Alert Archives - Page 437 of 512 - CIA Live

November 24, 2018
gst.jpg
1min7190

દેશભરમાં જીએસટી લાગુ થયાના સવા વર્ષ બાદ ગુજરાત શિક્ષણ વિભાગે તેને અભ્યાસક્રમમાં પણ સ્થાન આપવાનો નિર્ણય છે.

ગુજરાતના શિક્ષણ વિભાગે જીએસટી વિષયને ઉચ્ચતર માધ્યમિક વાણિજ્ય વિભાગના અભ્યાસક્રમમાં દાખલ કરવાની જાહેરાત કરી છે. જીએસટીને અભ્યાસક્રમમાં દાખલ કરવા માટે કુલ 9 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને નાણાં વિભાગના અધિકારીઓનો પણ અભિપ્રાય લેવામાં આવ્યો હતો. આમ હવે વર્ષ 2019થી ધોરણ 11 અને 12 કોમર્સના વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમાં જીએસટી અંગે પણ ભણાવવામાં આવશે.

જીએસટીના જટીલ અભ્યાસક્રમનો થિયરી તરીકે ધોરણ 11 અને 12 કોમર્સના અર્થશાસ્ત્ર વિષયમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

જ્યારે પ્રેક્ટિકલ તરીકે એકાઉન્ટ વિષયમાં પણ ભણવું પડશે. જીએસટી વિષયને લઇ એક વર્ષથી શિક્ષણ વિભાગ અને પાઠ્યપુસ્તક મંડળ મહેનત કરી રહ્યું હતું. તેમજ નાણાં વિભાગમાં જીએસટીનો હવાલો સંભાળતાં અધિકારીઓનું પણ માર્ગદર્શન લેવામાં આવ્યું છે. માત્ર એટલું જ નહીં, આગામી સમયમાં કોલેજોના અભ્યાસક્રમમાં પણ જીએસટીને અલગ વિષય તરીકે લાવવાની વિચારણા ચાલી રહી છે.

November 23, 2018
bni_lympic.jpg
4min11920

06-12-2018

તા.1લી ડિસેમ્બર 2018થી શરૂ થયેલા BNI સુરત ઓલમ્પિક્સના પ્રથમ 5 દિવસના અંતે જાહેર થયેલી વિનર ટેલીમાં BNI સુરતના કુલ 16 ચેપ્ટર્સ પૈકી BNI અલકેમિસ્ટએ સૌથી ટોચનું સ્થાન હાંસલ કર્યુ છે. BNI સુરત ઓલમ્પિક્સનો પ્રારંભિક દૌર ચાલી રહ્યો છે અને હજુ તા.23મી ડિસેમ્બર 2018 સુધી BNI સુરત ઓલમ્પિક્સ ગેમ્સ ચાલશે. જોવાનું એ રહે છે કે 23મી ડિસેમ્બર 2018ના રોજ ફાઇનલ ટેલિમાં BNI સુરતના 16 ચેપ્ટર્સ પૈકી કયા ચેપ્ટર્સના પ્લેયર્સ ચેમ્પિયન ઓફ ચેમ્પિયનનું સ્ટેટસ હાંસલ કરે છે.

BNI સુરત ઓલમ્પિક્સમાં તા. 5મી ડિસેમ્બર 2018ની સ્થિતિએ પહેલા સ્થાને અલકેમિસ્ટ બાદ બીજા સ્થાન પર બીએનઆઇ બેંચમાર્ક્સના ખેલાડીઓએ મેદાન માર્યું છે. જ્યારે ત્રીજું સ્થાન બે ચેપ્ટર્સ, ઇલાઇટ અને હોલમાર્કના ખેલાડીઓ 3400 પોઇન્ટસ સાથે શેર કરી રહ્યા છે.

BNI સુરત ઓલમ્પિક્સની વિનર ટેલી 5મી ડિસેમ્બર 2018 સુધી

 

03 December 2018

BNI સુરતના 16 જેટલા ચેપ્ટર્સના મેમ્બર્સ તેમજ તેમના પરિવારજનો માટે BNI સુરત દ્વારા આયોજિત ઓલમ્પિક્સનો શનિવાર તા.1લી ડિસેમ્બર 2018થી શાનદાર રીતે શુભારંભ થયો હતો. શનિ, રવિના વીકએન્ડ દરમિયાન જેટલી પણ ગેમ્સ જ્યાં પણ રમાઇ હતી ત્યાં બિઝનેસમેન અને તેમના પરિવારજનોએ ખેલદિલની ભાવના ઉજાગર કરી હતી. ગેમ્સમાં ભલે પ્રતિસ્પર્ધી હોય પણ બાળ ખેલાડીઓથી લઇને મોટેરા ખેલાડીઓએ પણ હરીફો પ્રત્યે આદરભાવ સાથે કેરીંગ અને અભિવાદન શેરીંગ કરીને બિઝનેસમેન કેટલા સ્પોર્ટસમેન હોય છે તેની પ્રતીતિ કરાવી હતી. BNI સુરત દ્વારા આયોજિત ઓલમ્પિક્સ 23મી ડિસેમ્બર 2018 સુધી ચાલશે.

