Alert Archives - Page 162 of 518 - CIA Live

July 6, 2021
Taliban-forces-1280x720.jpg
1min457

અફઘાનિસ્તાનમાંથી અમેરિકાનું લશ્કર હટશે એ સાથે જ ફરી તાલિબાન ચડી બેસશે એવો અંદેશો સાચો પડવા માંડ્યો છે. અમેરિકાના નવાસવા પ્રમુખ જો બાઈડને ગાદી સંભાળ્યાના ત્રણ મહિનામાં જ તાલિબાન સાથે સમજૂતી કરીને અફઘાનિસ્તાનમાંથી લશ્કર પાછું ખેંચવાનું એલાન કરી દીધેલું ને એપ્રિલ મહિનાથી અમેરિકાના લશ્કરે બિસ્તરાં-પોટલાં બાંધીને ઉચાળા ભરવાનું શરૂ પણ કરી દીધેલું. ત્રણ મહિનાથી આ કાર્યક્રમ ચાલે છે ને હવે અમેરિકાના લશ્કરની વાપસીનો કાર્યક્રમ અંતિમ તબક્કામાં છે ત્યારે જ તાલિબાને માથું ઉંચક્યું છે. તાલિબાને એક પછી એક વિસ્તારો કબજે કરવા માંડ્યા છે ને રવિવારે સમાચાર આવ્યા કે કંદહાર પાસેનો પંજવાઈ જિલ્લો પણ હવે તાલિબાનોના કબજામાં છે.

અમેરિકાનું લશ્કર હટવા માંડ્યું ત્યારે જ ધીરે ધીરે તાલિબાન આગળ વધવા માંડેલા પણ રાજધાની કાબુલથી દૂર હતા. કાબુલ પાસે આવેલા બગરામ એરબેઝ પર અમેરિકાનાં ફાઈટર જેટ અને એરફોર્સના સૈનિકો હાજર હતા તેથી તેમને સળી કરવાથી તાલિબાન દૂર રહ્યા હતા. બે દિવસ પહેલાં અમેરિકાના એરફોર્સે બગરામ એરબેઝ ખાલી કર્યો એ સાથે જ તાલિબાને રાજધાની કાબુલ તરફ કૂચ શરૂ કરી ને પંજવાઈ પર કબજો કરી લીધો છે. પંજવાઈ અને કાબુલ વચ્ચે ઝાઝું અંતર નથી ને તાલિબાનો આવી રહ્યા છે એ સાંભળીને અફઘાનિસ્તાનનું લશ્કર પોબારા ગણી ગયું છે એ જોતાં કાબુલ પડીને પાધર થાય એ દિવસો દૂર નથી. અફઘાનિસ્તાનના ૪૨૧ જિલ્લા છે ને તેમાંથી ૧૦૦ જિલ્લા પર હવે તાલિબાનનો કબજો છે એ જોતાં અફઘાનિસ્તાન પર ફરી તાલિબાનનું રાજ હશે એ શક્યતા હવે બહુ જલદી વાસ્તવિકતામાં પલટાઈ જશે.
ભારત માટે તાલિબાનનો વધતો પ્રભાવ ખતરાની ઘંટડી નહીં પણ ઘંટ છે એ કહેવાની જરૂર નથી. અમેરિકાએ પોતાના સ્વાર્થને માટે અફઘાન પ્રજાને પાછી સાતમી સદીની માનસિકતા ધરાવતા જંગલી તાલિબાનને હવાલે કરી દીધા તેની કિંમત અફઘાન પ્રજા તો સૌથી વધારે ચૂકવવાની  જ છે.

તાલિબાન  પાછા એ જ જૂના કાયદા લાવીને મહિલાઓને દબાવવા ને તેમના પર અત્યાચાર કરવાના ખેલ શરૂ થઈ કરી દેશે તેના કારણે અફઘાન પ્રજાનું તો આવી જ બનશે. અફઘાન પ્રજાએ છેલ્લાં કેટલાંક વરસોમાં ભોગવેલી આઝાદી છિનવાઈ જશે ને ફરી ગુલામીના દિવસો શરૂ થશે. એ રીતે અફઘાન પ્રજા તો બહુ આકરી કિંમત ચૂકવશે પણ દુનિયાના બીજા દેશો પણ વત્તેઓછે અંશે કિંમત ચૂકવશે જ ને તેમાં આપણે પણ આવી ગયા. બલ્કે આપણી હાલત 
વધારે બગડશે કેમ કે અત્યારે અફઘાનિસ્તાન સાથે ભારતનાં વ્યાપક હિતો સંકળાયેલાં છે.
તાલિબાન મજબૂત થતાં જ ભારતમાં આર્થિક હિતો સામે જોખમ ઉભું થઈ જ જવાનું છે.  

