CIA ALERT

Alert Archives - Page 273 of 511 - CIA Live

March 13, 2020
gujaratenergy.jpg
1min5720

વિધાનસભાના પ્રશ્ર્નોત્તરી કાળ દરમિયાન પૂછાયેલા એક પ્રશ્ર્નના જવાબમાં ઊર્જા પ્રધાને વિગતો આપતા જણાવ્યું હતું કે ગુજરાત વીજળીનું વિપૂલ ઉત્પાદન કરનારું રાજ્ય છે. વીજળીનો સંગ્રહ શકય ન હોવાને કારણે તેનું ઉત્પાદન માંગને આધિન હોય છે.

વીજળીની માગ અને પુરવઠામાં જુદા જુદા કારણોસર વધઘટ થતી રહે છે. વરસાદની મોસમ હોય, તહેવારો કે રજાના દિવસોમાં ઊદ્યોગો-કારખાનાઓ બંધ હોય કે તાપમાનની વધઘટ હોય અથવા વિન્ડ એનર્જી, સોલાર એનર્જીની વ્યાપક ઉપલબ્ધિ હોય તેવા સંજોગોમાં માગ-પુરવઠામાં બદલાવ આવતો રહે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે વીજ માગ ઓછી હોય ત્યારે વીજ ઉત્પાદનની શ્રેષ્ઠત્તમ ઉપયોગિતા માટે અને પ્લાન્ટ બિનઉપયોગી ન રહે તેવા હેતુસર અન્ય રાજ્યોને વીજળી વેચવામાં આવે છે. એટલું જ નહીં, રાષ્ટ્રીય સંપત્તિ એવા વીજમથકોનો મહત્તમ ઉપયોગ થાય તેમ જ વીજ ખરીદીની પડતર કિંમત ઘટાડવા સારું ગુજરાતમાં કૃષિ ક્ષેત્ર સહિતની તમામ પ્રકારની વીજમાગને પૂર્ણ કર્યા બાદ વધારાની સરપ્લસ વીજળી દેશમાં તીવ્ર ખેંચ અનુભવતા જરૂરિયાતવાળા રાજ્યોને વેચવામાં આવે છે.

ઊર્જા પ્રધાને જે રાજ્યોને ગુજરાતે ર૦૧૯ના વર્ષમાં વીજળી વેચી છે તેની વિગતો આપતાં ઉમેર્યું હતું કે, આંધ્રપ્રદેશને પ.૪૦ મિલિયન યુનિટ વીજળી પ્રતિ યુનિટ ૪.૪૪ના દરે, છત્તીસગઢને ૦.પ૦ મિલિયન યુનિટ વીજળી પ્રતિ યુનિટ ૪.૪૦, તામિલનાડુ ૧.૬૦ મિલિયન યુનિટ વીજળી પ.૧૩ પ્રતિ યુનિટ, ઉત્તર પ્રદેશ ૯.૫૪ મિલિયન યુનિટ વીજળી ૪.૦૭ પ્રતિ યુનિટ, મહારાષ્ટ્ર ૦.પ૦ મિલિયન યુનિટ રૂ. ૪.૦૦ પ્રતિ યુનિટ તેમ જ પશ્ર્ચિમ બંગાળ ૮.પપ મિલિયન યુનિટ વીજળી દર યુનિટે ૩.૭૯ના ભાવે, બિહાર ૭.૧૩ મિલિયન યુનિટ વીજળી ૪.૭૧ પ્રતિ યુનિટના ભાવે, ઝારખંડ ૩.૩૦ મિલિયન યુનિટ વીજળી પ્રતિ યુનિટ ૩.૯૧ના ભાવે તેમ જ ઓરિસ્સા ૬.૦પ મિલિયન યુનિટ વીજળી યુનિટ દિઠ ૪.પ૧ના ભાવે અને મણીપુર ૦.૦૪ મિલિયન યુનિટ વીજળી રૂ. પ પ્રતિ યુનિટના ભાવે વેચવામાં આવી છે. આ ઉપરાંત ઈન્ડિયન એનર્જી એકસચેન્જને ૧૩૮.ર૧ મિલિયન યુનિટ વીજળી ૪.૧૧ પ્રતિ યુનિટના ભાવે ગુજરાત સરકારે વેચી છે.

March 13, 2020
Coronavirus-Getty-photovs-1280x822.jpg
1min4960

વિદેશીઓના આગમન પર એક મહિના સુધી પ્રતિબંધ મૂકવાના પગલે પ્રવાસન ક્ષેત્રને ૮૫૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે, તેવું ક્ષેત્રના અગ્રણીઓ જણાવે છે. ઈન્ડિયન એસોસિયેશન ઓફ ટૂર ઓપરેટર્સ (આઈએટીઓ) અને એસોચેમ જેવી ઉદ્યોગ જગતની સંસ્થાઓ કહે છે કે પ્રવાસન ક્ષેત્રમાં બેરોજગારી વધી જશે.

