CIA ALERT

બિઝનેસ Archives - Page 29 of 90 - CIA Live

September 27, 2021
cia_gst.jpg
1min379

સરકારે જીએસટી રિફંડનો દાવો કરવા માટે કરદાતાઓના આધાર ઑથેન્ટિકેશનને ફરજિયાત બનાવ્યું છે. સેન્ટ્રલ બૉર્ડ ઑફ ઇનડાઇરેક્ટ ટૅક્સીસ ઍન્ડ કસ્ટમ્સ (સીબીઆઇસી)એ જીએસટીના નિયમોમાં સુધારો કર્યો છે, જેમાં જીએસટી માત્ર પાન કાર્ડ સાથે લિંક થયેલા બૅંક ખાતામાં જ જમા થાય (જે ખાતા સાથે જીએસટી રજિસ્ટ્રેશન થયું હોય) સહિતના વિવિધ કરચોરી ડામવાના પગલાં લેવામાં આવ્યા છે. 

જાહેરનામામાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ૧ જાન્યુઆરી, ૨૦૨૨થી જે ઉદ્યોગોએ સમરી રિટર્ન ફાઇલ કરવામાં અને માસિક જીએસટી ભરવામાં ડિફોલ્ટ કર્યું છે, તેઓ આગામી મહિનાનું જીએસટીઆર-૧ વેચાણ રિટર્ન ફાઇલ કરી શકશે નહીં. આ જાહેરનામું ૧૭ સપ્ટેમ્બરે લખનઊ જીએસટી કાઉન્સિલની બેઠકમા ંલવાયેલા નિર્ણયોને અનુસરે છે.  

‘કરચોરીને પકડવા માટે, સરકારે માલિક, ભાગીદાર, કર્તા, મેનેજિંગ ડિરેક્ટર, પૂર્ણ સમયના ડિરેક્ટર અને અધિકૃત હસ્તાક્ષરકર્તા માટે આધાર પ્રમાણીકરણ ફરજિયાત બનાવ્યું છે,’ એમ એએમઆરજી ઍન્ડ એસોસિયેટ્સના સિનિયર પાર્ટનર રજત મોહને જણાવ્યું હતું.   ઇવાયના ટૅક્સ પાર્ટનર અભિષેક જૈને કહ્યું હતું કે, ‘આવક લીકેજ અટકાવવાના ઉદ્દેશથી સરકારે કરદાતાને રિફંડનો દાવો કરવા માટે આધાર ઑથેન્ટિકેશન ફરજિયાત બનાવ્યું છે.                            

September 24, 2021
Cia_business_news-1280x936.jpg
1min433

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આમ તો ફ્રાય ડે (શુક્રવાર)નો જ્યારે રેફરન્સ લેવામાં આવે છે ત્યારે મોટા ભાગે બ્લેક ફ્રાય ડે એવા ટાઇટલ જ સાંભળવા મળ્યા છે પરંતુ, આજે તા.24મી સપ્ટેમ્બર 2021નો ફ્રાય ડે ભારતીય શેરબજાર માટે ગુડ ફ્રાયડે બનીને આવ્યો છે.

Sensex closes shy of historic 60,000 mark, Nifty tops 17,800 mark for first  time - BusinessToday

આજે શુક્રવારે ભારતીય શેર બજારના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે સેન્સેક્સે 60,000 સપાટીને કૂદાવી દીધી હતી. અત્યાર સુધી ફક્ત જેની કલ્પના કરવામાં આવી રહી હતી એ 60 હજારનો સૂચકાંક સર કરીને ભારતીય શેરબજારોએ વિશ્વભરના રોકાણકારોનું ધ્યાન ખેંચ્યુ છે.

આજે શેરબજારમાં શરૂઆતના કારોબારમાં બેન્ક અને આઇટી શેરમાં તેજી હતી. સૌથી વધુ વધારો ઇન્ફોસિસના શેરમાં થયો હતો.

