આઈટી ઉદ્યોગમાં અને બેંગ્લૂરુમાં કર્મચારીઓને સૌથી વધુ પગાર મળે છે તેવું એક અહેવાલ જણાવે છે. બેંગ્લૂરુમાં જુનિયર લેવલ કર્મચારીનો સીટીસી (કોસ્ટ ટૂ કંપની – વાર્ષિક પગાર) ૫.૨૭ લાખ રૂપિયા, મિડ-લેવલ કર્મચારીને ૧૬.૪૫ લાખ રૂપિયા, અને સિનિયર લેવલ કર્મચારીને ૩૫.૪૫ લાખ રૂપિયા પગાર મળે છે. ૨૦૧૭ અને ૨૦૧૮માં પણ સૌથી વધુ પગાર મળે તેવા શહેરોમાં બેંગ્લૂરુ જ પ્રથમ ક્રમે હતું.
જુનિયર લેવલ પર હૈદ્રાબાદમાં પાંચ લાખ, મુંબઈમાં ૪.૫૯ લાખ રૂપિયાના પગાર સાથે બંને શહેરે બીજો અને ત્રીજો ક્રમ મેળવ્યો હતો. મિડ-લેવલ કર્મચારીને મુંબઈમાં ૧૫.૦ લાખ રૂપિયા, નેશનલ કેપિટલ રિજિયનમાં ૧૪.૫૦ લાખ રૂપિયા સાથેે બંને શહેરને અનુક્રમે બીજો અને ત્રીજો ક્રમ મળ્યો હતો. સિનિયર લેવલ કર્મચારીઓને મુંબઈમાં ૩૩.૯૫ લાખ રૂપિયા અને પુનેમાં ૩૨.૬૮ લાખ રૂપિયાના વાર્ષિક પગાર સાથે બંને શહેર બીજા અને ત્રીજા ક્રમે રહ્યા હતાં.
જુનિયર લેવલ કર્મચારીઓને ૪.૯૬ લાખ રૂપિયા પગાર અને સિનિયર લેવલ કર્મચારીઓ માટે ૩૫.૮૪ લાખ રૂપિયા પગાર સાથે આઈટી ઉદ્યોગ સૌથી ટોચ પર રહ્યો હતો. સિનિયર લેવલ કર્મચારીઓમાં ડિજિટલ માર્કેટર્સને સૌથી વધુ પગાર આપવામાં આવે છે તેવું અહેવાલમાં કહેવામાં આવ્યું છે. ડિજિટલ માર્કેટર્સને ૩૫.૬૫ લાખ રૂપિયા પગાર મળ્યો હતો.
જીએસટી કાઉન્સીલની આજે મળેલી 38મી બેઠકમાં પહેલીવાર કોઈ નિર્ણય કરવા માટે મતદાનનો આશરો લેવો પડયો હતો. લોટરી ઉપર જીએસટીનો એક જ દર રાખવા માટે સમિતિમાં મતદાન કરાવવું પડયું હતું કારણ કે આ મુદ્દે રાજ્યો એકમત થઈ રહ્યા નહોતાં. આખરે બહુમતથી લોટરી ઉપર એકસમાન 28 ટકા ટકાનો દર લાગુ કરવાનો નિર્ણય થયો હતો.
18 December નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સીલની બેઠક મળી હતી. અત્યાર સુધી મળેલી 37 બેઠકોમાં તમામ નિર્ણયો સર્વાનુમતે લેવાતા રહ્યા છે પણ લોટરીનાં કિસ્સામાં મતદાન કરાવવાની ફરજ પડી હતી. રાજ્ય સરકારો દ્વારા ચલાવવામાં આવતી લોટરી ઉપર અત્યારે 12 ટકા જીએટી લાગે છે. જ્યારે તેમનાં દ્વારા અધિકૃત અને રાજ્ય બહાર વેચાતી લોટરી ઉપર 28 ટકા ટેક્સ લાગે છે. તેનાં સ્થાને હવે બહુમતીથી તમામ લોટરી ઉપર 28 ટકા જીએસટી લાગુ થશે.
