CIA ALERT

બિઝનેસ Archives - Page 52 of 90 - CIA Live

March 1, 2020
bank-strike.jpg
1min5330

બેન્ક કર્મચારીઓના અલગ-અલગ સંગઠનોએ બોલાવેલી ત્રણ દિવસની દેશવ્યાપી હડતાલને રદ કરવામાં આવી છે. ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોયિઝ એસોસિએશને તેના એક નિવેદનમાં આ અંગેની જાણકારી આપતા કહ્યુ કે શનિવારે મુંબઇમાં ભારતીય બેન્ક સંગઠન સાથે થયેલી બેઠકમાં સકારાત્મક સંકેત મળ્યા પછી હડતાલ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

આ બેઠકમાં અઠવાડિયામાં પાંચ દિવસ બેન્ક ચાલુ રાખવા અને પગારમાં 15% વધારા મુદ્દે મંત્રણા કરવામાં આવી હતી.  

આ પહેલા 11થી 13 માર્ચ સુધી સતત ત્રણ દિવસ માટે બેન્ક હડતાલની આશંકા હતી. બેન્ક કર્મચારીઓએ પગાર વધારા માટે માંગ કરતા ત્રણ દિવસની હડતાલ બોલાવી હતી. 

February 29, 2020
gst.jpg
1min7230

GST હેલ્પડેસ્કનો હાલનો નંબર 0120- 24888999 બંધ

ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ નેટવર્ક (GSTN)એ જીએસટી હેલ્પડેસ્ક (GST Helpdesk) માટે એક નવો ટોલ ફ્રી નંબર (Toll Free Number) શરૂ કર્યો છે. આ નંબર પર વર્ષભર એટલે કે 365 દિવસ ઓનલાઈન GST રિટર્ન ભરવાને લગતાં સવાલોના જવાબ મેળવી શકશો.

GST Helpdesk has become multi-lingual. We are supporting 12 languages at Toll Free number – 1800 103 4786 (from 9AM to 9PM, 7 days a week). Existing contact number will no longer be available to connect with GST Helpdesk

GSTN દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તેણે GST હેલ્પડેસ્કને વધુ સારું બનાવ્યું છે. આ સાથે જ ટેક્સપેયર્સની સુવિધાને ધ્યાનમાં રાખીને નવાં ફીચર્સ લોન્ચ કરવામાં આવ્યાં છે. GSTNએ એમ પણ જણાવ્યું છે કે, નવો ટોલ ફ્રી નંબર જારી કર્યા પછી GST હેલ્પડેસ્કનો હાલનો નંબર 0120- 24888999 બંધ કરાયો છે.

GST હેલ્પડેસ્કને એક દિવસમાં સરેરાશ 8,000થી 10,000 ફોન કોલ્સ મળે છે.

GST હેલ્પડેસ્ક માટે નવો ટોલ ફ્રી નંબર 1800-103-4786

નાણામંત્રી નિર્મલા સીતારામણે સામાન્ય બજેટમાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST) રીટર્નને લઈને કહ્યું હતું કે, જીએસટી રીટર્નની પ્રક્રિયા સરળ થઈ જશે. એક સરળ નવી રીટર્ન સિસ્ટમ 1 એપ્રિલ 2020થી શરૂ કરવામાં આવશે.

  • GSTNએ GST હેલ્પડેસ્ક માટે નવો ટોલ ફ્રી નંબર 1800-103-4786 શરૂ કર્યો છે.
  • આ નંબર પર ઇનડાયરેક્ટ ટેક્સ સાથે જોડાયેલા સવાલો અથવા સમસ્યાના સમાધાન માટે સંપર્ક કરી શકશો.
  • આ ટોલ ફ્રી નંબર 365 દિવસ કામ કરશે. આ નંબર પર સવારે 9 વાગ્યાથી લઇને રાત્રે 9 વાગ્યા સુધીમાં ગમે તે સમયે ફોન કરી શકાશે.
  • આ હેલ્પડેસ્ક પર હવે 10 નવી ભાષાઓમાં જાણકારી મેળવી શકાશે. અત્યાર સુધી GST હેલ્પડેસ્ક પર ફક્ત હિન્દી અને અંગ્રેજીમાં જ માહિતી મળતી હતી.
  • હવે બંગાળી, મરાઠી, તેલેગુ, તમિળ, ગુજરાતી, કન્નડ, ઓડિશા, મલયાલમ, પંજાબી અને આસામી ભાષાઓમાં પણ GST હેલ્પડેસ્ક એજન્ટ સાથે વાત કરી શકાશે.
February 29, 2020
sweetbox.png
1min7000