ગતરોજ તા.23મી સપ્ટેમ્બર, ગુરુવારે શેરબજારમાં છેલ્લા ઘણા મહિનાઓમાં સૌથી મોટો ઉછાળો આવ્યો હતો. સેન્સેક્સમાં 950 પોઇન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. સવારે 431 પોઈન્ટના વધારા સાથે 59,358 પોઈન્ટ પર ખૂલ્યા બાદ સેન્સેક્સ સાંજે 958 પોઈન્ટ વધ્યો હતો. ગુરુવારે સાંજે સેન્સેક્સ 59,885.36 પોઇન્ટ પર બંધ થયો હતો. જે બુધવારે 58,927.33 પોઇન્ટ પર બંધ થયો હતો. આખા દિવસના કારોબારમાં એક સમય એવો હતો જ્યારે સેન્સેક્સ 59,957.25 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીને સ્પર્શી ગયો હતો. એટલે કે, સેન્સેક્સમાં લગભગ 1030 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. 

September 17, 2021
Cia_business_news-1280x936.jpg
1min441

Jayesh Brahmbhatt 98253 44944

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ આયોજિત ઉદ્યોગપતિઓ સાથેના ઇન્ટરએક્ટિવ સેશનમાં કેન્દ્રના વાણિજ્ય મંત્રી પિયુષ ગોયેલએ આજે સુરતમાં કામ કરતી સરકારનો પરચો દેખાડતા સુરતના સચિન ખાતે બિલકુલ ફ્લોપ નિવડેલા સુરત એપેરલ પાર્કની 3.6 લાખ ચો.મી. જેટલી વિશાળ અને કિંમતી જમીન એક સપ્તાહમાં ઉદ્યોગોને પરત સોંપી દેવાની જાહેરાત કરતા સુરતના ઉદ્યોગકારો સ્તબ્ધ થઇ ગયા હતા. સચિન એપેરલ પાર્કની આ જમીનની સ્થાનિક જંત્રી પ્રમાણેની કિંમત રૂ.100 કરોડ જેટલી થવા જાય છે.

પિયુષ ગોયેલે છેલ્લા 15 વર્ષથી ગૂંચવાયેલા મામલાને ચપટી વગાડતા ઉકેલી આપ્યો હતો. વેપાર ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે ઓપન હાઉસમાં ચર્ચા કરવા માટે આજે ખાસ સુરત આવેલા કેન્દ્રના વાણિજ્ય મંત્રી પિયુષ ગોયેલએ સુરતના સચિન ખાતે એપેરલ પાર્ક સ્થાપવાની 15 વર્ષ જૂની ચેમ્બરની યોજના અન્વયે બિલકુલ બિનઉપયોગી પડી રહેલી 3.6 લાખ ચો.મી. જેટલી વિશાળ અને કિંમતી જમીનને ઉદ્યોગના હિતમાં છૂટી કરવા સંદર્ભે સ્થાનિક ઉદ્યોગપતિ રવિન્દ્ર આર્યએ રજૂઆતો કરી હતી.સચિન એપેરલ પાર્ક કે જેને ગેરસમજથી સ્પેશિયલ ઇકોનોમિક ઝોનનું સ્ટેટસ આપી દેવાયું હતું, ત્યાં અંદાજે 50 જેટલા યુનિટ્સ કાર્યરત થયા હતા એ પછી સમગ્ર પ્રોજેક્ટ ફ્લોપ ગયો હતો અને તેની 3 લાખ 60 હજાર ચો.મી. જેટલી વિશાળ જમીન વર્ષોથી બિનઉપયોગી નકામી પડી રહી હતી. આ જમીનને પાર્સીયલ રીતે ડીનોટીફાઇ કરવા સંદર્ભની ફાઇલ કેન્દ્રના વાણિજ્ય મંત્રાલયમાં પડી રહી છે તેનો નિકાલ લાવવા માટે રવિન્દ્ આર્યએ રજૂઆતો કરી હતી.

આ પ્રશ્ન ઉપસ્થિત થતાં જ પિયુષ ગોયેલે લોક પ્રશ્નો સાંભળવાની સાથે પોતાના મંત્રાલયમાંથી વિગતો કઢાવી હતી અને સ્ટેટસ જાણી લીધા બાદ રવિન્દ્ર આર્ય અને સુરતના ઉદ્યોગકારોને કહ્યું હતું કે સચિન એપેરલ પાર્કની પાર્સિયલ ડિનોટીફાઇ કરવાની દરખાસ્તને આગામી મંગળવા સુધીમાં ક્લીયર કરી દેવામાં આવશે.ઉદ્યોગોને જો આ જમીન પરત મળશે તો સચિનમાં વધુ કરોડો રૂપિયાના યુનિટ્સ નંખાશે જે સરવાળે સુરતના ઉદ્યોગોનું ટર્નઓવર વધારશે.

