Alert Archives - Page 323 of 518 - CIA Live

October 1, 2019
Apprenticeships-Logo.png
1min6780

પ્રેન્ટિસશિપ નિયમોમાં સુધારાનું જાહેરનામું

સરકાર દ્વારા તાલીમાર્થી (ટ્રેઇની-એપ્રેન્ટિસશિપ) નિયમ -1992માં સુધારાઓનું જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. જેનો ઉદ્દેશ દેશમાં કુશળ શ્રમબળ વધારવા અને પ્રશિક્ષુઓની તાલીમવૃત્તિ (સ્ટાઇપેન્ડ)માં વધારો કરવાનો છે.

ટ્રેઇની નિયમ 2019 અંતર્ગત કોઈપણ એકમમાં તાલીમાર્થીની ભરતીની સીમા વધારીને કુલ શ્રમબળના 1પ ટકા જેટલી કરવામાં આવશે. આ ઉપરાંત તેમને ચૂકવાતું સ્ટાઇપેન્ડ પણ વધારીને માસિક 9 હજાર રૂપિયા કરવામાં આવશે.

આ ઉપરાંત ફરજિયાત પ્રતિબદ્ધતા હેઠળ ટ્રેઇનીની સેવા લેવા માટે કોઈપણ સંસ્થાના કદની મર્યાદા પણ 40થી ઘટાડીને 30 કરવામાં આવી છે.

કૌશલ્ય વિકાસ મંત્રી મહેન્દ્રનાથ પાંડે દ્વારા આજે એક કાર્યક્રમના ઉપક્રમે કહેવામાં આવ્યું હતું કે, કાયદામાં નોંધપાત્ર સુધારાઓ કરવામાં આવ્યા છે અને તેનાથી સ્ટાઇપેન્ડની રકમ બમણા જેટલી વધી જશે. આ ઉપરાંત ટ્રેઇનીની સંખ્યા પણ વધીને 2.6 લાખ જેટલી થવાનો અંદાજ છે.

October 1, 2019
bajrang_dal.png
1min6760

બજરંગ દળે ગુજરાતમાં ગરબાના આયોજકોને તેમના આયોજનના સ્થળે ‘બિન-હિન્દુઓ’ને પ્રવેશવા નહીં દેવા કહ્યું છે. બજરંગ દળનો એવો દાવો છે કે નવ દિવસ લાંબો નવરાત્રિનો ઉત્સવ હિન્દુ મહિલાઓને ફસાવવા માટેનો મંચ બની ગયો છે.

આ જમણેરી જૂથે ગુજરાતભરમાં રાસ-ગરબા માટેના તમામ સ્થળોની બહાર સતતપણે દેખરેખ રાખવા ટુકડીઓ તૈયાર કરી છે અને ‘લવ જેહાદ’ વિશે લોકોને સતર્ક કરતા પોસ્ટરો પણ લગાવ્યાં છે.

અમદાવાદમાં ગરબાની ઇવેન્ટના તમામ મોટા સ્થળોની નજીક અને ખાસ કરીને મુસ્લિમોના વર્ચસ્વવાળા વિસ્તારોની નજીકના ગરબાના સ્થળોની આસપાસ આવા પોસ્ટરો લગાડી દેવામાં આવ્યા છે. આ જાણકારી બજરંગ દળના અમદાવાદ ઝોનના કો-ઑર્ડિનેટર જ્વલિત મહેતાએ સોમવારે આપી હતી.

મહેતાએ વધુમાં કહ્યું હતું કે ‘અમે આ પોસ્ટરો દ્વારા વ્યાપક પ્રમાણમાં લોકોને એવા પેંતરા વિશે સાવચેત કરી દેવા માગીએ છીએ કે જેમાં નવરાત્રિ દરમિયાન બિન-હિન્દુઓ દ્વારા હિન્દુ છોકરીઓ અને મહિલાઓને લક્ષ્યાંક બનાવવામાં આવતી હોય છે. દર વર્ષે ત્રણ લાખ કરતાં પણ હિન્દુ ક્ધયાઓ અને મહિલાઓ લવ જેહાદનો શિકાર બનતી હોય છે.’

બજરંગ દળે હિન્દુ છોકરીઓના માતા-પિતાને પણ સતર્ક રહીને પોતાની છોકરીઓને લવ જેહાદથી બચાવવા ચેતવ્યાં છે. આ દળે અમદાવાદમાં ગરબાના તમામ મોટા સ્થળે દેખરેખ રાખવા ટુકડીઓ પણ બનાવી છે. મહેતાએ વધુમાં કહ્યું હતું કે ‘ગરબાના સ્થળે બિન-હિન્દુઓને પ્રવેશ ન આપવા અમે ગરબાના આયોજકોને કહી દીધું છે. જો અમે કોઈ છોકરી કે મહિલા સાથે કોઈ વિધર્મીને પકડીશું તો પહેલાં તો અમે એ છોકરીના મમ્મી-પપ્પાને તેમ જ મહિલાના પરિવારને વાકેફ કરીશું અને પછી પેલા બિન-હિન્દુ છોકરા કે પુરુષનો કોઈ ગુપ્ત ઇરાદો છે કે કેમ એ વિશે બનતી બધી જ વિગતો મેળવવાની કોશિશ કરીશું.’

બજરંગ દળે હિન્દુ ધર્મની પવિત્રતા જાળવવા અને છોકરીઓ-મહિલાઓને લવ જેહાદથી બચાવવા બાબતમાં સ્થાનિક પોલીસ તંત્ર અને વહીવટતંત્રને પણ અરજ કરી છે.

બજરંગ દળના ઉત્તર ગુજરાતના સંકલનકાર એમ. કે. પટેલે પીટીઆઇને કહ્યું હતું કે ‘નવરાત્રિ હિન્દુઓનો ખૂબ મહત્ત્વનો તહેવાર છે અને આ ઉત્સવ લવ જેહાદ માટેનો મંચ ન બની જવો જોઈએ. બિન-હિન્દુઓને આ હિન્દુ તહેવાર સાથે કંઈ જ લેવાદેવા નથી, પરંતુ તેઓ ફાયદો ઉઠાવીને અમારા ધર્મની છોકરીઓ/મહિલાઓને ફસાવતા હોય છે.’

