Alert Archives - Page 251 of 511 - CIA Live

June 4, 2020
bjp-vs-congress-620x413.jpg
1min4690

ગુજરાત કોંગ્રેસના વધુ બે ધારાસભ્યો કરજણના અક્ષય પટેલ અને કપરાડાંના જીતુ ચૌધરીએ રાજીનામા આપી દેતા ગુજરાતમાં કોવીડની સ્થિતિ વચ્ચે પણ રાજકીય ઉત્તેજના વ્યાપી છે.

વડોદરા જિલ્લાના કરજણ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય બે દિવસથી સંપર્ક વિહોણાં. આ ઉપરાંત ઠાસરાના કાંતિ સોઢા અને પણ સવાર સુધી કોંગ્રેસના સંપર્કમાં ન હતા અને આગામી સમયમાં વધુ રાજીનામાં પણ પડે તેવી શક્યતાઓએ કોંગ્રેસના નેતાઓની ઉંઘ હરામ કરી દીધી છે. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પણ કરજણ અને કપરાડાંના કોંગ્રેસના ધારાસભ્યાના રાજીનામાં તેમને મળ્યા હોવાની જાહેરાત કરી હતી.

ગુજરાત સહિત દેશની રાજ્યસભાની ખાલી પડેલી ૧૮ બેઠકો માટે ૧૯ જૂનના રોજ યોજાનારી ચૂંટણી જાહેર થતાં જ રાજકીય ગતિવિધિ તેજ થઇ છે. કોરોના મહામારીના કારણે ૨૬ માર્ચે યોજાનારી રાજ્યસભાની ચૂંટણી મોકુફ રખાઇ હતી. ચાર બેઠકો માટે યોજાનારી ચૂંટણીમાં ભાજપે ત્રણ અને કોંગ્રેસે બે ઉમેદવારો ઊભા રાખ્યા છે. આને કારણે મતના અંકગણિતમાં ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને ખેરવે તો જ જીત શક્ય છે એ સંજોગોમાં માર્ચ મહિનામાં કોંગ્રેસમાંથી પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા. જેમાં લીમડીના સોમા ગાંડાભાઇ પટેલ, ધારીના જે.વી. કાકડીયા, અબડાસા પ્રદ્યુમનસિંહ જાડેજા, પ્રવિણ મારું અને ડાંગના મંગળ ગાવિતનો સમાવેશ થાય છે.  

June 4, 2020
coronaindia-1-1280x1044.jpg
1min5710

ભારતમાં એક દિવસમાં 9000 કરતા પણ વધારે પોઝિટિવ કેસ નોંધાયા છે, જેની સાથે કુલ કેસનો આંકડો 2,16,919 થઈ ગયો છે. જ્યારે મૃત્યુઆંકમાં 6000નો આંકડો પાર થઈ ગયો છે. ભારત દુનિયામાં કોરોના કેસમાં 7 નંબરનો દેશ બન્યો છે. આ પહેલા અમેરિકા, બ્રાઝિલ, રશિયા, યુકે, સ્પેન અને ઈટલીનો સમાવેશ થાય છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રજૂ કરેલા એક દિવસના નવા આંકડા પ્રમાણે 9,304 પોઝિટિવ કેસ સાથે કુલ આંકડો 2,16,919 થઈ ગયો છે જ્યારે વધુ 260ના મોત સાથે કુલ આંકડો 6075 થઈ ગયો છે. વધુમાં સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, ભારતમાં એક્ટિવ કોરોના કેસનો આંકડો 1,06,737 છે જ્યારે 1,04,106 લોકો સ્વસ્થ્ય થઈ ગયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. સિનિયર અધિકારીએ જણાવ્યું કે, “ભારતમાં કોરોના વાયરસથી પીડાતા દર્દીઓનો રિકવરી રેટ 47.99 થયો છે.”

June 4, 2020
england.png
1min4930

ઇંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડે કોવિડ-૧૯ની મહામારી ધ્યાનમાં રાખીને વેસ્ટ ઇન્ડીઝ સામેની આગામી ટેસ્ટ સિરીઝ માટેનું હંગામી ટાઈમ ટેબલ તૈયાર કર્યું છે.

ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ૮ જુલાઈએ એગીસ બોવ્લ ખાતે પહેલી ટેસ્ટ રમાશે. બાકીની બંને ટેસ્ટ ઓલ્ડ ટ્રેફોર્ડમાં અનુક્રમે ૧૬ અને ૨૪ જુલાઈએ શરૂ થશે.

