CIA ALERT

બિઝનેસ Archives - Page 75 of 90 - CIA Live

January 2, 2019
CIA_Live_Logo_New2.jpg
1min10200

BNI Surat पूरे विश्व में फेले हुए BNI नेटवर्क में सबसे बेस्ट परर्फोर्मर रहा है. BNI सूरत क्यों बेस्ट परफोर्मर है, और पूरे विश्व में सुरत के बिजनेसमेन को क्यूं सक्सेसफुल माने जाते है एैसी कई बातें BNI Surat के एक्जिक्युटिव डीरेक्टर श्री गौरव सिंघवी से सी.आइ.ए. लाइव के एक्जिक्युटिव एडिटर जयेश ब्रह्मभट्ट ने बातचीत की. प्रस्तुत ते उनके अंश…

January 1, 2019
exports.jpg
1min6970

દેશમાંથી વિશ્વના જુદા જુદા દેશોમાં થતી કુલ નિકાસમાં મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને અને ગુજરાત બીજા ક્રમે છે. ભારતની કુલ નિકાસમાં ગુજરાતનો 22.02 ટકા હિસ્સો છે, જ્યારે મહારાષ્ટ્રનો નિકાસ હિસ્સો 22.98 ટકા છે.

  • 2017-’18માં ભારતની કુલ નિકાસ 303અબજ યુએસ ડોલર
  • પેટ્રોલિયમ પ્રોડક્ટ, કેમિકલ્સ, સ્ટોન, કોપર, પ્લાસ્ટિક રોમટિરિયલ, એગ્રો કેમિકલ્સ તથા ટેક્સટાઇલ-યાર્ન મુખ્ય નિકાસ માલ
  • ભારતની કુલ નિકાસમાં ગુજરાતનો 22.02 ટકા હિસ્સો, 2016-’17માં ગુજરાતનો નિકાસ હિસ્સો 19.06 ટકા હતો
  • મહારાષ્ટ્રનો નિકાસ હિસ્સો 22.98 ટકા

વર્ષ 2016-’17માં ગુજરાતનો નિકાસ હિસ્સો 19.06 ટકા હતો તે વધીને 2017-’19માં 22.02 ટકા થયો છે. આમ નિકાસમાં ગુજરાતનો હિસ્સો ગયા વર્ષ કરતાં ત્રણ ટકા વધ્યો છે. આગામી વાઇબ્રન્ટ સમિટમાં ટ્રેડ અને એક્સ્પોર્ટ પર વધુ ભાર મૂકવાને પગલે નિકાસ હિસ્સામાં સારો એવો વધારો થશે તેમ રાજ્યના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

ગુજરાતનાં ઉદ્યોગ કમિશનર મમતા વર્માએ જણાવ્યું હતું કે, “ભારતે ગયા નાણાકીય વર્ષ 2016-’17માં 275 અબજ ડોલરની નિકાસ કરી હતી જે 2017-’18માં વધીને 303અબજ યુએસ ડોલર થઈ હતી, જે દસ ટકા વધારો દર્શાવે છે. ગુજરાતમાંથી નિકાસમાં જે ત્રણ ટકાનો વધારો નોંધાયો તેમાં મુખ્યત્વે પેટ્રોલિયમ પ્રોડક્ટ, કેમિકલ્સ, સ્ટોન, કોપર, પ્લાસ્ટિક રોમટિરિયલ, એગ્રો કેમિકલ્સ તથા ટેક્સટાઇલ-યાર્નનો સમાવેશ થાય છે.”

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં 18 જાન્યુઆરી 2019ના રોજ ‘મેક ઈન ઇન્ડિયા’ પર વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે ત્યારે આ સેમિનારનો મુખ્ય હેતુ ‘મેક ઈન ઇન્ડિયા’ કાર્યક્રમની મુખ્ય સિદ્ધિઓ અને તેની અસરો સમજવી, તેમજ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર્સ અને ઔદ્યોગિક નીતિ જેવા તેના મુખ્ય સ્તંભો વિશે ચર્ચા કરવાનો છે.

સેમિનાર અંગે મમતા વર્માએ જણાવ્યું કે, આ કાર્યક્રમમાં મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટની સાફલ્યગાથા રજૂ કરાશે તેમજ સરકાર દ્વારા લેવાયેલાં મહત્ત્વપૂર્ણ પગલાંથી માહિતગાર કરવામાં આવશે. સેમિનારમાં દેશમાં આર્થિક વિકાસને ધ્યાનમાં રાખીને નીતિ નિર્માતાઓ અને ઉદ્યોગજગતના ઉદ્યોગપતિઓ ભારતમાં ઉત્પાદન વધારવા અંગે પોતાનાં મંતવ્ય રજૂ કરશે.

સેમિનારના બીજા સત્રમાં ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર, ઇન્ડસ્ટ્રિયલ પાર્ક અને ઇન્ડસ્ટ્રી 4.0 જેવા વિષય સાથે દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર – ડીએમઆઇસી અંતર્ગત ઉત્પાદન અને રોકાણનાં શ્રેષ્ઠ સ્થળો બાબતે ઉચ્ચસ્તરીય ચર્ચા કરાશે.

