CIA ALERT

Alert Archives - Page 401 of 512 - CIA Live

March 5, 2019
twin1.jpg
1min15750

આજે પણ ઘણાં પરિવારો એવા જોવા મળે છે જેમને દિકરી નથી જોઇતી, દિકરાના જન્મે ખુશ થાય છે. આવા પરિવારોથી વિપરીત સુરતમા ંએક એવો પરિવાર છે કે જેણે પરિવારમાં ટવીન દિકરીઓના જન્મને વધાવવા માટે ઠાઠમાઠથી કાઢવામાં આવતા કોઇ વરઘોડાને ટક્કર મારે તેવી શોભાયાત્રા કાઢીને દિકરીઓને પરિવારમાં વધાવી લીધી હતી.

સુરતના એક જૈન પરિવારની આ કહાની છે. ટ્રાવેલિંગ બિઝનેસ સાથે સંકળાયેલા આશિષ જૈનના પરિવારમાં ટવીન દિકરીઓનો જન્મ થયો છે. આ દિકરીઓનું નામ આન્યા અને અનાયા રાખવામાં આવ્યું છે. સમાજમાં બેટી બચાવો અભિયાનનો ચોંટદાર પડઘો પડે તે માટે આશિષ જૈન અને તેમના પરિવારજનોએ ટવીન દિકરીઓના જન્મને વધાવવા માટે રવિવારે સવારે અઠવાલાઇન્સથી ટીમલિયાવાડ સુધી આકર્ષક સરઘસ કાઢ્યું હતું.

પહેલી નજરે આ સરઘસને જોનારાઓને એવું થઇ આવે કે હાલ ચાલી રહેલા લગ્ન પ્રસંગનો કોઇ વરઘોડો નીકળ્યો હોય. પરંતુ, તપાસ કરાતાં જાણવા મળ્યું કે જૈન પરિવારને ત્યાં પારણું બંધાયું અને પારણે ટવીન દિકરીઓ અવતરી છે. આ દિકરીઓના સન્માનમાં જૈન પરિવારો ઘોડાગાડી, બગી, ડીજે મ્યુઝિકના સથવારે સગાસબંધીઓ સાથે સરઘસ કાઢીને દિકરીઓના જન્મ પ્રસંગને આવકાર્યો છે.

 

March 5, 2019
mudra-yojana-hh_opt.jpg
1min7580

ICRAના અંદાજ પ્રમાણે મુદ્રા યોજના હેઠળની લોનની NPA 10-15 ટકાની રેન્જમાં છે, જે માર્ચ 2018માં સરકારે જાહેર કરેલા 5.39 ટકાના આંકડા કરતાં ઘણી વધારે છે

નરેન્દ્ર મોદીએ 2015માં યુવાનોને સ્વરોજગારી માટે સરળતાથી ધિરાણ મળે તે હેતુથી શરૂ કરેલી મુદ્રા લોન યોજના બેશક સારામાં સારી યોજના છે, શુદ્ધ હેતુથી મોદી સરકારે શરૂ કરેલી આ યોજના આજે બેંકોની એન.પી.એ વધારી રહી છે. આજે એ હાલત છે કે લોકોએ મુદ્રા લોન યોજના હેઠળ રૂ.10-10 લાખનું ધિરાણ લઇને તેની પરત ચૂકવણીમાંથી હાથ ઉંચા કરી દીધા છે. બેેંકો મુદ્રા યોજનામાં રિકવરી માટે મોટું અભિયાન ચલાવવું પડે તેવી સ્થિતિ છે. મોટા ભાગના લોનધારકોએ બેંકોનું કરી નાંખવાના ઇરાદે જ મુદ્રા યોજનામાં લોન લઇ લીધી હોવાનું જણાય આવે છે.

મુદ્રા લોનની રકમ નાની હોય છે. તેની ફાળવણી SME કેટેગરી હેઠળ વ્યક્તિ કે એન્ટિટીને કરવામાં આવે છે. લોનનો હેતુ કાર્યકારી મૂડીની સ્થિતિ સુધારવાનો તેમજ બેન્કિંગનો ઓછો વ્યાપ ધરાવતા SMEને ઔપચારિક ક્રેડિટ સ્ટ્રક્ચર હેઠળ લાવવાનો છે.

આ લોન અનસિક્યોર્ડ અને ઓછી રકમની હોય છે અને તેઓ મહદ્ અંશે પહેલી વખત લોન લેતા હોય છે. તેમની કોઈ ક્રેડિટ હિસ્ટરી હોતી નથી. રેટિંગ એજન્સીઝના જણાવ્યા અનુસાર મુદ્દા યોજના માટે અપાયેલી લોનના મુદ્દે ખાનગી બેન્કોની તુલનામાં PSU બેન્કોમાં NPAનું પ્રમાણ વધુ છે. કારણ કે PSU બેન્કોએ અગ્રિમતા ધરાવતાં સેક્ટર્સને ધિરાણના લક્ષ્યાંક પૂરા કરવા આ કેટેગરીમાં વધુ લોન આપવી પડે છે.

