CIA ALERT
08. May 2024
February 15, 20191min7160

Related Articles



પુલવામાં શહીદ સૈનિકોના માનમાં શનિવારે સુરતની ટેક્સટાઇલ માર્કેટો બંધ પાળશે

Share On :
Print Friendly, PDF & Email

કાશ્મીરના પુલવામાં ખાતે તા.14મી ફેબ્રુઆરીએ આતંકી હુમલામાં માર્યા ગયેલા શહીદોના માનમાં તા.16મી ફેબ્રુઆરી 2019 ને શનિવારે સુરતનું કાપડ બજાર સંપૂર્ણ બંધ પાળશે એમ જણાવાયું છે.

ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોશીએશનની આજે મળેલી બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ ફોસ્ટા સાથે સંલગ્ન હોય તેવી કુલ 165 માર્કેટ તેમજ અન્ય 25થી વધુ માર્કેટ મળીને કમસે કમ 65000થી વધુ ટેક્સટાઇલ વ્યાપારીઓ શનિવાર તા16મી ફેબ્રુઆરીએ વ્યાપાર ધંધો બંધ રાખશે.

સુરતમાંથી રોજેરોજ અંદાજે 250થી વધુ ટ્રક ભરીને કાપડ, સાડીઓ ભારતના અન્ય રાજ્યોમાં રવાના થાય છે. એક ટ્રક માલ અંદાજે રૂ.70 લાખનો થાય છે. એ જોતા અંદાજે 170 કરોડની રકમનો વ્યાપાર વેપારીઓ જતો કરશે. એ સિવાય સ્થાનિક બજારની ખરીદી મળીને કમસે કમ રૂ.200 કરોડથી વધુનો વેપાર ધંધો વ્યાપારીઓ છોડી દેશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :