CIA ALERT

Alert Archives - Page 185 of 518 - CIA Live

March 20, 2021
indiavsenglandt20.jpg
1min419

ભારતીય ટીમ આજરોજ તા.૨૦મી માર્ચને શનિવારે અમદાવાદમાં ઇંગ્લેન્ડ સામે અંતિમ T-20 મેચ સાથે આગામી વર્લ્ડ કપ T-20 પહેલાની અંતિમ મેચ પણ ભારત રમશે. હાલ પાંચ મેચની શૃંખલા 2-2ની બરાબરી પર ચાલી રહી છે. દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષકોની ગેરહાજરીમાં મેચ શનિવારે સાંજે 7-00 વાગ્યાથી શરૂ થશે.

ટીમ ઇન્ડિયા શ્રેણી જીતીને આગામી ટી-20 વર્લ્ડ કપનો વિજયી મંચ તૈયાર કરવા અને તેની તરફ મજબૂત રીતે આગેકૂચ કરવાનું’ લક્ષ્ય રાખે છે. ભારતીય ટીમે આ શ્રેણી દરમિયામ નીડર અને સાહસિક રવૈયો અપનાવ્યો છે. પાંચમા મેચનું પરિણામ જે પણ હોય, પણ વિશ્વ કપની તૈયારી સાચી દીશામાં આગળ વધી રહી છે તેવું કહી શકાય. શ્રેણી દરમિયાન કોહલીની ટીમને ઇશાન કિશન અને સૂર્યકુમાર યાદવના રૂપમાં બે હુકમના એક્કા મળી ગયા છે. જો કે આ શ્રેણીમાં રોહિત અને રાહુલ જેવા અનુભવી ખેલાડીઓના નબળા પ્રદર્શનથી ટીમની ચિંતા જરૂર વધી છે.

બીજી તરફ ઇંગ્લેન્ડની ટીમ જે પાછલા ત્રણ વર્ષથી એક પણ ટી-20 શ્રેણી હારી નથી. તે પણ વર્લ્ડ કપને ધ્યાને રાખીને આગળ વધી રહી છે. તેનો ઇરાદો આખરી મેચમાં આક્રમક બેટિંગ અને ઝડપી બોલિંગ આક્રમણથી ટીમ ઇન્ડિયાની ભીંસમાં લેવાનો રહેશે. ઇંગ્લેન્ડના બે ઝડપી બોલર આર્ચર અને વૂડ શાનદાર ફોર્મમાં છે. જે નિર્ણાયક ટી-20 મેચમાં ભારતીય બેટધરો પર ભારે પડી શકે છે. જો કે તેને ક્રિસ જોર્ડન તરફથી પૂરતો સહયોગ મળી રહ્યો નથી. બેટિંગમાં બટલર અને મલાનમાં નિરંતરતાનો અભાવ ઇંગ્લેન્ડ માટે વર્લ્ડ કપ પહેલા રેડ સિગ્નલ જેવો છે.

ભારતીય ટીમની તેના સ્ટાર બેટસમેન રોહિત શર્મા પાસેથી એક સારી ઇનિંગની આશા રહેશે. કેએલ રાહુલને વિશ્રામ મળી શકે છે. તે સતત નિષ્ફળ રહ્યો છે. તેના સ્થાને યુવા ઇશન કિશનની વાપસી શકય છે. ઓલરાઉન્ડરના રૂપમાં હાર્દિકે પાછલા મેચમાં અસરકારક બોલિંગ પ્રદર્શન કર્યું છે, પણ તે હજુ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં જેવો બેટિંગ ફોર્મમાં હતો તેવો આ શ્રેણીમાં હજુ સુધી જોવા મળ્યો નથી. નિર્ણાયક મેચમાં ટીમ મેનેજમેન્ટ અનુભવી શિખર ધવન પર ભરોસો મુકે છે કે નહીં તે પણ જોવું રહ્યંy. તે પહેલા મેચ પછીથી ઇલેવનની બહાર છે.

ઇંગ્લેન્ડે અંતિમ ટી-20 શ્રેણી જુલાઇ 2018માં ભારત સામે જ ગુમાવી હતી. આ પછીથી પાછલી 8 સિરીઝમાં ઇંગ્લેન્ડે સાત જીતી છે અને એક ડ્રો રહી છે. ઇંગ્લેન્ડ હવે ભારતને તેની સરજમીં પર ટી-20માં હાર આપવા માંગે છે. ટીમના કેપ્ટન મોર્ગને કહ્યંy છે કે અમે દબાણભર્યા મેચ રમવા માંગીએ છીએ. જેથી વિશ્વ કપની તૈયારી થઇ શકે. વિદેશી ધરતી પર ટી-20 શ્રેણી જીતવી શાનદાર બની રહેશે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં 18 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમાયા છે. જેમાં બન્ને બળિયા બરાબરી પર છે. ભારત અને ઇંગ્લેન્ડ બન્નેના નામે 9-9 જીત છે. ભારતની ધરતી પર બન્ને વચ્ચે 10 ટી-20 ટક્કર થઇ છે. જેમાં પણ બન્ને પ-પ વિજય સાથે સમતોલ છે.

