ગ્રાહકોને ખરીદી કરતી વખતે બિલ લેવા માટે પ્રોત્સાહિત કરવા માટે સરકાર જીએસટી અંતર્ગત રૂ. ૧૦ લાખથી ૧ કરોડ સુધીની લોટરીની યોજના બનાવી રહી છે.
સેન્ટ્રલ બૉર્ડ ઑફ ડાઇરેક્ટ ટૅક્સ અને કસ્ટમ્સ (સીબીઆઇસી)ના સભ્ય જ્હોન જોસેફે જણાવ્યું હતું કે ગુડ્ઝ અને સર્વિસ ટૅક્સ (જીએસટી) હેઠળના દરેક બિલ ગ્રાહકોને લોટરી જીતવાની તક પૂરી પાડશે અને તે ટૅક્સ ચૂકવવા માટે પ્રોત્સાહક તરીકે કામ કરશે.
‘અમે નવી લોટરીની સિસ્ટમ લઇને આવ્યા છીએ. જીએસટી હેઠળ દરેક બિલ વિજેતા લોટરીની ટિકિટ હોવાનું માનવામાં આવે છે. તે ડ્રો માટે જશે અને ભાવ એટલા ઊંચા છે કે ૨૮ ટકા બચાવ્યા વિના મારી પાસે રૂપિયા દસ લાખથી લઇને એક કરોડ સુધી જીતવાની તક છે. લોકોની માનસિકતામાં બદલાવ લાવવાનો આ પ્રશ્ર્ન છે,’ એમ જોસેફે એસોચેમના કાર્યક્રમમાં જણાવ્યું હતું.
આ યોજના મુજબ ખરીદીના બિલ પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે. અને આપમેળે ડ્રો થઇ જશે અને વિજેતાને જણાવવામાં આવશે. ચાર સ્તરના જીએસટી અંતર્ગત માલ અને સેવાઓ પર ૫, ૧૨,૧૮ અને ૨૮ ટકા કર લાગે છે. આ ઉપરાંત લક્ઝરી, સીન અને ડીમેરિટ ગુડ્ઝ પર સૌથી વધુ ટૅક્સ રેટ ઉપરાંત સેસ પણ લગાવવામાં આવે છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામનની અધ્યક્ષતા હેઠળ રાજ્યના નાણાપ્રધાનોની બનેલી જીએસટી કાઉન્સિલ પ્રસ્તાવિત લોટરી યોજનાની તપાસ કરશે. લોટરીની યોજના માટે પાત્ર બનવા મિનિમમ કેટલી રકમનું બિલ હોવું જોઇએ એ પણ નક્કી કરવામાં આવશે. યોજના મુજબ ગ્રાહક કલ્યાણ ભંડોળમાંથી આ લોટરી યોજના માટે નાણાં આવશે.
જીએસટીની આવકના છિંડા (લુપહોલ્સ) પૂરવા માટે સરકાર લોટરી અને ક્યુઆર કોડ આધારિત ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહિત કરવા સહિત બિઝનેસથી ગ્રાહક સોદાના વિકલ્પ અંગે વિચારણા કરશે.
જીએસટીની આવકમાં વધારો કરવાના પગલાં સૂચવવા સરકારે અધિકારીઓની કમિટી બનાવી છે. જીએસટીમાં તબક્કાવાર ફેરફારો સૂચવવાનું કામ પેનલને સોંપવામાં આવ્યું છે. કર માળખાના વિસ્તરણ માટે ઇનપૂટ્સ આપવા પણ તેમને જણાવવામાં આવ્યું છે.
૧૮ ડિસેમ્બરના રોજ કમિટીએ જીએસટી કાઉન્સિલ સમક્ષ રજૂઆત કરી હતી અને સંસાધનો વધારવા મુક્તિની સૂચિ ઘટાડવાનું સૂચન કર્યું હતું.
