CIA ALERT

બિઝનેસ Archives - Page 30 of 90 - CIA Live

August 27, 2021
Cia_business_news-1280x936.jpg
3min429

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

જે રીતે સુરતમાં હીરા ઉદ્યોગના વિકાસ માટે સુરત ડાયમંડ બુર્સ, ડ્રીમ સિટી પ્રોજેક્ટ અને સૂચિત જેમ્સ એન્ડ જ્વેલરી પાર્કનો ઉલ્લેખ કરતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી એવું બોલી ઉઠ્યા કે હીરાનો વેપાર કરવા માટે સમગ્ર વિશ્વમાં સુરતનો કોઇ વિકલ્પ ભવિષ્યમાં નહીં હોય. મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સુરતમાં આયોજિત 46માં ઇન્ડીયા જેમ એન્ડ જ્વેલરી એવોર્ડ સેરેમનીને સંબોધી રહ્યા હતા. મુખ્યમંત્રી વિજય રુપાણીએ સુરતમાં રહેલી હીરા ઉદ્યોગની અપાર ક્ષમતાઓની ભારોભાર પ્રશંસા કરી હતી.

May be an image of 4 people, people standing and indoor

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના 46માં ઇન્ડીયા એવોર્ડસને સંબોધતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે ગુજરાતી દેશ અને દુનિયાને બતાવી આપ્યું છે કે આપણે ફક્ત હીરા ઘસવાનું કામ નથી કરતા પરંતુ ગ્લોબલ ટ્રેન્ડ સેટ કરવાનું કામ કરી શકીએ છીએ.

ઝવેરાતની બનાવટથી લઇને સજાવટમાં સુરત અને ગુજરાતના ઝવેરીઓની કામગીરીનો ઉલ્લેખ કરતા વિજય રુપાણીએ કહ્યું કે મુસિબતને અવસરમાં પલટવાની તાકાત છે આપણામાં, કોવીડ-19ની પરિસ્થિતિમાં જ્યારે વિશ્વ આખું સ્તબ્ધ અને સ્થગિત હતું ત્યારે હીરા ઉદ્યોગે 59 ટકાનો ગ્રોથરેટ હાંસલ કર્યો એ દર્શાવે છે કે કેટલી અપાર શક્તિ અને ક્ષમતા આપણામાં છે.

May be an image of 5 people and people standing
સુરતને કર્મભૂમિ બનાવનાર કાઠીયાવાડના ગોવિંદ ધોળકિયાને આજે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ આયોજિત 46મા જેમ એન્ડ જવેલરી એવોર્ડસમાં લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સી.આઇ.એ. લાઇવ

વડાપ્રધાન શ્રી મોદીએ આપેલા નિકાસ લક્ષ્યાંકમાં જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગનો સિંહફાળો હશે અને આપણે તેમાં મહત્વની ભૂમિકા ભજવીશું એવો આશાવાદ વિજય રૂપાણીએ વ્યક્ત કર્યો હતો.સુરતમાં ડાયમંડ બુર્સના પ્રોજેક્ટનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે ભવિષ્યને પારખનારા ખુબ ઓછા લોકો હોય છે અને તેવા જ સુરતના લોકોએ સુરતમાં ડાયમંડ બુર્સ અને ડ્રીમ સિટી પ્રોજેક્ટ સાકાર કર્યો છે જે ભવિષ્યની જરૂરીયાતો પૂરી કરશે.

મુખ્યમંત્રીએ ખાસ સિન્થેટિક ડાયમંડનો વેપાર વધી રહ્યો હોવાની નોંધ સાથે જણાવ્યું કે સુરત શહેરને અમે સૌ ડિઝાયર્ડ ડાયમંડ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વિકસતું જોવા માંગીએ છીએ.
સુરતના આંગણે આજરોજ કેન્દ્ર સરકારના એકમ જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલ (જીજેઇપીસી)નો 46મો ઇન્ડીયાવાઇડ જેમ એન્ડ જ્વેલરી એવોર્ડ સમારોહ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીના અધ્યક્ષ સ્થાને દેશભરમાંથી સુરત આવેલી હીરાઉદ્યોગકારોની ઉપસ્થિતિ વચ્ચે દબદબાભેર યોજાયો હતો.

May be an image of 5 people, people standing and text that says 'GJEPC NDIA Spon PRESENTS industry IGJA GEMS GEMS&JEWELLERY JEWELLERY 46th INDIA AWARDS COMMITTED TO EXCELLENCE AT 福 Shr 16AD Guest upani er of Guja mber of Go ecial Guest ri Kun 'ble Minister Medical Edu fare SHRI.'

આજે સુરત સમેત દેશભરમાં કાર્યરત જુદા જુદા હીરા ઉદ્યોગકારો, હીરા પેઢીઓને જુદી જુદી કેટેગરીમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ મુખ્યમંત્રીના હસ્તે એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ પહેલી વખત જીજેઇપીસીએ કોઇ હીરા ઉદ્યોગપતિને લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ આપ્યો છે. આજે પહેલો લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ સુરતને કર્મભૂમિ બનાવનાર શ્રીરામ કૃષ્ણ એક્સપોર્ટ હીરા પેઢીના સ્થાપક ગોવિંદ ધોળકિયાને મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આપવામાં આવ્યો છે.

સુરતના દિનેશ નાવડીયા એવોર્ડને પાત્ર : સી.આર. પાટીલ

સુરત ખાતે આજે જીજેઇપીસી આયોજિત ઇન્ડીયા જેમ એન્ડ જ્વેલરી એવોર્ડ ફંકશનને સંબોધતા સી.આર. પાટીલે કહ્યું કે હીરા ઉદ્યોગ સૌથી વધુ રોજગારી આપી રહ્યો છે, હીરા ઉદ્યોગ દેશને વિદેશી હૂંડીયામણ કમાઇ આપે છે. આ રીતે હીરા ઉદ્યોગપતિઓ સરકારની જવાબદારી ઓછી કરી રહ્યા છે. તેમણે હીરા ઉદ્યોગપતિઓને બિરદાવ્યા હતા. આશ્ચર્યજનક રીતે જ સી.આર. પાટીલે દિનેશ નાવડીયાનો ઉલ્લેખ કરતા કહ્યું કે એક એવોર્ડ દિનેશ નાવડીયાને પણ આપવો જોઇએ. તેમણે કહ્યું કે દિનેશ નાવડીયા જુદા જુદા ક્ષેત્રોમાં ઉડીને આંખે વળગે તેવી કામગીરી કરી રહ્યા છે. એટલે તેમને પણ એક એવોર્ડ આપવો જોઇએ.

