ડેવલપમેન્ટ Archives - Page 107 of 142 - CIA Live

August 28, 2019
Gandhinagar-Gujarat.jpg
1min12350

છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના ૪૭ તાલુકાઓમાં નોંધનીય વરસાદ વરસ્યો છે, જેમાં છોટાઉદેપુર તાલુકામાં ૯૩ મિ.મી. એટલે કે ચાર ઈંચ જેટલો અને કવાંટમાં ૮૯ મિ.મી., મોરવા હડફમાં ૭૯ મિ.મી., ગોધરામાં ૭૮ મિ.મી., દાહોદમાં ૭૭ મિ.મી. મળી કુલ ચાર તાલુકાઓમાં ત્રણ ઈંચથી 

વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર તા. ૨૭/૦૮/૨૦૧૯ સવારે ૬.૦૦ કલાક સુધીમાં ખાનપુર તાલુકામાં ૭૨ મિ.મી., ઉમરપાડામાં ૭૦ મિ.મી., ડભોઇમાં ૫૭ મિ.મી., બોડેલીમાં ૫૪ મિ.મી. અને ભીલોડામાં ૫૨ મિ.મી. મળી કુલ પાંચ તાલુકાઓમાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. અન્ય ૩૮ તાલુકાઓમાં એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. આ સાથે રાજ્યનો મોસમનો કુલ સરેરાશ વરસાદ ૯૦.૯૨ ટકા જેટલો નોંધાયો છે. 

રાજ્યમાં થયેલ સાર્વત્રિક વરસાદને પરિણામે આજ સુધીમાં ૨૦૪ જળાશયોમાં હાલ ૩,૯૭,૮૧૭.૪૬ એમ.સી.એફ.ટી. જળસંગ્રહ થયો છે એટલે કે ૭૧.૯૪ ટકા જેટલો જળસંગ્રહ તમામ જળાશયોમાં થઇ ગયો છે. સરદાર સરોવર જળાશયમાં હાલ ૨,૮૧,૨૪૧.૬૦ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહશક્તિના ૮૪.૧૮ ટકા છે. રાજ્યના ૩૦ જળાશયો ૧૦૦ ટકા કે તેથી વધુ ભરાયા છે.

August 26, 2019
magic-1280x1771.jpg
1min11910

રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકે બહાર પાડેલા એક તાજા પરિપત્રમાં તમામ પ્રકારની પ્રાથમિક શાળાઓમાં જાદુગરના ખેલો બતાવવા કે જાદુગરના ખેલ બતાવવા વિદ્યાર્થીઓને લઇ જવા પર પ્રતિબંધ લાદ્યો છે. શાળાઓમાં જાદુના ખેલોના નામે એક મોટો વેપાર પણ ચાલી રહ્યો હતો. વિદ્યાર્થીઓને 30થી 50 ટકા કન્સેશન આપીને આખીને આખી સ્કુલોમાં જાદુના ખેલો બતાવીને રોકડી કરવાનો ધંધો લાખો રૂપિયા રળી આપતો હોય, ગુજરાતમાં અનેક જાદુગરો બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળ્યા હતા. જાદુગરોના શો આમેય ફક્ત શાળાઓ પૂરતા સિમીત બની ચૂક્યા હતા.

સૌરાષ્ટ્રના અમરેલીના એક જાદુગરે શિક્ષણમંત્રીને કરેલી ફરીયાદના અનુસંધાને સમગ્ર રાજ્યમાં શાળાકીય સ્તરે જાદુગર કે જાદુના ખેલો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જાદુગરના ખેલમાં કેટલાક આગ સાથે રમતો, તિક્ષ્ણ હથિયાર સાથેના ખેલો હોઇ, સેફ્ટી સિક્યુરિટીના કોઇ પગલાં લેવાતા નથી તેમજ જાદુના ખેલોથી મનોરંજન સિવાય કશું ઉપલબ્ધ થતું  ન હોવાથી તેના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને બહાર લઈ જઈને પણ જાદુનો ખેલ નહીં બતાવી શકાય

રાજ્યના શિક્ષણ વિભાગે શાળાઓમાં જાદુના ખેલ બતાવવા પર તેમજ જાદુના ખેલ બતાવવા માટે જાદુગરના ટેન્ટ સુધી વિદ્યાર્થીઓને લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે. એક પરિપત્રનો માત્ર સરકારી જ નહીં પરંતુ રાજ્યની ખાનગી શાળાઓમાં પણ અમલ કરવા માટે આદેશ અપાયો કરાયો છે. પ્રાથમિક શિક્ષણ નિયામકે આ અંગે પરિપત્ર બહાર પાડી સૂચના આપી છે.

