CIA ALERT

Alert Archives - Page 299 of 511 - CIA Live

November 28, 2019
satis_kumbhani.jpg
1min7070

બીટકનેક્ટ કૌભાંડમાં અનેક રોકાણકારોનાં નાણાં સલવાયા બાદ સીઆઈડી ક્રાઈમને તપાસ સોંપવામાં આવી હતી. સુરત સીઆઈડી ક્રાઈમે ઝડપથી કેસની ગુત્થી ઉકેલીને એક પછી એક આરોપીને પાંજરે પૂર્યા છે. બીટ કનેક્ટ કૌભાંડના મુખ્ય આરોપી સતીષ કુંભાણીની રૂા. 70 કરોડની આસપાસની મિલકતો અધિકારીઓએ રીકવરી અર્થે સીઝ કરી હોવાની વિગતો સાંપડી છે. બીજી તરફ કૌભાંડનાં સૂત્રધાર ધવલ માવાણીની જામીન અરજીનો ફેંસલો પણ ઝડપથી આવશે.

સુરત સીઆઈડી ક્રાઈમે બીટ કનેક્ટ કૌંભાડમાં એકથી વધુની ધરપકડ કરી છે. સતીષ કુંભાણી, ધવલ માવાણી, સુરેશ ગોરસિયા સહિતનાઓ પાસેથી સીઆઈડી ક્રાઈમે મહત્વની વિગતો મેળવી છે. ધવલ માવાણી અને સુરેશ ગોરસિયાએ જામીન મેળવવા માટે ઉધામા નાખ્યા છે. સુરેશ ગોરસિયાના જામીન સુરત સેશન્સ કોર્ટમાંથી રદ થયા છે. બન્ને આરોપીએ હાઈકોર્ટમાં જામીન મેળવવા માટે અરજી કરી છે. તેમજ આરોપી સતીષ કુંભાણીએ પણ કોર્ટમાં જામીન માટે અરજી કરી છે. જેની સુનાવણી 29મીએ આવશે.

બીટકનેકટ કૌભાંડમાં સુરત સીઆઈડી ક્રાઈમે ઠેક-ઠેકાણે દરોડા પાડી મિલકતોને સીઝ કરવાની કાર્યવાહી આરંભી છે. શરૂઆતમાં દિવ્યેશ દરજી સીઆઈડીની જાળમાં આવ્યા બાદ સતીષ કુંભાણીની ધરપકડ કરવામાં આવી હતી. બન્ને સામે આવકવેરા વિભાગે તપાસનો દૌર શરૂ કર્યો છે. બન્નેને આવકવેરા વિભાગે તરફથી નોટિસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
સીઆઈડી ક્રાઈમે ફરિયાદનાં આધારે નાણા ગુમાવનારાઓને નાણા મળી રહે તે માટે રીકવરી અર્થે આરોપીઓની મિલકતોને સીઝ કરવાની કામગીરી થોડો સમય અગાઉથી આરંભી દીધી છે. હાલમાં જ સીઆઈડી ક્રાઈમે સતીષ કુંભાણીની અંદાજે રૂા. 70 કરોડની મિલકતો સીઝ કરી છે. સીઆઈડી ક્રાઈમે કેટલાં મકાન, ફાર્મ હાઉસ સીઝ કર્યા છે તે જાણવા મળ્યું નથી.

November 25, 2019
gst.jpg
1min5260

કેન્દ્ર સરકાર જીએસટીમાંથી રાજ્યોને તેનો હિસ્સો સમયસર આપતી નથી એવી ફરિયાદ છે. રાજ્યોના લગભગ રૂ. ૩૫ હજાર કરોડ કેન્દ્ર પાસે લેવાના બાકી છે. જેથી રાજ્યના ઘણા વિભાગની હાલત ઘણી ખરાબ થઇ છે. નાણાકીય ખેંચ અનુભવાય છે. નૉટબંધી બાદની હાલત કરતા વધુ ખરાબ હોવાનું ભૂતપૂર્વ પ્રધાને કહ્યું હતું.

આર્થિક મંદીના કારણે વેપાર-ઉદ્યોગ ઠંડા છે. કેન્દ્ર સરકાર દર મહિને નવી યોજના જાહેર કરે છે. તેને પૂરી કરવા કેન્દ્ર સરકાર રાજ્યોના હિસ્સાની જીએસટી રકમ અટકાવી રહી છે.

