CIA ALERT

Alert Archives - Page 423 of 519 - CIA Live

January 17, 2019
dancebar1-1.jpg
1min15760
(પ્રતિકાત્મક તસ્વીર ડાન્સ બાર)

દરેક વ્યક્તિને પોતાની રીતે આજીવિકા કમાવવાનો અધિકાર છે, જેથી ડાંસ બાર પર રોક ન લગાવી શકાય, પણ કેટલીક મર્યાદાઓ રાખીને સુપ્રીમ કોર્ટે ડાંસ બારને મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને પગલે મુંબઇના બાર સંચાલકો ખુશીથી ઉછળી ઉઠ્યા હતા.

સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગે મળેલી માહિતી મુજબ કેટલીક ચોક્કસ શરતોને આધિન રહીને મુંબઇ મહારાષ્ટ્રમાં ડાંસ બાર પુનઃ શરૂ કરવાની મંજૂરી આપી છે. કોર્ટે સાફ કહ્યું કે ડાંસરને અલગથી ટિપ નહીં આપી શકાય અને ન તો તેમના પર પૈસા ઉછાળી શકાશે. આ પહેલા 30 ઑગસ્ટ 2018ના દિવસે કોર્ટે તમામ પક્ષોની દલીલો સાંભળીને પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

સર્વોચ્ચ ન્યાયાલયે એવું પણ કહ્યું કે સ્કૂલ અને ધાર્મિક સ્થાનથી ઉચિત અંતર રાખવામાં આવી. જો કે કોર્ટે બાર ડાંસિંગ એરિયા અલગ રાખવાની શરત ફગાવી દીધી. મહત્વનું છે કે મહારાષ્ટ્ર સરકારે 2016ના કાયદા પ્રમાણે ડાંસ બારમાં સીસીટીવી પણ ફરજિયાત રાખવામાં આવ્યા હતા. જેને પણ કોર્ટે રદ કરી દીધું છે.

(પ્રતિકાત્મક તસ્વીર ડાન્સ બાર)

કઇ કઇ શરતો પર ડાન્સ બાર શરૂ કરી શકાશે

  • – ડાંસ એરિયા અને ગ્રાહકો વચ્ચે કોઇ અવરોધ નહીં હોય, કાચ, દિવાલ કે અન્ય કોઇ.
  • – સીસીટીવી લગાવવાની શરત સુપ્રીમ કોર્ટે હટાવી દીધી
  • – ડાંસ બારમાં શરાબ પીરસી શકાશે.
  • – સાંજે 6 વાગ્યાથી 11.30 વાગ્યા સુધી ડાન્સબાર ખુલ્લા રાખી શકાશે
  • – બાર ડાંસરને કોઇપણ પ્રકારે ટિપ આપી શકાશે, પૈસા ઉડાવી શકાશે નહીં.
  • – ડાંસ બારમાં લાઇવ ઑર્કેસ્ટ્રા વગાડી શકાશે.
January 17, 2019
calogo.jpg
1min1736

 

શહેરમાં અભ્યાસ કરી રહેલા ધો.12 કોમર્સના એવા વિદ્યાર્થીઓ કે જેઓ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બનવા માંગે છે, તેમના માટે ધો.12 કોમર્સની બોર્ડની પરીક્ષાઓ બાદ એક મહિના માટે સી.એ. પ્રિપેરેટરી કોર્સ બિલકુલ ફ્રી (મફત)માં ચલાવવાની ઘોષણા લિયો ક્લાસીસ ઉધના તરફથી કરવામાં આવી છે.

(Symbolic Photo)

વધુ જાણકારી આપતા લિયો ક્લાસીસના સંચાલક શ્રી જયસુખભાઇ કથિરીયાએ સી.આઇ.એ. લાઇવ ન્યુઝ પોર્ટલને જણાવ્યું હતું કે ચાર્ટર્ડ અકાઉન્ટન્સી સર્ટિફિકેશન માટે ઘણાં વિદ્યાર્થીઓ ધો.10થી જ તૈયારી કરતા હોય છે. આવા વિદ્યાર્થીઓને સી.એ. કોર્સમાં ફાઉન્ડેશનથી લઇને ફાઇનલ્સ દરમિયાનની ઝાંખી મળે તેમજ સી.એ. કોર્સને જાણી શકે તે માટે ખાસ એક મહિનાનો કોર્સ ડિઝાઇન કરવામાં આવ્યો છે. ધો.12 કોમર્સના કોઇપણ બોર્ડના ગુજરાતી, ઇંગ્લિશ મિડીયમ બન્ને માધ્યમના વિદ્યાર્થીઓ માટે એપ્રિલ મે સમર વેકેશન દરમિયાન ખાસ કોર્સ બિલકુલ ફ્રીમાં ભણાવવામાં આવશે. એ પછી વિદ્યાર્થી પોતે જ નક્કી કરશે કે તેઓ સી.એ. કોર્સ સફળતાપૂર્વક પાર કરી શક્શે કે નહીં.

