CIA ALERT

Alert Archives - Page 218 of 511 - CIA Live

September 23, 2020
Serum-Institute-of-India-pauses-Covid-vax-trials-in-India-2-491x267-1.jpg
1min5570
After Oxford Covid-19 Vaccine, Serum Institute Likely To Start Clinical  Trials Of Novavax's Vaccine Candidate In India

ભારતની સીરમ ઈન્સ્ટિટ્યૂટ વેક્સીન ઉત્પાદનના મામલે દુનિયાની સૌથી મોટી કંપની હોવાનો દાવો અગાઉ કરાઇ ચૂક્યો છે. બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટીએ વિકસાવેલી કોરોના વેક્સીન પ્રોજેક્ટમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ અનેક ભાગીદારો પૈકીની એક સંસ્થા પણ છે

લાંબા સમયની ઇંતેજારી બાદ એવા સમાચાર આવ્યા છે કે સીરમ ઇન્સ્ટીટ્યુટ દ્વારા ભારતમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીએ વિકસાવેલી વેક્સિનનું ઉત્પાદન શરૂ કરી દેવામાં આવ્યું છે. ભારતની ફાર્મા કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓક્સફર્ડ યુનિવર્સિટીના કોરોના વેક્સીન પ્રોજેક્ટમાં પાર્ટનર છે અને ભારતમાં આ વેક્સીનનું ટ્રાયલ કરાવી રહી છે.

પુનાની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ પહેલા જ ઓક્સફર્ડના પ્રોજેક્ટમાં કોલેબરેશન કરેલું છે. જો ઓક્સફર્ડની વેક્સીન સફળ થશે તો ભારતમાં તેની ઉપલબ્ધતામાં કોઈ મુશ્કેલી નહીં આવે.

અગાઉ ગત જુલાઇમાં સીરમ ઇન્સ્ટીટ્યુટ દ્વારા કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે સંખ્યાની દ્રષ્ટિએ દુનિયાની સૌથી મોટી વેક્સીન બનાવતી કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ કોડાગેનિક્સના CDX-005ને વિકસિત કરશે, જેને ઈન્જેક્શનને બદલે આંતરિક રીતે આપવામાં આવશે.

September 22, 2020
smc.jpg
1min5710

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન બંછાનિધી પાનીએ આજે સુરતવાસીઓ જોગ સંદેશમાં જણાવ્યું હતું કે સુરતમાં કોરોના રીકવરી રેટ 90 ટકાથી ઉપર પહોંચ્યો છે અને સાથે જ મૃત્યુદર પણ ઘટીને 2.5 ટકા સુધી આવી ગયો છે. સુરતમાં આંતરીક દ્રષ્ટીએ કોરોના કાબૂમાં છે પરંતુ, બહારગામથી સુરત આવતા લોકો ખાસ કરીને રેલ્વે સ્ટેશન તેમજ જુદા જુદા એન્ટ્રી રોડ પરથી આવતા લોકોમાં કોરોના કેસોની સંખ્યા વધુ મળી રહી છે.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સુપર સ્પ્રેડિંગ વેન્યુઝ શોધી રહી છે. બેંક્વેટ હોલ તેમજ અન્ય સ્થળોમાં યોજાતા સમારોહમાં ખાસ તકેદારી રાખવા માટે મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું છે. સમારોહમાં આવતા ગેસ્ટ લિસ્ટના મોબાઇલ નંબરો મહાનગરપાલિકાને આપવા જોઇએ.

