CIA ALERT

Alert Archives - Page 286 of 511 - CIA Live

January 20, 2020
parixapecharcha.jpg
1min5680

પરીક્ષાનો હાઉ દૂર કરવા સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ કરશે. આ કાર્યક્રમમાં પહેલીવાર ૫૦ દિવ્યાંગ વિદ્યાર્થીઓને સામેલ કરવામાં આવ્યા છે. સવારે ૧૧ વાગ્યાથી શરૂ થનારા આ કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી અંદાજે બે હજાર વિદ્યાર્થી અને શિક્ષકો ઉપસ્થિત રહેશે.  

દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં વડાપ્રધાન દ્વારા સોમવારે પરીક્ષા પે ચર્ચા કરવામાં આવશે. જેમાં સમગ્ર દેશમાંથી બે હજાર વિદ્યાર્થી અને શિક્ષકો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની પસંદગી એક નિબંધ સ્પર્ધા દ્વારા કરવામાં આવી છે. જેના માટે વિદ્યાર્થીઓએ દોઢ હજાર શબ્દનો નિબંધ અને તેની સાથે વડાપ્રધાનને પુછવાના પ્રશ્નોની વિગત લખી મોકલી હતી. સમગ્ર દેશમાંથી ૨.૬ લાખ જેટલા નિબંધો મળ્યા હતા અને તેમાંથી ૧૦૫૦ જેટલા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. 

ગુજરાતમાંથી ૨૯૬૨૩ વિદ્યાર્થીઓએ નિબંધ લખીને મોકલ્યા હતા. જેમાંથી ૪૨ જેટલા વિદ્યાર્થીઓને પસંદ કરાયા છે અને તેઓ કાર્યક્રમમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચી ગયા હોવાનું પણ જાણવા મળે છે. ગુજરાતમાંથી જવાહર નવોદય વિદ્યાલય, કેન્દ્રીય વિદ્યાલય, સરકારી સ્કૂલો અને ગ્રાન્ટેડ સ્કૂલના ૪૨ વિદ્યાર્થીઓ સાથે પાંચ શિક્ષકો પણ દિલ્હી ગયા હોવાનું જાણવા મળે છે. કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે પરીક્ષાનો તણાવ દૂર કરવા સંવાદ કરશે.

January 20, 2020
ausi_open.jpg
1min5430

વર્ષની પ્રથમ ગ્રાન્ડસ્લેમ’ ટેનિસ ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયન ઓપન’ ચેમ્પિયનશીપની આવતીકાલથી મેલબોર્ન પાર્ક ખાતે શરૂઆત થઇ રહી છે. ડ્રોની જાહેરાત કરવામાં આવ્યા બાદથી તમામ ખેલાડીઓ પોતપોતાની વ્યૂહરચના તૈયાર કરી ચુક્યા છે. નોવાક જોકોવિક તાજ જાળવી રાખવાના ઇરાદા સાથે પુરુષ વર્ગમાં મેદાનમાં ઉતરશે જ્યારે મહિલાઓના સિંગલ્સમાં જાપાનની ઓસાકા તાજ જાળવી રાખવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરી રહી છે. જો કે તેની દિગ્ગજ સેરેના વિલિયમ્સથી જોરદાર ટક્કર મળશે. જોકોવિક ઉપરાંત રાફેલ નડાલ, રોજર ફેડરર પણ ઇતિહાસ સર્જવા માટે તૈયાર છે.

મહિલા વર્ગમાં સેરેના વિલિયમ્સ નવો રેકોર્ડ સર્જવા તૈયાર છે. સ્પેનના સ્ટાર ખેલાડી રાફેલ નડાલ પાસે સ્વિસ ખેલાડી રોજર ફેડરરના 20 ગ્રાન્ડસ્લેમ જીતવાના રેકોર્ડની બરોબરી કરવાની તક રહેલી છે. બીજી બાજુ રોજર ફેડરર પણ વધુ એક ગ્રાન્ડસ્લેમ જીતીને આગેકૂચ કરવા માટે ઇચ્છુક છે.’

