સુરતના એમ્બ્રોઇડરી થ્રેડ (દોરા) અને જરી ઉત્પાદક એસોસીએશનની તાજેતરમાં મળેલી બેઠકમાં કરાયેલા એક મહત્વપૂર્ણ ઠરાવમાં એમ્બ્રોઇડરી કારખાનાઓ-મશીન્સમાં ઉપયોગમાં આવતા દોરા અને જરી વેચાણ બાદ પેમેન્ટ ક્રેડીટ પેટે આપવામાં આવતી 90 દિવસની મુદતમાં ઘટાડો કરીને 60 દિવસ કરવામાં આવ્યા છે. સુરતના હજારો એમ્બ્રોઇડરી કારખાનેદારો માટે આ નિર્ણય કપરો સાબિત થાય તેમ છે. એમ્બ્રોઇડરી થ્રેડ (દોરા) અને જરી ઉત્પાદક એસોસીએશનના ઉક્ત ઠરાવની ઘેરી અસર એમ્બ્રોઇડરી ઉદ્યોગમાં એવી થશે કે તમામ પ્રોસેસની સાઇકલ (સમયની મુદત) બદલાશે. દોરા અને જરી ઉત્પાદકો કેશ લિક્વિડીટીના અભાવનો સામનો કરી રહ્યો હોઇ, પેમેન્ટ ક્રેડિટની મુદતમાં એક મહિનાનો ધટાડો કરી દેવામાં આવ્યો છે. આ જ બેઠકમાં એવું પણ ઠરાવાયું છે કે કોઇપણ જરી-દોરા ઉત્પાદક પાર્ટી પાસેથી સિક્યુરિટી ચેક લીધા વિના વેપાર નહીં કરે.
એમ્બ્રોઇડરી થ્રેડ (દોરા) અને જરી ઉત્પાદક એસોસીએશન શું નિર્ણય લીધા
કોઇપણ ઉત્પાદક સિક્યુરિટી ચેક લીધા વિના માલ સપ્લાય નહીં કરે
ખાસ નોંધનીય બાબત એ છે કે એમ્બ્રોઇડરી ઉધોગ આમે ય છેલ્લા ઘણા મહિનાઓથી મંદ ચાલી રહ્યો છે. કાપડઉદ્યોગમાં નબળી સ્થિતિનાં કારણે શહેરમાં ઘણાં એમ્બ્રોઈડરી કારખાનેદારોએ મશીન્સ વેચી કાઢીને ધંધો જ બદલી નાંખ્યો છે. આવા કિસ્સામાં જરી અને દોરા ઉત્પાદકોએ સપ્લાય કરેલા માલનું પેમેન્ટ નહીં થતાં ઉપરોક્ત નિર્ણય લેવાયા છે.
વિશ્વમાં ડાયમંડ સિટી તરીકે જાણીતા અને હીરા કટિંગ-પોલિશિંગના હબ ગણાતા સુરતમાં દિવાળી વેકેશનથી બંધ થયેલા સેંકડો નાના કારખાનાઓ દિવાળીના એક મહિના પછી પણ હજુ સુધી શરુ થયા નથી. મોટા કારખાનાઓ શરૂ થઇ ચૂક્યા છે પરંતુ, કમસે કમ 50 હજાર લોકોને રોજગારી આપતા નાના હીરાના કારખાનાઓમાં જોબવર્કના અભાવે હજુ સુધી કારખાનેદારોએ કારીગરોને કામ પર બોલાવ્યા ન હોવાની વિગતો જાણવા મળી છે.
ગુજરાતના બે શહેરો અમદાવાદ અને સુરતના હીરા ઉદ્યોગમાં વિરોધાભાસી સ્થિતિ જોવા મળી રહી છે. અમદાવાદમાં કારખાનાઓ ધમધોકાર ચાલે છે જ્યારે સુરતના હીરાના કારખાનાઓમાં મંદીની અસર જોવા મળી રહી છે, દિવાળી અગાઉ કેટલાક કારખાનાઓમાં કામ નહીં હોવાથી વેકેશન પહેલા જ રજાઓ આપી દેવામાં આવી હતી.
દિવાળીના તહેવારો પૂરા થયા ને એક મહિના પછી પણ રજાઓની સ્થિતિ જૈસે થે જેવી છે. નાના કારખાનાઓ હજુ સુધી ખુલ્યા નથી. હવે ક્રિસમસની ખરીદી નહીં નીકળતાં હીરાબજારનું નૂર ઊડી ગયું છે. નાના અને પોલિશ્ડ હીરાનું સૌથી મોટું માર્કેટ સુરત હોઈ મંદી વધતાં દિવાળી વેકેશન પછી પણ 30 ટકાથી વધુ નાના કારખાનાઓ શરૂ થઈ શક્યા નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ દિવાળી પછી હીરા ઉદ્યોગમાં તેજી આવશે. તેવી ધારણા હતી, તે ખોટી પડી છે. મોટા કારખાનામાં હિરાનું કામકાજ મંદ ગતિએ શરૂ થયુ છે. પણ નાના યુનિટને શરૂ થતાં હજુ પખવાડિયું નીકળી જાય તેવી શક્યતા છે. નાના કારખાનેદારો પાસે કામ જ ન હોય તો તેઓ કારીગરોને કારખાને બેસાડીને વગર કામનો પગાર કેમ ચૂકવે એ મુશ્કેલીએ નાના હીરાના કારખાનાઓને કામ મળતાં હજુ 1પ દિવસ લાગશે. દિવાળી અગાઉ જ હિરાબજારમાં મજબૂત ડોલર અને મોંઘા રફ હીરાની વિપરીત અસર જોવા મળી હતી અને નાના યુનિટો માટે કામગીરી મુશ્કેલ બની હતી. આ સ્થિતિમાં અનેક નાના યુનિટો બંધ થયા હતા.
