CIA ALERT

Alert Archives - Page 232 of 511 - CIA Live

July 23, 2020
real_cia-1-1280x1022.jpg
1min8410

તા.22મી જુલાઇ 2020ની રાત્રે 8 કલાકે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્રના 8 જિલ્લાઓમાં કોરોનાના નવા 202 કેસો મળી આવ્યા હતા અને કુલ 13 દર્દીઓના મોત નિપજ્યા હતા.

રાજકોટની સ્થિતિ

બુધવાર તા.22મી જુલાઇએ નવા મળેલા કોરોના પોઝીટીવ કેસોમાં રાજકોટ શહેરમાં 43 અને તાલુકાઓમાં 12 મળીને જિલ્લામાં નવા 55 કેસ નોંધાયા હતા.

રાજકોટ શહેરના લક્ષ્મીવાડી, નાના મવા રોડ, કાલાવડ રોડ, એસ્ટ્રોન સોસાયટી, જંકશન પ્લોટ, એરપોર્ટ રોડ, જયરાજ પ્લોટ, યુનિવર્સિટી રોડ, મવડી પ્લોટ, રૈયા રોડ, પ્રહલાદ પ્લોટ, રેલનગર, પંચવટી રોડ, દાસી જીવણપરા, સોની બજાર, કોઠારિયા રોડ, ગાંધીગ્રામ, ન્યુ જાગનાથ સહિતના વિસ્તારમાંથી નવા 41 કેસ નોંધાયા હતા.

સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓની સ્થિતિ

સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાંથી મળેલા કોરોનાના નવા કેસોમાં ભાવનગરમાં 38, જૂનાગઢમાં 31, જામનગર અને ગીર સોમનાથમાં 13-13, સુરેન્દ્રનગરમાં 22,’ અમરેલીમાં 16, બોટાદમાં 14, નવા કેસ નોંધાયા હતા. આ ઉપરાંત છેલ્લા ચોવિસ કલાકમાં રાજકોટમાં 6, જામનગરમાં 4 અને જૂનાગઢમાં 3 દરદીનો કોરોનાએ ભોગ લીધો હતો.

સૌરાષ્ટ્રમાં વિસ્તારવાઇઝ કેસોની નવા સંખ્યા

  • રાજકોટમાં 55 કેસ
  • જૂનાગઢમાં મહિલા કોર્પોરેટર સહિત 31 પોઝિટિવ
  • જામનગરમાં 13 કેસ
  • ભાવનગરમાં 38
  • સુરેન્દ્રનગરમાં 31
  • અમરેલીમાં 16
  • બોટાદમાં 14
  • ગીર સોમનાથમાં 13 નવા કેસ

અમરેલીની સ્થિતિ

અમરેલી જિલ્લામાં સાવરકુંડલા તાલુકામાં 5, જાફરાબાદમાં 3, રાજુલામાં 3, લાઠી, દામનગર, ખાંભા, બગસરા અને અમરેલીમાં એક-એક કેસ નોંધાતા જિલ્લાનો કુલ આંક 259 થયો હતો.

July 23, 2020
real_cia-1280x1022.jpg
1min5750

ગુજરાતમાં ચોમાસાની મોસમનો કુલ સરેરાશ ૩૦૦.૭૮ મીમી વરસાદ નોંધાઇ ચૂક્યો છે. જે છેલ્લાં ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ ૮૩૧ મિમીની સરખામણીએ ૩૬.૨% છે. જોકે વરસાદનું જોર નબળું પડ્યું હોય તેવા આંકડાઓ સામે આવી રહ્યા છે. બુધવારે સવારે પૂરા થતા છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં માત્ર ૩૩ તાલુકામાં જ વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના સરહદી તાલુકા વાવમાં નોંધાયો હતો. અહીં એક ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે રાજ્યના અન્ય તાલુકામાં સુરત શહેરમાં ૧૮ મિમી, વડોદરાના પાદરામાં ૧૭ અને કચ્છના નખત્રાણામાં ૧૪ મિમી વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં ચાલુ વર્ષે અંદાજીત ૬૪.૨૮ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે.

આઇએમડી દ્વારા પી.પી.ટી રજૂ કરી આગામી સમયમાં તા.૨૧ થી ૨૩ જુલાઈ દરમ્યાન ગુજરાતમાં વરસાદ થવાની શકયતા નહિવત છે તેમ જણાવ્યું છે. તા.૨૪મી જુલાઈ-૨૦૨૦ના દિવસે સામાન્ય વરસાદ થઇ શકે છે. કોઇ ભારે વરસાદ થવાની શકયતા જણાતી નથી. તા.૨૫મી જુલાઈ-૨૦૨૦ના રોજ દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરા નગર હવેલી વિસ્તારમાં હળવાથી સામાન્ય વરસાદ થવાની શકયતા છે. તેમજ સૌરાષ્ટ્ર વિસ્તારમાં અમરેલી, ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થવાની શકયતા છે.

કૃષિ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં ચાલુ વર્ષે તા. ૨૦મી જુલાઈ-૨૦૨૦ સુધીમાં અંદાજીત ૬૪.૨૮ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન ૫૩.૧૩ લાખ હેક્ટર વાવેતર થયું હતું.

આ વર્ષે છેલ્લાં ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૭૫.૭૨% વાવેતર થયું છે. જ્યારે રાજયનાં ૨૦૫ જળાશયોમાં હાલમાં કુલ સંગ્રહ ૨૭૦૬૨૮ એમ.સી.એફ.ટી છે. જે કુલ સંગ્રહ શકિતના ૪૮.૬૦% છે. હાલમાં વરસાદ ન હોઇ જળાશયોમાં કોઇ નોંધનીય આવક નોંધાયેલ નથી અને હાલમાં કોઇ જળાશય એલર્ટ ૫ર નથી.

July 23, 2020
serum_punawala.jpg
1min5440

જથ્થાની દૃષ્ટિએ વિશ્ર્વમાં સૌથી વધુ રસીનું ઉત્પાદન કરતી કંપની સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા (એસઆઈઆઈ)ને આશા છે કે તે આ વર્ષના ઑક્ટોબર-નવેમ્બર સુધીમાં કોરોનાની રસી વિકસાવી લેશે, એમ કંપનીના સીઈઓ પુનાવાલાએ બુધવારે કહ્યું હતું.

યુનિવર્સિટી ઑફ ઑક્સફર્ડ દ્વારા વિકસાવવામાં આવેલી પ્રાયોગિક કોવિડ-૧૯ રસી કૅન્ડિડેટનું ઉત્પાદન કરવા સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયાએ બાયોફાર્માસ્યૂટિકલ કંપની ઍસ્ટ્રાઝેનેકા સાથે ભાગીદારી કરી છે.

કંપનીએ સ્વતંત્ર રીતે વિકસાવેલી ન્યુમોકોક્કલ રસીનાં ઉત્પાદન માટે ડીસીજીઆઈએ મંજૂરી આપી દીધી છે.

વીડિયો કૉન્ફરન્સ મારફતે ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયક સાથે કરેલી વાતચીતમાં પુનાવાલાએ કહ્યું હતું કે આ વર્ષના ઑક્ટોબર-નવેમ્બર સુધીમાં કોરોનાની રસી વિકસાવી લેવાની અમને આશા છે.

ટ્રાયલનો હવે પછીનો તબક્કો ઑગસ્ટના મધ્યમ શરૂ થાય એવી શક્યતા હોવાનું તેમણે કહ્યું હતું.

ટ્રાયલને પ્રથમ તબક્કામાં ઑક્સફર્ડ યુનિવર્સિટીની રસીએ આશાસ્પદ પરિણામો આપ્યાં હોવાનું તેમણે કહ્યું હતું.

એક વખત રસી તૈયાર થઈ જાય અને તેનેે મંજૂરી મળી જાય ત્યાર બાદ રાજ્ય સરકાર અને એસઆઈઆઈએ જોડાણ આગળ વધારવું જોઈએ, એમ તેમણે કહ્યું હતું.

કોરોનાની રસી વિકસાવવા માટે એસઆઈઆઈએ ઑકસફર્ડ યુનિવર્સટી સાથે કરેલી ભાગીદારી અંગે પટનાયકે આનંદ વ્યક્ત કર્યો હતો અને તાજેતરમાં જ કોરોનાની રસી અંગે પ્રગટ થયેલા આશાસ્પદ પરિણામો અંગે તેમણે પુનાવાલાને અભિનંદન આપ્યાં હતાં.

દરમિયાન, ભારત દ્વારા સ્વતંત્ર રીતે વિકસાવવામાં આવેલી કોરોનાની રસીના માનવ પર ક્લિનિકલ ટ્રાયલ માટેની સ્ક્રિનિંગ પ્રક્રિયા ભુવનેશ્ર્વરસ્થિત ઈન્સ્ટિટ્યૂટ ખાતે આરંભી દેવામાં આવી છે.

આઈસીએમઆર દ્વારા પસંદ કરવામાં આવેલા ૧૨ કેન્દ્રમાંથી એક કેન્દ્ર ખાતે આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.

July 23, 2020
mukesh_ambani.jpg
1min6530

વિશ્વસ્તરે ભારતીય બિઝનેસ મેન મુકેશ અંબાણી એક પછી એક સિદ્ધિઓ મેળવતા જાય છે. હાલમાં જ જૂલાઇના બીજા અઠવાડિયે એટલે 14 જૂલાઇના રોજ મુકેશ અંબાણી વિશ્વના છઠ્ઠા સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા, એ સમયે તેમની કુલ સંપત્તિ 72.4 અબજ ડોલર હતી. હવે 22 જૂલાઇએ એક ક્રમ આગળ આવીને તેઓ વિશ્વના પાંચમા સૌથી પૈસાદાર વ્યક્તિ બની ગયા છે. આઠ જ દિવસમાં તેમની સંપત્તિમાં 2.6 અબજ ડોલરનો વધારો થયો છે. 

