CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 119 of 142 - CIA Live

June 6, 2019
earthquake-zone-map-of-gujarat-1.jpg
1min7450

ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના અમુક વિસ્તારોમાં બુધવારે મોડી રાત્રે ધરતીકંપના આંચકા અનુભવાયા હતા જેને કારણે લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું. પાલનપુર, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં રાત્રે ૧૦.૩૧ વાગ્યાની આસપાસ ચારની તીવ્રતાના ભૂકંપ આંચકા અનુભવાયા હતા જેને કારણે લોકો ડરીને ઘરની બહાર રસ્તા પર આવી ગયા હતા. અમદાવાદમાં પણ તેની હળવી અસર થઇ હતી.

અરવલ્લી , સાબરકાંઠા, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં ચારની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અમીરગઢ, હિંમતનગર, પાલનપુર, અંબાજી, ડીસા સહિતના નગરોમાં રાત્રે ૧૦.૩૦ કલાકે આંચકા અનુભવાયા હતા. આબુમાં પણ ભૂકંપના જોરદાર આંચકા લાગ્યા હતા અને અહીં આવેલા પ્રવાસીઓમાં પણ ભયનું વાતાવરણ જોવા મળ્યું હતું.

June 5, 2019
eid.jpg
1min6340

દેશભરમાં  આજે બુધવારે, તા.5મી જુન 2019ના રોજ ઈદનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. તા.4 જુન મંગળવારની પૂર્વ સંધ્યાએ ઈદનો ચાંદ દેખાયો હતો અને અનેક સ્થળોએ ચાંદ દેખાયો હોવાની ગવાહી મળતા આજે ભારતભરમાં ઇદ ઉલ ફિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. મુસ્લિમ બિરાદરો, પરિવારોમાં હર્ષોલ્લાસભેર ઇદની ઉજવણી થઇ રહી છે.

Eid ul fitr 2019 માટે છબી પરિણામ

આજે સવારથી જ અલ્લાહની બંદગી, નમાઝ અદા કર્યા બાદ મુસ્લિમ બિરાદરો એકબીજાને ગળે મળીને શુભેચ્છાઓ પાઠવતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

મસ્જિદોમાં આજે ઇદની નમાઝ દરમિયાન શાંતિ અને સમૃદ્ધિની દુઆ માગવામાં આવી રહી છે.

વર્ષમાં બે વખત ઈદ મનાવવામાં આવે છે. આ ઈદને ઈદ-ઉલ-ફિત્ર ના નામથી ઓળખવામાં આવે છે જ્યારે બીજી ઈદ ઈદ-ઉલ-અઝહા અથવા બકરીઇદ ગણાય છે.

રમઝાનનો મુકદ્દસ માસ ખતમ થયા બાદ ઈદ-ઉલ-ફિત્ર મનાવવામાં આવે છે. આ દિવસે મીઠાં પકવાન અને ખાસ કરીને સેવૈયા બનાવવામાં આવે છે. સાઉદી અરબમાં એક દિવસ પહેલા જ ચાંદ દેખાયો હતો. ત્યાં 4 જૂનના રોજ ઈદ ઉજવવામાં આવી હતી.

June 5, 2019
rain.jpeg
1min5560

ભારતીય વેધશાળાની આગાહી મુજબ દેશમાં ચોમાસું થોડું વિલંબિત થવાની સંભાવના છે. ચોમાસું હવે સાતમી જૂને બેસવાની સંભાવના છે. શનિવારે પ્રાઇવેટ વેધશાળા, સ્કાયમેટે પણ ચોમાસું શરૂ થવાની સંભવિત તારીખ 4 જૂનથી બદલીને 7 જૂન કરી હતી. ગયા મહિને વેધશાળાએ જણાવ્યું હતું કે કેરળમાં 6ઠ્ઠી જૂને ચોમાસું બેસવાની સંભાવના છે. જોકે, એ તારીખમાં ચાર દિવસનો ઘટાડો કે વધારો થવાની શક્યતા પણ બતાવાઈ હતી. ભૂમિ વિજ્ઞાન ખાતાના પ્રધાન હર્ષ વર્ધને થોડા દિવસ પહેલાં સંકેત આપ્યો હતોે કે કેરળમાં ચોમાસું છ કે સાતમી જૂને બેસશે.