બેન્કર્સ અને રેટિંગ એજન્સીઝના જણાવ્યા અનુસાર પ્રધાન મંત્રી મુદ્રા યોજના હેઠળ અપાયેલી લોનનું NPAમાં રૂપાંતર થઈ રહ્યું છે. તેને લીધે આ સેગમેન્ટમાં એક્સ્પોઝર અંગે બેન્કોની ચિંતા વધી છે. રેટિંગ એજન્સીઝ ઇન્ડિયા રેટિંગ્સ અને ICRAના અંદાજ પ્રમાણે મુદ્રા યોજના હેઠળની લોનની NPA 10-15 ટકાની રેન્જમાં છે, જે માર્ચ 2018માં સરકારે જાહેર કરેલા 5.39 ટકાના આંકડા કરતાં ઘણી વધારે છે.

ઇન્ડિયા રેટિંગ્સના ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન્સના ડિરેક્ટર અને વડા પ્રકાશ અગરવાલે જણાવ્યું હતું કે, “લગભગ તમામ લોનમાં NPA ઊંચા છે, પણ ખાનગી બેન્કો આ પ્રકારના ધિરાણમાં વધુ સાવચેત રહી છે.”

RBIની 90 દિવસની લોન રિસ્ટ્રક્ચરિંગ જોગવાઈ ₹25 કરોડથી ઓછી રકમની લોનનું NPA તરીકે વર્ગીકરણ નહીં કરવાની છૂટ આપે છે. જોકે, માર્ચ 2020માં આ જોગવાઈ પૂરી થશે ત્યારે બેન્કોની NPAમાં ઉછાળો નોંધાશે. બેન્કોની ₹10 લાખથી ઓછી રકમની SME લોનને મુદ્રા સ્કીમ હેઠળ ઋણની રકમના આધારે ‘શિશુ’, ‘કિશોર’ અને ‘તરુણ’ નામની ત્રણ કેટેગરીમાં રિફાઇનાન્સ કરી શકાય.

SBIના એક સિનિયર બેન્કરે જણાવ્યું હતું કે, “આવી લોન જોખમી હોવાના કારણે તેમની એસેટની ગુણવત્તામાં ઘટાડો થઈ રહ્યો છે. નવા લોનધારકોને અપાતું 70 ટકાથી વધુ ધિરાણ PSU બેન્કો દ્વારા કરવામાં આવે છે. જેમાં મોટો હિસ્સો મુદ્રા પોર્ટફોલિયોનો હોય છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આવી લોન ઉત્પાદન નહીં, વપરાશના હેતુથી લેવાય છે અને એટલે તે જોખમી હોય છે. જોકે, PSU બેન્કોએ આવી લોન માટે વધુ સારી રિકવરી પ્રક્રિયા વિકસાવવી જરૂરી છે.”

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ 2015માં મુદ્રા સ્કીમ લોન્ચ કરી ત્યારથી આ યોજના હેઠળ ₹6 લાખ કરોડની લોન આપવામાં આવી છે. MSMEના કુલ બાકી ઋણમાં તેનો હિસ્સો લગભગ 10 ટકા છે. સરકાર 2017-’18માં મંજૂરી કરાયેલી ₹2.5 લાખ કરોડની લોન સામે 2018-’19માં ₹3 લાખ કરોડના ધિરાણનો લક્ષ્ય હાંસલ કરવા માંગે છે. તાજેતરના આંકડા મુજબ બેન્કોએ ચાલુ નાણાકીય વર્ષમાં ફેબ્રુઆરી સુધી ₹2.2 લાખ કરોડની લોન ફાળવી છે.

March 5, 2019
ai_news.jpg
1min8320

ચીનની ન્યુઝ એજન્સી શિન્હૂઆએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના માધ્યમથી ચાલતી પહેલી મહિલા ન્યૂઝ એન્કરને લાઈવ કરી દીધી છે. આ એઆઈ મહિલા એન્કરનું નામ શિન શિઓમેંગ છે. જેના ચહેરાના હાવભાવ અને બોડી લેંગવેજ માણસથી વધુ અલગ નથી.

મહિલા AI (Artificial Intelligence) એઆઈ શિન શિઓમેંગ સમાચાર એજન્સી શિન્હૂઆમાં બની એન્કર

રવિવારે પેઈચિંગમાં શરૂ થયેલી પોલિટિકલ મિટિંગ ટૂ સેશન દરમિયાન મહિલા એન્કરે 1 મિનિટ સુધી સમાચાર વાંચ્યા હતા. આ દરમિયાન એઆઈ શિઓમેંગે ગુલાબી કલરનો ડ્રેસ પહેર્યો હતો અને તેના ટૂંકા વાળમાં એક સાચી મહિલા એન્કર જેવી જ લાગતી હતી. હકીકતમાં શિઓમેંગ ચીનની ત્રીજી વર્ચુઅલ એન્કર છે. શિઓમેંગ પહેલા બે પુરુષ એઆઈ એન્કર લાઈવ આવી ચૂક્યા છે. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં એઆઈ ન્યૂઝ એન્કર ક્યૂ હાઓને ચીનમાં આયોજીત વર્લ્ડ ઈન્ટરનેટ કોન્ફ્રેન્સમાં રજૂ કરવામાં આવ્યો હતો. ક્યૂ હાઓ અત્યારસુધીમાં 3400 રિપોર્ટસ સાથે ક્રીન ઉપર 10,000 મિનિટ વિતાવી ચૂક્યો છે.