ત્રણેય મેચ ખાલી સ્ટેડિયમમાં કોવિડ-૧૯ની મહામારી લગતી આંતરરાષ્ટ્રીય માર્ગરેખાને લક્ષમાં રાખીને રાખવામાં આવશે.

June 4, 2020
bharat.png
1min5620

વિદેશી વેપારીઓ, આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાંતો અને એન્જિનિયરોને ભારતમાં આવવા દેવામાં આવશે, એમ સરકારે બુધવારે જાહેર કર્યું હતું. માર્ચમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યો તે પછી આવું પ્રથમ વાર થઇ રહ્યું છે.

ભારત આવવાના લોંગ ટર્મ મલ્ટિપલ એન્ટ્રી બિઝનેસ વિઝા હોય તેમણે ભારતીય દૂતાવાસ પાસેથી તેમના વિઝા ફરી માન્ય કરાવવા પડશે. ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બિઝનેસ વિઝા પર આવનારા વિદેશી વેપારીઓ, આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતો, સંશોધકો, એન્જિનિયરો અને લૅબોરેટરી એન્જિનિયરોને ભારત આવવાની મંજૂરી આપવામાં આવશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ વિદેશીઓએ નવો બિઝનેસ વિઝા અથવા ઍમ્પ્લોયમેન્ટ વિઝા સંબંધીત વિદેશી દૂતાવાસો પાસેથી લેવાનો રહેશે.

દરમિયાન કોરોનાના કુલ કેસ વધીને બુધવારે ૨૦૭૬૧૫ નોંધાયા હતા અને મૃત્યાંક વધીને ૫૮૧૫ થયો હતો. ૧૦૦૩૦૩ લોકો સારા થયા છે તેવું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું.

June 3, 2020
sharamiktrain.jpg
1min5240

કોરોના અને લોકડાઉનના કારણે સૂરતમાંથી બાર લાખથી વધુ અને સમગ્ર ગુજરાતમાંથી ૧૫ લાખ કરતા વધુ શ્રમિકો યુપી, બિહાર, ઓરીસ્સા વગેરે જેવા રાજ્યોમાં આવેલા પોતાના વતને રવાના થઇ ગયા છે. સૂરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગને શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હોવા છતાં શ્રમિકોના અભાવે ન તો મિલો શરૂ થઇ શકી છે ના તો વિવીંગ કારખાનાઓ. આવી જ હાલત ગુજરાતના અન્ય ઉદ્યોગોની પણ થવા પામી છે.

રાજ્ય સરકારે વેપાર ઉદ્યોગો શરૂ કરવા મંજૂરી આપી છે, સૂરત, અમદાવાદ સમેત સમગ્ર રાજ્યમાં શ્રમિકો વિના ઉદ્યોગોનું ૮૦ ટકા કામ ઠપ્પ થઇ ગયું છે. સરકારે પણ શ્રમિકોની વ્યવસ્થા કરવા એક્શન પ્લાન બનાવ્યો છે, જેમાં ગુજરાતના આદિવાસી શ્રમિકોની સાથે અન્ય રાજ્યની સરકારો સાથે વાતચીત કરી શ્રમિકોને પાછા લાવવા વેપાર ઉદ્યોગ સંગઠનોની સાથે ઉદ્યોગ વિભાગ પણ એક્ટિવ થઈ ગયો છે.

ગુજરાતને ફરી ધમધમતું કરવા માટે મહત્ત્વના એવા શ્રમિકોને પાછા લાવી કામે લગાડવા ગુજરાત સરકારે પણ ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓરિસ્સા સરકારો સાથે સંપર્ક કર્યો છે અને પરપ્રાંતીયોને પરત લાવવા માટે ગુજરાત સહકાર આપવા તૈયાર છે તેવું જણાવ્યું છે. ખાસ કરીને વેપાર ઉદ્યોગનાં સંગઠનો સાથે મુખ્ય પ્રધાન અને સમગ્ર ઉદ્યોગ વિભાગ સતત સંપર્કમાં છે અને તેઓને કયાં-કયાં રાજ્યોમાંથી કયા પ્રકારના કામદારો આવી શકે તેમ છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે.