સાંભળો મ્યુનિસિપ કમિશનર બંછાનિધી પાનીનો 22 સપ્ટેમ્બરનો ઓડિયો મેસેજ

Commissioner Shri B N Pani (IAS) LIVE 22-9-2020

My Surat यांनी वर पोस्ट केले मंगळवार, २२ सप्टेंबर, २०२०

September 21, 2020
bhiwandi-building.jpg
1min5550
ભિવંડીમાં ધમાનકર નાકા પાસે પટેલ કમ્પાઉન્ડ વિસ્તારમાં સવારે ત્રણ માળનું મકાન ધરાશાયી થવાની ઘટનામાં અત્યાર સુધી 8 લોકોના મોત થયા છે. બચાવ કામગીરી ચાલુ છે.
8 killed in Bhiwandi building collapse

તા.21મીને સોમવારે સવારે મુંબઇ નજીક ભીવંડી ખાતે મકાન ધરાશાયી થવાની બનેલી ગંભીર હોનારતમાં 8 લોકોના મોત નિપજ્યાના સમાચારોએ ભારતમાં સપ્તાહની શરૂઆતમાં જ નેગેટીવ ન્યુઝ ફેલાવી દીધા હતા.

મુંબઇને અડીને આવેલા ભિવંડીમાં ધામનકર નાકા પાસે પટેલ કમ્પાઉન્ડ વિસ્તારમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થયું છે. ઘટના સ્થળેથી મળતી માહિતી મુજબ 35થી 40 લોકો મકાનના કાટમાળમાં ફસાયા હતા. જોકે, અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને એનડીઆરએફની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી.

સ્થાનિક લોકોની મદદથી ઓછામાં ઓછા 20 લોકોને રેસ્ક્યુ કરાયા છે. પોલીસ અને NDRFની ટીમે કાટમાળ નીચે દટાયેલા 25 લોકોને બચાવવાની કામગીરી હાથ ધરી છે. આ દુર્ઘટનામાં હજી સુધી 8 લોકોનાં મોત નીપજ્યાં છે. ઘાયલોમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ છે. જોકે, ગંભીર અકસ્માતમાં હજી મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે. બિલ્ડિંગ કયા કારણોસર ધરાશાયી થઈ તે અંગે હજી ચોક્કસ કારણ સામે આવ્યું નથી.

September 21, 2020
gujarat-vidhansabha.jpg
1min5410

21/9/20 સોમવારથી ગુજરાત વિધાનસભાનું ચોમાસુસત્ર ૨૧ થી ૨૫ સપ્ટેમ્બર દરમિયાન મળી રહ્યું છે. હાલ કોરોના મહામારી વચ્ચે વિધાનસભામાં ધારાસભ્યના સામૂહિક ટેસ્ટ બાબતે પણ તૈયારી કરી છે. ગુજરાત વિધાનસભામાં આજે તમામ ધારાસભ્યો અને પ્રધાનોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તમામ નેતાઓના રેપિડ ટેસ્ટ કરાયા હતા. કોરોના ટેસ્ટ માટે કુલ છ ટીમ ફાળવવામાં આવી હતી. ભાજપાના ધારાસભ્યો અને મંત્રીઓ માટે ચાર અને કોંગ્રેસના ધારાસભ્યોના ટેસ્ટ માટે બે ટીમ ફાળવાઇ હતી.

ત્રણ ધારાસભ્ય – ધાનેરાના નાથા પટેલ, દક્ષિણ ગુજરાતના વ્યારાના પુનભાઈ ગામિક અને અમરેલીના વીરજી ઠુમ્મર કોરોના પોઝિટિવ આવ્યા છે.

આજે બંને પક્ષના ધારાસભ્ય દળની બેઠક પહેલા ટેસ્ટ કરાયા હતા. ગુજરાત વિધાનસભા શાસક પક્ષના સભાખંડમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવતી બેઠક વ્યવસ્થા એક ખુરશી છોડી બીજી ખુરશી પર બેસવાની વ્યવસ્થા કરાઈ છે. એક ખુરશી પર પટ્ટી લગાડવામાં આવશે. ખુરશી ખૂલે નહિ તે રીતે ફિક્સ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાંચ દિવસના સત્રમાં ૨૦ બિલો પર ચર્ચાનો નિર્ણય કરાયો છે. હાલના સમયે કોરોના વિશ્વ વ્યાપી પ્રશ્ન છે, તેથી પ્રથમ દિવસે કોરોના બાબતે અઢી કલાક ચર્ચા થશે. ૨૦ બિલ અને સંકલ્પ વગેરે પર કામકાજ સલાહકાર સમિતિમાં નિર્ણય થયો છે. પવિત્ર યાત્રાધામ અંબાજીમાં વધુ સ્વચ્છ અને નોટિફાઇડ બિલ પણ સત્ર દરમિયાન લાવવામાં આવશે.

