મહારાષ્ટ્રમાં કોરોનાના વધી રહેલા કેસોને પગલે મહારાષ્ટ્ર સરકાર અને મુંબઇ પ્રભાદેવી સ્થિત સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરના મેનેજમેન્ટ દ્વારા આજરોજ તા.16મી માર્ચ 2020ના રોજ સામાન્ય દર્શનાર્થીઓ માટે મંદિર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
મંદિર ફરી ક્યારે શરુ કરાશે એ અંગે મંદિર ઓથોરિટીએ જણાવ્યું છે કે વિવિધ માધ્યમોમાં આ અંગે સૂચના જાહેર કરવામાં આવશે. હાલ તુરત મંદિર કોરોના વાઇરસથી સુરક્ષા ખાતર સામાન્ય દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું છે.
સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર મુંબઇ ખાતે દેશ વિદેશથી યાત્રાળુઓ દર્શનાર્થે આવતા હોઇ, મંદિર પ્રશાસને વિવિધ માધ્યમોમાં દર્શન બંધ કરવા અંગે જાણ કરીને દર્શનાર્થીઓને હાલના દિવસોમાં દર્શન માટે મુંબઇ પ્રભાદેવી નહીં પહોંચવા જણાવ્યું છે.
The famous Siddhivinayak temple in Mumbai will remain shut to devotees from this evening till further notice to check the spread of coronavirus, the temple authorities have announced, reported news agency Press Trust of India. The temple, dedicated to the Lord Ganesha, is the latest among a string of temples to respond to the virus threat. Earlier, the temples at Shirdi and Sabarimala had asked devotees to postpone their visit for a few weeks. As the number of patients affected by the virus across the country rose to 116, the Delhi government announced a series of restrictions, which includes a ban on gatherings of 50 and more people.
યુવતિના પરિવારજનોની ખેલદિલી, સંપર્કમાં આવેલા લોકોને સેલ્ફ કૉરન્ટાઇન કરવા અપીલ
સૂરતમાં તા.16મી માર્ચે નવી સિવિલ હોસ્પિટલમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતી એક યુવતિને દાખલ કરીને તેના સેમ્પલ્સ અમદાવાદની બી.જે. મેડીકલ કોલેજમાં મોકલી આપવામાં આવ્યા છે. આ યુવતિની હિસ્ટ્રી અંગે થયેલી તપાસમાં જાણવા મળ્યું છે કે યુવતિ થોડા દિવસો પૂર્વે લંડનથી આવી હતી અને રવિવારે રાત્રે તેને તાવ, ખાંસી જેવા શંકાસ્પદ કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. યુવતિના પરિવારજનોએ ફેમિલી ડોક્ટરની સલાહ અનુસાર સૂરતની સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડનો સંપર્ક કર્યો હતો. પ્રાથમિક તપાસમાં તેણીને શંકાસ્પદ કોરોનાના દર્દી તરીકે દાખલ કરીને તેની સારવાર શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
યુવતિના પરિવારજનોએ જે જે સંપર્કમાં આવ્યા છે તેમને સેલ્ફ કૉરન્ટાઇન અનુસરવા અપીલ કરી
સૂરત પરત ફરેલી અને શંકાસ્પદ કોરોનાના લક્ષણ ધરાવતી યુવતિના પરિવારજનોએ આ યુવતિના સંપર્કમાં જે લોકો આવ્યા એ તમામ સુધી તંત્ર પહોંચે એ પહેલા જ પોતે યુવતિના સિન્ટમ્સ અંગે જાણ કરીને તમામને સાવચેતીપૂર્વક સેલ્ફ કૉરન્ટાઇન અનુસરવા માટે જણાવી દીધું છે.
સૂરતના તંત્રવાહકોએ પણ યુવતિ સાથે સંપર્કમાં આવેલા લોકોને ટ્રેસ કરવા અંગેની કાર્યવાહી કરી હોવાનું જાણવા મળે છે.
કેન્દ્ર સરકારે કોરોના સામે શ્રેણીબદ્ધ પગલાંઓ ભર્યા છે. કોરોના ટેસ્ટિંગ માટેની સિસ્ટમ જડબેસલાક બનાવી છે. કોરોનાના દર્દીઓને કેવી રીતે ઓળખવા અથવા તો કેવા પ્રકારની ગાઇડલાઇન્સ તબીબોએ ફોલો કરવી તે અંગે પણ સ્પેશિફિક સૂચનાઓ જારી કરવામાં આવી છે.