નિકાસ લક્ષ્યાંકનો પહોંચી વળવા અમે તૈયાર : કોલીન શાહ

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના સેન્ટ્રલ કાઉન્સિલ ચેરમેન કોલિન શાહે એવોર્ડ સમારોહમાં સ્વાગત પ્રવચન દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીને ઉદેશીને કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગની નિકાસ 400 મિલિયન ડોલર સુધી લઇ જવા માટેની કરેલી હાકલને પહોંચી વળવા માટે અમે ઉદ્યોગકારો તૈયાર છીએ, રાજ્ય સરકાર અમને માર્ગદર્શિત કરે.

August 23, 2021
income-tax-filing.jpg
1min470

નાણાં મંત્રાલયે રવિવાર તા.23મીએ આવકવેરા વિભાગના નવા ઇ-ફાઇલિંગ પોર્ટલમાં આવી રહેલી સમસ્યાઓ અંગે કડકાઇપૂર્ણ કાર્યવાહી કરતા ઇ પોર્ટલનો કોન્ટ્રાક્ટ ધરાવતી ઇન્ફોસિસ કંપનીને તા.23મીએ હાજર રહેવા માટે સમન્સ આપ્યા હતા અને તે અંગેનું ટ્વીટ પણ કર્યું હતું.

આવકવેરા વિભાગે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે,નાણાં મંત્રાલયે ઈન્ફોસિસના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ સલીલ પારેખને 23 ઓગસ્ટના રોજ બોલાવીને નવા ઈ-ફાઈલિંગ પોર્ટલમાં અઢી મહિના બાદ પણ કેમ સમસ્યાઓનો હલ આવ્યો નથી.  21 ઓગસ્ટે તો પોર્ટલ બિલકુલ ઉપલબ્ધ નથી.

મંત્રાલયે આ પોર્ટલ બનાવનાર ટેકનોલોજી કંપની ઇન્ફોસિસના સીઇઓ અને એમડી સલિલ પારેખને સમન્સ જારી કર્યું હતું. સલીલ પારેખને 23 ઓગસ્ટના રોજ હાજર રહેવા કહેવામાં આવ્યું છે.

આવકવેરા વિભાગની નવી વેબસાઈટ 7 જૂને શરૂ કરવામાં આવી હતી. તેને ઇન્ફોસિસ દ્વારા વિકસાવવામાં આવ્યું છે અને તેને વિકસાવવા માટે આશરે 4241 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. શરૂઆતથી જ સમસ્યાઓ આપતું આ પોર્ટલ છેલ્લા કેટલાક દિવસોથી સંપૂર્ણપણે બંધ છે, ત્યારબાદ નાણાં મંત્રાલયે આ કડકતા દર્શાવી છે.

શરૂઆતથી જ આ વેબસાઇટ ઘણી સમસ્યાઓનો સામનો કરી રહી છે અને આ પ્રક્રિયા લગભગ અઢી મહિના પછી પણ ચાલુ રહે છે. આના પર ન તો ચલન નંબર માન્ય થઈ રહ્યો છે અને ન તો દસ્તાવેજ ઓળખ નંબર (ડીઆઈએન) ઓટો પોપ્યુલેટેડ છે. વિવાદ સે વિશ્વાસ યોજના લિંક પણ કામ કરી રહી નથી.

આવકવેરા વિભાગનું તમામ કામ ઓનલાઈન જ થાય છે. આવી સ્થિતિમાં, વેબસાઇટના કામ ન કરવાને કારણે મોટી સમસ્યાઓ ઉભી થઈ છે. ન તો લોકો રિટર્ન ફાઇલ કરી શકે છે અને ન તો ડિપાર્ટમેન્ટના કોઇ પ્રશ્નનો જવાબ આપી શકે છે. નાણા મંત્રાલય પણ આ અંગે ઘણી ટીકા અને પ્રશ્નોનો સામનો કરી રહ્યું છે. 

August 21, 2021
bis.jpg
1min456

વર્ષોથી ચાલી રહેલી હૉલમાર્કિંગની પદ્ધતિ સરળ અને ગ્રાહક-ફ્રેન્ડ્લી હોવા છતાં બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા દેશમાં અમલમાં મૂકવામાં આવેલી ફરજિયાત હૉલમાર્કિંગ પ્રક્રિયામાં રહેલી ગૂંચવણો અને મૂંઝવણોના વિરોધમાં જ્વેલરોનાં વિવિધ અસોસિએશનો અને ફેડરેશનો દ્વારા બનાવાયેલી નૅશનલ ટાસ્ક ફોર્સની હાકલને પગલે ભારતભરના જ્વેલરો સોમવાર, ૨૩ ઑગસ્ટે દેશભરમાં એક દિવસની પ્રતીક હડતાળ પર જશે. આ દિવસે દેશભરની જ્વેલરી શૉપ અને શોરૂમો બંધ રહેશે.

નવી હોલમાર્કિંગ સિસ્ટમનો આશય જ સ્પષ્ટ નથી

આજ સુધી આ હૉલમાર્ક સામે ગ્રાહકોની કોઈ જ ફરિયાદ નથી. એ પદ્ધતિ કસ્ટમર-ફ્રેન્ડ્લી હતી, જેમાં ગ્રાહકોને જ્વેલર પાસેથી કલાકોમાં હૉલમાર્કવાળી જ્વેલરી મળી જતી હતી. આમ છતાં BIS નવી સિસ્ટમ લાવીને આખી પ્રક્રિયાને ગૂંચવણભરી બનાવી રહી છે. જૂની હૉલમાર્ક સિસ્ટમથી ગ્રાહકો માટે જ્વેલરીની ખરીદી અને વેચાણ ખૂબ જ સરળ હતાં. સૌથી મહત્ત્વનું એ હતું કે એમાં ગ્રાહકને વર્ષો પછી પણ તેમણે કયા જ્વેલર પાસેથી જ્વેલરી ખરીદી કરી છે એની જાણકારી મળતી હતી. આમ છતાં બીઆઇએસ નવી સિસ્ટમ લાવીને શું પ્રૂવ કરવા ઇચ્છે છે એ સમજાતું નથી. નવી સિસ્ટમ વધુ ગૂંચવણ અને મૂંઝવણભરેલી છે, જેને જ્વેલરો તથા ગ્રાહકો બંને માટે સરળ અને સુવિધાજનક બનાવવાની જરૂર છે. આ પ્રક્રિયા સરળ બને એ માટે સરકારે એક સ્વતંત્ર કમિટી રચવાની જરૂર છે.’

