રાજ્ય સરકાર દ્વારા શાળા અને કોલેજો શરૂ કરવા અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. આગામી 11 જાન્યુઆરીથી શાળા અને કોલેજો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગે જાહેરાત કરી છે.
આજે મળેલી કેબિનેટની બેઠકમાં શાળા અને કોલેજો શરૂ કરવા અંગે નિર્ણય લેવાયો છે. કેન્દ્ર સરકારની કોરોનાની ગાઈડલાઈન મુજબ શાળાઓ શરૂ કરવા માટે રાજ્ય સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ધોરણ 10 અને 12, પીજી, યુજીના છેલ્લા વર્ષનું શિક્ષણ કાર્ય શરૂ થશે.
રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કેબિનેટની બેઠક બાદ જાહેરાત કરી છે કે, રાજ્ય સરકારે ધોરણ 10 અને ધોરણ 12ના વર્ગ 11 જાન્યુઆરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ ઓનલાઇન શિક્ષણ પણ ચાલુ રહેશે. આગામી અન્ય ઘોરણોના ક્લાસ શરૂ કરવા અંગે તબક્કાવાર નિર્ણય લેવામાં આવશે અને સરકાર દ્વારા તેની જાહેરાત કરવામાં આવશે.
શિક્ષણ મંત્રીએ કહ્યું કે, શાળામાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નથી. નિયમોના પાલનની જવાબદારી અધિકારી, આચાર્યની રહેશે. અન્ય ધોરણો અંગે પણ તબક્કાવાર નિર્ણય લેવામાં આવશે. સાથે જ વાલીઓએ સંમત્તિપત્ર આપવો પડશે. ધોરણ-9-10-11-12ના વર્ગો ઓડ ઇવન સિસ્ટમથી શરૂ થશે. વિદ્યાર્થીઓના વાલીઓએ કે માતા-પિતાની સંમત્તિ લેવી ફરજિયાત છે. જો કોઇ વાલી પોતાના વિદ્યાર્થીને સ્કૂલમાં મોકલવામાં ના માંગતો હોય તો તેના માટે ઓનલાઇન શિક્ષણ વર્ગ પણ ચાલુ રહેશે.
નવા વર્ષના પહેલા દિવસે દુનિયાભરમાં ૩,૭૧,૫૦૦ બાળકોનો જન્મ થયો હતો તેમાંથી સૌથી વધુ ૬૦,૦૦૦થી વધુ બાળકો ભારતમાં જન્મ્યા હતા, એમ યુનિસેફના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
યુનિસેફે જણાવ્યું હતું કે નવા વર્ષના પ્રથમ દિવસે દુનિયામાં ૩,૭૧,૫૦૪ બાળકો જન્મ્યા હતા. નવા વર્ષનું પ્રથમ દિવસનું સૌથી પ્રથમ બાળક પેસેફિકમાં આવેલા ફિજીમાં અને છેલ્લું બાળક અમેરિકામાં જન્મ્યું હતું. એમાંથી ભારતમાં ૫૯,૯૯૫, ચીનમાં ૩૫,૬૧૫, નાઇજિરીયામાં ૨૧,૪૩૯, પાકિસ્તાનમાં ૧૪,૧૬૧, ઇન્ડોનેશિયામાં ૧૨,૩૩૬, ઇથોપિયામાં ૧૨,૦૦૬, અમેરિકામાં ૧૦,૩૧૨, ઇજિપ્તમાં ૦,૪૫૫, બાંગલાદેશમાં ૯,૨૩૬ અને ડેમોક્રેટ રિપબ્લિક ઑફ કોંગોમાં ૮,૬૪૦ બાળક જન્મ્યા હતા.
૨૦૨૧માં કુલ ૧૪૦ મિલિયન બાળક જનમશે અને તેમની સરેરાશ આયુ ૮૪ વર્ષની રહેશે, એમ યુનિસેફના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
UNICEF Press Release
An estimated 371,504 babies will be born around the world on New Year’s Day, according to UNICEF.