આજે તા.4 ફેબ્રુઆરીને મંગળવારે એનર્જી, કેપિટલ ગૂડ્ઝ, ઓઈલ-ગેસ, ફાઈનાન્સ અને મેટલ શેરોમાં ધૂમ લેવાલીથી BSE સેન્સેક્સ સવારે 11.35 વાગ્યે 492.74 પોઈન્ટ્સ અથવા 1.24 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યો હતો. ભારતના શેરબજાર એક દિવસ અપ અને એક દિવસ ડાઉન ટ્રેડ કરી રહ્યા છે. રોકાણકારો હવે એટલા ફ્રસ્ટ્રેટ છે કે શું કરવું શું ન કરવું ખબર પડતી નથી કેમકે શેરબજારનું કશું ઠેકાણું નથી.
નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 200 પ્લસ પોઈન્ટ્સ અથવા 2 ટકાના હાઈજમ્પ સાથે 12 હજાર નજીક ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.
BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ 0.86 ટકા અનુક્રમે અને 0.94 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.
આજે સવારે BSEમાં રિયલ્ટી અને ટેલીકોમને બાદ કરતાં તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.
> Printed Circuit Board Assembly (PCBA) of cellular mobile phones, display panel and touch assembly, fingerprint readers for use in cellular mobile phones
The government has proposed to hike the Excise duty on cigarettes, Hookah, Chewing tobacco, Jarda scented tobacco and Tobacco extracts and essence.
What becomes cheaper?
The government has proposed to reduce the custom duty on the import of the following items
બજેટની દરખાસ્તોથી નારાજ રોકાણકારોએ રિયલ્ટી, મેટલ, પાવર, કેપિટલ ગૂડ્ઝ, ઓટો અને બેન્ક શેરોમાં આક્રમક વેચવાલી કરતાં BSE સેન્સેક્સ આજે 988 પોઈન્ટ્સ તૂટ્યો હતો.
બજેટમાં આવકવેરામાં શરતી રાહત અને ડિવિડંડ ડિસ્ટ્રીબ્યૂશન ટેક્સ નાબૂદ કરવા સહિતની જાહેરાત છતાં શેરબજારમાં નિરાશાના માહોલ જોવા મળ્યો હતો. રાજકોષીય ખાધનો અંદાજ વધવાને કારણે બજાર વધુ ગગડ્યું હતું.
દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 40,905.78 અને નીચામાં 39,631.24 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 987.96 પોઈન્ટ્સ અથવા 2.43 ટકા ગગડીને 39,735.53 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં 12,017.35 અને નીચામાં 11,633.30 પોઈન્ટ્સ વચ્ચે અથડાયા બાદ 318.30 પોઈન્ટ્સ અથવા 2.66 ટકા તૂટીને 11,643.80 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 2.21 ટકા અને 2.20 ટકા ઘટીને બંધ રહ્યા હતા.
આજે IT અને ટેકનો સિવાયના તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં બંધ રહ્યા હતા.
આજે ઘટેલા મુખ્ય શેરોમાં ITC 6.97 ટકા, LT 5.98 ટકા, HDFC 5.87 ટકા, SBI 4.83 ટકા, ONGC 4.18 ટકા, ICICI બેન્ક 4.01 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક 3.81 ટકા, M&M 3.50 ટકાનો સમાવેશ થાય છે.
આજે વધેલા મુખ્ય શેરોમાં TCS 4.13 ટકા, હિન્દુસ્તાન યૂનિલિવર 1.94 ટકા, નેસ્સે ઈન્ડિયા 1.68 ટકા, ટેક મહિન્દ્રા 1.52 ટકા, ઈન્ફોસિસ 0.50 ટકા અને ભારતી એરટેલ 0.13 ટકાનો સમાવેશ થાય છે.
કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળમાં બીજા બજેટને લોકસભામાં રજૂ કર્યું. નાણાંમંત્રી બજેટ ભાષણ વાંચવા માટે હળદર જેવા પીળા કલરની સાડીમાં પહોંચ્યા. તેમણે કહ્યું કે આ બજેટ સામાન્ય માનવીની આવકને સુનિશ્ચિત કરવા તેમ જ તેમની ક્રય શક્તિને વધારવા પ્રત્યે સંકલ્પિત છે. કેન્દ્રીય નાણાંમંત્રીએ જીએસટીના શિલ્પકાર દિવંગત અરૂણ જેટલીને પણ શ્રદ્ધાંજલિ આપી. આવો સંક્ષેપમાં જાણીએ બજેટની મોટી વાતો…
ટેક્સ સ્લેબમાં મોટો સુધાર કેન્દ્રીય નાણાંમંત્રીએ જણાવ્યું કે હવે ટેક્સ સ્લેબ્સ ચાર ભાગમાં વહેંચવામાં આવ્યો છે. પાંચ લાખથી સાડાસાત લાખ સુધીની આવક પર 10 ટકા કર આપવો પડશે જે પહેલા 20 ટકા હતો. સાડાસાત લાખથી 10 લાખ સુધીની આવક પર 15 ટકાના દરે કર આપવું પડશે જે પહેલા 20 ટકાના દરે લાગતું હતું, 10 લાખથી સાડા 12 લાખ સુધીની આવક પર 20 ટકાના દરે ટેક્સ લાગશે જે પહેલા 30 ટકાના દરે વસૂલવામાં આવતું. એટલું જ નહીં સાડા 12 લાખથી 15 લાખ સુધીની આવક પર 25 ટકાના દરે કર લાગશે જે પહેલા 30 ટકા લાગતું હતું. 15 લાખ રૂપિયાથી વધારેની આવક પર પહેલાની જેમ જ 30 ટકાના દરે ટેક્સ આપવું પડશે. એટલું જ નહીં જો કરદાતા આયકર અધિનિયમ હેઠળ મળતી કેટલીક કર છૂટ ન લે તો 15 લાખ રૂપિયા સુધીની આવક ધરાવનારાને પહેલા કરતાં ઓછા દરે ટેક્સ આપવું પડશે.
જીએસટીની નવી વ્યવસ્થા પહેલી એપ્રિલથી કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે એક એપ્રિલ 2020થી જીએસટીની નવી સરળ રિટર્ન વ્યવસ્થા લાગૂ થશે. તેમણે જણાવ્યું કે છેલ્લા બે વર્ષમાં જીએસટીમાં બે લાખ નવા કરદાતા જોડાયા અને 40 કરોડ રિટર્ન ફાઇલ થયા.
LICનો અમુક ભાગ વેંચશે સરકાર કેન્દ્રીય નાણાંમંત્રીએ જાહેર કર્યું કે વિનિવેશ પ્રક્રિયાને આગળ વધારતા સરકાર લાઇફ ઇન્શ્યોરન્સ કૉર્પોરેશન (LIC)નો અમુક હિસ્સો વેંચશે. એટલું જ નહીં IDBI બેન્ક્માં પણ ભાગીદારી વેંચવામાં આવશે. LICનો આઇપીઓ જાહેર કરવામાં આવશે. જો કે, તેમણે એ નથી જણાવ્યું કે સરકાર એલઆઇસીનો કેટલો ભાગ વેંચશે. આ ઘોષણા પછી વિપક્ષે હંગામાં સાથે વિરોધ કર્યો.
બેન્ક ડિપોઝિટ પર મોટી જાહેરાત સીતારમણે ગ્રાહકોના બેન્ક ડિપોઝિટને લઈને પણ મોટી જાહેરાત કરી. તેમણે કહ્યું કે હવે બેન્ક જમા રકમ પર ગ્રાહકોને પાંચ લાખ રૂપિયા સુધીની ગેરન્ટિ મળશે એટલે કે બેન્કના ડૂબી ગયા પછી પણ તમારા પાંચ લાખ રૂપિયા એકદમ સુરક્ષિત રહેશે.
દેશભરમાં લાગશે પ્રીપેડ મીટર કેન્દ્રીય નાણાંમંત્રીએ દેશભરમાં વીજળીના મીટરોને પણ બદલવાની વાત કરી. તેમણે કહ્યું કે આગામી સમયમાં દેશભરમાં પ્રીપેડ મીટર લગાવવામાં આવશે.
ખેડૂતોને બેગણી આવકનું લક્ષ્ય કેન્દ્રીય નાણાંમંત્રીએ જણાવ્યું કે સરકાર વર્ષ 2022 સુધી ખેડૂતોની આવક બેગણી કરવાનું લક્ષ્યને લઈને પ્રતિબદ્ધ છે. સરકાર 20 લાખ ખેડૂતોને સોલાર પંપ લગાડવામાં આર્થિક મદદ આપશે. જળસંકટથી પ્રભાવિત 100 જિલ્લા માટે વિસ્તૃત યોજના લાવવામાં આવશે.