આ ઉપરાંત આજની બેઠકમાં વર્ષ 2017-18 માટે જીએસટીઆર-9 અને જીએસટીઆર-9સી રિટર્ન ફાઈલિંગની મુદ્દત 31 ડિસેમ્બર 2019થી વધારીને 31 જાન્યુઆરી 2020 કરવામાં આવી છે. આ સિવાય ઔદ્યોગિક પાર્ક સ્થાપવા માટે ઔદ્યોગિક પ્લોટની લાંબાગાળાની લીઝને પણ જીએસટી સમિતિએ મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. જમીન લીઝનાં જીએસટી દર 1 જાન્યુઆરી 2020થી લાગુ થશે.
કાઉન્સીલ સમક્ષ કર વસૂલાત વધારવા માટે રજૂઆત કરવામાં આવી હતી પણ તેમાં કરવેરાનાં દર વધારવા સંબંધિત કોઈ નિર્ણય લેવાયો નથી. જીએસટીઆર-1 ફાઈલ નહીં કરવાનાં દંડમાં રાહત અપાઈ છે. હાથ વણાટનાં અને નોનવૂવન થેલા ઉપર એકસમાન 18 ટકા જીએસટી લાગુ થશે. ઈનવોઈસ અપલોડ ન કર્યુ હોય તો ઈનપુટ ટેક્સ ક્રેડિટ અગાઉનાં 20 ટકાનાં સ્થાને 10 ટકા સુધી સીમિત રાખવામાં આવશે.
ગુજરાતમાં ડુંગળીના કિલોના ભાવ રૂ. ૧૨૦ ની ઉપર અને બટાટાના ભાવ પણ કિલોએ રૂ. ૪૦ ના ભાવે વેચાઇ રહ્યાં છે જ્યારે દૂધમાં થોડા દિવસો પહેલા જ અમૂલે લિટરે રૂ. બે નો વધારો ઝીંક્યા પછી સિંગતેલના ભાવમાં પણ એક મહિનામાં એક ડબાના રૂ. ૧૪૦ નો વધારો થયો છે. શાકભાજી અને જીવન જરૂરિયાતોના ભાવમાં થયેલા વધારાથી મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે હવે ભોજનની થાળી દોહ્યલી બની રહી છે.
અમદાવાદમાં બટાટાનો ભાવ કિલોગ્રામ દીઠ રૂ.૪૦ સુધી પહોંચી ગયો છે. બટાટાનો જથ્થાબંધ ભાવ પ્રતિકિલો રૂ. ૧૮ છે. એનો અર્થ એ થયો છે કે, છૂટક બજારમાં બમણો ભાવ વસૂલાય છે. ડીસા તેમજ તેની આજુબાજુના વિસ્તારોમાં બટાટા કિલો રૂ.૨૬ના ભાવે વેચાય છે. બટાટાની સાથે ડુંગળીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. એક સમયે છૂટક બજારમાં પ્રતિ કિલો રૂ. ૮૦ સુધી પહોંચી ગયેલા ડુંગળીના ભાવ ફરીથી વધીને રૂ. ૧૨૦ પ્રતિકિલો થઈ ગયા છે. હવે તેલોનાં ભાવમાં પણ મસમોટો વધારો થયો છે. સિંગતેલ, મકાઈ તેલ, કપાસિયા તેલ, સનફ્લાવર તેલ સહિતનાં તેલોની કિંમતોમાં વધારો થતાં લોકો પરેશાન થઈ ચૂક્યા છે. સિંગતેલનાં ભાવોમાં ભડકો થયો છે. એક જ મહિનામાં સિંગતેલનાં ભાવમાં ૧૪૦ રૂપિયાનો વધારો થયો છે. હાલ સિંગતેલનાં એક ડબ્બાનો ભાવ ૧૮૯૦ રૂપિયા પર પહોંચી ગયો છે. અને આગામી સમયમાં ૨૦૦૦ સુધી પહોંચશે તેવું જાણકારો કહી રહ્યા છે.
ધ નેશનલ કંપની લૉ એપેલેટ ટ્રિબ્યૂનલ (એનસીએલએટી)એ બુધવારે તાતા સન્સના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે સાયરસ મિસ્ત્રીને પુન:સ્થાપિત કરવાનો આદેશ આપ્યો હતો. એન. ચંદ્રશેખરની ચેરમેનપદે નિમણૂક કરવામાં આવી હતી તેને એનસીએલટીએ ગેરકાયદેસર ગણાવી
હતી. આ ચુકાદા સામે તાતા સન્સ અપીલમાં જઈ શકે તે માટે ચાર સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે અને ત્યાં સુધી મિસ્ત્રીને ચેરમેનપદે પુન:સ્થાપિત કરવાનો અમલ મુલતવી રહેશે.
ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીએ ટ્રિબ્યૂનલના જજમેન્ટને પોતાનો અંગત વિજય નહીં પણ માઇનોરિટી શેરહોલ્ડર્સના વિજય તરીકે ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ટાટા ગ્રુપની લાંબાગાળાની વૃદ્ધિ અને વિકાસ માટે આપણે બધાએ સાથે મળીને કામ કરવાનો આ સમય છે.
તાતા જૂથને સંસ્થા તરીકે સમૃદ્ધ કરવા અને શેરહોલ્ડર્સ, રોકાણકારો, તાતા જૂથના કર્મચારીઓ સહિતના તમામ હિતધારકોના હક્કોનું રક્ષણ થઇ શકે તેવી રીતે કંપનીઓના મેનેજમેન્ટ, બોર્ડ, તાતા સન્સનું મેનેજમેન્ટ, તાતા સન્સનું બોર્ડ તાતા સન્સના શેરહોલ્ડર્સ મજબૂત ગવર્નન્સ ફ્રેમવર્ક ધરાવી સુમેળપૂર્વક ખભેખભા મિલાવીને કામ કરવાની આવશ્યકતા છે તેવું તેમણે કહ્યું હતું.
પબ્લિક ફર્મમાંથી ટાટા સન્સને ખાનગી કંપનીમાં બદલવાના પગલાંને પણ એનસીએલએટીએ રદ કર્યું હતું. મિસ્ત્રી સામે કોઈ પગલા ન ભરવા ટાટા સન્સને એનસીએલએટીએ નિર્દેશ આપ્યા હતા. સાયરસ મિસ્ત્રી ડિસેમ્બર, ૨૦૧૨માં ટાટા સન્સના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે રતન તાતાના અનુગામી બન્યા હતા. ઑક્ટોબર, ૨૦૧૬માં તેમને અચાનક જ ચેરમેનપદેથી હટાવાયા હતા. મિસ્ત્રીએ નેશનલ કંપની લૉ ટ્રિબ્યૂનલની મુંબઈ બેંચ સમક્ષ તેમને પદ પરથી હટાવવાના પગલાંને પડકારી હતી. તેમાં સફળતા ન મળતા તેમણે એનસીએલએટીમાં અપીલ કરી હતી.
ઓનલાઈન ટ્રાન્ઝેક્શન NEFT એનઈએફટી મારફતે કરતા લોકો માટે આજરોજ તા. 16 ડિસેમ્બર 2019થી મહત્ત્વની સુવિધા શરૂ થઇ છે. જેમાં NEFT એનઈએફટી સુવિધા અઠવાડિયાના સાતેય દિવસ અને 24 કલાક મળી રહેશે. આ અગાઉ NEFT એનઈએફટી સુવિધા 24 કલાક મળતી ન હતી.
‘ NEFT એનઈએફટી ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનો એક પ્રકાર છે. જેમાં લોકો એક સમયમાં બે લાખ રૂપિયા સુધીની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી શકે છે. સામાન્ય દિવસોમાં NEFT એનઈએફટી’ સુવિધા સવારે આઠ વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી તેમજ પહેલા અને ત્રીજા શનિવારે સવારે આઠ વાગ્યાથી બપોરે’ એક વાગ્યા સુધી સક્રિય રહેતી હતી. જો કે હવે સાત દિવસ અને 24 કલાક સુવિધા મળી શકશે.
What is NEFT?
National Electronic Funds Transfer (NEFT) is an Indian system of electronic transfer of money from one bank to another. It was introduced by Reserve Bank of India. It is an electronic fund transfer system that is based on Deferred Net Settlement (DNS) which settles transaction in batches.
NEFT transfers have now been divided into half-hourly batches with the settlement of the first batch starting after 12:30 am (after midnight) and the last batch ending at midnight. This NEFT timing cycle will function round-the-clock.
Since the settlement of the last NEFT payment batch ends at midnight, you might not be able to make a transaction after 11:30 pm till the beginning of the next batch at 12:30 am the next day.