અમરેલી જિલ્લાના એક જાદુગરે રાજ્યના શિક્ષણમંત્રીને એક પત્ર લખ્યો હતો. જેમાં તેમણે જાદુગરો દ્વારા સ્કૂલનો સમય બગાડી જાદુના ખેલ બતાવતા હોવાની ફરિયાદ કરી હતી. ફરિયાદમાં કહ્યું હતું કે, રાજ્યમાં બિલાડીની ટોપની જેમ ફૂટી નિકળેલા જાદુગરો પોતાના સ્વાર્થ માટે વિદ્યાર્થીઓને જાદુ બતાવી મનોરંજન પૂરું પાડવું છે તેમ જણાવી અધિકારી-કચેરી ખાતે ખોટી વિગતો રજૂ કરી પરિપત્ર કરાવી કાર્યક્રમો યોજતા હોય છે. આવા જાદુગરો શાળાઓમાં બે કલાકનો ખેલ બતાવી સ્કૂલનો અને વિદ્યાર્થીનો શિક્ષણનો અમૂલ્ય સમય બરબાદ કરતા હોય છે.

આ ઉપરાંત ઘણી જગ્યાએ જાદુગરો ખૂલ્લામાં મોટા ટેન્ટ બાંધી જાદુના ખેલ બતાવતા હોય છે. ત્યાં તાલુકા શિક્ષણને લગતા સ્થાનિક અધિકારીઓ પાસેથી ખોટી વિગતોના આધારે મંજૂરી લઈ વિદ્યાર્થીઓને માલવાહક વાહનોમાં ખૂલ્લામાં શાળામાંથી જાદુના સ્થળ સુધી જીવના જોખમે લાવી જાદુ બતાવતા હોય છે. આવા સ્થળો સુધી પહોંચવા માટે જાદુગર દ્વારા ટ્રેક્ટર અથવા તો ખૂલ્લા ટેમ્પોમાં વિદ્યાર્થીઓને ઘેટાં-બકરાંની જેમ ભરીને લાવવામાં આવે છે. ઉપરાંત જાદુના સ્થળ પર પણ સુરક્ષાની કોઈ સુવિધા હોતી નથી. ટેન્ટ પણ કપડાનું હોય છે અને આગ જેવી ઘટનામાં વિદ્યાર્થીઓના જીવનું જોખમ રહેલું હોય છે.

જાદુનો ખેલ બતાવવા માટે સ્કૂલમાં આવતા જાદુગર ખોટી રજૂઆતો કરતા હોય છે. જેમાં તેઓ વિદ્યાર્થીઓના શો દ્વારા આવેલા પૈસા ગાયોના ઘાસચારા માટે અથવા તો અનાથ આશ્રમમાં અપાશે તેમ જણાવતા હોય છે. ત્યારબાદ તેઓ બે કલાકના જાદુના શો માટે વિદ્યાર્થીઓ પાસેથી રૂ. ૩૦થી ૫૦ સુધી પડાવતા હોય છે. આ પૈસા આવ્યા બાદ જાદુગરો પોતાના હિત માટે જ આ રૂપિયાનો ઉપયોગ કરતા હોય છે. આમ, જાદુગરો અધિકારીઓ સમક્ષ પણ ઈમોશનલ રજૂઆતો કરી તેમને ભોળવી મંજૂરી લેતા હોય છે.

August 26, 2019
Gandhinagar-Gujarat.jpg
1min5440

રાજ્યમાં વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી હવામાન ખાતાએ કરી છે. તા.25 રવિવારથી લઇને આવનારા પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં ઉપરોક્ત સ્થળે તથા તા.26 અને 17 ઓગસ્ટે રાજ્યના અનેક પ્રાંતમાં ભારે વરસાદ વરસી શકે છે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઉત્તર પૂર્વ અરેબિયન સમુદ્ર અને તેને સંલગ્ન સૌરાષ્ટ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયુ છે. જેના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે.

