Alert Archives - Page 222 of 511 - CIA Live

August 29, 2020
corona_testing1.jpg
2min4790

જાન્યુઆરી 2020થી કોવિડ-19 સામેની લડતમાં, ભારતે વધુ એક નવી સિદ્ધિ હાંસલ કરી છે. સંચિત પરીક્ષણોમાં અભૂતપૂર્વ વૃદ્ધિ જોવા મળી છે અને તે આજે કરોડને પર થઇ ગયા છે.

કેન્દ્રની આગેવાની હેઠળ કેન્દ્રિત, સુસંગત અને સંકલિત પ્રયત્નોથી અને રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો દ્વારા સફળ અમલીકરણને લીધે ભારતે 4,04,06,609 લોકોના પરીક્ષણ કરવાનું નવું સીમાચિહ્ન પાર કર્યું છે. ભારતે જાન્યુઆરી 2020માં પુણેની લેબોરેટરીમાંથી માત્ર એક પરીક્ષણથી શરુ કરીને 4 કરોડ પરીક્ષણો કરવા સુધીની એક લાંબી મજલ કાપી છે.

દૈનિક પરીક્ષણોમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. પહેલાથી જ દરરોજ 10 લાખ પરીક્ષણોની પરીક્ષણ ક્ષમતા પ્રાપ્ત કરી હોવાથી છેલ્લા 24 કલાકમાં 9,28,761 પરીક્ષણો કરવામાં આવ્યા.

આનાથી પ્રત્યેક દસ લાખની વસતીએ પરીક્ષણો (ટીપીએમ) તીવ્ર વધારા સાથે 29,280 થયા છે. કેટલાક રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં જોવા મળ્યું છે કે જ્યાં પરીક્ષણમાં વધારો કર્યો છે, ત્યાં પોઝિટિવિટી દર આખરે ઉચ્ચ સ્તરના પરીક્ષણ સાથે ઘટ્યો છે. રાષ્ટ્રીય પોઝિટિવિટી દર ઓછો રહ્યો છે એટલે કે 8.57% રહ્યો છે અને તે સતત ઘટી રહ્યો છે.

ભારત ટેસ્ટ, ટ્રેક, ટ્રીટના વ્યૂહાત્મક અભિગમનું પાલન કરી રહ્યું છે, જ્યાં કોવિડ માટે પરીક્ષણને પ્રતિસાદ અને સંચાલનમાં મુખ્ય નિર્ણાયક સ્તંભ તરીકે રાખવામાં આવ્યો છે. સઘન પરીક્ષણ દ્વારા જ પોઝિટિવ કેસ પ્રારંભિક તબક્કે ઓળખવામાં આવે છે, તેમના નજીકના સંપર્કોને તાત્કાલિક ટ્રેક કરી અને આઇસોલેટ કરી શકાય છે અને હોમ આઇસોલેશનમાં રહેલા લોકો અને હોસ્પિટલમાં દાખલ લોકો માટે સમયસર અને અસરકારક સારવારને સુનિશ્ચિત કરી શકાય છે.

વિસ્તૃત ડાયગ્નોસ્ટિક લેબ નેટવર્ક અને ઘણા નીતિગત પગલા દ્વારા દેશભરમાં સરળ પરીક્ષણ માટેની સુવિધાએ રાષ્ટ્રીય પરીક્ષણ દરમાં આ ઉછાળાને નોંધપાત્ર વેગ આપ્યો છે. દેશમાં 1576 જેટલી લેબ્સ છે; સરકારી ક્ષેત્રે 1002 લેબ્સ અને 574 ખાનગી લેબ્સ કાર્યરત છે. આમાં સામેલ છે:

  • રીઅલ-ટાઇમ RT PCR આધારિત પરીક્ષણની લેબ: 806 (સરકારી: 462 + ખાનગી: 344)
  • TrueNat આધારિત પરીક્ષણની લેબ: 650 (સરકારી: 506 + ખાનગી: 144)
  • CBNAAT આધારિત પરીક્ષણની લેબ: 120 (સરકારી: 34 + ખાનગી: 86)

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19@gov.in પર અને અન્ય પ્રશ્નો ncov2019@gov.in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

August 29, 2020
shradh-pakshajpg-1.jpg
1min6860

આગામી 2 સપ્ટેમ્બરને બુધવારથી પૌરાણિક રીતીરિવાજો અને પરંપરા અનુસાર શ્રાદ્ધ દિવસો શરૂ થશે. પિતૃઓની પ્રસન્નતા માટે વિવિધ ધાર્મિક પૂજા-પાઠ અને તર્પણની પરંપરા આદિકાળથી ચાલી આવે છે.

આગામી સપ્તાહમાં તા.2 સપ્ટેમ્બરથી શ્રાદ્ધ પક્ષનો આરંભ થશે જે 17 સપ્ટેમ્બર સુધી રહેશે. ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ આ દિવસોમાં પિતૃઓની તૃપ્તિ માટે શ્રાદ્ધ તર્પણ કરવા માટેનો આ શ્રેષ્ઠ સમય ગણાય છે.

શ્રાદ્ધ પક્ષના તુરંત બાદ અધિક મહિનો શરૂ થશે, એ પછી નવરાત્રી

સામાન્ય રીતે આ ગુજરાતીમાં કહેવત પ્રચલિત છે. દુકાળમાં અધિક માસ. આ કહેવતથી વિપરીત સંજોગો હાલમાં જોવા મળી રહ્યા છે. ગુજરાત અતિવૃષ્ટીથી પીડીત થયું છે. 115 ટકા જેટલો મોસમનો વરસાદ વરસી ચૂક્યો છે. સૌરાષ્ટ્ર, મોરબી, ઉત્તર ગુજરાતમાં અનેક સ્થળોએ પૂરની સ્થિતિ નિર્માણ પામી છે. આવી સ્થિતિને લીલો દુકાળ કહેવાય છે. આ વખતે અધિક માસ પણ બુધવારથી શરૂ થઇ રહ્યો હોઇ, દુકાળમાં અધિક માસની કહેવતથી વિપરીત લીલા દુકાળમાં અધિક માસનો સંયોગ રચાયો છે.

શ્રાદ્ધ પક્ષની પૂર્ણાહૂતિ બાદ સામાન્ય સંજોગોમાં નવરાત્ર શરૂ થાય છે પરંતુ આ વખતે હિન્દુ પંચાંગ અધિક મહિનો શ્રાદ્ધ પક્ષના તુરંત બાદ શરૂ થશે. શ્રાદ્ધ પક્ષમાં શુભ અને માંગલિક કામો નિષેધ હોવાનું મોટા ભાગના શાસ્ત્રોમાં દર્શાવાયું છે. આ વર્ષે હિન્દુ વર્ષ અનુસાર તિથિઓમાં વધ-ઘટ છે, પરંતુ, શ્રાધ્ધ પક્ષ માટે 16 દિવસ પૂરા મળી રહ્યાં છે. સામાન્ય રીતે પિતૃપક્ષ પૂર્ણ થતાં જ બીજા દિવસથી નવરાત્રિ શરૂ થઇ જાય છે. પરંતુ આ વર્ષે 19 વર્ષ બાદ આવો સંયોગ બની રહ્યો છે જ્યારે પિતૃપક્ષના પૂર્ણ થવાના એક મહિના પછી નવરાત્રિ શરૂ થશે.

હિંદુ પંચાંગ મુજબ તિથિઓની વધ-ઘટના કારણે વર્ષના 365 દિવસોની ગણતરીમાં ફેરફાર આવે છે. જેને એડજસ્ટ કરવા માટે આપણે ત્યાં અધિક માસની વ્યવસ્થા કરવામાં આવી છે. જે પ્રકારે લિપ યર 4 વર્ષમાં એકવાર આવે છે તેવી જ રીતે અધિકમાસ દર 3 વર્ષે એકવાર આવે છે.

August 29, 2020
Saurastra.png
1min5110

કોવિડ-19 મહામારી જાણે સૌરાષ્ટ્રમાં ઘર કરી ગઈ હોય તેમ હવે જુદા જુદા વિસ્તારોમાંથી નવા કેસ આવી રહ્યા છે. આ સાથે મૃત્યુઆંકમાં પણ સતત વધારો થતો રહે છે. આજે તો રાજકોટમાં કોરોનાના રેકર્ડબ્રેક 105 કેસ નોંધાયા હતા તો જામનગરમાં રેકર્ડબ્રેક 97 દરદી કોરોનામુક્ત થયા હતા. આ ઉપરાંત રાજકોટમાં 10, જામનગરમાં 10 અને અમરેલી, ગીર સોમનાથ અને પોરબંદરમાં એક-એક દરદીએ સારવાર દરમિયાન દમ તોડયો હતો.

રાજકોટ શહેરમાં નવા 78 કેસ નોંધાતા કુલ પોઝિટિવ આંક 2978 થયો હતો. જ્યારે તાલુકા-ગ્રામ્ય પંથકમાં નવા 27 કેસ નોંધાતા જિલ્લામાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 4435 થઈ હતી. બીજી તરફ આજે શહેરના 10 અને ગ્રામ્યના 1 મળીને 11 દરદીએ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. જો કે, ગોંડલના પ્રતિનિધીના જણાવ્યાનુસાર તાલુકામાં છેલ્લા ચોવિસ કલાકમાં 23 કેસ નોંધાયા છે અને 5 દરદીના મૃત્યુ નિપજ્યા છે. જ્યારે જિલ્લાની યાદીમાં ગ્રામ્યમાં માત્ર એક જ મૃત્યુ થયું હોવાનું જાહેર કરાયું છે. આ ઉપરાંત શહેરના 22 અને ગ્રામ્યના 15 દરદી કોરોનામુક્ત થયા હતા. રાજકોટ સિવિલમાં 370 અને ખાનગી હોસ્પિટલમાં 361 મળીને કુલ 731 દરદી સારવાર હેઠળ છે.

જામનગરની ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન 10 દરદીના મૃત્યુ નિપજ્યા હતા. જેમાં જામનગર શહેરના 6, ગ્રામ્યના 1 અને દ્વારકા જિલ્લાના 3 દરદીનો સમાવેશ થાય છે. જ્યારે હોસ્પિટલમાં શહેરી વિસ્તારના 74 અને ગ્રામ્યના 11 મળીને નવા 85 કોરોના પોઝિટિવ દરદી સારવાર માટે ખસેડાયા હતા. આ સાથે જિલ્લામાં કુલ કેસની સંખ્યા 2230 થઈ હતી. જેમાંથી આજે સારી બાબત એ છે કે, જામનગર જિલ્લાના 97 દરદીઓ કોરોનામુક્ત થયા હતા. છેલ્લા ત્રણ દિવસથી નવા કેસ કરતા ડિસ્ચાર્જ દરદીનો આંક વધતો જાય છે.

જૂનાગઢ જિલ્લામાં આજે 14 પોલીસ કર્મી સહિત નવા 32 વ્યક્તિ કોરોના પોઝિટિવ આવ્યા હતા. વિસાવદર પોલીસ સ્ટેશનમાં બે મહિલા કોન્સ્ટેબલ, એક ડ્રાઈવર, એક ટી.આર.બી.જવાન તથા બે હોમગાર્ડ કોરોનાની ઝપટે ચડયા હતા. જ્યારે વંથલીમાં છેલ્લા ચાર દિવસમાં એક મહિલા સહિત આઠ પોલીસ જવાનો કોરોનાગ્રસ્ત આવ્યા છે. જૂનાગઢ શહેરમાં આજે 17, કેશોદમાં 3, વિસાવદર, માંગરોળ, માણાવદર, માળીયા અને ભેંસાણમાં 2-2 તથા વંથલી અને જૂનાગઢ ગ્રામ્યમાં 1-1 સહિત જિલ્લામાં નવા 32 કેસ નોંધાયા હતા. જ્યારે 39 દરદી સાજા થયા હતા.
ભાવનગર શહેરમાં 27 પુરુષ અને 10 સ્ત્રી મળીને 37 તેમજ ભાવનગર ગ્રામ્ય, ગારીયાધાર, ઘોઘા, મહુવા, પાલીતાણા, તળાજા, સિહોર તથા ઉમરાળા તાલુકાઓમાં 28 સહિત જિલ્લામાં નવા 65 કેસ નોંધાતા કુલ પોઝિટિવ આંક 2669 થયો હતો. જેમાંથી આજે શહેરના 29 અને ગ્રામ્યના 21 એમ કુલ 50 દરદી કોરોનામુક્ત થતા હાલ 524 એક્ટિવ કેસ છે.

