આજે તા.2 જૂન મંગળવારે બપોરે 3.30 કલાકે ભારતીય શેરબજારના ઇન્ડેક્ષ સેન્સેક્સ મજબૂતી સાથે બંધ થયો હતો. સાર્વત્રિક લેવાલીથી મંગળવારે BSE બેન્ચમાર્ક સેન્સેક્સ 522 પોઈન્ટ્સ વધીને બંધ રહ્યો હતો. શેરબજારમાં સતત પાંચમાં સેશનમાં રેલી જોવા મળી હતી.
દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 33,866.63 અને નીચામાં 33,301.29 પોઈન્ટ્સ વચ્ચે ટ્રેડ થયા બાદ 522.01 પોઈન્ટ્સ અથવા 1.57 ટકાના ઉછાળા સાથે 33,825.53 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં 9,995.60 અને નીચામાં 9,824.05 પોઈન્ટ્સ વચ્ચે અથડાયા બાદ 152.95 પોઈન્ટ્સ અથવા 1.56 ટકા વધીને 9,979.10 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 1.20 ટકા અને 1.83 ટકા વધીને બંધ રહ્યા હતા.
આજે FMCGને બાદ કરતાં તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા. આજે બપોરે રિયલ્ટી, બેન્ક, ફાઈનાન્સ, કન્ઝ્યુમર ડ્યુરેબ્સ અને કેપિટલ ગૂડ્ઝ શેરોમાં ધૂમ લેવાલી જોવા મળી હતી.
આજે વધીને બંધ રહેલા મુખ્ય શેરોમાં બજાજ ફાઈનાન્સ 8.64 ટકા, કોટક બેન્ક 7.56 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક 6.05 ટકા, HDFC 4.43 ટકા, પાવરગ્રીડ 3.46 ટકા, એક્સિસ બેન્ક 3.29 ટકા, ICICI બેન્ક 2.80 ટકા અને LT 1.86 ટકાનો સમાવેશ થાય છે.
આજે ઘટીને બંધ રહેલા મુખ્ય શેરોમાં મારુતિ 1.74 ટકા, ITC 1.69 ટકા, NTPC 1.23 ટકા, નેસ્લે ઈન્ડિયા 0.95 ટકા અને ભારતી એરટેલ 0.19 ટકાનો સમાવેશ થાય છે.
નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે ઇન્કમ ટૅક્સ રિટર્ન્સ ભરવાના ફોર્મ્સ આયકર વિભાગે જાહેર કર્યા છે.
સેન્ટ્રલ બૉર્ડ ઑફ ડાઇરેક્ટ ટેક્સીસે એસેસમેન્ટ ઇયર ૨૦૨૦-૨૧ માટે સહજ (આઇટીઆર-૧), ફોર્મ આઇટીઆર-૨, ફોર્મ આઇટીઆર-૩, ફોર્મ સુગમ (આઇટીઆર-૪), ફોર્મ આઇટીઆર-૫, ફોર્મ આઇટીઆર-૬, ફોર્મ આઇટીઆર-૭ અને ફોર્મ આઇટીઆર-વી જાહેર કર્યા છે.
૨૦૧૯-૨૦નું આવકવેરા રિટર્ન ભરવા માટે સરકારે નવા ફોર્મ જારી કર્યા છે જે મુજબ વ્યક્તિના કરંટ એકાઉન્ટમાં એક કરોડથી વધુ રૂપિયા જમા હોય તેમણે અને જેમના બાર મહિનાનું વીજળીનું બિલ એક લાખ રૂપિયાથી વધારે હોય તેમણે આ અલગ ફોર્મમાં રિટર્ન ફાઇલ કરવા પડશે. નવા આઇટીઆર ફોર્મ્સમાં કરદાતાઓએ ખાસ ઊંચા ખર્ચની વિગતો આપવી પડશે. તેમના કરંટ એકાઉન્ટમાં એક કરોડ રૂપિયાથી વધુ રકમ હોય, વિદેશ પ્રવાસ પર બે લાખ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો હોય અથવા વર્ષભરમાં વીજળીના બિલ પેટે એક લાખ રૂપિયાથી વધુ રકમ ભરી હોય તેમણે એની વિગતો ફોર્મમાં આપવી પડશે. આ વર્ષે આઇટીઆર-૧માં કરદાતાઓએ પોતાનો પાસપોર્ટ નંબર (જો કોઇ હોય તો) આપવો પડશે.
