CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 135 of 142 - CIA Live

October 13, 2018
bmtce-bus.jpg
1min7550

Jayesh Brahmbhatt 98253 44944

અગર બધું સમૂસુતરું પાર પડશે તો થોડા મહિનાઓમાં સુરતના માર્ગો પર અત્યંત અાધુનિક લૉ કાર્બન (ઓછું પ્રદૂષણ ફેલાવતી) ઇ-બસ (ઇલેક્ટ્રીક બસ) દોડતી થઇ જશે. સુરત મહાનગરપાલિકાએ હેવી ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલયને ઇ-બસની ખરીદી પર સબસિડી આપવા અંગેનો પ્રસ્તાવ પણ રજૂ કરી દીધો હોવાનું જાણવા મળ્યું છે. એક લૉ કાર્બન ઇ-બસની બજાર કિંમત રૂ.1.75 કરોડ જેટલી થવા જાય છે અને સુરત મહાનગરપાલિકા પ્રતિ બસ રૂ.75 લાખ સબસિડી મળે તો 50 ઇ-બસીસ ખરીદવાની તૈયારી ધરાવે છે.

ઇ-બસ કન્સેપ્ટ હાલમાં યુરોપ અને અમેરિકાના દેશોમાં જોવા મળી રહ્યો છે. તબક્કાવાર વિકસીત દેશોમાંથી ડિઝલ વાહનો નાબૂદ થઇ રહ્યા છે અને ખાસ કરીને પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં મોટા ભાગે ઇ-બસ,લૉ કાર્બન બસને લાગૂ કરવામાં આવી રહી છે. એ જ તર્જ પર હવે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન પણ આગળ વધી રહી છે.

(બેંગ્લોર મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા લોંચ કરવામાં આવેલી ઇ-બસની તસ્વીર)

ડિઝલ બસ કરતા ઇ-બસની કિંમત વધુ હોવા છતાં પણ પ્રદૂષણ તેમજ આવરદા વધુ હોવા ઉપરાંત તેની કાર્યક્ષમતા પણ ઉત્તમ હોવાથી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં ઇ-બસના કન્સેપ્ટને દાખલ કરવાની યોજના ધરાવે છે. હાલ ચાલી રહેલી ડિઝલ બનની તુલનામાં લૉ કાર્બન ઇ-બસની કિંમત અને મેઇન્ટેનન્સ બન્ને વધુ છે આમ છતાં તેના બહુવિધ ફાયદાઓ હોવાથી ઇ-બસ સુરતના શહેરો પર દોડતી કરવામાં આવે તેમ મનાય છે. આગામી દિવસોમાં સુરત મહાનગરપાલિકામાં સ્થાયી સમિતિમાં આ અંગેનો નિર્ણય લેવાય તેમ માનવામાં આવે છે.

દેશના હેવી ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલયએ કુલ 11 શહેરોને ઇ-બસ પ્રોજેક્ટ માટે પસંદ કર્યા છે, ગુજરાતમાંથી આ યાદીમાં અમદાવાદ શહેરનો સમાવેશ કરવામાં આવ્યો છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું નામ ઇ-બસ પાઇલોટ પ્રોજેક્ટમાં ન હોવા છતાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા સુરત મ્યુનિ. કોર્પોરેશનને 50 ઇ-બસ ખરીદવા માટે પ્રતિ બસ રૂ.75 લાખની સબસિડી મળે તો પ્રોજેક્ટ સુરતમાં સાકાર થઇ શકે તેવી પ્રપોઝલ રજૂ કરી છે.

 

October 11, 2018
Railways.png
1min5380

દેશના 11.91 લાખ કર્મચારીને આનંદો : રેલવે પર પડશે બે હજાર કરોડનો બોજ

નવરાત્રી આરંભ થતાં જ સરકારી, અર્ધસરકારી કચેરીઓ હોય કે પ્રાઇવેટ બિઝનેસ, ફર્મ્સ હોય, એમાં કામ કરતા તમામ કર્મચારીઓ એક સમાચાર સત્વરે મળે તેવી અપેક્ષા રાખતા હોય છે અને એ સમાચાર હોય છે બોનસના. આ વખતે દિવાળી પહેલા બોનસના સમાચાર ભારતીય રેલ દ્વારા આપવામાં આવ્યા છે. ઇન્ડિયન રેલવેએ તેના કર્મચારીઓને 78 દિવસનો પગાર અંદાજે  (અઢી મહિનાનો પગાર) બોનસ તરીકે આપવાનો અને એ પણ દશેરા પહેલા એ ચૂકવાય જશે એવો નિર્ણય કરીને રેલવેને અંદાજે 12 લાખ કર્મચારીઓના દિલ જીતી લીધા છે. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના લાખો કર્મચારીઓ બોનસના સમાચાર મળે તેની રાહ જોઇને બેઠા છે.

રેલવે કર્મીઓ માટે આનંદના સમાચારમાં આ વરસે રેલવે તંત્ર તેના કર્મચારીઓને 78 દિવસના પગાર જેટલી રકમ બોનસના રૂપમાં આપવા જઇ રહ્યું છે.

