દિનદયાલ પોર્ટ ટ્રસ્ટ, પોર્ટ્સ, શિપીંગ અને વોટરવેઝ મંત્રાલય ભારત સરકાર દ્વારા દહેજ-ઘોઘા-દહેજ વચ્ચે એક નવી ફેરી સર્વિસ સર્વિસ શરૂ કરવામાં આવી છે. આ ફેરી મુસાફરો માટે ખૂબ જ આરામદાયક તેમજ ઓછા સમયમાં વધારે અંતર કાપવાની ક્ષમતા ધરાવશે. સંપૂર્ણ એસી બેઠક વ્યવસ્થા ધરાવતી આ ફેરી ફક્ત 2.00 કલાકમાં ઘોઘાથી દહેજ વચ્ચેનું અંતર કાપી શકશે, જ્યારે રોડ મુસાફરીમાં લગભગ 7-8 કલાકનો સમય લાગે છે.
વધુમાં મુસાફરોને સુવિધા રહે તે માટે ઘોઘા અને દહેજની આસપાસના વિસ્તારોમાં બસ ડ્રોપ અને પીકઅપ સુવિધા પણ રાખવામાં આવી છે. આ ફેરી દરરોજ સવારે 10 કલાકે દહેજથી અને ઘોઘાથી બપોરે 3.30 કલાકે પ્રસ્થાન કરશે.
અંક્લેશ્વર-દહેજથી પીકઅપ માટેના સ્થળોમાં વાલિયા ચોકડી, ઝાડેશ્વર ચોકડી, નર્મદા ચોકડી, એબીસી સર્કલ ચોકડી, દહેજ રોપેક્સ ટર્મિનલનો તથા ઘોઘા-ભાવનગરથી પીકઅપ માટેના સ્થળોમાં નિલમબાગ જેલ સર્કલ, કાળીયાબીડ પાણીની ટાંકી, સંસ્કાર મંડળ, શિવાજી સર્કલ અને ઘોઘા ફેરી ટર્મિનલનો સમાવેશ થાય છે. આ ફેરીના કોન્ટ્રાક્ટર એંગ્રીયા સીઇગલ લિમીટેડ છે. ફેરીનું એક તરફી ભાડુ પુખ્ત વયના લોકો માટે રૂ. 350 અને 12 વર્ષથી નાના બાળકો માટે રૂ. 250 નક્કી કરવામાં આવ્યા છે.
ચીનની એલચી કચેરીએ જણાવ્યું હતું કે કોવિડ-૧૯ સામે ચીનમાં બનેલી રસી લેનારા પર્યટકો પાસે જો સંબંધિત પ્રમાણપત્ર હશે તો જ તેઓને વિઝા આપીશું.
તેણે જણાવ્યું હતું કે નોકરીનો કૉન્ટ્રેક્ટ પૂરો કરવા, કામ શરૂ કરવા અથવા અન્ય સંબંધિત કામકાજ માટે લોકો પાછા ચીન જઇ શકે છે.
ચીનની એલચી કચેરીએ જણાવ્યું હતું કે ભારતમાંની ચીનની ઍમ્બસી અને કૉન્સ્યુલેટ્સ કોવિડ-૧૯ની સામે ચીનમાં બનેલી રસી લીધી હોવાનું પ્રમાણપત્ર ધરાવનારને વિઝા આપશે.
તેણે જણાવ્યું હતું કે એશિયા પેસિફિક ઇકૉનૉમિક કૉઑપરેશન બિઝનેસ ટ્રાવેલ કાર્ડ ધરાવતા વિદેશીઓ બિઝનેસ વિઝા માટે અરજી કરી શકશે.
સોમવાર ૧૫મી માર્ચે દેશમાં એક જ દિવસમાં વિક્રમજનક ૩૦ લાખ કરતાં પણ વધુ લોકોને કોરોનાની રસી અપાઈ હોવાનું કેન્દ્રના આરોગ્ય ખાતાએ મંગળવારે કહ્યું હતું.
આ સાથે જ દેશમાં અત્યાર સુધીમાં કોરોની રસીના આપવામાં આવેલા ડૉઝની સંખ્યાનો કુલ આંક ૩,૨૯,૪૭,૪૩૨ પર પહોંચી ગયો હોવાનું તેમણે કહ્યું હતું.
માત્ર પંદર જ દિવસમાં રસીકરણના ૬૦ વર્ષથી વધુ વયના લાભાર્થીઓની સંખ્યાનો આંક એક કરોડને પાર કરી ગયો હોવાનું તેમણે કહ્યું હતું.
કોરોનાની રસીકરણની ઝુંબેશના ૫૯મા દિવસે એટલે કે ૧૫મી માર્ચે ૨૪ કલાકના સમયગાળામાં ૩૦,૩૯,૩૯૪ લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી.
૪૨,૯૧૯ સેશનમાં ૨૬,૨૭,૦૯૯ લાભાર્થીઓને કોરોનાની રસીનો પહેલો ડૉઝ તો ૪,૧૨,૨૯૫ લોકોને રસીનો બીજો ડૉઝ આપવામાં આવ્યો હતો, એમ તેમણે કહ્યું હતું.
