CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 133 of 142 - CIA Live

November 22, 2018
hardik.jpg
1min22340

મહારાષ્ટ્રમાં ચાલુ સપ્તાહે મહારાષ્ટ્ર ઓબીસી પંચ દ્વારા મરાઠાઓને રિઝર્વેશન આપવાની કરેલી જાહેરાત બાદ ગુજરાતમાં પાટીદાર આંદોલનના સમીકરણો અને દિશા બદલાય છે. પાટીદાર અનામત માટે લડી રહેલા હાર્દિક એન્ડ કંપની એટલે કે હાર્દિક અને પાસના 25 જેટલા સાથીદાર કન્વીનરોએ આજે તા.22મી નવેમ્બર 2018ના રોજ બપોરે ગાંધીનગર ખાતેના ગુજરાતના ઓબીસી પંચની કચેરી જઇને પાટીદારોને ઓબીસીમાં સમાવવા માટેની રજૂઆતો કરી હતી.

હાર્દિક પટેલ અને તેમના સાથીદારોએ ગુજરાતમાં અધર બેકવર્ડ ક્લાસ પંચ સમક્ષ રજૂઆતો કરાય એ પહેલા મિડીયાને જણાવ્યું હતું કે પાસ દ્વારા જુદા જુદા રાજ્યોમાં કેવી રીતે જુદી જુદી જાતિઓને ઓબીસીમાં સમાવવામાં આવી તે પ્રક્રિયાનો નિર્દેશ કરતી 17 પાનાની લેખિત રજૂઆતો કરી હતી. ઓબીસી પંચના અધિકારીઓ સમક્ષ હાર્દિક પટેલ એન્ડ કંપનીએ એવી રજૂઆતો કરી હતી કે મહારાષ્ટ્રમાં જેમ ઓબીસી પંચે સરવે કર્યો હતો તેવી જ રીતે ગુજરાતમાં પણ પાટીદારોને અનામત મળે તે માટે સરવે કરવા માટે સૂચન કર્યું હતું.

હાર્દિક પટેલ એન્ડ કંપની એવી રજૂઆતો કરી રહી છે કે જે રીતે મહારાષ્ટ્રમાં ઓબીસી પંચ દ્વારા પહેલા સરવે કરવામાં આવ્યો અને સરવેના તારણોના આધારે મહારાષ્ટ્ર સરકારને ભલામણો કરવામાં આવી હતી. એ ભલામણોને મહારાષ્ટ્ર સરકારે સ્વીકારી લીધી છે. મહારાષ્ટ્રમાં આ પ્રકારે મરાઠાઓને તાજેતરમાં જ રિઝર્વેશન આપવામાં આવ્યું છે, એ જ તર્જ પર ગુજરાતમાં પાટીદારોને અનામત આપવામાં આવે એવી રજૂઆત સાથે હાર્દિક અને તેના 25 જેટલા સાથીઓ તા.22મી નવેમ્બર 2018ની બપોરે અઢી વાગ્યાના અરસામાં ગાંધીનગર ઓબીસી કમિશનની કચેરી પર પહોંચ્યા બાદ સીધા જ ઓબીસી કમિશનની કચેરીમાં અધિકારીઓને રજૂઆતો કરવા ગયા હતા.

 

November 22, 2018
rajkot-municipal-corporatio.jpg
1min6600
  • ખેડૂતોને રૂ.13 પ્રતિ હજાર લિટરના ભાવે ટ્રીટેડ વેસ્ટ વોટર વેંચવાનો મનપા દ્વારા પ્રારંભ
  • આણંદપરના ખેડૂતોને 50 લાખ લીટરથી વધુ શુદ્ધ કરાયેલા પાણીનો જથ્થો અપાયો
  • મહાનગરપાલિકાને પ્રતિ હેક્ટરદીઠ રૂ.6,211ની આવક

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન રાજકોટ શહેરમાં ફેલાયેલા અન્ડર ગ્રાઉન્ડ ડ્રેનેજ નેટવર્કમાંથી વહેતા ગંદા પાણીને ટ્રીટમેન્ટ થકી ફરીથી ઉપયોગમાં લેવાય તેવું કર્યા પછી એ પાણીનો રીયુઝ સિંચાઈ માટે શરૂ કર્યો છે. રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના ગવરીદડ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતેથી આણંદપરના ખેડૂતોને 50 લાખ લીટરથી વધુ પાણીનો જથ્થો આપવામાં આવ્યો છે. ખેડૂતોને સિંચાઈ માટે પ્રતિ એક હજાર લીટરદીઠ રૂા.13ના ભાવથી પાણી આપવામાં આવી રહ્યું છે. જેથી મહાનગરપાલિકાને પ્રતિ હેક્ટરદીઠ રૂ.6,211ની આવક થશે.