દળના નેતાઓએ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પોલીસ તેમ જ સ્થાનિક સત્તાધીશોને હિન્દુ છોકરીઓ/મહિલાઓની સલામતી જળવાય એની કાળજી લેવાની વિનંતી કરતા આવેદનપત્ર મોકલ્યા છે.

વિશ્ર્વ હિન્દુ પરિષદ (વીએચપી)ના ભૂતપૂર્વ વડા પ્રવીણ તોગડિયા દ્વારા રચાયેલી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ (એએચપી) પણ ગુજરાતમાં ગરબાના સ્થળો ખાતે બિન-હિન્દુઓને પ્રવેશ ન આપવા સંબંધમાં કાર્ય કરી રહી છે.

એેએચપીના મહામંત્રી રણછોડ ભરવાડે કહ્યું હતું કે ‘અમે ગરબાના આયોજકોને સૂચિત કરી દીધા છે કે આ હિન્દુ પર્વની પવિત્રતા સાથે કોઈ પણ વ્યક્તિ છેડછાડ ન કરે એનું ધ્યાન રાખજો. જો કોઈ બિન-હિન્દુ વ્યક્તિ ગરબા રમવા ઇચ્છે તો તેણે સૌથી પહેલાં તો હિન્દુ ધર્મ અંગીકાર કરવો પડશે, ગૌમૂત્રનું પાન કરવું પડશે અને પછી જ તે ગરબા રમી શકશે. અમે કોઈપણ બિન-હિન્દુ પુરુષની લવ જેહાદની પ્રવૃત્તિ નહીં સાંખી લઈએ.’

એએચપીના બીજા નેતા જિતેન્દ્ર પ્રજાપતિએ કહ્યું હતું કે ‘બિન-હિન્દુઓને ગરબાની ઇવેન્ટના સ્થળે આવતા રોકવા એએચપીએ ચોકીપહેરા માટેની ટુકડીઓ તૈયાર કરી છે જે ગરબાના સ્થળોની બહાર ખેલૈયાઓ પર ગૌમૂત્ર છાંટે છે.’

ગુજરાતમાં બજરંગ દળની આયોજકોને ચેતવણી ક હિન્દુ છોકરીઓને ‘લવ જેહાદ’માં ફસાવવામાં આવતી હોવાનો આક્ષેપ

October 1, 2019
jitu_vaghani.jpg
1min10320

ડોનાલ્ડ ટ્રમ્પે મોદીને ફાધર ઓફ ઇન્ડિયા કહ્યા હતા, ગાંધીજીનું બીજું વિશેષણ મોદીને મળ્યું

આવતીકાલ તા.2જી ઓક્ટોબર 2019ના રોજ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ પૂર્વે આજરોજ તા.1લી ઓક્ટોબર 2019ના રોજ સુરત ખાતે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મહાત્મા કહીને સંબોધ્યા હતા. તેમણે કહ્યું કે આવતીકાલ તા.2જી ઓક્ટોબર 2019ના રોજ ગુજરાતની ધરતી પર મહાત્મા ટુ મહાત્મા, નરેન્દ્રભાઇ મોદી ગાંધી બાપૂની 150મી જન્મજયંતિના કાર્યક્રમોમાં ઉપસ્થિત થઇ રહ્યા છે, ગુજરાત માટે તેમણે આ ઘટના ગૌરવવંતી ગણાવી હતી.

ભાજપાના પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઇ વાઘાણીએ તા.1લી ઓક્ટોબર 2019ના રોજ સુરત ભાજપા મધ્યસ્થ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. તેમણે તા.2જી ઓક્ટોબર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ પર્વે ગુજરાત આવી રહેલા વડાપ્રધાન શ્રી મોદીના કાર્યક્રમો અંગે માહિતી આપી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં જીતુભાઇ વાઘાણીએ નરેન્દ્ર મોદીને મહાત્મા ગણાવ્યા હતા.

થોડા દિવસો અગાઉ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અમેરીકાના પ્રવાસે હતા ત્યારે અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાંધીજીનું એક વિશેષણ ફાધર ઓફ ધ નેશન શબ્દ પ્રયોગ શ્રી નરેન્દ્ર મોદી માટે કર્યો હતો. એ વાત સોશ્યલ મિડીયા પર ભારે ટ્રોલ થઇ હતી. આજે તા.1લી ઓક્ટોબર 2019ના રોજ ભાજપાના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પણ મહાત્મા ગાંધીને અપાયેલું એક વિશેષણ મહાત્મા શબ્દ પ્રયોગથી શ્રી નરેન્દ્ર મોદીને નવાજ્યા હતા.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ લીધેલા કાશ્મીરમાંથી 360મી કલમ દૂર કરવા સંદર્ભે લીધેલા પગલાંને સમગ્ર વિશ્વએ સ્વીકૃતિ આપી હોવાનું જણાવીને સમગ્ર દુનિયામાં ભારતનું સ્વાભિમાન વધારનાર નેતા તરીકે શ્રી મોદીને ગણાવ્યા હતા. અમેરીકાના સફળ પ્રવાસ બાદ પહેલી વખત ગુજરાત આવી રહેલા શ્રી નરેન્દ્ર મોદીનું ગુજરાત ભાજપા દ્વારા અમદાવાદ એરપોર્ટ પર તા.2જી ઓક્ટોબર 2019ના રોજ જોરદાર બહુમાન કરવામાં આવશે.

ખાદી ફોર ફેશન, ખાદી ફોર નેશન

ભાજપા પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ ખાદી પ્રિય મહાત્મા ગાંધીજીના જીવન મૂલ્યોમાં સૌથી મહત્વની ખાદીનો ઉલ્લેખ કરતા કહ્યું કે ખાદી ફોર ફેશન, ખાદી ફોર નેશન સૂત્ર આપીને ખાદી ખરીદીને દેશભરમાં પ્રચલિત કરનાર નેતા શ્રી નરેન્દ્ર મોદીને ગણાવ્યા હતા.

જીતુભાઇ વાઘાણીએ વડાપ્રધાન શ્રી મોદીના આવતીકાલ તા.2જી ઓક્ટોબર 2019ના ગુજરાતના ટૂંકા પ્રવાસ અંગેના ટેન્ટીટીવ કાર્યક્રમ પત્રકાર પરીષદમાં ઘોષણા કરી હતી.