નાગરિકોનું આરોગ્ય જોખમાય નહીં તથા નાગરિકો શુદ્ધ તથા સાત્વિક મીઠાઈઓ આરોગી શકે તે માટે મીઠાઈ ઉત્પાદકોએ પ્રિ-પેકેઝડ મીઠાઈ ઉપર ઉત્પાદન તારીખ તથા બેસ્ટ બીફોર તારીખ ફરજિયાત છાપવાની રહેશે એવું ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર એચ.જી. કોશિયા દ્વારા જણાવ્યું હતું.

કોશિયાએ વધુમાં કહ્યું હતું કે, નાગરિકોના આરોગ્યને ધ્યાને રાખી મીઠાઈની ગુણવત્તા જોખમાય નહીં તે હેતુથી પરંપરાગત રીતે બનાવાતી દૂધની મીઠાઈઓનું વેચાણ કરતી વખતે પેકેટ ઉપર તથા જે મીઠાઈના વેપારીઓ લુઝ અથવા પેકિંગ કર્યાં વિના મીઠાઈનું વેચાણ કરતાં હોય તેમણે મીઠાઈની ટ્રે ઉપર ઉત્પાદન તારીખ અને બેસ્ટ બીફોર તારીખ ફરજિયાત જણાવવાની રહેશે.

ઉત્પાદનની બેસ્ટ બીફોર તારીખ જે તે વિસ્તાર, જે તે સમયનું તાપમાન તથા ઉત્પાદનના પ્રકારને ધ્યાને રાખી નક્કી કરવાની રહેશે. ઉત્પાદન તારીખ તથા બેસ્ટ બીફોર તારીખ જણાવ્યા વગર મીઠાઈનું વેચાણ કરનાર વેપારી સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ એક્ટ-૨૦૦૬ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

February 28, 2020
sensex_down.jpg
1min4530

કોરોનાની ગંભીર અસરના ભયે શુક્રવારે બેન્ચમાર્ક BSE સેન્સેક્સમાં 1448 પોઈન્ટ્સનો તોતિંગ કડાકો જોવા મળ્યો હતો.

દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 39,087.47 અને નીચામાં 38,219.97 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 1448.37 પોઈન્ટ્સ અથવા 3.64 ટકાના જંગી કડાકા સાથે 38,297.29 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં 11,384.80 અને નીચામાં 11,175.05 પોઈન્ટ્સ વચ્ચે ટ્રેડ થયા બાદ 414.10 પોઈન્ટ્સ અથવા 3.56 ટકા તૂટીને 11,219.20 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 3.13 ટકા અને 3.52 ટકા ઘટીને બંધ રહ્યા હતા.

આજે શેરબજારમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. ગભરાટભર્યા માહોલમાં BSEના તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં બંધ રહ્યા હતા. આજે સવારથી જ મેટલ, રિયલ્ટી, IT, ટેકનો, કેપિટલ ગૂડ્ઝ, ઓટો, બેન્ક, ઓઈલ-ગેસ શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી.

તા.27મી ફેબ્રુઆરીને ગુરુવારે વિશ્વભરના બજારોમાં કડાકાની અસર આજે તા.28મી ફેબ્રુઆરીને શુક્રવારે સવારે એશિયાના બજારોમાં પણ જોવા મળી હતી. કોરોનાની ગંભીર અસરના ભયે આજે સવારે વિશ્વના અન્ય બજારોની જેમ ભારતીય શેરબજારના બેન્ચમાર્ક BSE સેન્સેક્સમાં 1100 પોઈન્ટ્સનો તોતિંગ કડાકો બોલી ગયો હતો.