June 1, 2019
farming.jpg
1min7220

બીજા કાર્યકાળની પહેલી કેબિનેટ બેઠકમાં પીએમ મોદીએ ખેડૂતોને મોટી ભેટ આપી છે.

પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત હવે બધા ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા મળશે, તે ઉપરાંત ખેડૂતો માટે પેન્શન યોજનાની જાહેરાત કરવામાં આવી છે. પીએમ કિસાન યોજના પહેલા માત્ર લઘુ અને સીમાંત ખેડૂતો માટે હતી.

મોદી સરકારે વચગાળાના બજેટમાં કરેલી જાહેરાત પ્રમાણેઅત્યાર સુધી હેકટરથી ઓછી જમીન પર ખેતી કરનાર ખેડૂતોને વર્ષે હજાર રૂપિયાની સમ્માન નિધિ ત્રણ સપ્તાહમાં મળતી હતી. હવે તમામ ખેડૂતોને તેનો લાભ મળશે. હેકટર જમીનની સીમા લાગૂ થશે નહિ. ભાજપે તેના ચૂંટણી ઢઢેરામાં આ વાયદો કર્યો હતો. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે હવે આ સ્કીમથી 14.5 કરોડ ખેડૂત પરિવારોને ફાયદો થશે. કેબિનેટે બીજો નિર્ણય નવા લોકસભા સત્રને લઈને કર્યો છે. આ બજેટ સત્ર હશેજે 17 જૂનથી 26 જુલાઈ સુધી ચાલી શકે છે. આ સત્ર દરમિયાન જૂલાઈ એ બજેટ રજૂ કરવામાં આવશે. 19 જૂને લોકસભા સ્પીકરની ચૂંટણી થશે.

આ અંગે તોમરે જણાવ્યું કે અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત કરોડ ખેડૂતોના ખાતામાં આ યોજનાના પૈસા પહોંચી ચૂક્યા છે. આ દરમિયાન એવી માંગ પણ ઉઠી કે તમામ ખેડૂતોને આ યોજનનો લાભ મળે. 12.5 કરોડ ખેડૂત આ યોજના અંતર્ગત આવતા હતા. કરોડ ખેડૂત જ આ યોજનાથી વંચિત રહેતા હતા. હવે 14.5 કરોડ ખેડૂત લાભ લઈ શકશે. 87 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ આવશે.

પરંતુ ભાજપે પોતાના ચૂંટણી સંકલ્પ પત્રમાં આ યોજનામાં બધા ખેડૂતોને સામેલ કરવાનું વચન આપ્યું હતું, જેના પર પહેલી કેબિનેટ મીટિંગમાં મહોર લગાવી દેવાઈ. આ યોજનાનો દેશના 14.5 કરોડ ખેડૂતોને સીધો લાભ મળશે. તે ઉપરાંત 17 જૂનથી સંસદ સત્ર બોલાવવાનો નિર્ણય કરાયો છે, જે 26 જુલાઈ સુધી ચાલશે. 5 જુલાઈએ બજેટ રજૂ કરાશે.

June 1, 2019
monsoon.png
1min10540

દેશભરમાં આ વખતે ચોમાસું એકંદરે સામાન્ય રહેશે. જોકે, ઉત્તર અને દક્ષિણ ભારતમાં સામાન્ય કરતાં ઓછા વરસાદની આગાહી છે, એમ ભારતીય વેધશાળાએ 31 May 2019 શુક્રવારે જણાવ્યું હતું.

અલ-નીનો સમુદ્રના પાણીના ગરમાટાથી ઉદ્ભવતી એવી સ્થિતિ છે જેની ભારત સહિતના વિવિધ દેશોની આબોહવા તથા ચોમાસા પર અસર પડતી હોય છે. અલ-નીનોની અસર આ વખતે ભારતમાં વરસાદની મોસમ દરમિયાન પણ ચાલુ રહેશે. જોકે, ચોમાસાના પાછલા ભાગમાં આ સ્થિતિ તટસ્થ રહેવાની શક્યતા છે, એમ વેધશાળાએ જણાવ્યું હતું.

આ વિભાગનું એવું પણ માનવું છે કે જુલાઈ તથા ઑગસ્ટમાં વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાની સંભાવના પણ છે અને વરસાદનું પ્રમાણ લૉન્ગ પિરિયડ ઍવરેજ (એલપીએ)ના 96 ટકા રહેવાની શક્યતા છે. ઉત્તર-પશ્ર્ચિમ ભારતમાં વરસાદ એલપીએના 94 ટકા, મધ્ય ભારતમાં એલપીએના 100 ટકા, દક્ષિણ ભારતમાં એલપીએના 97 ટકા અને ઉત્તર-પૂર્વ ભારતમાં એલપીએના 91 ટકા રહેવાની આગાહી છે.