વિશ્વની તમામ લિસ્ટેડ કંપનીઓમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 2020માં અત્યાર સુધીમાં શેર્સના વેચાણ મારફત સૌથી વધારે ભંડોળ એકત્ર કરનારી કંપની બની છે. ભારતીય કંપનીઓમાં અન્ય ટોચના ભંડોળ એકત્ર કરનારાઓમાં ગ્લેક્સોસ્મિથક્લાઇન અને હોર્લિક્સે તાજેતરમાં ₹26,000 કરોડની કિંમતના હિન્દુસ્તાન યુનિલીવરના શેર્સનું વેચાણ કર્યું હતું જ્યારે ભારતી એરટેલે ક્વોલિફાઇડ ઈન્સ્ટિટ્યૂશનલ પ્લેસમેન્ટ તથા ઓવરસિસ બોન્ડ મારફત ત્રણ અબજ ડોલર એકત્ર કર્યા હતા.
બ્લૂમબર્ગના ડેટા અને ઇક્વિટી ઓફરિંગ માટે કંપનીઓ દ્વારા કરવામાં આવેલી તમામ જાહેરાતો અનુસાર મુકેશ અંબાણીના વડપણ હેઠળની આ મહાકાય કંપનીએ ઇક્વિટી ઓફરિંગ મારફત 18.4 અબજ ડોલર એકત્ર કર્યા હતા. તેના પછી યુએસ સ્થિત મની મેનેજર બ્લેકરોકનો ક્રમ આવે છે જેણે 13.3 અબજ ડોલર એકત્ર કર્યા હતા અને તેના પછી રિજનરોન ફાર્માસ્યુટિકલ્સનો ક્રમ હતો જેણે 11 અબજ ડોલર એકત્ર કર્યા હતા. અન્ય કંપનીઓ જેમણે બજારમાંથી મોટા પાયે નાણાં એકત્ર કર્યાં હતાં તેમાં સિંગાપોર એરલાઇન, બ્રાઝિલની પેટ્રોબ્રાસ અને યુએસ સ્થિત સાઉથવેસ્ટ એરલાઇનનો સમાવેશ થાય છે.
એક વર્ષમાં સૌથી મોટું ઇક્વિટી ઓફરિંગ સાઉદી અરેબિયાની મહાકાય ઓઇલ કંપની અરામ્કોનું હતું જેણે પાછલા ડિસેમ્બર મહિનામાં ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ મારફત આશરે 28.4 અબજ ડોલર એકત્ર કર્યા હતા, તે અગાઉનો ટોચનો રેકર્ડ અલીબાબા ગ્રૂપ હોલ્ડિંગ્સના નામે હતો જેણે 2014માં 25અબજ ડોલર એકત્ર કર્યા હતા.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પોતાના ઋણમાં કાપ મૂકવા માંગતી હોવાથી શેર્સ સેલની જાહેરાત કરી હતી. કંપનીનો ₹53,000 કરોડનો રાઇટ ઇશ્યૂ ખૂલ્યો છે ત્યારે તેણે પોતાના ડિજિટલ યુનિટ જિયો પ્લેટફોર્મમાં 17 ટકા કરતાં વધારે હિસ્સો વેચીને ₹78,562 કરોડ એકત્ર કરી દીધા છે. તેમાંથી ફેસબૂકે ₹43,574 કરોડમાં આ યુનિટમાં 9.99 ટકા હિસ્સો ખરીદ કર્યો હતો જ્યારે સિલ્વર લેખે ₹5,665.75કરોડમાં 1.15ટકા હિસ્સો ખરીદ કર્યો હતો.
આઠ મેના રોજ યુએસ સ્થિત વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સે ₹11,367 કરોડમાં જિયો પ્લેટફોર્મમાં 2.32 ટકા હિસ્સો ખરીદ કર્યો હતો અને 17 મેના રોજ ગ્લોબલ ઇક્વિટી કંપની જનરલ એટલાન્ટિકે ₹6,598.38 કરોડમાં 1.34 ટકા હિસ્સો ખરીદ્યો હતો. પાંચમા સોદામાં ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ કંપની કેકેઆર એન્ડ કંપનીએ ₹11,367 કરોડમાં જિયોનો 2.32 ટકા હિસ્સો હસ્તગત કર્યો હતો.
31 માર્ચની સ્થિતિએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું બાકી દેવું ₹3,36,294 કરોડ નોંધાયું હતું. તેની પાસે હાથ પર ₹1,75,259 કરોડની રોકડ છે જેથી નેટ ડેટ ₹1,61,035કરોડ થાય છે.