ધોલેરા એસઆઇઆર અને ઓથોરિટીના મેનેજિંગ ડિરેક્ટર શિવહરેએ જણાવ્યું હતું કે, “કેન્દ્રની ‘મેક ઈન ઇન્ડિયા’ ફ્લેગશિપ યોજનામાં ગુજરાતનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. ગુજરાત દેશના સૌથી વધુ ઝડપથી વિકસતાં રાજ્યો પૈકી એક છે તેમજ ભારતના ટોચના પાંચ વિદેશી મૂડીરોકાણ ધરાવતાં રાજ્યોમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે.

એપ્રિલ 2000થી માર્ચ 2018 સુધીમાં ગુજરાતને કુલ 18.7 અબજ અમેરિકન ડોલરનું વિદેશી રોકાણ પ્રાપ્ત થયું છે, જે એપ્રિલ 2000થી માર્ચ 2018 સુધી ભારતમાં થયેલા કુલ એફડીઆઇના પાંચ ટકા જેટલું છે.” વર્ષ 2013-’14થી 2017-’18 સુધીમાં એટલે કે છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાતમાં 10 અબજ અમેરિકન ડોલરની વિદેશી મૂડી પ્રાપ્ત થઈ છે. દેશ અને વિવિધ રાજ્યોમાં રોકાણને આકર્ષવા અને ઉત્પાદન ક્ષમતામાં ગતિ લાવવા માટે ‘મેક ઈન ઇન્ડિયા’ સેમિનારમાં ભાગ લેવા માટે 3,000થી વધુ લોકોએ રસ દાખવ્યો છે.

December 27, 2018
e_Commerce.jpg
1min5450

સરકારે ફ્લિપકાર્ટ અને ઍમેઝોન જેવી ઇ-કૉમર્સ કંપનીઓને લગતા નિયમો કડક બનાવવાના હેતુથી બુધવારે અનેક પગલાં લીધા હતા અને આ બે કંપનીઓ જે કંપનીઓમાં ઇક્વિટી હિસ્સો ધરાવતી હોય એના ઉત્પાદનો વેચવાની એમને મનાઈ કરી હતી.

  • જે કંપનીઓમાં ઇક્વિટી હિસ્સો ધરાવતી હોય એના ઉત્પાદનો વેચવાની મનાઈ
  • ઇ-કૉમર્સ કંપનીઓને ઉત્પાદનોના વિશિષ્ટ વેચાણ માટે કરાર કરવાની પણ મનાઈ

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ઇ-કૉમર્સ કંપનીઓને ઉત્પાદનોના વિશિષ્ટ વેચાણ માટે કરાર કરવાની પણ મનાઈ કરી હતી.

મંત્રાલયે જણાવ્યું હતું કે ‘જે કંપનીમાં ઇ-કૉમર્સ માર્કેટપ્લેસ કંપની કે એના ગ્રુપની કંપનીઓનો હિસ્સો હોય અથવા તો એના ઉત્પાદનો પર ઇ-કૉમર્સ માર્કેટપ્લેસ કંપની કે એના ગ્રુપની કંપનીઓનો અંકુશ હોય એવી કંપની આવી માર્કેટપ્લેસ કંપની દ્વારા ચાલતા મંચ પર પોતાની પ્રૉડક્ટો નહીં વેચી શકે.’

એ ઉપરાંત, મંત્રાલયના નૉટિફિકેશન મુજબ ઑનલાઇન રીટેલ કંપનીઓમાંના સીધા વિદેશી રોકાણ પરની સુધારિત નીતિમાં જણાવાયું છે કે જે કંપનીમાં ઇ-રીટેલ કંપનીનું સીધું કે આડકતરું ઇક્વિટી રોકાણ હોય કે એવી કંપનીઓ દ્વારા સર્વિસ પૂરી પાડવાની રહેશે. માર્કેટપ્લેસ કંપનીની ગ્રુપ કંપનીઓ દ્વારા ખરીદદારોને પૂરી પડાતી કૅશ-બૅકની સુવિધા વ્યવહારું અને ભેદભાવ-વિનાનું હોવું જોઈશે.’

એમાં એવું પણ જણાવાયું છે કે આ કંપનીઓએ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (આરબીઆઇ)ને અધિકૃત ઑડિટરના રિપોર્ટ સાથેનું સર્ટિફિકેટ પણ નોંધાવવું પડશે. આ સર્ટિફિકેટ મારફત કંપનીએ દરેક વર્ષની 30મી સપ્ટેમ્બર સુધીમાં આગલા નાણાકીય વર્ષને લગતી માર્ગદર્શિકાઓનું પાલન થયું હોવાને પુષ્ટિ પણ અપાઈ હોવી જોઈશે.આ ફેરફારો આવતા વર્ષની 1લી ફેબ્રુઆરીથી અમલી બનશે.ઇ-કૉમર્સ કંપનીઓ દ્વારા વપરાશકારોને ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યા હોવાની સ્થાનિક વેપારીઓએ અનેક ફરિયાદો કરી એને પગલે સરકાર તરફથી આ નિર્ણય આવી રહ્યો છે.વર્તમાન નીતિ મુજબ માર્કેટપ્લેસ ઇ-કૉમર્સ પ્રવૃત્તિઓમાં 100 ટકા ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (એફડીઆઇ) એટલે કે સીધું વિદેશી રોકાણની છૂટ છે. જોકે, માલસામાન પર આધારિત પ્રવૃત્તિઓમાં એ પ્રતિબંધિત છે.

