વિશ્વમાં પરોપકારી વૃતિ એટલી બધી વધી ગઇ છે કે કોઇએ પોતાનો ધંધો-રોજગાર કરવો નથી અને બીજાનું જ ભલું કરવું છે. અને હાલમાં ભારત અને હવે તો વિશ્વમાં ભારતના ધો.12 સાયન્સના વિદ્યાર્થિઓ પર ઉપકાર કરવાની વૃતિ સાથે એક અભિયાન છેડાયું છે કે NEET/JEE જેવી પરીક્ષાઓ કોવીડ-19 અને અતિવૃષ્ટી, પૂરજનક સ્થિતિમાં મુલતવી રાખી દેવી જોઇએ.
ભારતમાં કહેવાતા બીજેપીના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ સોશ્યલ મિડીયામાં પલિતો ચાંપ્યો હતો કે NEET/JEEને વર્તમાન સંજોગોમાં મુલતવી રાખવા જોઇએ. એ પછી દિલ્હીના ડેપ્યુટી મુખ્યમંત્રી મનીષ સિસોદીયા, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ( મોટા ભાગના મોદી વિરોધી નેતાઓ)એ NEET/JEE મુલતવી રાખવા માટે સોશ્યલ મિડીયામાં પોસ્ટ મૂકી દીધી છે. આ બધા નેતાઓને ભારતના ધો.12ના વિદ્યાર્થીઓની એટલી ફિકર છે કે કોઇપણ સંજોગોમાં NEET/JEE મુલતવી રાખવા માટે હવે તેઓ છેલ્લી લડાઇ લડી લેવા તૈયાર થયા છે.
બીજી તરફ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્લાઇમેટ માટે બ્રિટનની સ્કુલોમાં હડતાળ પડાવી ચૂકેલી ઇન્ટરનેશનલ એન્વાયરન્મેન્ટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ સુધી NEET/JEEનો મુદ્દો પહોંચાડીને તેમના ટ્વીટર હેન્ડલ પરથી ભારતના વિદ્યાર્થીઓ પર પરોપકાર કરવાની વૃતિએ પોસ્ટ પણ મૂકવામાં આવી છે.
ગ્રેટા થનબર્ગનું ટ્વીટ
ગ્રેટા થનબર્ગે ટ્વીટ કરતા કહ્યું છે કે ભારતના વિદ્યાર્થીઓ સાથે ઘેરો અન્યાય થઇ રહ્યો છે, તેમને કોવીડ-19 પેન્ડેમિકની સ્થિતિ અને એક્સ્ટ્રીમ ફ્લડની સ્થિતિમાં રાષ્ટ્રીય પરીક્ષાઓમાં બેસવાનું કહેવામાં આવી રહ્યું છે. હું NEET/JEE મુલતવી રખાવવાના તેમના અભિયાનમાં સાથે ઉભી છું.
It’s deeply unfair that students of India are asked to sit national exams during the Covid-19 pandemic and while millions have also been impacted by the extreme floods. I stand with their call to #PostponeJEE_NEETinCOVID
ગ્લોબલ વોર્મિંગના જોખમો પર લડી રહેલી સ્વીડિશ પર્યાવરણ ચળવળકાર છે. ઓગસ્ટ ૨૦૧૮માં, ૧૫ વર્ષની ઉંમરે ગ્રેટા થનબર્ગે સ્કૂલમાંથી સમય કાઢી હાથમાં સ્ટ્રોંગર ક્લાઇમેટ એક્શન લખેલા કાર્ડ બોર્ડ વડે સ્વીડનના સંસદની બહાર પ્રદર્શન કરવાનું શરૂ કર્યું. ઓગસ્ટ ૨૦૧૮ પછી 15 વર્ષની ગ્રેટા થનબર્ગ અંગે દુનિયાને જાણ થઈ. એ સમયે તેમણે #FridaysForFuture નામની એક ઝુંબેશ શરૂ કરી હતી. તેમણે ત્રણ અઠવાડિયાં સુધી સ્વીડનની સંસદ બહાર પર્યાવરણના સંકટ મામલે પૂરતાં પગલાં ન લેવાયાં હોવાનો વિરોધ કર્યો.
પોતે કરી રહેલા વિરોધ પ્રદર્શન વિશે તેમણે સોશિયલ મીડિયામાં માહિતી આપી અને તેમની પોસ્ટ વાઇરલ થઈ ગઈ, જે બાદ વિશ્વભરના લોકોનું ધ્યાન તેમની તરફ ખેંચાયું. જે બાદ ૮ સપ્ટેમ્બર ૨૦૧૮ના દિવસથી તેમણે નક્કી કર્યું કે પર્યાવરણને બચાવવા માટે તેઓ દર શુક્રવારે હડતાળ કરશે.
જ્યારે તેમણે સ્વીડનની સરકાર સામે વિરોધ કરવાનું શરૂ કર્યું ત્યારે તેમની માગ હતી કે સરકાર પેરિસ ક્લાઇમેટ સમજૂતીનું પાલન કરે અને તેને અનુરૂપ નીતિઓ ઘડે. પેરિસ ક્લાઇમેટ સમજૂતીમાં વૈશ્વિક તાપમાન ૨ ડિગ્રી સુધી ઘટાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આજરોજ તા.26મી ઓગસ્ટ 2020થી નીટ અન્ડરગ્રેજ્યુએટ પરીક્ષાના એડમિટ કાર્ડ ઓનલાઇન પ્રસારિત કરવામાં આવશે. ધો.12 પછી મેડીકલ, ડેન્ટલમાં પ્રવેશ મેળવવા માટે તા.13મી સપ્ટેમ્બરના રોજ ભારતમાં રાષ્ટ્રવ્યાપી ધોરણે આ પરીક્ષા લેવામાં આવશે. વિદ્યાર્થીઓ નીટ યુજીના એડમિટ કાર્ડ પોતાના આઇ.ડી. પાસવર્ડની મદદથી ડાઉનલોડ કરી શકશે. દરેક વિદ્યાર્થીઓને એડમિટ કાર્ડની તમામ વિગતો ચેક કરી લેવા તેમજ પરીક્ષા કેન્દ્રની ખાસ ખરાઇ અગાઉથી કરી લેવા માટે જણાવવામાં આવ્યું છે.
કોવીડ 19 સ્થિતિ વચ્ચે લેવામાં આવનાર નીટ પરીક્ષા માટે દરેક પરીક્ષા કેન્દ્રો પર સોશ્યલ ડિસ્ટન્સિંગથી લઇને સ્ક્રિનીંગ, સેનિટાઇઝીંગ સમેતની સૂચનાઓ આપવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓને પણ માસ્ક, સેનિટાઇઝર વગેરેથી સજ્જ થઇને જ પરીક્ષા કેન્દ્ર પર જવા માટે જણાવવામાં આવી રહ્યું છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી પરીક્ષા લેવા મક્કમ
નીટના રાજ્યવાર પરીક્ષાર્થીઓની સંખ્યા
જેઇઇ મેઇન્સના રાજ્યવાર પરીક્ષાર્થીઓની સંખ્યા
નીટ-જેઇઇ પરીક્ષા લેવા માટે મોદી સરકાર મક્કમ
સમગ્ર ભારતમાં કોવીડની સ્થિતિ વચ્ચે પરીક્ષા લેવા માટે મોદી સરકાર મક્કમ છે. મોદી વિરોધીઓ પરીક્ષા મુલતવી રખાવવા માટે સોશ્યલ મિડીયાથી લઇને વિદ્યાર્થીઓને ઉપવાસે ઉતારવા સુધીના પ્રયાસો કરી રહ્યા છે. ખુદ ભાજપાના નેતા સુબ્રમણ્યમ સ્વામી આ પરીક્ષાઓ મુલતવી રખાવવા માટે અધિરા બન્યા છે. આમ છતાં મોદી સરકારે પરીક્ષા લેવા માટેનું મન બનાવી લીધું છે.
ભાજપના સુબ્રમણ્યમ સ્વામી પણ પરીક્ષા મુલતવી રખાવવા મેદાનમાં પડ્યા
JEE-NEET की परीक्षा के नाम पर लाखों छात्रों की ज़िंदगी से खेल रही है केंद्र सरकार. मेरी केंद्र से विनती है कि पूरे देश में ये दोनो परीक्षाएँ तुरंत रद्द करें और इस साल एडमिशन की वैकल्पिक व्यवस्था करे. अभूतपूर्व संकट के इस समय में अभूतपूर्व कदम से ही समाधान निकलेगा. @DrRPNishank
ગુજરાતમાં કોરોનાના સંક્રમણને લીધે છેલ્લા ચોવીસ કલાકમાં વધુ ૧૩ દર્દીઓએ દમ તોડ્યો છે. આ સાથે રાજ્યનો કોરોનાથી મૃત્યુ આંક વધીને ૨૯૧૦ થઇ ગયો છે. જે સરેરાશ ૩.૪ ટકા થવા જાય છે. બીજી તરફ નવા ૧૦૬૭ દર્દીઓ પોઝિટિવ મળતાં કુલ આંક ૮૭,૮૪૬ સુધી પહોંચી ગયો છે. આ સાથે આઇસીએમઆરની ગાઇડલાઇન્સ મુજબ ચોવીસ કલાકમાં ૧૦૨૧ દર્દીઓને રજા અપાતા કુલ ડિસ્ચાર્જ આંક ૭૦,૦૦૦ને પાર થઇ ૭૦૨૫૦ સુધી પહોંચ્યો છે. આમ, રિવકરી રેટ ૮૦ ટકા થયો છે.