March 20, 2021
corona_india.jpg
1min764

ભારતમાં શુક્રવાર Dt. 19/3/21 110 દિવસમાં સર્વાધિક 39,726 નવા કેસ સામે આવતાં સંક્રમિતોની કુલ સંખ્યા 1 કરોડ, 15 લાખને પાર પહોંચી ગઈ છે. સૌથી વધુ સંકટગ્રસ્ત મહારાષ્ટ્રમાં આજે 11 સપ્ટેમ્બર પછી સૌથી વધુ 25,833 નવા કેસ સામે આવતાં લોકોના જીવ તાળવે ચોંટી ગયા છે. દેશમાં શુક્રવારે વધુ 154 દર્દી ‘કોરોનાનો કોળિયો’ બની જતાં મરણાંક વધીને 1,59,370 થઈ ગયો છે. જો કે, મૃત્યુદર ઘટીને 1.38 ટકા થઈ ગયો છે. ભારતમાં આજે પણ સક્રિય કેસોમાં 18,918 દર્દીનો વિક્રમી વધારો થતાં આજની તારીખે કુલ 2,71,282 સંક્રમિતો સારવાર હેઠળ છે.

રોજિંદા કેસોમાં વિક્રમસર્જક વધારાનો દોર સતત જારી રહેતાં કુલ સંક્રમિતોની સંખ્યા સામે સક્રિય કેસોનું પ્રમાણ વધીને 2.36 ટકા થઈ ગયું છે. બીજીતરફ, દેશમાં આજે વધુ 20,654 દર્દી ઘાતક વાયરસ સામે જંગ જીતી જતાં સાજા થયેલા સંક્રમિતોની સંખ્યા 1 કરોડ, 10 લાખ, 83,679 થઈ ગઈ છે. સાજા દર્દીનો દર એટલે કે, રિકવરી રેટ આજે વધુ ઘટીને 96.26 ટકા થઈ ગયો છે. ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર)ના આંકડા અનુસાર દેશમાં અત્યાર સુધી 23 કરોડ, 13 લાખથી વધુ ટેસ્ટ થઈ ચૂક્યા છે.

ફ્રાન્સ, ઈટાલી સહિત યુરોપીય દેશોની એસ્ટ્રાજેનેકાને મંજૂરી

ફ્રાન્સ, ઈટાલી સહિત યુરોપીય સંઘના અનેક દેશોએ વિશ્વ આરોગ્ય સંસ્થા (હુ)ની વાત માની લેતાં આખરે એસ્ટ્રાજેનેકા રસીને પાછી મંજૂરી આપી દીધી છે. યુરોપીય તબીબી નિયામક (ઈએમએ) સંસ્થા દ્વારા પણ કોરોનારોધક એસ્ટ્રાજેનેકા રસીને સુરક્ષિત અને અસરકારક ગણાવી દીધી હતી. વિશ્વ આરોગ્ય સંસ્થા (હુ) ઉપરાંત બ્રિટનના તજજ્ઞોએ પણ આ રસીને સલામત લેખાવતાં કહ્યું હતું કે, રસી ન લેવાથી વધારે ખતરો થઈ શકે છે. આવી ઘોષણા બાદ જર્મની, ફ્રાન્સ, સ્પેન, ઈટાલી, નેધરલેન્ડ્સ, પોર્ટુગલ, લિથુઆનિયા, લાતવિયા, સ્લોવેનિયા, બલ્ગેરિયા સહિતના યુરોપીય દેશોએ આ રસીનો ઉપયોગ પુન: શરૂ કરવાનો ફેંસલો કર્યો છે.

રસીની ડીએનએ ઉપર કોઈ અસર નહીં : સ્વાસ્થ્ય મંત્રી

કોરોના વાયરસના વધી રહેલા કેસ વચ્ચે રસીને લઈને લોકોની આશંકાઓ ઉપર કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી હર્ષવર્ધને લોકસભામાં જવાબ આપ્યો છે. તેમણે કોરોના રસીને લઈને ઉઠી રહેલી આશંકાઓને ફગાવતા કહ્યું હતું કે, દુનિયાભરમાં વૈજ્ઞાનિક વિશ્લેષણ બાદ રસીને મંજૂરી આપવામાં આવી છે. તેના ઉપર વિશ્વાસ કરવો જોઈએ.
હર્ષવર્ધને લોકસભામાં પ્રશ્નકાળમાં કહ્યું હતુ કે, દેશ-દુનિયામાં ઘણા લોકોના મનમાં આશંકા છે કે કોરોના વાયરસની રસી આગામી સમયમાં નુકશાન તો નહી પહોંચાડે ?. ભારતમાં જે બે રસી કોવિશીલ્ડ અને કોવેક્સિનના ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે. તે સુરક્ષા, પ્રભાવશિલતા અને પ્રતિરક્ષા ક્ષમતા પેદા કરવાના માપદંડોમાં યોગ્ય છે.