જીએસટીના ૬૦ ટકા હિસ્સો રાજ્યોના કરનો છે. જીએસટી લાગુ થયા બાદ રાજ્યોએ તમામ કરવસૂલાત ખતમ કરીને જીએસટીમાં સમાવી લીધું હતું તેથી રાજ્યને ભરપાઇ કરવાની જવાબદારી કેન્દ્રની છે. ત્રણ મહિનાથી રાજ્યોને કેન્દ્ર તરફથી રકમ મળી નથી.

દિલ્હી, પંજાબ, રાજસ્થાન કેરળ અને પશ્ર્ચિમ બંગાળના નાણાપ્રધાને સંયુક્ત નિવેદન કરીને રાજ્યોની બાકી રકમ આપી દેવા કેન્દ્રને જણાવ્યું છે. દિલ્હીના રૂ. ૨૩૫૫ કરોડ તથા પંજાબના રૂ.૪૧૦૦ કરોડ અટકેલા છે.

November 24, 2019
india_win.jpg
1min6060

કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન પર ટીમ ઇન્ડિયા પોતાની પહેલી ડે-નાઈટ ટેસ્ટમાં બાંગ્લાદેશને એક ઇનિંગ્સ અને 46 રને માત આપ્યું હતું. ભારત એક ઇનિંગ્સના માર્જિનથી સતત 4 મેચ જીતનાર પહેલો દેશ બની ગયો છે.

બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા પહેલાથી જ મજબૂત સ્થિતિમાં છે. મહેમાન ટીમને 106 રનમાં ઓલઆઉટ કર્યા પછી ભારતે 9 વિકેટે 347 દાવ ડિક્લેર કર્યો હતો. ભારત માટે વિરાટ કોહલીએ 136 રનની કપ્તાની ઇનિંગ્સ રમીને આઉટ થયો હતો. તેણે પોતાના ટેસ્ટ કરિયરની 27મી અને ભારત માટે પિન્ક-બોલ ટેસ્ટમાં પ્રથમ સદી ફટકારી. તૈજુલ ઇસ્લામે હુસેનની બોલિંગમાં ફાઈન-લેગ પર કોહલીનો જોરદાર કેચ કર્યો હતો. કોહલીએ કેપ્ટન તરીકે બધા ફોર્મેટની કુલ 188 ઇનિંગ્સમાં 41મી સદી મારી છે. કપ્તાન તરીકે સૌથી વધુ સદીના મામલે તેણે રિકી પોન્ટિંગની બરોબરી કરી છે. પોન્ટિંગે 41 સદી માટે કોહલી કરતા ડબલ એટલે કે 376 ઇનિંગ્સ લીધી હતી. દક્ષિણ આફ્રિકાનો પૂર્વ કપ્તાન 33 સદી સાથે આ સૂચિમાં ત્રીજા સ્થાને આવે છે.

ટીમ ઇન્ડિયાએ તે સાથે જ સતત સાતમી ટેસ્ટ જીતી છે. ભારતે સીરિઝ 2-0થી પોતાના નામે કરી છે. પહેલી ઇનીંગમાં 241 રનની લીડ મેળવ્યા બાદ ભારતે બાંગ્લાદેશને બીજા દાવમાં 195 રનમાં ઓલઆઉટ કર્યું હતું. યજમાન ટીમ માટે બીજા દાવમાં ઉમેશ યાદવે 5 અને ઇશાંત શર્મા 4 વિકેટ લીધી હતી. ઉમેશ યાદવ મેન ઓફ ધ મેચ બન્યો હતો જ્યારે ઇશાંત શર્મા મેન ઓફ ધ સીરિઝ રહ્યો હતો.

November 24, 2019
sharad_pawar.jpg
1min5240

એનસીપીએ અજિત પવારને વિધાનમંડળના નેતા પદેથી હાંકી કાઢ્યા હતા અને તેઓ વિધાનસભ્યોને ભાજપના સમર્થનમાં મત આપવાનો આદેશ આપી શકે તેવી સત્તા પણ તેમની પાસેથી લઈ લીધી હતી. અજિત પવારે ભાજપ સાથે જોડાણ કરી નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. તેમના આ નિર્ણય સાથે પક્ષ સહમત ન હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. શરદ પવારે બોલાવેલી પક્ષના વિધાનસભ્યોની બેઠકમાં ૫૪માંથી ૪૯ સભ્ય હાજર હોવાનો દાવો એનસીપીએ કર્યો હતો. ત્રીસમી ઑક્ટોબરે અજિત પવારેને વિધાનમંડળના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. હાલમાં આ જવાબદારી પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલને સોંપવામાં આવી છે.

