CIA ALERT

Alert Archives - Page 402 of 512 - CIA Live

March 1, 2019
abhi.jpg
1min12310

ગઇ તા.27મીએ પાકિસ્તાને પકડી લીધેલા ભારતીય વિંગ કમાંડર અભિનંદન આજે ભારત પરત ફરી રહ્યા છે. આખો દેશ તેમની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છે, અડધો દિવસ વિતી ચૂક્યો છે, સી.આઇ.એ. લાઇવની ટીમ સમગ્ર ઘટનાક્રમ પર સતત નજર રાખીને વેબસાઇટ અપડેટ કરી રહ્યું છે. વાંચો અત્યાર સુધીનો ઘટનાક્રમ

કાગઝી કાર્યવાહી પૂરી
વિંગ કમાંડર અભિનંદન અટારી પહોંચે તે પહેલા આજે સવારે સાડા નવ વાગ્યાના અરસામાં પંજાબના અટારી સીમા પર ભારતીય વાયુસેનાની ટીમ પહોંચી ગઈ હતી. અભિનંદનની મુક્તિની દિશામાં કામ શરૂ થઈ ગયું છે. પાકિસ્તાનમાં ભારતના ઉચ્ચાયુક્તે તેમની મુક્તિ માટે તમામ પ્રકારનું પેપર વર્ક ઔપચારિકતાઓ પૂરી કરી હતી, ક્યાંયે કોઇ પ્રતિકુળ સંજોગો સર્જાયા ન હતા.

બીટિંગ રિટ્રીટ દરમિયાન મુકિત સંભવ
પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને પાકી સંસદમાં કરેલી જાહેરાત અનુસાર આજે તા.1લી માર્ચે 2019ના રોજ પાકિસ્તાન અભિનંદનને અટારી સીમા પર દરરોજ યોજાતી બીટિંગ રિટ્રીટ સેરેમની દરમિયાન ભારતને સોંપે તેવા સંજોગો ઉજળા જણાય રહ્યા છે, અભિનંદન ક્યારે છૂટશે એ બપોરે 1 વાગ્યા સુધી નિયત થઇ શક્યું ન હતું કે કોઇ જાહેરાત કરવામાં આવી ન હતી. હવે સાંજે 5 વાગ્યે શક્ય બની શકશે.  પરંતુ ભારત અભિનંદનને એ પહેલા જ સોંપવાની માંગણી કરી રહ્યું છે. અટારી-વાઘા બૉર્ડર પર સાંજે પાંચ વાગ્યો બીટિંગ રિટ્રીટ સેરેમની થાય છે.

ભારતે કહ્યું બિટીંગ રીટ્રીટ પહેલા મુક્ત કરો

ભારતના સૈન્ય અધિકારીએ પાકિસ્તાની સૈન્યને જાણ કરી છે કે વાઘા બોર્ડર પર બિટીંગ રીટ્રીટ દરમિયાન મોટી સખ્યામાં લોકો હશે અને એ સમયે મુક્ત કરવા કરતા પહેલા અભિનંદનને ભારતની સીમામાં પ્રવેશ કરાવી દેવામાં આવે. પાકિસ્તાની સૈન્યએ આ બાબતે હકારાત્મ પ્રતિસાદ આપ્યો હોવાનું જાણવા મળે છે.

વાઘા બૉર્ડર પર પહોંચી રહ્યા છે લોકો
વિંગ કમાંડર અભિનંદન વર્ધમાન આજે વાઘા બૉર્ડરથી પાછા આવશે. વાઘા બૉર્ડર પર મોટી સંખ્યામાં લોકો પહોંચી સવારે 10 વાગ્યાથી જ પહોંચી ચૂક્યા છે. મોટી સંખ્યામાં લોકોને બોર્ડર પર જતા રોકવા માટે પંજાબ પોલીસે પણ ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે.

દિલ્હી ફ્લાઈટમાં સવાર વિંગ કમાંડરના માતા-પિતાને લોકોએ ઊભા થઈ માન આપ્યું

અભિનંદનને આવકારવા તેમના માતા-પિતા પણ વાઘા બોર્ડર પહોંચવા દિલ્હી ફ્લાઈટમાં પહોંચ્યા હતા અને તેઓ ત્યાંથી અમૃતસર જશે. દિલ્હીમાં ફ્લાઈટમાં જાબાંઝ જવાનને માતા-પિતાને ખૂબજ સમ્માન સાથે લોકોએ તાળિયોના ગડગડાટથી વધાવ્યા હતા અને તેના બદલામાં અભિનંદનના માતા-પિતાએ પણ લોકોનો ધન્યવાદ માન્યો હતો. આ અંગેના ફોટો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે.

વાયુસેનાના જાબાંઝ પાયલટ અભિનંદનના માતા-પિતા આ ફ્લાઈટમાં સવાર હતા. ફ્લાઈટમાં સવાર દરેક લોકોની આંખો આ શૂરવિર જવાનના માતા-પિતા પર મંડાયેલી હતી. તમામ લોકોએ ઊભા થઈને નિવૃત એર માર્શલ એસ વર્ધમાન તેમજ ડો. શોભા વર્ધમાનનું સ્વાગત કર્યું અને તેમને માન આપ્યું હતું. આટલું જ નહીં લોકોએ અભિનંદનના માતા-પિતાને સૌપ્રથમ ફ્લાઈટમાંથી નીચે ઉતરવા માટે રસ્તો આપ્યો હતો.

