CIA ALERT

બિઝનેસ Archives - Page 61 of 90 - CIA Live

August 29, 2019
SpiceJet-MAX2.jpg
3min10110

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ભારતની પ્રાઇવેટ એવીએશન કંપની સ્પાઇશ જેટ દ્વારા હાલમાં દેશ વિદેશ ઘૂમો નામની સ્કીમ લોંચ કરવામાં આવી છે. આ સ્કીમ અન્વયે ફ્લાય સ્પાઇસ જેટ દ્વારા ફેસબુક સમેતના સોશ્યલ મિડીયા પર જે પોસ્ટર સ્પોન્સર્ડ અને વાઇરલ કરાવવામાં આવ્યા છે તેના રિસ્પોન્સ કમેન્ટ્સમાં લોકોએ સ્પાઇશ જેટને એટલી ગાળો દીધી છે કે ન પૂછો વાત. સુરતી દેવાનું જ બાકી રાખ્યું છે.

1299માં ભારતમાં અને 3999માં વિદેશમાં ઘૂમવાની ઓફર સાથે સ્પાઇશ જેટ દ્વારા નીચે મુજબનું પોસ્ટર ફેસબુક પર લોંચ કરવામાં આવ્યું છે.

ઉપરોક્ત પોસ્ટરના અનુસંધાને ભારતના અનેક ફેસબુક યુઝર્સે સ્પાઇશ જેટને એટલી ગાળો દીધી છે કે, કદાચ આજકાલમાં સ્પાઇશ જેટ આ સ્કીમને પાછી ખેંચી લે તો નવાઇ નહીં. લોકોએ સ્પાઇશ જેટની ડિસ્કાઉન્ટ સ્કીમની આ ઓફરને ફેક ગણાવીને લોકોને મૂર્ખ બનાવવામાં આવી રહ્યાની ફરીયાદો કરી છે. ઘણાં ફેસબુક યુઝર્સે લખ્યું કે કે તેઓ આ મૂર્ખા બનાઉ જાહેરાત સામે કન્ઝ્યુમર કોર્ટમાં જવાના છે.

સ્પાઇશ જેટની મૂર્ખા બનાઉ સ્કીમ સામે લોકોએ કેવી કેવી કમેન્ટસ કરી છે વાંચો અહીં

August 29, 2019
fdi.jpg
1min8350

કેન્દ્ર સરકારે વિદેશી સિંગલ બ્રાન્ડ રિટેલર્સમાંના સીધા વિદેશી રોકાણ (એફડીઆઇ) માટેના નિયમ હળવા બનાવ્યા છે અને કૉન્ટ્રેક્ટ મેન્યુફેક્ચરિંગ તેમ જ કોલસાના ખાણકામમાં ૧૦૦ ટકા વિદેશી રોકાણને પરવાનગી આપી છે.

વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ મળેલી કેન્દ્રના પ્રધાનમંડળની બેઠકમાંના નિર્ણય અંગે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે કોલસાના ખાણકામ અને સંલગ્ન આંતરિક માળખામાં આપમેળે ૧૦૦ ટકા સીધા વિદેશી રોકાણને પરવાનગી અપાઇ છે.

તેમણે જણાવ્યું હતું કે દેશમાં ઉત્પાદન (મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર)ને વેગ આપવા માટે કૉન્ટ્રેક્ટ મેન્યુફેક્ચરિંગમાં ૧૦૦ ટકા સીધા વિદેશી રોકાણને આપમેળે પરવાનગી આપતી સુવિધા ઊભી કરવાનો નિર્ણય લેવાયો હતો.

પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ડિજિટલ માધ્યમમાં ૨૬ ટકા સીધા વિદેશી રોકાણને પરવાનગી અપાઇ છે. કેન્દ્રીય પ્રધાનમંડળે સિંગલ બ્રાન્ડ રિટેલિંગમાંના સીધા વિદેશી રોકાણ માટે ૩૦ ટકા સ્થાનિક સ્રોત (ડોમેસ્ટિક સોર્સિંગ) ફરજિયાત બનાવતી વ્યાખ્યામાં ફેરફાર કર્યા હતા.

કેબિનેટે સિંગલ બ્રાન્ડ રિટેલર્સને ઓનલાઇન વેચાણ શરૂ કરવાની પરવાનગી આપી હતી અને પરંપરાગત દુકાન ફરજિયાત શરૂ કરવાની નિયમને કાઢી નાખ્યો હતો.