ન્યૂઝ એજન્સી શિન્હૂઆના કહેવા પ્રમાણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી ચાલતા જર્નાલિઝમ ઉપર ઘણા પ્રયોગો થયા બાદ પેઈચિંગની સોગોઉ ઈંક સાથે મળીને મહિલા એઆઈ એન્કર તૈયાર કરવામાં આવી છે. જે માણસો કરતા ઘણી બાબતોમાં વધુ સારી છે. જેમ કે તે થાક્યા વિના કલાકો સુધી સમાચાર વાંચી શકે છે અને તેનાથી પ્રોડક્શનના ખર્ચમાં પણ ઘટાડો થાય છે. એક દાવા પ્રમાણે શિઓમેંગ ન્યૂઝ ચેનલ, વેબસાઈટ અને સોશિયલ મીડિયામાં 24 કલાક સમાચાર વાંચવા સક્ષમ છે.

March 5, 2019
parliament-election.jpg
1min6930

8 કે 9 માર્ચે ચૂંટણીની તારીખોની ઘોષણા સંભવ

આગામી મે 2019માં નવી કેન્દ્ર સરકારની રચના કરવી હોય તો દેશના ચૂંટણી પંચે હવે પછી ગમે ત્યારે, આજે, કાલે કે ચાલુ સપ્તાહ દરમિયાન મોડામાં મોડું લોકસભાની ચૂંટણીની તારીખોનું એલાન કરી દેવું પડે તેમ છે. ભારત વિશાળ દેશ છે અને અહીં ચૂંટણી ત્રણ-ચાર નહીં પરંતુ 6થી7 તબક્કામાં યોજવી પડે તેમ છે, એક જ દિવસે સમગ્ર ભારતમાં ચૂંટણી કરાવવી શક્ય નથી, પરીણામે કેન્દ્રીય ચૂંટણી પંચે માર્ચના પ્રથમ કે મોડામાં મોડું દ્વિતીય સપ્તાહમાં તો લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી જ દેવી પડે છે.

લોકસભા ચૂંટણીને લઈને હાલ દેશભરમાં માહોલ ગરમ છે. ત્યારે અહેવાલો છે કે 8 માર્ચ કે 9 માર્ચ સુધીમાં લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ આચારસંહિતા લાગૂ પડી જશે.

થોડા સમય પહેલા કેન્દ્રીય ચૂંટણી પંચે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખીને જણાવ્યું હતું કે, 28 ફેબ્રુઆરી પહેલા બદલીઓની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવે.

વર્ષ 29014માં પાંચ માર્ચે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ હતી. જ્યારે વર્ષ 2009માં બીજી માર્ચે ચૂંટણીની તારીખો જાહેર થઈ હતી. જેથી આગામી ચૂંટણીનો કાર્યક્રમ ટુંક સમયમાં જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.

રાજકીય પંડિતો એવું ગણિત માંડી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસ દરમિયાન એકાદ બે દિવસમાં કેટલીક મહત્વની અને ટેકનિકલ જાહેરાતો કરી દીધા બાદ ચૂંટણી પંચ ગમે તે દિવસે લોકસભાની ચૂંટણીઓની તારીખોની ઘોષણા સાથે સમગ્ર દેશમાં ચૂંટણીની આચારસંહિતા લાગૂ કરી દેશે. આ જોઇને જ ગુજરાત સમેત અને રાજ્યોની સરકારોએ પોતાના અધિકારીઓની બદલીઓના ઓર્ડર જારી કરી દીધા છે, ખાસ કરીને પોલીસ તેમજ મહેસૂલી અધિકારીઓ કે જે ચૂંટણીઓ કરાવવા માટે તૈનાત કરવામાં આવશે તેમની બદલીઓ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં હજુ એકાદ બે દિવસમાં કેટલીક બદલીઓ થાય તેમજ કેટલીક નીતિ વિષયક ઘોષણાઓ કે જે સમાજના વિશાળ વર્ગને સ્પર્શતી હોય તેવી જાહેરાતો સંભવ મનાય રહી છે. ચૂંટણીની આચારસંહિતા લાગૂ થઇ ગયા બાદ મે મહિનાના અંત સુધી કોઇ નીતિ વિષયક ઘોષણાં, નવું કામ કે તેની જાહેરાત થઇ શક્શે નહીં.

દરમિયાન કોંગ્રેસના નેતા અહેમદ પટેલએ શિવરાત્રીના દિવસે કેટલીક ટ્વીટ કરી હતી એ સૂચક છે કે ચૂંટણીની તારીખોનું એલાન નજીક આવી રહ્યું છે.

ભાજપા તરફથી નેશનલ પ્રેસિડેન્ટ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર દેશમાં રેલી કરી રહ્યા છે, તો સામે પક્ષે કોંગ્રેસ રાહૂલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સમેત અનેક રેલીઓ કરીને ચૂંટણીનો પ્રચાર તો ક્યારનો શરૂ કરી દીધો છે. બન્ને મુખ્ય પક્ષો ઉપરાંત પ્રાદેશિક પક્ષો પણ લોકસભાની ચૂંટણી માટે લગભગ તૈયાર થઇ ચૂક્યા છે. આવી સ્થિતિમાં લોકસભાની ચૂંટણી 2019નો મહાસંગ્રામ ભારત માટે નિર્ણાયક બની રહે તો નવાઇ નહીં.