December 25, 2018
bank-strike.jpg
1min9590

તા.26મી ડિસેમ્બર 2018ને બોક્સિંગ ડે તરીકે મનાવવામાં આવે છે. આ બોક્સિંગ ડે ના દિવસે ભારતની રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ હડતાળ પર જઇ રહ્યા છે.

દેનાબેંક, વિજયા બેંક અને બરોડા બેંકના એકત્રીકરણના નિર્ણયના વિરોધમાં તા.26મી ડિસેમ્બરે રાજકોટ સહિત દેશભરની રાષ્ટ્રીયકૃત બેંકોનાં કર્મચારી દ્વારા એક દિવસીય હડતાલ કરવામાં આવશે. આ હડતાલમાં દેશભરમાંથી 9 લાખ કર્મચારીઓ જોડાશે. રાજકોટમાં પરાબજાર ખાતે સવારે 10-30 કલાકે દેખાવ યોજવામાં આવશે.

ગુજરાત બેંક વર્કર્સ યુનિયન દ્વારા જણાવ્યા પ્રમાણે બેંકના એકત્રિકરણને લઇને એક મજબૂત બેંકનું નિર્માણ થશે કે તેની કાર્યક્ષમતામાં વધારો થશે તેવા કોઇ નક્કર અણસાર દેખાતા નથી. પાંચ સ્ટેટ સેક્ટર બેંકોને એસબીઆઇમાં મર્જ કરી દેવાયેલ છે. આ એકત્રિકરણનો અનુભવ સારો નથી. મર્જરને કારણે બેંકોની શાખાઓ બંધ થયેલ છે. બેંકનાં ડૂબત લેણામાં વધારો થયેલ છે. બસ્સો વર્ષનાં ઇતિહાસમાં પ્રથમવાર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પ્રથમવાર ખોટ કરેલ છે.

આ ત્રણ બેંકોનાં કુલ ડૂબત લેણાં રૂ.80,000 કરોડ છે. એકત્રિકરણને કારણે ડૂબત લેણામાં કોઇ ફેરફાર થશે નહીં. હાલ પૂરતી વસૂલીમાં એકત્રિકરણને કારણે ઢીલાશ આવશે. પ્રજાનું ધ્યાન ડૂબત લેણાની વસૂલીને બદલે અન્ય બાબત પર કરવા માટે સરકારની આ ચાલ છે.
ગુજરાતમાં દેના બેંક અને બરોડા બેંકની શાખાઓ બાજુબાજુમાં છે. એક અંદાજ પ્રમાણે આ બંને બેંકોની લગભગ 300 શાખાઓ બંધ થશે. પ્રજા બેંકની સેવાથી વંચિત રહેશે. ગામડાઓમાં પણ શાખાઓ બંધ થશે. જ્યાં ખાનગી બેંકો જતી નથી. આમ ગ્રામ્ય પ્રજાને વધારે પ્રમાણમાં બેંકિંગ સેવાથી વંચિત રાખવામાં આવશે.

યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સના નેજા હેઠળ દેશભરના 9 લાખ બેંક કર્મચારીઓ તા.26 ડિસે.ના રોજ એક દિવસની પ્રતિક હડતાલ પર જશે. સરકારનો યોગ્ય પ્રતિભાવ નહીં મળે તો આગળનો કાર્યક્રમ નક્કી થશે, તેમ મહામંત્રી કે.પી. અંતાણીની યાદીમાં જણાવાયું છે.

 

December 22, 2018
gst.jpg
1min5450
  • 32 ઈંચ સુધીના ટીવી, કમ્પ્યૂટર્સ સહિતની 7 વસ્તુઓને 28 ટકાના સ્લેબમાંથી બહાર કરીને 18 ટકાના સ્લેબમાં
  • 28% GST એરટેડ કોલ્ડડ્રિંક્સ, સિગારેટ, બિડી, તમાકુ ઉત્પાદો, પાન મસાલા, સ્મોકિંગ પાઈપ્સ, ઓટોમોબાઈલ્સ, એરક્રાફ્ટ્સ, યોટ્સ, રીવોલ્વર્સ અને પિસ્તોલ, લોટરી
  • ઓટો પાર્ટ્સ તેમજ સીમેન્ટને બાદ કરતા કુલ 7 વસ્તુઓને 18 ટકા સ્લેબમાં
  • સિનેમા ટિકિટ, થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ પર જીએસટી દરમાં ઘટાડો
  • રૂ. 100 સુધીની મૂવી ટિકિટ પર 18 ટકાને બદલે હવેથી 12 ટકા તેમજ રૂ. 100થી ઉપરની મૂવી ટિકિટ પર 18  જીએસટી

દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આજે ભારતના નાણામંત્રી અરુણ જેટલીની અધ્યક્ષતામાં યોજાયેલી જીએસટી કાઉન્સિલની મીટિંગમાં લેવાયેલા નિર્ણય મુજબ સામાન્ય ઉપયોગની 33 ચીજવસ્તુઓ પર GSTનો દર ઘટાડવામાં આવ્યો છે. આજે જે નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં એવી ચીજો છે જેના પર અત્યાર સુધી 18 ટકા દર વસૂલવામાં આવતો હતો, પરંતુ હવે તેના પર 12 ટકા જીએસટી લગાવવામાં આવશે. જ્યારે કેટલીક આઇટમ્સને 12 ટકા GSTના દરથી નીચે 5 ટકાની શ્રેણીમાં લાવવામાં આવી છે.

વિપક્ષોની માગ અનુસાર 34 આઇટમ્સને છોડીને બાકી તમામને 18 અથવા તેથી ઓછા જીએસટી દર હેઠળ લાવવામાં આવી છે.

આજે તા.22મી ડિસેમ્બર 2018ના રોજ મળેલી બેઠક જીએસટી કાઉન્સિલની 31મી બેઠક હતી. આજે આખો દેશ આ કાઉન્સિલમાં લેવામાં આવનારા નિર્ણય પર મીટ માંડીને બેઠો હતો.

જીએસટી કાઉન્સિલ છેલ્લા કેટલાક સમયથી 28 ટકાના સ્લેબને સતત ઘટાડી રહી છે. આજે પણ અપેક્ષા હતી કે 28 ટકાના સ્લેબમાંથી અન્ય ઘણી ચીજોને હટાવવામાં આવી શકે છે. લિસ્ટમાં સૌથી ઉપર સિમેન્ટનું નામ હતું, જેના પર અત્યારે 28 ટકા ટેક્સ લાગે છે. જણાવી દઇએ કે અત્યાર સુધીમાં 39 વસ્તુઓ પર 28 ટકા ટેક્સ લાગતો હતો, જેની સંખ્યા હવે ઘટાડીને 34 કરી દેવામાં આવી છે. એટલે કે 5 અન્ય ઉત્પાદનોને 28 ટકા કે તેથી વધુના GST દરની બહાર કરવામાં આવી છે.

તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સરકાર એ સુનિશ્ચિત કરવા માંગે છે કે 99 ટકા વસ્તુઓ જીએસટીના 18 ટકા કે તેનાથી નીચેના દર હેઠળ લાવી દેવામાં આવે. જીએસટી કાઉન્સિલ જો આવો કોઈ નિર્ણય લેશે તો તમને ઘણી ચીજોના ભાવમાં રાહત મળી શકે છે. એક ખાસ વાત એ પણ છે કે જીએસટી નેટવર્કની સરકારી ઓનરશિપની કંપનીમાં સ્થાનાંતરણના મુદ્દે હાઇબ્રિડ કારો પર હાલના 28 ટકાના જીએસટી દર ઓછા કરવા પર પણ વિચાર થઈ શકે તેવી અપેક્ષા છે.

December 21, 2018
grahak.gif
1min9980

દેશમાં ગ્રાહકોના અધિકારો અને હક્કોની સુરક્ષા વધુ મજબૂત કરે તે સંદર્ભેના બિલને લોકસભામાં પસાર કરી દેવાયું છે. સર્વિસમાં ઊણપ કે ચીજ-વસ્તુમાં કોઈ નુકસાની હોય તો હવેથી ગ્રાહકોની ફરિયાદનું સત્વરે નિવારણ થઈ શકશે. કન્ઝ્યુમર પ્રોટેક્શન બિલ 2018 કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 1986નું સ્થાન લેશે અને હવે તેને રાજ્યસભામાં પસાર કરાવવાનું રહેશે.

આ અંગેની ચર્ચામાં ગ્રાહક બાબતના કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને કહ્યું કે, છેલ્લાં 30 વર્ષથી આ કાયદામાં કોઈ સુધારો કરવામાં આવ્યો નહોતો અને ગ્રાહકોના અધિકારોને વર્તમાન સમયમાં વધુ સુરક્ષિત કરવા માટે તેમાં સુધારાની આવશ્યકતા હતી. બિલમાં કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશનની રચના ઉપરાંત જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ગ્રાહકોની ફરિયાદના નિવારણ માટે ફોરમની રચનાનો માર્ગ મોકળો થાય તેવી જોગવાઈ કરવામાં આવી છે. ગ્રાહકોનાં હિતો, અધિકારો અને તેમના હક્કોના રક્ષણ માટે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીને તમામ પ્રકારની સત્તા આપવામાં આવી છે.

બિલમાં ગ્રાહકોના અધિકારોનો પ્રોત્સાહન, રક્ષણ આપવા સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી સ્થાપવાની સત્તા આપવામાં આવી છે.

