વડોદરામાં ૩૧મી જુલાઇએ આવેલા ભયાનક પૂર બાદ આજ સુધીમાં ૩૫ મગરને રેસ્કયુ કરવામાં આવ્યા છે. વન ખાતાએ જણાવ્યા અનુસાર વડોદરામાં ભારે વરસાદ બાદ વિશ્ર્વામિત્રી નદીમાં આવેલા વિનાશક પૂરને કારણે વડોદરાના વિવિધ વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા, જેના પરિણામે વિશ્ર્વામિત્રી નદીમાં રહેતા મગરો પણ શહેરમાં આવી પહોંચ્યા હતા.
૩૧ જુલાઈથી ૧ ઑગસ્ટ સુધીમાં વડોદરામાં ૫૦૦ મિ.મી. વરસાદ પડી ચૂક્યો હતો અને વડોદરા શહેર પાણીમાં ગરકાવ થયું હતું. વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ભરાયેલા પાણીમાં મગર દેખાવા લાગતા ભયનો માહોલ સર્જાયો હતો. ૮ ઑગસ્ટ સુધીમાં વડોદરાના વિવિધ વિસ્તારોમાંથી ૨૨ મગરને પકડવામાં આવ્યા હતા. ત્યાર બાદ પણ જુદા જુદા સ્થળેથી ૧૩ મગર રેસ્કયુ કરવામાં આવ્યા છે. વડોદરા વન વિભાગના અધિકારી નિધી દવેએ જણાવ્યું છે કે, વડોદરા જંગલ વિભાગ ઉપરાંત એનડીઆરએફની કુશળ ટીમ અને અન્ય એનજીઓના કાર્યકરો પણ મગર રેસ્કયુ ઓપરેશનમાં જોડાયા હતા. વિશ્ર્વામિત્રી નદી વડોદરાની મધ્યમાંથી પસાર થઈ ધાધર નદીને મળે છે. માનવામાં આવે છે, કે બન્ને નદીઓ મગરનું મુખ્ય રહેઠાણ છે. આશરે ૨૫૦ જેટલા મગર બન્ને નદીઓમાં રહે છે. વડોદરાના કલાલી ગામ ઉપરાંત સેન્ટ્રલ જેલના કમ્પાઉન્ડ, ફતેહગંજ, સયાજીગંજ, રાજમહેલ રોડ તેમજ એકોટા વિસ્તારમાંથી મગર પકડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
વિજ્ઞાન પ્રવાહના સૌથી વધુ વિદ્યાર્થીઓ સુરત શહેરમાંથી પાસ થતાં હોઇ, કેટલાક ધંધાદારી લોકોએ સુરતમાં એવું વિચારીને કોલેજો શરૂ કરી દીધી કે વિદ્યાર્થી સંખ્યા મળી જશે અને દુકાન ચાલવા માંડશે. પરંતુ, ઢંગધડાવગરની કોલેજો શરૂ કરનારા સંચાલકોને પ્રવેશાર્થીઓ એવી ખો ભૂલાવી રહ્યા છે કે ધંધાદારીઓની દુકાન બંધ થવા માંડી છે. જેમકે એન્જિનિયરિંગમાં જેમની 85 ટકા સીટો ખાલી પડી રહી છે એ ભગવાન મહાવીર ગ્રુપના સંચાલકોની દાનત પારખી ગયેલા વિદ્યાર્થીઓએ આર્કિટેક્ચર પ્રવેશમાં પણ તેમને જાકારો આપ્યા છે.
તાજેતરમાં રાજ્ય સરકારની પ્રવેશ સમિતિએ ફર્સ્ટ ઇયર બી.આર્ક કોલેજમાં પહેલા રાઉન્ડમાં ફાળવેલા પ્રવેશની માહિતી રજૂ કરી હતી. જેમાં ભગવાન મહાવીર ગ્રુપની મહાવીર સ્વામી આર્કિટેક્ચર કોલેજમાં ફક્ત બે વિદ્યાર્થીઓએ ચોઇશ ફિલિંગ કરી હતી અને બન્નેને પ્રવેશ મળ્યા છે એ સિવાય આ કોલેજની 96 ટકા સીટો ખાલી પડવા પામી છે.