નરેન્દ્ર મોદીના કહેવાતા ડ્રીમ પ્રોજેક્ટ મુંબઇ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જાપાનની જે કંપની 8000 કરોડ રૂપિયાનું ફાઇનાન્સ કરવાની છે એ જીકા કંપનીના પ્રતિનિધિમંડળે આજે કઠોર ખાતે સુરત અને ભરૂચ જિલ્લાના પ્રોજેક્ટ અસરગ્રસ્ત ખેડૂતો સાથે મિટીંગ યોજીને રજૂઆતો સાંભળી હતી. જીકા કંપની અને ખેડૂતોની આ મિટીંગ મેરેથોન રહી હતી અને 4 વાગ્યે શરૂ થયેલી મિટીંગ સાંજે 7 વાગ્યા જ્યારે આ લખાઇ રહ્યું છે ત્યારે પણ યથાવત હતી.
ખેડૂત આગેવાન તરફે દર્શન નાયક, આનંદભાઇ યાજ્ઞિક, જયેશભાઇ દેલાડ, જયેશભાઇ પટેલ પાલ સમેત 600થી વધારે ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. જીકા કંપનીના પ્રતિનિધિ મંડળ સામે ખેડૂતોએ સ્પષ્ટ, મુદ્દાસર, આક્રમક અને નક્કર રજૂઆતો કરી હતી. ખેડૂતોની રજૂઆતોનો સૂર એ રહ્યો હતો કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાકાર કરવાના ઇરાદે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ખેડૂતોના મૂળભૂત હકોને પણ વિસરી જવાની પેરવી કરતા ખેડૂતોએ આક્રમક વલણ અપનાવવું પડ્યું હતું. ખેડૂતોની આક્રમક રજૂઆતોના મુખ્ય મુદ્દા આ મુજબ રહ્યા હતા.
પ્રોજેક્ટ માટે જમીન આપનારા ખેડૂતોને મળતા વળતરના ભાવોમાં અસમાનતા
જમીનના બદલામાં વળતરનો રેટ માર્કેટ રેટ આધારિત હોવો જોઇએ
જેમના મકાનો જઇ રહ્યા છે તેમના રેટની ગણતરીમાં ભારે અન્યાયની ભીંતિ
પ્રોજેક્ટ માટે જમીન વપરાયા બાદ બાકી બચેલી પડતર જમીનનો મુદ્દો
સ્થાનિકોને રોજગારીનો મુદ્દો
મોડીસાંજે અંંધારુ થઇ ગયા બાદ પણ ખેડૂતોની આક્રમક રજૂઆતોનો દૌર ચાલ્યો હતો. ખેડૂતો તરફે રજૂઆત કરી રહેલા સુરત જિલ્લાના સામાજિક, રાજકીય આગેવાન શ્રી દર્શન નાયકએ સી.આઇ.એ. લાઇવને જણાવ્યું હતું કે ખેડૂતોએ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરવામાં રાજ્ય સરકારે જે સરમુખત્યારશાહીભર્યું વલણ અપનાવ્યું તેની પણ આકરી ટીકા કરી હતી. પ્રોજેક્ટને સફળ બનાવવા માટે હવાતિયા મારી રહેલી સરકારે ખેડૂતોના મૂળભૂત હકો છીનવી લેવા ઉપરાંત ખેડૂતોના પરિવારો જેના પર દાયકાઓથી નિર્ભર છે એ જમીન છીનવી લેવાની પેરવી કરતા ખેડૂતોએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સામે બાંયો ચઢાવવી પડી હતી.
દર્શન નાયકે કહ્યું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બદલામાં ખેડૂતોને જે દરથી વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે, એ દરો સાવ બેબુનિયાદ છે. માર્કેટ રેટ અને રાજ્ય સરકારના રેટ વચ્ચે ભારે અસમાનતા રહેલી છે. એથી વિશેષ અરીયાવાઇઝ પણ દરોમાં અસમાનતા હોઇ, ખેડૂતો જમીન આપવાના મૂડમાં નથી.
અલ્પેશ કથિરીયાની મુક્તિ સાથે શરૂ થનારી સંકલ્પ યાત્રાને સુરતથી
ખોડલધામ અને ખોડલધામથી ઉંઝા ઉમિયા ધામ ખાતે લઇ જવાનું આયોજન
ઉપર જોઇ રહ્યા છો એ ઇમેજ મુજબ આગામી તા.9મી ડિસેમ્બર 2018ના રોજ પાસના સુરતના જ નહીં બલ્કે ગુજરાતના ટોચના નેતા ગણાતા અલ્પેશ કથિરીયા ઉર્ફે અલ્પેશ ગબ્બરની સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાંથી મુક્તિ થવા સાથે જ પાસ દ્વારા ત્રણ દિવસની સંકલ્પ યાત્રાનો આરંભ કરવાની જાહેરાત જોરશોરથી કરવામાં આવી છે.
અલ્પેશ કથિરીયાની જેલ મુક્તિને વધાવવા માટે શક્ય એટલા પાટીદારોને લાજપોર મધ્યસ્થ જેલ ખાતે ઉપસ્થિત રહી ત્યાંથી રેલી આકારે વાયા ભેસ્તાન વરાછા સુધી જોડાવા માટે આહવાન કરવામાં આવી રહ્યા છે. સુરતના વરાછા, પૂણા, કતારગામ, અમરોલી, વેડ, ડભોલી વગેરે વિસ્તારોમાં રાત્રી સભાઓ તેમજ ઓટલા બેઠકો કરીને વધુને વધુ પાટીદારો અલ્પેશ કથિરીયાની જેલ મુક્તિ સમયે યોજાનારી યાત્રામાં જોડાય તેવા પ્રયાસો કરવામા આવ્યા છે.
દરમિયાન પાસ દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવેલી જાહેરાત અનુસાર ત્રણ દિવસની સંકલ્પ યાત્રા સુરતથી નીકળીને પહેલા ખોડલધામ જશે, ત્યાં રાત્રી રોકાણ કર્યા બાદ ઉંઝા ઉમિયા માતાના ધામ ખાતે સંકલ્પ યાત્રાને વિરામ આપવામાં આવશે.