૨૬,૨૭,૦૯૯ લાભાર્થીઓમાં ૬૦થી વધુ વયના ૧૯,૭૭,૧૭૫ લાભાર્થીઓનો અને ૪૫થી ૬૦ વર્ષની વયજૂથના તેમ જ અન્ય બીમારીઓ ધરાવતા ૪,૨૪,૭૧૩ લાભાર્થીઓનો સમાવેશ થતો હોવાનું તેમણે કહ્યું હતું.
પ્રાપ્ત અહેવાલ મુજબ મંગળવારે સાંજે સાત વાગ્યા સુધીમાં ૫,૫૫,૯૮૪ સેશન મારફતે કોરોનાની રસીના ૩,૨૯,૪૭,૪૩૨ ડૉઝ આપવામાં આવ્યા હતા.
૭૪,૪૬,૬૧૬ હૅલ્થ વર્કર્સને રસીનો પ્રથમ ડૉઝ તો ૪૪,૫૮,૬૧૬ હૅલ્થ વર્કર્સને રસીનો બીજો ડૉઝ અપાયો હતો,
આ ઉપરાંત ચોક્કસ બીમારી ધરાવતા ૪૫થી વધુ વયના ૧૮,૮૮,૭૨૭ લાભાર્થી તેમ જ ૬૦થી વધુ વયના ૧,૦૨,૬૯,૩૬૮ લાભાર્થીને કોરોનાની રસીનો પ્રથમ ડૉઝ આપવામાં આવ્યો હતો.
અહેવાલમાં જણાવ્યા અનુસાર મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિળનાડુમાં કોરોનાના દૈનિક નવા કેસની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.
છેલ્લાં ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા નોંધાયેલા કુલ કેસમાં આ પાંચ રાજ્યના ૭૯.૭૩ ટકા જેટલા કેસ હોવાનું તેમણે કહ્યું હતું.
છેલ્લાં ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા વધુ ૨૪,૪૯૨ કેસ નોંધાયા હોવાનું તેમણે કહ્યું હતું.
મહારાષ્ટ્રમાં કોરોનાના દૈનિક સર્વાધિક ૧૫,૦૫૧ કેસ નોંધાયા હોવાનું તેમણે કહ્યું હતું.
મહારાષ્ટ્ર, પંજાબ, તમિળનાડુ, મધ્ય પ્રદેશ, દિલ્હી, ગુજરાત, કર્ણાટક અને હરિયાણા એમ દેશના આઠ રાજ્યમાં કોરોનાના નવા કેસમાં સતત વધારો થયેલો જોવા મળી રહ્યો હોવાનું તેમણે કહ્યું હતું.
કેરળમાં છેલ્લાં એક મહિનાથી કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, એમ તેમણે કહ્યું હતું.
દેશમાં હાલ કોરોનાના ૨,૨૩,૪૩૨ સક્રિય કેસ છે જે કુલ કેસના ૧.૯૬ ટકા જેટલા હોવાનું તેમણે કહ્યું હતું.
દેશમાં કોરોનાના કુલ સક્રિય કેસમાં મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબ એમ ત્રણ રાજ્યનું એકંદરે યોગદાન ૭૬.૫૭ ટકા જેટલું હોવાનું તેમણે કહ્યું હતું.
દેશમાં અત્યાર સુધીમાં ૨૨,૮૨,૮૦,૭૬૩ નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
છેલ્લાં ૨૪ કલાકમાં દેશમાં કોરોનાને કારણે વધુ ૧૩૧ જણનાં મૃત્યુ થયાં હોવાનું તેમણે કહ્યું હતું.
કોરોના સંક્રમણને પગલે રાજ્ય સરકારે રાજ્યના સુરત સમેત ચાર મહાનગરો, અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે. 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે.
ચારેય મહાનગરોમાં આજે રાત્રિ કરફ્યુના સમયની અગાઉની વ્યવસ્થા એટલે કે રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધીની વ્યવસ્થા યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.
નાયબ મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણ અટકાવવા માટે પગલાં લેવા મ્યુનિસિપલ કમિશનરો સાથે ચર્ચા કરી અને સ્થાનિક કક્ષાએ નિર્ણય લેવા સૂચના આપી છે. DyCM નીતિનભાઈ પટેલ જણાવ્યું હતુ કે, રાજ્યમાં કોરોના કેસ વધી રહ્યાં છે. મનપાના કમિશનરોને કમિશનરને યોગ્ય નિર્ણય લેવા અને જરૂરી પગલાં ભરવા માટે પણ છૂટ અપાઇ છે.
