CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 103 of 142 - CIA Live

October 19, 2019
cotton.jpg
1min4920

સારાં વરસાદથી કપાસનું બમ્પર ઉત્પાદન થવાનું છે. સતત વરસાદથી પાકને નુક્સાનીની ખબરો વચ્ચે નવી આવક પણ પુરજોશમાં શરું થઇ ગઇ છે. જોકે મબલક આવકને લીધે કપાસના પોસાણક્ષમ ભાવ મળશે કે કેમ એ સવાલ ખેડૂતોને ફરીથી પરેશાન કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં નવા કપાસની આવક દોઢથી પોણા બે લાખ મણ રોજીદી થવા લાગી છે પણ એમાંથી ફક્ત 10-15 ટકા કપાસ જ ટેકાના ભાવની નજીક વેંચાય છે. મોટાંભાગના ખેડૂતો ટેકાનો ભાવ મેળવવા તરસી રહ્યા છે.

સૌરાષ્ટ્રમાં દોઢથી પોણા બે લાખ મણની આવક પણ દસ-પંદર ટકા કપાસ જ ટેકાના ભાવથી વેચાય છે

સીસીઆઇની ગુણવત્તા પ્રમાણેનો કપાસ બજારમાં આવતા દિવાળી પછી ખરીદી શરું થવાની શક્યતા છે. વેપારીઓ કહે છે, નબળા કપાસની આવકો વધારે આવે છે એ કારણે ટેકા કરતા નીચો ભાવ બોલાય છે. દિવાળી પછી સારો લંબતારી કપાસ આવશે તો ભાવ ઉંચો મળશે.

ખેડૂતો કહે છે કે કપાસનો સરકારી ટેકાનો ભાવ રૂ.1110 છે. જોકે બહુ ઓછાં ખેડૂતોને કપાસનો પૂરો ભાવ પ્રાપ્ત થાય છે. વરસાદથી પલળેલા કપાસની આવક દસેક દિવસ સુધી થતી હતી પણ હવે સારી ગુણવત્તાનો સૂકો કપાસ આવવા લાગ્યો છે છતાં પુરવઠાના કારણે ભાવ મળવો’ મુશ્કેલ છે. કપાસનો ભાવ સૌરાષ્ટ્રમાં સરેરાશ મણ દીઠ રુ.960-1121 વચ્ચે બોલાય છે. જોકે રુ. 1110 ઉપર 10-15 ટકા માલ જ વેચાય છે એવું કપાસના બ્રોકરો કહી રહ્યા છે.

સૌરાષ્ટ્રમાં સૌથી વધારે પ્રમાણમાં કપાસની આવક હળવદ, બોટાદ, અમરેલી, સાવરકુંડલા અને રાજકોટ સેન્ટરમાં થઇ રહી છે. દિવાળી પૂર્વે ખેડૂતોને નાણાંની આવશ્યકતા છે એટલે ઝડપભેર માલ વેંચી રહ્યા છે. બીજી તરફ જિનીંગ મિલો હજુ 10 ટકા જેટલી જ ખૂલી છે એટલે કપાસની માગ ઘણી ઓછી દેખાય છે. દિવાળી પછી જિનો ખૂલતા કપાસની માગ વધશે. જોકે એ પછી કપાસની આવક પણ વધશે ત્યારે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા સરકાર ખરીદી કરાવે તેવી માગણી પ્રબળ બનશે. સીસીઆઇએ હજુ સુધી ગુજરાતમાં કપાસની ખરીદી માટે કોઇ જાહેરાત કરી નથી.

October 19, 2019
government_gujarat_gandhinagar.jpg
1min5950

મહેસૂલી ભ્રષ્ટાચારીઓ વારસાઇ નોંધના સીધા કામને ટલ્લે ચઢાવી રૂપિયા ઉસેટતા હતા

ગુજરાતમાં તલાટીઓ અને મામલતદાર કચેરીઓ દ્વારા બેફામ ગેરરીતિ આચરાતી હોવાની અનેક ફરિયાદોનો અંત લાવવા વારસાઇ એન્ટ્રીના કેસમાં સરકારે ઓનલાઇન નોંધણીની પ્રક્રિયા શરૂ કરાવી છે. જમીન રેકર્ડઝમાં વારસાઇ નોંધ માટે હવે અરજદારોને મામલતદાર કચેરીની જોહુકમી કે મનસ્વીપણાને સહન કરવા નહીં પડે. વારસાઇ નોંધ માટે ચાલતા ભ્રષ્ટાચારને પણ બ્રેક લાગશે, એમ રાજ્યના મહેસૂલ વિભાગે જણાવ્યું હતું.

મહેસૂલી તંત્ર દ્વારા અમલમાં આવેલા રેવન્યુ ઓનલાઇન રેકોર્ડના સોફટવેરની વિગતો શુક્રવાર તા.18મી ઓક્ટોબર 2019ના રોજ વીડિયો કૉન્ફરન્સમાં આપવામાં આવી હતી.