અલ્પેશ કથિરીયાની જેલ મુક્તિ સાથે જ ત્રણ દિવસની સંકલ્પ યાત્રા યોજવા અંગે પાસ દ્વારા કરવામાં આવેલી જાહેરાતને પગલે સુરત પોલીસ હરકતમાં આવી ગઇ છે અને પાસની સંકલ્પ યાત્રાના રૂટ તેમજ પાટીદારની બહુલ વસતિ ધરાવતા વરાછા, પૂણાના વિસ્તારોમાં પોલીસની હાજરી અને બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હોવાનું પ્રથમદર્શી નજરે જણાય આવે છે.
બાંધકામના પ્લાન ઓનલાઇન કરવાની પ્રક્રિયા બંધ કરવી પડી છે
એન.એ.ની મેન્યુઅલ પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર અને વચેટીયાઓ હતા, હવે કેવી રીતે કામ થશે
કમ્પ્યુટર ફ્રેન્ડલી ગ્રાહક નહીં હોય તો ઓનલાઇન પ્રક્રિયા ફરી વચેટીયાઓના હાથમાં જવાનો ભય
રાજ્યમાં ખેતીની જમીનને બિનખેતીમાં તબદીલ કરવાની પ્રક્રિયાને ઓનલાઇન કરવાના લેવાયેલા નિર્ણયનો અમલ આગામી તા.10મી ડિસેમ્બર 2018થી શરૂ કરવામાં આવશે. રાજ્યમાં આવેલી આઠ મહાનગરપાલિકાઓની બોર્ડરને અડીને આવેલા વિસ્તારોમાં વિકાસ કાર્યો તેમજ બાંધકામ કરવા માટે મોટા પાયે ખેતીની જમીન બિનખેતીમાં તબદીલ કરવાની આવશ્યકતાઓ રહેલી છે. હાલની એન.એ. સિસ્ટમ બિનપારદર્શક હોવા ઉપરાંત સ્થાનિક સ્તરે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં ભ્રષ્ટાચાર વગર કોઇ જમીન એન.એ. કરી આપવામાં આવતી ન હોવાની ફરીયાદો ઉપસ્થિત થતાં રાજ્ય સરકારે આખરે સમગ્ર ગુજરાતમાં ખેતીની જમીન ને બિન ખેતીમાં તબીદલ કરી આપવાની પ્રક્રિયાને ઓનલાઇન કરવાનો નિર્ણય લેવો પડ્યો હતો.
રાજ્ય સરકારે ખેતીની જમીનને બિનખેતીમાં તબદીલ કરી આપવાની પ્રક્રિયા ઓનલાઇન થઇ શકે તે માટે ઇન્ફર્મેશન ટેક્નોલોજીનું આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવ્યું છે. પોતાની ખેતીની જમીન એન.એ. કરાવવા માંગતા અરજદારો માટે નિમ્નદર્શિત વેબસાઇટની રચના કરવામાં આવી છે.
https://onlinerevenue.gujarat.gov.in/REVENUE/
ઉપરોક્ત વેબસાઇટ પર જઇને એન.એ. કરાવવા માંગતા અરજદારોએ પ્રથમ પોતાની જમીન અંગે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ વેબસાઇટ પર એન.એ.ની ઓનલાઇન પ્રક્રિયા અંગેનું યુઝર મેન્યુઅલ પણ આપવામાં આવ્યું છે. નીચે મુજબની લિંક પરથી ડાઉનલોડ કરી શકાશે.
વર્ગ-૧ અને વર્ગ-ર તથા આશરે ૧૨ જેટલા સંવર્ગોની વર્ગ-૩ની ભરતી પ્રક્રિયા
સીધી ભરતીના કિસ્સામાં પ્રાથમિક કસોટી અને ત્યારબાદ ઇન્ટરવ્યુ હોય
વર્ગ-૧ અને ર ની સ્પર્ધાત્મક પરીક્ષાના કિસ્સામાં પ્રાથમિક કસોટી, મુખ્ય લેખિત પરીક્ષા અને ત્યારબાદ ઇન્ટરવ્યુ
આયોગ દ્વારા યોજાતી પ્રાથમિક કસોટી એ હેતુલક્ષી પ્રકારની હોય છે અને OMR પદ્ધતિથી લેવાતી હોય
મુખ્ય લેખિત પરીક્ષામાં એક કરતાં વધારે પ્રશ્નપત્રો હોય છે અને વર્ણનાત્મક ઢબે લેવાય
જીપીએસસીની પરીક્ષા પદ્ધતિ
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ-૧ અને વર્ગ-ર તથા આશરે ૧૨ જેટલા સંવર્ગોની વર્ગ-૩ની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. સીધી ભરતીના કિસ્સામાં પ્રાથમિક કસોટી અને ત્યારબાદ ઇન્ટરવ્યુ હોય છે જયારે વર્ગ-૧ અને ર ની સ્પર્ધાત્મક પરીક્ષાના કિસ્સામાં પ્રાથમિક કસોટી, મુખ્ય લેખિત પરીક્ષા અને ત્યારબાદ ઇન્ટરવ્યુ યોજાય છે. વર્ગ-૩ ની પરીક્ષામાં પ્રાથમિક કસોટી તથા પરીક્ષા નિયમોની જોગવાઈ પ્રમાણે મુખ્ય લેખિત પરીક્ષા હોય છે. આયોગ દ્વારા યોજાતી પ્રાથમિક કસોટી એ હેતુલક્ષી પ્રકારની હોય છે અને OMR પદ્ધતિથી લેવાતી હોય છે જયારે મુખ્ય લેખિત પરીક્ષામાં એક કરતાં વધારે પ્રશ્નપત્રો હોય છે અને વર્ણનાત્મક ઢબે લેવાય છે.