આ કોર્સ ક્યાં ચાલશે 

કોર્સ સુરતમાં ત્રણ સ્થળોએ શરૂ કરવામાં આવશે. જેમાં (1) ઉધના ગામમાં આવેલા લિયો ક્લાસીસ (2) વરાછા રોડ પર આવેલા ઇગલ ક્લાસીસ તેમજ (3) સિટીલાઇટ ખાતે અશોક પાનની ગલીમાં જે.કે. ક્લાસીસ ખાતે સમર વેકેશનમાં શરૂ કરવામાં આવશે.

કેવી રીતે પ્રવેશ મળશે

સી.એ. અભ્યાસક્રમ કરવા માંગતા વિદ્યાર્થીઓને એક મહિનાના ફ્રી કોર્સમાં પ્રવેશ લેવા માટે એક રજિસ્ટ્રેશન ફોર્મ ભરવું પડશે. આ ફોર્મ ઉપરોક્ત ત્રણેય જગ્યાએથી મળીને ત્યાં જ ભરીને આપવાનું રહેશે.

લિયો ક્લાસીસ તેમજ મુંબઇના સુપ્રસિદ્ધ જે.કે. કોચિંગના સંચાલકોએ સંયુક્ત રીતે આ કોર્સ સુરતના વિદ્યાર્થીઓને બિલકુલ ફ્રીમાં ભણાવવા માટે કટિબદ્ધતા દાખવી છે.

January 17, 2019
suratairport1.jpg
1min20270

સુરત એરપોર્ટ આજકાલ ચર્ચાના ચગડોળે છે અને તેમાં મોટા ભાગે હકારાત્મક ન્યુઝ કારણભૂત હતા, પરંતુ, આગામી તા.30મી જાન્યુઆર 2109ના રોજ સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળવાનો છે તેવી સ્થિતિમાં એક નકારાત્મક ન્યુઝ એ આવ્યા છે કે સુરત એરપોર્ટ પર આજે તા.17મી જાન્યુઆરીના રોજ જોઇન્ટ જનરલ મેનેજર જેવી પોસ્ટ પર ખાસ નિયુક્ત કરાયેલા એક અધિકારી રાધા રમણ ગુપ્તાને એન્ટીકરપ્શન બ્યુરોની ટીમે લાંચના છટકામાં આબાદ ઝડપી પાડ્યો હોવાની વિગતો સપાટી પર આવી છે. કોન્ટ્રાક્ટર પાસેથી રૂ.30 હજારની લાંચ લેવાના પ્રકરણમાં તેઓ આબાદ ઝલાયા છે અને તેમણે સુરત એરપોર્ટના ચાંદ રૂપી સ્વરૂપમાં કાળી ટીલી પણ લગાડી દીધી છે.

એસીબીની ટ્રેપ થયા બાદ એરપોર્ટ ઓથોરિટી તરફથી કેટલાક અધિકારીઓ સમગ્ર ઘટના અંગે ઢાંકપીછોડો કરવાની કોશીસ કરી હતી અને આ સમગ્ર પ્રકરણ અંગેની કોઇ વિગતો મિડીયાને આપવાનો ઇન્કાર કરી દીધો હતો. મળતી માહિતી મુજબ જોઇન્ટ જનરલ મેનેજરની સુરતમાં એક ખાસ પોસ્ટ ઉભી કરવામાં આવી હતી. એરપોર્ટ વિસ્તરણનું મહત્વનું કામ આ પોસ્ટ પર નિમાયેલા ગુપ્તા નામના એક અધિકારીને સોંપવામાં આવ્યું હતું. હાલ એરપોર્ટ પર વિસ્તરણ ચાલી રહ્યું છે ત્યારે અનેક કોન્ટ્રાક્ટરો કામ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુપ્તા નામના આ અધિકારીએ કોન્ટ્રાક્ટર પાસે રૂ.30 હજારની લાંચ માંગી હતી. કોન્ટ્રાક્ટરે આ અધિકારને પાઠ ભણાવવા માટે એન્ટી કરપ્શનન બ્યુરોને ફરીયાદ કરીને આજે તેમને આબાદ છટકામાં પકડાવી દીધા હતા.

આ સાથે જ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ બનતા પહેલા આ અધિકારી મહાશયે કાળી ટીલી લગાડી દીધી છે.