રાજકોટ મનપા દ્વારા રૈયાધાર પ્લાન્ટ ખાતેથી હાલમાં ફોરેસ્ટ વિભાગને વૃક્ષારોપણ માટે દરરોજ અંદાજે 15 હજાર લીટર પાણી આપવામાં આવે છે. માધાપર પ્લાન્ટ ખાતેથી ઈશ્વરીયા મહાદેવ પિયત સહકારી મંડળી લિમિટેડ માધાપરને દરરોજ અંદાજે 17-64 હેક્ટર વિસ્તારમાં પાણી આપવામાં આવી રહ્યું છે. રોણકીની જય દ્વારકાધીશ મંડળી તેમજ આણંદપર (બાઘી) ગામના ખેડૂતો પાસેથી પણ ટ્રીટેડ વેસ્ટ વોટરની માગણીની દરખાસ્તો મળી રહી છે.

મ્યુ.કમિશનરે આ અંગે કહ્યું હતુ કે, ટ્રીટેડ વેસ્ટ વોટરના વપરાશથી ખેતીવાડીમાં નર્મદાના પાણીનો વપરાશ ઘટશે. તેનાથી ખેડૂતો અને તંત્ર બન્નેને ફાયદો થશે. નર્મદાનું પાણી લોકોને પીવા માટે મળતું રહેશે અને ખેતીમાં સિંચાઈ માટે ટ્રીટેડ વેસ્ટ વોટરનો ઉપયોગ કરવામાં આવશે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર યુનિવસિર્ટી, ફોરેસ્ટ વિભાગ, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તથા ગાર્ડન શાખા પણ તમામ બગીચાઓમાં પાણી પાવા માટે ટ્રીટેડ વેસ્ટ વોટરનો ઉપયોગ કરશે તેમજ શહેરમાં જુદી જુદી જગ્યાએ ચાલતાં બાંધકામો માટે કોન્ટ્રાક્ટર્સ અને બિલ્ડર્સને પણ ટ્રીટેડ વેસ્ટ વોટર વેચવા માટેના પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવશે.

November 20, 2018
trafic.png
1min5350
  • ઝડપી ડ્રાઇવિંગ
  • ડ્રિંક ઍન્ડ ડ્રાઇવ
  • સિગ્નલ તોડવી
  • વાહન ચલાવતી વખતે ફોનનો ઉપયોગ કરવો
  • ઓવરલોડિંગ
  • કમર્શિયલ વાહનોમાં યાત્રા કરવાના ગુનાસર
  • ડ્રાઇવરોના લાઇસન્સને ત્રણ મહિના સુધી સસ્પેન્ડ કરવામાં આવશે

મહારાષ્ટ્રમાં જો તમે ગાડી ચલાવતી વખતે ફોનનો ઉપયોગ કરતાં પકડાયા તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ ત્રણ મહિના સુધી સસ્પેન્ડ થઇ શકે છે. મહારાષ્ટ્ર પોલીસના ટ્રાફિક વિભાગે રાજ્યમાં પરિપત્ર જાહેર કરીને એ પ્રમાણે કાર્યવાહી કરવા માટે સ્થાનિક પોલીસને જાણ કરી છે. ગુજરાત સરકાર ટ્રાફિકના નિયમો તોડતા લોકો સામે શેહશરમ રાખી રહી છે અથવા તો પોલીસ ભ્રષ્ટાચાર આચરીને ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓ સામે કડક હાથે કામ લેતી નથી.