NEFT charges:
Most banks like the State Bank of India (SBI), ICICI Bank and HDFC Bank do not charge anything for online NEFT transfers. In July, the RBI had waived off all charges on fund transfer through NEFT and RTGS and had also asked banks to pass on the benefits to customers. The RBI has also proposed to mandate banks to make all online NEFT transactions free for savings bank account customers from January 2020.
NEFT limits:
There is no minimum limit for NEFT transfer but it is generally used for fund transfers of up to ₹2 lakh. For high-value transactions, RTGS is used. The maximum NEFT limits vary from bank to bank and also depend on the customer category. For example, ICICI Bank allows NEFT transfers up to ₹10 lakh for most customers but for others, it may allow NEFT transactions up to ₹25 lakh. HDFC Bank, too, has a ₹25 lakh limit for online NEFT transactions.
સૂરતમાં શુક્રથી સોમ ચેમ્બર ઓફ કોમર્સ આયોજિત હીરા-ઝવેરાતનું રાષ્ટ્રીય સ્તરનું સ્પાર્કલ 2019 પ્રદર્શન
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI) દ્વારા આગામી તા.13થી 16 ડિસેમ્બર, શુક્રવારથી સોમવાર સુધી સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે હીરા ઝવેરાતના રાષ્ટ્રીય સ્તરના પ્રદર્શન SPARKLE 2019 સ્પાર્કલનું આયોજન કરવામાં આવ્યું છે. 2020ના વર્ષમાં કારોબાર કરવા માટે સૂરત સમેત ભારતના ખ્યાતનામ ઝવેરીઓ, ઝવેરાત શોરૂમ્સના સંચાલકો જ્વેલરી મેન્યુફેક્ચરર્સને પોતાના ઓર્ડરો નોંધાવશે. સ્પાર્કલ 2019માં ઝવેરાતનું ઉત્પાદન કરતા એક એકથી ચઢીયાતા મેન્યુફેક્ચરર્સ ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ કન્વેન્શન સેન્ટરની એક છત નીચે ચાર દિવસ સુધી સાથે રહીને કારોબાર કરશે.
સ્પાર્કલ પ્રદર્શન અંગે માહિતી આપવા માટે યોજાયેલી પત્રકાર પરિષદમાં સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCU) ના પ્રમુખ શ્રી કેતનભાઇ દેસાઇ, ઉપપ્રમુખ શ્રી દિનેશભાઇ નાવડીયા, એકઝીબિશન કમિટીના ચેરમેન શ્રી દેવેશભાઇ પટેલ, જ્વેલરી મેન્યુફેક્ચરીંગ એસોસીએશનના પ્રમુખ અને સ્પાર્કલના કન્વીનર શ્રી જયંતિભાઇ સમેત અન્ય આગેવાનોએ માહિતી આપતા જણાવ્યું હતું કે ફુલ સિક્યુરિટી કવર, સ્ટોલ ડિઝાઇનિંગમાં ફેરફાર અને ગ્રીન થીમ પર હીરા ઝવેરાતના રાષ્ટ્રીય સ્તરના પ્રદર્શન સ્પાર્કલનું આયોજન કરવામાં આવ્યું છે.
સ્પાર્કલમાં છેલ્લા બે વર્ષથી બી ટુ બી એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ પેટર્ન પર આયોજન કરવામાં આવે છે. આ વખતે સ્પાર્કલમાં દિલ્હીના 6, જયપુરના 5, મુંબઇના 19 તેમજ સૂરતના 75 અને અમેરીકાથી એક મળીને ઝવેરાત મેન્યુફેક્ચરિંગ સાથે સંકળાયેલા મેન્યુફેક્ચરર્સ પોતાની પ્રોડક્ટસનું ડિસપ્લે કરશે. કુલ 125 સ્ટોલ્સ અને 1434 સ્કવેયર મીટર કાર્પેટ એરીયામાં પ્રદર્શન યોજાશે.
સ્પાર્કલમાં આ વખતે શું શું નવું
એક્ઝીબિટર્સને લોકલ ટ્રાન્સપોર્ટેશન અને હોટેલ સ્ટે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCU) આયોજકો તરફથી આપવામાં આવી રહ્યો છે.