આજે સવારે શેરબજાર નીચે ગેપમાં ખૂલ્યા બાદ વધુ ગગડ્યું હતું. સવારે 9.45 વાગ્યે BSE સેન્સેક્સ 1118.75 પોઈન્ટ્સ અથવા 2.81 ટકાના જંગી કડાકા સાથે 38,626.91 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 339.35 પોઈન્ટ્સ અથવા 2.92 ટકા તૂટીને 11,293.95 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 3.64 ટકા અને 3.51 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે સવારથી જ શેરબજારમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. ગભરાટભર્યા માહોલમાં BSEના તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. આજે સવારથી જ મેટલ, રિયલ્ટી, IT, ટેકનો, કેપિટલ ગૂડ્ઝ, ઓટો, બેન્ક, ઓઈલ-ગેસ શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી.

February 28, 2020
SGCCI.jpg
1min4990

આજરોજ તા.28મી ફેબ્રુઆરી 2020ને શુક્રવારે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર આયોજિત મેગા બિલ્ડ એક્ષ્પોનું ઉદઘાટન સમારોહ સરસાણા સ્થિત કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે.

આજથી તા.ર માર્ચ ર૦ર૦ દરમિયાન ચાર દિવસ માટે સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘મેગા બીલ્ડ એક્ષ્પો– ર૦ર૦’ પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે.

આયોજક સંસ્થાઓ

ચેમ્બર દ્વારા સુરત હાર્ડવેર એન્ડ બિલ્ડીંગ મટીરિયલ મર્ચન્ટ એસોસિએશન, સુરત સિરામીક એસોસિએશન, ધી સુરત આયર્ન એન્ડ સ્ટીલ મર્ચન્ટ એસોસિએશન, સુરત પેન્ટ્‌સ મર્ચન્ટ એસોસિએશન, સુરત મશીન ટૂલ્સ હાર્ડવેર એન્ડ વેલ્ડીંગ મર્ચન્ટ્‌સ એસોસિએશન, સુરત ઇલેકટ્રીકલ મર્ચન્ટ્‌સ એસોસિએશન અને સુરત ફર્નીચર એસોસિએશનની સાથે મળીને ‘મેગા બીલ્ડ એક્ષ્પો– ર૦ર૦’ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ છે.

ચેમ્બરના પ્રમુખ શ્રી કેતન દેસાઇએ ‘મેગા બીલ્ડ એક્ષ્પો– ર૦ર૦’ અંગે જણાવ્યુ હતુ કે, દક્ષિણ ગુજરાતના વ્યાપાર અને ઉદ્યોગના વિકાસ માટે સતત પ્રયત્નશીલ એવી સંસ્થા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કન્સ્ટ્રકશન ઇન્ડસ્ટ્રીઝમાં હાલની માર્કેટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બિલ્ડીંગ મટીરિયલ્સ પ્રોડકટને બુસ્ટઅપ કરવા માટે પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ છે. આ પ્રદર્શનને કારણે ગ્રાહકોને પ્રોડકટની ડિટેલ આસાનીથી મળી રહેશે.

સુરતમાં વસતિ વધારાને સમાવવા માટે નવા ઇન્ફ્રાસ્ટ્રકચરની જરૂરિયાત પડવાની હોવાથી નવા ટાઉન પ્લાનીંગ મંજૂર કરવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકાએ ૬૬ જેટલી નવી ડ્રાફટ ટીપી સ્કીમો તૈયાર કરી છે અને રાજય સરકાર પાસેથી મંજૂરી મેળવવા માટે આગળ ધપાવી છે. સુરત, વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા શહેરોની યાદીમાં સમાવિષ્ટ છે અને દક્ષિણ ગુજરાત પણ ગુજરાત રાજયમાં માથાદીઠ આવકમાં મોખરે હોવાથી લોકોની ખરીદશકિત પણ વધારે છે. દક્ષિણ ગુજરાતના શહેરોમાં મોડર્ન કન્સ્ટ્રકશન સિસ્ટમને સ્વીકારવામાં આવી છે ત્યારે રીયલ એસ્ટેટને નવી ઉંચાઇએ પહોંચાડવા માટે આ પ્રદર્શન ખૂબ જ મહત્વનું બની રહેશે.

