધાર્મિક સંસ્થાઓ, સહકારી બેંકો તથા જીવદયા સંસ્થાઓને આપવામાં આવશે. થાપણદારોએ 30-11-2018 સુધીમાં બેંકમાં અરજી કરવાની છે.

બેંક કસ્ટમર એસોસીએશન દ્વારા રિકવરીની સુંદર કામગીરી માટે અધિકારીઓનું સન્માન પણ કરવામાં આવનાર છે. એસોસીએશન દ્વારા 2001થી સતત રજૂઆતો કરવામાં આવી હતી. 2001માં માધવપુરા બેન્કના ચેરમેન , એમ.ડી. અને શેરદલાલ કેતન પારેખની ત્રિપુટીએ 1800 કરોડ ડુબાડી દીધા હતા. 160 કરતા વધારે સહકારી બેંકોના નાણા એમાં ફસાયા હતા. જોકે નાના રોકાણકારો અને થાપણદારોને એ કારણે મોટો ફટકો પડયો હતો. 2001થી 2006 સુધી લોકોને થોડી મૂડી મળી હતી પણ પછી 2014 સુધી તલ્લાગલ્લાં કરીને રકમ ચૂકવાઇ રહી ન હતી. જોકે મુખ્યમંત્રી અને પ્રધાનોની અલગ અલગ રજૂઆતો બાદ ફડચા અધિકારી દિલીપભાઇ રાવલે ઉત્તમ કામગીરી કરીને રકમ પરત અપાવી છે. એનાથી થાપણદારોમાં હરખની લાગણી ફેલાઇ છે.

November 1, 2018
gst.jpg
1min4770

ચાલુ નાણાકીય વર્ષના ઑક્ટોબર મહિનામાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ સંગ્રહ એક લાખ કરોડ રૂપિયાનો આંકડો પાર કરી ગયો છે. કેન્દ્રિય નાણા મંત્રી અરુણ જેટલીએ ગુરુવારે આ માહિતી આપી છે.

મે માં જીએસટી સંગ્રહ 94,016 કરોડ રૂપિયા, જૂનમાં 95,610 કરોડ રૂપિયા, જુલાઇમાં 96,483 કરોડ રૂપિયા, ઓગસ્ટમાં 93,960 કરોડ રૂપિયા અને 94,442 કરોડ રૂપિયા સપ્ટેમ્બર રહ્યું હતું.

October 31, 2018
MARKET.jpg
1min4390
ભાવાંતર યોજના લાગુ કરવાની માંગ સાથે સૌરાષ્ટ્રભરના યાર્ડો ગુરૂવાર તા.1 નવેમ્બર 2018થી અચોક્કસ મુદત હડતાળ પાડતા પૂર્વે મોટાભાગના માર્કટ યાર્ડોમાં આજથી આવક બંધ કરવામાં આવી હોવાના અહેવાલોએ સરકારની ઉંઘ ઉડાડી દીધી છે. સરદાર વલ્લભભાઇ પટેલ જન્મજયંતિના કારણે અમુક યાર્ડોમાં આજે કામકાજ બંધ હતા જ, પણ હવે ગુરુવાર તા.1લી નવેમ્બર 2018થી રાજકોટ યાર્ડ હડતાળમાં જોડાવાનું હોઇ, રાજ્યમાં ખેડૂતોનું આ સૌથી મોટા આંદોલન હોવાનું મનાય રહ્યું છે.
રાજ્ય સરકારની ટેકાની ખરીદી સહિત યોજનાઓમાં થયેલા કૌભાંડો અને પોલીસમાં પહોંચેલા મામલા પછી ખેડૂતોના હિતમાં તાત્કાલીક અસરથી ભાવાંતર યોજના લાગુ કરવાની માંગણી સાથે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના યાર્ડના વેપારીઓ મેદાનમાં આવ્યા છે. ખેડૂતોના હિતમાં ગુરૂવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ૨૬ માર્કેટીંગ યાર્ડોમાં અચોક્કસસ મુદ્દતની હડતાલ જાહેર કરાઈ છે.
ખેડૂતોને ફાયદાથી ભાવાંતર યોજના લાગુ કરવા સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસીએસને છેલ્લા એક મહિનાથી સરકારમાં અનેકવાર રજુઆત કરવા છતા કોઇ પ્રત્યુતર ન મળતા નાછુટકે રાજકોટ સહિત સૌરાષ્ટ્રની ૨૬ માર્કેટ યાર્ડો ગુરૂવારથી અચોક્કસ મુદતની હડતાળ પાડી ભાવાંતર યોજના લાગુ કરવાની માગને વધુ આક્રમક રીતે ઉજાગર કરશે.
સરકારનું સ્ટેન્ડ
રાજય સરકારને મગફળીની ખરીદી માટે ત્રણ પ્રપોઝલ આપી હતી. જેમાં ભાવાંતર યોજના, ટેકાના ભાવે અને પ્રાઈવેટ એજન્સી દ્વારા પરંતુ રાજય સરકારે ૧૦૦૧ ટેકાનો ભાવ જાહેર કરી ૧૨૨ સેન્ટરો ઉપરથી લાભ પાંચમથી ખરીદી ચાલુ કરવાનો નિર્ણય લીધો હતો.
October 30, 2018
train_without_engine.jpg
1min9730