As the calendar turns to 2021, UNICEF is again celebrating the new lives being brought into the world on January 1. Fiji in the Pacific will welcome 2021’s first baby. The United States will welcome its last. Globally, over half of these births are estimated to take place in 10 countries: India (59,995), China (35,615), Nigeria (21,439), Pakistan (14,161), Indonesia (12,336), Ethiopia (12,006), the United States (10,312), Egypt (9,455), Bangladesh (9,236) and the Democratic Republic of the Congo (8,640).
In total, an estimated 140 million children will be born in 2021. Their average life expectancy is expected to be 84 years.
“The children born today enter a world far different than even a year ago, and a New Year brings a new opportunity to reimagine it,” said UNICEF Executive Director Henrietta Fore. “Children born today will inherit the world we begin to build for them—today. Let us make 2021 the year we start to build a fairer, safer, healthier world for children.”
2021 will also mark the 75th anniversary of UNICEF. Over the course of the year, UNICEF and its partners will be commemorating the anniversary with events and announcements celebrating three-quarters of a century of protecting children from conflict, disease and exclusion and championing their right to survival, health and education.
“Today, as the world faces a global pandemic, economic slowdown, rising poverty and deepening inequality, the need for UNICEF’s work is as great as ever,” said Fore. “For the last 75 years, throughout conflicts, displacements, natural disasters and crises, UNICEF has been there for the world’s children. As a New Year dawns, we renew our commitment to protect children, to speak up for their rights, and to make sure their voices are heard, no matter where they live.”
In response to the global pandemic, UNICEF launched the Reimagine campaign, a global effort to prevent the COVID-19 pandemic from becoming a lasting crisis for children. Through the campaign, UNICEF is issuing an urgent appeal to governments, the public, donors and the private sector to join UNICEF as we seek to respond, recover and reimagine a better, post-pandemic world.
On the 1st of January 2021 about 60,000 babies are expected to be born in India, with a life expectancy of 80.9 years.
An additional thousand babies are surviving each day due to the country’s efforts as envisaged in the India Newborn Action Plan 2014 – 2020. A million newborns with special needs survive each year thanks to the additional 320 district level Special Newborn Care Units established in this period
The Government of India has renewed its commitment towards ending preventable newborn mortality and strengthening services and systems for early childhood development.
Recognizing the challenges thrown up by the COVID-19 pandemic, UNICEF India Country Representative, Dr Yasmin Ali Haque said, “ Anticipating and addressing the potential impact of the pandemic is crucial if we are to prevent a roll back of gains made in saving the lives of children. As we do so, we must also think long term, to build back a better world when the crisis finally recedes. The pandemic has shown us the need for systems and policies to be in place to protect people all the time, not just in the event of a crisis. Under its Reimagine campaign, UNICEF appeals to governments, private sector entities, donors and all partners to join hands and lay the groundwork for building back better, to assure every child’s right to survive and thrive is protected and promoted at all times.”
ત્યાગ અને સમર્પણની વાત આવે ત્યારે બહુમતિ લોકો કશું જતું કરવા તૈયાર નથી હોતા, બીજી તરફ આપણી વચ્ચે એવા પણ લોકો છે જેમની પાસે અખૂટ ભંડાર હોવા છતાં તેઓ બધું જ ત્યાગ કરીને પ્રભુને પામવા માટે સન્યાસના માર્ગે ચાલી નીકળતા હોય છે. અહીં હું વાત કરી રહ્યો છું હોંગકોંગમાં પ્રતિષ્ઠિત ડાયમંડ કંપની કે.પી. સંઘવી એન્ડ સન્સ સાથે સંકળાયેલા પરિવારની ત્રણ પેઢીની મહિલાઓ, જેમાં દિકરી, માતા અને દાદીમાં ત્રણેય આગામી મે 2021માં સંસાર છોડીને સન્યાસી જીવનમાં પ્રયાણ કરશે. એક જ પરિવારની ત્રણ પેઢીની મહિલાઓમાં દિકરી પરિષી શાહ તો હોંગકોંગમાં જ ઉછરીને ભણી, ગણીને મોટી થઇ છે.