અભિનંદનની વાપસી, ભારતમાં ઉત્સવ

વીંગ કમાંડર અભિનંદનને તા.1લી માર્ચે મુક્ત કરવાની જાહેરાત તા.28મી માર્ચે સાંજે પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને કરતા જ ભારતમાં ઉત્સવ ઉજવવાનું શરૂ થઇ ગયું હતું. આજે તા.1લી માર્ચને શુક્રવારે તો સવારથી જ ભારતના શહેરો, નગરો, ગામોમાં જાણે ઉત્સવનો માહોલ હોય એ રીતે લોકો પ્રફુલ્લિત જણાયા હતા. લોકો પોતાની ખુશીઓ સોશ્યલ મિડીયામાં વ્યક્ત કરી રહ્યા હતા.

March 1, 2019
swine-flu_.jpg
1min6120

ગુજરાતમાં ઉતરતા શિયાળે સ્વાઈન ફલૂ બેકાબૂ બનતા કાળો કેર વર્તાવતા છેલ્લા 24 કલાકમાં નવા 96 પોઝિટીવ કેસ નોંધાતા અને તેમાં વધુ બે દર્દીઓના મોત થતા આ આંકડો વર્ષ 2019થી અત્યાર સુધીમાં કુલ 100ને પાર થયો હતો. રાજ્યના આરોગ્ય વિભાગની બેદરકારીના કારણે હજુ સુધીમાં કોઈ નક્કર પગલાં ન ભરાતા રોગમાં દિનપ્રતિદિન લોકોના મૃત્યુની સંખ્યામાં ઉત્તરોઉત્તર વધારો થઈ રહ્યો છે.

અગાઉ ગુજરાત હાઈ કોર્ટ રાજ્યના આરોગ્ય વિભાગ પાસે સ્વાઈન ફલૂના રોગની સારવાર અને તેને અટકાવવાના પગલાંઓ તેમ જ રાગમાં ગરીબ દર્દીઓને મળવાપાત્ર સારવાને લઈને તંત્રનો ઉધડો લેતા સરકારે અનેક હૉસ્પિટલમાં ચેકિંગ હાથ ધરીને રીપોર્ટ તૈયાર કર્યા હતા અને તાકિદે હૉસ્પિટલોમાં અલાયદા વોર્ડ અને લેબટકનિસુયનો તેમ જ દવાઓનો વધારો કરી સ્વાઈન ફલૂને અટકાવવા તાકીદ કરીઈ હતી. રાજ્યના મોટા ભાગના જિલ્લા તાલુકાઓ ગામડાઓના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્વાઈન ફલૂ લેબની કે ટેસ્ટિંગની કોઈ સવલત નથી. રોજે-રોજ લોકો આ રોગના ભોગથી ટપોટપ મોતને ભેટી રહ્યા છે. સરકારી મૃત્યુ આંકડો ભલે 100 બનાવાતો હોય પરંતુ ખરેખર આ આંક મોટો છે. ગુજરાતમાં જે નવા 96 સ્વાઈન ફલૂના કેસ નોંધાયા હતા જેમાં અમદાવાદ શહેરમાં 21, સુરત શહેરમાં 19, આણંદ ખાતે 9, વડોદરા શહેર અને મહેસાણા ખાતે 8-8, ભાવનગર શહેર 5, પાટણ ખાતે ત્રણ, સાબરકાઠાં, રાજકોટ, ભાવનગર, અમદાવાદ બનાસકાંઠા, બોડાદ, અરવલ્લી અને વલસાડ ખાતે બે-બે, રાજકોટ શહેર, ગાંધીનગર, અમરેલી, ભરૂચ, ગાંધીનગર શહેર પંચમહાલ અને મહીસાગર ખાતે એક એક કેસ નોંધાયો હતો. સરકારી ચોપડે તા.1 જાન્યુઆરી 2019થી અત્યાર સુધીમાં 2054 જેટલા દર્દીઓ આ રોગમાં સાજા થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા અને હાલમાં સરકારી આંકડા પ્રમાણે 767 દર્દી સારવાર અર્થે હોસ્પિટલમાં નોંધાયેલા છે.

February 28, 2019
amroli_utran_flyover.jpg
1min9350

રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણીના હસ્તે તા.28મી ફેબ્રુઆરી 2019ના રોજ અમરોલી અને ઉત્રાણ વચ્ચે રેલવે ટ્રેકની ઉપર ફ્લાય ઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બ્રિજ ખુલ્લો મૂકાતા વરાછાથી શરૂ કરીને અમરોલી, ઉત્રાણ, મોટા વરાછા વગેરે વિસ્તારના ટ્રાફિકની અવરજવરમાં મોટી રાહત થશે. આ બ્રિજની તસ્વીર અત્રે પ્રસ્તુત છે.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ આજે રાજ્યના સૌથી અધતન પોલીસ મથકોમાં એક ગણાતા સુરતના કતારગામના નવનિર્મિત પોલીસ મથકને પણ ઉદઘાટિત કર્યું હતું. કતારગામ પોલીસ મથકની તસ્વીર અત્રે પ્રસ્તુત છે.