કેન્દ્રીય પ્રધાન મંડળે રેલવેના આ અંગેના પ્રસ્તાવને તા.10મી ઓક્ટોબર 2018ના રોજ મંજૂરી આપી દીધી હતી. દુર્ગાપૂજાથી પહેલાં જ બોનસ તમામ કર્મચારીને ચૂકવી દેવાશે, તેવી શક્યતા વ્યક્ત થઇ રહી છે. આ બોનસ રેલવે બિનરાજ પત્રિત કર્મચારીઓને આપે છે. દેશમાં આવા 11.91 લાખ કર્મચારી છે. આ બોનસ આપવાથી રેલવે પર ચાલુ વર્ષ દરમ્યાન લગભગ બે હજાર કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે.

દર વરસે દશેરાથી પહેલાં બોનસ ચૂકવી દેવાની પરંપરા છે. જોકે, તેમાં રેલવે સુરક્ષાદળ અને રેલવે સુરક્ષા વિશેષ દળના કર્મચારીઓનો સમાવેશ કરાતો નથી. રેલવે સૂત્રોના જણાવ્યાનુસાર આ બોનસ હેઠળ એક કર્મચારીનાં ખાતામાં 18 હજાર રૂપિયા સુધીની રકમ આવી શકે છે. નોંધનીય છે કે લગાતાર સાતમાં વરસે આ વખતે રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ ચૂકવવામાં આવી રહ્યું છે.

October 8, 2018
surat_airport.jpg
1min136420

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરત એરપોર્ટ દિન પ્રતિદિન નવી ઉંચાઇઓ સર કરી રહ્યું છે. એક તરફ સુરત એરપોર્ટ પર પહેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટની આતૂરતાપૂર્વક રાહ જોવાય રહી છે અને આ ન્યુઝ આવે એ પહેલા આજે તા.8મી ઓક્ટોબર 2018ના રોજ એવા અહેવાલ આવ્યા કે કોઇ એક મહિનામાં એક લાખથી વધુ મુસાફરો અવર-જવર કરતા હોય તેવા દેશના ચુનંદા એરપોર્ટસની યાદીમાં સુરત સામેલ થઇ ગયું છે.

સુરત એરપોર્ટ પર ગત સપ્ટેમ્બર 2018 દરમિયાન કુલ 1 લાખ 10 હજાર 189 મુસાફરોએ અવર-જવર કરી હોવાનો સત્તાવાર રિપોર્ટ એરપોર્ટ ઓથોરિટીએ જારી કર્યો છે. 2018-19ના હિસાબી વર્ષમાં સુરતમાં 4,71,108 મુસાફરોની અવર-જવર થઇ એ પણ એક વિક્રમ છે. હિસાબી વર્ષના પહેલા 6 માસમાં પોણા પાંચ લાખ જેટલા મુસાફરોની સંખ્યા દર્શાવે છે કે સુરતમાં એરપોર્ટ ફેસેલિટીની કેટલી અનિવાર્યતા હતી અને છે.

અગાઉ ઓગસ્ટ 2018 માસમાં કુલ 88,653 મુસાફરોની અવરજવર નોંધાઇ હતી ત્યારે જ એ વાત નક્કી થઇ ગઇ હતી કે સપ્ટેમ્બર 2018 મહિનામાં સુરત એરપોર્ટ પરથી અવરજવર કરતા મુસાફરોની સંખ્યા એક લાખને અાંબી જશે.

અત્રે એ પણ વિગતા પ્રકાશિત કરવામાં આવી છે કે સુરત એરપોર્ટ પરથી સપ્ટેમ્બર 2018 માસ દરમિયાન કેટલી એર પ્લેન મુવમેન્ટ થઇ હતી.

કુલ 1380ની સંખ્યામાં ઉડ્ડયન થયા હતા જે પૈકી 1056 શિડ્યુલ્ડ અને 324 નોનશેડ્યુલ્ડ ફ્લાિઇટ્સ હોવાનું જાણવા મળે છે. ગત મહિને ફ્લાઇટ્સનો કુલ આંકડો 1169 નો હતો.

October 7, 2018
runwayrepairs.jpg
1min8250
  • દિલ્હી એરપોર્ટનો રનવે નવેમ્બરમાં 13 દિવસ બંધ રહેશે
  • દિલ્હી એરપોર્ટ સૌથી જૂનો રનવે-27, 15 નવેમ્બરથી 13 દિવસ બંધ
  • મુંબઈનું એરપોર્ટ પણ 7 ફેબ્રુઆરી 2019થી માર્ચના અંત સુધી સપ્તાહમાં ત્રણ દિવસ છ કલાક બંધ રહેશે
  • મુંબઈ એરપોર્ટનો રનવે 7 ફેબ્રુઆરી 2019થી બાવન દિવસ માટે દિવસમાં છ કલાક (સવારના 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી) બંધ રહેશે
  • 900 ફ્લાઇટ્સ રદ થવાની અને ઘણી ફ્લાઇટ્સના સમયમાં ફેરફાર થવાની શક્યતા
  • દિલ્હી એરપોર્ટ બંધ રહેવાથી 200 ફ્લાઇટ્સ અને મુંબઈ એરપોર્ટના કારણે 700 ફ્લાઇટ્સને અસર થશે

ભારતના બે સૌથી બિઝી એરપોર્ટસ, મુંબઇ અને દિલ્હી રન-વે મેન્ટેનન્સ માટે નવેમ્બર 2018થી 2019ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં  બંધ રહેવાના હોઇ નવેમ્બરથી ફેબ્રુઆરી 2019 સુધીમાં ભારતમાં નાગરીક ઉડ્ડયન ક્ષેત્રમાં ફ્લાઇટ્સમાં વિલંબ અને મોંઘી ટિકીટ્સના પ્રશ્નોનો સામનો મુસાફરોએ કરવો પડશે. ખાસ કરીને ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં આ પ્રશ્નો મોટા પાયે સર્જાશે.