સ્પૂતનિકના 20 કરોડ ડોઝ બનાવશે બેંગલુરૂની સ્ટેલિસ ફાર્મા
ભારતના બેંગલુરૂ સિથત સ્ટેલિસ બાયોફાર્મા રશિયાની કોરોના રસી સ્પૂતનિક-વીના ઓછામાં ઓછા 20 કરોડ ડોઝ બનાવશે. કંપની આ મામલે રશિયાન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ સાથે સમજૂતિ કરી છે. ભારતમાં આઈડીઆઈએફની કોર્ડિનેશન પાર્ટનર એન્સો હેલ્થકેર એલએલપી મારફતે આઈડીઆઈએફ અને સ્ટેલિસ વચ્ચે સમજૂતિ થઈ છે. સ્ટેલિસ સ્ટ્રાઈડસ ફાર્મા સાયન્સનો હિસ્સો છે. સમજૂતિ અનુસાર ચાલુ વર્ષના જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં કંપની ડોઝની સપ્લાય શરૂ કરી દેશે. સ્પૂતનિક સાથે સમજૂતિ કરનારી ચોથી ભારતીય કંપની સ્ટેલિસ છે. આ સાથે રસી બનાવવાની ભારતની ક્ષમતા 80 કરોડ ડોઝ થઈ છે.

March 20, 2021
Teerath.jpg
1min460

ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન તીરથસિંહ રાવતે શુક્રવારે ‘ફાટેલા જીન્સ’ને લગતા પોતાના નિવેદન અંગે માફી માગી હતી અને જણાવ્યું હતું કે મારા સંબંધિત નિવેદનથી કોઇની લાગણી દુભાઇ હોઇ તો હું તેમની માફી માગું છું. આમ છતાં, તેમણે જણાવ્યું હતું કે ફાટેલા જીન્સ પહેરવા અયોગ્ય છે.

તીરથસિંહ રાવતે જણાવ્યું હતું કે છોકરાઓ મોંઘાં જીન્સ ખરીદે છે અને ઘરે જઇને કાતરથી ફાડે છે.

તેમણે જણાવ્યું હતું કે જો ઘરમાં બાળકોને સારા સંસ્કાર આપીએ તો તેઓ ભવિષ્યમાં ક્યારેય નિષ્ફળ નથી જતા.

મુખ્ય પ્રધાન રાવતે જણાવ્યું હતું કે હું ગ્રામીણ વિસ્તારમાંથી આવું છું. હું શાળામાં ભણતો હતો ત્યારે ફાટેલા પૅન્ટ હોય તો શિક્ષક વઢતા હતા. બાળકોને વિવિધ સામાજિક દૂષણથી દૂર રાખવા પણ જરૂરી છે.

રાવતે એક સમયે ફ્લાઇટમાં પોતાની બાજુમાં બેઠેલી મહિલાના કપડાંનું વર્ણન કરતા જણાવ્યું હતું કે મારી બાજુમાં બેઠેલી મહિલાએ બૂટ્સ, ફાટેલા જીન્સ, બંગડીઓ પહેરી હતી. તેની સાથે તેના બાળકો પણ વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા.

March 19, 2021
kaneria.jpg
2min1206
No description available.

સુરતની ગુનાખોરીની દૂનિયામાં એમ જી કનેરિયાનો એક ખોફ હતો અને સિંઘમ ફિલ્મ આવ્યા પહેલા સુરતના જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત પોલીસ બેડામાં સિંઘમની છબી ઉભી કરનારા એમ જી કનેરિયાના પોલીસ વિભાગના દિવસોની યાદ તાજી કરાવતી અનેક ઘટનાઓને આ પુસ્તકમાં સરળ ભાષામાં વર્ણવવામાં આવી છે.

માત્ર સુરત શહેર જ નહીં પરંતુ સમગ્ર રાજ્યના પોલીસ બેડામાં જે અધિકારીની ફરજ નિષ્ઠા અંગે આજે પણ દાખલા આપવામાં આવે છે. જેના નામ માત્રથી બુટલેગરો અને ગેંગસ્ટરો કે ગલીના ટપોરીઓ ધ્રુજી ઉઠતા હતા અને જેમના નોકરી કાળ દરમ્યાન ત્રીસથી વધુ વખત એટલે કે લગભગ દર વર્ષે એક વખત બદલી થતી હતી એવા નિવૃત ડીવાયએસપી મથુરદાસ ગોકળદાસ કનેરિયાએ પોલીસ વિભાગમાં સેવા બજાવી ત્યાં સુધીની ઝીણી ઝીણી વિગતો આવરી લઇને જન્મભૂમિ જૂથના સાઉથ ગુજરાતના બ્યુરો ચીફ ખ્યાતી જોષીએ ખમીરવંતી ખાખી નામે પુસ્તક લખ્યુ છે.

May be an image of 1 person, standing and indoor

ખમીરવંતી ખાખી પુસ્તકનું વિમોચન તા.૧૮મી માર્ચે સુરત શહેરના આંગણે જાણીતા ભાગવત અને રામાયણ કથાકાર રમેશભાઇ ઓઝાના વરદ હસ્તે કરવામાં આવ્યું.