ભારતમાં યુનિવર્સિટીઓનું સંચાલન કરી રહેલી એપેક્ષ બોડી, યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશને અત્યાાર સુધી સર્ટિફિકેશન કોર્સ ગણાતા ચાર્ટર્ડ અકાઉન્ટન્સી, કંપની સેક્રેટરી, આઇ.સી.ડબલ્યુ.એ. જેવા અભ્યાસક્રમોને પોસ્ટ ગ્રેજ્યુએશન (માસ્ટર) ડિગ્રીને સમકક્ષ દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે. આ અંગેની જાણકારી આઇ.સી.એ.આઇ. દ્વારા ટ્વીટ કરીને જારી કરવામાં આવી છે.
CA/CS/ICWA જેવા સર્ટિફિકેશન્સ સફળતાપૂર્વક પૂર્ણ કરનારા ઉમેદવારો હવેથી ભારત તેમજ આંતર રાષ્ટ્રીય સ્તરે જુદી જુદી યુનિવર્સિટીઓમાં ચાલતા પી.જી. અભ્યાસક્રમો કે તેનાથી ઉપર ડોક્ટરેટ અભ્યાસક્રમોમાં પ્રવેશ પામી શકશે.
આ સાથે જ CA/CS જેવા અભ્યાસક્રમો હવે વધુ પાવરફુલ બન્યા છે. અત્યાર સુધી જેનેે સર્ટિફિકેશન્સ માનવામાં આવતા હતા તે હવે ઘરે બેસીને ભણી શકાય તેવા સૌથી પાવરફુલ કોર્સ બન્યા છે જે નોકરી, વ્યવસાય કે બિઝનેસ એક્સપર્ટસ બનાવી શકે તેટલા સક્ષમ હોવા ઉપરાંત પી.એચડી. સુધીની ડિગ્રી માટેની લાયકાત મેળવી આપશે.
હાલમાં કોમ્બિનેશન સ્ટડીનો ટ્રેન્ડ નહીં બદલાય
CA/CS/ICWA અભ્યાસ કરતાા ઉમેદવારોમાં છેલ્લા ઘણા વર્ષોથી કોમ્બિનેશન સ્ટડીનો ટ્રેન્ડ જોવા મળે છે જેમકે બી.કોમ. વીથ સીએ, બીબીએ વીથ સીએ, બીબીએ વીથ સી.એસ., બી.કોમ.વીથ સી.એસ. વગેરે. વિદ્યાર્થીઓ બેકઅપ પ્લાનના ભાગરૂપે આ પ્રકારે સ્ટડી કરે છે. સી.એ. સી.એસ. જેવા કોર્સનું પરીણામ ખૂબ ઓછું આવતું હોય, અન્ડર ગ્રેજ્યુએટ ડિગ્રી સાથે કોમ્બિનેશનમાં CA/CS/ICWA જેવા સર્ટિફિકેશન્સ કરવાનો ટ્રેન્ડ હાલ તુરત નહીં બદલાય એમ નિષ્ણાંતો જણાવી રહ્યા છે.
The University Grants Commission @ugc_india has resolved that CA Qualification will be treated equivalent to PG Degree based on requests submitted from @theicai. This will not only help CA’s for pursuing higher studies but will also facilitate the mobility of Indian CAs globally pic.twitter.com/rYKvCVOD1t
— Institute of Chartered Accountants of India – ICAI (@theicai) March 15, 2021
Dhiraj Khandelwal, CCM of ICAI tweeted “Based on representation made by ICAI, UGC approved CA/CS/ ICWA qualification equivalent to postgraduate degree. (PDG) . Wow.. it’s a great recognition to our profession.”
The University Grants Commission (UGC) has resolved that the Chartered Accountant (CA), Company Secretary (CS), or Cost and Works Accountant (ICWA) exams will be treated equivalent to a postgraduate degree.
The Institute of Chartered Accountants of India (ICAI) on Monday informed that the UGC has resolved that CA Qualification will be treated equivalent to PG Degree. Candidates who qualify the CA, CS, ICWA exams will now be equivalent to PG holders.
This will not only help CA’s for pursuing higher studies but will also facilitate the mobility of Indian CAs globally.” tweeted ICAI on Monday, 15 March 2021.
છેલ્લાં બે વર્ષથી રૂ. ૨૦૦૦ના મૂલ્યની ચલણી નોટ છાપવાનું બંધ કરી દેવામાં આવ્યું હોવાની માહિતી સરકારે સોમવારે લોકસભામાં આપી હતી.
લોકસભામાં આપેલા લેખિત ઉત્તરમાં રાજ્યકક્ષાના નાણાં ખાતાના પ્રધાન અનુરાગસિંહ ઠાકુરે કહ્યું હતું કે ૩૦ માર્ચ ૨૦૧૮ના રોજ સુધી રૂ. ૨૦૦૦ના મૂલ્યની ૩૩૬.૨ કરોડ ચલણી નોટ સર્ક્યૂલેશનમાં હતી જે બૅંકના ચલણી નોટના કુલ જથ્થાના ૩.૨૭ ટકા અને વેપારના ૩૭.૨૬ ટકા જેટલી હતી.