2009માં નડાલે અહીં જીત મેળવી હતી. બીજી બાજુ વર્તમાન ચેમ્પિયન નોવાક જોકોવિક પણ રેકોર્ડ 8મી વખત ઓસ્ટ્રેલિયન ઓપન તાજ જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. 2019માં જોકોવિકે સારો દેખાવ કર્યો હતો. પાંચ ટાઇટલ જીત્યા હતા જેમાં મેલબોર્ન પાર્ક અને વિમ્બલ્ડનનો સમાવેશ થાય છે. 37 વર્ષીય રોજર ફેડરર પણ સ્ટિવ જોન્સન સામે રમીને આગેકૂચ કરનાર છે.’ રોજર ફેડરર સાતમી વખત ઓસ્ટ્રેલિયન ઓપનનો તાજ જીતવા માટે ઇચ્છુક છે. 2018માં તે અહીં છેલ્લી વખત વિજેતા બન્યો હતો. મહિલાઓના વર્ગમાં સેરેના વિલિયમ્સ ઓસ્ટ્રેલિયાની મહાન ખેલાડી માર્ગારેટના રેકોર્ડની બરોબરી કરવા માટે ઇચ્છુક છે. માર્ગારેટ કોર્ટે 24 ગ્રાન્ડસ્લેમ સિંગલ્સ સ્પર્ધા જીતી હતી. તે પોતાની પ્રથમ રાઉન્ડની મેચમાં રશિયાની ખેલાડી સામે રમનાર છે.

January 18, 2020
jeemain.jpg
6min8580

JEE Main January 2020 પરીક્ષાનું ફક્ત પરીણામ જાહેર થયું છે, રેન્ક મે-2020માં જાહેર થશે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

તા.18મી જાન્યુઆરી 2020ની સવાર જાણે 9 લાખ પરિવારો માટે સુખદ આશ્ચર્ય લઇને આવી હતી. આ 9 લાખ પરિવારો એ હતા કે જેમના સંતાનોએ હજુ તા.11મી જાન્યુઆરી 2020 સુધી ભારતમાં એન્જિનિયરિંગની નેશનવાઇડ ટેસ્ટ જેઇઇ (જોઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામ) મેઇન પરીક્ષા આપી હતી. પરીક્ષા પૂરી થયાના ફક્ત 7 જ દિવસમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ 8.69 લાખ ઉપરાંત પરીક્ષાર્થીઓનું પરીણામ જાહેર કરી દીધું હતું. અનેક સ્કુલોના આચાર્યો, વિદ્યાર્થીઓને તો કલ્પના પણ ન હતી કે જેઇઇ મેઇન્સ જાન્યુઆરી 2020નું પરીણામ જાહેર થઇ ચૂક્યું છે. સી.આઇ.એ લાઇવ અને શિક્ષણ સર્વદા દ્વારા અનેક સ્કુલોના આ બાબતે જાણ કરવામાં આવી હતી.

ગઇ તા.7 જાન્યુઆરીથી તા.11 જાન્યુઆરી વચ્ચે જેઇઇ મેઇન્સ પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા સમગ્ર રાજ્યમાં ઓનલાઇન ધોરણે લેવામાં આવી હતી. સ્વાભાવિક છે કે ઓનલાઇન પરીક્ષાનું પરીણામ જો ધારીએ તો કલાકોમાં જ જાહેર કરી શકાય છે પરંતુ, નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ સાત દિવસમાં પરીણામ આપ્યું છતાં સમગ્ર દેશમાં સુખદ આશ્ચર્ય ફેલાયું કેમકે ભારતમાં પરીક્ષાના પરીણામો અત્યંત વિલંબથી આવે એ માટે આપણે સૌ ટેવાયેલા છે.

જેઇઇ મેઇન્સ જાન્યુઆરી 2020નું પરીણામ 30મી જાન્યુઆરી સુધીમાં જાહેર થવાનું હતું. પરંતુ 18મીની વહેલી સવારે જ જાહેર કરી દેવાયું હતું.

આજે જેઇઇ મેઇન્સ પરીક્ષાનું પરીણામ જાહેર કરવા સાથે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જણાવ્યું છેકે આજે પરીણામમાં ફક્ત પર્સન્ટાઇલ જ ઘોષિત કરવામાં આવ્યા છે. ઓલ ઇન્ડિયા રેન્ક ઘોષિત કરવામાં આવ્યા નથી. એ.આઇ.આર. એપ્રિલ 2020માં લેવામાં આવનારી જેઇઇ મેઇન્સ -2 ના પરીણામ સાથે જાહેર કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓ જાન્યુઆરી અને એપ્રિલ બન્ને મેઇન્સ પરીક્ષા આપશે, તેમનો બેમાંથી જે પરીક્ષામાં બેસ્ટ સ્કોર હશે તેને ધ્યાનમાં રાખીને તેમનો એ.આઇ.આર. (રેન્ક) ઘોષિત કરવામાં આવશે.

JEE Main Result Announced In Record Time, 9 Students Score 100 Percentile

The National Testing Agency (NTA), has released the JEE Main result within 8 days of completing the exam, which is a record of sort in the history of competitive examinations. The exam was held from January 6 to 9, in shifts, for more than 11 lakh candidates. Press Trust of India reported that nine candidates scored perfect 100 in JEE Main examination.