કેરળમાં ચોમાસું 6ઠ્ઠી જૂનની આસપાસ બેસવાની સંભાવના છે.

May 31, 2019
modi.jpg
9min6800

modi government part 2.0 માટે છબી પરિણામ

Cabinet ministers

NAME OF MINISTER PORTFOLIO
Narendra Modi Ministry of personnel, public grievances and pensions
Department of atomic energy
Department of space
All important policy issues and all other portfolios
not allocated to any minister
Rajnath Singh Minister of defence
Amit Shah Minister of home affairs
Nitin Gadkari Minister of road transport and highways
Minister of micro, small and medium enterprises
D V Sadananda Gowda Minister of chemical and fertilizers
Nirmala Sitharaman Minister of finance
Minister of corporate affairs
Ram Vilas Paswan Minister of consumer affairs, food and public distribution
Narendra Singh Tomar Minister of agriculture and farmers welfare
Minister of rural development
Minister of panchayati raj
Ravi Shankar Prasad Minister of law and justice
Minister of communications
Minister of electronics and information technology
Harsimrat Kaur Badal Minister of food processing industries
Thaawar Chand Gehlot Minister of social justice and empowerment
Dr Subrahmanyam Jaishankar Minister of external affairs
Ramesh Pokhriyal ‘Nishank’ Minister of human resource development
Arjun Munda Minister of tribal affairs
Smriti Zubin Irani Minister of women and child development; and
Minister of textiles
Dr. Harsh Vardhan Minister of health and family welfare;
Minister of science and technology; and
Minister of Earth sciences
Prakash Javadekar Minister of environment, forest and climate change; and
Minister of information and broadcasting
Piyush Goyal Minister of railways; and
Minister of commerce and industry
Dharmendra Pradhan Minister of petroleum and natural gas; and
Minister of steel.
Mukhtar Abbas Naqvi Minister of minority affairs
Pralhad Joshi Minister of parliamentary affairs;
Minister of coal; and
Minister of mines.
Dr. Mahendra Nath Pandey Minister of skill development and entrepreneurship
Arvind Ganpat Sawant Minister of heavy industries and public enterprise
Giriraj Singh Minister of animal husbandry, dairying and fisheries
Gajendra Singh Shekhawat Minister of jal shakti

Ministers of State (independent charge)

NAME OF MINISTER PORTFOLIO
Santosh Gangwar MoS (independent charge) of ministry of labour
and employment
Rao Inderjit Singh MoS (independent charge) of ministry of statistics
and programme implementation
Shripad Yesso Naik MoS (independent charge) of ministry of AYUSH
MoS in the ministry of defence
Dr Jitendra Singh MoS (independent charge) of ministry of development
of North Eastern region
MoS in the Prime Minister’s Office;
MoS in the ministry of personnel, public grievances
and pensions;
MoS in the department of atomic energy; and
MoS in the department of space
Kiren Rijiju MoS (independent charge) of the ministry of youth affairs
and sports;
MoS in the ministry of minority affairs
Prahalad Singh Patel MoS (independent charge) of the ministry of culture;
MoS (independent charge) of the ministry of tourism
Raj Kumar Singh MoS (independent charge) of the ministry of power;
MoS (independent charge) of the ministry of new
and renewable energy;
MoS in the ministry of skill development
and entrepreneurship
Hardeep Singh Puri MoS (independent charge) of the ministry of housing
and urban affairs;
MoS (independent charge) of the ministry of civil aviation;
MoS in the ministry of commerce and industry
Mansukh L. Mandaviya MoS (independent charge) of the ministry of shipping;
MoS in the ministry of chemicals and fertilizers