August 27, 2019
CIA_Live_Logo_New2.jpg
1min13650

Jayesh Brahmbhatt 98253 44944

આગામી મહિનાઓમાં જેમ્સ એન્ડ જ્વેલરી એક્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા સુરત ખાતે સૌપ્રથમ વખત ડાયમંડસની જાહેર હરાજી કરવામાં આવશે. GJEPC ના ચેરમેન શ્રી દિનેશભાઇ નાવડીયાએ જણાવ્યું છે કે સુરતમાં અંદાજે 25000 કેરેટસના ડાયમંડનું અવલોકન અને ત્યારબાદ તબક્કાવાર હરાજી યોજવામાં આવશે. પણ આ હરાજીમાં એ લોકો જ ભાગ લઇ શકશે જેઓ GJEPC મેમ્બર હોય. આથી સુરતના ડાયમંડ બિઝનેસકર્તાઓને જણાવાયું છે કે જે તેમણે 25000 કેરેટ ડાયમંડના સુરત ખાતેના પ્રથમ હરાજીમાં ભાગ લેવો હોય તો સત્વરે મેમ્બરશીપ ઔપચારિકતાઓ પૂરી કરી દે.

ફક્ત GJEPC મેમ્બર ભાગ લઇ શકશે, જેઓ મેમ્બર નથી એ સત્વરે મેમ્બર બને : દિનેશ નાવડીયા, રિજિયોનલ ચેરમેન

ઇચ્છાપોર સ્થિત જીજેઇપીસી દ્વારા સૂચિત ઇન્ટરનેશનલ ડાયટ્રેડ સેન્ટરને સ્પેશયલ દરજ્જો મળે તે માટે જીજેઇપીસીના રિજીયોનલ ચેરમેન શ્રી દિનેશ નાવડીયા અધિકારીઓ સાથે એક અગત્યની મિટીંગ કરી રહ્યા છે.

વધુ માહિતી આપતા GJEPC ના રિજિયોનલ ચેરમેન શ્રી દિનેશભાઇ નાવડીયાએ જણાવ્યું હતું કે કાઉન્સિલ દ્વારા ગુજરાત હીરા બુર્સ, ઇચ્છાપોર-સુરત ખાતે તૈયાર કરવામાં આવેલા સુરત ઇન્ટરનેશનલ ડાયટ્રેડ સેન્ટર કે જેને સ્પેશ્યલ નોટિફાઇડ ઝોનનો દરજ્જો મળે તે માટેના પ્રોસિડીંગ્સ શરૂ કરી દેવામાં આવ્યા છે અને હાલમાં એ કાર્યવાહી કસ્ટમ્સ વિભાગની ચકાસણી હેઠળ છે. કસ્ટમ્સ વિભાગે હીરા બુર્સ ખાતેના સ્પેશ્યલ ડાયટ્રેડ સેન્ટરનું ફિઝિકલ વેરિફીકેશન પણ પૂર્ણ કર્યું છે. હવે રિપોર્ટ સેન્ટ્રલ ગવર્નમેન્ટને મોકલ્યા બાદ આખરી નિર્ણય લેવાશે.

શ્રી દિનેશ નાવડીયાએ વધુમાં જણાવ્યું કે આ ઉપરાંત પન્ના માઇન્સના પ્રોડ્યુસર એન.એમ.ડીસી. લિ. દ્વારા પણ સુરત સ્થિત સ્પેશ્યલ ડાયટ્રેડ સેન્ટરની મુલાકાત લેવામાં આવી ચૂકી છે. આગામી સપ્ટેમ્બર માસ દરમિયાન સર્વપ્રથમ વખત કાઉન્સિલ મેમ્બર હોય તેવા સભ્યો માટે અવલોકન યોજવામાં આવશે અને એ પછી ઓનલાઇન પોર્ટલ દ્વારા તેની હરાજી કરવામાં આવશે.

જે વ્યાપારી મિત્રો આ અવલોકન અને હરાજીમાં ભાગ લેવા માંગતા હોય તેમણે અવલોકન માટેનું સભ્યપદ મેળવી લેવા અનુરોધ છે. સપ્ટેમ્બર માસમાં એન.એમ.ડી.સી. લિ. દ્વારા અવલોકન અને હરાજીમાં ભાગ લેવા માટેનું રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે. અને ત્યારે કાઉન્સિલનું સભ્યપદની વિગત અનિવાર્ય રહેશે. તેથી સત્વરે સભ્યપદની કાર્યવાહી પૂર્ણ કરી લેવા અનુરોધ કરવામાં આવે છે.