મહેસૂલ વિભાગ સાથે સંકળાયેલા અધિકારીઓને કંઇ રીતે કામગીરી કરવી તેની સમજણ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી આપવામાં આવી હતી.

અત્યાર સુધી વારસાઇ દાખલ કરવા માટે શું ચાલતું હતું

મહેસુલી તંત્ર દ્વારા અત્યાર સુધી પહેલા દસ્તાવેજોની ચકાસણી કરીને નોંધ પાડવામાં આવતી હતી. વારસાઇ દાખલ કરવાની પ્રક્રિયામાં ખાસ્સો સમય લાગી જતો, મોટા ભાગના કિસ્સામાં ઇરાદાપૂર્વક વિલંબ કરવામાં આવતો હતો કે જેથી અરજદારો પાસેથી કામ જલ્દી કરી આપવાના બદલામાં વહેવાર પડાવી શકાય. વારસાઇ પ્રક્રિયા સીધી સટ હોવા છતાં ભ્રષ્ટ અધિકારીઓ, કર્મચારીઓએ વારસાઇના કેસોને કોમ્પ્લિકેટેડ બનાવી દીધા હતા. ઘણાં કિસ્સામાં તો ભ્રષ્ટાચારીઓએ વાંધા અરજીઓ કરાવડાવીને મામલા ઘોંચમાં નાંખ્યાના પણ કિસ્સાઓ છાપરે ચઢીને પોકાર્યા હતા.

વારસાઇમાં હવે શું થશે

હવે અરજદારોએ જાતે જ ઓનલાઇન વારસાઇ એન્ટ્રી પાડી દેવાની રહેશે અને ત્યારબાદ તેને પ્રમાણિત કરવા માટે પુરાવાઓ સંબંધિત કચેરીએ સબમિટ કરવાના રહેશે. આ પુરાવાઓને આધારે ચકાસણી કરીને નોંધ પાડી દેવામાં આવશે. અરજદારો માટે સરળતા એ રહેશે કે તેમની મિલકત, જમીનોના સત્તાવાર લેન્ડ રેકોર્ડઝમાં વારસાઇની એન્ટ્રી પડી ગઇ હશે. બાદમાં દસ્તાવેજી પુરાવાઓ સંબંધિત કચેરીમાં સબમિટ કરાવ્યા બાદ જે તે મહેસૂલી અધિકારીઓએ તેને પ્રમાણિત જ કરવાની રહેશે. જરૂરી પુરાવા રજૂ થયેલા હશે તો કોઇ પણ એન્ટ્રીને રદ નહીં કરી શકાય.

October 17, 2019
gujarat_map-1280x1023.png
1min6350

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 20 ઓક્ટોબરે લેવાનારી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવતા દસ લાખથી પણ વધુ ઉમેદવારોમાં વિરોધનો સૂર ઉઠયો હતો જેની સામે આખરે સરકાર ઝૂકી છે અને વિદ્યાર્થીઓની જીત થઇ છે.

રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલે તા.16મી ઓક્ટોબર 2019ના રોજ જાહેર કર્યુ હતું કે, બિનસચિવાલય સંવર્ગની રદ થયેલી પરીક્ષા આગામી 17મી નવેમ્બર, 2019ના રોજ યોજાશે.

આ પરીક્ષા માટે અગાઉ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું એ તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે. સૌથી મહત્વની વાત એ પણ કરી કે ધોરણ 12 પાસ’ અને સ્નાતક કક્ષાના તમામ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાની ઉપસ્થિતિમાં નીતિનભાઇ પટેલે ઉમેર્યુ હતું કે, સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ગ્રેજ્યુએશનનું નોટીફિકેશન બહાર પડી ગયું હોવા છતાંય 10 લાખથી વધુ યુવાનોએ આ પરીક્ષાની તૈયારી કરી હતી, તેને ધ્યાને લઇને યુવાનોના હિતમાં આ નિર્ણય કરાયો છે.’ આ પરીક્ષા માટે અગાઉની પ્રોસેસ યથાવત રખાશે.

આ પરીક્ષા અગાઉ જાહેર કરેલ રાજ્યના 3,171 જેટલા પરીક્ષા કેન્દ્રો પર લેવાશે.’ કોઇપણ વિદ્યાર્થીનું પરીક્ષા કેન્દ્ર નહીં બદલાય અને વિદ્યાર્થીઓએ બિનસચિવાલયની પરીક્ષા માટેનવું ફોર્મ ભરવાની જરૂર નથી અને ઉમેદવારોએ ભરેલું જૂનું ફોર્મ જ માન્ય ગણાશે. એટલે કે જે ઉમેદવારોએ પોતાના નામો રજિસ્ટ્રેશન કરાવ્યા છે તે તમામ ઉમેદવારો એજ ફોર્મ અને એજ કોલ લેટર સાથે પરીક્ષા આપી શકશે. પરીક્ષા માટેના કોલ લેટર પણ આજ થી જ વિદ્યાર્થીઓ’ ઓજસની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશે.’