સવારે થયેલા હાઈ ડ્રામા બાદ પવારે ચાર વાગ્યે બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ધનંજય મુંડે સહિત ૪૯ વિધાનસભ્ય હાજર હોવાનું એનસીપીએ જણાવ્યું હતું. અન્ય છ પણ ટૂંક સમયમાં પક્ષનો સંપર્ક સાધશે, તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. આ સાથે અજિત પવારની શપથવિધિમાં હાજર બાર વિધાનસભ્યમાંથી નવે શરદ પવાર સાથે હોવાનું જણાવતા અજિત પવાર એકલા પડી ગયા હોવાનું માનવામાં આવે છે. આ સ્થિતિ ભાજપ માટે સંકટ ઊભું કરનારી હોવાનો દાવો થઈ રહ્યો છે. આ નવ વિધાનસભ્યએ એક જ સૂર પુરાવ્યો હતો કે તેઓ અજિત પવારના આદેશને માન આપી ગયા હતા અને તેમને રાજભવનમાં શપથવિધિ માટે જવાનો કોઈ અણસાર આપવામાં આવ્યો ન હતો. તેમને અંધારામાં રાખી અજિત પવારે શપથ લીધા હતા. આ બેઠકમાં ફડણવીસના અતિ નજીકના માનવામાં આવતા પરલીના વિધાનસભ્ય ધનંજય મુંડેની હાજરીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

આ બેઠક બાદ ત્રીસમી નવેમ્બરે વિશ્ર્વાસનો મત જીતવો ભાજપ માટે અઘરો બની રહેશે, તેમ માનવામાં આવે છે. જોકે રાજકીય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ દિવસે ચિત્ર અલગ પણ હોઈ શકે. સંપૂર્ણ દિવસ દરમિયાન અજિત પવારે ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હતા. તેમને મનાવવા માટે પક્ષના ઘણાં નેતાઓએ પ્રયત્ન કર્યા હતા. કૉંગ્રેસે પણ અજિત પવારને ભૂલ સમજી પાછા આવવા વિનંતી કરી હતી. જ્યારે બીજી બાજુ અજિત પવારે શરદ પવારને સંદેશો મોકલાવ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. જેમાં તેમણે પક્ષને બચાવવો હોય તોે ભાજપ સાથે જોડાવવાની વાત કરી હતી. અજિત પવાર પાસે ૩૦થી ૩૬ વિધાનસભ્યનું સમર્થન હોવાનું માનવામાં આવે છે.

November 22, 2019
traffic_police_memo-1280x720.jpg
1min5860

ટ્રાફિક મેમો ફાડીને દંડ વસૂલવામાં ગુજરાત પોલીસ 101 કરોડની વસૂલાત સાથે દેશમાં બીજા ક્રમે

નવો મોટર વેહીકલ એક્ટ લાગુ થયા બાદ અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં કુલ મળીને પ77 કરોડથી વધુ રૂપિયાનાં મેમો ફાટયા હોવાનું તા.21મી નવેમ્બર 2019ના રોજ કેન્દ્રના પરિવહન મંત્રાલય દ્વારા લોકસભામાં આધિકારીક રીતે જણાવવામાં આવ્યું હતું.

આ વાસ્તવિક દંડ વસૂલાત ન હોવાનું પણ મંત્રાલયે જણાવ્યું હતું. કારણ કે કેટલાક ચલણોમાં કેશ રૂપિયા વસૂલ થયા છે તો કેટલાક ચલણો આર.ટી.ઓ.માં તો કેટલાક ચલણને અદાલતોમાં મોકલવામાં આવી રહ્યા છે. ભાજપ સાંસદ જગદંબિકા પાલે લોકસભામાં પૂછેલા સવાલનો ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીએ જવાબ આપ્યો હતો.

રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અત્યાર સુધીમાં કુલ 38 લાખ લોકોનાં મેમો ફાડવામાં આવ્યા છે. તામિળનાડુમાં સૌથી વધુ 14.13 લાખ લોકોનાં ચલણ નીકળ્યા છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ટ્રાફિક પોલીસ દ્વારા દંડનીય વસૂલાત રૂ.101 કરોડની કરી દેવામાં આવી છે. દંડ વસૂલ કરવામાં ગુજરાત સમગ્ર ભારતમાં ઉત્તર પ્રદેશ (પહેલા ક્રમ) પછી બીજા ક્રમે આવે છે.