હાઇવે ડીસીપી રુપાલી ઓંબુરેએ આ અંગે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે પરિપત્ર નો અમલ હાલમાં મુંબઇ-પુણે એક્સપ્રેસ, મુંબઇ-અમદાવાદ એક્સપ્રેસ અને મુંબઇ-નાશિક હાઇવે પર અમલ કરવામાં આવી રહ્યો છે, તેમાં પણ મુંબઇ-પુણે એક્સપ્રેસ હાઇવે પર સૌથી વધુ નિયમોનો ભંગ થઇ રહ્યો હોવાથી અત્યાર સુધી 60 કરતાં વધુ કેસ નોંધાયા છે અને નિયમોનો ભંગ કરનારાના લાઇસન્સને જપ્ત કરીને સ્થાનિક આરટીઓમાં મોકલવામાં આવશે અને અમુક પ્રક્રિયા બાદ તેમના લાઇસન્સને ત્રણ મહિના સુધી સસ્પેન્ડ કરવામાં આવશે.

મુંબઇ-પુણે એક્સપ્રેસ, મુંબઇ-અમદાવાદ એક્સપ્રેસ અને મુંબઇ-નાશિક હાઇવે પર અમલ

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં છ પ્રકારના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો સ્થાનિય આરટીઓ (રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ) દ્વારા ત્રણ મહિના સુધી લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે. આ પરિપત્રમાં ઝડપી ડ્રાઇવિંગ, ડ્રિંક ઍન્ડ ડ્રાઇવ, સિગ્નલ તોડવી, વાહન ચલાવતી વખતે ફોનનો ઉપયોગ કરવો, ઓવરલોડિંગ, કમર્શિયલ વાહનોમાં યાત્રા કરવાના ગુનાસર ડ્રાઇવરોના લાઇસન્સને ત્રણ મહિના સુધી સસ્પેન્ડ કરવામાં આવશે આ ઉપરાંત દંડ પણ ફટકારવામાં આવશે.

તેમાં મુંબઇ-પુણે એક્સપ્રેસ, મુંબઇ-અમદાવાદ એક્સપ્રેસ અને મુંબઇ-નાશિક અને અન્ય હાઇવે પર આ નિયમો લાગૂ કરવામાં આવી રહ્યા છે. તેમાંય અત્યાર સુધી આ જીઆર અંતર્ગત સૌથી વધુ એટલે કે 60 કેસ મુંબઇ-પુણે એક્સપ્રેસ હાઇવે પર નોંધાયા હતાં. મુંબઇ-પુણે એક્સપ્રેસ હાઇવે પર આ સંબંધિત ‘ઝીરો ટોલરન્સ’ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં અન્ય હાઇવે પર પણ લાગુ કરવામાં આવશે.

હાઇવે એસપી વિજય પાટીલના જણાવ્યા મુજબ ત્રણ વર્ષ પહેલા તૈયાર કરવામાં આવેલા આ પરિપત્રને હાલ સુધી લાગૂ કરાયો નહોતો, પણ દંડ ભરનારા લોકો પર તેની અસર થતી ન હોવાને કારણે નિયમોને તોડનારા લોકોને દંડ ફટકારવાની સાથે લાઇસન્સ સસ્પેન્ડ કર્યા બાદ ત્રણ મહિના સુધી ડ્રાઇવિંગથી દૂર રહેવું પડશે તો નિયમનો ભંગ કરનારા લોકોને પાઠ ભણાવી શકીશું.

November 19, 2018
paas.jpg
1min7800

આજરોજ તા.19મી નવેમ્બર 2018ના રોજ અમદાવાદ ખાતેની પલાસિયો હોટેલમાં બપોરે 3 વાગ્યાના અરસામાં પાસની એક મિટીંગ યોજવામાં આવી હતી. જોકે, આ હોટેલમાં પાસના નેતાઓ જેવા કે દિનેશ બાંભણીયા, નિખિલ સવાણી, દિલીપ સાબવા વગેરે ઉપસ્થિત હતા અને મિટીંગ શરૂ થાય એ પહેલા જ હોટેલ સંચાલકોએ ઇલેક્ટ્રીસિટી બંધ કરી દેતા મિટીંગ વિખેરી નાંખવાની ફરજ પડી હતી. હોટેલ માલિકો સાથે પાસના કાર્યકર્તાઓએ જીભાજોડી કરીને ઘર્ષણ કરવાનો પ્રયાસ કરતા હોટેલ માલિકોએ પોલીસ બોલાવવી પડી હતી. હોટેલ માલિકોએ પત્રકારોને જણાવ્યું હતું કે પાસના નેતાઓએ સ્નેહ મિલનના નામે જુઠ્ઠું બોલીને હોલ બુક કરાવ્યો હતો.