JEE Main Result Direct Link

Of the nine who got 100 percentile score in the examination also include Delhi boy Nishant Agarwal. The others are – one each from Gujarat and Haryana, two each from Andhra Pradesh, Rajasthan and Telangana, the news agency quoted the education ministry.

In this national entrance exam for admissions to undergraduate engineering courses held, 8,69,010 candidates had appeared for the exam for BE and BTech courses for which the results have been released now. 

1,38,409 candidates had appeared for for BArch paper and 59,003 for BPlanning paper — the results for both the papers are awaited. 

JEE Main result is available on the official websites of the NTA at nta.ac.in and jeemain.nic.in.

In the last JEE main, 24 students had scored 100 percentile.

The NTA was formed in 2017, after the Central Board of Secondary Education (CBSE) requested to withdraw itself from the responsibility of conducting engineering and medical entrance exams. The board, one of the biggest in the country, conducts class 10, 12 board exams for more than 30 lakh students annually.

JEE Main is also a gateway for admission to engineering (B.Tech) courses in NITs, IIITs, other Centrally Funded Technical Institutions (CFTI), Institutions funded by participating State Governments.

JEE Main is also an eligibility test for the JEE Advanced, which the candidate has to take if they are aspiring for admission to the undergraduate programs offered by the Indian Institute of Technology (IITs).

JEE Main is held twice a year, in January and in April, to give more opportunity to the students to improve their scores in examination if they fail to give their best in first attempt, without wasting their whole academic year. 

The top 2,24,000 rankers are considered eligible to take JEE Advanced. The next JEE Main will be held in April and the exam details will be notified in February.

January 17, 2020
vodaidea.jpg
1min5080

આજરોજ તા.17મી જાન્યુઆરી 2020ને શુક્રવાર વોડાફોન-આઇડીયા કંપનીના શેરધારકો માટે બ્લેક ફ્રાઇડે પુરવાર થયો છે. સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓની રિન્યૂ પીટીશન ફગાવી દીધા બાદ આજરોજ તા.17મી જાન્યુઆરી 2020ને શુક્રવારે બપોરે બાર વાગ્યા બાદ અપેક્ષાનુસાર વોડાફોન આઈડિયાના શેરમાં 39 ટકા સુધીની ધોવાણ જોવા મળ્યું હતું. સુપ્રીમ કોર્ટે પીટીશન ફગાવી દેતા ટેલી કંપનીઓએ 1.47 લાખ કરોડની ચૂકવણી કરવી પડે તેમ હોવાથી કંપનીના શેરના ભાવ ગગડ્યા હતા. આ શેરમાં રોકાણ કરનારાઓ રાડ પાડી ઉઠ્યા હતા.

બોમ્બે સ્ટોક એક્ષચેન્જ પર આજે શુક્રવારે બપોરે વોડાફોન આઈડિયાના શેર 39.30 ટકાના તોતિંગ ઘટાડા સાથે ₹3.66ના ભાવે ટ્રેડ થયો હતો. NSE પર પણ કંપનીના શેરનું 39.16 ટકાના ઘટાડા સાથે ₹3.65ના ભાવે ટ્રેડિંગ થઈ રહ્યું હતું.

આ પૂર્વે સુપ્રીમ કોર્ટે ગુરુવારે એજીઆર (એડ્જસ્ટેડ ગ્રોસ રેવન્યૂ) મુદ્દે વોડાફોન ઇન્ડિયા, ભારતી એરટેલ અને ટાટા ટેલિસર્વિસિસની અરજી ફગાવી દીધી છે. ટેલિકોમ કંપનીઓએ સુપ્રીમને 24 ઓક્ટોબરના ચુકાદાની સમીક્ષા કરવા અરજી કરી હતી જેમાં એજીઆરની વ્યાખ્યા વિસ્તારવામાં આવી હતી. ટેલિકોમ કંપનીઓએ વધારાની લાઇસન્સ ફી, સ્પેક્ટ્રમ યુસેઝ ચાર્જ (એસયુસી), પેનલ્ટી અને વ્યાજ તરીકે ₹1.02 લાખ કરોડની ચુકવણી કરવાની છે.

જસ્ટિસ અરુણ મિશ્રા, એસ એ અબ્દુલ નઝીર અને એમ આર શાહે ગુરુવારે ઈન-ચેમ્બર સુનાવણી કરી હતી. કોર્ટે જણાવ્યું કે, “રિવ્યૂ પિટિશનની સમીક્ષા બાદ અમને તેમને માન્ય રાખવા માટે કોઈ કારણ જણાતું નથી. તેથી રિવ્યૂ પિટિશન કાઢી નાખવામાં આવે છે.”