ક્યાં કેટલી રકમના મેમો ફાટ્યા રકમ રૂ.માં

ચંદિગઢ’ 5,58 કરોડ
આસામ’ 12.45 લાખ
છત્તીસગઢ””””” 14.81 લાખ
ઉત્તરપ્રદેશ””””” 201.91 કરોડ
દિલ્હી”’ 34.15 કરોડ
રાજસ્થાન””””” 5.56 કરોડ
બિહાર”’ 78.37 કરોડ
પંજાબ”’ 85.64 લાખ
ઉત્તરાખંડ”””””’ 3.05 કરોડ
ગુજરાત’ 101.27 કરોડ
મહારાષ્ટ્ર’ 4.16 કરોડ
હરિયાણા 72.18 કરોડ

નવો કાયદો લાગુ કરવામાં આવ્યા બાદ દેશમાં અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થયો હોવાનું કહેવામાં આવ્યું છે. જો કે તેમાં ફક્ત નવ રાજ્યોની જાણકારી જ મૂકવામાં આવી છે. ગતવર્ષનાં સપ્ટેમ્બર-ઓક્ટબરની તુલનામાં ક્યાં કેટલો ઘટાડો નોંધાયો તેનું વિવરણ સંસદમાં આપવામાં આવ્યું હતું. જો કે છત્તીસગઢમાં અકસ્માતોમાં 4.1 ટકાનો વધારો નોંધાયો હોવાનું પણ તેમાં ટાંકવામાં આવેલું છે.

રાજ્ય”’ અકસ્માતમાં ઘટાડો
કેરળ””’ 2.1 ટકા
યુપી””” 9.8 ટકા
બિહાર”’ 10.પ ટકા
ગુજરાત’ 13.8 ટકા
ઉત્તરાખંડ”””””’ 21.8 ટકા
હરિયાણા 11.8 ટકા
પુડ્ડુચેરી 30.7 ટકા
ચંદિગઢ’ 7પ ટકા

November 22, 2019
pink_ball_test_CIALIVE_news.jpg
1min5560

ભારત અને બંગલાદેશ વચ્ચે શુક્રવારથી ભારતમાંની સૌપ્રથમ દિવસ – રાતની ટેસ્ટ રમાવાની છે અને તેમાં ગુલાબી બૉલ વાપરવામાં આવશે. બંગલાદેશનાં વડાં પ્રધાન શેખ હસીના પણ ઇડન ગાર્ડન્સ ખાતેની આ સૌપ્રથમ દિવસ – રાતની ટેસ્ટ જોવા આવવાના છે.

આમ છતાં, સચિન તેન્ડુલકર સહિત કેટલાક ખેલાડીએ દિવસ રાતની ટેસ્ટ માટે ચિંતા વ્યક્ત કરી હતી.

અમુક ક્રિકેટરે જણાવ્યું હતું કે ઝાકળને લીધે બૉલ ભીનો થઇ જશે અને તેનાથી બૉલરો માટે તેને સ્વિંગ કરવો મુશ્કેલ બનશે.

બંગલાદેશની ટીમ ભારત રમવા આવે તે પહેલાં ભારતીય ક્રિકેટ બૉર્ડ (બીસીસીઆઇ)ના નવા વડા સૌરવ ગાંગુલી બંગલાદેશ ક્રિકેટ બૉર્ડને દિવસ રાતની આ ટેસ્ટ રમવા સમજાવવામાં સફળ થયા હતા.

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે દિવસ રાતની ટેસ્ટ માટે સાત વર્ષ પહેલાં પરવાનગી આપી હતી અને અત્યાર સુધીમાં આવી ૧૧ ટેસ્ટ રમાઇ હતી. ચાર વર્ષ પહેલાં એડેલેઇડ ખાતે ન્યૂ ઝીલેન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ૨૦૧૫ના ડિસેમ્બરમાં સૌપ્રથમ દિવસ રાતની ટેસ્ટ રમાઇ હતી. સૂર્યાસ્ત પછી ગુલાબી બૉલ જોવામાં મુશ્કેલી પડવાનો ભય પણ વ્યક્ત કરાઇ રહ્યો છે.

ભારતીય સુકાની વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે ગુલાબી બૉલથી રમવું પડકારરૂપ રહેશે, કારણ કે તે હોકીના બૉલ જેવો વજનદાર છે. ફિલ્ડિંગ અને બૉલિંગમાં પણ તે મુશ્કેલી સર્જી શકે છે.

