CIA ALERT

Alert Archives - Page 58 of 517 - CIA Live

October 10, 2024
milton.jpg
1min255

ફલોરિડાના પશ્ચિમ કાંઠે 33 લાખની વસતી ધરાવતાં ટામ્પા બે વિસ્તારમાં કેટેગરી ફાઇવ હરિકેન મિલ્ટન બુધવારે મોડી રાત્રે અથવા ગુરૂવારે સવારે 260 કિલોમીટરની ઝડપે ફૂંકાતા પવન સાથે ત્રાટકશે. સત્તાવાળાઓએ આ વિસ્તારને ખાલી કરવાની તાકીદ કરી હોવા છતાં ઘણાં રહેવાસીઓએ આ સ્થળે રહેવાનો આગ્રહ રાખતાં અધિકારીઓએ તેમના બચવાની તકો ઓછી હોવાનું જણાવી તેમને ચેતવ્યા છે. હરિકેન સેન્ટર દ્વારા અપાયેલી ચેતવણી અનુસાર વેસ્ટ સેન્ટ્રલ ફલોરિડામાં મિલ્ટન સૌથી વિનાશક વાવાઝોડું બની રહેશે. ચેતવણીને પગલે ફલોરિડાવાસીઓએ કારમાં બેસી વિસ્તાર ખાલી કરવા માંડતા હાઇવે પર કારોની લાંબી લાઇન જોવા મળી હતી. દરિયામાં પંદર ફૂટ ઉંચા પાણીના મોજાં ઉછળશે તો શહેરમાં તમામ ઘરો પાણીમાં ગરકાવ થઇ જશે તેવી આગાહી ટેમ્પાના મેયર જેન કેસ્ટરે કરી હતી.

સૌથી વિનાશક ગણાતું આ વાવાઝોડું હાલ ટેમ્પાથી 485 કિમીના અંતરે 260 કિમીની ઝડપે ફૂંકાતા પવનો સાથે ફલોરિડા તરફ કલાકે 22 કિમીની ઝડપે આગળ ધસી રહ્યું છે. ફલોરિડાના ઘણાં વિસ્તારોમાં વાવાઝોડાં પૂર્વે જ ભારે વરસાદ પડી રહ્યો છે અને ફલોરિડાનાઅખાત કાંઠે આખો દિવસ હવામાન ખરાબ રહેવાની આગાહી હરિકેન સેન્ટર દ્વારા કરાઇ છે. ગુરૂવારે મધ્યથી ઉત્તર ફલોરિડા વિસ્તારમાં છથી બાર ઇંચ વરસાદ પડવાની આગાહી કરાઇ છે. જેને કારણે વિનાશક પૂર આવશે.

હરિકેન હેલેને પખવાડિયા અગાઉ ફલોરિડામાં વેરેલાં વિનાશમાંથી લોકો હજી ઉભર્યા નથી ત્યાં મિલ્ટન ત્રાટકવાની તૈયારીમાં છે. હેલેન વાવાઝોડામાં ૨૩૦ લોકોના મોત થયા હતા. ફલોરિડાની 11 કાઉન્ટીઓમાં સત્તાવાળાઓએ ફરજિયાત સ્થળાંતરના આદેશો આપ્યા છે. આ કાઉન્ટીઓમાં 60 લાખ લોકો વસે છે. હેેલેને વેરેલી તારાજીને કારણે સર્જાયેલા ભંગારને દૂર કરવા રાજ્ય અને સ્થાનિક તંત્રો હજી મહેનત કરી રહ્યા છે. અધિકારીઓને ડર છે કે મિલ્ટન વાવાઝોડાંમાં આ ભંગાર ઉડશે તો તે વિનાશક બની જશે. ગવર્નર રોન સેન્ટિસે જણાવ્યું હતું કે સરકારે ૩૦૦ કચરાં ગાડીઓને તહેનાત કરી 1300 ટન ભંગાર દૂર કર્યો છે.

હેલેન વાવાઝોડાંનો ભોગ બનેલા લોકો હવે મિલ્ટન વાવાઝોડાં સામે કોઇ ચાન્સ લવા માંગતા નથી. લોકોના પેટમાં આ વાવાઝોડાની આગાહી થતાં જ ફાળ પડી છે. મોટાભાગના લોકો કારમાં બેસી ફલોરિડાથી રવાના થવા માંડયા છે. તો અમુક લોકો એવા પણ છે જેમણે હેલેન હરિકેન દરમ્યાન ભારે નુકસાન થવા છતાં હરિકેન મિલ્ટન દરમ્યાન પોતાના ઘરમાં જ રહેવાની તૈયારી કરી લીધી છે.

October 10, 2024
ratan-tata.png
1min333

દિગ્ગજ બિઝનેસમેન રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન થઇ ગયું છે. આ માહિતી ટાટા ગ્રૂપે જ આપી હતી. ટાટા સમૂહે કહ્યું છે કે અપાર દુઃખ સામે અમે પ્રિય રતનના શાંતિપૂર્ણ નિધનની જાહેરાત કરીએ છીએ. અમે તેમના ભાઈ, બહેન અને સ્વજન તથા તેમની પ્રશંસા કરનારા તમામ લોકોના પ્રેમ અને સન્માનથી સાંત્વના મહેસૂસ કરીએ છીએ.