બીજુ જનતા દળના તથાગત સતપથીએ કહ્યું હતું કે, “આ બિલમાં અમલદારશાહીને વધુ પડતી સત્તા આપી દેવામાં આવી છે, તેને સ્થાને થોડી અલગ જોગવાઈઓ હોવી જોઈતી હતી. તેમણે કહ્યું કે, બિલમાં દેશના બંધારણીય માળખાને હાનિકર્તા જોગવાઈઓ છે.” આના જવાબમાં પાસવાને જણાવ્યું હતું કે, બિલમાં આ પ્રકારની કોઈ જોગવાઈ નથી અને તેને કારણે ગ્રાહકોને લાભ થશે.આ ચર્ચામાં એનસીપી, ટીએમસી અને જેડીયુના સભ્યોએ ભાગ લીધો હતો.

December 21, 2018
CIA_Live_Logo_New2.jpg
1min12770

દેશમાંં એક પછી એક રાજ્યના ખેડૂતોના દેવા માફ કરવાના નિર્ણય સામે હવે વેપારીઓએ બાંયો ચઢાવી છે. દિલ્હીમાં યોજાયેલી કૉન્ફેડરેશન ઑફ ઑલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેઈટ)ની યોજાયેલી બેઠકમાં વેપારીઓએ એકમતે ખેડૂતોના દેવાને માફ કરવાને કરદાતાઓ સાથેનો વિશ્ર્વાસઘાત ગણાવ્યો હતો અને જો ખેડૂતોના દેવા માફ થઈ શકતા હોય તો વેપારીઓના માથા પર રહેલા દેવા, જુદા જુદા બાકી રહેલા કરવેરા તેમ જ પૅનલ્ટીને માફ કરવાની માગણી કરી હતી.

દિલ્હીયમાં યોજાયેલી કેઈટની બેઠકમાં દેશના 26 રાજ્યોના વેપારીઓએ હાજરી પુરાવી હતી. આ બેઠકમાં જીએસટી સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન હાલમાં જ અનેક રાજ્યોમાં સરકાર દ્વારા ખેડૂતોના દેવા માફ કરવાની જાહેરાત કરવામાં આવી છે, તેના પર વેપારીવર્ગે નારાજગી વ્યકત કરી હતી. ખેડૂતોના દેવા માફ કરવાને વેપારીઓએ કરદાતાઓ સાથેનો વિશ્ર્વાસઘાત ગણાવ્યો હતો. દેશની કોઈ પણ સરકાર અથવા રાજકીય પાર્ટીને પોતાની મનમાની કરતા રાજ્કીય ફાયદા માટે કોઈ પણ એક વર્ગની લોન માફ કરવાનો અધિકાર નથી. લોન માફ કરવાને બદલે તે વર્ગની સમસ્યાનો નિકાલ લાવવાની દલીલ વેપારીઓએ આ બેઠકમાં કરી હતી.

વેપારીવર્ગની નારાજગી બાદ કૉન્ફેડરેશન ઑફ ઑલ ઈન્ડિયા ટ્રેડેર્સે પણ ખેડૂત વર્ગના દેવા માફ કરવા બદલ ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે જો કોઈ એક વર્ગનું દેવું માફ કરવામાં આવતું હોય અને આવો માફીનો જ વેપાર કરવાના હોય તો પછી દેશના સાત કરોડ વેપારીઓના માથા પર રહેલી લોન અને જુદા જુદા કરવેરાને પણ માફ કરી દેવા જોઈએ.

કૉન્ફેડરેશન ઑફ ઑલ ઈન્ડિયા ટ્રેડર્સના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી.ભરતિયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે કહ્યું હતું કે, વેપારીઓ પાસેથી વસૂલ કરવામાં આવતા જુદા જુદા કરવેરાને કારણે સરકારને આવક ઊભી થાય છે પણ તેની સામે વેપારીઓને કંઈ મળતું નથી. અનેક પ્રકારના દસ્તાવેજોની કાર્યવાહી, જટિલ કર પ્રક્રિયા અને તેના પર થતા ખર્ચને કારણે વેપારીઓે પહેલાથી પરેશાનીનો સામનો કરી રહ્યા છે. તેમાં પણ પેપર સબમીટ કરતા સમયે કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તેમને દંડ ફટકારવામાં આવે છે અને અનેક પ્રકારનો માનસિક ત્રાસ પણ ભોગવવો પડે છે. છતાં આજ સુધી તેમને કોઈ પ્રકારની માફી કે પછી સુવિધા કોઈ પણ સરકાર તરફથી આપવામાં આવી નથી. ત્યારે વોટની લાલચમાં દર વર્ષે ખેડૂતોને લોન માફ કરીને તેને પંગુ બનાવવામાં આવી રહ્યો છે.

વધુ બોલતા તેમણે આ મીટિંગમાં કહ્યું હતું કે, ખેડૂતો દેશના અન્નદાતા છે અને તેની મહેનત પ્રમાણે તેને સમ્માન મળવું જોઈએ પણ સરકારે તેમને દેવામાં માફી આપવાને બદલે દેવાના ચક્કરમાંથી બહાર કાઢવું જોઈએ. ખેડૂતોને દેવામાં માફીને બદલે કરમુક્ત વીજળી આપવી, પાકના સારા ભાવ આપવા જોઈએ, ખેતી માટે સારા ઉપકરણ આપવામાં આવે અને તેમના પાકનો પણ વીમો હોય, સિંચાઈની શ્રેષ્ઠ સુવિધા આપવામાં આવે, કોલ્ડ સ્ટોરેજની સગવડ આપવી, પાક માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપવી. આવી અનેક સગવડો સરકાર આપે તો તેમના દેવા માફ કરવાની આવશ્યકતા રહેશે નહીં.