ગુજરાત સરકાર દ્વારા લોકડાઉનમાં ઠપ થઇ ગયેલા વેપાર-ધંધાને ફરીથી પાટે ચડાવા માટે નાના દુકાનદારો અને વ્યવસાયીઓને રૂ. એક લાખની બે ટકા વ્યાજની લોન આપવાની જાહેરાત બાદ તા.21મી મે ને ગુરુવારથી સહકારી બેન્કોમાં ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવતા જ અમદાવાદ, સુરત, રાજકોટ ભાવનગર અને વડોદરા સહિતના મહાનગરો અને નાના નગરોમાં બેન્કો તેમજ ક્રેડીટ સોસાયટીઓની બહાર લોકોની લાંબી લાઇનો લાગેલી જોવા મળી હતી. જાણે લોકોએ જીંદગી જોખમમાં મૂકીને એક લાખની લોન માટે મોટું જોખમ ખેડી લીધું હતું.
કેટલાક સ્થળોએ બેન્કોએ ફોર્મ આવ્યા નહીં હોવાનો જવાબ આપતા લોકોને ધક્કો ખાવો પડ્યો હતો. બીજી બાજુ રાજકોટમાં લાંબી લાઇનોથી સોશિયલ ડિસ્ટન્સના પણ ધજાગરા ઉડ્યાં હતા.
રાજ્ય સરકાર દ્વારા ઘોષિત એક લાખની લોન લેવા માટે સૂરત, રાજકોટ સમેત મહાનગરોની બેંકોમાં લોકોનાં ટોળાં ઉમટી પડ્યાં હતાં. એક લાખની પાછળ લોકો પોતાની જિંદગી દાવ પર મૂકી રહ્યા હોય અને કોરોનાને આમંત્રણ આપી રહ્યા હોય તેવા દૃશ્યો જોવા મળ્યાં હતાં. ફોર્મ લેવા આવેલા લોકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ કરવામાં આવતું નથી.
સરકારે એક લાખની લોન માટેની જાહેરાત તો કરી દીધી પણ ફોર્મ લેવા જતી વખતે સાથે શું પ્રૂફ લઇ જવું તેવી ચોખવટ પણ કરવામાં આવી નથી. આથી લોકો પોતાની સાથે આધાર-પુરાવા રાખ્યા વગર જ બેંકો પર આવી ગયા હતા જેમને ધક્કો ખાવો પડ્યો હતો.
વળી અમુક બેંકોમાં તો હજી ફોર્મ પણ આવ્યા ન હોવાથી ફોર્મ નહીં મળતા લોકોએ બેંકોના કર્મચારીઓ સાથે જીભાજોડી કરી હતી. લોકોના ટોળાં કોરોનાને સામેથી આમંત્રણ આપતા હોય તેવા દૃશ્યો જોવા મળ્યાં હતાં.
ડૉમેસ્ટિક કમર્શિયલ પેસેન્જર ફ્લાઈટ પચીસ મે થી શરૂ કરવાની જાહેરાત કર્યાના એક દિવસ બાદ નાગરિકી ઉડ્ડયન ખાતાએ ઍરલાઈન્સ, ઍરપોર્ટ અને પ્રવાસીઓ માટે ગુરુવારે વિગતવાર માગદર્શિકા બહાર પાડી હતી.
વિમાનની વચલી બેઠક ખાલી રાખવામાં આવશે તો પણ સોશિયલ ડિસ્ટન્સિંગનાં નિયમની પૂર્તિ ન થવાની હોવાથી અમે વચલી બેઠક પર પણ પ્રવાસ કરવાની પરવાનગી આપીશું એમ જણાવતાં ઉડ્ડયન ખાતાના પ્રધાને કહ્યું હતું કે આરોગ્ય સેતુ ઍપ ન ધરાવતા પ્રવાસી સૅલ્ફ ડિકલેરેશન ફૉર્મ ભરીને આપશે તેમને વિમાનમાં પ્રવાસ કરતા રોકવામાં નહીં આવે.
વિમાનભાડાંની મહત્તમ અને લઘુતમ મર્યાદા નક્કી કરવામાં આવશે અને મહામારીના આ સમયગાળા દરમિયાન ઍરલાઈન્સોએ તેનું ચુસ્તપણે પાલન કરવું પડશે, એમ ઉડ્ડયન ખાતાએ કહ્યું હતું.
વિમાનના ભાડાં તેમ જ પ્રવાસીઓની બૅગની સંખ્યા પર નિયંત્રણ લાવવા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું તેમણે કહ્યું હતું.
પ્રથમ દિવસે એટલે કે પચીસમી મેએ ઍરલાઈન્સોને તેની ક્ષમતા કરતા ત્રીજા ભાગના વિમાન ઉડાડવાની પરવાનગી આપવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.
