CIA ALERT

Alert Archives - Page 233 of 518 - CIA Live

August 9, 2020
ipl2020.jpg
11min8110

1. Chennai Super Kings (CSK)

NEW ADDITIONS: Sam Curran (5.50 crore), Piyush Chawla, Josh Hazlewood, R. Sai Kishore

Players bought in: FIVE

Full squad: CSK

  • Narayan Jagadeesan,
  • Ruturaj Gaikwad,
  • KM Asif,
  • Ravindra Jadeja,
  • M Vijay,
  • MS Dhoni,
  • Josh Hazlewood,
  • Kedar Jadhav,
  • Harbhajan Singh,
  • Karn Sharma,
  • Piyush Chawla,
  • Ambati Rayudu,
  • Suresh Raina,
  • Imran Tahir,
  • Deepak Chahar,
  • Faf du Plessis,
  • Shardul Thakur,
  • Mitchell Santner,
  • Dwayne Bravo,
  • Lungi Ngidi,
  • Sam Curran,
  • Monu Kumar,
  • Shane Watson,
  • Sai Kishore.

2. Mumbai Indians (MI)

NEW ADDITIONS: Chris Lynn (2 crores), Saurabh Tiwary (50 lakhs), Digvijay Deshmukh, Prince Balwant Rai Singh, Nathan Coulter-Nile, Mohsin Khan.

Players bought in: SIX

Full squad: MI

  • Rohit Sharma,
  • Sherfane Rutherford,
  • Suryakumar Yadav,
  • Anmolpreet Singh,
  • Chris Lynn,
  • Saurabh Tiwary,
  • Dhawal Kulkarni,
  • Jasprit Bumrah,
  • Lasith Malinga,
  • Mitchell McClenaghan,
  • Rahul Chahar,
  • Trent Boult,
  • Mohsin Khan,
  • Fabian Allen,
  • Prince Balwant Rai Singh,
  • Digvijay Deshmukh,
  • Hardik Pandya,
  • Jayant Yadav,
  • Kieron Pollard,
  • Krunal Pandya,
  • Anukul Roy,
  • Nathan Coulter-Nile,
  • Ishan Kishan,
  • Quinton de Kock,
  • Aditya Tare.

3. Kolkata Knight Riders (KKR)

NEW ADDITIONS: Eoin Morgan (5.25 crore), Pat Cummins (15.50 crore), Varun CV, Chris Green, Rahul Tripathi, Tom Banton, Pravin Tambe, M Siddharth, Nikhil Shankar Naik.

Players bought in: NINE

Full squad: KKR

  • Andre Russell,
  • Dinesh Karthik,
  • Harry Gurney,
  • Kamlesh Nagarkoti,
  • Kuldeep Yadav,
  • Lockie Ferguson,
  • Nitish Rana,
  • Prasidh Krishna,
  • Rinku Singh,
  • Sandeep Warrier,
  • Shivam Mavi,
  • Shubman Gill,
  • Siddhesh Lad,
  • Sunil Narine,
  • Pat Cummins,
  • Eoin Morgan,
  • Varun Chakravarthy,
  • Tom Banton,
  • Rahul Tripathi,
  • Chris Green,
  • M Siddharth,
  • Praveen Tambe,
  • Nikhil Naik.

4. Sunrisers Hyderabad (SRH)

NEW ADDITIONS: Priyam Garg, Virat Singh, Mitchell Marsh, Fabian Allen, Sandeep Bavanaka, Sanjay Yadav, Abdul Samad

Players bought in: SEVEN

Full squad: SRH

  • Kane Williamson,
  • David Warner,
  • Manish Pandey,
  • Virat Singh,
  • Priyam Garg,
  • Abdul Samad,
  • Bhuvneshwar Kumar,
  • Khaleel Ahmed,
  • Sandeep Sharma,
  • Siddharth Kaul,
  • Billy Stanlake,
  • T Natarajan,
  • Abhishek Sharma,
  • Shahbaz Nadeem,
  • Mitchell Marsh,
  • Fabian Allen,
  • Vijay Shankar,
  • Mohammad Nabi,
  • Rashid Khan,
  • Sanjay Yadav,
  • Jonny Bairstow,
  • Wriddhiman Saha,
  • Shreevats Goswami,
  • Bavanaka Sandeep.

