Alert Archives - Page 193 of 511 - CIA Live

January 12, 2021
vaccine.jpg
1min580

ઇન્ડિયન મૅડિકલ એસૉસિયેશને પોતાના અંદાજે ૩.૫ લાખ સભ્યને કોરોના સામેની રસી સ્વૈચ્છિક રીતે લેવા હાકલ કરી હતી કે જેથી વિશ્ર્વના અન્ય લોકો જોઇ શકે કે ભારતની આ બન્ને રસી સલામત અને અસરકારક છે.દેશના ડૉક્ટરોના સંગઠન ઇન્ડિયન મૅડિકલ એસૉસિયેશને રસીને લગતા વિજ્ઞાની ડેટા, નિષ્ણાતોની

સમિતિના અહેવાલની વ્યાપક સમીક્ષા કરીને અને ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મૅડિકલ રિસર્ચ તેમ જ વિશ્ર્વ આરોગ્ય સંસ્થા (વર્લ્ડ હૅલ્થ ઑર્ગેનાઇઝેશન)ના નિષ્ણાતોની સાથે ચર્ચાવિચારણા કર્યા બાદ પોતાના આશરે ૩.૫ લાખ સભ્યને દેશની સરકારે બહાર પાડેલી કોવિડ-૧૯ સામેની બે રસી લેવા હાકલ કરી હતી.

ઇન્ડિયન મૅડિકલ એસૉસિયેશને જણાવ્યું હતું કે અમે ભારતની આ બન્ને રસી સલામત અને અસરકારક હોવાનું વિશ્ર્વને બતાવી આપવા માટે ૧,૮૦૦ સ્થાનિક શાખા ખાતે સ્વૈચ્છિક રીતે રસી લેવા આગળ આવવા અમારા સભ્યોને અનુરોધ કર્યો છે.

ઇન્ડિયન મૅડિકલ એસૉસિયેશને બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતીય વિજ્ઞાનીઓ, દેશમાંના અત્યાધુનિક દવાના નિષ્ણાતો અને ભારત સરકારે આ બે રસી બહાર પાડવા માટે કરેલું કાર્ય પ્રશંસાપાત્ર છે. આ બન્ને રસી દેશની પરિસ્થિતિ અને વાતાવરણને ધ્યાનમાં રાખીને સાચવવી અને વાપરવી સરળ છે.

તેણે જણાવ્યું હતું કે ભારત અત્યાધુનિક ઔષધના ક્ષેત્રે મહાસત્તા બનવા માટે આગળ વધી રહ્યું છે. 

January 12, 2021
supreme.jpg
1min498

આજે મંગળવાર તા.12મી જાન્યુઆરી 2021ના રોજ સુપ્રીમ કોર્ટે કેન્દ્રમાં રહેલી મોદી સરકારને લપડાક આપતા સૂચના આપી હતી કે સુપ્રીમ કોર્ટ દ્વારા બીજો આદેશ ના આપવામાં આવે ત્યાં સુધી ત્રણ કૃષિ કાયદાની અમલવારી કરવી નહીં. ત્રણેય કૃષિ કાયદાઓ પર બેમુદતી સ્ટે આપવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટે દિલ્હી સરહદે વિરોધ કરી રહેલા ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે પડેલી મડાગાંઠને ઉકેલવા માટે સુપ્રીમ કોર્ટે કમિટીનું ગઠન કરવા જણાવ્યું છે.

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એસ એ બોબડેની અધ્યક્ષતા હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે, વધુ આદેશ ના અપાય ત્યાં સુધી કૃષિ કાયદાના અમલ પર રોક રહેશે. ખેડૂતોની સમસ્યા માટે સુપ્રીમ કોર્ટની ચાર સભ્યોની કમિટી રચવામાં આવશે.

સુનાવણી ચાલુ રહે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટે ખેડૂતોને સહકાર આપવા જણાવ્યું હતું અને કહ્યું હતું કે, કોઈપણ તાકાત તેમને ત્રણ કૃષિ કાયદાને લઈને ચાલી રહેલા ઘમસાણને ઉકેલવા કમિટી રચવાથી રોકી શકે તેમ નથી.