ભારતના બે સૌથી બિઝી એરપોર્ટસ, મુંબઇ અને દિલ્હી રન-વે મેન્ટેનન્સ કામ હાથ ધરાવાના કારણે  900 ફ્લાઇટ્સ રદ થવાની અને ઘણી ફ્લાઇટ્સના સમયમાં ફેરફાર થવાની શક્યતા છે.

દિલ્હી એરપોર્ટનો રનવે નવેમ્બરમાં 13 દિવસ બંધ રહેશે. મુંબઈનું એરપોર્ટ પણ 7 ફેબ્રુઆરી 2019થી માર્ચના અંત સુધી સપ્તાહમાં ત્રણ દિવસ છ કલાક બંધ રહેશે. દિલ્હી એરપોર્ટ બંધ રહેવાથી 200 ફ્લાઇટ્સ અને મુંબઈ એરપોર્ટના કારણે 700 ફ્લાઇટ્સને અસર થશે.

બંને એરપોર્ટના ક્લોઝર વખતે ડોમેસ્ટિક ફ્લાઇટ્સને સૌથી વધુ અસર થશે. ઉપરાંત, એરલાઇન્સ ફ્લાઇટ રદ કરશે અને તેને લીધે હવાઈભાડાંમાં વધારો નોંધાશે. એરપોર્ટ ઓપરેટર્સના જણાવ્યા અનુસાર રનવેને રિપેરિંગની જરૂર છે અને એરપોર્ટ ઓપરેટર્સે એરલાઇન્સ સહિત તમામ હિસ્સેદારો સાથે યોગ્ય સંકલન પછી આ નિર્ણય લીધો છે.

દિલ્હી એરપોર્ટ સૌથી જૂનો રનવે-27 નવેમ્બરની 15 તારીખથી 13 દિવસ સુધી બંધ રાખશે. રનવેનો ઉપયોગ મુખ્યત્વે ટર્મિનલ 1ડીનો ઉપયોગ કરતી ફ્લાઇટ્સ કરે છે. આ રનવે બંધ થવાથી ૨૦૦ ફ્લાઇટ્સને અસર થશે અને અન્ય ફ્લાઇટ્સના સમય ખોરવાશે. રિપેરિંગની જરૂરિયાત હોવાથી રનવે મેન્ટેનન્સ માટે બંધ રાખવામાં આવશે. રનવે બંધ કરવાનો નિર્ણય એરલાઇન્સ સહિત તમામ હિસ્સેદારો સાથે ચર્ચા કરીને લેવાયો છે.

મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવેને મજબૂત બનાવવા ક્લોજર જરૂરી છે. ક્લોઝરને પગલે મુંબઈ એરપોર્ટના રનવેનું ઇન્ટરસેક્શન મજબૂત બનશે. ઇન્ટરસેક્શન ખાતે રિપેરિંગ કામ થવાનું હોવાથી અમારે રનવે સંપૂર્ણ બંધ કરવો પડશે. એરપોર્ટને દિવસ દરમિયાન બંધ રાખવાનો નિર્ણય લીધો છે. તેને લીધે વહેલી સવાર, મોડી રાત અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સને સૌથી ઓછી અસર થશે.

મુંબઈ એરપોર્ટનો રનવે 7 ફેબ્રુઆરી 2019થી બાવન દિવસ માટે દિવસમાં છ કલાક (સવારના 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી) બંધ રહેશે. તેને લીધે લગભગ 700 ફ્લાઇટ્સને અસર થશે. ઉપરાંત, મુંબઈ એરપોર્ટ 23 ઓક્ટોબર 2018ના રોજ થોડા કલાકો માટે બંધ રહેશે, જેની અસર 32 ફ્લાઇટ્સને થશે.

October 7, 2018
ahdneward.jpg
1min6880

કેન્દ્ર સરકારની ખોટ ખાતી એરલાઇન્સ એરઇન્ડિયાની અમદાવાદથી લંડન થઇને નેવાર્ક જતી ફ્લાઇટ 16 નવેમ્બરથી બંધ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. આ સાથે તા.16 નવેમ્બરે બેંગ્લોરથી યુકેની નવી ફ્લાઇટ શરૂ થઇ રહી છે. 15 ઓગસ્ટ-16ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કર્યા બાદ અમદાવાદથી નેવાર્ક સીધા જઇ શકાય તે માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ શરૂ કરાઇ હતી. આ ફ્લાઇટ માંડ બે વર્ષ ઓપરેટ કરાયા બાદ તેને માત્ર અમદાવાદથી યુકે સુધી જ લઇ જવાનો નિર્ણય કરાયો છે. આ નિર્ણયથી અમદાવાદથી નેવાર્ક જનારા પેસેન્જરો પૈકી 100 પેસેન્જરોનો ઘટાડો થશે.