બજેટ ત્રણ વાતો પર આધારિત તેમણે જણાવ્યું કે નાણાંકીય વર્ષ એટલે કે 2020-21નું બજેટ મુખ્યત્વે ત્રણ વાતો ‘આકાંક્ષી ભારત, બધાં માટે આર્થિક વિકાસ કરનારું ભારત અને બધાંનું ધ્યાન રાખનારા સમાજ ભારત પર કેન્દ્રિત છે.’
રેલવેમાં આ એલાન
1,150 ટ્રેઇન્સ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના મોડલ પર દોડતી કરાશે. તેજસ જેવી વધુ ટ્રેઇન્સ લોન્ચ કરીને સહેલાણી સ્થળો પરની કનેક્ટીવિટી વધારાશે. મુંબઇ અને અમદાવાદ વચ્ચે હાઇ સ્પીડ ટ્રેઇન ના પ્રોજેક્ટને વધુ ગતિથી અનુસરાશે. રેલ્વે ટ્રેક્સની આસપાસની જમીન રેલ્વેની માલિકીની હશે ત્યાં મોટી સોલર પેનલ્સ લાગુ કરાશે. સરકાર 11,000 ટ્રેક્સનું ઇલેક્ટ્રિફિકેશનનું લક્ષ્ય પણ ધરાવે છે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના મૉડલને આધારે 4 સ્ટેશનનું રિ-ડેવલપેન્ટ કરવામાં આવશે. વિવિધ રેલ્વે સ્ટેશન્સ પર 550 વાઇ-ફાઇ ફેસિલિટી કમિશન કરાશે. વડાપ્રધાને પહેલાં પણ પોતે રેલ્વેના માળખાને પોતે વિકાસનું એન્જિન બનાવવા માગે છે તેવું અનેક વાર કહ્યું છે. કેન્દ્ર સરકારનું ફોકસ હંમેશાથી ઇન્ફ્રા સ્ટ્રક્ચર પર રહ્યું છે.
સ્વાસ્થ્ય સેક્ટર માટે માટી જાહેરાત કેન્દ્રીય નાણાંમંત્રીએ જણાવ્યું કે સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે 69 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આમાં પીએમ જન આરોગ્ય યોજના માટે 6400 કરોડ રૂપિયાનું પ્રસ્તાવ છે. મિશન ઇન્દ્રધનુષનો વિસ્તાક વધારીને તેમાં 12 બીમારીઓ સામેલ કરી લેવામાં આવી છે. જેમાં પાંચ વેક્સીન પણ જોડવામાં આવી છે. આયુષ્માન ભારતના લાભાર્થિઓ માટે ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં પીપીપી મોડ પર હૉસ્પિટલ બનાવવામાં આવશે. પહેલા ચરણમાં 112 જિલ્લાથી આની શરૂઆત થશે. મેડિકલ ઉપકરણો પર જે કર લગાડવામાં આવે છે તે જ રકમથી આ હૉસ્પિટલોનું નિર્માણ કરાવવામાં આવશે. નાણાંકીય વર્ષ 2020-21માં સ્વચ્છ ભારત મિશન માટે 12,300 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. સરકારે વર્ષ 2025 સુધી ટીબીની બીમારીને સંપૂર્ણપણે ખતમ કરવાનું લક્ષ્ય સેવ્યું છે. જળ જીવન મિશન માટે 3.6 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
50 ઉચ્ચ શિક્ષણ સંસ્થાન શરૂ થશે નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે જલ્દી નવી શિક્ષા નીતિની જાહેરાત કરવામાં આવશે. માર્ચ 2021 સુધી 150 ઉચ્ચ શિક્ષણ સંસ્થાન શરૂ થઈ જશે જેમાં સ્કિલ્ડ પ્રશિક્ષણ આપવામાં આવશે. ક્વૉલિટી એજ્યુકેશન માટે ડિગ્રીવાળી ઑનલાઇન યોજનાઓ શરૂ કરવામાં આવશે. એટલું જ નગીં તેમણે નેશનલ પોલીસ યૂનિવર્સિટી અને નેશનલ ફૉરેન્સિંક સાયન્સ યૂનિવર્સિટીના પ્રસ્તાવ વિશે પણ જણાવ્યું. તેમણે જણાવ્યું કે ડૉક્ટરોની ઓછપ દૂર કરવા માટે જિલ્લા હૉસ્પિટલની સાથે મેડિકલ કૉલેજ બનશે. બજેટમાં શિક્ષણ માટે 99300 કરોડ જ્યારે સ્કિલ ડેવલપમેન્ટ માટે 3000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
વેતન સુધારણાની માગ સાથે આજથી શરૂ થયેલી બે દિવસીય બેન્ક હડતાલમાં દેશભરમાં કરોડો રૂપિયાનાં વ્યવહારો ખોરવાયા હતાં.