ભગવાન મહાવીર આર્કિટેક્ચર કોલેજની કુલ 95માંથી 85 સીટો ખાલી
એવી જ રીતે ભગવાન મહાવીર ગ્રુપની બીજી આર્કિટેક્ચર કોલેજ ભગવાન મહાવીર આર્કિટેક્ચર કોલેજમાં સ્ટેટ ક્વોટાની 95 બેઠકો પૈકી માંડ 10 વિદ્યાર્થીઓએ ચોઇશ ફિલિંગ કરતા તમામ દસેદસને પ્રવેશ મળી ગયો છે. આ કોલેજમાં 90 ટકા બેઠકો ખાલી પડી રહી છે.
ગુજરાતી એકમાત્ર મહિલા આર્કિટેક્ચર કોલેજ સુરતની વિદ્યામંદિર કોલેજમાં 4 પ્રવેશાર્થી
એવી જ રીતે મહિલાઓ માટેની આખા રાજ્યની એકમાત્ર સુરતની વિદ્યામંદિર વિમેન્સ આર્કિટેક્ચર કોલેજમાં સંચાલકો અને અધ્યાપકોની જોહુકમીઓથી કંટાળી ગયેલી સિનિયર વિદ્યાર્થીઓના અનુભવો જાણ્યા બાદ આ કોલેજમાં નવા વર્ષમાં કોઇ પ્રવેશ લેવાલ નથી. વિદ્યામંદિર વિમેન્સ કોલેજમાં કુલ 48 સીટ પૈકી ફક્ત 4 વિદ્યાર્થિનીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. આ કોલેજની પણ 92 ટકા સીટો ખાલી પડી રહેવા પામી છે. વિદ્યામંદિર કોલેજ માટે તો એવું સંભળાય છે કે આ કોલેજના અધ્યાપકો તીસમારખાં હોય એ રીતે વિદ્યાર્થિનીઓને પરેશઆન કરવામાં કશું બાકી રાખતા નથી. ભૂતકાળમાં અનેક વખત ગંભીર ફરીયાદો ઉઠી ચૂકી છે છતાં સંચાલકોએ અધ્યાપકોની સામે પગલાં ભરવાને બદલે વિદ્યાર્થિનીઓના પેરેન્ટ્સને બોલાવીને મોઢું બંધ કરાવી દેવાના ધંધા કર્યા હતા હવે એ સંચાલકોને પણ પ્રવેશાર્થીઓની ભીખ માંગવા જવું પડે છે.
ભગવાન મહાવીર અને વિદ્યામંદિર વિમેન્સ બન્ને કોલેજોના સંચાલકોની કુલ ત્રણ આર્કિટેક્ચર કોલેજો મળીને રોકડા 16 પ્રવેશાર્થીઓ ફાળવાયા છે. આ 16માંથી કેટલા પ્રવેશ લે છે એ પણ જોવાનું રહે છે.
ગજેરા બંધુઓની લક્ષ્મી વિદ્યાપીઠમાં એકપણ પ્રવેશાર્થી નહીં
સુરતના ગજેરા બંધુઓએ વલસાડ નજીક સ્થાપેલી લક્ષ્મી વિદ્યાપીઠની હાલત બી.આર્ક.ની પ્રવેશ કાર્યવાહીમાં સૌથી કંગાળ રહી છે. લક્ષ્મી વિદ્યાપીઠની આર્કિટેક્ચર કોલેજમાં કુલ 29 સીટ પર પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, 29 પૈકી 29 સીટો પહેલા રાઉન્ડના અંતે ખાલી પડી રહેવા પામી છે.
દક્ષિણ ગુજરાતની આર્કિટેક્ચર કોલેજોમાં પહેલા રાઉન્ડના અંતે પરિસ્થિતિ
કોલેજનું નામ
સ્થળ
કુલ સીટ
પ્રવેશ ફાળવણી
ખાલી બેઠકો
સ્કેટ કોલેજ
સુરત
75
75
0
જીસી પટેલ, વીર નર્મદ યુનિ
સુરત
95
93
2
ભગવાન મહાવીર કોલેજ
સુરત
95
10
85
રમણ ભક્તા કોલેજ
બારડોલી
71
21
50
લક્ષ્મી વિદ્યાપીઠ
વલસાડ
29
0
29
વિદ્યામંદિર વિમેન્સ કોલેજ
સુરત
48
4
44
મહાવીર સ્વામી કોલેજ
સુરત
48
2
46
પી.પી.સવાણી યુનિ.