મેરીટના આધારે 3,771 ઉમેદવારોને પસંદ કરવામાં આવશે. તમામ અનામતની જોગવાઇઓ લાગુ કરીને ઉમેદવારોને પસંદ કરવામાં આવશે.

રાજ્યના અનેક વિદ્યાર્થી સંગઠનોની રજૂઆતો બાદ સરકારે બિનસચિવાલયની પરીક્ષા
રદ કરવાનો નિર્ણય મુલત્વી રાખ્યો છે. વાલીઓ અને વિદ્યાર્થીઓની રજૂઆતને પગલે નિર્ણય કરાયો છે કે, ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓ પણ બિન સચિવાલયની પરીક્ષા આપી શકશે.

રાજ્યસરકારના આ નિર્ણયથી વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાયો છે. જો કે માત્ર આ પરીક્ષા પૂરતો ધોરણ 12 પાસની લાયકાતનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે.

ઉમેદવારોને ન્યાય મળે તે માટે આંદોલનકારી પ્રવિણ રામ દ્વારા 19મીએ ગાંધીનગર ખાતે ધરણા કરવાની જાહેરાત કરાઇ હતી. આ ધરણામાં મોટી સંખ્યામાં યુવાનો ઊમટી પડે તેવી શક્યતા હતી. પરંતુ ધરણા પહેલા જ સરકારે પરિક્ષાની જાહેરાત કરી દેતા પ્રવિણ રામ દ્વારા સરકારનો આભાર માનવામાં આવ્યો હતો.

October 16, 2019
ayodhyay3.jpg
1min12170

રાજકીય રીતે સંવેદનશીલ એવા રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદની સુપ્રીમ કોર્ટમાં દૈનિક સુનાવણી આ કેસના 40મા દિવસે તા.16મી ઓક્ટોબરને બુધવારે પૂરી થશે એમ આજે ભારતના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ જણાવ્યું હતું. મૂળભૂત રીતે આ સુનાવણી 17-10-2019એ પૂર્ણ થવાની હતી અને કોર્ટ 17 નવેમ્બરના મુખ્ય ન્યાયાધીશ નિવૃત્ત થાય તે પહેલાં આ કેસનો ચુકાદો જાહેર કરે એવી ધારણા છે.

તા.15મી ઓક્ટોબર 2019ની સુનાવણીમાં અયોધ્યા વિવાદના એક પક્ષકાર ‘રામ લલ્લા વિરાજમાન’ વતી હાજર થયેલા વરિષ્ઠ ધારાશાત્રી કે. પરાશરણે જણાવ્યું હતું કે ભગવાન રામના જન્મસ્થળ તરીકે મનાતા આ સ્થળ માટે સદીઓથી હિન્દુઓ દાવો કરતા આવ્યા છે. તેમણે એવી દલીલ કરી હતી કે મુસ્લિમો ઇચ્છે તે મસ્જિદમાં બંદગી કરી શકે છે. અયોધ્યામાં જ 55થી 60 મસ્જિદો છે, પરંતુ હિન્દુઓ માટે તો આ જ ભગવાન રામનું જન્મસ્થળ છે. અમે તે જન્મસ્થળને બદલી તો ન શકીએ. હિન્દુઓ માટે જન્મસ્થળ છે. મુસ્લિમો માટે ઐતિહાસિક મસ્જિદ છે. મુસ્લિમો માટે તમામ મસ્જિદો એક સરખી છે. અમારે માટે એવું છે કે અમે જન્મસ્થળ બદલી ન શકીએ.’ એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
કોર્ટમાં હળવા અંદાજમાં મુખ્ય ન્યાયાધીશે મુસ્લિમ અરજદારોના વકીલ રાજીવ ધવનને પૂછ્યું’ હતું કે, શું તેમને લાગે છે કે કોર્ટે હિન્દુ પક્ષકારોને પૂરતા સવાલો પૂછયા છે? ‘અમે આ હળવાશથી કહીએ છીએ. બધી વાતોને ગંભીરતાથી લેવી ન જોઈએ’ ચીફ જસ્ટીસ ગોગોઇએ હિંદુ પક્ષને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા અને ત્યારબાદ મુસ્લીમ પક્ષના વકીલને કહ્યું હતું કે ‘લ્યો હવે તમને સંતોષ થયો ને!’ અને ત્યારે કોર્ટમાં ખડખડાટ હાસ્ય ફેલાઈ ગયું હતું. આજે 39મો દિવસ છે. એમ મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું હતું.
સોમવારે સર્વોચ્ચ અદાલતે દશેરાની એક સપ્તાહની રજાઓ બાદ અયોધ્યા કેસની દૈનિક સુનાવણી શરૂ કરી હતી. મુસ્લિમ પક્ષકારોએ એવી દલીલ કરી હતી કે 1989 સુધી હિન્દુઓ દ્વારા અયોધ્યા જમીનની માલિકીનો દાવો કરાયો ન હતો. 1992માં ડિસેમ્બરમાં બાબરી મસ્જિદ તોડી પડાઈ તે પહેલાં તેનું અસ્તિત્વ હોવાથી તેની પુન:સ્થાપનાની આ મુસ્લિમ પક્ષકારોએ માગણી કરી હતી.
દરમિયાન ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યા જિલ્લામાં આઈપીસીની ધારા 144 હેઠળ પ્રતિબંધનાત્મક આદેશ લાગુ પાડયો છે. અયોધ્યા કેસના ચુકાદાને ધ્યાનમાં રાખીને આમ કરવામાં આવ્યું છે.
મધ્યસ્થીની પ્રક્રિયા નિષ્ફળ ગયા બાદ મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે 6 અૉગસ્ટથી દરરોજની સુનાવણી હાથ ધરી હતી.
અયોધ્યાની 2.77 એકર જમીનને ત્રણ પક્ષકારો સુન્ની વકફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામ લલ્લા વચ્ચે સરખે ભાગે વહેંચી દેવાના ચાર સિવિલ દાવાઓમાં 2010ના અલ્હાબાદ હાઈ કોર્ટે આપેલા ચુકાદા સામે સર્વોચ્ચ અદાલતમાં 14 અપીલો કરવામાં આવી હતી.