દેશવ્યાપી સંગઠન બન્યું પણ તેની રજૂઆતો બહેરા કાને અથડાઇ

બીઆઇએસની નવી હૉલમાર્કિંગ પ્રક્રિયાની ચર્ચા કરવા અને એને સરળ બનાવવા માટે ૩૫૦ અસોસિએશનો તથા ફેડરેશનો દ્વારા નૅશનલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી, જે સમગ્ર જેમ્સ ઍન્ડ જ્વેલરી ઉદ્યોગના ચારેય ઝોનનું પ્રતિનિધિત્વ કરે છે. આ સમિતિનો ઉદ્દેશ દેશભરમાં ફરજિયાત હૉલમાર્કિંગનો સરળ અમલ સુનિશ્ચિત કરવાનો છે. આ માટે બે સમિતિની રચના કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં લગભગ ૧૦ બેઠકો યોજાઈ છે, પરંતુ હજી સુધી બીઆઇએસ દ્વારા લેખિતમાં કોઈ રાહત આપવામાં આવી નથી.

BIS માં નોંધણી કરાવીને પસ્તાય રહ્યા છે જ્વેલર્સ, ગ્રાહકોની સિક્રેટ બાબતેમાં દખલ કરે છે હોલમાર્કિંગ સિસ્ટમ

આ પ્રક્રિયા વ્યક્તિગત નાગરિકોની ડેટા ગોપનીયતા અને વ્યાવસાયિક ગુપ્તતામાં દખલ કરી રહી છે. જ્વેલર્સને લાગે છે કે બીઆઇએસમાં નોંધણી કરાવીને તેમણે તેમના પગ પર કુહાડો માર્યો છે. નવા એચયુઆઇડી (હૉલમાર્કિંગ યુનિક આઇડી)ને સોનાની શુદ્ધતા સાથે કોઈ સંબંધ નથી. એચયુઆઇડી ગ્રાહકોના હિતની વિરુદ્ધ અને વેપારમાં સરળતાના સિદ્ધાંતની વિરુદ્ધ છે. એચયુઆઇડી બોજારૂપ છે અને ગ્રાહકો માટે પજવણી તરફ દોરી જાય તેવી દહેશત સમગ્ર જ્વેલર્સ સમૂહમાં વર્તાય રહી છે.

નવું એચયુઆઇડી છ અંકનો કોડ છે જેનાથી બીઆઇએસને લાગે છે કે સોનાની શુદ્ધતામાં સુધારો થશે, પરંતુ બીઆઇએસ શુદ્ધતામાં કેવી રીતે સુધારો કરી શકે છે એ કોઈ પણ રીતે સાબિત કરી શકતું નથી. આ માત્ર એક ટ્રેકિંગ પદ્ધતિ છે. નવી પ્રક્રિયાને વિનાશક પ્રક્રિયા બનાવવામાં આવી છે જે અમારી જ્વેલરીને હૉલમાર્ક કરવામાં નુકસાન પહોંચાડે છે. રજિસ્ટ્રેશન રદ કરવું, દંડની જોગવાઈઓ, શોધ અને જપ્તીનું તત્ત્વ આખરે ઉદ્યોગમાં ઇન્સ્પેક્ટર રાજ લાવશે.

સમયનો વેડફાટ થાય છે નવી હોલમાર્કિંગ સિસ્ટમમાં

હાલમાં નવી માર્કિંગ સિસ્ટમ એટલે કે એચયુઆઇડી ઉત્પાદનોને હૉલમાર્ક કરવા માટે લગભગ પાંચથી દસ દિવસનો સમય લઈ રહી છે. પરિણામે એ સંપૂર્ણ અડચણરૂપ છે. ૧૬ જૂનથી ૨૫૬ જિલ્લાઓમાં હૉલમાર્કિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે. એક અંદાજ મુજબ ભારતમાં દર વર્ષે દસથી બાર કરોડ ટુકડાઓનું ઉત્પાદન થાય છે. વધુમાં લગભગ છથી સાત કરોડના વર્તમાન સ્ટૉકમાં રહેલા ટુકડાઓ હજી હૉલમાર્ક કરવાના બાકી છે. આ એક વર્ષમાં હૉલમાર્ક કરવા માટે કુલ ટુકડાઓની સંખ્યાને લગભગ ૧૬થી ૧૮ કરોડ સુધી લઈ જશે. અત્યારે દિવસના બે લાખ ટુકડાઓને હૉલમાર્કિંગ કરવાની ક્ષમતા છે, જે મુજબ અત્યારના સંજોગોમાં ઉત્પાદનને હૉલમાર્ક કરવામાં લગભગ ત્રણથી ચાર વર્ષ જેટલો સમય લાગી જશે. આ સિવાય ઘણા મુદ્દાઓ છે. જેમ કે એક જ ટુકડા પર ડબલ એચયુઆઇડી, બહુવિધ જ્વેલરી પર સમાન એચયુઆઇડી પહેલેથી જ બીઆઇએસના ધ્યાન પર લાવવામાં આવ્યા છે. હાલની હૉલમાર્કિંગ પ્રક્રિયામાં વિલંબને કારણે મોટી સંખ્યામાં જ્વેલરી નિષ્ક્રિય પડી રહી છે અને બીઆઇએસ સમસ્યાઓ ઉકેલવાને બદલે જ્વેલરોની ચિંતામાં આગ લગાવી રહી છે.

આ પણ થવું જોઇએ એવી માગણી

નવી હૉલમાર્કિંગ પ્રક્રિયાઓ (એચયુઆઇડી)માં જ્વેલરી કાપવાનો, ગાળવાનો અને સ્ક્રૅપિંગનો સમાવેશ થાય છે. વેચાણ સિવાય સ્ટોરેજ, ડિસ્પ્લે, ટ્રાન્ઝિટ, એક્ઝિબિટ ટુ સેલ, મૅન્યુફૅક્ચરિંગ જેવી બાબતો બીઆઇએસ ઍક્ટ અને રેગ્યુલેશનમાંથી દૂર કરવામાં આવે.’