વિમાનના ઉડ્ડયનના બે કલાક અગાઉ પ્રવાસીઓએ વિમાનમથક પર હાજર થઈ જવું પડશે અને વૅબ ચૅક-ઈન પૂરું કરનારને જ ટર્મિનલની ઈમારતમાં પ્રવેશ આપવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.
પ્રવાસીને માત્ર એક જ બૅગ સાથે લઈ જવાની પરવાનગી આપવામાં આવશે અને વિમાનમાં તેમને ભોજન પીરસવામાં નહીં આવે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે પ્રવાસ દરમિયાન પ્રવાસીએ સતત માસ્ક પહેરી રાખવો પડશે.
ક્ધટેઈનમેન્ટ ઝોનમાં રહેતી વ્યક્તિ વિમાનપ્રવાસ નહીં કરી શકે તેમ જ કોરોના પૉઝિટિવ ધરાવતી વ્યક્તિને પણ પ્રવાસ કરવાની પરવાનગી આપવામાં નહીં આવે, એમ તેમણે કહ્યું હતું. વરિષ્ઠ નાગરિકો, સગર્ભા મહિલાઓ તેમ જ બીમાર લોકોને વિમાનપ્રવાસથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.
વિમાનના ઉડ્ડયનની ૬૦ મિનિટ પહેલા પ્રવાસીઓને વિમાનમાં પ્રવેશ આપવાનો આરંભ કરવામાં આવશે અને ઉડ્ડયનની ૨૦ મિનિટ અગાઉ તે બંધ કરી દેવામાં આવશે.
પચીસ મે થી ડૉમેસ્ટિક ફ્લાઈટ સેવા તબક્કાવાર ફરી શરૂ કરવામાં આવશે એવી જાહેરાત ઉડ્ડયન ખાતાના પ્રધાન હરદીપસિંહ પૂરીએ બુધવારે કરી હતી.
૧૪ વર્ષથી નાની ઉંમરના બાળકો માટે આરોગ્ય સેતુ ઍપ ફરજિયાત નહીં હોય, એમ જણાવતાં ઍરપોર્ટ ઑથોરિટી ઑફ ઈન્ડિયા (એએઆઈ)એે કહ્યું હતું કે ટર્મિનલની ઈમારતમાં પ્રવેશતા અગાઉ પ્રવાસીઓ માટે શહેરના મુકરર કરેલા સ્ક્રિનિંગ સેન્ટરમાં આવેલા સ્ક્રિનિંગ ઝોનમાં થર્મલ સ્ક્રિનિંગ કરાવવું ફરજિયાત હશે. ઍરપોર્ટ ઑપરેટરોએ પ્રવાસીઓેને ટર્મિનલની ઈમારતમાં પ્રવેશ આપતા અગાઉ તેમનાં બૅગેજના સૅનિટાઈઝેશનની યોગ્ય વ્યવસ્થા કરવી પડશે, એમ તેમણે કહ્યું હતું.
તા.13મી મે એ બપોરે 4 કલાકે મિડીયા બ્રિફિંગમાં દેશના નાણામંત્રી નિર્મલા સિતારમણે કોરોના લૉકડાઉનની સ્થિતિ બાદ દેશમાં ધંધા-રોજગાર બેઠા થાય એ માટે વડાપ્રધાને જાહેર કરેલા સ્ટીમ્યુલસ પેકેજના પહેલા ચરણમાં નીચે મુજબની જાહેરાતો કરી હતી.
આ પેકેજમાં સૂક્ષ્મ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગો માટે ઘણી મહત્વની જાહેરાત કરવામાં આવી છે. – MSME એમએસએમઈ ને ક્રેડિટ ફ્રી લોન આપવામાં આવશે. – MSME ને 3 લાખ કરોડ રૂપિયા સુધીની લોન ગેરંટી ફ્રી મળશે. – 45 લાખ MSMEને તેનાથી ફાયદો થશે. – જે લોન આફવામાં આવશે તેને ચાર વર્ષમાં ચૂકવવાની છે. આ 31 ઓક્ટોબર 2020 સુધી વેલિડ છે.
– સ્ટ્રેસ્ડ MSME માટે 20 હજાર કરોડ રૂપિયા સબ-ઓર્ડિનેટ ડેટ આપવામાં
આવશે. તેમાંથી 2 લાખ એમએસએમઈને ફાયદો થશે.
– સરકારે એમએસએમઈની વ્યાખ્યા બદલવાનો નિર્ણય
કર્યો છે.
– 18,000 કરોડ રૂપિયા ટેક્સ પેયર્સને આપીને તેમને પણ રાહત કરી આપી છે. 14 લાખ ટેક્સ પેયર્સને તેનો ફાયદો પણ મળ્યો છે. – પ્રથમ વખત જ્યારે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી તેમાંથી 41 કરોડ એકાઉન્ટ્સમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સીધી મદદ પહોંચાડવામાં આવી હતી.