શ્રી મોદીના તા.2જી ઓક્ટોબરના સંભવિત સૂચિત કાર્યક્રમની રૂપરેખા

  • 5.30થી 5.45 વચ્ચે અમદાવાદ એરપોર્ટ પર આગમન સમયે એરપોર્ટ પ્રીમાઇસીસમાં જ ભાજપા પ્રદેશ એકમ દ્વારા ભવ્યાતિભવ્ય સમારોહ
  • 6.15 વાગ્યે સાબરમતિ આશ્રમ ખાતે મહાત્મા ગાંધી પ્રતિમાને ફૂલહાર, સૂતરની આંટી પહેરાવવાના કાર્યક્રમોમાં હાજરી આપશે
  • 7થી 7.30 દરમિયાન વડાપ્રધાન શ્રી મોદી અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે પહોંચશે. જ્યાં સ્વચ્છતાના આગ્રહી એવા દેશભરના 20000 ગામડાઓના સરપંચોના સમારોહને સંબોધશે
  • 8.40 સુધીમાં અમદાવાદ સ્થિત જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલા ગુજરાત સરકારના નવરાત્રી ઉત્સવમાં હાજરી આપશે. માં અંબાની આરતી ઉતારશે.
  • 9.10 પછી અનુકૂળ સમયે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે

6 બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપાના ઉમેદવારોના વિજય માર્જીન વધારે એવા ઉમેદવારો કોંગ્રેસે પસંદ કર્યા હોવાનું જણાવતા જીતુ વાઘાણી

સુરત ખાતેની પ્રેસ કોન્ફરન્સમાં ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ કોંગ્રેસના ઉમેદવારોની પસંદગી પર કટાક્ષ કરતા જણાવ્યું કે ભાજપાના ઉમેદવારો 6 એ બેઠકો પર માર્જિન વધારીને જીત મેળવશે એવા ઉમેદવારો કોંગ્રેસે પસંદ કર્યા છે. તેમનો કહેવાનો મતલબ એ હતો કે કોંગ્રેસના ઉમેદવારો હારેલા, જાકારો પામેલા છે, ભાજપાની જીતને આસાન બનાવી દીધી છે.

September 30, 2019
marriottt.jpg
2min18370

ध मेरीयोट इंटरनेशनल ब्रांड की प्रोपर्टी लिस्ट में अब से सूरत की दो होटेल दिखाइ देगी

जयेश ब्रह्मभट्ट 98253 44944

सुरत में मेरीयोट इन्टरनेशनल के कोटयार्ड मेरीयोट होटेल लोंचिंग के दो साल बाद मेरीयोट इन्टरनेशनल और ऑरो होटेल्सने मेरीयोट कि सूरत में दूसरी सिग्नेचर होटेल, धी सुरत मेरीयोट होटेल को लॉंच कीया है. ताज ग्रुप के साथ ऑरो होटेल्स का 30 सप्टम्बर 2019 तक का कोन्ट्रेक्ट था अब कल से यानी दि. 1 अक्टुबर 2019 से ताज गेट वे की जगह पे सुरत मेरीयेट होटेल कार्यान्वित हो जाएगा.

सुरत मेरीयोट होटेल के ग्रांड लॉचिंग पूर्व आयोजित प्रेस कान्फरेन्स का द्रश्य

सुरत में मेरीयोट की दूसरी होटेल के लॉंचिग पर आयोजित की गई प्रेस कान्फरन्स में डी.जे. रामा ने जानकारी दे ते हुए कहा की सुरत से हमारे परिवार की बहूत मीठीं यादें जुडी हूई है, सुरत की मिट्टी से जो लगाव है वो हमें यहां जूडे रखने का इंजन देती है.

सुरत मेरीयोट होटेल को लोंच करने के पूर्व इन्फ्रास्ट्रक्चर से लेकर फूड एन्ड फेसेलिटीझ सब में नवीनीकरण किया गया है और इसके चलते सुरत के लोगो को और सुरत आने वाले लोगो को इन्टरनेशनल स्टेन्डर्ड की सर्विस और एक्सपिरीयन्स उपलब्ध करवा सकेंगे.

डाईनिंग की बडी रेन्ज उपलब्ध होगी धी सुरत मेरीयोट होटेल मे

सुरत के लोग खाने के शोखीन है और इसको मद्दे नजर रखते हुए धी सुरत मेरीयोट होटेल में डाईनिंग की बहुत बडी रेन्ज उपलब्ध कराई गई है. यहां तक की सुरत के आसपास के गांवो की जानी मानी रेसीपीझ के लिए नानीमाज के नाम से एक स्पेशयल फूड कोर्ट भी शुरु किया जा रहा है. यहां तक की सुरत के लारी कल्चर, यानी सूरत शहर के लोग रात को 12 बजे के बाद भी खाने पीने की चीजो के लिए नीकलते है, उसको ध्यान में रखते हूए धी सुरत मेरीयोट होटेलमां खास लारी स्पेश भी कुछ दिनो में शरू करने कि योजना है.

दि. 1 अक्टुबर 2019 से सूरत की यह प्रोपर्टी धी सुरत मेरीयोट होटेल से जानी जाएगी
  • टेबल 101-ए , धी सुरत मेरियोट होटेल में इस नाम से जानी जाने वाली स्पेश में पूरा दिन इन्डियन, एशियन, वेस्टर्न कुजिन के वेरायटी उपलब्ध होगी
  • सुरत बेकींग कंपनी, धी सूरत मेरियोट होटेल में सुरत बेकिंग कंपनी ब्रेडस, मफिन्स, सेन्डविचीझ, पेस्ट्रीज, बेवरेजीस की तरोताजा रेन्ज उपलब्ध होगी
  • विन्टेज एशिया, धी सूरत मेरीयोट होटेल में विन्टेज एशिया नामक स्पेश में माडर्न एवं सिग्नेचर लजीज वेराइटी पेश कि जाएगी. तदपश्चात इसी स्पेश में जापानीज ट्रेडिशनल टेप्पान्याकी स्टाइल वेराइटी भी उपलब्ध होगी
  • ध एम क्लब, यह स्पेश में महेमानो को रेस्ट एन्ड प्लेझर मिलेगा
  • एम वेलनेस, मेरीयोट बोनवाइ इलाइट मेम्बर्स के फीटनेस, स्पा, स्टीम, सॉना बाथ इत्यादि सुविधाए परोसी जाएगी.
  • 3000 पेक्स के लिए बेंकवेट फेसेलिटीझ और पूरी तरह से रिडिझाइन इन्टिरीयर के साथ रूमो की विशाल श्रेणी महेमानो की सेवा में उपलब्ध कराइ जाएगी.