5. Rajasthan Royals (RR)

NEW ADDITIONS: Robin Uthappa (3 crore), David Miller (75 lakhs), Anuj Rawat, Yashasvi Jaiswal, Tom Curran, Jayadev Unadkat, Anirudha Ashok Joshi, Akash Singh, Kartik Tyagi, Andrew Tye, Oshane Thomas.

Players bought in: ELEVEN

Full squad: RR

  • Mahipal Lomror,
  • Manan Vohra,
  • Riyan Parag,
  • Steve Smith,
  • Robin Uthappa,
  • David Miller,
  • Ankit Rajpoot,
  • Mayank Markande,
  • Jofra Archer,
  • Shreyas Gopal,
  • Varun Aaron,
  • Jaydev Unadkat,
  • Kartik Tyagi,
  • Akash Singh,
  • Oshane Thomas,
  • Andrew Tye,
  • Ben Stokes,
  • Rahul Tewatia,
  • Shashank Singh,
  • Yashasvi Jaiswal,
  • Anirudha Joshi,
  • Tom Curran,
  • Jos Buttler,
  • Sanju Samson,
  • Anuj Rawat.

6. Kings XI Punjab (KXIP)

NEW ADDITIONS: Glenn Maxwell (10.75 crore), Sheldon Cotrell (8.50 crore), Deepak Hooda (50 Lakhs), Ishan Porel (20 lakhs), Ravi Bishnoi (2 crore), Jimmy Neesham (50 lakhs), Chris Jordan (3 crore), Tajinder Singh (20 lakhs) and Prabhsimran Singh (55 lakhs)

Player bought in: NINE

Full squad: KXIP

  • Chris Gayle,
  • Mayank Agarwal,
  • Karun Nair,
  • Sarfaraz Khan,
  • Mandeep Singh,
  • Sheldon Cottrell,
  • Ishan Porel,
  • Ravi Bishnoi,
  • Mohammed Shami,
  • Mujeeb ur Rahman,
  • Arshdeep Singh,
  • Hardus Viljoen,
  • M Ashwin,
  • J Suchith,
  • Harpreet Brar,
  • Darshan Nalkande,
  • Glenn Maxwell,
  • James Neesham,
  • Chris Jordan,
  • Krishnappa
  • Gowtham,
  • Deepak Hooda,
  • Tajinder Singh Dhillon,
  • KL Rahul,
  • Nicholas Pooran,
  • Prabhsimran Singh.

7. Royal Challengers Bangalore (RCB)

NEW ADDITIONS: Aaron Finch (4.4 crore), Chris Morris (10 crore), Kane Richardson, Dale Steyn, Isuru Udana, Pavan Deshpande, Shahbaz Ahamad, Joshua Philippe

Players bought in: EIGHT

Full squad: RCB

  • Virat Kohli,
  • AB de Villiers,
  • Gurkeerat Mann,
  • Devdutt Padikkal,
  • Aaron Finch,
  • Yuzvendra Chahal,
  • Mohammed Siraj,
  • Umesh Yadav,
  • Navdeep Saini,
  • Kane Richardson,
  • Dale Steyn,
  • Isuru Udana,
  • Moeen Ali,
  • Pawan Negi,
  • Shivam Dube,
  • Washington Sundar,
  • Chris Morris,
  • Pavan Deshpande,
  • Parthiv Patel,
  • Joshua Philippe,
  • Shahbaz Ahamad.

8. Delhi Capitals (DC)

NEW ADDITIONS: Jason Roy (1.50 crore), Chris Woakes (1.5 crores), Shimron Hetmyer (7.75 crores), Alex Carey, Marcus Stoinis, Lalit Yadav, Mohit Sharma, Tushar Deshpande

Players bought in: EIGHT

Full squad: DC

  • Shreyas Iyer,
  • Prithvi Shaw,
  • Ajinkya Rahane,
  • Shikhar Dhawan,
  • Jason Roy,
  • Ishant Sharma,
  • Amit Mishra,
  • Avesh Khan,
  • Sandeep Lamichhane,
  • Kagiso Rabada,
  • Keemo Paul,
  • Mohit Sharma,
  • Lalit Yadav,
  • Axar Patel,
  • Harshal Patel,
  • R Ashwin,
  • Marcus Stoinis,
  • Chris Woakes,
  • Rishabh Pant,
  • Alex Carey,
  • Shimron Hetmyer,
  • Tushar Deshpande.