છેલ્લા ચોવીસ કલાકમાં સુરતમાં સૌથી વધુ પાંચ, અમદાવાદમાં ત્રણ, રાજકોટ અને વડોદરામાં બે-બે તેમજ ભાવનગર શહેરમાંથી એક દર્દી મળી કુલ ૧૩ના કોવિડ-૧૯ સંક્રમણથી મૃત્યુ થયાની પુષ્ટી હેલ્થ બુલેટિનમાં કરવામાં આવી છે.
સુરતમાંથી કુલ ૨૨૯ નવા કેસ મળ્યા છે એમાં શહેરના ૧૫૯ કેસનો સમાવેશ થાય છે આ જ રીતે અમદાવાદમાંથી કુલ ૧૬૫ કેસ નોંધાયા છે એમાંથી શહેરના ૧૫૧ કેસ છે. વડોદરામાં કુલ ૧૨૦ કેસમાં શહેરના ૮૮ કેસનો સમાવેશ થાય છે. ગાંધીનગર શહેરના ૧૦ મળી કુલ ૨૬ કેસ નવા નોંધાયા છે.
સૌરાષ્ટ્રમાં સતત ચોથા દિવસે જામનગર શહેરમાંથી સૌથી વધારે ૭૭ કેસ નવા નોંધાયા છે. અલબત્ત, જિલ્લામાંથી માત્ર ૯ કેસ નવા ઉમેરાયા છે. રાજકોટ શહેરમાંથી ૬૭ અને જિલ્લાના ૩૨ મળી કુલ ૯૯ કેસ થાય છે. ભાવનગરમાંથી કુલ ૪૯ કેસમાં ૩૦ શહેરના કેસ છે. જ્યારે જૂનાગઢમાંથી ૧૩-૧૩ મળી કુલ ૨૬ નવા કેસ નોંધાયા છે. રાજ્યભરમાં છેલ્લા ત્રણેક દિવસથી સતત વરસાદી માહોલ વચ્ચે પણ એક હજાર કરતાં વધુ કેસ મળી રહ્યા છે. અલબત્ત, વરસાદને લીધે ટેસ્ટીંગના પ્રમાણમાં ઘટાડો થયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૬૩,૦૬૫ ટેસ્ટ કરાયા હતા. જોકે, કોરોનાની કામગીરી સાથે સંકળાયેલા આરોગ્ય વિભાગના સૂત્રોનું કહેવું છે કે, વરસાદી માહોલ બાદ વકરનારી બિમારીઓના લીધે ચેપગ્રસ્તોની સંખ્યા વધશે.
Hats off to SMC કોરોના, ખાડીપૂર, ભારે વરસાદ વચ્ચે નિરંતર લોકોની સેવામાં
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
ભૂતકાળમાં સુરત શહેર પર અનેક કુદરતી આપત્તીઓ આવી ચૂકી છે. એ સમયે સુરત મહાનગરપાલિકા તંત્ર આજે જે રીતે કામ કરી રહ્યું છે એ જ રીતે કરતું હતું પરંતુ, આ વખતની સ્થિતિ વધુ વિકટ એટલા માટે છે કે કોરોના રોગચાળો ઉપરાંત ખાડી પૂરનું સંકટ, ભારે વરસાદની સ્થિતિ આ બધાની સાથે સુરત શહેરની હદ પણ ભૂતકાળની હદ કરતા વધુ વિસ્તરી ચૂકી છે એટલે મ્યુનિસિપલ કમિશનર ખુદ કહી રહ્યા છે કે સુરત મહાનગરપાલિકા શહેરીજનોની સેવામાં સતત કાર્યરત છે અને ઓવરટાઇમ કરી રહી છે.
અમે સી.આઇ.એ. લાઇવ ન્યુઝ પોર્ટલ પરિવાર સુરત મહાનગરપાલિકાની કામગીરીને બિરદાવીએ છીએ. અનેક સંકટો વચ્ચે સુરત શહેરને ભૂતકાળમાં પણ ઉગાર્યું છે અને હાલમાં પણ સુરતને ઉગારી રહી છે સુરત મહાનગરપાલિકા….
સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ આજરોજ તા.24મી ઓગસ્ટ 2020ના રોજ સવારે 10.20 કલાકે એક ટ્વીટ કર્યું હતું. તેમના ટ્વીટનું ગુજરાતી અનુવાદ આ પ્રમાણે છે.
2013 પછી સૌથી વધુ વરસાદ સુરતમાં પડ્યો છે. સુરતીઓ સુરત મહાનગરપાલિકા આપના માટે ઓવરટાઇમ કરી રહી છે.
Highest rainfall in Surat after 2013. SMC is working overtime for Surtis!!
કોરોના, ખાડીપૂર, ભારે વરસાદ બધા સંકટો સામે ઝઝૂમી રહી છે સુરત મહાનગરપાલિકા
સુરત શહેર પર ભૂતકાળમાં અનેક વિપત્તીઓ આવી ચૂકી છે. 2001નો ભૂકંપ હોય કે પછી 2006નું ફ્લડ હોય કે પછી 1994ની રેલ અને એ પછી રોગચાળાની સ્થિતિ, તમામ વખતોએ સુરત મહાનગરપાલિકાનું તંત્ર હાલમાં જે રીતે કાર્ય કરી રહ્યું છે એ રીતે જ કરતું હતું. પરંતુ, આ વખતે પરિસ્થિતિ વધુ વિકટ છે. કોરોનાની સ્થિતિ ઉપરાંત ભારે વરસાદ અને ખાડી પૂર, આમ, વિકટ પરિસ્થિતિઓને પગલે સુરત મહાનગરપાલિકાના તંત્રવાહકો પર ભારે વર્કલોડ છવાયેલો છે.
સુરતની ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમમાં હવે ગ્લોબલ સ્ટાન્ડર્ડને સમકક્ષ
સુરત મ્યુનિસિપલ કમિશનર અને ભાજપ શાસકો ઇ-બસ ટ્રાયલથી સંતુષ્ઠ
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
સુરત જેવા દિન દુગની રાત ચૌગુની પ્રગતિ કરતા મહાનગરમાં સામૂહિક પરિવહનની સેવા જેટલી પણ નિરુપદ્રવી હોય તેટલો ફાયદો શહેર અને શહેરમાં વસતા લોકોને થતો હોય છે. આજે સુરત મહાનગરપાલિકાની ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ અને નેટવર્કમાં ઇ-બસ ઇલેક્ટ્રોનિક બસની ટ્રાયલ રન સફળ નિવડી છે. સ્થાયી સમિતિના અધ્યક્ષ અનિલ ગોપલાણીએ જણાવ્યું કે આજે સુરતના માર્ગો પર ઇલેક્ટ્રોનિક બસની ટ્રાયલ રન હતી.
અનિલ ગોપલાણીએ કહ્યું કે ટ્રાયલ રનમાં અમે સૌ, મેયર, ડેપ્યુટી મેયર, મ્યુનિસિપલ કમિશનર, ટ્રાન્સપોર્ટ કમિટી ચેરમેન સહિત અધિકારીઓ જોડાયા હતા અને આ ટ્રાયલ રન જે પ્રકારનું પ્રોજેકશન હતું એ મુજબ નિરુપદ્રવી, અવાજ રહિત, પ્રદુષણ મુક્ત વગેરેના ટેસ્ટીંગ પર ખરી ઉતરી છે.
મ્યુનિસિપલ કમિશનરે ટ્વીટ કરી
A new chapter of sustainable development in Surat City. Today we have started the prototype of E Bus for Surat City. pic.twitter.com/GotdeEBJsr
સુરત માટે 150 ઇ-બસ માટે ટેન્ડરિંગ પ્રોસેસ થઇ ચૂકી છે
સ્થાયી સમિતિ અધ્યક્ષ અનિલ ગોપલાણીએ જણાવ્યું હતું કે સુરતમાં સામૂહિક પરિવહનની સેવાને વધુ અસરકારક તેમજ નિરુપદ્રવી બનાવવા માટે ઇલેક્ટ્રોનિક બસને સુરતના લોકોની સેવામાં મૂકવાનો નિર્ણય લેવાઇ ચૂક્યો છે અને 150 બસ પ્રથમ ફેઝમાં ખરીદી કરવા અંગેની ટેન્ડરિંગ પ્રોસેસ કરી દેવામાં આવી ચૂકી છે.
ગુજકેટ ગુજરાત આજે GUJCET લઇને ભારતમાં દાખલો બેસાડશે : કોરોના વચ્ચે પણ જાહેર પરીક્ષા સંભવ
કોરોના કાળને કારણે ગત માર્ચ માસથી સમગ્ર ભારતમાં શૈક્ષણિક કાર્ય ખોરંભે પડ્યું છે ત્યારે ગુજરાત રાજ્ય પહેલું એવું રાજ્ય છે ભારતનું જ્યાં માર્ચ 2020 પછી પહેલી વખત એવી જાહેર પરીક્ષા, ગુજકેટ યોજાઇ રહી છે જેમાં સવા લાખ જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આ સાથે જ ગુજરાત સમગ્ર ભારતમાં એવો દાખલો બેસાડી રહ્યું છે કે કોરોના કાળ હોવા છતાં સાવચેતી, તકેદારી રાખીને જાહેર પરીક્ષાઓ યોજી શકાય છે. ધો.12 સાયન્સ પછી ઈજનેરી અને ફાર્મસી, એગ્રિકલ્ચરના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે સવારે 10 વાગ્યાથી ગુજકેટ પરીક્ષા શરૂ થઇ છે.કોરોના બાદ સ્કૂલોના બાળકોની આ પ્રથમ રાજ્યવ્યાપી પરીક્ષા છે.
ન્યુ નોર્મલ
દરેક ક્લાસમાં 20 જ વિદ્યાર્થીને ઝીગઝેગ સ્ટાઈલથી બેસાડવામા આવશે.
દરેક સેન્ટર પર થર્મલ સ્કેનિંગ કરવામા આવશે.
સેનિટાઇઝ્ડ ક્લાસરૂમ, બેન્ચની વ્યવસ્થા
દરેકે દરેક માટે માસ્ક ફરજિયાત
ગુજકેટની પરીક્ષામાં બોર્ડ દ્વારા પાણીની બોટલ લઈ જવાની છુટ અપાતી નથી પરંતુ કોરોનાને લઈને ખાસ પાણીની બોટલ લઈ જવા વિદ્યાર્થીઓને છુટ અપાઈ છે.પરંતુ વિદ્યાર્થી પારદર્શક હોય તેવી બોટલ લઈ જવાની રહેશે.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ તા.24મી ઓગસ્ટ 2020ના રોજ ગુજકેટ પરીક્ષા લેવાય રહી છે. કોરોના અને વરસાદ વચ્ચે રાજ્યભરના જિલ્લા કેન્દ્રો પરથી પરીક્ષા શરૂ થઇ છે.ગુજકેટ પરીક્ષા માટે 1.27 લાખથી વધુ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ ધો.12માં બેથી વધુ વિષયોમાં નાપાસ થયા હોય તેવા 18થી20 હજાર જેટલા વિદ્યાર્થીઓ માટે ગુજકેટ હવે બિનઉપયોગી હોવાથી સંભવ છે કે તેઓ આજની ગુજકેટ પરીક્ષા નહી આપે.
સુપ્રીમ કોર્ટે પણ વિતેલા પખવાડીયે કહ્યું હતું કે કોરોના હજુ એક વર્ષ ચાલશે તો શું શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખી દેવી જોઇએ..સુપ્રીમ કોર્ટની ટકોર બાદ કેન્દ્રને પણ નીટ અને જેઇઇ જેવી પરીક્ષાઓ યોજવા માટે બળ મળ્યું છે અને તેમાં આજે ગુજરાતમાં યોજાઇ રહેલી ગુજકેટ પરીક્ષા બાદ દેશમાં શૈક્ષણિક ગતિવિધિઓ ક્રમશ શરૂ થવાની શક્યતાઓ પણ ઉજળી જણાય રહી છે.
ગુજકેટ બાદ યુનિવર્સિટી પરીક્ષાઓ પણ યોજાશે
ગુજકેટ લેવાયા બાદ ગુજરાતમાં આવેલી વિવિધ યુનિવર્સિટીઓ પણ ફાઇનલ ઇયરના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા માટેની તૈયારીઓ કરી રહી છે. યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે ઓછામાં ઓછું ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમોના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓની તો ફિઝિકલ પરીક્ષા લેવાવી જ જોઇએ. હવે ગુજકેટની સફળતા બાદ ગુજરાતમાં યુનિવર્સિટીઓની પરીક્ષાઓ પણ યોજાશે.
ગુજરાતના શિક્ષણનું ભાવિ આજની ગુજકેટ પર
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે ગુજકેટ અને 25મીથી ધો.10-12ની પુરક પરીક્ષા લેવનાર છે ત્યારે ગુજરાત સરકાર માટે પણ કોરોના વચ્ચે સ્કૂલોના બાળકોની આ પ્રથમ રાજ્ય વ્યાપી પરીક્ષા પડકાર સમાન છે.પાંચ મહિનાથી સ્કૂલો બંધ છે ત્યારે ધો.10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓની સ્કૂલો બંધ રહેતા અભ્યાસનું નુકશાન થતુ હોઈ કેન્દ્ર સરકાર દ્વારા હવે પછીના અનલોકમાં શાળાઓ ઓડ ઈવન પદ્ધતિથી શરૂ કરવાની પણ વિચારણા થઇ રહી છે ત્યારે ગુજરાત સરકાર માટે ગુજકેટ અને પુરક પરીક્ષા સારી અને સફળ રીતે લેવાય તે એક મોટી રાહત કહી શકાય. વિદ્યાર્થીઓ પરીક્ષા માટે પણ કલાકના સમય સુધી ઓછી સંખ્યા સાથે રૂમમાં બેસશે અને વિદ્યાર્થી માટે માસ્ક ફરજીયાત કરાયા છે.આગળ જતા સ્કૂલો જલ્દીથી શરૂ કરવા માટે આ પરીક્ષા પણ પથદર્શક બની શકે.
દિલ્હીથી લંડન બાય બસ – એવા સમાચારનું શીર્ષક પ્રવાસપ્રેમીને કઈ રીતે અને કયારે તે જાણવા બેશક પ્રેરે. તેનો જવાબ છે એ છે કે એડવેન્ચર ઓવરલેન્ડ નામની કંપનીએ 21ના વર્ષમાં આવી ટુરના આયોજનની જાહેરાત ઈન્સ્ટાગ્રામમાં કરી છે.
કંપનીએ બસ ટુ લંડન નામની પોસ્ટમાં મૂકેલી વિગત મુજબ નવી દિલ્હી, ભારતથી લંડન, યુકે વચ્ચે આવી સૌપ્રથમ હોપ-ઓન/હોપ-ઓફફ બસ સર્વિસ હાથ ધરાશે.’તેના પ્રવાસીઓ 70 દિવસમાં 20 હજાર કિમી આવરી લે તેવો 18 દિવસનો પ્રવાસ’ કરશે. જે 16 દેશોમાંથી આ બસ પસાર થશે તે આ મુજબ છે: મ્યાંમાર, થાઈલેન્ડ, લાઓસ, ચીન, કિર્ઘિસ્તાન, ઉઝબેકિસ્તાન, કઝાકસ્તાન, રશિયા, લેટવિયા, લિથુઆનિયા, પોલેન્ડ, ચેક રિપબ્લિક, જર્મની, નેધરલેન્ડ, બેલ્જિયમ અને ફ્રાન્સ.
આ ટ્રિપ જવા માટે 10 દેશોના વિઝાની જરૂર પડશે. આ તમામ પ્રોસેસ કંપની દ્વારા જ કરવામાં આવશે. અલગ-અલગ દેશોની યાત્રા કરવા માંગતા લોકો માટે આ ખુબ સારી તક છે. ટ્રિપ પર જનારા લોકોને રહેવા માટે 4 સ્ટાર અને 5 સ્ટાર હોટલમાં વ્યવસ્થા કરવામાં આવશે.
વર્ષ 2021માં દિલ્હીથી લંડન જનારી આ ટ્રિપમાં માત્ર 20 મુસાફરો જ બુકિંગ કરાવી શકશે. આ બસની તમામ સીટો બિઝનેસ ક્લાસની હશે. બસમાં 20 યાત્રીઓ ઉપરાંત એક ડ્રાઈવર અને એક સહાયક ડ્રાઈવર, ઓર્ગેનાઈઝર કંપનીનો એજન્ટ અને એક ગાઈડ હશે.
Travel From Delhi To London In A Bus In 2021
Adventures Overland has officially launched a dream bus titled Bus to London. This covers the longest bus route in the world, spanning 18 countries in 2 continents, in 70 days spanning a distance of 20,000km. This Delhi to London, dream bus shall recreate history with utmost comfort and luxury. From exploring the pagodas in Myanmar, hiking the Great Wall of China, visiting the historic city of Tashkent, touring European Frankfurt to finally soaking in the London vibes, this truly is the journey of a lifetime. So, adventure enthusiasts, you can tour 18 countries in 70 days in one luxurious bus journey of a lifetime. The 18 countries you can tour are- India, Myanmar, Thailand, Laos, China, Kyrgyzstan, Uzbekistan, Kazakhstan, Russia, Latvia, Lithuania, Poland, Czech Republic, Germany, Netherlands, Belgium, France, UK.
This Bus Journey Has 4 Legs Spanning 18 Countries In 2 Continents
This bus journey of a lifetime has 4 legs that span 18 countries in 2 continents. Upon reaching London the bus shall return back in the same route. This is a hop on hop off bus. So you don’t have to finish the entire journey from Delhi to London or vice-versa. You can opt for the leg-wise journeys instead. Fly to a destination of your choice then hop on the bus and finish the leg-wise journey. The price of these bus journeys is on request. Here are the 4 legs of this bus journey.
Leg 1: India, Myanmar, Thailand ( 11 Nights & 12 Days)
This bus shall flag off in Delhi. From there it will embark on a tour around beautiful Indian cities like Lucknow, Muzaffarpur, Siliguri, Guwahati, Kohima and Imphal. It will then cross international borders to enter Myanmar where you can visit the beauty of the pagodas of Bagan. The journey then continues as you find yourself crossing the border of Myanmar into Thailand. Enjoy the vibrancy of the Thai capital of Bangkok as you cross the Mekong River into Laos and finish the first leg of your journey as you enter China.
Leg 2: China ( 15 Nights, 16 Days)
The second leg of your mesmerising journey begins at Chengdu in China. Witness cute pandas at Chengdu, the historical relics of the great wall and the Mogao Caves in the cities of Jiayuguan and Dunhuang in Gansu Province. You can then explore the distinctive topography of Gobi Desert, snow-capped mountains and glaciers of China. And finally, end the second leg of your journey by relishing the beauty of fascinating towns like Turpan and Kashgar amidst others.
Leg 3: Kyrgyzstan, Uzbekistan, Kazakhstan, Russia ( 21 Nights & 22 Days)
The third leg of this epic journey begins with the Silk Orad era city of Bishkek in Kyrgyzstan. Stroll along lively bazaars, gorge on delicious samsas and breathe in the aromas of fresh spices. After which the bus takes you to the beautiful country of Uzbekistan. Explore the stunning city of Tashkent and historical wonders of Samarkand, Bukhara and Khiva. Post Uzbekistan, next pass through Kazakhstan and finally enter monumental Russia. Feast your eyes on the kaleidoscopic wonder of Moscow and let the World Heritage sites enthral you, as you finish the third leg of your journey.
Leg 4: Latvia, Lithuania, Poland, Czech Republic, Germany, Netherlands, Belgium, France, United Kingdom( 15 Nights & 16 Days)
The final leg of your journey begins with the magnanimity of the Baltic countries of Latvia and Lithuania. Let the serenity and elegance of the UNESCO certified Old Town charm you. Venture out to the largest city in Poland, the Czech capital of Prague to the German metropolis of Frankfurt. Gorge on delectable chocolates and exclusive brews of Brussels and finally step into London. Look back at your exhilarating journey with pride as you would have truly experienced something out of the ordinary.
Inclusions In This Trip
This trip includes the following facilities so you can have a comfortable and luxurious road trip from Delhi to London.
Hotel stays on a twin basis
Meal as per the leg-wise package
Special luxury bus transportation
Bus driver and helper
CPR certified experienced coordinator
Local English speaking guide in every country
Visas and standard tourist fee
Border crossing assistance
Ministry approvals, customs, immigration clearance, inner line permits
Fuel, servicing, toll taxes and parking fees
Third-party insurance for the bus for every country
Route planning and research
Airport transfers in Imphal
Sightseeing and walking tours at various locations
Entrance fee at sightseeing points
Activities
Stock of water snacks, chocolates and soft beverages throughout the journey
Adventures Overland merchandise for each passenger
22 August 2020 છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૭૫૨૫૮ ટેસ્ટ સાથે રાજ્યના કુલ ટેસ્ટનો આંક ૧૬,૯૫,૩૨૫ થયો છે. જ્યારે કુલ ૮૫,૬૭૮ કેસમાંથી કુલ ૬૮,૨૫૭ ડિસ્ચાર્જ થયા છે. છેલ્લા ચોવીસ કલાકમાં વધુ ૯૮૦ દર્દીનો પણ સમાવેશ થાય છે. આ સાથે રાજ્યનો રિકવરી રેટ ૮૦ ટકા જળવાયેલો રહ્યો છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા ૧૪૫૩૮ છે એમાં ૮૫ દર્દીને વેન્ટીલેટરી સપોર્ટ ઉપર રખાયા છે અને ૧૪૪૫૩ સ્ટેબલ છે.
ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમણની નવી ૧૨૦૦ દૈનિક કેસની સપાટી સતત બીજા દિવસે જળવાઇ રહી છે. પાછલા ચોવીસ કલાકમાં નવા ૧૨૧૨ કેસ સાથે રાજ્યના કુલ પોઝિટિવ કેસનો આંક ૮૫૦૦૦ને પાર થઇ ૮૫,૬૭૮ સુધી પહોંચ્યો છે. આ સમયગાળામાં સંક્રમિત લોકોને શોધવા માટે પાણો લાખ જેટલા વિવિધ ટેસ્ટ કરાયાનો પણ વિક્રમ સર્જાયો છે. બીજી તરફ સંક્રમિત લોકોની ચાલી રહેલી સારવારમાં રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં વધુ ૧૪ દર્દીના મૃત્યુ થતાં કુલ આંક ૨૮૮૩ સુધી પહોંચી ગયો છે. આ આંક ૩.૪ ટકા છે, પરંતુ સમગ્ર દેશમાં હજુ પણ ઊંચો છે.
એન્જિનિયરિંગ અને મેડીકલ-ડેન્ટલની પ્રવેશ પરીક્ષા NEET/JEE ની તારીખો કોવિડ પેન્ડેમિકને કારણે બે વખત લંબાઇ ચૂકી છે પરંતુ, હવે સપ્ટેમ્બર 2020માં નિર્ધારિત તારીખોએ બન્ને પરીક્ષા લેવાશે જ એવી જાહેરાત નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ કરી છે. હવે પરીક્ષાર્થીઓ કે વાલીઓ એવા ભ્રમમાં ન રહે કે આ પરીક્ષાઓ હજુ પાછી ઠેલાશે.
