Alert Archives - Page 233 of 511 - CIA Live

July 21, 2020
CRP_Driving-1-1280x853.jpg
2min15460

નેતાઓ જેની ‘ગાડી’માં બેસવાથી કતરાતા, એ CR પાટીલ હવે BJPની ડ્રાઇવિંગ સીટ પર !!

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

1995માં સુરતના સાંસદ અને ભાજપના કદાવર નેતા કાશીરામ રાણાનો દબદબો હતો. સાંસદ પણ હતા અને ગુજરાત પ્રદેશ પ્રમુખ પણ. કાશીરામ રાણા એ પછી વાજપેયીજીની આગેવાની હેઠળની એન.ડી.એ. સરકારમાં કેબિનેટ મિનિસ્ટર બન્યા. કાશીરામ રાણા જ્યાં સુધી સાંસદ રહ્યા ત્યાં સુધી તેમને ફાળવવામાં આવેલી નવી દિલ્હીના નોર્થ એવેન્યુ બંગલા નં.213માં રહેતા હતા. આ બંગલો ગુજરાતના નેતા માટે કહેવાય છે કે ખુબ શુકનિયાળ છે.

લોકો જેમની ગાડીમાં બેસવાનું પસંદ કરતા ન હતા એ સી.આર. પાટીલ હવે ગુજરાત બીજેપીની ડ્રાઇવિંગ સીટ પર પહોંચી ગયા છે

આ તસ્વીર ઘણી સૂચક છે. 19 જુલાઇ પહેલાનો સમય એવો હતો કે સ્થાનિક ભાજપી નેતાઓ સી.આર. પાટીલની ગાડીમાં (અહીં ગાડીનો અર્થ સાથે રહેવું સમજવો) બેસવા રાજી ન હતા, એ લોકોએ હવે સી.આર. પાટીલની ડ્રાઇવિંગ સીટ સાથે ભાજપની ગાડીમાં બેસવું પડશે. (CiA Live)

કાશીરામ રાણાની સાંસદ પદેથી એક્ઝિટ થઇ અને 2009માં એક સમયના તેમના ખાસ સી.આર. પાટીલની નવસારીના સાંસદ તરીકે લોકસભામાં એન્ટ્રી થઇ. સી.આર. પાટીલે ખુદ જણાવેલી વાત અનુસાર સાંસદ તરીકે તેમને દિલ્હી ખાતે એલોટ કરવામાં આવતા નિવાસ સ્થાન માટે સી.આર. પાટીલે આગ્રહ કરીને નોર્થ એવન્યુ બંગલા નં.213 જ પોતાના નામે એલોટ કરાવ્યો હતો.

આજે પણ નવસારી સાંસદ તરીકે સી.આર. પાટીલ ભલે નર્મદા ભવન ખાતે રહેતા હોય પરંતુ, તેમણે નોર્થ એવન્યુ 213 નંબરનો બંગલો પોતાના નામે જ એલોટ રખાવ્યો છે.

હિસ્ટ્રી રિપીટ થાય એમ સી.આર. પાટીલની તા.20મી જુલાઇ 2020 ને સોમવતી અમાસના દિવસે ગુજરાત પ્રદેશ ભાજપાના પ્રમુખ પદે નિમણૂંક પામ્યા અને આજરોજ તા.21મી જુલાઇને મંગળવારે શ્રાવણ માસના પહેલા દિવસે તેઓ ગુજરાત બીજેપી ચીફ તરીકે ચાર્જ અખત્યાર કરી રહ્યા છે.

કહેવાનું તાત્પર્ય એ છે કે કાશીરામ રાણા હોય કે સી.આર. પાટીલ દિલ્હીના નોર્થ એવન્યુ બંગલા નં.213માં જે રહ્યા છે એ ગુજરાતના રાજકારણમાં ટોચે પહોંચ્યા છે એ બાબત હકીકત સ્વરુપે દોહરાઇ ચૂકી છે.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના માજી પ્રમુખ અને સુરતના જાણિતા ઉદ્યોગપતિ પરેશ પટેલ સતત સી.આર. પાટીલની પડખે રહ્યા. (CiA Live)

સી.આર. પાટીલને જ્યારે જ્યારે કોર્નર કરીને એકલા અટૂલા પાડવાનો પ્રયાસ થયો ત્યારે તેઓ અકલ્પ્ય પોઝીશન સાથે બહાર આવ્યા

સી.આર. પાટીલને સમજવામાં તેમના રાજકીય હરીફોએ ભારે થાપ ખાધી છે. ગુજરાત ભાજપના કેટલાક સંગઠનના નેતાઓએ કદાચ સી.આર. પાટીલનો રાજકીય ઇતિહાસ તપાસી જોયો હોત તો એક હિંટ જરૂર મળી હોત કે જ્યારે જ્યારે સી.આર. પાટીલને ઇગ્નોર કરવામાં આવ્યા ત્યારે ત્યારે તેઓ પાવરફુલ થઇને બહાર આવ્યા છે.

