CIA ALERT

Alert Archives - Page 286 of 518 - CIA Live

February 16, 2020
filmfare.jpeg
5min7430

અસમ ખાતે યોજવામાં આવેલા 65માં એમોઝોન ફિલ્મ ફેર એવોર્ડ સમારોહમાં જોયા અખ્તરની ફિલ્મ ગલી બોય ને અનેક એવોર્ડ મળ્યા હતા. બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ એક્ટર, બેસ્ટ એક્ટ્રેસ વગેરે એવોર્ડ ફિલ્મ ગલી બોયને મળ્યા હતા.

એમેઝોન ફિલ્મ ફેર એવોર્ડને કરણ જોહર, વિક્કી કૌશલ અને વરુણ ધવને હોસ્ટ કર્યો હતો. જ્યારે અક્ષયકુમાર, રણવીરસિંહ, આયુષ્યમાન ખુરાના અને કાર્તિક આર્યનએ ધમાકેદાર પરફોર્મન્સથી શ્રોતાઓનું મનોરંજન કર્યું હતું.

The 65th Amazon Filmfare Awards 2020 were hosted in Awesome Assam this year on February 15. The star studded event was hosted by Karan Johar, Vicky Kaushal and Varun Dhawan. ‘Gully Boy’ bagged several awards while Akshay Kumar, Ranveer SinghAyushmann Khurrana and Kartik Aaryan entertained the audience with some truly power-packed performances. Several Bollywood celebrities took home the prestigious Black Lady and here’s taking a look at all the winners of the 65th Amazon Filmfare Awards 2020.

ફિલ્મ ફેર એવોર્ડ મેળવનારાઓનું સંપૂર્ણ લિસ્ટ

Best Film
‘Gully Boy’

Best Director
Zoya Akhtar (‘Gully Boy’)

Best Film (Critics)
‘Article 15’ (Anubhav Sinha)
‘Sonchiriya’ (Abhishek Chaubey)

Best Actor In A Leading Role (Male)
Ranveer Singh (‘Gully Boy’)

Best Actor (Critics)
Ayushmann Khurrana (‘Article 15’)

Best Actor In A Leading Role (Female)
Alia Bhatt (‘Gully Boy’)

Best Actress (Critics)
Bhumi Pednekar (‘Saand Ki Aankh’)
Taapsee (‘Saand Ki Aankh’)

Best Actor In A Supporting Role (Female)
Amruta Subhash (‘Gully Boy’)

Best Actor In A Supporting Role (Male)
Siddhant Chaturvedi (‘Gully Boy’)

Best Music Album
‘Gully Boy’ l Zoya Akhtar-Ankur Tewari
‘Kabir Singh’ I Mithoon, Amaal Mallik, Vishal Mishra, Sachet–Parampara and Akhil Sachdeva

Best Lyrics
Divine and Ankur Tewari – Apna Time Aayega – ‘Gully Boy’

Best Playback Singer (Male)
Arijit Singh…Kalank Nahi…’Kalank’

Best Playback Singer (Female)
Shilpa Rao…Ghungroo…’War’

Best Debut Director
Aditya Dhar – ‘Uri: The Surgical Strike’

Best Debut Actor
Abhimanyu Dassani – ‘Mard Ko Dard Nahi Hota’

Best Debut Actress
Ananya Pandey – ‘Student Of The Year 2’, ‘Pati Patni Aur Woh’

Best Original Story
‘Article 15’ – Anubhav Sinha and Gaurav Solanki

Best Screenplay
‘Gully Boy’ – Reema Kagti and Zoya Akhtar

Best Dialogue
‘Gully Boy’- Vijay Maurya

Lifetime Achievement Award
Ramesh Sippy

Excellence In Cinema
Govinda

RD Burman Award For Upcoming Music Talent
Sashwat Sachdev- URI

February 16, 2020
Arvind-kejriwal.jpg
2min5640

 આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આજે સતત ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. રામલીલા મેદાન પર કેજરીવાલની સાથે અન્ય 6 ધારાસભ્યોએ પણ શપથ લીધા. દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈસલે અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરાવ્યા. ઉપરાંત, મનીષ સિસોદિયા અને સતેન્દ્ર જૈન, ગોપાલ રાય, કૈલાશ ગહેલોતે પણ મંત્રી પદના શપથ લીધા. 