August 9, 2020
weather-forecast.jpg
1min7150

રાજ્યમાં 11 ઓગસ્ટ પછી એટલે કે જન્માષ્ટમીના દિવસથી આગામી 5 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રિપોર્ટ્સ મુજબ સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે રાજ્યમાં અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન સારા પ્રમાણમાં વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

જન્માષ્ટમીથી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેમાં અમદાવાદ સહિત વડોદરા, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં પણ સારા પ્રમાણમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મહત્વનું છે કે, પાછલા કેટલાક દિવસથી સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતમાં કેટલાક ઠેકાણે સારા પ્રમાણમાં વરસાદ નોંધાયો છે.

August 9, 2020
corona-gujarat.jpg
1min4750

ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંક છ દિવસ સુધી ૧૧૦૦થી નીચે રહ્યા પછી ફરીથી ૧૧૦૧ થયો છે એ સાથે કુલ કેસનો આંક ૭૦,૦૦૦ની નજીક એટલે કે ૬૯૯૮૬ સુધી પહોંચી ગયો છે. બીજી તરફ રાજ્યમાં વધુ ૨૩ દર્દીઓના કોવિડ-૧૯ સંક્રમણથી મૃત્યુ થયા છે. એમાં સૌથી વધારે સુરત શહેર અને ગ્રામ્ય મળી ૧૦, અમદાવાદ શહેરમાં ૫, વડોદરા શહેરના ૨, જૂનાગઢ અને કચ્છ જિલ્લાના ૨-૨, ગાંધીનગર, અમરેલીના એક એક દર્દીનો સમાવેશ થાય છે.

ચોવીસ કલાકમાં સૌથી વધારે સુરત શહેરમાંથી ૧૮૨ કેસ નવા મળ્યા છે જ્યારે જિલ્લામાં તબક્કાવાર ઘટી રહ્યા છે છતાં નવા ૪૪ કેસ આવ્યા છે બીજી તરફ અનુક્રમે ૬ અને ૪ દર્દીના મૃત્યુ નોંધાયા છે. અમદાવાદમાં ૧૩૯ કેસ નવા ઉમેરાયા છે જ્યારે જિલ્લામાંથી ૧૯ કેસ નવા નોંધાયા છે. શહેરના પાંચ દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. આ જ રીતે વડોદરામાંથી ફરીથી ૯૦થી વધારે એટલે કે ૯૨ કેસ નવા નોંધાયા છે અને બે દર્દીના મૃત્યુ થયા છે. ગ્રામ્ય વિસ્તારમાંથી નવા ૨૧ કેસ ઉમેરાયા છે. ગાંધીનગર શહેરમાંથી નવા ૧૦ કેસ નોંધાયા છે જ્યારે વધુ એક દર્દીનું મૃત્યુ થયું છે. ગ્રામ્યમાંથી ૨૦ કેસ નોંધાયા છે.

 રાજકોટ શહેરમાં વધુ ૬૮ કેસ મળી કુલ ૯૩ કેસ નવા નોંધાયા છે. જ્યારે જૂનાગઢ શહેરમાંથી નવા ૧૭ કેસ અને ગ્રામ્યના પંદર કેસ નોંધાયા છે. ગ્રામ્યના વધુ બે દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. જામનગરમાંથી ફરીથી ૪૧ કેસ સાથે કુલ ૫૪ કેસ નોંધાયા છે જ્યારે ભાવનગરમાંથી નવા ૨૮ કેસ અને ગ્રામ્યના ૧૯ કેસ નોંધાયા છે. આ બન્ને શહેરોમાં આજે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી હેલ્થ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત લઇ સમીક્ષા કરી હતી. હવે આ બન્ને નેતાઓ વિવિધ જિલ્લાઓનો પણ દર સપ્તાહે પ્રવાસ ખેડનાર છે.