રાજનીતિમાં દુશ્મનાવટ એવી થતી હોય છે કે એ બીજાનું વજુદ ખતમ કરી દેવા સુધીની પેંતરાબાજી રોજેરોજ જોવા મળે. સી.આર. પાટીલને સ્પર્શે છે ત્યાં સુધી એક સમયમાં ગુજરાતના કદાવર નેતા તરીકે જેમનું નામ બોલાતું એ સુરતના કાશીરામ રાણા સાથે તેમને અબોલા થયા, દુશ્મનાવટ થઇ એક સમયના પાક્કા વિશ્વાસુ રાજકીય દુશ્મન બન્યા એ સમયે સી.આર. પાટીલના કપરા દિવસો હતા. ડાયમંડ જ્યુબિલી બેંક ડિફોલ્ટ થઇ અને એના અનુસંધાનમાં સી.આર. પાટીલ જેલમાં ગયા. એ સમય હતો કે જ્યારે સુરત અને દક્ષિણ ગુજરાતમાં સી.આર. પાટીલ સાફ થઇ ગયાની વાતો ચાલી હતી. પણ સૌના આશ્ચર્ય વચ્ચે સી.આર. પાટીલે 2009માં નવસારી બેઠકના ભાજપાના ઉમેદવાર તરીકે રીએન્ટ્રી કરી.

હાલમાં પણ સુરત ભાજપામાં સી.આર. પાટીલને સાંસદ અને દિગ્ગજ નેતા હોવા છતાં કોર્નર કરવાના અનેક પ્રયાસો થયા. ભાજપના સંગઠનના નેતાઓ સી.આર. પાટીલને ઇગ્નોર કરવાની એકેય તક જતી કરતા ન હતા. આખા બોલા સી.આર. પાટીલે અનેક પ્રસંગોએ પોતાના દુશ્મનોને જાહેરમાં સંભળાવી પણ દીધું હતું. એવું કહેવામાં આવી રહ્યું હતું કે સી.આર. પાટીલની હવે આ છેલ્લી ટર્મ છે અને હવે તેમનો હાથ કોઇ પકડશે નહીં. આવી વાતો વચ્ચે ગુસ્તાખ ભાજપના કેટલાક નેતાઓને તા.20મી જુલાઇને સોમવતી અમાસે એવો ઝાટકો લાગ્યો કે હવે તેમને પોતાનું ભવિષ્ય જ અંધકાર મય લાગી રહ્યું છે.

સી.આર. પાટીલને એટલા અટૂલા કરી દેવાયા કે કોઇ પદ પર લોબિંગ કરવા માટે સી.આર. પાટીલ પાસે મજબૂત દાવેદારનું નામ ન હતું

સી.આર. પાટીલ માટે છેલ્લા બે વર્ષ સુરત, દક્ષિણ ગુજરાતમાં એટલા કપરાં ચઢાણ જેવા રહ્યા કે તેમને તેમના રાજકીય વિરોધીઓએ ભાજપામાં જ એટલા અટૂલા પાડી દીધા હતા કે તેઓ કોઇ પદ પર પોતાની વ્યક્તિનું નામ રજૂ કરે તેવો સમખાવા પૂરતો એકેય નેતા તેમની સાથે ન હતો. તેમની નજીકના સેકન્ડ કેડરના નેતાઓ સી.આર. પાટીલને જ પોતાના હરીફ ગણવા માંડ્યા હતા. સુરત ભાજપ સંગઠનમાં કે સરકારમાં કોઇ પદ આપવા માટે સી.આર. પાટીલ પાસે દાવો કરવા માટે માથા બાકી બચ્યા ન હતા એવી સ્થિતિ સુધી તેમની અવગણના કરવામાં આવી હતી.

છેલ્લે છેલ્લે તો હર્ષ સંઘવી સિવાય મોટા ભાગના નેતાઓએ સી.આર. પાટીલથી ડિસ્ટન્સ બનાવી લીધું હતું

કોરોના કાળ હોય કે એ પહેલેથી સુરતમાં સી.આર. પાટીલ અને હર્ષ સંઘવીની જોડીએ ભાજપ સંગઠન અને સરકાર બન્ને માટે લોકલ (સુરત, અમદાવાદ)થી લઇને અમેરીકા સુધીના કાર્યક્રમોમાં ખભેખભા મિલાવીને કામ કર્યા. (CiA Live)