ગ્રીન થીમ પર આયોજિત કરવામાં આવ્યું છે સ્પાર્કલ 2019. પર્યાવરણનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે સ્પાર્કલમાં
એક્ઝીબિશન દરમિયાન ચોરી-તસ્કરીની ઘટના ન બને તેની ખાસ તકેદારી રાખીને ડ્યુઅલ એંગલથી એક્ઝિબિશન એરીયાના ખૂણેખૂણાને સીસી કેમેરાથી કવર કરવામાં આવ્યા છે.
ફોટો આઇડી વેરીફીકેશન વગર કોઇપણ સ્પાર્કલમાં એન્ટ્રી લઇ શકશે નહીં
એક્ઝીબિટર્સ ઇચ્છશે એ વ્યક્તિને જ તેમના સ્ટોલની અંદર બિઝનેશ ટોક માટે આમંત્રિત કરી શકાશે. અન્યથા મુલાકાતીઓએ બહારથી જ ડિસ્પ્લે થયેલી જ્વેલરી નિહાળીને આગળ વધવું પડશે.
જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના નેશનલ ચેરમેન શ્રી પ્રમોદ અગરવાલ સ્પાર્કલ 2019નું ઉદઘાટન કરશે
બોત્સવાના દેશના ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ સેન્ટરના ડિરેક્ટર જનરલ સુશ્રી ગેમ્મા બેગાબોલાવે ગેસ્ટ ઓફ ઓનર તરીકે સ્પાર્કલના ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેશે.
દેશભરમાંથી સ્પાર્કલમાં ઝવેરાત શો રૂમ્સના સંચાલકો આવશે અને તેમના ઓર્ડર મેન્યુફેક્ચરર્સને પ્લેશ કરશે
આ વખતે જ્વેલરી મશીનરી ઉત્પાદક એવા અમેરિકાથી એક એક્ઝિબિટર્સ સ્પાર્કલમાં ભાગ લઈ રહ્યા છે.
સંસદમાં શિપ રિસાઇક્લિંગ બિલ-2019 પસાર થવાને પગલે ભાવનગરના અલંગ શિપ રિસાઇક્લિંગ યાર્ડનું કામકાજ વધવાની શક્યતાઓ વધી ચૂકી છે. યુરોપ અને જાપાન જેવા દેશોના જહાજો અંતિમ સફર માટે હાલ ચીન અને તુર્કી જાય છે એ હવે ગુજરાતના ભાવનગર સ્થિત અલંગ સુધી દોરાય આવે તેવી શક્યતાઓ ઉપસ્થિત થઇ છે. અલંગના શિપરિસાઇક્લિંગ ક્ષેત્રે સંકળાયેલા અગ્રણીઓના મતે આ બિલ દ્વારા ટર્નઓવર વધશે.
અલંગમાં દર વર્ષે સરેરાશ 250થી 280 શીપ ભાંગવા કે રિસાઇક્લિંગ માટે આવે છે. આ ઉદ્યોગ વર્ષે 3.5 મિલિયન ટન સ્ટીલ ઉત્પાદન કરે છે જેનું ટર્નઓવર 1.3 અબજ ડોલર થાય છે.
જાણકારો કહે છે કે સંસદે પાસ કરેલા બિલને પગલે ચોક્કસપણે અલંગના શિપ રિસાઇક્લરને મોટા પાયે ફાયદો કરાવશે. આ ખરડો પસાર થવાને પગલે હોંગકોગ કન્વેન્શન એડોપ્ટ કરવાનો રસ્તો હવે સાફ થયો છે. તેનાથી પર્યાવરણ અને સુરક્ષાને લગતી બાબતો પર ભાર મુકાશે, જેનો લાભ ભારતના ઉદ્યોગને થશે. નવી શરતોને પગલે યુરોપિયન અનો જાપાની જહાજો મોટા પાયે ગુજરાતમાં અલંગ તરફ વળશે. અગાઉ આ જહાજો તુર્કી અથવા ચીન જતા હતા. અલંગ અગાઉ કરતાં પણ મોટા પાયે શિપ રિસાઇક્લિંગ ડેસ્ટિનેશન તરીકે ઊભરશે.