કોસંબા
38
11
27
ગુજરાતની આર્કિટેક્ચર કોલેજોમાં પહેલા રાઉન્ડના અંતે પરિસ્થિતિ
રક્ષાબંધન હવે મોટા ભાગે મીઠાઇઓનો તહેવાર બની ગયો છે અને હાલ મંદીનો માહોલ છે ત્યારે આ વખતે 2019ના રક્ષાબંધન પર્વે સૌથી વધુ જો કોઇ મીઠાઇએ વેચાઇ હોય તો એ મોંઘીદાટ બ્રાન્ડેડ નહીં પણ અનબ્રાન્ડેડ એટલે કે ગૃહ ઉદ્યોગની, સોસાયટી, મંડળ, સંગઠનોએ બનાવેલી મીઠાઇઓ વધુ વેચાઇ હોવાના અહેવાલો મળ્યા છે.
આ રક્ષાબંધને બજારમાં મંદીનો માહોલ હોઇ, સુરતીઓએ મોંઘીદાટ બ્રાન્ડેડ મીઠાઇઓ ખરીદવા કરતા સ્વૈચ્છક સંસ્થાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી તાજી, ફ્રેશ, ગુણવત્તાસભર અને વ્યાજબીભાવની હોમ મેડ સ્વીટ્સ ખરીદીને રક્ષાબંધનની ઉજવણ કરી હતી. (સાંકેતિક ફોટો)
શહેરમાં જુદી જુદી ક્લબ, સોસાયટીઓ, મંડળો, સંગઠનો, ગ્રુપ્સ વગેરે દ્વારા પહેલા ઘારી પોતાના સભ્યો માટે બનાવવાનો રિવાજ હતો, પરંતુ, મંદીના માહોલમાં મધ્યવર્ગીય, ગરીબ પરિવારોને સસ્તાદરે, સારી ક્વોલિટીની મીઠાઇઓ મળી રહે તે માટે આ રક્ષાબંધન જુદી જુદી મીઠાઇઓ બનાવીને વેચવા મૂકી હતી અને સૌના આશ્ચર્ય વચ્ચે મંડળો, સંગઠનોએ બનાવેલી મીઠાઇઓ ધૂમ ઉપડી હતી.
બ્રાન્ડેડ મીઠાઇઓ કરતા ગૃહ ઉદ્યોગ સ્વરૂપે સોસાયટીઓ, મંડળો, સંગઠનોએ બનાવેલી મીઠાઇઓ રૂ.150થી રૂ.300 સુધી પ્રતિ કિલોએ સસ્તી પડી હતી. બજારમાં બ્રાન્ડેડ મીઠાઇ શોપવાળાઓએ કાજુ ફેન્સીનો ભાવ રૂ.800 પ્રતિ કિલોથી સ્ટાર્ટ કરી દીધો હતો, જ્યારે આ બ્રાનડેડ મીઠાઇઓ કરતા પણ સારી ક્વોલિટીની, તાજી બનાવેલી મીઠાઇઓ સોસાયટીઓ, મંડળોએ રૂ.625થી રૂ.650 પ્રતિ કિલોના ભાવે વેચી હતી. એવી જ રીતે જુદી જુદી જાતના હલવા અને બરફી તેમજ પેંડા પણ હોમ મેડ ખૂબ ઉપડ્યા હતા.
શહેરના લાલદરવાજા ખાતે કાર્યરત યુવક મંડળે 1600 કિલો જેટલી ચોકલેટ બરફી બનાવી હતી, તેમણે જણાવ્યું કે કમસેકમ 2000 ફેમિલીઓએ તેમની બનાવેલી ચોકલેટ બરફીથી મ્હો મીઠું કરાવીને બળેવ ઉજવી હતી. સંસ્થાના કાર્યકર્તા બળવંત પટેલે જણાવ્યુ કે તેમણે બે દિવસ પૂર્વે બનાવી હતી મીઠાઇ, અગાઉથી 1200 કિલોનો ઓર્ડર બુક થઇ ગયો હતો. રક્ષાબંધની પૂર્વ સંધ્યાએ મીઠાઇ ખલ્લાસ થઇ ગઇ હતી અને લોકોને વધુ કમસેકમ 300 કિ.ગ્રા. મીઠાઇ જોઇતી હતી એટલી ડીમાંડ નીકળી હતી.