September 21, 2020
ukai.jpg
1min6060

તા.20 સપ્ટેમ્બર 2020ના રોજ બપોર બાદ સુરતના ઉપરવાસ વિસ્તારમાં આવેલા ઉકાઇ ડેમમાંથી અંદાજે પોણાબે લાખ ક્યુસેક્સ પાણીનો જથ્થો છોડવાનું શરૂ કરાયું હતું. કેમકે ઉકાઇ ડેમમાં વોટર લેવલ ભયજનક સપાટી 345 ફૂટ નજીક પહોંચે તેવી શક્યતા હતી.

ઉકાઈના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે હાલ ડેમ 343.53 ફૂટ પર વહી રહ્યો છે. જે ઉકાઈની ભયજનક સપાટીથી માત્ર હાથવેંત જ દૂર છે. જેના પગલે તંત્ર દ્વારા ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે. સાંજ સુધીમાં 1.75 લાખ ક્યૂસેક પાણી છોડવાનું જાહેર કરવામાં આવ્યું છે.

ઉકાઈ ડેમ હાલ તેનું 340.84 હાઈએલર્ટનું લેવલ વટાવી ચૂક્યો છે અને તેની ભયજનક સપાટી 345 ફૂટ છે. છેલ્લાં 24 કલાકમાં ઉકાઈ ડેમના ઉપરવાસમાં જે ધોધમાર વરસાદ પડ્યો છે જેના કારણે પુષ્કળ માત્રામાં ઉકાઈ ડેમમાં પાણી આવક થવાની છે જેથી તંત્ર એકદમ એલર્ટ થઈ ચૂક્યું છે. રવિવારે સાંજના 6 વાગ્યે ઉકાઈડેમની સપાટી 343.53 ફૂટ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે ડેમ 96.6 ટકા ભરાઈ ગયો છે. 
હાલ ઉકાઈ ડેમમાં 82,589 ક્યૂસેક પાણીની આવક સામે 1,00,050 લીટર પાણી ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. જ્યારે હથનુર ડેમની સપાટી 213.12 મીટર છે. ડિસ્ચાર્જ પ્રતિ સેકન્ડ 5.86 લાખ લીટર, એટલે કે 20,723 ક્યુસેક છે. તે જ રીતે સુરત વિયર કમ કોઝવે હાલ 7.40 મીટર પર વહી રહ્યો છે. કોઝવે પરથી 79,910 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થઈ રહ્યું છે.

September 19, 2020
ipl2020.jpg
1min6450

વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ IPL આજે તા.19મી સપ્ટેમ્બર 2020થી શરૂ થઇ રહી છે. કોવીડ-19 પેન્ડેમિકની કપરી સ્થિતિને કારણે ભારતમાં આ ઇવેન્ટ શક્ય ન હોઇ, યુનાઇટેડ એમિરાતમાં રમાઇ રહેલી આ ટુર્નામેન્ટ ભલે ત્યાં રમાશે પણ સૌથી વધુ જોવાશે ભારતમાં. ટેલિવિઝન પર સતત 53 દિવસ સુધી આઇ.પી.એલ. છવાયેલી રહેશે અને એટલે જ નવી ફિલ્મોથી લઇને અનેક ઇવેન્ટ આ જ કારણે પોસ્ટપોન કરી દેવામાં આવી છે.