રાજ્યના મોટા ઉદ્યોગોની સાથે નવા બિલ્ડિંગ અને નવા પ્રોજેક્ટના લેબર વર્ક વિના આગળ વધવું મુશ્કેલ છે, આ ઉપરાંત સોના ચાંદીના કામ માટેના માહેર બંગાળી કારીગરો પણ વતન ચાલ્યા ગયા છે, તેથી મોટા ભાગના ધંધામાં શ્રમિકો વિના કામ શરૂ કરવું ઘણું મુશ્કેલ છે, હાલ જે રીતે મજૂરોની તંગી પડી રહી છે તેથી રાજ્ય સરકાર પણ વ્યવસ્થા કરવામાં વ્યસ્ત છે. આ ઉપરાંત હાલ જે કામદારો છે જે વતન પરત જઇ શક્યા નથી, આવા કામદારોને ફરીથી રોજગારના સ્થળે પહોંચાડવામાં પણ ખાસ વ્યવસ્થા કરાશે.

June 3, 2020
CIA_Live_Logo_New2.jpg
4min8090

અરબી સમુદ્ર્ને છેલ્લા બે દિવસથી ઘમરોલી રહેલા વાવાઝોડા નિસર્ગે આખરે બપોરે બે વાગ્યાના અરસામાં મહારાષ્ટ્રના અલીબાગ ખાત લેન્ડફૉલ કર્યો હતો. નિસર્ગ’ ચક્રવાતી વાવાઝોડું મુંબઈ નજીકના અલીબાગના દરિયાકાંઠા પર ત્રાટક્યું છે. ત્યાં પવનની ગતિ પ્રતિ કલાક 120 કિ.મી.ની છે. મહારાષ્ટ્રના દરિયાકાંઠા પર નિસર્ગ વાવાઝોડું ત્રાટક્યું છે. વાવાઝોડાને પગલે દરિયાકાંઠે 5થી 6 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે.

હવામાન વિભાગે જણાવ્યું કે, આ વાવાઝોડાની સ્પીડ 110-120 કિમી પ્રતિ કલાક પહોંચી ગઇ છે. મુંબઈના વર્સોવા સહિતના વિસ્તારોમાં હાઇ ટાઇડ જોવા મળી રહી છે. તેમજ વાવાઝોડનાના કારણે હજુ પણ વધારે ઉંચા મોજા ઉછળશે તેવી ચેતવણી જારી કરવામાં આવી હતી. સાંજે દરિયામાં 6 ફૂટ ઊંચી લહેરો મુંબઇને ફરીથી પાણી પાણી કરી શકે છે.

નિસર્ગ વાવાઝોડના કારણે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સૂરત ઉપરાત દમણ, દાદરા અને નાગર હવેલીમાં પણ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. મધ્યપ્રજેશના ભોપાલ, ઉજ્જૈન, ઈન્દોર, ગ્વાલિયર સંભાગના ઘણા જિલ્લા અને શહેરમાં ભારે અથવા અતિ ભારે વરસાદની આગાહી છે.

નિસર્ગ વાવાઝોડાની અસરોના ભાગરૂપે ગુજરાત અને મહારાષ્ટ્રનાં કેટલાક જિલ્લાઓમાં વરસાદ શરૂ થયો છે. ગુજરાતના પણ અનેક વિસ્તારોમાં વાવાઝોડાની અસરના પગલે દરિયા કિનારના વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે.

ફક્ત આ એક જ લિંક ગમે ત્યારે ક્લીક કરો અને મળશે નિસર્ગ વાવાઝોડાના બધા જ અપડેટ

નિસર્ગ Update : અલીબાગથી 90 કિ.મી., મુંબઇથી 150 કિ.મી. અને સૂરતથી 380 કિ.મી. (દક્ષિણ-પશ્ચિમ) સવારે 10.30 કલાકે

સવારે 10 કલાકે મહારાષ્ટ્રના રત્નાગીરી ખાતે 59 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હોવાનું રેકોર્ડ કરવામાં આવ્યું હોવાની માહિતી ભારતના હવામન ખાતેએ ટ્વીટ કરીને આપી હતી.