January 17, 2020
shirdiwale_modi.jpeg
1min12390

ઉધ્ધવ ઠાકરેએ સાઇબાબા જન્મસ્થળ પાથરીને વિકસાવવા રૂ.100 કરોડ ખર્ચવાની ઘોષણા કરતા મામલો બિચક્યો

વિશ્વભરમાં અબજો લોકોની આસ્થા જેના પર છે એ સાઇબાબાના જન્મ સ્થળ અને કર્મસ્થળ બાબતે હાલ મહારાષ્ટ્રમાં ભારે વિવાદ વકર્યો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ થોડા દિવસો પહેલા ઔરંગબાદમાં એક સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે પરભણી જિલ્લાના પાથરી ગામમાં જ્યાં સાઈ બાબાનો જન્મ થયો છે તેના વિકાસ માટે રુ.100 કરોડનો ખર્ચ કરવામાં આવશે. ઠાકરેની આ જાહેરાત બાદ સાઇબાબાના જન્મસ્થળને લઇને મોટો બખેડો થયો છે. શિરડીમાં તો એટલા પ્રત્યાઘાત પડ્યા છે કે હવે શિરડી આખું ગામ આગામી રવિવાર તા.19 જાન્યુઆરી 2020થી બેમુદતી બંધ પાળવાનું એલાન આપવામાં આવ્યું છે.

આગામી વીકએન્ડમાં શિરડી જનારા લોકોએ છેલ્લી ઘડીની સ્થિતિ જાણીને નીકળવું હિતાવહ છે.

ઉધ્ધવ ઠાકરેએ પરભણીના પાથરી ગામમાં જ્યાં સાઇબાબાનો જન્મ થયો છે ત્યાં વિકાસ માટે 100 કરોડ ખર્ચવાની ઘોષણા કરતા ભારે વિવાદ

મહારાષ્ટ્રના પરભણી જિલ્લામાં આવેલા પાથરી ગામ ખાતેનું સાઇબાબાનું મંદિર, શાસ્ત્રો કહે છે કે સાઇબાબાનો જન્મ પાથરી ગામમાં થયો છે અને તેના આધારે જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ પરભણીના પાથરી ગામ ખાતે સ્મારક વિકસાવવા માટે રૂ.100 કરોડની યોજનાની જાહેરાત કરી છે.

હાલ એવી સ્થિતિ છે કે એક તરફ સાઈબાબાના જન્મસ્થળ પરભણી જિલ્લામાં આવેલા પાથરી ગામ પંથક વિસ્તારના રહેવાસીઓમાં ઉત્સાહ અને ઉમંગ છે તો બીજી તરફ હાલ સાઇધામ તરીકે વિશ્વ વિખ્યાત એવા સાઇબાબાના કર્મસ્થળ અહમદનગરના શિરડીમાં લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે.

શિરડીમાં રવિવારથી બંધનું એલાન

શિરડીના લોકોનું કહેવુ છે કે મુખ્યમંત્રી પાથરીને વિકાસ માટે 100ની જગ્યાએ 200 કરોડ આપે તો પણ કોઈ વાંધો નથી પરંતુ તેની ઓળખ સાઈના જન્મસ્થાન તરીકે ન હોઈ શકે. શિરડીના લોકોનું કહેવું છે કે અહીં આવ્યા બાદ સાઈ બાબાએ ક્યારેય પોતાનું અસલી નામ, ગામ, જાતી અને ધર્મ અંગે પોતે જ કંઈ બોલ્યા નથી તો પછી આ સર્વધર્મ સમભાવના પ્રતિક એવા શિરડી સાઈબાબાને કેમ અલગ અલગ જગ્યામાં વહેંચવામાં આવે?

આ બાબતે વિરોધ કરવા માટે માગણી કરતા શિરડીમાં લોકોએ રવિવારથી અનિશ્ચિત મુદ્દતની હડતાળની જાહેરાત કરી છે. શિરડીવાસીઓની માગણી છે કે સરકાર એ બાબત ચોક્કસ કરે કે સર્વધર્મ સમભાવના પ્રતિક સાઈબાબાના જન્મસ્થળ અને ધર્મ અંગે હવે પછી આગળ કોઈપણ ઉલ્લેખ કરવામાં ન આવે. જ્યાં સુધી સરકાર દ્વારા આ મામલે ચોક્કસ પગલા ભરવામાં નહીં આવે ત્યાં સુધી શિરડી આખું ગામ બંધ રહેશે.