  • સીએમના શપથ ગ્રહણ કર્યા બાદ નિવેદનમાં કેજરીવાલ બોલ્યા, તમે ગમે તે જાતિ, ધર્મ કે પાર્ટીના હો, કામ હોય તો મારી પાસે આવજો.
  • કેજરીવાલે કહ્યું કે, હું દિલ્હીને નંબર વન શહેર બનાવવા માંગુ છું. કેન્દ્ર સરકારની સાથે મળીને દિલ્હીને આગળ વધારીશું.
  • તેમણે કહ્યું ચૂંટણી દરમિયાન અમારા વિરોધમાં બોલનારાઓને અમે માફ કર્યા.
  • તમે કોઈને પણ વોટ આપ્યો હોય પણ હું બધાનો મુખ્યમંત્રી છું. આપ, બીજેપી કે કોંગ્રેસ તમે ગમે તેને વોટ આપ્યો હોય પણ હું તમારો મુખ્યમંત્રી રહીશ.
  • કેજરીવાલે કહ્યું કે, પીએમના આશિર્વાદ માંગુ છું.
  • આપ પક્ષે વડાપ્રધાન મોદીને પણ આમંત્રણ પાઠવ્યું હતું પરંતુ પીએમનો બનારસનો પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ હોવાથી તેઓ ઉપલસ્થિત રહી શક્યા નહોતા.
  • રામલીલા મેદાનમાં હજારોની સંખ્યામાં આપ સમર્થકો પહોંચ્યા છે.
  • કેજરીવાલના શપથ ગ્રહણ સમારોહમાં BJP ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તા પહોંચ્યા હતા. તેમણે જણાવ્યુ કે જીત અને સફળતાનો મંત્ર હોય છે ઝૂકીને ચાલવુ. જનતા માટે કેન્દ્ર અને કેજરીવાલ સરકાર સાથે મળીને કામ કરશે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સુશીલ ગુપ્તાએ કહ્યુ કે ભારતીય લોકતંત્રમાં નફરતની રાજનીતિનું કોઈ સ્થાન નથી. કેજરીવાલે જૂની ટીમને પોતાના વિશ્વાસને બેવડ્યો છે કેમ કે લોકો તેમની પર વિશ્વાસ કરે છે. 
  • મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બાદ મનીષ સિસોદિયાએ શપથ ગ્રહણ કર્યા. આ શપથગ્રહણમાં સામેલ થવા અસંખ્ય દિલ્હીવાસીઓ રામલીલા મેદાનમાં ઉપસ્થિત રહ્યા.
  • અરવિંદ કેજરીવાલના શપથ ગ્રહણ સમારોહમાં 50 એવા નાયકોને આમંત્રિત કરવામાં આવ્યા છે જેઓએ પોતાના આપબળે દિલ્હીની તસવીર બદલવાનું બીડું ઉપાડ્યું છે. તેઓ સાધારણ લોકો છે, પરંતુ તેઓએ પોતાની અસાધારણ ઈચ્છાશક્તિથી દિલ્હીમાં પરિવર્તનનો પાયો નાંખ્યો છે.
  • કેજરીવાલ સરકારના શપથ ગ્રહણ સમારોહમાં નાના બાળકો અરવિંદ કેજરીવાલની વેશભૂષમાં પણ જોવા મળ્યા. આ ઉપરાંત દિલ્હીના અનેક ભાગોગી આપ કાર્યકર્તાઓ અને સામાન્ય લોકોની ભીડ ત્યાં એકત્ર થઈ.
  • શપથગ્રહણ સમારોહમાં આશરે એક લાખથી વધારે લોકો હાજરી આપશે તેવો આમ આદમી પાર્ટી દ્વારા દાવો કરવામાં આવ્યો છે. શપથ સમારોહમાં પીએમ મોદી, છોટે મફલર મેન, દિલ્હીના સાતેય સાંસદ અને ચૂંટાયેલા ભાજપના આઠ ધારાસભ્યોને આમંત્રણ આપવામાં આવ્યુ છે

દિલ્હી રાજ્યને પૂર્ણ કદનો દરજ્જો મળ્યો ન હોવાથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આમ આદમી પાર્ટી (આપ)ના નેતા અરવિંદ કેજરીવાલની દિલ્હીના નવા મુખ્ય પ્રધાન તરીકેની મંજૂરી આપતાં કેજરીવાલ તેમના ૬ ધારાસભ્યો સાથે આવતી કાલ ૧૬ ફેબ્રુઆરીએ દિલ્હીના રામલીલા મેદાન પર આયોજિત ભવ્ય સમારોહમાં સીએમ પદનો હોદ્દો અને ગુપ્તતાના શપથ ગ્રહણ કરશે.

દિલ્હી વિધાનસભાની પ્રતિષ્ઠાના જંગ સમાન ૭૦ બેઠકો માટેની સામાન્ય ચૂંટણીમાં આપ પાર્ટીને સતત બીજી વખત પ્રચંડ બહુમતી મળી હતી. આપ પાર્ટીએ ૭૦માંથી ૬૨ બેઠકો જીતી છે જે બહુમતી માટે ૩૬ બેઠકો કરતાં વધારે છે. સરકારના જાહેરનામા મુજબ રાષ્ટ્રપતિએ છ ધારાસભ્યોની પણ મુખ્ય પ્રધાનની સલાહ પર પ્રધાન તરીકે નિમણૂક કરી છે. તેઓ પણ આજે પ્રધાનપદના શપથ લેશે.