BNI સુરતના 16 જુદા જુદા ચેપ્ટર્સના ખેલાડીઓ તેમજ તેમના પરિવારજનો જુદી જુદી સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લઇ રહ્યા છે અને BNI સુરતને જે અપેક્ષા હતી તેના કરતા અનેક ગણા વધુ પાર્ટીસિપેટ્સ ગેમ્સને મળી રહ્યા છે. એટલું જ નહીં પણ BNI સુરતના વિવિધ ચેપ્ટર્સના મેમ્બર્સ કે જેમણે ભાગ લીધો ન હોય અગર તો તેમની પોતાની સ્પોર્ટસ ઇવેન્ટ ન હોય આમ છતાં તેઓ શ્રોતા બનીને BNI સુરતના મેમ્બર્સનો જુસ્સો વધારી રહ્યા છે આ પણ એક સ્પોર્ટસમેન સ્પિરીટ નથી તો શું કહેવાય.

અહીં BNI સુરત આયોજિત બાળ સ્વીમર્સ માટેની સ્વીમીંગ કોમ્પિટીશનમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓની કેટલીક તસ્વીર અહીં શેર કરી રહ્યા છીએ.

બાળકો માટેની સ્વીમીગ કોમ્પિટીશનમાં મોટી સંખ્યામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તસ્વીરમાં એક વયજૂથના સ્વીમર્સ વિજેતા નિવડ્યા હતા. જેમને મેડલ આપીને બહુમાનિત કરવામાં આવ્યા હતા.

ગર્લ્સ માટેની સ્વીમીગ કોમ્પિટીશનમાં વિજેતા સ્વીમર ગર્લ્સને મેડલ આપીને બહુમાનિત કરવામાં આવ્યા હતા.

બોયઝ માટેની સ્વીમીગ કોમ્પિટીશનમાં વિજેતા સ્વીમર બોયઝને મેડલ આપીને બહુમાનિત કરવામાં આવ્યા હતા.

બી.એન.આઇ. સુરત આયોજિત ઓલમ્પિક્સનું સુપેરે સંચાલન કરી રહેલા શ્રી અનુપ ઝાઝુ તેમજ અન્ય બીએનઆઇ મેમ્બર્સ દ્રશ્યમાન છે.

વિજેતા સ્વીમર ગર્લને સન્માનિત કરી રહેલા મહાનુભાવ દ્રશ્યમાન છે.

 