અરબી સમુદ્રમાં ઉદભવેલા નિસર્ગ સાઇક્લોનને આજે સવારે 11 કલાકે સેટેલાઇટથી ટ્રેસ કરવામાં આવ્યું હતું. ભારતના હવામાન ખાતેએ કરેલી લેટેસ્ટ ટ્વીટમાં માહિતી આપવામાં આવી હતી કે તા.3જી જૂન 2020ને બુધવારે સવારે 10.30 કલાકે નિસર્ગ વાવાઝોડું અલીબાગથી દક્ષિણ-પશ્ચિમે દરિયામાં 95 કિલોમીટર, મુંબઇથી 150 કિ.મી. દક્ષિણ પશ્ચિમે અને સૂરતથી 380 કિ.મી. દક્ષિણ પશ્ચિમે આગળ વધી રહ્યું છે. નિસર્ગ વાવાઝોડું આગામી ગણતરીના કલાકોમાં મહારાષ્ટ્રના તટવર્તીય વિસ્તારો તરફ લેન્ડફૉલ કરશે એમ મનાય રહ્યું છે.

Nisarg Cyclone Projection Map. Source Tweeter handle IMD Weather

ભારતના હવામાન ખાતાની ઓફિશ્યલ ઇન્ફર્મેશન

ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજે તા.3 જૂનને સવારથી જ નિસર્ગ વાવાઝોડાની વધતી ઓછી અસરો વર્તાતી જોવા મળી રહી છે. અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા તેમજ તેજ પવનોને પગલે લોકો વાવાઝોડું આવ્યાની અનૂભુતિ કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં ઉમરગામથી લઇને દમણ દરિયા કિનારા સુધીના વિસ્તારોમાં એલર્ટ સિચુએશન જારી કરી દેવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં રાયગઢના અલીબાગની નજીક આવેલા હરિહરેશ્વરથી લઈને દમણના દરિયાકિનારા સુધીના આખા પટ્ટાને એલર્ટ પર મુકી દેવામાં આવ્યા છે. ચક્રવાત નિસર્ગની અસર દેખાવવાનું શરૂ થઇ ગયું છે. મુંબઇ-થાણેમાં વરસાદ શરૂ થઇ ગયો છે. હવામાન વિભાગના અનુસાર સૌથી પહેલાં વાવાઝોડું અલીબાગમાં ટકરાશે. વાવાઝોડા નિસર્ગને જોતાં મહારાષ્ટ્રમાં એનડીઆરએફની 20 ટીમો ગોઠવી દેવામાં આવી છે.

આજે બુધવાર તા.3 જૂનના રોજ નિસર્ગ વાવાઝોડું ૧૦૦-૧૧૦ કિલોમીટરની ઝડપે કિનારા પર ત્રાટકે એવી શક્યતા છે, પરંતુ આ વાવાઝોડાને કારણે ૧૨૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

@ 11.00 a.m. on 3 June 2020

દરીયામાં મુંબઈથી 190 કિમી દૂર છે વાવાઝોડું થોડા કલાકોમાં અલીબાગ લેન્ડફૉલ કરશે

તા.3 જૂનના રોજ સવારે મળેલી માહિતી મુજબ નિસર્ગ વાવાઝોડાનું સેન્ટર પોઇન્ટ મુંબઇથી દરીયામાં 190 કિ.મી. થી ઉતર પૂર્વ તરફ આગળ વધી રહેલું જોવા મળ્યું હતું. એવી આગાહી કરવામાં આવી છે કે થોડા કલાકોમાં આ વાવાઝોડું મહારાષ્ટ્રના અલીબાગ ખાતે લેન્ડફોલ કરશે.

એનડીઆરએએફની ટીમોએ આજે સવારે કોલિવાડા અને અલીબાગના વિસ્તારોમાંથી લોકોને ખસેડવામાં આવ્યા છે. એનડીઆરએફના ડાયરેક્ટર એસએન પ્રધાને જણાવ્યું કે વાવાઝોડું નિસર્ગના ખતરાને જોતાં લોકોને અહીંથી સુરક્ષિત સ્થળે ઘસેડવામાં આવ્યા હતા. મુંબઇમાં 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આજે બપોરે વાવાઝોડું નિસર્ગ મુંબઇ પહોંચશે.