MERS-CoV chinese infection Novel Corona virus Jet engine against a middle size plane at the airport on loading aircraft at the International Airport

આઈએટીઓના મહામંત્રી રાજેશ મુડગિલે કહ્યું કે, ‘વિઝા રદ થવાથી સમગ્ર હૉટેલ, એવિયેશન અને ટ્રાવેલ ક્ષેત્રમાં બેરોજગારી વધી જશે. ૮૫૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થશે તેવો અમારો અંદાજ છે. એસોચેમ ટૂરિઝમ એન્ડ હૉસ્પિટલિટી કાઉન્સિલના ચેરમેન સુભાષ ગોયલે કહ્યું કે, ‘બુધવારે રાતે વિઝા રદ થવાનું જાહેર થયું હતું. સમગ્ર પ્રવાસન, એવિયેશન અને હોટેલ ક્ષેત્રને પ્રતિકૂળ અસર પહોંચશે. દસ દિવસમાં ટ્રાવેલ, ટૂરિઝમ ઉદ્યોગમાં હિલચાલ બંધ થઈ જશે. દરેક પેઢી ખર્ચમાં કાપ મૂકશે, બિનજરૂરી સ્ટાફને છુટો કરશે અને વધારાના સ્ટાફની ભરતી બંધ કરશે.’

મુડગિલે કહ્યું કે ‘દસ દિવસ પછી પરિસ્થિતિની સમીક્ષા કરવી જોઈએ તેવી વિનંતી અમે સરકારને કરીએ છે. આ ક્ષેત્રને કરવેરામાં પણ રાહત આપવી જોઈએ.’ફેડરેશન ઑફ હૉટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશન્સ ઑફ ઈન્ડિયાના વાઈસ પ્રેસિડન્ટ ગુરુબક્ષસિંહ કોહલીએ કહ્યું કે, ‘કોરોના વાઈરસના સમાચાર પ્રસિદ્ધ થયા તે પછી નવેમ્બરથી હૉટલ રૂમ કેન્સલેશન ૮૦ ટકાથી વધી ગયું છે. એપ્રિલથી સપ્ટેમ્બર મહિનામાં એનઆરઆઈ સેગમેન્ટનો ધંધો વધુ થયો હોય છે, પણ આ વખતે નવા બુકિંગ થઈ રહ્યા નથી. એક અન્ય જાણકારે કહ્યું કે ‘વિદેશ જનારા પ્રવાસીઓ પાસેથી કેન્સલ માટે પૂછનારાઓની સંખ્યા ૩૫% જેટલી નોંધાઈ છે. પ્રભાવિત દેશોના વિમાની ભાડાઓમાં લગભગ ૪૦ ટકા ઘટાડો નોંધાયો છે. યાત્રા.કોમના સબિના ચોપરાએ કહ્યું કે ‘હૉટેલના દરોમાં લગભગ ૧૮ ટકા ઘટાડો થયો છે. ભારતની અંદર પ્રવાસ કરનારાઓની પણ અમને કેન્સલ કરવા અંગેની માહિતી પૂછી રહ્યા છે.’

દેશમાં આવનારા, દેશમાંથી બહાર જનારાઓ, દેશની અંદર એમ તમામ ટૂરિઝમ સેગમેન્ટમાં અને તમામ પ્રકારના ટૂરિઝમ વર્ટિકલ્સમાં મંદી નોંધાઈ છે. ટૂરિઝમ સેક્ટરમાં કાર્યરત ઉદ્યોગ ગૃહની વર્કિંગ કેપિટલમાં ૬૦ ટકા જેટલો ઘટાડો થયો છે, જયારે એમએસએમઈ ક્ષેત્રમાં ૮૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.

March 13, 2020
CIA_Live_Logo_New2.jpg
3min12490

ભારતમાં 16 March 2020 નોવેલ કોરોના વાઇરસ કેસોની સંખ્યા વધીને 112 થઇ હતી. મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૩૩ કેસ અને કેરળમાં ૨૨ કેસ નોંધાયા હતા.

ભારતે ઇટાલી અને ઇરાનથી ૪૫૦ ભારતીયોને ઍરલિફ્ટ કર્યા હતા અને તેમને ક્વોરન્ટાઇનમાં મૂકવામાં આવ્યા હતા.

રવિવારે મધ્યરાત્રિથી સરકારે કરતારપુર સાહિબ ગુરુદ્વારા જનારા શ્રદ્ધાળુઓની નોંધણી બંધ કરી હતી અને આંતરરાષ્ટ્રીય સરહદ પરથી પાકિસ્તાનમાં જવાનું બંધ કરાવ્યું હતું. આ અગાઉ ભારત-બંગલાદેશ, ભારત-નેપાળ, ભારત-ભુતાન અને ભારત-મ્યાનમાર સરહદ પરથી લોકોનું આવનજાવન બંધ કરાવી હતી. જોકે, કેટલાક ચેકપોસ્ટ પર અવરજવર ચાલુ રાખવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આપેલા આંકડા મુજબ હજી સુધી ભારતમાં ૧૭ વિદેશી સહિત ૯૬ કેસ નોંધાયા છે. કર્ણાટકમાં એક અને દિલ્હીમાં એકનું મોત નોંધાયું હતું. મહારાષ્ટ્રમાં વધુ કેસ પોઝિટિવ નોંધાતા આંકડો વધીને ૩૩ થયો હતો. કેરળમાં ૨૨, ઉત્તર પ્રદેશમાં ૧૧ અને દિલ્હીમાં ૭ પોઝિટિવ કેસ નોંધાયા છે. આંધ્રપ્રદેશની સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી છ સપ્તાહ માટે લંબાવી દેવામાં આવી હતી. કેન્દ્ર સરકારે લોકોને ગભરાયા અને રઘવાયા નહી બનવાની અપીલ કરી હતી.