March 2, 2019
atf1.jpg
1min14020

આંતરરાષ્ટ્રીય સ્તરે તેલના ભાવમાં વધારો થતાં આજે જેટ ફ્યુઅલના ભાવમાં 8.1 ટકાનો તિવ્ર વધારો કરવામાં આવ્યો હોવાનું જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓએ જણાવ્યું છે. એવીએશન ટર્બાઇન ફ્યુઅલ વિમાનોમાં બળતણ તરીકે વપરાય છે અને તેના ભાવમાં તોતિંગ વધારો આગામી દિવસોમાં ડોમેસ્ટિક તેમજ આંતર રાષ્ટ્રીય સ્તરે ફ્લાઇટ્સની ટિકીટના ભાવ વધારામાં પરીણમશે. એવીએશન કંપનીઓએ આગામી એક સપ્તાહમાં જ ટિકીટના દરો વધારવાની યોજનાઓ ઘડી કાઢવા માંડી છે.

જાહેર માલિકીની કંપનીઓ દ્વારા આજે બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે નવી દિલ્હી ખાતે ઍવિયેશન ટર્બાઈન ફ્યુઅલ (એટીએફ)ના ભાવ કિલોલિટરદીઠ રૂ. 4734.15 અથવા તો 8.15 ટકા વધારીને રૂ. 62,795.12 નિર્ધારિત કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ચાર મહિનામાં પહેલી વખત ભાવમાં વધારો કરવામાં આવ્યો છે અને આ ભાવ અત્યાર સુધીની ઊંચી સપાટીએ રહ્યા છે.

નોંધનીય બાબત એ છે કે આંતરરાષ્ટ્રીય સ્તરના ફ્યુઅલના બૅન્ચમાર્ક ભાવની સરેરાશ અને આગલા મહિનાના આંતરરાષ્ટ્રીય વિનિમય દરને ધ્યાનમાં રાખીને દરેક મહિનાની પહેલી તારીખે એટીએફ અથવા તો જેટ ફ્યુઅલના ભાવમાં ફેરફાર કરવામાં આવે છે. આ પૂર્વે ગત પહેલી ફેબ્રુઆરીના રોજ ભાવ યથાવત્ રાખવામાં આવ્યા હતા અને તે પહેલા પહેલી જાન્યુઆરીના રોજ દર વિક્રમ 14.7 ટકા ઘટાડીને કિલોલિટરદીઠ રૂ. 9990 અને ડિસેમ્બરમાં દર 10.9 ટકા ઘટાડીને રૂ. 8327.83 નિર્ધારિત કરવામાં આવ્યા હતા.

March 2, 2019
farmers.jpg
1min12230

વીમા કંપનીએ ચલાવી ઉઘાડી લૂંટ : બે વર્ષમાં ખેડૂતોને ચૂકવાયો ફક્ત 32% પાક વીમો!

2017 અને 2018 દરમિયાન ગુજરાતના ખેડૂતોએ ખરીફ પાક, બાગાયતી પાક સહિત ઉનાળુ પાક માટે 9 જેટલી વીમા કંપનીઓને કુલ રૂા.6685 કરોડની રકમ પાક વીમા પ્રિમિયમ પેટે ચૂકવી હતી. પરંતુ ખેડૂતોનો ફક્ત રૂ. 2192 કરોડનો પાક વીમો પાક્યો છે. આમ ટકાવારીમાં વીમો ફક્ત 32 ટકા જ પાક્યો છે. વીમા કંપનીઓને 68 ટકા રકમનો તગડો નફો થઇ ગયો છે.

કૃષિપ્રધાન આર.સી.ફળદુએ’ ગુજરાત વિધાનસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમા જણાવ્યું’ કે, 2017 અને વર્ષ 2018 દરમિયાન ખેડૂતોના પાક વીમાના પ્રિમિયમ પેટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા 3 સરકારી અને 6 ખાનગી વીમા કંપનીઓને રૂા.6685 કરોડ ચુકવવામાં આવ્યા છે.

જેમાં એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કંપની લી.ને રૂા.1134 કરોડ, એચ.ડી.એફ.સી. અર્ગોને રૂા.1329 કરોડ, યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કાર્ગોને રૂા.31 કરોડ, ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સને રૂા.1619.60 કરોડ, ઇફકો ટોકિયો જનરલ ઇન્સ્યોરન્સને રૂા.276 કરોડ, એસબીઆઇ જનરલ ઇન્સ્યોરન્સને રૂા.426 કરોડ, ભારતી એક્સ જનરલ ઇન્સ્યોરન્સને રૂા.264 કરોડ, રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સને રૂા.998 કરોડ અને યુનિવર્સલ સેમ્પો જનરલ ઇન્સ્યોયન્સ કંપનીના રૂા.618 કરોડ મળીને કુલ રૂા.6685.60 કરોડ પ્રિમિયમ તરીકે ચુકવાયા છે.