કૉન્ફેડરેશન ઑફ ઑલ ઈન્ડિયા ટ્રેડેસના નેશનલ ગવર્નિંગ કાઉન્સિલના મેમ્બર શંકરભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, દરેક રાજ્યના વેપારીઓના પ્રતિનિધિ મંડળ આ બાબતે સરકારને પત્ર લખીને વિનંતી કરવાની છે. તેમ જ આગામી મહિનાની 12 અને 13 તારીખના આ મુદ્દે ભોપાલમાં કૉન્ફેડરેશન ઑફ ઑલ ઈન્ડિયા ટ્રેડર્સની બેઠક થવાની છે, તેમાં આગળ શું પગલાં લેવા તે બાબતે રણનીતિ નક્કી કરશે.

December 19, 2018
medical_logo.jpg
1min6720

શું શું તકલીફો થાય છે હોસ્પિટલ્સના બિલ્સમાં

  • હોસ્પિટલનાં બિલ્સમાં દવાઓના અને હોસ્પિટલના વિવિધ ચાર્જિસ સામેલ હોય
  • હોસ્પિટલ જે સર્વિસિસ આપે છે તેના પર કોઈ ટેક્સ લાગતો નથી
  • દવાઓ અને અન્ય વપરાશની આઇટમ પર GST લાગે
  • કોસ્ટમેટિક સર્જરી અને હેર ટ્રાન્સપ્લાન્ટને બાદ કરતાં અન્ય હેલ્થકેર સર્વિસિસને GSTમાંથી બાકાત
  • ઇમ્પ્લાન્ટ અને આર્ટિફિશિયલ લિમ્બસ ટેક્સેબલ

દેશભરમાં GST લાગૂ થયા બાદ સૌથી મોટી માથાકૂટ જો ક્યાંય થતી હોય તો એ હોસ્પિટલ્સના મેડીકલ બિલ્સમાં થાય છે. હોસ્પિટલ્સ દ્વારા દર્દીઓ કે તેમના સગાવ્હાલાઓને આપવામાં આવતા બિલ્સમાં બધી જ બાબતો સમાવી લેવામાં આવે છે જેના કારણે ઘણી બધી ટેકનિકલ ક્ષતિઓ સપાટી પર આવી હતી. હોસ્પિટલ્સ દવાઓની રકમ, હોસ્પિટલ્સની જુદી જુદી સર્વિસીઝની રકમ, ડોક્ટર્સના વિઝીટ ચાર્જિસ વગેરેનું એક કોમન બિલ જીએસટી લાગૂ કરીને આપી દેતી હોવાથી ગ્રાહકોને બિલની રકમમાં અન્યાય થતો હોવાની ફરીયાદો દેશવ્યાપી સ્તરે ઉઠી હતી. પરીણામે જીએસટી કાઉન્સિલે આમાં સુધારો કરવાનું મન બનાવ્યું હોવાનું જાણવા મળે છે.

હોસ્પિટલોએ દવાઓના અને હોસ્પિટલની સર્વિસિસનાં અલગ અલગ બિલ આપવાં જોઈએ. આનાથી, ગ્રાહકોને પણ ખર્ચ અંગે પારદર્શક માહિતી મળશે. એવી વ્યવસ્થા ગોઠવવા અંગેની સૂચનાઓ જારી કરાશે એમ જીએસટી કાઉન્સિલના સૂત્રોએ જણાવ્યું હતું.

GST કાઉન્સિલની આગામી બેઠકમાં દર્દીઓનાં હોસ્પિટલનાં બિલ્સને અનબન્ડલિંગ કરવાની દરખાસ્ત પર વિચારણા થશે અને જો તેને મંજૂરી મળશે તો ગ્રાહકો માટે મેડિકલ બિલ્સમાં જેની તાતી જરૂર છે તેવી પારદર્શકતા લાવવામાં મદદ મળશે. 2017ના જુલાઈથી લાગુ થયેલા ગૂડ્ઝ એન્ડ સર્વિસિસ ટેક્સ (GST) હેઠળ નવા ટેક્સ કાયદાનો નિર્ણય લેવાની સર્વોચ્ચ સત્તા આ કાઉન્સિલ પાસે છે અને તેના દ્વારા જ આ દરખાસ્ત અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.

સામાન્ય રીતે, હોસ્પિટલનાં બિલ્સમાં દવાઓના અને હોસ્પિટલના વિવિધ ચાર્જિસ સામેલ હોય છે. હોસ્પિટલ જે સર્વિસિસ આપે છે તેના પર કોઈ ટેક્સ લાગતો નથી જ્યારે દવાઓ અને અન્ય વપરાશની આઇટમ પર GST લાગે છે. કોસ્ટમેટિક સર્જરી અને હેર ટ્રાન્સપ્લાન્ટને બાદ કરતાં અન્ય હેલ્થકેર સર્વિસિસને GSTમાંથી બાકાત રાખવામાં આવી છે. ઇમ્પ્લાન્ટ અને આર્ટિફિશિયલ લિમ્બસ ટેક્સેબલ છે.