સુરત ખાતે આગામી દિવસોમાં અંદાજે 25000 કેરેટનું પ્રથમ ઓકશન યોજાશે અને ત્યારબાદ પ્રતિ 2-3 માસના ગાળાએ આ પ્રકારનું અવલોકન અને હરાજી કરવામાં આવે તેવી સંભાવનાઓ છે. આ વ્યવસ્થા થકી સુરત અને ગુજરાતના હીરા ઉદ્યોગકારોને હીરાની સીધી ખરીદી કરવાનું પ્લેટફોર્મ મળશે અને તેનો ફાયદો સમગ્ર હીરા ઉદ્યોગને મળશે.

August 26, 2019
gold2.jpg
1min14370

ઓગસ્ટ 2019ના મહિનામાં સોનાના ભાવો જે રીતે ઉછળ્યા છે એ જોતા આવી તેજી અગાઉ ક્યારેય નોંધાઇ નથી. એક જ મહિનાના સમયગાળામાં એક તોલા સોનાના ભાવમાં રૂ.4 હજારથી વધુનો ઉછાળો નોંધાયો છે અને હવે સોનું મધ્યમવર્ગીય પરિવારોથી પણ દૂર થઇ રહ્યું છે.

સોનાના ભાવમાં આવી અભૂતપૂર્વ તેજી અગાઉ ક્યારેય નથી જોવા મળી. જન્માષ્ટમીના એક દિવસ અગાઉ ગઇ તા. 23 ઓગસ્ટ 2019ના રોજ શુક્રવારે ગુજરાતના અમદાવાદ શહેરમાં 24 કેરેટ ગોલ્ડ (સોનુ)નો ભાવ પ્રતિ તોલાએ 38,920 રૂપિયા પર બંધ થયો હતો. એ પછી આજે તા.26મી ઓગસ્ટ 2019ના રોજ માર્કેટ શરૂ થતાં જ સોનાના ભાવમાં રૂ. 1215 રૂપિયાનો ઉછાળો થયો હતો અને ગુજરાતના અમદાવાદમાં ઇતિહાસમાં પહેલી વખત 24 કેરેટ શુદ્ધ સોનાનો ભાવ પ્રતિ તોલાએ રૂ.40 હજારના માઇલસ્ટોનને પાર કરીને એક તબક્કે 40,175ની સપાટી વટાવી ગયો હતો.

અમદાવાદ સમેત મુંબઇ અને સુરતના વેપારીઓને ચિંતા પેઠી છે કે હવે તહેવારો ખાસ કરીને પુષ્ય નક્ષત્ર અને દિવાળીના તહેવારોમાં લોકોની સોનાની ખરીદી ઘટી જશે અને ધંધો સાવ મંદ પડી જશે.

ગત જુલાઈ 2019માં 24 કેરેટ સોનાનો ભાવ રૂ.36,000 પ્રતિ 10 ગ્રામ હતો. એક જ મહિનામાં સોનાના ભાવમાં સીધો રૂ 4000નો વધારો જોવા મળ્યો છે.

August 24, 2019
amazon_logo.png
1min11560

એમેઝોને તેનો ઓનલાઇન ગ્રોસરી સ્ટોર ‘એમેઝોન ફ્રેશ’ ભારતમાં શરૂ કર્યો છે, જેની હેઠળ કંપની તાજાં ફળ, શાકભાજી, ડેરી અને મીટ આઇટમ તેમજ અન્ય પેકેજ્ડ ફૂડ આઇટમનું વેચાણ કરશે. 

ઓનલાઇન ફૂડ અને ગ્રોસરી માર્કેટમાં સ્પર્ધા વધી રહી છે અને હરીફ કંપની ફ્લિપકાર્ટ પણ આ માર્કેટમાં પ્રવેશવા માટે નજર દોડાવી રહી છે તેવા સમયે એમેઝોન તરફથી આ હિલચાલ જોવા મળી છે. ભારતના ઓનલાઇન ફૂડ અને ગ્રોસરી માર્કેટમાં અત્યારે બિગબાસ્કેટ સૌથી મોટું નામ છે, ત્યાર બાદ ગ્રોફર્સનો ક્રમ આવે છે એમ એનાલિસ્ટ્સ જણાવે છે. 