  • 23 November 2018

સુરતમાં જબરદસ્ત નેટવર્ક સાથે હરણફાળ ભરી રહેલા BNI Surat સુરત દ્વારા આગામી તા.1થી 23 ડિસેમ્બર 2018 દરમિયાન બિઝનેસ અને સ્પોર્ટસનો અનોખો સંયોગ થાય એવું BNI ઓલમ્પિકનું આયોજન સુરતમાં કરવામાં આવ્યું છે. BNI Surat આયોજિત BNI ઓલમ્પિક ગેમ્સમાં BNI ના સુરતના 16-16 ચેપ્ટર્સના 1100 ઉપરાંત મેમ્બર્સ જુદી જુદી ગેમ્સ પર હાથ અજમાવશે. BNI ઓલમ્પિકની ગેમ્સમાં ટીમ ઇવેન્ટ્સ ઉપરાંત વ્યક્તિગત મેમ્બર્સ માટે સ્પર્ધાઓ, મેમ્બર્સના સ્પાઉસ તેમજ બાળકો માટેની સ્પર્ધાઓ યોજવામાં આવશે. BNI ઓલમ્પિકમાં ભોગ લેવા માટે 16 ચેપ્ટર્સ પૈકી કોઇપણમાં મેમ્બર હોય તેમણે પોતાનું અગર તો પોતાના સ્પાઉસ, બાળકો માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.
સૌથી મહત્વની વાત એ છે કે BNI સંસ્થા બિઝનેસ અને બિઝનેસ મેનને કેન્દ્રમાં રાખીને કાર્યાન્વિત છે. આમ છતાં પણ બિઝનેસ સાથે શિયાળાની આ ઋુતુમાં BNI મેમ્બર્સ ફિઝિકલ ફિટનેસ કેળવે તેમજ તેમનામાં ખેલદિલીની ભાવના પણ ઉજાગર થાય તેવા પ્રયાસ રૂપે બિઝનેસ અને સ્પોર્ટસનો શુભગ સમન્વય કરવામાં આવ્યો છે.
BNI સુરત આયોજિત ઓલમ્પિક અંગેની ઝીણવટભરી માહિતી નિમ્નદર્શિત છે
 For the 1st time, BNI-Surat is coming up with BNI Surat Olympics; where Business meets Sports.
• All 16 chapters of BNI Surat and 1100+ members will participate in varied sports, on a selection basis.
Where each chapter team will compete as well as compliments the sportsman spirit.
→ What’s the idea behind BNI Olympics ?
• Sports is must in everyone’s life! It’s a known fact that sports make one fitter & sharper physically as well as mentally.
• It shall improve bonding among members & families.
• Inter-Chapter meets shall also get charged up.
• As well as family members will be able to understand the Eco-system of BNI.
→ Event Details
• Date: 1st December to 23rd December
• Final Day Event Venue: Players Cafe, Citylight, Surat.
→ Who can Participate?
• Member
• Spouse of Member
• Kids of Member
BNI Olympics includes
• SPORTS AS A TEAM:
– Box Cricket
– Box Football
– Volleyball
• SPORTS AS AN INDIVIDUAL:
– Chess
– Carrom
• SPORTS FOR SPOUSE & KIDS:
– Table Tennis
– Running
– Swimming
– Chess
• INDIVIDUAL AS WELL AS TEAM SPORTS:
– Table Tennis
– Badminton
– Swimming
– Running
– Cycling
BNI Olympics will serve as multiple benefit provider, keeping the game fun intact & adding on the quotient of bonding.
Don’t forget to make yourself count for registration process.
Let’s make the event as crispy and precise as our feature presentations.
November 22, 2018
hardik.jpg
1min22340

મહારાષ્ટ્રમાં ચાલુ સપ્તાહે મહારાષ્ટ્ર ઓબીસી પંચ દ્વારા મરાઠાઓને રિઝર્વેશન આપવાની કરેલી જાહેરાત બાદ ગુજરાતમાં પાટીદાર આંદોલનના સમીકરણો અને દિશા બદલાય છે. પાટીદાર અનામત માટે લડી રહેલા હાર્દિક એન્ડ કંપની એટલે કે હાર્દિક અને પાસના 25 જેટલા સાથીદાર કન્વીનરોએ આજે તા.22મી નવેમ્બર 2018ના રોજ બપોરે ગાંધીનગર ખાતેના ગુજરાતના ઓબીસી પંચની કચેરી જઇને પાટીદારોને ઓબીસીમાં સમાવવા માટેની રજૂઆતો કરી હતી.

હાર્દિક પટેલ અને તેમના સાથીદારોએ ગુજરાતમાં અધર બેકવર્ડ ક્લાસ પંચ સમક્ષ રજૂઆતો કરાય એ પહેલા મિડીયાને જણાવ્યું હતું કે પાસ દ્વારા જુદા જુદા રાજ્યોમાં કેવી રીતે જુદી જુદી જાતિઓને ઓબીસીમાં સમાવવામાં આવી તે પ્રક્રિયાનો નિર્દેશ કરતી 17 પાનાની લેખિત રજૂઆતો કરી હતી. ઓબીસી પંચના અધિકારીઓ સમક્ષ હાર્દિક પટેલ એન્ડ કંપનીએ એવી રજૂઆતો કરી હતી કે મહારાષ્ટ્રમાં જેમ ઓબીસી પંચે સરવે કર્યો હતો તેવી જ રીતે ગુજરાતમાં પણ પાટીદારોને અનામત મળે તે માટે સરવે કરવા માટે સૂચન કર્યું હતું.

હાર્દિક પટેલ એન્ડ કંપની એવી રજૂઆતો કરી રહી છે કે જે રીતે મહારાષ્ટ્રમાં ઓબીસી પંચ દ્વારા પહેલા સરવે કરવામાં આવ્યો અને સરવેના તારણોના આધારે મહારાષ્ટ્ર સરકારને ભલામણો કરવામાં આવી હતી. એ ભલામણોને મહારાષ્ટ્ર સરકારે સ્વીકારી લીધી છે. મહારાષ્ટ્રમાં આ પ્રકારે મરાઠાઓને તાજેતરમાં જ રિઝર્વેશન આપવામાં આવ્યું છે, એ જ તર્જ પર ગુજરાતમાં પાટીદારોને અનામત આપવામાં આવે એવી રજૂઆત સાથે હાર્દિક અને તેના 25 જેટલા સાથીઓ તા.22મી નવેમ્બર 2018ની બપોરે અઢી વાગ્યાના અરસામાં ગાંધીનગર ઓબીસી કમિશનની કચેરી પર પહોંચ્યા બાદ સીધા જ ઓબીસી કમિશનની કચેરીમાં અધિકારીઓને રજૂઆતો કરવા ગયા હતા.