October 15, 2019
rcep.jpg
4min30650

(ભારતમાં હવે જેની બૂમો ઉઠવાની છે એ વિશે જાણો) RCEP શું છે ? કેમ RCEPથી ભારતમાં ફફડાટ? વાંચો A to Z

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

(સૂરતના જાણીતા સી.એ. શ્રી મિતીશ મોદી સાથે થયેલી વાતચીત તેમજ અન્ય સમાચાર માધ્યમોના અભ્યાસ પરથી તૈયાર કરેલી વાંચન સામગ્રી)

ભારતમાં વિવિધ ચીજવસ્તુઓના ઉત્પાદકોથી લઇને વ્યાપારીઓને ખરી ચિંતા હાલના મંદીના માહોલ કરતા RCEP ની છે. સમગ્ર ભારતના ઉદ્યોગ, ધંધા, વ્યાપાર જગતમાં હાલ એક જ મુદ્દો ચર્ચાસ્પદ છે અને એ છે RCEP.

RCEP એટલે શું

અંગ્રેજીમાં RCEP નું ફુલફોર્મ થાય છે Regional Comprehensive Economic Partnership. Regional Comprehensive Economic Partnership એ પ્રપોઝ્ડ (સૂચિત) કરાર છે જે દુનિયાની અડધી વસતિ ધરાવતા 19 દેશો વચ્ચે થવા જઇ રહ્યો છે. Regional Comprehensive Economic Partnership એ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફ.ટી.એ.) છે. Regional Comprehensive Economic Partnership માં જોડાનારા દેશો વચ્ચે જો આ પાર્ટનરશીપ પર સહીસિક્કા થઇ જાય તો 19 દેશો વચ્ચે કોઇપણ પ્રકારની વ્યાપારીક સીમાઓ નહીં રહે. ગમે તે દેશ ગમે તે દેશમાં ગમે તેટલો માલ સપ્લાય કરી શકે, વ્યાપાર કરી શકે અને એ બિલકુલ ટેક્સ ફ્રી. Regional Comprehensive Economic Partnership અન્વયે કોઇપણ પ્રકારનો ટેક્સ કોઇપણ દેશ લાદી શકશે નહીં કે વસૂલ કરી શકે નહીં તેવી જોગવાઇ Regional Comprehensive Economic Partnership માં કરવામાં આવી છે.

RCEP માં કયા કયા દેશો જોડાઇ રહ્યા છે

RCEP માં દક્ષિણ પૂર્વી એશિયાને દેશો જેવા કે બ્રુનેઇ, કમ્બોડિયા, ઇન્ડોનેશીયા, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, ફિલિપાઇન્સ, સિંગાપોર, થાઇલેન્ડ અને વિએટનામ ઉપરાંત ચીન, જાપાન, ભારત, સાઉથ કોરીયા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડનો સમાવેશ થાય છે. આ દેશો વચ્ચે સંભવત આગામી નવેમ્બર 2019માં સહીસિક્કા થાય તેવી સંભાવનાઓ જોતા ભારતમાં RCEP સામે મોટી જંગ છેડાઇ ચૂકી છે અને એ ત્યાં સુધી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ RCEP નો આખો મુદ્દો હાથ પર લેવો પડ્યો છે. ઉપરોક્ત દેશો વચ્ચે RCEP કરાર થઇ જાય તો ભારતના ઉત્પાદકો અને વ્યાપારીઓને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે એમ છે કેમકે ભારતમાં ઉત્પાદિત ચીજવસ્તુઓની ગુણવત્તા, કિંમત, પડતર વગેરે બીજા દેશોને ટક્કર આપી શકે તેમ નથી. આમ, RCEP ભારતના સમગ્ર માર્કેટને ગળી જાય એવી દહેશત સેવાય રહી છે.