એવી જ રીતે અંબાજી રોડ પર વયસ્કોના એક ગ્રુપએ કાજુકતરી તૈયાર કરી હતી. પોતાના મેમ્બર્સ માટે અંદાજે 1000 કિ.ગ્રા. બનાવવાનું પ્લાનિંગ હતું પરંતુ, જેમ જેમ બુકિંગ અંગે લોકોને ખબર પડતી ગઇ આ ગ્રુપએ 2500 કિ.ગ્રા.થી વધુની કાજુકતરી બનાવવી પડી. રૂ.650 પ્રતિ કિલોએ તેમણે બનાવેલી કાજુકતરી લેવા માટે છેક ભરૂચ અને વલસાડથી લોકો આવ્યા હતા.
સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા તૈયાર થતી મીઠાઇઓ ફ્રેશ, ગુણવત્તાવાળી અને વ્યાજબી ભાવની હોય છે
હાલ જે રીતે મંદીનો માહોલ છે અને સુરતના બજારોમાં કેટલીક બ્રાન્ડેડ કહેવાતી મીઠાઈ શોપ્સના માલિકોએ જાણે રાતોરાત બંગલા બાંધી દેવાના હોય એ રીતે મીઠાઇઓના ભાવો વધારી દીધા છે, આવી સ્થિતિમાં મધ્યમવર્ગે આ રક્ષાબંધન પર્વની ઉજવણી જુદી સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા બનાવવામાં આવેલી મીઠાઈઓથી ઉજવી હતી.
જે રીતે રક્ષાબંધને બ્રાન્ડેડ મીઠાઇઓ કરતા સ્વૈચ્છીક સંસ્થાઓએ બનાવેલી મીઠાઇઓની બજારમાં ભારે માંગ હતી અને લગભગ દરેક મંડળો, સંગઠનોએ બનાવેલી તમામ મીઠાઇઓ આ વખતે વેચાઇ ગયા પછી પણ ડિમાંડ નીકળી હતી એ જોતા હવે આગામી તહેવારોની મોસમમાં ખાસ કરીને ચંદી પડવાએ અને દિવાળીના તહેવારોમાં પણ મધ્યમવર્ગીય સુરતીઓ સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી મીઠાઇઓ જ ખરીદશે એમ મનાય છે.
હા, એ વાત ચોક્કસ છે કે કેટલાક હાઇફાઇ લોકોએ બ્રાન્ડેડ મીઠાઇઓવાળાને ત્યાં મીઠાઇના આકર્ષક પેકેટસ ખરીદવા માટે પડાપડી કરી હતી, પરંતુ, એ પણ ફક્ત જ્યાં દેખાડો કરવાનો છે એ માટે જ. મોટા ભાગના બ્રાન્ડેડ મીઠાઇવાળાઓ આકર્ષક પેકિંગમાં દિવસો પહેલા તૈયાર કરી દેવાતી મીઠાઇઓ તહેવારોની ભીડમાં લોકોને પધરાવી દેતા હોય છે. એટલા માટે જ સુરત મહાનગરપાલિકાએ રક્ષાબંધન પર્વ અગાઉ શહેરની કહેવાતી બ્રાન્ડેડ મીઠાઇઓની દુકાનો પર ચેકિંગ કરીને સેમ્પલો લીધા હતા.
તાજેતરમાં માંડવી તાલુકાના બિદડા ખાતે યોજાયેલા કૃષિ મહોત્સવ અને પરિસંવાદમાં રાજ્યપ્રધાન વાસણ આહીરે કેન્દ્ર સરકારના પૂર્વ પ્રધાન અરુણ જેટલીને બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ પાઠવી દીધી હતી.
સ્વતંત્રતા પર્વે જાહેર કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડએ કાશ્મીરની કલમ 370ની જગ્યાએ 170 કહીને ભાંગરો વાટ્યો અને અમીત શાહની જગ્યાએ નીતિન પટેલના નામોલ્લેખ કરીને હાંસીપાત્ર બન્યા હતા.અગાઉ ગુજરાત સરકારના મંત્રી વાસણ આહિરે એક જાહેર કાર્યક્રમમાં જીવીત અરુણ જેટલીને શ્રદ્ધાંજલી પાઠવી દીધી હતી.