મુંબઈ, ચેન્નઈ અને દિલ્હીની ક્લિયરિંગ ગ્રીડમાં કુલ મળીને 23000 કરોડ રૂપિયાનાં 31 લાખ ચેક તા.31મી જાન્યુઆરી 2020ના રોજની હડતાલનાં કારણે ક્લિયર થઈ શક્યા નહોતાં.’
ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પ્લોઈઝ એસો.(એઆઈબીઈએ)નાં મહામંત્રી સી.એચ.વેંકટચલમનાં જણાવ્યા પ્રમાણે દેશભરમાંથી મળી રહેલા અહેવાલ અનુસાર તામિળનાડુ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગણ, પશ્ચિમબંગાળ, યુપી, એમપી, પંજાબ, દિલ્હી, ગુજરાત, કર્ણાટક, કેરળ અને બિહાર જેવા મુખ્ય રાજ્યો સહિતનાં દેશમાં બેન્કની કામગીરી વ્યાપકપણ ખોરવાઈ છે.
નવ બેન્ક કર્મચારી સંગઠનનાં મહામંડળ યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ (યુએફબીયુ) દ્વારા આજે સંસદમાં આર્થિક સર્વે અને આજરોજ તા.1લી ફેબ્રુઆરી 2020ને શનિવારે ભારતીય સંસદમાં બજેટ રજૂ થવાનું છે ત્યારે આ હડતાલ કમનસીબ બાબત છે.
વેતનવૃદ્ધિ મુદ્દે સરકાર સાથે વાટાઘાટમાં માગણીઓનો કોઈ ઉકેલ નહીં આવતાં આ હડતાલનું એલાન આપવામાં આવ્યું હતું. હજી આજે શનિવાર તા.1લી ફેબ્રુઆરીએ પણ બેન્કો બંધ રહેશે અને પછી રવિવાર હોવાથી બેન્ક રજા રહેશે. આમ હવે આજથી એટીએમનાં વ્યવહારોમાં પણ હડતાલની વિપરિત અસરો વર્તાવા લાગે તેવી આશંકા છે.
પગારવધારા અંગેની મૅનેજમેન્ટ સાથેની બેઠકમાં સર્વાનુમતી સાધવામાં મળેલી નિષ્ફળતાને પગલે જાહેરક્ષેત્રની બૅંકના યુનિયનોએ આજથી બે દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળ ને પગલે શુક્રવાર તા.31મી જાન્યુઆરીએ સવારથી જ ભારતના અર્થતંત્ર પર તેની અસર વર્તાવા પામી હતી. અનેક બેંકોમાં કર્મચારીઓ કામકાજથી અળગા રહ્યા હતા. બપોર બાદ અબજો રૂપિયાનું ક્લીયરીંગ નહીં જવાથી મોટી અસર સામે આવશે.
હળતાળને કારણે બૅંકની કામગીરી પર અમુક હદે અસર પડે એમ હોવાની એસબીઆઈ સહિતની અનેક બૅંકોએ ગ્રાહકોને જાણ કરી દીધી હોવા છતાં લાખો ગ્રાહકો સમગ્ર દેશમાં બેંક હડતાળથી અટવાયાના પ્રાથમિક અહેવાલો મળ્યા છે.