ખેડૂતોના પાક નિષ્ફળ જવાને લઇને જે વીમાની રકમ ચુકવવાની હતી તે આ બે વર્ષ દરમિયાન માત્ર રૂા.2192 કરોડ ચુકવાઇ છે. જેમાં 3 સરકારી ઇન્સ્યોરન્સ કંપનીઓ એટલે કે એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કંપની ઓફ ઇન્ડિયા લી.દ્વારા રૂા.998 કરોડ, ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની દ્વારા રૂા.353 કરોડ, યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કોર્પોરેશન દ્વારા રૂા.38 કરોડ, જ્યારે ખાનગી વીમા કંપનીઓમાં એચડીએફસી અર્ગો જનરલ ઇન્સ્યોરન્સ દ્વારા રૂા.766 કરોડ, એસબીઆઇ જનરલ ઇન્સ્યોરન્સ દ્વારા રૂા.177 કરોડ જ્યારે ઇફકો ટોકીયો જનરલ ઇન્સ્યોરન્સ દ્વારા માત્ર રૂા.20.57 કરોડ ચુકવવામાં આવ્યા છે.

બહુચર્ચિત’ રફાલમાં જેમનું નામ ચમક્યું છે તે અનિલ અંબાણીની રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સને વર્ષ 2018 માટે રૂા.992 કરોડ, ભારતી એક્સ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીને વર્ષ 2018 માટે રૂા.264 કરોડ સહિત યુનિવર્સલ સેમ્યો જનરલ ઇન્સ્યોરન્સ કંપનીને વર્ષ 2018 પેટે રૂા.618 કરોડનું પાક વીમા પ્રિમિયમ ચુકવાયું છે અને આ પાક વીમા પ્રિમિયમ ખરીફ-2018 માટે ચુકવવામાં આવ્યું છે. ‘ ‘
એચડીએફસી અર્ગોને વીમા પ્રિમિયમ તરીકે સરકારે રૂા.1329 કરોડ ચુકવ્યા તેની સામે તેમણે દાવા રૂા766ના મંજુર કર્યા એટલે કે 50 ટકા જેટલા દાવા મંજુર થયા, બીજી રીતે કહીએ તો રૂા.563 રોડનો એચડીએફસી કાર્ગોએ નફો કર્યો. એવી જ રીતે ઇફકો ટોકીયોને વીમા પ્રિમિયમ પેટે રૂા.276 કરોડ ચુકવ્યા તો તેમણે દાવા માત્ર 20.57 કરોડના જ મંજુર કર્યા એટલે કે માત્ર 1 ટકા જ દાવા મંજુર થયા. એસબીઆઇ ઇન્સ્યોરન્સ કંપની પણ તેને ચુકવાયેલા પ્રિમિયમના 40 ટકા દાવા મંજુર કરતા તે પણ 60 ટકા જેટલી રકમ કમાઇ હોય તેવું અનુમાન મુકી શકાય છે.

March 2, 2019
atm_thief.jpg
1min6250

રાજકોટ સહિત ગુજરાતભરમાં અને મહારાષ્ટ્રમાં એટીએમ કાર્ડ બદલાવીને ચીટીંગ કરતા સુરતના ગઠિયાને ક્રાઈમબ્રાંચના સ્ટાફે બીજી વખત ઝડપી લીધો હતો અને કાર, રોકડ, મોબાઈલ સહિત રૂ.6.17 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સુરતી ગઠિયાનો પાલનપુર પોલીસે કબજો લેવા તજવીજ હાથ ધરી હતી.

સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતો ધીરજકુમાર મોહનલાલ પંચાલ નામનો અઠંગ ચીટર રાજકોટમાં સકિય બન્યો હોવાની ક્રાઈમબ્રાંચના પોલીસમેન કુલદીપસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ ઝાલા, જીગ્નેશભાઈ મારુ અને પ્રદિપસિંહ જાડેજા તથા વિક્રમભાઈ લોખીલને મળેલી બાતમીના આધારે પીઆઈ એચ.એમ. ગઢવીના માગદર્શન હેઠળ પોસઈ. બી.ટી. ગોહિલ તથા સ્ટાફે કોઠારિયા રોડ પરના રણુજા મંદિર પાસેથી સુરતના ધીરજ મોહનલાલ પંચાલ નામના શખસને ઝડપી લીધો હતો અને ક્રાઈમબ્રાંચે જુદી-જુદી બેંકના ર0 એટીએમ કાર્ડ તથા કાર અને મોબાઈલ અને રૂ.ર હજારની રોકડ મળી કુલ રૂ.6.17 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં સુરતના ધીરજ પંચાલે ચાર માસ પહેલા પાલનપુરમાં, સુરતમાં, અમદાવાદ, મહારાષ્ટ્ર, મોરબી, રાજકોટ, વાંકાનેર સહિતના શહેરોમાં 90થી વધુ એટીએમ કાર્ડ તફડાવીને નાણા ઉપાડી લઈ ચીટીંગ કર્યાની કબૂલાત આપી હતી. ધીરજ પંચાલ અગાઉ ગાંધીગ્રામ પોલીસમાં ર014ની સાલમાં પકડાઇ ચૂકયો છે. આ અંગેની જાણ થતા પાલનપુર પોલીસે ધીરજ પંચાલનો કબજો સંભાળવાની તજવીજ હાથ ધરી હતી.

