SBI : તમામ ખાતા ઝીરો બેલેન્સ સુધી કાર્યરત : બચત ખાતાના વ્યાજ દર ઘટાડયાં
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ બચત ખાતાના વ્યાજદર ઘટાડીને ત્રણ ટકા જાહેર કયાર્ં છે. એસબીઆઇએ દરેક પ્રકારના એસબી અકાઉન્ટ માટે ત્રણ ટકાનો એક સમાન વ્યાજદર જાહેર કર્યો છે.
અત્યારે રૂ. એક લાખ સુધીની થાપણો ધરાવતાં ખાતા માટે ૩.૨૫ ટકા અને રૂપિયા એક લાખથી વધુ ડીપોઝિટ ધરાવતા અકાઉન્ટ માટે ત્રણ ટકાનો વ્યાજદર છે. આ ફેરફારથી ૪૪.૫૧ કરોડ અકાઉન્ટ હોલ્ડર્સને અસર થશે.
એ જ સાથે એસબી અકાઉન્ટ માટેની મિનિમમ બેલેન્સની શરત પણ બેન્કે દૂર કરી છે. બેન્કે એસએમએસ ચાર્જીસ અને એવરેજ મંથલી બેલેન્સ (એએમબી) મેન્ટેનેન્સ ચાર્જીસ પણ નાબૂદ કર્યાં છે.
હાલ ગ્રાહકોએ મેટ્રો, સેમી અર્બન અને રૂરલ એરિયા માટે સરેરાશ રૂ. ૩૦૦૦, રૂ. ૨૦૦૦ અને રૂ. ૧૦૦૦નું લઘુત્તમ બેલેન્સ જાળવવું પડે છે અને એએમબી જાળવવામાં નિષ્ફળ જનાર ગ્રાહક પર બેન્ક રૂ. પાંચથી રૂ. ૧૫ સુધીની પેનલ્ટી લાદતી હતી.
એસબીઆઇએ ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરમાં આ મહિનામાં બીજી વખત ઘટાડો કર્યો છે. એફડીના નવા દરો ૧૦ માર્ચથી લાગુ થઈ ચૂક્યા છે. નવા અપડેટના જણાવ્યા મુજબ, એસબીઆઈની ૭થી ૪૫ દિવસના ગાળાની એફડી પર ૪ ટકા વ્યાજ મળશે, જે પહેલા ૪.૫ ટકા મળતું હતું, ૧થી ૫ વર્ષના ગાળાની એફડી પર ૫.૯ ટકા વ્યાજ મળશે, જે પહેલા ૬ ટકા મળતુ હતું. જ્યારે ૫થી ૧૦ વર્ષની એફડી પર હવે ૫.૯ ટકા વ્યાજ મળશે, જે પહેલા ૬ ટકા મળતું હતું.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now