હવામાન ખાતાની આગાહી મુજબ 26-27 ઓગસ્ટે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત 26મીએ’ સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, વડોદરા, પંચમહાલ, દાહોદ, નર્મદા, ભરૂચમાં વરસાદની આગાહી છે. જ્યારે 27 ઓગસ્ટે અરવલ્લી, દાહોદ, મહીસાગર, પાટણ, બનાસકાંઠા, વડોદરા, પંચમહાલ, નર્મદા, ભરૂચ, સુરત જિલ્લામાં વરસાદની આગાહી છે.

28 ઓગસ્ટે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, મોરબી, ભાવનગર, ગીર સોમનાથમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે.

August 24, 2019
nirmala.jpg
1min5100

અર્થતંત્રમાં વ્યાપી રહેલી મંદીને દૂર કરવા માટે મુખ્ય આર્થિક સલાહકારે ગઇકાલે પેકેજ આપવાની ના ભણ્યા બાદ આજે નાણાપ્રધાન નિર્મલા સીતારામને થોકબંધ રાહતલક્ષી જાહેરાત કરી હતી. સરકારે ઉદ્દીપક પેકેજ નથી આપ્યું પરંતુ ટેક્સમાં સુધારાની અનેક જાહેરાતો કરતા હવે રાહત મળવાની આશા બંધાઇ છે.

અસંખ્ય નિર્ણયો કે જે અંદાજપત્રમાં કરવામાં આવ્યા હતા તે પાછા ખેંચવામાં આવ્યા છે. સૌથી મોટાં નિર્ણયમાં નાણાપ્રધાને બેંકોને રૂ. 5 લાખ કરોડ આપીને મૂડીકરણ કરવાની જાહેરાત કરી છે. એમાંથી પ્રથમ તબક્કે રૂ. 70 હજાર કરોડ છૂટ્ટા કરાયા છે. સરકારના આ નિર્ણયથી અર્થતંત્રમાં રોકડની તરલતા વધશે. બેંકો, શેરબજાર અને ઓટો ક્ષેત્રને સૌથી વધારે લાભ મળી શકે તેમ છે.

દેશમાં મંદીની અસર નથી એવું નાણાપ્રધાન સતત કહી રહ્યા હતા પરંતુ આજની આ જાહેરાતો સાથે જ સરકારે પણ મંદી હોવાનું સ્વીકારી લીધું હોવાની છાપ સ્પષ્ટપણે ઉપસી છે.
અંદાજપત્ર પૂર્વે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર ઉપર 15 ટકા સરચાર્જ લાગતો હતો તે 25 ટકા કરાયો હતો. અંદાજપત્રના આ નિર્ણયને નાણાપ્રધાને પાછો ખેંચી લીધો છે.

ટૂંકમાં હવે 15 ટકા જ રહેશે. એ જ રીતે લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ ઉપર સરચાર્જ પણ પાછો ખેંચી લીધો છે. કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સીબીલીટી અર્થાત સીએસઆરના ઉલ્લંઘનને ગુનાહિત કૃત્ય ગણવામાં આવતું હતુ તેને સ્થાને નાગરિક અપરાધ ગણવામાં આવશે. એના ઉપર કોઇ દંડની કાર્યવાહી નહીં થાય.

સ્ટાર્ટ અપ્સ ઉપર એન્જલ ટેક્સની અંદાજપત્રીય જાહેરાત પણ પરત ખેંચાઇ છે. અંદાજપત્રમાં ઉક્ત નિર્ણયોમાં બદલાવ કરાયા પછી શેરબજારમાંથી કરોડો રૂપિયાનું રોકાણ પરત ખેંચાય ગયું હતુ, હવે રોકાણકારો પાછા આવશે. સોમવારે ખૂલતામાં શેરબજારમાં મોટો ઉછાળો આવે એવા સંકેત સ્પષ્ટપણે મળી રહ્યા છે.