કેજરીવાલ સાથે ૧૬ ફેબ્રુઆરીએ શપથ લેનારા છ પદનામિત પ્રધાનોમાં ભૂતપૂર્વ નાયબ સીએમ મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, ગોપાલ રાય, કૈલાસ ગેહલોત, ઇમરાન હુસેન અને રાજેન્દ્ર ગૌતમનો સમાવેશ થાય છે. જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે ‘રાષ્ટ્રીય પાટનગર દિલ્હીના મુખ્ય પ્રધાન તરીકે અરવિંદ કેજરીવાલની નિમણૂક કરતાં રાષ્ટ્રપતિ હર્ષની લાગણી અનુભવે છે. શપથ લેવાના દિવસથી તેમની નિમણૂક અસરકારક રહેશે.

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આપએ ૭૦માંથી ૬૨ બેઠકો પર વિજય મેળવ્યો હતો અને બીજેપીને માત્ર આઠ બેઠકો મળી હતી. કૉન્ગ્રેસનું ખાતું પણ ખુલ્યું ન હતું. કેજરીવાલ રવિવારે સતત ત્રીજી વાર મુખ્ય પ્રધાનપદના શપથ લઈને હૅટ-ટ્રિક નોંધાવશે. તેઓ ૨૦૧૩માં ૪૯ દિવસ માટે અને ૨૦૧૫માં પાંચ વર્ષ સુધી સીએમ પદે રહ્યા હતા. દિલ્હીના મતદારોએ સતત ત્રીજી વાર આપને સત્તા સોંપી છે.

દિલ્હીના મુખ્ય પ્રધાનોની યાદી

ચૌધરી બ્રહ્મ પ્રકાશ (કૉન્ગ્રેસ)
૧૭ માર્ચ ૧૯૫૨થી ૧૨ ફેબ્રુઆરી ૧૯૫૫ (બે વર્ષ ૩૩૨ દિવસ)

ગુરુમુખ નિહાલ સિંહ (કૉન્ગ્રેસ)
૧૩ ફેબ્રુઆરી ૧૯૫૫થી ૩૧ ઑક્ટોબર ૧૯૫૬ (૧ વર્ષ ૨૬૧ દિવસ)

મુખ્ય પ્રધાનપદ હટાવવામાં આવ્યું: (૧ નવેમ્બર ૧૯૫૬થી ૧ ડિસેમ્બર ૧૯૯૩) દિલ્હી કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરાયો હતો.

મદનલાલ ખુરાના (બીજેપી)
બીજી ડિસેમ્બર ૧૯૯૩થી ૨૬ ફેબ્રુઆરી ૧૯૯૬ (૨ વર્ષ ૮૬ દિવસ)

સાહિબસિંહ વર્મા (બીજેપી)
૨૭ ફેબ્રુઆરી ૧૯૯૬થી ૧૨ ઑક્ટોબર ૧૯૯૮ (બે વર્ષ ૨૨૭ દિવસ)

સુષમા સ્વરાજ (બીજેપી)
૧૩ ઑક્ટોબર ૧૯૯૮થી ૩ ડિસેમ્બર ૧૯૯૮ (૫૧ દિવસ)

શીલા દીક્ષિત (કૉન્ગ્રેસ)
૪ ડિસેમ્બર ૧૯૯૮થી ૨૭ ડિસેમ્બર ૨૦૧૩ (૧૫ વર્ષ ૨૪ દિવસ)

અરવિંદ કેજરીવાલ (એએપી-આપ)
૨૮ ડિસેમ્બર ૨૦૧૩થી ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૪ (૪૮ દિવસ)

રાષ્ટ્રપતિશાસન :
૧૫ ફેબ્રુઆરી ૨૦૧૪થી ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૫ (૩૬૩ દિવસ)

અરવિંદ કેજરીવાલ
(એએપી-આપ) : ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૪થી ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૦ (પાંચ વર્ષ એક દિવસ)

February 16, 2020
adhar-pan-cardfeature.jpg
1min5830

આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે આધાર સાથે લિંક નહિ કરાયેલા પરમૅનન્ટ ઍકાઉન્ટ નંબર (પૅન) ૨૦૨૦ની ૩૧મી માર્ચથી બંધ થશે.

આધાર અને પરમૅનન્ટ ઍકાઉન્ટ નંબર (પૅન)ને લિંક કરવાની મહેતલ અગાઉ અનેક વખત લંબાવાઇ હતી. હવે નવી મહેતલ ૨૦૨૦ની ૩૧મી માર્ચ જાહેર કરાઇ છે. દેશમાં ૨૦૨૦ની ૨૭મી જાન્યુઆરી સુધી અંદાજે ૩૦.૭૫ કરોડ પરમૅનન્ટ ઍકાઉન્ટ નંબર (પૅન)ને આધાર સાથે લિંક કરાયા હતા.

આમ છતાં, હજી આશરે ૧૭.૫૮ કરોડ પરમૅનન્ટ ઍકાઉન્ટ નંબરને ૧૨ આંકડાના બાયૉમેટ્રિક આઇડી સાથે લિંક કરવાના બાકી છે.

સૅન્ટ્રલ બૉર્ડ ઑફ ડિરૅક્ટ ટૅક્સીસ (સીબીડીટી)એ જણાવ્યું હતું કે જે વ્યક્તિને ૨૦૧૭ની પહેલી જુલાઇ સુધીમાં જે લોકોને પરમૅનન્ટ ઍકાઉન્ટ નંબર અપાયા હતા તેઓને કલમ ૧૩૯એએના પેટા વિભાગ (૨) હેઠળ આધાર ક્રમાંકની સાથે લિંક નહિ કરાય તો ૨૦૨૦ની ૩૧મી માર્ચ પછી તે બંધ થઇ જશે.