 

November 22, 2018
CIA_Live_Logo_New2.jpg
1min52070

કેન્દ્રના નાણાંમંત્રી અરુણ જેટલીએ આજરોજ તા.22મી નવેમ્બર 2018ના રોજ બપોરે એક કલાકે યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની મંજૂરી આપતા જણાવ્યું હતું કે ગુજરાત નજીક આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસ-દાદરાનગર હવેલી ખાતે મેડીકલ એજ્યુકેશનની સુવિધા સાથે જાહેર આરોગ્યની લગતી સેવાઓ લોકોને મળી શકે તે માટે નવી મેડીકલ કોલેજ શરૂ કરવાની દરખાસ્ત પર મંજૂરીની મહોર મારવામાં આવી છે.

અરુણ જેટલીએ જણાવ્યું હતું કે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલી અને સેલવાસ ખાતે શરૂ થનારી આ નવી મેડીકલ કોલેજને પહેલા વર્ષે એમ.બી.બી.એસ.ની કુલ 150 સીટ્સ પર પ્રવેશ ફાળવવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર સેલવાસ ખાતે નવી મેડીકલ કોલેજ શરૂ કરવા માટેની માળખાગત સુવિધાઓ બિલકુલ તૈયાર છે. અને કેન્દ્રીય મંત્રી મંડળની મંજૂરીની રાહ જોવાતી હતી. આજરોજ કેન્દ્રીય કેબિનેટે સેલવાસ મેડીકલ કોલેજની ફાઇલ મંજૂર કરતા હવે દક્ષિણ ગુજરાતમાં વધુ એક મેડીકલ કોલેજ આગામી શૈક્ષણિક વર્ષ 2019-20ના વર્ષ માટે શરૂ થશે.

કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ પત્રકાર પરીષદમાં કરેલી જાહેરાત. જુઓ વિડીયોમાં.

LIVE: Arun Jaitley

LIVE: Arun Jaitley

Posted by ABP Live on Wednesday, 21 November 2018

 

VNSGU Affiliation letter

November 22, 2018
somalia.jpg
1min7070
મંગળવારે અમેરિકાએ કરેલા બે હવાઇ હુમલામાં સોમાલિયાના 37 આતંકવાદીઓ માર્યા ગયા છે. યુ.એસ આર્મીએ દાવો કરતા જણાવ્યું કે પ્રથમ હવાઇ હુમલામાં 27 આતંકવાદીઓના મોત થયા હતા અને બીજા હુમલા દરમિયાન અન્ય 10 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતાં.
અમેરિકા મુજબ આ હુમલાઓ સોમાલિયામાં આતંકી સંગઠનોની તાકાત તોડવા માટે કરવામાં આવ્યા હતા, અમેરિકા મુજબ સોમાલિયાનું અલ-કાયદા સાથે જોડાયેલું અલ-શબાબ આતંકી સંગઠન ભવિષ્યમાં આતંકી હુમલાઓ કરી શકે એમ હતું, જેથી તેના પર અંકુશ મેળવવા માટે હવાઇ હુમલાઓ કરવામાં આવ્યા હતા. અમેરિકા મુજબ આ હવાઇ હુમલાઓ સોમાલિયાની સરકારને વિશ્વાસમાં લઇને કરવામાં આવ્યા હતા.
અમેરિકાએ એ પણ દાવો કર્યો હતો કે, બે હવાઈ હુમલા દરમિયાન કોઈ પણ નાગરિકનું મોત નીપજ્યું નથી. અમેરિકાએ નિવેદનમાં જણાવ્યું હતું કે, તે સોમાલિયા અને AMISOM દળોને ટેકો આપવા તથા તેમને રક્ષણ આપવા આતંકવાદીઓને સોમાલિયામાંથી ખદેડવા માટે તે પ્રતિબદ્ધ છે.
અમેરિકાના રિપોર્ટ મુજબ અલ-શબાબ આતંકી સંગઠન હુમલાઓનું કાવતરું ઘડવા અને તેને પાર પાડવા, માનવતાવાદી સહાયને નુકસાન પહોંચાડવા, સોમાલિયામાં સ્થાનિક આતંકવાદીઓની પ્રવૃત્તિઓ માટે  જરૂરી ભંડોળ પૂરું પાડવા અને આતંકવાદીઓને આશ્રય આપવા માટે દક્ષિણ અને મધ્ય સોમાલિયાના ભાગોનો ઉપયોગ કરી રહ્યું છે. આ પહેલા 16 ઑક્ટોબરે સેન્ટ્રલ સોમાલિયામાં આજ પ્રકારના હવાઇ હુમાલાઓમાં  60 આતંકી માર્યા ગયા હતા.
અમેરિકા દ્વારા નવેમ્બર 2017માં પણ હવાઇ હુમલાઓ કરવામાં આવ્યા હતા, જેને અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો માનવામાં આવે છે. આ હુમલા દરમિયાન 100 આતંકવાદીઓ માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ભૂતકાળમાં પણ યુ.એસ. દળો પર હવાઈ હુમલા દરમિયાન નાગરિકોની હત્યા કરવાના આરોપ લગાવામાં આવ્યા હતા.
November 22, 2018
gopal_italia.jpg
1min14930