53 દિવસ સુધી ચાલનારી આ ટૂર્નામેન્ટમાં કુલ 60 મેચ રમાશે. પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે અબુધાબીમાં રમાશે. ત્યારે આ વખતે IPLમાં કોરોનાના કારણે કેટલાક નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.

નવા ફેરફારમાં ટીમને અનલિમિટેડ કોરોના સબસ્ટીટ્યુટ મળશે. ઉપરાંત IPLમાં પ્રથમ વખત બોલને ચમકાવવા માટે બોલર્સ લાળનો ઉપયોગ કરી શકશે નહીં. ઈજાગ્રસ્ત ખેલાડીની જગ્યાએ અન્ય પ્લેયર સબ્સ્ટીટ્યૂટ તરીકે સામેલ કરી શકાશે. આ વખતે ફ્રન્ટફુટનો બોલ ફિલ્ડને બદલે થર્ડ અમ્પાયર જોશે. ત્યારે લાંબા સમય બાદ ભારતીય ક્રિકેટરો મેદાનમાં ઉતરી રહ્યા છે.

September 19, 2020
coronaworld.jpg
1min4850

કોરોના વાયરસ મહામારીને રોકવા માટે દુનિયાના તમામ દેશો દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ નવા કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. જેના પગલે દુનિયામાં કોરોના સંક્રમણનો કુલ આંક 3 કરોડને પાર પહોંચી ગયો છે. 3 કરોડમાંથી અડધાથી ઉપર કેસ અમેરિકા, ભારત અને બ્રાઝિલના છે. જ્યારે દુનિયામાં કુલ મૃત્યુઆંક 9.50 લાખથી ઉપર થયો છે. ‘તેમજ 2.20 કરોડથી વધારે લોકો રિકવર થઈ ચુક્યા છે. ભારતની વાત કરવામાં આવે તો દેશમાં કુલ કેસ 52 લાખને પાર થયા છે. તેમજ 41.25 લાખ લોકો રિકવર થયા છે. જ્યારે 84 હજાર લોકો મૃત્યુ પામ્યા છે. મંત્રાલયના કહેવા પ્રમાણે દેશ છેલ્લા 11 દિવસથી સતત 70000થી વધારે દૈનિક રિકવરી રિપોર્ટ કરી રહ્યું છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના કહેવા પ્રમાણે દેશના પાંચ રાજ્યોમાં સૌથી વધારે સક્રિય કેસ છે. જેમાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ છે. આ રાજ્યમાં સૌથી વધારે રિકવરી પણ થઈ છે. કહેવામાં આવ્યું છે કે છેલ્લા 24 કલાકના સમયગાળામાં વિક્રમી 87472 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને આ’ સાથે દેશમાં કોરોનાથી રિકવર થનારા લોકોની સંખ્યા 4125742 થઈ છે. તેનાથી રિકવરી રેટ 78.86 ટકા સુધી પહોંચ્યો છે અને મૃત્યુદર ઘટીને 1.63 ટકા થયો છે.

મંત્રાલયના કહેવા પ્રમાણે દેશ છેલ્લા 11 દિવસથી સતત 70000થી વધારે દૈનિક રિકવરી રિપોર્ટ કરી રહ્યું છે. મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તમિલનાડે, કર્ણાટક અને ઉત્તર પ્રદેશથી 59.8 ટકા સક્રિય’ મામલા સામે આવ્યા છે. આ રાજ્યોનો કુલ રિકવરી દર પણ 59.3 ટકા છે.’ મહારાષ્ટ્રમા નવો રિકવરી દર 22.31 ટકા, આંધ્રપ્રદેશમાં 12.24 ટકા, કર્ણાટકમાં 8.3 ટકા, તમિલનાડુમાં 6.31 ટકા અનજે છત્તીસગઢમાં 6 ટકા નોંધાયો છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે શુક્રવારે જારી કરેલા આંકડા પ્રમાણે ભારતમાં છેલ્લા 24 કલાકમાં 96,424 નવા કેસ સામે આવ્યા છે અને આ દરમિયાન 1174 મૃત્યુ થયા છે. દેશમાં સક્રિય મામલાની વાત કરવામાં આવે તો આ આંકડો 10 લાખને પાર થયો છે.

September 17, 2020
babri.jpg
1min5840

લખનઊની ખાસ સીબીઆઇની અદાલત ૩૦મી સપ્ટેમ્બરે બાબરી મસ્જિદ કેસનો ચુકાદો જાહેર કરવાની છે.

આ કેસમાં ભાજપના પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણી, ઉમા ભારતી, મુરલી મનોહર જોશી અને કલ્યાણસિંહ સહિત ૩૨ આરોપીને ચુકાદાના દિવસે કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ કેસના આરોપીઓ દ્વારા ટ્રાયલ કોર્ટને જણાવાયું છે કે પોતે આ કેસમાં નિર્દોષ હોવાના દસ્તાવેજી પુરાવા તેઓ કોર્ટમાં રજૂ કરશે.

સીબીઆઇની ખાસ અદાલતે ગત સપ્તાહ દરમિયાન ૩૨માંથી ૩૧ આરોપીના નિવેદન નોંધ્યા હતા. બાબરી મસ્જિદ તોડવાનું ષડ્યંત્ર ભાજપના પીઢ નેતાઓ દ્વારા રચાયું હોવાના કેસની સીબીઆઇની અદાલતમાં સુનાવણી ચાલી રહી છે.

સુપ્રીમ કોર્ટે શુક્રવારે આ કેસનો ચુકાદો ૩૧મી ઑગસ્ટ પહેલા જાહેર કરવાનો આદેશ ટ્રાયલ કોર્ટને આપ્યો હતો.

ભાજપ અને સંઘ પરિવારના લાલકૃષ્ણ અડવાણી, ઉમા ભારતી, મુરલી મનોહર જોશી અને કલ્યાણસિંહ જેવા પ્રમુખ નેતાના નામ આરોપી તરીકે દાખલ કરવામાં આવ્યા હતા.

અયોધ્યામાં આવેલી ૧૬મી સદીની બાબરી મસ્જિદને ૬ ડિસેમ્બર, ૧૯૯૨ના દિવસે કરસેવકોએ તોડી પાડી હતી. સીબીઆઇના એસ. કે. યાદવે લખેલા પત્રની નોંધ લઇને જસ્ટિસ રોહિન્ટન એફ. નરીમાનની અધ્યક્ષતાવાળી ખંડપીઠે વીડિયો કોન્ફરન્સ દ્વારા જણાવ્યું હતું કે અમે એ વાતની નોંધ લીધી છે કે શ્રીમાન યાદવ આ કેસનો ઝડપથી નિકાલ થાય એ માટે ઘટતું કરી રહ્યા છે, પણ અગાઉ આપેલો સમય અને ત્યાર બાદ આપવામાં આવેલા વધારાના સમયગાળાને ધ્યાનમાં લેતા હવે આ કેસની પૂર્ણાહૂતિ કરવાની અને ૩૧મી ઑગસ્ટ ૨૦૨૦ સુધીમાં કેસનો ચુકાદો આપવો જરૂરી છે.

ખંડપીઠે વધુમાં જણાવ્યું હતું કે યાદવે વીડિયો કોન્ફરન્સની સુવિધાનો લાભ લઇને પુરાવા મેળવવાની પ્રક્રિયા પૂરી કરવી જોઇએ અને કેસનો ચુકાદો આપવામાં આવેલા સમયગાળામાં જાહેર કરવો જોઇએ.

ગયા વર્ષે જુલાઇમાં સુપ્રીમ કોર્ટે જજ યાદવના કાર્યકાળને લંબાવવાનો આદેશ ઉત્તર પ્રદેશની સરકારને આપ્યો હતો, જેથી ૨૫ વર્ષ જૂના કેસની પૂર્ણાહૂતિ લાવી શકાય. ૩૦મી સપ્ટેમ્બરે યાદવ નિવૃત્ત થવાના હતા.

ટ્રાયલ જજને આપવામાં આવેલી બે વર્ષની ડૅડલાઇન પણ સુપ્રીમ કોર્ટે લંબાવી હતી.

રાયબરેલીની મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલી રહેલા કેસને સુપ્રીમ કોર્ટે ૨૦૧૭માં સીબીઆઇની લખનઊની ખાસ અદાલતમાં સંયુક્ત ટ્રાયલ માટે ટ્રાંસફર કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે સીબીઆઇના જજને રોજેરોજ સુનાવણી કરીને બે વર્ષની અંદર આ કેસનો ચુકાદો જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. આ સાથે જજની બદલી અને કેસની સુનાવણીમાં તારીખ પાડવા પર મનાઇ ફરમાવી હતી.

આ મામલે કોઇ ફરિયાદ હોય તો એ સુપ્રીમ કોર્ટને જણાવવાની હતી. આ સાથે આ આદેશનું સખતાઇથી પાલન કરવાની તાકિદ કરવામાં આવી હતી.

રાયબરેલીના કેસમાં ભાજપના નેતાઓ પર એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે એમણે આપેલા ભડકાવનારા ભાષણને લીધે રાષ્ટ્રની એકતા પર ખતરો ઊભો થયો અને લોકોમાં દુશ્મનાવટ થઇ.

લખનઊ કેસમાં સીબીઆઇ લાખો અજ્ઞાત કરસેવકો, મસ્જિદ તોડવાના કૃત્ય અને હિંસાની તપાસ કરી રહી છે.

આ બંને કેસ સંયુક્ત કરવાથી અને ષડ્યંત્રના આરોપ દાખલ કરવાથી આરોપી નેતાઓ સામે સીબીઆઇએ ૫ ઑક્ટોબર, ૧૯૯૩માં દાખલ કરેલા કેસ પ્રમાણે કામ ચલાવવામાં આવશે.

September 16, 2020
corona_india.jpg
1min5470

તા.16મી સપ્ટેમ્બર 2020ના રોજ સવારે ભારતમાં કોરોના કેસોની સંખ્યા 50 લાખને પાર કરી ગઇ હતી. અમેરીકા પછી સૌથી વધુ કેસો ભારતમાં મળી રહ્યા છે. ઓગસ્ટ 2020 પછી સૌથી વધુ દૈનિક કેસો ભારતમાં જ મળી રહ્યા છે.

૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા ૮૩,૮૦૯ કેસ નોંધાતા કોરોનાના કેસની કુલ સંખ્યાનો આંક રવિવારે ૪૯ લાખને પાર કરી ગયો હતો, એમ કેન્દ્રના આરોગ્ય ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાને કારણે વધુ ૧૦૫૪ જણનાં મૃત્યુ થયાં હતાં.

દેશમાં કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોનો આંક ૮૦,૭૭૬ પર પહોંચ્યો હોવાનું તેમણે કહ્યું હતું.

દેશમાં કોરોનાનો મૃત્યુદર ઘટીને ૧.૬૪ ટકા થઈ ગયો હોવાનું તેમણે કહ્યું હતું. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ૪૯,૩૦,૨૩૬ કેસ નોંધાયા છે અને તેમાંથી ૩૮,૫૯,૩૯૯ દરદી સાજા થઈ ગયા છે. કોરોનાના દરદીઓના સાજા થવાની ટકાવારી ૭૮.૨૮ ટકા જેટલી હોવાનું તેમણે કહ્યું હતું. કોરોનાના કેસની સંખ્યા એક લાખ પર પહોંચતા ૧૧૦ દિવસ લાગ્યા હતા, પરંતુ કેસની સંખ્યા દસ લાખ પર પહોંચતા માત્ર ૫૦ દિવસ જ લાગ્યા હતા. ૭ ઑગસ્ટે ભારતમાં કોરોનાના કેસનો

આંક ૨૦ લાખ, ૨૩ ઑગસ્ટે ૩૦ લાખ તેમ જ પાંચ સપ્ટેમ્બરે ૪૦ લાખને વટાવી ગયો હતો.