૨૬ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ રૂ. ૨૦૦૦ના મૂલ્યની ૨૪૯.૯ કરોડ ચલણી નોટ સર્ક્યૂલેશનમાં હતી જે બૅંકના ચલણી નોટના કુલ જથ્થાના ૨.૦૧ ટકા અને વેપારના ૧૭.૭૮ ટકા જેટલી હતી, એમ તેમણે કહ્યું હતું.
જનતા દ્વારા કરાતી રૂપિયાની લેવડદેવડને ધ્યાનમાં રાખીને સરકાર અને આરબીઆઈ સલાહમસલત કર્યા બાદ ચોક્કસ મૂલ્યની ચલણી નોટનું પ્રમાણ જાળવી રાખવા જરૂરિયાત પ્રમાણે ચલણી નૉટ પ્રિન્ટ કરવાનો નિર્ણય લે છે.
વર્ષ ૨૦૧૯-૨૦ અને વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન રૂ. ૨૦૦૦ના મૂલ્યની ચલણી નોટ છાપવાની કોઈ યાદી મોકલવામાં ન આવી હોવાનું તેમણે કહ્યું હતું. નાણાંકીય વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન રૂ. ૨૦૦૦ના મૂલ્યની ૩૫૪.૨૯૯૧ કરોડ ચલણી નોટ છાપવામાં આવી હોવાનું આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
જોકે નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં રૂ. ૨૦૦૦ના મૂલ્યની માત્ર ૧૧.૧૫૦૭ કરોડ ચલણી નોટ છાપવામાં આવી હતી એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં આ પ્રમાણ ઘટીને ૪.૬૬૯૦ કરોડ જેટલું થઈ ગયું હતું.
એપ્રિલ ૨૦૧૯થી રૂ. ૨૦૦૦ના મૂલ્યની એકપણ ચલણી નોટ છાપવામાં ન આવી હોવાનું તેમણે કહ્યું હતું.
રૂ. ૨૦૦૦ની ચલણી નોટની સંગ્રહખોરી અને કાળાનાણાંને અંકુશમાં લેવાના પ્રયાસના ભાગરૂપ આ પગલું લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.
કાળાનાણાં અને બનાવટી ચલણી નોટો પર અંકુશ લાદવાના પ્રયાસના ભાગરૂપ સરકારે રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ના મૂલ્યની ચલણી નોટ અર્થતંત્રમાંથી પાછી ખેંચી લીધા બાદ નવેમ્બર ૨૦૧૬માં રૂ. ૨૦૦૦ના મૂલ્યની ચલણી નોટ બહાર પાડવામાં આવી હતી.
જોકે, બાદમાં રૂ. ૫૦૦ની નવી ચલણી નોટ અર્થતંત્રમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ રૂ. ૧૦૦૦ના મૂલ્યની ચલણી નોટ કાયમ માટે રદ કરવામાં આવી હતી.
હાલ રૂ. ૨૦૦૦ના મૂલ્યની ચલણી નોટ ઉપરાંત રૂ. ૧૦, રૂ. ૨૦, રૂ. ૫૦, રૂ. ૧૦૦, રૂ. ૨૦૦ અને રૂ. ૫૦૦ની ચલણી નોટ દેશના અર્થતંત્રમાં સર્ક્યૂલેશનમાં છે.
ડેન્માર્ક, આયર્લેન્ડ અને થાઇલેન્ડ સહિતના કેટલાક દેશે કોરોના સામેની રસી એસ્ટ્રાઝેનેકાનો ઉપયોગ કામચલાઉ અટકાવ્યો છે.
એસ્ટ્રાઝેનેકા રસીથી લોહી ગંઠાઇ જતું હોવાના કોઇ પુરાવા નહિ હોવા છતાં કેટલાક દેશે તેનો વપરાશ હાલમાં અટકાવ્યો છે.
યુરોપિયન મેડિસિન્સ ઍજન્સી અને વિશ્ર્વ આરોગ્ય સંસ્થા (વર્લ્ડ હૅલ્થ ઑર્ગેનાઇઝેશન)એ જણાવ્યું હતું કે એસ્ટ્રાઝેનેકા રસી લેવાથી લોહી ગંઠાઇ જતું હોવાના અહેવાલ પુરાવા વિનાના છે.
ડેન્માર્કમાં એસ્ટ્રાઝેનેકા રસીનો પ્રથમ ડૉઝ લીધા બાદ એક વ્યક્તિમાં લોહી અનેક સ્થળે ગંઠાઇ ગયું હોવાનો આક્ષેપ કરાયો હતો અને દસ દિવસ પછી તેનું મૃત્યુ થયું હતું.
ડેન્માર્કના આરોગ્ય વિભાગે પણ કબૂલ કર્યું હતું કે રસી અને લોહી ગંઠાઇ જવાની બાબત એકબીજા સાથે સંબંધિત હોવાનું સાબિત કરતા કોઇ પુરાવા હજી સુધી નથી મળ્યા.ઉ
નોર્વે, આઇસલેન્ડ, બલ્ગેરિયા, થાઇલેન્ડ અને કોંગોએ પણ આ રસીનો વપરાશ કામચલાઉ અટકાવી દીધો છે.