આ મિટીંગમાં લગભગ 150થી વધુ પાસ કન્વીનરો, આગેવાનો સમગ્ર ગુજરાતભરમાંથી આવ્યા હોવાની માહિતી પાસ આગેવાનોએ આપી હતી.

(પ્રતિકાત્મક તસ્વીર)

હોટેલમાં રૂપિયા ભરીને સ્થળ ફાઇનલ કર્યું હોવા છતાં પાસ, એસપીજી સમેતના આંદોલનકારી સંસ્થાઓના આગેવાનોની મિટીંગ ફિક્સ થઇ હતી પરંતુ, રાજ્ય સરકારના દબાણ હેઠળ હોટેલ સંચાલકોએ વીજળી ગુલ કરી દીધી હોવાનો આક્ષેપ દિનેશ બાંભણીયા તેમજ અન્યોએ કર્યો હતો. ગણતરીની મિનિટોમાં જ પાસના નેતાઓ, કાર્યકર્તાઓ, અગ્રણીઓ, કન્વીનરોએ મિટીંગ અને મિટીંગ પછી યોજાનારી પ્રેસ કોન્ફરન્સ પણ રદ કરી દેવાની ફરજ પડી હતી.

પાસ અગ્રણી નરેન્દ્રભાઇએ પત્રકારોને જણાવ્યું હતું કે પાટીદાર સમાજ માટે લડત ચલાવી રહેલી તમામ સંસ્થાઓના આગેવાનો જ્યારે સંગઠિત થવાના એજન્ડા પર મળવાના હતા, તેમાં સરકારે હવનમાં હાડકા નાંખ્યા છે. પણ આ મિટીંગ ટૂંક સમયમાં કોઇ ખેતરમાં કે ખુલ્લી જગ્યાએ રાખીશું. સરકાર કોઇ કાળે મિટીંગ વિખેરી શકશે નહીં.

હોટેલના માલિકે જણાવ્યું કે ફક્ત 20-25 વ્યક્તિઓના ગેટ ટુ ગેધર ના નામે હોટેલ બુક કરાવવામાં આવી હતી. અમે તેમને રાજકારણ કે વિવાદિત મુદ્દા પર મિટીંગ નહીં કરવા જણાવ્યું હતું જોકે, પાછળથી ખબર પડી કે પાસના રાજકારણ માટે હોટેલ બુક કરાવવામાં આવી હોવાથી અમારે ના પાડવી પડી હતી. પાસના કાર્યકર્તાઓએ હોબાળો મચાવતા અમારે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.

November 17, 2018
tejash2.jpg
1min10470

વિશ્વમાં સૌથી મોટું અન્ વ્યાપક રેલવે નેટવર્ક ધરાવતા ભારતની સૌથી ફાસ્ટેસ્ટ ટ્રેન કઇ છે ખબર છે તમને એના વિશે…નહીં ખબર હોય તો આ લેખ વાંચી જાવ…નોલેજમાં વધારો થશે એ ચોક્કસ છે.

૧૨૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પર દોડાવવાની અપાઈ પરવાનગી

tejas

મુંબઈ-ગોવા વચ્ચે દોડતી તેજસ એક્સપ્રેસ ટ્રેનને ૧૪ નવેમ્બરથી રોહાથી મડગાંવ સેક્શનમાં ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડાવવાની પરવાનગી આપવામાં આવી હોવાથી હવે આ ટ્રેનના મુસાફરીના સમયમાં ૩૦ મિનિટ બચવાની સાથે આ ટ્રેન દેશની ફાસ્ટેસ્ટ ટ્રેન બની છે, જે આખા રૂટના મોટા ભાગના હિસ્સામાં ૧૨૦ કિલોમીટરની સ્પીડ પર દોડશે.

છત્રપતિ શિવાજી ટર્મિનસથી કરમાળી સ્ટેશન વચ્ચે દોડતી તેજસ એક્સપ્રેસ ૧૬૦ કિલોમીટર પ્રતિ કલાકની મૅક્સિમમ સ્પીડ લઈ શકે છે, પરંતુ અત્યારે એ શતાબ્દી એક્સપ્રેસ જેટલી એટલે કે ૧૧૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પર દોડે છે.