Corona Update : on 14 March 2020

ભારત : 83 કેસ : 2 ના મોત : 10 સાજા થઇ ગયા : 71ની ટ્રીટમેન્ટ ચાલુ : અડધું ભારત બંધ139 દેશોમાં : મૃત્યુઆંક 5429, કન્ફર્મ કેસ 145369

લગભગ અઢી મહિના પહેલા ચીનના વુહાનથી શરૂ થયેલો કોરોના વાઈરસ હવે વિશ્વના 139 દેશોમાં ફેલાઈ ગયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા કોરોનાને વેશ્વિક મહામારી જાહેર કરાયા બાદ મૃત્યુઆંક 5429 સુધી પહોંચી ગયો છે. તેમજ 145369 કન્ફર્મ કેસ નોંધાઈ ચૂક્યાં છે.

ભારતમાં 10 દર્દી સાજા થઇ ગયા, 71ની ટ્રીટમેન્ટ ચાલે છે, 2 ના મોત

ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસે બે લોકોના જીવ લીધા છે. બન્ને વૃદ્ધ વ્યક્તિઓ હતા. સદનસીબ ભારતનું એ પણ છે કે કોરોનાના કહેર વચ્ચે ખુશી થાય તેવા સમાચાર એ છે કે નવા સાત દર્દી અને કેરળના પહેલાના 3 મળીને કુલ 10 દર્દીઓ સાજા થઇ ગયા છે અને તેમના ઘરે પહોંચી ચૂક્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, તા.14મી માર્ચે બપોરે 12 વાગ્યાન સ્થિતિએ ભારતમાં કોરોનાના કુલ 83 દર્દીઓ નોંધાયા હતા. જેમાં દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં દાખલ થયેલા કોરોનાના 7 દર્દી સાજા થઈ ગયા છે. આ સિવાય કેરળમાં પણ ત્રણ દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પહોંચી ગયા છે. મતલબ કે, દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 82 કેસ નોંધાયા હતા જેમાંથી 10 દર્દી સાજા થયા છે. હાલ 71 દર્દીઓની સારવાર ચાલી રહી છે કારણકે બેનાં મોત થયા છે.

શનિવારથી અડધું ભારત બંધ અત્યાર સુધીમાં દેશનાં કુલ 11 રાજ્યોમાં કોરોનાના ચેપગ્રસ્તો નોંધાયા છે.

ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, મુંબઈ અને મહારાષ્ટ્ર, કર્ણાટક, પંજાબ, ઝારખંડ, ઓડિશા, હરિયાણા અને દિલ્હીમાં સરકારો શુક્રવારે હરકતમાં આવી ગઈ હતી અને રાજ્યોએ તકેદારીરૂપે સ્કૂલો, કોલેજો, જિમ, જાહેર સમારંભો, મોલ્સ, મલ્ટીપ્લેક્સીસ અને સ્વીમીંગ પુલ્સ સહિતનાં ભીડ એકઠી થતી હોય તેવાં સ્થળો પર પાબંદી લાદી દીધી છે. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઝારખંડ, બિહાર, ઓડિશા, પંજાબ, દિલ્હી, હરિયાણા, મુંબઈ સહિત મહારાષ્ટ્ર, કર્ણાટકમાં સ્કૂલો, કોલેજો, થિયેટરો, મલ્ટીપ્લેક્સીસ સહિતનાં જાહેર સ્થળો પર લોકોના એકત્ર થવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. 

દિલ્હીમાં વૃદ્ધાનું મોત, ભારતમાં 2ના મૃત્યુ

કર્ણાટકમાં કોરોના વાઇસરથી ૭૬ વર્ષના વૃદ્ધનું મોત થયા બાદ શુક્રવારે દિલ્હીમાં ૬૮ વર્ષની વૃદ્ધાનું પણ મોત થયું હતું. મૃત્યુ પામેલી મહિલા ડાયાબિટીસ અને હાઇપર્ટેન્શનથી પીડાતી હતી. વૃદ્ધાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આ વૃદ્ધા સારવાર માટે રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ થઇ હતી. કોરોના વાઇરસથી વૃદ્ધાનું મૃત્યુ થતાં હવે મરણાંક બે પર પહોંચ્યો છે. નોંધનીય છે કે કર્ણાટકમાં સારવાર દરમિયાન મગંળવારે વૃદ્ધનું મોત થયું હતું. વૃદ્ધ તાજેતરમાં સાઉદી અરેબિયાથી આવ્યો હતો અને તે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયો હતો.

ઈટાલી : કોરોનાથી એક જ દિવસમાં 250ના મોત

ઈટાલી માટે ગઈ કાલનો શુક્રવાર કોઈ ‘બ્લેક ફ્રાઈડે’થી ઉતરતો નહતો. ફક્ત એક જ દિવસ એટલે કે 24 કલાકની અંદર ઈટાલીમાં 250 લોકોના મોત નિપજ્યા છે. આશ્ચર્ય પમાડનારી વાત તો એ છે કે શુક્રવારે કોરોના વાયરસન કારણે દુનિયાભરમાં સૌથી વધારે લોકોએ ઈટાલીમાં અંતિમ શ્વસ ભર્યા હતા. શુક્રવારના રોજ ચીન કરતા પણ વધારે મોત ઈટાલીમાં નિપજ્યા છે. ચીનના વુહાનમાંથી કોરોના વાયરસનો ઉદ્ભવ થયો હતો અને ત્યાં જ આ વાયરસે સૌથી પ્રચંડ તારાજી સર્જી હતી, પરંતુ હવે ઈટાલીની પરરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે જાણે ઈટાલી, ઈટાલી નહીં રહને વુહાન થઈ ગયું હોય. પહેલા કોરોનાનું કેન્દ્ર ચીન હતું, પરંતુ હવે યુરોપ તેનું કેન્દ્ર બની ગયું છે. 