હોંગકોંગની જાણિતી હીરા પેઢી કે.પી. સંઘવી એન્ડ સન્સ સાથે સંકળાયેલા જૈન પરિવારની દિકરી પરિષી શાહ (23 વર્ષ), માતા હેતલ મહેતા (49 વર્ષ) અને દાદી ઇન્દુબેન શાહ (73 વર્ષ) આધુનિક લાઇફસ્ટાઇલ છોડીને સાધ્વી જીવન વ્યતિત કરશે
ત્રણેય મહિલાઓનો પરિવાર ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ડીસા-ધાનેરા સાથે સંકળાયેલા છે અને તેમનો દિક્ષાંત સમારોહ પણ મે મહિનાની 22મી તારીખે ત્યાં જ યોજવામાં આવશે. એક જ પરિવારની ત્રણ પેઢીની મહિલાઓ રામચંદ્ર સમુદાયના સાધ્વી હિતદર્શિતાશ્રીજીના માર્ગદર્શન હેઠળ દીક્ષા ગ્રહણ કરી રહી છે.
હોંગકોંગમાં ઉછરેલી પરિષી શાહ શું કહે છે
સુખ સાહ્યબીથી ભરપૂર સંસારી જીવનનો ત્યાગ કરી રહેલી પરિષી શાહે મિડીયા સાથે વાતચીતમાં જણાવ્યું કે તેમના પિતા ભરતભાઇ શાહ હોંગકોંગમાં કે.પી. સંઘવી એન્ડ સન્સ નામની ડાયમંડ કંપની સાથે સંકળાયેલા છે. પરિષી શાહએ કહ્યું કે તેમનું સ્કુલિંગ હોંગકોંગમાં પૂર્ણ થયું અને એ પછી તેમણે હોંગકોંગમાંથી જ સાઇકોલોજી વિષય સાથે ગ્રેજ્યુએશન પણ પૂર્ણ કર્યું છે. પરીષીના ભાઇ જૈનમ હાલ અમેરિકામાં ડેટા સાયન્સ વિષયમાં અભ્યાસ કરી રહ્યા છે.
પરિષીએ કહ્યું કે હોંગકોંગથી જ્યારે પણ તેઓ મુંબઇ આવતા ત્યારે મોલ્સ કે મૂવીમાં જઇને આજના જમાના કહેવાતા મોજશોખ કરવાની જગ્યાએ તેઓ માતા સાથે દેરાસરમાં જતા, સાધ્વીઓના સાનિધ્યમાં તેમને દિવ્ય અનુભૂતિ થતી અને એ જ કારણથી તેઓ સાધ્વી જીવન વ્યતિત કરવા માટે પ્રેરાયા હતા. પરિષીએ એક દિવસ પોતાનો નિર્ણય પરિવાર સાથે શેર કર્યો અને તરત જ તેના દાદી ઇન્દુબેન કે થોડા વર્ષો પહેલા તેમના પતિનું નિધન થયું હતું તેઓ પણ પરિષી સાથે સંસાર ત્યાગ કરીને દીક્ષા લેવા માટે તૈયાર થઇ ગયા. દિકરી અને સાસુના નિર્ણયથી પ્રેરાઇને હેતલબેને પણ દીક્ષા લેવાનું મનોમન વિચારી લીધું હતું. એક જ પરિવારની મહિલાઓની ત્રણ પેઢી એક સાથે દીક્ષા ગ્રહણ કરશે એવી રેર ઘટના જૈન સંપ્રદાયમાં બનવા જઇ રહી છે.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ એક કંપોઝિટ ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સનું નિર્માણ કર્યું છે. આ ઇન્ડેક્સથી માહિતી મળશે કે દેશભરમાં પેમેન્ટનું કઈ રીતે ડિજિટાઇઝેશન થયું છે. આ ઇન્ડેક્સમાં ૫ાંચ મુખ્ય પેરામીટર્સ હશે. આ પાંચ પેરામીટર્સ અલગ અલગ સમયગાળા દરમિયાન દેશમાં ડિજિટલ પેમેન્ટના પેનિટ્રેશનનું આકલન કરવામાં મદદ કરશે.