એમેઝોન ફ્રેશ સૌ પ્રથમ 2007માં સીટલમાં લોન્ચ થઈ હતી. એમેઝોને ભારતમાં તેનું લોન્ચિંગ નહોતું કર્યું અને તેના સ્થાને પ્રાઇમ નાઉ એપ્લિકેશન દ્વારા ફૂડ આઇટમની એક્સપ્રેસ ડિલિવરી શરૂ કરી હતી. 

એમેઝોને જણાવ્યું છે કે, તેની મુખ્ય વેબસાઇટ અને એપ્લિકેશન દ્વારા એમેઝોન ફ્રેશનો ઉપયોગ થઈ શકશે. કંપની તેની પ્રાઇમ નાઉ સર્વિસ 23 ઓગસ્ટે બેંગલુરુમાં લોન્ચ કર્યા બાદ મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ જેવાં શહેરોમાં પણ લોન્ચ કરશે. એમેઝોન ફ્રેશ પરથી ગ્રાહકો 5,000 ફળ, શાકભાજી, ડેરી, મીટ, આઇસક્રીમ, ડ્રાય ગ્રોસરી જેવી વસ્તુઓ ખરીદી શકશે. 

August 18, 2019
sabji_market-1280x720.jpg
1min7430

ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક હાઈવે બંધ છે, મહારાષ્ટ્ર તરફથી આવતાં શાકભાજીની ટ્રકો ફસાઇ હોવાથી ગુજરાતના જુદાજુદા શહેરોમાં શાકભાજીનો સપ્લાય અનિયમિત બન્યો છે. સુરત, ભરૂચ, વડોદરા, અમદાવાદ સુધી શાકભાજીની સપ્લાય ચેઇન બ્રેક થઇ જતા હાલ શાકભાજીના ભાવો ચોમાસામાં ભડકે બળ્યા છે. રિંગણા અમદાવાદમાં 130 રૂપિયે કિલો જ્યારે સુરતમાં 120 રૂપિયે કિલો વેચાયા હોવાના અહેવાલો છે.

symbolic Photo

સુરત સમેત ગુજરાતની શબ્જી મંડીઓમાં શાકભાજીનો માલ સમયસર પહોંચતો ન હોવાથી તેમના દ્વારા માલની હેરફેર બંધ કરવામાં આવી હતી. શાકભાજીની નવી આવક ઘટવાના પગલે લીલા શાકભાજીના ભાવમાં ઉછાળો આવ્યો હતો.

ગુજરાતમાં ધોધમાર વરસાદથી પીવાના અને સિંચાઈના પાણીમાં રાહત મળી છે, પરંતુ ભારે વરસાદના કારણે શાકભાજીની આવક પણ ઘટી છે. પરિણામે શાકભાજીના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે.

સિંગતેલ અને કઠોળના ભાવ વધારા પછી હવે શાકભાજીના ભાવમાં પણ વધારો થયો હતો. સૌથી વધુ રીંગણા મોંઘા બન્યા છે. ચાર પાંચ દિવસ પહેલા ૧૦-૧૫ રૂપિયાના કિલો વેચાતા રીંગણા યાર્ડમાં હરાજીમાં રૂ. ૧૩૦માં વેચાયા હતા જ્યારે છૂટક માર્કેટમાં રૂ.૧૫૦ સુધી ભાવ બોલાયા હતા.

ધ્રાબડિયા વાતાવરણને કારણે રીંગણાના પાકમાં ઈયળોનો ઉપદ્રવ વધી ગયો છે. જે ફૂલ અને કળી આવી હતી તે ખરી ગઈ છે એટલે ભાવ વધ્યો છે. સિઝનમાં ૧૦૦ ટન જેટલી આવક થાય છે તેના બદલે હાલની આવક માત્ર ૫ ટન જ છે. જેથી સામાન્ય રીતે ૩૦-૪૦ રૂપિયે મળતા શાકભાજી અત્યારે ૮૦થી ૧૦૦ રૂપિયા સુધી થઇ ગયા છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં શાકભાજીનું ઉત્પાદન ઘટ્યું છે. ઠેર-ઠેર પાણી ભરાતા પરપ્રાંતથી આવતી શાકભાજીની આવકમાં પણ ૪૦ ટકાનો ઘટાડો થયો હતો. ગુજરાતમાં શાકભાજીના ભાવમાં ૩૦થી ૪૦ ટકા જેટલો વધારો થતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના બજેટ ખોરવાયા છે.