 

January 17, 2019
rajendra_bothra.jpg
1min8200

ભારત સરકારે પદ્મશ્રી જેવો ખિતાબ કેવા વાહિયાત તબીબને અર્પણ કર્યો છે તેનો પર્દાફાશ અમેરિકાએ કર્યો છે. અમેરિકાએ ભારતમાં પદ્મશ્રી ખિતાબ હાંસલ કરી ચૂકેલા સિનિયર મોસ્ટ વિશ્વ વિખ્યાત તબીબ ડો.રાજેન્દ્ર બોથરાને છેલ્લા એક મહિનાથી જેલમાં એટલા માટે પૂરી રાખ્યા હતા કેમકે તેમણે ગરીબોને બિજરૂરી દવાઓ અને ઇન્જેક્શન આપ્યે રાખ્યા હતા જેથી પોતાની કમાણી થઇ શકે, આ તબીબે અમેરિકામાં ડ્રગ્સને ઉત્તેજન મળે તેવી પ્રવૃતિઓ મેડિકલ પ્રેક્ટિસની આડમાં કરી રાખી હતી. પણ ડો.  બોથરાએ પોતાના જેવા 5 ડોક્ટરોનું આખું નેટવર્ક એવી રીતે ચલાવ્યું કે તેઓ ટૂંકાગાળામાં અબજો રૂપિયા કમાઇ ચૂક્યા હતા. અમેરિકાની તપાસ એજન્સીએ તેમના સમગ્ર રેકેટનો પર્દાફાશ કરી દેતા ભારતની તબીબી આલમ માટે ભારે કલંકિત પ્રકરણે સમગ્ર વિશ્વમાં ભારે ચર્ચા જગાડી છે.

ભારતમાં પદ્મશ્રી જેવો સર્વોચ્ચ ખિતાબ હાંસલ કરનાર ખ્યાતનામ તબીબ ડો.રાજેન્દ્ર બોથરાએ અમેરિકામાં જઇને ભારતનું નામ બોળ્યું છે. અમેરિકાના સૌથી મોટા હેલ્થકેર કૌભાંડના મુખ્ય સૂત્રધાર તરીકે ભારતના આ પદ્મશ્રી ખિતાબધારી તબીબ ડો.રાજેન્દ્ર બોથરાની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને જામીન પર છુટવા માટે રૂ.50 કરોડની જંગી રકમના બોન્ડ લખી આપવા પડ્યા છે. ડો.રાજેન્દ્ર બોથરાને કારણે સમગ્ર ભારતની તબીબી આલમ પર બદનામીના છાંટા ઉડ્યા છે. રૂપિયા કમાવવા માટે તબીબ જેવા ઉચ્ચ દરજ્જાના લોકો કૌભાંડી બની જાય છે એવી છાપ અમેરિકા ફેલાય જવા પામી છે.

અમેરિકામાં 46.4 કરોડ ડૉલર (રૂ.3,294.4 કરોડ)ના સૌથી મોટા હૅલ્થકૅર કૌભાંડમાં સંડોવાયેલા હોવાનું મનાતા ભારતીય મૂળના 77 વર્ષીય અમેરિકી ડૉક્ટર અને ભારતમાં પદ્મશ્રી મેળવનાર રાજેન્દ્ર બોથરાને 70 લાખ ડૉલર (અંદાજે રૂ.50 કરોડ)ના બૉન્ડ પર મુક્ત કરાયા હતા.

રાજેન્દ્ર બોથરા ઉપરાંત અન્ય પાંચ તબીબ પણ આ કૌભાંડમાં સંડોવાયેલા છે. અમેરિકાની સરકારે એવી શંકા વ્યક્ત કરી હતી કે આ ડૉક્ટરે નાણાં છુપાવ્યા છે અને તેઓ સ્વદેશ (ભારત) નાસી જઇ શકે છે. આમ છતાં, અમેરિકાના ડિસ્ટ્રિક્ટ જજ સ્ટીફન મરફીએ તેમના બૉન્ડ મંજૂર કર્યા હતા. રાજેન્દ્ર બોથરા બ્લૂમફિલ્ડ હિલ્સના છે.

આવા આરોપો હતા ભારતના પદ્મશ્રી ડોક્ટર રાજેન્દ્ર બોથરા ઉપર

  1. बोथरा एक महीने से जेल में थे। उनके अलावा 5 अन्य डॉक्टर भी आरोपी हैं। इन पर ड्रग्स को बढ़ावा देने, धोखाधड़ी करने और मरीजों को गैर-जरूरी इंजेक्शन देने के आरोप हैं। बोथरा के खिलाफ आरोपों की सुनवाई जुलाई में होगी। उनकी पत्नी और बेटी को भी अपने पासपोर्ट अदालत में जमा करवाने पड़ेंगे।
  2. जुर्माने के तौर पर बोथरा की संपत्ति भी जब्त की जा सकती है। सरकारी वकील बोथरा की प्रॉपर्टी का सही आंकलन नहीं कर पाए हैं. लेकिन इसकी वैल्यू 248.5 करोड़ रुपए (3.5 करोड़ डॉलर) होने का अनुमान जताया जा रहा है। बोथरा की एक रियल एस्टेट कंपनी होने का पता चला है। उनकी कंपनी के पास 22 प्रॉपर्टी हैं।
  3. बोथरा भारत में गरीबों और बीमारों के लिए काम करते रहे हैं। वे हर साल 8 हफ्ते के लिए अपने खर्च पर भारत आते हैं। इस दौरान वे एचआईवी और ड्रग्स के प्रति जागरुकता अभियान चलाते हैं। तंबाकू और शराब की लत के शिकार लोगों को भी अवेयर करते हैं। भारत में बोथरा के भाई-बहन रहते हैं। यहां उन्होंने निवेश भी कर रखा है।
  4. बोथरा अमेरिका में रिपब्लिकन पार्टी के कार्यकर्ता भी हैं। साल 1980 और 1990 में बोथरा ने तत्कालीन अमेरिकी राष्ट्रपति जॉर्ज एच डब्ल्यू बुश के लिए फंड जुटाने में प्रमुख भूमिका निभाई थी।
January 16, 2019
supreme.jpg
1min6780

ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટનું ધ્યાન દોર્યું કે હજુ પણ 273 શાળાઓએ FRCમાં ફીની વિગતો આપી નથી અને એફિડેવિટ કર્યું નથી. મોટા ભાગની શાળાઓ એવી છે જે બંધ કરવામાં આવી રહી છેFRCમાં ફીની વિગતો રજૂ ન કરનાર 273 શાળા સામે કાર્યવાહીનો SCનો આદેશ

ફાઇલ ફોટો

છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા ફી રેગ્યુલેશન મામલે સુપ્રીમ કોર્ટમાં હાલમાં વચગાળાની સુનાવણી યોજવામાં આવી હતી. જેમાં હાલ ફેબ્રુઆરીના બીજા અઠવાડિયાની તારીખ આપવામાં આવેલ છે. સુનાવણી દરમિયાન સરકારે સુપ્રીમનું ધ્યાન દોર્યું કે, ગુજરાતમાં હજુ પણ 273 શાળાઓએ ફી રેગ્યુલેશન મામલે દરખાસ્ત કે એફિડેવિટ કરી નથી. સુપ્રીમ કોર્ટે આ સ્કૂલો સામે કડક પગલાં ભરવા સરકારને જણાવ્યું હતું. સરકાર ટૂંક સમયમાં જ સ્કૂલોને આ અંગે નોટિસ આપશે.

વાલીઓ અને સ્કૂલ સંચાલકો વચ્ચે સુપ્રીમના ઓર્ડરને લઇને હાલમાં અલગ અલગ મંતવ્યો જોવા મળે છે. ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ જણાવે છે કે, સુપ્રીમ કોર્ટે સરકારને જણાવ્યું કે શાળાઓ પ્રોવિઝનલ ફી કરતા પણ વધારે ફી વસૂલ કરી રહી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવવી જોઇએ.

હવે પછીની સુનાવણી ફેબ્રુઆરીમાં કરવામાં આવશે. જોકે 273 શાળામાંથી 185 સ્કૂલ એવી છે, જ્યાં સ્કૂલ સંચાલકોનો સમાવેશ કરવામાં આવે છે અને તે આ વર્ષથી પોતાની સ્કૂલો બંધ કરી રહ્યા છે. એસોસિયેશન ઑફ પ્રોગેસિવ શાળાના સેક્રેટરીએ જણાવ્યુ કે, એફિડેવિટ રજૂ ન કરનાર શાળા સામે પગલા ભરવા અનિવાર્ય છે.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહના જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર 273 શાળાઓેને એક અઠવાડિયામાં નોટિસ આપવાની શરૂ કરાઇ છે.

January 16, 2019
CIA_Live_Logo_New2.jpg
1min6210

એક તરફ ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ ખુલ્લેઆમ દારૂ વેચાય અને પીવાય રહ્યો છે, અને જ્યારે પોલીસે આવા બુટલેગરો પર દરોડા પાડે છે, ત્યારે પોલીસ ઉપર જ બેફામ બનેલા બુટલેગરો અને તેમના માણસો હુમલાઓ કરે છે, ત્યારે સુરતમાં સાંજે સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમ એ કે રોડ રોડ ખાતે દરોડો પાડવા ગઈ હતી, તે સમયે તેમના પર ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસની બે ખાનગી કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં બે પોલીસ કર્મચારીઓ ઘવાયા હતા.

સ્ટેટ મોનીટરિંગ સેલને માહિતી મળી હતી કે, શહેરની વચ્ચેથી પસાર થતી રેલવે લાઈનને અડીને આવેલા કતારગામ અને એ કે રોડ વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઇ રહ્યું છે. જેને આધારે દરોડા પાડવા પોલીસ ટીમ અહીં પહોંચી હતી. ઝૂંપડપટી રેલવે ટ્રેકની બાજુમાં નિરંજન ઉર્ફે નીરૂ ગાંધીભાઈ પ્રધાન, હિતેશ ઉર્ફે હિતેન્દ્ર મહેન્દ્રભાઈ પટેલ, શંકર ડાકુઆ રાઉત, નારાયણ ઉર્ફે સેન્ડો જૈના, હનુમાન વગેરે સાથે મળીને આયોજનબદ્ધ રીતે દીપક ઉર્ફે કાળીયો અશોક દેવરે જે નવસારીનો રહેવાસી તેની પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ બહારથી મગાવે છે.