November 15, 2018
mumbai_city.jpg
1min6850

તા.14મી નવેમ્બર 2018ના રોજ જાહેર થયેલા મહારાષ્ટ્ર સ્ટેટના ડેવલપમેન્ટ ક્ન્ટ્રોલ એન્ડ પ્રમોશન રેગ્યુલેશન (ડીસીપીઆર) અનુસાર મુંબઈ હવે વર્ટિકલી વિકાસ થવાની દિશામાં આગળ વધશે.

નવા વિકાસ નિયમો અન્વયે રોડ-રસ્તા પહોળા કરવા અને જાહેર સુવિધાઓ વિકસાવવા માટે જમીન સંપાદિત કરવામાં પણ સરળતા રહેશે. પહેલીવાર ડીસીપીઆરમાં નિયમ બનાવવામાં આવ્યો છે કે કોઈ પણ નવા બંધાતા ઘરની સાઈઝ ઓછામાં ઓછી 300 સ્કવેર ફૂટની હોવી જોઈએ. આ નવો ડીસીપીઆર શહેરના તમામ નવા બંધાતા પ્રોજેક્ટને લાગુ પડશે. ડીપી શહેરની જમીનના ઉપયોગની રૂપરેખા દર્શાવે છે જ્યારે ડીસીપીઆર બાંધકામ અંગેની રૂપરેખા દર્શાવે છે. બે છ મીટરના રોડ વચ્ચે અગાઉ 32 મીટર ઊંચી ઈમારતની પરવાનગી હતી, જે હવે વધારીને 70 મીટર કરવામાં આવી છે. ઓછી ઊંચાઈના નિયમને લીધે બિલ્ડર લૉબી નારાજ હોવાનું સામે આવ્યું હતું. આમ થવાથી શહેરની ઈમારતો હજુ ઊંચી જશે. આ સાથે ડીસીપીઆરમાં જાહેર સુવિધા માટે પાંચ વર્ષમાં જે જમીન આપશે તેવા જમીનમાલિકોને એફએસઆઈમાં વધારો આપવામાં આવ્યો છે. જેથી જમીનમાલિકો પણ ઉત્સાહમાં આવશે, તેવી ધારણા સરકારની છે. કમર્શિયલ બિલ્ડિંગને ઈમારતોને પાંચ સુધીની એફએસઆઈ મળશે, જેમાં તેમણે રેડીરેકનરના ભાવના 50 ટકા રકમ પ્રીમિયમ તરીકે આપવાની રહેશે, જે અગાઉ 80 ટકા હતી.

સરકારના આ નિર્ણયને એક તરફ બિલ્ડરો અને આર્કિટેક્ચરો વખાણ્યો છે. તેમના જણાવ્યા અનુસાર મંદ પડી ગયેલા રિયલ એસ્ટેટ સેક્ટરને ગતિ મળશે, નવી રોજગારી ઊભી થશે અને નવી રહેવાસી તેમ જ વ્યાવસાયિક ઈમારતો ઊભી થશે. તો બીજી બાજુ આ નિર્ણયને લીધે મુંબઈ શહેરના માળખા પર ભારે સર પડશે. શહેર આટલો વિકાસ કે બોજો જીલી શકે તેમ નથી. ઊંચી ઈમારતોને લીધે લોકોના જીવના જોખમની શક્યતાઓ પણ વધી જશે. જોકે સસ્તા ઘરની સાઈઝ ઓછામાં ઓછી 300 સ્કવેર ફૂટ રાખવાની જોગવાઈને તમામે આવકારી છે. અગાઉ સરકાર દ્વારા પરવડે તેવા ઘર માટે કોઈ સાઈઝ નક્કી ન હતી. આથી 180થી 270 સ્કવેર ફૂટના ઘર બનતા હતા. એક નાના પરિવાર માટે પણ આ જગ્યા પૂરતી ન હતી અને લોકો નાનકડી ઓરડીમાં હવા-ઉજાસ વિના જીવન પસાર કરી દેતા હતા. 300 સ્કવેર ફૂટના નિર્ણયથી એસઆરએ, મ્હાડા જેવી સ્કીમનો લાભ લેનારા મધ્યમ અને નીમ્ન મધ્યમવર્ગને સારું ઘર મળી રહેશે.

