CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 112 of 142 - CIA Live

July 24, 2019
narmada_dam.jpg
1min10130

સરદાર સરોવર ડેમ કે જે નર્મદા નદી પર બનેલો છે તેની પાણીની સપાટીમાં તોતીંગ વધારો જોવા મળ્યો છે. મળી રહેલ માહિતી પ્રમાણે ઉપરવાસમાંથી 68,023 ક્યુસેક પાણીની આવક થતાં હાલ ડેમની સપાટી 121.96 મીટર પર પહોંચી ગઈ છે.

Sardar Sarovar

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટી વધીને 121 મીટરને પાર કરી જતા ગુજરાતને ભારે હાશકારો વર્તાયો છે.

ભરૂચ નજીક રાજપીપળા ખાતે નર્મદા નદી પર બનેલા સરોવરની પાણીની સપાટીમાં અસાધારણ વધારો નોંધાયો છે. મધ્યપ્રદેશ સ્થિત ડેમના ઉપરવાસના વિસ્તારોમાં પડેલા વરસાદના પાણીને લીધે ડેમમાં 68,023 ક્યુસેક પાણીની આવક શરૂ થઇ હતી.

બુધવારે સવારે નર્મદા ડેમ સરદાર સરોવરમાં પાણીની સપાટી 121.96 મીટર નોંધવામાં આવી છે. છે. હાલ, 24 કલાકમાં 24 સેમીનો વધારો થઈ રહ્યો છે. એક વર્ષ બાદ ડેમના CHPHના 3 પાવર હાઉસ ચાલુ કરવામાં આવ્યા છે. 24 કલાકમાં 1,12,357 પાવર ઉત્તપન્ન થયું.


સરદાર સરોવર ડેમમાં અત્યારે 1690 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે.

ગુજરાતમાં સિંચાઇ માટે પણ કેનલમાં પાણીનો વધારો કરવામાં આવ્યો છે. તા.23મી જુલાઇથી કેનાલમાં 12,872 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. દરવાજા સુધી પાણી પહોંચ્યું છે, જ્યારે 121.92 મીટર સુધી સીમેન્ટ કોન્ક્રીટ છે. તો ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.

July 24, 2019
Gandhinagar-Gujarat.jpg
1min5770

,

ચાલુ અઠવાડિયા દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, આ સિવાય રાજ્યના કેટલાક ભાગોમાં છૂટો-છવાયો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યમાં વિવિધ જગ્યાઓ પર વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્રના રાજકોટ, દેવભૂમિ દ્વારકા, અમરેલી, ગીર-સોમનાથ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર અને દીવનો સમાવેશ થાય છે. આ સિવાય મધ્ય ગુજરાતના આણંદ, ખેડા અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી અને ક્ચ્છમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

25, 26 અને 27મી જુલાઈની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના બોટાદ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં છૂટો-છવાયો વરસાદ થશે. જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આકાશ સાફ રહેશે. રાજ્યમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખેડૂતો સારો વરસાદ થાય તેવી મીટ માંડીને બેઠા છે. 26, 27 તારીખોમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો સાથે ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા સહિત અમરેલી, ભાવનગર, કચ્છમાં હળવો વરસાદ થઈ શકે છે. આ તારીખો દરમિયાન કેટલીક જગ્યાઓ પર ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરાઈ છે.

27 તારીખે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહેસાણા અને હિંમતનગરમાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે. આ તારીખ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છની સાથે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં તોફાની વરસાદ વરસવાની સંભાવના છે. અમદાવાદમાં આજે તથા 28મી તારીખે વરસાદ થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

July 24, 2019
bombayrain.jpg
1min4880

માયાનગરી મુંબઇમાં ફરીથી દેમાર વરસાદે જનજીવન ખોરવી નાંખ્યું છે. મધરાતથી શરૂ થયેલો વરસાદ આજે બુધવારે સવારે પણ ચાલુ રહેતા નોકરી, ધંધાર્થે જનારા લોકો અટવાય પડ્યા હતા. મુંબઇની લોકલ ટ્રેન વ્યવહાર પણ અસરગ્રસ્ત બન્યો હતો. ચોમેર ટ્રાફિક જામથી મુંબઇગરાઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા.