મહારાષ્ટ્રના મંત્રી દીપક કેસરકરે કહ્યું કે ઉદ્યોગપતિ રતન ટાટાના નિધનને કારણે મુંબઈમાં રાજ્ય સરકારના તમામ કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે.

રતન ટાટાને રાજકીય સન્માન સાથે વિદાય આપવામાં આવશે. મુંબઈમાં 10 વાગ્યાથી લોકો તેમના અંતિમ દર્શન કરી શકશે.

મુંબઈ પોલીસના દક્ષિણ ઝોનના એડિશનલ કમિશનર અભિનવ દેશમુખે જણાવ્યું હતું કે તેમના પાર્થિવ દેહને સવારે 10 થી બપોરે 3:30 વાગ્યા સુધી દર્શન માટે NCPA ખાતે રાખવામાં આવશે. દર્શન માટે આવનાર તમામ લોકોને અપીલ છે કે ત્યાં પાર્કિંગની સુવિધા ન હોવાથી તેઓએ પોલીસની સૂચનાનું પાલન કરવું પડશે અને આવતા પહેલા તેમની પાર્કિંગની વ્યવસ્થા કરવી પડશે. પોલીસનો સંપૂર્ણ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કરતા વિદેશ મંત્રી એસ જયશંકરે લખ્યું, “રતન ટાટાનું નિધન એક યુગનો અંત છે. તેઓ ભારતીય ઉદ્યોગના આધુનિકીકરણ અને તેનાથી પણ વધુ તેના વૈશ્વિકીકરણ સાથે ઊંડે સુધી સંકળાયેલા હતા. હું તેમને મળ્યો છું. ઘણા પ્રસંગોએ તેમની સાથે વાર્તાલાપ કરવાનો આનંદ મળ્યો અને તેમની દૂરંદેશી અને સૂઝબુઝનો લાભ મળ્યો. ઓમ શાંતિ! તેમના નિધનના શોકમાં સમગ્ર રાષ્ટ્ર સાથે જોડાઈએ.

October 9, 2024
crime.jpg
1min432

રાજ્યમાં હાલ નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે. મહિલાઓ અને યુવતીઓ મોડે સુધી ઘરની બહાર ગરબે રમવા નિકળે છે. તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા મોડે સુધી ગરબે રમવાની છૂટ પણ આપવામાં આવી છે. ત્યારે ગત 15 દિવસમાં 8થી વધુ બળાત્કારની ઘટનાઓ સામે આવી છે. વડોદરાના ભાયલીની યુવતી સાથે સામૂહિક દુષ્કર્મનો રોષ શમ્યો નથી, ત્યાં તો રાજ્યના ગૃહમંત્રીના વિસ્તારમાંથી સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે.

માહિતી અનુસાર સુરતના માંગરોળના મોટા બોરસરા ગામે સામૂહિક દુષ્કર્મ ઘટના બની છે. જેમાં સગીરા પોતાના મિત્રને મળવા ગઇ હતી હતી, આ દરમિયાન ત્રણ શખ્સો આવી પહોંચ્યા હતા અને સગીરાના મિત્રને માર મારી ત્યાંથી ભગાડી ગયા હતા. ત્યારબાદ સગીરાને અવાવરૂ જગ્યા પર લઇ જઇને સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઘટનાની જાણ થતાં રેન્જ આઇજી, જિલ્લા પોલીસ વડા, એલસીબી, એસઓજી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. આ ઘટનાની તપાસ કરવા માટે પોલીસ ડૉગ સ્ક્વોડની મદદ લીધી છે. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફંફોળવાનું શરૂ કરી દીધું છે.

October 9, 2024
rbi.png
1min300

ભારતીય રિઝર્વ બૅંકની 51મી MPC બેઠકમાં (RBI MPC Meeting Results) મોટો નિર્ણય લેવામાં આવ્યો. બે દિવસીય મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં જાહેરાત કરતાં RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે આ વખતે પણ પોલિસી રેટ(રેપો રેટ)માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે તમારી લોનની EMI યથાવત્ જ રહેશે. રિઝર્વ બૅંકે પોલિસી રેટને 6.5 ટકા પર યથાવત્ રાખવાનો નિર્ણય કર્યો છે. આ સતત 10મી વખત છે જ્યારે રિઝર્વ બૅંકે રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી.