કોરોના શંકાસ્પદ દર્દીઓનો પહેલો ટેસ્ટ જો નેગેટીવ આવે તો સંબંધિત ડોક્ટરની સલાહને અનુસરીને જે તે દર્દીને જવા દેવામાં આવશે અને એ ફર્સ્ટ નેગેટીવ પેશન્ટનું 14 દિવસ સુધી ફોલોઅપ તંત્ર દ્વારા લેવામાં આવશે.
કોરોના પોઝીટીવ દર્દીઓ માટેની ગાઇડલાઇન અનુસાર ટ્રીટમેન્ટ લઇ રહેલા દર્દીના એક દિવસમાં જો બે સેમ્પલ ટેસ્ટ નેગેટીવ આવે તો તેને ડિસ્ચાર્જ કરી શકાશે. આ ગાઇડલાઇન્સ અનુસરવા માટે ભારતભરમાં સૂચના જારી કરવામાં આવી છે.
In English
The government has issued a discharge policy for Covid-19, Cases of suspected coronavirus, who test negative in the first instance, can be discharged on doctor’s advice but will be monitored for 14 days after their last contact with a confirmed Covid-19 case, the guidelines said.
cases under which a positive case shall be managed as per protocol and discharged after only two samples test negative within 24 hours and there’s evidence of chest radiographic clearance and viral clearance in respiratory samples.
Shares of SBI Cards & Payment Services (SBI Cards) listed at Rs 661, 12.45 per cent below its issue price of Rs 755 on the National Stock Exchange (NSE) on Monday. On the BSE, it opened at Rs 658, 13 per cent lower against issue price
ભારતના રોકાણકારોમાં બહુ જ ગાજેલા અને ખાસ્સા ચર્ચાસ્પદ બનેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એસબીઆઇ કાર્ડના આઇપીઓમાં બેંકને અંદાજે 10 હજાર કરોડનું ભંડોળ મળી ગયા બાદ આજે તા.16મી માર્ચે જ્યારે શેરબજારમાં એસબીઆઇ કાર્ડ શેરનું લિસ્ટીંગ થયું ત્યારે કોરોના એસબીઆઇ કાર્ડના લિસ્ટીંગની હવા કાઢી નાંખી હતી. અપેક્ષા એવી હતી કે 750ના શેરનું લિસ્ટીંગ 950 સુધી તો થશે જ પરંતુ, એસબીઆઇ કાર્ડના શેરનું લિસ્ટીંગ 115 રૂપિયા down થયું અને પછી સાવ સામાન્ય ભાવે શેર બપોરે 12 વાગ્યા સુધી ટ્રેડ કરી રહ્યો હતો.
એક તબક્કે 12.45 ટકા ડિસ્કાઉન્ટમાં શેર મળતો થઇ ગયો
દેશની સૌથી મોટી રાષ્ટ્રીયકૃત બેન્કના ક્રેડિટ કાર્ડ એકમ SBI કાર્ડના શેર લિસ્ટીંગનો ફિયાસ્કો થયો હતો. કંપનીના શેરનું આજે સવારે ₹661ના ભાવે લિસ્ટિંગ થયું હતું જે ₹755ના ઓફર ભાવની સરખામણીમાં 12.45 ટકાનું ડિસ્કાઉન્ટ સૂચવે છે. જોકે, થોડા સમય બાદ કંપનીના શેરનું 7.2 ટકાના ઘટાડા સાથે ₹700ની સપાટીએ ટ્રેડિંગ થઈ રહ્યું હતું.
જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી તેવા SBI કાર્ડનો ઈશ્યૂ ભારે ચર્ચામાં રહ્યો હતો પણ કોરોના વાઈરસના ઓથાર હેઠળ આવી ગયેલા શેરબજારમાં મંદીના ભણકારા વચ્ચે આ શેર ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ થયું હતું.
SBI કાર્ડે ₹755ની અપર પ્રાઈસ સાથે ઈશ્યૂ જારી કરીને બજારમાંથી દસેક હજાર કરોડ રૂપિયાનું મૂડી ભંડોળ એકત્રિત કરી લીધું છે. છેલ્લા બે વર્ષમાં ભારતમાં આવેલો સૌથી મોટો પબ્લિક ઈશ્યૂ હતો. એસબીઆઇ કાર્ડનો આ આઇ.પી.ઓ. 22.45 ગણો છલકાયો હતો.