નેધરલેન્ડ્સના સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે અમે તકેદારીના પગલાં તરીકે આ રસીનો વપરાશ કામચલાઉ અટકાવ્યો છે.
ગુજરાત રાજ્યમાં તા.૧૪મી માર્ચ ૨૦૨૧ની રાત્રે ૯ કલાકે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કુલ 810 કેસ નોંધાયા છે. આ જ સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યમાં કોરોનાના 586 દર્દીઓ સ્વસ્થ થયા છે. ગુજરાતમાં રાજ્યમાં કુલ 2,69,361 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યાં છે. જેથી રાજ્યનો રિકવરી રેટ પણ 96.82%એ પહોંચ્યો છે.
રાજ્યમાં નવા કેસમાંથી અમદાવાદમાં 163, સુરતમાં 241, વડોદરામાં 117 તેમજ રાજકોટમાં 70 દર્દીઓનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્યમાં કુલ 4422 એક્ટિવ કેસમાંથી 54 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 4368 સ્ટેબલ છે. રાજ્યમાં 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 1 મોત અને ખેડામાં 1 મોત નોંધાતા હવે રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ 4424એ પહોંચ્યો છે.
દેશની સીમાને સુરક્ષિત કરી રાષ્ટ્રને મજબૂત બનાવવામાં મહત્વનું યોગદાન આપનાર હજીરાની એલ એન્ડ ટી ડિફેન્સને સ્પેશિયલ એવોર્ડ એનાયત કરાયો
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના એસજીસીસીઆઇ ગોલ્ડન જ્યુબીલી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા શનિવાર, ૧૩ માર્ચ, ર૦ર૧ના રોજ ‘પ્લેટીનમ હોલ’, સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, ખજોદ ચાર રસ્તા પાસે, સરસાણા, સુરત ખાતે એસજીસીસીઆઇ ગોલ્ડન જ્યુબીલી એવોર્ડ ફંકશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી રામકૃષ્ણ એકસપોર્ટસ પ્રા.લિ.ના ફાઉન્ડર એન્ડ ચેરમેન ગોવિંદ ધોળકીયા ઉપસ્થિત રહયા હતા. જ્યારે સુરતના પોલીસ કમિશનર અજયકુમાર તોમરે અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવ્યું હતું.
ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીને વર્ષ ૧૯૯૦માં ઉદ્યોગ અને વેપારની સેવા કરતા પ૦ વર્ષ પૂર્ણ થતા ગોલ્ડન જ્યુબીલીની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી. આજના એવોર્ડ ફંકશનમાં ખાસ કરીને ભારતમાં સંરક્ષણ શસ્ત્રસરંજામનું નિર્માણ શરૂ કરીને શ્રેષ્ઠતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર સુરતમાં હજીરા સ્થિત એલ એન્ડ ટી ડિફેન્સ કંપનીને સ્પેશિયલ એવોર્ડથી નવાજવામાં આવી રહી છે. તેમણે કહયું કે, દક્ષિણ ગુજરાતની સાહસિક ભૂમિ પર એલ એન્ડ ટી કંપનીએ ‘આત્મનિર્ભર ભારત’અભિયાનને સાકારિત કરીને દેશની સીમા ઉપર અભેદ્ય કિલ્લા સમાન સ્વચાલિત કે૯ વજ્ર ટેન્કનું ઉત્પાદન કર્યું છે. સમગ્ર વિશ્વમાં એલ એન્ડ ટી કંપનીએ એન્જિનિયરીંગ ક્ષેત્રે અશક્યને શક્ય બનાવીને દેશનું ગૌરવ વધાર્યું છે.
મુખ્ય મહેમાન ગોવિંદ ધોળકીયાએ જણાવ્યું હતું કે, આ એવોર્ડ આપીને ચેમ્બર જે રીતે ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કરે છે તે ખૂબ જ સરાહનીય પગલું છે. આનાથી સારું કામ કરવા માટે પ્રેરણા મળે છે. એક ઉદ્યોગપતિને જ્યારે એવોર્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવે છે ત્યારે અન્ય ઉદ્યોગકારોને પણ તેમની દિશાએ આગળ વધવાની આપોઆપ પ્રેરણા મળે છે. આથી સુરતના અને ઉદ્યોગના વિકાસ માટે પણ આ એવોર્ડ આભારી હોઇ શકે છે. તેમણે વધુમાં કહયું કે, ઉદ્યોગોએ શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવી જ રહી પણ તેની સાથે સાથે તેમની સમાજ પ્રત્યે પણ જવાબદારી બને છે. આથી ઉદ્યોગોએ સમાજમાં પણ પોતાનું યોગદાન આપવું જોઇએ. આજે હું મારી જ સંસ્થામાં મુખ્ય મહેમાન તરીકે આવ્યો છું ત્યારે ગર્વની લાગણી અનુભવું છું.