મુંબઈમાં ફરી એકવાર વરસાદ શરુ થયો છે અને આગામી સમયમાં પણ વરસાદ રહી શકે છે. મુંબઈના દાદર, હિંદમાતા, ગાંધી માર્કેટ, સાયનમાં ભારે વરસાદના લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. કેટલીક જગ્યાઓ પર રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યાના અહેવાલ સ્થાનિક મીડિયા રિપોર્ટ્સમાં કહેવાઈ રહ્યું છે. જ્યારે સાયન પાસે રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે. આ સાથે રાયગઢ અને રત્નાગીરીમાં પણ સારો વરસાદ થયો છે. આજે અને આવતીકાલે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.

July 23, 2019
junagadh_mc.png
1min7310

સવારે 11 સુધી ભાજપ બહુમતિ, કોંગ્રેસ માંડ માંડ એક બેઠક જીતી – ફટાકડા ફોડી ભાજપે જશ્ન મનાવ્યો

જુનાગઢ મનપાને ભાજપે ફરીથી કબજે કરી લીધી છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરીમાં ભાજપે કુલ 59 બેઠકમાંથી 54 પર જીત મેળવી છે.

જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની 59 બેઠકો ચૂંટણીમાં માટે મતગણતરી સાડા બાર વાગ્યે અંતિમ પરિણામ જાહેર થયું હતું. જુનાગઢ મનપાના અંતિમ પરિણામ મુજબ 54 બેઠકો પર ભાજપનો વિજય થયો છે.

ભાજપમાંથી એનસીપીમાં ગયેલા પાટીદાર આંદોલનના પૂર્વ નેતા રેશમા પટેલની આગેવાનીમાં એનસીપી 4 બેઠકો પર જીત સાથે બીજો સૌથી મોટો પક્ષ રહ્યો હતો. કોંગ્રેસ માંડ-માંડ એક બેઠક પર ખાતું ખોલાવી શકી હતી.

જૂનાગઢ જિલ્લા પંચાયતની પાંચેય બેઠકો પણ ભાજપે જીતી લીધી છે.

કુતિયાણા તાલુકા પંચાયતની પાંચ બેઠકમાંથી ભાજપ ત્રણ, કોંગ્રેસ બે પર વિજયી

કુતિયાણા તાલુકા પંચાયતની પાંચ બેઠકનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં બે બેઠક પર કોંગ્રેસ અને ત્રણ બેઠક પર ભાજપની જીત થઈ છે. ડેગી, ખાગેશ્રી અને કોટડા બેઠક પર ભાજપનો વિજય થયો છે જ્યારે વિજયદેવડા અને ચૌટા બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે.

July 23, 2019
mumbai_building_collapse.jpg
1min6540

મુંબઈ મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે ૪૯૯ બિલ્ડિંગોને સી-૧ કેટેગરીમાં નાખવામાં આવી છે. એનો અર્થ એવો થાય છે કે આ બધી જ બિલ્ડિંગો રહેવા માટે અત્યંત જોખમી છે. આ જોખમી બિલ્ડિંગોમાંથી ફક્ત ૧૪ બિલ્ડિંગોને તોડી પાડવામાં આવી છે અને ૭૦ બિલ્ડિંગોને ખાલી કરાવવામાં આવી છે. બાકી બચેલી ૪૧૫ બિલ્ડિંગોમાં ૩૦,૦૦૦ જેટલા મુંબઈગરાઓ જાનને જોખમે રહે છે. ડોંગરીમાં બિલ્ડિંગ હોનારત થયા બાદ પણ આ લોકો હજી સુધી બિલ્ડિંગો ખાલી કરવા તૈયાર નથી. 

મુંબઈ મહાનગરપાલિકા દ્વારા દરવર્ષે ચોમાસા પહેલાં જોખમી બિલ્ડિંગોની યાદી તૈયાર કરવામાં આવે છે અને આવી બિલ્ડિંગોને આવશ્યકતા મુજબ ખાલી કરાવીને તોડી પાડવાની હોય છે, પરંતુ જે ૪૧૫ બિલ્ડિંગો ખાલી કરાવવામાં નથી આવી એમાંથી કેટલીક બિલ્ડિંગોના રહેવાસીઓ કોર્ટમાં ગયા છે અને અનેક બિલ્ડિંગના રહેવાસીઓ જર્જરિત બિલ્ડિંગ છોડવા માગતા ન હોવાથી તેમને બળપૂર્વક બહાર કાઢવા માટે પોલીસની મદદ માગવામાં આવી છે, જે ન મળી હોવાથી તેને ખાલી કરાવી શકાઈ નથી. 