પાટીદાર અનામત આંદોલનના એક્ટિવિસ્ટ અને ફાયર બ્રાન્ડ યુવા નેતા ગોપાલ ઇટાલિયાનો એક એવો વિડીયો છેલ્લા 24 કલાક દરમિયાન વાઇરલ થયો છ જેમાં ગોપાલ ઇટાલિયા દેશી બોંબની વાત કરી રહ્યા છે. પીવીસી પાઇપ અને કેટલાક ટુલ્સની મદદથી તૈયાર થયેલા આ દેશી બોંબથી ચારેક ધડાકા કરીને ભાજપને પડકાર આપતો આ વિડીયો સમગ્ર ગુજરાતમાં ભારે વાઇરલ થયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સોશ્યલ મિડીયા પર, વ્હોટ્સ એપ અને ફેસબુક ગ્રુપ્સમાં તા.21મી નવેમ્બર 2018ની રાતથી આ વિડીયો ભારે વાઇરલ થયો છે.

ફેસબુક પર લવજી લેપટોપના આઇ.ડી. પરથી પોસ્ટ થયેલો આ વિડીયો હાલમાં લોકલ સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પર હોટકેક બન્યો છે અને ચોરેને ચૌટે જોવાય રહ્યો છે.

 

#ભાજપ_ના_ભક્તો ને ભગાવાનું સાધન બહાર પડ્યું ????????

Posted by લવજી લેપટોપ on Wednesday, 21 November 2018

જાણકારો કહે છે કે ગોપાલ ઇટાલિયા જે ઔજારનો દેશી બોંબ તરીકે ઉલ્લેખ કરી રહ્યા છે એનો ઉપયોગ ગુજરાતના ખેડૂતો પોતાના ખેતરોમાં ભેલાણ કરતા ડુક્કર કે અન્ય પ્રાણીઓને ભગાડવા માટે કરતા હોય છે. સાવ જ સામાન્ય ઉપયોગની વસ્તુઓમાંથી મોટો ધડાકો થાય તેવી આ સ્થાનિક બનાવટના દેશી પિસ્તોલ હોવા છતાં શહેરી વિસ્તારોમાં રહેતા લોકો માટે આ વિડીયો અને તેમાં દર્શાવવામાં આવતો દેશી બોંબ કુતુહલ સર્જી રહ્યો હોઇ, સોશ્યલ મિડીયા નેટવર્ક પર આ વિડીયોએ ખાસ્સી ચર્ચા જગાડી છે.

November 22, 2018
rajkot-municipal-corporatio.jpg
1min6600
  • ખેડૂતોને રૂ.13 પ્રતિ હજાર લિટરના ભાવે ટ્રીટેડ વેસ્ટ વોટર વેંચવાનો મનપા દ્વારા પ્રારંભ
  • આણંદપરના ખેડૂતોને 50 લાખ લીટરથી વધુ શુદ્ધ કરાયેલા પાણીનો જથ્થો અપાયો
  • મહાનગરપાલિકાને પ્રતિ હેક્ટરદીઠ રૂ.6,211ની આવક

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન રાજકોટ શહેરમાં ફેલાયેલા અન્ડર ગ્રાઉન્ડ ડ્રેનેજ નેટવર્કમાંથી વહેતા ગંદા પાણીને ટ્રીટમેન્ટ થકી ફરીથી ઉપયોગમાં લેવાય તેવું કર્યા પછી એ પાણીનો રીયુઝ સિંચાઈ માટે શરૂ કર્યો છે. રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના ગવરીદડ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતેથી આણંદપરના ખેડૂતોને 50 લાખ લીટરથી વધુ પાણીનો જથ્થો આપવામાં આવ્યો છે. ખેડૂતોને સિંચાઈ માટે પ્રતિ એક હજાર લીટરદીઠ રૂા.13ના ભાવથી પાણી આપવામાં આવી રહ્યું છે. જેથી મહાનગરપાલિકાને પ્રતિ હેક્ટરદીઠ રૂ.6,211ની આવક થશે.