સંસદના બજેટસત્ર અને વર્ષ ૨૦૨૧-૨૨ના કેન્દ્રીય બજેટ સાથે આવતીકાલ તા.1લી ફેબ્રુઆરીએ પણ હડતાળ હોઇ બેંક કર્મચારીઓ સામે રોષની લાગણી ફેલાયેલી જોવા મળી રહી છે.
ઑલ ઈન્ડિયા બૅંક ઑફિસર્સ કૉન્ફેડરેશન (એઆઈબીઓસી), ઑલ ઈન્ડિયા બૅક ઍમ્પ્લોઈસ અસોસિયેશન (એઆઈબીઈએ) અને નેશનલ ઑર્ગેનાઈઝેશન ઑફ બૅંક વર્કર્સ (એનઓબીડબ્લ્યુ) સહિત નવ બૅંકના યુનિયનોની મુખ્ય સંસ્થા યુનાઈટેડ ફૉરમ ઑફ બૅંક યુનિયન્સ (યુએફબીયુ)એ આ હડતાળની હાકલ કરી છે.
અગાઉ આ અઠવાડિયે મુખ્ય શ્રમ કમિશનર સાથેની બેઠક અનિર્ણીત રહી હોવાનું એઆઈબીઓસીના પ્રમુખ સુશીલકુમારે કહ્યું હતું.
જાહેરક્ષેત્રની બૅંકના કર્મચારીઓના પગારમાં સુધારણા કરવાનું નવેમ્બર ૨૦૧૭થી અનિણીર્ર્ત છે.
ઈન્ડિયન બૅંક્સ અસોસિયેશન (આઈબીએ) સાથેની ગુરુવારની બેઠક યુનિયનની માગણીઓને મામલે નિષ્ફળ ગઈ હોવાને કારણે હડતાળની હાકલ કરવામાં આવી હોવાનું એઆઈબીઈએના જનરલ સેક્રેટરી સી. એચ. વેંકટાચલમે કહ્યું હતું.
આઈબીએના જડ વલણે યુનિયનો પાસે હડતાળ સિવાયનો કોઈ જ વિકલ્પ ખુલ્લો રાખ્યો ન હોવાનું તેમણે કહ્યું હતું.
હડતાળને કારણે પડનારી અગવડો બદલ ગ્રાહકો અમને માફ કરે, પરંતુ બૅંક મેનેજમેન્ટ અને આઈબીએએ આ હડતાળ અમારા પર થોપી છે, એમ તેમણે કહ્યું હતું.
સોના કરતા પ્લેટિનમ 27 ટકા સસ્તું થયું હોવાથી આ લગ્નસરામાં પ્લેટિનમ પર પસંદગી ઉતારવામાં આવી રહી છે. આ ઉપરાંત, લગ્ન માટેની ખરીદીમાં પોલ્કી અથવા અનકટ હીરા, અન્ય કીમતી જેમસ્ટોન્સ અને પ્લેટિનમ જ્વેલરીની ભારે માંગ છે.
ભારતમાં હાલ સોનાનો ભાવ બજારભાવ ₹40,000ની આસપાસ સેટલ થઇ ચૂક્યો છે. જ્યારે પ્લેટિનમ પ્રતિ 10 ગ્રામ ₹31240નાં ભાવે વેચાઇ રહ્યું છે. સોનાના ભાવ ઊંચા છે ત્યારે ગ્રાહકોએ પસંદગી બદલી છે એમ અગ્રણી ડાયમંડ જ્વેલરી તેમજ બુલિયન આગેવાનોનું કહેવું છે.
આ વખતની લગ્નની સીઝનમાં ગ્રાહકોની પસંદગી કીમતી અને જેમસ્ટોન જ્વેલરી તથા પોલ્કી હીરા છે.
પ્લેટિનમ જ્વેલરીમાં હકારાત્મક વલણ જોવા મળે છે, તેમાં પણ ખાસ કરીને પુરુષો ટુ ટોન રિંગ, બ્રેસલેટ, કફલિંક અને ચેઇન ખરીદી રહ્યા છે. આ સિવાય ગ્રાહક માંગમાં પણ નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે, આ રિટેલ માંગ બિનસંગઠિત ઝવેરીઓથી શિફ્ટ થઈને સંગઠિત ક્ષેત્રના ઝવેરીઓ તરફ વળી છે. હીરા અને પ્લેટિનમ ઝવેરાત તરફ ગ્રાહકોની પસંદગી વળી તેનું કારણ તાજેતરના મહિનાઓમાં સોનાના ભાવમાં થયેલો વધારો છે.