વડા પ્રધાનની જાહેરાત બાદ બે વર્ષથી ઓપરેટ થઇ રહેલી એરઇન્ડિયાની અમદાવાદ લંડન અને નેવાર્કની ફ્લાઇટમાં 238 ઇકોનોમિક પેસેન્જર અને 18 બિઝનેસ ક્લાસ પેસેન્જરો મળીને કુલ 256 પેસેન્જરો અમદાવાદથી જતા હતા. આ ફ્લાઇટ વીકમાં સોમવાર,બુધવાર અને શુક્રવારે આપરેટ કરાતી હતી. તેના બદલે હવે તા.16 નવેમ્બરથી અમદાવાદથી માત્ર યુકે સુધી જ ઓપરેટ થશે.

સૂત્રોએ જણાવ્યુ કે, એરઇન્ડિયાની મુબઇથી નેવાર્કની ફ્લાઇટ જે ઓપરેટ થઇ રહી છે તેમાં મુંબઇથી જનારા પેસેન્જરોની સંખ્યા ઓછી છે અને તે 170 પેસેન્જરોની કેપેસિટિવાળું એરક્રાફ્ટ છે જ્યારે અમદાવાદથી યુકે થઇને નેવાર્ક જતી એરઇન્ડિયાની ફ્લાઇટ ડ્રીમલાઇનર હતુ. આમ 100 પેસેન્જરોનો ઘટાડો નોંધાશે જેનો ફાયદો નેવાર્ક જતી બીજી એરલાઇન્સ કંપનીઓને થઇ શકે છે.

એરઇન્ડિયા ખોટમાં જતું હોવાથી વધુ નવા રૂટો નક્કી કરી શકે એમ નથી. એટલું જ નહિ તહેવારોમાં ફરવા જવાવાળા પેસેન્જરોની સંખ્યા પણ વધારે હોય છે.

October 5, 2018
odps-1280x747.jpeg
1min10730

Jayesh Brahmbhatt  98253 44944

રાજ્યમાં નવા બાંધકામો માટે વિકાસ પરવાનગીની મેન્યુઅલ એપ્રુવલ બંધ છે અને છેલ્લા કેટલાક મહિનાથી ઓનલાઇન એપ્રુવલ સિસ્ટમ હેઠળ પ્રોજેક્ટ પાસ થતા નથી. રેરાના નિયમ મુજબ, પ્લાન પાસ થયા બાદ રેરાની મંજૂરી મળ્યા બાદ જ પ્રોજેક્ટનું માર્કેટિંગ કરી શકાય એવા નિયમને પગલે બાંધકામ ઉદ્યોગ લગભગ ઠપ જેવી સ્થિતિમાં આવી ચૂક્યો છે

 

રાજ્ય સરકારે રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ એપ્રુવલને ઝડપી બનાવવા માટે બનાવેલી ઓનલાઇન ડેવલપમેન્ટ પ્લાન સિસ્ટમ (ઓડીપીએસ) ગંભીર રીતે નિષ્ફળ રહી છે અને તેની સીધી અસર બાંધકામ ઉદ્યોગ પર ખરાબ રીતે વર્તાય રહી છે. પ્લાન મંજૂર કરવામાં ભારે વિલંબ થઇ રહ્યો છે અને જે રીતે સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે એ સિસ્ટમ અનુસારનું ઇન્ફર્મેશન ટેક્નોલોજીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ ઉપલબ્ધ ન હોવાથી મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. મહાનગરપાલિકાઓ તેમજ અર્બન ઓથોરીટીઝ  તરફથી આ અંગે ગંભીર ફરીયાદો મળતા રાજ્ય સરકારે ગઇ તા.25મી સપ્ટેમ્બરે ઓનલાઇન પ્લાન એપ્રુવલ સિસ્ટમમાં રાહત આપતો પરીપત્ર જારી કરવો પડ્યો હતો.

રાજ્યમાં નવા બાંધકામો માટે વિકાસ પરવાનગીની મેન્યુઅલ એપ્રુવલ બંધ છે અને છેલ્લા કેટલાક મહિનાથી ઓનલાઇન એપ્રુવલ સિસ્ટમ હેઠળ પ્રોજેક્ટ પાસ થતા નથી. રેરાના નિયમ મુજબ, પ્લાન પાસ થયા બાદ રેરાની મંજૂરી મળ્યા બાદ જ પ્રોજેક્ટનું માર્કેટિંગ કરી શકાય છે. આથી આ વખતે નવરાત્રી અને દિવાળીના તહેવારોની સીઝનમાં નવા પ્રોજેક્ટ લોન્ચ તળિયે છે.