બિલ્ડિંગમાં રહેવાનું જોખમી હોવા છતાં આવી બિલ્ડિંગોમાં રહેવાસીઓ કેમ રહે છે એ બાબતે તપાસ કરવામાં આવતાં જાણવા મળ્યું હતું કે મોટા ભાગના રહેવાસીઓ સરકાર અને વહીવટી તંત્ર પર ભરોસો ન હોવાને કારણે બિલ્ડિંગો ખાલી કરતા નથી, કેમ કે એક વખત બિલ્ડિંગ ખાલી કરવામાં આવે પછી પાછું ઘર મળવાની કોઈ ગેરેન્ટી નથી હોતી. બીજી તરફ બિલ્ડિંગ ખાલી કરતી વખતે જે ટ્રાન્ઝિટ કૅમ્પમાં રહેવાસીઓને મોકલવામાં આવે છે ત્યાં પાણી અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ હોય છે અને માનવી વસવાટ ન કરી શકે એવી સ્થિતિ હોવાથી લોકો બિલ્ડિંગો ખાલી કરતાં નથી. 

મુંબઈ જેવા સમુદ્રકિનારાની નજીક આવેલાં શહેરોમાં બિલ્ડિંગની લાઈફ લાંબી નથી હોતી. મુંબઈ મહાનગરપાલિકા દ્વારા દરેક બિલ્ડિંગની લાઈફ ૩૦ વર્ષની ગણવામાં આવે છે. ચોમાસાપૂર્વે ૩૦ વર્ષથી વધુ જૂની બધી જ બિલ્ડિંગની તપાસ કરવામાં આવે છે અને સર્વેક્ષણને આધારે તેમને સ્ટ્રક્ચરલ ઓડિટ કરાવવાની અને અહેવાલ બીએમસીને રજૂ કરવાની સલાહ આપવામાં આવે છે. જર્જરિત બિલ્ડિંગના લાઈટ અને પાણી કાપી નાખ્યા બાદ પોલીસને બિલ્ડિંગ ખાલી કરાવવા માટે પત્ર લખવામાં આવે છે અને બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવે છે, એમ મુંબઈ સમાચારને જણાવતાં મુંબઈ મનપાના એક સિનિયર અધિકારીએ ઉમેર્યંુ હતું કે ઘણી વખત રહેવાસીઓ કોર્ટમાં જઈને સ્ટે લાવતા હોવાથી બિલ્ડિંગો ખાલી કરાવી શકાતી નથી. રિડેવલપમેન્ટમાં રહેલી શંકા બિલ્ડિંગ ખાલી ન કરવા માટે મુખ્યત્વે જવાબદાર હોય છે. ભાડૂતો અને મકાનમાલિકો વચ્ચે રિડેવલપમેન્ટના કામમાં વિલંબ થતો હોવાથી આવી શંકા-કુશંકા રહેવાસીઓના મનમાં આવતી હોય છે.

બીજી તરફ મુંબઈમનપાના કમિશનરે કહ્યું હતું કે મ્હાડા જેવી સંસ્થાને સાથે લઈને મુંબઈની જર્જરિત ઈમારતોના રહેવાસીઓનું પુનર્વસન કરવા માટેની યોજના ઘડી કાઢવામાં આવશે. 

નિષ્ણાતોના મતે જર્જરિત બિલ્ડિંગોની સમસ્યાનું નિવારણ કરવા માટે સરકારે પણ નવો દૃષ્ટિકોણ અપનાવવાની આવશ્યકતા છે. એડવોકેટ વિનોદ સંપટે મુંબઈ સમાચારને કહ્યું હતું કે જર્જરિત બિલ્ડિંગની સમસ્યા માટે ભાડૂતો અને મકાનમાલિક બંને સરખા જવાબદાર છે. જો નિયમિત રીતે બિલ્ડિંગનું સમારકામ કરવા પર ધ્યાન આપવામાં આવે તો કોઈ બિલ્ડિંગ અચાનક તૂટી ન પડે. જેટલું ધ્યાન લોકો પોતાના ઘરની અંદરની જાળવણી માટે આપતાં હોય છે એટલું આખી બિલ્ડિંગની જાળવણી માટે આપે તો તેની લાઈફ ઘણી વધી શકે. બીજું લોકો એક વખત ઘર ખરીદે કે ભાડે રહેવા જાય કે એવું માની લે છે કે આખી જિંદગી માટે આ ઘર તેમનું થઈ ગયું છે. લોકોએ સમજવું જોઈએ કે બિલ્ડિંગની લાઈફ ૫૦ વર્ષથી વધુ નથી હોતી. સરકારે પણ એવો કાયદો કરવો ૫૦-૬૦ વર્ષ બાદ બિલ્ડિંગને તોડી પાડવી, જેથી આગામી સમયમાં મુંબઈમાં આવી હોનારતો ન થાય.