રાજકોટ મનપા દ્વારા રૈયાધાર પ્લાન્ટ ખાતેથી હાલમાં ફોરેસ્ટ વિભાગને વૃક્ષારોપણ માટે દરરોજ અંદાજે 15 હજાર લીટર પાણી આપવામાં આવે છે. માધાપર પ્લાન્ટ ખાતેથી ઈશ્વરીયા મહાદેવ પિયત સહકારી મંડળી લિમિટેડ માધાપરને દરરોજ અંદાજે 17-64 હેક્ટર વિસ્તારમાં પાણી આપવામાં આવી રહ્યું છે. રોણકીની જય દ્વારકાધીશ મંડળી તેમજ આણંદપર (બાઘી) ગામના ખેડૂતો પાસેથી પણ ટ્રીટેડ વેસ્ટ વોટરની માગણીની દરખાસ્તો મળી રહી છે.

મ્યુ.કમિશનરે આ અંગે કહ્યું હતુ કે, ટ્રીટેડ વેસ્ટ વોટરના વપરાશથી ખેતીવાડીમાં નર્મદાના પાણીનો વપરાશ ઘટશે. તેનાથી ખેડૂતો અને તંત્ર બન્નેને ફાયદો થશે. નર્મદાનું પાણી લોકોને પીવા માટે મળતું રહેશે અને ખેતીમાં સિંચાઈ માટે ટ્રીટેડ વેસ્ટ વોટરનો ઉપયોગ કરવામાં આવશે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર યુનિવસિર્ટી, ફોરેસ્ટ વિભાગ, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તથા ગાર્ડન શાખા પણ તમામ બગીચાઓમાં પાણી પાવા માટે ટ્રીટેડ વેસ્ટ વોટરનો ઉપયોગ કરશે તેમજ શહેરમાં જુદી જુદી જગ્યાએ ચાલતાં બાંધકામો માટે કોન્ટ્રાક્ટર્સ અને બિલ્ડર્સને પણ ટ્રીટેડ વેસ્ટ વોટર વેચવા માટેના પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવશે.

November 22, 2018
maharashtra_map.jpg
1min14180

વર્ષ 2013થી અત્યાર સુધીમાં મહારાટ્રમાંથી 2264 છોકરી અને મહિલા ગુમ થઈ હોવાનું મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે લેખિત પ્રશ્ર્નના ઉત્તરમાં જણાવ્યું હતું. 2013થી 2017 વચ્ચે કુલ 26,708 મહિલા ગુમ થઈ હતી, જેમાંથી 24,444 મળી ગઈ હતી. 2,264ની શોધ ચાલી રહી હોવાનું ગૃહ ખાતું પણ સંભાળતા ફડણવીસે જણાવ્યું હતું. આ ગુમ થયેલી મહિલાઓમાં 298 સગીરા પણ હોવાનું તેમણે જણાવ્યું હતું.

ફડણવીસે જણાવ્યું હતું કે મહિલાઓની ગુમ થવાની સંખ્યા વધી ગયેલી દેખાઈ રહી છે, કારણ કે સુપ્રીમ કોર્ટે સગીરના અપહરણના કેસ નોંધવાનું ફરજિયાત બનાવ્યું છે. 2013થી 18 વર્ષની વય નીચેની 5056 મહિલા ગુમ થઈ હોવાનું બહાર આવ્યું હતું જેમાંથી 4758 મહિલા મળી આવી હતી. 18 વર્ષ ઉપરની 21,652 મહિલા ગુમ થઈ હતી, જેમાંથી 19,686 મહિલા શોધી લેવામાં આવી હતી. દસ દેહવ્યાપારના કેસ નોંધવામાં આવ્યા છે જેમાં 53 પીડિતાને બચાવવામાં આવી હતી. આ સાથે કુલ 8518 કેસ બાળકોની સતામણીના નોંધવામાં આવ્યા હતા, જેમાં 8908 પીડિત બાળકને રક્ષણ આપવામાં આવ્યું હતું. મહિલાના ગુમ થયાના કેસમાં દેશભરમાં મહારાષ્ટ્ર બારમા સ્થાને છે.