ઉલ્લેખનીય છે કે, વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાં 185.8 અબજ ડોલરની કુલ સંપત્તિ સાથે જેફ બેજોસ પહેલા સ્થાને, 113.1 અબજ ડોલરની કુલ સંપત્તિ સાથે બિલ ગેટ્સ બીજા સ્થાને, 112 અબજ ડોલરની કુલ સંપત્તિ સાથે બનોર્ડ અનોલ્ટ એન્ડ ફેમિલી ત્રીજા ક્રમે, 89 અબજ ડોલરની કુલ સંપત્તિ સાથે ફેસબુકના માર્ક ઝુકરબર્ગ ચોથા ક્રમે છે. 

મુકેશ અંબાણીની કુલ સંપત્તિ ઝુકરબર્ગથી 14.4 અબજ ડોલર ઓછી છે. અંબાણી પછી 72.7 અબજ ડોલરની સંપત્તિ સાથે વોરન બફેટ છઠ્ઠા સ્થાને છે, એ પછી લૈરી એલિસિન સાતમા, એલન મસ્ક આઠમાં ક્રમે, સ્ટીવ બાલ્મર નવમા સ્થાને અને લૈરી પૈજ દસમા ક્રમે છે. 

July 23, 2020
corona-gujarat.jpg
1min4480

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ મહાનગરોની સાથોસાથ હવે ગ્રામ્ય વિસ્તારોમાં અમર્યાદિત રીતે પ્રસરી રહ્યું છે. છેલ્લા ચોવીસ કલાકમાં વધુ ૧૦૨૦ નવા પોઝિટિવ કેસ મળ્યા છે જ્યારે સારવાર હેઠળના ૨૮ દર્દીઓના કોવિડ-૧૯ સંક્રમણથી મૃત્યુ થયા હોવાનું સરકારે સત્તાવાર રીતે જાહેર કર્યું છે. આ કેસોમાં સૌથી વધારે આઠ મહનગરોના ૫૫૦ કેસ અને ૧૭ મૃત્યુ છે જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ૪૬૮ કેસ અને ૧૧ દર્દીના મૃત્યુ નોંધાયા છે.

કોરોનાથી સૌથી વધારે ચેપગ્રસ્ત થયેલા સુરત મહાનગરમાંથી નવા ૨૦૧ દર્દીઓ નોંધાયા છે. જ્યારે જિલ્લાઓના નગરો, ગામોમાંથી નવા ૫૫ દર્દી ઉમેરાયા છે. જોકે, છેલ્લા વીસ દિવસથી ગંભીર સ્થિતિનો સામનો કરતાં સુરત શહેરના જ વધુ ૧૨ દર્દી તેમજ જિલ્લાના ૭ મળી ૧૯ દર્દીઓના સંક્રમણના કારણે મૃત્યુ થયા છે. આ પછી અમદાવાદ મહાનગરમાં નવા ૧૮૧ કેસ મળ્યા છે જ્યારે જિલ્લામાંથી નવા ૧૫ કેસ ઉમેરાયા છે. મહાનગરના વધુ ૩ દર્દીના કોવિડથી મૃત્યુ થયાનું જાહેર કરાયું છે.

અમદાવાદની જેમ હવે વડોદરામાં સૌથી સંક્રમિત નાગરવાડામાંથી નવા કેસ ઉમેરાતા ઘટીને નહીવત થયા છે પરંતુ નવા વિસ્તારોમાંથી રોજેરોજ નવા કેસ મળી રહ્યા છે. મહાનગરમાંથી ૬૨ કેસ મળ્યા છે તો જિલ્લાના ૧૮ કેસ નવા આવ્યા છે. મહાનગરમાં એક દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયાનું જાહેર કરાયું છે. સૌરાષ્ટ્રના ચાર મહાનગરોમાં જોઇએ તો રાજકોટમાંથી નવા ૪૮ કેસ નોંધાયા છે જ્યારે જિલ્લામાંથી ૧૨ કેસ આવ્યા છે. ભાવનગરમાં ૨૨ મળી કુલ ૩૮ કેસ નોંધાયા છે. જૂનાગઢ શહેરમાંથી ૨૦ નવા કેસ અને જિલ્લામાંથી ૧૦ કેસ નોંધાયા છે. શહેર અને જિલ્લામાં એક એક દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ થયા હોવાનું સત્તાવાર રીતે જાહેર કરાયું છે. જામનગર શહેરમાંથી ૧૨ મળી કુલ પંદર કેસ નવા ઉમેરાયા છે.

અમદાવાદમાં કોટ વિસ્તારમાંથી કેસની સંખ્યા નહીવત થઇ ગઇ છે એ જ રીતે પૂર્વમાંથી ધીમે ધીમે કેસ ઘટી રહ્યા છે પરંતુ પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ ઝોનમાં રોજેરોજ કેસની સંખ્યા વધી રહી છે આને કારણે શહેરમાં છેલ્લા દસ દિવસ કરતાં વધુ સમયથી માઇક્રો કન્ટેન્ટમેન્ટ એરિયાની સંખ્યા બસ્સોની ઉપર જળવાઇ રહી છે. હવે મહાનગરમાં પોશ ગણાતા બોપલ, ઘુમા, આંબલીનો સમાવેશ થયો હોવાથી એના કેસ ગણાય છે. જ્યારે જિલ્લાના ધોળકા, બાવળા, સાણંદ, દસક્રોઇ, વિરમગામ જેવા તાલુકાના ગામડાઓમાંથી નવા પંદર કેસ ઉમેરાયા છે.

ભરૂચમાં અંકલેશ્વર, વાગરા, જંબુસર સહિતના તાલુકાઓમાંથી રોજેરોજ કેસ આવી રહ્યા છે નવા ૨૭ કેસ ઉમેરાયા છે. તો દાહોદ શહેર અને લીમખેડા સૌથી વધારે સંક્રમિત બન્યા છે. આને લીધે નવા ૨૭ કેસ નોંધાયા છે. મહેસાણામાં વિસનગર, ઊંઝા, બેચરાજી, કડી અને મહેસાણા નગરમાંથી નવા ૨૪ કેસ ઉમેરાયા છે. ગીર સોમનાથ, કચ્છમાંથી ૨૧-૨૧ કેસ નોંધાયા છે.

July 22, 2020
kankrapar.jpg
2min9550

22/7/20 સવારે 9.36 કલાકે : કાંકરાપારમાં રચાયો ઇતિહાસ : KAPP-3 રિએક્ટર કાર્યાન્વિત

Jayesh Brahmbhatt 98253 44944

કોવીડ-19 પેન્ડેમિકના સમયગાળામાં એટોમિક પાવર ક્ષેત્રમાં ભારતે બહુ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ સિદ્ધીને કારણે સુરતનું નામ હાલ વિશ્વભરમાં ચર્ચાઇ રહ્યું છે. આ સિદ્ધી છે સુરત જિલ્લામાં આવેલા કાંકરાપાર એટોમિક પાવર સ્ટેશન ખાતે KAPP-3 રિએક્ટર તૈયાર કરવાની અને તા.22મી જુલાઇ એટલે કે આજે પ્રથમ વખત તેનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું.

કાંકરાપાર એટોમિક પાવર સ્ટેશન સાઇટની ફાઇલ તસ્વીર

ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી દ્વારા સુરતના કાંકરાપાર ખાતે કાર્યાન્વિત કરવામાં આવેલા આ સંપૂર્ણપણે સ્વદેશી ટેકનિકથી તૈયાર કરાયેલા હેવીડ્યુટી રીએક્ટર અંગેની જાણકારી ટ્વીટ કરીને આપવામાં આવી છે.

કાંકરાપાર એટોમિક પાવર સ્ટેશન સાઇટ ખાતે જ તૈયાર કરવામાં આવેલા KAPP-3 રિએક્ટરની ડિઝાઇન ભારતીય વૈજ્ઞાનિકો અને એન્જિનયરોએ જ તૈયાર કરી આપી છે. નિર્માણ કાર્યમાં પણ સંપૂર્ણ સ્વદેશી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને સૌથી મોટી ઉપલબ્ધી એ છે કે આ સ્વચાલિત એવો પ્રોજેક્ટ છે જેની કેપેસિટી 700 મેગોવૉટની છે.

ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી, ભારત સરકારે આપી માહિતી

કયા દેશ પાસે કેટલાક ન્યુક્લિયર રિએક્ટર્સ

પી.એમ. મોદીએ ટ્વીટ કરીને અભિનંદન આપ્યા

Read Also

July 22, 2020
breaking_CIA-1280x831.jpg
2min65210

શાળાએ કરેલો શિક્ષકો-કર્મચારીઓનો વેતન ખર્ચ હવે પછી ફી નિર્ધારણમાં ધ્યાને લેવાશે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે તા.16 જુલાઇ 2020ના રોજ જારી કરેલા એક પરીપત્રમાં સ્પષ્ટ આદેશો આપ્યા છે જે અત્રે પ્રસ્તુત છે.

  • ગુજરાતમાં શાળાઓ વાસ્તવિક રીતે શરૂ ન થાય ત્યાં સુધી સ્કુલ સંચાલકો એક પણ રૂપિયાની ફી વસુલ કરી શકશે નહીં.
  • જે સ્કુલોએ ચાલુ વર્ષે વાલીઓ પાસેથી ફી વસૂલ કરી લીધી છે, એડવાન્સમાં ફી ભરાવી દીધી છે તેમને ફી સરભર કરી આપવાની રહેશે.
  • શાળાઓ કોઇપણ પ્રકારની ઇતર પ્રવૃતિની ફી વસૂલ કરી શકશે નહીં. જે પ્રવૃત્તિ થતી નથી તે પ્રવૃતિની ફી વસુલ કરી શકાશે નહીં.
  • શાળાઓને શિક્ષકો, કર્મચારીઓના વેતનનો જે ખર્ચ થયો છે તે વાસ્તવિક ખર્ચ હવે પછીના ફી નિર્ધારણ વખતે ધ્યાનમાં લેવામાં આવશે.
  • 2020-21ના શૈક્ષણિક વર્ષમાં સંચાલકોએ કોઇપણ પ્રકારની ફી વસૂલ કરવાની રહેશે નહીં.
  • 30મી જુન 2020 સુધીની ફી નહીં ભરનાર વાલીના સંતાનોને સ્કુલમાંથી દૂર કરી શકાશે નહીં.

રાજ્યના શિક્ષણ વિભાગના પરિપત્રની પીડીએફ ફાઇલ માટે વ્હોટ્સ એપ કરો 98253 44944

Also Read

July 22, 2020
corona-gujarat.jpg
1min4970

ગુજરાતમાં કોરોના સંક્રમણનો પહેલો કેસ નોંધાયાના ૧૨૫મા (21મી જુલાઇ 2020) દિવસે નવા વિક્રમી ૧૦૨૬ કેસ ઉમેરાતા કુલ આંક અડધા લાખને પાર થઇ ૫૦૪૬૫ સુધી પહોંચી ગયા છે એ જ રીતે છેલ્લા પખવાડિયાથી સતત ઘટી રહેલા મૃત્યુ આંકમાં ચોવીસ કલાકમાં જ એક સાથે ૩૪ દર્દીના કોવિડ-૧૯ના મૃત્યુ થતાં હડકંપ મચી ગયો છે. સૌથી વધારે મૃત્યુ સુરતમાં ૨૧ નોંધાયા છે જ્યારે અમદાવાદમાં ૬ દર્દીના મૃત્યુ જાહેર કરાયા છે.

આ સિવાય ભાવનગર અને જામનગર મહાનગરોમાં તેમજ ગીર સોમનાથ, પાટણ અને કચ્છ જિલ્લામાં પણ એક એક દર્દીના મૃત્યુ થયા છે. આઠ મુખ્ય મહાનગરોમાંથી ૫૭૬ અને જિલ્લાઓમાંથી ૪૫૦ કેસ નવા ઉમેરાયા છે. આમ, ગ્રામ્ય વિસ્તારમાં સંક્રમણ વ્યાપક બની રહ્યું છે.

૧૯ માર્ચે રાજ્યમાં કોરોનાના કેસની ગુજરાતમાં વિધિવત એન્ટ્રી થઇ હતી. આ તીવ્ર અને ખતરનાક મીજાજ ધરાવતા વાયરસથી રાજ્યમાં મૃત્યુ પામાનર દર્દીઓની સંખ્યા ૨૨૦૧ થઇ ગઇ છે અલબત્ત, છેલ્લા ચોવીસ કલાકમાં ૭૪૪ દર્દીઓના ડિસ્ચાર્જ સાથે કુલ રિવકર થનાર દર્દીઓની સંખ્યા પણ ૩૬૪૦૩ સુધી પહોંચી છે.

છેલ્લા ચોવીસ કલાકમાં સુરત મહાનગરમાંથી ૨૨૫ નવા કેસ અને જિલ્લામાંથી ૭૩ કેસ મળી આવ્યા છે જ્યારે શહેરમાં સારવાર હેઠળના ૧૪ દર્દીઓ તેમજ જિલ્લાના ૭ મળી ૨૧ દર્દીઓના મૃત્યુ કોવિડથી થયાનું સરકારે સ્વીકાર્યું છે. અમદાવાદમાં જિલ્લાના ૧૨ કેસ, એક મૃત્યુ તેમજ મહાનગરના ૧૮૭ કેસ અને પાંચ દર્દીના મૃત્યુ મળી કુલ ૧૯૮ કેસ અને ૬ના મૃત્યુ જાહેર કરાયા છે. અલબત્ત, આ બન્ને જિલ્લામાંથી અનુક્રમે વધુ ૧૭૩ તેમજ ૨૦૫ દર્દીઓ ડિસ્ચાર્જ પણ થયા છે.

વડોદરા શહેરમાંથી નવા ૬૦ કેસ સાથે જિલ્લાના મળી કુલ ૭૫ કેસ ઉમેરાયા છે તો રાજકોટમાં ૪૫ સાથે કુલ ૫૮ કેસ નોંધાયા છે. ભાવનગરમાંથી નવા ૨૬ કેસ અને એક દર્દીના મૃત્યુ નોંધાયા છે આ સિવાય જિલ્લામાંથી ૧૨ નવા દર્દી સંક્રમિત હોવાનું જાહેર કરાયું છે. જામનગરમાંથી નવા ૧૬ કેસ આવ્યા છે અને એક દર્દીનું મૃત્યુ થયું છે. જિલ્લાના નવા ચાર કેસ નોંધાયા છે. ગાંધીનગર મહનગરમાંથી ૧૨ અને જિલ્લાના ૧૯ કેસ નવા છે જ્યારે જૂનાગઢમાં પાંચ મળી કુલ ૧૨ કેસ ઉમેરાયા છે.

દક્ષિણ-મધ્ય ગુજરાતમાં વલસાડ, નવસારી, પછી હવે દાહોદ જિલ્લામાં એક સાથે ૩૯ કેસ મળી આવ્યા છે. બનાસકાંઠામાંથી ૨૫, સુરેન્દ્રનગરમાંથી ૨૧, પાટણ ૨૦, નર્મદા ૧૯,  ગીર સોમનાથ અને મહેસાણા ૧૮-૧૮, નવસારી અને પંચમહાલ ૧૭-૧૭, ભરૂચ ૧૬, ખેડા ૧૪, વલસાડ ૧૩, કચ્છ ૯, આણંદ અને બોટાદ ૮-૮, અમરેલી ૭, મહીસાગર, મોરબીમાંથી ૬-૬, સાબરકાંઠામાંથી ૫, તાપી ૪, પોરબંદરમાંથી ૨ અને અરવલ્લી, ડાંગ અને દેવભૂમિ દ્વારકામાંથી ૧-૧ કેસ મળ્યો છે.

છેલ્લા ચોવીસ કલાકમાં ૧૩૬૯૩ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ૫,૬૨,૬૮૨ ટેસ્ટ કરવામાં આવ્યા છે. હાલ ૧૧૮૬૧ એક્ટિવ કેસ છે એમાંથી ૮૨ વેન્ટીલેટર ઉપર છે અને ૧૧૭૭૯ સ્ટેબલ છે.

July 21, 2020
mask_valve.jpg
1min9550

કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગે દેશભરના દરેક રાજ્યોના આરોગ્ય વિભાગોને પત્ર લખીને જણાવ્યું છે કે વાલ્વાવાળા માસ્કની જગ્યાએ નાગરીકો કપડાના બનેલા ત્રણ સ્તર (ત્રિપલ લેયર) માસ્કનો ઉપયોગ કરીને કોરોના સંક્રમણથી બચી શકે છે.

સિમ્બોલિક ફોટો. કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે કે માસ્ક પર ઉપરોક્ત દર્શાવેલા ફોટો જેવા કોઇપણ પ્રકારના વાલ્વ કે એર ફિલ્ટર લગાડેલા હોય તો એ સંક્રમણને રોકતા નથી પણ ફેલાવી જરૂર શકે છે. આવા માસ્ક નહીં પહેરવા માટે દેશભરમાં જનજાગૃતિ લાવવામાં આવી રહી છે.

હાલમાં વાલ્વવાળા માસ્ક અંગે નાગરીકોમાં ભારે ગેરસમજ પ્રવર્તી રહી છે. ઘણાં લોકો વાલ્વવાળા માસ્કને સુરક્ષિત ગણી રહ્યા છે. ઘણાં ફેશનમાં વાલ્વવાળા માસ્ક પહેરે છે. હકીકતમાં વાલ્વવાળા માસ્ક સંક્રમણને રોકી નહીં પણ ફેલાવી શકે તેટલા જોખમી છે.

વાલ્વવાળા માસ્કમાં જ્યારે એ પહેરનાર વ્યક્તિ શ્વાસ બહાર કાઢે છે ત્યારે વાલ્વ ખુલ્લા થઇ જાય છે અને જો એ પહેરનાર વ્યક્તિ એસિમ્ટમેટિક વાઇરસ કરીયર હોય તો અનેક લોકોને એ સંક્રમિત કરી શકે. આમ વાલ્વવાળા માસ્ક સંક્રમણને રોકતા નથી પણ ફેલાવી જરૂર શકે છે.

દેશના આરોગ્ય મંત્રી ડૉ.હર્ષ વર્ધને ટ્વીટ કરીને અનુરોધ કરવો પડ્યો

કેન્દ્રએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને વાલ્વવાળા એન-95 માસ્ક પહેરવાની વિરુદ્ધ ચેતવણી જાહેર કરીને જણાવ્યું છે કે, આનાથી વાયરસનો ફેલાવો અટકતો નથી. અને કોવિડ-19 મહામારીને રોકવા માટે લેવામાં આવેલા પગલાની વિરુદ્ધ છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયમાં સ્વાસ્થ્ય સેવા ડિરેક્ટર રાજીવ ગર્ગે રાજ્યોને સ્વાસ્થ્ય અને ચિકિત્સા શિક્ષણ બાબતના પ્રધાન સચિવોને પત્ર લખીને જણાવ્યું છે કે, સામે આવ્યું છે કે સ્વાસ્થ્યકર્મીઓને જગ્યાએ લોકો એન-95 માસ્કનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે, ખાસ કરીને જેમાં વાલ્વ હોય છે. 

તેમણે જણાવ્યું છે કે, તમારા ધ્યાનમાં લાવવામાં આવે છે કે વાલ્વવાળા એન-95 માસ્કો કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે ઉઠાવવામાં આવેલા પગલાની વિરુદ્ધ છે કેમકે માસ્ક બહારથી આવતા વાયરસને રોકી શકતો નથી. આને ધ્યાનમાં રાખીને હું તમને અપીલ કરું છું કે તમામ સંબંધિત લોકોને આદેશ આપે કે તેઓ ફેસ/ માઉથ કવરના ઉપયોગનું પાલન કરે અને એન-95 માસ્કના ખોટા ઉપયોગને રોકે. 

Also Read

July 21, 2020
CRP_Driving-1-1280x853.jpg
2min15460

નેતાઓ જેની ‘ગાડી’માં બેસવાથી કતરાતા, એ CR પાટીલ હવે BJPની ડ્રાઇવિંગ સીટ પર !!