ઓનલાઇન સિસ્ટમ અન્વયે નવા પ્લાન મંજૂર થવામાં વિલંબ થવા ઉપરાંત હજુ સુધી પ્લાન જ મંજૂર નહીં થયા હોવાથી આ વર્ષે નવા પ્રોજેક્ટ્સની સંખ્યા દિવાળીના તહેવાર અગાઉ જ તળિયે છે અને તેથી સમગ્ર રિયલ એસ્ટેટ સ્થગિત થઈ ગયું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. છેલ્લા થોડા મહિનામાં અમદાવાદમાં વિક્રમ ભાવથી જમીનોના સોદા થયા છે અને તેના કારણે દિવાળી વખતે નોંધપાત્ર સંખ્યામાં નવા પ્રોજેક્ટ્સની અપેક્ષા હતી પરંતુ તે ફળીભૂત થઈ નથી.

ઓડીપીએસની મુશ્કેલી અંગે ગાહેડ-ક્રેડાઇ સહિતના એસોસિયેશનોએ વારંવાર રજૂઆત કરી હતી. ગયા મહિને ગાહેડ સહિતના વિવિધ અસોસિયેશનના પ્રતિનિધિઓની બેઠકમાં ઓનલાઇન પ્લાન પાસિંગ સિસ્ટમનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો હતો.

અમદાવાદમાં દર મહિને સરેરાશ 220 પ્લાન પાસ થતા હતા. જેથી સાડા ચાર માસમાં 1 હજાર પ્લાન પાસ થવા જોઈએ તેની સરખામણીમાં માત્ર 125 પ્લાન પાસ થયા હતા તે મુદ્દો ગાહેડે ઉઠાવ્યો હતો. ઓનલાઇન પ્લાન પાસિંગ સિસ્ટમ અમલમાં આવ્યા બાદ ૨૫ મીથી વધુ ઊંચાઈવાળા કોઈ પણ હાઈરાઇઝ બિલ્ડિંગ્સના પ્લાન અમદાવાદ મ્યુનિ કોર્પોરેશન દ્વારા મંજૂર કરાયા નથી.

બિલ્ડર્સ અને ડેવલપર્સનો ધંધો બંધ થાય એટલે સ્વાભાવિક રીતે ગુજરાતનો વિકાસ રૂંધાય, એથી વિશેષ ચૂંટણી સમયે બિલ્ડરો અને ડેવલપર્સ એટલા ઉપયોગી નિવડે છે કે ઓનલાઇન સિસ્ટમમાં પડતી તેમની મુશ્કેલીઓ નહીં કરીને તેમને નારાજ કરવાનું ભાજપા સરકારને પોષાય તેમ નથી.

રાજ્ય સરકારે ગઇ તા.25મી સપ્ટેમ્બર 2018ના રોજ આ મુજબનો પરિપત્ર જારી કરવો પડ્યો હતો

પેજ નં. 2

પેજ નં.3

 

October 4, 2018
petrol-diesel-1.jpg
1min18690
  • 3.26 વાગ્યે કેન્દ્ર સરકારે પેટ્રોલ  ડિઝલના ભાવમાં રૂ.2.5 પ્રતિ લિટરે ઘટાડો કરવાની જાહેરાત કરી
  • 3.52 વાગ્યે ગુજરાત સરકારે પેટ્રોલ ડિઝલમાં રૂ.2.5 (કેન્દ્ર સરકાર ઉપરાંત) ઘટાડો કરવાની જાહેરાત કરી
  • 4.10 વાગ્યે મહારાષ્ટ્ર સરકારે પેટ્રોલ ડિઝલમાં રૂ.2.5 (કેન્દ્ર સરકાર ઉપરાંત) ઘટાડો કરવાની જાહેરાત કરી

પેટ્રોલ ડિઝલના ભાવોના મુદ્દે સમગ્ર દેશમાંથી મોદી સરકાર સામે ઉઠેલા અસંતોષને ઠારવા માટેના પ્રયાસોના  ભાગરૂપે કેન્દ્ર સરકારે આજે શેરબજાર બંધ થવાની 4 મિનીટ પહેલા જ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં તાત્કાલિક રીતે અમલ થાય એ રીતે રૂ.અઢીનો ઘટાડો કરવાની ઘોષણા કરી હતી. અરુણ જેટલીએ રાજ્ય સરકારોને પણ કહ્યું હતું કે તેઓ શક્ય એટલી રાહત સામાન્ય લોકો સુધી પહોંચાડે. કેન્દ્રના અઢી રૂપિયાના ઘટાડા બાદ જોવાનું એ રહે છે કે રાજ્ય સરકારો પૈકી કોણ વધુ ઘટાડો કરે છે. અરુણ જેટલીની જાહેરાતની ગણતરીની મિનીટોમાં જ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ રૂ2.5નો ઘટાડો પ્રતિ લિટરે પેટ્રોલ અને ડિઝલમાં કરવાની જાહેરાત કરી હતી. જેને પગલે ગુજરાતમાં પેટ્રોલ અને ડિઝલના પ્રતિ લિટરના ભાવમાં રૂ5નો તોતિંગ  ઘટાડો થયો હતો. સાંજે 4 વાગ્યે આ જાહેરાત થઇ હતી. હવે જોવાનું એ રહે છે કે એ પછી કઇ કઇ રાજ્ય સરકારો ઘટાડો કરી રહી છે.