Ministers of State

Name of Minister PORTFOLIO
Faggansingh Kulaste MoS ministry of Steel
Ashwini Kumar Choubey MoS ministry of Health and Family Welfare
Arjun Ram Meghwal MoS ministry of Parliamentary Affairs;
MoS ministry of Heavy Industries and Public Enterprises
General (Retd) V. K. Singh MoS ministry of Road Transport and Highways
Krishan Pal MoS ministry of Social Justice and Empowerment
Danve Raosaheb Dadarao MoS ministry of Consumer Affairs, Food and Public Distribution
G. Kishan Reddy MoS ministry of Home Affairs
Parshottam Rupala MoS ministry of Agriculture and Farmers Welfare
Ramdas Athawale MoS ministry of Social Justice and Empowerment
Sadhvi Niranjan Jyoti MoS ministry of Rural Development
Babul Supriyo MoS ministry of Environment, Forest and Climate Change
Sanjeev Kumar Balyan MoS ministry of Animal Husbandry, Dairying and Fisheries
Dhotre Sanjay Shamrao MoS ministry of Human Resource Development;
MoS ministry of Communications; and
MoS ministry of Electronics and Information Technology
Anurag Singh Thakur MoS ministry of Finance; and
MoS ministry of Corporate Affairs
Angadi Suresh Channabasappa MoS ministry of Railways
Nityanand Rai MoS ministry of Home Affairs
Shri. Rattan Lal Kataria MoS ministry of Jal Shakti; and
MoS ministry of Social Justice and Empowerment
V. Muraleedharan MoS ministry of External Affairs; and
MoS ministry of Parliamentary Affairs
Renuka Singh Saruta MoS ministry of Tribal Affairs
Som Parkash MoS ministry of Commerce and Industry
Rameswar Teli MoS ministry of Food Processing Industries
Pratap Chandra Sarangi MoS ministry of Micro, Small and Medium Enterprises; and
MoS ministry of Animal Husbandry, Dairying and Fisheries
Kailash Choudhary MoS ministry of Agriculture and Farmers Welfare
Debasree Chaudhuri MoS ministry of Women and Child Development
May 31, 2019
agri.jpg
1min8130

આર્થિક ભીંસના સમયે સરકારે ખેડૂતોને પૂરતો પાક વીમો ય ન ચૂકવતા ખેડૂતો અને ખેડૂત સંસ્થાઓમાં ભારોભાર રોષ વ્યાપ્યો છે. દુષ્કાળને લીધે ખેડૂતો એકતરફ ભારે હાડમારી અનુભવી રહ્યા છે. 2018ની ખરીફ સીઝનના હજુ 33.65 ટકા દાવાઓ બાકી છે. એટલું જ નહીં કપાસની વીમાની હજુ ગણતરી જ થઇ નથી

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ 2018ની ખરીફ સીઝનમાં 12.91 લાખ ખેડૂતોએ 22.37 લાખ હેક્ટર જમીનમાં કપાસ અને મગફળીના વાવેતર માટે વીમો મેળવ્યો હતો. એ પૈકી ખેડૂતોએ રૂ.365.53 કરોડનું પ્રિમીયમ ચૂકવ્યું હતુ. કેન્દ્ર અને રાજ્યએ સરખેભાગે રૂ.2667.20ની કુલ સબસિડી ભોગવી છે. આ રીતે કુલ પ્રિમિયમ રૂ. 3032.72 કરોડ ભરવામાં આવ્યું હતુ. જોકે એમાંથી અત્યાર સુધીમાં રૂ. 2038 કરોડના દાવા જ મંજૂર થયા છે.

રાજકોટ જિલ્લા બેંક વડે સમગ્ર જિલ્લામાંથી રૂ. 639 કરોડનું પ્રિમીયમ ભરાયું હોવાનો અંદાજ છે. એમાંથી ફક્ત રૂ. 319 કરોડ મગફળીના મંજૂર’ થઇને આવ્યા છે. ઉપલેટા, ધોરાજી અને પડધરી જેવા તાલુકાઓને તો અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે છતાં કોડીનો ય વીમો મંજૂર થયો નથી.

સમગ્ર જિલ્લાની બધી બેંકોનો રૂ. 305 કરોડનો મગફળીનો વીમો મંજૂર થયો છે. એમાંથી અમરેલી જિલ્લા બેંકનો હિસ્સો રૂ. 141 કરોડનો છે. કપાસના વીમાની હજુ ગણતરી ચાલી રહી છે.