શિપ રિસાઇક્લિંગ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના પૂર્વ સેક્રટરી નીતિન કણકિયાએ જણાવ્યું હતું કે, “આ બિલ પાસ થવું અમારી માટે સારી બાબત છે. હોંગકોગ કન્વેન્શનનો સ્વીકાર થતા હવે શિપ રિસાઇક્લિંગ ક્ષેત્રે સેફટી અને પર્યાવરણ અંગે વિશેષ ધ્યાન રાખવામાં આવશે. તેથી વિદેશી જહાજો અલંગ આવશે અને અહીં વધુ લોકોને રોજગારી મળશે.”
અગાઉ સુરક્ષા કે પર્યાવરણ જેવા ઇશ્યૂનો ઉલ્લેખ ન હતો. એટલું જ નહીં, હવે યુદ્ધજહાજોને પણ તેમાં સમાવી લેવાને પગલે હવે વોરશિપ પણ રિસાઇક્લિંગ માટે અલંગ આવી શકશે. અગાઉ વોરશિપ અંગે આપણે પ્રતિબંધ રાખ્યા હતા. હવે અનેક નવાં ક્ષેત્રોમાંથી શિપ આવશે. એટલું જ નહીં જાપાનના સહયોગથી જાપાન ઇન્ડસ્ટ્રિયલ કોર્પોરેશન ઓથોરિટી (જાયકા)ની સાથે ગુજરાતમાં અલંગને વિકસાવવાના વિશાળ પ્લાન ચાલી રહ્યા છે.
જાયકા સાથે રહીને કરોડોના રોકાણ સાથે રિસાઇક્લિંગ યાર્ડ તેમજ અન્ય ફેસિલિટી ઊભી કરાવામાં આવનારી છે. તેમાં કારીગરોને પણ સેફટીને લગતી યોગ્ય દેખરેખ રાખવાનું આયોજન છે. આ તમામ બાબતો અને આ બિલનું પાસ થવું બંને સાથે જોઈએ તો હવે ગુજરાતના અલંગ ખાતેના શિપ રિસાઇક્લિંગ યાર્ડ માટે વિપુલ તક આગામી દિશામાં ઊભી થવાની છે.
ગુજરાત કો. ઓ. મિલ્ક માર્કેટીંગ ફેડરેશન દ્વારા અમૂલ દહીંની વિવિધ પ્રોડકટ ભાવોમાં ભાવ વધારો ઝીંકાયો હતો જેમાં મસ્તી દહીં ૪૦૦ ગ્રામ પાઉચમાં ૨ રૂપિયા, કિલોમાં ૫ રૂપિયા, જ્યારે ૫ કિલોના પેકીંગમાં ૨૫ રૂ. લાઈટ દહીંની જુદી-જુદી વેરાઈટીઓનામાં પ્રતિકિલોએ ૧ રૂપિયાથી ૮ રૂપિયા સુધીનો વધારો કરાયો છે. આમ ગુજરાતી થાળીમાં પીરસાતી કઢીનો સ્વાદ ખાટો બન્યો છે.
નવો લાગુ થયેલો ભાવ સમગ્ર રાજ્યમાં શુક્રવારથી અમલી બન્યો હતો. જીસીએમએમએફએ દહીંની પ્રોડકટમાં એક રૂપિયાથી લઈને ૮ રૂ. સુધીનો ભાવ વધારો કર્યો છે. પશુપાલન વ્યવસાય સતત ખર્ચાળ બનવા સહિત ડેરી પેદાશોનું ઉત્પાદન પણ મોંઘું બની રહ્યું હોઈ તેને સરભર કરવા માટે ભાવવધારો કરવાની ફરજ પડી છે. ઉપરાંત પશુદાણની કિંમતમાં થઈ રહેલો વધારો દહીંના ભાવ વધારા માટે જવાબદાર હોવાનું સૂત્રોએ જણાવ્યુ હતું.
ભારતમાં પ્રાઇવેટ બેંકિંગ ક્ષેત્રમાં મોટું નામ અને વ્યાપ વિસ્તાર ધરાવતી HDFC બેંકની નેટ બેંકિંગ અને મોબાઇલ એપ્લિકેશન બન્ને સિસ્ટમ આજે તા.3 ડિસેમ્બર 2019ના રોજ સતત બીજા દિવસે ખોરવાયેલી રહેતા ભારતમાં HDFC બેંકના લાખો ખાતેદારો અને ઓનલાઇન સવિર્સ યુઝર્સમાં મોટી બૂમ ઉઠી છે. કેટલાક ગ્રાહકોએ તો સોશ્યલ મિડીયામાં HDFC બેંકના કામકાજ અંગે પણ શંકા પ્રેરી છે. HDFC બેંક દ્વારા એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે નેટ બેંકિંગ તેમજ મોબાઇલ એપ્લિકેશન નહીં ચાલવા પાછળ કેટલાક ટેકનિકલ ફોલ્ટ છે, HDFC બેંક આ ફોલ્ટને દૂર કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે.