વરાછા પોલીસ મથકની હદમાં આવેલા ઉત્કલ નગરના સામેના ભાગે રેલવે ટ્રેક પાસે સાબુ ફેકટરીની નજીક હનુમાનજીના મંદિરની બાજુમાં પતરાના સેડની નીચે ભારતીય બનાવટના વિદેશી દારૂનું વેચાણ કરે છે, જેથી સ્ટેટ મોનીટરિંગ સેલની બે કાર અહીં રેડ માટે પહોંચી હતી. રેડ કરી ત્યારે ત્રણ લોકોને પોલીસે પકડી લીધા હતા, અચાન પોલીસની રેડ પડી હોવાનું જાણ થતાં અચાનક 400 જેટલા લોકોનું ટોળું ભેગું થઇ ગયું હતું. ટોળાંએ પકડાયેલા લોકોને છોડાવવા પોલીસની કાર ઉપર પથ્થરમારો શરૂ કર્યો હતો, જેમાં પોલીસની બંને કારના કાચનો ભુક્કો બોલાવી દેવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનમાં બે પોલીસ કર્મચારીઓને ઈજા થઇ હતી. પોલીસ પર હુમલો થયાનું જણાતા તાત્કાલિક વરાછા અને રેલવે પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂનો અલગ અલગ બ્રાન્ડની 3123 બોટલો જપ્ત કરી હતી. જેની કુલ કિંમત રૂપિયા 3,60,750 થાય છે. હુમલાની ઘટનામાં વરાછા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. જેમાં નીરંજન ઉર્ફે નીરૂ ગાંધીભાઈ પ્રધાન, હિતેશ ઉર્ફે હિતેન્દ્ર મહેન્દ્રભાઈ પટેલ, દીપક ઉર્ફે કાળીયો અશોક દેવરે, શંકર ડાકુઆ રાઉત, નારાયણ ઉર્ફે સેન્ડો, હનુમાનને વોન્ટેડ જાહેર કર્યા હતા.

January 16, 2019
swine-flu_.jpg
1min5780

ઉત્તરાયણના દિવસે જ સ્વાઇન ફ્લૂથી મેવાસા શહેરની એક મહિલાનું જસદણના તખા ગામના એક પુરુષનું અને સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં એક મુસ્લિમ પુરુષનું સ્વાઇન ફલૂની સારવાર દરમિયાન મોત

14 દિવસોમાં 36 જેટલા સ્વાઇન ફલૂના પોઝિટિવ કેસ નોંધાય હતા

સૌરાષ્ટ્રમાં શિયાળાની કડકડતી ઠંઠીમાં સ્વાઇન ફલૂનો કેર યથાવત્ રહ્યો હતો. ઉત્તરાયણના દિવસે જ સ્વાઇન ફ્લૂથી મેવાસા શહેરની એક મહિલાનું જસદણના તખા ગામના એક પુરુષનું અને સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં એક મુસ્લિમ પુરુષનું સ્વાઇન ફલૂની સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતું. સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં ઉતરાયણના દિવસે સ્વાઇન ફલૂથી ત્રણ લોકોનાં મોત થતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. જ્યારે છેલ્લા 14 દિવસોમાં 36 જેટલા પોઝિટિવ કેસ નોંધાય હતાં. જેમાંથી 6 દર્દીઓના મોત નીપજ્યા હતા.

સૌરાષ્ટ્રમાં આરોગ્ય વિભાગ દ્વારા સિવિલ હૉસ્પિટલમાં તબીબોનો સ્ટેન્ટુ રાખવાના આદેશ આપી દેવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફલૂએ કાળો કેર વતાવ્યો હોય તેમ એક દિવસમાં ત્રણ લોકોના સ્વાઇન ફલૂના કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા.

રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ઉત્તરાયણના દિવસે જ સ્વાઇન ફ્લૂ જેવા ગંભીર રોગને કારણે ત્રણ લોકોનો મોત નીપજ્યા હતા. રાજકોટના મેવાસા શહેરના 48 વર્ષીય મહિલાનું તખા જસદણના 60 વર્ષીય પુરુષનું તેમ જ ધાગધ્રાના એક મુસ્લિમ પુરુષનું સ્વાઇન ફલૂની સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતું. આ ઘટનાથી આરોગ્ય વિભાગ દોડતુ થયું હતું. જ્યારે 14 જાન્યુઆરીના દિવસે 3 દર્દીઓના રીપોર્ટ પોઝિટીવ આવતા સારવાર અર્થે હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યા સારવાર દરમિયાન ત્રણે દર્દીઓના મોત નીપજ્યા હતા. જ્યારે છેલ્લા 14 દિવસોમાં 36 જેટલા સ્વાઇન ફલૂના પોઝિટિવ કેસ નોંધાય હતા. તેમાંથી 6 દર્દીઓના મોત નીપજ્યા હતા. ગઇ તા.13મી જાન્યુઆરીએ રાજકોટમાં આશરે 6 જેટલા પોઝિટિવ કેસ નોધાતા તંત્ર દોડતું થયું હતું.