દેશમાં કોરોનાના હજુ પણ ૯,૯૦,૦૬૧ કરતા વધુ સક્રિય કેસ છે જે કોરોનાના કુલ કેસની ટકાવારીના ૨૦ ટકા જેટલી હોવાનું તેમણે કહ્યું હતું.

આઈસીએમઆરના જણાવ્યાનુસાર ૧૫ સપ્ટેમ્બર સુધીમાં દેશમાં કોરોનાના ૫,૮૩,૧૨,૨૭૩ જેટલા નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાને કારણે નોંધાયેલા કુલ ૧૦૫૪ મૃત્યુમાં મહારાષ્ટ્ર ૩૬૩, કર્ણાટક ૧૧૯, પંજાબ ૬૮, ઉત્તર પ્રદેશ ૬૨, આંધ્ર પ્રદેશ ૬૦, પ. બંગાળ ૫૮, તમિળનાડુ ૫૩, મધ્ય પ્રદેશ ૨૯, દિલ્હી ૨૬, હરિયાણા ૨૫, છત્તીસગઢ ૧૮, ગુજરાત અને જમ્મુ-કાશ્મીર પ્રત્યેકમાં ૧૭, કેરળ અને ઉત્તરાખંડ પ્રત્યેકમાં ૧૫, રાજસ્થાન અને ગોવા પ્રત્યેકમાં ૧૪, આસામ ૧૩, ઓડિશા ૧૧, તેલંગણા ૧૦, બિહાર અને પુડુચેરી પ્રત્યેકમાં ૦૯, ત્રિપુરા ૦૭, ઝારખંડ ૦૬, ચંડીગઢ અને હિમાચલ પ્રદેશ પ્રત્યેકમાં ૦૫, સિક્કિમ ૦૨, આંદામાન-નિકોબાર ટાપુ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય અને લદાખ પ્રત્યેકમાં ૦૧ મૃત્યુનો સમાવેશ થાય છે.

દેશભરમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં ૮૦,૭૭૬ લોકોનાં મોત નીપજ્યાં છે અને કુલ ૨૯,૮૯૪ મૃત્યુ સાથે મહારાષ્ટ્ર મોખરે છે.

જૉન્સ હૉપ્ક્ધિસ યુનિવર્સિટીના જણાવ્યાનુસાર કોરોનાની રિકવરીને મામલે ભારત વિશ્ર્વમાં ટોચના સ્થાને છે તો બ્રાઝિલ અને અમેરિકા અનુક્રમે ત્યાર પછીના સ્થાને છે.

અમેરિકા બાદ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત થયેલા દેશમાં ભારતનો નંબર આવે છે.

કોરોનાને કારણે અમેરિકામાં સૌથી વધુ લોકોનાં મૃત્યુ થયા છે તો ભારત આ યાદીમાં અમેરિકા અને બા્રઝિલ પછીના એટલે કે ત્રીજા સ્થાને છે.

ઓક્ટોબરના પહેલા અઠવાડિયા સુધીમાં દેશમાં કોરોનાના કેસની સંખ્યા ૭૦ લાખથી વધી જશે તેમ જ કોરોનાના કેસને મામલે ભારત અમેરિકાને પાછળ રાખી દઈ ટોચના સ્થાને પહોંચી જાય તેવી શક્યતા હોવાની હૈદરાબાદસ્થિત ‘બિટ્સ પિલાની’નામની સંસ્થાના સંશોધકોની ટુકડીએ જાહેરાત કરી છે.