August 21, 2021
sunflower-oil.jpg
1min407

સામાન્ય નાગરિકોને રાહત આપવા કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લઈ ખાદ્યતેલ પરનો કરવેરો ઘટાડી દીધો છે. સોયાતેલ અને સૂર્યમુખી તેલ પરની ઈમ્પોર્ટ ડ્યૂટી પણ ઘટાડીને અડધી કરી દેવામાં આવી છે. 

Currently, basic customs duty on crude palm oil is 15%, while it is 45% for all other categories of palmolein.

The effective duty, which includes cess and other charges, on crude palm oil will be 30.25%, while for refined palm oil it would be 41.25%

સોયાતેલ અને સૂર્યમુખી તેલ પરની ઈમ્પોર્ટ ડ્યૂટી ૧૫ ટકાથી ઘટાડીને સાડાસાત ટકા કરી દેવામાં આવી છે જેને કારણે તહેવારો દરમિયાન નાગરિકોને થોડી રાહત મળશે. 
જોકે, સરકારે જાહેર કરેલી આ કપાત ૩૦ સપ્ટેમ્બર સુધી જ હશે. 

નિષ્ણાતોનું કહેવું છે કે આનો સીધો  મતલબ વિદેશથી મગાવવામાં આવતું ખાદ્યતેલ સસ્તું થઈ જશે. દેશની ખાદ્યતેલની કુલ વાર્ષિક જરૂરિયાત અંદાજે ૨.૫ કરોડ ટન જેટલી છે જેની સામે વર્તમાન સમયમાં ઘરઆંગણે ખાદ્યતેલનું ઉત્પાદન અંદાજે ૭૦થી ૮૦ લાખ ટન જેટલું હોવાને કારણે ભારત સરકાર એક વરસમાં રૂ. ૬૦,૦૦૦થી રૂ. ૭૦,૦૦૦ કરોડ ખર્ચીને ૧.૫ કરોડ ટન ખાદ્યતેલની ખરીદી કરે છે. 

ગયા વરસે ભારતે મલયેશિયા અને ઈન્ડોનેશિયા પાસેથી ૭૨ લાખ ટન પામતેલ આયાત કર્યું હતું.  બ્રાઝિલ અને આર્જેન્ટિના પાસેથી ૩૪ લાખ ટન સોયાતેલ તેમ જ રસિયા પાસેથી પચીસ લાખ ટન સૂર્યમુખી તેલની આયાત કરી હતી. 

માગ અને પુરવઠા વચ્ચેની આ ખાઈને કારણે ઘરેલું બજારમાં ભાવ પર અસર જોવા મળે છે. 

August 21, 2021
banklocker-copy.jpg
4min445

ભારતીય રિઝર્વ બૅન્કે લૉકર ભાડે રાખવા માટેની તાજેતરમાં જાહેર કરાયેલી સુધારિત માર્ગદર્શિકાથી સામાન્ય જનતામાં ચિંતા વધી છે અને લૉકરમાં રાખેલા પોતાના દાગીના અને અન્ય કિંમતી ચીજો કેટલી સલામત છે, તે અંગે સવાલ કરી રહ્યા છે.

Revised instructions will come into effect from January 1, 2022

આરબીઆઇની નવી માર્ગદર્શિકા મુજબ જો આગ લાગે, ચોરી થાય, ઇમારત તૂટી પડે અથવા બૅન્કના કર્મચારીઓ દ્વારા છેતરપિંડી થાય તો બૅન્કની જવાબદારી લૉકરના વાર્ષિક ભાડાંના માત્ર ૧૦૦ ગણા સુધી મર્યાદિત રહેશે.

દેશમાં ૨૦૨૨ની પહેલી જાન્યુઆરીથી આ નવી માર્ગદર્શિકાનો અમલ થશે.
બૅન્કોએ લૉકરમાં કંઇ પણ ગેરકાયદે અથવા જોખમી ચીજો રાખવા પર પ્રતિબંધ મૂકતી જોગવાઇનો લૉકર એગ્રીમેન્ટમાં સમાવેશ કરવો પડશે.

ભારતીય રિઝર્વ બૅન્કે જણાવ્યું હતું કે અમે ‘ડિપોઝિટ લૉકર – સૅફ કસ્ટડી આર્ટિકલ ફેસિલિટી પ્રૉવાઇડેડ બાય ધ બૅન્ક’ની સમીક્ષા કરી હતી અને બૅન્કોના ગ્રાહકોની તકરારના પ્રકાર, ટેક્નૉલૉજી અને ઇન્ડિયન બૅન્ક એસૉસિયેશને કરેલી રજૂઆતને ધ્યાનમાં રાખીને સંબંધિત નિર્ણય લેવાયો હતો.

રિઝર્વ બૅન્કે આ બાબતમાં સર્વોચ્ચ અદાલત દ્વારા ‘અમિતાભ દાસગુપ્તા વિરુદ્ધ યુનાઇટેડ બૅન્ક ઑફ ઇન્ડિયા’ના કેસમાં અપાયેલા ચુકાદાને પણ ધ્યાનમાં લેવાયો હતો.

આરબીઆઇની નવી માર્ગદર્શિકા સૅફ ડિપોઝિટ લૉકર્સના નવા અને જૂના ગ્રાહકોને લાગુ પડશે. 