મૂળ રાજકોટ શહેરના બે વ્યક્તિઓ તેમ જ અમરેલી, મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લાના એક એક દર્દીઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. જેમાં ચાર મહિલા અને બે પુરુષનો સમાવેશ થાય છે. 13 દિવસમાં આશરે 33 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાંથી સારવાર દરમિયાન ચાર દર્દીઓના મોત નીપજ્યા હતા. અત્યારે રાજકોટ સિવિલમાં અને ખાનગી હૉસ્પિટલમાં આશરે 24 જેટલા સ્વાઇન ફલૂના દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. સ્વાઇન ફ્લૂના દર્દીઓમાં વધારો થતા આરોગ્ય વિભાગ દ્વારા સિવિલ હૉસ્પિટલમાં તબીબોનો સ્ટેન્ડ ટુ રાખવાના આદેશ આપી દેવામાં આવ્યા હતા.

January 15, 2019
medical_logo.jpg
1min6090

રાજ્ય સરકાર દ્વારા તમામ ભરતી અને પ્રવેશ સહિતની કામગીરીમાં 10 ટકા બેઠકો સવર્ણ અનામત માટે રાખવાની જાહેરાત કરી દેવામાં આવી હતી. મેડિકલ ડેન્ટલ ઉપરાંત ડિગ્રી ઇજનેરી સહિતની તમામ પ્રવેશ પ્રક્રિયામાં જે બેઠકો ઉપલબ્ધ છે તેમાંથી 10 ટકા પ્રમાણે ગણતરી કરવામાં આવે તો 379 બેઠકો અને ડેન્ટલમાં 88 બેઠકો સવર્ણ અનામત કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓને ભાગે આવે તેમ છે.

મેડિકલ ડેન્ટલ પ્રવેશમાં સવર્ણ અનામતની જાહેરાત થયા બાદ મેડિકલ પ્રવેશ સમિતિના અલગ અલગ સભ્યો દ્વારા કેટલી બેઠકો આ કેટેગરીમાં જશે તેની ગણતરી સુધ્ધાં કરી દેવામાં આવી હતી. આ પ્રમાણે જોઇએ તો હાલમાં મેડિકલમાં 4 હજાર બેઠકો અસ્તિત્વમાં છે. ચાલુ વર્ષે આ આંકડો વધીને 4450 થવાની શક્યતા છે, જેમાં સરકારી મેડિકલ કૉલેજોમાં 1300 બેઠકો છે. તે પૈકી 15 ટકા બેઠકો ઓલ ઇન્ડિયા કવૉટામાં જવાથી 1105 બેઠકો સરકારી કૉલેજમાંથી સવર્ણ અનામતમાં આપવી પડશે.

મેડિકલ સોસાયટી સંચાલિત કૉલેજોમાં 1200 બેઠકો છે. જેમાંથી 25 ટકા એનઆરઆઇ બેઠકો બાદ કરીએ તો 1020 બેઠકો બાકી રહે છે. આ બેઠકોમાં 10 ટકા લેખે અંદાજે 112 બેઠકો મળશે, જ્યારે 10થી વધુ સ્વનિર્ભર મેડિકલ કોલેજોમાં 1650 બેઠકો છે. આગામી દિવસોમાં 300 બેઠકો વધે તેમ છે, જેથી બેઠકો 1950 જેટલી થશે, જેમાંથી 25 ટકા મેનેજમેન્ટ કવૉટા બાદ કરીએ તો 1450 બેઠકો બાકી રહે છે, જેમાં 157 બેઠકો સવર્ણ અનામત માટે ભાગમાં આવે તેમ છે. આમ સરકારી કૉલેજોમાં 110, સોસાયટી કૉલેજોમાં 112 અને સ્વનિર્ભર કૉલેજોમાં 157 બેઠકો ગણતરી કરીએ તો અંદાજે 379 બેઠકો સવર્ણ અનામત કેટેગરીના વિદ્યાર્થીઓના ભાગે આવશે. આ જ રીતે ડેન્ટલમાં સરકારી ડેન્ટલમાં 17 અને સ્વનિર્ભર ડેન્ટલમાં 71 મળીને કુલ 88 બેઠકો ડેન્ટલમાં સવર્ણ અનામત કેટેગરીના વિદ્યાર્થીઓના ફાળે આવશે.

