
તા.22મી જુલાઇ 2020ની રાત્રે 8 કલાકે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્રના 8 જિલ્લાઓમાં કોરોનાના નવા 202 કેસો મળી આવ્યા હતા અને કુલ 13 દર્દીઓના મોત નિપજ્યા હતા.
રાજકોટની સ્થિતિ
બુધવાર તા.22મી જુલાઇએ નવા મળેલા કોરોના પોઝીટીવ કેસોમાં રાજકોટ શહેરમાં 43 અને તાલુકાઓમાં 12 મળીને જિલ્લામાં નવા 55 કેસ નોંધાયા હતા.
રાજકોટ શહેરના લક્ષ્મીવાડી, નાના મવા રોડ, કાલાવડ રોડ, એસ્ટ્રોન સોસાયટી, જંકશન પ્લોટ, એરપોર્ટ રોડ, જયરાજ પ્લોટ, યુનિવર્સિટી રોડ, મવડી પ્લોટ, રૈયા રોડ, પ્રહલાદ પ્લોટ, રેલનગર, પંચવટી રોડ, દાસી જીવણપરા, સોની બજાર, કોઠારિયા રોડ, ગાંધીગ્રામ, ન્યુ જાગનાથ સહિતના વિસ્તારમાંથી નવા 41 કેસ નોંધાયા હતા.

સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓની સ્થિતિ
સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાંથી મળેલા કોરોનાના નવા કેસોમાં ભાવનગરમાં 38, જૂનાગઢમાં 31, જામનગર અને ગીર સોમનાથમાં 13-13, સુરેન્દ્રનગરમાં 22,’ અમરેલીમાં 16, બોટાદમાં 14, નવા કેસ નોંધાયા હતા. આ ઉપરાંત છેલ્લા ચોવિસ કલાકમાં રાજકોટમાં 6, જામનગરમાં 4 અને જૂનાગઢમાં 3 દરદીનો કોરોનાએ ભોગ લીધો હતો.
સૌરાષ્ટ્રમાં વિસ્તારવાઇઝ કેસોની નવા સંખ્યા
- રાજકોટમાં 55 કેસ
- જૂનાગઢમાં મહિલા કોર્પોરેટર સહિત 31 પોઝિટિવ
- જામનગરમાં 13 કેસ
- ભાવનગરમાં 38
- સુરેન્દ્રનગરમાં 31
- અમરેલીમાં 16
- બોટાદમાં 14
- ગીર સોમનાથમાં 13 નવા કેસ
અમરેલીની સ્થિતિ
અમરેલી જિલ્લામાં સાવરકુંડલા તાલુકામાં 5, જાફરાબાદમાં 3, રાજુલામાં 3, લાઠી, દામનગર, ખાંભા, બગસરા અને અમરેલીમાં એક-એક કેસ નોંધાતા જિલ્લાનો કુલ આંક 259 થયો હતો.




