  • કેવી રીતે ભાવ ઘટાડો થશે
  • પ્રતિ લિટર રૂ. 1 કેન્દ્ર સરકાર ઘટાડ્યા
  • પ્રતિ લિટર રૂ. 1.5 ઓઇલ કંપનીઓ ઘટાડ્યા
  • પ્રતિ લિટર રૂ.2.5 રાજ્ય સરકારોએ ઘટાડ્યા

પેટ્રોલ ડિઝલના ભાવમાં ગુજરાતમાં રૂ.5નો જંગી ઘટાડાના સમાચાર એટલા વાઇરલ થયા છે કે ન પૂછો વાત. વ્હોટ્સ એપ ગ્રુપથી લઇને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર વિજય રુપાણીની ટ્વીટના ફોટોઝ લોકોએ ખૂબ શેર કર્યા હતા.

(ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરેલી ટ્વીટ)

(મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ભાવ ઘટાડા અંગે કરેલી ટ્વીટ)

 

એ પૂર્વે આકાશને આંબી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારામાંથી લોકોને રાહત આપતા નાણાંમંત્રી અરુણ જેટલીએ ઈંધણના ભાવમાં 2.50નો તાત્કાલીક ધોરણે ઘટાડો કરવાની જાહેરાત કરી છે. જેટલીએ જણાવ્યું કે, ‘પેટ્રોલ અને ડીઝલના ભાવ અંગે મંત્રી સમુહની આંતરિક બેઠકમાં કેન્દ્રે એક્સાઈઝ ડ્યુટી રૂ.1.5 ઘટાડી છે. આ ઉપરાંત ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પણ 1 રૂપિયાનો ઘટાડો કરશે.

કેન્દ્ર સરકાર આમ કુલ 2.5 રૂપિયા પ્રતિ લીટરની રાહત ગ્રાહકોને આપશે.’ જેટલીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા આ વાત જણાવી હતી. તેમજ આ સાથે રાજ્યોને પણ સમાન દરે ઈંધણના ભાવમાં ઘટાડો કરવા અપીલ કરી હતી જેને પગલે ગ્રાહકોને 4-5 રૂપિયા સસ્તું ઈંધણ મળી શકે. નાણાં મંત્રીએ જણાવ્યું કે એક્સાઈઝ ડ્યુટી ઘટાડાતા આવકમાં રૂ. 10,500 કરોડનો ફટકો આ વર્ષે પડશે.

October 4, 2018
sensex.jpg
1min4700

ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો થતા તેમજ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા આગામી સમયમાં વ્યાજ દરમાં વધારો કરશે તેવી દહેશત પાછળ ડોલર સામે રૂપિયામાં સતત ડાઉનફોલ રહેતા સેન્સેક્સમાં આજે તા.4 ઓક્ટોબર 2018ના રોજ ગુરુવારે સવારે 750 પોઈન્ટનો કડાકો બોલી ગયા હતો. આમ બે દિવસમાં સેન્સેક્સમાં 1200 પોઈન્ટથી વધુનું નોંધપાત્ર ધોવાણ થયું હતું.

નવી સીરિઝમાં રોકાણકારોએ પોઝિશન લેવાનું ટાળ્યું હતું અને વૈશ્વિક પ્રતિકૂળતાને લીધે નફો બુક કરવાની માનસિકતા જોવા મળી રહી છે. પ્રાપ્ત અહેવાલો મુબજ આગામી સમયમાં રિઝર્વ બેન્ક વ્યાજ દરમાં વધારો કરશે તેવી ભીતિ પાછળ તા.3 ઓક્ટોબર 2018ને બુધવારે સેન્સેક્સમાં 36,000ની સપાટી તૂટી હતી. ૯ જુલાઈ બાદ સેન્સેક્સે આ સપાટી તોડી હતી. ત્યારબાદ સેન્સેક્સે આજરોજ તા.4 ઓક્ટોબર 2018ના રોજ ખૂલતામાંજ 35,500નું મહત્વનું સ્તરે તોડ્યું હતું. નિફ્ટી આંક પણ દોઢ ટકાથી વધુ તૂટીને 200 પોઈન્ટ ગગડીને 10,625ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

રૂપિયો ખુલતા બજારે ડોલર સામે 45 પૈસા ગગડીને 73.77ની ઐતિહાસિક નીચી સપાટીને સ્પર્શ્યો હતો. આંતરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ 85 ડોલર પ્રતિ બેરલને સ્પર્શતા શેરબજાર કડડભૂસ થયું હતું. ક્રૂડના ભાવ છેલ્લા ચાર વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા.

 

October 2, 2018
farmer.jpg
1min12350

મંગળવારે મોડી રાત્રે ખેડૂતોનાં આ આંદોલનને દિલ્હીમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. દિલ્હીમાં પ્રવેશ મેળવ્યા બાદ ખેડૂતોએ સીધા કિસાન ઘાટ પહોંચીને કિસાન ક્રાંતિ યાત્રાને પૂર્ણ કરી હતી.