————————

૧૪,૦૦૦ સેસ્ડ બિલ્ડિંગોના રિડેવલપમેન્ટ માટે આવશે વટહુકમ?

મુંબઈમાં ગયા અઠવાડિયે ડોંગરીમાં એક બિલ્ડિંગ તૂટી પડ્યા બાદ મહારાષ્ટ્ર સરકાર અચાનક સેસ્ડ બિલ્ડિંગોની સમસ્યા બાબતે ગંભીર થઈ છે અને શહેરની ૧૪,૦૦૦ જેટલી સેસ્ડ બિલ્ડિંગોના રિડેવલપમેન્ટ માટે એક વટહુકમ કાઢવાની તૈયારી કરી રહી છે. રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલી આઠ સભ્યોની સમિતિએ શહેરની બિલ્ડિંગોના રિડેવલપમેન્ટ અને ક્લસ્ટર ડેવલપમેન્ટ સંબંધી નિયમોનો અભ્યાસ કર્યો હતો અને રાજ્યની ૧૪,૦૦૦ સેસ્ડ બિલ્ડિંગોનું રિડેવલપમેન્ટ કેવી રીતે કરી શકાય એના પરનો અહેવાલ તૈયાર કરીને રાજ્ય સરકારને સોંપ્યો હતો. સરકારે અત્યારે સેલ્ફ રિડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવાનું વિચાર્યું છે, પરંતુ આ યોજનાને યોગ્ય પ્રતિસાદ ન મળે તો આ મુદ્દે વટહુકમ કાઢીને બધી બિલ્ડિંગોનું રિડેવલપમેન્ટ મ્હાડાને સોંપી દેવાનો વિચાર ચાલી રહ્યો છે. 

July 17, 2019
vande_bharat_express.jpg
1min6470
હાલ દિલ્હી વારાણસી વચ્ચે દોડી રહેલી વંદેભારત ભારતની સેમિ હાઇસ્પીડ ટ્રેન, હવે દિલ્હીથી વૈષ્ણોદેવી વચ્ચે દોડાવાશે, સામાન્ય રીતે સુપરફાસ્ટ ટ્રેન દિલ્હીથી વૈષ્ણોદેવી 12 કલાકમાં પહોંચાડે છે જ્યારે વંદેભારત એક્સપ્રેસ ફક્ત 8 કલાકમાં દિલ્હીથી વૈષ્ણોદેવી પહોંચાડી દેશે

દેશની પહેલી સેમી હાઈસ્પીડ ટ્રેન વંદેભારત એક્સપ્રેસ હવે નવી દિલ્હીથી વૈષ્ણોદેવી વચ્ચે પણ દોડાવવાની તૈયારી ચાલી રહી છે. હાલ આ ટ્રેન દિલ્હીથી વારાણસી વચ્ચે દોડે છે. હાલ દિલ્હીથી વૈષ્ણોદેવી પહોંચવામાં સુપરફાસ્ટ ટ્રેનને 12 કલાકનો સમય લાગે છે. જોકે, વંદેભારત એક્સપ્રેસ આ અંતરને માત્ર 8 કલાકમાં જ પૂરું કરી નાખશે.

આ રુટ પર પેસેન્જરોનો ટ્રાફિક પણ વધારે રહેતો હોવાથી રેલવે બોર્ડ દ્વારા વંદેભારત એક્સપ્રેસ દોડાવવા તેની પસંદગી કરવામાં આવી છે. એક ન્યૂઝ વેબસાઈટના જણાવ્યા અનુસાર, આવતા મહિનાથી જ દોડવા લાગે તેવી શક્યતા છે. શરુઆતમાં આ ટ્રેનને સપ્તાહના ત્રણ દિવસ દોડાવાશે. સોમ, ગુરુ અને શનિવારે આ ટ્રેન દિલ્હીથી વૈષ્ણોદેવી વચ્ચે દોડી શકે છે.