January 16, 2020
CIA_Live_Logo_New2.jpg
2min6560

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આજકાલ બોર્ડના વિદ્યાર્થીઓ હોય કે કોલેજીયન ડગલેને પગલે તેમને ઇન્સ્પિરેશન જોઇએ છે, નાની નાની વાતમાં સહારો જોઇએ છે, મા-બાપ પણ એવા છે કે કોઇ તકલીફ પડવા દેતા નથી અને મોટે ભાગે કમ્ફર્ટ ઝોનમાં ઉછરેલા દિકરા-દિકરીઓ સરવાળે કશું કરી શકતા નથી. અહીં એવા યુવાઓની વાત કરવી છે કે જેમનું જીવન કઠણાઈઓથી ભરેલું હતું આમ છતાં તેમણે તેમના જીવનની કઠણાઇઓને ક્યારેય હાવી થવા દીધી નહીં બલ્કે કઠણાઇઓને જ સીડી બનાવીને સિદ્ધીના એવા શિખર સર કર્યા કે જેને જોઇને દુનિયા દંગ રહી ગઇ છે અને આજીવન દંગ રહેશે.

અહીં વાત કરી રહ્યો છું ચાર્ટર્ડ અકાઉન્ટન્સી સર્ટિફિકેશનના આજે તા.16મી જાન્યુઆરી 2020ના રોજ જાહેર થયેલા ફાઇનલ્સના પરીણામોની. સૂરતમાંથી અનેક વિદ્યાર્થીઓ પાસ થઇને તેમના નામની આગળ સી.એ. આવતીકાલથી લગાડી દેશે. પરંતુ, અહીં એવા રિયલ હીરોઝની વાત કરી રહ્યો છું જેમનું જીવન કઠણાઇઓથી ભરેલું છે અને તેમણે જે સિદ્ધીં હાંસલ કરી છે એ કોઇ નાની સૂની નથી પણ એકલે હાથે પહાડ ખોદવા સમાન છે.

ગણેશ પાટીલના પિતા 2011માં પરીવારને છોડી જતા રહ્યા, આ વાતને જિજ્ઞેશે હાવી થવા દીધી નહીં

ઉધનાની સનગ્રેસ સ્કુલમાં ભણેલો ગણેશ પાટીલ કે જેના પિતા 2001માં પરિવારને ત્યજીને ચાલ્યા ગયા હતા, એ ગણેશ પાટીલ આજે 2020માં સી.એ બની ગયો છે.

ઉધનાની સનગ્રેસ સ્કુલમાંથી ધો.12 કોમર્સ ગુજરાતી મિડીયમમાં પાસ કરનાર ગણેશ પાટીલ મૂળ મહારાષ્ટ્રના ધૂલિયાના અમલનેરના પરિવારમાંથી આવે છે. ગણેશ પાટીલના પિતા 2001માં તેમના પરિવારને છોડીને જતા રહ્યા હતા. ગણેશ પાટીલની માતા અલકાબેન પાટીલ ઘરે સિલાઇ કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી હતી. ધો.12 પાસ કર્યા પછી ગણેશ પાટીલને એક મિત્રએ કહ્યું કે સી.એ. કોચિંગમાં જોડાઇ જા. ગણેશ પાસે એટલી ફી ન હતી કે તે પ્રાઇવેટ કોચિંગ ક્લાસની ફી ભરી શકે. આમ છતાં ગણેશ પાટીલ ઘોડદોડ રોડ પર સી.એ. કોચિંગ ઇન્સ્ટીટ્યૂટ ચલાવતા રવિ છાવછરીયા પાસે ગયા. પોતાની આર્થિક સ્થિતિ અંગે નિખાલસતાથી વાત કરી.

રવિ છાવછરીયાએ ગણેશ પાટીલને બિલકુલ ફ્રી ઓફ ચાર્જ કોચિંગની વ્યવસ્થા તો કરી આપી પણ સાથે જ તેને પાર્ટ ટાઇમ નોકરી પણ આપી.

ગણેશ પાટીલે કહ્યું કે પિતા અમને છોડી ગયા એ વાતનું ઝનૂન એટલું હતું કે કંઇક કરી જ દેખાડવું છે. 2012માં સી.એ. કોચિંગમાં જોડાયા બાદ કોઇ વ્હીકલ ન હતું. રોજ 24 કિ.મી. સાઇકલ પર ડીંડોલી પોતાના ઘરેથી નીકળીને ઘોડદોડ રોડ પર રવિ છાવછરીયાને ત્યાં કોચિંગમાં આવે, ત્યાં કોચિંગ લે અને પછી ત્યાં જ પાર્ટ ટાઇમ નોકરી કરતો ગણેશ બે વખત સી.એ.ની પરીક્ષામાં નાપાસ પણ થયો. પણ હાર માને એ બીજા ગણેશ પાટીલ નહીં. એણે પ્રયત્નો છોડ્યા નહીં અને આજે 2020માં ગણેશ પાટીલના નામની આગળ સી.એ. જેવો મહત્વની ડિગ્રી જોડાઇ ચૂકી છે.