ગુજરાત પોલીસના નિવૃત્ત અધિકારી એમ. જી કનેરિયાએ પોલીસ સેવા સાથે સમાજની જે ઉત્તમ સેવા કરી છે તેની જાણકારી આજની પેઢીના યુવાનોને મળી રહે તે આવશ્યક છે. તેના માટે જ આ પુસ્તકનું નિર્માણ કરવામાં આવ્યુ છે.

No description available.

પોતાની કારકિર્દી પર આધારિત પુસ્તક અંગે પ્રતિસાદ આપતા એમ. જી. કનેરિયાએ જણાવ્યું હતું કે, પોલીસ અધિકારી તરીકે નિયુક્ત થયા બાદ સુરતમાં પોસ્ટીંગ થયું અને સુરતમાં જે ગુનાખોરીનો વ્યાપ વધતો હતો તેના કારણે ગુનેગારોમાં એક પ્રકારે પોલીસની ધાક હોવી જોઇએ એ ધાક ઉભી કરવા માટે મેં ફ્રી હેન્ડ થી કામ કર્યું હતું. મહીધરપુરા પોલીસ સ્ટેશન હોય ક્રાઇમ બ્રાન્ચ હોય કે પછી દારૂબંધી માટે બનાવવામાં આવેલી ટાસ્ક ફોર્સ હોય, તમામ બ્રાન્ચમાં નિષ્ઠા પુર્વક ફરજ બજાવીને ગુનાખોરીને કાબુમાં લેવા માટે કામ કર્યું હતું. ખાસ કરીને શહેરમાં 1992ના કોમી તોફાનો બાદ અમદાવાદથી આવેલા ફારૂક મુન્શીએ બાલક, નરેશ નિકમ જેવા લોકોને ઠાર મારીને પોતાની ધાક જમાવી હતી. ફારૂક મુન્શી ઝડપાયા બાદ તેણે પીપલોદ નજીકથી પોલીસ જાપ્તામાંથી નાસી છુટવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ તેણે પોલીસ પર ફાયરીંગ કરતા પોલીસ એન્કાઉન્ટરમાં ફારૂક મુન્શી ઠાર મરાયો હતો. ત્યાર બાદ બાબુભૈયાની ટોળકીના દિલીપ મરાઠા અને આસીફ અમદાવાદીને સચિનથી આગળ એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યા હતા. તો ભાજપના મહિલા કોર્પોરેટર નીતાબેન સાતભાયાની હત્યા થઇ ત્યારે તેમને ખાસ ક્રાઇમ બ્રાન્ચમાં પી આઇ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી અને આ ગુનાનો ભેદ કઇ રીતે ઉકેલાયો તેની પણ રસપ્રદ વિગતો આ પુસ્તકમાં આવરી લેવામાં આવી છે.

ખમીરવંતી ખાખીના વિમોચન સંદર્ભે લેખિકા ખ્યાતિ જોશીની ફેસબુક વૉલ પરથી તેમને પ્રતિસાદ

ખાખીના કર્મયોગીઓને માનભરી સલામ સાથે ”ખમીરવંતી ખાખી” પુસ્તક અર્પણ…..દેશને આઝાદી ખાદીએ અપાવી પણ દેશમાં શાંતિ અને સલામતી ખાખીએ સ્થાપી. ખાખી પહેર્યા બાદ અનેક એવા પોલીસ અધિકારીઓ છે જેણે અદમ્ય સાહસ અને અદભૂત પરાક્રમ થકી ખાખીની શાનને વધારી દીધી છે.

કોઇની પણ શેહશરમ રાખ્ચા વિના કાયદાનો ભંગ કરનારને કાયદાના પાઠ શીખવનાર નિવૃત્ત ડીવાય.એસ.પી. એમ. જી. કનેરિયાની ૩૫ વર્ષની પોલીસ વિભાગની કારકીર્દી દરમ્યાનની રોચક સાહસગાથાને ખમીરવંતી ખાખી પુસ્તકમાં કલમથી આલેખવાની તક મળી તે માટે હું નસીબદાર. નિવૃત્ત પોલીસ અધિકારી એમ. જી. કનેરિયાએ મારામાં વિશ્વાસ રાખીને મને પુસ્તક લખવાની તક આપી તે માટે તેની આભારી છું. ૩૫ વર્ષની પોલીસ વિભાગમાં બજાવેલી સેવા દરમ્યાન ૩૦ વખત કરતા વધુ બદલી કોઇપણ અધિકારીને અકળાવી મૂકે. પરંતુ નિવૃત્ત પોલીસ અધિકારી એમ. જી. કનેરિયાએ અડચણ ઉભી કરતા ઉપરી દબાણ નામક પથ્થરોને પડકાર ગણી મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે પણ કાયદાનો ભંગ કરનારને જેલના સળિયા ગણતા કર્યા હતા.