રિપોર્ટેડ ઓન 13 માર્ચ

કોરોના વાઇરસથી ભારતમાં પહેલું મૃત્યુ થયું છે. કર્ણાટકમાં સારવાર દરમિયાન મંગળવારે રાતે ૭૬ વર્ષના વૃદ્ધનું મૃત્યુ થયું હતું, જેને કોરોના થયો હોવાનું ગુરુવારે ક્ધફર્મ થયું હતું. આ વૃદ્ધ તાજેતરમાં જ સાઉદી અરેબિયાથી આવ્યો હતો. તે ખાનગી હોસ્પિટલમાં પણ ગયો હતો.

રાજ્યના આરોગ્ય પ્રધાન બી. શ્રીરામુલુએ ટ્વિટ કર્યું હતું કે પ્રોટોકોલ પ્રમાણે તબીબી કાર્યવાહી કરવામાં આવી રહી છે. મૃત્યુ પામેલો વૃદ્ધ કલબુર્ગીનો રહેવાસી હતો. આ વૃદ્ધ જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયે સાઉદી અરેબિયા ગયો હતો અને ૨૯ ફેબ્રુઆરીએ પાછો ફર્યો હતો. બાદમાં તાવ આવતાં તે ખાનગી હોસ્પિટલમાં દાખલ થયો હતો જ્યાં ડોક્ટરોએ તેને હૈદરાબાદ લઇ જવાની તેના પરિવારને સલાહ આપી હતી. હૈદરાબાદમાં રાત્રે ૧૧ વાગે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. મૃતક હાઈપર્ટેન્શન, ડાયાબીટીસ અને અસ્થમાથી પીડાતો હતો. તેના મૃતદેહને સરકારી પ્રોટોકોલ પ્રમાણે નિકાલ કરવામાં આવ્યો હતો.ભારતમાં કોરોનાથી મૃત્યુનો પહેલો કિસ્સો નોંધાતા લોકોમાં ભય ફેલાયો છે.

ભારતમાં કોરોના વાઇરસના કેસ વધીને ૭૩

નવી દિલ્હી: ભારતના મહારાષ્ટ્રમાં નવ, દિલ્હી, લડાખ અને ઉત્તર પ્રદેશ પ્રત્યેકમાં એક અને એક વિદેશી નાગરિક મળીને ૧૩ નવા નોંધાયેલા કેસ સાથે દેશમાં કોરોના વાઇરસના કેસ વધીને ૭૩ થયા હોવાની માહિતી ગુરુવારે સ્વાસ્થ્ય મંત્રાલયે આપી હતી.

મંત્રાલયે રાજ્ય પ્રમાણે આંકડા જાહેર કરતા જણાવ્યું હતું કે દિલ્હીમાં છ, ઉત્તર પ્રદેશમાં ૧૦, કર્ણાટકમાં ચાર, મહારાષ્ટ્રમાં ૧૧ અને લડાખમાં ત્રણ કેસ પોઝિટિવ હોવાની જાણ થઇ છે.

આ સિવાય રાજસ્થાન, તેલંગણા, તમિળનાડુ, જમ્મુ અને કાશ્મીર અને પંજાબમાં પ્રત્યેકમાં એક કેસ નોંધાયો છે.

કેરળમાં અત્યાર સુધીમાં ૧૭ કેસ નોંધાયા છે અને એમાંથી ત્રણ દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

કુલ ૭૩ કનફર્મ્ડ કેસમાંથી ૧૭ વિદેશી, ૧૬ ઇટાલીના પર્યટક અને એક વિદેશી નાગરિકનો સમાવેશ થાય છે.

ભારતીય ડૉક્ટરોની એક ટીમ ગુરુવારે ઇરાન જવા રવાના થઇ હતી. ત્યાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓના સેમ્પલ એકઠાં કરીને તપાસ માટે તેઓ અહીં મોકલશે જેથી એમના આવ્યા અગાઉ ટેસ્ટના પરિણામ જાણી શકાય.

ઇરાનમાં જે ભારતીય નાગરિકો ફસાયા છે એમાં તીર્થયાત્રીઓ, વિદ્યાર્થીઓ અને માછીમારોનો સમાવેશ થાય છે.

કોરોનાની રસી ડેવલપ કરી હોવાનો ઈઝરાયલના વૈજ્ઞાનિકોનો દાવો

કોરોના વાઈરસ સામે રક્ષણ આપે તેવી વેક્સિન બનાવવામાં સફળતા મળી છે, તેવી જાહેરાત ઈઝરાયલના વૈજ્ઞાનિકો ટૂંક સમયમાં કરશે, તેવું મીડિયાના એક અહેવાલામાંથી જાણવા મળ્યું છે. વાઈરસના ગુણધર્મો અને રચના સમજવામાં ઈઝરાયલના ઈન્સ્ટિટ્યૂટ ફોર બાયોલોજિકલ રિસર્ચના વૈજ્ઞાનિકો સફળ થયા છે, તેવું અહેવાલમાં કહેવામાં આવ્યું છે. જો કે સંરક્ષણ મંત્રાલયે મીડિયા અહેવાલને સમર્થન આપ્યું ન હતું. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે ‘કોરોના વાઈરસ સામેની વેક્સિન અથવા પરીક્ષણ માટેની કિટ તૈયાર થઈ નથી. ઈન્સ્ટિટ્યૂટની કામગીરી યોજના પ્રમાણે ચાલતી હોય છે. હાલમાં ૫૦થી વધુ અનુભવી વૈજ્ઞાનિકો વાઈરસનો ઈલાજ શોધવામાં કાર્યરત છે.’