– કોરોનાના કારણે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદ સરકારે 1.7 લાખ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું હતું. – આત્મનિર્ભર ભારતના પાંચ પિલર છે. ઈકોનોમી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સિસ્ટમ, ડેમોગ્રાફી અને ડિમાન્ડ
કલરફૂર 4.0 લૉકડાઉન અને 20 લાખ કરોડ રૂપિયાના જંગી સ્ટીમ્લ્યુલસ પેકેજની ઘોષણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ તા.12મી મે એટલે કે ગઇકાલે રાત્રે 8 વાગ્યાથી સાડા આઠ વાગ્યા દરમિયાન કરી હતી. હવે આજે તા.13 મી મે ને બુધવારે બપોરે 4 વાગ્યે દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ વિગતવાર જાહેરાત કરશે કે રૂ.20 લાખ કરોડના સ્ટીમ્યુલસ પેકેજમાં શું શું હશે. એવું પણ કહેવાય છે કે પેકેજની જાહેરાતો આજે એક દિવસમાં પૂરી નહીં થાય તા.17મી મે સુધી તબક્કાવાર રીતે જુદા જુદા સેક્ટર માટે જાહેરાતો થાય એ સંભવ છે.
દરમિયાન મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ દ્વારા આજે ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી હતી કે નાણા મંત્રી શ્રી નિર્મલા સીતારમણ આજે સાંજે 4 વાગ્યે મિડીયા બ્રિફિંગ કરીને પેકેજ અંગે વિગતવાર માહિતી આપશે.
કોરોનાથી સંકટગ્રસ્ત દેશના અર્થતંત્રને ઉગારવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલા ₹20 લાખ કરોડના આર્થિક પેકેજને પગલે બુધવારે અપેક્ષાનુસાર ભારતીય ઈક્વિટી માર્કેટમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. આજે સવારે BSE બેન્ચમાર્ક સેન્સેક્સ ઉપરમાં ખૂલ્યા બાદ વધુ ઉછળ્યો હતો અને 996 પોઈન્ટ્સ વધીને ટ્રેડ થઈ રહ્યો હતો.
આજે સવારે 9.20 વાગ્યે સાર્વત્રિક લેવાલીથી BSE સેન્સેક્સ 962.06 પોઈન્ટ્સ અથવા 3.07 ટકા ઉછળીને 32,333.18 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.
નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 267.10 પોઈન્ટ્સ અથવા 2.90 ટકાની વૃદ્ધિ સાથે 9,463.65 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.
BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 1.92 ટકા અને 2.04 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.
ભારતીય ઈક્વિટી માર્કેટમાં આજે સવારથી જ બુલિશ ચાલ જોવા મળી હતી. આજે સવારથી જ બેન્ક, ફાઈનાન્સ, પાવર, મેટલ અને ઓટો શેરોમાં ધૂમ લેવાલી જોવા મળી હતી. આજે સવારે તમામ સેક્ટોરલ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.
આજે સવારે વધીને ટ્રેડ થઈ રહેલા મુખ્ય શેરોમાં ICICI બેન્ક 7.27 ટકા, મારુતિ 6.38 ટકા, હિરો મોટોકોર્પ 6.33 ટકા, એક્સિસ બેન્ક 5.84 ટકા, HDFC બેન્ક 5.31 ટકા, બજાજ ફાઈનાન્સ 4.72 ટકા અને M&M 4.58 ટકાનો સમાવેશ થાય છે.
આજે સવારે ઘટીને ટ્રેડ થઈ રહેલા મુખ્ય શેરોમાં TCS 0.97 ટકા, નેસ્લે ઈન્ડિયા 0.74 ટકા, HCL ટેકનો 0.37 ટકા અને ભારતી એરટેલ 0.36 ટકાનો સમાવેશ થાય છે.
કેન્દ્રના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડર્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કોલ્ડ ડ્રિક્સ, આઇસ્ક્રીમ અને ફ્રોઝન ફૂડ જેવી ખાદ્યચીજોથી કોરોના વાયરસનું સંક્રમણ થતું નથી એવી ગાઇડલાઇન્સ દરેક રાજ્યોને મોકલી આપી છે.
આ ગાઇડલાઇન્સના પાલન માટે ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર ડો. એચ.જી. કોશીયાએ દરેક કલેક્ટરો અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરોને સૂચના આપી છે અને જણાવ્યું છે કે, આવા ખાદ્યપદાર્થોના વેચાણને છુટ આપવામાં આવી હોવાથી એમને કનડગત કરવી નહીં.