February 28, 2019
vnsgu_logo.jpg
1min20600

આજે સુરતની મુલાકાતે આવેલી રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સુરતમાં આવતા વેંત પહેલા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના જુદા જુદા પ્રોજેક્ટ્સને વિદ્યાર્થીઓને સમર્પિત કર્યા હતા.

રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના હસ્તે યુનિવર્સિટીના સિન્થેટિક એથ્લેટિક ટ્રેક, હોકી ગ્રાઉન્ડ તેમજ સ્વીમીંગ પુલ જેવા બિલકુલ રેડી પ્રોજેક્ટસ સમર્પિત કરતા જણાવ્યું હતું કે ભાજપા સરકાર ખેલે ગુજરાતને પ્રોત્સાહિત કરી રહી છે અને યુનિવર્સિટી જેવા વિશ્વ વિદ્યાલયોએ ગુજરાતી ખેલાડીઓને પ્લેટફોર્મ મળે, સ્પર્ધાત્મક માહોલ મળે એ માટે રમતગમત માટે માળખાગત સુવિધાઓ વિકસાવવી જોઇએ.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીના હસ્તે સિન્થેટિક એથ્લેટિક ટ્રેકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

તા.28મી ફેબ્રુઆરી 2019ના રોજ સુરતની મુલાકાતે આવેલા રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણીના હસ્તે યુનિવર્સિટીના નવનિર્મિત હોકી ગ્રાઉન્ડને વિદ્યાર્થી સમર્પિત કરવામાં આવ્યું હતું.

સુરતની મુલાકાત વેળાએ રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણીએ યુનિવર્સિટીના નવનિર્મિત અને આધુનિક સુવિધાઓથી સજ્જ સ્વીમીંગ પુલનું પણ ઉદઘાટન કર્યું હતું.

અત્રે એ ખાસ નોંધનીય છે કે આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીના હસ્તે ઉદઘાટિત કરવામાં આવેલા તમામ પ્રોજેક્ટસના મૂળ પૂર્વ કુલપતિ ડો. દક્ષેશ ઠાકરના શાસનકાળ દરમિયાન રોપાયા હતા. પૂર્વ કુલપતિ ડો. ઠાકરએ દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થી રમતવીરોને જુદી જુદી રમતો માટેની માળખાગત સુવિધાઓ મળે તે માટે આધુનિક પ્રોજેક્ટના મંડાણ કર્યા હતા. આજે એ પ્રોજેક્ટસ સાકાર થઇ ચૂક્યા છે ત્યારે યુનિવર્સિટી સાથે સંકળાયેલા લોકોએ ડો.ઠાકરની દીર્ઘદ્રષ્ટીની પ્રશંસા કરી હતી.

February 28, 2019
india-pak-army-compa.jpg
1min6200

કાશ્મીરના પુલવામા ખાતે ગઇ તા.14મી ફેબ્રુઆરી 2019ના રોજ સીઆરપીએફ પર આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનની સામે લાલઆંખ કરીને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ પર ભારતે કુટનીતિક, રાજનીતિક પ્રહારો તો કર્યા જ પણ સાથોસાથ પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરમાં આવેલા જૈશ એ મહોમદની છાવણીઓ પર બોંબમારો પણ કર્યો. અત્યાર સુધીની પાકિસ્તાનની કથની એવી રહી છે કે એણે ક્યારેય શરણાગતિ કે શાંતિથી વાતો કરી નથી. આ વખતે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાન ગળે નહીં ઉતરે એવી ભાષામાં ભારત સાથે ડાયલોગ કરી રહ્યા છે.

તા.26 અને તા.27મીના ઘટનાક્રમ બાદ આજે તા.28મી ફેબ્રુઆરી 2019ના રોજ ઇમરાનખાને પાકિસ્તાનની સંસદમાં ઘોષણા કરીને ભારતના એક યુદ્ધ કૈદીને તા.1લી માર્ચે છોડવાની જાહેરાત કરી, એ પછી સમગ્ર વિશ્વભરના રાજનીતિજ્ઞોમાં અચરજ ફેલાયું છે. પાકિસ્તાન જે રીતે શરણાગતિ અને શાંતિની વાતો કરી રહ્યું છે તેનો કદી ભરોસો થાય તેમ નથી અને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને અધિકારીઓ પણ આ વાત સારી રીતે જાણે છે એટલે પાકિસ્તાનનો જરાય ભરોસો કર્યા વગર પોતાની નીતિઓનો અમલ ભારત કરી રહ્યું છે.

એક રાષ્ટ્ર તરીકે ભારત સામે લડી શકે તેવો એકેય મોરચો નહીં હોવા છતાં ભારતના પેંગડામાં પગ ઘાલવાનો પ્રયાસ કરી રહેલા પાકિસ્તાનને આ વખતે જે વલણ અખત્યાર કર્યું છે એ શરણાગતિની પાછળ કપટીપણાની બદબૂ ગંધાય રહી છે. જાણકારો કહે છે કે પાકિસ્તાન વિશ્વના દેશોને, યુનાઇટેડ નેશન્સને જાહેરમાં એવું દર્શાવવા માગે છે કે આતંકવાદ સામે એ ભારતની સાથે છે અને એ જ પાકિસ્તાન આગામી દિવસોમાં આતંકવાદ પ્રેરિત દુસાહસો કરીને ભારતને પજવી શકે તેમાં કોઇ શંકા નથી. એટલે જ પાકિસ્તાનીઓની કોઇ વાત કે તેમનું કોઇ સ્ટેન્ડ ભરોસાપાત્ર ગણી શકાય નહીં.