વર્તમાન સમયમાં નવસારીના સાંસદ અને સુરતના નેતા સી.આર. પાટીલ માટે કહેવાય છે કે પોતાના ઘર (ભાજપ)માં જ ચોમેર વિરોધીઓનો સામનો કરવાનો સમય આવ્યો હતો. સુરતમાં એક માત્ર હર્ષ સંઘવી સિવાય મોટા ભાગના નેતાઓએ સી.આર. પાટીલ સાથે ડિસ્ટન્સ બનાવી લીધું હતું. સી.આર. પાટીલ માટે અણગમો કહો, સી.આર. પાટીલના એરોગન્સથી નારાજગી હોય, સી.આર. પાટીલની કામ કરવાની પદ્ધતિથી નારાજગી હોય ભગવાન જાણે પણ ભાજપાના નેતાઓ સી.આર. પાટીલથી દૂર રહેવાનું પસંદ કરતા હતા. પણ હવે જ્યારે પ્રદેશ પ્રમુખ બની ચૂક્યા છે ત્યારે તેમણે મને કમને પણ તેમને અપનાવવા રહ્યા.

July 21, 2020
icct20.jpg
1min5260

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC)એ મંગળવારે એક મહત્વનો નિર્ણય લઈને આગામી ટી20 ક્રિકેટ વર્લ્ડ કપ મુલતવી રાખ્યો હતો. સોમવારે મળેલી આઇસીસીની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. આ સાથે હવે ભારતીય ક્રિકેટ બોર્ડ માટે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવાનો માર્ગ મોકળો બની ગયો છે. કોરોના વાયરસને કારણે સમગ્ર વિશ્વમાં ક્રિકેટનું આયોજન સ્થગિત થઈ ગયું છે ત્યારે સોમવારે આઇસીસીની એક બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયામાં યોજાનારા મેન્સ ટી20 વર્લ્ડ કપને મુલતવી રાખવાનો છે.

18મી ઓક્ટોબરથી તેનો પ્રારંભ થનારો હતો. જોકે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે મે મહિનામાં જ આઇસીસીને જાણ કરી હતી કે તેઓ આ વર્ષે આ મેગા ઇવેન્ટ યોજવા માટે સક્ષમ નથી. દેશમાં કોરોનાની પરિસ્થિતિ જોતાં આ વર્ષે ઓક્ટોબરમાં વર્લ્ડ કપનું આયોજન તેમના માટે લગભગ અશક્ય બની રહેશે. આ ઉપરાંત આઇસીસીએ 2023માં ભારતમાં યોજાનારા વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપને માર્ચ-એપ્રિલ 2023ને બદલે નવેમ્બર 2023માં યોજવાનો નિર્ણય લીધો છે જેથી ક્વોલિફિકેશન માટે પ્રક્રિયા માટે વધારાનો સમય મળી રહે.

July 21, 2020
corona-gujarat.jpg
1min5620

આજે શ્રાવણ માસના પહેલા દિવસ તા.21મી જુલાઇ 2020ના રોજ 6 કરોડની વસતિ ધરાવતા ગુજરાત રાજ્યમાં કોરોના કેસોનો આંકડો 50,000 કેસોની સંખ્યાને આંબી જશે. તા.20 જુલાઇ 2020ની સાંજે 8 કલાકે ગુજરાતમાં કોરોના કેસોની સંખ્યા 49,439 હતી. ગુજરાતમાં હાલ દૈનિક 900 પ્લસ નવા કેસોની સરેરાશને જોતા આજરોજ તા.21મી જુલાઇ 2020ના રોજ ગુજરાતમાં કોરોના કેસોનો આંકડો 50 હજારને પાર પહોંચી જશે.

ગુજરાતમાં કોરોના વાયરસની સ્થિતિ હવે વકરી રહી છે, છેલ્લા ચાવીસ કલાકમાં ૧૨૩૬૯ ટેસ્ટ દ્વારા નવા ૯૯૮ પોઝિટિવ દર્દી મળી આવ્યા છે આ સાથે રાજ્યના કુલ કેસનો આંક ૪૯૪૩૯ સાથે અડધા લાખને આંબવાની તૈયારીમાં છે.

એક જ દિવસમાં વધુ ૨૦ દર્દીઓના કોરોના સંક્રમણને લીધે મૃત્યુ થયા છે. એમાં સૌથી વધારે સુરતમાં કુલ ૧૧ દર્દીના મરણ કોરોનાથી થયાનું સત્તાવાર રીતે જાહેર કરાયું છે. અલબત્ત, નવા સંક્રમિત દર્દીઓનો આંક નિયંત્રિત રીતે ૨૮૪નો જાહેર કરાયો છે. અમદાવાદમાં કુલ ચાર દર્દીના મૃત્યુ સાથે નવા ૧૮૩ કેસ ઉમેરાયા છે.

ચોવીસ કલાકમાં ૭૭૭ દર્દીઓને ડિસ્ચાર્જ અપાતા કુલ રિકવર થનારનો આંક ૩૫૬૫૯ થયો છે. અલબત્ત, રાજ્યમાં કુલ મૃત્યુ આંક ૨૧૬૭ થયો છે.