રાજ્યના અન્ય જિલ્લાઓમાં સૌથી વધારે અમરેલીમાંથી ૩૩ કેસ નવા ઉમેરાયા છે. આ પછી પંચમહાલ જિલ્લામાંથી ૩૧ કેસ, મહેસાણામાંથી ૩૦ કેસ નવા નોંધાયા છે. દાહોદ જિલ્લામાંથી નવા ૨૭ કેસ, ગીર સોમનાથના ૨૬, કચ્છમાંથી ૨૨ કેસ, સુરેન્દ્રનગર ૨૧, મોરબીમાંથી ૨૦ નવા કેસ ઉમેરાયા છે. જ્યારે પાટણ જિલ્લાના ૧૯, વલસાડમાંથી ૧૭, ભરૂચ, નર્મદામાંથી ૧૧-૧૧, ખેડામાંથી ૧૦ કેસ નોંધાયા છે. આમંદ, બોટાદ અને મહીસાગર જિલ્લામાંથી ૯-૯, છોટાઉદેપુર, સાબરકાંઠામાંથી ૮-૮, નવસારીમાંથી ૭, બનાસકાંઠા અને પોરબંદરમાંથી ૫-૫ કેસ, દ્વારકામાં ૪, અરવલ્લી ૩, તાપીમાંથી ૨ અને ડાંગથી એક કેસ નવો ઉમેરાયો છે.

નવા ૨૬૨૭૨ ટેસ્ટ કરવામાં આવ્યા છે એનો ગુણાંક પ્રતિ મિલિયન વસતિએ ૪૦૪.૧૮ ટેસ્ટ થયો છે છેલ્લા ચોવીસ કલાકમાં વધુ ૧૧૩૫ દર્દીઓ આઇસીએમઆરની ગાઇડલાઇન્સથી ડિસ્ચાર્જ થતાં કુલ સંખ્યા ૫૨,૮૨૭ થઇ છે આ સાથે કુલ રિકવરી રેટ ૭૫.૪૮ ટકા થયો છે. અત્યાર સુધીમાં ૨૬૨૯ દર્દીના મૃત્યુ નોંધાયા છે જ્યારે હાલ ૧૪૫૩૦ એક્ટિવ કેસ છે એમાંથી ૮૨ વેન્ટીલેટર ઉપર અને બાકીના સ્ટેબલ છે

August 9, 2020
corona_india.jpg
1min4620

ભારતમાં દૈનિક સ્તરે સામે આવી રહેલા કોરોના સંક્રમણના નવા કેસોનો આંકડો હવે વિશ્વસ્તરે પણ રેકોર્ડ તોડી રહ્યો છે. વિશ્વ સ્વાસ્થ સંગઠનની એક રિપોર્ટ મુજબ વિતેલા ચાર દિવસ 4થી 7 ઓગસ્ટ દરમિયાન સંક્રમણના સૌથી વધુ કેસ સામે આવ્યા છે.  

WHOએ ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં વિશ્વસ્તરે સામે આવેલા કોરોના સંક્રમણના નવા કેસો પર રિપોર્ટ જાહેર કર્યો હતો જે મુજબ 1લી ઓગસ્ટે અમેરિકામાં કોરોના સંક્રમણના 67,823 નવા કેસ, બ્રાઝિલમાં 57,837 નવા કેસ અને ભારતમાં 57,118 નવા કેસ સામે આવ્યા હતા. બે ઓગસ્ટના રોજ આંકડાઓ અનુક્રમે 67,499, 52,383 અને 54,735 જ્યારે 3જી ઓગસ્ટે 58,388, 45,392 અને 52,972 નવા કેસ સામે આવ્યા હતા.

પરંતુ 4 ઓગસ્ટથી ભારત (52,050 નવા કેસ)ની સરખામણીએ અમેરિકા (47,183) અને બ્રાઝિલ (25,800) નવા કેસ સામે આવ્યા હતા. 5 ઓગસ્ટે અમેરિકામાં 49,151 નવા કેસ, બ્રાઝિલમાં 16,641 નવા કેસ જ્યારે ભારતમાં 52,509 નવા કેસ સાથે સંક્રમણનું પ્રમાણ વિતેલા દિવસો સમાન રહ્યુ હતું. આ દરમિયાન 7 ઓગસ્ટે અમેરિકામાં 53,373 નવા કેસ, બ્રાઝિલમાં 57,152 નવા કેસ જ્યારે ભારતમાં રેકોર્ડ બ્રેક 62,538 નવા કેસ સામે આવ્યા હતા. 