નાણાપ્રધાને કહ્યું કે, બેંકોને તત્કાળ રૂ. 70 હજાર કરોડનું પેકેજ આપવામાં આવશે. એનાથી સિસ્ટમમાં ફરીથી નાણાં ફરતા થઇ જશે. બેંકો નાણા લોન સ્વરુપે આપે જરુરીયાતમંદોને આપે તે માટે પણ તાકિદ કરવામાં આવી છે. જીએસટીમાં રહેલી ખામીઓ દૂર કરવા માટે પણ સીતારામને કહયું છે. ટેક્સ તથા મજૂર કાયદામાં સરકાર સતત સુધારા કરી જ રહી છે. સંપતિનું સર્જન કરનારા લોકોનું અમે સન્માન કરીએ છીએ અને કંપનીઓના વિલય તથા અધિગ્રહણની પ્રક્રિયા પણ ઝડપથી અમે કરીશું.

બેંકો દ્વારા રેપોરેટમાં ઘટાડો કરવામા ંઆવે છે પણ બેંકો તે ગ્રાહકો સુધી પહોંચાડતી નથી ત્યારે બેંકોએ આ લાભ પસાર કરવો પડશે એ મતલબની સૂચનાઓ તેમણે આપી હોવાનું કહ્યું હતુ. લોન ક્લોઝરના 15 દિવસમાં સિક્યુરીટી માટે જમા કરાવેલા દસ્તાવેજો ગ્રાહકોને પાછા આપી દેવાના રહેશે.

ઓટો ક્ષેત્રમાં સૌથી વધારે મંદી ચાલી રહી છે ત્યારે એ માટે સીતારામને કહ્યું કે, માર્ચ 2020 સુધી ખરીદવામાં આવતાબીએસ 4 એંજીનવાળા વાહનોને ચલાવવામાં કોઇ પરેશાની આવશે નહીં. નોંધણી ફીમાં વધારો કરવાનો નિર્ણય પણ જૂન 2020 સુધી મોકૂફ રાખવામાં આવ્યો છે તે રાહતકારી છે. ઇલેકટ્રીક વ્હીકલ પર સરકાર જોર આપી રહી છે પણ તેનાથી પરંપરાગત ઇંધણથી ચાલતા વાહનો બંધ થઇ જશે તેવી આશંકા દૂર કરવામાં આવી છે.

તેમણે કહ્યું કે, વૈશ્વિક અર્થતંત્રનો જીડીપી 3.2 ટકા રહેવાની ધારણા છે. વૈશ્વિક માગ ઓછી છે. ચીન અને અમેરિકા જેવા દેશો કરતા ભારતનો જીડીપી ઉંચો છે. અર્થતંત્રમાં મંદી વિસ્તરી ન જાય તે માટે સરકાર કામકાજ કરી રહી છે. ભારત ગ્રોથના ટ્રેક ઉપર જ છે. આર્થિક સુધારા ચાલુ રાખવામાં આવશે.

August 24, 2019
gst.jpg
1min5020

જીએસટીના વાર્ષિક રિટર્ન ભરવાનો સમય પૂરો થવા આડે ફક્ત આઠ દિવસ બાકી રહ્યા છે ત્યારે ગુજરાતમાં હજુ 72.5 ટકા ટેક્સપેયરોએ રિટર્ન ફાઇલ કર્યા નથી ! ગુજરાતમાં 7.7 લાખ ટેક્સપેયર છે, એમાંથી 2.11 લાખ ટેક્સપેયરોએ જીએસટીઆર 9 અને જીએસટીઆર 9સી ભર્યા છે તેમ રાજ્યના વાણિજ્ય કર વિભાગે કહ્યું છે.

ટેક્સ પ્રેક્ટિશનરોનું કહેવું છેકે, વાર્ષિક રિટર્નમાં કેટલીક વિગતો એવી ભરવાની છે કે જેના અંગે ટેક્સપેયરો મુંઝવણમાં મૂકાયેલા છે. એ કારણે રિટર્ન ઓછાં ભરાયા છે. વાર્ષિક ફોર્મને સરળ બનાવવાની અત્યંત જરુર છે. અત્યારના ફોર્મનું ફોર્મેટ જોતાસરકારે વધુ ત્રણ મહિનાનું એક્સટેન્સન આપવું જોઇએ.

ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસીએશનના કહેવા પ્રમાણે એપ્લીકેબલ ટેક્સની વિગતો ભરવા અંગે મુંઝવણ છે. જીએસટીઆર 1માં સપ્લાયમાં કરેલા સુધારા દર્શાવવાના હોય છે. ખરેખર ટેક્સ ભર્યો હોય તે જીએસટીઆર 3(બી)માં દર્શાવવો પડે છે. એ કારણે સુધારો જીએસટીઆર 9માં કેવી રીતે દર્શાવવો તે સ્પષ્ટ થતું નથી. કેન્દ્ર સરકારે 20 ડિસેમ્બર 2018ની ડેડલાઇન 30 જૂન 2019 સુધી લંબાવ્યા પછી 31 ઓગસ્ટ સુધી ફરીથી લંબાવી આવી છે. છતાં હજુ પણ 30 નવેમ્બર સુધીનો સમય આપવા માટે સ માગણી કરી રહ્યા છે.

દેશભરમાં 21.72 ટકા જ સરેરાશ રિટર્ન ભરાયા છે. એમાંથી 27.4 ટકા રિટર્ન ગુજરાતમાં ભરાયા છે. રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા પણ ખૂબ જ ધીમી છે. છતાં ગુજરાતની સ્થિતિ અન્ય રાજ્યોની તુલનાએ સારી છે. ઉત્તરપ્રદેશ, તામિલનાડું તથા મહારાષ્ટ્રમાં રિટર્ન ઘણા જ ઓછાં ભરાયા છે.

જીએસટી રિફંડ માટે વિભાગને મળી 28,741 અરજીઓ ગુજરાત વાણિજ્ય કર વિભાગને રિફંડ માટે અત્યાર સુધીમાં 28,741 અરજીઓ પ્રાપ્ત થઇ છે. એમાં વાણિજ્ય કર વિભાગને રિફંડ માટે અત્યાર સુધીમાં 28,741 અરજીઓ પ્રાપ્ત થઇ છે. એમાંથી 27,526 અરજીઓ રિફંડ માટે મંજૂર થઇ ચૂકી છે. કુલ રૂ. 5,387 કરોડના રિફંડ વિવિધ વેપારીઓએ માંગ્યા છે. એમાંથી રૂ. 4,772 કરોડ ચૂકવવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે.

August 24, 2019
Narmada1.jpg
1min7210

ઉપરવાસમાંથી પાણીની આવકને પગલે સરદાર સરોવરમાં પાણીની સપાટી અભૂતપૂર્વ ૧૩૩ મીટર પાર કરી ગઇ હતી. ૧૩૮.૮૬ મીટરની પૂર્ણ સપાટી સામે નર્મદામાં સપાટી પહેલીવાર ૧૩૩.૩૯ મીટર પર પહોંચી હતી.

સરદાર સરોવરમાં ૯૪૬૦ એમ.સી.એમ. સ્ટોરેજ ક્ષમતા સામે અત્યારે ૭૭૯૦.૨૦ એમ.સી.એમ (૭.૭૯ લાખ કરોડ લિટર) એટલે કે ૮૨.૩૫ ટકા પાણીનો સંગ્રહ થયો છે.સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ડેમની સપાટી ૧૩૩.૩૯ મીટરના ઐતિહાસિક સપાટી પર પહોંચી ગઈ છે. ઉપરવાસમાંથી થતા પાણીની આવકને પગલે નર્મદા ડેમે આ વર્ષે આ ઐતિહાસિક લેવલ મેળવ્યું છે.

હવે ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થતા માત્ર ૫૮૫૪ ક્યુસેક પાણીની આવક થઈ છે. જેની સામે પાણીની જાવક ૬૬૪૧૦ ક્યુસેક છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં ગત વર્ષે વર્તમાન સમયે ૪૩૩૦ એમ.સી.એમ. પાણીનો સંગ્રહ હતો.

ગત વર્ષ કરતાં આ વર્ષે ૩૪૫૯ એમ.સી.એમ. પાણી વધારે છે. ૩૧મી મેના રોજ પાણીનો જથ્થો ૪૯૩૦ એમ.સી.એમ. હતો. અઢી મહિનામાં પાણીના જથ્થામાં ૨૮૫૯ એમ.સી.એમ.નો વધારો થયો છે. જ્યારે રાજ્યના અન્ય જળાશયોમાં ગત વર્ષે વર્તમાન સમયે ૬૫૩૧ એમ.સી.એમ. પાણી હતું એટલે કે ૪૬૪૦ એમ.સી.એમ. પાણી આ વખતે વધારે છે. ગત ૩૧ મેના રોજ ૨૦૪ ડેમમાં ૨૬૭૩ એમ.સી.એમ. પાણી હતું એટલે કે અત્યારે ૮૪૯૮ એમ.સી.એમ.પાણીનો જથ્થો વધારે છે.

August 19, 2019
court.jpg
1min13210

જયેશ બ્રહ્મભટ્ટ

ગુજરાતની જુદી જુદી ડિસ્ટ્રીક્ટ કોર્ટસ મળીને અંદાજે 18 લાખ 21 હજાર જેટલા કેસો પેન્ડીંગ પડ્યા છે. ઇન્સાફની રાહ જોઇ રહેલા કેસોની સંખ્યા પણ કુદકેને ભૂસકે વધી રહી છે. કેન્દ્રીય કાયદા મંત્રીએ રાજ્યસભામાં આપેલા એક પ્રશ્નના જવાબમાંથી આ વિગતો સપાટી પર આવી હતી.

ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય ચૂંટાયેલા નારણ રાઠવાએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં કેન્દ્રીય કાયદામંત્રી રવિશંકર પ્રસાદએ ઉપરોક્ત વિગતો રાજ્યસભામાં રજૂ કરી હતી.

ગુજરાતની કોર્ટસમાં પેંન્ડિંગ કેસોની વધતી સંખ્યા પાછળ અનેક પરીબળો છે, સૌથી મોટું પરિબળ મહેકમ છે, અપૂરતા સ્ટાફને કારણે કોર્ટસમાં કેસોનો ભરાવો થઇ રહ્યો છે.

ગુજરાત હાઇકોર્ટમાં પેન્ડિંગ કેસો અંગેની માહિતી આપતા રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે ગુજરાત હાઇકોર્ટમાં કુલ 1,23,478 કેસો પેન્ડિંગ છે જેમાંથી 3159 કેસો એવા છે જે 15 કે તેથી વધુ વર્ષથી પેન્ડિંગ છે. આ જ પ્રશ્નના ઉત્તરમાં જડ્જોની અપૂરતી સંખ્યાનો પણ પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. જેના જવાબમાં રવિશંકર પ્રસાદે કહ્યું કે છેલ્લા ચાર વર્ષમાં ગુજરાત હાઇકોર્ટમાં કુલ 9 જ્ડજોની નિમણૂંક કરવામાં આવી ચૂકી છે.

આ કારણોથી ગુજરાતની કોર્ટોમાં કેસો પેન્ડિંગ છે

  • availability of adequate number of judges
  • judicial officers
  • supporting court staff and
  • physical infrastructure
  • complexity of facts involved
  • nature of evidence
  • co-operation of stake holders like bar, investigation agencies, witnesses
  • litigants and
  • proper application of rules and procedures.”

ગુજરાતની ડિસ્ટ્રીક્ટ કોર્ટસમાં પેન્ડિંગ કેસો અંગે વિગતવાર માહિતી અનુસાર કુલ 16 લાખ 97 હજાર 830 કેસો પેન્ડિંગ છે તેમાંથી 4,45,643 સિવિલ કેસો છે જ્યારે 12,52,187 ક્રિમિનલ ટાઇપના કેસો પેન્ડિંગ છે.

August 15, 2019
independence-day-dp.jpg
1min16490

જમ્મુ-કાશ્મીરમાંથી 370 અને 35-એ નાબૂદ કર્યા બાદ આજરોજ ગુરુવાર 15 ઓગસ્ટના રોજ સમગ્ર ભારતવર્ષમાં સ્વાતંત્રપર્વની’ પ્રથમ ઉજવણી હર્ષોલ્લાસભેર અને રંગેચંગે થઇ રહી છે. સ્વતંત્રતા પર્વની સાથે ભાઇ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી પણ થઇ રહી છે. એકલા ભારતમાં જ નહીં પણ વિશ્વમાં ખૂણેખૂણે વસતા ભારતીયો બન્ને પર્વોને ધામધૂમપૂર્વક ઉજવી રહ્યા છે.