દેશની સૌથી પહેલી એન્જિન વિનાની ટ્રેન ‘ટ્રેન-૧૮’ સ્વદેશી ટેãક્નકથી ૧૦૦ કરોડ રૂપિયાના રોકાણ સાથે માત્ર ૧૮ મહિનામાં વિકસાવવામાં આવી

ટ્રેન-૧૮ એક હાઇ-ટેક, ઊર્જા-કાર્યક્ષમ અને એન્જિન વિના જાતે ચાલતી ટ્રેન છે. સફેદ અને બ્લુ રંગની આ ટ્રેને તા.29 ઓક્ટોબર 2018ના રોજ ચેન્નઈની ઇન્ટિગ્રલ કોચ ફૅક્ટરીમાં કેટલાક યાર્ડની સફર કરી હતી. ભારતીય રેલમાં આ ટ્રેન ગેમ-ચેન્જર સાબિત થવાની આશા સેવાઈ રહી છે. આવી ટ્રેનને વિકસાવવામાં જેટલો ખર્ચ થાય છે એની અડધી રકમમાં સ્વદેશી ટેãક્નકથી આ ટ્રેન બનાવી શકાય છે. ૧૬ ડબ્બા ધરાવતી આ ટ્રેનમાં એન્જિન નથી. ૧૫થી ૨૦ ટકા ઊર્જા-કાર્યક્ષમ છે અને એ ઘણું ઓછું કાર્બન ફુટપ્રિન્ટ છોડે છે.

October 29, 2018
gst.jpg
1min6270

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) વસૂલાતમાં વધારો કરવા માટે ભારતની સરકાર બ્રિટન અને ઓસ્ટ્રેલિયાની વ્યવહારમાં સુધારની વ્યવસ્થાની પ્રણાલીને અનુસરશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, કેન્દ્રિય પરોક્ષ વેરા અને સીમા શુલ્ક બોર્ડ (સીબીઆઇસી)એ કરદાતાઓના વ્યવહાર અને નીતિરીતિનાં અધ્યયનની રણનીતિ બનાવવા માટે એક ટીમની રચના કરી છે.
બોર્ડ અલગ-અલગ પ્રકારના કરદાતાઓ સાથે તેમનાં વર્તન-વલણને અનુરૂપ જીએસટી વસૂલાત માટે અલગ-અલગ ઉપાયો અજમાવશે.

 

October 26, 2018
rahul.jpg
1min5050

સીબીઆઈના મુદ્દે કોંગ્રેસે અધ્યક્ષ રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં હલ્લાબોલ કાર્યક્રમ યોજ્યો છે. જેમાં દિલ્હીમાં સીબીઆઈ કચેરીને ઘેરવા આવેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી છે. કોંગ્રેસના કાર્યકરોએ દિલ્હી સીબીઆઈ હેડક્વાર્ટર સહિત દેશભરની સીબીઆઈ કચેરીઓનો ઘેરાવ કરીને મોદી સરકારની નીતિઓ વિરુદ્ધ અનોખો વિરોધ વ્યક્ત કર્યો છે. સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્માને રાતોરાત રજા પર ઉતારી દેવાની ફરજ પાડવામાં આવતા કોંગ્રેસે દેશની સીબીઆઈ કચેરીઓ પર હલ્લાબોલ કાર્યક્રમ યોજ્યો હતો.