આવું અદમ્ય સાહસ દેખાડવું એ કોઇ કાચા-પોચાનું કામ નહિ. દિલીપ મરાઠા, ફારૂક મુન્સી, આસીફ અમદાવાદી જેવા ત્રણ-ત્રણ માથાભારે ડોનનાં એન્કાઉન્ટર કરવા એ કોઇ સહેલી વાત નથી. પુસ્તકમાં એક થી એક ચઢે તેવી રોચક સાહસગાથા રૂપી સત્ય ઘટનાઓને વણી લેવાનો પ્રયાસ કર્યો છે. વાંચકોને ચોક્કસ પસંદ આવશે. બે વર્ષની લાગ-લગાટ મહેનત બાદ પુસ્તક વાંચકો સમક્ષ મૂકી શકાયું છે. ખમીરવંતી ખાખીનું વિમોચન ભાગવત કથાકાર પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના હસ્તે થયું.

એ વેળાએ પદ્મશ્રી મથુરભાઇ સવાણી, પદ્મશ્રી કનુભાઇ ટેલર, વરાછા બેન્કના ચેરમેન અને સૌરાષ્ટ્ર ૫ટેલ સેવા સમાજના પ્રમુખ કાનજીભાઇ ભાલાળા, વીએનએસજીયુના પૂર્વ કુલપતિ ડો. દક્ષેશ ઠાકર, સુરેન્દ્રનગરના ધારાસભ્ય ધનજીભાઇ માકસણા સહિત સુરતના ટોચના ઉદ્યોગપતિઓ, નિવૃત્ત પોલીસ અધિકારીઓ, અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા તે આનંદ લટકામાં. દિપકભાઇ રાજ્યગુરૂએ કાર્યક્રમનું સુંદર રીતે સંચાલન કર્યું તે માટે તેમનો આભાર.

March 19, 2021
night_curfew.jpg
1min500

સુરત અને અમદાવાદમાં કોરોના સંક્રમણ અને પોઝિટિવ કેસ વધવા માંડતાં જ સાવચેતીનાં પગલા લેતાં રાજ્ય સરકાર સાથે પરામર્શ કરીને લોકલ ઓથોરિટીઓએ બન્ને મહાનગરોમાં રાત્રિ કરર્ફ્યુની અવધિ રાત્રે ૧૦ વાગ્યાને બદલે ૯ વાગ્યાથી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આજરોજ તા.૧૯મી માર્ચથી રાત્રિ કરર્ફ્યુ રાત્રે ૯થી શરૂ થશે તેમજ બન્ને્ શહેરોમાં શનિવાર-રવિવારનાં રોજ તમામ મોલ-થિયેટરો બંધ રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.

ગુજરાતના શહેરોમાં કોરોનાને વકરતો રોકવા માટે અને અસરકારક પગલા લેવા માટે રાજય સરકારે વધુ સનદી અધિકારીઓને મેદાનમાં ઉતાર્યા છે. બન્ને શહેરોમાં આજે મ્યુનિ.નાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને શહેરમાં વ્યાપી રહેલી કોરોના મહામારીને ફરી કઇ રીતે અંકુશમાં લઇ શકાય તેની ચર્ચા વિચારણા કરી હતી.

મ્યુનિ.નાં કમિશનર મુકેશકુમાર તથા ડે.કમિશનરો, હેલ્થ ઓફિસર, સોલીડ વેસ્ટ ખાતાનાં ડાયરેકટર વગેરે સાથે યોજાયેલી બેઠકમાં ડો.રાજીવકુમાર ગુપ્તાએ કોરોના કેસ વધે તેવા સંજોગોમાં નાગરિકોને સમયસર સારવાર મળી રહે તે માટે સંપાદિત હોસ્પિટલો અને બેડ, મેડિકલ-પેરામેડિકલ સ્ટાફની પૂરતી વ્યવસ્થા, ટેસ્ટીંગ માટેની સુવિધા વધારવા તેમજ દવાની ઉપલબ્ધતા અને કોરોના રસીકરણની કામગીરી વગેરે બાબતોની માહિતી મેળવી હતી અને ચર્ચા કરી હતી.

બેઠકમાં ચર્ચાવિચારણાનાં અંતે જાહેરહિતમાં શહેરમાં આવતીકાલ શુક્રવારથી રાત્રિ કરફ્યુનો સમય ૧૦ વાગ્યાને બદલે નવ વાગ્યાથી સવારનાં છ વાગ્યા સુધી રાખવાનો અને તેનો કડકાઇથી અમલ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

તદઉપરાંત શહેરમાં શનિ-રવિવારે જુદા જુદા વિસ્તારોમાં આવેલાં મોલ-મલ્ટીપ્લેકસ તેમજ થિયેટરોમાં ભીડ જામતી હોવાથી કોરોના સંક્રમણ ફેલાવી શક્યતા વધી જવાની બાબતને ધ્યાને લઇ ઉચ્ચ અધિકારીઓએ શનિવાર-રવિવારે તમામ મોલ અને થિયેટરો સંપૂર્ણપણે બંધ રખાવવાનો નિર્ણય લીધો હતો અને બાકીનાં દિવસોમાં મોલ-થિયેટરોમાં કોરોના ગાઇડલાઇનનો કડકાઇથી પાલન કરાવવાની તાકીદ કરવામાં આવી છે.