આરબીઆઈના નિવેદન અનુસાર આ પેરામીટર્સમાં પેમેન્ટ ઇનેબલર્સ,પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર-ડિમાન્ડ સાઈડ ફેકટર્સ, પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર-સપ્લાય સાઈડ ફેકટર્સ, પેમેન્ટ પરફોર્મન્સ અને ક્ધઝ્યુમર સેટ્રિસિટીનો સમાવેશ થાય છે.
આમાંથી તમામ એક પેરામીટર્સની અંદર અમુક સબ પેરામીટર્સ હશે અને તમામ એક પેરામીટર્સની અંદર ઘણા માપવાલાયક ઈન્ડિકેટર્સ હશે. આ ઇન્ડેક્સમાં માર્ચ ૨૦૧૮ને બેઝ પિરિયડ બનાવવામાં આવ્યું છે. બેઝ પિરિયડનો ડીપીઆઇ સ્કોર ૧૦૦ રાખવામાં આવ્યો છે.
આ બેઝ અનુસાર માર્ચ ૨૦૧૯નો ઉઙઈં સ્કોર ૧૫૩.૪૭ અને માર્ચ ૨૦૨૦નો ઉઙઈં સ્કોર ૨૦૭.૮૪ આવ્યો છે.નિવેદન અનુસાર આ સ્કોર જણાવે છે કે આ સમયગાળા દરમિયાન ડિજિટલ પેમેન્ટમાં ઘણો વિકાસ થયો છે.
કોરોના કાળ દરમિયાન શરુ થયેલા નવા વર્ષના આરંભમાં જ દેશને બીજી કોરોના વેક્સીન મળી ગઇ છે. ભારતની સ્વદેશી વેક્સીન અને ભારત બાયોટેક દ્વારા તૈયાર કોવેક્સીનને દેશમાં ઇમરજન્સી ઉપયોગ માટે CDSCO ની મંજૂરી મળી ગઇ છે.
આ પહેલા નવા વર્ષના પહેલા જ દિવસે દેશમાં ઇમરજન્સી ઉપયોગ માટે કોવિશીલ્ડને મંજૂરી આપવામાં આવી હતી. આમ, વર્ષની શરુઆતના બે દિવસમાં દેશનો બે-બે કોરોના વેક્સીનના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ગઇ છે. કેન્દ્ર સરકાર હાલમાં વેક્સીનેશન કાર્યક્રમને લઇને દેશભરમાં ડ્રાય રન ચલાવી રહી છે. જેથી વેક્સીનેશન એક્શન પ્લાનની તૈયારીઓની પૂર્ણ ચકાસણી થાય.
કોરોના વેક્સીનની ઇમરજન્સીની સ્થિતિમાં ઉપયોગ પર મંજૂરી મળતા દેશભરમાં હવે વેક્સીનેશન કાર્યક્રમ જલ્દીથી શરુ થાય એની આશા જાગી ઉઠી છે. બીજી તરફ કેન્દ્ર સરકાર પણ દાવો કરી રહી છે કે, રસીકરણ માટે જરુરી તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ચૂકી છે. નોંધનીય છે કે કોરોના વેક્સીનને સાચવવા માટે કોલ્ડ સ્ટોરેજથી લઇને તેની વહેંચણી સુધી વ્યવસ્થા એક મોટો પડકાર સમાન છે. કેન્દ્ર સરકાર આ મુદ્દે શરુઆતથી જ કાર્યરત હોવાનો દાવો કરી રહી હતી કે, વેક્સીનેશન માટે જરુરી કોલ્ડ સ્ટોરેજ ચેઇન દેશભરમાં તૈયાર છે અને હવે કોરોના વેક્સીનની રાહ જોવામાં આવી રહી હતી.
Ahmedabad: India’s first seaplane lands at Sabarmati River ahead of its inauguration by Prime Minister Narendra Modi in Ahmedabad, Monday, October 26, 2020.