August 13, 2019
gold2.jpg
1min5420

નાણાકીય વર્ષનાં પહેલા ત્રિમાસિકગાળામાં દેશની સોનાની આયાત ગત સાસના સમાનગાળાના ૮.૪૫ અબજ ડૉલર સામે ૩૫.૫ ટકાથી વધીને ૧૧.૪૫ અબજ ડૉલરની સપાટીએ રહી હોવાથી ચાલુ ખાતાની ખાધ પણ દબાણ હેઠળ રહી હોવાનું વાણિજ્ય મંત્રાલયે એક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. 

સમીક્ષા હેઠળના સમયગાળામાં ચાલુ ખાતાની ખાધ અર્થાત્ નિકાસ અને આયાત વચ્ચેનો તફાવત જીડીપીના ૨.૧ ટકા અથવા તો ૫૭.૨ અબજ ડૉલરના સ્તરે રહી હતી. જે ગત સાલના સમાનગાળામાં જીડીપીના ૧.૮ ટકા અથવા તો ૪૮.૭ અબજ ડૉલરના સ્તરે રહી હતી. સોનાની આયાતમાં વધારો થતાં આ સમય દરમિયાન દેશની વેપારી ખાધ ગત સાલના સમાનગાળાના ૪૪.૯૪ અબજ ડૉલર સામે વધીને ૪૫.૯૬ અબજ ડૉલરની સપાટીએ રહી હતી. ગત જાન્યુઆરીથી જૂન સુધીમાં એકમાત્ર ફેબ્રુઆરી મહિનામાં સોનાની આયાતમાં અંદાજે ૧૧ ટકાનો ઘટાડો થયો હતો, આ સિવાય આયાતમાં દ્વિઅંકી સંખ્યામાં જ વૃદ્ધિ જોવા મળી છે. દેશમાં જ્વેલરી ઉદ્યોગની માગ સંતોષવા માટે વર્ષે અંદાજે ૮૦૦થી ૯૦૦ ટન સોનાની આયાત થાય છે. સોનાની આયાતની વેપારી ખાધ તેમ જ ચાલુ ખાતાની ખાધ પર નકારાત્મક અસર પડતી હોવાથી સરકારે આયાત નિયંત્રણમાં રાખવા માટે આ વર્ષનાં અંદાજપત્રમાં સોના પરની આયાત જકાત જે ૧૦ ટકા હતી તે વધારીને ૧૨.૫૦ ટકા કરી હતી. ઉદ્યોગનાં નિષ્ણાતોના મતાનુસાર ઊંચી આયાત જકાતને કારણે આ ક્ષેત્રનાં વેપારીઓ તેનાં ઉત્પાદનના એકમો પાડોશી દેશોમાં ખસેડે તેવી શક્યતા પ્રબળ બની છે. જોકે, જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે પણ આયાત જકાતમાં થયેલા વધારા સામે નારાજગી વ્યક્ત કરી છે. ગત નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં દેશની સોનાની આયાત મૂલ્યની દૃષ્ટિએ ત્રણ ટકા ઘટીને ૩.૨૮ અબજ ડૉલરની સપાટીએ રહી હતી.

August 12, 2019
CIA_Live_Logo_New2.jpg
1min16900

રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી એ આજરોજ તા.12મી ઓગસ્ટના રોજ જીઓ ગીગાફાઇબરના ટેરીફની ઘોષણા કરી અને કેટલાક મિડીયા હાઉસીસોએ એટલા ગુણગાન ગાઇ નાંખ્યા કે રિલાયન્સ ગીગાફાઇબર મફતમાં સેવા આપવાનું છે અને વહેલો તે પહેલો, છેલ્લો આવ્યો તે રહી ગયો એમ સામાન્ય લોકોમાં એક હાઇપ ઉભી કરી દીધી છે.