અતિથિ વિશેષ સુરતના પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે, આ એવોર્ડ આપીને આપણે સફળતાને બિરદાવીએ છીએ. સફળ થયેલા ઉદ્યોગપતિની સાથે નિષ્ફળ થયેલા વ્યકિતઓના અનુભવમાંથી પણ બોધપાઠ લેવો જોઇએ. જો કે, આ એક મોટી એકસરસાઇઝ છે અને ચેમ્બર જેવી સંસ્થાએ આ અંગે સંશોધન કરવું જોઇએ. આજનો ખૂબ જ સારો પ્રસંગ છે અને તેમાં મને સુરતની જાણકારી પ્રાપ્ત થઇ છે. વૈશ્વિક કક્ષાએ ટેકસટાઇલ અને ડાયમંડ ઉદ્યોગમાં શું થઇ રહયું છે તેની ખબર પડે છે.
તેમણે વધુમાં કહયું હતું કે મને લાગે છે કે હવે સુરત, ગુજરાતના કે દેશના નહીં પણ વિશ્વના વિકાસ પામેલા શહેરો સાથે કેવી રીતે સ્પર્ધા કરી શકે છે તે અંગે વિચારવું જોઇએ. એના માટે ઉદ્યોગોની સાથે શૈક્ષણિક સંસ્થાઓએ સારી રીતે વિકસિત થવું પડશે. શૈક્ષણિક સંસ્થાઓએ વિદ્યાર્થીઓ માટે નવા વિકલ્પો શોધવા જોઇએ. નવી ટેકનોલોજી કેવી રીતે અને શા માટે ડેવલપ કરવી જોઇએ? તે દિશામાં પણ આગળ વધવું જોઇએ. સાથે જ લિબરલ આર્ટ્સનો વિષય હોવો જોઇએ. જેથી કરીને વિદ્યાર્થીઓને બધી જ માહિતી મળી રહે.
‘લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ ફોર કન્સ્ટ્રીબ્યુશન ટુ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ સોસાયટી ઓફ સાઉથ ગુજરાત એન્ડ નેશન’થી સન્માનિત થયેલા યઝદી કરંજીયાએ જણાવ્યું હતું કે, પાંચ ફૂટના પારસીને તેની આજીવન સિદ્ધી માટે સન્માનિત કરવામાં આવ્યો તે મારા માટે અકલ્પનીય હતું. હું અહીં માત્ર જ્યુરી તરીકે આવ્યો હતો પણ ચેમ્બરે મને જે રીતે બિરદાવ્યો છે તેના માટે મારી પાસે કોઇ શબ્દ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, યઝદી કરંજીયાએ તેમની ૬૦ વર્ષની કારકિર્દીમાં કયારેય નાટકનો ઉપયોગ આજીવિકા મેળવવા માટે કર્યો નથી. નાટક થકી જે કઇ કમર્શિયલ એકટીવિટી કરી તેનો ઉપયોગ માત્ર રકતપિત્તના અને કેન્સરના દર્દીઓની સેવા માટે કર્યો છે. તદુપરાંત શહેરમાં કોમી એખલાસભર્યું વાતાવરણ ઉભું કરવા માટે પણ તેમની મહત્વની ભૂમિકા રહી છે. આથી ચેમ્બર દ્વારા તેમને ઉપરોકત એવોર્ડથી સન્માનિત કરાયા હતા.
એસજીસીસીઆઇ ગોલ્ડન જ્યુબીલી ટ્રસ્ટના ચેરમેન રજનિકાંત મારફતિયાએ જણાવ્યું હતું કે, એસજીસીસીઆઇ ગોલ્ડન જ્યુબીલી ટ્રસ્ટ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ઉદ્યોગ ક્ષેત્રે શ્રેષ્ઠતા, ઉદ્યોગ સાહસિકતા, ઉત્પાદન ક્ષેત્રે નવિનતા અને નવી ટેકનોલોજીનો ઉપયોગ તથા શૈક્ષણિક શ્રેષ્ઠતાના આધારે વિવિધ પુરસ્કારોનું વિતરણ કરવામાં આવે છે. છેલ્લા ૩૦ વર્ષથી આ સંસ્થા નિયમિતપણે જુદી–જુદી કેટેગરી જેવી કે આઉટસ્ટેન્ડીંગ બિઝનેસ પર્સન, પોલ્યુશન કન્ટ્રોલ, R&D, એનર્જી એફિશિયન્સી વિગેરે ક્ષેત્રે એવોર્ડ્સનું વિતરણ કરે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ટ્રસ્ટ દર વર્ષે દક્ષિણ ગુજરાત વિસ્તારમાં વિવિધ ક્ષેત્રે યોગ્યતાના આધારે એવોર્ડ્સનું વિતરણ કરે છે. ટ્રસ્ટના એવોર્ડ સન્માનિત એવોર્ડ તરીકે ગણાતા હોય એ ટ્રસ્ટ માટે ગૌરવની વાત છે. ગોલ્ડન જ્યુબીલી એવોડર્સ યોગ્ય વ્યકિતઓને મળે તે માટે જાણીતા ઉદ્યોગ નિષ્ણાંત, શિક્ષણશાસ્ત્રીઓ અને સામાજિક કાર્યકરોની જ્યુરી તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. આ વર્ષે ટ્રસ્ટ દ્વારા વર્ષ ર૦૧૮–૧૯ માટે ૧પ કેટેગરી જેટલા એવોડર્સ આપવામાં આવ્યા હતા, જે નીચે મુજબ છે.