રીક્ષા ચાલકનો દિકરોએ સી.એ. બનીને દુનિયાને બતાવી દીધું

રીક્ષા ચાલક ધર્મેશભાઇ રાણાનો દિકરો મોનિશ રાણાએ જીવનની કઠિણાઇને જ પોતાની શક્તિ બનાવીને સી.એ. ડિગ્રી મેળવી લીધી

ઉધના રોડ પર રહેતા અને રીક્ષા ચલાવતા ધર્મેશભાઇના પુત્ર મોનિશ રાણા કે જેણે ઉધનાની આર.એન. નાયક સ્કુલમાંથી ધો.12 પાસ કર્યું. પિતા રીક્ષા ચાલક હોવાથી પરીવારમાં આર્થિક સંકડામણ અનુભવવા છતાં મોનિશ રાણાએ નક્કી કર્યું કે એ સી.એ. બનીને દેખાડશે. મોનિશ રાણા ભલે વીસ વર્ષના હોય પરંતુ, તેમનામાં મેચ્યોરિટી 45 વર્ષના નિવડેલા બિઝનેસમેનને પણ શરમાવે તેવી જોવા મળી. મોનિશ રાણાએ કહ્યું કે પિતા અને પરિવારની તકલીફોને લીધે ક્યારેય નાસીપાસ ન થયો ઉલ્ટાનું કંઇક કરી દેખાડવાની ઉત્કંઠા તીવ્ર બની અને સી.એ. કોચિંગ રવિ છાવછરીયા પાસે લીધું. એસ.પી.બી. ઇંગ્લિશ મિડીયમમાંથી બી.કોમ. ડિસ્ટીંકશન સાથે પાસ કરનાર મોનિશ રાણા આજે સી.એ. બની ગયો છે અને એને કોઇ નાનમ નથી લાગતી કે તેના પિતા રીક્ષા ચલાવે છે.

લીલાબા સ્કુલની ધો.12માં ગુજરાત ફર્સ્ટ બોનીશા મોદીએ હાંસલ કર્યો સી.એ.માં આખા દેશમાં 39મો રેન્ક

2015માં સૂરતની લીલાબા કન્યાશાળા આખા રાજ્યમાં ફેમસ થઇ ગઇ હતી. ધો.12 સામાન્ય પ્રવાહના પરીણામમાં લીલાબા કન્યાશાળાની વિદ્યાર્થિની બોનિશા મોદીએ એટલા માર્કસ મેળવ્યા કે એટલા ગુજરાતના 7 લાખ વિદ્યાર્થીઓમાંથી અન્ય કોઇ મેળવી શક્યું નહી. બોનીશા મોદી સમગ્ર ગુજરાતમાં ફર્સ્ટ હતી. આ સિદ્ધિનું સહેજ પણ અભિમાન કર્યા વગર બોનીશા મોદીએ નક્કી કર્યું કે એ સી.એ. બનીને દેખાડશે અને આજે સી.એ.ના પરીણામમાં બોનીશા મોદીએ સમગ્ર દેશમાં 39મો રેન્ક હાંસલ કરીને સૂરતનું નામ રોશન કર્યું છે.

લીલાબા કન્યાશાળા કોઇ હાઇફાઇ સ્કુલ નથી. ગરીબ અને મધ્યવર્ગીય પરિવારોની દિકરીઓને ધો.12 કોમર્સ સુધીનું શિક્ષણ આપતી આ સંસ્થાના સુકાની એવા આચાર્યા શ્રીમતી બિનીતાબેન ત્રિવેદી અને સ્કુલ મેનેજમેન્ટ એટલી નિષ્ઠાપૂર્વક કામ કરે છે કે તેમનું પરીણામ બોનીશા મોદી જેવી દિકરીઓની ઝળહળતી કારકિર્દીના સ્વરૂપમાં પ્રત્યક્ષ પણે અનુભવી શકાય છે.