સૅન્ટ્રલ બૉર્ડ ઑફ ડિરૅક્ટ ટૅક્સીસે આવકવેરાના સંબંધિત નિયમમાં સુધારા કરીને તેમાં કલમ ૧૧૪એએએનો ઉમેરો કર્યો હતો.

જાહેરનામામાં જણાવાયું હતું કે જે વ્યક્તિના પરમૅનન્ટ ઍકાઉન્ટ નંબર બંધ થઇ જશે તેણે પરિણામ ભોગવવા પડશે.

યુનિક આઇડૅન્ટિફિકૅશન ઑથૉરિટી ઑફ ઇન્ડિયા દેશના નાગરિકોને આધાર આપે છે અને આવકવેરા વિભાગ અક્ષર તેમ જ આંકડા ભેગા ધરાવતો ક્રમાંક આપે છે.

February 15, 2020
coronavirus.jpg
1min5040

સમગ્ર વિશ્વમાં ચીનથી ફેલાયેલા કોરોના વાયરસને કારણે ડર વ્યાપેલો છે. આ બાબતે વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશનનાં ટોચનાં વૈજ્ઞાનિકે ચેતવણી આપતાં જણાવ્યું હતું કે જે રીતે ચીનમાં રોગથી સંક્રમિત લોકોમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે તે જોતા વાયરસથી સ્થિતિ વધુ ભયંકર બની શકે છે. કોરોનાની ઝપેટમાં વિશ્વની બે તૃતિયાંશથી વધુ વસ્તી આવી શકે છે તેવો આ વૈજ્ઞાનિકે દાવો કર્યો છે. ચીનમાં વાયરસનાં ફેલાવા પર નજર રાખી રહેલાં ઇરા લોંગીની નામનાં WHO સલાહકારે આ વાત જણાવી છે. તેઓએ વધુમાં કહ્યું હતું વર્તમાન સમયમાં આ વાયરસથી આશરે 60,000થી વધુ લોકો સંક્રમિત હોઈ શકે છે.

ઇરા લોંગીનીએ વધુમાં જણાવ્યું હતું કે ચીનમાં હાલ લોકડાઉન જાહેર કરાઈ દેવાયું છે તેમજ લોકોને ઘરોમાં પુરાઈ રહેવાની ફરજ પાડવામાં આવી રહી છે. આમ છતાં જો વાયરસ તેની સરહદોની આસપાસનાં દેશોમાં ફેલાશે તો વાયરસ રોકવાની મહેનત પાણીમાં જશે તેમજ ચીનની નિષ્ફળતા છતી થઇ શકે છે. 

જાપાનમાં પ્રથમ મૃત્યુ નોંધાયું 

ચીનમાં કોરોના વાયરસથી સેંકડો લોકો મૃત્યુ પામ્યા છે. બીજી તરફ તાજેતરના અહેવાલ અનુસાર જાપાનમાં પણ કોરોના વાયરસથી એક દર્દીનું મોત નીપજ્યું છે. ચીનને હુબેઇ પ્રાંતમાં એક જ દિવસમાં આશરે 15,000 નવા કેસો અને 242 લોકોનાં મૃત્યુ નોંધાયા છે જયારે સમગ્ર ચીનમાં કુલ 63,851 મૃત્યુ અને 1380 મૃત્યુ નોંધાયા છે. આ ઉપરાંત 1716 જેટલા મેડિકલ સ્ટાફને પણ કોરોના વાયરસની અસર છે.અત્રે નોંધનીય છે કે હુબેઇ પ્રાંત કોરોના વાયરસનું ઉદ્દભવસ્થાન ગણાઈ રહ્યું છે.

વુહાન સીફૂડ માર્કેટમાં કોરોના વાયરસ ફેલાયો

કોરોના વાયરસ ચીનના વુહાન શહેરના સીફૂડ માર્કેટમાં ફેલાયો હતો. એક અહેવાલ મુજબ આ માર્કેટમાં અનેક પ્રકારના પ્રાણીઓનું વેચાણ થાય છે. આમાં પેંગોલિન, મોર, સાપ, હરણ, ખિસકોલી, શિયાળ, દેડકા, કાચબા, મગરો, બતક, ચામાચીડિયા જેવા પ્રાણીઓ શામેલ હતા. 

February 15, 2020
bs6.jpg
1min6280

સુપ્રીમ કોર્ટે ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સ (એફએડીએ)ની અરજીને ફગાવતા ફરી એક વખત કહ્યું છે કે દેશમાં બીએસ-4 વાહનનું વેચાણ 31 માર્ચ સુધી જ થઈ શકશે. કંપનીઓએ એપ્રિલના અંત સુધી બીએસ-4 વાહનો વેંચવાની મંજૂરી માગી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે કોર્ટ તરફથી 30 એપ્રિલ સુધીનો સમય આપવામાં આવે તો સ્ટોકમાં રહેલા બીએસ-4 વાહન વેંચી શકાશે. જો કે સુપ્રીમ કોર્ટે રાહત આપવાનો ઈનકાર કરી દીધો છે.’ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આગામી એક એપ્રિલથી બીએસ-6 અનિવાર્ય છે.