ડીપીમાં 3,700 હેક્ટર જમીન, જે અગાઉ નૉ ડેવલપમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી હતી, તેને પણ ડેવલપમેન્ટ માટે ખુલ્લી મૂકવાની માગ કરવામાં આવી છે. નિષ્ણાતોનું માનવું છે કે જો એફએસઆઈ યોગ્ય પ્રિમિયમે આપવામાં આવશે, તો મકાનના ભાવમાં 10થી 15 ટકાનો ઘટાડો આવનારા સમયમાં નોંધાશે.

November 14, 2018
suratairport1.jpg
1min7170

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સત્તાવાર ડેટા મુજબ સુરત એરપોર્ટ પર છેલ્લા 7 મહિનામાં થયેલી ફ્લાઇટ્સ તેમજ પેસેન્જરની આવન-જાવન અંગેની આંકડાવાર માહિતી આ મુજબ છે.

 

સુરત એરપોર્ટ સતત પ્રગતિ કરી રહ્યું છે અને આ પ્રગતિની નક્કરતા દર મહિનાના આંકડાઓ દર્શાવી રહ્યા છે. ઓક્ટોબર 2018 મહિના દરમિયાન સુરતના એરપોર્ટ પર કુલ 52730 મુસાફરોએ અન્ય ડેસ્ટિનેશન્સ પર ઉડાન ભરી હતી, જેની સામે કુલ 54,576 મુસાફરો વિવિધ ડેસ્ટિનેશન્સ પરથી સુરત આવ્યા હતા. આમ સમગ્ર ઓક્ટોબર 2018 માસ દરમિયાન સુરત એરપોર્ટ પર કુલ 1 લાખ 7 હજાર 306 મુસાફરોની અવરજવર નોંધાઇ છે.

જોકે સપ્ટેમ્બર 2018 મહિના દરમિયાન કુલ 1.10 લાખ મુસાફરોની અવરજવર કરતા ઓક્ટોબર માસમાં મુસાફરોની 2883ની સંખ્યાં ઓછી નોંધાઇ છે. જોકે, ચાલુ નવેમ્બર 2018ના મહિનામાં આ આંકડો ફરીથી ઉંચકાશે એમ માનવામાં આવે છે કેમકે દિવાળી દરમિયાન સુરત એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં અસાધારણ વધારો જોવાય રહ્યો છે.

ઉપરોક્ત કોષ્ટક સૂચવે છે કે સપ્ટેમ્બર 2018માં કુલ 1380 શિડ્યુલ્ડ ફ્લાઇટ્સની સંખ્યા નોંધાઇ હતી, જે ઓક્ટોબર 2018માં 1438 થઇ છે. આમ ફ્લાઇટ્સની સંખ્યા વધવા છતાં સુરત એરપોર્ટ પર પેસેન્જરની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.

વધુમાં ચાલુ હિસાબી વર્ષ 2018-19 દરમિયાન સુરત એરપોર્ટ પર અત્યાર સુધી એટલે કે 31મી ઓક્ટોબર 2018 સુધીમાં કુલ 5,79,414 મુસાફરોની અવરજવર નોંધાઇ ચૂકી છે.

 

November 9, 2018
airindia-1.jpg
1min7250

સરકારી એરલાઇન્સ એર ઇન્ડિયાના ફ્લાઈટ્સ ઓપરેશન્સ ગુરૂવારે એર ઈન્ડિયા એર ટ્રાન્સપોર્ટ સર્વિસિઝ લિમિટેડ (એઆઈટીએસએલ)ના સ્ટાફે અચાનક હડતાળ કરી. દિવાળી બોનસ નહીં મળવા પર અને બીજા કેટલાક અન્ય મુદ્દાઓના ચાલતા આ કર્મચારીઓની હડતાળથી કેટલીક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ સહિત કુલ 37 ફ્લાઈટ્સ પર અસર જોવા મળ્યો છે.

એર ઈન્ડિયાના એક અધિકારીના અનુસાર સરકારી એરલાઈન્સની સહાયક કંપની એઆઈટીએસએલ દેશના બધા એરપોર્ટ પર એર ઈન્ડિયાને ગ્રાઉન્ડ હેન્ડલિંગ સેવાઓ આપે છે. કોન્ટ્રેક્ટ પર કામ કરી રહેલા કર્મચારીઓ સહિત આ કંપનીના કુલ પાંચ હજાર કર્મચારી છે.