Revised Guidelines

Revised guidelines:

  • Banks can now obtain a term deposit at the time of allotment of a locker. This deposit will cover three years of rent and the charges for breaking open the locker (in case). This, the RBI says, has been done to ensure that banks do not face a situation where the locker-hirer neither operates the locker nor pays the rent. However, existing locker holders cannot be forced by the banks to pay the term deposit.
  • Banks are mandated to include a clause in the locker agreement preventing the customer from keeping anything illegal or hazardous in the locker. This comes in the wake of rising complaints of bank lockers being used to stash illegal goods and assets.
  • Banks shall enter into an agreement with the customer on a duly stamped paper at the time of allotment of the locker to a customer.
  • Banks now have the authority to break open any locker if the rent has not been paid by the customer for three years in a row.Banks should ensure that no unfair terms or conditions are incorporated in their locker agreements. The locker agreements with existing customers can also be reviewed.
  • Banks shall have a board-approved policy for the settlement of claims.
  • Banks cannot be held accountable for any damage and/or loss of contents of locker arising from natural calamities or Acts of God. However, banks are required to protect lockers from such catastrophes.
  • Bank liability, for locker services, will be limited to 100 times its annual rent in case of fire, theft, building collapse, or fraud by bank employees.
  • Banks are required to acknowledge the receipt of all applications for the allotment of lockers. They also need to provide a waiting number to the customers, in case lockers are not available. Banks are also required to maintain a branch-wise list of vacant lockers.Banks shall ensure a refund if a customer surrenders the locker and the locker rent was collected in advance.
  • Banks have also been asked by the RBI to take the necessary steps to prevent locker heists.
  • The RBI said that customers who are fully compliant with the CDD (Customer Due Diligence) may get the facilities of safe deposit lockers/safe custody articles subject to ongoing compliance. Meanwhile, those who do not have any banking relationship with the lender can hire a safe deposit locker/safe custody article after complying with the criteria under the Master Direction – Know Your Customer (KYC) Directions of 2016.

August 16, 2021
Cia_business_news-1280x936.jpg
1min469

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ વેસ્ટર્ન રિજિયન એટલે કે સુરત ઓફિસ દ્વારા તૈયાર કરવામાં આવેલા ભારતના સૌથી પહેલા ડાયમંડ ઓક્શન હાઉસનું ઉદ્ઘાટન આજરોજ જીજેઇપીસી સેન્ટ્રલ કાઉન્સિલના ચેરમેન કોલિન શાહે કર્યું હતું. આ પ્રસંગે જીજેપીસી મુંબઇ સમેત સમગ્ર ભારતના હીરા ઉદ્યોગકારો આજે સુરત આવ્યા હતા.

સુરત ડાયમંડ બુર્સ શરુ થતાની સાથે સુરતમાં માઈનીંગ કંપનીઓ દ્વારા કાચા હીરાનું વેચાણ થાય તે માટે સ્થાનિક હીરા ઉદ્યોગકારો અને આગેવાની સંસ્થાઓ છેલ્લાં દોઢ વર્ષથી પ્રયત્ન કરી રહ્યા છે. સુરતના હીરા ઉદ્યોગકારોએ રફ ડાયમંડ માટે વિશ્વના દેશોમાં ન જવું પડે અને કંપનીઓ, સંસ્થાઓ જ સ્વયં જ સુરતમાં આવીને કાચા હીરા, તૈયાર હીરા, સ્ટોન વગેરેનું જાહેર હરાજીથી વેચાણ કરી શકે તે માટે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા ટાઇટેનિયમ બિઝનેસ હબ ખાતે 2200 સ્કવેયર ફૂટના વિસ્તારમાં 16 કેબિનો ધરાવતું એક ઓકશન હાઉસ ઉભું કર્યું છે. સ્ટોરેજ ફેસેલિટી, સિક્યુરિટી સમેત ડાયમંડ ઓકશન માટેની તમામ માળખાગત સુવિધાઓ ધરાવતું ઓકશન હાઉસ તૈયાર થતાં આજરોજ જીજેઇપીસી સેન્ટ્રલ કાઉન્સિલના ચેરમેન કોલિન શાહના હસ્તે તેને હીરા ઉદ્યોગને સમર્પિત કરવામાં આવ્યું હતું.

પહેલું ઓક્શન 18થી 21 ઓગસ્ટ દરમિયાન

સુરતના અલથામ ખાતે આજે ઉદઘાટિત કરાયેલા ભારતના પહેલા ડાયમંડ ઓકશન હાઉસમાં પહેલું ડાયમંડ ઓક્શન આગામી તા.18થી 21 ઓગસ્ટ દરમિયાન યોજાશે. વક્રડીમા કંપની દ્વારા આયોજિત સિન્થેટિંક ડાયમંડનું આ ઓકશન હશે. ત્રણ દિવસ લેબગ્રોન ડાયમંડ ખરીદવા ઇચ્છતા લોકો ત્રણ દિવસ દરમિયાન હીરાનો જથ્થો જોઇ શકશે અને પછી તેમણે તેમની ઓફર ઓનલાઇન આપવાની રહેશે.

કાચા હીરા માટે ઉદ્યોગપતિઓએ વિદેશના ધક્કા ખાવા નહીં પડે

દિનેશ નાવડિયા  જીજેઈપીસી ગુજરાત રિજિયન ચેરમેન

અત્યાર સુધી કાચા હીરા કે અન્ય મટિરિયલ્સ માટે સુરતના હીરા ઉદ્યોગકારોએ વિદેશોમાં ફરવું પડતું હતું. કેટલીક વખત હરાજીમાં અનૂકુળ કિંમતે માલ ન મળે તો ધક્કો પણ પડતો, પણ હવે વિદેશોમાં જે રીતે હીરાની હરાજી થાય તેવું જ ભારતનું પહેલું ડાયમંડ ઓક્શન હાઉસ સુરતમાં 22 કરોડના ખર્ચે તૈયાર થયું છે. જ્યાં રફ કે પોલિશ્ડ ડાયમંડની સાથો સાથ ડાયમંડ-ગોલ્ડ જ્વેલરી, ગોલ્ડ-સિલ્વરનું સુરતની કે દેશની કંપનીઓ સહિત ઈન્ટરનેશનલ કંપનીઓ પણ સરળતાથી ઓક્શન કરીને તેનું ખરીદ-વેચાણ કરી શકશે.

August 14, 2021
Scrapping-India.jpg
1min383

ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં યોજાયેલી પહેલી સ્ટેટ ઇન્વેસ્ટર સમિટમાં ભારતના અર્થતંત્રને વેગ આપનારી નવી ઓટોમોબાઇલ ક્રેપ નીતિની સત્તાવાર જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કરી હતી. તેમણે આ તકે કહ્યું કે, પહેલી ઓક્ટોબરથી નવી નીતિ લાગુ થશે. નીતિ દેશમા રૂ. 10,000 કરોડનુ નવું રોકાણ લાવશે અને અસંખ્ય રોજગારીનું નિર્માણ કરશે. આ યોજનાને સરકારે કચરામાંથી કંચન ગણાવી હતી. આ નીતિના પગલે અલંગ અને કચ્છમાં ક્રેપ યાર્ડ શરૂ થઈ શકે છે.