RBI ગવર્નરે 7મી ઑક્ટોબરથી શરુ થયેલી એમપીસી બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે જણાવ્યું હતું કે, આ વખતે એમપીસીમાં ત્રણ નવા સભ્યો જોડાયા છે. વૈશ્વિક પરિબળોને ધ્યાનમાં રાખતાં બેઠકમાં છમાંથી પાંચ સભ્યોએ વ્યાજના દરો યથાવત્ રાખવા સહમતિ આપી હતી. પોલિસીનું વલણ વિડ્રોલ ઑફ અકમોન્ડેશનમાંથી બદલી ન્યુટ્રલ કરવામાં આવ્યું છે. વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ ક્રાઇસિસ હોવા છતાં દેશમાં ફુગાવાને કાબૂમાં કરવામાં સફળ રહ્યા છે. આર્થિક વિકાસ થઈ રહ્યો છે. પરંતુ સાવચેતીના ભાગરૂપે હાલ પૂરતા વ્યાજના દરોમાં કોઈ ફેરફાર કરાશે નહીં.

RBI દ્વારા રેપો રેટ 6.5 ટકાના સ્તરે જાળવી રાખતાં લોન ઈએમઆઇમાં કોઈ ખાસ ફેરફાર થશે નહીં. એમસીએલઆર પર આપવામાં આવતી લોનના વ્યાજદરોમાં હાલ કોઈ વધ-ઘટ નહીં થાય. બૅન્કો RBI પાસેથી રેપો રેટના આધારે લોન લે છે. જેથી તેમાં થતાં ફેરફારની અસર ગ્રાહકોને મળતી લોન પર થાય છે.

October 7, 2024
pandesara-gidc.jpeg
1min343

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ની ભ્રષ્ટાચાર વિરોધી શાખા, ગાંધીનગર દ્વારા 30 સપ્ટેમ્બર, 2024ના રોજ CETP પાંડેસરા ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. આ બેઠકમાં ભ્રષ્ટાચાર વિરોધી પગલાં અને ભ્રષ્ટાચાર મુક્ત પર્યાવરણ ઊભું કરવા માટેના પ્રયાસો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું.

આ બેઠકમાં ઘણા જાણીતા ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં એસોસિએશન તરફથી પ્રમુખ શ્રી કમલવિજય તુલસિયાન, SGTPA પ્રમુખ શ્રી જીતેન્દ્ર વખારિયા, શ્રી મહેશભાઈ કબુતરવાળા, શ્રી જે.પી. અગ્રવાલ અને અન્ય ઉદ્યોગજગતના પ્રતિનિધિઓની વિશેષ હાજરી રહી.

અતિથિ મહાનુભાવોમાંથી CBIના શ્રી રામ પ્રસાદ (DSP, CBI, ગાંધીનગર), શ્રી નીરજ મલિક (PI, CBI, ACB, ગાંધીનગર), અને શ્રી પંકજ એ પટેલ (PI, CBI, ACB, ગાંધીનગર)એ તેમના અનુભવ અને અભિપ્રાયો શેર કર્યા. ભ્રષ્ટાચાર નિવારણ માટે કાયદાકીય પગલાં અને જાગૃતિ વધારવા માટે મહત્વપૂર્ણ સૂચનો આપવામાં આવ્યા.

CBI, ACB ગાંધીનગર તરફથી જાહેર કરવામાં આવેલી અગત્યની સૂચના:

જો કોઈ કેન્દ્રીય સરકાર, બેંક અથવા રેલ્વેના ઓફિસર/કર્મચારી, લાંચ માંગે,પોતાનો પદનો દુરુપયોગ કરી નાજાયઝ આર્થિક લાભ મેળવે અથવા પોતાની આવક કરતાં વધુ સંપત્તિ ધરાવે, તો CBI, ACB ગાંધીનગરને તરત જ જાણ કરો.

October 7, 2024
setu-foundation-1280x720.jpeg
1min438

સેતુ ફાઉન્ડેશન નું એક ડેલિગેશન ચેરમેન શ્રી હેતલ મેહતા ના નેજા હેઠળ યુરોપ ના ફ્રાન્સ અને સ્વિટ્ઝર્લૅન્ડ ખાતે ગયું હતું. જેમાં સેતુ ફોઉન્ડેશન ના ડિરેક્ટર શ્રી પંકજ ત્રિવેદી, એક્ઝીક્યુટીવ ડિરેક્ટર તેમજ સેતુ ના આઈ પી એફ સી ( મિનિસ્ટ્રી ઓફ એમ એસ એમ ઈ દ્વારા સ્થાપિત) ના હેડ શ્રીમતી વિજયા માહેશ્વરી તેમજ સી આઈ આઈ ના આઈ પી એફ સી ( મિનિસ્ટ્રી ઓફ એમ એસ એમ ઈ દ્વારા સ્થાપિત) ના હેડ અને ડિરેક્ટર શ્રી અનિલ પાંડે સામેલ હતા.

ફ્રાન્સ ખાતે ફ્રાન્સ ઇન્ડિયા બિઝનેસ ડે નીમ્મીતે ભારત-ફ્રાન્સ વેપાર સંવાદમાં સક્રિય ભાગીદારી કરી બંને દેશોના વચ્ચે વેપારિક સહકારને પ્રોત્સાહન આપી નવા રોકાણના અવસરો માટે વિવિધ ઉદ્યોગોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી હતી જેમાં ઘણા નવા વેપોરો ની શક્યતા ઉદ્ભવી હતી.