March 18, 2021
Schoolsclosed4.jpg
1min606

રાજ્યમાં કોરોનાએ ફરી એકવાર માથું ઉંચક્યું છે ત્યારે સરકારે રાજ્યની આઠ મહાનગરપાલિકાઓમાં સ્કૂલો 10/4/2021 સુધી બંધ રાખવા માટે આદેશ આપ્યો છે.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યની 8 મહાનગરપાલિકાઓમાં (અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, ગાંધીનગર અને જુનાગઢ) 10 એપ્રિલ સુધી તમામ સ્કૂલો 19 માર્ચથી 10 એપ્રિલ સુધી બંધ રહેશે, અને વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવાશે. માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં પ્રથમ પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે.

શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, ઓફલાઈન શિક્ષણ આ તમામ આઠ મહાનગરપાલિકાઓમાં બંધ રહેશે. રાજ્યમાં થોડા સમય પહેલા જ તબક્કાવાર સ્કૂલના ધોરણ 6થી 12ના વર્ગો શરુ કરવામાં આવ્યા હતા, અને તે જ રીતે કોલેજો પણ શરુ કરવામાં આવી હતી. જોકે, વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નહોતી અને ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રાખવામાં આવ્યું હતું. સીએમની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં શિક્ષણકાર્ય અંગે મહત્વના નિર્ણય લેવાયા હતા. જેમાં કોલેજ અને યુનિ.માં આવતીકાલથી 10 એપ્રિલ સુધી ઓફલાઈન કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવે છે. રાજ્યની યુનિ.ઓ દ્વારા હવે નવેસરથી ટાઈમટેબલ જાહેર કરાશે. 10 એપ્રિલ સુધી તમામ શિક્ષણકાર્ય ઓનલાઈન ચાલશે. યુનિ.ની હોસ્ટેલો ચાલુ રહેશે. પીજીના તમામ પ્રેક્ટિકલ ચાલુ રહેશે. આ નિર્ણય તમામ યુનિ.ઓને લાગુ પડશે.

March 18, 2021
ritika_phoghat.jpg
1min452
Babita Phogat cousin Ritika commits suicide after losing wrestling match |Ritika  Phogat Suicide: पहलवान Babita और Geeta Phogat की बहन रितिका ने की  आत्महत्या, जानिए क्या थी वजह | Hindi News

ભારતની સ્ટાર રેસલર બબીતા ફોગાટ અને ગીતા ફોગાટની પિતરાઇ બહેન રિતિકા ફોગાટે કુશ્તી સ્પર્ધામાં મેચ હારી જતાં આત્મહત્યા કરી લીધી છે. રિતિકાએ કુશ્તીની ફાઇનલ મેચમાં મેળલી હાર સહન ન થતાં ગંભીર પગલુ ઉઠાવી લીધુ હતું, પિતરાઇ બહેનને આત્મહત્યા કરી લેવાના કારણે ગીતા ફોગાટે દુખની લાગણી વ્યક્ત કરી હતી. ગીતા ફોગાટે પ્રતિક્રિયા આપતાં કહ્યુ હતું કે, હાર અને જીત જીવનનો ભાગ હોય છે. કોઇપણ ખેલાડીએ આવુ પગલુ ન લેવું જોઇએ.

ગીતા ફોગાટે ટ્વીટર પર લખ્યું હતું કે ભગવાન મારી નાની બહેન અને મારા મામાની દિકરી રિતિકાની આત્માને શાંતિ આપે. મારા પરિવાર માટે દુખનો સમય છે. રિતિકા પ્રભાવશાળી રેસલર હતી. હાર અને જીત ખેલાડીના જીવનનો હિસ્સો હોય છે, આપણે આવુ પગલુ ન લેવુ જોઇએ.

17 વર્ષની રિતિકા ફોગાટે રાજસ્થાનના ભરતપુરમા લોહાગઢ સ્ટેડિયમમાં આયોજીત સ્ટેટ લેવલ સબ જૂનિયર ટૂર્નામેન્ટમાં હિસ્સો લીધો હતો. સ્પર્ધાની ફાઇનલ મેચમાં પહોંચ્યા બાદરિતિકા માત્ર એક અંકથી મેચ હારી ગઇ હતી અને આ હારથી નિરાશ થઇ તેણે ફાંસી લગાવી લીધી હતી.

માહિતી મુજબ રિતિકાએ બુધવારની રાતે આશરે 11 વાગે પોતાને ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી. રિતિકાએ પોતાના ફુઆ અને ગીતા-બબીતાના પિતા મહાવીર ફોગાટ પાસેથી કુશ્તીની તાલીમ મેળવી હતી. રિતિકાની ફાઇનલ મેચ દરમિયાન મહાવીર ફોગાટ હાજર હતા.

March 18, 2021
coronaupdate.jpg
2min409

કેન્દ્રના આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં છેલ્લા એક દિવસ દરમિયાન કોવિડ-૧૯ના ૩૫,૮૭૧ નવા દરદી નોંધાયા હતા. આ સંખ્યા છેલ્લા ૧૦૨ દિવસની સૌથી વધુ હતી. આ સાથે દેશમાં કોરોનાના દરદીઓની કુલ સંખ્યા વધીને ૧,૧૪,૭૪,૬૦૫ થઇ ગઇ હતી.