સૌથી મોટી દહેશત ભારતના બજારોમાં ચાઇનીઝ માલના ગંજ ખડકાય જશે

RCEP એગ્રીમેન્ટ થાય તો સૌથી મોટી દહેશત એ છે કે હાલમાં ચીનથી ઇમ્પોર્ટ થતાં માલસામાન પર થોડા ગણા નિયંત્રણો લદાયેલા છે પણ જો RCEP લાગૂ થાય તો પછી ચીનનો માલ ભારતમાં આવતા કોઇ રોકી શકશે નહીં કે તેના પર કોઇ ટેક્સ લાગૂ થશે નહીં. સૌથી મોટી અસર ટેક્સટાઇલ અને ડેરી ઉદ્યોગ પર પડે તેવી શક્યતા છે.

RCEPની વ્યાપક અસર સૂરત પર વર્તાશે

જાણકારો કહે છે કે RCEPની સૌથી મોટી અસર સૂરતના અર્થતંત્ર પર વર્તાવાની શક્યતા છે. હાલમાં આમેય ચાઇનીઝ બનાવટના કાપડ વાયા બાંગ્લાદેશ, શ્રીલંકા થઇને ઇન્ડિયામાં ડમ્પ થઇ રહ્યા છે પણ RCEPના આવ્યા બાદ તો ચાઇનાનો માલ ખુલ્લે આમ ભારતમાં ખડકાશે અને સૂરતમાં ઉત્પાદિત કાપડના વેચાણ સામે મોટું જોખમ ઉભું થાય તેમ છે. એવી જ રીતે ગુજરાતના મોટામાં મોટા ડેરી ઉદ્યોગમાં ગણના પામતી સૂરતની સુમુલ ડેરી પર પણ RCEP ના આગમન બાદ મોટી અસર થવાની શક્યતા છે. RCEPના પાર્ટનર કન્ટ્રીમાં ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે આ બન્ને દેશો દૂધ અને દૂધની બનાવટો ભારતના બજારોમાં બેરોકટોક મોકલશે. સ્વાભાવિક છે કે ભારતની પ્રોડક્ટસ સામે ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયાની પ્રોડેક્ટસની ગુણવત્તા, કોસ્ટ બધી રીતે સારી હોઇ, સ્થાનિક ઉત્પાદકોને મોટી અસર પહોંચે તેવી શક્યતા છે.

ડેરી ઉદ્યોગ પર RCEPની મોટી અસર થશે એ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ પણ સારી રીતે જાણે છે અને છેલ્લા એક વર્ષથી એન.ડી.ડી.બી. RCEP સામે ઝુંબેશ ચલાવી રહી છે.

નવેમ્બર 2019માં RCEP એગ્રીમેન્ટ પર સહીસિક્કા કરવાની મુદત

આગામી નવેમ્બર 2019માં કહેવાય છે કે ભારતે RCEPમાં જોડાવું છે કે નહીં એ નક્કી કરી દેવું પડશે. RCEP 2012માં આકાર પામ્યો હતો એ પછી અનેક વાંધા, સૂચનો વગેરે વચ્ચે ભારત અત્યાર સુધી RCEPથી દૂર રહ્યું છે પરંતુ, હવે RCEP સાથે જોડાયેલા બાકી દેશો ભારત પર આ કરાર અંગે નિર્ણય લેવાનું દબાણ બનાવી રહ્યા છે. પરીણામ ભારતના વડાપ્રધાન શ્રીનરેન્દ્ર મોદીએ RCEP સંબધિત તમામ મુદ્દાઓ હાથ પર લીધા છે.

ઇકોનોમિક ટાઇમ્સનો રિપોર્ટ, લિંક ક્લીક કરીને વાંચો મોદીએ કેમ હાથ પર લેવા પડ્યા આરસેપના મુદ્દાઓ

https://economictimes.indiatimes.com/news/economy/foreign-trade/pm-modi-to-take-a-call-on-all-pending-rcep-issues/articleshow/71589645.cms

સૂરતમાં ચેમ્બર ઓફ કોમર્સે 16મી ઓક્ટોબર 2019ના રોજ મહત્વની મિટીંગ યોજી

સૂરતમાં RCEP અંગે ભવિષ્યની રણનીતિ શું, સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનું સ્ટેન્ડ કેવું રહેશે, કેવી રીતે સરકાર અને કેન્દ્રને સૂરતના ઉદ્યોગોને પડનારી RCEP ની અસરોથી માહિતગાર કરવામાં આવશે એ અંગે હાલમાં શહેરના જાણીતા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ શ્રી મિતિશભાઇ મોદી RCEP ના તમામ પાસાઓની ચકાસણી કરી રહ્યા છે. આ અંગે એક અગત્યની બેઠક તા.16મી ઓક્ટોબર 2019ના રોજ ચેમ્બર ઓફ કોમર્સ ખાતે યોજવામાં આવી છે.