November 21, 2018
ICAI.jpg
1min27820

सुरत के जाने माने चार्टर्ड अकाउन्टन्ट जय छैरा आगामी समय में होने वाले इन्स्टिट्यूट ओफ चार्टर्ड अकाउन्टन्टस आफ इन्डिया कि सेन्ट्रल काउन्सिल मेम्बर्स के हो रहे इलेकशनमां सुरत से एकमात्र प्रत्याशी है. 2013 से लगातार दो टर्म से वे ICAI के सेन्ट्रल काउन्सिल का इलेक्शन जीत ते आए है और उन्हो ने सेन्ट्रल काउन्सिल में बतौर मेम्बर रहेते हुए ऐसे कई कार्य किए जिसके चलते सी.ए. व्यवसाय को नया आयाम मिला और मिलेगा.

सुरत के सी.ए. जय छैरा के सोश्यल हेन्डल से मिले ईस पोस्टर का अभ्यास करते पता चलता है कि उन्हो ने अपने व्यावसायिक करीयर के साथ ICAI में बतौर मेम्बर कौन से कार्य किए जो कि सी.ए. व्यावसायिको के फायदे में रहे.

ICAI के वेस्टर्न रिजन से कुल 18 प्रत्याशी ICAI की सेन्ट्रल काउन्सिल में मेम्बर बन ने के लिए चुनाव लड रहे है. जिन में गुजरात से अमहदाबाद से दो और सुरत से जय छैरा के साथ कुल 3 प्रत्याशी है, जब की बाकी 15 प्रत्याशी या तो मुंबई अगर तो पूने से चुनाव लड रहे हे.

November 21, 2018
surat_athwa.jpg
1min739420

(Symbolic photo of Surat)

ગુજરાતની જ નહીં બલ્કે દેશની આર્થિક નગરી ગણાતું સુરત શહેર ગુજરાતના અમદાવાદ કે રાજકોટના મુકાબલે હાલના દિવસોમાં અભૂતપૂર્વ મંદીના દૌરમાંથી પસાર થઇ રહ્યું છે. દિવાળી પછી સુરતમાં ધંધા-રોજગાર હજુ સુધી શરૂ થઇ શક્યા નથી. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગની સેંકડો દુકાનો શરૂ તો થઇ છે પણ લાભપાંચમ પછી કેટલીય દુકાનોમાં બોણી પણ થઇ નથી. વિવર્સ પાસે કામ નથી. મિલોમાં પણ પ્રોડકશન નહીંવત છે. સુરતના બાંધકામ ઉદ્યોગની તો આમેય દશા બેઠી છે. હીરા ઉદ્યોગમાં મોટા કારખાનાઓ પાસે ઠીકઠીક કામ છે, જ્યારે નાના કારખાના તો ડિસેમ્બરમાં શરૂ થાય તેમ છે.

ધંધો મળવાની આશા નથી એટલે નવું દેવું કોઇ કરતું નથી, કેપિટલમાંથી ખર્ચા કાઢતા વેપારીઓ

સૂત્રો જણાવે છે કે સુરતમાં દિવાળી પછી આ પ્રકારનો અભૂતપૂર્વ માહોલ 14 વર્ષ બાદ સર્જાયો છે. બજારમાં લિક્વિડીટી (કેશ ફ્લો)નો પ્રોબ્લેમ એટલી હદે વધી ગયો છે કે શહેરની જુની અને મોટી વેપારી પેઢીઓ નાણાં ભીડને કારણે તેમની કેપિટલ તોડવા માંડ્યા છે. કેપીટલ તોડીને કેટલાક ખર્ચને પહોંચી વળવાનું આયોજન કરી રહ્યા છે. બજારમાંથી કે બેંક પાસેથી નાણાં લઇને દેવું કરવાની જગ્યાએ મોટી પેઢીઓ કેપીટલ તોડી રહ્યા છે એ બાબત સૂચવે છે કે નજીકના ભવિષ્યમાં પણ તેમના ધંધા રોજગાર ધમધમે તેવા કોઇ અણસાર દેખાતા નથી.