જોકે ભારતીય સ્વાસ્થ વિભાગ દ્વારા શનિવારે જાહેર કરાયેલા આંકડાઓ મુજબ દેશમાં કોરોના દર્દીઓનો કુલ આંકડો 20,88,611 થયો હતો. વિતેલા 24 કલાકમાં સંક્રમણના 61 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા, જે દરમિયાન 933 દર્દીઓના મોત થયા હતા. 

August 8, 2020
raining.jpg
1min6710

સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી બારે મેઘ ખાંગા થયા હોય તે રીતે વરસાદ પડી રહ્યો છે. જૂનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, અમરેલી, અને રાજકોટમાં અતિભારે વરસાદ પડ્યો છે. સતત મેઘમહેરના કારણે સૌરાષ્ટ્રના જળાશયોમાં નવા નીર આવ્યા છે. સૌરાષ્ટ્રના ૩૦થી વધુ ડેમોમાં પાણીની આવક જોવા મળી છે. ભાદર ૧, ન્યારી, આજી અને શેત્રુંજી સહિતના ડેમોમાં નવા નીરની આવક થઈ છે. જેથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે. ધોધમાર વરસાદના પગલે સૌરાષ્ટ્રમાં નદી-નાળા અને ચેકડેમો છલકાયા છે.

સૌરાષ્ટ્રના બીજા નંબરના ભાદર ડેમ-૧માં નવા નીરની આવક થઈ છે. ભાદર ડેમ-૧ રાજકોટ, જેતપુર, ગોંડલ, સહિતના શહેરોને પીવાનું પાણી પુરું પાડે છે. ભાદર-૧માં હાલ ૭.૫ ફૂટ નવા નીરની આવક થઈ છે અને હજુ પણ પાણીની આવક થઈ રહી છે. ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાં નવા નીરની આવક થઈ છે.

ભાદર-૧ હાલ ૪૯.૫ ટકા જેટલો ભરાઇ ગયો છે, જ્યારે ભાવનગરના શેત્રુંજી ડેમના ઉપરવાસમાં ગારીયાધાર તાલુકામાં, લીલીયા, લાઠી, બગસરા ,બાબરા અને સાવરકુંડલા સહિતના તાલુકાઓમાં ભારે વરસાદને પગલે શેત્રુંજી ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ છે. ત્યારે આજે સવારે ૧૦ વાગ્યા સુધીમાં પાણીની સપાટી ૨૯.૧ ફૂટે પહોંચી હતી.

શેત્રુંજી ડેમ ૩૪ ફૂટે ઓવરફ્લો થાય છે. શેત્રુંજી ડેમની ઉપર અમરેલી પંથકમાં ખોડિયાર ડેમ આવેલો છે. જે હાલમાં ૭૦ ટકા ભરાયેલો છે. જે પ્રકારે સારો વરસાદ વરસી રહ્યો છે તે જોતાં ટૂંક સમયમાં જ ખોડીયાર ડેમ ઓવરફલો થશે. આ ઉપરાંત રાજકોટમાં ધોધમાર વરસાદ પડતા આજી નદી જળ બંબાકાર થઈ છે.

આજી નદીમાં પાણીનો પ્રવાહ વધતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે. રામનાથ પરા, બેડીપરા, ભગવતીપરા સહિત પાંચ જેટલા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ સાથે જ લોકોને આજી નદીના પટ તરફ ન જવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. જરૂર પડે તો લોકોનું સ્થળાતંર કરવા માટે ફાયરના જવાનો તૈયાર છે. અત્યારથી જ નીચાણવાળા વિસ્તારોમાં ફાયર વિભાગની ટીમ તૈનાત કરવામાં આવી છે.

August 8, 2020
breaking_CIA-1280x831.jpg
1min5730

ભારતીય હવાઇ દળ (આઇએએફ) માટે ૨૦૦૯માં ૭૫ પિલાટસ બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ ખરીદવાના સોદામાં આચરવામાં આવેલા કથિત કૌભાંની તપાસના ભાગરૂપે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા ગતરોજ તા.7 ઓગસ્ટને શુક્રવારે સુરત, દિલ્હી, ગુડગાંવ સમેત દેશના ૧૪ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.