આ ટ્રેન દિલ્હીથી સવારે છ વાગ્યે રવાના થશે, અને બપોરે બે વાગ્યા સુધીમાં કટરા સ્ટેશન પહોંચી જશે. કટરાથી આ ટ્રેન બપોરે ત્રણ વાગ્યે પરત ફરશે, અને રાત્રે 11 વાગ્યા સુધીમાં દિલ્હી પહોંચી જશે. દિલ્હી-કટરા રુટ પર વંદેભારત એક્સપ્રેસને 130 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડાવાઈ શકે છે. આ ટ્રેન અંબાલા, લુધિયાણા અને જમ્મુ તાવી એમ ત્રણ સ્ટેશનોએ સ્ટોપેજ કરશે. દિલ્હીથી કટરા વચ્ચેનું અતંર 630 કિલોમીટર જેટલું થાય છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ વાયા દિલ્હીથી કટરા વૈષ્ણોદેવી જતા હોય છે. આ ટ્રેન શરુ થઈ જાય ત્યારબાદ તેમને ખાસ્સી સગવડ મળી રહેશે. કટરા સ્ટેશનથી વૈષ્ણોદેવી મંદિર 18 કિલોમીટર જેટલું દૂર છે. અગાઉ ટ્રેનો જમ્મુતાવી સુધી જ જતી હતી, જોકે થોડા સમય પહેલા જ કટરા સુધી રેલવે ટ્રેક નખાયો છે.

July 17, 2019
jadhav_pakistan-1.jpeg
1min5650

આંતરરાષ્ટ્રીય કોર્ટ ઓફ જસ્ટિસ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવની ફાંસીની સજા પર પ્રતિબંધ લગાવી દીધો છે, આંતર રાષ્ટ્રીય કોર્ટમાં આ સાથે જ ભારતની બહુ મોટી જીત દર્જ થવા પામી છે.

કુલભુષણ જાધવના મામલે આજે તા.17મી જુલાઇ 2019ના રોજ આંતર રાષ્ટ્રીય કોર્ટે પોતાનો નિર્ણય આપ્યો હતો. ભારતના કટ્ટર હરીફ પાકિસ્તાને ભારતીય કુલભુષણ જાધવને મૃત્યુદંડની સજા આપી હતી.

જાધવ ભારતીય નેવીના રિટાયર્ડ અધિકારી છે. તેમને પાકિસ્તાનની સેના કોર્ટે જાસૂસી અને આતંકવાદના આરોપમાં એપ્રિલ 2017માં મોતની સજા સંભળાવી હતી. સાઉથ એશિયા તરફથી આઇસીજેમાં લીગલ એડવાઇઝર તરીકે કામ કરતા રીમા ઓમરે ટ્વીટ કરીને ચૂકાદા વિશે માહિતી આપી હતી.