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

1995માં સુરતના સાંસદ અને ભાજપના કદાવર નેતા કાશીરામ રાણાનો દબદબો હતો. સાંસદ પણ હતા અને ગુજરાત પ્રદેશ પ્રમુખ પણ. કાશીરામ રાણા એ પછી વાજપેયીજીની આગેવાની હેઠળની એન.ડી.એ. સરકારમાં કેબિનેટ મિનિસ્ટર બન્યા. કાશીરામ રાણા જ્યાં સુધી સાંસદ રહ્યા ત્યાં સુધી તેમને ફાળવવામાં આવેલી નવી દિલ્હીના નોર્થ એવેન્યુ બંગલા નં.213માં રહેતા હતા. આ બંગલો ગુજરાતના નેતા માટે કહેવાય છે કે ખુબ શુકનિયાળ છે.

લોકો જેમની ગાડીમાં બેસવાનું પસંદ કરતા ન હતા એ સી.આર. પાટીલ હવે ગુજરાત બીજેપીની ડ્રાઇવિંગ સીટ પર પહોંચી ગયા છે

આ તસ્વીર ઘણી સૂચક છે. 19 જુલાઇ પહેલાનો સમય એવો હતો કે સ્થાનિક ભાજપી નેતાઓ સી.આર. પાટીલની ગાડીમાં (અહીં ગાડીનો અર્થ સાથે રહેવું સમજવો) બેસવા રાજી ન હતા, એ લોકોએ હવે સી.આર. પાટીલની ડ્રાઇવિંગ સીટ સાથે ભાજપની ગાડીમાં બેસવું પડશે. (CiA Live)

કાશીરામ રાણાની સાંસદ પદેથી એક્ઝિટ થઇ અને 2009માં એક સમયના તેમના ખાસ સી.આર. પાટીલની નવસારીના સાંસદ તરીકે લોકસભામાં એન્ટ્રી થઇ. સી.આર. પાટીલે ખુદ જણાવેલી વાત અનુસાર સાંસદ તરીકે તેમને દિલ્હી ખાતે એલોટ કરવામાં આવતા નિવાસ સ્થાન માટે સી.આર. પાટીલે આગ્રહ કરીને નોર્થ એવન્યુ બંગલા નં.213 જ પોતાના નામે એલોટ કરાવ્યો હતો.

આજે પણ નવસારી સાંસદ તરીકે સી.આર. પાટીલ ભલે નર્મદા ભવન ખાતે રહેતા હોય પરંતુ, તેમણે નોર્થ એવન્યુ 213 નંબરનો બંગલો પોતાના નામે જ એલોટ રખાવ્યો છે.

હિસ્ટ્રી રિપીટ થાય એમ સી.આર. પાટીલની તા.20મી જુલાઇ 2020 ને સોમવતી અમાસના દિવસે ગુજરાત પ્રદેશ ભાજપાના પ્રમુખ પદે નિમણૂંક પામ્યા અને આજરોજ તા.21મી જુલાઇને મંગળવારે શ્રાવણ માસના પહેલા દિવસે તેઓ ગુજરાત બીજેપી ચીફ તરીકે ચાર્જ અખત્યાર કરી રહ્યા છે.

કહેવાનું તાત્પર્ય એ છે કે કાશીરામ રાણા હોય કે સી.આર. પાટીલ દિલ્હીના નોર્થ એવન્યુ બંગલા નં.213માં જે રહ્યા છે એ ગુજરાતના રાજકારણમાં ટોચે પહોંચ્યા છે એ બાબત હકીકત સ્વરુપે દોહરાઇ ચૂકી છે.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના માજી પ્રમુખ અને સુરતના જાણિતા ઉદ્યોગપતિ પરેશ પટેલ સતત સી.આર. પાટીલની પડખે રહ્યા. (CiA Live)

સી.આર. પાટીલને જ્યારે જ્યારે કોર્નર કરીને એકલા અટૂલા પાડવાનો પ્રયાસ થયો ત્યારે તેઓ અકલ્પ્ય પોઝીશન સાથે બહાર આવ્યા

સી.આર. પાટીલને સમજવામાં તેમના રાજકીય હરીફોએ ભારે થાપ ખાધી છે. ગુજરાત ભાજપના કેટલાક સંગઠનના નેતાઓએ કદાચ સી.આર. પાટીલનો રાજકીય ઇતિહાસ તપાસી જોયો હોત તો એક હિંટ જરૂર મળી હોત કે જ્યારે જ્યારે સી.આર. પાટીલને ઇગ્નોર કરવામાં આવ્યા ત્યારે ત્યારે તેઓ પાવરફુલ થઇને બહાર આવ્યા છે.