58 प्रतिशत का ऑक्युपेन्सी रेट 75 प्रतिशत तक बढेगा

सुरत मेरीयोट होटेल के अमित महेता ने जानकारी देते हूए कहा की फिलहाल इस प्रोपर्टी में ऑक्युपेन्सी रेट 58 प्रतिशत है, सुरत मेरीयोट होटेल में यह बढा के 75 प्रतिशत तक ले जाए इतना पोटेन्शियल है और नवीनीकरण में इस तरह से काम किया गया है. गेस्ट को हमारा इन्फ्रास्ट्रक्चर, फैसेलिटीझ, फूड और सर्विस इन सब में एक नवीनतम अनुभूति होगी.

अमीत महेताने यह भी कहा की पहेले के मुकाबले धी सुरत मेरीयोट होटेल में रुम टेरीफ में 18 से 25 प्रतिशत तक बढौतरी भी कि गई है.

ऑरो युनिवर्सिटी के छात्रो को मेरीयोट ब्रान्ड का एक्सपोजर मिलेगा

सुरत में मेरीयोट इन्टरनेशनल ब्रांड की दूसरी होटेल के आने के बाद ऑरो युनिवर्सिटी के छात्रो को शिक्षा के साथ एक्सपिरीयन्स और एक्सपोजर के लिए मेरीयोट इन्टरनेशनल जैसी बहूत बडी ब्रान्ड का नेटवर्क मिलेगा. स्वाभाविक है की मेरीयोट ब्रांड कि होटेल्स का वर्क एक्सपिरीयन्स छात्रो की प्रोफेशनल करीयर में बहूत अहम फेक्टर बनेगा.

सुरत मेरीयोट होटेल के ग्रान्ड लॉंचिंग के पूर्व आयोजित प्रेस कान्फरेन्स में श्री सुरेशजी माथूर, श्री अमित महेता, श्री डी.जे. रामा, श्री हेमंतजी, श्री नयन बेंकर और अन्य डिग्नेटरीज उपस्थित रहे थे.

सुरत मेरीयोट कि आफिश्यल प्रेस रिलीज

मेरियोट इन्टरनेशनल ने सूरत में सिग्नेचर ब्रान्ड सूरत मेरियोट होटेल का शुभारंभ किया सूरत। मेरियोट इन्टरनेशनल और ओरो होटल्स ने अपनी सिग्नेचर ब्राण्ड मेरियोट होटल्स और रिसोट्र्स ब्रान्ड की सूरत में अपनी दूसरी होटल सूरत मेरियोट होटल के शुभारंभ की घोषणा की है।

यह प्रोपर्टी सूरत एयरपोर्ट से केवल 15 मिनट के फासले पर है और सिटी सेन्टर से केवल 20 मिनट दूर है। प्रीमियम, फूल सर्विस होटल के तौरपर बनायी गई इस सूरत मेरियोट होटल में समकालीन शैली और आरामदायक अद्भूत मिश्रण है। होटल में इनोवेटिव और विचारपूर्वक तैयार किए 209 गेस्टरूम है जिसमें से शहर और तापी नदी के अद्भूत दृश्य देख सकते है। जो अत्याधुनिक सुविधा और सेवाओं से सुसज्ज है होटल के रूम डिजाइन और सुशोभन को एक उत्कृष्ट स्टैण्डर्ड दिया है, जो वास्तविक तौरपर आरामदायक और स्टाइल को प्रतिबिंबित करता है।

इस लॉन्चिंग के अवसर पर मेरियोट इन्टरनेशनल के साउथ एशिया के सीनियर एरिया वाइस प्रेसिडेन्ट श्रीमान निरज गोविल ने बताया कि भारत के सबसे विकसित शहरों में से एक सूरत ने उंच क्षमता वाला बाजार है। यहां हाल के दिनों में बिजनेस ट्रावेल की ट्रैफिक देखने को मिलती है। इस बिजनेस में अग्रसर रहे GJHM इन्टरनेशनल की भागीदारी में हम हमारी ब्रान्ड को इस शहर की हमारी दूसरी होटल के तौरपर शुरूआत करने के पिए अत्यंत उत्साही है।

सुरत की मेरीयोट होटेल में स्थानिय फूड वेराइटी के लिए खास प्रावधान, लारी कल्चर भी उपलब्ध

सूरत मेरियोट होटल का उद्घाटन हमारे भारत के पोर्टफोलिया में 119 वां स्थान है। हमारे प्रयास हमारे सेवाओं के साथ आतिथ्य के आंतरराष्ट्रीय नीति को लाने पर ध्यान केन्द्रित करते है। यह होटल डाइनिंग रेन्ज का ऑप्शन देता है, टेबल 101 पूरे दिन के लिए खुला रहेगा। इसमें भारतीय, पूर्व, पच्छिम का चयन के व्यंजनों का उत्कृष्ट बुफे होगा। इसमें पसंद के लिए कई विकल्प होंगे।

सूरत बैंकिंग कंपनी (SBC) सभी बेक की गयी ताजी व्यंजन मुहैया करवाता है इसमें ब्रेड/ मफिन्स/सेन्डविच और पेस्ट्रीज का लुफ्त उठा सकते है। इसके अलावा इसमें समृद्ध कॉफी और चाय में से पसंद करने का विकल्प भी शामिल किया गया है। एक शांत बिजनेस मीटिंग या आपकी पसंदीदा पुस्तक को पढऩे के लिए एक आदर्श स्थल है। विन्टेज एशिया-मोर्डन और सिग्नेचर व्यंजनों के साथ, आपके टेबल पर एशिया के सभी श्रेष्ठ व्यंजन पेश करता है, परंपरागत और टेप्पान्याकी स्टाइल का आनंद उठा सकेंगे।