તેણે જણાવ્યું હતું કે સાંજના ઝાંખા પ્રકાશમાં પણ ગુલાબી બૉલ ફિલ્ડરો માટે પડકારરૂપ રહેશે. ટ્વેન્ટી-૨૦ અને પચાસ ઓવરની મૅચમાં લોકોને વધુ રસ છે ત્યારે ટેસ્ટ ક્રિકેટ પ્રત્યે વધુ લોકોને આકર્ષવા માટે દિવસ રાતની ટેસ્ટના પ્રયોગ થઇ રહ્યા છે.

ભૂતપૂર્વ પ્રારંભિક બૅટ્સમેન ગૌતમ ગંભીરે જણાવ્યું હતું કે ગુલાબી બૉલ ઝડપી બૉલરોને વધુ લાભદાયક સાબિત થશે.

બંગલાદેશના સુકાની મોમિનુલ હકે ગુલાબી બૉલથી રમવાના પૂરતા અનુભવના અભાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ભારતીય ટીમનું બંગલાદેશ સામે પલડું ભારે જ રહ્યું છે.

ટીમ: ભારત: વિરાટ કોહલી (સુકાની), રોહિત શર્મા, મયંક અગરવાલ, ચેતેશ્ર્વર પુજારા, અજિંક્ય રહાણે, વૃદ્ધિમાન સહા (વિકેટકીપર), રવિચંદ્રન અશ્ર્વિન, રવીન્દ્ર જાડેજા, ઋષભ પંત, મહંમદ શમી, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ, હનુમા વિહારી, કુલદીપ યાદવ અને શુભમન ગિલ.

બંગલાદેશ: મોમિનુલ હક (સુકાની), લિન્ટન દાસ (વિકેટકીપર), મેહિદી હસન, નઈમ હસન, અલ-અમીન હુસેન, અબાડોટ હુસેન, મોસ્સાદેક હુસેન, શદમન ઇસ્લામ, તૈજુલ ઇસ્લામ, અબુ જાયેદ, ઇમરુલ કાયેસ, મહમુદુલ્લાહ, મહંમદ મિથુન, મુશફિકાર રહિમ, મુશ્તફિઝુર રહમાન.

November 22, 2019
cotton.jpg
1min5630

ભારતીય કપાસ નિગમ દ્વારા સૌરાષ્ટ્રના કુલ ૪૧ કેન્દ્રોમાંથી હાલ ૧૧ કેન્દ્રો પર ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરવામાં આવી હતી. જ્યારે રાજકોટ જિલ્લામાં કુલ ૧૦ કેન્દ્રોમાંથી હાલ બે કેન્દ્રો પર કપાસની ખરીદી કરવામાં આવી રહી છે. આઠ ટકા ભેજનું પ્રમાણ હોય તેવા કપાસની મણે ૧૧૦૦ રૂપિયામાં ખરીદી કરવામાં આવી રહી હતી.

સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું. તેમ જ ચાલુ વર્ષે સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં પાક ઉતારા સમયે થયેલા માવઠાને કારણે ખેડૂતોને પાકમાં ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. અમુક જિલ્લામાં ખેડૂતોએ પોતાનો પાક વરસાદથી ખરાબ ન થાય તે માટે જિલ્લાના માર્કેટ યાર્ડોમાં મૂકી દીધો હતો.

માવઠાનું ગ્રહણ દૂર થતાં જ કપાસની ભરપૂર આવકની અસર માર્કેટમાં જોવા મળી રહી છે. સતત બીજા દિવસે કપાસિયા તેલમાં ડબાએ ૧૦ રૂપિયાનો ઘટાડો થયો હતો. એક તરફ માર્કેટ યાર્ડમાં ભરપૂર આવક છે અને બીજી તરફ હજુ આવક થવાની સંભાવના છે ત્યારે ભાવમાં ઘટાડો થયો છે. હાલ કપાસિયા તેલનો ડબાનો ભાવ ૧૨૯૦થી ૧૩૨૦ પર પહોંચ્યો હતો.

November 22, 2019
CBI.png
1min4810

સીબીઆઇએ પાછલાં ત્રણ વર્ષમાં જોઇન્ટ સેક્રેટરીથી ઉપરના અધિકારીઓ, બૅંકો અને પીએસયુના બૉર્ડ કક્ષાના અધિકારીઓ અને રાજકીય નેતાઓ સામે ૧૬૦ કેસ દાખલ કર્યા હોવાની વાત રાજ્યસભાને જણાવાઇ હતી.