પ્રાથમિક કસોટી પૂરી થયાના ગણતરીના કલાકોમાં OMR
આયોગ દ્વારા ડીસેમ્બર-૧૬ પછીથી યોજાયેલ તમામ પ્રાથમિક કસોટીઓની OMR પરીક્ષા પુર્ણ થયાના ગણતરીના કલાકોમાં આયોગની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવે છે. જો પરીક્ષા રાજયવ્યાપી હોય તેવા કિસ્સામાં ૨૪ કલાકમાં OMR વેબસાઇટ પર અપલોડ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે તાજેતરમાં સંપન્ન થયેલ વર્ગ-૧ અને ર ની પ્રાથમિક કસોટી ગુજરાતના ૩૨ જિલ્લાઓમાં સવારે ૧૧ થી ૧ તથા બપોરે ૩ થી ૫ દરમ્યાન યોજવામાં આવેલ હતી. આયોગની કચેરીથી ઘણાં દૂર અંતરે આવેલા ડાંગ-આહવા કે ભૂજ ખાતે જો પેટા કેન્દ્રો હોય તે પેટાકેન્દ્રો પરથી જિલ્લાના મુખ્ય કેન્દ્રો પર OMR ઉત્તરવહીઓ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પહોંચાડવામાં આવી અને જિલ્લા કેન્દ્રો ખાતેથી આયોગની કચેરી ખાતે લાંબા કિ.મી. નું અંતર કાપી અને આ OMR ઉત્તરવહીઓ આયોગની કચેરી પર લાવવામાં આવી હતી અને કચેરી ખાતે તાત્કાલિક તેનું સ્કેનિંગ કરીને બીજા દિવસે સવારમાં કેટલાક ઉમેદવારો પરીક્ષાના સખત થાકને લીધે નિંદ્રાધીન હતાં તેવી વેળાએ સવારે ૧૦.૦૦ કલાકે આયોગની વેબસાઇટ પર આ OMR અપલોડ કરવામાં આવેલ છે. આયોગ દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓની પારદર્શિતાનો આ એક બેજોડ નમૂનો છે.
તંત્રને શું તકલીફો ઉપસ્થિત થાય
સામાન્ય રીતે એવું લાગે કે સોફ્ટવેર દ્વારા જ બધી પ્રક્રિયા થતી હોય તો પરિણામ પ્રસિદ્ધ કરવામાં આટલો સમય શા માટે ? પ્રાથમિક કસોટી એ હેતુલક્ષી હોય છે જેમાં ઉમેદવાર પોતાનો રોલનંબર OMR ઉત્તરપત્ર (જવાબવહી) પર આંકડામાં લખે છે અને લખેલ રોલનંબર એનકોડ કરવાનો હોય છે. OMR (Optical Mark Reader) ટેકનોલોજીથી એનકોડ કરેલ Bubble રીડ કરવામાં આવે છે તથા આકડામાં લખેલ નંબર ICR (Intelligent Character Recognition) ટેકનોલોજીથી રીડ કરવામાં આવે છે. ઘણી વાર ઉમેદવાર Bubble એનકોડ કરવામાં ભૂલ કરે છે જેને કારણે આંકડામાં લખેલ નંબર અને એનકોડ કરેલ નંબર એ બંન્નેમાં વિસંગતતા થાય છે. પરીક્ષા પછી ઉમેદવારને માલૂમ પડે કે બેઠક નંબર એનકોડ કરવામાં ભૂલ કરી છે તો આવા ઉમેદવારો આયોગને લેખિત રજુઆત પણ કરતાં હોય છે અને આયોગ આ રજુઆતોને ગ્રાહ્ય પણ રાખતું હોય છે. જો ચોકસાઇ ના રાખવામાં આવે તો કદાચ એવું બને કે ગેરહાજર રહેલ ઉમેદવારની સામે માર્કસ મૂકાય અથવા એક જ નંબરના બે ઉમેદવારો જણાય. આવું ના બને એટલા માટે આયોગ દ્વારા તમામ ઉમેદવારોએ આંકડામાં લખેલ નંબર અને એનકોડ કરેલ નંબરને સરખાવવામાં આવે છે તદ્દઉપરાંત OMR શીટ પર છાપેલ બારકોડ અને એટેન્ડન્ટ શીટ પરના નંબર OMR/ICR ટેકનોલોજીથી રીડ કરવામાં આવે છે. કોઈપણ કલ્પના કરી શકે કે ૪ લાખ કે તેથી વધુ OMR ઉત્તરવહીનું physical verification પ્રક્રિયા કેટલી tedious અને સમય માંગી લેનારી હોય શકે ! સમગ્ર પરીક્ષાના સંચાલનમાં આયોગના અધિકારીઓની મહેનત કાબિલેતારીફ છે, સરાહનીય છે.
પરીક્ષા પુર્ણ થયા બાદ Final Answer Key
આયોગ દ્વારા યોજાતી પરીક્ષા પુર્ણ થયા બાદ Final Answer Key અને એ પછી પરિણામ પ્રસિદ્ધ કરતા પહેલા આયોગની વેબસાઇટ પર Provisional Answer Key મૂકવામાં આવે છે. આ Provisional Answer Key પર ઉમેદવારોના વાંધાઓ મંગાવવામાં આવે છે અને એના માટે ૧૦ કામકાજના દિવસ જેટલો સમય આપવામાં આવે છે. વાંધા મંગાવવાની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ તમામ વાંધાઓ એકાદ અઠવાડિયામાં સંકલિત કરી વિષયવાર નિષ્ણાંતોને મોકલવામાં આવે છે. વિષય નિષ્ણાંત ઉમેદવારોના વાંધાઓ અને તેની સાથે રજૂ કરેલ સ્ત્રોતની ખરાઇ કરી પોતાનો અભિપ્રાય આપતા હોય છે. જરૂર જણાયે કેટલીક વખત આયોગ વધારાના વિષય નિષ્ણાંતનો પણ અભિપ્રાય લે છે. વાંધાઓની સંખ્યાને જોઈને વિષય નિષ્ણાંત માટે ૧૦-૧૫ દિવસ નો સમય જરૂરી છે. એક સાથે ઘણી બધી પરીક્ષાની પ્રક્રિયા આયોગ ખાતે સમાંતર ચાલતી હોય છે. છેલ્લા ૩ વર્ષમાં ૨૦૦ કરતા વધુ પરીક્ષા આયોગે લીધી છે અને આશરે ૧૦,૦૦૦ જેટલા અધિકારીઓને પસંદ કરી સરકારને ભલામણ કરી છે.