ભારતની જળમાર્ગ મંત્રાલયે સાગરમાલા સીપ્લેન સેવા માટે એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ મગાવ્યા છે. મંત્રાલયે યમુના રિવરફ્રન્ટથી અયોધ્યા, ટિહરી, શ્રીનગર અને ચંડીગઢ, મુંબઈથી શિરડી, લોનાવાલ અને ગણપતિપુલે, સુરતથી દ્વારકા, માંડવી અને કંડલા ઉપરાંત અંડમાન અને નિકોબારથી લક્ષદ્વીપ સમૂહ માટે ઈઓઆઈ માગ્યા છે.
આ રૂટ ઉપર સીપ્લેન ઉડાન યોજના હેઠળ સંચાલીત કરવામાં આવશે. આ સ્કીમ હેઠળ સામાન્ય લોકો વાજબી કિંમતમાં મુસાફરી કરી શકે છે.
મંત્રાલયે પરિયોજના માટે એક હબ અને સ્પોક મોડલનો ઉપયોગ કરવાની યોજના બનાવી છે. પરિયોજનાના સફળતાપૂર્વક શરૂ થવા ઉપર નક્કી રૂટ ઉપર સેવા શરૂ થઈ શકે છે. અમદાવાદ રિવર ફ્રન્ટથી કેવડિયા સુધી સ્પાઈસજેટ કંપની સીપ્લેન સેવા આપે છે.
કંપની આ માટે 15 સીટર ટ્વીટ ઓટેર 300 એરક્રાફ્ટનો ઉપયોગ કરે છે. જે દુનિયામાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતું સૌથી સુરક્ષિત એરક્રાફ્ટ છે.
ભારતથી યુકે જનારી ફ્લાઇટ છઠ્ઠી જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે અને યુકેથી ભારત આવતી ફ્લાઇટ આઠમી જાન્યુઆરીથી શરૂ થશે, એવું કેન્દ્રના ઉડ્ડયન ખાતાના પ્રધાન હરદીપ સિંહ સુરીએ જણાવ્યું હતું. દરેક સપ્તાહમાં ભારતથી ૧૫ ફ્લાઇટ યુકે જશે અને યુકેથી ૧૫ ફ્લાઇટ ભારત આવશે. આમ એક અઠવાડિયામાં ભારત-યુકે વચ્ચે કુલ ૩૦ ફ્લાઇટ ઉડાન ભરશે, એવી પુરીએ માહિતી આપી હતી.
કોરોનાનો નવો યુકે વેરિએન્ટ મળી આવ્યા બાદ ૨૩ ડિસેમ્બરથી ૭ જાન્યુઆરી સુધી ભારતે બંને દેશો વચ્ચેની વિમાની સેવા સસ્પેન્ડ કરી હતી.
ગુજરાતમાં કોરોનાના યુકેના નવા સ્ટ્રેનની આખરે એન્ટ્રી થઈ ગઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદમાં લંડનથી આવેલા અને સરદાર વલ્લભભાઈ પટેલ (એસવીપી) હોસ્પિટલમાં દાખલ ચાર લોકોમાં કોરોનાના યુકેવાળા નવા સ્ટ્રેનના લક્ષણો મળ્યા હોવાનો પુણેની લેબે એકરાર કર્યો છે. જ્યારે રાજકોટમાં પણ એક યુવકનો સંદિગ્ધ પોઝિટિવ કેસ મળતા રાજ્યના આરોગ્ય તંત્રમાં ફફડાટ ફેલાયો છે.
ગુજરાતના કેટલાક જિલ્લાઓ સહિત દેશભરમાં આજથી કોરોના રસીકરણના ડ્રાય રનનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે જ કોરોનાના નવા યુકેના સ્ટ્રેનના કેસો મળતા તંત્રમાં હડકંપ મચી ગયો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં નવા સ્ટ્રેનના પાંચ દર્દીઓ નોંધાયા છે. અમદાવાદમાં લંડનથી આવેલા અને એસવીપી હોસ્પિટલમાં દાખલ ચાર લોકોમાં કોરોનાના નવા લક્ષણો મળ્યા હોવાનું પુણેની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીએ રિપોર્ટમાં જણાવ્યું છે. અમદાવાદથી 10 સેમ્પલ પુણેની લેબમાં મોકલાયા હતા, હજૂ 6 પેસેન્જરોના રિપોર્ટ આવવાના બાકી. ગઇકાલે પુણેની લેબમાં 4 કેસના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા. અમદાવાદમાં ગત 23મીએ 175 યાત્રિકો લંડનથી આવ્યા હતા અને તેમના કોરોના ટેસ્ટ કરાયા હતા જે પૈકી ચાર લોકોમાં યુકેના નવો સ્ટ્રેન મળ્યો હોવાની પુષ્ટિ થઈ છે.