વિશાખાપટ્ટણમમાં તાજેતરમાં ફેક્ટરીમાંથી ઝેરી ગેસના ગળતરની દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને દેશભરના ઔદ્યોગિક પ્લાન્ટ્સ અને તેના કર્મચારીઓની સલામતી માટેના પગલાં સૂચવવામાં આવ્યા હતા.
grand reopening sticker. grand reopening square isolated sign. grand reopening
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એનડીએમએ)એ દેશમાં કોવિડ-૧૯ (કોરોના વાઇરસ)ના રોગચાળાને ફેલાતો રોકવા લદાયેલા લોકડાઉન બાદ ઔદ્યોગિક પ્રવૃત્તિ ફરી શરૂ કરવા માટેની માર્ગદર્શિકા જાહેર કરી હતી.
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ બધા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે દેશમાં અનેક અઠવાડિયાંના લોકડાઉન દરમિયાન ઔદ્યોગિક એકમો લાંબો સમય બંધ રહ્યા હોવાથી મશીનરીના અમુક ઓપરેટર ઘણાં સમય સુધી નિર્ધારિત સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરને અનુસર્યા નહિ હોય અને તેથી કારખાના ફરી શરૂ કરતી વખતે સલામતીનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.
ગાઇડલાઇન મુજબ ઉત્પાદન કરતા અનેક કારખાનાની બંધ પાઇપલાઇન્સ અને વાલ્વમાં કેટલાક ઝેરી કે જ્વલનશીલ રસાયણના અંશ રહી ગયા હોવાની શક્યતા છે અને તેનાથી જોખમ ઊભું થઇ શકે છે. આ ઉપરાંત, હાનિકારક રસાયણો અને જ્વલનશીલ સામગ્રીના સંગ્રહની ટાંકી કે અન્ય ફેસિલિટીમાં પણ સમસ્યા ઊભી થઇ શકે છે.
પ્રથમ સપ્તાહ ટ્રાયલ પિરીયડ તરીકે અનુસરો
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની માર્ગદર્શિકામાં જણાવાયું હતું કે ઔદ્યોગિક એકમોને બધી સલામતીનું ધ્યાન રાખીને તે ફરી શરૂ કરવાના પ્રથમ સપ્તાહને ટ્રાયલ કે ટેસ્ટનો સમય ગણવો.
ઉંચો લક્ષ્યાંક આરંભથી નહીં
કંપનીઓએ શરૂઆતમાં ઉત્પાદનનો ઊંચો લક્ષ્યાંક ન રાખવો. ફેક્ટરીના પરિસરમાં ૨૪ કલાક સેનિટાઇઝેશનની સુવિધા રાખવી. દરેક બેથી ત્રણ કલાકે કારખાનામાં, ખાસ કરીને લંચરૂમ, કોમન ટેબલ્સ વગેરે સાફ તેમ જ સેનિટાઇઝ કરતા રહેવા. આ ઉપરાંત, દરેક વખતના વપરાશ બાદ સરખી સફાઇ કરવી.
કર્મચારીઓની સલામતિની જોગવાઇ
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે કંપનીના કર્મચારીઓની સલામતી માટે અને રોગચાળો ફેલાતો રોકવા માટે નિયમિત સેનિટાઇઝેશન કરતા રહેવું. ખાસ મશીન પર કામ કરતા કર્મચારીઓને જો મશીનમાંથી અલગ પ્રકારના (વિચિત્ર) અવાજ કે ગંધ આવે તો ગળતર, આગ કે અન્ય દુર્ઘટના ટાળવા તાત્કાલિક ખામીવાળા મશીન બંધ કરી દેવા.
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ દેશભરમાં કોવિડ-૧૯નો રોગચાળો ફેલાતો રોકવા લદાયેલા લોકડાઉન દરમિયાન લાંબો સમય બંધ રહેલા ઔદ્યોગિક એકમો ફરી શરૂ કરવા સલામતીને લગતી વિવિધ જરૂરી સૂચના આપી હતી.
આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટણમમાં ૭મેએ એક ફેક્ટરીમાં ઝેરી ગેસનું ગળતર થતાં ઓછામાં ઓછા ૧૧ જણ માર્યા ગયા હતા અને સેંકડો જણ બીમાર પડ્યા હતા. અનેક અઠવાડિયાંના લોકડાઉન બાદ આ ફેક્ટરી ફરી શરૂ કરવાની તૈયારી ચાલી રહી હતી ત્યારે આ દુર્ઘટના થઇ હતી. ઝેરી ગેસનું ગળતર વાલ્વમાંની ખામીને લીધે થયું હોવાનું કહેવાય છે.