દર વર્ષની જેમ રવિ છાવછરીયાના કોચિંગ ઇન્સ્ટીટ્યૂટ્સના સૌથી વધુ ટોપર્સ

January 16, 2020
icai_logo.jpeg
1min6600

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્સ ઓફ ઇન્ડિયા દ્વારા આજરોજ તા.16મી જાન્યુઆરી 2020ને ગુરુવારે બપોરે 4 વાગ્યે સી.એ. ફાઇનલ્સ જૂના અને નવા એમ બન્ને પ્રકારના કોર્સનું પરીણામ જાહેર કર્યું હતું. અપેક્ષાઓ મુજબ જ સી.એ. ફાઇનલ્સના એ અને બી એમ બન્ને ગ્રુપમાં પાસ થનારાઓનું ટકાવારી પરીણામ સાવ કંગાળ રહ્યું છે.

સી.એ. નવા કોર્સનું પરીણામ ફક્ત 15.12 ટકા

સી.એ. ફાઇનલ્સ નવા કોર્સની પરીક્ષા બે ગ્રુપમાં લેવામાં આવે છે. આજના પરીણામમાં જેઓ બન્ને ગ્રુપમાં પાસ થયા છે તેમને સી.એ. સર્ટિફિકેશન એનાયત કરવામાં આવશે. બન્ને ગ્રુપમાં પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 2268 છે. સી.એ. ફાઇનલ્સ બન્ને ગ્રુપમાં પાસ થનારા વિદ્યાર્થીઓની ટકાવારી ફક્ત 15.12 ટકા છે.

સી.એ. જૂના કોર્સનું પરીણામ ફક્ત 10.19 ટકા

સી.એ. ફાઇનલ્સ જૂના કોર્સની પરીક્ષા પણ બે ગ્રુપમાં લેવામાં આવે છે. બે ગ્રુપમાં પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા ફક્ત 817 છે અને ટકાવારી પરીણામ માત્ર 10.19 ટકા છે.

January 16, 2020
bank-strike.jpg
1min6140

એવું લાગી રહ્યું છે કે ભારતમાં બેંક હડતાળોની મોસમ ચાલી રહી છે. બેંક કર્મચારીઓના પગાર સુધારણા સંદર્ભની અનેક બેઠકો વિફળ રહ્યા બાદ હવે ફરીથી ઈન્ડિયન બેંક અસોસિએશન(IBA)એ (આ મહિને બીજી વખત) બેંક હડતાળનું એલાન આપ્યું છે. ઇન્ડિયન બેંકસ એસોસીએશન IBA દ્વારા આપવામાં આવેલા એલાન અનુસાર આગામી તા.31 જાન્યુઆરી અને તા.1 ફેબ્રુઆરી એમ બે દિવસ ભારતીયો બેંકોમાં કર્મચારીઓ કામકાજથી અળગા રહીને હડતાળ પાડશે. અગાઉ ચાલુ માસમાં જ ગઇ તા. 8 જાન્યુઆરીએ ભારત બંધમાં પણ 6 બેંકના કર્મચારી યૂનિયન જોડાયા હતા, એ દિવસે મોટાભાગની બેંકો બંધ રહી હતી.

આ વખતે બેંક હડતાળનો સમય ખુબ મહત્વનો છે. 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્માલ સીતારમણ બજેટ રજૂ કરશે. તેના એક દિવસ પહેલા એટલે કે 31 જાન્યુઆરીએ આર્થિક સર્વેક્ષણ રિપોર્ટ રજૂ કરવામાં આવશે. બજેટને લઈને તૈયારીઓ છેલ્લા તબક્કામાં છે અને સરકાર સામે મંદીની સમસ્યાને દૂર કરવાનો સૌથી મોટો પડકાર છે.

તા.2 ફેબ્રુઆરીએ રવિવાર છે અને બેંક બંધ રહેશે. હડતાળને કારણે સતત 3 દિવસ સુધી બેંક બંધ રહેવાથી સામાન્ય જનતાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે એમાં શંકાને કોઇ સ્થાન નથી. બેંક હડતાળને કારણે કારણે એટીએમમાં પણ રોકડની તંગી વર્તાય શકે તેમ છે.

January 16, 2020
sensex_green.jpg
1min5200

આજરોજ તા.16મી જાન્યુઆરી 2020ના રોજ ભારતીય શેરબજારના બેન્ચમાર્ક BSE સેન્સેક્સે ઇતિહાસમાં પહેલીવાર 42,000ની સપાટીને સ્પર્શ કર્યો હતો આ સાથે જ નિફ્ટી-50એ પણ  નવી ટોચ પર વેપાર કર્યો હતો. અમેરિકા-ચીને ટ્રેડ ડીલના પ્રથમ તબક્કા પર હસ્તાક્ષર કરતાં વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં પણ પોઝિટિવ ચાલ જોવા મળી હતી.