ત્યાર બાદ જીનીવા, સ્વિટ્ઝર્લેન્ડ ખાતે યુનાઇટેડ નેશનના વર્લ્ડ ઇન્ટેલેક્ટ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન (WIPO) દ્વારા આયોજિત ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ ૨૦૨૪ ના લોન્ચ પ્રોગ્રામ માં ભારત નું પ્રતિનિધિત્વ કર્યું હતું જ્યાં દુનિયા ભર ના વિવિધ ઇનોવેશન અને વૈજ્ઞાનિક સિદ્ધિઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું તેમજ ભવિષ્ય ના સોશ્યિલ ઇનોવેશન એન્ટરપ્રિનીરશીપ ઈન્ડેક્સ પર વિવિધ દેશો દ્વારા ચર્ચા થઇ હતી જેમાં સેતુ ફોઉન્ડેશન ના ચેરમેન દ્વારા ભારત દેશ ના સોશ્યિલ ઇનોવેશન એન્ટરપ્રિનીરશીપ ઈન્ડેક્સ પર પ્રેઝન્ટેશન આપ્યું હતું અને કહ્યું હતું કે “આ ભારત માટે ગર્વનો ક્ષણ છે, ગ્લોબલ ઇનોવશન ઇન્ડેક્સમાં ભારતનું સામેલ થવું એ આપણા દેશના ઇનોવેશન અને ટેકનીકી ક્ષમતા વધારવાની શક્તિનું પુરાવો છે.

ત્યાર બાદ યુનિટેડ નેશન ના વર્લ્ડ ઇન્ટેલેક્ટ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન ના એકેડમિક વિભાગ જોડે સ્પેશ્યલ મિટિંગ કરી ભારત ખાતે નાના ઉદ્યોગકારો માટે ના લોકલ ભાષા માં સ્પેશ્યલ કોર્ષ ચાલુ કરવા માટે રજુઆત કરી હતી.

સેતુ ફાઉન્ડેશનની આ પહેલ માત્ર ભારતીય વેપારી સમુદાય માટે જ મહત્વપૂર્ણ નથી, પરંતુ આ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની ઓળખને પણ મજબૂત બનાવશે। ગયા કેટલાક વર્ષોમાં, ભારતે ઇનોવેશનના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે।

સેતુ ફાઉન્ડેશનનો આ પ્રવાસ ભારતના ઇનોવેશન ક્ષેત્રમાં એક માળખાકીય પાયે લક્ષ્ય બનશે અને આ વૈશ્વિક સ્તરે ભારતની ટેકનીકી ક્ષમતાને વધુ મજબૂત બનાવશે. 2024માં, ભારતની ઇનોવેશન ક્ષમતા ને વધુ ઊંચાઈઓ પર લઇ જવાનો લક્ષ્ય છે, અને આ સંકેત છે કે ભારત વૈશ્વિક ઇનોવેશન ના ફિલ્ડ માં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે તૈયાર છે.

October 7, 2024
1min821

નિર્દોષ નાગરિકોને ધમકાવી કરોડો રૂપિયા પડાવવાની તરકીબ

મહારાષ્ટ્ર પોલીસ- રાષ્ટ્રીય સાયબર ક્રાઈમ કો ઓર્ડિનેશન ચેતવણી : કોઈ કોર્ટ વીડિયો કોલથી ધરપકડ કરતાં નથી

क्या होता है Digital Arrest और कैसे गवाँ देते हैं लोग करोड़ों रुपये फ़र्ज़ी  पुलिस के डर से ! ज़रूर पढ़िए और सभी को जागरूक भी करिए - The420.in

સીબીઆઈ, પોલીસ, કસ્ટમ, ઈડી કે કોઈ કોર્ટ લોકોની વીડિયો કોલ દ્વારા ધરપકડ કરતાં નથી. ડિજિટલ ડિટેન્શન એક ફ્રોડ છે. આ ફ્રોડ દ્વારા લોકોને ધમકાવી મોટી રકમ પડાવી લેવાય છે તે સામે સાવચેત રહેવા ચેતવણી આપવામાં આવી છે. દેશમાં વધતા જતા ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓ સંદર્ભમાં સાયબર ક્રાઈમ કો ઓર્ડિનેશન દ્વારા એક પબ્લિક એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે.

મહારાષ્ટ્રના ૧૯૯૭ની બેચના આઇપીએસ અધિકારી અને હાલમાં એન્ટી કરપ્શન બ્યુરો- મહારાષ્ટ્રમાં એડીશનલ ડીજી તરીકે ફરજ બજાવતા વિશ્વાસ નાંગરે-પાટીલે લોકોને ડિજિટલ એરેસ્ટ વિશે જાગરૂક કરતા એક વીડિયોમાં જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી ફ્રોડસ્ટરો વિવિધ સરકારી એજન્સીઓ જેવીકે ઇડી, સીબીઆઇ, નાર્કોટીક્સ કન્ટ્રોલ બ્યુરો, સાયબર પોલીસ કોર્ટના જજ આદીના નામે તેમને વીડિયો કોલ કરે છે. જેમાં પોલીસના યુનિફોર્મમાં એક અધિકારી તમારા નામે ગુનો નોંધાયો છે અને તમારું એરેસ્ટ વારંટ બહાર પડયું છે તેવા વિવિધ કારણો આપી તમને ડરાવી મૂકે છે. ફ્રોડસ્ટરો એવું ગપ્પું ચલાવે છે કે તમારા નામે મોટા પાયે મની લોન્ડરિંગ થયું છે. અથવા તમે મોકલાવેલ પાર્સલમાં ડ્રગ્સ મળી આવ્યું છે. અથવા તમે તમારા મોબાઇલથી ચાઇલ્ડ પોર્નોગ્રાફીક ક્લિપ્સ મોકલી છે તેથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેવું જણાવી અમારા ઉપરી અધિકારીઓ તમને કોલ આવશે તેવું જણાવવામાં આવે છે.