પ્રધાન મંત્રી ફસલ વીમા યોજનાનો લાભ લેનારા રાજ્યના 49.23 લાખ ખેડૂતેની 77.34 લાખ હેકટર વિસ્તાર જમીનમાં પકવેલા ખરીફ પાક માટે આ રકમ વીમા પ્રિમિયમ પેટે ચૂકવાઇ હતી.’ 2016-17માં 19.79 લાખ, જ્યારે વર્ષ 2017-18માં રૂા.16.53 લાખ’ તેમજ ખરીફ 2018માં 12.91 લાખના પ્રિમિયમ ખેડૂતોએ ભર્યા હતા. 2016-17માં 28.42 લાખ હેકટર, વર્ષ 2017-18માં 26.56 લાખ હેકટર અને ખરીફ 2018માં 22.37 લાખ હેકટર જમીનમાં થયેલા વાવેતર માટે વીમો લેવામાં આવ્યો હતો.

May 30, 2019
modirajghat.jpg
1min9790

આજે સાંજે સાત વાગ્યે વડાપ્રધાન પદ માટે શપથ ગ્રહણ એ પૂર્વે ઐતિહાસિક દિવસે સવારે નરેન્દ્ર મોદીએ રાજઘાટ પર જઇને સ્વ. રાષ્ટ્રપિતા મહાત્માં ગાંધીની સમાધિ પર જઈને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. એ પછી તેઓ અટલ બિહારી વાજપેયીની સમાધિ ‘સદૈવ અટલ’ પર જઈને તેમને શદ્ધાંજલિ આપી.

ભાજપાના અનેક મોટા નેતાઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

ગાંધી બાપૂ અને વાજપેયીને શ્રદ્ધાંજલી આપ્યા બાદ વડાપ્રધાન મોદી નેશનલ વૉર મેમોરિયલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે દેશ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર શહીદોને પ્રણામ કર્યા હતા. આ દરમિયાન તેમની સાથે રક્ષા મંત્રી નિર્મલા સીતારમન અને ત્રણેય સેનાઓના વડાઓ પણ હાજર રહ્યા હતા.

May 29, 2019
gujarat_map-1280x1023.png
1min6250

વર્ષ ર018- 19ના શૈક્ષણિક કેલેન્ડર વર્ષમાં આપવામાં આવેલા નવરાત્રી વેકેશન ચાલુ વર્ષ 2019-20ના શૈક્ષણિક કેલેન્ડર વર્ષમાં ચાલુ રાખવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે યુનિવર્સિટીઓ અને કૉલેજોમાં પણ નવરાત્રી વેકેશનની મંજૂરી આપ્યો છે.

ખાસ કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓને ધ્યાનમાં લઈને નવરાત્રી વેકેશન ચાલુ રાખવાની બાબત સ્વીકારાઈ છે. રાજ્ય સરકારનો આ નિર્ણય રાજ્યની તમામ સરકારી ખાનગી પ્રાથમિક શાળાઓ ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને લાગુ પડશે.

રાજ્યની સરકારી તથા ખાનગી પ્રાથમિક શાળાઓ ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવરાત્રી વેકેશન તા.30/9/ર019 થી તા.7/10/ર019 સાથે આઠ દિવસનું વેકેશન આપવામાં આવશે અને દિવાળી વેકેશન તા.રપ/10/ર019 થી તા.6/11/ર019ના સમયગાળા દરમિયાન 13 દિવસનું વેકેશન આપવામાં આવશે.

May 29, 2019
trafficeineverest.jpg
1min7680

એવરેસ્ટના ‘ટ્રાફિકજામ’માંથી બચી જનાર અમીશા ચૌહાણ હાલમાં ફ્રોસ્ટ બાઇટને કારણે હૉસ્પિટલમાં છે, તેણે જણાવ્યું હતું કે જે લોકો પાસે પર્વત ચઢવા અંગેનું મૂળભૂત કૌશલ્ય ના હોય તેવા લોકોને વિશ્ર્વના સૌથી ઊંચા શિખર પર ચઢવાની મંજૂરી નહીં આપવી જોઇએ, જેથી આ વર્ષ જેવી ‘ટ્રાફિકજામ’ની સમસ્યા ના સર્જાય.

બે અઠવાડિયાથી ઓછા સમયમાં પર્વત પર ખરાબ હવામાનને કારણે 10 જણનાં મૃત્યુ થયાં છે. પર્વતારોહકોને લાંબા સમય સુધી ઑક્સિજન ખલાસ થઇ જવાના ભય હેઠળ શિખર પર રાહ જોવી પડી હતી અને અથાગ થાકના ભોગ બનવું પડ્યું હતું.