સુપ્રીમ કોર્ટે ઓક્ટોબર 2018મા ચુકાદો આપ્યો હતો કે 31 માર્ચ 2020 બાદ બીએસ4 વાહનોના રજીસ્ટ્રેશન અને વેંચાણ ઉપર રોક લાગશે. આ આદેશ સામે ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સે (એફએડીએ) અરજી દાખલ કરી હતી અને સમયમર્યાદા એક મહિનો લંબાવવા માટેની માગણી કરી હતી.

February 14, 2020
irctc_logo.png
1min6090

ડિસેમ્બર ક્વાર્ટરમાં નફામાં ત્રણ ગણો ઉછાળો આવ્યા બાદ IRCTC (ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન)ના શેરમાં આશરે 13 ટકાનો ઉછાળો આવ્યો હતો. કંપનીનો શેર બીએસઇમાં 11.35ટકા ઉછળીને ₹1,579.95એ બંધ આવ્યો હતો.

ગુરુવારમાં શેરની તેજી સાથે કંપનીના શેરમાં ઇશ્યૂ ભાવની સરખામણીમાં 399 ટકાની તેજી આવી છે, પરંતુ હજુ ઘણા એનાલિસ્ટ્સ માને છે કે શેરનો ભાવ વાજબી છે. IRCTCનું લિસ્ટિંગ 14 ઓક્ટોબર 2019ના રોજ થયું હતું. IPOમાં શેરનો ઇશ્યૂ ભાવ ₹320 હતો. કંપનીનો આઇપીઓ 112 ગણો છલકાયો હતો.

ચાલુ નાણાકીય વર્ષના ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 179.65ટકા ઉછળીને ₹205.80 કરોડ થયો હતો. ગયા વર્ષના સમાન ગાળામાં કંપનીએ ₹73.59 કરોડનો નફો કર્યો હતો. જાહેર ક્ષેત્રની આ કંપનીની આવક ડિસેમ્બર ક્વાર્ટરમાં 64.59 ટકા વધીને ₹715.98 કરોડ થઈ હતી. મજબૂત રિઝલ્ટને પગલે કંપનીના શેરમાં ભારે ખરીદી થઈ હતી.

FY19-22માં વેચાણમાં 22.5ટકા અને ટેક્સ પછીના નફામાં 48.7 ટકા વધારો થવાનો અંદાજ છે. કંપની ટિકિટ બુકિંગ એન્ડ કેટરિંગમાં ઇજારાશાહી ધરાવે છે, તેથી શેરનું વેલ્યુએશન આકર્ષક છે. યીલ્ડ મેક્સિમાઇઝરના સ્થાપક યોગેશ મહેતાએ જણાવ્યું હતું કે આઇપીઓ વખતે શેરનું મૂલ્ય નીચું હતું. શેરમાં આઇપીઓ ભાવથી આશરે પાંચ ગણો ઉછાળો આવ્યો છે. પરંતુ કંપની કેટરિંગ અને ટિકિટ બુકિંગમા ઇજારાશાહી ધરાવે છે. તે પ્રાઇસિંગ પાવર ધરાવે છે અને બીજા કોઇની સ્પર્ધા નથી.

February 14, 2020
isi_logo.png
4min8180

ધો.12 મેથ્સ (PMC) ગ્રુપના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ધો.12 બોર્ડની પરીક્ષા આપી રહેલા મેથેમેટિક્સ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે વધુ એક પ્રવેશ પરીક્ષાનું રજિસ્ટ્રેશન શરૂ થઇ ચૂક્યું છે. હાલમાં વિશ્વમાં સૌથી વધારે જેની જરૂરીયાત વર્તાય રહી છે એ ડેટા સાયન્ટીસ્ટ બનવા માટેના પ્રથમ પગથીયું ગણાતા કોર્સ બેચલર ઓફ સ્ટેટેસ્ટીક્સ અને બેચલર ઓફ મેથેમેટીક્સ કોર્સ કે જે ઇન્ડીયન સ્ટેટેસ્ટીકલ ઇન્સ્ટીટ્યુટ, કોલકાત્તા ખાતે કાર્યરત છે તેમાં પ્રવેશ માટેની પરીક્ષા તા.10મી મે 2020ના રોજ લેવામાં આવશે.

ઇન્ડીયન સ્ટેટેસ્ટીકલ ઇન્સ્ટીટ્યુટમાં બી.સ્ટેટ. અને બી.મેથ. કોર્સમાં પ્રવેશ માટે ધો.12 એ ગ્રુપ એટલેકે મેથેમેટિક્સ અને અંગ્રેજી વિષય ધરાવતા વિદ્યાર્થીઓ અને જેઓ ધો.12ની બોર્ડની પરીક્ષા 2020માં આપવાના હોય એ તમામ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવી શકે છે. રજિસ્ટ્રેશ અંગેની સઘળી માહિતી અત્રે પ્રસ્તુત છે.