ચેમ્બરના એકઝીબીશન સેલના હેડ શ્રી દેવેશ પટેલે જણાવ્યુ હતુ કે, સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ૯૦ હજાર સ્કવેર ફૂટ એરીયામાં મેગા બીલ્ડ એક્ષ્પો પ્રદર્શન યોજાશે. જેમાં ફર્નીચર એન્ડ સ્ટીલ સેગ્મેન્ટ, ફર્નીચર એન્ડ ફર્નીશીંગ સેગ્મેન્ટ, હાર્ડવેર સેગ્મેન્ટ, સિરામીક સેગ્મેન્ટ, પેન્ટ સેગ્મેન્ટ, ઇલેકટ્રીકલ સેગ્મેન્ટ અને મશીન ટૂલ્સ સેગ્મેન્ટને આવરી લેવામાં આવ્યા છે.

આ પ્રદર્શનમાં સુરત ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, વલસાડ, સેલવાસ, જામનગર, હિમ્મતનગર, મોરબી, કચ્છ, મુંબઇ, ઠાણે, હરીયાણા અને ગુડગાવથી કુલ મળીને ૧૪૦ જેટલા એકઝીબીટર્સે ભાગ લીધો છે. ગુજરાત અને મહારાષ્ટ્ર ઉપરાંત દેશના અન્ય રાજયોમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં બાયર્સ આ પ્રદર્શનની મુલાકાત લેશે.

‘મેગા બીલ્ડ એક્ષ્પો પ્રદર્શન’ના ચેરમેન શ્રી હિરેન શાહે જણાવ્યુ હતુ કે, રીયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી સંબંધિત નવી પ્રોડકટ એનર્જી અને કોસ્ટ ઇફેકટીવ હશે. આર્કીટેકટ, ઇન્ટીરીયર ડિઝાઇનર અને જાહેર જનતા સુધી નવી પ્રોડકટ અને તેની પ્રાઇઝ રેટની અવેરનેસ પહોંચાડવા માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે.

આંતરરાષ્ટ્રીય કક્ષાના આ પ્રદર્શનમાં ચાર દિવસ દરમિયાન રીયલ એસ્ટેટ સંબંધિત વિવિધ કોન્ફરન્સ અને સેમિનારો યોજાશે. વિવિધ સેગ્મેન્ટમાં નવી ડિઝાઇન અને અદ્યતન ટેકનોલોજીનું પ્રદર્શન કરવામાં આવશે. બીટુબી મિટીંગો યોજાશે તેમજ બ્રાન્ડ પ્રમોશન માટેની તકો આપવામાં આવશે.

આ પ્રદર્શનનું ઉદ્‌ઘાટન શુક્રવારે, તા. ર૮ ફેબ્રુઆરી ર૦ર૦ના રોજ સવારે ૧૦ઃ૩૦ કલાકે ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ માઇક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝીસના સ્પેશિયલ સેક્રેટરી એન્ડ ડેવલપમેન્ટ કમિશનર શ્રી રામ મોહન મિશ્રા (આઇએએસ)ના હસ્તે કરવામાં આવશે. આ પ્રદર્શનમાં અતિથિ વિશેષ તરીકે હીકોકી પાવર ટૂલ્સ ઇન્ડિયા પ્રા. લિ.ના એકઝીકયુટીવ ડાયરેકટર એન્ડ સેક્રેટરી શ્રી દત્તાત્રય જોશી ઉપસ્થિત રહેશે.

મેગા બીલ્ડ એક્ષ્પો પ્રદર્શનના આયોજનમાં ડાયમંડ સ્પોન્સર તરીકે શ્રીજી ગૃપ ઓફ કંપની તથા પ્લેટીનમ સ્પોન્સર તરીકે એ–વન ફાયર સેફટી સર્વિસિસ અને ઓલીવ જોડાયુ છે. જયારે સુરત મહાનગરપાલિકા, એચડીએફસી બેંક, એચબીએલએફ, મેરીયોટ સુરત, એરલીન્ક અને આર.કે. ઇન્ફ્રાટેલનો સહકાર પ્રાપ્ત થયો છે.