Yes Bank શેર 50 ટકા અપ
બીજી તરફ યસ બેંક પરથી નિયંત્રણો ઉઠાવી લેવાની ઘોષણાના બાદ આજે સોમવારે પ્રારંભિક ટ્રેડીંગમાં જ શેરબજારમાં યસ બેંકનો શેર છવાય ગયો હતો અને સીધો 50 ટકા અપ થઇને ટ્રેડ થઇ રહ્યો હતો.
ભારત અને આફ્રિકામાં એક અઠવાડીયામાં નિર્ણય લાગુ થશે : શ્રદ્ધાળુઓ ઓનલાઈન દર્શન કરી શકશે
દુનિયામાં કોરોના વાયરસના વધી રહેલા કેસને ધ્યાને લઈને સ્વામીનારાયણ પ્રશાસને દુનિયાના તમામ સ્વામીનારાયણ મંદિરોને બંધ કરવાનું એલાન કર્યું છે. બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (બીએપીએસ)એ કહ્યું હતું કે, અમેરિકા, કેનેડા, યૂરોપ અને ઓસ્ટ્રેલિયાના મંદિર અગાઉ જ બંધ કરવામાં આવ્યા છે. જ્યારે ભારત અને આફ્રિકાના સ્વામીનારાયણ મંદિર આગામી એક અઠવાડીયામાં બંધ કરી દેવામાં આવશે.’ જો કે શ્રદ્ધાળુઓ દરેક મંદિરની વેબસાઈટ ઉપર પ્રતિદિન દર્શન કરી શકશે.’
ભારત સ્થિત અમેરિકી એમ્બેસીએ એવી જાહેરાત કરી છે કે તા.16મી માર્ચ 2020થી લાગુ થાય તે રીતે અમેરીકન વીઝા માટે ભારતમાં આપવામાં આવેલી તમામે તમામ એપોઇન્ટમેન્ટસ અચોક્કસ મુદત માટે રદ કરવામાં આવી છે. જે ભારતીય નાગરીકોને તા.16મી માર્ચથી એપોઇન્ટમેન્ટસ આપવામાં આવી છે તેમણે મુંબઇ, દિલ્હી તેમજ અન્ય અમેરીકન એમ્બેસી ખાતેની કચેરી પર નહીં જવા માટે સૂચના આપવામાં આવી છે.
અચોક્કસ મુદત માટે વીઝાની તમામ પ્રોસીજર બંધ કરવામાં આવી છે. લાગતાવળગતા અરજદારોને ભવિષ્યમાં કામગીરી યથાવત થયેથી વધુ જાણકારી તેમના સત્તાવાર ઇમેલ પર કે એજન્ટસ થકી પહોંચાડવામાં આવશે.
Alert: Cancelling of immigrant and nonimmigrant visa appointments
U.S. Mission India posts, in light of the global COVID-19 pandemic, are cancelling immigrant and nonimmigrant visa appointments from March 16, 2020, onward. Your visa appointment stands as cancelled. Once Mission India resumes regular consular operations, appointments will be made available and you will be able to reschedule. Please see www.ustraveldocs.com/in and in.usembassy.gov/covid-19-information/ for further information.
Coronavirus: US Embassy, Consulates in India cancel all visa appointments
The US Embassy and Consulates in India have cancelled all
visa appointments from March 16 in the wake of coronavirus outbreak.
US President Donald Trump on Friday officially declared a
national emergency that he said would give states and territories access to up
to $50 billion in federal funds to combat coronavirus.
A statement issued by the US Embassy here said, “US
Mission India posts, in light of the global COVID-19 pandemic, are cancelling
immigrant and nonimmigrant visa appointments from March 16, 2020, onward.”
“Your visa appointment stands as cancelled. Once
Mission India resumes regular consular operations, appointments will be made
available and you will be able to reschedule,” it said.
ભારતની સૌથી મોટી સ્પોર્ટસ ઇવેન્ટ ગણાતી ઇન્ડીયન પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ આઇ.પી.એલ. 2020 કોરોના વાઇરસને કારણે 29 માર્ચ 2020ના રોજથી શરૂ થવાની હતી એ હવે મીડ એપ્રિલ, ઘણું ખરું 15 એપ્રિલ 2020થી શરૂ કરવા અંગે સત્તાવાર એલાન કરવામાં આવ્યું છે.