March 2, 2019
abhinandan.jpg
1min5540

દુશ્મન દેશ પાકિસ્તાનના કબજામાંથી છૂટીને ભારત પાછા ફરેલા હવાઇદળના પાઇલટ વિંગ કમાંડર અભિનંદન વર્ધમાનનું શુક્રવારે મોડી રાતે સરહદ પરની અટ્ટારી – વાઘા સીમા પર ભવ્ય સ્વાગત કરાયું હતું. સ્વદેશ પાછા ફરેલા અભિનંદનના ચહેરા પર ખુમારી અને શૌર્ય છલકતાં હતાં. પાઇલટ અભિનંદન ભારતીય હવાઇદળના ગણવેશમાં નહિ, પરંતુ સ્યૂટમાં સજ્જ હતો. સરહદ પરની ઇમિગ્રૅશનની કાર્યવાહી પૂરી થયા બાદ તેને તાત્કાલિક તબીબી તપાસ માટે લઇ જવાયો હતો. અગાઉ, પાકિસ્તાને ભારતને અભિનંદન આપવામાં ઘણો વિલંબ કર્યો હતો. સરહદ સહિત દેશભરમાં ઉત્સવનું વાતાવરણ ઊભું થયું હતું. ફટાકડા ફોડવામાં આવ્યા હતા, મીઠાઇઓ વહેંચાઇ હતી અને ઢોલનગારાં વગાડવાની સાથે દેશભક્તિના નારા પોકારવામાં આવ્યા હતા. પાઇલટ અભિનંદનને સરહદ પર આવકારવા ભારતીય હવાઇદળ સહિત સુરક્ષા દળના અનેક ઉચ્ચ અધિકારીઓ, રાજકીય નેતાઓ અને સામાન્ય જનતા મોટી સંખ્યામાં હાજર રહી હતી.

પાઇલટ અભિનંદન ભારતને શુક્રવારે બપોરના જ મળવાનો હતો, પરંતુ પાકિસ્તાને અજાણ્યા કારણસર તેની સોંપણીમાં વિલંબ કર્યો હતો.

સરહદ પર પાઇલટ અભિનંદનને આવકારવા 20,000થી વધુ લોકો હાજર રહ્યા હતા. અનેકના હાથમાં

ત્રિરંગો ધ્વજ હતો. અહીં પ્રસારમાધ્યમના લોકો મોટી સંખ્યામાં મીટ માંડીને બેઠા હતા.

અગાઉ, અભિનંદને સરહદ પરની ઇમિગ્રૅશન ઑફિસ ખાતે સલામતીની કડક તપાસમાંથી પસાર થવું પડ્યું હોવાનું કહેવાય છે. આ ઉપરાંત, તેની તબીબી ચકાસણી પણ કરાઇ હતી.

પાકિસ્તાનના યુદ્ધવિમાનોને ભારતીય હવાઇસીમાથી દૂર રાખવાના પ્રયાસમાં પાઇલટ અભિનંદન પાકિસ્તાનના હાથમાં સપડાઇ ગયો હતો, પરંતુ જીનિવા કરારને કારણે ભારતીય પાઇલટની સોંપણી કરવા પાકિસ્તાનને ફરજ પડી હતી.

દેશમાં માત્ર સરહદ પરના જ નહિ, પરંતુ અંતરિયાળ વિસ્તારમાંના લોકો પણ પાઇલટ અભિનંદન વર્ધમાન પાછો ફરતા આનંદિત થઇ ગયા હતા.

ઘણી જગ્યાએ લોકો મોડી રાત સુધી અભિનંદનના ફૉટા અને બૅનર લઇને ભેગા થયા હતા. અનેક સ્થળે ફટાકડા ફોડાયા હતા, મીઠાઇઓ વહેંચાઇ હતી અને નાચગાન પણ કરાયું હતું.

અમદાવાદ સહિત ગુજરાતના અનેક સ્થળે ગરબા ગવાયા હતા, બેંગલોરમાં ડાન્સ કરાયો હતો, પુરીમાં રેતશિલ્પ તૈયાર કરાયું હતું અને ઘણી જગ્યાએ યજ્ઞ અને પૂજા-અર્ચના કરાઇ હતી.

અટ્ટારી સીમાથી અંદાજે 30 કિલોમીટર દૂર આવેલા અમૃતસર સુધીના માર્ગ પર લોકો અને વાહનોની ભારે ભીડ જામી હતી.

March 1, 2019
gseb-1280x720.jpg
1min8680

ગુજરાત બોર્ડે ધોરણ 10 અને 12ની પરીક્ષાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. સાથે જ પરીક્ષાને લઈને જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે.

રાજ્યમાં 7 માર્ચથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. જે 23 માર્ચ સુધી ચાલશે. ધોરણ 10 અને ધોરણ 12ના તમામ પ્રવાહની પરીક્ષા નિયત પરીક્ષા કેન્દ્રોમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય તે માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પરીક્ષા દરમિયાન આસપાસના વિસ્તારમાં પરવાનગી વગર ચાર કરતા વધુ માણસોને એકઠા થવા પર, સભા ભરવા પર કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સાથે જ આસપાસમાં ઝેરોક્સની દુકાનો પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

પરીક્ષાર્થીઓ માટે માર્ગદર્શન
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તારીખ સાતમી માર્ચ 2019થી ધો.10 અને ધો.12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે બોર્ડે પણ પરીક્ષાર્થીઓ માટે ખાસ માર્ગદર્શિકા પણ જાહેર કરી છે.