રાજ્ય કક્ષાના પર્સોનેલ પ્રધાન જિતેન્દ્રસિંહે એક સવાલના લેખિત જવાબમાં વધુમાં જણાવ્યું હતું કે ૨૦૧૬, ૨૦૧૭, ૨૦૧૮ અને ૨૦૧૯ (૩૧ ઑક્ટોબર સુધી) નોંધવામાં આવેલા ૧૬૦ કેસમાંથી ૫૪ કેસ જોઇન્ટ સેક્રેટરી કે એથી ઉપર પદના અધિકારીઓ સામે, બૅંકો અને પીએસયુના બૉર્ડ કક્ષાના અધિકારીઓ સામે ૫૦ કેસ અને રાજકીય નેતાઓ સામે ૫૬ કેસ દાખલ કર્યા હતા. (પીટીઆઇ)

ગોટાળા પકડવા નવતર ઉપાય શોધો

કેગના ઑડિટરોને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારી ખાતામાં થતાં ગોટાળા પકડવા નવતર ઉપાય શોધવાની અને એ રીતે ભારતને પાંચ ટ્રિલિયનનું અર્થતંત્ર બનાવવામાં મદદ કરવાની સલાહ આપી હતી.

એમણે એક સમારંભને સંબોધતા વધુમાં જણાવ્યું હતું કે સરકાર ૨૦૨૨ સુધીમાં પુરાવા આધારિત નીતિ ઘડવા માગે છે અને થિંક ટેન્ક બનીને અને બિગ ડેટાનું સર્વેક્ષણ કરીને કેગ પોતાનો ભાગ ભજવી શકે છે.

November 22, 2019
fastag.png
1min5280

નેશનલ હાઈવે પરના ટોલ પ્લાઝાઓની ફાસ્ટેગ લેનમાંથી ટેગ વગર પસાર થનારા વાહનો પાસેથી બમણી રકમ વસૂલવામાં આવશે તેવું નીતીન ગડકરીએ ગુરુવારે કહ્યું હતું. ટોલ નાકા પર એક હાઈબ્રિડ લેન રહેશે જયાંથી ટેગ વગરના વાહનો રાબેતા મુજબનો ટોલ ભરી શકશે.

રોડ ટ્રાન્સપોર્ટ પ્રધાન ગડકરીએ કહ્યું હતું કે દેશમાં ૫૩૭ ટોલ પ્લાઝા પર સો ટકા ઈલેક્ટ્રિક ટોલ કલેકશન કરી શકાશે. ફાસ્ટેગ એવા પ્રિપેઈડ ટેગને કહેવામાં આવે છે જે વાહનના વીન્ડ સ્ક્રીન પર લગાવેલું હોય છે. ટોલ ચાર્જિસની રકમ આપોઆપ બાદ થઈ જતી હોય છે, રોકડ રકમ આપ્યા વગર વાહન ટોલ પ્લાઝામાંથી પસાર થઈ શકે છે.

ટોલ પ્લાઝા પર એક લેન રાખવામાં આવશે જ્યાંથી ફાસ્ટેગ ધરાવતા વાહનો અને અન્ય રીતે પેમેન્ટ આપનારા વાહનો પસાર થઈ શકશે. પહેલી ડિસેમ્બર સુધી નેશનલ હાઈવેઝ ઑથોરિટી ઑફ ઈન્ડિયા નિશુલ્ક આપશે, જેને વાહન માલિકે જરૂરી રકમથી ચાર્જ કરવાનું રહેશે.

November 21, 2019
CIA_Live_Logo_New2.jpg
2min16270

સમર્થન ગ્રુપની આવકારદાયી પહેલ : સૂરતના ભૂલકાઓ શાળામાં નિયમિત અંતરાલે પાણી પીશે

સૂરતની 50 શાળાઓ અને 50,000 વિદ્યાર્થીઓથી સમર્થન ગ્રુપનું વોટર બ્રેક અભિયાન 1લી ડિસેમ્‍બરથી શરૂ થશે, ગુજરાતની કોઇપણ પ્રાથમિક શાળા સરળતાથી વોટર બ્રેક અભિયાનમાં જોડાઇ શકે