ગુરુવારે ગુજરાત સરકારના પશુપાલન પ્રધાન બચુ ખાબડે ભાંગરો વાટ્યો હતો. પંચમહાલ જિલ્લાના શહેરમાં ૭૩મા સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારના પ્રધાન બચુ ખાબડની જીભ બે વખત લપસી હતી. બચુ ખાબડે જાહેરસભામાં ૩૭૦ને બદલે ૧૭૦ની કલમ રદ્દ કરીને તેમ જણાવીને ભાંગરો વાટ્યો હતો. ત્યાર બાદ બીજી વખત પત્રકારો સાથેની વાતચીતમાં બચુ ખાબડે કહ્યુ હતું કે, આ દેશ પૂરા વિશ્ર્વમાં મહાસત્તા બને તે દિશા તરફ વડા પ્રધાન મોદી અને દેશના અમારા ગૃહ પ્રધાન નીતિન પટેલ બંને ગુજરાતના સપૂતોની નેતૃત્વમાં દેશ વિકાસની તરફ આગળ જઇ રહ્યું છે. આમ બચુ ખાબડે દેશના ગૃહ પ્રધાન અમિત શાહના બદલે નીતિન પટેલ કહીને ભાંગરો વાટ્યો હતો.
બારડોલીના સાગર ઠાકર અને તેમના પુત્રો રૂદ્રાક્ષ અને રિધાન એ સ્વતંત્રતા પર્વે અનેરું સાહસ ખેડીને સોનગઢથી બારડોલી સુધીના 73 રનિંગ કિલોમીટર લાંબા રૂટ પર નોનસ્ટોપ સ્કેટિંગ ચલાવીને વિક્રમ સર્જ્યો છે.
આજકાલ કેટલો ડિજિટલ જમાનો છે… છોકરાઓ રડે તો આપણે એમને ફોન આપી દઈએ છીએ, છોકરી કે છોકરો જમે નહીં તો ફોન આપી દઈએ છીએ, ઘણી વખત તો મમ્મી કે પપ્પા પોતે કામમાં એટલા વ્યસ્ત હોય છે કે બાળકોને ફોન આપી પોતે સ્વતંત્ર થઈ જાય છે. ‘બહાર રમવા નથી જવાનું લે આ મોબાઈલ લે’ આવા શબ્દો નો પ્રયોગ આજકાલ વધી રહ્યો છે?
બારડોલીના સાગર ઠાકર તેમના પુત્રો રુદ્રાક્ષ અને રિધાનએ 14મી ઓગસ્ટ એ વ્યારાથી શરુ કર્યું હતું મિશન લોંગેસ્ટ સ્કેટિંગ
મોબાઇલથી થતી માઠી અસરથી આપણે સૌ પરિચિત છીએ, એના માટે કોઈ લાંબો લેખ લખવાની જરૂર નથી. બાળકોની કેળવણીમાં આજકાલ મોબાઈલ ખૂબ અગત્યનો બનતો જણાતો જાય છે? શું મોબાઈલ વગર બાળકોને કોઈ બીજી પ્રવૃત્તિમાં વ્યસ્ત ના રાખી શકાય? બાળકોને મોબાઈલથી દૂર રાખવાં માટે બાળકોને મનગમતી પ્રવૃત્તિ કરાવી શકાય. પિતા એક એવા વ્યક્તિ હોય છે જે પોતાના બાળકોને પોતાનાથી એક ડગલું આગળ જોવા ઇચ્છતા હોય છે, પિતાનું અનુકરણ બાળકો હંમેશા કરતા હોય છે તેથી જ પિતાની એક ફરજ છે કે બાળકોને કંઈક એવી પ્રવૃત્તિ તરફ વળાવવા કે તેઓમાં નાનપણથી જ સાહસ અને ધગશ બંને વધે. આ કોન્સેપ્ટ ને ધ્યાનમાં રાખી સરદાર નગરી બારડોલીનો એક સાહસિક યુવાન સાગર ઠાકર પોતાનાં બે નાના બાળકો રુદ્રાક્ષ_ઠાકર (ઉંમર ૯ વર્ષ) અને રિધાન_ઠાકર (ઉંમર ૬ વર્ષ) બંને ને સાથે લઈને એક નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે.
વિશ્વભરમાં પથરાયેલા ભારતીયો જ્યારે ૭૩ મો સ્વાતંત્રતા દિન મનાવી રહ્યા હતા ત્યારે સાગર ઠાકર બંને બાળકો સાથે ૭૩ km નું અંતર સ્કેટિંગ દ્વારા કાપી એક અનોખો રેકોર્ડ પોતાના નામે કરવા કરવાનું સાહસ ખેડી રહ્યા હતા
બારડોલીના સાગર ઠાકર અને તેમના પુત્રો રૂદ્રાક્ષ અને રિધાનએ ગઇકાલ, બુધવાર, ૧૪મી ઓગષ્ટ ના દિવસે વ્યારા મુકામેથી શરૂ કરી સોનગઢ થઈ બારડોલી ખાતે નિર્વિધ્ને પરત ફર્યા હતા.