આજે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જાધવનો ફેંસલો

પાકિસ્તાનમાં જાસૂસીનાં આરોપસર કેદ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ સંબંધિત કેસમાં આંતરરાષ્ટ્રીય અદાલત (આઈસીજે) આજે તા.17મી જુલાઇ 2019ના રોજ પોતાનો ફેંસલો આપશે.
દબાણથી મેળવવામાં આવેલા એક કબૂલાતનામાનાં આધારે પાકિસ્તાનની સૈન્ય અદાલતે તેને મોતની સજા ફટકારી દીધી છે. જેની સામે ભારતે આઈસીજેમાં પડકાર ફેંક્યો હતો. પાક. સૈન્ય અદાલતે એપ્રિલ 2017માં બંધ બારણે કરેલી સુનાવણી પછી જાસૂસી અને આતંકવાદનાં આરોપમાં ભારતીય નૌસેનાનાં પૂર્વ અધિકારી જાધવને મૃત્યુદંડ જાહેર કરી દીધો હતો.
જેની સામે ભારતે આક્રમક વલણ અખત્યાર કર્યુ હતું. આઈસીજેનાં એક નિવેદન અનુસાર ધ હેગનાં પીસ પેલેસમાં 17મી જુલાઈએ ભારતીય સમયાનુસાર સાંજે સાડા છ કલાકે સાર્વજનિક સુનાવણી હાથ ધરવામાં આવશે. જેમાં પ્રમુખ ન્યાયાધિશ અબ્દુલકાવી અહમદ યૂસુફ ચુકાદો સંભળાવશે.
પાકિસ્તાની વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે ગત સપ્તાહે જ કહ્યું હતું કે, તેનો દેશ જાધવ અંગે આઈસીજેનાં ચુકાદાનું કોઈ પૂર્વાનુમાન લગાવી શકે નહીં. જો કે પાકિસ્તાને અદાલતમાં પોતાનો પક્ષ મજબૂત રીતે રજૂ કર્યો હોવાનું પણ તેમણે કહ્યું હતું. ભારતીય જાધવ સુધી રાજદ્વારી પહોંચનો પાકિસ્તાને વારંવાર ઈનકાર કર્યા બાદ વિયેના સંધિનાં છડેચોક ઉલ્લંઘન મુદ્દે ભારત આઈસીજેનાં દ્વારે પહોંચ્યું હતું. જેમાં આઈસીજેએ જાધવનાં મૃત્યુદંડની અમલવારી સામે રોક પણ લગાવી દીધી હતી.

July 17, 2019
rai1.jpg
1min5070

એક તરફ અડધું ગુજરાત વરસાદની કાગડોળે વાટ જોઈ રહ્યું તો બીજીબાજુ દેશનાં અનેક રાજ્યોમાં ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ દેખાઈ રહ્યું છે. ખાસ કરીને બિહાર, પૂર્વોત્તરનાં રાજ્યોમાં પૂરની સ્થિતિએ હાહાકાર મચાવી દીધો છે. અત્યાર સુધીમાં 70 લાખ જેટલા લોકો પાણીની રેલમછેલની ચપેટમાં આવી ગયા છે. ધસમસતા પ્રવાહમાં તણાવાથી લઈને વરસાદી દુર્ઘટનાઓમાં અત્યાર સુધીમાં કુલ 40 લોકોનાં પ્રાણ પંખેરુ ઉડી ગયા છે. આ કુદરતી કોપમાં બચાવ અને રાહત માટે એનડીઆરએફ અને એસડીઆરએફનાં દળકટકોને 24 કલાક ખડેપગે રાખવામાં આવેલા છે.
દર વર્ષની માફક આ વખતે પણ ભારે વરસાદ પછી પૂરનાં કારણે બિહારની હાલત કફોડી થઈ છે. પૂરનું તાંડવ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 2પ લોકોનો ભોગ લઈ ચૂક્યું હતું. રાજ્યનાં બાર જિલ્લામાં કુલ મળીને 2પ લાખથી વધુ લોકો પૂરગ્રસ્ત હાલતમાં છે અને મોતિહારી જિલ્લામાં સૌથી વધુ 10 અને અરરિયામાં 9 લોકોનાં મોત થયા છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં મકાનો અને માલઢોરનું પણ પારાવાર નુકસાન થયું છે.
આસામનાં કુલ મળીને 41પ7 ગામોનાં 42.87 લાખ લોકો પૂરથી પ્રભાવિત છે. રાજ્યમાં બ્રહ્મપુત્ર નદીનું જળસ્તર ખતરાની સપાટી પણ વળોટી ગયું છે. તો મિઝોરમમાં ખતલંગતુઈપુરી નદીમાં ભારે ઉફાણથી 32 ગામો કેડબૂડ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અહીં એકાદ હજાર લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે. તો વરસાદી દુર્ઘટનાઓમાં પાંચનાં મોત પણ થયા છે. મેઘાલયમાં છેલ્લા સાત દિવસોથી ધીંગા વરસાદે બે નદીઓને કાંઠા વળોટીને વહેતી કરી દીધી છે. જેના પાણી પશ્ચિમ ગારો હિલ્સ જિલ્લાનાં મેદાની વિસ્તારોમાં ફરી વળ્યા છે. જેનાં હિસાબે દોઢેક લાખ લોકોને તેની માઠી અસરોનો સામનો કરવો પડી રહ્યો છે. તો ત્રિપુરામાં પૂરની સ્થિતિમાંથી થોડી રાહત દેખાઈ રહી છે. બે નદીઓનાં પાણીની સપાટી ઘટવા લાગી છે.