द एम-क्लब, मेरियोट बोनवोई इलाइट मेम्बर्स को विशेष केटरिंग और बिज़नस सेण्टर की सुविधा उपलब्ध करता है। फिटनेस का विभाग शामिल करने के लिए हमारे पास एम-वेलनेस है। इसमें एक स्पा है, जो सभी साधनों से सुसज्ज, स्टेट ऑफ़ धी आर्ट फिटनेस सेन्टर और लक्जुरियस और ओपन एयर स्विमिंग पुल शामिल है।

सूरत के नक्शे पर 3,000 गेस्ट समा सके ऐसे विशाल बैंकविट होल की सुविधा के साथ अतिथियों नदी किनारे के परिदृश्य की सुंदरता और कार्यक्रम की जगह का लाभ ले सकेंगे। यहाँ बड़ी जगह के साथ कुदरती प्रकाश और फेक्सिबल डेकोर ऑप्शन्स मिलेगा। इस मल्टी पर्पज वेन्यू ने इस होटल को शहर में पहले कभी नहीं देखने को मिला विशाल कॉन्वेकेशन, सामाजिक और शादी समारोह का स्थान के लिए श्रेष्ठत्तम स्थल बना दिया है ।

ओरो होटल्स के चेयरमेन श्रीमान एच.पी.रामा ने कहा कि हाल में कोर्टयार्ड मेरियोर्ट होटल की शुरूआत करने के बाद सूरत मेरियोट होटल का उद्घाटन रोमांचक है । गुजरात में ओरो होटल्स की दूसरी होटल है। ओरो होटल ने सूरत में ओरो यूनिवर्सिटी की स्थापना की है जहां स्कूल ऑफ हॉस्पिटालिटी मैनेजमेन्ट के मजबूत पाठ्यक्रम प्रदान किया जाता है, हॉस्पिटालिटी इन्डस्ट्रीज के लिए उंचे लक्ष्यांक वाले एक नई पेढ़ी तैयार करता है। सूरत के समुदाय का एक हिस्सा बनने पर खुशी अनुभव कर रहे है और दक्षिण गुजरात के शैक्षणिक और हॉस्पिटालिटी की जरूरत मुहैया करने में खुशी हो रही है।

September 30, 2019
s1-1280x960.jpg
1min12450

સુરતમાં હડતાળ પાડનાર શાળા સંચાલકો સામે કડક પગલાં ભરવા આદેશો જારી

આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલમાં ઘૂસીને અસામાજિકોનો કહેવાતો સાથ મેળવીને શિક્ષકને બેરહેમીપૂર્વક માર મારવાની ઘટનામાં સંડોવાયેલા લોકોને પકડવામાં વિલંબ થતાં નારાજ થયેલા સુરતના શાળા સંચાલકોએ 1200 જેટલી સ્કૂલ સમેતની શૈક્ષણિક સંસ્થાઓમાં સજ્જડ હડતાળ પાડી હતી.

જિલ્લા શિક્ષણાધિકારી શ્રી રાજ્યગુરુએ રજૂઆત કરવા ગયેલ સંચાલકોને જણાવ્યું કે આશાદીપ સ્કુલમાં શિક્ષક પર હુમલા પ્રકરણમાં સંડોવાયેલા 10 જેટલા આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિહ ચૂડાસમાની લાગણી છે કે સંચાલકોએ હવે અડધા દિવસની હડતાળ પણ સમેટીને સમાજમાં એક સારો મેસેજ જાય એ માટે હડતાળ સંકેલી લેવાની જાહેરાત કરવી જોઇએ.

શિક્ષણાધિકારી શ્રી રાજ્યુગુરને શાળા સંચાલકોએ આવેદનપત્ર આપીને રજૂઆતો કરી હતી

શિક્ષણાધિકારી મારફતે મળેલી રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહની લાગણી સંદર્ભે સુરતના શાળા સંચાલકોએ તેમની વાત માનવાનો ઇન્કાર કરીને હડતાળ પૂરેપૂરી રીતે જારી રાખી હતી. શિક્ષકો, સંચાલકો પર થઇ રહેલા હુમલાની સાથે સરકાર દ્વારા અને સરકારે રચેલી ફી નિર્ધારણ કમિટી દ્વારા કરવામાં આવેલી બિનજરૂરી કનડગત અંગે શાળા સંચાલકોના પ્રતિનિધિ મંડળે આજે શિક્ષણાધિકારીને અનેક ખરીખોટી સંભળાવી હતી.

પણ આજે અડધા દિવસની હડતાળ સમેટીને શિક્ષણકાર્ય ફરીથી શરૂ કરવાની શિક્ષણમંત્રીની ઓફર બિલકુલ ફગાવી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

હડતાળ પાડનાર સંચાલકો સામે પગલાં ભરવા કડક સૂચના

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની સુરતના શાળા સંચાલકોને હડતાળ નહીં પાડવાની અપીલ ઠુકરાવ્યા બાદ આજે સુરતની પ્રાઇવેટ સ્કુલોના સંચાલકોએ જબરદસ્ત ઐક્ય દેખાડીને શાળાઓ તેમજ અન્ય સંસ્થાઓ બંધ રાખી હતી. બાદમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ સુરતના જિલ્લા શિક્ષણાધિકારીની સાથે વાતચીત કરીને કહ્યું હતું કે શાળા સંચાલકોની માગણી હતી કે શિક્ષક પર હુમલામાં સંડોવાયેલા લોકો સામે પગલાં ભરવાની માગણી પૂરી થઇ છે. દસ જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે.

સુરત કલેક્ટર કચેરી સંકુલ ખાતે આજે આવેદનપત્ર આપવા આવેલા સંચાલકો

મુખ્યમાગણી સંતોષાઇ ચૂકી હોઇ, સુરતની પ્રાઇવેટ સ્કુલોના સંચાલકોએ હડતાળ સમેટી લેવી જોઇએ, જેથી લોકોમાં એક સદભાવનાભર્યો મેસેજ જઇ શકે. શિક્ષણાધિકારી શ્રીરાજ્યગુરુએ શાળા સંચાલકોના પ્રતિનિધિઓને આ બાબતથી માહિતીગાર કર્યા હતા પરંતુ, શાળા સંચાલકો અધવચ્ચેથી હડતાળ સમેટવા બિલકુલ રાજી થયા ન હતા. પરીણામે સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ હડતાળ પાડનાર શાળા સંચાલકો તેમજ હડતાળમાં જોડાનાર શાળા સંચાલકો સામે કડક હાથે કામ લેવા માટે સૂચના આપી દેવામાં આવી છે અને આગામી સમયમાં શાળા સંચાલકોને પણ સાણસામાં લેવામાં આવે તેવા એંધાણ મળી રહ્યા છે.