આ બન્ને સંક્રમિત મહાનગરો-જિલ્લા પછીના ક્રમે આવતા વડોદરા શહેરમાંથી નવા ૬૦ દર્દીઓ મળી આવ્યા છે અને વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાંથી ૧૮ કેસ આવ્યા છે. જોકે, સારવાર હેઠળના મહાનગરના દર્દીઓ પૈકી બેના મૃત્યુ થયાનું રાજ્યના હેલ્થ બુલેટિનમાં જાહેર કરાયું છે. આ જ રીતે નવસારીમાં બે દર્દી અને એક ગીર સોમનાથના દર્દીનું કોરોનાથી મૃત્યુ જાહેર કરાયું છે.

રાજકોટ શહેરમાંથી નવા ૪૦ કેસ મળ્યા છે જ્યારે વિવિધ તાલુકાંથી ૧૬ દર્દીઓ સંક્રમિત થયા હોવાનું જાહેર કરાયું છે. ભાવનગર શહેરમાંથી ૨૬ મળી કુલ ૪૨ કેસ નવા ઉમેરાયા છે. જામનગરમાં કુલ ૨૨ કેસ આવ્યા છે એમાં શહેરમાંથી ૧૩ કેસ છે. ગાંધીનગરમાં કુલ ૨૦ કેસમાં ૧૨ ગ્રામ્ય વિસ્તારના છે. જૂનાગઢમાં પણ ગ્રામ્ય વિસ્તારના ૧૩ કેસ સાથે કુલ ૧૯ કેસ નોંધાયા છે.

જિલ્લાઓમાં સૌથી વધારે કેસ મહેસાણામાં વીસનગર, ઊંઝા, બેચરાજી, કડીમાંથી મળી નવા ૨૬ કેસ જાહેર કરાયા છે. ભરૂચમાં વાગરા, જંબુસર, અંકલેશ્વર, વાલીયામાંથી ૨૨ કેસ ઉમેરાયા છે. સુરેન્દ્રનગર શહેર ઉપરાંત મુળી, પાટડી, ધ્રાંગધ્રામાંથી નવા ૨૦ કેસ, પાટણ અને વલસાડમાંથી નવા ૧૭-૧૭ કેસ આવ્યા છે.

મહાનગરોમાંથી ગ્રામ્ય વિસ્તારોમાં વધતાં જતાં ચેપને નાથવા માટે હવે સ્થાનિક સ્તરે લોકોએ સ્વૈચ્છાએ લોકડાઉનનો અમલ શરૂ કર્યો છે. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં સંક્રમિત મહાનગરો, વિસ્તારોમાંથી આવનારાઓને ચેકનાકાઓ ઉપર ચેક કર્યા પછી પ્રવેશ આપવાની શરૂઆત કરી છે. પાંચ જિલ્લાઓમાં અમદાવા, વડોદરા, સુરત તેમજ અન્ય રાજ્યોમાંથી આવનારાઓને ફરજિયાત ૧૪ દિવસ હોમ કોરન્ટાઇન રહેવાની શરતે જ પ્રવેશ અપાય છે. સૌરાષ્ટ્રમાં શ્રાવણ મહિનાના પવિત્ર દિવસોમાં વિવિધ મેળા, શિવ મંદિરોમાં વિશિષ્ટ પૂજા દર્શનના કાર્યક્રમોને પણ મોકુફ રાખવામાં આવ્યા છે. રાજ્યના ઘણાં મોટા મંદિરોએ સંક્રમણની સ્થિતિને ધ્યાને લઇ હમણાં મંદિરો બંધ રાખવાની જાહેરાત કરી છે.

અમદાવાદ પછી સુરત અને વડોદરાની જેમ હવે રાજ્યભરમાંથી ધનવંતરી રથ દ્વારા શંકાસ્પદોના હેલ્થ ચેકઅપ, એન્ટીજન ટેસ્ટ જેવી કામગીરીને યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. અલબત્ત, હજુય લોકો સોશીયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવા જેવી સામાન્ય બાબતોને અપનાવતા નથી એના કારણે સ્થિતિ દિવસે દિવસે વધારે કથળી રહી છે.

આ જ કારણે ગીરસોમનાથ, કચ્છ અને તાપી જેવા જિલ્લાઓમાંથી એક જ દિવસમાં નવા ૧૬-૧૬ કેસ આવ્યા છે તો પંચમહાલમાંથી નવા પંદર કેસ, અમરેલી, ખેડા, બનાસકાંઠામાંથી ૧૩-૧૩ કેસ મળ્યા છે. દાહોદ શહેર અને લીમખેડામાંથી નવા ૧૨ કેસ આવ્યા છે. મહીસાગરમાંથી ૧૧, નવસારીમાંથી ૧૦, બોટાદ, મોરબીમાંથી ૯ કેસ મળ્યા છે. નર્મદામાં ૭, આણંદ અને સાબરકાંઠામાંથી ૬-૬, અરવલ્લીના ૫, દેવભૂમિ દ્વારકાના ૩, છોટાઉદેપુર અને પોરબંદરમાંથી ૧-૧ કેસ નવા ઉમેરાયા છે.