‘આ સિઝનમાં નેપાળે વિક્રમી 381 ઍવરેસ્ટ પરમિટ જારી કરી હતી. કેટલાય પર્વતારોહક એવા હતા કે જેમણે પર્વતારોહણની યોગ્ય તાલીમ જ નહોતી લીધી. તેઓ નબળા નિર્ણય લેતા હતા, જેને કારણે તેમની પોતાની અને તેમના માર્ગદર્શક અને ભોમિયા શેરપાઓની જિંદગી પણ જોખમમાં મુકાઇ ગઇ હતી,’ એમ ચૌહાણે જણાવ્યું હતું.

અમીશા ચૌહાણને 8,848 મીટર (29,029 ફૂટ) ઊંચા શિખર પરથી નીચે આવવા માટે 20 મિનિટ રાહ જોવી પડી હતી, પરંતુ કેટલાક લોકો તો કલાક સુધી અટવાઇ ગયા હતા.

કેટલાક પર્વતારોહકો શેરપા ભોમિયાઓ પર જ આધાર રાખતા હતા. સરકારે પર્વતારોહણ માટે કેટલાક નિયમો બનાવવા જોઇએ અને ફક્ત કુશળ તાલીમ પામેલા પર્વતારોહકોને જ પરમિટ આપવી જોઇએ. આ વર્ષે હિમાલયના અન્ય શિખર પર નવ પર્વતારોહકનાં મૃત્યુ થયાં છે અને એક જણ ગુમ થયો છે.

નેપાળ માઉન્ટેનિયરિંગ એસોસિયેશનના જનરલ સેક્રેટરીએ જણાવ્યું હતું કે ઍવરેસ્ટ પર આ વર્ષે જરૂર કરતા વધારે ભીડ હતી.

અત્યાર સુધીમાં 11 પર્વતારોહકના મૃત્યુ થયા છે. મોટા ભાગના લોકો ઊંચાઇને કારણે થતી બીમારીનો ભોગ બન્યા હતા, જેમાં એ લોકોને માથાનો દુખાવો, ઊલટી, શ્ર્વાસ લેવામાં તકલીફ અને માનસિક સંતુલનમાં તકલીફ જેવી સમસ્યા થઇ હતી.

એક સમયે આ શિખર ઇલાઇટ પર્વતારોહકો માટે જ ઍવરેસ્ટ આરોહણના દ્વાર ખુલ્લા હતા. હવે તો પર્વતારોહણ એક મનપસંદ વ્યવસાય બની ગયો છે અને પર્વતારોહણને લગતા ખર્ચમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.

ઍવરેસ્ટ પર 8000 મીટરની ઊંચાઇથી 8,850 મીટરના શિખર સુધીનો રસ્તો ‘ડેથ ઝોન’ તરીકે ઓળખાય છે. ત્યાંનું વાતાવરણ એટલું વિષમ હોય છે કે કોઇ પર્વતારોહકનું અહીં મૃત્યુ થાય તો તેને નીચેના કૅમ્પ સુધી લઇ આવવાના પણ કોઇના હોશ નથી હોતા.

‘અહીં એક એક મિનિટ કીમતી હોય છે,’

એમ ત્રીજી વાર ઍવરેસ્ટનું સફળ આરોહણ કરી ચૂકેલા એક પર્વતારોહકે જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે સામાન્યપણે જે ચઢાણ માટે બાર કલાક લાગે એમાં આ વખતે 17 કલાક લાગ્યા હતા કારણ કે ઘણાં પર્વતારોહકોને કોઇ અનુભવ જ નહોતો અને તેમને માર્ગદર્શન આપવાવાળું પણ કોઇ નહોતું.

ઍવરેસ્ટ આરોહણની પરમિટ આપવા માટે નેપાળ પાસે કોઇ માર્ગદર્શિકા કે નિયમ જ નથી. કોઇ પણ વ્યક્તિ ડૉક્ટરના સર્ટિફિકેટ પર 11,000 યુએસ ડૉલર ભરી પરમિટ મેળવી શકે છે.

આ વખતે 381 લોકોને પરમિટ આપવામાં આવી અને એટલી જ સંખ્યામાં તેમની સાથે ભોમિયાઓ પણ હતા. તે ઉપરાંત આ વર્ષે ચીને ઍવરેસ્ટ પર સફાઇ અભિયાન આદરી તેમની બાજુના ઍવરેસ્ટ પરથી આરોહણ કરવા માટે લોકોને અપાતી પરમિટમાં ઘટાડો કર્યો હતો.