દેશમાં છેલ્લા આઠ દિવસથી કોરોનાના દરદીઓની સંખ્યા સતત વધી રહી છે. કોવિડ-૧૯ના ઍક્ટિવ દરદીઓની સંખ્યા વધીને ૨,૫૨,૩૬૪ થઇ ગઇ છે. આ સંખ્યા કુલ દરદીઓના ૨.૨ ટકા છે. ગુરુવારે સવારના ૮ વાગ્યા સુધીમાં મળેલા દરદીઓના આંકડા મુજબ કોરોનાના દરદીઓ સાજા થવાની ટકાવારી ઘટીને ૯૬.૪૧ ટકા થઇ હતી.

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં કોરોનાથી વધુ ૧૭૨ દરદી મૃત્યુ પામતા કુલ મરણાંક વધીને ૧,૫૯,૨૧૬ થઇ ગયો હતો.

અગાઉ, છઠ્ઠી ડિસેમ્બરે એટલે કે ૧૦૨ દિવસ પહેલાં દેશમાં કોરોનાના ૩૬,૦૧૧ દરદી નોંધાયા હતા. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચે જણાવ્યું હતું કે દેશમાં ૧૭મી માર્ચ સુધીમાં કોરોના માટે ૨૩,૦૩,૧૩,૧૬૩ સૅમ્પલ તપાસાયા હતા. 

Gujarat on 19/3

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1276 કેસો નોંધાયા છે. 899 દર્દીઓ સાજા થયા છે. કોરોના વાયરસના કારણે 3 દર્દીઓના મોત થયા.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 304 (અમદાવાદ કોર્પોરેશન 298 અને અમદાવાદ 6), સુરતમાં 395 (સુરત કોર્પોરેશન 324 અને સુરત 71), વડોદરામાં 129 (વડોદરા કોર્પોરેશનમાં 111 અને વડોદરા 18) અને રાજકોટમાં 113 કેસો (રાજકોટ કોર્પોરેશનમાં 98 અને રાજકોટ 15) કોરોના વાયરસના નોંધાયા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2,72,332 દર્દીઓ સાજા થયા છે. આજે કુલ 1,55,174 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Reported on 18/3/21

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨૮,૯૦૩ નવા કેસ નોંધાવાની સાથે દૈનિક ધોરણે આ વર્ષનો સૌથી વધુ વધારો નોંધાયો હતો અને કેસની કુલ સંખ્યા ૧,૧૪,૩૮,૭૩૪ થઇ છે, એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે.

કોરોનાને કારણે થયેલાં મૃત્યુની સંખ્યા વધીને ૧,૫૯,૦૪૪ થઇ છે, જેમાં છેલ્લા ૨૪ કલાકમાં થયેલાં ૧૮૮ મૃત્યુનો સમાવેશ થાય છે. હાલમાં દેશમાં કોરોનાના ૨,૩૪, ૪૦૬ સક્રિય કેસ છે. કોરોનાથી સાજા થવાનો દર ઘટીને ૯૬.૫૬ ટકા થયો છે. કોરોનાથી અત્યાર સુધીમાં ૧,૧૦,૪૫,૨૮૪ લોકો સાજા થયા છે. આઇસીએમઆરના જણાવ્યા મુજબ ૧૬ માર્ચ સુધીમાં ૨૨,૯૨,૪૯,૭૮૪ સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાં મંગળવારે કરવામાં આવેલા ૯,૬૯,૦૨૧ સેમ્પલનો સમાવેશ થાય છે.

દેશમાં નવા નોંધાયેલા કુલ કેસમાં પાંચ રાજ્યનો હિસ્સો ૭૦ ટકાથી વધુ

દેશમાં બુધવારે કોરોનાના નવા વધુ ૨૮,૯૦૩ કેસ નોંધાયા હતા જેમાં પાંચ રાજ્ય (મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિળનાડુ)નો હિસ્સો ૭૧.૧૦ ટકા જેટલો હોવાનું આરોગ્ય ખાતાએ કહ્યું હતું.

કોરોનાના સૌથી વધુ દૈનિક નવા કેસને મામલે કેરળ છઠ્ઠા સ્થાને રહ્યું હતું.

જોકે, કેરળમાં છેલ્લાં એક મહિનાથી કોરોનાના કેસમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે.

કેરળ સહિત દેશમાં કોરોનાના નવા નોંધાયેલા કુલ કેસમાં છ રાજ્યનો હિસ્સો ૮૩.૯૧ ટકા જેટલો થતો હોવાનું તેમણે કહ્યું હતું.

એક જ દિવસમાં દેશમાં કોરોનાના નવા નોંધાયેલા કુલ ૨૮,૯૦૩ કેસમાં મહારાષ્ટ્રના ૧૭,૮૬૪ કેસનો સમાવેશ થાય છે જે કુલ કેસના ૬૧.૮ ટકા જેટલા હોવાનું તેમણે કહ્યું હતું.