અમરેલી જિલ્લામાં નવા 28 કેસ નોંધાતા કુલઆંક 1191 થયો હતો. જ્યારે આજે 29 દરદી કોરોનામુક્ત થયા હતા અને એક દરદીનું મૃત્યુ નિપજ્યું હતુ. જિલ્લાના કોટડાપીઠા પાસેના પાનસડા ગામે અઠવાડીયામાં કોરોનાના ત્રણ કેસ આવતા ફફડાટ ફેલાયો છે.

મોરબી શહેર-તાલુકામાં 21 તેમજ વાંકાનેર અને હળવદમાં 2-2 તથા માળીયામાં 1 મળીને નવા 26 કેસ નોંધાયા હતા. ગીર સોમનાથ જિલ્લામાં સુત્રાપાડામાં 6, વેરાવળમાં 5, ઉનામાં 4, કોડીનારમાં 1 મળીને 16 નવા કેસ નોંધાતા કુલ કેસનો આંક 1000ને પાર અર્થાત 1006 થયો હતો. જેમાંથી આજે 13 દરદી ડિસ્ચાર્જ થયા હતા અને કોડીનારના એક દરદીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતુ. જિલ્લાના પાટનગર તાલાલામાં બે દિવસમાં બે મૃત્યુ નોંધાયા છે અને મામલતદાર કચેરીમાં બે સહિત શહેરમાં કુલ 99 કેસ નોંધાયા છે.

પોરબંદર શહેર-જિલ્લામાં નવા 12 કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 443 થઈ છે. જેમાંથી આજે શહેરના એક દરદીનું અન્ય જિલ્લામાં મૃત્યુ નિપજતા કુલમૃત્યુઆંક 32 થયો હતો અને હાલ 103 દરદી સારવારમાં છે.

બોટાદ શહેરમાં 4, બરવાળા અને કારીયાણી ગામે એક-એક એમ નવા 6 કેસ નોંધાયા હતા અને વધુ 8 દરદી કોરોનામુક્ત થતા હાલ 81 એક્ટિવ કેસ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 15 અને સુરેન્દ્રનગર જિલ્લામાં 8 નવા કેસ નોંધાયા હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગની યાદીમાં જાહેર થયું છે.

August 28, 2020
csk.jpg
1min6520

ઇન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ માટે યુનાઇટેડ આરબ અમિરાત પહોંચેલી ભારતની આઠ ટીમો પૈકી દુબઇ ખાતે 7 દિવસનો ફરજિયાત કોરન્ટાઇન પિરીયડ પૂરી કરી રહેલી ચેન્નઇ સુપર કિંગ્સના ત્રણેક સભ્યોને કોરોના થયો હોવાની પુષ્ટી થતાં જ આઇ.પી.એલ. ઇવેન્ટ સામે મોટું જોખમ ઉભું થયું છે. ચેન્નઇ ક્રિકેટ ટીમના કયા સભ્યોને કોરોના થયો એ સત્તાવાર ઘોષિત થયું નથી પરંતુ, ફાસ્ટ બોલર ચહર તેમજ અન્ય ક્રુ મેમ્બર્સને કોરન્ટાઇન પીરીયડ પૂરો થવાના છેલ્લા દિવસે જ કોરોના હોવાનું ટેસ્ટિંગમાં જણાયું છે.