‘મેગા બીલ્ડ એક્ષ્પો’ પ્રદર્શન જાહેર જનતા માટે સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ કલાક સુધી ખુલ્લુ રહેશે.

February 21, 2020
CIA_Live_Logo_New2.jpg
1min469

દરેક સંકટમાં એક તક પણ : બાંગ્લાદેશ-શ્રીલંકામાં ચીની ફેબ્રિકનું ડમ્પિંગ ઠપ : ભારતીય ફેબ્રિકની ડિમાંડ વધી

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

છેલ્લા દોઢ મહિનાથી ચીનમાં ફેલાયેલા કોરોના વાઇરસને પગલે ચીની ઉદ્યોગ ધંધા તેમની ક્ષમતા કરતા 25 ટકા કેપેસીટી પર આવી ચૂક્યા છે. ચીની ઉત્પાદકોનું ઉત્પાદન ઠપ છે અને તેની અસર ફેબ્રિક મેન્યુફેક્ચરિંગ પર પણ પડી છે. બાંગ્લાદેશ અને ચીનમાં ઠલવાતા ચીની ફેબ્રિકનો કારોબાર ઠપ થવા પર છે અને હાલમાં આ પરિસ્થિતિનો સીધો ફાયદો ભારતના લોકલ ફેબ્રિક મેન્યુફેક્ચરર્સને મળી રહ્યાની પુષ્ટી તાજેતરમાં કોઇમ્બતુર ખાતે યોજાયેલા ઇન્ડીય નીટ ફેરમાં ચોમેરથી મળી હતી.

ઇન્ડિયા નીટ ફેરમાં આવેલા ઉદ્યોગપતિઓએ 300 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. મેળામાં વિવિધ દેશોના 31 ખરીદદારો અને 142 ખરીદનાર કંપનીઓ અને એજન્ટો હાજર રહ્યા હતા. તિરૂપુર, કોઈમ્બતુર, ચેન્નઈ અને કલકત્તાના કુલ 39 મોટા નિકાસકારોએ તેમના ઉત્પાદનોનું પ્રદર્શન કર્યું હતું.

એપરલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન એ શક્તિવેલે જણાવ્યું કે, ચીનમાં કોરોના વાયરસ રોગચાળો ફાટી નીકળતાં ભારતીય કાપડ ઉદ્યોગને મોટો ફાયદો થઈ રહ્યો છે. યુ.એસ., યુ.કે., યુરોપ અને કેનેડાના ખરીદદારો હવે ભારતમાંથી કપડાની ખરીદીમાં વધારો કરી શકે છે, કારણ કે ચીનમાંથી સપ્લાય ખોરવાયો છે. કોઈમ્બતુર નજીક તિરૂપુર ખાતે ત્રણ દિવસીય ભારત નીટ ફેરના સમાપન પર જારી કરાયેલા એક નિવેદનમાં તેમણે કહ્યું હતું કે યુરોપિયવ સંઘથી બ્રિટન નીકળવાનો ભારતીય કાપડ ઉદ્યોગને પણ ફાયદો થઈ શકે છે.

આ દરમિયાન કેન્દ્રીય કાપડ મંત્રાલયે કહ્યું કે, ચીનમાં રોગચાળાએ વર્તાવેલ મહામારી વૈશ્વિક એપરલ બજારમાં 20 અબજ ડોલરનો કારોબારની જગ્યા છોડી છે અને ભારતીય ઉદ્યોગે તેનો લાભ ઉઠાવવો જોઈએ. એક કાર્યક્રમમાં ટેક્સટાઇલ સેક્રેટરી રવિ કપૂરે કહ્યું કે, આ રીતે પોતાને પ્રોજેકટ કરવું સારું નથી, પરંતુ દરેક સંકટમાં એક તક છુપાયેલી હોય છે. અમે ચીનને દરેક રીતે સમર્થન આપી રહ્યા છીએ. પરંતુ અમારા માટે એક મોટી તક પણ છે. તેમણે કહ્યું કે ચીને છેલ્લા 3 વર્ષમાં 20 અબજ ડોલરનો ધંધો છોડી દીધો છે. વિયેતનામને તેનો સૌથી વધુ ફાયદો થયો છે.