Indian Statistical Institute (ISI) Kolkata has commenced the online application process for admission to the Degree and Diploma programmes as well as Junior Research Fellowships on its official website today i.e. February 14, 2020. The interested candidates can submit application forms through the official website of ISI — isical.ac.in.

ISI Admission 2020: Important Dates

EventDate
Online Application Starts14.02.2020
On-line Application Ends06.03.2020
Payment of Application Fee Starts14.02.2020
Payment of Application Fee Ends10.03.2020
ISI ADMISSION TEST10.05.2020

Official website of ISI — isical.ac.in

The last date to apply online for ISI admission 2020-21 is July 31, 2020. The admission notification reads “Stipends/Fellowships as mentioned against each programme will be available to the deserving candidates subject to satisfying the minimum academic qualification.”

Selection Procedure

The selection process will be based on the candidates’ performance in written test and interviews conducted by the Institute subject to satisfying the minimum academic qualification.

Application Fee

  • All male applicants in the unreserved (General) category need to pay an application fee of Rs 1250.
  • All-female applicants in the unreserved (General) category need to pay an application fee of Rs 750.
  • The application fee for reserved (OBC-NCL/SC/ST/PwD) category candidates is Rs 625.

Helpdesk

Candidates can contact on the helpdesk number provided below if required.

Help Desk

  • Helpdesk – 9 a.m. to 9 p.m. (Mon-Sat)
  • Phone: 6292218757 and 6292218758
  • Email: isiadmission2020@isical.ac.in
February 14, 2020
fraud.jpg
1min18780

રાઈટ ટુ ઈન્ફોર્મેશન (RTI) હેઠળ મળેલી જાણકારી અનુસાર, ચાલુ નાણાંકીય વર્ષ પહેલાના 9 મહિના (એપ્રિલ-ડિસેમ્બર-2019) દરમિયાન 18 સરકારી બેંકોમાં કુલ 1.17 લાખ કરોડ રૂપિયાની છેતરપિંડીના કુલ 8,926 કેસો સામે આવ્યા છે. ઈન્દોરના નિમચના રહેવાસી RTI કાર્યકર્તા ચંદ્રશેખર ગૌડે જણાવ્યું કે, ભારતીય રીઝર્વ બેંકે તેમને RTI હેઠળ આ જાણકારી આપી છે.

આરટીઆઈ હેઠળ પૂરા પાડવામાં આવેલા આંકડા મુજબ વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) બેન્કિંગ છેતરપિંડીનો સૌથી વધુ શિકાર બની છે. સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન એસબીઆઈ દ્વારા રૂ.30,300.01 કરોડ રૂપિયાની બેંકિંગ ફ્રોડના 4,769 કેસ નોંધાયા છે. આ રકમ આ સમયગાળા દરમિયાન સરકારી બેંકમાં બેન્કિંગ છેતરપિંડીના નોંધાયેલા કેસોના કુલ રકમ રૂ.1,17,463.73 કરોડની લગભગ 26 ટકા જેટલી રકમ છે.

એસબીઆઈ – રૂ.30,300.01 કરોડ – 4,769 કેસ

પંજાબ નેશનલ બેંક  – રૂ.14,928.62 કરોડ – 294 કેસો

બેંક ઓફ બરોડા – રૂ.11,166.19 કરોડ – 250 કેસો

અલ્હાબાદ બેંક – રૂ.6,781.57 કરોડ – 860 કેસ

બેંક ઓફ ઇન્ડિયા – રૂ.6,626.12 કરોડ – 161 કેસ

યુનિયન બેંક ઓફ ઇન્ડિયા – રૂ.5,604.55 કરોડ – 292 કેસ

ઇન્ડિયન ઓવરસીઝ બેંક – રૂ.5,556.64 કરોડ – 151 કેસ

ઓરિયેન્ટલ બેંક ઓફ કોમર્સ – રૂ.4,899.27 કરોડ – 282 કેસ

કેનેરા બેંક, યુકો બેંક, સિન્ડિકેટ બેંક, કોર્પોરેશન બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, આંધ્ર બેંક, યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા, ઈન્ડિયન બેંક અને પંજાબ એન્ડ સિંધ બેંકમાં કુલ રૂ.31,600.76 કરોડની બેન્કિંગ છેતરપિંડીનો સમાવેશ થાય છે. આરબીઆઈ દ્વારા આરટીઆઈ અંતર્ગત આપવામાં આવેલી માહિતીમાં બેન્કિંગ ફ્રોડનો શિકાર બનેલી બેંકો અથવા તેના ગ્રાહકોને થયેલા નુકસાન અંગે કોઈ ચોક્કસ વિગતો આપવામાં આવી નથી.