પુલવામા હુમલાને પગલે ભારતે કરેલી જવાબી કાર્યવાહીથી ડઘાઈ ગયેલા પાકિસ્તાને હવે શાંતિમંત્રણાની સુફિયાણી વાતો શરૂ કરી છે. બુધવારે ભારત દ્વારા પાકિસ્તાનના F-16 વિમાનને તોડી પાડવામાં આવ્યા બાદ ભારતના એક મિગ-21 વિમાન નષ્ટ થયું હતું અને એલઓસી પાસેથી પાકે. ભારતીય વાયુ સેનાના વિંગ કમાન્ડર અભિનંદનને ઝડપી લીધો હતો. પાકે. દાવો કર્યો હતો કે ભારતીય વાયુસેનાના ઓફિસર તેમના કબજામાં છે બાદમાં ભારતે આ વાતની પુષ્ટી કરી હતી.

ભારતની સૈન્ય શક્તિ સામે પાકે. ઘૂંટણીયા ટેકવી દેતા પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીને ટાંકીને સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન ભારતીય વાયુસેનાના અધિકારીને પરત કરવા તૈયાર છે પરંતુ તે ઈચ્છ છે કે ભારત દ્વારા હવે કોઈ ઉશ્કેરણી ના કરવામાં આવે. પુલવામા હુમલા અંગેના ભારતના ડોઝિયરની પાક. સમીક્ષા કરશે. આના વળતા જવાબમાં ભારતે પણ પાકિસ્તાનને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે તેઓએ વિંગ કમાન્ડર માટે કોન્સ્યુલર એક્સેસ નથી માંગ્યું અને પાક. સાથે મંત્રણાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી. પાકિસ્તાન વહેલી તકે વાયુસેનાના અધિકારી ભારતને સોંપે. ભારત પાક.ની કોઈપણ શરત સ્વીકારવા તૈયાર નથી.

પુલવામા આતંકી હુમલા બાદ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર ભારતીય વાયુસેના દ્વારા કરાયેલી એર સ્ટ્રાઇકને અમેરિકાએ સમર્થન આપ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, જૈશના આતંકી ઠેકાણાઓ પર હુમલા બાદ બુધવારે મોડી રાત્રે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને અમેરિકના વિદેશ મંત્રી માઇક પોમ્પિઓની ટેલિફોન પર વાતચીત થઇ હતી.

February 28, 2019
Untitled-1-1280x986.jpg
3min20360

7મી માર્ચ 2019થી ગુજરાત બોર્ડની ધો.10 તથા ધો.12ની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે. બોર્ડના વિદ્યાર્થીઓ છેલ્લી ઘડીની તૈયારીઓમાં વ્યસ્ત છે. આવા સંજોગોમાં અનેક લોકો, સગાસબંધીઓ, શિક્ષકો, પાડોશીઓ, શુભેચ્છકો, મિત્ર વર્તુળ વગેરે બોર્ડના વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે. ઘણાં લોકો એક બીજાના ઘરે જઇને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. આ ટ્રેન્ડ છેલ્લા 10 વર્ષોથી સુરતમાં ચાલી રહ્યો છે. ઘણાં લોકો ટીકા કરે છે, ઘણાંને આ બાબત સારી લાગે છે.

પણ બોર્ડના વિદ્યાર્થીઓએ આખરી કાઉન્ટ ડાઉન દરમિયાન શું કરવું જોઇએ એ અંગે સી.આઇ.એ. લાઇવ ન્યુઝ પોર્ટલની ટીમે સુરતના જુદા જુદા શિક્ષણશાસ્ત્રીઓ, કેળવણીકારો, આચાર્યો, શિક્ષકોને પૂચ્છા કરીને તેમના માટે એક સરસ મજાનો આર્ટિકલ તૈયાર કર્યો છે. સૌથી મહત્વની સલાહ એ જ હતી કે સોશ્યલ મિડીયા અને સ્માર્ટ ફોનથી જેટલા દૂર રહેશે વિદ્યાર્થીઓ તેટલા જ પરીક્ષામાં ફોકસ કરી શક્શે.

શ્રી મહેશ શ્યાની 

આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સ, વરાછા સુરત

સમગ્ર ગુજરાતમાં હાયર સેકન્ડરી એજ્યુકેશન ક્ષેત્રમાં અગ્રગણ્ય ગણાતી સુરતના વરાછાની આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સના શ્રી મહેશભાઇ શ્યાનીએ સી.આઇ.એ. લાઇવના વાચકો અને તેમના વિદ્યાર્થીઓ માટે કેટલીક ટીપ્સ આપતા જણાવ્યું હતું કે છેલ્લી ઘડીએ ઉતાવળ કરવાને બદલે વિદ્યાર્થીઓએ શાતિપૂર્વક રિવીઝન કરવાનું તેમજ ઓવર સ્ટડી કરવું નહીં. તેમણે ખાસ ભાર મૂકતા કહ્યું કે ઘણાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને એવી આદત હોય કે કેટલાક લોકો દ્વારા બહાર પાડવામાં આવતી આઇ.એમ.પી. મોસ્ટ આઇ.એમ.પી. સવાલોની યાદીઓ કે જે સાવ બોગસ હોય તેના પર છેલ્લી ઘડીએ ભરોસો મૂકીને એ જ વાંચતા હોય છે. શ્રી મહેશભાઇએ કહ્યું કે આવી કોઇ વાતને માનવી નહીં અને વિદ્યાર્થીઓએ પોતાની મહેનત પર જ ભરોસો રાખવો. તેમણે ઉમેર્યું કે પેપર ફૂટી ગયું છે, તેવી અફવાથી દૂર રહેવું કોિપણ મિત્રો દ્વારા પેપર આપવામાં આવે તો  ભરોસો કરવો નહીં. માત્ર આપણી તૈયારી પર વિશ્વાસ રાખવો.