સૂરત શહેર જિલ્લાની શાળાઓ ખાસ કરીને પ્રાથમિક શાળાોના બાળકો વોટર બ્રેક અભિયાન અન્વયે સ્કુલ સમયગાળામાં નિયમિત રીતે પાણી પીએ એ માટે સૂરતના જાણીતા આંખના સર્જન ડો. મહેન્દ્રસિંહ ચૌહાણ, ઉધના વિસ્તારના ખ્યાતિ પ્રાપ્ત તબીબ અને યુનિવર્સિટીના સિન્ડીકેટ મેમ્બર ડો. કશ્યપ ખરચીયા, અમરોલી કોલેજના આચાર્યશ્રી ડો. કે.એન. ચાવડા, ડો. વિપુલ ચૌધરી સમેત અન્ય આગેવાનોએ જણાવ્યું હતું કે સકારાત્‍મક સામાજિક હિતના જતન, સંર્વધન માટે કાર્ય કરતા સૂરતના એન.જી.ઓ. સમર્થન ગ્રુપ દ્વારા પ્રાથમિક શાળાઓના ભૂલકાઓના વિશાળ સ્‍વાસ્‍થય હિતમાં વોટર બ્રેક અભિયાનના સ્‍વરૂપમાં એક રાજ્‍યવ્‍યાપી ઝુંબેશ તા.1લી ડિસેમ્‍બર 2019થી શરૂ કરવામાં આવી રહી છે.

આપ સૌ જાણો જ છો કે માનવીય શરીરની રચનામાં પાણીનું ભારણ 60 ટકાથી વધુ હોવું જોઇએ, હવા પછી માનવીય શરીર માટે સૌથી અનિવાર્ય પરીબળ પાણી જ છે. આપ એ પણ જાણો છે કે નાના બાળકોમાં નિયમિત રીતે પાણી પીવા બાબતે એકયા બીજા કારણોસર ઉદાશીનતા જોવા મળે છે. મોટા ભાગની માતાઓની ફરીયાદ હોય છે કે બાળક શાળાએ જાય ત્‍યારે વોટરબેગ-વોટર બોટલમાં પાણી ભરીને લઇ તો જાય છે પણ શાળામાં ખૂબ ઓછું પાણી પીતા હોય છે અને મોટા ભાગે પાણી ભરેલી વોટરબેગ-વોટર બોટલ એઝ ઇટ ઇઝ પરત આવે છે. પ્રાથમિક શાળાના બાળકોના શારીરીક ઘડતર માટે પાણી ખૂબ ઉપયોગી કમ્‍પોનન્‍ટ છે અને ગુજરાતના બાળકો ખાસ કરીને પ્રાથમિક શાળાના બાળકો નિયમિત અંતરાલે પાણી પીતા થાય એ ખૂબ જરૂરી છે. અને એ માટે જ સૂરતના સમર્થન ગ્રુપ દ્વારા ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં વોટરબ્રેક અભિયાન હાથ ધર્યું છે.

બાળકો વિશાળ સ્‍વાસ્‍થય હિતમાં પ્રાથમિક શાળાઓને વોટર બ્રેક અભિયાનમાં જોડાવા સૂરતના સમર્થન ગ્રુપની અપીલ

સમર્થન ગ્રુપ દ્વારા વોટર બ્રેક અભિયાન માટે એક્‍સપર્ટ ડોક્‍ટર્સની પેનલનું ગાઇડન્‍સ લેવાયું

પાણી માનવ જીવનની સાથે બાળકો માટે કેટલું જરૂરી છે અને વોટર બ્રેક બાળકો માટે કેટલું અનિવાર્ય છે એ વિષયે મેડીકલ સેન્‍સ મેળવવા માટે સમર્થન ગ્રુપ દ્વારા એક્‍સપર્ટ ડોક્‍ટર્સની એક પેનલ બનાવીને તેમની પાસેથી સેન્‍સ ઇમ્‍પોર્ટન્‍સ ઓફ વોટર વિષયે સેન્‍સ મેળવાયો છે. (જેની કોપી આ સાથે સામેલ છે) સમર્થન ગ્રુપની વોટર બ્રેક ડોક્‍ટર્સ પેનલમાં ડો.ફાગુન શાહ (પિડીયાટ્રીક નેફ્રોલોજીસ્‍ટ) ડો. કનકસિંહ સૂરમા (સિનિયર પિડીયાટ્રીશ્‍યન) અને ડો. ધનેશ વૈદ્ય (સિનિયર નેફ્રોલોજીસ્‍ટ)નો સમાવેશ થાય છે.

કેવી રીતે કામ કરશે વોટર બ્રેક અભિયાન?