ટેક્સ અધિકારીઓને એવી ચિંતા છે કે, દર્દીઓ પાસેથી દવાઓ પર લાગતો GST ચાર્જ કરીને પૈસા લઈ તો લેવામાં આવે છે પરંતુ આ ટેક્સની રકમ સરકારી તિજોરી સુધી પહોંચતી નથી કારણ કે, હોસ્પિટલો દવાઓના અને હોસ્પિટલના ચાર્જિસનાં તમામ બિલને બન્ડલિંગ કરી દે છે.

હોસ્પિટલે MRP (મહત્તમ વેચાણ કિંમત) કરતાં ઓછી કિંમતે દવા મેળવી હોવા છતાં તે દર્દીઓ પાસેથી ફુલ MRP વસૂલતી હોવાના અનેક કિસ્સા ટેક્સ અધિકારીઓની સામે આવ્યા છે. અધિકારીઓએ મુંબઈ સહિતનાં કેટલાંક મોટાં શહેરોની અગ્રણી હોસ્પિટલ્સની મુલાકાત લીધી હતી અને હોસ્પિટલ ચેઇન્સ દ્વારા જે પ્રક્રિયાનું પાલન કરવામાં આવે છે તેની વિગતો મેળવી હતી.

જો બિલ્સ અનબન્ડલ થઈ જશે તો જે હોસ્પિટલે રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તેણે હવે GSTનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને ટેક્સ ઉઘરાવીને સરકારમાં જમા પણ કરાવવો પડશે.

કેટલાક હેલ્થકેર પ્રોવાઇડર્સ હેલ્થકેર સર્વિસિસ પર પાંચ ટકા GSTની માંગણી કરી રહ્યા છે કારણ કે તેમણે પણ હોસ્પિટલ દ્વારા જે સર્વિસિસ અને ગૂડ્ઝ લેવામાં આવે છે તેના પર ટેક્સ ચૂકવવો પડશે અને તેમને ઈનપુટ ટેક્સ ક્રેડિટ મળતી નથી. ટેક્સ નિષ્ણાતો જણાવે છે કે, ગૂડ્ઝનો સપ્લાય ઓફર થતી સર્વિસ સાથે સંકળાયેલો છે અને તે કમ્પોઝિટ સપ્લાયની કેટેગરીમાં આવે છે.

December 18, 2018
gst.jpg
1min5430

GSTની ચોરી શોધી કાઢવા માટે ગુજરાતમાં શરૂ કરવામાં આવેલી સ્થળ તપાસની કાર્યવાહીમાં વેપારીઓ અને GST અધિકારીઓ વચ્ચે સંઘર્ષમયી સ્થિતિનું નિર્માણ થાય તેવી પૂરેપૂરી શક્યતા જોવાય રહી છે. એક તરફ GST તંત્રનું કહેવું છે કે ચોરી પકડી પાડવા માટે આ ફક્ત સ્થળ તપાસ અભિયાન છે, જ્યારે વ્યાપારી વર્ગ ખાસ કરીને સુરતમાં ટેક્સટાઇલ ક્લસ્ટરના આગેવાનોનું કહેવું છે કે વ્યાપારીઓ માટે એક પ્રકારની વધુ હેરાનગતિ સિવાય બીજું કશું નથી.

GST અધિકારી ધંધા સ્થળે જઇને તપાસ કરશે અને ધંધાની માહિતી મેળવશે. GST ચોરીની સાથે સાથે ખોટી રીતે રિફંડ લેનારા વેપારીઓને પકડી પાડવા માટે હવે સ્થળ તપાસ જરૂરી બની હોઇ ગુજરાત GST તંત્રવાહકોએ હવે સ્થળ તપાસ અભિયાન હાથ ધર્યું છે. આખા રાજ્યમાં આવેલી દુકાનો, કમર્શિયલ એકમો, યુનિટ્સ, મેન્યુફેક્ચરીંગ કંપની, ફેક્ટરીઝ વગેરેમાં GST અધિકારીઓ તપાસ હાથ ધરશે.

ગુજરાત GST તંત્ર દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં GST નંબર મેળવનાર વેપારીઓને ત્યાં વેચાણવેરા અધિકારી નિરીક્ષણ કરીને ફોટાગ્રાફી કરશે અને જો ધંધાના સ્થળે GST નંબરનું બોર્ડ નહીં હોય તો પેનલ્ટી પણ ફટકારી દેવામાં આવશે અને GSTની ચોરી કરનારા વેપારીઓની ઓળખ કરવામાં આવશે.