તેમણે જણાવ્યું હતુ કે આ નીતિમાં સામાન્ય પરિવારોને દરેક રીતે ફાયદો થશે. ગાડીને ક્રેપ કરવા પર એક સર્ટિફિકેટ મળશે. આ સર્ટિફિકેટ જેની પાસે હશે તેણે નવી ગાડીની ખરીદી પર રજિસ્ટ્રેશન માટે કોઇ પૈસા આપવા નહી પડે. તેની સાથે જ રોડ ટેક્સમાં પણ છૂટ આપવામાં આવશે. બીજો લાભ એ થશે કે જૂની ગાડીનો નિભાવ ખર્ચ, મરામત ખર્ચ, ઇંધણ કાર્યક્ષમતામાં પણ બચત થશે. ત્રીજો લાભ કે જે જીવનસાથે સંકળાયેલો છે તે એ છે કે જૂની ગાડી, જૂની ટેકનોલોજીને કારણે માર્ગ અકસ્માતનો પણ ખતરો વધુ રહે છે, જેમાંથી મુક્તિ મળશે.’

આ કાર્યક્રમમાં કેન્દ્રિય પરિવહન પ્રધાન નીતિન ગડકરી અને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પ્રત્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા. નીતિન ગડકરીએ આપેલા પ્રવચનમાં ભાવનગરના અલંગ ખાતે દેશનો પ્રથમ ક્રેપ પ્લાન્ટ શરુ થઇ શકે તેમ જણાવ્યું હતુ. એ ઉપરાંત કચ્છમાં પણ જૂના વાહનો ક્રેપ કરવા માટે પાર્ક સ્થાપવાની વાત થઇ હતી.

વડાપ્રધાને પ્રવચનમાં જણાવ્યું હતુ કે ફોર્મલ ક્રેપીંગનો શું લાભ છે તેનો ગુજરાતે સાક્ષાત્કાર કર્યો છે. ગુજરાતના અલંગને શિપ રિસાયક્લીંગ હબ તરીકે ઓળખવામાં આવે છે. અલંગ દુનિયાની શિપ રિસાકક્લીયંગ ઉદ્યોગમાં પોતાની હિસ્સેદારી ઝડપથી વધારી રહ્યુ છે. શિપ રિસાયક્લીંગના આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે નવી રોજગારીની તકો વિકસાવી છે. આ સમગ્ર બાબતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્કીલ્ડ મેનપાવર પણ છે. આમ અલંગ ખાતે જહાજો બાદ ગાડીઓનું ક્રેપીંગનું પણ મોટુ હબ બની શકે છે.

ભારતની આઝાદીનું 75મુ વર્ષ આવી રહ્યુ છે ત્યારે આ નીતિ નવા ભારતની મોબિલિટી, ઓટો ક્ષેત્રને એક નવી ઓળખ આપશે. મોબિલીટીમાં આવેલી આધુનિકતા, ટ્રાવેલ અને

વાહનવ્યવહારનો બોજ તો ઘટાડે જ છે પરંતુ આર્થિક વિકાસ માટે પણ મદદ સાબિત થાય છે. 21મી સદીનું ભારતે ચોખ્ખુ, ટ્રાફિક મુક્ત અને સાનુકૂળ મોબિલીટીનું લક્ષ્ય લઇને ચાલવુ જોઇએ, તે આજે સમયની માગ છે.’

કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન’ નીતિન ગડકરીએ જણાવ્યું કે, દેશમાં સૌથી વધુ રોજગારી અને’ ટેક્સ આપતું ક્ષેત્ર ઓટોમોબાઇલનું છે, જે હવે વેગ પકડશે. પ્રદુષણની સાથે સાથે વાહનોની ફિટનેસ અને રોડ સેફ્ટી પર અમે વિશેષ ભાર મૂક્યો છે. ભારતમાં અંદાજે એક કરોડ ગાડીઓ ફિટનેસ વગર ચાલતી હતી જે પ્રદૂષણની સાથો સાથ અને સેફ્ટીની બાબતમાં પણ નુકશાનકારક છે અને આ જ બાબત ક્રેપેજ પૉલિસી તૈયાર થવા બાબતનું મુખ્ય પરિબળ હતું. જૂના વાહનો ક્રેપ થતા 10 થી 12 ટકા પ્રદૂષણ ઘટશે.

ગડકરીએ કહ્યું કે, ઉત્પાદન વધતા સરકારને જીએસટીમાં 30થી 40 હજાર કરોડનો ફાયદો થશે. નવા વાહનોની ખરીદીમાં પાંચ ટકાની છૂટ મળશે. જિલ્લામાં જ’ ક્રેપિંગ સેન્ટર અને ફિટનેસ સેન્ટર નિર્માણ પામશે પરિણામે માલીકોએ વ્હિકલ ક્રેપ કરવા વધુ દૂર નહીં જવું પડે. આ પૉલિસીથી અલંગ ખાતે ઈન્ટિગ્રેટેડ રિસાયક્લિગ હબ બનશે.’

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યુ કે, ગુજરાત ભારતનું સૌથી મોટું ઓટોમોબાઈલ હબ છે જેના પરિણામે ટાટા, ફોર્ડ, હોન્ડા, સુઝુકી જેવી ઘણી મોટી કંપનીઓ અને બીજી ઘણી મોટી ઉત્પાદન કંપનીઓ છે. વિકાસના પરિણામે મોટા ઓટોમોટિવ ઉત્પાદકોની હાજરી તેમજ રાજ્યમાં નોંધાયેલા વાહનોની સંખ્યામાં ભારે વધારો થયો છે.પર્યાવરણના જતન માટે જૂના વાહનોને ક્રેપ કરવાનું જરૂરી બની ગયું છે અને તેના માટે સુવિધાઓ વિકસાવવી એ માટે આપણે પ્રયાસો કરવા પડશે.

એશિયાના દેશો ક્રેપિંગ માટે ગુજરાતમાં ક્રેપ મોકલશે, જે કંડલાના માધ્યમથી ગુજરાતમાં આવશે. જૂનાં વાહનોનો નિકાલ કરવા માટે ગુજરાતમાં ચારથી પાંચ સ્થળે ભંગારવાડા બનાવવામાં આવશે.’