હાલ તા.13મી માર્ચ શુક્રવારે જ્યારે આ લખાઇ રહ્યું હતું બપોરે અઢી વાગ્યે બીસીસીઆઇ પ્રેસિડેન્ટ સૌરવ ગાંગૂલી અને સેક્રેટરી શાહની મુંબઇમાં મિટીંગ યોજાઇ હતી. શનિવાર તા.14મી માર્ચે મુંબઇમાં જ મળનારી આઇ.પી.એલ. ગર્વનિંગ કાઉન્સિલની બેઠકમાં આઇ.પી.એલ.ના આરંભને લંબાવવા અંગે નિર્ણય કરીને સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
અગાઉ એવું નક્કી થયું હતું કે આઇપીએલ બંધ બારણે, પ્રેક્ષકો વગર રમાડીને તેનું ટીવી પર પ્રસારણ કરવામાં આવશે. પરંતુ, કેટલાક સ્ટેક હોલ્ડર્સે પ્રેક્ષકો વગર ટિકીટ વેચાણની રકમની મોટી નુકસાની થાય તેવી રજૂઆતો કરી હતી. પરીણામે તા.15મી એપ્રિલ 2020 સુધી કોરોનાની સ્થિતિ ભારતમાં સુધરી શકે તેમ હોવાથી આઇ.પી.એલ. 2020ના આરંભને પખવાડીયા જેટલું પાછળ ઠેલવવા અંગે બીસીસીઆઇમાં મિટીંગોનો દૌર શરૂ થયો છે.
આ વખતે ફાર્મસી (B.Pharm) કોલેજમાં પ્રવેશ માટે ધસારો થાય તેવી દેખીતી સ્થિતિ
Jayesh Brahmbhatt 98253 44944
આગામી તા.31મી માર્ચ 2020ના રોજ ગુજરાત બોર્ડ દ્વારા રાજ્યવ્યાપી ધોરણે લેવામાં આવતી ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ કહો કે ગુજસેટ) લેવામાં આવશે. આ પરીક્ષા મોટા ભાગે એન્જિનિયરિંગ, ફાર્મસી તેમજ એગ્રિકલ્ચર કોલેજોના પહેલા વર્ષમાં પ્રવેશ માટે મેરીટ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. સામાન્ય રીતે ધો.12માં એ ગ્રુપ (મેથ્સ) ગ્રુપના વિદ્યાર્થીઓ વધુ હોય છે પરંતુ, આ વખતે ગુજકેટના રજિસ્ટ્રેશનમાં બાયોલોજી ગ્રુપના વિદ્યાર્થીઓએ વધુ રજિસ્ટ્રેશ કરાવ્યું છે. જેનો સીધો મતલબ એ થયો કે બી.ફાર્મ. કોલેજોમાં પ્રવેશ માટે આ વખતે ધસારો જોવા મળશે. કેમકે બાયોલોજીના વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવી શકે નહીં. ગુજકેટ આપનારા બાયોલોજીના વિદ્યાર્થીઓ માટે વિકલ્પ બચે છે ફાર્મસીનો.
ગુજકેટમાં કયા ગ્રુપના કેટલા વિદ્યાર્થીઓ
ગુજકેટ 2020 માટે કુલ 1 લાખ 25 હજાર 781 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે
ગુજકેટ 2020 માટે એ ગ્રુપ મેથ્સ ગ્રુપના કુલ 49,888 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન
ગુજકેટ 2020 માટે બી ગ્રુપ બાયોલોજીના કુલ 75,519 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન
ગુજકેટ 2020 માટે એ અને બી બન્ને ગ્રુપ ધરાવતા કુલ 374 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન
31 માર્ચ 2020ના રોજ સવારે 10થી સાંજે 4 સુધી લેવાશી ગુજકેટ 2020
Nearly 1.26 lakh students from across the state are expected to participate in the Gujarat Common Entrance Test (GujCET) to be held on March 31.
Gujarat Secondary and Higher Secondary Education Board (GSHSEB), which conducts GujCET, stated 12,5781 Class XII (science) students have registered for the exam. This consists of 49,888 students from Group A, 75,519 from Group B and 374 from Group AB.