જયાં સુધી જા.ક્ર. ૪૦/૧૮-૧૯ ગુજરાત મુલ્કી સેવા તથા ગુજરાત વહીવટી સેવા, વર્ગ-૧ અને ર નો સવાલ છે ત્યાં સુધી જુલાઇ ૨૦૧૮ માં જાહેરાત પ્રસિદ્ધ કરતી વખતે જણાવવામાં આવેલ કે આ જગ્યાની પ્રાથમિક કસોટી તા.૨૧.૧૦.૧૮ ના રોજ લેવામાં આવશે. પરીક્ષાનું પરિણામ સંભવતઃ ડીસેમ્બર-૨૦૧૮ માં પ્રસિદ્ધ કરવામાં આવશે. આ જાહેરાત અન્વયે મુખ્ય લેખિત પરીક્ષા તા. ૧૭, ૨૨ અને ૨૩ ફેબ્રુઆરી-૨૦૧૯ ના રોજ યોજવામાં આવશે. મુખ્ય લેખિત પરીક્ષાનું પરિણામ સંભવતઃ જૂન -૨૦૧૯ માં પ્રસિદ્ધ કરવામાં આવશે અને રૂબરૂ મુલાકાત જુલાઇ-૨૦૧૯ માં ગોઠવામાં આવશે. આ જાહેરાત અન્વયેની પ્રાથમિક કસોટી જાહેરાતમાં જણાવેલ સમયમર્યાદામાં પુર્ણ કરવામાં આવેલ છે. બાકીના તબકકાઓ પણ નિર્ધારિત સમયમર્યદામાં જ પુર્ણ કરવામાં આવશે. રાત્રે ૧૨ વાગ્યે ડિસેમ્બર શરુ થાય છે એમ સમજી કેટલાંક વીરલાઓએ તો તા. ૩૦ નવેમ્બરે રાત્રે ૧૧.૫૯ મિનિટે પરિણામ કયારે આવશે તેની Tweet પર પૃચ્છા કરવા લાગ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે જા.ક્ર. ૯/૧૪-૧૫ ના ઉમેદવારો કે જેઓ અત્યારે નાયબ કલેકટર, નાયબ પોલીસ અધિક્ષક, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, સેકશન અધિકારી કે ડીસ્ટ્રીકટ રજીસ્ટ્રાર તરીકે ફરજો બજાવી રહ્યાં છે તે ઉમેદવારોએ પણ આખરી પરિણામ તા. ૩૧, મે ૨૦૧૭ ના રોજ પ્રસિદ્ધ થવાનું હતું પરંતુ એક લીટીગેશન ના કારણે ૩૧મી મે એ પરિણામ પ્રસિદ્ધ કરી શકાય તેમ ન હતું તે જાણતા હોવા છતાં તો પણ લગભગ રાત્રે ૧૨ થી ૨ ની વચ્ચે સીન્ડીકેટ બનાવી અને ૧૫૦ થી ૨૦૦ Tweet કરેલ.
કયારેક કયારેક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી વર્તમાન પેઢીની મને ઇર્ષા આવે છે કે અમારી પેઢી વીસમી સદીના છેલ્લા દસકાના ઉત્તરાર્ધમાં જયારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી હતી ત્યારે GPSC ની જાહેરાત કયારે આવશે ? પરીક્ષા કયારે લેવાશે ? GPSC ની ઓફિસ કયાં છે ? GPSC ના ચેરમેન કોણ છે ? આવી કોઇ પણ માહિતી ન હતી ક્યાં તો ગતાગમ ન હતી. જયારે એકવીસમી સદીના બીજા દસકામાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયાર કરનાર ઉમેદવારો પાસે પુર્વ નિર્ધારિત પરીક્ષા કાર્યક્રમ તથા અન્ય આનુસાંગિક સુવિધાઓ ઉપલબ્ધ છે. રાત્રે ૧૨ વાગ્યે કે ૨ વાગ્યે જી.પી.એસ.સી.ના ચેરમેન દિનેશ દાસા ને પરિણામ કયારે પ્રસિદ્ધ કરશો એવું Tweet કરી પૂછી શકાય છે. ૨૦ મી સદીમાં હિંસાના જે પ્રકારો હતાં તેમાં ૨૧ મી સદીમાં એક હિંસાનો ઉમેરો થયો છે અને તે છે ડીજીટલ હિંસા. રાત્રે ૧૨ થી ૨ વચ્ચે બીપ…બીપ…કરીને Twitter પર ૧૦૦-૨૦૦ નોટિફિકેશન નોટીફાય કરવા એને હિંસા ગણવી કે નહીં તે બાબતમાં હજુ અવઢવમાં છું. પણ હું તમામ બાબતોને હકારાત્મકતાથી મૂલવું છું.આ પેઢીના યુવાનો તકની રાહ જોય રહ્યા છે તક મળ્યેથી પોતાની જવાબદારી નીભાવવા માટે ઉત્સુક છે. ભવિષ્યમાં સરકારી અધિકારી બન્યા પછી પણ આવી જ તત્પરતા રાખશે અને રાત્રે ૧૨.૦૦ વાગ્યે પણ પ્રજાના પ્રશ્નોનો નિકાલ લાવવા માટે તત્પર રહેશે એવા હકારાત્મક વિશ્વાસ સાથે આનંદની લાગણી અનુભવું છું.
16 ડિસેમ્બર 2018ના રોજ લેવાનારી પરીક્ષાના ઉમેદવારો જોગ
આગામી ૧૬ ડીસેમ્બર, ૨૦૧૮ના રોજ જયારે નાયબ મામલતદાર અને નાયબ સેકશન અધિકારીની પ્રાથમિક કસોટી યોજાઇ રહી છે ત્યારે ઉમેદવારોને ખાસ વિનંતી કે પોતાના બેઠક નંબર એનકોડ કરવામાં ધ્યાન રાખે. જેટલી ઉમેદવારો ઓછી ભૂલો કરશે તેટલી આયોગને ઉત્તરવહીની ચકાસણી/બેઠક નંબરની સરખામણી કરવામાં ઓછી મહેનત કરવી પડશે અને પરિણામ વધુ ઝડપથી પ્રસિદ્ધ કરી શકાય. સૌ ઉમેદવારોને હૃદય પૂર્વકની શુભેચ્છાઓ….