એ પૂર્વે નિસર્ગ વાવાઝોડું આગામી ૧૨ કલાકમાં અત્યંત તીવ્ર રૂપ ધારણ કરે એવી સંભાવનાઓને ધ્યાનમાં રાખીને રાજ્ય મહારાષ્ટ્રના પશ્ર્ચિમ અને ગુજરાતના દક્ષિણ કિનારાના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

દરીયા કાંઠાના વિસ્તારોના લોકોનું સ્થળાંતર

સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં સમાવિષ્ટ સુરત, નવસારી, વલસાડ અને ભરૂચ આ ચાર જિલ્લાઓમાં સ્થળાંતર અને બચાવની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે ત્યારે દરિયાકાંઠાના ગામોમાં કાચા ઝૂંપડાઓમાં વસતા નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે. સુરત, નવસારી, વલસાડ અને ભરૂચ જિલ્લાના અંદાજે ૭૮,૯૭૧ નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવનાર છે તે પૈકી ૧૭૨૭ લોકોનું સ્થળાંતર કરી દેવાયું છે.

સૂરતમાં 32 ગામોને એલર્ટ

દમણ અને દક્ષિણ ગુજરાતમાં ત્રીજી જૂનના રોજ સાંજ અથવા રાત્રીથી અસર બતાવી રહ્યું છે. દક્ષિણ ગુજરાતનાં બંદરો પર ડીસી ૧ સિગ્નલ મૂકી દેવાયું છે. તો સાથે જ સુરત જિલ્લામાં ૩૨ ગામોને એલર્ટ કરાયા છે. જરૂર જણાશે તો સ્થળાંતર કરવામાં આવશે તેવું સ્થાનિક તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. નવસારી જિલ્લામાં ૧૧૦થી ૧૨૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય શકે છે.

કલેક્ટર રાજકોટનું ટ્વીટ

મંગળવારે પી.એમ. મોદીએ સમીક્ષા કરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે વાવાઝોડાની સંભવિત અસર અંગે માહિતી મેળવી હતી. તેમણે એક સંદેશમાં કહ્યું હતું કે, ભારતના પશ્ર્ચિમ ક્ષેત્રમાં વાવાઝોડાની પરિસ્થિતિ અંંગેની માહિતી મેળવી હતી. સર્વની કુશળતા માટે પ્રાર્થના. સાવચેતીના અને તકેદારીના તમામ પગલાં ભરવા મારી લોકોને વિનંતી! આ અગાઉ સોમવારે સાંજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે એનડીએમએ, એનડીઆરએફ, આઈએમડી અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના ઉચ્ચ સ્તરીય અધિકારીઓ સાથે બેઠક કરી ચક્રવાત અંગેની તૈયારીઓની સમીક્ષા કરી હતી.

અરબી સમુદ્રમાં સર્જાયેલા હળવા દબાણનો પટ્ટો વધુ તીવ્ર બન્યો છે અને તેણે ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરી લીધું છે, એમ જણાવતાં હવામાન ખાતાએ મંગળવારે કહ્યું હતું કે આજે આ ચક્રવાત ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કિાનારા વિસ્તાર પાસેથી પસાર થશે.

દબાણનો પટ્ટો મંગળવારે બપોરે વધુ તીવ્ર બન્યો હતો અને ચક્રવાતનું સ્વરૂપ લીધું હોવાનું હવામાન ખાતાના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મોહાપાત્રાએ કહ્યું હતું.

દરમિયાન વેસ્ટર્ન નેવલ કમાન્ડે પાંચ ફ્લડ ટીમ અને ત્રણ ડાઈવિંગ ટીમ મુંબઈના વિવિધ વિસ્તારોમાં સ્ટેન્ડ બાય રાખી છે તેવું સંરક્ષણ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું. દરમિયાન વેપારી જહાજોને અને માછીમારોને નજીકના બંદરે પહોંચી જવા ઈન્ડિયન કોસ્ટગાર્ડે વિનંતી કરી હતી.

મંગળવાર રાત સુધીમાં આ વાવાઝોડું વિનાશક સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા હોવાનું તેમણે કહ્યું હતું.

આ વાવાઝોડાની મુંબઈ પર પણ અસર થશે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે ડિપ્રેશન અને ડીપ ડીપ્રેશન વાવાઝોડું ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરે તે પહેલાના બે તબક્કા છે.

મહારાષ્ટ્રના પશ્ચિમ કિનારા પર બુધવારે ત્રાટકનારા ’નિસર્ગ’ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ની ૧૦ ટીમને બચાવ કાર્ય માટે નિયુક્ત કરવામાં આવી છે, એમ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે જણાવ્યું હતું.