September 30, 2019
close.jpg
1min12040

શિક્ષક પર હુમલાના વિરોધમાં સુરતની પ્રાઇવેટ સ્કુલો સ્વયંભુ અને સજ્જડ બંધ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરતમાં નાના વરાછા સ્થિત આશાદીપ ગ્રુપ ઓપ સ્કુલ્સના એક શિક્ષકને શાળા કેમ્પસમાં ઘૂસીને વાલીઓ દ્વારા માર મારવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આજે સોમવાર, તા.30મી સપ્ટેમ્બરના રોજ સવારની પાળીમાં ચાલતી સુરત શહેર જિલ્લાની તમામ પ્રાઇવેટ, સેલ્ફ ફાઇનાન્સ સ્કુલો, ટ્યુશન ક્લાસીસો, સેન્ટ્રલ બોર્ડની સ્કુલોએ સજ્જડ બંધ પાળીને આ મુદ્દા પર પોતાનું સ્ટેન્ડ ક્લીયર કર્યું હતું કે કોઇ એક શિક્ષક પર હુમલો એ સમગ્ર શિક્ષણ જગત પર હુમલો છે.

શાળાઓની ઇવેન્ટ્સ ખોરવાય, પહેલા નોરતેેં રવિવાર હતો, બીજા નોરતેં રજા મળી

આજે સવારની પાળીમાં સ્કુલો, ટ્યુશન ક્લાસીસો, સેન્ટ્રલ બોર્ડની સ્કુલો, પ્રાઇવેટ ટ્યુશન, પર્સનલ ટ્યુશન, કોચિંગ ક્લાસીસો તમામ બંધ રહેતા સુરતમાં કમસેકમ 7 લાખ જેટલા વિદ્યાર્થીઓનું એક દિવસનું શિક્ષણ કાર્ય ખોરવાય જવા પામ્યું હતું. અનેક શાળાઓમાં આજે ગરબા સ્પર્ધા તેમજ અન્ય ઇવેન્ટ ખોરવાય જવા પામી હતી. પહેલા નોરતાં એ રવિવારની રજા હતા અને સુરતમાં આજે બીજાં નોરતાં એ પણ વિદ્યાર્થીઓને રજા મળી જવા પામી હતી.

પ્રાઇવેટ સ્કુલોના વર્ગખંડો વિદ્યાર્થી વિહીન નિસ્તેજ દેખાયા

શાળાના વર્ગખંડો વિદ્યાર્થી વગર સૂનાસૂના ભાસતા હતા. સાંકેતિક ફોટો

વિદ્યાર્થી વગરના વર્ગખંડો વિદ્યાર્થીઓના અભાવે બિલકુલ વેરાન અને સૂના સૂના ભાસતા હતા. સુરત શહેરની એકેય પ્રાઇવેટ સ્કુલ શરૂ હોવાનો અહેવાલ કે અફવા પણ ફેલાઇ ન હતી એટલી મજબૂતાઇથી આજે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના બંધના એલાનને પ્રતિસાદ સાંપડ્યો હતો. આજે સવારની પાળીમાં ફક્ત ગ્રાન્ટઇન એઇડ પ્રકારની અને શિક્ષણ સમિતિની સ્કુલોમાં શિક્ષણ કાર્ય શરૂ રહ્યું હતું.

પ્રાઇવેટ સ્કુલો બંધ હોવા અંગે રવિવારે જ વાલીઓના મોબાઇલ પર મેસેજ પહોંચી ગયા હતા

સોમવાર, તા.30મી સપ્ટેમ્બર 2019ના રોજ પ્રાઇવેટ શાળાઓ, સેન્ટ્રલ બોર્ડની સ્કુલો, ટ્યુશન ક્લાસીસો બંધ રહેવા અંગે રવિવારે જ સંચાલકોએ પોતપોતાના વાલીઓને બંધ અંગેના મેસેજ પાઠવી દીધા હતા. બીજી તરફ વિદ્યાર્થીઓને શાળાએ લાવવા લઇ જવાનું કામ કરતા સ્કુલ બસ, સ્કુલ ઓટો, સ્કુલ વાનવાળાઓને પણ સોમવારે બંધ અંગેની જાણકારી આપી દેવામાં આવી હતી. પરીણામે આજે સવારે સ્કુલોને બંધ પાળવા, પળાવવામાં કોઇ મુશ્કેલી જણાઇ ન હતી.

બરાબર એક વર્ષ અગાઉ સ્કુલ સંચાલકો અને સરકાર આમને સામને હતા

બરાબર એક વર્ષ અગાઉ ગઇ નવરાત્રીમાં પણ રાજ્ય સરકાર અને સ્કુલ સંચાલકો આમને સામને હતા અને આજે બીજા નોરતેં પણ આ જ પરિસ્થિતિ સર્જાઇ છે. એક વર્ષ અગાઉ સરકારે આપેલા બિનજરૂરી, બિનઉપયોગી નવરાત્રી વેકેશનનો મુદ્દો હતો, ત્યારે સરકાર સ્કુલ બંધ કરાવવા માંગતી હતી અને સંચાલકો સ્કુલ શરૂ રાખવા માંગતા હતા. આજે એક વર્ષ પછી સંચાલકો સ્કુલ બંધ કરાવી છે, જ્યારે સરકારે સ્કુલ બંધ રાખવા સામે પગલાં ભરવાની ચેતવણી આપી હતી. આમ પરિસ્થિતિ એ જ છે મુદ્દાઓ બદલાયા છે.

September 30, 2019
dropout.jpg
1min6810

એમ. ટૅક.ના અભ્યાસક્રમને વિદ્યાર્થીઓ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા પાસ ન કરી લે કે નોકરી ન મળે ત્યાં સુધીની વચગાળાની વ્યવસ્થા માનતા હોવાને કારણે આઈઆઈટી ખાતે એમ. ટૅક.નો અભ્યાસક્રમ અધવચ્ચે જ છોડી જનારાંઓનું પ્રમાણ પચાસ ટકા કરતા પણ વધુ હોવાનું આઈઆઈટી દિલ્હીના ડિરેક્ટર રામગોપાલ રાવે કહ્યું હતું.