એચડીએફસી બેંકના ગ્રાહકોને આજે પણ નેટવર્કિંગનો ઉપયોગ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. સોમવારે જ નેટબેકિંગ અને મોબાઈલ બેકિંગ એપ એક્સેસ ન કરી શકવાને કારણે ગ્રાહકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મહિનાની શરૂઆતને કારણે લોકો બિલ પેમેન્ટ અને અન્ય લેવડદેવડ રોકાઈ જવાથી પરેશાન છે.
તા.2જી ડિસેમ્બર 2019ને સોમવારે સવારથી HDFC બેંકની નેટવર્કિંગ સેવા ખોરવાય જવાનો સિલસિલો શરૂ થયો હતો જે મંગળવારે પણ યથાવત રહ્યો હતો. સોમવારે સાંજે 6.15 કલાકે HDFC બેંકએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરી સમસ્યા વિશે પોતાના ગ્રાહકોને જાણકારી આપી હતી. મોડી રાત સુધી બેંક પોતાની સેવાઓ શરૂ કરવામાં નિષ્ફળ રહી હતી.
HDFC બેંકની સ્પષ્ટતા
HDFC બેંકની સ્પષ્ટતા કરતી ટ્વિટ માં જણાવ્યુ હતું કે ટેકનિકલ ગરબડને કારણે અમારા કેટલાક ગ્રાહક નેટબેન્કિંગનો અને મોબાઈલ બેન્કિંગ એપમાં લોગઈન નથી કરી શકતા. અમારા નિષ્ણાંતો આ ગરબડને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને અમે આશ્વસ્ત છીએ કે ટૂંક સમયમાં જ સેવાઓ ફરી શરૂ થઈ જશે.
HDFC બેંકની નેટ બેકિંગ તેમજ મોબાઇલ એપ્લિકેશન સવિર્સીઝ તા.2જી ડિસેમ્બર 2019થી બગડી છે અને આજરોજ તા.3 જી ડિસેમ્બરના રોજ પણ આ ધાંધીયા જારી રહેતા લાખો ખાતેદારોએ ટ્વીટર પર HDFC બેંક સામે પસ્તાળ પાડી હતી.
અગાઉ HDFC બેંકે નવી મોબાઈલ એપ લોન્ચ કરી હતી, ત્યારે પણ ગ્રાહકોને મોટી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. નવી મોબાઈલ એપને લોન્ચ કર્યા બાદ જૂની એપ ગુગલ એપથી હટાવી લેવાઈ હતી, જેના કારણે ગ્રાહકોને ઘણી મુશ્કેલીઓ પડી હતી.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ૧૦ લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ વાળી દેશની પ્રથમ કંપની બની છે. બીએસઈ પર રિલાયન્સના શેરમાં ગુરુવારે (Dated 28 November 2019) ૦.૭ ટકા તેજી આવવાથી વેલ્યુએશનમાં ૫ હજાર કરોડ રૂપિયાનો વધારો થયો હતો. સત્રને અંતે માર્કેટ કેપ રૂ. ૧૦,૦૧,૫૫૫.૪૨ના સ્તરે પહોંચી હતી. બીએસઇ પર આ શેર રૂ. ૧૫૮૪ની ઓલટાઇમ હાઇ સપાટીને અથડાયા પછી અંતે ૦.૬૫ ટકાના વાધારા સાથે રૂ. ૧૫૭૯.૯૫ના સ્તરેે, જ્યારે એનએસઇ પર ૦.૭૭ ટકાના ઉછાળે રૂ. ૧૫૮૨ના સ્તરે બંધ રહ્યો હતો. ગત મંગળવારે ૯.૫ લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ સુધી પહોંચનારી પ્રથમ ભારતીય કંપની બની હતી. રિલાયન્સના શેરે આ વર્ષે રોકાણકારોને ૪૦ ટકા રિટર્ન આપ્યું છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.