પરીક્ષા સેન્ટર પર માતા અથવા પિતા સાથે જવું હિતાવહ છે.

પરીક્ષા પહેલા નવું વાંચવાનું ટાળવું કેમકે નવું વાંચન વધુ મૂંઝવણો પેદા કરી શકે જે સરવાળે વિશ્વાસ તોડવાનું કામ કરે એટલે નવું વાંચન ટાળવું.

વિદ્યાર્થીઓએ જે તૈયારીઓ કરી છે તેની ફોર્મ્યુલા અને કી પોઇન્ટને વારંવાર વાંચન કરો. પુનરાવર્તનને પણ અવકાશ હોવો જોઇએ.

 

સોશ્યલ મિડીયા અને સ્માર્ટ ફોનથી દૂર રહેશે એટલો ફાયદો થશે બોર્ડના પરીક્ષાર્થીઓને

સુરતના પાલ રોડ પર આવેલી ભૂલકા વિહાર સ્કુલના પ્રિન્સીપાલ શ્રીમતી મીતાબેન વકીલએ બોર્ડની પરીક્ષા આપી રહેલા ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને શુભથાઓની શુભેચ્છા આપતા તેમણે છેલ્લી ઘડીના દિવસોમાં શું શું કરવું જોઇએ તે અંગેની ટીપ્સ અમને મોકલી હતી જે અમે અહીં રજૂ કરી રહ્યા છે. હવે પછી બોર્ડની પરીક્ષા સુધી દરરોજ અમે વાલીઓ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી ટીપ્સ આપતા રહીશું.

સી.આઇ.એ. લાઇવ ના માધ્યમથી સુરત સમેત સમગ્ર ગુજરાતમાંથી અગ્રણી શિક્ષણવિદો પરીક્ષા ચાલશે ત્યાં સુધી નિયમિત રીતે બોર્ડના વિદ્યાર્થીઓને ટીપ્સ આપશે.

શ્રીમતી મીતા વકીલ

આચાર્યા, ભૂલકા વિહાર સ્કુલ, સુરત

 

# તમને તમારી શક્તિ અને નબળાઇનો ખ્યાલ છે, એ પ્રમાણે વર્તો.

1. You know your strength and weakness the best –

Plan your entire schedule around your strong and weak points. Give more time to the topics you’re less thorough with.

# મોડેલ પેપર કે અગાઉના વર્ષોના પેપરો જોઇ જાવ.

2. Refer the past year papers –

In the board exams you’ll see a pattern of questions asked repeatedly. Be thorough with those and prepare according to the paper style.

# પેપર પ્રેક્ટિસનો કોઇ જ વિકલ્પ નથી, ગમે તેટલા તૈયાર હોવ. પેપર પ્રેક્ટિસ સૌથી મહત્વની પુરવાર થાય છે.

3. Practice & practice –

No matter how prepared you feel you are, keep practicing. Take up a different sections from the question paper each day, stop not until you’re done with the 10th and 12th board exams.

# પાઠ્ય પુસ્તકમાંથી કશું જતું ન કરો. છેલ્લે એક નજર તો મારી જ જાવ.

4. Don’t leave aside a single topic from the text book –

Study the chapters, solve every question given at the end of the textbook. Don’t leave a single topic undone.

# નિષ્ઠાપૂર્વક સ્વનિર્ધારિત સમયપત્રકને વળગી રહો.

5. Disciplined schedule –

Sleep on time, wake up on time. Follow a strict and disciplined schedule and stick to it. Our body takes time to adjust to a new routine, refrain from trying new timetables.

# પરીક્ષા છે એટલા માટે વધુ પડતી મહેનત કરીને થાકને નિમંત્રણ ન આપો.

6. Don’t overstress yourself –

Many students feel stressed out before the board exams. Give yourself some creative time, work out or pursue your hobby for an hour a day.

# સેમ્પલ પ્રશ્નપત્રોને સોલ્વ કરી જાઓ.

7. Solve sample papers –

Solve sample papers from other schools to practice more and get a hang of a variety of questions asked.

# નોટ્સ બનાવીને વાંચન કરો.

8. Prepare notes –

Jot down the important formulae in a diary or keep sticky notes with reminder topics. Add one tick more with every revision.

# હાંસલ થઇ શકે તેવા લક્ષ્યાંકો બનાવતા રહો.

9. Keep targets –

Your productivity increases when you study with targets in mind. Prepare realistic and achievable milestones.