  • વિદ્યાર્થીએ પોતાની મુખ્ય ઉત્તરવહી ઉપર વિષયના નામની આગળ પ્રશ્નપત્રમાં દર્શાવેલ વિષય કોડ નંબર અવશ્ય લખવો. 
  • વિદ્યાર્થીએ ઉત્તરવહીના મુખ્ય પાના ઉપર કોઇપણ પ્રકારની ઓળખ નિશાની કરવી નહીં. 
  • પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષા શરૂ થવાના સમયથી ૩૦ મિનિટ પરીક્ષા સ્થળે અચૂક પહોંચી જવું. જયારે બાકીના દિવસોએ ૨૦ મિનિટ અગાઉ હાજર થઇ જવું. 
  • OMR ઉત્તરપત્રિકામાં યોગ્ય ખરા વર્તુળને પૂર્ણ કરવા જેમાં ફકત કાળી/ભૂરી બોલપેનનો જ ઉપયોગ કરવો.
  • પ્રશ્નપત્રને લગતું કોઇપણ સાહિત્ય, પુસ્તક, ગાઇડ, ચાર્ટ તેમજ મોબાઇલ ફોન, ડિજિટલ ઘડિયાળ જેવા ઇલેકટ્રોનિક સાધનો વગેરે પરીક્ષા સ્થળ અને પરીક્ષા ખંડમાં લઇને જવું નહીં . 
  • માત્ર સાદું કેલકયુટર સાથે રાખી શકાશે. 
  • પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ છે.
March 1, 2019
abhinandan.jpg
1min10350
  • પાકિસ્તાનના અતિશય અને અસહ્ય વિલંબ સામે ભારતમાં જબરદસ્ત આક્રોશ
  • લોકોએ સોશ્યલ મિડીયામાં પાકિસ્તાનીઓની ખબર લઇ નાખી
  • બિનજરૂરી કાર્યવાહીઓના બહાને અભિનંદનને વાઘા બોર્ડર પરના પાકિસ્તાની ઠાણામાં બેસાડી રખાયો
  • તા.1લી માર્ચે 2019ના રોજ સાંજે 7.30 વાગ્યા સુધી હેન્ડ ઓવર ન કરાયો અભિનંદનને

ઇન્ડિયન એરફોર્સના વીંગ કમાન્ડર અભિનંદન વર્થમાનને ભારતને સોંપવામાં પાકિસ્તાને પોતાના સ્વભાવ મુજબ આડાઇ કરીને તા.1લી માર્ચ 2019નો આખો દિવસ ખેંચી કાઢ્યો હતો. વાઘા બોર્ડર પર પહોંચ્યા પછી પણ બે કલાક સુધી અભિનંદનને પાકિસ્તાને પોતાની કચેરીના કોન્ફરન્સ રૂમમાં બેસાડી રાખ્યો હતો. પહેલા ઇમિગ્રેશન, બાદમાં મેડીકલ ચેકઅપ અને એ પછી ટી ડિપ્લોમસીમાં પાકિસ્તાની અધિકારીઓએ એટલો ટાઇમ પાસ કર્યો કે બીજી તરફ ભારતમાં અભિનંદનના આગમનની રાહ જોઇ રહેલા કરોડો લોકોની ધીરજ ખૂટી જવા પામી હતી. વાઘા  બોર્ડર પર હજારો લોકો, અમૃતસર રોડ પર લાખો લોકો અને ટેલિવિઝન સામે કરોડો લોકો અભિનંદનના ભારત આગમનની રાહ જોઇને આખો દિવસ બેસી રહ્યા. સાંજે સવા સાત વાગ્યા સુધી પાકિસ્તાન દ્વારા અભિનંદનને રિલીઝ કરવામાં આવ્યો ન હતો. બીજી તરફ પાકિસ્તાન દ્વારા સમગ્ર દુનિયાને આ ઘટનાની જાણ થાય તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. પાકિસ્તાની આર્મીએ અભિનંદનની સોંપણીની ઘટના અંગે દુનિયાભરના દેશોના અધિકૃત વ્યક્તિઓને ટ્વીટ કરીને સંદેશા પાઠવ્યા હતા. પરંતુ, વાઘા બોર્ડર પરથી ભારતને સોંપવામાં અતિશય વિલંબ કરવામાં આવી રહ્યો હતો.

તા.1લી માર્ચ 2019ની સાંજે સવા સાત વાગ્યે આ લખાઇ રહ્યું હતું ત્યારે સમગ્ર ભારતમાં મિડીયા, ટેલિવીઝન, સોશ્યલ મિડીયા વગેરે પર લોકો પાકિસ્તાનની વિલંબીત નીતિની ભારોભાર ટીકા કરતા સંદેશાઓ પાઠવી રહ્યા હતા.