February 19, 2020
CIA-1280x937.jpg
1min5070

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ સૂરત તેમજ કસ્ટમ વિભાગ દ્વારા આજે સંયુક્ત પણે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા ધંધાર્થીઓ માટે અત્યંત જરૂરી ઇ-સ્ટોરેજ અને ઇનડાયરેક્ટ ટેક્સ ડોક્યુમેન્ટસના કમ્પ્યુટરાઇઝ્ડ હેન્ડલિંગ અંગે ટ્રેનિંગ તેમજ અવેરનેસનો મહત્વનો વર્કશોપ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો. સેમિનારમાં ઉપસ્થિત રહેલા હીરા ઉદ્યોગના ધંધાર્થીઓ માટે આ વર્કશોપ અત્યંત ઉપયોગી એટલા માટે બની રહ્યો કેમકે દરેક એક્સપોર્ટસ હાઉસીસ તેમજ તેને આનુષંગિક કામગીરી સાથે સંકળાયેલા વ્યાવસાયિકો માટે કસ્ટમ ડિપાર્ટમેન્ટસની અદ્યતન માહિતી હોવી અને તેનું અમલીકરણ જરૂરી હતું. આ વર્કશોપને કારણે ડોક્યુમેન્ટેશન તેમજ અન્ય પ્રોસીજરનું સરળીકરણ થઇ શકશે.

શું છે ઇ-સંચિત

ઇ-સંચિત અંગે આજના વર્કશોપમાં માહિતી આપવામાં આવી હતી. આ ઇ-સંચિત એ એવું ડિજિટલ પ્લેટફોર્મ છે જે કેન્દ્ર સરકાર દ્વારા એક્સપોર્ટ-ઇમ્પોર્ટ કરતા વ્યવસાયિકો માટે લોંચ કરવામાં આવ્યું છે. કાગજકીય કાર્યવાહી ઓનલાઇન ડિજિટલી થઇ શકે અને વ્યક્તિગત કે ફિઝિકલ ઇન્ટરફિયરન્સ ઓછું થાય તે માટે ઇ-સંચિત પ્લેટફોર્મ ઉભું કરવામાં આવ્યું છે. કસ્ટમ તેમજ ક્લીયરીંગ એજન્ટો પ્રત્યક્ષ રીતે મળે અને એક યા બીજા પ્રશ્નો ઉપસ્થિત થાય તેના કરતા બહેતર રીતે ઇ-સંચિત કામ કરે છે અને તેના કારણે એપ્લિકેશન ક્લીયરિંગ પ્રોસેસનો સમય પણ ઘટી જાય છે. આ પ્લેટફોર્મ પર આયાત-નિકાસને લગતા ડોક્યુમેન્ટ્સ ડિજિટલી સહી સિક્કાની મદદથી અપલોડ કરી શકાય છે.

સૂરત હિરા બૂર્સના ડેપ્યુટી કમિશનર કસ્ટમ્સ ડો. પ્રસાદ વરવાન્ટકરે જણાવ્યું કે હીરા ઉદ્યોગમાં આયાત નિકાસનું કામ કરતા દરેક લોકો માટે ઇ-સંચિત પ્લેટફોર્મ પર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. સૂરત હીરા બૂર્સથી હીરા આયાત નિકાસનું કામ કરનારા દરેક લોકો માટે આ રજિસ્ટ્રેશન જરૂરી છે અને એ આયાત નિકાસકર્તાઓ માટે લાભદાયી પણ છે.

ઇ-સંચિત અંગેના આજના સેમિનારમાં અંદાજે 45 જેટલા આયાત નિકાસ હાઉસીસના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહીને જરૂરી જાણકારી મેળવી હતી.