વાવાઝોડાને ધ્યાનમાં રાખીને સરકારે કરેલી તૈયારીઓની વિગત આપતાં મુખ્ય પ્રધાનની કચેરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મુંબઈ શહેર, ઉપનગરો, થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરિ અને સિંધુદુર્ગ જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કોરોના વાઈરસને ધ્યાનમાં રાખીને સાવચેતી વધારે રાખવામાં આવી રહી છે. કુલ ૧૬ એનડીઆરએફની ટુકડીમાંતી ૧૦ને બચાવ કાર્ય માટે નિયુક્ત કરવામાં આવી છે અને એસડીઆરએફની છ ટુકડીઓને રિઝર્વ રાખવામાં આવી છે. ઠાકરેની કચેરીએ જણાવ્યું હતું કે જે લોકો કાચા ઘરમાં રહે છે તેમને સુરક્ષિત સ્થળે ખસેડવાનું કામ ચાલી રહ્યું છે. આવી જ રીતે નોન-કોવિડ હોસ્પિટલોને સજ્જ રાખવામાં આવી રહી છે.

June 2, 2020
CIA_Live_Logo_New2.jpg
1min6740

આધાર કાર્ડ પર ભારત, ડ્રાઇવિંગ લાયસન્સ પર Union of India અને પાસપોર્ટ પર Republic ?

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આજે તા.2 જુન 2020ના રોજ ટ્વીટર ઇન્ડીયા પર એક જોરદાર ટ્રેન્ડ ચાલ્યો છે અને એ ટ્રેન્ડ છે હેશટેગથી બાયબાય ઇન્ડીયા ઓન્લી ભારત સાથેની પોસ્ટનો. લાખો ટ્વીટ એટલા માટે કરવામાં આવ્યા છે કે હવે વિશ્વભરમાં ભારત ઇન્ડિયાથી નહીં પણ ભારતથી જ ઓળખાય. આ માટે સુપ્રીમ કોર્ટમાં પણ એક રીટ પીટીશન ફાઇલ થઇ ચૂકી છે અને એ પછી હવે સોશ્યલ મિડીયામાં ખાસ કરીને ટ્વીટર પર ટ્રેન્ડ ચાલ્યો છે કે આપણા દેશનું નામ દેશ અને દુનિયામાં ભારત જ રહે અને હવે પછી સમગ્ર વિશ્વમાં આપણો દેશ ભારતના નામથી જ ઓળખાય. લાખો લોકો નીચેના હેશટેગથી ટ્વીટ કરી રહ્યા છે.

ટ્વીટર પર ભારતના નામ અંગે બે હેશટેગથી લાખો ટ્વીટ થઇ રહ્યા છે

ByeByeIndiaOnlyBharat

તા.2 જૂન સાંજે પોણા પાચ વાગ્યા સુધીમાં ઉપરોક્ત હેશટેગથી અંદાજે 1.89 લાખ ટ્વીટ થઇ ચૂક્યા છે. ટ્વીટ કરનારા મોટા ભાગના ટ્વીટર હેન્ડલ યુઝર્સની માગણી છે કે આપણા દેશનું નામ ઇન્ડિયા નહીં પણ ભારત જ હોવું જોઇએ.

इंडियाहीभारत_है

ભારત નામ માટે મુહિમની તવારીખ

આપણા દેશનું નામ ભારત રહે એ માટે દિલ્હીના એક રહેવાસીએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે અને એ અપીલ બંધારણની કલમ 1 કે જેમાં ભારતના નામ અંગેની જોગવાઇ છે એમાં સુધારો કરવા સંદર્ભે છે. આજે તા.2 જુનના રોજ સુપ્રીમ કોર્ટમાં આ પીટીશનનું હિયરીંગ હાથ ધરાવાનું હતું પરંતુ, આજનું હિયરિંગ સંભવી શક્યું નથી.

યાચીકાકર્તાએ એવી દલીલ કરી છે કે અલગ અલગ ડોક્યુમેન્ટસ પર આપણા દેશનું નામ અલગ રીતે નવાજવામાં આવી રહ્યું છે જેમ કે

  • આધાર કાર્ડ પર ભારત સરકાર લખાય છે
  • ડ્રાઇવિંગ લાઇસન્સ પર યુનિયન ઓફ ઇન્ડિયા લખાય છે
  • પાસપોર્ટ પર રિપબ્લિક ઓફ ઇન્ડિયા લખાય છે

ઉપરોક્ત બાબતને કારણે ભારે મૂંઝવણભરી સ્થિતિ ઉદ્ભવે છે.