ઈઝરાયલના સૌથી લોકપ્રિય પોર્ટલ વાયનેટએ ત્રણ સપ્તાહ અગાઉ એવો અહેવાલ આપ્યો હતો કે જાપાન, ઈટાલી અને અન્ય દેશોમાંથી પાંચ વાઈરસ સેમ્પલ મેળવવામાં આવ્યા હતા. આ સેમ્પલ માઈનસ ૮૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર ઈન્સ્ટિટ્યૂટ ફોર બાયોલોજિકલ રિસર્ચમાં રાખવામાં આવ્યા હતા. નિષ્ણાતો સહિત વૈજ્ઞાનિકો દ્વારા વેક્સિન વિકસાવવાનું સંશોધન સતત ચાલી રહ્યું છે. દોઢ વર્ષ સુધીમાં વેક્સિન વિકસાવી શકાશે, તેવું નિષ્ણાતો માને છે.

ઈઝરાયેલના નેસ ઝિયોના શહેરમાં સ્થિત ઈન્સ્ટિટ્યૂટ ૧૯૫૨માં શરૂ કરવામાં આવ્યું છે. પ્રાઈમ મિનિસ્ટર્સ ઑફિસની દેખરેખમાં આ સંસ્થાનું કામ ચાલતું હોય છે. પહેલી ફેબ્રુઆરીએ વડા પ્રધાન બેન્ઝામિન નેતાન્યાહુએ વેક્સિન વિકસાવવાનો ઈન્સ્ટિટ્યૂટને આદેશ આપ્યો હતો.

વિશ્ર્વમાં સંખ્યાબંધ સંશોધકો વેક્સિન વિકસાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે. પ્રાણીઓમાં વાઈરસની પ્રવૃત્તિ બાબતમાં ઘણા સંશોધકો ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. જ્યારે વાઈરસ પ્રાણીઓમાંથી માનવીઓમાં પ્રવેશે છે ત્યારે તેમાં જે બદલાવ થઈ જાય તે સમજવાનો પકડાર મોટો છે.

જાન્યુઆરીમાં વાઈરસથી રોગચાળો ફેલાયો તે પછી ચીને વાઈરસની જિનેટિક સિકવન્સ જાહેર કરી હતી. આ રીતે સંશોધકોને સેમ્પલ વગર વેક્સિન અને સારવારની પદ્ધતિ વિકસાવવાની તક મળી હતી. તાજેતરમાં બોસ્ટનની બાયોટેક્નોલોજિ કંપનીએ વેક્સિન તૈયાર કરી હોવાની જાહેરાત કરી હતી. જોકે, તેનું પરીક્ષણ એપ્રિલમાં કરવામાં આવશે.

March 12, 2020
bitcoin.jpg
1min4930

અઠવાડીયા પહેલા જ ક્રિપ્ટો ના કારોબારમાં ઘૂસેલા સટ્ટોડીયાઓની છાતીના પાટીયા બેસી ગયા

ભારતીય શેરબજારો માટે જે રીતે તા.12મી માર્ચ 2020નો દિવસ કાળમુખો રહ્યો અને ઇન્ટ્રા ડે સૌથી તોતિંગ ઘટાડો સેન્સેક્સમાં 2919 અને નિફ્ટીમાં 868 પોઇન્ટ ડાઉન ફોલ જોવા મળ્યો, આ સમાચારમાંથી કળ મળે એ પહેલા તો ક્રિપ્ટો કરન્સીમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાવા પામી હતી.

ગત સપ્તાહે જ સુપ્રીમ કોર્ટે ભારતમાં ક્રિપ્ટો કરન્સીના કારોબારના લીલીઝંડી આપ્યા બાદ બીટકોઇનના ધંધામાં પડેલા લોકોએ એક જ સપ્તાહમાં ધોળે દિવસે તારા જોવા મળ્યા હતા. આજે બીટકોઇનનો ભાવ કાલના બંધ ભાવ કરતા 1500 યુએસ ડોલર જેટલો નીચે ટ્રેડ કરી રહ્યો હતો.

Bitcoin (BTC) made further dramatic losses on March 12, falling below $6,000 for the first time since May 2019

આજે આવેલ ક્રિપ્ટોકરન્સીના કડાકાએ પણ સૌને આઘાત પહોંચાડ્યો છે. 7500 ડોલરનો મહત્વનો સપોર્ટ ગુમાવ્યા બાદ બિટકોઈન આજના ટ્રેડિંગમાં એકાએક ઘટીને 5700 ડોલર સુધી ગગડી ગયો હતો. એકાએક બિટકોઈન 27% તૂટ્યો અને 5700 ડોલર સુધી ઘટીને એકાએક 6500 ડોલર સુધી રિકવર પણ થયો હતો.

સાંજે 5 વાગે બિટકોઈનનો ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં 23%ના ઘટાડા સાથે 6080 ડોલરની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.