એ પૂર્વે આતંકવાદી હુમલાની દહેશતના પગલે સુરત, અમદાવાદ સહિત દેશભરમાં હાઇએલર્ટ જાહેર કરાયું હતું. દરિયાકાંઠા અને સરહદી વિસ્તારોમાં સઘન સુરક્ષા ગોઠવવામાં આવી છે’ જ્યારે નર્મદા ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સોમનાથ મંદિર, અંબાજી મંદિર સહિતના યાત્રાધામો તેમજ અમદાવાદના આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટીક એરપોર્ટની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત ગુજરાતમાં તમામ મોટા શહેરોના પ્રવેશના તમામ માર્ગો પર ઠેર ઠેર નાકાબંધી કરીને વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ખાસ તકેદારીના ભાગરૂપે અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.બીજી તરફ કચ્છ સરહદ પર પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જ્યારે કોસ્ટગાર્ડને પણ એલર્ટ રહેવાના આદેશો આપીને દરિયાઈ સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.

August 15, 2019
medical.jpg
1min9290

MBBS ના વિદ્યાર્થીઓ માટે નાયબ મુખ્યપ્રધાન નીતનભાઇ પટેલે મહત્વની જાહેરાત કરતા કહ્યું હતું કે, તબીબી શિક્ષણ મેળવ્યા બાદ ગ્રામ્ય સ્તરે ડોટકરોએ ફરજીયાત ત્રણ વર્ષની સેવાઓ આપવાની થતી હતી તે ઘટાડીને હવેથી એક વર્ષની સેવાઓ ગ્રામ્ય સ્તરે આપવાની રહેશે.

મેડીકલ વિદ્યાર્થીઓએ 5 લાખ રૂ.ના બોન્ડ ઉપરાંત હવેથી 15 રૂ. લાખની વધારાની બેંક ગેરન્ટી 300 રૂ.ના સ્ટેમ્પ પેપર ઉપર અલગથી આપવાની રહેશે. જે વિદ્યાર્થીઓને ડોકટર બન્યા બાદ ગ્રામ્ય સ્તરે એક વર્ષની સેવાઓ ન આપવી હોય તો તેઓએ 20 લાખ રૂપિયા રાજ્ય સરકારની તિજોરીમાં ભરવાના રહેશે. પૈસા ભર્યા બાદ જ ગુજરાતમાં ખાનગી પ્રેકટીસ કરવા માટેનું પ્રમાણપત્ર મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયા દ્વારા આપવામાં આવશે ત્યારબાદ જ તેઓ પ્રેકટીસ કરી શકશે.

તેમણે કહ્યું કે, આ વર્ષે રાજ્યમાં 5360 એમ.બી.બી.એસ.ની બેઠકો ઉપર તથા આયુર્વેદિક પદ્ધતિની તમામ બેઠકોમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. આ નવા નિયમોનો અમલ આ વર્ષથી જ થશે. જે વિદ્યાર્થીઓ હાલ અભ્યાસ કરી રહેલ છે અને જેઓએ 5 લાખના બોન્ડ ભરી દીધા હોય અને આ નવા નિયમોનો લાભ લેવા ઇચ્છતા હોય તેઓને પણ આનો લાભ મળશે. તેઓએ આ વર્ષે 15 લાખની વધારાની બેંક ગેરન્ટી આપવાની રહેશે એટલે લાભ મળતો થઇ જશે.

નીતિનભાઇએ જણાવ્યું હતું કે, સરકારી મેડીકલ કોલેજોમાં એમ.બી.બી.એસ.ના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓએ પ્રવેશ સમયે મેડીકલ કોલેજના ડીનને 20 લાખના બોન્ડ રજુ કરવાના રહેશે. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઇન્ટર્નશીપ સિવાય ફરજીયાત એક વર્ષની ગ્રામ્ય સેવાની બાહેંધરી પણ આપવાની રહેશે. 20 લાખના બોન્ડની સામે 5 લાખની બેંક ગેરન્ટી અથવા મિલકતની ગેરન્ટી આપવાની રહેશે. જેનો સમયગાળો 7 વર્ષનો રહેશે. જરૂર જણાય તો સમયગાળો લંબાવવાનો રહેશે.