શાળાઓમાં વોટર બ્રેક અભિયાન શરૂ કરાવવું સાવ સરળ છે. બાળકોને દર બે તાસને અંતે ત્રીજો તાસ શરૂ થાય ત્‍યારે જે તે વિષય શિક્ષક વર્ગખંડમાં પહોંચે એટલે પહેલું કામ વિદ્યાર્થીઓને પાણી પીવાનું યાદ દેવડાવશે અને બાળકોને 30થી 45 સેકન્‍ડનો સમય પાણી પીવા માટે આપશે. એ પછી શિક્ષક અભ્‍યાસ કાર્યનો આરંભ કરશે. બસ આ પ્રકારે શાળામાં બાળક સાડાચાર-પાંચ કલાકમાં ઓછામાં ઓછું 500થી 750 મિ.લિ. પાણી ઇન્‍ટેક કરી શકશે જે તેમના સ્‍વાસ્‍થય માટે ખૂબ જ લાભપ્રદ બની રહેશે.

સૂરતની 50 શાળાઓ અને 50,000 વિદ્યાર્થીઓ સાથે શરૂ થઇ રહ્યું છે વોટર બ્રેક અભિયાન

સમર્થન ગ્રુપ દ્વારા વોટર બ્રેક અભિયાનના અમલ માટે જુદી જુદી શાળાઓના મેનેજમેન્‍ટ, આચાર્યો સાથે વાતચીત કરવામાં આવી હતી અને તેમાંથી સમગ્ર સૂરત શહેર-જિલ્લા વિસ્‍તાર મળીને કુલ 50થી વધુ શાળાઓના 50 હજારથી વધુ વિદ્યાર્થીઓ માટે તા.1લી ડિસેમ્‍બર 2019થી વોટર બ્રેક અભિયાનનો આરંભ થઇ રહ્યો છે.

કોઇપણ શાળા સરળતાથી વોટર બ્રેક અભિયાન શરૂ કરી શકે

વોટર બ્રેક અભિયાન એ સમર્થન ગ્રુપની પહેલ છે અને કોઇપણ પ્રાથમિક શાળા આ અભિયાનમાં સરળતાથી જોડાઇ શકે. શાળાઓ સમર્થન ગ્રુપની સાથે જોડાઇને પણ વોટર બ્રેક અભિયાનમાં જોડાઇ શકે. અને નહીં જોડાઇને પણ પોતાના બાળકોને વોટર બ્રેકનો સમય આપીને શાળાકીય સમય દરમિયાન બાળકોને પાણી પીવડાવવાનું યાદ દેવડાવે તો બાળકોના સ્‍વાસ્‍થય હિતમાં એ સૌથી પૂણ્‍યશાળી કાર્ય બનશે.

સમર્થન ગ્રુપના વોટર બ્રેક અભિયાનમાં જોડાવા માટે સંપર્ક નં. 94295 07197

વોટર બ્રેક અભિયાનને કેવી રીતે રાજ્‍યવ્‍યાપી બનાવાશે

1. સૂરતમાં નગર પ્રાથમિક શિક્ષમ સમિતિ, જિલ્લા પંચાયત પ્રાથમિક શિક્ષણ સમિતિ તેમજ ખાનગી પ્રાથમિક શાળા સંચાલક મંડળ એસોસીએશન્‍સ વગેરેને વોટર બ્રેક અભિયાન શરૂ કરવા રજૂઆત કરાશે.

2. રાજ્‍યના શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્‍દ્રસિંહ ચૂડાસમા તેમજ અન્‍ય સરકારી ઉચ્‍ચાધિકારીઓથી લઇને સ્‍થાનિક જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સુધીના અધિકારીઓને વોટર બ્રેક અભિયાનથી માહિતગાર કરીને તેમનું સમર્થન મેળવવા પ્રયાસ કરવામાં આવશે.

3. રાજ્‍યના દરેક જિલ્લામાં સમર્થન ગ્રુપ દ્વારા વોટર બ્રેક અભિયાન માટે વોલ્‍યુન્‍ટીયર્સ, એન.જી.ઓ. સાથે જોડાણ કરાશે

4. સોશ્‍યલ મિડીયા પર #waterbreak #Samarthanwaterbreak #WBA #waterbreakabhiyan થી ડ્રાઇવ ચલાવીને સમગ્ર દેશ-દુનિયામાં વોટર બ્રેક અભિયાનનો વ્‍યાપ વિસ્‍તાર વધારવામાં આવશે.

અભિયાનમાં જોડાવા માટે અહીં ક્લીક કરો

http://bit.ly/2OpL4u8