તાજેતરમાં કરવામાં આવેલા ફી વધારાને તેમણે રસ ન ધરાવતા વિદ્યાર્થીઓ પરની સર્જિકલ સ્ટ્રાઈક લેખાવી હતી. ફી વધારો કરવાનો આઈઆઈટી કાઉન્સિલનો નિર્ણય આ સમસ્યાનો ઉકેલ લાવશે અને સરકારી ભંડોળની બચત કરશે.

આ અભ્યાસક્રમમાં રસ ન ધરાવતા વિદ્યાર્થીઓને અમુક મફત સુવિધાઓ આપીએ છીએ તે હવે બંધ થવી જોઈએ અને બેજવાબદાર બનેલી સિસ્ટમને ક્યાંક અટકાવવાની જરૂર છે, એમ તેમણે કહ્યું હતું.

અનેક વિદ્યાર્થી એમ. ટૅક.નો અભ્યાસ કરવા માટે ઍડમિશન લે છે, પરંતુ તેમાંથી પચાસ ટકા કરતા પણ વધુ વિદ્યાર્થી જેવી તેમને નોકરી મળે કે તરત જ અભ્યાસ અધવચ્ચેથી જ પડતો મૂકી દે છે.

બાકી બચેલા વિદ્યાર્થીઓ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે અને તેમને હાલના તેમનાં અભ્યાસમાં બિલકુલ રસ હોતો નથી, એમ દેશની ૨૩ આઈઆઈટીની ટોચની નિર્ણાયક સંસ્થા આઈઆઈટી કાઉન્સિલના સભ્ય રાવે કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે આ બાબત દેશના મૂલ્યવાન સ્રોતોનો બગાડ કરવા બરાબર છે. આઈઆઈટીમાં માસ્ટર્સની ડિગ્રીના અભ્યાસક્રમમાં પચાસ ટકા કરતા પણ વધુ ડ્રૉપઆઉટનો મતલબ વિદ્યાર્થીઓ માટે બી. ટૅક. બાદ તેમને મળતી નોકરીનું મૂલ્ય એમ. ટૅક.ના અભ્યાસ બાદ તેઓ જે કારકિર્દી ઘડી શકે છે તેનાં કરતા વધુ છે.

આવા વિદ્યાર્થીઓને અમે કરદાતાઓની મહેનતના રૂપિયાથી મફત શિક્ષણ કઈ રીતે આપી શકીએ જ્યારે તેમને પોતાને જ એ અભ્યાસક્રમનું મૂલ્ય નથી એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે આ ચેતવણીરૂપ પરિસ્થિતિ છે.

September 30, 2019
onion.jpg
1min5970

કેન્દ્ર સરકારે રવિવારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો અને વેપારીઓ પર સ્ટોક મર્યાદા લાદી હતી. રિટેલ વેપારીઓ સો ક્વિન્ટલ સુધી અને હોલસેલ વેપારીઓ ૫૦૦ ક્વિન્ટલ સુધી ડુંગળીનો જથ્થો સ્ટોક કરી શકશે. સંગ્રહખોરી અટકાવવા કડક પગલાં ભરવા રાજ્ય સરકારોને નિર્દેશ આપવામાં આવ્યા છે, તેવું ક્ધઝ્યુમર અફેર્સ મંત્રાલયે રવિવારે કહ્યું હતું.

એમઇપી (મિનિમમ ઍક્સપોર્ટ પ્રાઇસ- લઘુતમ ટેકાના ભાવ) ભાવે બંગ્લાદેશ અને શ્રીલંકામાં કરવામાં આવતી નિકાસ તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને ઉલ્લંઘન કરનારાઓ સામે કડક પગલાં ભરવામાં આવશે. હાલમાં દિલ્હીમાં ડુંગળીનો છૂટક ભાવ ૬૦થી ૮૦ રૂપિયા પ્રતિ કિલો છે. મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા પ્રમુખ ડુંગળી ઉત્પાદક રાજ્યમાં પૂર પરિસ્થિતિ ચાલી રહી હોવાથી ડુંગળીની અછત સર્જાઇ છે.

કોમર્સ મંત્રાલયના ડીજીએફટી (ડિરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડ)એ એક જાહેરનામામાં કહ્યું કે તમામ પ્રકારની ડુંગળીની નિકાસ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ અગાઉ ૧૩મી સપ્ટેમ્બરે ડુંગળીની નિકાસ પર મિનિમમ ઍક્સપોર્ટ પ્રાઇસ (એમઇપી) પ્રતિ ટન ૮૫૦ ડૉલર લાદવામાં આવી હતી. સંગ્રહખોરી અટકાવવા સરકારે વેપારીઓ પર સ્ટોક લિમિટ લાદી છે. 

September 29, 2019
CIA_Live_Logo_New2.jpg
1min10080

હુમલો એક શિક્ષક પર નહીં સમગ્ર શિક્ષણ આલમ પર, હવે એ સાંખી નહીં લેવાય

સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલી આશાદીપ સ્કુલના એક શિક્ષક પર શાળામાં ઘૂસીને કરવામાં આવેલા હિચકારા હુમલાની વિરુદ્ધમાં સુરતનું સમગ્ર શિક્ષણ જગત સોમવાર તા.30મી સપ્ટેમ્બર 2019ના રોજ અભૂતપૂર્વ રીતે જડબેસલાક બંધ પાળશે. અગાઉ ક્યારેય એવું બન્યું નથી કે કોઇ શિક્ષક પર થયેલા હુમલાના વિરોધમાં પ્રાઇવેટ સ્કુલો, ટ્યુશન ક્લાસીસો, બાળમંદિરો બંધ રહ્યા હોય. સોમવાર, તા.30મી સપ્ટેમ્બર 2019ના રોજ આ ઘટના બનવાની છે.