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની માર્ગદર્શિકામાં જણાવાયું હતું કે લાંબા સમય સુધી બંધ પડેલી ફેક્ટરી ફરી શરૂ કરાય ત્યારે ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ અને કેમિકલ ઇક્વિપમેન્ટ્સનું કામ સંભાળનારાઓ માટે જોખમ ઊભું થવાની શક્યતા રહે છે.
હેવી મશીનરી અને ઇક્વિપમેન્ટ્સ (ભારે યંત્રસામગ્રી)ની નિયમિત દેખરેખ રાખવામાં ન આવી હોય તો તેના ઓપરેટર્સ અને એન્જિનિયર્સ માટે જોખમ ઊભું થઇ શકે છે. જ્વલનશીલ પદાર્થો, ખુલ્લા વાયર્સ, ઓટોમેટેડ વેહિકલ્સને લીધે ફેક્ટરીમાં દુર્ઘટનાની શક્યતા વધુ રહે છે. ફેક્ટરી ફરી શરૂ કરતા પહેલાં સલામતીની ચકાસણી સરખી રીતે કરવી જરૂરી છે. જ્વલનશીલ કે ઝેરી પદાર્થોના ગળતરથી કારખાનામાં કામ કરતા લોકોના જાન જોખમમાં મુકાઇ શકે છે અને દુર્ઘટનામાં જાનહાનિ ઉપરાંત મોટું આર્થિક નુકસાન પણ થઇ શકે છે. વાલ્વ કે ટાંકીમાંથી ગળતર છે કે નહિ, તે જોવા પ્રવાહી સાબુનો ઉપયોગ કરી શકાય છે અથવા નરી આંખે જરૂરી નિરીક્ષણ પણ થઇ શકે છે.
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એનડીએમએ)એ દેશમાં કોવિડ-૧૯ (કોરોના વાઇરસ)ના રોગચાળાને ફેલાતો રોકવા લદાયેલા લોકડાઉન બાદ ઔદ્યોગિક પ્રવૃત્તિ ફરી શરૂ કરવા માટેની માર્ગદર્શિકા જાહેર કરી હતી.વિશાખાપટ્ટણમમાં તાજેતરમાં ફેક્ટરીમાંથી ઝેરી ગેસના ગળતરની દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને દેશભરના ઔદ્યોગિક પ્લાન્ટ્સ અને તેના કર્મચારીઓની સલામતી માટેના પગલાં સૂચવવામાં આવ્યા હતા.
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ બધા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે દેશમાં અનેક અઠવાડિયાંના લોકડાઉન દરમિયાન ઔદ્યોગિક એકમો લાંબો સમય બંધ રહ્યા હોવાથી મશીનરીના અમુક ઓપરેટર ઘણાં સમય સુધી નિર્ધારિત સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરને અનુસર્યા નહિ હોય અને તેથી કારખાના ફરી શરૂ કરતી વખતે સલામતીનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.
તેમણે જણાવ્યું હતું કે ઉત્પાદન કરતા અનેક કારખાનાની બંધ પાઇપલાઇન્સ અને વાલ્વમાં કેટલાક ઝેરી કે જ્વલનશીલ રસાયણના અંશ રહી ગયા હોવાની શક્યતા છે અને તેનાથી જોખમ ઊભું થઇ શકે છે. આ ઉપરાંત, હાનિકારક રસાયણો અને જ્વલનશીલ સામગ્રીના સંગ્રહની ટાંકી કે અન્ય ફેસિલિટીમાં પણ સમસ્યા ઊભી થઇ શકે છે.નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની માર્ગદર્શિકામાં જણાવાયું હતું કે ઔદ્યોગિક એકમોને બધી સલામતીનું ધ્યાન રાખીને તે ફરી શરૂ કરવાના પ્રથમ સપ્તાહને ટ્રાયલ કે ટેસ્ટનો સમય ગણવો.
કંપનીઓએ શરૂઆતમાં ઉત્પાદનનો ઊંચો લક્ષ્યાંક ન રાખવો. ફેક્ટરીના પરિસરમાં ૨૪ કલાક સેનિટાઇઝેશનની સુવિધા રાખવી. દરેક બેથી ત્રણ કલાકે કારખાનામાં, ખાસ કરીને લંચરૂમ, કોમન ટેબલ્સ વગેરે સાફ તેમ જ સેનિટાઇઝ કરતા રહેવા. આ ઉપરાંત, દરેક વખતના વપરાશ બાદ સરખી સફાઇ કરવી.