મળતી માહિતી મુજબ હવે ચેન્નઇ ક્રિકેટ ટીમના તમામે તમામ મેમ્બર્સ, સપોર્ટ સ્ટાફ તમામનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવશે. હાલ ચેન્નઇ સુપરકિંગ્સ ટીમના તમામને વધુ 7 દિવસ ફરજિયાત કોરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે.

ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ 21 ઓગસ્ટે દુબઈ પહોંચી હતી. ટીમે આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા બનાવવામાં નિયમો અંતર્ગત છ દિવસનો ફરજીયાત ક્વોરેન્ટીન સમય પૂરો કરી દીધો હતો. આઈપીએલનો પ્રારંભ 19 સપ્ટેમ્બરથી થવાનો છે.

આઇપીએલ શરૂ થવા પહેલા જ જોખમ

યુએઈમાં રમાનારી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 13મી સિઝનની શરૂઆત પહેલા જ લીગને કોરોના વાયરસે મોટું જોખમ ઉભું કરી દીધું છે. કોરોના વાયરસના કારણે લીગ શરૂ થવામાં વિલંબ થયો છે અને તેને ભારતની બહાર રમાડવાની ફરજ પડી છે. જોકે, હવે ચેન્નઈ સુપર કિંગ્સ ટીમના સભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો છે. ચેન્નઈ ટીમ માટે આ મોટો ફટકો છે કેમ કે ટીમ આજે તા.27મી ઓગસ્ટને શુક્રવારથી દુબઈમાં પ્રેક્ટિસ શરૂ કરવાની હતી.

August 28, 2020
CIA_Live_Logo_New2.jpg
2min15520

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આજરોજ તા.28મી ઓગસ્ટના રોજ ગઇ તા.24મી ઓગસ્ટે લીધેલી ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટની વિષયવાર પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી છે. આ આન્સર કી નીચે પ્રમાણે છે.

ગણિત વિષયની આન્સર કી (ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ ત્રણેય મિડીયમ)

બાયોલોજી વિષયની આન્સર કી (ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ ત્રણેય મિડીયમ)

ફિઝિક્સ – કેમેસ્ટ્રી વિષયની આન્સર કી (ગુજરાતી-હિન્દી મિડીયમ)

ફિઝિક્સ – કેમેસ્ટ્રી વિષયની આન્સર કી (ગુજરાતી-હિન્દી મિડીયમ)

ફિઝિક્સ – કેમેસ્ટ્રી વિષયની આન્સર કી (ઇંગ્લિશ મિડીયમ)

ફિઝિક્સ – કેમેસ્ટ્રી વિષયની આન્સર કી (ઇંગ્લિશ મિડીયમ)

જે વિદ્યાર્થીઓને આન્સર કી માં પ્રોબ્લેમ હોય તેઓ વાંધા અરજી તા.1લી સપ્ટેમ્બર સુધીમાં મોકલાવી શકે છે

August 28, 2020
real_cia-1-1280x1022.jpg
1min8000

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કોરોના એક્ટીવ કેસોમાં ભારત તા.28મી ઓગસ્ટ 2020ના રોજ સમગ્ર વિશ્વમાં બીજા નંબરે પહોંચી ગયું છે. એક્ટીવ કેસો અને કુલ કેસોમાં હવે ભારતથી આગળ અમેરીકા રહ્યું છે.

વર્લ્ડો મીટરના આંકડા મુજબ તા.28મી ઓગસ્ટે બપોરે 1 કલાકે ભારતમાં કુલ એક્ટીવ કેસોની સંખ્યા 7 લાખ 45 હજાર 540 થઇ હતી. જ્યારે અત્યાર સુધી ભારતથી આગળ ચાલતા બ્રાઝીલમાં હવે એક્ટીવ કેસોની સંખ્યા 6 લાખ 98 હજાર 517 થઇ છે. આમ, બ્રાઝીલમાં કુલ કોરોના કેસ ભલે ભારત કરતા વધુ હોય પરંતુ, એક્ટીવ કેસોમાં હવે ભારત અમેરીકા પછી બીજા નંબરે પહોંચ્યું છે.