બોન્ડ માટે વિદ્યાર્થીએ બેંક ગેરન્ટી તરીકે કોઇપણ રાષ્ટ્રીયકૃત બેંકની અથવા છેલ્લા સતત 3 વર્ષથી 40 કરોડથી વધુ ડીપોઝીટ ધરાવતી રાજ્યની કોઇપણ નાગરિક સહકારી બેંક ગેરન્ટી આપવાની રહેશે. જે વિદ્યાર્થીઓ અતિ ગરીબ હોય અને તેના મા-બાપ કે પરિવાર પાસે કોઇ મિલકત ન હોય કે બેંક ગેરન્ટીની ક્ષમતા ન હોય તેવા વિદ્યાર્થીને ખાસ કિસ્સામાં નિયત બેંક ગેરન્ટી અથવા મિલકત બેંક ગેરન્ટીમાંથી મુક્તિ મળી રહેશે. જે અંગેની તમામ સત્તા રાજ્ય સરકાર હસ્તક રહેશે.

આવા વિદ્યાર્થીઓ રૂા.20 લાખના બોન્ડની બાંયધરી 300ના નોટરાઇઝડ’ સ્ટેમ્પ પેપર ઉપર આપવાની રહેશે.

ઓલ ઇન્ડીયાના ક્વોટાની બેઠકો’ પર પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને આ જોગવાઇઓ લાગુ પડશે નહીં તથા અગાઉ જે વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે તેમને પ્રવર્તમાન બોન્ડની પોલીસી મુજબ 3 વર્ષની ગ્રામીણ સેવાઓ બજાવવાની જોગવાઇઓનો વિકલ્પ આપવાનો રહેશે.

August 14, 2019
sunny.jpg
1min18770
ગુગલ એનાલિટીક્સએ જાહેર કરેલા આંકડાઓ મુજબ ભારતીયો ગુગલ સર્ચ એન્જિન પર સૌથી વધુ જો કોઇને સર્ચ કરતા હોય તો એ એક વખતની પોર્ન સ્ટાર અને બાદમાં બોલિવુડની એક્ટ્રેસ બનેલી સન્ની લિયોની છે. સન્ની લિયોનીએ ગુગલ સર્ચમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સલમાન ખાનને પણ પાછળ પાડી દીધા છે.

ગુગલ એનાલિટીક્સએ જારી કરેલા રસપ્રદ આંકડાઓ મુજબ ગુગલ સર્ચ પર ભારતીયો જો સૌથી વધુ સર્ચ કોઇને કરતા હોય તો એ છેલ્લા એક વર્ષમાં સન્ની લિયોની છે. સન્ની લિયોની અને તેના વિડીયો માટે ભારતીયોએ કરોડો વખત ગુગલ સર્ચ કર્યું છે.

ગૂગલ ટ્રેડ એનાલિટિક્સ અનુસાર સન્ની સાથે જોડાયેલા મોટાભાગના સર્ચ વીડિયો સંબંધના છે. આ ઉપરાંત તેની બાયોપિક સિરિઝ પણ લોકો શોધી રહયા છે. સન્ની વિશે વધુ સર્ચ પૂર્વોત્તરના રાજય મણિપુર અને આસામમાંથી થાય છે. ટોચ પર બની રહેવા પર સન્ની લિયોનીએ કહયું હું આ સફળતાનો શ્રેય મારા ચાહકોને આપું છું. ગયા વર્ષ સૌથી વધુ સર્ચ થનારી હસ્તીઓની સૂચિમાં સન્ની લિયોની ન હતી. જયારે 2017માં મોસ્ટ સચર્ડ પર્સન હતી.

આશ્ચર્યની વાત એ છે કે ગુગલ સર્ચ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બીજા નંબરે આવે છે અને સલમાન ખાન ત્રીજા નંબરે છે ભારતીયોના સર્ચ લિસ્ટ પર.

ઓગસ્ટ 2019માં પૂરા થતા ચાલુ કેલેન્ડર વર્ષના અત્યાર સુધીના સમયગાળામાં ઇન્ડીયન સર્ચમાં પ્રથમ પાંચમાં ત્રણ સ્થાનો પર બોલીવુડની એક્ટ્રેસ છે, ટોપ ફાઇવમાં બીજા ક્રમે નરેન્દ્ર મોદી અને ત્રીજા ક્રમે સલમાન ખાન છે.

ઇન્ડિયા ગૂગલ સર્ચમાં આ વર્ષે ઓગસ્ટના પહેલા સપ્તાહ સુધી સૌથી વધુ સર્ચ થનાર જાણીતી હસ્તીઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન અને શાહરૂખ ખાનને પાછળ રાખીને બોલ્ડ હિરોઇન સન્ની લિયોની ટોચ સ્થાને છે.