આ કૌભાંડમાં સીબીઆઇ દ્વારા સંજય ભંડારી, ભારતીય હવાઇ દળ, સંરક્ષણ દળ અને સ્વિત્ઝરલેન્ડસ્થિત પિલાટસ એરક્રાફ્ટ લિ. કંપનીના અજ્ઞાત અધિકારીઓ સામે ગુનો નોંધ્યો છે.

ઇડી દ્વારા દિલ્હીના ૧૨ જેટલા અને ગુડગાંવ તથા સુરતના એક-એક વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ઇડી દ્વારા સોદાની તપાસ માટે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો તથા પુરાવા ભેગા કરવા માટે પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

વિદેશ તથા ભારતમાં કથિત બિનહિસાબી સંપત્તિ ધરાવવી અને ભ્રષ્ટાચાર માટે ઇડી અને સીબીઆઇની અલગ અલગ તપાસનો સામનો કરી રહેલા કથિત વચેટિયા અને શસ્ત્ર સલાહકાર સંજય ભંડારીનો સમાવેશ થાય છે.

સંજય ભંડારી હાલમાં બ્રિટનમાં હોવાનું કહેવાઇ રહ્યું છે અને ઇડીએ તેને ભારતમાં લાવવાની કાર્યવાહી શરૂ કરી છે. ગયા વર્ષે જૂનમાં રૂ. ૨,૮૯૫ કરોડના પિલાટસ Training Aircraft સોદા પ્રકરણે સીબીઆઇએ કેસ નોંધ્યો હતો. આ કેસની આપમેળે નોંધ લેતા ઇડીએ મની લોન્ડરિંગ અંગે અને આરોપીની બિનહિસાબી સંપત્તિના સ્રોત અંગે તપાસ કરી રહી છે.

August 8, 2020
vacrus.jpg
1min5450
FILE PHOTO: A small bottle labeled with a “Vaccine” sticker is held near a medical syringe in front of displayed “Coronavirus COVID-19” words in this illustration taken April 10, 2020. REUTERS/Dado Ruvic/Illustration/File Photo

કોરોના મહામારીને તાબે થઇ ચૂકેલી દુનિયા લાંબા સમયથી કોરોના વેક્સીનની આશા બાંધી બેઠી છે, જે હવે પૂરી થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. રશિયા આગામી અઠવાડિયે વિશ્વની પહેલી કોરોના વેક્સીનની નોંધણી કરવાની તૈયારી કરી રહ્યુ હોવાના અહેવાલ છે. આ અંગે માહિતી આપતા રશિયાના ઉપ-સ્વાસ્થમંત્રી આલેગ ગ્રિડનેવે જણાવ્યુ કે કોરોના વેક્સીન ટ્રાયલ તેના ત્રીજા અને અંતિમ તબક્કામાં છે અને 12 ઓગસ્ટે રશિયા કોરોના વિરુદ્ધ તેની પહેલી વેક્સીન રજિસ્ટર કરાવશે.  

ગ્રિડનેવના જણાવ્યા મુજબ કોરોના વેક્સીનની અસરનુ મુલ્યાંકન ત્યારે જ લઇ શકાશે જ્યારે મોટાભાગની વસતી રોગપ્રતિકારક શક્તિ વિકસિત કરી ચૂકી હશે. રશિયામાં ગામાલેયા રિસર્ચ સેન્ટર અને રશિયા રક્ષા મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે કોરોનાની વેક્સીન તૈયાર કરવામાં આવી રહી છે. 

જોકે વિશ્વ સ્વાસ્થ સંગઠને રશિયાની કોરોના વેક્સીનને લઇને ચેતવણી જાહેર કરી છે કારણ કે સંગઠનનુ કહેવુ છે કે રશિયા દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી કોરોના વેક્સીનને લઇને તેની પાસે કોઇ સત્તાવાર જાણકારી નથી. જ્યારે રશિયન સરકાર હવે ટીકાકરણની તૈયારીઓમાં લાગી ગઇ છે. 

August 8, 2020
corona_india.jpg
1min7890

દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, ભારતમાં  છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 62,538 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 20,27,075 સુધી પહોંચી ગઈ છે. 

દેશમાં અત્યાર સુધી કુલ 13,78,106 દર્દીઓએ કોરોનાને માત આપી દીધી છે. ભારતમાં કોરોનાનો મૃત્યુઆંક 41,585 પર પહોંચી ગયો છે. દેશમાં કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. 