સાભાર ઃ શ્રી દિનેશભાઇ દાસાની ફેસબુક પોસ્ટ…ગુજરાતના યુવાઓના વિશાળ હિતમાં પ્રકાશિત
શહેરની અનેક સંસ્થાઓ દ્વારા આગામી તા.16મી ડિસેમ્બર 2018ના રોજ રવિવારે સવારે 6 વાગ્યાથી ખાસ મહિલાઓ માટે મિની મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને મહિલાઓ જે પારિવારીક જવાબદારીઓ, પારીવારીક અને વ્યાવસાયિક વ્યસ્તતાના કારણે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેધ્યાન રહેતી હોય છે, આવી સ્થિતિમાં મહિલાઓ સ્વસ્થ રહે એવા આશયને ઉજાગર કરવાની નેમ સાથે સુરતમાં વુમન રન WRun નું આયોજન કરવામાં આવ્યું છે.
હાલમાં વુમન રન માટેના રજિસ્ટ્રેશન ચાલી રહ્યા છે. કોઇપણ મહિલા આ વુમન રન WRun માં સરળતાથી ભાગ લઇ શકે છે. વુમન રન WRunમાં ભાગ લેવા માટે https://wrun.in/ વેબસાઇટ પર લોગ ઇન થવું પડશે.
વુમન રન WRun 5 કિલોમીટર અને 10 કિલોમીટર એમ બે ભાગમાં યોજવામાં આવી છે. ડુમસ રોડ પર ડીકેથ્લોન સ્પોર્ટસથી શરૂ થઇને ત્યાં જ વુમન રન WRun પૂર્ણ થાય તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.
વુમન હેલ્થ એન્ડ ફિટનેસના હેતુથી યોજાઇ રહેલી આ વુમન રન WRun મિની મેરેથોનમાં મોટી સંખ્યામાં મહિલાઓ, યુવતિઓ જોડાય તે માટે હાલમાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
સાઇકલિંગમાં ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ધરાવનાર અજિલિયાના અજીતા ઇટાલિયાએ પણ વુમન રન WRunને ઉદ્દેશીને આ અપીલ કરી છે.
એક ઝીકા નામનો વાઇરસ આફ્રીકામાં ધૂમ મચાવી રહ્યો છે અને બીજી તરફ ભારતમાં અમદાવાદથી મુંબઇ વચ્ચે રેલવે ટ્રેકની આસપાસના ગામના ખેડૂતો જીકા નામની કંપની સામે રોષ ઠાલવી રહ્યા છે. જીકા કંપની એટલે જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (જે.આઇ.સી.એ.). આ એ જ કંપની છે જેને અમદાવાદ-મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ માટે રૂ.8 હજાર કરોડની લોન આપવાની છે એવી વાત ચાલી રહી છે. આ કંપની પ્રોજેક્ટની તપાસ માટે આવી રહી છે.
હાલમાં જાપાનીઝ કંપની જીકાનું એક ડેલિગેશન પ્રોજેક્ટ સાઇટની મુલાકાત લઇ રહ્યું છે. જીકા કંપનીનું ડેલિગેશન આવતીકાલ તા.7મી ડિસેમ્બર 2018ના રોજ સુરતની મુલાકાતે આવી રહ્યું છે. સુરત શહેર અને જિલ્લાના વિસ્તારમાંથી જ્યાં જ્યાંથી બુલેટ ટ્રેનનો ટ્રેક પસાર થવાનો છે એ તમામ અસરગ્રસ્ત વિસ્તારો, અસરગ્રસ્ત ગામડાઓની મુલાકાત તો લેશે જ જીકાના ડેલિગેટ્સ પરંતુ, સાથોસાથે જમીન ગુમાવનારા ખેડૂતોને પણ જીકા કંપનીના અધિકારીઓ મળવાના છે.
સત્તાવાર રીતે મળેલી માહિતી મુજબ જીકા કંપનીના અધિકારીઓ આવતીકાલ તા.7મી ડિસેમ્બર 2018ના રોજ બપોરે 3 વાગ્યે કામરેજ નજીક કઠોરના સ્વામી નારાયણ મંદિર ખાતે સુરત અને ભરૂચ જિલ્લાના ખેડૂતો, ખેડૂત આગેવાનો સાથે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવશે. બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે આ બેઠક અત્યંત મહત્વની માનવામાં આવે છે.
ડિજીટલ ન્યુઝ ક્ષેત્રમાં મોબાઇલ યુઝર્સમાં માનીતી બની ગયેલી ગુજરાતી ન્યુઝ પોર્ટલ www.cialive.in ને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પત્રકારો, માર્કેટિંગ મેનેજર્સ તેમજ આસિસ્ટન્ટસની આવશ્યકતા છે. રસ ધરાવતા ઉમેદવારોએ મેઇલ આઇ.ડી. cialive@yahoo.com પર તા.16 ડિસેમ્બર 2018 સુધીમાં પોતાની એપ્લિકેશન મોકલવાની રહેશે. જોબ માટે વ્હોટ્સ એપ પર બિલકુલ સંપર્ક કરવો નહીં.
રસ ધરાવતા ઉમેદવારો ગુજરાતી ટાઇપિંગ તેમજ ફોટોગ્રાફી કરી શક્તા હોવા જરૂરી છે. ઉમેદવાર પાસે પોતાનું ટુ વ્હીલ વાહન હોવું જરૂરી.
સીડનીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સીરિઝની ચોથી મેચમાં વરસાદ વિઘ્ન બન્યો છે. ચોથી ટેસ્ટ મેચમાં છેલ્લા બે દિવસો વરસાદને કારણે ધોવાઈ જતા મેચ ડ્રો રહી છે. પરંતુ વિરાટ કોહલી એન્ડ કંપનીને ઓસ્ટ્રેલિયામાં સીરિઝ જીતીને ઈતિહાસ સર્જી દીધો છે. સોમવારે સીડની ટેસ્ટના પાંચમાં દિવસે વરસાદના કારણે અમ્પાયર્સે સ્ટમ્પ્સનો નિર્ણય આપ્યો હતો. આ સાથે જ ભારતે ચાર ટેસ્ટ મેચોની સીરિઝ પર ૨-૧થી કબ્જો મેળવી લીધો છે.