January 15, 2019
kumbh.jpeg
1min10640

કુંભમેળાને વિશ્ર્વનો સૌથી મોટો ધાર્મિક મેળો કહેવો ખોટું નહીં હોય. આ જ કારણ છે કે કુંભમેળાના સાક્ષી બનવા માત્ર દેશના જ નહીં, પરંતુ વિદેશના લોકો પણ મોટી માં ત્યાં પહોંચે છે. દર ચાર વર્ષે કુંભમેળો વારાફરતી નાસિક, અલાહાબાદ, ઉજ્જૈન અને હરિદ્વારમાં ભરાય છે. હરિદ્વારમાં કુંભમેળો ગંગા નદીના કિનારે, નાશિકમાં ગોદાવરી નદીના કિનારે, ઉજ્જૈનમાં નર્મદા નદીના કિનારેે ભરાય છે. આ વર્ષે કુંભમેળો સંગમનગરી પ્રયાગરાજમાં ભરાયો છે. જે તમામ કુંભ સ્થળોમાં સૌથી વિશેષ છે. જાણો છો શા માટે? કેમ કે પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતી નદીનું સંગમસ્થળ છે. પહેલા શાહી સ્નાન સાથે જ આજથી એટલે કે 15 જાન્યુઆરીથી પ્રયાગરાજમાં કુંભમેળાનો પ્રારંભ થયો છે.

પ્રયાગ ઉપરાંત કુંભમેળો નાશિક, હરિદ્વાર અને ઉજ્જૈનમાં પણ ભરાય છે, પરંતુ પ્રયાગરાજના કુંભમેળાનું જેટલું મહત્વ છે એટલું અન્ય કોઇ કુંભમેળાનું નથી. 

ત્રિવેણીસંગમ પર આ કુંભમેળાનું આયોજન કરવામાં આવે છે એ તો આ માટેનું એક કારણ છે જ, પરંતુ એ ઉપરાંત પણ બીજી બાબતો છે જે પ્રયાગરાજના કુંભમેળાને ખાસ બનાવે છે. માનવામાં આવે છે કે પ્રયાગરાજમાં જ્યાં કુંભમેળાનું આયોજન કરવામાં આવે છે તે જ બ્રહ્માંડનું ઉદ્ગમ સ્થાન છે અને ત્યાં જ પૃથ્વીનું કેન્દ્ર પણ છે.

એક એવી માન્યતા છે કે બ્રહ્માંડની રચના કરતા અગાઉ બ્રહ્માજીએ આ જ સ્થાન પર અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો. 

આ યજ્ઞના પુરાવા તરીકે અશ્ર્વમેધ ઘાટ અને બ્રહ્મેશ્ર્વર મંદિર આજે પણ અહીં મોજૂદ છે જેને યજ્ઞના પ્રતીકરૂપે જોવામાં આવે છે.
કુંભમેળા દરમિયાન અનેક શાહીસ્નાન થાય છે. આ વખતે આઠ શાહીસ્નાન છે જેમાં પહેલું શાહીસ્નાન આજે (મંગળવારે) શરૂ થવાની સાથે જ કુંભમેળોના આરંભ પણ થયો છે. શાહીસ્નાનમાં સૌથી પહેલા અખાડા સાથે સંકળાયેલા સાધુસંતો જ સ્નાન કર્યું હતું. અખાડાના સાધુસંતો સ્નાન કરી લીધા બાદ જ સામાન્ય જનતાએ સ્નાન કરીને ધન્યતા અનુભવી હતી.

માનવામાં આવે છે કે શાહીસ્નાનમાં બ્રહ્મ મૂર્હુતમાં ડૂબકી લગાવવાથી અમર થવાનું વરદાન મળે છે. આ કારણે જ કુંભમાં શાહીસ્નાન દરમિયાન લોકોમાં ડૂબકી લગાવવાની સ્પર્ધા જોવા મળે છે.

કુંભમેળો 15 જાન્યુઆરી (આજથી) મકરસંક્રાંતિએ આરંભ થયો છે અને ચોથી માર્ચના મહાશિવરાત્રી સુધી ચાલશે. 

આ દરમિયાન આઠ શાહીસ્નાન થશે. પહેલું શાહીસ્નાન 15 જાન્યુઆરીએ અને છેલ્લું શાહીસ્નાન ચોથી માર્ચે થશે અને તે સાથે કુંભમેળાનું સમાપન પણ થશે. આ વર્ષે કુંભમેળામાં દેશવિદેશથી અંદાજે 12 કરોડ જેટલા લોકો આવે એવી શક્યતા છે.