બ્રાઝીલમાં ગુરુવારે 51,603 નવા કેસની સાથે કોરોના વાયરસના કેસની સંખ્યા 28 લાખને પાર પહોંચી ગઈ હતી. બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારો સતત કોરોના વાયરસને એક સામાન્ય ફ્લૂ ગણાવતા રહ્યા છે જેને કારણે તેમને આકરી પ્રતિક્રિયાનો સામનો કરવો પડ્યો છે. 

August 7, 2020
real_cia-1-1280x1022.jpg
5min10220

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

તા.6 ઓગસ્ટ 2020ને ગુરુવારે દેશની સુપ્રીમ કોર્ટ સમક્ષ 11 રાજ્યોના 11 વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી એક રીટ પીટીશનમાં આગામી સપ્ટેમ્બરમાં ભારતમાં રાષ્ટ્રવ્યાપી ધોરણે લેવામાં આવનારી નીટ અને જેઇઇ જેવી પરીક્ષાઓ મુલતવી રાખીને જ્યારે કોવીડ-19ની સ્થિતિ બિલકુલ સામાન્ય થઇ જાય ત્યારે આ પરીક્ષા યોજવા અંગેના આદેશો જારી કરવા માટેની દાદ માગવામાં આવી છે.

11 રાજ્યોના 11 વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટમાં વકીલ અલખ આલોક શ્રીવાસ્તવ મારફતે રીટ દાખલ કરાવી છે. ભારતમાં મેડીકલ અને ડેન્ટલ કોલેજોના પહેલા વર્ષમાં પ્રવેશ માટે લેવાતી સિંગલ એન્ટ્રન્સ ટેસ્ટ તા.13મી સપ્ટેમ્બર 2020 અને જેઇઇ મેઇન્સ તા.1થી 6 સપ્ટેમ્બર દરમિયાન લેવાની જાહેરાત નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ કરી છે.

રીટ પીટીશનમાં એવી દાદ માગવામાં આવી છે કે ભારતમાં હજુ ઘણા રાજ્યોમાં કોરોના કેસો વકરી રહ્યા છે. અનેક રાજ્યોએ કોઇપણ પરીક્ષાઓ નહીં યોજવા અંગેની માગણી મૂકી પણ દીધી છે. પૂર્વોત્તર રાજ્યો જેવાકે અસમ, બિહાર વગેરેમાં પૂરની સ્થિતિ પણ ભયાનક છે આવી સ્થિતિમાં પરીક્ષાઓ નોર્મલ સ્થિતિ થાય ત્યારે થવી જોઇએ.

Same in English

A plea in the Supreme Court on Thursday sought postponement of JEE (Main) April 2020 and NEET-Undergraduate examinations, which are scheduled to be conducted in September, amid spurt in the number of COVID-19 cases in the country. While referring to the coronavirus pandemic, the plea has sought quashing of July 3 notices issued by the National Testing Agency (NTA), by which it was decided to conduct Joint Entrance Examination (Main) April 2020 and National Eligibility-cum-Entrance Test (NEET)-Undergraduate exams in September.

The plea, filed by 11 students belonging to 11 states, said that the authorities be directed to conduct these exams only after the normalcy is restored.


As per the public notices issued by the NTA, JEE (Main) April 2020 is scheduled from September 1-6, while NEET UG 2020 exam is scheduled for September 13.

The plea, filed through advocate Alakh Alok Srivastava, has also sought direction to the authorities to increase the number of examination centres for these exams.

“Conducting the aforesaid examination across India at such perilous time, is nothing else but putting lives of lakhs of young students (including petitioners herein) at utmost risk and danger of disease and death. The best recourse at this stage can be to wait for some more time, let COVID-19 crisis subside and then only conduct these exams, in order to save lives of the students and their parents,” the plea said.

It claimed that NTA, which conducts entrance exams for admission in higher educational institutions in India, has decided to conduct JEE (Main) April-2020 through online mode and NEET UG-2020 exams through offline mode at 161 centres across India.


It alleged that NTA has indefinitely postponed the National Council of Hotel Management Joint Entrance Examination-2020, which was scheduled to be conducted on June 22, in wake of the COVID-19 pandemic.