આમ, હાલ રાજ્યમાં ૧૧૬૧૩ એક્ટિવ કેસ છે એમાં ૭૫ વેન્ટીલેટર ઉપર છે જ્યારે ૧૧૫૩૫ સ્ટેબલ છે.

July 21, 2020
corona_india.jpg
1min4600

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 37,148 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કુલ કેસની સંખ્યા 11,55,191 થઈ ગઈ છે. જેમાંથી 4,02,529 એક્ટિવ કેસ છે એટલે હાલ સારવાર હેઠળ છે. 

દેશમાં 24 કલાકમાં કોરોનાને કારણે 587 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને મૃતકોની સંખ્યા વધીને 28,084 પર પહોંચી ગઈ છે. અત્યાર સુધી કુલ 7,24,578 દર્દી કોરોનાને માત આપી ચૂક્યા છે. 

બિહારમાં ગુરુવારથી ફરીથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે કોરોનાનું સંક્રમણ રોકવા માટે અનેક પ્રતિબંધ લગાવ્યા છે. ધાર્મિક સ્થળ પણ બંધ રહેશે. બજારથી લઈને પાર્ક સુધીના જાહેર સ્થળો પણ બંધ રહેશે. બસ સેવાને સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવી છે. 

July 20, 2020
CR-1280x1620.jpg
1min5700

ગુજરાત ભાજપના પ્રમુખ પદે જીતુ વાઘાણીના અનુગામી તરીકે તાત્કાલિક અસરથી સુરત ભાજપના કદાવર નેતા અને નવસારીના સાંસદ સી.આર. પાટીલની પસંદગી કરવામાં આવી હોવાની જાહેરાત ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જયપ્રકાશ નડ્ડાએ કરી છે.

સી.આર. પાટીલની પહેલી પ્રતિક્રિયા

દક્ષિણ ગુજરાતમાં ભાજપના મોટા નેતા તરીકે સી.આર.પાટીલનુ નામ જાણીતું છે. આ અંગે સી.આર. પાટીલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, ‘ભારતીય જનતા પાર્ટીએ એક કાર્યકર્તામંથી પ્રમુખ બનાવાની તક આપી છે. હું તમામ લોકોનો આભાર વ્યક્ત કરું છું.’

ગુજરાતની 7 વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા ભાજપે જીતુ વાઘાણીની જગ્યાએ નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક કરી દીધી છે. ભાજપના અનેક નેતાઓમાં આ નિર્ણયને પગલે સન્નાટો મચી ગયો છે.

July 20, 2020
kuber.jpg
1min5920

વડોદરા જિલ્લા વહિવટી તંત્રની હદમાં આવતા કરનાળી સ્થિત કુબેર ભંડારી મંદિર તા.31મી જુલાઇ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. શ્રાવણ માસમાં અહીં ભારે ભીડ થતી હોઇ, તા.19મી જુલાઇએ જિલ્લા કલેક્ટરેટના અધિકારીઓએ મંદિરની મુલાકાત લઇને આજે તા.20મી જુલાઇથી આતા.૩૧મી સુધી મંદીરના દર્શન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

વડોદરા જિલ્લાના કરનાળી સ્થિત કુબેર ભંડારી ભગવાનના દર્શન માટે અમાસ નું  મહત્વ રહેલું છે. દેશવ્યાપી લોકડાઉનનાને કારણે છેલ્લા ચાર મહિના પછી અમાસના દર્શન બંધ હતા. હવે  શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે ત્યારે દર્શનનો લાભ ભાવિક ભક્તોને મળી રહે તે માટે કવાયત શરૂ કરી દેવામાં આવી હતી.  

અમાસ અને શ્રાવણ મહિના ને ધ્યાનમાં રાખીને કુબેર ભંડારી ટ્રસ્ટ’ના સંચાલકોએ રાજ્ય સરકાર ની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી તમામ વ્યવસ્થા નું આયોજન કર્યું હતું. 

પણ રાજ્ય સરકારની સૂચનાને ધ્યાનમાં રાખી કુબેર ભંડારી દર્શના ટ્રસ્ટી મંડળ તાત્કાલિક તેનો અમલ શરૂ કર્યો હતો.  આજથી મંદિરના દ્વાર તારીખ ૩૧ જુલાઈ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો.  આજે અમાસની પૂર્વે દર્શન માટે આવતા અનેક ભાવિક ભક્તો રાજ્ય સરકારના અચાનક નિર્ણયને કારણે મંદિરે દર્શન કર્યા સિવાય ડેલીએ હાથ દઇ પરત ફરવાનો વારો આવ્યો હતો.