ત્યાર બાદ ફ્રોડસ્ટરો ખરેખર કોઇ અધિકારી હોય તેમ યુનિર્ફોર્મમાં તમને વીડિયો કોલ કરે છે અને તમારી ડિજિટલ એરેસ્ટ કરવામાં આવી છે તેવું તમને જણાવી તમારા સામે ઘણી ફરિયાદ થઇ છે અને ઘણા વોરંટ બહાર પાડવામાં આવ્યા છે તેથી આ બાબતથી બચવું હોય તો અમને કો-ઓપરેટ કરો તેવું કહેવામાં આવે છે. આબાબતે તમારા પરિવારજનોને કાંઇ જણાવતા નહીં તેવી સલાહ આપી તેઓ તમારા જે બેંક એકાઉન્ટ દ્વારા મની લોન્ડરિંગ થયું છે તે એકાઉન્ટ દ્વારા અમૂક રકમ મગાવવામાં આવે છે જે ‘ફંડ લીગલાઇઝેશન પ્રોસેસ’ માટે જરૂરી છે જેથી તમારા એકાઉન્ટમાંથી ખરેખર અંડર વર્લ્ડે તો કોઇ મનીલોન્ડરિંગ કર્યું છે કે નહીં તે સ્પષ્ટ થશે. આવું જણાવી બેન્ક ખાતાની તમામ ગુપ્ત વિગત મેળવી તમારું તમામ ખાતું ખાલી કરી દેવામાં આવે છે.

આ સિવાય અમૂક કેસમાં મ્યુચ્યુઅલ ફંડ, એફ.ડી., શેર આદીની વિગત મેળવી તે પણ અન્ય એકાઉન્ટમાં ટ્રન્સ્ફર કરાવી નાંખે છે તેથી આવા ફોન કોલ, વીડિયો કોલ પર કોઇ ધ્યાન ન આપવાની વિનંતિ કરી હતી.

આ વીડિયોમાં નાંગરે પાટીલે જણાવ્યું છે કે જો આવું કાઇં થાય છે તે તેવા કિસ્સામાં સત્વરે ૧૯૩૦ હેલ્પલાઇન નંબર પર તમારી ફરીયાદ નોંધાવી દયો જેથી ‘ગોલ્ડન અવર’માં તમારા પૈસા જે ખાતામાં ટ્રાન્સ્ફર થયા છે તેને ‘ફ્રીઝ’ કરી દેવાય અને તમારી પરસેવાની કમાણીને બચાવી શકાય, આ ઉપરાંત નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ સહિત નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટીંગ પોર્ટલ પર પર નિયમ ફોર્મેટમાં ફરિયાદ નોંધાવવાનું જણાવી એલર્ટ રહેવાની લોકોને અપીલ કરી છે.

સાયબર ઠગોએ છેલ્લો થોડા સમયમાં ડિજિટલ એરેસ્ટની ધમકીથી લોકો પાસેથી ૪૦૦ કરોડ રૂપિયા પડાવ્યા છે. યુપીમાં ડિજિટલ એરેસ્ટથી ભય પામી એક શિક્ષિકાનું હાર્ટએટેકથી મોત પણ નોંધાયું છે.

કેન્દ્ર સરકારની સાયબર ક્રાઈમ કો ઓર્ડિનેશન કમિટીએ પણ પબ્લિક એડવાઈઝરીમાં સાફ સાફ જમાવ્યું છે કે સીબીઆઈ, પોલીસ, ઈડી, કસ્ટમ કે કોઈ જજ પણ આ રીતે ડિજિટલ એરેસ્ટ કરતા નથી વીડિયો કોલથી કોઈ ધરપકડ થતી નથી. ઠગો સ્કાઈપ કે વ્હોટસ એપ જેવાં માધ્યમોનો દુરુપયોગ કરી વીડિયો કોલથી ધરપકડ થયાનું દર્શાવી ખોટી રીતે પૈસા પડાવી રહ્યા છે તે સામે સાવચેત રહેવા જણાવાયું છે.