ચેતેશ્વર પૂજાને મેન ઓફ ધી સીરિઝ અને મેન ઓફ ધી મેચનો ખિતાબ જીત્યો છે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર સીરિઝ જિતનારો વિરાટ કોહલી પહેલો ભારતીય કેપ્ટન બન્યો છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડની ખાતે રમાઇ રહેલી ચોથી અને આખરી ટેસ્ટના આજે તા.5 જાન્યુઆરી 2019ના રોજ ત્રીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ 236 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. વરસાદને કારણે મેચ વહેલી પૂર્ણ કરી દેવી પડી હતી. ભારતના 622 રનના સ્કોર સામે પહેલા દાવમાં ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટ ગુમાવી દેતા તેનું ફોલોઓન નિશ્ચિત મનાય છે. હજુ ઓસ્ટ્રેલિયા 386 રન પાછળ ચાલી રહ્યું છે અને ટેસ્ટ મેચમાં બે દિવસની રમત હજુ બાકી છે.
આજે ભારત તરફે સ્પીનર્સ કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ જોરદાર બોલિંગ કરીને ઓસ્ટ્રેલિયાની બેટિંગ હરોળ તોડી નાંખી હતી. કુલદીપ યાદવએ 3, જાડેજાએ 2 અને શમીએ એક વિકેટ લીધી હતી.
ભારતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 622 રન ફટકારીને દાવ ડિક્લેર કર્યો છે. ભારતે સિડનીમાં ચોથી વાર એક ઇનિંગમાં 500થી વધુ રન બનાવ્યા છે.
ઋષભ પંતે ફટકારી સદી.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની સીરીઝની છેલ્લી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ભારતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પહેલી ઇનિંગમાં સાત વિકેટ પર 622 રન બનાવીને દાવ ડિક્લેર કર્યો. ભારતનો ઓસ્ટ્રેલિયામાં આ બીજો સૌથી મોટો સ્કોર છે. તેનો ઓસ્ટ્રેલિયામાં સૌથી મોટ સ્કોર સાત વિકેટ પર 705 રન છે, જે તેણે જાન્યુઆરી 2004માં સિડનીમાં બનાવ્યો હતો. ભારતે ત્રીજી વખત ઓસ્ટ્રેલિયામાં 600થી વધુનો સ્કોર કર્યો છે. જાન્યુઆરી 1986માં સિડનીમાં જ ચાર વિકેટ પર 600 રન બનાવીને ઇનિંગ ડિક્લેર કરી હતી. જ્યારે ઋષભ પંતે પણ પોતાની બીજી ટેસ્ટ સેન્ચુરી પૂરી કરી. ઓસ્ટ્રેલિયામાં આ તેની પહેલી ટેસ્ટ સેન્ચુરી છે.
ઉલ્લેખનીય છે કે ભારતે સિડનીમાં ચોથી વાર એક ઇનિંગમાં 500થી વધુ રન બનાવ્યા છે. તેણે છેલ્લે જાન્યુઆરી 2008માં 500થી વધુ રન બનાવ્યા હતા. ત્યારે ભારતનો સ્કોર 532 રનનો હતો. આ પહેલા ભારતે જાન્યુઆરી 1986માં 4 વિકેટ પર 600 રન બનાવીને ઇનિંગ ડિક્લેર કરી હતી. જ્યારે જાન્યુઆરી 2008માં 7 વિકેટ પર 705 રન બનાવીને ઇનિંગ ડિક્લેર કરી હતી.
ભારત તરફથી ચેતેશ્વર પૂજારાએ 17મી સદી ફટકારી હતી જ્યારે વિરાટ કોહલીએ, મયંક અગ્રવાલ અને રોહિત શર્માએ હાફ સેન્ચુરી ફટકારી હતી
ભારતીય બેટ્સમેનોએ દેખાડ્યો દમ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના બીજા દિવસે ભારતીય ટીમે પકડ મજબૂત કરી છે. દિવસના ત્રીજા સેશન સુધીમાં ભારતે 7 વિકેટના નુક્સાને 443 રન બનાવીને ઈનિંગ ડિક્લેર કરી છે. ભારતીય બેટ્સમેનોએ મેલબોર્ન ટેસ્ટમાં દમ દેખાડ્યો છે. ભારત તરફથી ચેતેશ્વર પૂજારાએ 17મી સદી ફટકારી હતી જ્યારે વિરાટ કોહલીએ, મયંક અગ્રવાલ અને રોહિત શર્માએ હાફ સેન્ચુરી ફટકારી હતી જેની મદદથી ભારત 443 રનના સ્કોરે પહોચી શક્યુ હતું.
ઓસ્ટ્રેલિયા માટે પેટ કમિન્સ સૌથી સફળ બોલર રહ્યો હતો, તેણે 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય મિશેલ સ્ટાર્કે 2 અને હેઝલવુડ અને નાથન લાયને 1-1 વિકેટ ઝડપી હતી. પ્રથમ દિવસની ઈનિંગને આગળ વધારતા બીજા દિવસે ચેતેશ્વર પૂજારાએ સેન્ચુરી અને વિરાટ કોહલીએ હાફ સેન્ચુરી પૂરી કરી હતી જો કે માંસપેશીઓમાં ખેચના કારણે થર્ડ મેન પર કેચ આઉટ થયો હતો. ત્યારબાદ રોહિત શર્માએ ઈનિંગ સંભાળતા નોટઆઉટ હાફ સેન્ચુરી ફટકારી હતી.
આ પણ વાંચો:
ભારતે ત્રીજા સેશનના અંત પહેલા ઈનિંગ ડિકલેર કરી હતી ત્યારબાદ ઓસ્ટ્રેલિયા 6 ઓવર રમી હતી જેમા વિકેટ વિના 8 રન બનાવ્યા છે. .
એડિલેડ ઓવલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 31 રનથી હરાવીને ટેસ્ટ મેચ જીતી લીધી છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી છે. આ ટેસ્ટ જીતવાની સાથે ભારતે છેલ્લા 10 વર્ષમાં પહેલીવાર ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ મેચ જીતી છે. છેલ્લે 2008માં ટીમ ઈન્ડિયાએ પર્થ ટેસ્ટ જીતી હતી. તો એડિલેડ ઓવલમાં ભારતને 15 વર્ષ બાદ જીત મળી છે.