દિલ્હી પોલીસે રાહુલ ગાંધી સમેત અન્ય નેતાઓને અટકાયતમાં લીધા હતા અને અંદાજે 50 મિનિટ જેટલા સમય માટે અટકાયતમાં રાખીને તેમને છોડી મૂકવામાં આવ્યા હતા.

New Delhi: Congress President Rahul Gandhi holds a cutout of a fighter aircraft during a protest demanding the reinstatement of CBI Director Alok Verma outside the CBI headquarters, in New Delhi, Friday, Oct 26, 2018. (PTI Photo/Arun Sharma) (PTI10_26_2018_000032B)
October 24, 2018
organic-farming.jpg
1min15610

સુરતના આંગણે તા.25મી ઓક્ટોબર 2018ના રોજ બાગાયતી પાકોમાં સજીવ ખેતી વિષય પર એક અત્યંત ઉપયોગી સેમિનાર નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા યોજાઇ રહ્યો છે. આ સેમિનારના નિષ્કર્ષનો લાભ છેવાડાના ખેડૂતો સુધી પહોંચે તે માટે પ્રયાસો કરવામાં આવશે.

કૃષિ રસાયણોના અતિરેકથી જમીન, પાણી, હવા અને ખોરાકના પ્રદૂષણો વધ્યા છે અને પર્યાવરણના પરિબળો અસમતોલ થતાં ઉભા થયેલા પ્રશ્નોનો એક માત્ર ઉકેલ સજીવ ખેતી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને નવસારી કૃષિ યુનિવર્સિટી, ગુજરાતના બાગાયત ખાતું અને ગુજરાત બાગાયત વિકાસ પરિષદ, આણંદના સંયુક્ત ઉપક્રમે બાગાયતી પાકોમાં સજીવ ખેતી ઉપર એક દિવસીય સેમિનાર યોજવામાં આવ્યો છે.

આ સેમિનાર તા.25મી ઓક્ટોબર 2018ના રોજ સવારે 8.30 કલાકથી શરૂ કરીને સાંજે 6 કલાક સુધી ચાલશે. અઠવા કૃષિ ફાર્મ, કલામંદિર જ્વેલર્સની પાછળના ભાગે આવેલા અસ્પી શકીલમ બાયોટેકનોલોજી ઇન્સ્ટિટ્યુટ ખાતે આ એક દિવસીય સેમિનારમાં અધ્યક્ષ સ્થાને નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. સી.જે. ડાંગરીયા ઉપસ્થિત રહેશે. આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો.એન.સી. પટેલ આ સેમિનારનું ઉદઘાટન કરશે. જ્યારે ગુજરાત રાજ્યના બાગાયત નિયામક શ્રી ડો.પી.એમ. વઘાસીયા મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહેશે. આ સમારોહમાં સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટના શ્રી મથુરભાઇ સવાણી, ઉદ્યોગપતિ શ્રી દેવરાજભાઇ આર. મુંજાણી અને અસ્પી, મલાડ-મુંબઇના શ્રી શરદભાઇ પટેલ અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહેશે.

October 24, 2018
swadeshi1.jpeg
1min5910

પૂર્ણપણે કમ્પ્યુટરાઈઝ ‘ટ્રેન 18’ને વિશેષરીતે બુલેટ ટ્રેનના મૉડેલ પ્રમાણે તૈયાર કરાઈ છે. 18 મહિનામાં તૈયાર કરાયેલ ‘ટ્રેન 18’ના નિર્માણમાં લગભગ 100 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. ટ્રેનના રૅકને તૈયાર કરનાર ઈન્ટિગ્રલ કૉચ ફેક્ટરીના વ્યવસ્થાપક સુધાંશુ મણિના જણાવ્યા મુજબ આ ટ્રેનમાં 16 એસી કૉચ અને બે એક્ઝિક્યુટિવ ક્લાસના કૉચ લગાવવામાં આવ્યા છે.