RCEP in Brief

The Regional Comprehensive Economic Partnership (RCEP) is a proposed free trade agreement (FTA) between the ten member states of the Association of Southeast Asian Nations (ASEAN) (Brunei, Cambodia, Indonesia, Laos, Malaysia, Myanmar, the Philippines, Singapore, Thailand, Vietnam) and its six FTA partners (China, Japan, India, South Korea, Australia and New Zealand).

RCEP negotiations were formally launched in November 2012 at the ASEAN Summit in Cambodia

the proposed RCEP would cover almost every aspect of economy such as goods, services, investment, economic and technical cooperation, intellectual property rights (IPR), rules of origin, competition and dispute settlement.

October 15, 2019
trains.jpg
1min5600

ટ્રેનના પ્રવાસીઓ માટે બાંદરા ટર્મિનસથી પાલીતાણા વચ્ચે ૧૬ ઑક્ટોબર, ૨૦૧૯થી જાન્યુઆરી ૨૦૨૦ સુધી સુપરફાસ્ટ વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય પશ્ચિમ રેલવેએ કર્યો છે. આ નિર્ણયના પગલે દિવાળીના સમય દરમ્યાન ગુજરાત અને મહારાષ્ટ્રના પ્રવાસીઓની સુવિધામાં વધારો થશે.

ટ્રેન-નં. ૦૯૦૨૭ બાંદરા ટર્મિનસ-પાલિતાણા સુપરફાસ્ટ ટ્રેન બાંદરા ટર્મિનસથી ૧૬ ઑક્ટોબરને બુધવારે ૧૫.૨૫ વાગ્યે ઊપડીને આગલા દિવસે ૫.૩૦ વાગ્યે પાલિતાણા પહોંચશે. આ ટ્રેન ૧૬ ઑક્ટોબર, ૨૦૧૯થી ૧ જાન્યુઆરી, ૨૦૨૦ સુધી ચાલશે.

ટ્રેન-નંબર ૦૯૦૨૮ પાલિતાણા-બાંદરા ટર્મિનસ સુપરફાસ્ટ વિશેષ ટ્રેન ૧૭ ઑક્ટોબરને ગુરુવારે પાલિતાણાથી સવારે ૭.૩૫ વાગ્યે ઊપડીને એ જ દિવસે ૨૧.૫૦ વાગ્યે બાંદરા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન ૧૭ ઑક્ટોબર, ૨૦૧૯થી બીજી જાન્યુઆરી, ૨૦૨૦ સુધી ચાલશે.

આ ટ્રેનમાં એસી ટૂ ટિયર, એસી થ્રી ટિયર, સ્લીપર તથા સેકન્ડ કલાસ, જનરલ કોચ રહેશે. આ ટ્રેન શિહોર, સોનગઢ, ધોળા જંક્શન, બોટાદ, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી તથા બોરીવલી સ્ટેશનો પર રોકાશે.

October 15, 2019
pmc.jpg
1min12250

આર્થિક કટોકટીમાં ફસાયેલી પંજાબ ઍન્ડ મહારાષ્ટ્ર (પીએમસી) કો-ઓ. બૅંકના ખાતાધારકો માટે સારા સમાચાર છે. રિઝર્વ બૅંક ઑફ ઈન્ડિયા-આરબીઆઈએ ખાતાધારકો માટે પીએમસી બૅંકમાંથી રૂપિયાનો ઉપાડ કરવાની મર્યાદા હાલના રૂ.૨૫૦૦૦થી વધારીને રૂ.૪૦૦૦૦ કરી છે.

રોષે ભરાયેલા ખાતાધારકો નાણાં પ્રધાન નિર્મલા સીતારામનને મળ્યા બાદ તેમણે આરબીઆઈને ખાતાધારકોની સમસ્યાઓ ધ્યાન પર લેવાનું જણાવ્યા બાદ આ પગલું આવી પડ્યું હતું.

ટોચની ૧૦ અર્બન કો.ઓ. બૅંકમાં સ્થાન ધરાવતી પીએમસી બૅંકે જાણીજોઈને એનપીએ ઓછી દેખાડતાં સર્જાયેલી સમસ્યા બાદ ૨૩ સપ્ટેમ્બરથી છ મહિના માટે તેને આરબીઆઈની દેખરેખ હેઠળ મૂકી દેવામાં આવી હતી.