May be an image of 4 people, people standing and indoor
September 17, 2021
gst.jpg
1min401

નાણાં પ્રધાન નિર્મલા સીતારામનનાં અધ્યક્ષપદ હેઠળ શુક્રવારે જીએસટી કાઉન્સિલની બેઠક યોજાશે. લખનઊ ખાતે શુક્રવારે સવારે ૧૧:૦૦ વાગે યોજાનારી જીએસટી કાઉન્સિલની ૪૫મી બેઠકનું અધ્યક્ષપદ નાણાં પ્રધાન નિર્મલા સીતારામન સંભાળશે. 

આ બેઠકમાં લગભગ ચાર ડઝન જેટલી વસ્તુઓ પરના કરવેરાની સમીક્ષા કરવા ઉપરાંત કોવિડની ૧૧ દવાને કરવેરામાં રાહત આપવા અંગે વિચારણા કરવામાં આવશે. 

૧૭ સપ્ટેમ્બરે લખનઊ ખાતે યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં સિંગલ નેશનલ જીએસટી હેઠળ પેટ્રોલ અને ડીઝલ પર કરવેરો લાદવા અંગે તેમ જ ઝોમેટો અને સ્વિગી  જેવી ડિલીવરી ઍપને રૅસ્ટોરાં ગણી તેમના દ્વારા કરવામાં આવતી ડિલીવરી પર પાંચ ટકા ટૅક્સ લાદવા અંગે પણ વિચારણા કરવામાં આવશે. 

રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના નાણાં પ્રધાન તેમ જ કેન્દ્ર અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં હાજરી આપશે, એમ નાણાં ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. 

એમ્ફોટોરિસિન-બી, ટોસિલિઝૂમેબ, રેમડેસિવિર અને હેપારિન જેવી ઍન્ટી કૉગ્યૂલન્ટ્સ પરના કરવેરા પર હાલ આપવામાં આવતી રાહત ૩૦ સપ્ટેમ્બરથી લંબાવીને ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ સુધી કરવાના પ્રસ્તાવ પર ચર્ચાવિચારણા કરવામાં આવશે. 

ઈટોલિઝૂમેબ, પાસાકોનાઝોલ, ઈન્ફિલક્સિમેબ, બામલાનિવિમેબ, ઈટેસેવિમેબ, કાસિરિવિમેબ, ઈમડેવિમેબ, ૨-ડિઓક્સિ-ડી-ગ્લુકોઝ અને ફેવિપિરાવિર જેવી કોવિડની દવા પરનો જીએસટી દર ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ સુધી ૧૨ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવાના પ્રસ્તાવ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવે એવી શક્યતા છે.

September 16, 2021
anurag.jpg
1min406

કેન્દ્રના પ્રધાન અનુરાગ ઠાકુરે dt 15/9/21, બુધવારે જણાવ્યું હતું કે કેન્દ્રના પ્રધાનમંડળે વાહન, વાહનોના ભાગો અને ડ્રોનને લગતા ઉદ્યોગો માટે રૂપિયા ૨૬,૦૫૮ કરોડની પ્રૉડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમને મંજૂરી આપી હતી. તેનો હેતુ દેશમાં આ ક્ષેત્રે વધુ ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે. પ્રૉડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમને લીધે ભારતમાં અત્યાધુનિક ‘ઑટૉમેટિવ ટેક્નૉલૉજી’ની વૈશ્ર્વિક સપ્લાય ચૅનને પ્રોત્સાહન મળશે.