રાજકોટના રેસકોર્સ રીંગ રોડ પરના પોલીસ હેડ કવાર્ટરમાં કે જેમાં ફક્ત અધિકૃત વ્યક્તિઓને જ ઘનિષ્ઠ ચેકિંગ પછી પ્રવેશવા દેવામાં આવે છે એવા હેડક્વાર્ટરમાં આવેલા હાઇરાઇઝ બિલ્ડીંગના નવમા માળે પોલીસ પુત્ર બિન્ધાસ્ત જુગારની કલબ ચલાવતો હતો. પરંતુ, આ બાબત કેટલાક સંનિષ્ઠ પોલીસ જવાનોના ધ્યાને આવતા પોલીસે જ પોલીસ પુત્રની જુગાર ક્લબ પર દરોડો’ પાડીને ત્રણ મહિલા સહિત આઠને ઝડપી પાડ્યા હતા.
સાંકેતિક ચિત્ર
આતંકી હુમલાની દહેશતને પગલે રાજકોટ પોલીસ હેડ કવાર્ટરના દરવાજા પાસે તંબુ પોલીસ ચોકી ઉભી કરવામાં આવી છે. ચોકી પર ફરજ બજાવતા પોલીસમેન અને એસઆરપીમેન દ્વારા બહારની વ્યકિતને પોલીસ હેડ કવાર્ટરમાં દાખલ થવા દેવામાં આવતી નથી. બહારની કોઇ વ્યકિતને હેડ કવાર્ટરમાં જવું હોય તો સઘન ચેકીંગ કરવામાં આવે છે. પરંતુ આ ચેકીંગની કે પોલીસની પરવા કર્યા વગર હેડ કવાર્ટરના હાઇરાઇઝ બિલ્ડીંગના નવમા માળે પોલીસ પુત્ર રવિ જગદીશભાઇ વાઘેલા દ્વારા જુગારની કલબ શરૂ કરવામાં આવી હતી.
પોલીસ હેડ કવાર્ટરમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી પીએસઆઇ હાથલિયા અને તેની ટીમે દરોડો પાડયો હતો. આ દરોડા દરમિયાન જુગાર રમવા અને રમાડવા અંગે લાઇન બોય રવિ જગદીશભાઇ વાઘેલા, હિતેષ ભરતભાઇ ઢાંકેચા, સુભાષ કાંતિભાઇ ઝાલા, શ્યામ ધનજીભાઇ પરમાર, ગટુ છગનલાલ મકવાણા, સમજુ ઉર્ફે ભાનુ બાબુભાઇ ઝાલા, આરૂષી ઉર્ફે આરતી પ્રવીણભાઇ પંડયા અને કારૂ બાબુભાઇ મકવાણાની ધરપકડ કરવામાં આવી હતી અને રૂ. 37 હજારની રોકડ રકમ કબજે કરાઇ હતી.
જમ્મુ-કાશ્મીરમાંથી 370 અને 35-એ નાબૂદ કર્યા બાદ આજરોજ ગુરુવાર 15 ઓગસ્ટના રોજ સમગ્ર ભારતવર્ષમાં સ્વાતંત્રપર્વની’ પ્રથમ ઉજવણી હર્ષોલ્લાસભેર અને રંગેચંગે થઇ રહી છે. સ્વતંત્રતા પર્વની સાથે ભાઇ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી પણ થઇ રહી છે. એકલા ભારતમાં જ નહીં પણ વિશ્વમાં ખૂણેખૂણે વસતા ભારતીયો બન્ને પર્વોને ધામધૂમપૂર્વક ઉજવી રહ્યા છે.