# સોશ્યલ મિડીયા, સ્માર્ટ ફોનનો ઉપયોગ બિલકુલ મર્યાદિત કરી દો.

10. Reduce the use of social media –

Spend as much time you can studying. Social media tends to distract. Replace social media with exercise to remain healthy.

બોર્ડના વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવી હોય તો આનાથી ઉપયોગી વસ્તુ બીજી કોઇ ન હોઇ શકે

 

February 28, 2019
air_logo.jpg
1min6830

વિમાની મુસાફરોના રાઇટ્સ ચાર્ટરને આખરે મંજૂરી

કેન્દ્ર સરકારે ગત મે 2018માં ડ્રાફ્ટ કરેલા હવાઇ મુસાફરી કરી રહેલા પેસેન્જર્સ માટેના રાઇટ્સ ચાર્ટરને તા.27મી ફેબ્રુઆરી 2019ના રોજ કેન્દ્રના સિવિલ એવિએશન મંત્રાલયે મંજૂરીની મહોર મારતા જારી કર્યા છે. હવે હવાઇ મુસાફરોને કયા કયા અધિકારો મળ્યા છે એ અંગે સી.આઇ.એ. લાઇવની ટીમે કેટલીક વિગતો મેળવી છે જે અત્રે પ્રસ્તુત છે.

જો તમારી ડોમેસ્ટિક ફ્લાઇટ 6 કલાક કે તેનાથી વધુ સમય માટે વિલંબ (ડિલે) થાય તેમ હશે તો જે તે એરલાઇન કંપનીએ તમને એક દિવસ એડવાન્સમાં જાણ કરવી પડશે અને એ જ કંપનીએ તમને વૈકલ્પિક ફ્લાઇટ વ્યવસ્થા અગર તો ફુલ ટિકીટ  રિફંડ પણ ઓફર કરવું પડશે.

: If your domestic flight is delayed by six hours or more, then the airline should inform you a day in advance and offer you an alternative alternate flight or a full ticket refund.

જો એરલાઇન તમારી ડોમેસ્ટિક ફ્લાઇટને કેન્સલ (રદ) કરશે અને તમને તેની જાણ કરવામાં ચૂક કરશે, અગર તમે એ કારણથી તમારી બીજી કનેક્ટિંગ ફ્લાઇટ ચૂકી જાવ કે ચૂકી જશો એમ હોવ તો એરલાઇન કંપનીએ તમને રૂ.5 હજારથી રૂ.10 હજારનું વળતર આપવું પડશે, આ વળતર મુસાફરીના સમય પર આધારીત હશે અથવા તો તમારી મુસાફરીનું એક તરફી ભાડું વત્તા ફ્યુઅલ ચાર્જ એ બેમાંથી જે ઓછું હશે એ રકમ એરલાઇન કંપનીએ તમને ચૂકવવી પડશે.

If the airline has cancelled your flight and has failed to inform you or you have missed a connecting flight because the airline’s earlier flight wasn’t on time, then you could get a compensation of Rs 5,000 to Rs 10,000 depending on travel time or oneway base fare plus fuel charge, whichever is less.

જો તમે એરપોર્ટ પર પહોંચી ગયા છો અને તમારી ફ્લાઇટ 2થી 6 કલાક મોડી પડે તેમ છે, એવા સંજોગોમાં એરલાઇન કંપનીએ તમને વિનામૂલ્યે ભોજન તેમજ અન્ય રિફ્રેશમેન્ટસની વ્યવસ્થા કરી આપવી પડશે.

If you’re at the airport and the flight is delayed by 2-6 hours (depending on the travel time), the airline needs to offer you free meals and refreshments.

રાત્રે 8 વાગ્યાથી સવારે 3 વાગ્યા દરમિયાનના સમયગાળામાં 6 કલાકથી વધુ સમયના ફ્લાઇટ વિલંબના કેસમાં એરલાઇન કંપનીએ પેસેન્જરને હોટેલ એકોમોડેશન બિલકુલ ફ્રી માં આપવું પડશે.

For delays more than six hours for flights scheduled between 8pm and 3am and a delay of over 24 hours for other flights, airlines should inform passengers a day in advance and also offer them free hotel accommodation, the charter said.

આ પ્રકારની અનેક જોગવાઇઓ સિવિલ એવિએશનના પેસેન્જર ચાર્ટરમાં સામેલ કરવામાં આવી છે.

સી.આઇ.એ. લાઇવ પેસેન્જર ચાર્ટરની ફુલ કોપી મેળવવાના પ્રયાસો કરી રહ્યું છે અને જેવી અમને ફાઇલ મળશે અમે અમારી ન્યુઝ પોર્ટલ પર એ કાયમ માટે અપલોડ રાખીશું.

February 28, 2019
bse.jpg
1min6950

રોકાણકારને ગયા બજેટથી આ બજેટ સુધીમાં શેર્સમાં કમાણી થઈ હોય તો તેણે પોતાને નસીબદાર ગણવો જોઈએ. સૂચિત ગાળામાં BSE પર લિસ્ટેડ 86 ટકા શેર્સના ભાવમાં 1 ફેબ્રુઆરી 2018થી 30 જાન્યુઆરી 2019 સુધીના ગાળામાં 97 ટકા સુધી ધોવાણ થયું છે. સમાન ગાળામાં સેન્સેક્સ 315 પોઇન્ટ (0.88 ટકા) ઘટ્યો છે. જોકે, કેટલાક શેર્સે કરેક્શનના આ તબક્કામાં પણ માતબર વળતર આપ્યું છે.