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના રિજિયોનલ ચેરમેન શ્રી દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે ડાયમંડ ઉધોગકારોના હિતમાં છે ઇ સંચિત પ્લેટફોર્મ. અવરોધ મુક્ત કાગજકીય કાર્યવાહી અને ઝડપી પ્રોસેસિંગ ઇ-સંચિતથી શક્ય બન્યું છે. સ્થાનિક હીરા ઉદ્યોગકારોએ ઇ-સંચિત પ્લેટફોર્મનો વધુને વધુ ઉપયોગ કરવા દિનેશ નાવડીયાએ હિમાયત કરી છે. તેમણે જણાવ્યું હતું કે જીજેઇપીસી દ્વારા જરૂરી તમામ મદદ પૂરી પાડવામાં આવશે.

February 15, 2020
bs6.jpg
1min5810

સુપ્રીમ કોર્ટે ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સ (એફએડીએ)ની અરજીને ફગાવતા ફરી એક વખત કહ્યું છે કે દેશમાં બીએસ-4 વાહનનું વેચાણ 31 માર્ચ સુધી જ થઈ શકશે. કંપનીઓએ એપ્રિલના અંત સુધી બીએસ-4 વાહનો વેંચવાની મંજૂરી માગી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે કોર્ટ તરફથી 30 એપ્રિલ સુધીનો સમય આપવામાં આવે તો સ્ટોકમાં રહેલા બીએસ-4 વાહન વેંચી શકાશે. જો કે સુપ્રીમ કોર્ટે રાહત આપવાનો ઈનકાર કરી દીધો છે.’ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આગામી એક એપ્રિલથી બીએસ-6 અનિવાર્ય છે.

સુપ્રીમ કોર્ટે ઓક્ટોબર 2018મા ચુકાદો આપ્યો હતો કે 31 માર્ચ 2020 બાદ બીએસ4 વાહનોના રજીસ્ટ્રેશન અને વેંચાણ ઉપર રોક લાગશે. આ આદેશ સામે ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સે (એફએડીએ) અરજી દાખલ કરી હતી અને સમયમર્યાદા એક મહિનો લંબાવવા માટેની માગણી કરી હતી.

February 14, 2020
irctc_logo.png
1min5820

ડિસેમ્બર ક્વાર્ટરમાં નફામાં ત્રણ ગણો ઉછાળો આવ્યા બાદ IRCTC (ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન)ના શેરમાં આશરે 13 ટકાનો ઉછાળો આવ્યો હતો. કંપનીનો શેર બીએસઇમાં 11.35ટકા ઉછળીને ₹1,579.95એ બંધ આવ્યો હતો.

ગુરુવારમાં શેરની તેજી સાથે કંપનીના શેરમાં ઇશ્યૂ ભાવની સરખામણીમાં 399 ટકાની તેજી આવી છે, પરંતુ હજુ ઘણા એનાલિસ્ટ્સ માને છે કે શેરનો ભાવ વાજબી છે. IRCTCનું લિસ્ટિંગ 14 ઓક્ટોબર 2019ના રોજ થયું હતું. IPOમાં શેરનો ઇશ્યૂ ભાવ ₹320 હતો. કંપનીનો આઇપીઓ 112 ગણો છલકાયો હતો.

ચાલુ નાણાકીય વર્ષના ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 179.65ટકા ઉછળીને ₹205.80 કરોડ થયો હતો. ગયા વર્ષના સમાન ગાળામાં કંપનીએ ₹73.59 કરોડનો નફો કર્યો હતો. જાહેર ક્ષેત્રની આ કંપનીની આવક ડિસેમ્બર ક્વાર્ટરમાં 64.59 ટકા વધીને ₹715.98 કરોડ થઈ હતી. મજબૂત રિઝલ્ટને પગલે કંપનીના શેરમાં ભારે ખરીદી થઈ હતી.