મુંબઈ પોલીસે પાંચમી ઓકટોબરના એક જ દિવસમાં સાયબર હેલ્પ લાઇન ૧૯૩૦ પર આવેલી ફ્રોડની ફરિયાદ પર કાર્યવાહી કરતા અધિકારીઓએ ‘ડિજિટલ એરેસ્ટ’ ના નામે નિર્દોષ લોકો પાસેથી પડાવેલી લગભગ એક કરોડથી વધુની રકમ ફ્રોડસ્ટરોના હાથમાં જાય તે પહોલા જ બચાવી લીધી હતી.

October 6, 2024
ICC_Womens_T20_World_Cup.jpg
1min359

મહિલા વર્લ્ડ કપમાં ભારત માટે રવિવારે દુબઈમાં પાકિસ્તાન સામે ‘કરો યા મરો’

હેડ-ટુ-હેડ મુકાબલામાં ભારત 12-3થી આગળ, બન્ને ટીમમાં કોણ-કોણ છે?

મહિલાઓના ટી-20 વર્લ્ડ કપમાં ભારતનો શુક્રવારે ન્યૂ ઝીલૅન્ડ સામે પરાજય થયો એ સાથે સેમિ ફાઇનલમાં પહોંચવાનું ભારતીય ટીમ માટે અત્યારથી મુશ્કેલ તો થઈ જ ગયું, ન્યૂ ઝીલૅન્ડને લાગલગાટ 10 ટી-20માં પરાજય જોયા બાદ 11મી મૅચમાં વિજય માણવા મળી ગયો. હવે રવિવાર, 6ઠ્ઠી ઑક્ટોબરે (બપોરે 3.30 વાગ્યાથી) ભારતનો કટ્ટર હરીફ પાકિસ્તાન સામે મુકાબલો છે. આ મૅચ ભારતે જીતવી જ પડશે અને ત્યાર બાદ 9મી ઑક્ટોબરે એશિયન ચૅમ્પિયન શ્રીલંકાને પણ હરાવવું પડશે, કારણકે ત્યાર બાદ 13મી ઑક્ટોબરે ભારતે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા સામે લોઢાના ચણા ચાવવાના છે એટલે એમાં વિજયની સંભાવના નહીંવત કહેવાય.

પાકિસ્તાન સામેનો રવિવારનો મુકાબલો જીતવો અત્યંત જરૂરી એ માટે છે કે કિવી ટીમ સામેની 58 રનના માર્જિનથી થયેલી હાર બાદ હવે વિમેન ઇન બ્લ્યૂને એક પરાજય પણ પરવડશે નહીં. ભારતનો રન રેટ -2.99 છે એટલે હરમનપ્રીત કૌર ઍન્ડ કંપનીએ સેમિ ફાઇનલની આશા જીવંત રાખવા મોટા માર્જિનથી પાકિસ્તાન, શ્રીલંકા તથા ઑસ્ટ્રેલિયા સામે વિજય મેળવવો પડશે.

ન્યૂ ઝીલૅન્ડ સામે ભારતીય ટીમ બૅટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગ ત્રણેયમાં નબળી પુરવાર થઈ હતી. બીજી બાજુ, ફાતિમા સનાના સુકાનમાં પાકિસ્તાનની ટીમે શ્રીલંકા સામે ગુરુવારે વિજય મેળવ્યો હતો. પાકિસ્તાનની ટીમ બે-અઢી દિવસના આરામ બાદ ભારત સામે રમવા આવી રહી છે, જ્યારે ભારતીય ટીમને શુક્રવારના પરાજય બાદ એક જ દિવસનો આરામ મળ્યો છે.

જોકે પાકિસ્તાન સામેની ટી-20માં ઇતિહાસ ભારતની તરફેણમાં છે એટલે હરમનપ્રીતની ટીમ જીતીને ફરી ટૂર્નામેન્ટના મુખ્ય પ્રવાહમાં આવી શકશે. ભારતે પાકિસ્તાનને 15માંથી 12 ટી-20માં હરાવ્યું છે અને ફક્ત ત્રણમાં જ પરાજય જોયો છે.

પાકિસ્તાનની બોલિંગ લાઇન-અપ મજબૂત છે. એમાં નિદા દર, ફાતિમા સના અને સાદિયા ઇકબાલનો સમાવેશ છે. તેમની સામે શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, હરમનપ્રીત, રિચા ઘોષ, જેમાઇમા રૉડ્રિગ્સ વગેરે બૅટર્સે સારું પર્ફોર્મ કરવું જ પડશે.

બન્ને દેશની ટીમ

ભારત:
હરમનપ્રીત કૌર (કૅપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ-કૅપ્ટન), રિચા ઘોષ (વિકેટકીપર), યસ્તિકા ભાટિયા (વિકેટકીપર), શેફાલી વર્મા, જેમાઇમા રૉડ્રિગ્સ, દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, અરુંધતી રેડ્ડી, રેણુકા સિંહ ઠાકુર, દયાલન હેમલતા, આશા શોભના, રાધા યાદવ, શ્રેયંકા પાટીલ અને સજીવન સજના.