કોર્ટની Modi Governmentને ફટકાર

Supreme Court slams Modi Government's style of functioning in the execution  of Farm Laws - PGurus

નવા કૃષિ કાયદાનો વિરોધ કરતી અનેક અરજીઓની સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટે સરકારની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે સરકાર અને ખેડૂતો વચ્ચે ચાલી રહેલી વાટાઘાટ જે રીતે આગળ વધી રહી છે, એ નિરાશાજનક છે અને આ મામલે અમે મંગળવારે ચુકાદો જાહેર કરીશું.

સુનાવણી વખતે કોર્ટે કેન્દ્ર સરકારને જણાવ્યું હતું કે તેઓ એક કમિટી બનાવશે અને જે ખેડૂતો આ કાયદાને ટેકો આપે છે, એમને કમિટી સમક્ષ આવીને આ વાત કહેવા દો. ત્યાં સુધી તમે કૃષિ કાયદાનો અમલ રોકી રાખો.

અમે કોઇપણ કાયદા પર સ્ટે આપવાની તરફેણમાં નથી, પણ એટલું જ કહેવા માગીએ છીએ કે કાયદાનો અમલ હમણાં ન કરો. કૃષિ કાયદા પર સ્ટે તમે આપશો કે અમે પગલું ભરીએ?

ચીફ જસ્ટિસ બોબડે અને જસ્ટિસ એસ. એસ. બોપન્ના તથા વી. રામાસુબ્રમનિયનની ખંડપીઠે જણાવ્યું હતું કે કેટલાક લોકોએ આત્મહત્યા કરી છે, વૃદ્ધો અને મહિલાઓ આંદોલનમાં જોડાયા છે. આ શું ચાલી રહ્યું છે? આ કાયદા સારા હોવાની વાત કરતી હોય એવી એકપણ અરજી અમારી સમક્ષ આવી નથી.

કૃષિ કાયદાના થઇ રહેલા વિરોધનો ઉકેલ લાવવા માટે સુપ્રીમ કોર્ટે ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ આર. એમ. લોઢાની આગેવાનીમાં કમિટી બનાવવાનો પ્રસ્તાવ કર્યો હતો.

ખંડપીઠે જણાવ્યું હતું કે તેઓ પોતાનો આદેશ તબક્કાવાર રીતે જાહેર કરશે.

સરકાર અને ખેડૂતો વચ્ચેની આઠમી વાટાઘાટ નિષ્ફળ ગઇ હતી અને હવે ૧૫મી જાન્યુઆરીએ ફરીથી બંને પક્ષના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક યોજાવાની છે.

January 10, 2021
mamta.jpg
1min450
West Bengal, Jan 04 (ANI): West Bengal Chief Minister Mamata Banerjee addresses during a press conference, in Kolkata on Monday. (ANI Photo)

પશ્ચિમ બંગળાના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોરોના વેક્સિનને લઇને એક મહત્વની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે, તેમના રાજ્યમાં લોકોને કોરોનાની વેક્સિન મફ્તમાં આપવામાં આવશે. સરકાર આની માટે તમામ સ્તર પર વ્યવસ્થા કરી રહી છે. દેશભરમાં 16 જાન્યુઆરીથી કોરોનાની વેક્સિન આપવામાં આવશે. વેક્સિનેશનના શરૂઆતના તબક્કામાં પહેલાં સ્વાસ્થ્યકર્મીઓ, ફ્રન્ટલાઇન કર્મચારીઓને પ્રાથમિકતા આપવામાં આવશે. એક અનુમાન પ્રમાણે, તેમની સંખ્યા લગભગ ત્રણ કરોડ છે.

બંગાળમાં આ વર્ષે યોજાનારી વિભાનસભાની ચૂંટણી પહેલાં મમતાની આ જાહેરાત મહત્વની માનવામાં આવી રહી છે. વેક્સિન મફ્તમાં આપવાના નિર્ણય અંગે મમતા બેનર્જીએ સરકારી આદેશ પણ જાહેર કરી દીધો છે. 

મમતા બેનર્જીએ કહ્યું કે, હું આ જાહેરાત કરતાં ખુશી અનુભવું છે કે અમારી સરકાર રાજ્યના તમામ લોકોને વિના મૂલ્યે કોરોનાની વેક્સીનની સુવિધા આપવાની વ્યવસ્થા કરી રહી છે. મમતા બેનર્જી સરકારની આ જાહેરાત પર ભાજપનું કહેવું છે કે મમતા કેન્દ્ર સરકારના કામની ક્રેડિટ લેવાનો પ્રયાસ કરી રહી છે.

ગયા અઠવાડિયે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું હતું કે, ત્રણ કરોડ ફ્રન્ટ લાઇનર્સને આ વેક્સિન મફ્તમાં આપવામાં આવશે. દેશની બાકીની જનતાને વેક્સિન માટે પૈસા ચૂકવવા પડશે કે કેમ, તે અંગે હજુ ચિત્ર સ્પષ્ટ નથી. કહેવાઇ રહ્યું છે કે, રાજ્ય સરકાર નક્કી કરશે કે તેમના લોકોને મફ્તમાં વેક્સિન મળશે કે પૈસા ચૂકવવા પડશે. 

January 10, 2021
covaxin.jpg
1min574

ભારતમાં ૧૬ જાન્યુઆરીથી કોવિડ-૧૯ સામે રસીકરણની ઝુંબેશ શરૂ કરાશે. ત્રણ કરોડ હૅલ્થકૅર અને ફ્રન્ટલાઇન વર્કરને પ્રાધાન્ય અપાશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સામેની રસીકરણની આ સૌથી મોટી ઝુંબેશ ગણાવી હતી.

સરકારે જણાવ્યું હતું કે મોદીએ કોવિડ-૧૯ના રસીકરણની ઝુંબેશ માટેની રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની તૈયારીની ઉચ્ચ સ્તરની બેઠકમાં સમીક્ષા કરી હતી અને તે પછી રસીકરણ ૧૬ જાન્યુઆરીથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો.

સરકારે સ્પષ્ટતા કરી હતી કે લોહડી, મકર સંક્રાંતિ, પોંગલ, માઘ બિહૂ જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને જ ૨૦૨૧ની ૧૬ જાન્યુઆરીથી દેશમાં કોવિડ-૧૯ સામેના રસીકણના કાર્યક્રમને શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો.

રસીકરણમાં હૅલ્થકૅર, ફ્રન્ટલાઇન વર્કરને પ્રાથમિકતા આપ્યા બાદ પચાસ વર્ષથી મોટી વયના લોકો અને એકથી વધુ રોગના લક્ષણ ધરાવતા દરદીઓને રસી અપાશે. દેશમાં આવા કુલ લોકોની સંખ્યા અંદાજે ૨૭ કરોડ છે.

મોદીએ ઉચ્ચ સ્તરની બેઠક બાદ ટ્વીટ કર્યું હતું કે ભારતમાં કોવિડ-૧૯ સામેની લડતમાં ૧૬ જાન્યુઆરીથી મોટા પાયે રસીકરણ શરૂ કરાશે.

તેમણે જણાવ્યું હતું કે રસીકરણમાં આપણા બહાદુર ડૉક્ટરો, હૅલ્થકૅર અને સફાઇ કર્મચારીઓ સહિતના ફ્રન્ટલાઇન વર્કરને પ્રાધાન્ય અપાશે. ભારતે તાજેતરમાં બે રસી – સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા દ્વારા તૈયાર કરાયેલી ઑક્સફર્ડની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનને તાકીદના વપરાશ માટે મંજૂરી આપી હતી. દેશમાં નોંધાયેલા કોરોનાના અંદાજે ૧.૦૪ કરોડ દરદીમાંથી હાલમાં આશરે ૨,૨૪,૧૯૦ ઍક્ટિવ કૅસ છે. અત્યાર સુધીમાં કોરોનાથી ૧.૫ લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.

January 10, 2021
CIA_Live_Logo_New2.jpg
4min527
Image may contain: 1 person, standing
સુરત સ્થિત સાઇ કોર્પોરેશન ગ્રુપના ફાઉન્ડર અશોક રાંદેરીયા અને તેમના મિત્રમંડળ દ્વારા સુરત ભાજપાના નવનિયુક્ત પદાધિકારીઓનો અભિવાદન સમારોહ તા.9 જાન્યુઆરીએ સાંજે અઠવાલાઇન્સ આદર્શ ભવન ખાતે યોજવામાં આવ્યો હતો એ વેળા મંચ પર ઉપસ્થિત મહાનુભાવો CiA Live News Report

તા.9મી જાન્યુઆરી 2021ને શનિવારની સંધ્યાએ સુરતના અઠવાલાઇન્સ ખાતેના આદર્શ ભવન ખાતે યોજાયેલા અભિવાદન સમારોહને સંબોધતા ભાજપાના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલે એવી ગર્જના કરી હતી કે કોંગ્રેસ માટે પેજ પ્રમુખની સ્કીમ તેમના નેતા પરેશ ધાનાણીના કહેવા મુજબ સાચે જ અણુબોંબ સમાન પુરવાર થવાની છે. ભાજપાના પેજ પ્રમુખ સમા અણુ બોંબનો પ્રતિકાર કરવામાં કોંગ્રેસ વામણી પુરવાર થઇ છે. સુરતના નાનપુરા, ટીમલિયાવાડ સ્થિત સાઇ કોર્પોરેશન ગ્રુપના શ્રી અશોકભાઇ રાંદેરીયા દ્વારા સી.આર. પાટીલ તેમજ સુરત ભાજપાના નવા વરાયેલા હોદ્દેદારોને અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો.

Image may contain: 1 person, standing
સુરત સ્થિત સાઇ કોર્પોરેશન ગ્રુપના ફાઉન્ડર અશોક રાંદેરીયા તેમજ ભાજપાના યુવા નેતા રાજુભાઇ સેલર એ ગુજરાત ભાજપા પ્રમુખ શ્રી સીઆર પાટીલનું અભિવાદન કર્યું એ વેળાની તસ્વીર CiA Live News Report

શ્રી સાઇ કોર્પોરેશન ગ્રુપ સુરતના એવા નવયુવાનોનું ગ્રુપ છે જે છેલ્લા 30 વર્ષથી સામાજિક, સ્વૈચ્છીક સંસ્થાઓ સાથે મળીને લોકહિતના કાર્યો કરે છે. શ્રી સાઇ કોર્પોરેશન ગ્રુપના ફાઉન્ડર અશોકભાઇ રાંદેરીયાએ સુરત શહેર ભાજપાના નવા વરાયેલા પદાધિકારીઓને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 120માંથી 120 બેઠકો મળે તેવી શુભેચ્છા પાઠવવા માટે અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

Image may contain: one or more people and people sitting
સુરત સ્થિત સાઇ કોર્પોરેશન ગ્રુપના ફાઉન્ડર અશોક રાંદેરીયા અને તેમના મિત્રમંડળ દ્વારા સુરત ભાજપાના નવનિયુક્ત પદાધિકારીઓનો અભિવાદન સમારોહ તા.9 જાન્યુઆરીએ સાંજે અઠવાલાઇન્સ આદર્શ ભવન ખાતે યોજવામાં આવ્યો હતો એ સમારોહમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા મહાનુભાવો CiA Live News Report

શ્રી સાઇ કોર્પોરેશન ગ્રુપ, ટીમલીયાવાડ સુરત દ્વારા આ મહાનુભાવોનું અભિવાદન થયું

  • ભાજપાના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ,
  • સુરત શહેર ભાજપા અધ્યક્ષ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા,
  • મહામંત્રી શ્રી મુકેશ દલાલ,
  • શ્રી કિશોર બિંદલ,
  • સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોષ,
  • ધારાસભ્ય શ્રી હર્ષ સંઘવી,
  • શ્રી અરવિંદ રાણા,
  • શ્રી વીડી ઝાલાવડીયા,
  • શ્રી સંગીતા પાટીલ
  • શ્રી રણજિત ચીમના
  • શ્રી પંકજ દેસાઇ
  • શ્રી લક્ષ્મણ કોરાટ,
  • શ્રી ભાવનાબેન પટેલ
  • શ્રી તેજલબેન કાપડીયા
  • શ્રી રાજેન્દ્ર પાટીલ
  • શ્રી સુમિત્રાબેન પટેલ
  • શ્રી વિરલ ગીલીટવાલા
  • શ્રી ભીખાભાઇ પટેલ તેમજ
  • શ્રી પ્રવીણભાઇ માળીનું બહુમાન કરવામાં આવ્યું હતું.

આ સમારોહને સંબોધતા શ્રી સી.આર. પાટીલે કહ્યું કે કાર્યકરો જ ભાજપાની મોટી તાકાત છે. પેજ પ્રમુખ બનાવવા માટે ભાજપાના કાર્યકરો કેટલી જહેમત ઉઠાવી રહ્યા છે તેના દાખલા ટાંકતા તેમણે કહ્યું કે કોઇ કાર્યકર પાર્ટીની ટિકીટ મળે છે એ માટે પેજ પ્રમુખ કમિટીએ બનાવી રહ્યા છે એવું કહીને તેનું અપમાન નહીં કરી શકાય. શિસ્તબદ્ધ રીતે ભાજપાના કાર્યકરો પેજ પ્રમુખોનું સંચાલન કરી રહ્યા છે. તેમણે પેજ પ્રમુખ થકી ચૂંટણીમાં આસાનીથી વિજય કેવી રીતે મળી શકે તે માટેનું ગણિત આંકડા સાથે સમજાવ્યું હતું.

Image may contain: 1 person, standing
સુરત સ્થિત સાઇ કોર્પોરેશન ગ્રુપના ફાઉન્ડર અશોક રાંદેરીયાએ સુરતના સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોષનું અભિવાદન કર્યું એ વેળાની તસ્વીર CiA Live News Report

સી.આર. પાટીલે કહ્યું કે ભાજપાને 100 એ 100 ટકા જીત મેળવવાની આદત પડી ગઇ છે, કાર્યકરોની તાકાતથી ભાજપા આ દિશામાં મક્કમતાથી આગળ વધી રહી છે.

Image may contain: 1 person, standing
January 8, 2021
breaking_CIA-1280x831.jpg
4min879

Jayesh Brahmbhatt 98253 44944

કોરોનાને કારણે 2020ના વર્ષ માટેના IITsમાં પ્રવેશ માટેના નિયમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા હતા. આ ફેરફાર 2021ના વર્ષે પણ કન્ટીન્યુ કરવામાં આવ્યા છે. સૌથી મોટો ફેરફાર એ છે કે IITsમાં પ્રવેશ માટેની લઘુત્તમ લાયકાત (ઓછામાં ઓછા માર્ક) ધો.12માં 75 ટકા હતી. આ નિયમને 2021ના વર્ષ માટે પણ હટાવી દેવામાં આવ્યો છે. કેન્દ્રના શિક્ષણ મંત્રીએ સ્પષ્ટતા કરી છે કે 2020 બાદ 2021ના વર્ષ માટે (ફક્ત આ વર્ષ પૂરતું) જ ધો.12માં ઓછામાં ઓછા 75 ટકા હોય તો જ IITsમાં પ્રવેશ મળી શકે તેવો નિયમ હટાવવામાં આવ્યો છે.

વધુમાં જેઇઇ મેઇન્સ પરીક્ષા ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે એમ 4 વખત લેવાની જાહેરાત બાદ મહત્વની જાહેરાત એ પણ કરવામાં આવી છે કે IITsમાં પ્રવેશ માટે જેનું મેરીટ ગણવામાં આવે છે એ IITs એડવાન્સ્ડ પરીક્ષા તા.3 જુલાઇ 2021ના રોજ ઓનલાઇન લેવામાં આવશે. આ પરીક્ષા ઓફલાઇન લેવાની કોઇ જોગવાઇ નથઈ. IITs ખડગપુર દ્વારા લેવાનારી જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષા ઇંગ્લિશ ઉપરાંત હિન્દીમાં પણ લેવાશે.

The JEE Advanced 2021 will be conducted in computer-based test mode on July 3 by IIT-Kharagpur

The JEE Advanced 2021 will be conducted in computer-based test mode on July 3 by IIT-Kharagpur in English and Hindi languages, Union Education Minister Ramesh Pokhriyal Nishank said.

In the wake of the coronavirus epidemic, 75 per cent eligibility criterion for admissions to Indian Institutes of Technology (IITs) will be waived this year, he added.

The criteria for admissions to any programme in the IITs includes performance in Class XII or equivalent board examinations, with physics, chemistry, mathematics, one language and any other subject other than the above four.

The CBSE examinations for Class X and XII will be held from May 4 to June 10 and the results announced by July 15. The Joint Entrance Examination Advanced will be taken up thereafter.

The JEE Advanced 2022 will be conducted by IIT-Bombay and JEE Advanced 2023 by IIT- Guwahati.

“The special eligibility criterion for JEE 2021 is for those eligible candidates who registered for JEE Advanced 2020 but could not sit in the exams,” said Nishank.

These students will however have to register again for the 2021 exams and pay the required fees.

The students can use an app developed by the National Testing Agency to take mock tests for practice in the run-up to the JEE exams.

Earlier, the Minister had announced that JEE Mains would be held in February, March, April, and May every year. The JEE Main is slated to be held between February 23 and 26 this year.

January 7, 2021
Cia_women_train2.jpg
1min941

મહિલાઓએ ગુડ્ઝ ટ્રેન ચલાવી અને સંપૂર્ણપણે સંચાલન પણ સુપેરે કર્યું : ભારતમાં આવું પહેલીવાર બન્યું

CiA Live આ ન્યુઝને ઘનિષ્ઠતાથી પ્રમોટ કરી રહ્યા છીએ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

મહિલાઓ અમુક કાર્યો કરી શકે જ નહીં એવી ગેરમાન્યતાના વાામાંથી આપણે બહાર આવી રહ્યા છે એની પ્રતીતિ કરાવતી ઘટના શેર કરતા આનંદ અનુભવું છું. મહિલા કશું પણ કરી શકે છે, કરીયર કાઉન્સિલર હોવાના નાતે અનેક દિકરીઓને મેં મિકેનિકલ એન્જિનિયરિંગ વિષયમાં અભ્યાસ કરવા પ્રેરી હતી અને તેઓ આજે જબરદસ્ત કામ કરી રહી છે. બાકી એ દિકરીઓને એવું જ કહેવાયું હતું કે મિકેનિકલ એન્જિનિયરિંગ મહિલાઓ માટે છે જ નહીં.

મહિલાઓને પ્લેન ઉડાડતા તમે સાંભળ્યું, જોયું હશે પણ મહિલાઓ ટ્રેન ચલાવે છે એવું તમને પહેલીવાર અમે CiA Live જણાવી રહ્યા છે

આખી ગુડ્ઝ ટ્રેન ચલાવી, સંચાલન કર્યું અને એ પણ જોરદાર રીતે

મહિલાઓએ મહારાષ્ટ્રના વસઇથી ગુજરાતના વડોદરા સુધી ગુડ્ઝ ટ્રેનનું સંચાલન સુપેરે કર્યું. રેલવે મિનિસ્ટર પિયુષ ગોયેલના જણાવ્યા અનુસાર તો વસઇથી વડોદરા સુધીની ગુડઝ ટ્રેનને હંકારવાથી લઇને ગાર્ડ સહિતના તમામ પદો પર મહિલાઓ હતી અને તેમણે ક્યાંય પણ કોઇની હેલ્પ લીધા વગર પોતાની ફરજ જોરદાર રીતે અને પ્રેરણાદાયી રીતે અદા કરી છે.