FY19-22માં વેચાણમાં 22.5ટકા અને ટેક્સ પછીના નફામાં 48.7 ટકા વધારો થવાનો અંદાજ છે. કંપની ટિકિટ બુકિંગ એન્ડ કેટરિંગમાં ઇજારાશાહી ધરાવે છે, તેથી શેરનું વેલ્યુએશન આકર્ષક છે. યીલ્ડ મેક્સિમાઇઝરના સ્થાપક યોગેશ મહેતાએ જણાવ્યું હતું કે આઇપીઓ વખતે શેરનું મૂલ્ય નીચું હતું. શેરમાં આઇપીઓ ભાવથી આશરે પાંચ ગણો ઉછાળો આવ્યો છે. પરંતુ કંપની કેટરિંગ અને ટિકિટ બુકિંગમા ઇજારાશાહી ધરાવે છે. તે પ્રાઇસિંગ પાવર ધરાવે છે અને બીજા કોઇની સ્પર્ધા નથી.

February 13, 2020
lpg_cylinder.jpg
1min5820

ઘરેલુ વપરાશના રાંધણગૅસ (એલપીજી)ના ભાવમાં બુધવારે સિલિન્ડરદીઠ રૂપિયા ૧૪૪.૫નો વધારો કરાયો હતો. આમ છતાં, સરકારે એલપીજીના ઘરેલુ વપરાશકારોના લાભાર્થે સબસિડી (આર્થિક રાહત)માં પણ ભારે વધારો કર્યો હોવાથી ખાસ આર્થિક બોજ નહિ આવે.ઈંધણના વૈશ્ર્વિક ભાવમાંના વધારાને લીધે ઘરેલુ વપરાશના એલપીજીના ભાવમાં વધારો કરાયો હતો, પરંતુ સબસિડી પણ લગભગ બમણી કરવામાં આવતા ગ્રાહકને કોઇ મોટી આર્થિક અસર નહિ થાય.

સરકારી માલિકીની તેલ (ઑઇલ) કંપનીઓએ જણાવ્યું હતું કે રાંધણગૅસના ૧૪.૨ કિલોગ્રામના સિલિન્ડર (કોઠી)નો ભાવ અગાઉ રૂપિયા ૭૧૪ હતો, પરંતુ તે હવે વધારીને રૂપિયા ૮૫૮.૫૦ કરાયો છે.

અગાઉ, રાંધણગૅસના ભાવમાં ૨૦૧૪ના જાન્યુઆરીમાં સિલિન્ડરદીઠ રૂપિયા ૨૨૦નો વધારો કરીને તે રૂપિયા ૧,૨૪૧ કરાયો હતો અને તે પછીનો આ સૌથી મોટો ભાવવધારો છે.

દરેક પરિવારને દર વર્ષે ઘરેલુ વપરાશના રાંધણગૅસના ૧૪.૨ કિલોગ્રામના ૧૨ સિલિન્ડર માટે સરકાર આર્થિક રાહત આપે છે.

ઘરેલુ વપરાશના રાંધણગૅસના સિલિન્ડર પરની સબસિડી રૂપિયા ૧૫૩.૮૬થી વધારીને રૂપિયા ૨૯૧.૪૮ કરાઇ છે.

પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓની સબસિડી સિલિન્ડરદીઠ રૂપિયા ૧૭૪.૮૬થી વધારીને રૂપિયા ૩૧૨.૪૮ કરાઇ છે.

રાંધણગૅસના ઘરેલુ વપરાશકારોના બૅન્ક ખાતાંમાં સીધી જમા કરાવાતી આર્થિક રાહતને બાદ કરીએ તો સામાન્ય ઘરેલુ વપરાશકારને સિલિન્ડર રૂપિયા ૫૬૭.૦૨માં પડશે, જ્યારે પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને રૂપિયા ૫૪૬.૦૨માં મળશે.

સરકારે ઘરેલુ વપરાશમાં રાંધણગૅસનો ઉપયોગ વધારવા માટે પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજના હેઠળ અંદાજે આઠ કરોડ લોકોને એલપીજીના જોડાણ આપ્યા છે.

સામાન્ય રીતે રાંધણગૅસના ભાવમાં દર મહિનાની પહેલી તારીખે ફેરફાર થાય છે, પરંતુ આ વખતે તેમાં આશરે બે અઠવાડિયાંનો વિલંબ થયો છે.

દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લીધે રાંધણગૅસના ભાવમાંના ફેરફારમાં વિલંબ કરાયો હોવાનું પણ કહેવાય છે.