  • વિકાસ પ્રોપેન્ટ એન્ડ ગ્રેનાઇટ  708 ટકા
  • દાર્જિલિંગ રોપવેએ 572 ટકા
  • દોલત ઇન્વેસ્ટમેન્ટે 515 ટકા
  • ઓરિએન્ટ ટ્રેડલિંકે 376 ટકા
  • બુલિશ બોન્ડ્સ એન્ડ હોલ્ડિંગ્સે 349 ટકા
  • ટિયાન આયુર્વેદિક એન્ડ હર્બ્સે 302 ટકા
  • ગયા બજેટથી આ બજેટ સુધીમાં 31 સ્મોલ-કેપ શેર્સે રોકાણકારોની સંપત્તિમાં બમણાથી વધુ ઉમેરો કર્યો છે. જેમ કે, વિકાસ પ્રોપેન્ટ એન્ડ ગ્રેનાઇટના શેરે આ ગાળામાં 708 ટકા, દાર્જિલિંગ રોપવેએ 572 ટકા, દોલત ઇન્વેસ્ટમેન્ટે 515 ટકા, ઓરિએન્ટ ટ્રેડલિંકે 376 ટકા, બુલિશ બોન્ડ્સ એન્ડ હોલ્ડિંગ્સે 349 ટકા અને ટિયાન આયુર્વેદિક એન્ડ હર્બ્સે 302 ટકા સુધીનું વળતર આપ્યું છે. અન્ય કેટલાક શેર્સ બાયો ગ્રીન પેપર્સ, રિસ્પોન્સિવ ઇન્ડસ્ટ્રીઝ, પંજાબ આલ્કલીઝ, મર્ક, સુકામા એક્સ્પોર્ટ્સ, કિલિચ ડ્રગ્સ, IOL કેમિકલ્સ, સ્કેન સ્ટીલ્સ, બિરલા કેબલ, દલાલ સ્ટ્રીટ ઇન્વેસ્ટમેન્ટ્સ અને સાધના નાઇટ્રો કેમના ભાવ 100થી 225 ટકા સુધી ઊછળ્યા છે.

બાયો ગ્રીન પેપર્સ, રિસ્પોન્સિવ ઇન્ડસ્ટ્રીઝ, પંજાબ આલ્કલીઝ, મર્ક, સુકામા એક્સ્પોર્ટ્સ, કિલિચ ડ્રગ્સ, IOL કેમિકલ્સ, સ્કેન સ્ટીલ્સ, બિરલા કેબલ, દલાલ સ્ટ્રીટ ઇન્વેસ્ટમેન્ટ્સ અને સાધના નાઇટ્રો કેમના ભાવ 100થી 225 ટકા સુધી ઊછળ્યા

વૈશ્વિક ટ્રેડ વોર, ક્રૂડના ભાવમાં મોટી વધઘટ, રૂપિયાના મૂલ્યમાં ઘટાડો સહિતનાં પરિબળોને કારણે ભારતીય શેરબજાર માટે છેલ્લા 12 મહિના બહુ વોલેટાઇલ રહ્યા છે. ખાસ કરીને સ્મોલ અને મિડ-કેપ શેર્સના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે.

ગયા બજેટથી અત્યાર સુધીમાં BSE મિડ-કેપ ઇન્ડેક્સ 16 ટકા અને સ્મોલ-કેપ ઇન્ડેક્સ 26 ટકા ઘટ્યા છે. તેની સામે સેન્સેક્સના 30માંથી 11 શેર્સે 1 ફેબ્રુઆરી 2018થી રોકાણકારોને પોઝિટિવ વળતર આપ્યું છે. સૂચિત ગાળામાં બજાજ ફાઇનાન્સ 50 ટકા ઊછળ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, HUL, TCS, એશિયન પેઇન્ટ્સ, એક્સિસ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, ICICI બેન્ક, HCL ટેક અને HDFC બેન્કમાં આ ગાળામાં 2 ટકાથી 27 ટકાની વૃદ્ધિ થઈ છે. સેન્સેક્સ શેરોમાં ટાટા મોટર્સ 56 ટકા સાથે સૌથી વધુ ઘટ્યો છે. ઘટનારા અન્ય શેર્સમાં યસ બેન્ક, વેદાંત, ટાટા સ્ટીલ, ભારતી એરટેલ, મારુતિ સુઝુકી, હીરો મોટોકોર્પ, ONGC અને બજાજ ઓટોનો સમાવેશ થાય છે. જેમાં ૨૫ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. નિફ્ટી 1 ફેબ્રુઆરી 2018થી અત્યાર સુધીમાં 3.3 ટકા ઘટ્યો છે.

છેલ્લા 12 મહિનામાં સ્થાનિક રોકાણકારોના ઇન્વેસ્ટમેન્ટને કારણે ઘટાડો મર્યાદિત રહ્યો છે. ગયા બજેટથી અત્યાર સુધીમાં BSE ટેલિકોમ ઇન્ડેક્સ સૌથી વધુ 34 ટકા ઘટ્યો છે. BSE રિયલ્ટી, મેટલ્સ, ઓટો, પાવર, કેપિટલ ગૂડ્ઝ અને ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સમાં અનુક્રમે 32 ટકા, 30 ટકા, 30 ટકા, 20 ટકા, 17 ટકા અને 17 ટકા ઘટાડો નોંધાયો છે. તેની સામે BSE IT, ટેક, અને FMCG ઇન્ડેક્સ અનુક્રમે 19 ટકા, 8.28 ટકા અને 6.27 ટકા વધ્યા છે.