ધો.12 ત્રણ વિષયના કુલ માર્કસના 60 ટકા અને ગુજકેટના કુલ માર્કસના 40 ટકા મળીને મેરીટ લિસ્ટ તૈયાર કરવામાં આવે છે.
The state level exam is held annually for science students seeking admissions in degree engineering and pharmacy courses in the government, grant-in-aid and self-financed engineering institutions in Gujarat.
The entrance exam will be held between 10am to 4pm on March 31. Physics and chemistry exams will be held from 10am to 12 noon which will be followed by an hourlong break. Students will take biology exam from 1pm to 2pm followed by the maths from 3pm to 4pm.
ગુજકેટનો સ્કોર ગુજરાતની એન્જિનિયરિંગ કોલેજો, ફાર્મસી કોલેજો અને એગ્રિકલ્ચર કોલેજોના પહેલા વર્ષનું મેરીટ બનાવવામાં ઉપયોગી
The result of GujCET will be announced along with the Class XII (science) board results. Exam hall tickets will soon be issued to the students by GSHSEB. It will also be posted online.
A merit list will be drawn up by giving 40% weightage to percentiles obtained by the candidates in GUJCET 2020 and 60% weightage to percentiles obtained in Class XII (science) board exams.
મુંબઈ ઇન્ડિયન્સ ક્રિકેટ ટીમની માલિકણ નીતા અંબાણીને સ્પૉર્ટ્સમાંની ૨૦૨૦ની સૌથી વધુ દસ વગદાર મહિલાઓમાં સ્થાન મળ્યું છે.
યાદીમાં ટેનિસ સુપરસ્ટાર સેરેના વિલિયમ્સ અને જિમ્નેસ્ટ સાયમન બિલ્સનો પણ સમાવેશ થયો છે. સાયમન બિલ્સને વિશ્ર્વની મહાન ઍથ્લેટ્સમાંની એક ગણવામાં આવે છે.
સ્પૉર્ટ્સ બિઝનેસ નેટવર્ક ‘આઇસ્પૉર્ટ્સકનેક્ટ’ દ્વારા બહાર પાડવામાં આવેલી ‘સ્પૉર્ટ્સમાંની સૌથી વધુ દસ વગદાર મહિલાઓ’માં જણાવાયું હતું કે નિષ્ણાતોની સમિતિના અભિપ્રાયને ધ્યાનમાં રાખીને વગદાર મહિલાઓની આ યાદી તૈયાર કરાઇ છે. નિષ્ણાતોની સમિતિમાં ટેલ્સટ્રાના ગ્લૉબલ સેલ્સ હૅડ એન્ના લૉકવુડ, વાય સ્પૉર્ટના મેનેજિંગ પાર્ટનર સેલી હેનકોક, આઇસીસીનાં મીડિયા રાઇટ્સનાં ભૂતપૂર્વ વડાં આરતી દબાસ અને આઇસ્પૉર્ટકનેક્ટના ચીફ એક્ઝિક્યૂટિવ ઑફિસર શ્રી વર્માનો સમાવેશ થાય છે.
તેમણે જણાવ્યું હતું કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની મુંબઈ ઇન્ડિયન્સની ટીમનાં માલિકણ નીતા અંબાણી દેશમાં વિવિધ સ્પૉર્ટ્સ પ્રૉજેક્ટ માટે મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
મધ્ય પ્રદેશના ગવર્નર લાલજી ટંડને મુખ્ય પ્રધાન કમલનાથને ૧૬મી માર્ચના રોજ વિશ્ર્વાસનો મત લેવા નિર્દેશ આપ્યા હતા.
શનિવારે મધ્ય રાત્રિએ ગવર્નરનો એક પત્ર મુખ્ય પ્રધાનને મોકલવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે વિશ્ર્વાસનો મત લેવાનું કાર્ય પૂરું થવું જોઇએ અને તેમાં વિલંબ અથવા મોકૂફ રાખવાનું થવું જોઇએ નહીં. ગવર્નરના પત્રમાં કહેવામાં આવ્યું હતું કે ૨૨ વિધાનસભ્યાએેે તેમના રાજીનામા સ્પીકરને મોકલી આપ્યા છે અને આ અંગે ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા બંનેમાં જાણ કરી છે. બંને મીડિયા પર આ અંગેનું કવરેજ મેં ધ્યાનપૂર્વક વાંચ્યું છે અને જોયું છે.