“While deciding to conduct the aforesaid JEE (Main) April-2020 and NEET UG-2020 exams in the month of September, 2020, the respondents (NTA and others) have overlooked that many states have refused to allow conducting of any professional or non-professional exams in their states at this stage and hence the same is likely to cause unimaginable harassment to the petitioners and other similarly situated students,” it said.


“It is respectfully submitted that the students who are well equipped with computer and strong internet connection will give online exams while in other hand the students who are unable to give and arrange online exams, will have to come to exam centres by risking their lives. This is a discrimination between students which must be avoided,” it claimed.
The plea has alleged that concerned authorities have ignored the plight of lakhs of students from Bihar, Assam and north eastern states, which are presently reeling under flood, and conducting either online or offline exams in such places may not be possible.

August 7, 2020
corona-gujarat.jpg
1min5790

અનલોક-3ના છઠ્ઠા દિવસે ગુજરાતના 33 જિલ્લામાં કોરોનાના સંક્રમિતના 1034 કેસ નોંધાતા કુલ પોઝિટિવ આંક 67 હજારને પાર કરીને 67811 થયો છે. આજે ગુજરાતમાં 8 શહેરોમાં 555 અને ગ્રામ્ય વિસ્તારમાં 479 કેસ નોંધાવવા પામ્યા છે. વિતેલા 24 કલાક દરમિયાન ગુજરાતમાં કોરોનાના વધુ 27 દર્દીના મૃત્યુ નિપજવા પામ્યા છે. જેને લઈને ગુજરાતમાં કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીનો આંક 2584 થયો છે. બીજીબાજુ વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 917 દર્દીઓ કોરોનાને મહાત આપવામાં સફળ થતા ડિસ્ચાર્જ દર્દીનો આંક 50 હજારને પાર કરીને 50322 થયો છે આને લઈને ગુજરાતમાં ડિસ્ચાર્જ દર્દીનો આંક વધીને 74.21% થયો છે. રાજ્યમાં હાલ 14905 એક્ટિવ કેસ છે. જેમાં 82 વેન્ટિલેટર પર છે.

વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં નોંધાયેલા 1034 કોરોના સંક્રમિત કેસમાં આજે પણ સુરત પ્રથમ સ્થાને છે. સુરત શહેરમાં 184 અને ગ્રામ્યમાં 54 મળીને કુલ 283, અમદાવાદ શહેરમાં 137′ અને ગ્રામ્યના 14 મળીને કુલ 151, વડોદરામાં 118, રાજકોટમાં 90, જૂનાગઢ અને ભાવનગરમાં 44-44, ગાંધીનગરમાં 32, મહેસાણામાં 34, જામનગરમાં 28, કચ્છમાં 27, ખેડામાં 21, અમરેલી અને પંચમહાલમાં 20-20, ભરૂચમાં 19, સુરેન્દ્રનગરમાં 18, વલસાડમાં 16, ગીર સોમનાથમાં 15, મોરબી અને સાબરકાંઠામાં 14-14, બોટાદમાં 12, દાહોદ અને મહીસાગરમાં 11-11, નવસારીમાં 9, પાટણમાં 7, આણંદ અને નર્મદામાં 6-6, બનાસકાંઠા અને તાપીમાં 2-2 જ્યારે અરવલ્લી, છોટાઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં 1-1 કેસ નોંધાવા પામ્યા છે.
વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કુલ 27 કોરોના દર્દીઓએ તેમના જીવ ગુમાવ્યા છે. તેમાં સૌથી વધુ સુરતમાં 9, અમદાવાદ અને રાજકોટમાં 5-5, વડોદરામાં 3, કચ્છમાં 2 જ્યારે મહેસાણા, વલસાડ અને જામનગરમાં 1-1 વ્યક્તિના મૃત્યુ નોંધાવા પામ્યા છે. જેને લઈને ગુજરાતમાં કોરોનાથી થયેલા મૃત્યુનો આંક 2584 થયો છે.

વિતેલા 24 કલાક દરમિયાન રાજ્યમાં કુલ 24569 લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 9,03,782 લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલની સ્થિતિએ કુલ 14905 એક્ટિવ કેસ છે. જેમાં 82 વેન્ટિલેટર પર અને 14823 સ્ટેબલ છે.