અનુરાગ ઠાકુરે કેન્દ્રના પ્રધાનમંડળની બેઠક બાદ સંબંધિત માહિતી આપતા પત્રકારોને જણાવ્યું હતું કે આગામી પાંચ વર્ષ દરમિયાન વાહન, વાહનોના ભાગો અને ડ્રોનને લગતા ઉદ્યોગો માટે રૂપિયા ૨૬,૦૫૮ કરોડની સહાય પૂરી પડાશે. તેમણે જણાવ્યું હતું કે વાહન અને વાહનોના ભાગોને લગતા ઉદ્યોગમાં આ સ્કીમના અમલથી રૂપિયા ૪૨,૫૦૦ કરોડથી વધુનું નવું રોકાણ થવાની અને રોજગારીની ૭.૫ લાખથી વધુ તક ઊભી થવાની આશા છે.

કેન્દ્રના ૨૦૨૧ – ૨૦૨૨ના અંદાજપત્રમાં ૧૩ ક્ષેત્ર માટે પ્રૉડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમની કરાયેલી જાહેરાતના ભાગરૂપે વાહન, વાહનોના ભાગો અને ડ્રોન ઉદ્યોગોને આવરી લેવાનું નક્કી કરાયું હતું. આ સ્કીમ માટે રૂપિયા ૧.૯૭ લાખ કરોડ ફાળવાયા હતા.

September 15, 2021
petrol-diesel-1.jpg
1min435

તા.17મી સપ્ટેમ્બર, શુક્રવારે યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં પેટ્રોલ, ડીઝલ અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનોને જીએસટીના દાયરામાં લવાય એવી શક્યતા ચર્ચાઇ રહી છે. 

લખનઊમાં શુક્રવારે યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં કોવિડ-૧૯ માટેની જરૂરિયાતના સામાન પરના કરમાં પણ લાભ આપવા વિશે પણ વિચાર કરે એવી શક્યતા છે. 

દેશમાં આસમાને પહોંચેલા પેટ્રોલ અને ડીઝલના ભાવને કાબૂમાં રાખવાનો જીએસટી સારો માર્ગ હોવાનું મનાય છે, કારણ કે જીએસટી હેઠળ લવાયા બાદ એના પર લાગતા રાજયના વેટ કર અને કેન્દ્રની જકાતની પણ બાદબાકી થશે. 

જૂન મહિનામાં એક અરજીના નિકાલ વખતે કેરળની હાઇ કોર્ટે જીએસટી કાઉન્સિલને પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા જણાવ્યું હતું. 

સૂત્રોના જણાવ્યા મુજબ કોર્ટના આદેશ અનુસાર પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાનો મુદ્દો ચર્ચા માટે જીએસટી કાઉન્સિલ સમક્ષ રજૂ કરવામાં આવશે.         

September 13, 2021
panna.jpg
1min377

મધ્ય પ્રદેશના પન્ના જિલ્લામાં ૨૧ સપ્ટેમ્બરથી અંદાજે રૂ. ૧.૦૬ કરોડના મૂલ્યના કુલ ૧૩૯ રફ ડાયમંડનું લિલામ કરવામાં આવશે, એમ અધિકારીઓએ રવિવારે તા.12મી સપ્ટેમ્બર 2021ના રોજ કહ્યું હતું. 

પત્રકારોને માહિતી આપતા પન્નાના ડાયમંડ ઑફિસર રવી પટેલે કહ્યું હતું કે સામૂહિક રીતે આ હીરાઓનું કુલ વજન ૧૫૬.૪૬ કેરેટ છે. આ હીરા જિલ્લાની ખાણમાંથી મેળવવામાં આવ્યા છે. 
આ મૂલ્યવાન હીરાઓમાં ૧૪.૦૯ કેરેટના હીરાનો પણ સમાવેશ થાય છે. આ વર્ષના ફેબ્રુઆરીમાં એક શ્રમિકે ખાણમાંથી આ હીરો શોધી કાઢ્યો હતો

અગાઉની હરાજીમાં તે વેચાયા વિના જ રહી ગયો હતો, એમ તેમણે કહ્યું હતું. આ હીરો લિલામનું મુખ્ય આકર્ષણ બની રહેશે અને તેના અંદાજે રૂ. ૭૦ લાખ ઉપજે એવી અપેક્ષા છે.  આ વખતે લિલામમાં મુકવામાં આવેલો આ સૌથી મોટો હીરો હશે. ગુજરાત, દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ અને દેશના અન્ય ભાગના લોકો આ લિલામમાં ભાગ લે તેવી શક્યતા છે.  