GST ચોરીના કારણે અન્ય ઇમાનદાર વેપારીઓને સહન કરવું પડે છે. જેમકે ખોટા દસ્તાવેજો રજુ કરીને રિફંડ કલેમ કરનારા વેપારીઓની સાથે હવે કડક કાર્યવાહી કરાશે, આગાઉ પણ બોગસ રિફંડ લેનાર ૬ વેપારીઓને પકડી લેવામાં આવ્યા હતા અને આગામી દિવસોમાં પણ આ કામગીરી ચાલુ રહેશે. કેટલાક વેપારીઓ GSTઆર-૧ ભરતા નથી. GST વિભાગ પાસે ૧૮,૧૯૮ અરજીઓ રિફંડની આવી હતી. જેમાં તપાસ કરીને ૧૭,૩૦૫ અરજીઓનો નિકાલ કરીને ૨,૯૯૬ કરોડનું રિફંડ ચૂકવી દેવામાં આવ્યું હતું.

તા.૧-૭-૧૭ થી તા.૧૪-૧૨-૧૮ સુધીમાં જેમણે GSTના નવા નંબર માટે અરજી કરી હતી તેમના ધંધા સ્થળની GST અધિકારીઓ મુલાકાત લેશે. GST નંબરવાળું બોર્ડ રાખવું પડશે. બિલ બુક રસીદ, હાજર સ્ટોક, ખરીદી-વેચાણ અને રોજમેળના હિસાબો ઉપરાંત કોમ્પોઝિશન ડીલર હોય તો તેનું બોર્ડ રાખવું પડશે. ધંધાના સ્થળની મુલાકાત લઇને નિયમ ૨૫ મુજબ ફોટોગ્રાફી પણ લેશે. જે નિયમનું પાલન નહીં કર્યું હોય તો પેનલ્ટી પણ ફટકારી દેવામાં આવશે.

 

December 17, 2018
pro_logo.jpg
1min15180

  • નવ શહેરોમાં મકાનના વેચાણના પ્રમાણમાં 25 ટકા જેટલી વૃદ્ધિ
  • 2018માં નવા ઘરોની આપૂર્તિમાં 22 ટકાનો ઘટાડો
  • સસ્તા મકાનની માગમાં થયેલો વધારા

દેશના 9 પ્રમુખ શહેરોમાં 2018ના વર્ષમાં મકાનના વેચાણના પ્રમાણમાં 25 ટકા જેટલી વૃદ્ધિ થઈ 3.1 લાખ એકમ સુધી પહોંચ્યું છે. પ્રોપટાઈગર.કોમના રિપોર્ટ અનુસાર સસ્તા મકાનની માગમાં થયેલા વધારાને કારણે મકાનના વેચાણમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. બીજી તરફ ગયા વર્ષની સરખામણીએ 2018માં નવા ઘરોની આપૂર્તિમાં 22 ટકાનો ઘટાડો નોંધાયો છે. જેનું મુખ્ય કારણ રોકડની અછત અને રેરાની કડક અમલવારી હોવાનું ગણવામાં આવે છે.

નવ શહેરોમાં થયો હતો સરવે

  • મુંબઈ
  • પુણે
  • નોઈડા
  • ગુરૂગ્રામ
  • બેંગલુરૂ
  • ચેન્નઈ
  • હૈદરાબાદ
  • કોલકાત
  • અમદાવાદ

પ્રોપટાઈગરના’ રિપોર્ટમાં મુંબઈ, પુણે, નોઈડા, ગુરૂગ્રામ, બેંગલુરૂ, ચેન્નઈ, હૈદરાબાદ, કોલકાતા અને અમદાવાદના રીયલ એસ્ટેટ ક્ષેત્રનો સર્વે કરવામાં આવ્યો હતો.’ રીયલ એસ્ટેટના ક્ષેત્રમાં એક વર્ષના લેખાજોખામાં પ્રોપ ટાઈગરે કહ્યું છે કે, ગયા વર્ષે નોટબંધીના પ્રભાવના કારણે મકાનના વેંચાણમાં ઘટાડો આવ્યો હતો. આ ઉપરાંત મે 2017થી લાગુ થયેલા રેરાના કાયદા અને જીએસટીની અમલવારી પણ પ્રભાવિત રહી હતી.

રિયલ્ટી પોર્ટલના કહેવા પ્રમાણે 2018માં નવા મકાનની આપૂર્તિ ગયા વર્ષની તુલનાએ 22 ટકા ઘટીને 1.9 લાખ એકમએ પહોંચી હતી. નવા રીયલ એસ્ટેટ કાયદા રેરાની જોગવાઈની કડક અમલવારીના કારણે બિલ્ડરોએ નવા પ્રોજેક્ટ શરૂ કરવામાં ભારે સાવધાની રાખી હતી. આ ઉપરાંત રોકડની અછતાના કારણે પહેલા બનાવેલા મકાન વેંચાયા ન હોવાની નવા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા ન હોવાનું કહેવામાં આવ્યું છે. અહેવાલ પ્રમાણે 2018માં મુંબઈમાં ઘરોનું વેચાણ 34 ટકા વધ્યું હતું. જ્યારે પુણેમાં વેચાણ પાછલા વર્ષની સરખામણીએ 47 ટકા વધ્યું છે. આ ઉપરાંત દક્ષિણના રાજ્યોમાં પણ મકાનના વેચાણમાં ભારે ઉછાળો નોંધાયો છે.