આરબીઆઈએ ત્રીજીવાર આ મર્યાદા વધારી છે. અગાઉ ખાતાધારકોને રૂ. ૧૦૦૦ ઉપાડવાની છૂટ હતી જે વધારીને રૂ.૧૦૦૦૦, રૂ. ૨૫૦૦૦ આવી હતી અને હવે એ મર્યાદા હવે વધારીને રૂ.૪૦૦૦૦ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આરબીઆઈનાં આ પગલાંને કારણે હવે લગભગ કુલ ખાતાધારકો અને થાપણદારોમાંથી ૭૭ ટકા લોકો તેમનાં ખાતામાંની પૂરી રકમનો ઉપાડ કરી શકશે.

છેતરપિંડીવાળા ટ્રાન્ઝેક્શનોની ચકાસણી કરવા આરબીઆઈએ ફૉરેન્સિક ઑડિટર્સની નિમણૂંક કરી છે.

શહેર પોલીસની આર્થિક ગુના શાખાએ આ મામલે તપાસ આરંભી હોવાનું તેમણે કહ્યું હતું.

બૅંકને તેની કાર્યવાહી કરવામાં નડતી વિવિધ સમસ્યાઓનો ઝડપી ઉકેલ લાવવા વહીવટીતંત્ર અને આરબીઆઈ દ્વારા નીમવામાં આવેલી ત્રણ સભ્યની સલાહકાર સમિતિ સાથે મળીને કામ કરી રહ્યા છે. 

October 12, 2019
st.jpg
1min6120

સૂરત ડાયમંડ એસોસીએશનએ કરેલી રજૂઆતો ફળી, સૌરાષ્ટ્રવાસી પરિવારોને વતન જવામાં રાહત

Symbolic Photo

સૂરત ડાયમંડ એસોસીએશનએ કરેલી રજૂઆતોને પગલે આગામી દિવાળીની રજાઓ દરમિયાન સૂરતથી સૌરાષ્ટ્ર પોતાના માદરે વતન જતા પરિવારો માટે એક્સ્ટ્રા બસ મૂકવાની જાહેરાત કરનાર ગુજરાત એસ.ટી. તંત્ર આવી સ્પેશ્યલ એક્સટ્રા બસ સર્વિસ માટે વધારાનો એક પણ રૂપિયા ચાર્જ નહીં લેશે આ બાબતે એસ.ટી. તંત્રવાહકો સંમત થયા છે.

સૂરતથી પોતાના વતનમાં જતા સૌરાષ્ટ્રવાસી પરિવારો, રત્નકલાકારો પાસે ગુજરાત એસટી વિભાગ જે વાસ્તવિક અમલી રેટ હશે તે મુજબ જ મુસાફરી ભાડું વસૂલ કરશે. અત્યાર સુધી એવું નોંધાયું હતું કે એસટી વિભાગ એકસ્ટ્રા બસ માટે વધારાનો ચાર્જ વસૂલ કરી રહ્યું હતું. સૂરત ડાયમંડ એસોસીએશનના પ્રમુખ શ્રી બાબુભાઇ કથિરીયા તેમજ અન્ય આગેવાનોએ હાલમાં ચાલી રહેલી મંદી દરમિયાન સૂરત આવીને વસેલા સૌરાષ્ટ્રવાસી પરિવારોને રાહત મળે એ માટે ઉપરોક્ત રજૂઆતો કરી હતી. જેને એસ.ટી. તંત્રના ઉચ્ચાધિકારીઓએ ગ્રાહ્ય રાખી છે.

વધુ મળતી માહિતી મુજબ સૂરતથી સૌરાષ્ટ્ર જઇ રહેલા મુસાફરોને જ આ લાભ મળશે. વતનથી પરત આવતી વખતે એકસ્ટ્રા બસનો લાભ નહીં મળી શકે એવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે.

સુરત ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ બાબુભાઇ કથિરીયાએ કહ્યું હતું કે આ વખતે હીરાઉદ્યોગમાં ભારે મંદીને કારણે રત્નકલાકારોને વતન જવા માટે વધારાનો આર્થિક બોજ ના ઉઠાવવો પડે એ વાતને ધ્યાનમાં રાખીને સૂરત ડાયમંડ એસોસીએશનએ રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી કે એસટી વધારાનો ચાર્જ ન લે. એ વાત સ્વાકારી લેવામાં આવી છે અને કારીગરોને વતન જવા માટે એસટીનો જે ચાર્જ હશે તે ચુકવવો પડશે.

સુરત ડાયમંડ એસોસિયેશનના પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે દિવાળીના વેકેશનમાં લકઝરી બસો ઉઘાડી લૂંટ ચલાવે છે જેની સામે એસટીનો દર ઘણો ઓછો છે એટલે રત્નકલાકારોને રાહત મળશે.