ભારતના રેલવે મંત્રીએ ખુદ મહિલાઓના આ કાર્યને બિરદાવતા કહ્યું કે સ્ત્રી સશક્તિકરણનું આ એક અદભૂત ઉદાહરણ છે.

January 7, 2021
Railways.png
1min460

ભારતીય રેલવેએ બુધવારે 6 જાન્યુઆરી 2020એ મહત્વની જાહેરાત કરતા રેલવે મુસાફરો જોગ જણાવ્યું હતું કે હવે કેન્સલ કરવામાં આવેલી ટિકીટનું રિફંડ 6 મહિનાની જગ્યાએ 9 મહિના સુધી મળવાપાત્ર થશે. આવું કરવા પાછળનું કારણ એ છે કે હજારો મુસાફરો કોરોના કાળ દરમિયાનમાં તેમની બુક્ડ કરેલી ટિકિટ કૅન્સલ કરાવી શક્યા નથી. હાલના છ મહિનાના ગાળામાં રિફન્ડ મેળવવા સક્ષમ નથી, પરીણામે હવે 9 મહિના સુધી કેન્સલ્ડ ટિકીટનું રિફંડ કરવામાં આવશે.

ભારતમા મોટી સંખ્યામાં બુક્ડ કરાયેલી ટ્રેન ટિકીટો હજુ સુધી પેસેન્જરોએ કેન્સલ કરાવી છે પરંતુ, હજી તેમની કેન્સ્લ થયેલી ટિકિટો માટેનું રિફન્ડ મેળવવું બાકી છે, તેથી ઘણી ઝોનલ રેલવેએ સૂચનો અને વિનંતી કર્યાં હતાં, જેને પગલે ટિકિટ કૅન્સલ કરવા માટે અને રિફન્ડ મેળવવા માટે ત્રણ મહિનાનું એક્સ્ટેન્શન આપવામાં આવ્યું છે, તેમ ભારતીય રેલવેએ યાદીમાં જણાવ્યું હતું.

અધિકારીઓએ જણાવ્યું હતું કે પેસેન્જરોએ નાણાં ગુમાવવાની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ભારતીય રેલવે મહામારીને કારણે કૅન્સલ થયેલી ટ્રેનોનું પૂરું રિફન્ડ ચૂકવશે. સ્ટેશન પર બુકિંગ કરનારા પેસેન્જરો કાઉન્ટર પર તેમની ટિકિટો જમા કરાવીને ડિપાર્ચર ડેટ (ટ્રેન ઉપડવા તારીખ)ના નવ મહિનાની અંદર રિફન્ડ મેળવી શકશે. ઑનલાઇન ટિકિટ બુક કરાવનારા પેસેન્જરો ભારતીય રેલવે જ્યારે પણ ટ્રેન રદ કરે ત્યારે ઑટોમેટિક ઑનલાઇન રિફન્ડ મેળવશે.

January 7, 2021
New-Zealand.jpg
1min460
New Zealand For The First Time Ranked No.1 In Test Cricket | OTV News

ન્યૂ ઝીલૅન્ડ ૧૯૩૦ની સાલથી (૯૦ વર્ષથી) ટેસ્ટ-ક્રિકેટ રમે છે અને ૧૯૮૭ના વર્ષથી ટેસ્ટ-રૅન્કિંગ જાહેર થાય છે એમ છતાં ન્યૂ ઝીલૅન્ડ ક્યારેય આ રૅન્કિંગમાં નંબર-વન નહોતું થયું, પરંતુ કિવીઓ બુધવારે પહેલી વાર ટેસ્ટમાં પ્રથમ ક્રમે આવ્યા હતા. ક્રાઇસ્ટચર્ચમાં પાકિસ્તાનને બીજી ટેસ્ટમાં એક દાવ, ૧૭૬ રનથી પરાજિત કરીને અને સિરીઝ ૨-૦થી જીતીને ન્યૂ ઝીલૅન્ડે આ અપ્રતિમ સિદ્ધિ હાંસલ કરી છે. આ ઉપલબ્ધિ કૅપ્ટન કેન વિલિયમસનની ડબલ સેન્ચુરીને કારણે સંભવ બની હતી.