દરમિયાન, કોરોનાની રસી ન શોધાય ત્યાં સુધી સાવચેત રહેવાનું અને કોઈપણ પ્રકારની બેદરકારી ન દાખવવાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને જણાવ્યું છે.

September 15, 2020
sabji_market-1280x720.jpg
1min5550
file photo

કોરોનાને કારણે કામધંધાની ગતિ ધીમી પડી ગઈ હોવાથી આર્થિક મંદી પણ ઊભી થઈ છે, લોકોની આવકમાં ઘટાડો થયો છે, પગાર પણ કપાઈને મળી રહ્યા છે ત્યારે આવી આર્થિક સ્થિતિ વચ્ચે શાકભાજીના અચાનક વધી ગયેલા ભાવે સુરતીઓને ચિંતામાં મૂકી દીધા છે.

ગૃહિણીઓનું મન્થ્લી બજેટ કોરોનાને કારણે પહેલાં જ હલબલી ગયું છે અને છેલ્લા બારેક દિવસથી શાકભાજીના ભાવમાં ૧૦થી ૧૫ ટકા હોલસેલ માર્કેટમાં વધારો થતાં બજેટ કઈ રીતે જાળવવું એ સમજાઈ નથી રહ્યું. જોકે રાહતની એ વાત પણ છે કે કદાચ વીસેક દિવસ પછી આ ભાવ નીચે જઈ શકે એવી શક્યતા છે, પરંતુ નવરાત્રિમાં પાછા ભાવ વધી શકે એ શક્યતાને પણ નકારી શકાય એમ નથી.

કોરોના અને એને કારણે થયેલા લૉકડાઉનને લીધે વેપારીઓને રૂપિયાની કમાણી નથી અને નોકરિયાત પાસે ક્યાં તો નોકરી નથી અને ક્યાં તો નોકરીમાં કપાતી સૅલેરીમાં કામ કરવું પડે છે ત્યારે શાકભાજીના ભાવમાં થયેલો તોતિંગ વધારો પડેલા પર પાટુ જેવો છે. આમાં ખરો મરો થાય છે મિડલ-ક્લાસનો.

શાકભાજીના ભાવમાં અચાનક થયેલા વધારા વિશે વાત કરતાં સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના આગેવાને જણાવ્યું હતું કે ‘લૉકડાઉન પહેલાં માર્કેટમાં 400 પ્લસ જેટલી ટ્રકો દરરોજ આવતી હતી, પરંતુ હાલમાં 250 ટ્રક જ આવી રહી છે. હાલમાં વરસાદને લીધે સારો માલ ઓછો અને ખરાબ માલ વધુ આવી રહ્યો હોવાથી છેલ્લા ૧૦-૧૨ દિવસથી અચાનક શાકભાજીના ભાવમાં ૧૦થી ૧૫ ટકાનો હોલસેલ માર્કેટમાં વધારો થયો છે. અચાનક પડી રહેલા વરસાદને કારણે પાકને પણ નુકસાન થઈ રહ્યું છે.’

એપીએમસી માર્કેટમાં શાકભાજીના ભાવ વધતાં રીટેલ માર્કેટમાં અનેક ઠેકાણે ગ્રાહકો પાસેથી મન ફાવે એ ભાવ વસૂલાઈ રહ્યા છે. ટમેટાં ૫૦થી ૭૦ રૂપિયા કિલો, ફ્લાવર ૪૦થી ૭૦ રૂપિયા કિલો, કોથમીર ૩૦ રૂપિયા ઝૂડી એ રીતે મન ફાવે એવા ભાવ ગ્રાહકો પાસે લેવાઈ રહ્યા છે. ગ્રાહકો નાછૂટકે વધુ ભાવ ચૂકવીને પણ શાકભાજી ખરીદવા મજબૂર છે.