૧૦મી માર્ચે તેમણે મને પત્ર પણ લખ્યો છે અને સ્પીકરને રાજીનામું આપતી વખતે વિધાનસભ્યોએ સુરક્ષાની પણ માગ કરી છે. આર્ટિકલ ૧૭૪ અને ૧૭૫ (૨) હેઠળ હું નિર્દેશ આપું છું કે વિધાનસભાનું સત્ર ૧૬ માર્ચે ૧૧ કલાકે મારા અભિભાષણથી ચાલુ કરવામાં આવશે અને તે પછી એકમાત્ર કામ વિશ્ર્વાસના મત પર મતદાન કરવાનું રહેશે. ડિવિઝન પ્રક્રિયા દ્વારા વિશ્ર્વાસનો મત લેવાનો રહેશે અને વિધાનસભાએ સ્વાયત્ત પ્રક્રિયા દ્વારા સમગ્ર કાર્યવાહીનું વીડિયો રેકોર્ડિંગ કરવાનું રહેશે. કમલનાથની ભલામણને આધારે અને સ્પીકરે તેમના રાજીનામા સ્વીકાર્યા હોવાના આધારે છ પ્રધાનોની હાકલપટ્ટી કરી હતી જેનો ગવર્નરે ઉલ્લેખ કર્યો હતો. તમે તમારા ૧૩ માર્ચના પત્રમાં લખ્યું હતું કે ફ્લોર ટેસ્ટ માટે તમે તૈયાર છો અને ભાજપ પાસેથી પણ આ અંગે મને પત્ર મળ્યો છે. ઉપર જણાવેલી હકીકતોને આધારે પ્રથમદર્શી નજરે હું માનું છું કે તમારી સરકારે વિશ્ર્વાસનો મત ગુમાવ્યો છે અને લઘુમતીમાં આવી ગઇ છે. આથી મારા અભિભાષણ પછી તમારે વિધાનસભામાં વિશ્ર્વાસનો મત લેવો જરૂરી છે.
ટોક્યો ઑલિમ્પિક્સની જ્યોત પ્રજવળીત
જાપાનના ટોક્યોમાં ૨૦૨૦માં રમાનારી ઑલિમ્પિક્સની જ્યોત ગુરુવારે ગ્રીસના પ્રાચીન શહેર ઑલિમ્પિયા ખાતે પૌરાણિક પરંપરા અને વિધિસર પ્રગટાવાઇ હતી.
વિશ્ર્વભરમાં કોરોના વાઇરસનો રોગચાળો ફાટી નીકળ્યો છે ત્યારે ટોક્યોમાં ઑલિમ્પિક્સ યોજાશે કે નહિ તે અંગે હજી શંકા સેવાઇ રહી છે. પૌરાણિક ગ્રીક પહેરવેશમાં સજ્જ એક અભિનેત્રીએ સૂર્યકિરણોનું અંત:ગોળ કાચથી ઝીલીને ઑલિમ્પિક્સની જ્યોત પ્રગટાવી હતી. આ પ્રસંગે દર્શકો પર પ્રતિબંધ મુકાયો હતો.
ટોક્યોમાંની ઑલિમ્પિક્સના આયોજકોને ૧૯મી માર્ચે આ જ્યોત સોંપાશે, પરંતુ તેની પહેલાં ગ્રીસમાં એક અઠવાડિયા સુધી ઑલિમ્પિક્સની મશાલને ફેરવવામાં આવશે. ઇન્ટરનેશનલ ઑલિમ્પિક કમિટીના પ્રમુખ થોમસ બાચે જણાવ્યું હતું કે ઑલિમ્પિક્સ જ્યોતની જાપાન સુધીની સફર શરૂ થઇ છે. જાપાનના ટોક્યોમાં ઑલિમ્પિક્સનું આયોજન ૨૪મી જુલાઇથી ૯મી ઑગસ્ટ સુધી થવાનું છે. આયોજનના દિવસો નજીક આવી રહ્યા હોવા છતાં તેને નિર્ધારિત સમયે જ યોજવી કે થોડા મહિના પાછળ મુલતવી રાખવી તે અંગે શંકા સેવાઇ રહી છે. ચીન, જાપાન, ઇટલી, ઇરાન, દક્ષિણ કોરિયા જેવા દેશોમાં કોરોના વાઇરસનો ચેપ મોટા પાયે ફેલાયો છે અને તેના દુનિયાભરમાં કુલ એક લાખથી વધુ દરદી છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.