આ પોલિસી લાગુ થતાં જ જૂનાં વાહનો ક્રેપમાં જશે. ગુજરાતમાં કુલ મળીને 16,43,218 વાહન ભંગારવાડે જાય તેવો અંદાજ છે. કેન્દ્ર સરકારે પોલિસી જાહેર કરશે ત્યાર બાદ ગુજરાત સરકાર એમાં આંશિક ફેરફાર કરે એવી પણ શક્યતા છે.’

August 14, 2021
air-india.jpg
1min523

દેશની અંદર એક સ્થળેથી બીજા સ્થળે થતી હવાઇ મુસાફરી હવે મોંઘી થશે તેવું નાગરિક ઉડ્ડયન મંત્રાલયે Dt.13/08/2021 શુક્રવારે જણાવ્યું હતું.

ભાડાં પરની સૌથી વધુ અને સૌથી ઓછી ટોચમર્યાદા ૯.૮૩ ટકાથી વધારીને ૧૨.૮૨ ટકા કરવામાં આવી છે. માર્ચ ૨૦૨૦માં લાદવામાં આવેલા બે મહિનાના લૉકડાઉન પછી ૨૫ મે, ૨૦૨૦ના દિને હવાઇ સેવા ફરી શરૂ કરવામાં આવી હતી ત્યારે મહત્તમ અને લઘુતમ ભાડાની ટોચમર્યાદા જાહેર કરવામાં આવી હતી.

વિમાની કંપનીઓને નુકસાન ન જાય તે માટે લઘુતમ ભાડાની અને માગ વધુ હોય ત્યારે મુસાફરો પર વધુ બોજ ન આવે તે માટે આ બંને ટોચમર્યાદા લાદવામાં આવી હતી. સરકારે લાદેલી ભાડાં પરની ટોચમર્યાદામાં પેસેન્જર સિક્યોરિટી ફી, એરપોર્ટની યૂઝર ડેવલપમેન્ટ ફી અને જીએસટીનો સમાવેશ કરવામાં આવતો નથી. પ્રવાસી જ્યારે ટિકિટ બુક કરે ત્યારે વિવિધ ચાર્જ ઉમેરવામાં આવે છે. 

August 11, 2021
mansukh-mandaviya.jpg
1min490
Useless statements': States knew about vaccine availability in advance,  says Mansukh Mandaviya on shortage - Coronavirus Outbreak News

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન મનસુખ માંડવિયાએ મંગળવારે 10/8/21 ટવીટરના મધ્યમે જાહેરાત કરી છે કે ગુજરાતના અંકલેશ્વરમાં ભારતબાયોટેકની કોવેક્સિનની ઉત્પાદન સુવિધાને સરકારની મંજૂરી આપી છે.

માંડવિયાએ 6 ઓગસ્ટના રોજ રાજ્યસભાને માહિતી આપી હતી કે ભારત બાયોટેક અને ત્રણ જાહેર ક્ષેત્રની કંપનીઓ હાફકીન બાયોફાર્માસ્યુટિકલ કોર્પોરેશન લિમિટેડ, ઇન્ડિયન ઇમ્યુનોલોજિકલ લિમિટેડ (IIL) અને ભારત ઇમ્યુનોલોજિકલ બાયોલોજિકલ કોર્પોરેશન લિમિટેડ હાલ કોવેક્સિનનું ઉત્પાદન કરી રહી છે અને ઉત્પાદન વધારવા માટે સુવિધા વધારવામાં આવી રહી છે.

અહેવાલો અનુસાર અંકલેશ્વર સ્થિત કંપનીની સબસિડરી Chiron Behring Vaccinesમાં કોવેક્સિનના ઉત્પાદનને મંજૂરી આપવામાં આવી છે. અંકલેશ્વરમાં ટૂંક સમયમાં કોરોનાની રસી બનાવવાનું કામ શરૂ કરવામાં આવશે. આ સુવિધામાં વાર્ષિક 20 કરોડ ડોઝનું ઉત્પાદન કરવાની ક્ષમતા છે. ભારત બાયોટેક કેન્દ્ર સરકારને પોતાની રસીના 50 કરોડ ડોઝ આપવા માટે પ્રતિબદ્ધ છે. હાલમાં ભારત બાયોટેકની રસીનું ઉત્પાદન હૈદરાબાદ, બેંગલુરૂ, પુણે અને અંકલેશ્વર થઈ રહ્યું છે.  

ઉલ્લેખનીય છે કે ભારત બાયોટેકે ગુજરાતના અંકલેશ્વરમાં કોવેક્સિન માટે ઉત્પાદન ક્ષમતાઓને વધારવાની જાહેરાત કરી છે. ભારત બાયોટેક તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કંપની પોતાના ગુજરાત પ્લાન્ટમાં ૧ વર્ષમાં કોવેક્સિનના 20 કરોડ ડોઝ બનાવશે.

અગાઉ નીતિ આયોગના સભ્ય ડૉ. વી કે પોલે 3 ઓગસ્ટના રોજ પત્રકારોને જણાવ્યું હતું કે IILએ ગુજરાતના અંકલેશ્વર ખાતે વધારાની સુવિધા શરૂ કરી છે જ્યાં રસીના 60 લાખ ડોઝનું ઉત્પાદન કરવામાં આવશે.

August 8, 2021
Cia_business_news-1280x936.jpg
1min364

Jayesh Brahmbhatt 98253 44944

સુરતમાં વિકસી રહેલા ટેક્ષટાઇલ ઉદ્યોગમાં કાપડ ઉત્પાદનની સૌથી પહેલી કડી વીવીંગ કારખાનેદારો દ્વારા જેનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યા છે એ વિસ્કોસ ફિલામેન્ટ રેયોન યાર્ન (60 ડેનિયર) પર એન્ટી સબસિડી ડ્યૂટી લાદવા માટે અધિરી બનેલી કેન્દ્ર સરકારની સંસ્થા ડીજીટીઆર (ડાયરેક્ટર જનરલ ઓફ ટ્રેડ રેમેડી) ને આજે ફિયાસ્વીના પ્રમુખ અને કેન્દ્રની ટેક્ષટાઇલ કમિટીમાં સભ્ય સુરતના ભરત ગાંધીએ કચકચાવીને પત્ર લખ્યો છે, તેમણે કહ્યું કે સુરતના વીવીંગ કારખાનેદારો જ ભારતમાં વપરાશમાં લેવામાં આવતા ઇમ્પોર્ટેડ વિસ્કોસ ફિલામેન્ટ યાર્નના 95 ટકા જથ્થાના વપરાશ કર્તા છે, સુરતના વીવીંગ ઉદ્યોગ માટે ઇમ્પોર્ટેડ વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન (60 ડેનિયર) કી રૉ મટિરિયલ છે, આવું જાણવા છતા પણ જો આ યાર્ન પર એન્ટી સબસિડી ડ્યૂટી લાગૂ પાડવામાં આવશે તો સુરતમાં 3.50 લાખ જેટલા લૂમ્સ બંધ થઇ જશે અને લાખો લોકો બેરોજગાર બનશે.