February 14, 2020
1min5860

કોરોના વાઇરસને લીધે ચીનના ૩૧ પ્રાંતમાં એક જ દિવસમાં સૌથી વધુ ૨૫૪ વ્યક્તિનાં મોતના સમાચાર સાથે ૧૫૦૦૦ નવા કેસ નોંધાયા હતા અને આ સાથે આ રોગથી ગ્રસ્ત રોગીઓની સંખ્યા વધીને ૬૦,૦૦૦ પર પહોંચી હતી.

ડિસેમ્બરથી આ વાઇરસ વિશે માહિતી મળ્યા બાદ આ રોગના એપીસેન્ટર ગણાતા હુબેઇ પ્રાંતમાં બુધવારે એક જ દિવસમાં સૌથી વધુ ૨૪૨ દર્દીના મોત થયા હતા અને ૧૫૦૦૦ નવા કેસ નોંધાયા હતા જે અત્યાર સુધીમાં રોગનો ઝડપી ફેલાવો દર્શાવે છે.

સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર ડિસેમ્બરથી અત્યાર સુધીના બે મહિનામાં આ રોગે કુલ ૧૩૬૭ વ્યક્તિના જીવ લીધા છે અને કુલ ૫૯૮૦૪ દર્દી આ રોગનો ભોગ બન્યા છે.

રોગને ઝડપથી કાબૂમાં લઇ શકાય એ માટે લૅબ ટેસ્ટની રાહ જોવાને બદલે હવે ડૉક્ટરો દર્દીને તપાસીને તુરંત નિદાન કરે એવી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.

હુબેઇ પ્રાંતની રાજધાની વુહાનમાં બુધવારના ૧૩,૩૩૨ સહિત કોરોના વાઇરસના ૧૪, ૮૪૦ નવા કેસ નોંધાયા હતા.

સત્તાવાર સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે મંગળવાર સુધીમાં આ વાઇરસે ૧૧૧૫ વ્યક્તિના જીવ લીધા હતા અને ૯૭ નવા કેસ નોંધાયા હતા, એમાંથી મોટા ભાગના કેસ સૌથી વધુ અસરગ્રસ્ત હુબેઇ પ્રાંતના હતા. આ સિવાય, રોગગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધીને ૪૪,૭૬૩ થઇ હતી.

વિદેશમાં ક્ધફર્મ્ડ કેસની સંખ્યા વધીને ૪૪૦ થઇ છે અને ફિલિપાઇન્સમાં એક દર્દીનું મરણ થયું હતું. જાપાનમાં સૌથી વધુ ૨૦૩ કેસ નોંધાયા છે અને એમાંથી મોટાભાગનાં ક્રૂઝશિપના પ્રવાસીઓ છે. આ શિપમાં બે ભારતીય નાગરિક પણ આ રોગનો ભોગ બન્યા છે.

વિશ્ર્વ સ્વાસ્થ્ય સંસ્થા (વ્હૂ)ના નિષ્ણાતોની ૧૫ સભ્યની ટુકડી હાલ ચીનમાં સ્થાનિક સ્વાસ્થ્ય વિભાગને મદદ કરી રહી છે.

February 12, 2020
upsc1.jpg
9min13120

ડિગ્રી કોલેજના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ અને કોઇપણ ગ્રેજ્યુએટ IAS, IPS પરીક્ષા આપી શકશે

Jayesh Brahmbhatt 98253 44944

એક સમય હતો જ્યારે યુવક યુવતિઓને અમિતાભ બચ્ચાન જેવા ફિલ્મસ્ટાર બનવાનો ભારે ક્રેઝ હતો અને એ માટે તેઓ ઘરબાર છોડીને મુંબઇ ભાગી જતા, એ પછી એવો સમય આવ્યો કે માબાપ અને બાળકો ઇચ્છતા કે તેઓ સચીન તેંડૂલકરની જેમ ક્રિકેટર બની જાય. હવે જમાનો એવો આવ્યો છે કે મોટા ભાગના મહત્વાકાંક્ષી યંગસ્ટર્સ અને તેમના પેરેન્ટસ એવું ઇચ્છતા હોય છે કે તેમના દિકરા દિકરી ઓ સિવિલ સર્વિસીઝની પરીક્ષા આપીને આઇ.એ.એસ. કે આઇ.પી.એસ. જેવા સનદી અધિકારી બને. આજકાલ સૌથી સ્ટેટસવાળી જોબ ગણાય છે સિવિલ સર્વિસીઝ.

જે યુવક યુવતિઓ ગ્રેજ્યુએટ થઇ ચૂક્યા છે અને જે વિદ્યાર્થીઓ હાલમાં કોઇપણ કાયદેસરની ડિગ્રી કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર એ છે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા યુપીએસસી સિવિલ સર્વિસીઝની પ્રીલિમનરી પરીક્ષાનું નોટિફિકેશન જાહેર કરી દીધું છે.