કુબેર ભંડારી ટ્રસ્ટના વ્યવસ્થાપક રજનીભાઈ પંડ્યા જણાવ્યું છે કે રાજ્ય સરકારની સૂચના પ્રમાણે આવતીકાલે અમાસના દર્શન અને શ્રાવણ મહિના દરમિયાન રાજ્ય સરકારની સૂચના પ્રમાણે તારીખ ૩૧ જુલાઈ સુધી કુબેર ભંડારી મંદિર ભાવિક ભક્તો માટે દર્શન બંધ રાખવામાં આવ્યા છે તેમજ પૂજા વિધિ કે પછી અન્ય ધાર્મિક વિધિ પણ મંદિર ખાતે કરવામાં આવશે નહીં સાથે સાથે ધર્મશાળા અને ભંડારો પણ બંધ રહેશે.

July 20, 2020
bodyscanner.jpg
1min4960

એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એએઆઇ)એ ૬૩ ભારતીય એરપોર્ટને ૧૯૮ બોડી સ્કેનર ફાળવવાનું નક્કી કર્યું છે. હાલના પ્રવાસીઓ પાસેની ધાતુની વસ્તુઓ શોધી કાઢવા માટે વપરાતા ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર અને હેન્ડ-હેલ્ડ સ્કેનરના બદલે આ

બોડી સ્કેનરનો ઉપયોગ કરવામાં આવશે, એમ અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું.

૧૯૮ સ્કેનરમાં પુણે એરપોર્ટ માટે ૧૨, ચેન્નઇ એરપોર્ટ માટે ૧૯, કોલકતા એરપોર્ટ માટે ૧૭ સ્કેનર ફાળવવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું. આ સિવાય અમૃતસર, વારાણસી, કેલિકટ, કોઇમ્બતુર, ત્રિચી, ગયા, ઔરંગાબાદ અને ભોપાલ એરપોર્ટ પર ચાર-ચાર બોડી સ્કેનર ગોઠવવામાં આવશે.

‘શ્રીનગર એરપોર્ટ પર સાત બોડી સ્કેનર, વિશાખાપટ્ટનમ એરપોર્ટ પર છ, તિરુપતિ, બગદોરા, ભુવનેશ્ર્વર, ગોવા અને ઇમ્ફાલ એરપોર્ટ પર પાંચ-પાંચ સ્કેનર ગોઠવવામાં આવશે’, એમ તેમણે કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે દેશના ૧૦૦થી વધુ એરપોર્ટની માલિકી અને સંચાલન એએઆઇ સંભાળે છે.

‘બોડી સ્કેનર ફાળવવાની પ્રક્રિયા ચાલુ વર્ષના શરૂઆતમાં કોરોના મહામારી પહેલા થઇ હતી.

વહેલામાં વહેલી તકે ભારતના દરેક એરપોર્ટને બોડી સ્કેનર ફાળવવામાં આવશે, કારણ કે મહામારીને કારણે સિક્યોરિટી કર્મચારીઓ દ્વારા પ્રવાસીઓની જડતી લેવાનું પ્રમાણ ઓછું થયું છે’, એમ એએઆઇના એક અધિકારીએ જણાવ્યું હતું. ૬૩ એરપોર્ટ માટે ૧૯૮ બોડી સ્કેનર મેળવવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે અને ત્રણ કંપનીએ બીડ કરી છે.

July 20, 2020
CIA_Live_Logo_New2.jpg
1min5230

ઍક્સિસ બૅંક, બૅંક ઑફ મહારાષ્ટ્ર, કોટક મહિન્દ્ર બૅંક, આરબીએલ સહિતની દેશની કેટલીક બૅંકોમાં આગામી તા. 1લી ઑગસ્ટથી બૅંકના વ્યવહાર અંગેના નિયમો તેમજ તેની ફી, ચાર્જિસ, પેનલ્ટી વગેરેમાં ધરખમ વધારો અમલમાં મૂકવામાં આવશે. આ બૅંકો ટ્રાન્ઝેક્શન અંગેના નિયમોમાં અમુક ફેરફાર કરશે.

આ બૅંકોમાંથી અમુક બૅંકો રૂપિયા જમા કરાવવા તેમ જ કઢાવવા માટે ફી વસૂલ કરશે તો અમુક બૅંકો મીનીમમ બૅલેન્સ વધારવા માટેની તૈયારી કરી રહી છે.

મેટ્રો અને શહેરી વિસ્તારમાં રહેતા બૅંક ઑફ મહારાષ્ટ્રના બચત ખાતું ધરાવતા લોકોએ હવે તેમના ખાતામાં અગાઉની સરખામણીએ વધુ મીનીમમ બૅલેન્સ રાખવું પડશે.