પાકિસ્તાન:
ફાતિમા સના (કૅપ્ટન), ગુલ ફિરોઝા (વિકેટકીપર), આલિયા રિયાઝ, ડાયના બેગ, ઇરમ જાવેદ, મુનીબા અલી, નશરા સંધુ, નિદા દર, ઓમઇમા સોહેલ, સદફ શમાસ, સાદિયા ઇકબાલ, સિદરા અમીન, સઇદા શાહ, તસ્મિઆ રુબાબ, તુબા હસન.

October 5, 2024
educationpolicyjpg.jpg
2min639

Jayesh Brahmbhatt 98253 44944

IITમાં કમ્પ્યુટર સાયન્સ બ્રાન્ચને સૌથી વધુ ચોઇશ, કોર બ્રાન્ચિસ પણ પ્રવેશાર્થીઓની પ્રથમ પસંદગી

પાછલા વર્ષોની જેમ, 23 ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IITs)માં સૌથી વધુ લોકપ્રિય અભ્યાસક્રમો કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને સિવિલ એન્જિનિયરિંગ છે. જોઈન્ટ ઈમ્પ્લીમેન્ટેશન કમિટી (JIC) રિપોર્ટ 2024માં જોઈન્ટ એડમિશન બોર્ડ (JAB) દ્વારા શેર કરાયેલ ડેટા મુજબ ચાલુ વર્ષે 4 લાખથી વધુ વિદ્યાર્થીઓએ કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગને તેમની ઇચ્છિત શાખા તરીકે પહેલી પસંદ કરી હતી.

કઇ બ્રાન્ચને કેટલી ચોઇશ મળી

સિવિલ – 2,22,027
કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જીનીયરીંગ – 4,30,238
મિકેનિકલ એન્જિનિયરિંગ – 3,18,477
ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ – 3,12,631

કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSE) એ IIT ના ઇતિહાસમાં સૌથી લોકપ્રિય શાખાઓમાંની એક રહી છે. તાજેતરના JIC અહેવાલોમાં પણ સમાન પેટર્ન દેખાય છે. ડેટા મુજબ, 2024માં કુલ 4,30,238 વિદ્યાર્થીઓએ કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ માટે અરજી કરી હતી, જે આશરે 12 ટકા (ગત વર્ષે 3,82,296 થી) 2022માં 3,99,642 અને 2021માં 3,86,360નો વધારો છે. જો કે, એ ફક્ત 2020 માં નોંધાયું હતું જ્યારે આ વર્ષે કમ્પ્યુટર સાયન્સની પસંદગી કરનારાઓની સંખ્યા 4 લાખ 30 હજારને સ્પર્શી ગઈ હતી.

અહીં 2019 થી 2024 સુધી કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ (CSE) માટે અરજી કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવતો આલેખ છે. અહીં 2019 થી 2024 સુધી કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ (CSE) માટે અરજી કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવતો ગ્રાફ છે.

Here is the graph representing the number of students applying for Computer Science Engineering (CSE) from 2019 to 2024.

મિકેનિકલ એન્જિનિયરિંગ પણ આ વર્ષની સૌથી લોકપ્રિય શાખાઓમાંની એક છે જેમાં 3,18,477 વિદ્યાર્થીઓએ અરજી કરી છે. 2019 માં, મિકેનિકલ એન્જિનિયરીંગ બ્રાન્ચ માટે ઉમેદવાર પસંદગીની સંખ્યા 2,97,817 હતી, જે પછી 2020 માં તીવ્રપણે વધીને 3,37,115 થઈ ગઈ હતી, પરંતુ 2021 માં લોકપ્રિયતામાં મોટો ફટકો પડ્યો જ્યારે તે ઘટીને 2,52,906 થઈ ગયો. 2022 અને 2023 (2,76,384)માં લોકપ્રિયતા (2,78,629)માં થોડો સુધારો જોવા મળ્યો હતો.

આ વર્ષે બીજી લોકપ્રિય શાખા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે, જેમાં 2024માં 3,12,631 વિદ્યાર્થીઓએ રસ દાખવ્યો હતો. 2024 પહેલાં, તે માત્ર 2020માં જ હતું જ્યારે આ એન્જિનિયરિંગ શાખામાં રસ દર્શાવનારા ઉમેદવારોની સંખ્યા ત્રણ લાખ (3,38,352)ને પાર કરી ગઈ હતી. 2023 માં, કુલ 2,86,966 વિદ્યાર્થીઓએ EE માં રસ દર્શાવ્યો હતો. 2022 માં, કુલ 2,80,724 અને 2021 માં 2,80,724 ઉમેદવારોએ તેમની ઇચ્છિત શાખા તરીકે EE મૂકી હતી. 2019માં પણ આ આંકડો ત્રણ લાખ (2,92,267)ને સ્પર્શવામાં નિષ્ફળ રહ્યો હતો.

અહીં 2019 થી 2024 સુધી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ (EE) માટે અરજી કરનારા વિદ્યાર્થીઓની સંખ્યાને રજૂ કરતો ગ્રાફ છે.

Here is the graph representing the number of students applying for Electrical Engineering (EE) from 2019 to 2024.