આજે તા.16મી જાન્યુઆરીને ગુરુવારની સવારે 42,009.94 પોઈન્ટ્સની નવી ઊંચી સપાટીને સ્પર્શ કર્યા બાદ 30 શેરોનો બનેલો સેન્સેક્સ 127.65 પોઈન્ટ્સ અથવા 0.30 ટકા વધીને 42,000.38 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

આવી જ રીતે નિફ્ટી પણ 12,377.80 પોઈન્ટ્સની સર્વોચ્ચ સપાટીને સ્પર્શ્યા બાદ 28.45 પોઈન્ટ્સ અથવા 0.23 ટકા વધીને 12,371.75 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

સન ફાર્મા આજે સવારે 1.30 ટકાની વૃદ્ધિ સાથે ટોપ ગેઈનર બની રહ્યો હતો. આ ઉપરાંત નેસલે ઈન્ડિયા, HUL, કોટક બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ્સ, બજાજ ઓટો અને ભારતી એરટેલ પણ વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.

બીજી તરફ ઈન્ડસઈન્ડ બેન્ક, ટાટા સ્ટીલ, NTPC, ટાઈટન, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટેક મહિન્દ્રા, ONGC અને એશિયન પેઈન્ટ્સ ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.

બુધવારે અમેરિકા અને ચીન વચ્ચે પહેલા તબક્કાની ટ્રેડ ડીલ હસ્તાક્ષર કરવામાં આવતાં વિશ્વભરના રોકાણકારોએ રાહતનો શ્વાસ લીધો હતો વૈશ્વિક શેરબજારોમાં પણ તેજી જોવા મળી હતી.

આજે સવારે ટોકિયો અને સિઓલ શેરબજાર વધીને ટ્રેડ થઈ રહ્યા હતા જ્યારે શાંઘાઈ અને હોંગકોંગના બજારો ફ્લેટ રહ્યા હતા.

બુધવારે વોલસ્ટ્રીટ બેન્ચમાર્ક નવી ટોચે બંધ રહ્યો હતો. બ્રેન્ટ ક્રૂડ વાયદો પણ 0.61 ટકા વધીને બેરલદીઠ 64.39 થયું હતું. દરમિયાન રૂપિયો પણ ડોલર સામે 5 પૈસાના સુધારા સાથે 70.77ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

January 15, 2020
sabji_market-1280x720.jpg
1min5000

ડિસેમ્બરમાં રિટેલ ફુગાવો વધીને 7.35 ટકાની ઊંચાઇએ પહોંચી ચૂક્યો છે. આ સ્તર વતેલા પાંચ વર્ષનો સૌથી ઊંચો દર છે. આ પહેલા જૂલાઇ 2014માં રિટેલ મોંઘવારી દર 7.39 ટકા થયો હતો. નેશનલ સ્ટેટેસ્ટિકલ ઓફિસ દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ ડિસેમ્બર 2018માં આ દર 2.11 ટકા પર હતો, નવેમ્બર 2019માં રિટેલ મોંઘવારી દર 5.54 ટકા હતો. એક મહિના દરમિયાન મોંઘવારી દરમં 1.81 ટકાનો ચિંતાજનક વધારો નોંધવામાં આવ્યો હતો. દર વર્ષના આધારે મોંઘવારી દરમાં આશરે 5.24 ટકાનો વધારો થયો છે. 

જૂલાઇ 2016 પછી ડિસેમ્બર 2019 એવો પહેલો મહિનો છે જ્યાં મોંઘવારી દર રિઝર્વ બેન્કની અપર લિમિટને પાર કરી ગયો હોય. ઓક્ટોબરમાં આ દર 4.62 ટકા હતો, નોધનીય છે કે કેટલાક મહિનાઓથી ડૂંગળીની કિંમત આસમાને પહોંચી છે. હાલમાં ડૂંગળીનો ભાવ  60 રુપિયા પ્રતિ કિલોનો છે. મોંઘવારી દરમાં ધરખમ વધારા પાછળ ડૂંગળીના ભાવ વધારાને માનવામાં આવી રહ્યો છે. 

માહિતી મુજબ ફૂડ ઇમ્પ્લેશન ડિસેમ્બરમાં વધીને 14.12 ટકા પહોંચી ગયો હતો. નવેમ્બરમાં દર 10.01 ટકા હતો. કેન્દ્ર સરકારે રિઝર્વ બેન્કને મોંઘવારી દર 4 ટકા રાખવા જણાવ્યું છે, એની સાથે બે ટકા વધારે અને બે ટકા ઓછુ માર્જિન છે એટલે કે ઊચ્ચ સ્તર 6 ટકા અને નિમ્ન સ્તર 2 ટકા સુધી હોવુ જોઇએ.