ભારતીય રેલવે દ્વારા આગામી સમયમાં એક મોટા ફેરફારની તૈયારી શરૂ થઈ ગઈ છે. રેલવે તરફથી આગામી વર્ષમાં હાઈ સ્પીડ ‘ટ્રેન-18’ને દોડાવવાની તૈયારીઓ થઈ રહી છે. તામિલનાડુ સ્થિત રેલવેની ઈન્ટિગ્રલ કૉચ ફેક્ટરીએ આ વિશેષ ટ્રેનને હાઈ ટૅક સુવિધાઓ સાથે તૈયાર કરી છે. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે વગર એન્જિને દોડનારી ‘ટ્રેન 18’ને લગભગ 220 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ દોડાવાશે. તમામ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ‘ટ્રેન 18’ના દરેક કૉચમાં છ સીસીટીવી કૅમેરા લગાવવામાં આવશે. 16 એસી ચેર કાર કૉચ અને બે એક્ઝિક્યુટિવ કૉચ હાઈ ટૅક સુવિધાથી સજ્જ હશે. આ કૉચમાં સ્પેનથી ખાસ મગાવાયેલ સીટ લગાડાઈ હશે જે 360 ડિગ્રી સુધી રૉટેટ કરી શકાશે. ઉપરાંત દિવ્યાંગો માટે વિશેષપણે બે બાથરૂમ અને બેબી કૅર માટે અલગ વ્યવસ્થા કરાઈ છે.

‘ટ્રેન 18’માં પ્રવાસ દરમિયાન ઈમરજન્સીના સમયે પ્રવાસી ડ્રાઈવર સાથે વાતચીત કરી શકે તે માટે દરેક કૉચમાં એક ખાસ ટૉક બૅક યુનિટ લગાડવામાં આવશે. ટ્રેનમાં ભોજનાલય હશે એવું વ્યવસ્થાપકે જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટ્રેનને મૅક ઈન ઈન્ડિયા અંતર્ગત બનાવી વિદેશી ટૅકનોલોજી અને ટ્રાન્સફરમાં થતા ખર્ચ અને સમય બચાવવામાં આવ્યા છે. જો આ ટ્રેન વિદેશથી આયાત કરાઈ હોત તો તેની કિંમત આશરે 170 કરોડ રૂપિયા સુધીની થઈ હોત, પરંતુ સ્વદેશી નિર્માણને કારણે માત્ર રૂપિયા 100 કરોડના ખર્ચે આ અત્યાધુનિક ટ્રેન બનાવવામાં આવી છે.

October 23, 2018
statue-of-unity.jpg
1min12700

Jayesh Brahmbhatt 98253 44944

સ્ટેચ્યુ ઓપ યુનિટી, સરદાર વલ્લભભાઇ પટેલની એવી પ્રતિમા કે જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા હશે અને એ ગુજરાતના નર્મદા જિલ્લામાં આકાર પામી છે. આગામી તા.31મી ઓક્ટોબર 2018ના રોજ સરદાર જયંતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાને જ્યારે અનાવરણ કરશે ત્યારે એ પ્રસંગ ઐતિહાસિક બનવાનો છે. ગુજરાત માટે તો જાણે આ એવો પ્રસંગ છે કે કોઇ ઘરમાં લગ્ન પ્રસંગ ન હોય. ગુજરાત સરકાર પણ એ જ પ્રકારે મહાનુભાવોને નિમંત્રી રહી છે.

તા.31મી ઓક્ટોબર 2018ના રોજ નર્મદા જિલ્લામાં નર્મદા ડેમ સમીપ યોજાનારા સ્ટેચ્યુ ઓફ યુનિટી કાર્યક્રમમાં સહભાગી થવા માટે ગુજરાત સરકારે લગભગ દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓ, રાજ્યપાલોને આમંત્રિત કર્યા છે અને આ આમંત્રણ આપવા માટે ગુજરાત સરકારે અનેક કમિટીઓ બનાવીને તેમને રૂબરૂ મોકલ્યા છે.

સ્ટેચ્યુઓફ યુનિટીના ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપવા અંગેની આમંત્રણ પત્રિકા આપવાની કમિટીઓમાં સુરતના બે નેતાઓ સી.આર. પાટીલ અને હર્ષ સંઘવીને મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી.

સી.આર. પાટીલએ મહારાષ્ટ્રના સી.એમ. અને રાજ્યપાલને ઇન્વાઇટ કર્યા

સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તેમજ મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી ચેનામનીની વિદ્યાસાગર રાવને આપવા માટેના પ્રતિનિધિમંડળમાં ગુજરાતના ડેપ્યુટી સી.એમ. નીતિન પટેલની સાથે નવસારીના સાંસદ અને ગુજરાતના કદાવર નેતા સી.આર. પાટીલને મોકલવામાં આવ્યા હતા.

(મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદઘાટન સમારોહની આમંત્રણ પત્રિકા આપી રહેલા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ સાથે સુરતના નેતા નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલ તેમજ અન્ય દ્રશ્યમાન છે.)

(મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી ચેનાની વિદ્યાસાગર રાવને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદઘાટન સમારોહની આમંત્રણ પત્રિકા આપી રહેલા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ સાથે સુરતના નેતા નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલ તેમજ અન્ય દ્રશ્યમાન છે.)

યુવા ધારાસભ્ય હર્ષ સંઘવીને બિહાર સીએમ નીતિશ કુમારને ઇન્વાઇટ કરવા મોકલાયા

સુરતના મજૂરા વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાતના યુવા બીજેપી નેતા શ્રી હર્ષ સંઘવીને ગુજરાત સરકારે બિહારના મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમાર તેમજ અન્ય વીવીઆઇપીઓને આમંત્રિત કરવા માટેના પ્રતિનિધિ મંડળમાં સમાવેશ કર્યો હતો. સુરતના નેતા હર્ષ સંઘવી સાથે રાજ્ય પ્રધાનમંડળના શ્રી જયનારાયણ વ્યાસ તેમજ સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ તેમજ અન્યો જોડાયા હતા.

(બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદઘાટન સમારોહની આમંત્રણ પત્રિકા આપતી વખતે નીતિશ કુમારે યુવા ધારાસભ્ય, સુરતના નેતા હર્ષ સંઘવીને વિશેષ આદર આપ્યો .)

(બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદઘાટન સમારોહની આમંત્રણ પત્રિકા આપતી વખતે નીતિશ કુમારે યુવા ધારાસભ્ય, સુરતના નેતા હર્ષ સંઘવીને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા.)

October 15, 2018
demu.jpg
1min12860

ડીઝલની બચત કરવા માટે ઇન્ડિયન રેલવે દ્વારા ૨૦૦૮થી બોઇસર અને દિવા વચ્ચે શરૂ કરેલી બોઇસર-દિવા DEMU (ડીઝલ ઇલેક્ટ્રિÿક મલ્ટિપલ યુનિટ) ૭૧૦૦૧ શટલ લોકલ ટ્રેનને સ્થાને તા.15મી ઓક્ટોબર 2018થી  MEMU (મેન ઇલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ) ૬૧૦૦૧ શરૂ કરવામાં આવી છે.

(બોઇસર-દિવા વચ્ચે ચાલી રહેલી ડિઝલથી ચાલતી ટ્રેન)

દસ વર્ષ પહેલાં ૧૨ કોચની DEMU બોઇસર-દિવા સર્વિસ શરૂ થઈ હતી. આ સર્વિસમાં ડીઝલનો ઉપયોગ થતો હતો અને એને મુંબઈના સંસદસભ્ય રામ નાઈક દ્વારા શરૂ કરવામાં આવી હતી. પહેલાં DEMU સર્વિસ વિરાર અને દહાણુ વચ્ચે દોડતી હતી અને હવે મોટા ભાગની લોકલ ટ્રેનોને MEMU બદલવામાં આવી છે. જોકે બોઇસર-દિવા લોકલ DEMUમાં જ દોડી રહી હતી. એથી સેન્ટ્રલ રેલવેએ DEMUને ૧૨ કોચની MEMU લોકલ કરવાનો નિર્ણય લીધો હોવાથી આજથી આ રૂટ પર દોડતી આ ગાડી દેખાશે નહીં. જોકે રેલવેએ લીધેલા આ નિર્ણયથી પ્રવાસીઓને વધુ સારી સુવિધા, ઓછા એન્જિન ફેલ્યરના ચાન્સ, વધુ કમ્ફર્ટેબલ, વધુ સ્પેસ જેવી અનેક સુવિધાઓ પણ મળી રહેશે. ઇલેક્ટ્રિÿક એન્જિનથી ફ્યુઅલની બચત થવાની સાથે પર્યાવરણને પણ નુકસાન નહીં થશે. જોકે આટલાં વર્ષો રેલવે-પ્રવાસીઓને સર્વિસ આપી હોવાથી ગઈ કાલે બધા રેલવે- પ્રવાસીઓએ લાલ પરીના મોટરમૅનને બુકે આપીને અને ગાડીને ફૂલોથી શણગારીને અંતિમ વિદાય આપી હતી.’