એ પૂર્વે આતંકવાદી હુમલાની દહેશતના પગલે સુરત, અમદાવાદ સહિત દેશભરમાં હાઇએલર્ટ જાહેર કરાયું હતું. દરિયાકાંઠા અને સરહદી વિસ્તારોમાં સઘન સુરક્ષા ગોઠવવામાં આવી છે’ જ્યારે નર્મદા ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સોમનાથ મંદિર, અંબાજી મંદિર સહિતના યાત્રાધામો તેમજ અમદાવાદના આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટીક એરપોર્ટની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત ગુજરાતમાં તમામ મોટા શહેરોના પ્રવેશના તમામ માર્ગો પર ઠેર ઠેર નાકાબંધી કરીને વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ખાસ તકેદારીના ભાગરૂપે અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.બીજી તરફ કચ્છ સરહદ પર પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જ્યારે કોસ્ટગાર્ડને પણ એલર્ટ રહેવાના આદેશો આપીને દરિયાઈ સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.
MBBS ના વિદ્યાર્થીઓ માટે નાયબ મુખ્યપ્રધાન નીતનભાઇ પટેલે મહત્વની જાહેરાત કરતા કહ્યું હતું કે, તબીબી શિક્ષણ મેળવ્યા બાદ ગ્રામ્ય સ્તરે ડોટકરોએ ફરજીયાત ત્રણ વર્ષની સેવાઓ આપવાની થતી હતી તે ઘટાડીને હવેથી એક વર્ષની સેવાઓ ગ્રામ્ય સ્તરે આપવાની રહેશે.
મેડીકલ વિદ્યાર્થીઓએ 5 લાખ રૂ.ના બોન્ડ ઉપરાંત હવેથી 15 રૂ. લાખની વધારાની બેંક ગેરન્ટી 300 રૂ.ના સ્ટેમ્પ પેપર ઉપર અલગથી આપવાની રહેશે. જે વિદ્યાર્થીઓને ડોકટર બન્યા બાદ ગ્રામ્ય સ્તરે એક વર્ષની સેવાઓ ન આપવી હોય તો તેઓએ 20 લાખ રૂપિયા રાજ્ય સરકારની તિજોરીમાં ભરવાના રહેશે. પૈસા ભર્યા બાદ જ ગુજરાતમાં ખાનગી પ્રેકટીસ કરવા માટેનું પ્રમાણપત્ર મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયા દ્વારા આપવામાં આવશે ત્યારબાદ જ તેઓ પ્રેકટીસ કરી શકશે.
તેમણે કહ્યું કે, આ વર્ષે રાજ્યમાં 5360 એમ.બી.બી.એસ.ની બેઠકો ઉપર તથા આયુર્વેદિક પદ્ધતિની તમામ બેઠકોમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. આ નવા નિયમોનો અમલ આ વર્ષથી જ થશે. જે વિદ્યાર્થીઓ હાલ અભ્યાસ કરી રહેલ છે અને જેઓએ 5 લાખના બોન્ડ ભરી દીધા હોય અને આ નવા નિયમોનો લાભ લેવા ઇચ્છતા હોય તેઓને પણ આનો લાભ મળશે. તેઓએ આ વર્ષે 15 લાખની વધારાની બેંક ગેરન્ટી આપવાની રહેશે એટલે લાભ મળતો થઇ જશે.
નીતિનભાઇએ જણાવ્યું હતું કે, સરકારી મેડીકલ કોલેજોમાં એમ.બી.બી.એસ.ના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓએ પ્રવેશ સમયે મેડીકલ કોલેજના ડીનને 20 લાખના બોન્ડ રજુ કરવાના રહેશે. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઇન્ટર્નશીપ સિવાય ફરજીયાત એક વર્ષની ગ્રામ્ય સેવાની બાહેંધરી પણ આપવાની રહેશે. 20 લાખના બોન્ડની સામે 5 લાખની બેંક ગેરન્ટી અથવા મિલકતની ગેરન્ટી આપવાની રહેશે. જેનો સમયગાળો 7 વર્ષનો રહેશે. જરૂર જણાય તો સમયગાળો લંબાવવાનો રહેશે.
બોન્ડ માટે વિદ્યાર્થીએ બેંક ગેરન્ટી તરીકે કોઇપણ રાષ્ટ્રીયકૃત બેંકની અથવા છેલ્લા સતત 3 વર્ષથી 40 કરોડથી વધુ ડીપોઝીટ ધરાવતી રાજ્યની કોઇપણ નાગરિક સહકારી બેંક ગેરન્ટી આપવાની રહેશે. જે વિદ્યાર્થીઓ અતિ ગરીબ હોય અને તેના મા-બાપ કે પરિવાર પાસે કોઇ મિલકત ન હોય કે બેંક ગેરન્ટીની ક્ષમતા ન હોય તેવા વિદ્યાર્થીને ખાસ કિસ્સામાં નિયત બેંક ગેરન્ટી અથવા મિલકત બેંક ગેરન્ટીમાંથી મુક્તિ મળી રહેશે. જે અંગેની તમામ સત્તા રાજ્ય સરકાર હસ્તક રહેશે.