કઇ સ્કુલો બંધ અને કઇ સ્કુલો ચાલુ રહેશે

  • તમામ પ્રાઇવેટ પ્રાઇમરી, સેકન્ડરી, હાયર સેકન્ડરી સ્કુલો બંધ પાળશે
  • તમામ પ્રાઇવેટ બાળમંદિરો બંધ પાળશે
  • સુરત શહેરના તમામ કોચિંગ ક્લાસીસો બંધ પાળશે
  • સુરત શહેર જિલ્લાની તમામ સેન્ટ્રલ બોર્ડની સ્કુલો બંધમાં જોડાશે
  • નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કુલોમાં શિક્ષણ કાર્ય ચાલશે
  • ગ્રાન્ટેડ અને સરકારી સ્કુલોમાં શિક્ષણ કાર્ય ચાલુ રહેશે.
  • જુદા જુદા શૈક્ષણિક સંઘોએ પણ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના નિર્ણયને ટેકો જાહેર કર્યો છે.

પ્રાઇવેટ સ્કુલો, કોચિંગ ક્લાસીસો સમેત આગેવાનોની મળેલી બેઠકમાં શિક્ષકો પર થઇ રહેલા હુમલાને વખોડી કાઢવામાં આવ્યો હતો. હુમલો એક શિક્ષક પર નહીં સમગ્ર શિક્ષણ જગત પર છે. શિક્ષકો, આચાર્યો, સંચાલકો કે અન્ય કોઇ કર્મચારીઓ પર થતાં હુમલાને હવે સાંખી નહીં લેવાય. આ વખતે સમગ્ર શિક્ષણ જગત જબરદસ્ત ઐક્ય દેખાડી રહ્યું છે.

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા આશાદીપ વિદ્યાલયના શિક્ષક પર શાળામાં ઘૂસીને કરવામાં આવેલા હિંસક હુમલાના વિરોધમાં આપવામાં આવેલા બંધના એલાનમાં સુરત એકેડેમિક એસોસીએશ એટલે કે સુરત શહેરના તમામ કોચિંગ ક્લાસીસો પણ જોડાઇ રહ્યા છે. એવી જ રીતે પ્રાઇવેટ બાળમંદિરો પણ જોડાઇ રહ્યા છે. સુરત શહેર જિલ્લામાં આવેલી સેન્ટ્રલ બોર્ડની સ્કુલો પણ સોમવારના બંધમાં જોડાશે.

સુરતના જિલ્લા શિક્ષણાધિકારી શ્રીરાજ્યગુરુએ સોમવાર તા.30મી સપ્ટેમ્બરના રોજ સ્કુલોમાં શિક્ષણ કાર્ય યથાવત રાખવાની સૂચના આપી છે, અને હડતાળ પાડનાર સંસ્થા સામે પગલાં ભરવાની ચેતવણી આપી છે, આમ છતાં સુરત શહેરનું શિક્ષણ જગત સોમવારે બંધ પાળશે એમાં બે મત નથી.

11 કલાકે સંચાલકોને પોલીસ કમિશનર કચેરીએ ઉપસ્થિત રહેવા આહવાન

સુરત શહેરના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે તા.30મી સપ્ટેમ્બરને સોમવારે સવારે 11.45 કલાકે તમામ શાળા સંચાલકોને પોલીસ કમિશનર કચેરી, અઠવાલાઇન્સ ખાતે ઉપસ્થિત રહેવા આહવાન કર્યું છે. શિક્ષકો પર થઇ રહેલા હુમલાનો વખોડી કાઢીને જવાબદારો સામે પગલાં ભરવા તેમજ ભવિષ્યમાં આવી હરકતો ન થાય તે માટે વ્યવસ્થાતંત્ર વિકસાવવામાં આવે એ સંદર્ભે પોલીસ કમિશનર, કલેકટર અને જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવશે.

September 27, 2019
speed-boat-500x500.jpg
1min6530

વી મુંબઈથી ગેટવે ઓફ ઈન્ડિયાની વચ્ચે સ્પીડ-બોટ ઓપરેટ કરવાની પરવાનગી આપવાની યોજના મહારાષ્ટ્ર મેરિટાઇમ બોર્ડ (એમએમબી) બનાવી રહ્યું છે. બોર્ડે મુંબઈ પોર્ટ ટ્રસ્ટ (એમબીપીટી)ને આ માટે બર્થિગ સ્પેસ (બોટ લાંગરવા માટેની જગ્યા) પૂરી પાડવા માટે પત્ર લખ્યો છે. ‘ગેટવે ઓફ ઈન્ડિયા પર બર્થિંગ સ્પેસ પૂરી પાડવા માટે અમે એમબીપીટીને પત્ર લખ્યો છે. તેમની પ્રતિક્રિયા બાદ અમે સ્પીડ બોટ સર્વિસ શરૂ કરી શકીશું. ગેટવે ઓફ ઈન્ડિયા, નેરુળ અને ેલાપુર વચ્ચે રોજિંદી સેવા શરૂ કરવામાં ખાનગી ઓપરેટરોએ રસ દેખાડ્યો છે’, એમ એમએમબીના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. અપોલો બંદર અને પૂર્વ જળસીમા પર નિયંત્રણ ધરાવનાર એમબીપીટી તરફથી જરૂરી મંજૂરીઓ મળી જાય તો એક મહિનામાં આ સેવા શરૂ કરી શકાશે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

‘એમબીપીટી તરફથી પરવાનગી મળ્યા બાદ વધુ ઓપરેટરો પણ આ યોજનામાં જોડાશે. સ્પીડ-બોટ સેવા શરૂ થયા બાદ નવી મુંબઈ અને દક્ષિણ મુંબઈ વચ્ચે પ્રવાસ કરવાનું સરળ થઇ જશે તથા પ્રવાસ સમયમાં અડધા કલાકથી ૪૦ મિનિટનો ઘટાડો થશે. પ્રવાસીઓ માટે ફેરી વાર્ફના બદલે ગેટવે ઓફ ઈન્ડિયા જ યોગ્ય જગ્યા રહેશે, કારણ કે ફેરી વાર્ફમાં લાસ્ટ-માઇલ કનેક્ટિવિટીની સમસ્યા સર્જાશે, એમ તેમણે જણાવ્યું હતું.

એમએમબી દ્વારા ઘણા સમયથી વિલંબિત પડેલા રેડિયો ક્લબ ખાતે જેટ્ટીના પ્રસ્તાવની પણ સમીક્ષા કરવામાં આવી હતી. એમએમબીના અધિકારીએ જણાવ્યું હતું કે જેટ્ટી માટે એમબીપીટી સાથે કરાર કરવાની જરૂર છે.