Floods North East
July 17, 2019
gir.jpg
1min10910

રાજ્યમાં સિંહની વસ્તી ગણતરી દર પાંચ વર્ષે કરવામાં આવે છે. તે અન્વયે રાજ્યમાં સિંહોની છેલ્લી વસ્તી ગણતરી મે-2015માં કરવામાં આવેલી જેમાં 109 સિંહ, 201 સિંહણ, 140 સિંહબાળ અને 73 પાઠડા સહિત કુલ 523 સિંહની વસ્તી હતી.

તા. 1-6-2017થી તા. 31-5-2019 સુધીમાં છેલ્લા બે વર્ષમાં અનુક્રમે 52 સિંહ, 74 સિંહણ, 90 સિંહબાળ અને 6 વ.ઓ. એમ કુલ 222 સિંહોના મૃત્યુ થયા છે. આ મૃત્યુ પૈકી 43 સિંહ, 65 સિંહણ, 85 સિંહબાળ અને 6 પાઠડાના કુદરતી અને 9 સિંહ, 9 સિંહણ અને 5 સિંહબાળના અકુદરતી મૃત્યુ નોંધાયા છે.

રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 40 ટકા સિંહોનું કુદરતી-અકુદરતી રીતે મૃત્યુ નોંધાયા છે એવું વિધાનસભાના કોંગે્રસ પક્ષના ઉપ નેતા શૈલેષ પરમારે જણાવ્યું હતું. શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, સિંહ એ ગુજરાતની ઓળખ છે.

સમગ્ર ભારત દેશ અને એશિયા ખંડમાં સિંહ ફક્ત ગુજરાત રાજ્યમાં જ છે ત્યારે ગુજરાતની શાન સમા સિંહોની સુરક્ષાની જવાબદારી રાજ્ય સરકારની છે. છેલ્લી વસ્તી ગણતરી મુજબ રાજ્યમાં સિંહોની કુલ 523ની સંખ્યા સામે 222 સિંહોના મૃત્યુ નોંધાયા છે.

July 17, 2019
airindia-1.jpg
1min5180

ઍર ઇન્ડિયા વિશ્ર્વ પર્યટન દિવસની ઉજવણીરૂપે 27મી સપ્ટેમ્બરથી દિલ્હીથી ટોરન્ટો સુધીની ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરશે.

ઍર ઇન્ડિયાના ચેરમેન અને સીએમડી અશ્ર્વિની લોહાનીએ વધુમાં જણાવ્યું હતું કે આફ્રિકામાં પ્રચૂર શક્યતાઓને ધ્યાનમાં લઇને તેઓ ઑક્ટોબરથી નૈરોબી, કેન્યા સુધીની ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવાની યોજના પણ ઘડી રહ્યા છે.

ઍર ઇન્ડિયાને માથે અંદાજે રૂ. 60,000 કરોડનું દેવું છે અને એના ખાનગીકરણની ચર્ચા ચાલી રહી હોવા છતાં લોહાનીનો જુસ્સો પ્રબળ છે અને તેઓ ઑપરેટિંગ કોસ્ટ શક્ય એટલી ઘટાડીને કંપનીનો નફો વધારવા પ્રયત્ન કરી રહ્યા છે.

લોકોની માગણીને ધ્યાનમાં રાખીને ઑક્ટોબરમાં ભોપાલ-બૅંગલોર ફ્લાઇટ પણ શરૂ કરવામાં આવશે.

આ સાથે દેશના સૌથી સ્વચ્છ શહેર ઇંદોરથી દુબઇની ફ્લાઇટ પણ શરૂ કરવામાં આવશે. અહીંથી ઍર ઇન્ડિયા 162 બેઠકવાળુ એ320 વિમાન સપ્તાહમાં ત્રણ દિવસ સોમવાર, બુધવાર અને શનિવારે ઉપડશે તથા દુબઇથી મંગળવાર, શુક્રવાર અને રવિવારે ઇંદોર આવશે.

આ સિવાય, 10મી ઑક્ટોબરથી કોલકતા, હૈદરાબાદ, કુન્નુર અને કોચીથી નવી ફ્લાઇટો શરૂ કરવામાં આવશે.