બીજીતરફ રાજકોટમાં પણ યુકેથી પરત ફરેલા એક શખ્સમાં કોરોનાનાના નવા સંભવિત લક્ષણો મળ્યા છે અને સંદિગ્ધ કેસ હોવાનું જણાય છે. આ શખ્સનો રિપોર્ટ પૂણેની લેબમાંથી આવવાનો બાકી છે. પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના યુવકમાં કોરોનાના નવા લક્ષણો હોવાની સંભાવનાને પગલે તેને અલગ કરી આઈસોલેટ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેના પરિવારના લોકોને પણ ક્વોરન્ટાઈન કરી તેમના એન્ટીજેન રિપોર્ટ કરવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી મળતી વિગોત મુજબ રાજકોટના યુવકના પરિવારના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા હોવાથી હવે તેના પરિવારના લોકોમાં કોરોનાના નવા સ્ટ્રેનનના લક્ષણો છે કે કેમ તે જાણવા તેમના રિપોર્ટ પૂણે મોકલવામાં આવ્યા છે.
મુંબઇ 26/11 હુમલાના માસ્ટરમાઇન્ડ અને લશ્કર એ તૈયબાના આતંકી ઝકીઉર રેહમાન લખવીની પાકિસ્તાનમાં ધરપકડ કરી લેવામાં આવી હતી. આતંકીઓને ફંડિગ અને અન્ય મદદ કરવાના આરોપમાં પાકિસ્તાન સરકારે તેની ધરપકડ કરી હતી. લખવી અને હાફિઝ સઇદે સાથે મળીને મુંબઇ 29 નવેમ્બર 2008ના આતંકી હુમલાનું પ્લાનિંગ કર્યું હતું.
આતંકી સંગઠન લશ્કર એ તૈયબાબના કમાન્ડર લખવીને મુંબઇ હુમલા પછી યૂએનએસસીની રજૂઆથ હેઠળ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરાયો હતો.
26/11 એ લશ્કર એ તૈયબાના 10 આતંકીઓએ મુંબઇમાં બોમ્બ વિસ્ફોટ અને ગોળીબારી કરી આતંક ફેલાવ્યો હતો. આ આતંકી હુમલાએ કુલ 166 લોકોનો ભોગ લીધો હતો, 300થી વધુને ઘાયલ કર્યા હતા. લખવીને છ વર્ષની સજા બાદ પાકિસ્તાને એપ્રિલ 2015માં મૂક્ત કર્યો હતો, જે પછી હવે ફરીથી ધરપકડ કરવા માટે મજબૂર બન્યુ હતું.
ગત માર્ચ 2020માં કોરોના કાળ શરૂ થયા પછી ભારતમાં બંધ થયેલું પ્રત્યક્ષ સ્કુલિંગ હજુ સુધી શરૂ થઇ શક્યું નથી. ભારતમાં હજુ પણ શાળાકીય અભ્યાસ ઓનલાઇન કરાવવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં જેવી શાળા એવી ઓનલાઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટી અને એ રીતે ઓનલાઇન સ્ટડી કરાવવામાં આવે છે. હાલમાં ઝુમ, માઇક્રોસોફ્ટ, ગુગલ, યુ ટ્યુબ જેવા માધ્યમોથી વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવે છે. જ્યારે સરકારી સ્કુલોના વિદ્યાર્થીઓ હજુ પણ ટેલિવિઝન ચેનલથી અભ્યાસ કરી રહ્યા છે કેમકે તેમની પાસે એન્ડ્રોઇડ ફોનની સુવિધા નથી.