ડાયરેક્ટર જનરલ ઓફ ટ્રેડ રેમેડી (ડીજીટીઆર)ને કચકચાવીને લખેલા પત્રમાં ફિયાસ્વી (ફેડરેશન ઓફ ઇન્ડીયન આર્ટ સિલ્ક વીવીંગ ઇન્ડસ્ટ્રીઝ)ના પ્રેસિડેન્ટ ભરત ગાંધીએ જણાવ્યું છે કે ટેક્ષટાઇલ મંત્રાલયએ સ્પષ્ટ કર્યુ છે કે કાપડ ઉત્પાદનમાં જે ચીજવસ્તુઓ કી રૉ મટિરિયલ તરીકે વપરાશમાં લેવાતી હોય તેના પર એન્ટી સબસિડી ડ્યૂટી લાગૂ કરવી નહીં આમ છતાં ડીજીટીઆર કયા કારણોથી વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન પર ડ્યૂટી લગાડવા માટે અંતિમ તબક્કામાં પહોંચી છે એ બાબત જ શંકાપ્રેરક છે. ડીજીટીઆર ખુદ જાણે છે કે વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન સુરતના વીવીંગ કારખાનેદારો માટે કી રો મટિરિયલ છે, સૌથી વધુ ઇમ્પોર્ટેડ વિસ્કોસ ફિલામેન્ટ યાર્નનો ઉપયોગ જ સુરતના વીવીંગ કારખાનેદારો કરી રહ્યા છે, એવું પણ નથી કે મર્યાદિત કારખાનેદારો આનો ઉપયોગ કરે છે, સુરતમાં હજારો વીવીંગ કારખાનેદારો પોતાના લૂમ્સ મશીનો પર કાપડનું ઉત્પાદન કરવા માટે વિસ્કોસ ફિલામેન્ટ યાર્નનો ઉપયોગ કરે છે અને સુરતના વપરાશની માગને દેશી યાર્ન ઉત્પાદકો પહોંચી વળી શક્તા નથી અને તે જ કારણે આ યાર્ન ઇમ્પોર્ટ કરવું પડે છે. દેશી યાર્ન ઉત્પાદકો દ્વારા ઉત્પાદીત કરવામાં આવતા યાર્નની ક્વોલિટી સુરતના હાઇસ્પીડ મશીન્સ પર ટકી શકે તેવી પણ નથી.

ફિયાસ્વીએ સ્પષ્ટ કર્યું કે ડીજીટીઆરએ કુદરતી ન્યાયની કોઇ પ્રક્રિયા પૂરી કરી નથી. સુરતના વીવીંગ વપરાશકારોને તેમણે રૂબરૂમાં સાભળવા જોઇએ તે પણ કર્યું નથી અને તેની જગ્યાએ હવે વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન પર એન્ટી સબસિડી ઠોકી બેસાડવાની પ્રક્રિયાને અંતિમ તબક્કામાં લઇ આવ્યા છે. તેમણે કહ્યું કે જો વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન પર ડ્યૂટી નાંખવામાં આવશે તો સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગને મોટું નુકસાન થશે. હાલમાં 6 લાખ લૂમ્સ સુરતમાં કાર્યરત તે પૈકીના 3.50 લાખ લૂમ્સ મશીનો બંધ થઇ જશે અને એ બંધ થતાં લાખો લોકો રોજગારી ગુમાવશે.

ડોમેસ્ટીક યાર્ન ઉત્પાદક ગ્રાસીમને જંગી દંડ થઇ ચૂક્યો છે

ઇમ્પોર્ટેડ વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન પર એન્ટી સબસિડી ડયૂટી લાગૂ નહીં કરવા સંદર્ભે ફિયાસ્વીએ કેન્દ્રને લખેલા પત્રમાં એ પણ ઉલ્લેખ કર્યો છે કે ભારતમાં વિસ્કોસ ફિલામેન્ટ યાર્નના મુખ્ય ઉત્પાદક ગ્રાસીમ-બિરલા ગ્રુપને કેન્દ્ર સરકારની જ સંસ્થા કોમ્પીટીશન કમિશન ઓફ ઇન્ડીયાએ ગઇ તા.16મી માર્ચ 2020ના રોજ રૂ.302 કરોડની જંગી રકમની પેનલ્ટી ફટકારી છે. આ પેનલ્ટી એટલા માટે ફટકારવામાં આવી છે કે ગ્રાસીમ-બિરલા ગ્રુપે તેમને મળેલી ઇજારાશાહીનો દૂરુપયોગ કરીને ચોક્કસ કંપનીઓને જ યાર્ન સપ્લાય કર્યું અને અનેક યાર્નના દરોમાં મનસ્વી રીતે વધારા કર્યા હતા.

કેન્દ્ર સરકારની ટેક્ષટાઇલ કમિટીના સભ્ય સુરતના ભરત ગાંધીએ ડીજીટીઆરને કરેલી રજૂઆતમાં સુપ્રીમ કોર્ટનો એક ચૂકાદો પણ ટાંક્યો છે કે જેમાં ઉત્પાદન માટે જરૂરી મટિરીયલ યાર્ન પર કોઇપણ પ્રકારની વધારાની ડ્યૂટી લાદી શકાય નહીં તેવો સંદર્ભ પણ છે.
પત્રમાં તેમણે સ્પષ્ટ કર્યું છે કે જો ડ્યૂટી લાગૂ કરવામાં આવશે તો ભારતમાં વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન (60 ડેનિયર)ના ઉત્પાદક બિરલા ગ્રુપ પોતાને મળેલી ઇજારાશાહીને બેફામ ઉપયોગ કરે તે સંભવ છે.