આ સંસ્થાઓને એવોર્ડ એનાયત થયા
૧. ‘રિલાયન્સ એવોર્ડ ફોર એકસલેન્સ ઇન વિવિંગ સેકટર’બ્રાઇટ વિવ્જ પ્રા.લિ.ને એનાયત કરવામાં આવ્યો હતો.
ર. ‘રિલાયન્સ એવોર્ડ ફોર એકસલેન્સ ઇન યાર્ન પ્રોસેસીંગ સેકટર’ગોકુલાનંદ ટેકસ્ચ્યુરાઇઝર્સ પ્રા.લિ. (જીટીએકસ) સુરતને એનાયત કરવામાં આવ્યો હતો.
૩. ‘શ્રી નિમીષ વશી એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ પરફોર્મન્સ ઇન એન્વાયર્નમેન્ટ કન્ઝર્વેશન એન્ડ પોલ્યુશન કન્ટ્રોલ’સોન્ગવોન સ્પેશ્યાલિટી કેમિકલ્સ – ઇન્ડિયા પ્રા.લિ.ને એનાયત કરવામાં આવ્યો હતો.
૪. ‘શ્રી રતિલાલ ત્રિભોવનદાસ નાણાવટી એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ વર્ક ઇન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ’પેસિફીક સ્કૂલ ઓફ એન્જીનિયરીંગને એનાયત કરવામાં આવ્યો હતો.
પ. ‘કલરટેકસ એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ પરફોર્મન્સ ઇન એનર્જી કન્ઝર્વેશન’પિરામલ ગ્લાસ પ્રા.લિ.ને એનાયત કરવામાં આવ્યો હતો.
૬. ‘એવોર્ડ ફોર એકસલેન્સ ઇન ઇમ્પ્રુવીંગ પ્રોડકટીવિટી’લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ હેવી એન્જીનિયરીંગ ડિવીઝનને એનાયત કરવામાં આવ્યો હતો.
૭. ‘એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ અચીવમેન્ટ ઇન સોશિયલ વેલફેર પ્રોગ્રામ બાય બિઝનેસ હાઉસ’ન્યુકલીયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (એન.પી.સી.આઇ.એલ.)ને એનાયત કરવામાં આવ્યો હતો.
૮. ‘એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ અચીવમેન્ટ ઇન સોશિયલ વેલફેર પ્રોગ્રામ બાય એનજીઓ’દીપ – ડેવલપમેન્ટ એફર્ટસ ફોર રૂરલ ઇકોનોમી એન્ડ પિપલને એનાયત કરવામાં આવ્યો હતો.
૯. ‘ફેરડીલ ફિલામેન્ટ્સ એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ આન્ત્રપ્રિન્યોર ઇન એમએસએમઇ સેગ્મેન્ટ’અમી ઓર્ગેનિકસ લિમિટેડને એનાયત કરવામાં આવ્યો હતો.
૧૦. ‘એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ સ્કૂલ’શ્રી આર.ડી. ઘાયલ એન્ડ શ્રીમતી વી.બી.એન. શાહ માધ્યમિક એન્ડ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયને એનાયત કરવામાં આવ્યો હતો.
૧૧. ‘મહાવીર સિન્થેસિસ એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ ઇન્સ્ટીટયુટ/કોલેજ ઓફ એજ્યુકેશન’આર.એન.જી. પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી – આર.એન.જી.પી.આઇ.ટી.ને એનાયત કરાયો હતો.
૧ર. ‘શ્રીમતી ભવાનીબેન એન. મહેતા એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ ચીફ એકઝીકયુટીવ ઓફિસર ફોર ધ ઇયર ર૦૧૮–૧૯’શ્રી એમ.આર. શર્મા – ઓપરેશન્સ ડાયરેકટર, કૃભકોને એનાયત કરવામાં આવ્યો હતો.
૧૪. ‘લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ ફોર કન્સ્ટ્રીબ્યુશન ટુ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ સોસાયટી ઓફ સાઉથ ગુજરાત એન્ડ નેશન’શ્રી યઝદી કરંજીયાને એનાયત કરવામાં આવ્યો હતો.