ખેડૂત આંદોલનનાં નેતા ચૌધરી ચરણ સિંહનાં સ્મારક કિસાન ઘાટ પહોંચીને ખેડૂતોએ પોતાની હડતાળ પાછી લેવાની જાહેરાત કરી હતી. જો કે, હજી સુધી ખેડૂતોની માંગણીઓ પર સરકાર તરફથી કેવી પ્રતિક્રિયા કરવામાં આવી છે તે અંગેની કોઈ ખાસ જાણકારી નથી મળી રહી. ભારતીય કિસાન સંઘનાં અધ્યક્ષ નરેશ ટિકૈતે કહ્યું, ‘૨૩ સપ્ટેમ્બરનાં રોજ શરૂ થયેલી ‘કિસાન ક્રાંતિ યાત્રા’ કિસાન ઘાટ પહોંચીને પૂર્ણ કરવામાં આવી.’ તેમણે કહ્યું કે, ’દિલ્હી પોલીસે અમને રાજધાનીમાં પ્રવેશવાની પરવાનગી નહતી આપી જેનાં કારણે અમારે પ્રદર્શન કરવું પડ્યું. અમારો હેતુ આ યાત્રાન પૂર્ણ કરવાનો હતો જે હવે પૂર્ણ થઈ ગયો છે. અને હવે અમે અમારા ગામ પરત ફરી રહ્યાં છે.’

 

ખેડૂતો દ્વારા કરવામાં આવેલ માંગણીઓ: 
  • -ખેડૂતોને ૬૦ વર્ષની ઉંમર બાદ પેન્શન મેળવવાની માંગ
  • – ‘પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના’માં કેટલાક ફેરફાર કરવાની માંગ 
  • – શેરડીની કિંમતોની ચૂકવણી ઝડપથી કરવા અંગેની માંગ
  • – ખેડૂતોનાં દેવા માફ કરી દેવાની માંગ
  • – ખેતી કરવા માટે ખેડૂતોને વીજળી મફતમાં આપવાની માંગ 
  • – ‘કિસાન ક્રેડિટ કાર્ડ’ પર વ્યાજ મુક્ત લોન આપવાની માંગ 
  • – જંગલી પશુઓનાં ત્રાસથી ખેડૂતોનાં પાકને બચાવવા માટેની માંગ 
  • – દરેક પાકની ખરીદી કરવાની માંગ
  • – ‘કિસાન સ્વાભિમાન કમિટી’નો રિપોર્ટ લાગૂ કરવાની માંગ

એ પૂર્વે તા.2જી ઓક્ટોબર 2018ના રોજ પ્રકાશિત સમાચાર

  • 11 મુદ્દા પર વાત થઈ, જેમાંથી 7 સરકારે માની છે, પરંતુ 4 મુદ્દા પર હજી ઉકેલ નથી આવ્યો
  • ટ્રેક્ટરને એનજીટીના આદેશમાંથી મુક્તિ અપાવવા માટે સરકાર ટૂંક સમયમાં જ સુપ્રીમ કોર્ટમાં અરજી કરશે
  • ખેડૂતોની જીએસટીને લઈ જે માગ છે, તેને જીએસટી પરિષદમાં મૂકાશે

દિલ્હીને અડીને આવેલા ગાઝીપુરમાં ખેડૂતો પોતાના આંદોલનને લઈ અડગ છે. કૃષિપ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે ખેડૂતો સાથે વાત કરી તેમની સમસ્યાનો ઉકેલ લાવવાનું આશ્વાસન આપ્યું છે. શેખાવતે ખેડૂતો સાથેની વાતચીતમાં કહ્યું કે પીએમ મોદીએ ખેતીને મનરેગામાં સામેલ કરવા માટે 6 સીએમની એક પેનલ બનાવવાની જાહેરાત કરી છે.

શેખાવતનું કહેવું છે કે ખેડૂતોની મોટા ભાગની માગ માની લેવાઈ છે. ટ્રેક્ટરને એનજીટીના આદેશમાંથી મુક્તિ અપાવવા માટે સરકાર ટૂંક સમયમાં જ સુપ્રીમ કોર્ટમાં અરજી કરશે. NGTએ પોતાના એક આદેસમાં ખેતી માટે 10 વર્ષથી જૂના ટ્રેક્ટરના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. આ ચુકાદાનો ખેડૂતો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે. તો શેખાવતના કહેવા મુજબ ખેડૂતોની જીએસટીને લઈ જે માગ છે, તેને જીએસટી પરિષદમાં મૂકવામાં આવશે.

બીજી તરફ યુપીના સીએમ યોગી આદિત્યનાથે પ્રેસ કોન્ફરન્સ કરી. પ્રેસ કોન્ફરન્સમાં યોગીએ કહ્યું, ‘છેલ્લા ચાર વર્ષથી પીએમ મોદીની આગેવાનીમાં કેન્દ્ર સરકાર ખેડૂતોની દરેક મુશ્કેલીનો ઉકેલ શોધવા પ્રયત્ન કરી રહી છે. દેશની આઝાદી બાદ મોદી સરકાર સૌથી સંવેદનશીલ સરકાર છે.’

સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે વાતચીત વિશે ભારતીય કિસાન સંઘના પ્રવક્તા યુદ્ધવીર સિંહે કહ્યું,’હકીકતમાં 11 મુદ્દા પર વાત થઈ, જેમાંથી 7 સરકારે માની છે, પરંતુ 4 મુદ્દા પર હજી ઉકેલ નથી આવ્યો. સરકારનું કહેવું છે કે આગામી બેઠકમાં તેનું સમાધાન શોધી શકાશે, કારણ કે આ મુદ્દા આર્થિક છે.’