ઓલ ઇન્ડીયાના ક્વોટાની બેઠકો’ પર પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને આ જોગવાઇઓ લાગુ પડશે નહીં તથા અગાઉ જે વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે તેમને પ્રવર્તમાન બોન્ડની પોલીસી મુજબ 3 વર્ષની ગ્રામીણ સેવાઓ બજાવવાની જોગવાઇઓનો વિકલ્પ આપવાનો રહેશે.
અંબાજી ભાદરવી પૂર્ણિમાનો મેળો આવતા મહિને તા.૮મી સપ્ટેમ્બરથી શરૂ થશે અને સાત દિવસ ચાલશે. મેળાની પૂર્ણાહુતિ ૧૪ સપ્ટેમ્બરે થશે. દરમિયાન લાખોની સંખ્યામાં માઈભક્તોનું ઘોડાપૂર દર્શનાર્થે ઊમટશે એમ માનવામાં આવે છે ત્યારે એ દરમિયાન માત્ર સાંજના સમયે ૫ વાગ્યાથી ૭ વાગ્યા સુધી મંદિર બંધ રખાશે અને તે દરમિયાન સફાઈ કામગીરી કરાશે.
તા.૮મી સપ્ટેમ્બરથી શરૂ થશે અને સાત દિવસ ચાલશે. મેળાની પૂર્ણાહુતિ ૧૪ સપ્ટેમ્બરે
બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર સાથેની બેઠકમાં મેળા દરમિયાન એક્સપાયરી ડેટનો માલ વેચાતો હોવાની અને ધર્મશાળાઓમાં ભાડા વધારી દેવાતા હોવાની ફરિયાદ ઊઠવા પામી હતી. તાજેતરમાં અમદાવાદના કાંકરિયા સ્થિત ડિસ્કવરી રાઈડ્સનો કાંડ થયો હતો તેવી ઘટના ન બને તે માટે તકેદારી રાખવા ખાસ અનુરોધ કરાયો હતો.
ઉપરાંત આ વખતે મેળા દરમિયાન મંદિરમાં પ્રસાદના કાઉન્ટર વધારવા તેમ જ મંદિરમાં દર્શનની વ્યવસ્થામાં સુધારો કરવા માગ કરાઈ હતી. પોલીસ વિભાગ દ્વારા યાત્રીઓને પોલીસમિત્ર બની સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ ભાદરવી પૂનમે ૩૦ લાખ જેટલા શ્રદ્ધાળુઓ આવવાની શક્યતાને ધ્યાનમાંં લઈને પોલીસનું ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાનું આયોજન કરાશે. મેળામાં ઝૂમિંગ સીસીટીવીથી નજર રાખશે.
૧૫મી ઑગસ્ટ એટલે દેશનો સ્વાતંત્ર્ય દિવસ. દેશ માટે આગવું યોગદાન આપવા માટે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિના હાથે વિવિધ મેડલ આપીને પોલીસ અને ફાયર તેમ જ હોમગાર્ડના જવાનોનું સન્માન કરાશે.
૧૫મી ઑગસ્ટના ગુરુવારે થનારા સન્માન કાર્યક્રમમાં ગુજરાતના ૧૩ પોલીસ કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે. ગુજરાતના શ્રેષ્ઠ પોલીસ કામગીરી માટે ૧, પ્રશંસનીય કામગીરી માટે ૧૨ પોલીસ કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે. ઉપરાંત ૧ ફાયર જવાન અને હોમગાર્ડના ૪ જવાનોનું પણ સન્માન કરવામાં આવશે.
ગાંધીનગર પોલીસ ભવનમાં સીઆઇડી ઇન્ટેલિજન્સ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા શૈલેષ દેવીપ્રસાદ રાવલને શ્રેષ્ઠ પોલીસ કામગીરી માટે રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરવામાં આવશે.
ઉપરાંત શબીર અલી સૈયદ કાઝી, ડીવાયએસપી, કચ્છ ગાંધીધામ,
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.