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે કંપનીના કર્મચારીઓની સલામતી માટે અને રોગચાળો ફેલાતો રોકવા માટે નિયમિત સેનિટાઇઝેશન કરતા રહેવું. ખાસ મશીન પર કામ કરતા કર્મચારીઓને જો મશીનમાંથી અલગ પ્રકારના (વિચિત્ર) અવાજ કે ગંધ આવે તો ગળતર, આગ કે અન્ય દુર્ઘટના ટાળવા તાત્કાલિક ખામીવાળા મશીન બંધ કરી દેવા.
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ દેશભરમાં કોવિડ-૧૯નો રોગચાળો ફેલાતો રોકવા લદાયેલા લોકડાઉન દરમિયાન લાંબો સમય બંધ રહેલા ઔદ્યોગિક એકમો ફરી શરૂ કરવા સલામતીને લગતી વિવિધ જરૂરી સૂચના આપી હતી.
આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટણમમાં ૭મેએ એક ફેક્ટરીમાં ઝેરી ગેસનું ગળતર થતાં ઓછામાં ઓછા ૧૧ જણ માર્યા ગયા હતા અને સેંકડો જણ બીમાર પડ્યા હતા. અનેક અઠવાડિયાંના લોકડાઉન બાદ આ ફેક્ટરી ફરી શરૂ કરવાની તૈયારી ચાલી રહી હતી ત્યારે આ દુર્ઘટના થઇ હતી. ઝેરી ગેસનું ગળતર વાલ્વમાંની ખામીને લીધે થયું હોવાનું કહેવાય છે.
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની માર્ગદર્શિકામાં જણાવાયું હતું કે લાંબા સમય સુધી બંધ પડેલી ફેક્ટરી ફરી શરૂ કરાય ત્યારે ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ અને કેમિકલ ઇક્વિપમેન્ટ્સનું કામ સંભાળનારાઓ માટે જોખમ ઊભું થવાની શક્યતા રહે છે. હેવી મશીનરી અને ઇક્વિપમેન્ટ્સ (ભારે યંત્રસામગ્રી)ની નિયમિત દેખરેખ રાખવામાં ન આવી હોય તો તેના ઓપરેટર્સ અને એન્જિનિયર્સ માટે જોખમ ઊભું થઇ શકે છે. જ્વલનશીલ પદાર્થો, ખુલ્લા વાયર્સ, ઓટોમેટેડ વેહિકલ્સને લીધે ફેક્ટરીમાં દુર્ઘટનાની શક્યતા વધુ રહે છે. ફેક્ટરી ફરી શરૂ કરતા પહેલાં સલામતીની ચકાસણી સરખી રીતે કરવી જરૂરી છે. જ્વલનશીલ કે ઝેરી પદાર્થોના ગળતરથી કારખાનામાં કામ કરતા લોકોના જાન જોખમમાં મુકાઇ શકે છે અને દુર્ઘટનામાં જાનહાનિ ઉપરાંત મોટું આર્થિક નુકસાન પણ થઇ શકે છે. વાલ્વ કે ટાંકીમાંથી ગળતર છે કે નહિ, તે જોવા પ્રવાહી સાબુનો ઉપયોગ કરી શકાય છે અથવા નરી આંખે જરૂરી નિરીક્ષણ પણ થઇ શકે છે.
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે પૂરા સ્ટાફ સાથે કારખાનાને સંપૂર્ણ ક્ષમતાએ ચાલુ કરતા પહેલાં ટ્રાયલ ટેસ્ટિંગ કરવું જરૂરી છે.કોવિડ-૧૯ (કોરોના વાઇરસ)ના લક્ષણ ધરાવતા કર્મચારીઓને કામ પર નહિ આવવાની સૂચના આપવી. કંપનીએ બધા કર્મચારીઓને માસ્ક અને હેન્ડ સેનિટાઇઝર આપવા. ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ મેનેજરિયલ અને વહીવટી સ્ટાફ એક પાળી (શિફ્ટ)માં ૩૩ ટકા જ રાખવો.
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે પૂરા સ્ટાફ સાથે કારખાનાને સંપૂર્ણ ક્ષમતાએ ચાલુ કરતા પહેલાં ટ્રાયલ ટેસ્ટિંગ કરવું જરૂરી છે.કોવિડ-૧૯ (કોરોના વાઇરસ)ના લક્ષણ ધરાવતા કર્મચારીઓને કામ પર નહિ આવવાની સૂચના આપવી. કંપનીએ બધા કર્મચારીઓને માસ્ક અને હેન્ડ સેનિટાઇઝર આપવા. ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ મેનેજરિયલ અને વહીવટી સ્ટાફ એક પાળી (શિફ્ટ)માં ૩૩ ટકા જ રાખવો.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.