September 10, 2021
Anil_Ambani_Reliance.jpg
1min365

દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન અનિલ અંબાણીની માલિકીની કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને 4600 કરોડ રૂપિયાની ચુકવણી કરશે.’ નિલ અંબાણીની રિલાયન્સ ઈફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે દિલ્હી મેટ્રો સામે ચાર વર્ષ જુનો એક કેસ જીતી લીધો છે. આ કેસ આર્બિટ્રેશન એવોર્ડથી ધન નિયંત્રણને લઈને હતો. જેને લઈને રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું કહેવું છે કે તેણે ઉધારદાતાઓને બાકી રકમ ચુકવવા માટે નાણાની જરૂર છે. સુપ્રીમ કોર્ટની બે ન્યાયાધિશોની પેનલે 2017ના આર્બિટ્રેશન એવોર્ડને અનિલ અંબાણીની કંપનીના પક્ષમાં યથાવત રાખ્યો હતો. રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વાર્ષિક અહેવાલ પ્રમાણે આ રકમ વ્યાજ સહિત 46.6 અબજ રૂપિયાથી વધુની છે.

કોર્ટનો નિર્ણય અનિલ અંબાણી માટે મહત્વની જીત છે. કારણ કે તેની દુરસંચાર કંપની દેવાળું ફૂંકવાની કગારે છે અને દેશમાં સૌથી મોટા ઋષદાતા દ્વારા દાખલ એક વ્યક્તિગત નાદારીનો કેસ લડી રહ્યા છે. કોર્ટના આદેશ બાદ રિલાયન્સ ઈન્ફ્રાના શેરમાં પાંચ ટકાનો વધારો થયો છે. કંપનીના વકીલોએ સુનાવણી દરમિયાન કહ્યું હતું કે રિલાયન્સ કર્જદાતાઓને રકમની ચુકવણી માટે નાણાનો ઉપયોગ કરશે. ત્યારબાદ શીર્ષ અદાલતે બેન્કોને કંપનીના ખાતાને એનપીએ બતાવવાથી રોકી હતી. મામલામાં અંતિમ નિર્પય ઉધારદાતાઓ ઉપરના અદાલતી પ્રતિબંધોને પણ હટાવે છે.

રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે 2008મા દિલ્હી મેટ્રો સાથે પહેલો પ્રાઈવેટ સિટી રેલ પ્રોજેક્ટ 2038 સુધી ચલાવવાનો કરાર કર્યો હતો. 2012મા શુલ્ક અને સંચાલન ઉપર વિવાદો બાદ અંબાણીની કંપનીએ દિલ્હીના એરપોર્ટ મેટ્રો પ્રોજેક્ટનું સંચાલન બંધ કર્યું હતું અને દિલ્હી સામે આર્બિટ્રેશનનો મામાલો શરૂ કર્યો હતો. મેટ્રોએ કોન્ટ્રાક્ટના ઉલ્લંઘનનો આરોપ મુકતા ટર્મિનેશનની ફી માગી હતી. રિલાયન્સ ઈન્ફ્રાએ એરપોર્ટ મેટ્રો લાઈનના નિર્માણમાં અમુક ખામીનો ઉલ્લેખ કર્યો હતો. કંપનીના કહેવા પ્રમાણે દિલ્હી મેટ્રો ખામીઓને દૂર કરવામાં નિષ્ફળ રહી હતી. ત્યારબાદ 2013મા ડીએએમપીએલએ મેટ્રો સાથે પોતાનો કોન્ટ્રાક્ટ પૂરો કરવાનો નિર્ણય લીધો હતો અને જુલાઈ 2013મા દિલ્હી મેટ્રોએ એરપોર્ટ લાઈનનું સંચાલન પોતે શરૂ કર્યું હતું.