સુપ્રીમ કોર્ટે ક્રિપ્ટો કરન્સીને ભારતમાં લીલીઝંડી આપ્યા પછી અનેક સટ્ટોડીયાઓ બીટકોઇન સમેત અન્ય કોઇનના ધંધામાં રૂપિયા રોક્યા હતા

ગત સપ્તાહે સુપ્રીમ કોર્ટે ભારતમાં ક્રિપ્ટો કરન્સીના કારોબારને લીલીઝંડી આપી હતી. ભારતીય બેંકો ક્રિપ્ટો કરન્સીના કારોબારીઓને બેંકીંગ ફેસેલિટી આપી શકે એ મતલબના સુપ્રીમ કોર્ટના રૂલિંગ બાદ ભારતમાં અનેક લોકો સત્તાવાર રીતે બીટકોઇન તેમજ અન્ય કોઇનના ધંધામાં રૂપિયા રોકવા માંડ્યા હતા. પરંતુ, આજે કોરોના વાઇરસને પગલે બીટકોઇનના ભાવમાં આવેલા તોતિંગ ઘટાડાએ ભારે કરી હતી. હજુ અઠવાડીયા પહેલા જ બીટકોઇમાં લાખો કરોડો રૂપિયા રોકનારા કેટલાક સટ્ટોડીયાઓના આજે છાતીના પાટીયા બેસી ગયાના અહેવાલો મળી રહ્યા છે.

March 12, 2020
sensex_down.jpg
2min5350

કોરોના વાયરસના કારણે આજે ભારતીય શેરબજારોમાં ન ભૂતો ન ભવિષ્યતિ ખુંવારી જોવા મળી હતી. એક જ દિવસમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં અભૂતપૂર્વ અગાઉ ક્યારેય નહીં થયો હોય એટલા પોઇન્ટનો ઘટાડો આજે તા.12મી માર્ચે સેન્સેક્સમાં જોવા મળ્યો હતો.

ગુરુવારે બપોરે સાડાત્રણે માર્કેટ બંધ રહ્યું ત્યારે સેન્સેક્સમાં 2919 પોઇન્ટસ અને નિફ્ટીમાં 868 પોઇન્ટનું જંગી ગાબડું પડ્યું હતું.

Sensex tanked 2,919 points or 8.18 per cent to close 32,778; while the broader NSE Nifty plummeted 868 points or 8.30 per cent to settle at 9,590

એ પૂર્વે બપોરે અઢી વાગ્યાની સ્થિતિ અનુસાર, સેન્સેક્સના તમામ 30 શેર્સ અને નિફ્ટીના તમામ 50 શેર્સ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. સેન્સેક્સ અને નિફ્ટીના શેર્સમાંથી મોટાભાગના આજે પોતાની 52 સપ્તાહની સૌથી નીચી સપાટીને પણ સ્પર્શી ગયા છે.

Major laggards -12%

  • Tata Steel,
  • Axis Bank,
  • ONGC,
  • SBI,
  • Mahindra & Mahindra and
  • Reliance Industries with their stocks sliding as much as 12.11 per cent

બપોરે 2.35 કલાકની સ્થિતિ અનુસાર, આઈટીસી 13 ટકાના જંગી કડાકા સાથે 151 રુપિયા પર આવી ગયો છે. આજે સૌથી વધુ ઘટનારા શેર્સમાં ITC ટોચ પર છે. જ્યારે સેન્સેક્સમાં સૌથી વઘુ ઘટનારા બીજા શેરમાં એસબીઆઈ રહ્યો છે. બપોરે અઢી વાગ્યે આ શેર 13 ટકાના કડાકા સાથે 213ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. ત્યારબાદ એક્સિસ બેંક 11 ટકા, ઓએનજીસી 63.80 રુપિયાનો નંબર આવે છે.

દિવસના આરંભે

કોરોનાએ સૌથી વધુ ઉદ્યોગધંધાઓને અસર કરી છે. ભારતીય શેરબજારો કોરોનાના ગભરાટને પગલે ખુંવારીનો ભોગ બની રહ્યા છે. આજરોજ તા.12મી માર્ચને ગુરુવારે ભારતીય શેરબજારોમાં ગભરાટભરી વેચવાલી પ્રારંભિક કલાકમાં જ જોવા મળી હતી, તેને પગલે BSE સેન્સેક્સ માર્કેટ ઓફનિંગ બાદ 1700 પોઈન્ટ્સ ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો. નીફ્ટીમાં પણ 500 પ્લસ પોઇન્ટનો ડાઉન ટ્રેડ જોવા મળતા અનેક રોકાણકારો નાહી ઉઠ્યા હતા.

ગુરુવારે પ્રારંભથી જ જ શેરબજારમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. આજે સવારથી જ મેટલ, રિયલ્ટી, પાવર, ઓઈલ-ગેસ, ઓટો, બેન્ક, કેપિટલ ગૂડ્ઝ શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી. આજે સવારે તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે સવારે 9.30 વાગ્યે BSE સેન્સેક્સ 1701.18 પોઈન્ટ્સ અથવા 4.77 ટકા ગગડીને 33,996.22 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 502.90 પોઈન્ટ્સ અથવા 4.81 ટકા ઘટીને 9,955.50 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 5.76 ટકા અને 6.24 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે સવારે ઘટીને ટ્રેડ થઈ રહેલા મુખ્ય શેરોમાં ટાટા સ્ટીલ 8.52 ટકા, ONGC 8.16 ટકા, SBI 7.06 ટકા, એક્સિસ બેન્ક 7.05 ટકા, ટેક મહિન્દ્રા 5.88 ટકા, ઈન્ફોસીસ 5.84 ટકા, M&M 5.77 ટકા, બજાજા ફાઈનાન્સ 5.71 ટકા અને રિલાયન્સ 5.59 ટકાનો સમાવેશ થાય છે.