સુપ્રીમ કોર્ટે ચાલુ સપ્તાહના સોમવારે જ NEET/JEE મુલતવી રાખવા માટેની રીટ પીટીશનને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે ટકોર પણ કરી હતી કે એક વર્ષનો અભ્યાસ બગાડની આ દેશે ઘણી કિંમત ચૂકવવી પડે એમ છે. સુપ્રીમ કોર્ટની ટકોરને પગલે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ હવે તબક્કાવાર શૈક્ષણિક સંસ્થાઓ, શૈક્ષણિક ગતિવિધિઓ શરૂ કરવાની દિશામાં પ્રયાસો શરૂ કરી દીધા છે.
NEET 13 સપ્ટેમ્બર 2020 / JEE 1-6 સપ્ટેમ્બર દરમિયાન લેવાશે
NEET/JEE અગાઉ ગુજરાતમાં તા.24મી ઓગસ્ટે ગુજકેટ યોજાઇ રહી છે. આમ ધો.12 સાયન્સમાં અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓ માટે હવે નિર્ણાયક સમય આવી ચૂક્યો છે.
The Centre on Friday, 21 Aug. said that the Joint Entrance Examination (Main) and National Eligibility cum Entrance Test (undergraduate) will be conducted on September 1-6 and September 13, 2020 respectively as scheduled.
Following the Supreme Court’s order on Monday, the National Testing Agency (NTA) released the admit cards for the JEE (main) and as on Friday, 6,49,223 aspirants have downloaded theirs.
The SC in its order said, “We find that there is absolutely no justification in the prayer made for postponement of the examination in question relating to NEET UG-2020 as well as JEE (main) April, 2020. In our opinion, though there is a pandemic situation, ultimately life has to go and the career of the students cannot be put on peril for long and a full academic year cannot be wasted.”
આજરોજ તા.22મી ઓગસ્ટ 2020ને શનિવારે ભારતમાં કુલ કોરોના દર્દીઓની સંખ્યા 30 લાખને પાર કરી લેશે. વિશ્વમાં ભારત એક એવો દેશ છે જ્યાં છેલ્લા 16 દિવસમાં 10 લાખ કેસ વધ્યા. આ રીતે ભારત અમેરિકા અને બ્રાઝિલ બાદ ત્રીજા નંબરનો દેશ છે જ્યાં કૂદકે-ભૂસકે કેસ વધી રહ્યા છે.
અમેરિકા, બ્રાઝિલ અને ભારતની વાત કરીએ તો 10 લાખ કેસ સુધી પહોંચતા અમેરિકાને 98, બ્રાઝિલને 114 અને સૌથી વધુ 138 દિવસ ભારતને લાગ્યા હતા, પરંતુ, છેલ્લા મહિનામાં તો ભારતમાં સતત અને ઝડપી કેસ વધી રહ્યા છે.
20,000,00થી 30,000,00 કેસ પહોંચતા બ્રાઝિલને 23 દિવસ લાગ્યા જ્યારે અમેરિકાને 28 દિવસ લાગ્યા હતા. જ્યારે ભારતને આ આંકડો પાર કરવામાં સૌથી ઓછા (16) દિવસ લાગ્યા.
જોકે, ભારતમાં કોરોનાના કારણે થયેલા મૃત્યુનો આંકડો ટોચ પર રહેલા બાકી બે દેશો કરતા ઘણો ઓછો છે. અમેરિકામાં કોરોનાના કારણે 1.3 લાખ અને બ્રાઝિલમાં 1 લાખ કરતા વધુ લોકોનો મોત થઈ ગયા છે. જ્યારે ભારતમાં 55,858 દર્દીઓના મોત થયા છે. આ સાથે ભારતમાં એક્ટિવ કેસનો આંકડો શુક્રવારે પ્રમાણે 7 લાખ છે, જ્યારે 15 દિવસ પહેલા આ આંકડો 6 લાખ હતો. એક્ટિવ કેસ 5 લાખથી 6 લાખ થતા 9 દિવસ લાગ્યા હતા. ભારતમાં કેસ સતત વધી રહ્યા છે જેની સામે ઝડપથી દર્દીઓ સાજા પણ થઈ રહ્યા છે.
મહારાષ્ટ્રમાં સતત બીજા દિવસે 14,000 કરતા વધારે કેસ નોંધાયા છે- રાજ્યમાં 14,161 કેસ 24 કલાકમાં નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 6.5 લાખને વટાવી ગયા છે. શુક્રવારે 4 રાજ્યોમાં નવા કેસનો રેકોર્ડ તૂટ્યો છે જે આ પ્રમાણે છે- પશ્ચિમ બંગાળ (3,245 નવા કેસ), ગુજરાત (1,294), હરિયાણા (1,203) અને મધ્યપ્રદેશ (1,147). મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ તેમના વધુ એક મંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ છઠ્ઠા મંત્રી છે જેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.