ન્યૂ ઝીલૅન્ડ છેલ્લાં ૧૦ વર્ષમાં ટેસ્ટ-ક્રિકેટમાં નંબર-વન થનારો છઠ્ઠો દેશ છે. આ દેશ બે વર્ષથી રૅન્કિંગમાં બીજા સ્થાને હતું અને છેક હવે અવ્વલ થયું છે. ન્યૂ ઝીલૅન્ડ ૧૧૮ પૉઇન્ટ સાથે પ્રથમ ક્રમે, ઑસ્ટ્રેલિયા ૧૧૬ પૉઇન્ટ સાથે બીજે અને ભારત ૧૧૪ પૉઇન્ટ સાથે ત્રીજે છે. ઇંગ્લૅન્ડ (૧૦૬) ચોથા નંબર પર અને સાઉથ આફ્રિકા (૯૬) પાંચમા નંબર પર છે.

January 6, 2021
boris.jpeg
1min470

વૈશ્વિક મહામારીના સંકટને લીધે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસનનો ભારત પ્રવાસ રદ કરી દેવાયો છે. તેઓ પ્રજાસત્તાક દિવસે મુખ્ય અતિથિ રુપે સામેલ થવાના હતા. 

માહિતી મુજબ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસને મંગળવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરતાં ભારત આવવા તેમની અસર્થતા વ્યક્ત કરી હતી. બ્રિટિશ વડાપ્રધાને પોતાનો ભારત પ્રવાસ રદ કરવા પર દુખ વ્યક્ત કર્યું હતું. પીએમ મોદી સાથે ટેલિફોનિક વાતચીતમાં તેમણે આગામી છ મહિનામાં ભારત પ્રવાસ કરી શકે એવી આશા વ્યક્ત કરી હતી.

નોંધનીય છે કે કોરોના વાયરસના ખતરનાક સ્ટ્રેનને લીધે બ્રિટનમાં લોકડાઉન લાગૂ કરાયુ હતું. વાયરસના નવા પ્રકારને લીધે બ્રિટનમાં ગંભીર સ્થિતિ પેદા થઇ ચૂકી હતી. અહીં સુધી કે બ્રિટિશ પ્રશાસને પણ આ મુદ્દે એકવાર કહી દીધુ હતું કે નવા સ્ટ્રેનનું સંક્રમણ બેકાબૂ છે અને આવતા સમયમાં સ્થિતિ ગંભીર બનશે. બ્રિટન અને દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા કોરોના વાયરસના નવા પ્રકારના સંક્રમણથી દુનિયાભરમાં ખતરો વધી રહ્યો છે. નવા વેરિયન્ટના સંક્રમણના કેસ ભારત સહિત અનેક દેશોમાં મળી આવતા હવે દેશોની સરકારો આ અંગે કડક નિયમો-પ્રતિબંધો લાગૂ કરી છે. જેથી સંક્રમણને રોકી શકાય. 

ગત વર્ષે 15 ડિસેમ્બરે બ્રિટનના વિદેશ મંત્રીના પ્રવક્તાઓ માહિતી આપી હતી કે અમારા વડાપ્રધાન બોરિસ જોનસને ભારતના પ્રજાસત્તાક દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ બનવાના આમંત્રણને સ્વીકારી લીધુ છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 નવેમ્બરે ટેલિફોન પર વાતચીત દરમિયાન બ્રિટિશ વડાપ્રધાનને ઔપચારિક રીતે આમંત્રણ આપ્યું હતું. ભારતમાં કોઇપણ બ્રિટિશ વડાપ્રધાનને પ્રજાસત્તાક દિવસના પર્વે લાંબા સમય બાદ આમંત્રિત કરવામાં આવ્યા હતા. છેલ્લી વાર 1993માં બ્રિટનના પીએમ જોન મેજર ભારતના પ્રજાસત્તાક દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ બન્યા હતા.