March 12, 2020
Rwanda-map-boundaries-cities-locator-1280x1062.gif
3min10970

121 દેશોમાં કોરોનાનો કહેર, વિશ્વ આખું કોરોનાથી ભયભીત છે ત્યારે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

વિશ્વમાં 111 દેશોમાં ફેલાયેલા કોરોના વાઇરસના કહેરથી 4100થી વધુ લોકોનો મોત નિપજ્યા છે અને કમસે કમ 200 કરોડ લોકોમાં જેનો ભારે ભય ફેલાયો છે એવા કોરોના વાઇરસથી વિશ્વમાં એક દેશ રવાન્ડા જે પૂર્વ આફ્રિકામાં આવેલો છે, રવાન્ડામાં હજુ સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.

મહત્વની વાત એ છે કે કોરોના વાઇરસ રવાન્ડામાં નહીં ફેલાય એ માટે તકેદારી તો એટલી જ રાખવામાં આવી રહી છે જેટલી તકેદારી ચીન અને ઇટલી પણ નહીં રખાતી હોય.

રવાન્ડામાં સાર્વજનિક સ્થળો પર પોર્ટેબલ વોશ બેઝિન મૂકવામાં આવ્યા છે. જેમકે પેસેન્જરો બસ કે ટ્રેનમાં ચઢતા પહેલા ફરજિયાત હાથ ધુએ છે અને પછી જ બસ, ટ્રેન કે પ્લેનમાં બેસી શકે છે.

પૂર્વ આફ્રિકામાં આવેલો છે રવાન્ડા દેશ

રવાન્ડામાં જાહેર સ્થળો પર હજારો પોર્ટેબલ વોશ બેઝિન મૂકવામાં આવ્યા છે

https://twitter.com/NewTimesRwanda/status/1237048775526547456

Rwanda is guarding against the spread of coronavirus by flooding its capital with portable sinks for hand-washing at bus stops, restaurants, banks and shops across the capital Kigali.

Rwanda has not recorded any cases of the virus so far but neighboring Democratic Republic of Congo confirmed its first case on Tuesday, making it eight countries in sub-Saharan Africa hit by the epidemic.

At the biggest car park in Kigali, passengers must wash their hands before they board buses – adopting the hygiene mantra advocated by health authorities across the world to tackle the outbreak.

“Authorities advised us to buy these hands washing machines and ask customers to use them. We are doing this to fight the coronavirus outbreak,” said Jimmy Blaise Bugingo, an inspection officer at Alpha Express, a bus company that travels to Congo.

Banks, shops, restaurants as well as bars, have all been equipped with portable wash sinks and customers seem keen to use them.

“I just washed my hands at the bank and I now I just did again,” said Jean Pierre Habimana 48-year-old father of four as he was boarding a bus.

South Africa now has the most confirmed cases of coronavirus in sub-Saharan Africa, with 13. Ivory Coast confirmed its first case on Wednesday. Cases have also been recorded in Nigeria, Senegal, Cameroon, Togo, Burkina Faso and Congo.

March 12, 2020
angela_merkel.jpg
1min4930

જર્મનીના એક પ્રકારે રાષ્ટ્રપ્રમુખ ગણાતા વૈશ્વિક મહિલા નેતા એન્જેલા મર્કેલે એવી જાહેરાત કરી છે કે જર્મનીની 60 થી 70 ટકા વસતિને કોરોના વાઇરસનો ચેપ લાગી શકે તેમ છે. જે પ્રકારે જર્મનીમાં કોરોના આઉટબ્રેકનો વિસ્તાર વધી રહ્યો છે એ જોતા અંદાજે 5 કરોડ 50 લાખથી વધુ જર્મન લોકોને કોરોનાનો ચેપ લાગી શકે. ખુદ જર્મન ચાન્સેલર એન્જેલા મોર્કેલ એ કરેલા આ નિવેદનને પગલે સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે.

Two in 3 Germans may become infected: Angela Merkel

German chancellor Angela Merkel said at a press conference that she expects around 60-70 percent of Germans will be infected with the coronavirus, which equates to about 53 million people.

“We have to understand that many people will be infected,” Merkel said. “The consensus among experts is that 60 to 70 percent of the population will be infected as long as this remains the situation.”

March 12, 2020
coronavirus.jpg
2min7430

कोरोना वायरस की वजह से पूरी दुनिया में 134,679 लोग संक्रमित हो चुके हैं। इस भयावह बीमारी से 4973 लोगों की मौत हो चुकी है। वहीं दुनिया में कई जानी-मानी हस्तियां इसकी चपेट में आने लगी हैं।

ऑस्ट्रेलिया के गृहमंत्री पीटर डटन को हुआ कोरोना वायरस

कोरोना वायरस से संक्रमित हैं कनाडा के पीएम जस्टिन ट्रूडो की पत्नी!

ईरान के उप स्वास्थ्य मंत्री और उप राष्ट्रपति दोनों आए कोरोना वायरस की चपेट में

ऑस्कर विजेता हॉलीवुड स्टार टॉम हैंक्स और उनकी पत्नी भी कोरोना से संक्रमित

ब्रिटेन की स्वास्थ्य मंत्री नदीन डॉरिस को हुआ कोरोना, पीएम से भी कर चुकी हैं मुलाकात

The NBA announced that a player on the Utah Jazz has preliminarily tested positive for COVID-19

जाने-माने फुटबॉल क्लब आर्सेनल के हेड कोच मिकेल अर्टेटा में भी कोरोना वायरस पाया गया है। इसके बाद लंदन स्थित ट्रेनिंग सेंटर बंद कर दिया गया है। टीम के उन सदस्यों को आइसोलेशन में रखा गया है, जो कोच के सम्पर्क में आए हैं।