બૅંક ઑફ મહારાષ્ટ્રએ મેટ્રો અને શહેરી વિસ્તારમાં મીનીમમ બૅલેન્સ રૂ. ૨૦૦૦ કર્યું છે. અગાઉ તે રૂ. ૧૫૦૦ હતું.

મેટ્રો અને શહેરી વિસ્તારમાં ખાતામાં મીનીમમ બૅલેન્સ ન રાખનાર ખાતાધારકને રૂ. ૭૫ દંડ લાગશે.

અર્ધશહેરી વિસ્તારમાં દંડની આ રકમ રૂ. ૫૦ તો ગ્રામીણ વિસ્તારમાં આ રકમ રૂ. ૨૦ હશે.

ઍક્સિસ બૅંક હવેથી ગ્રાહકો પાસેથી પ્રત્યેક ઈસીએસ ટ્રાન્ઝેક્શન માટે પચીસ રૂપિયા વસૂલશે. અગાઉ એ ફ્રી હતું.

હવે બૅંકે એક કરતા વધુ લૉકર ધરાવનાર પાસેથી પણ ચાર્જ વસૂલ કરવાની શરૂઆત કરી છે. બૅંક પ્રતિ બંડલ કૅશ હૅન્ડલિંગ ફી પણ વસૂલ કરશે.

કોટક મહિન્દ્રા બૅંકના બચત ખાતા અને કૉર્પોરેટ સેલેરી અકાઉન્ટ હૉલ્ડર્સને દર મહિને પાંચ ટ્રાન્ઝેક્શન ફ્રી આપવામાં આવશે, પરંતુ ત્યાર બાદ પ્રત્યેક કૅશ વિડ્રોઅલ માટે ડૅબિટ કાર્ડ-એટીએમ ચાર્જ તરીકે રૂ. ૨૦ વસૂલવામાં આવશે.

એ જ પ્રમાણે પ્રત્યેક નૉન ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન માટે રૂ. ૮.૫૦ વસૂલવામાં આવશે.

ખાતામાં મીનીમમ બૅલેન્સ નહીં હોય તો મર્ચન્ટ આઉટલૅટ આ વૅબસાઈટ તેમ જ એટીએમના નિષ્ફળ ટ્રાન્ઝેક્શન માટે પચીસ રૂપિયા વસૂલવામાં આવશે.

કોટક મહિન્દ્રા બૅક ખાતામાં મીનીમમ બૅલેન્સ ન રાખનાર ખાતાધારક પાસેથી દંડ વસૂલશે.

આ ખાતાઓનું જુદી જુદી શ્રેણીમાં વર્ગીકરણ કરવામાં આવશે તેમ જ તેની સાથે સાથે પ્રત્યેક ચાર ટ્રાન્ઝેક્શન બાદ પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂ. ૧૦૦ વસૂલવામાં આવશે. જો તમે આ બૅંકના ગ્રાહક છો તો બદલાયેલા નિયમોની યાદી મેળવી લેવી તમારા માટે જરૂરી છે.

July 20, 2020
corona_india.jpg
1min4360

ભારતમાં દૈનિક સરેરાશમાં પહેલી વખત 40,000 કરતા વધારે નવા કેસ સોમવારે સવારે 8 વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં નોંધાયા છે, ભારતમાં પાછલા અઠવાડિયામાં સૌથી વધારે 2.38 લાખ કેસ નોંધાયા છે, જે કુલ કેસનો 21% ભાગ છે.

રવિવારે વધુ 673 લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા છે. જ્યારે અઠવાડિયા દરમિયાન 4,285 લોકોએ જીવ ગુમાવ્યો છે જે કુલ કેસના 16% થાય છે. આ અઠવાડિયા દરમિયાન એક્ટિવ કેસના આંકડામાં પણ ઘણો મોટો વધારો નોંધાયો છે, જેમાં વધુ 88,000 કેસ વધ્યા છે. હાલ એક્ટિવ કેસનો આંકડો 3.9 લાખ થઈ ગયો છે. જ્યારે સાજા થયેલા દર્દીઓનો આંકડો 1.45 લાખ થયો છે. રિકવરી રેટમાં સામાન્ય ઘટાડા સાથે ટકાવારી 62.5% નોંધાઈ છે.

10 રાજ્યોમાં તેમના એક દિવસમાં નોંધાયેલા કેસમાં નવો ઉછાળો નોંધાયો છે, જેમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં 9,518 કેસ રવિવારે નોંધાયા છે, આ પહેલા 16 જુલાઈના રોજ 8,641 કેસ નોંધાયા હતા. આંધ્રપ્રદેશમાં 5,041 કેસ નોધાયા, મહારાષ્ટ્ર પછી આંધ્રપ્રદેશ એક માત્ર રાજ્ય છે જ્યાં 5000 કરતા વધુ કેસ નોંધાયા છે.