બિન આકર્ષક અને કંટાળાજનક બની રહેલી ઓનલાઇન સ્ટડી સિસ્ટમને એલ.પી. સવાણી ગ્રુપ ઓફ સ્કુલ્સે આકર્ષક બનાવી
કંટાળાજનક ઓનલાઇન અભ્યાસના અનેક ઉપદ્રવો વર્તાવાના શરૂ થઇ ચૂક્યા છે. જેમકે વિદ્યાર્થીઓની આંખો બળે છે, સતત ઓનસ્ક્રીન રહેવા સાથે અન્ય સમસ્યાઓ પણ થઇ રહી છે અને હવે ઓનલાઇન સ્ટડી બિનઆકર્ષક બનવા માંડ્યું છે. ટીચર્સને પણ ભણાવવાની મજા આવતી નથી.
સુરતમાં લગભગ 20 હજાર જેટલા વિદ્યાર્થીઓ જેની સાથે સંકળાયેલા છે એ એલ.પી. સવાણી ગ્રુપ ઓફ સ્કુલ્સે 2021ના પહેલા જ દિવસે ઓનલાઇન સ્ટડીને આકર્ષક બનાવતા એક તરોતાજા સિસ્ટમ પોતાની સ્કુલમાં લોંચ કરી છે અને એ સિસ્ટમનું નામ છે વર્ચ્યુઅલ એક્સેલન્સ.
એલ.પી.સવાણી ગ્રુપ ઓફ સ્કુલ્સના મેનેજિંગ ટ્રસ્ટી ધર્મેન્દ્રભાઇ સવાણીએ સ્કુલની ઓનલાઇન સ્ટડી સિસ્ટમમાં ક્રાંતિકારી ફેરફાર લાવતા વર્ચ્યુઅલ એક્સેલન્સ સિસ્ટમ લોંચ કરી છે.
આ સિસ્ટમ અંગે વધુ જાણકારી આપતા એલ.પી.એસ. ગ્રુપ ઓફ સ્કુલ્સના ધર્મેન્દ્ર સવાણીએ સી.આઇ.એ. લાઇવને જણાવ્યું હતું કે આ એક એવું પ્લેટફોર્મ છે જે વિદ્યાર્થીઓ, પેરેન્ટ્સ, ટીચર્સ, ગેસ્ટ સ્પીકર્સ તમામને ફીલ આપે છે. એમ્બિયન્સમાં થિયેટર અને સ્ટેજની અનુભૂતિ કરાવે છે. વર્ચ્યુઅલ એક્સેલેન્સનો સૌથી મોટો ફાયદો એ છે કે આમાં યુ ટ્યુબ અને ઝૂમ પણ ઇનેબલ છે પણ વિદ્યાર્થીઓને ઓનલાઇન સ્ટડીમાં જબરદસ્ત રીતે જકડી રાખે છે અને ઓનલાઇન સ્ટડીને કંટાળાજનક બનાવવાથી દૂર રાખે છે.
ધર્મેન્દ્ર સવાણીએ ઉમેર્યું કે પહેલા જ દિવસે વર્ચ્યુઅલ એક્સેલેન્સનું પરફોર્મન્સ આકર્ષક બન્યું હતું જે અમારા માટે પ્રોત્સાહિત કરનારી ઘટના છે. તેમણે કહ્યું કે આ પ્લેટફોર્મ એક નોલેજ શેરીંગ સાથે જુદા જુદા ચાર અલગ થિયેટર સ્ટેજિસની અનુભૂતિ ઓનસ્ક્રીન કરાવે છે, જેને લઇને નાના બાળકોથી લઇને તેમના પેરેન્ટ, ગ્રાન્ડ પેરેન્ટસ તેમજ ટીચર્સ તમામ માટે એક જ સમયે જુદા જુદા ચાર પ્રકારના કાર્યક્રમો યોજી શકાશે અને તેમાં એક્ટીવ પાર્ટીસિપેસન્સની સાથે સોશ્યલ મિડીયા શેરીંગની સુવિધા પણ ઉપલબ્ધ છે.
LP Savani Group of Schools Launched Virtual Excellence System
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.