ચેતેશ્વર પુજરાએ પહેલા દાવમાં ૧૨૩ રન અને બીજા દાવમાં ૭૧ રનોની ધુંઆધાર બેટિંગ કરીને મેન ઓફ ધી મેચનો ખિતાબ મેળવ્યો છે. પુજારાએ ભારત માટે સંકટમોચન બનીને ભારતીય ટીમના ઐતિહાસિક વિજયમાં પોતાનું નોંધપાત્ર યોગદાન આપ્યુ હતું. ઓસ્ટ્રેલિયાના બીજા દાવમાં બુમરાહ, શમી અને અશ્વિને 3-3 વિકેટ ખેરવી હતી. આ ટીમ ઈન્ડિયાનો 11મો વિજય છે જ્યારે એડિલેડ મેદાનમાં 15 વર્ષ બાદ વિજય મેળવ્યો છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટેસ્ટના ત્રીજા દિવસના અંતે ભારતે 166 રનની બઢત મેળવી છે. ત્રીજા દિવસના અંત સુધીમાં ભારતે 151 રન 3 વિકેટના નુકશાને બનાવ્યા છે. ત્રીજા દિવસની શરૂઆત સાથે ઓસ્ટ્રેલિયન ટીમ 235 રન બનાવતા ભારતને 15 રનની લીડ મળી હતી. ટ્રેવિસ હેડે ઓસ્ટ્રેલિયા તરફથી 72 રનની સંઘર્ષપૂર્ણ ગેમ રમી હતી.
પ્રથમ ઈનિંગમાં ધબડકા પછી બીજી ઈનિંગમાં ભારતીય ઓપનરોએ મજબુત શરૂઆત આપી હતી જો કે આ પાર્ટનરશીપ વધુ ટકી ન હતી અને ભારતે 63 રને પ્રથમ વિકેટ ગુમાવી હતી. ત્યાર બાદ લોકેશ રાહુલ (44) અને વિરાટ કોહલી (34) રન બનાવીને આઉટ થયા હતાં. ઓસ્ટ્રેલિયા તરફથી બીજી ઈનિંગમાં હેઝલવુડ, સ્ટાર્ક, અને લીનને 1-1 વિકેટ મળી હતી.
ત્રીજા દિવસે મેચની શરૂઆત 191 રનથી શરૂઆત થઈ હતી અને ઓસ્ટ્રેલિયન ટીમ પહેલી ઈનિંગમાં કુલ 235 રન બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડે સૌથી વધુ 72 રન ફટકાર્યા હતા. ભારત તરફથી બુમરાહ અને અશ્વિને 3-3 અને ઈશાંત અને શામીને 2-2 વિકેટ મળી હતી.
Second Day, 7 December 2018
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડમાં રમાઇ રહેલી પહેલી ટેસ્ટમાં ભારતીય ટીમે બીજા દિવસે ઓસ્ટ્રેલિયાની વિકેટો ખેરવીને જબરદસ્ત કમ બેક કર્યું છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ભારતે 250 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 191 રન બનાવીને 7 વિકેટ ગુમાવી દેતા મેચ રસપ્રદ તબક્કામાં આવી ચૂકી છે.
ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડે સૌથી વધુ રન અણનમ 60 રન બનાવ્યા છે. ભારત તરફથી અશ્વિને સૌથી વધુ 3 વિકેટ અને ઇશાંત અને બુમરાહે 2-2 વિકેટ ઝડપી હતી. ભારતીય બોલરોની અસરકારક બોલિંગના કારણે ઓસ્ટ્રેલિયા બીજા દિવસના અંતે 191 રનનો સામાન્ય સ્કોર બનાવી શક્યું છે. ભારત તરફથી સૌથી અનુભવી સ્પિન બોલર અશ્વિને 3 વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયન ટીમે પણ 100 રનની અંદર 4 વિકેટ ગુમાવી હતી ત્યારબાદ પીટર હેન્ડકોમ અને હેડે બાજી સંભાળી હતી જો કે હેન્ડકોમ પણ 34 રને બુમરાહનો શિકાર બન્યો હતો.
First Day, 6 December 2018
આજથી, તા.6 ડિસેમ્બર 2018થી ઓસ્ટ્રેલિયાના એડીલેડ મેદાન પર ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલ પહેલી ટેસ્ટ મેચના પહેલા દિવસની રમતના અંતે ભારતીય ટીમે 9 વિકેટ ગુમાવીને 250 રન બનાવ્યા છે. સૌરાષ્ટ્ર-ગુજરાતના ચેતેશ્વર પૂજારાને બાદ કરતા ટોપ ઓર્ડર ઓસ્ટ્રેલિયાની બોલિંગ સામે એક પછી એક વિકેટ ગુમાવતા ગયા હતા. એક સમયે ભારતના 100 રનમાં જ 5 વિકેટ પડી ગઇ હતી. ચેતેશ્વર પૂજારાની સદીના સથવારે ભારતનો સ્કોર પ્રથમ દિવસના અંતે 9 વિકેટના નુકશાન પર 250 સુઘી પહોંચ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી હેડ સિવાય બધા જ બોલરોએ 2-2 વિકેટ ઝડપી હતી.
ભારતે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમે 41 રનમાં જ ચાર વિકેટ ગુમાવી હતી ત્યારબાદ રોહીત શર્મા અને પુજારાએ બાજી સંભાળી હતી જો કે રોહીત પણ શોટ મારવા જતા માત્ર 37 રન બનાવીને આઉટ થયો હતો. પૂજારાએ ભારતીય ઇનિંગને સંભાળતા આગળ વધારી હતી અને 231 બોલમાં કરીયરની 16મી ટેસ્ટ સદી ફટકારી હતી અને 123 રને રનઆઉટ થયો હતો. પૂજારાની ઈનિંગને કારણે ભારત 250ના સામાન્ય સ્કોર પર પહોંચી શક્યું હતું.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.