અન્ય રાજ્યની વાત કરીએ તો તામિલનાડુમાં એક દિવસમાં 4,979, પશ્ચિમ બંગાળમાં 2,278, ઉત્તરપ્રદેશમાં 2,250, ગુજરાતમાં 965, રાજસ્થાનમાં 934, મધ્યપ્રદેશમાં 837, કેરળમાં 821 અને ઉત્તરાખંડમાં 239 નવા કેસ નોંધાયા છે.

સરકારી આંકડા પ્રમાણે ભારતમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 11 લાખને પાર થઈ ગયો છે, પાછલા ત્રણ દિવસમાં 1 લાખ જેટલા કેસો વધ્યા છે. રવિવારે નવા નોંધાયેલા કેસનો આંકડો 40363 છે, આ પહેલા સૌથી વધુ નોંધાયેલા કેસનો આંકડો 38,141 હતો.

રાજ્યમાં એક દિવસમાં 673 લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા છે, આ પહેલા 16 જુલાઈના રોજ સૌથી વધુ 684 કેસ નોંધાયા હતા. દિલ્હીની સ્થિતિમાં સુધારો જણાઈ રહ્યો છે, અહીં 1,211 નવા કેસ નોંધાયા છે. મુંબઈમાં કુલ કેસનો આંકડો 2 લાખની નજીક પહોંચ્યો છે.

July 20, 2020
corona-gujarat.jpg
1min4580

કોરોના સંક્રમણથી પ્રભાવિત ગુજરાતના ૩૩ પૈકી આઠ મહાનગરો સહિત કુલ ૩૨ જિલ્લાઓમાંથી છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૯૬૫ પોઝિટિવ કેસ મળી આવ્યા છે બીજી તરફ સારવાર હેઠળ રહેલા વધુ ૨૦ દર્દીઓના કોવિડ-૧૯ના કારણે મૃત્યુ થયા હોવાનું હેલ્થ બુલેટિનમાં જાહેર કરાયું છે.

આ કેસને રોકેટ ગતિ આપનાર સુરત મહાનગરમાં નવા ૨૦૬ કેસ અને ૬ દર્દી તેમજ જિલ્લામાંથી નવા ૭૯ કેસ તથા ૩ દર્દી મળી કુલ ૨૮૫ કેસ નવા ઉમેરાયા છે જ્યારે કુલ ૯ દર્દીઓએ સંક્રમણને લીધે દમ તોડ્યો છે. અમદાવાદમાં પણ એક પખવાડિયા સુધી સંક્રમિત દર્દીઓનો આંક બસ્સોની નીચે રહ્યા પછી રવિવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં વધુ ૨૧૨ કેસ ઉમેરાયા છે એમાં મહાનગરના ૧૮૬ છે જ્યારે શહેરના જ વધુ છ દર્દીઓના મૃત્યુ જાહેર કરાયા છે.

અન્ય મહાનગરોમાં જોઇએ તો વડોદરામાં કોરોનાના સંક્રમિત દર્દીઓનો આંક શહેર અને જિલ્લાના કેસોના ઉતારચડાવ વચ્ચે ૭૦-૮૦ કેસની વચ્ચે લાંબા સમયથી સ્થિર છે. વડોદરાના જુદા જુદા વિસ્તારમાંથી નવા ૬૭ કેસ મળ્યા છે જ્યારે જિલ્લામાંથી નવા ૧૨ કેસ ઉમેરાયા છે. રાજકોટ શહેરના ૩૮ કેસ મળી કુલ ૪૯ કેસ આજે ઉમેરાયા છે. ભાવનગર શહેરમાં નવા ૨૫ કેસ નોંધાયા છે તો એક દર્દીનું મૃત્યુ જાહેર કરાયું છે. ગ્રામ્ય વિસ્તારમાંથી ૧૦ નવા કેસ ઉમેરાયા છે. જૂનાગઢમાં એકાએક રફતાર ઘટીને ૧૫ કેસની રહી છે. બીજી તરફ જામનગર સિટીના ૭ મળી કુલ ૧૦ કેસ નોંધાયા છે એમાં જિલ્લામાંથી એક દર્દીનું મૃત્યુ થયું છે. સૌરાષ્ટ્રના અન્ય એક ગીર સોમનાથમાં નવા બે કેસ મળ્યા છે, પરંતુ એક દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.

ગાંધીનગર જિલ્લામાંથી નવા ૨૪ મળી કુલ ૩૦ કેસ ઉમેરાયા છે. આ કેસ ગાંધીનગર તાલુકાના ગામડાઓ, દહેગામ, માણસા અને કલોલ તાલુકામાંથી ઉમેરાયા છે.