જે કલમમાં સુધારા માટે રીટ કરવામાં આવી છે એ બંધારણની કલમ 1

બંધારણના પહેલા ભાગમાં દેશના નામ, તેના રાજ્ય સરહદોની વ્યવસ્થા વગેરે વિશે જોગવાઈ કરવામાં આવી છે. તે કલમ 1થી 4 સુધીમા છે. કલમ 1 મુજબ, India કે જે ભારત છે તે રાજ્યો અને ક્ષેત્રોનો ક સંઘ હશે. એટલ અંગ્રેજીમાં દેશનું નામ India અને હિંદીમાં ભારત છે, એવું બંધારણ કહે છે. તો, આંતરાષ્ટ્રીય સ્તર પર અંગ્રેજીમાં Republic of India એટલે કે ભારત ગણરાજ્ય ચાલે છે. એટલે જ પાસપોર્ટ પર એ લખવામાં આવે છે.

June 2, 2020
adesh-tiwari.jpg
1min4960

ભાજપ સાંસદ અને એક્ટર મનોજ તિવારીને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ મનોજ તિવારીને હટાવી આદેશ ગુપ્તાને દિલ્હીના પ્રદેશ અધ્યક્ષ બનાવી દીધા છે. આની સાથે છત્તીસગઢના અધ્યક્ષ વિષ્ણુદેવ સાયને નિયુક્ત કરવામાં આવ્યા હોવાની સત્તાવાર ઘોષણાએ ભાજપમાં ચર્ચાઓ જગાડી છે.

June 2, 2020
landlside_asam.jpg
1min5210

Tweet from Asam Chief Minister

પૂર્વી ભારતના રાજ્ય આસામ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદી માહોલને પગલે ભૂસ્ખલન જેવી હોનારત સર્જાતા વીસથી વધુ લોકોના મોત નિપજ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. ભૂશ્ખલનમાં મૃત્યુ પામનાર લોકોમાંથી મોટા ભાગના લોકોમાં દક્ષિણી આસામના ત્રણ અલગ-અલગ જિલ્લાઓ કરીમગંજ, સિલ્ચર અને હિલાકાંડીના ત્રણ અલગ-અલગ પરિવારોના હતા. ભૂસ્ખલનની આ ઘટનાઓ આસામની બરાક ઘાટી વિસ્તારમાં ઘટી હતી.

આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનવાલે ટ્વીટ કરીને કહ્યું ભૂસ્ખલનની ઘટના અને તેમાં મૃત્યુ પામનાર લોકોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે જિલ્લા પ્રશાસન અને એસડીઆરફએફની ટીમને તાત્કાલીક ધોરણે રાહત બચાવ કામગીરી હાથ ધરવા માટેના આદેશ પણ આપ્યા. 

June 2, 2020
middleseat-1280x853.jpg
1min5980

વિમાનમાં વચ્ચેની સીટ ખાલી રહે તે રીતે બેઠકની ફાળવણી કરવાનું ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ ઍવિયેશન (ડીજીસીએ)એ દેશની તમામ એરલાઈન્સને સોમવારે જણાવ્યું હતું.

પ્રવાસીઓની સંખ્યા વધુ હોવાને કારણે જો પ્રવાસીને વિમાનમાં વચલી સીટ ફાળવવામાં આવી હોય તો તેવા સંજોગોમાં તેમને ટૅક્સટાઈલ ખાતા દ્વારા મંજૂર કરવામાં આવેલા વ્રૅપ અરાઉન્ડ ગાઉન, ત્રિસ્તરીય ફૅસમાસ્ક સહિતના વધારાના સુરક્ષા ઉપકરણો પૂરા પાડવાનું ડીજીસીએ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં જણાવવામાં આવ્યું હતું. કોરોના વાઈરસને કારણે જાહેર કરવામાં આવેલા લૉકડાઉનને કારણે બે મહિનાના સમયગાળા બાદ ભારતમાં પચીસમી મેથી ડૉમેસ્ટિક ફ્લાઈટ ફરી શરૂ કરવામાં આવી હતી. જોકે, આગામી સૂચના ન મળે ત્યાં સુધી આંતરરાષ્ટ્રીય વિમાનસેવા સ્થગિત રાખવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.