રાજનીતિમાં દુશ્મનાવટ એવી થતી હોય છે કે એ બીજાનું વજુદ ખતમ કરી દેવા સુધીની પેંતરાબાજી રોજેરોજ જોવા મળે. સી.આર. પાટીલને સ્પર્શે છે ત્યાં સુધી એક સમયમાં ગુજરાતના કદાવર નેતા તરીકે જેમનું નામ બોલાતું એ સુરતના કાશીરામ રાણા સાથે તેમને અબોલા થયા, દુશ્મનાવટ થઇ એક સમયના પાક્કા વિશ્વાસુ રાજકીય દુશ્મન બન્યા એ સમયે સી.આર. પાટીલના કપરા દિવસો હતા. ડાયમંડ જ્યુબિલી બેંક ડિફોલ્ટ થઇ અને એના અનુસંધાનમાં સી.આર. પાટીલ જેલમાં ગયા. એ સમય હતો કે જ્યારે સુરત અને દક્ષિણ ગુજરાતમાં સી.આર. પાટીલ સાફ થઇ ગયાની વાતો ચાલી હતી. પણ સૌના આશ્ચર્ય વચ્ચે સી.આર. પાટીલે 2009માં નવસારી બેઠકના ભાજપાના ઉમેદવાર તરીકે રીએન્ટ્રી કરી.

હાલમાં પણ સુરત ભાજપામાં સી.આર. પાટીલને સાંસદ અને દિગ્ગજ નેતા હોવા છતાં કોર્નર કરવાના અનેક પ્રયાસો થયા. ભાજપના સંગઠનના નેતાઓ સી.આર. પાટીલને ઇગ્નોર કરવાની એકેય તક જતી કરતા ન હતા. આખા બોલા સી.આર. પાટીલે અનેક પ્રસંગોએ પોતાના દુશ્મનોને જાહેરમાં સંભળાવી પણ દીધું હતું. એવું કહેવામાં આવી રહ્યું હતું કે સી.આર. પાટીલની હવે આ છેલ્લી ટર્મ છે અને હવે તેમનો હાથ કોઇ પકડશે નહીં. આવી વાતો વચ્ચે ગુસ્તાખ ભાજપના કેટલાક નેતાઓને તા.20મી જુલાઇને સોમવતી અમાસે એવો ઝાટકો લાગ્યો કે હવે તેમને પોતાનું ભવિષ્ય જ અંધકાર મય લાગી રહ્યું છે.

સી.આર. પાટીલને એટલા અટૂલા કરી દેવાયા કે કોઇ પદ પર લોબિંગ કરવા માટે સી.આર. પાટીલ પાસે મજબૂત દાવેદારનું નામ ન હતું

સી.આર. પાટીલ માટે છેલ્લા બે વર્ષ સુરત, દક્ષિણ ગુજરાતમાં એટલા કપરાં ચઢાણ જેવા રહ્યા કે તેમને તેમના રાજકીય વિરોધીઓએ ભાજપામાં જ એટલા અટૂલા પાડી દીધા હતા કે તેઓ કોઇ પદ પર પોતાની વ્યક્તિનું નામ રજૂ કરે તેવો સમખાવા પૂરતો એકેય નેતા તેમની સાથે ન હતો. તેમની નજીકના સેકન્ડ કેડરના નેતાઓ સી.આર. પાટીલને જ પોતાના હરીફ ગણવા માંડ્યા હતા. સુરત ભાજપ સંગઠનમાં કે સરકારમાં કોઇ પદ આપવા માટે સી.આર. પાટીલ પાસે દાવો કરવા માટે માથા બાકી બચ્યા ન હતા એવી સ્થિતિ સુધી તેમની અવગણના કરવામાં આવી હતી.

છેલ્લે છેલ્લે તો હર્ષ સંઘવી સિવાય મોટા ભાગના નેતાઓએ સી.આર. પાટીલથી ડિસ્ટન્સ બનાવી લીધું હતું

કોરોના કાળ હોય કે એ પહેલેથી સુરતમાં સી.આર. પાટીલ અને હર્ષ સંઘવીની જોડીએ ભાજપ સંગઠન અને સરકાર બન્ને માટે લોકલ (સુરત, અમદાવાદ)થી લઇને અમેરીકા સુધીના કાર્યક્રમોમાં ખભેખભા મિલાવીને કામ કર્યા. (CiA Live)

વર્તમાન સમયમાં નવસારીના સાંસદ અને સુરતના નેતા સી.આર. પાટીલ માટે કહેવાય છે કે પોતાના ઘર (ભાજપ)માં જ ચોમેર વિરોધીઓનો સામનો કરવાનો સમય આવ્યો હતો. સુરતમાં એક માત્ર હર્ષ સંઘવી સિવાય મોટા ભાગના નેતાઓએ સી.આર. પાટીલ સાથે ડિસ્ટન્સ બનાવી લીધું હતું. સી.આર. પાટીલ માટે અણગમો કહો, સી.આર. પાટીલના એરોગન્સથી નારાજગી હોય, સી.આર. પાટીલની કામ કરવાની પદ્ધતિથી નારાજગી હોય ભગવાન જાણે પણ ભાજપાના નેતાઓ સી.આર. પાટીલથી દૂર રહેવાનું પસંદ કરતા હતા. પણ હવે જ્યારે પ્રદેશ પ્રમુખ બની ચૂક્યા છે ત્યારે તેમણે મને કમને પણ તેમને અપનાવવા રહ્યા.