તાજેતરનાં મહિનાઓમાં ગોલ્ડ અને પ્લેટિનમ વચ્ચેનો ભાવ તફાવત ઘણો વધ્યો છે. ગ્રાહકો સોના કરતા પ્લેટિનમ પસંદ કરી રહ્યા છે. સામાન્ય રીતે લગ્નમાં સોનાને પ્રાથમિકતા આપવામાં આવે છે પણ આ લગ્નસરામાં અમે પ્લેટિનમને પ્રાધાન્ય અપાઇ રહ્યાની અનુભૂતિ થઇ રહી છે.
નવા જમાનાની યુવતીઓને હવે ડિઝાઇન્ડ ડાયમંડ પોલ્કી નેકલેસ અને બંગડીઓ વગર ચાલતું નથી. તેઓ લગ્ન સમયે ડાયમંડ પોલ્કી જ્વેલરીને અનિવાર્ય સમજવા લાગી છે. કેટલીકે તેમાં પ્લેટિનમનો પણ ઉમેરો કર્યો છે જેથી તેનો દેખાવ અલગ જ તરી આવે.
પ્લેટિનમ હજી ખાસ કેટેગરીમાં આવતી બ્રાઇડલ જ્વેલરી હોવાથી વોલ્યુમની રીતે તેની માંગ સોના કે હીરા જેવી નથી. રિટેલ પ્લેટિનમ જ્વેલરી તે વ્યૂહાત્મક રિટેલ નિર્ણય છે અને તેનો આધાર માંગના ટ્રેન્ડ અને કોઈ ખાસ બજારનાં પરિમાણ પર છે.
અબજપતિ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા ઉપર ઇનસાઇડર ટ્રેડિંગના આરોપ લાગ્યા છે. સેબી દ્વારા એપ્ટેક લિમિટેડના શેર સંબંધિત ગરબડમાં ઝુનઝુનવાલા સામે તપાસ શરૂ કરવામાં આવી છે. એપ્ટેક એક શૈક્ષણિક એકમ છે અને તેના ઉપર ઝુનઝુનવાલા અને તેના પરિવારની માલિકી છે.
સેબી આમાં ઝુનઝુનવાલા પરિવારના અન્ય સદસ્યોની ભૂમિકા પણ ચકાસી રહ્યું છે. સાથોસાથ રોકાણકાર રમેશ એસ. દામાણી અને કંપનીમાં ડાયરેક્ટર મધુ જયાકુમાર સહિત કેટલાક બોર્ડ સદસ્યોની ભૂમિકા પણ તપાસવામાં આવી રહી છે.
આ તપાસ અંગે વાકેફ સૂત્રોના હવાલેથી મળેલા અહેવાલ અનુસાર ઇનસાઇડર ટ્રેડિંગની તપાસ માટે ફેબ્રુઆરી 2016થી સપ્ટેમ્બર 2016 વચ્ચેની ઝુનઝુનવાલાની ગતિવિધિઓની તપાસ કરવામાં આવી રહી છે. જો કે કયા સમયગાળામાં ઇનસાઇડર ટ્રેડિંગના નિયમોનો ભંગ થયો હતો તે અંગે કોઈ ચોક્કસ જાણકારી હજી સુધી મળી નથી. સેબીએ ઝુનઝુનવાલા અને અન્ય બેને ફટકારેલી નોટિસમાં તપાસમાં સહયોગ આપવા કહ્યું છે.
ઝુનઝુનવાલા ઉપરાંત તેની પત્ની રેખા, ભાઈ રાજેશ કુમાર, સાસુ સુશીલા દેવી ગુપ્તાને પણ સેબીએ 24મી જાન્યુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા હતા. ઝુનઝુનવાલા સેબીના અધિકારીઓ સમક્ષ હાજર થયા હતા અને મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પલેક્સ સ્થિત સેબીનાં મુખ્યાલયે આશરે બે કલાક સુધી તેની પૂછતાછ થઈ હતી.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.