૧પ. દેશની સીમાને સુરક્ષિત કરી રાષ્ટ્રને મજબૂત બનાવવામાં મહત્વનું યોગદાન આપનાર હજીરાની એલ એન્ડ ટી ડિફેન્સને સ્પેશિયલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
એવોર્ડ ફંકશનમાં ચેમ્બરના ભૂતપૂર્વ માનદ્ મંત્રી તથા એસજીસીસીઆઇ ગોલ્ડન જ્યુબીલી મેમોરિયલ ટ્રસ્ટના ટ્રસ્ટી ડો. અનિલ સરાવગી અને ચેમ્બરના ગૃપ ચેરમેન દીપકકુમાર શેઠવાલાએ સમગ્ર સમારોહનું સંચાલન કર્યું હતું. ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ કમલેશ યાજ્ઞિક અને ચેતન શાહ તથા માનદ્ મંત્રી નિખિલ મદ્રાસી અને ચેમ્બરની લાયબ્રેરી કમિટીના એડવાઇઝર સુનીલ જૈને પ્રાસંગિક વિધી કરી હતી. અંતે ચેમ્બરના ઉપપ્રમુખ આશિષ ગુજરાતીએ સમારોહનો ટૂંકમાં સાર રજૂ કરી સર્વેનો આભાર માન્યો હતો અને ત્યારબાદ સમારોહનું સમાપન થયું હતું
છેલ્લાં ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા વધુ ૨૫,૩૨૦ કેસ નોંધાતા કોરોનાના કેસની સંખ્યાનો કુલ આંક ૧,૧૩,૫૯,૦૪૮ પર પહોંચી ગયો હોવાનું કેન્દ્રના આરોગ્ય ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલી યાદીમાં જણાવવામાં આવ્યું હતું. છેલ્લાં ૮૪ દિવસમાં કોરોનાના દૈનિક નવા વધુ કેસનો આ સર્વોચ્ચ આંક હતો, એમ તેમણે કહ્યું હતું. છેલ્લે ૨૦ ડિસેમ્બરે દેશમાં કોરોનાના ૨૬,૬૨૪ કેસ નોંધાયા હતા.
છેલ્લાં ૨૪ કલાકમાં દેશમાં કોરોનાને કારણે વધુ ૧૬૧ જણનાં મોત થયાં જે છેલ્લાં ૪૪ દિવસમાં કોરોનાને કારણે મૃત્યુ પામનારાંઓનો સર્વોચ્ચ આંક હતો એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે આ સાથે જ દેશમાં કોરોનાનો કુલ મરણાંક ૧,૫૮,૬૦૭ પર પહોંચી ગયો છે. દેશમાં હાલ કોરોનાના ૨,૧૦, ૫૪૪ સક્રિય કેસ છે જે કુલ કેસના ૧.૮૫ ટકા છે.
દેશમાં કોરોનાના દરદીઓની સંખ્યાનો આંક ૭ ઑગસ્ટે ૨૦ લાખ, ૨૩ ઑગસ્ટે ૩૦ લાખ, પાંચ સપ્ટેમ્બરે ૪૦ લાખ, ૧૬ સપ્ટેમ્બરે ૫૦ લાખ, ૨૮ સપ્ટેમ્બરે ૬૦ લાખ, ૧૧ ઑક્ટોબરે ૭૦ લાખ, ૨૯ ઑક્ટોબરે ૮૦ લાખ, ૨૦ નવેમ્બરે ૯૦ લાખ અને ૧૯ ડિસેમ્બરે એક કરોડનાં આંકને વટાવી ગયો હતો.
આઈસીએમઆરના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં દેશમાં કુલ ૨૨,૬૭,૦૩,૬૪૧ નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
આરોગ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ, પંજાબ, કર્ણાટક, તમિળનાડુ અને મધ્ય પ્રદેશમાં જ કોરોનાના દૈનિક નોંધાતા નવા દરદીઓમાંના ૮૭.૭૩ ટકા દરદી ધરાવે છે.
કોવિડ-૧૯ના છેલ્લા એક દિવસમાં મહારાષ્ટ્રમાં ૧૫,૬૦૨, કેરળમાં ૨,૦૩૫ અને પંજાબમાં ૧,૫૧૦ નવા દરદી નોંધાયા હતા.
દેશમાંના કોરોનાના કુલ ઍક્ટિવ દરદીઓમાંના ૭૬.૯૩ ટકા દરદી મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબમાં જ નોંધાયા હતા.
દેશમાં કોરોનામાંથી ૧,૦૯,૮૯,૮૯૭ દરદી સાજા થયા હતા. નવા સાજા થયેલા દરદીઓમાંના ૮૩.૧૩ ટકા દરદી છ રાજ્યના જ હતા.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન મહારાષ્ટ્રમાં ૮૮, પંજાબમાં ૨૨ અને કેરળમાં ૧૨ કોરોનાના દરદી મૃત્યુ પામ્યાં હતાં.
દેશમાં કોરોનાની રસીના અંદાજે ૨,૯૭,૩૮,૪૦૯ ડૉઝ અપાયા હતા.
દેશના ૧૪ રાજ્ય – રાજસ્થાન, ઝારખંડ, પુડુચેરી, લક્ષદ્વીપ, મેઘાલય, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી, નાગાલેન્ડ, ત્રિપુરા, સિક્કિમ, લડાખ, મણિપુર, મિઝોરમ, આંદામાન અને નિકોબાર તેમ જ અરુણાચલ પ્રદેશમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાથી એક પણ દરદી મૃત્યુ નહોતો પામ્યો.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.