October 11, 2019
mumbai-local-train.jpg
1min4520

દેશની પહેલી ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસ બાદ સરકારે અન્ય 150 ટ્રેનો તેમજ 50 રેલ્વે સ્ટેશનોનાં ખાનગીકરણની તૈયારી કરી છે.

આ અંગે સમગ્ર માળખું તૈયાર થઈ ચૂક્યું છે. રેલ્વે મંત્રાલયે નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંત સાથે વાતચીતના આધારે આ ફેંસલો લીધો છે. કાંતે રેલ્વે બોર્ડના અધ્યક્ષ વી. કે. યાદવને પત્ર લખીને 150 ટ્રેનો તેમજ 50 રેલ્વે મથકો ખાનગી હાથોમાં સોંપવાની વાત કરી છે.

ટ્રેનો અને રેલ્વે સ્ટેશનોમાં ખાનગીકરણની પ્રક્રિયા માટે સચિવસ્તરનું એક સત્તાધારી જૂથ રચાશે, જેમાં નીતિ આયોગના સીઈઓ, રેલ્વે બોર્ડના અધ્યક્ષ, આર્થિક બાબતોના સચિવ, શહેરી વિકાસ મંત્રાલયના સચિવ સામેલ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ગત ચોથી ઓક્ટોબરથી તેજસ એક્સપ્રેસ ટ્રેન નિયમિત દોડતી થઈ ગઈ છે. જે લખનૌથી દિલ્હી વચ્ચે દોડે છે.

October 10, 2019
mumbai_dutyfree-1280x720.jpg
1min5950

મહારાષ્ટ્ર સરકારે ડ્યૂટી ફ્રી શોપ્સ પર પણ GST ઠોકી બેસાડ્યો હતો, બોમ્બે હાઇકોર્ટે કાઢી નાંખ્યો

મહારાષ્ટ્ર સરકારે ગત જાન્યુઆરી 2019માં મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવેલી ડ્યુટી ફ્રી શોપ્સ પર જીએસટી લગાડવાનું જાહેરનામું બહાર પાડીને તેની વસૂલાત શરૂ કરતા મુંબઇ એરપોર્ટ પરથી ડ્યુટી ફ્રી શોપ્સ પરનું વેચાણ ઘટી ગયું હતું એથી વિશેષ વિશ્વભરમાં એકમાત્ર મુંબઇ એરપોર્ટ એવું હતું કે જ્યાં ગ્રાહકોએ બિનજરૂરી રીતે જીએસટી ચૂકવવો પડી રહ્યો હતો. મહારાષ્ટ્ર સરકારના આ નોટિફિકેશન સામે ડ્યુટી ફ્રી શોપ્સ હોલ્ડરોએ બોમ્બે હાઇકોર્ટમાં રીટ પિટીશન દાખલ કરી હતી. જેના અંતિમ ચૂકાદામાં ગઇ તા.7મી ઓક્ટોબર 2019ના રોજ બોમ્બે હાઇકોર્ટે મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરની ડ્યુટી ફ્રી શોપ્સ પર જીએસટી લાગૂ કરતું નોટિફિકેશન રદ કરીને ડ્યુટી ફ્રી દુકાનોને જીએસટીમાંથી મુક્તિ આપી હતી. હવે મુંબઇથી આવન-જાવન કરતા મુસાફરોએ મુંબઇ એરપોર્ટ પરથી ખરીદી કરતા જીએસટી નહીં ચૂકવવો પડે.

બોમ્બે હાઇકોર્ટે ચૂકાદા સાથે ટાંક્યું હતું કે ડ્યુટી ફ્રી શોપ્સની વ્યાખ્યા કહે છે કે તેના પર કોઇ ટેક્સનું ભારણ ન હોઇ શકે, મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવન-જાવન કરતા મુસાફરો દ્વારા કરાતી ખરીદી પર જો આ પ્રકારનો ટેક્સ લાગૂ કરવામાં આવે તો એ બિનજરૂરી બની રહે છે. ચીજવસ્તુઓના ભાવ ઉંચા કરવા બરાબર ગણાતો ટેક્સ વિશ્વના અન્ય કોઇ એરપોર્ટની ડ્યુટી ફ્રી દુકાનો પર નથી. બોમ્બે હાઇકોર્ટના જસ્ટીસ શ્રી રણજિત મોરે અને શ્રી ભારતી ડાંગરેએ જીએસટી અંગેના મહારાષ્ટ્ર સરકારના નોટિફિકેશનને રદ કરતો હુકમ કર્યો હતો.

હાઇકોર્ટે ચુકાદા સાથે આ ટાક્યું હતું.

“In our opinion, this will also negate the intent and purpose of Article 286,” ruled the bench. The article, under the Constitution, places restrictions on imposition of tax by states on sale or purchase of goods that take place “outside the state” or “in the course of import of goods into, or export of the goods out of, the territory of India.”