એરલાઈન્સના અધિકારીએ બતાવ્યું કે એઆઈટીએસએલના કેટલાક કર્મચારી બુધવાર-ગુરૂવારની રાતે દિવાળી બોનસ ન મળવા પર, કેટલાક ભૂતપૂર્વ કર્મચારીઓની પુનર્સ્થાપન અને કોન્ટ્રેક્ટ રીન્યૂ નહીં કરવા પર હડતાળ પર ગયા. એનાથી ફ્લાઈટ્સ સંબંધી સેવાઓ પર અસર થઈ. આ કર્મચારી કોન્ટ્રેક્ટ પર છે.

ગુરૂવારની બપોરે ત્રણ વાગે કેટલાક આંતરરાષ્ટ્રીય વિમાનો સહિત 37 ફ્લાઈટ્સમાં ત્રણ કલાક મોડી રહી. આ સમસ્યાને ઉકેલવા માટે મુંબઈ એરપોર્ટ પર એરલાઈન્સે પોતાની સ્થાયી કર્મચારીઓને ગ્રાઉન્ડ હેન્ડલિંગ સેવાઓ પર લગાવી દીધા. હડતાળ પર ગયેલા કર્મચારીઓથી એઆઈટીએસએલના પ્રબંધની વાતચીત ચાલુ છે.

November 8, 2018
gujarat_map-1280x1023.png
1min6260

રાજ્ય સરકાર દ્વારા એક તરફ વિકાસની દિશામાં હરણફાળ ભરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ દેવામાં પણ તોતિંગ વધારો થઇ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લાં પાંચ વર્ષમાં ૬.૬૮ થી ૯.૭૫ ટકાના વ્યાજના દરે રૂ. ૯૯,૩૯૩ કરોડની લોન લેવામાં આવી હતી. જ્યારે રાજ્યના જાહેર દેવામાં પાંચ વર્ષમાં રૂ.૬૭,૮૮૧ કરોડનો વધારો થયો હતો. જેની સામે પાંચ વર્ષમાં રૂ.૪૦,૬૯૮ કરોડ મુદલ અને રૂ. ૭૨,૬૯૮ કરોડ વ્યાજની ચુકવણી કરવામાં આવી હતી.

રાજ્ય સરકાર દ્વારા મેટ્રો સિટી, મહાનગરો અને નગરોમાં વિકાસ કરવામાં આવી રહ્યો છે. તેમજ ગામે ગામ રસ્તા અને પાણીની સુવિધાઓ આપવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ રાજ્યના દેવાનો પણ તેટલો જ વિકાસ થઇ રહ્યો હતો. રાજ્યના દેવામાં છેલ્લાં પાંચ વર્ષમાં અધધધ વધારો નોધાયો હતો. વર્ષ ૨૦૧૩-૨૦૧૪ માં રાજ્ય સરકારનું બાકી દેવું રૂ.૧,૪૯,૫૦૬ કરોડ હતું. જે વર્ષ ૨૦૧૭-૧૮ સુધીમાં સૂચિત રૂ. ૨,૧૭,૩૩૮ કરોડ થવાની સંભાવના રાજ્ય સરકાર દ્વારા વ્યકત કરવામાં આવી હતી. જે જોતા રાજ્ય સરકારના જાહેર દેવામાં પાંચ વર્ષમાં રૂ.૬૭,૮૩૨ કરોડનો વધારો થયો હતો. તેટલું જ નહીં રાજ્ય સરકાર દ્વારા છેલ્લાં પાંચ વર્ષમાં કુલ રૂ. ૯૯,૩૯૩ કરોડની નવી લોનો પણ લેવામાં આવી હતી. જોકે, તે લોન બે વર્ષથી દસ વર્ષ માટે લેવામાં આવી હતી.

November 7, 2018
gjepc.jpg
1min12730

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના પ્રમોશન કાઉન્સિલના ચેરમેન અને દેશના જાણીતા ઉદ્યોગપતિ શ્રી દિનેશભાઇ નાવડીયાએ સમગ્ર જીજેઇપીસી ટીમ વતી તમામને દિપાવલી અને નૂતન વર્ષની  અનેકાનેક શુભકામનાઓ પાઠવી છે.