વિશ્વમાં સૌથી વધુ કોરોના એક્ટીવ કેસ અમેરીકામાં છે. તા.28મી ઓગસ્ટ 2020ની લેટેસ્ટ માહિતી મુજબ અમેરીકામાં કુલ એક્ટીવ કેસોની સંખ્યા 25 લાખ 15 હજાર 137 છે. જે ભારતથી સાડા ત્રણ ઘણી વધુ છે.

કોરોનાની સંખ્યામાં વિશ્વના ટોચના પાંચ દેશોની સંખ્યા

વિશ્વમાં કુલ કોરોના એક્ટીવ કેસોની સંખ્યા 67 લાખ 3 હજાર 590 છે.

August 27, 2020
viratkohli.jpg
1min6390

ભારતીય ક્રિકેટ ટીમના આક્રમક અને સફળ કેપ્ટન વિરાટ કોહલી હાલ આઇ.પી.એલ. 2020 રમવા માટે યુએઇમાં છે, આજરોજ તા.27મી ઓગસ્ટે સવારે 11 કલાકે તેમણે ટ્વીટ કરીને એ વાત જાહેર કરી દીધી છે કે તે અને અનુષ્કા હવે ત્રણ બનવા જઇ રહ્યા છે. 2021 જાન્યુઆરીમાં તે આવી રહ્યું (બેબી) છે.

વિરાટ કોહલીએ કરેલું આ ટ્વીટ એટલું ઝડપથી વાઇરલ થયું કે ન પૂછો વાત. સમગ્ર વિશ્વભરમાં લોકોએ વિરાટ કોહલીના આ ટ્વીટને રીટ્વીટ કરવા માંડ્યું. વિરાટ અને અનુષ્કા ભારતમાં જ નહીં બલ્કે વિશ્વભરમાં ખ્યાતિપ્રાપ્ત સેલિબ્રિટી છે.

આ રીતે વિરાટ કોહલીએ જાણકારી આપી

August 27, 2020
daru4.jpg
1min615

દારુના શોખીન હવે તો સુરત નહીં સમગ્ર દક્ષિણ ગુજરાતના દારૂના શોખીન લોકોને કદાચ આ સમાચાર થોડી ઠેસ જરૂર પહોંચાડશે. પણ દારુબંધીનો કડક અમલ કરાવતા ગાંધીનગર જિલ્લામાં 8 પોલીસ સ્ટેશનો દ્વારા ઝડપી પાડવામાં આવેલા દારૂના સૌથી મોટા જથ્થા પર બુલડોઝર ફેરવીને તેનો નાશ કરી દેવામાં આવ્યો છે.

1.45 લાખ દારુની બાટલીઓ હતી

473 ગુનાઓમાં ઝડપાઇ હતી દારૂની બાટલીઓ

4 કરોડ 78 લાખ 67 હજાર 438 રૂપિયાનો દારુ હતો

ગાંધીનગર સબડિવિઝન વિસ્તારમાં આવતા 8 પોલીસ સ્ટેશનોમાં છેલ્લા કેટલાક સમય દરમિયાન કરવામાં આવેલા પ્રોહિબિશનના કુલ 473 કેસોમાં દારુનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. કુલ 1,45,188 જુદી જુદી બ્રાન્ડની દારુની બોટલોની કુલ બજાર કિંમત રૂ.4.78 કરોડ જેટલી થવા જાય છે.

રાજ્ય સરકારની કાયદાકીય પ્રક્રિયા અંતર્ગત જે દારુનો જથ્થો પોલીસ ઝડપી પાડે છે તેનો નાશ કરવામાં આવે છે. આ જોગવાઇ અંતર્ગત ગતરોજ દારુના જથ્થા પર બુલડોઝર ફેરવીને તેનો કચ્ચરઘાણ કાઢી નાંખવામાં આવ્યો હતો.

August 27, 2020
harsh_shanghvi_CiA_live-1.jpg
1min1217

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરતમાં કોરોનાનો પહેલો કેસ આવ્યો હતો એ દિવસથી સતત લોકો માટે સક્રિય રહીને ટ્રીટમેન્ટથી લઇને ફૂડપેકેટ વિતરણની કામગીરીમાં શહેર, રાજ્ય જ નહીં બલ્કે દેશમાં સૌથી વધુ અને સતત વ્યસ્ત રહેલા સુરત મજૂરાના ધારાસભ્ય હર્ષભાઇ સંઘવીને કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાની માહિતી તેમણે ખુદ ટ્વીટર પર આપી હતી. તેમણે અપીલ કરી હતી કે પાછલા દિવસોમાં તેમના સંપર્કમાં આવેલા લોકો કોરોન્ટાઇન થઇને પોતાનો ટેસ્ટ પણ કરાવી લે.

હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તેમણે હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લેવાનો નિર્ણય કર્યો છે.

August 26, 2020
SGCCI.jpg
1min6870

સરસાણા કન્વેન્શન સેન્ટરના મેઇન ડોમમાં 30 બુથ બનાવીને ખાસ સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટમ લાગૂ કરીને યોજાશે મતદાન : હેતલ મહેતા (ચૂંટણી અધિકારી)

આખરે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની નવા વર્ષ માટેની મેનેજિંગ કમિટીની ચૂંટણી તા.13મી સપ્ટેમ્બર 2020ના રોજ યોજવાનું સત્તાવાર એલાન ચૂંટણી અધિકારી હેતલ મહેતાએ આજે ઇલેક્શન કમિટીની બેઠક બાદ કર્યું છે. અગાઉ તા.29મી માર્ચે ચૂંટણી યોજાવાની હતી જે લૉકડાઉનને કારણે મુલતવી રાખવામાં આવી હતી. સુરતમાં કોવીડ-19 સિચુએશન દરમિયાન સુમુલ ડેરીની ચૂંટણી બાદ બીજી મોટી ચૂંટણી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટીની યોજાશે.

9000 પ્લસ મેમ્બરશીપ ધરાવતા સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં મેનેજિંગ કમિટીની કુલ 44 પોસ્ટ અને ચીફ પેટ્રનની 10 પોસ્ટ માટે તા.13મી સપ્ટેમ્બરને રવિવારે સવારે 11થી 5 દરમિયાન મતદાન યોજાશે અને એ જ દિવસે મતદાન બાદ મતગણતરી યોજવામાં આવશે.

મેનેજિંગ કમિટીની 44 પોસ્ટ માટે 54 ઉમેદવારો મેદાનમાં છે

ચીફ પેટ્રનની 10 પોસ્ટ માટે હાલ 13 ઉમેદવારો મેદાનમાં છે

હેતલ મહેતાએ જણાવ્યું કે ચૂંટણી યોજવા અંગેની મંજૂરી મળ્યા બાદ હાલની કોવીડ-19ની પરિસ્થિતિને ધ્યાને લઇને સરસાણાના મેઇન ડોમમાં કુલ 30 બુથ ઉભા કરવામાં આવશે. પાંચ મતદાન કુટીર ઉભી કરવામાં આવશે અને ખાસ સેન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટમ લાગૂ કરીને ચૂંટણી યોજવાની પ્રક્રિયાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

મતદાતાઓએ માસ્ક સાથે અને પોતાની બોલપેન લઇને મતદાન કરવા માટે આવવાનું રહેશે. આ માટે દરેક મતદાતાને એસ.ઓ.પી. પાલન કરવા અંગેના સંદેશાઓ પહોંચતા કરી દેવામાં આવશે.

મતદાન પ્રીમાઇસીસમાં કોઇપણ પ્રકારે પ્રચાર નહીં થઇ શકે

ચેમ્બરની ચૂંટણીના અધિકારી હેતલ મહેતાએ જણાવ્યું કે જ્યાં મતદાન મથક છે ત્યાં ફક્ત ઉમેદવારની એન્ટ્રી જ એલાવ કરવામાં આવશે. કોઇપણ પોલિંગ એજન્ટ નહીં હોય અને પ્રીમાઇસીસમાં કોઇપણ પ્રકારે ચૂંટણી પ્રચાર નહીં થઇ શકે.