September 3, 2021
sensex1.jpg
1min382

આજે 3/9/32 સેન્સેક્સે Sensex વધુ એક ઐતિહાસિક high બનાવતા 58 હજારની સપાટીને વટાવી દીધી છે. છેલ્લા કેટલાક સમયથી રોકેટ ગતિએ હવામાં ઉડી રહેલો સેન્સેક્સ હવે 60 હજારના લેવલને ક્રોસ કરશે કે કેમ તેના પર સૌની નજર મંડાયેલી છે. સેન્સેક્સે એકાદ મહિનાના ગાળામાં જ પાંચ હજાર પોઈન્ટ્સનો કૂદકો લગાવ્યો છે.

ગઈકાલે 57,852 પોઈન્ટ્સની સપાટી પર બંધ થયેલો સેન્સેક્સ આજે 57,983 પોઈન્ટ્સના સ્તરે ખૂલ્યો હતો અને ગણતરીની મિનિટોમાં જ 58 હજારને પાર થઈ ગયો હતો. સવારે 10 વાગ્યાની સ્થિતિએ 215 પોઈન્ટ્સના વધારા સાથે સેન્સેક્સ 58,115નો હાઈ બનાવ્યા બાદ 58,068 પોઈન્ટ્સ પર ટ્રેડ કરી રહ્યો હતો. આજે સેન્સેક્સમાં સૌથી વધુ ઉછળેલા શેર્સની વાત કરીએ તો, ટાઈટન, કોટક બેંક, બજાજ ઓટો, મારુતિ, NTPC સૌથી વધુ વધરાનારા પાંચ શેર્સ રહ્યા છે, જ્યારે સૌથી વધુ ઘટનારા પાંચ શેર્સમાં HUL, અલ્ટ્રાટેક, ટાટા સ્ટીલ, નેસ્લે અને ટીસીએસનો સમાવેશ થાય છે.

September 1, 2021
lpg_cylinder.jpg
1min452

નવા મહિનાની શરુઆત થતાની સાથે ગરીબ અને મધ્ય પરીવારની કમર તૂટી જાય તેવી ખબર આવી છે. ફરી એકવાર ઘર વપરાશના ગેસના બાટલાના ભાવમાં વધારો થયો છે.

LPG સિલિન્ડરના ભાવમાં સતત ત્રીજા મહિને વધારો થયો છે. સરકારી ઓઈલ કંપની (Oi lPSUs)એ LPG સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કર્યો છે. દિલ્હીમાં હવે સબસિડીવાળા 14.2 કિલોગ્રામ સિલિન્ડરની કિંમત 884.50 પર પહોંચી ગઈ છે. આ પહેલા રાજધાની દિલ્હીમાં સિલિન્ડરની કિંમત 859.20 રૂપિયા હતી. પહેલી જુલાઈથી સિલિન્ડરની કિંમતમાં 75.50 રૂપિયાનો વધારો થયો છે. જુલાઈમાં તેની કિંમતમાં 25.50 રૂપિયા અને ઓગસ્ટમાં 25 રૂપિયાનો વધારો થયો હતો. આ ભાવ વધારાની અસર ગુજરાત પર પણ પડી છે.

સબસિડીવાળા એલપીજીની કિંમત 1 જાન્યુઆરીથી કુલ 190 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધી છે. કોલકાતામાં 14.2 કિલોગ્રામ સબસિડીવાળા સિલિન્ડરની કિંમત 911 રૂપિયા અને મુંબઈમાં 884.50 રૂપિયા તથા ચેન્નાઈમાં 900.50 રૂપિયા થઈ ગઈ છે. સરકારે દર મહિને કિંમતોમાં વધારો કરીને એલપીજી પર મળતી સબસિડીને ખતમ કરી દીધી છે. ઘરેલુ રસોઈ ગેસની કિંમત પાછલા સાત વર્ષમાં બમણી કરતા વધુ થઈ ગઈ છે. 1 માર્ચ 2014ના રોજ ઘર વપરાશના ગેસના બાટલાની કિંમત 410.5 રૂપિયા હતી.

સબસિડીવાળા ગેસના બાટલા ગેસના બાટલાની સાથે 19 કિલોના કર્મસિયલ સિલિન્ડર પર પણ 75 રૂપિયાનો વધારો થયો છે, હવે તેની કિંમત વધીને દિલ્હીમાં 1693 રૂપિયા થઈ ગઈ છે.