જીઓની મોબાઇલ સર્વિસ જ્યારે લોંચ થઇ ત્યારે પણ મુકેશ અંબાણી અને કંપનીના અધિકારીઓએ ગ્રાહકોને જણાવ્યું હતું કે સૌથી સસ્તી સેવા અને સૌથી ઝડપી ઇન્ટરનેટ સુવિધા હશે. પરંતુ, સુરત સમેત સમગ્ર દેશમાંથી ઉઠી રહેલી ફરીયાદો, જીઓ કસ્ટમર કેર ના ઇમેલ્સ અને મેસેજ બોક્સીસ તપાસીએ તો ખબર પડશે કે લાખો લોકો જીઓ મોબાઇલ સર્વિસ લઇને પસ્તાયા છે. હકીકતમાં જીયો ઇન્ટરનેટ સર્વિસે ગ્રાહકોને એ વાતની ખબર પાડી દીધી છે કે સસ્તું હોય એ બધું સારું હોતું નથી.

હકીકતમાં જીઓ મોબાઇલએ ફોર જી સ્પીડ આપવાની કરેલી જાહેરાત સાવ પોકળ અને બોગસ હોવાનું જણાય આવે છે અને તેના ગ્રાહકો દેશભરમાંથી આવી ફરીયાદો કરી રહ્યા છે. અન્ય મોબાઇલ સર્વિસ છોડીને જીઓને અપનાવનારા લોકો પસ્તાય રહ્યા છે કેમકે જીઓ ઇન્ટરનેટ કનેક્ટીવીટીનો કોઇ ભરોસો નથી. એવી ફરીયાદો મળી છે કે જ્યારે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરવામાં આવે ત્યારે જ જીઓની કહેવાતી ફોર જી નેટ સુવિધા ખોટકાઇ જાય છે અને ગ્રાહકોએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

જીઓની મોબાઇલ સર્વિસ અને નેટ યુઝર્સે તો ત્યાં સુધી ફરીયાદ કરી છે કે ફોર જી નેટના નામે ગ્રાહકોને જીઓ કંપની રીતસર ઉલ્લું બનાવવાના ધંધા કરી રહી છે. કસ્ટમર કેર પર ફરીયાદ કરવામાં આવે તો સ્ટીરીયોટાઇપ જવાબ આપવામાં આવે છે કે તમારા મોબાઇલમાં ખામી છે કે તમારા એરીયામાં ખામી છે.

જીઓનું કહેવાતું ફોર જી નેટનો ઉપયોગ કરી રહેલા ગ્રાહકો એવી પણ ફરીયાદ કરી રહ્યા છે, જીયો ફોર જી નેટ માંડ પાંચ મિનિટ કન્ટીન્યુઅસ ચાલી શકે છે અને જો ચાર-પાંચ મિનિટમાં ખોટકાય તો એ જીયો કંપની ન કહેવાય. આટલી હદે જીઓથી લોકો કંટાળી ગયા છે ત્યારે રિલાયન્સનું ગીગાફાઇબર અને તેના પ્લાન લોંચ કરીને મુકેશ અંબાણીએ કોઇ મોટી ધાડ મારી હોય તેવી કાગારોળ મિડીયાએ મચાવી છે.

હકીકતમાં જીઓ ઇન્ટરનેટ યુઝર્સ સોશ્યલ મિડીયા પર ટ્રોલ કરી રહ્યા છે કે ફોર જી નેટની સાવ ઢંગધડા વગરની બેકાર ક્વોલિટી અને ઓછી સ્પીડની સર્વિસ જોયા પછી જીયોનું ગીગાફાઇબર અપનાવતા પહેલા સો વખત વિચાર કરવો પડશે.

કેટલાક લોકો તો એવી ફરીયાદ કરી રહ્યા છે કે સસ્તા ઇન્ટરનેટની લાલચ આપીને સમગ્ર ઇન્ડસ્ટ્રીનું સેન્ટીમેન્ટ જીઓએ બગાડી નાંખ્યું છે, બીજી કંપનીઓએ પણ જીઓના પગલે સસ્તી સેવા આપવાની ફરજ પડી છે અને એ કંપનીઓની સેવા પણ જીયોની જેમ ભંગાર થવા માંડી છે.

August 12, 2019
CIA_Live_Logo_New2.jpg
1min7680

વડોદરામાં અચાનક પડેલા ભારે વરસાદને પગલે બગડેલા વાહનોના વીમા પાસ કરવામાં ઇન્સ્યુરન્સ કંપનીઓના બેંક બેલેન્સના તળીયા દેખાય જાય તેવી સ્થિતિ છે, અત્યાર સુધી મળેલા અહેવાલો મુજબ એકલા વડોદરામાંથી 8 હજાર ફોર વ્હીલ વ્હીકલ્સને પૂરથી થયેલી નુકસાનીના ક્લેઇમ કરવામાં આવ્યા છે. સર્વિસ સ્ટેશનો અને ગેરેજમાં ફોરવ્હીલ ગાડીઓ રીપેર કરવા માટે ખડકલો થઇને પડી છે. હજુ તો બગડેલી ગાડીઓ રોજેરોજ ખડકાઇ રહી છે.