રોગચાળા પછી સિવિલ એન્જિનિયરિંગ માટે અરજી કરનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં થોડો વધારો અને ઘટાડો જોવા મળ્યો છે. JIC ના અહેવાલો મુજબ, 2019માં સિવિલ એન્જિનિયરિંગ માટે ઉમેદવારોની પસંદગીની સંખ્યા 2,15,651 હતી, જે પછી 2020માં ઘટીને 241096 થઈ ગઈ અને 2021માં તે ઘટીને 1,82,000 થઈ ગઈ. જો કે, તે પછી 2022માં વધીને 198620 થઈ ગઈ, પરંતુ 2020માં તે વધીને 198620 થઈ ગઈ. 2023 માં ફરીથી (1,95,248 સુધી)

અહીં 2019 થી 2024 સુધી સિવિલ એન્જિનિયરિંગ માટે અરજી કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવતો ગ્રાફ છે.

Here is the graph showing the number of students applying for Civil Engineering from 2019 to 2024.

CSE માં, સૌથી વધુ લોકપ્રિય IIT એ IIT બોમ્બે છે જ્યાં આ વર્ષે કુલ 25,481 પસંદગીની ગણતરી નોંધવામાં આવી હતી. મિકેનિકલ એન્જિનિયરિંગમાં સમાન વલણ જોવા મળ્યું હતું જ્યાં 19,469 વિદ્યાર્થીઓએ IIT બોમ્બેના ME પ્રોગ્રામમાં રસ દર્શાવ્યો હતો.

જો કે, IIT દિલ્હી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માટે વધુ લોકપ્રિય બન્યું કારણ કે 21,855 વિદ્યાર્થીઓએ ભારતની રાજધાનીમાં સ્થિત આ IITમાંથી આ ચાર વર્ષના પ્રોગ્રામને અનુસરવામાં રસ દર્શાવ્યો હતો. સિવિલ એન્જિનિયરિંગ પ્રોગ્રામ માટે દિલ્હી પણ લોકપ્રિય હતું કારણ કે 15,122 વિદ્યાર્થીઓએ આ IITમાં રસ દાખવ્યો હતો.

રસપ્રદ વાત એ છે કે, JIC રિપોર્ટ 2024માં IIT (BHU) વારાણસી, IIT હૈદરાબાદ, IIT કાનપુર અને IIT રૂરકી પછીના ક્રમે IIT પટના આ વર્ષની ‘બધા અભ્યાસક્રમો માટે ઉમેદવારોની પસંદગીની ગણતરી’ની યાદીમાં સૌથી વધુ લોકપ્રિય તરીકે દેખાઈ હતી. જો કે, તે ધ્યાનમાં રાખવું જોઈએ કે આ સંસ્થાની લોકપ્રિયતા નક્કી કરતું નથી, કારણ કે આ વધુ કે ઓછી સંખ્યામાં બેઠકો, કાર્યક્રમો અને અન્ય વિવિધ પરિબળોના સંયોજનને કારણે પણ હોઈ શકે છે.

October 5, 2024
mumbai-airport.png
1min432

મુંબઈ એરપોર્ટ (Mumbai Airport)પર અવર જવર કરતાં હવાઈ મુસાફરો માટે મહત્વના સમાચાર છે. જેમાં 17 ઓક્ટોબર ગુરુવારે મુંબઈ એરપોર્ટ બંધ રહેશે. તેથી આ સમયગાળા દરમિયાન ફ્લાઈટ ઓપરેશન પણ બંધ રહેશે. આ અંગે માહિતી આપતાં મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (MIAL)એ શુક્રવાર તા.4 ઓક્ટોબર 2024ના રોજ જણાવ્યું હતું કે બે ક્રોસ રનવે પર ચોમાસા પછીના મેઇન્ટેનન્સ કાર્ય માટે મુંબઈ એરપોર્ટ પર ફ્લાઇટ ઑપરેશન ગુરુવાર 17 ઑક્ટોબરે 6 કલાક માટે બંધ રહેશે.

MIAL એ જણાવ્યું હતું કે આ સુનિશ્ચિત કામચલાઉ બંધ મુંબઈ એરપોર્ટના વાર્ષિક પોસ્ટ-મોનસૂન જાળવણી કાર્યક્રમનો એક ભાગ છે અને છ મહિના પહેલા આ બાબતે એરમેનને નોટિસ પણ જાહેર કરવામાં આવી છે.

“ક્રોસ રનવે – RWY 09/27 અને RWY 14/32, છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (CSMIA),મુંબઈ ખાતે 17 ઓક્ટોબર, 2024 ના રોજ ચોમાસા પછીના રનવે જાળવણી કાર્યક્રમના ભાગ રૂપે મુંબઇ એરપોર્ટ ફ્લાઇટ ઓપરેશન્સ સવારે 11 થી સાંજના 5 વાગ્યા સુધી અસ્થાયી રૂપે બંધ રહેશે.

મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ બં રહેવા અંગે એરપોર્ટ સેવાઓ સાથે સંકળાયેલા મુખ્ય હિતધારકો સાથે મળીને ફ્લાઈટ્સનું સમયપત્રક પૂર્વ સંકલન કરવામાં આવ્યું છે.