गूगल ने बताया है कि बेंगलुरू स्थित उसके ऑफिस में एक कर्मचारी पॉजिटिव पाया गया है। इसके बाद कंपनी ने सभी कर्मचारियों ने घर से काम करने की अनुमति दी है। साथ ही संक्रमित व्यक्ति जिन कर्मचारियों के सम्पर्क में आया था, उनकी जांच की जा रही है।

March 12, 2020
visa.jpg
1min6480

કોરોના વાયરસ દુનિયાભરમાં 110થી વધારે દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. વિશ્વભરમાં 4100થી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)એ ભારતીય સમય અનુસાર રાત્રે 9 વાગ્યે કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કરી છે. ભારતમાં કોરોના વાઇરસનો વ્યાપ વિસ્તાર વધે તેવી ગણતરીઓને પગલે ભારત સરકારે કોરોનાને અટકાવવા માટે શ્રેણીબદ્ધ પગલાં ભર્યા છે જેમાં એક મહત્વનું પગલું એ પણ છે કે ભારત આવતા તમામ વિદેશી નાગરીકોના વિઝા તા.15મી એપ્રિલ 2020 સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

કેન્દ્રિય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે બુધવારે કહ્યું કે ચીન, ઈટાલી, ઈરાન, દક્ષિણ કોરિયા, ફ્રાંસ, સ્પેન અને જર્મનીથી સીધા અથવા આ દેશોની 15 ફેબ્રુઆરી પછી મુસાફરી કરી ભારત આવનારા મુસાફરોએ ઓછામાં ઓછા 14 દિવસ સુધી અલગ રાખવામાં આવશે. મંત્રાલયે કહ્યું કે ઓસીઆઈ કાર્ડ હોલ્ડરોને આપવામાં આવેલા વિઝા ફ્રી ટ્રાવેલની સુવિધા 15 એપ્રિલ સુધી બંધ કરવામાં આવી છે. આ નિયમ 13 માર્ચ 2020થી લાગુ થશે.

વાયરસના સંક્રમણને અટકાવવા માટે સરકારે 15 એપ્રિલ સુધી ડિપ્લોમેટ્સ, યૂએન અને આંતરાષ્ટ્રિય સંગઠન સાથે જોડાયેલા લોકો, રોજગારી માટે જાહેર કરેલા વિઝા સિવાયના તમામ વિઝાને 15 એપ્રિલ 2020 સુધી સસ્પેન્ડ કરી દીધા છે.

March 12, 2020
gujrat-012.jpg
1min7790

સૌરાષ્ટ્રમાં ગુજકોટ હેઠળની પ્રથમ ફરિયાદ અમરેલીમાં થઇ છે. લેડી ડોનની છાપ ધરાવતી રાજકોટની સોનું ડાંગર સહિત નવ સામે ગુજટોક હેઠળ અમરેલીમાં ગુનો નોંધાયો છે.

અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ અને ગીરસોમનાથ જિલ્લામાં હત્યા, ખૂનનો પ્રયાસ, અપહરણ, ખંડણી, મિલકતો પચાવી પાડવી, ઉંચા વ્યાજે નાણાં ધીરધાર કરી પઠાણી ઉઘરાણી કરી દહેશત ફેલાવવા સહિતના સંખ્યાબંધ ગુનામાં સંડોવાયેલ લેડી ડોન સોનું ડાંગર અને તેની ટોળકીના નવ શખસ સામે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમની કલમ હેઠળ સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

અમરેલી પોલીસવડા નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ એલસીબીના અધિકારી દ્વારા સોનું ઉર્ફે સોનલ ઉર્ફે ઉષા ચંદુભાઇ ડાંગર, રબારીકાના શિવરાજ ઉર્ફે મુન્ના રામકુભાઇ વીછિંયા, દોલતીના શૈલેષ નાથાભાઇ  ચાંદુ, દાદેશ ઉર્ફે દાદુ નાથાભાઇ ચાંદુ, લુવારાના અશોક જૈતાભાઇ બોરીચા, બાલસીંગ જૈતાભાઇ બોરીચા, નાનીધારીના વનરાજ મંગળુભાઇ વાળા, સેંજળના નરેન્દ્ર ઉર્ફે નટુ સુરંગભાઇ ખુમાણ, ગૌત્તમ નાજકુભાઇ ખુમાણ સામે જીસીટીઓની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધવવામાં આવ્યો હતો.

આ અંગે નાયબ પોલીસ અધિક્ષક કે.જે. ચૌધરી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં ગુજકોટનો આ પ્રથમ ગુનો હોવાનું જણાવાઈ છે. અમદાવાદની હોટલમાંથી મહેફીલ માણતા પકડાયેલ સોનું ડાંગરનો મિત્ર શિવરાજ ઉર્ફે મુન્ના વીછિંયા સામે સાવરકુંડલા પોલીસમાં ગુના નોંધાયા હોવાથી ટ્રાન્સફર વોરન્ટના આધારે તેનો કબજો લેવાયો હતો. બાદમાં સોનું ડાંગરે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરીને પોલીસની ફરજમાં રૂકાવટ કરીને પડકાર ફેંકયો હતો. પોલીસે સોનું ડાંગરને ઉદયપુરમાંથી ઝડપી લીધી હતી. તેની બાદમાં શિવરાજની પાસામાં અટકાયત કરવામાં આવી હતી. હવે તે બન્ને અને તેની ટોળકી સામે ગુજકોટ હેઠળ ગુનો નોંધાયો છે.