પોલીસ તીર્થયાત્રીઓને 41 સેકન્ડથી વધુ સમય ડૂબકી લગાવવા નહીં દે

કુંભમેળાનું આયોજન મોટો પડકાર છે. ઉત્તર પ્રદેશ પોલીસે કુંભમેળાની ભીડ અને અવ્યવસ્થાના પડકારને પહોંચી વળવા પહેલેથી જ અનેક યોજના તૈયાર કરી રાખી છે. સંગમ પર ગોઠવવામાં આવેલી પોલીસ તીર્થયાત્રીઓને 41 સેકન્ડથી વધુ સમય ડૂબકી લગાવવા નહીં દે એમ જણાવતાં પોલીસ કમિશનર ઓ. પી. સિંહે કહ્યું હતું કે જો આના કરતા વધુ સમય ડૂબકી લગાવવા દઈશું તો ભાગદોડ મચી જવાનું ગંભીર જોખમ છે. આ વરસે કુંભમેળામાં ભારે ભીડ થવાની શક્યતા હોવાને કારણે પ્રમુખ સ્નાન દરમિયાન અક્ષયવટના દર્શન નહીં થઈ શકે, એમ તેમણે કહ્યું હતું.

January 15, 2019
kite1.jpg
1min13610

ગુજરાતભરમાં સોમવારે ઉત્તરાયણના પર્વને લઇ પતંગરસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પતંગરસિયાઓને પતંગ ઉડાવવા અને એકબીજાના પેચ કાપવામાં મોજ પડી ગઇ હતી. તો કેટલીક જગ્યાએ આ પર્વ કાળ સમાન બન્યો હતો.

રાજ્યમાં જુદા જુદા વિસ્તારોમાં અગાસી, છાપરા, ઢાબા વગેરે ઉંચાઇવાળઆ સ્થળો પરથી પતંગ ચગાવતા ચગાવતા પડી જવાના 32 કેસો, દોરી વાગવાના 45 કેસો, ઇમર્જન્સીના 55 કેસો નોંધાયા હતા. રાજ્યમાં પતંગોત્સવની લ્હાયમાં બે બાળક સહિત પાંચનાં મોત નિપજ્યાં હતાં. જેમાં મહેસાણના કસ્બા વિસ્તારના લવાર ચકલામાં પતંગની દોરી વાગવાથી બાળકનું મોત નિપજ્યું હતું. જ્યારે બનાસકાંઠાના ડીસા શહેરના વાડીરોડ વિસ્તારમાં ધાબા પરથી પડી જતા એક બાળકીનું મોત નિપજ્યું હતું. તેમજ સુરતમાં પણ કપાયેલો પતંગ પકડવાની ઉતાવળમાં અજાણ્યા વાહનની અડફેટે એક બાળકનું મોત નીપજ્યું છે.

આ ઉપરાંત આણંદના બદલપુરમાં એક યુવકને પતંગની દોરી વાગવાથી ગળું કપાઇ ગયું હતું. ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચવાથી તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાદ દરમિયાન મોત નિપજ્યું છે. ધોળકા-ખેડા હાઇ-વે પર પતંગની દોરી ગળામાં ફસાતા બાઇક સવારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું

મકરસંક્રાંત નિમિત્તે ગુજરાતભરમાં યોજાઇ રહેલા પતંગોત્સવને પગલે ગળાં કપાવાના 45 જેટલા કેસો નોંધાયા હતા.. જેમાં દોરીના કારણે બે બાળક સહિત પાંચ લોકોનાં મોત થયાં છે. આ ઉપરાંત મુખ્ય શહેરોમાં હુમલાના 17, પટકાવાના 48, દાઝવાના 3, દોરી વાગવાના 42, વાહન અકસ્માતના 78 અને વાહન વિનાના અકસ્માતના 65 કેસ નોંધાયા હતા.

ધોળકા-ખેડા હાઈ વે પર પતંગની દોરી ગળામાં ફસાતા બાઇકસવારનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે એક ઇજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સ દ્વારા પ્રાથમિક સારવાર આપી હતી. મહેસાણાના લવાર ચકલા વિસ્તારમાં સાઈકલ લઈને જઈ રહેલા 8 વર્ષના બાળકનું ગળામાં દોરી ફસાતા મોત નિપજ્યું હતું. જ્યારે ડીસામાં 10 વર્ષની બાળકી ધાબા પરથી પટકાતા મોત નિપજ્યું હતું. ઉત્તરાયણ પર્વને લઈ ઈમર્જન્સીને પહોંચી વળવા 108ની ટીમો તહેનાત કરાઇ હતી. જેને પગલે ફર્સ્ટએડ, ઇમર્જન્સી મેડિકલ ટ્રીટમેન્ટ ટીમ સહિત ડૉકટરની ટીમ સાથે 108ની એમ્બ્યુલન્સને તહેનાત કરાવામાં આવી હતી.

સુરતના નાના વરાછા ફ્લાયઓવર બ્રિજ પાસે કપાયેલો પતંગ પકડવા જતા અજાણ્યા વાહનની ટક્કરે એક બાળકનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. આ ઘટનાની જાણ થતા સરથાણા પોલીસ સ્થળ પર દોડી આવી છે અને અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આણંદના બદલપુરમાં એક યુવકને પતંગની દોરી વાગવાથી ગળું કપાઇ ગયું હતું. ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચવાથી તેને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.