February 28, 2019
congress.jpg
1min12530

સરહદે ઊભી થયેલી સ્થિતિમાં રાજકીય ગતિવિધિને કોઇ સ્થાન ના હોઈ શકે તેવા એકમાત્ર વિચારે રાહુલજી એ આ કાર્યક્રમ સ્થગિત કર્યો છે, પરંતુ આવતીકાલે વડા પ્રધાને દેશભરમાં વીડિયો કોન્ફરન્સ કરીને લોકોને સંબોધવાનો કાર્યક્રમ હજુ સુધી યથાવત્ રાખ્યો છે, એવું ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રવક્તા જયરાજસિંહ પરમારે જણાવ્યું હતું. પુલવામાં હુમલા પછી સરકારના પડખે ઊભી રહેલી કૉંગ્રેસ રાજકીય હિસાબો સમય આવે ચૂંટણીના મેદાનમાં પૂરા કરી લેશે, પરંતુ આજે જ્યારે પાકિસ્તાનનો હિસાબ કરવાનો સમય છે ત્યારે દેશનું અને સરકારનું પીઠબળ બની અડીખમ રહેશે આ ભાવના જ વિરોધીઓના મનોબળને તોડવા પૂરતી છે. રાજકીય મતભેદો અને વૈચારિક અંતર મીટાવી રાજકીય ઇચ્છાશક્તિ દર્શાવવાની દિશામાં લેવાયેલા આ પગલા બદલ કૉંગ્રેસ પક્ષ અને દેશની જનતા રાહુલજી પર ગર્વ અનુભવે છે. પાકિસ્તાનને બે બે વખત યુદ્ધમાં પરાસ્ત કરી બે ભાગમાં વહેંચી દેનાર કૉંગ્રેસનો એક એક સિપાહી આજે રાહુલજીની દેશદાઝ અને સંવેદનશીલતા ને સલામ કરે છે. હવે મોદીજી આવતી કાલે જ તેમની દેશ વ્યાપી 15000 સ્થળોએ રાજકીય વિડિયો કોન્ફરન્સ કરવાના છે એ મોકૂફ રાખે છે કે પછી જેમ પુલવામામાં 42 જવાનોની શહીદી પછી જેમ તેમની રાજકીય રેલીઓ અને શૂટિંગ ચાલુ જ રાખ્યું હતું તેમ ચાલુ રાખે છે એ જોવાનું રહ્યું.

February 28, 2019
india-pak-army-compa.jpg
1min7650

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને દાવો કર્યો હતો કે ભારતના મીગ વિમાનને તોડી પાડ્યા બાદ બે પાયલટ તેમના કબ્જામાં છે. સાથોસાથ ચેતવણી આપી હતી કે અણુશસ્ત્રો ધરાવતાં બંને દેશ વચ્ચેની તંગદિલી દૂર કરવા વાતચીત કરવી જોઈએ.

ઇમરાન ખાને રાષ્ટ્રને સંબોધતા કહ્યું હતું કે ભારતના બે પાયલટ મીગ વિમાનને તોડી પાડ્યા બાદ બંને પાયલટ તેમના કબ્જામાં છે. અમારા દેશમાં પ્રવેશ કરશે તો સમાન પગલાં લેવાશે.

અગાઉ વિદેશ મંત્રાલયે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન હવાઈ દળે ભારતના મિલિટરી બેઝને લક્ષ્યાંક બનાવ્યો હતો, જ્યારે ભારતે આતંકવિરોધી કામગીરી હાથ ધરી હતી. ભારતનો એક પાયલટ લાપતા છે આ નિવેદન બાદ ઇમરાન ખાને સંબોધન કર્યું હતું.

તમામ યુદ્ધ ખોટી ગણતરીના આધારે શરૂ થયેલા છે. માનવના ભોગે યુદ્ધ લડાયા છે. પ્રથમ અને બીજું વિશ્ર્વયુદ્ધ હોય કે આતંક સામેના યુદ્ધમાં પણ એ જ સ્થિતિ હતી. બંને દેશોએ ડહાપણભર્યું પગલું લેવું જોઈએ. બંને પાસે અણુશસ્ત્રો છે. યુદ્ધ બંનેને પરવડે એમ છે? હાલની સ્થિતિ વણસશે તો નરેન્દ્ર મોદી કે ઇમરાન ખાનના હાથમાં કાંઈ અંકુશ રહેશે નહીં. આપણે બંને સાથે બેસીને વાતચીત કરીએ એવી ઓફર તેમણે મુકી હતી.

પુલવામા આતંકી હુમલા બાદ તપાસમાં સહકાર આપવા અમે ઓફર કરી હતી. બંને દેશો દાયકાઓથી યુદ્ધના કારણે અસરગ્રસ્ત થયેલા છે. ઉગ્રવાદીઓને તેમની જમીન વાપરવા દેવાથી પાકિસ્તાનના હિતમાં નથી.

ભારત તંગદિલીમાં વધારો કરશે તો પાકિસ્તાન તેનો જવાબ આપશે.