દેસમાં કુલ સક્રિય કેસમાં મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબનો હિસ્સો ૭૬.૪ ટકા અને એકલા મહારાષ્ટ્રનો હિસ્સો ૬૦ ટકા જેટલો હોવાનું તેમણે કહ્યું હતું.

Gujarat

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૧૧૨૨ દર્દીઓ નોંધાયા હતા. તેની સામે ૭૭૫ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચૂક્યા છે. જ્યારે અમદાવાદ, સુરત અને વડોદરામાં એક-એક એમ કુલ ત્રણ વ્યક્તિનાં મોત થયાં હતાં. જો કે, રાજ્યમાં કોરોનાનો કુલ આંક ૨,૮૧,૧૭૩ પર પહોંચ્યો છે. જ્યારે કુલ રિકવર દર્દીઓ ૨,૭૧,૪૩૩ છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક ૪,૪૩૦ પર પહોંચ્યો છે. રાજ્યમાં સૌથી વધુ સુરતમાં ૩૫૩, અમદાવાદમાં ૨૭૧, વડોદરામાં ૧૧૪, રાજકોટમાં ૧૧૨, ભરૂચમાં ૨૧, મહેસાણામાં ૧૯, જામનગરમાં ૧૯, ખેડામાં ૧૮, પંચમહાલમાં ૧૮, વડોદરામાં ૧૭, ભાવનગરમાં ૨૨, ગાંધીનગરમાં ૨૪, કચ્છમાં ૧૪, આણંદમાં ૧૩, દાહોદમાં ૧૨, નર્મદામાં ૧૨, સાબરકાંઠામાં ૧૦, છોટાઉદેપુરમાં ૯, અમરેલીમાં ૮, જૂનાગઢમાં ૧૨, મહીસાગર, મોરબીમાં ૮-૮, અરવલ્લી, બનાસકાંઠા, ગીરસોમનાથમાં ૪-૪, વલસાડ, પાટણ, સુરેન્દ્રનગર, તાપી, બોટાદ૨-૨. ડાંગ, દેવભૂમિ દ્વારકા, પોરબંદરમાં ૧-૧ નોંધાયો હતા.

રાજ્યમાં કોવિડ-૧૯ ના ૧૧૨૨ દર્દીઓ નોંધાયા છે. અને રાજ્યભરમાંથી ૭૭૫ દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યનો રીકવરી રેટ ૯૬.૫૪ ટકા જેટલો છે. ૫,૩૧૦ એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર ૬૧ છે. જ્યારે ૫,૨૪૯ લોકો સ્ટેબલ છે. ૨,૭૧,૪૩૩ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. કુલ ૪,૪૩૦ લોકોનાં મોત નિપજ્યાં છે. અત્યાર સુધીમાં કુલ ૨૨,૭૧,૧૪૫ વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને ૫,૫૪,૬૬૨ વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આજે ૬૦ વર્ષથી વધુ વયના તેમજ ૪૫ થી ૬૦ વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ ૫૨,૯૫૨ વ્યક્તિઓનું રસીકરણ કરાયું હતું.

March 17, 2021
coronahotspot.jpeg
1min719

સુરત શહેરમાં ગુજરાત રાજ્ય બહારથી આવતા તમામ વ્યક્તિએ ફરજીયાત સાત(૭) દિવસ હોમ ક્વોરન્ટાઈન થવું તેમજ ઘરમાં પણ અન્ય વ્યક્તિને સંક્રમણ ન થાય તે માટે અલગથી હોમ આઇસોલેશનમાં રહેવાનું રહેશે અને તે દરમ્યાન જો લક્ષણો જણાય તો તાત્કાલિક કોવિડ-19 નો ટેસ્ટ કરાવવાનો રહેશે.

Image
March 17, 2021
CIA_Live_Logo_New2.jpg
2min416

ભારતના આરોગ્ય મંત્રી હર્ષવર્ધને આપેલી જાણકારી મુજબ મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી (ગર્ભપાત)માં એમેન્ડમેન્ટ (સુધારા) બિલ ૨૦૨૦ને રાજ્યસભાએ મંજૂરી આપી છે. મહિલાઓના વ્યાપક હિત, ગૌરવ અને સલામતિના કારણોસર ગર્ભપાતના કાયદામાં કેટલાક આવશ્યક સુધારાઓ કરવામાં આવ્યા છે. જેની જાણકારી નીચે મુજબ છે.

ભારતના આરોગ્ય મંત્રીએ મેડીકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી કાયદામાં સુધારાના બિલને મળેલી મંજૂરી ઐતિહાસિક અને મહિલાઓના વિશાળ હિતમાં ગણાવી હતી.

Image

The bill also ensures that women get access to safe and legal abortion services on therapeutic, eugenic, humanitarian grounds.

Image

The bill was drafted after extensive expert consultation involving all stakeholders such as gynaecologist association, related NGOs, Indian Medical Association etc. Group of ministers chaired by Nitin Gadkari, and ethics committee was also consulted, and only after elaborate discussion the bill took shape. The bill was also discussed in great detail in Lok Sabha before being passed unanimously,” said Harsh Vardhan in Rajya Sabha. Lok Sabha passed the bill last year.