વડોદરામાં ખાબકેલા ૨૦ ઇંચ વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા અને આ વરસાદી પાણીમાં હજારોની સંખ્યામાં વાહનો પણ ગરકાવ થયા હતા, હવે જ્યારે વરસાદી પાણી ઓસરી રહ્યા છે ત્યારે એક શહેરમાં ૧૦ હજારથી વધારે ફોર વ્હીલર ગાડીઓ રિપેરિંગ માટે સર્વિસ સ્ટેશન કે ઓટો ગેરેજમાં લઈ જવામાં આવી હતી. અને વાહનો રીપેર થઈને વાહનચાલકોને ફરી મળે તે માટે વાહન ચાલકોને પંદર દિવસથી લઈને એક મહિના સુધી રાહ જોવી પડશે. વાહનોમાં પાણી ભરાઈ જવાને કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું હતુ. ફોર વ્હીલરના માલિકો દ્વારા ઇન્સ્યોરન્સ કંપનીમાં ૮૦૦૦થી વધારે ક્લેમ કરવામાં આવ્યા હતા. શહેરના વિવિધ ઓટોમોબાઇલ્સના શો રૂમ ઉપર મોટી સંખ્યામાં વાહનોનો ખડકલો જોવા મળી રહ્યો છે. 

August 9, 2019
homa_auto.jpg
1min8820

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપોરેટમાં 0.35 ટકાનો ઘટાડો કરતા જ બેંકોએ પણ પોતાના ધિરાણ દરો ઘટાડવા માંડ્યા છે. તા.8મી ઓગસ્ટ 2019ના રોજ સ્ટેટબેંક અને હવે અન્ય ત્રણ બેંકો ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ, આઇ.ડી.બી.આઇ. તેમજ બેંક ઓફ મહારાષ્ટ્રએ હોમલોન તેમજ ઓટોલોનના વ્યાજના દરોમાં 0.05થી 0.15 ટકા સુધીના ઘટાડા કર્યા છે. આ ઘટાડો તા.12મી ઓગસ્ટ 2019થી લાગૂ પડશે. નવા ગ્રાહકોને આ ઘટાડાનો સીધો લાભ મળવાપાત્ર છે.

આ ઘટાડા બાદ નવી લૉન ઉપરાંત જૂની ચાલતી લૉનના ઈએમઆઈ પણ સસ્તા થઈ જશે.

ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ (OBC), બેંક ઓફ મહારાષ્ટ્ર અને IDBI બેંક શામેલ છે.

IDBI બેંકે એક વર્ષ માટે લીધેલી લોન પર વ્યાજદર 0.10 ટકા ઘટાડીને 8.95 ટકા કર્યો છે.

ત્રણ મહિનાથી 3 વર્ષ માટે વ્યાજદરમાં 0.05થી 0.15 ટકા ઘટાડો કરાયો છે. આ નવો ઘટાડો 12 ઓગસ્ટથી લાગૂ થશે.

ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સે અલગ-અલગ સમયની લૉન પર 0.10 ટકા ઘટાડો કર્યો છે. એક વર્ષની લૉન પર 0.10 ટકા વ્યાજદર ઘટાડીને 8.55 ટકા કર્યો છે. બેંકનો નવો વ્યાજદર 10 ઓગસ્ટથી અમલમાં આવશે.

બેંક ઓફ મહારાષ્ટ્રના ઘટાડા બાદ 1 વર્ષની લૉન પર વ્યાજદર 8.50 ટકા થઈ ગયો છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની હાલમાં મળેલી બેઠકમાં રેપો રેટમાં 35 બેસિસ પોઈન્ટ ઘટાડો કરાયો હતો. આ બાદ હવે રેપોરેટ 5.75 ટકાથી ઘટાડીને 5.40 ટકા થઈ ગયો છે.

કેન્દ્રીય બેંકના આ નિર્ણય બાદ SBIએ તરત જ વ્યાજદરમાં 0.15 ટકા ઘટાડો કર્યો હતો.