અભિનંદન ભારત પરત ફરી સીધા પરિવારને નહીં મળી શકે

યુદ્ધ કેદીઓને જ્યારે કોઈ દેશ પરત કરે છે ત્યારે દેશના મુક્ત થયેલા જવાનને કેટલાક જરૂરી નિયમોનું પાલન કરવું પડે છે. જેને પગલે બોર્ડર પરથી વાપસી થયા બાદ અભિનંદન સીધા તેમના પરિવારને નહીં મળી શકે.  આર્મીના પ્રોટોકોલ મુજબ અભિનંદનને જ્યારે અટારી બોર્ડરથી ભારત લાવામાં આવશે ત્યારે એરફોર્સના વરિષ્ઠ અધિકારીઓની ટીમ તેને ભારતમાં આવકારશે અને ત્યારબાદ પ્રોટોકોલ મુજબ તેનું મેડિકલ પરિક્ષણ કરવામાં આવશે અને તેની જરૂરી પૂછપરછ પણ થશે. પહેલાના નિર્ધારિત કાર્યક્રમ મુજબ અભિનંદન મોડી રાત્રે 8 વાગ્યાના અરસામાં દિલ્હી પાલમ એરબેઝ પર પહોંચી જશે એ ગણતરીએ કાર્યક્રમો ઘડવામાં આવ્યા હતા. પરંતુ, પાકિસ્તાન તરફથી અભિનંદનને સોંપવામાં થયેલા અતિશય અને અસહ્ય વિલંબને કારણે તમામ કાર્યક્રમો રિશિડ્યુલ્ડ કરાયા હતા.

પાકિસ્તાનના ડોક્ટરની હાજરીમાં અભિનંદનનું મેડીકલ ચેકઅપ થયું

ભારતના વીંગ કમાન્ડર અભિનંદન વર્થમાનનું ભારતમાં લગભગ 5.40 મિનીટે આગમન થઈ ચૂક્યું હતું. અટારી વાઘા બોર્ડર ખાતે ભારતીય એરફોર્સના અધિકારીઓએ પાકિસ્તાની સૈન્ય અધિકારીઓની હાજરીમાં અભિનંદનને રિસીવ કર્યા હતા. જ્યાં રિસીવ કરવામાં આવ્યા ત્યાં જ પાકિસ્તાનના તબીબની હાજરીમાં ભારતીય સૈન્યના તબીબોએ અભિનંદન વર્થમાનનું મેડીકલ ચેક અપ કરવામાં આવ્યું હતું. મેડીકલ ચેક અપ દરમિયાન અભિનંદનના  બોડી ફિઝિકલ પેરામીટર્સ નોર્મલ જણાયા હતા. એ પછી તેના મુક્તિ અંગેના પેપર્સ પર સહી સિક્કા કરવામાં આવ્યા હતા. સાંજે 6 વાગ્યાના અરસામાં અભિનંદનને ભારતીય અધિકારીઓ દ્વારા અધિકૃત રીતે રિસીવ કરવામાં આવશે.

ઇન્ડિયન એરફોર્સના વીંગ કમાન્ડર અભિનંદન વર્થમાનનું ભારતીય ભૂમિ પર પગ મૂકતાની સાથે જ જાણે વાઘા બોર્ડર જીવંત બની હતી, લોકોએ ભારત જીંદાબાદ, અભિનંદન જીંદાબાદના નારા લગાવીને પ્રચંડ સૂત્રોચ્ચાર કર્યો હતો.

એ પૂર્વેનો ઘટનાક્રમ

દિલ્હી આવશે અભિનંદન

અમૃતસરના ડેપ્યૂટી કમિશ્નર શિવ દુલાર સિંહ ઢિલ્લો એ કહ્યું કે વિંગ કમાંડર અભિનંદન આજે સીમા પારથી પાછા આવી રહ્યા છે. તેઓ ક્યારે પાછા આવશે તેનો કોઈ સમય નિશ્ચિત નથી. ભારતીય વાયુસેનાના એક વરિષ્ઠ અધિકારી દિલ્હીથી અહીં પહોંચ્યા છે, તેઓ અભિનંદનને રિસીવ કરશે. તેમને દિલ્હીના પાલમ ટેક્નિરલ એરિયામાં લાવવામાં આવશે. વિંગ કમાંડર પહેલા ભારતીય વાયુસેનાના અધિકારીઓ અને અન્ય એજન્સીઓને મળશે

લાહોરથી રવાના થયા અભિનંદન

અભિનંદર લાહૌરથી ભારત આવવા માટે રવાના થઈ ગયા છે. અહીં ભારતીય વાયુસેનાના અધિકારીઓની એક ટીમ તેમને રીસિવ કરશે. સાથે જ અભિનંદનના માતા-પિતા પણ ત્યાં પહોંચ્યા છે. જેમનું પહેલા દિલ્હીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.

વાઘા બૉર્ડર પર બીટિંગ રિટ્રીટ કેન્સલ

વિંગ કમાંડર અભિનંદનની મુક્તિને જોતા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. અટારી બૉર્ડર પર આજે થનારી બીટિંગ રિટ્રીટ કેન્સલ કરવામાં આવે છે. વિંગ કમાંડર અભિનંદનના પાછા આવવાના અહેવાલો આવતા જ અટારી બૉર્ડર પર ભીડ એકઠી થઈ ગઈ હતી. જેને જોતા આ નિર્ણય લેવાયો છે.