તો ભારતીય કિસાન સંઘના અધ્યક્ષ રાકેશ ટિકૈતે પણ કહ્યું,’સરકારની દાનત સાફ નથી. અમારી કોઈ પણ માગ પૂરી નથી થઈ. વિરોધ પ્રદર્શન ચાલુ જ રહેશે. સરકાર દાવો કરી રહી છે કે ખેડૂતોની માગ મનાઈ છે, પણ આવું કશું નથી.’

ઉલ્લેખનીય છે કે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ખેડૂતોનો કાફલો દિલ્હી પહોંચ્યો હતો. જો કે યુપી દિલ્હી બોર્ડર પર પોલીસે બેરિકેડિંગ કરી ખેડૂતોને રોકવાની કોશિશ કરી. પરંતુ ખેડૂતો અને પોલીસ વચ્ચે સંઘર્ષ થયો. આ દરમિયાન પોલીસે વોટર કેનની મદદથી ખેડૂતોને વિખેરવાનો પ્રયાસ કર્યો, તો ટિયર ગેસના સેલ પણ છોડાયા.

October 2, 2018
cable_1stday.jpg
1min25840

બ્રિજ ખુલ્લો મુકાતા જ જાણે સુરતીઓ ઉમટી પડ્યા, અઠવાથી અડાજણ આવવા માટે જાણે મોટરકારોનો કાફલો વેઇટિંગમાં હતો

આજે તા.2જી ઓક્ટોબર 2018ના રોજ સવારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીના હસ્તે અડાજણ અને અઠવાલાઇન્સને જોડાતા કેબલ સ્ટેઇડ બ્રિજનો ખુલ્લો મૂકાયો અને લોકોની અવરજવર શરૂ કરી એની 5મી જ મિનીટે બ્રિજ પર એટલા વાહનો આવી ગયા કે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય જવા પામી હતી. ખાસ કરીને અઠવા લાઇન્સથી અડાજણ આવવા માટે હજારો મોટરકારો, ટુ વ્હીલર્સ જાણે વેઇટિંગમાં હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. અઠવાથી અડાજણના ટ્રેક પર વાહનોના કતાર લાગી ગઇ અને એક પછી એક વાહનો ગોઠવાય ગયા હતા. એ સમયે ટ્રાફિકની ગતિ માંડ 10 કિ.મી. પ્રતિ કલાકની હતી. જે આપ આ તસ્વીરથી જોઇ શક્શો.

બ્રિજ ખુલ્લો મૂકાતા જ લોકો ઉમટી પડ્યા હતા. એમાં પણ આજે 2જી ઓક્ટોબર 2018 ગાંધીજયંતિની રજા હોવાથી લોકો મિત્રમંડળ કે પરિવારજનો સાથે બ્રિજને જોવા ઉમટી પડ્યા હતા. કેબલ સ્ટેઇડ બ્રિજની રાઉન્ડ ટ્રીપ માટે નીકળેલા સુરતીઓએ બ્રિજના બન્ને છેડે અડાજણ સ્ટાર બજાર સામે અને અઠવાલાઇન્સ ખાતે યુ ટર્ન લેવામાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જી દીધી હતી. ટ્રાફિક પોલીસે બન્ને પોઇન્ટ પર ટ્રાફિક સરળ બનાવવા માટે આકરાં તાપમાં ભારે પરિશ્રમ કરવો પડ્યો હતો.

એવી જ રીતે અડાજણ છેડેથી કેબલ સ્ટેઇડ બ્રિજ પર જવા માટે એલ.પી. સવાણી રોડ પર છેક ચોર આમલા ઝાડ સુધી વાહનોની આ રીતે કતારો સર્જાય જવા પામી હતી.

Posted by Tejash Modi on Tuesday, 2 October 2018

સુરતના જાણીતા પત્રકાર તેજસભાઇ મોદીએ ટ્રાફિક જામનો વિડીયો આ પ્રકારે લીધો હતો.

તા.1લી ઓક્ટોબર 2018ના રોજ સી.આઇ.એ. લાઇવ વેબસાઇટે આ અહેવાલ પ્રકાશિત કર્યો હતો, જે આજે રિયાલિટીમાં જોઇ શકીએ છીએ

કાલે પહેલા જ દિવસે કેબલ સ્ટેઇડ બ્રિજ પરથી 3 લાખ વાહનો પસાર થઇ જશે

 

એ પૂર્વે આ પ્રકારે સુરતના કેબલ સ્ટેઇડ બ્રિજને રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીના હસ્તે ઉદઘાટિત કરવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રીએ અડાજણ અને અઠવાને જોડતા કેબલ સ્ટેઇડ બ્રિજ પરની તક્તીનું  અનાવરણ કર્યું હતું.

 

કેબલ સ્ટેઇડ બ્રિજનું લોકાર્પણ રિબન કાપીને કર્યું હતું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ

રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રકારે બ્રિજનું નિરીક્ષણ પણ કર્યું હતું.

બ્રિજનું ઉદઘાટન કરવા માટે જઇ રહેલા મુખ્યમંત્રી વિજય રુપાણી સાથે સ્થાનિક આગેવાનો દ્રશ્યમાન છે