સૌરાષ્ટ્રવાસીઓ વતનથી પરત ફર્યા નથી

દિવાળીના પાંચ દિવસ પૂર્વેથી સુરતના લગભગ મોટા ભાગના કામ ધંધા બંધ થયા હતા, જે આજે 21 મી નવેમ્બર સુધી પણ પૂર્વવત થયા નથી. સુરતની સરખામણીમાં અમદાવાદ અને રાજકોટ જેવા શહેરોમાં દિવાળી વેકેશન બાદ ધંધા રોજગારની સ્થિતિ પૂર્વવત જોવા મળી રહી છે. સુરતમાં હજુ સુધી કેમ ધંધા રોજગાર શરૂ થયા નથી તે અંગે અનેક તર્કવિતર્ક કરવામાં આવી રહ્યા છે. સુરતની ઇકોનોમીમાં સૌથી મોટું યોગદાન સ્વભાવિક છે કે સૌરાષ્ટ્રવાસીઓનું રહ્યું છે, સૌરાષ્ટ્રવાસીઓ દિવાળી નિમિત્તે વતન ગયા છે અને હજુ સુધી પરત ફર્યા નથી, આવી સ્થિતિમાં ધંધા રોજગાર સ્વાભાવિક છે કે ઠપ થઇ ગયા છે.

ટેક્સટાઇલ ટ્રેડર્સનો આખો દિવસમાં બોણી પણ થતી નથી

બીજી તરફ સુરતમાં બે મોટા ઉદ્યોગો પૈકી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં ઉત્પાદનથી લઇને વેચાણ સુધીની ચેઇન સાવ જ નિષ્ક્રીય પડી રહી છે. સાવ સામાન્ય કામ જોવા મળી રહ્યું છે. રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટના સેંકડો દુકાનદારો એવા છે કે જેમને હાલના દિવસોમાં મોડી સાંજ સુધી બોણી પણ થતી નથી. માલ વેચાણની વાત તો દૂર રહી પણ પ્રોડકશન કરતા વિવર્સ કે પ્રોસેસર્સ પાસે પણ હાલમાં કામ નથી.

હજીરા રિલાયન્સમાં યાર્નનો ભરાવો, સ્ટોરેજ માટે જગ્યા નથી

આશ્ચર્યની વાત એ છે કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં મંદીનો માહોલ છે એની પ્રતીતિ હજીરા સ્થિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કમ્પાઉન્ડમાં રોડ પર, જાહેરમાં ખડકાયેલા યાર્નના બોક્સ પરથી થઇને રહે છે, રિલાયન્સ હજીરા યુનિટમાં યાર્નનો ભરાવો થયો છે અને તેમની પાસે યાર્નના બોક્સ સ્ટોર કરવાના ગોડાઉનમાં માલનો ભરાવો એટલો થયો છે કે તેમણે ઓપન ગ્રાઉન્ડ પર યાર્ન સ્ટોર કરવું પડ્યું છે. સુરતના ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં રિલાયન્સ યાર્નનો મોટો હિસ્સો છે, એનું યાર્ન નથી વેચાતું એના પરથી પ્રતીતિ થાય છેકે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ કેટલી મંદીમાંથી પસાર થઇ રહી છે.

રિયલ એસ્ટેટમાં અભૂતપૂર્વ નાણાં ભીડ

શહેરના બાંધકામ ઉદ્યોગ પર આમેય જીએસટી અને રેરાનો માર તો પહેલેથી જ હતો પણ દિવાળીના તહેવારોમાં જે ગેપ પડ્યો તેને કારણે મંદ ગતિએ ચાલતો રિયલ એસ્ટેટ બિઝનેસ હાલમાં મંદીની ગર્તામાં ધકેલાય ગયો છે. ઓન ગોઇંગ પ્રોજેક્ટસ કરી રહેલા બિલ્ડરો પ્રોજેક્ટ પૂરા કરે તો બુકિંગ કરાવનારાઓ પાસેથી પેમેન્ટ મળે તેમ છે, બીજી તરફ પ્રોજેક્ટ પૂરો કરવા માટે નાણાં નથી. નાણાં ભીડને કારણે હાલમાં બાંધકામ ઉદ્યોગ જબરદસ્ત મંદીમાં સપડાયેલો જોવા મળી રહ્યો છે. બિલ્ડર્સ આગેવાનો જણાવે છે કે અગાઉ દિવાળી બાદ જ્યારે કામ શરૂ કરવામાં આવે ત્યારે ટર્ન ઓવર પર થોડી અસર થતી પણ સાવ મંદીની સ્થિતિ ક્યારેય જોવા મળી ન હતી.

સુરતની ઇકોનોમી સ્લો ડાઉનની અસર સામાન્ય પરિવારો પર પણ પડી રહી છે. સામાન્ય પરિવારો પણ તેમના રોજબરોજના ખર્ચા પર અસાધારણ કાપ મૂકી રહ્યા છે.