કોઇપણ ગ્રેજ્યુએટ (નિર્ધારીત ઉંમર) તેમજ હાલમાં ડિગ્રી કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા યુવક-યુવતિઓ સિવિલ સર્વિસીઝની પ્રીલિમનરી પરીક્ષા (ફર્સ્ટ સ્ટેજ) આપી શકશે. પ્રીલીમનરી પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોએ યુપીએસસી મેઇન્સ અને એ પછી પર્સનલ ઇન્ટરવ્યુ આપવાના રહે છે. સફળતાપૂર્વક આ ત્રણ સ્ટેજ પાર કરનાર ઉમેદવારોને ટ્રેનિંગ ઓફિસર તરીકે નિમણૂંક આપવામાં આવે છે.

UPSC Civil Services Notification 2020: Important Dates

EventDate
UPSC notification released on12.02.2020
Application process commenced on12.02.2020
Last date to submit application form03.03.2020
UPSC Civil Service Preliminary exam31.05.2020

આટલી પોસ્ટ પર નોકરી મળી શકે

  • (i) Indian Administrative Service.
  • (ii) Indian Foreign Service.
  • (iii) Indian Police Service.
  • (iv) Indian P & T Accounts & Finance Service, Group ‘A’.
  • (v) Indian Audit and Accounts Service, Group ‘A’.
  • (vi) Indian Revenue Service (Customs and Central Excise), Group ‘A’.
  • (vii) Indian Defence Accounts Service, Group ‘A’. (viii) Indian Revenue Service (I.T.), Group ‘A’.
  • (ix) Indian Ordnance Factories Service, Group ‘A’ (Assistant Works Manager, Administration).
  • (x) Indian Postal Service, Group ‘A’.
  • (xi) Indian Civil Accounts Service, Group ‘A’.
  • (xii) Indian Railway Traffic Service, Group ‘A’.
  • (xiii) Indian Railway Accounts Service, Group ‘A’.
  • (xiv) Indian Railway Personnel Service, Group ‘A’.
  • (xv) Post of Assistant Security Commissioner in Railway Protection Force, Group ‘A’
  • (xvi) Indian Defence Estates Service, Group ‘A’.
  • (xvii) Indian Information Service (Junior Grade), Group ‘A’.
  • (xviii) Indian Trade Service, Group ‘A’.
  • (xix) Indian Corporate Law Service, Group ‘A’.
  • (xx) Armed Forces Headquarters Civil Service, Group ‘B’ (Section Officer’s Grade).
  • (xxi) Delhi, Andaman & Nicobar Islands, Lakshadweep, Daman & Diu and Dadra & Nagar Haveli Civil Service, Group ‘B’.
  • (xxii) Delhi, Andaman & Nicobar Islands, Lakshadweep, Daman & Diu and Dadra & Nagar Haveli Police Service, Group ‘B’.
  • (xxiii) Pondicherry Civil Service, Group ‘B’.
  • (xxiv) Pondicherry Police Service, Group ‘B’.

Online Application

https://upsconline.nic.in

The online Applications can be filled up to 3rd March, 2020 till 6:00 PM.

Notification Link

https://www.upsc.gov.in/sites/default/files/Notification-CSPE_2020_N_Engl.pdf

The Union Public Service Commission (UPSC) has released the notification for the Civil Service examination 2020 on its official website today i.e. February 12, 2020.

The interested candidates can apply online for UPSC Civil Service Examination 2020 through the official portal of UPSC — upsc.gov.in. The last date to submit the online application for UPSC Civil Service Exam 2020 is March 3, 2020, till 6.00 pm.

UPSC will conduct the preliminary examination of the Civil Services Examination for recruitment to the various services and posts on May 31, 2020.

Eligibility Conditions

Nationality

  • Applicants should be a citizen of India to apply for the Indian Administrative Service, the Indian Foreign Service and the Indian Police Service.
  • For other services, applicants should be citizens of any of the following countries — A citizen of India, a subject of Nepal, a subject of Bhutan, a Tibetan refugee who moved to India before January 1, 1962.
  • A person of Indian origin who has migrated from Pakistan, Burma, Sri Lanka, East African countries of Kenya, Uganda, the United Republic of Tanzania, Zambia, Malawi, Zaire, Ethiopia and Vietnam intending to permanently settle in India.

Age Limit

A candidate should have attained the age of 21 years and should not have attained the age of 32 years on August 1, 2020. Candidate should have been born not earlier than August 2, 1988, and not later than August 1, 1999.

Minimum Educational Qualifications

The candidate should possess a degree of any of Universities incorporated by an Act of the Central or State Legislature in India or other educational institutions established by an Act of Parliament or declared to be deemed as a University Under Section-3 of the University Grants Commission Act, 1956, or possess an equivalent qualification.

Application Fee

Applicants need to pay an application fee of Rs 100. Female/SC/ST/Persons with Benchmark Disability Candidates are exempted from payment of the fee.

Candidates should note the following things while submitting UPSC Civil Services application form 2020:

  • One photo ID card (Aadhaar Card/Voter Card/PAN Card/Passport/Driving Licence/Any other Photo ID Card issued by the State/Central Government)
  • Candidates need to provide the details of the photo ID card while filling up the application form.
  • The candidates need to upload a scanned copy of the photo ID whose details have been given in the online application by him/her.
  • The same photo ID Card will be used for all future references
  • Candidate is advised to carry this Photo ID Card while appearing for Examination/Personality Test.