ભારત અફઘાનિસ્તાનમાં સંખ્યાબંધ પ્રોજેક્ટમાં સામેલ છે અને જંગી રોકાણ કરીને બેસી ગયું છે. અફઘાનિસ્તાનની સંસદને પણ ભારતના સહયોગથી બનાવાઈ છે ને બીજા ઘણા પ્રોજેક્ટ ભારતે હાથ ધર્યા છે. તાલિબાન ફરી સત્તામાં આવે તો એ બધું ખોરવાઈ જશે તેમાં શંકા નથી.  તાલિબાનનો ઝુકાવ પાકિસ્તાન તરફ વધારે છે તેથી પાકિસ્તાનના ઈશારે ભારત-અફઘાનિસ્તાનના વ્યાપારને રોકી દે એવું બને. ભારતનાં આર્થિક હિતોને એ રીતે મોટો ફટકો પડે. તાલિબાન અત્યારે ડાહી ડાહી વાતો કરીને બધાં સાથે સારા સંબધોની રેકર્ડ વગાડે છે પણ માંહ્યલા ગુણ એમ થોડા જાય? તાલિબાનની માનસિકતા ભારત વિરોધી છે એ જોતાં ભારત તરફી બની જ ના શકે. તાલિબાન પહેલેથી ભારત વિરોધી છે ને તેના કારણે તેમની દુકાન ચાલે છે તેથી ભારત વિરોધી જ રહેવાના છે.

ભારત માટે બીજો મોટો ખતરો અલ કાયદા અને કાશ્મીરી આતંકવાદી સંગઠનોનો છે. તાલિબાન પાછા સત્તામાં આવે ને તાકતવર બને તેના કારણે અલ કાયદા પણ મજબૂત બનશે કેમ કે અલ કાયદા અને તાલિબાન એક સિક્કાની બે બાજુ છે. આપણે ત્યાં બહુ ઓછા લોકોને યાદ છે પણ હજુ ગયા વરસે વૈશ્ર્વિક આતંકવાદી સંગઠન અલ કાયદા ઈન આરબ પેનિન્સુલા (એક્યુએપી)એ ભારતના મુસ્લિમોને ભારત સામે જિહાદ છેડવા હાકલ કરી હતી. અલ કાયદાનો દાવો હતો કે, ભારતમાં મુસ્લિમો સાથે ભેદભાવ થાય છે અને મુસ્લિમોની હત્યાઓ થાય છે એ જોતાં મુસ્લિમોએ હથિયાર ઉઠાવીને ભારત સામે જિહાદ છેડવાની જરૂર છે જ. અલ કાયદાએ તેના નિવેદનમાં સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ)નો ઉલ્લેખ પણ કર્યો હતો. અલ કાયદાએ ભારતના મુસ્લિમ વિદ્વાનોને પણ આ જિહાદમાં જોડાવા હાકલ કરી હતી.

જો કે એ વખતે અલ કાયદાની હાકલને કોઈએ ગંભીરતાથી નહોતી લીધી કેમ કે અલ કાયદાનો ત્યારે એવો પ્રભાવ નહોતો. અલ કાયદા એક સમયે વિશ્ર્વમાં સૌથી ખતરનાક આતંકવાદી સંગઠન ગણાતું હતું. ઓસામા બિન લાદેન તેનો કર્તાહર્તા હતો ત્યારે અલ કાયદાના નામથી આખી દુનિયા થરથરતી હતી. અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કરાવીને લાદેને આખી દુનિયામાં જે ખૌફ ઊભો કર્યો એવો ખૌફ બીજા કોઈ આતંકવાદીએ કર્યો નથી. લાદેન જેવો આતંકવાદી ભવિષ્યમાં કોઈ આવશે કે નહીં એ ખબર નથી પણ અત્યાર લગી તો આવ્યો નથી.
જો કે લાદેને અમેરિકાને છંછેડવાની ભૂલ કરીને પોતાની કબર ખોદી નાંખી.  ઓસામા બિન લાદેને વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કરાવીને કાળો કેર વર્તાવ્યો પછી અમેરિકાએ તેનો બદલો લેવા અફઘાનિસ્તાન પર હુમલો કરીને કાળો કેર વર્તાવેલો. ઓસામા માટે અફઘાનિસ્તાનના તાલિબાન સૌથી મોટા આશ્રયદાતા હતા પણ અમેરિકાએ તેમની એવી બજાવી કે, મુલ્લા ઉમરની આગેવાની હેઠળના તાલિબાને ભાગવું પડ્યું. લાદેન પણ સંતાતો ફરતો થઈ ગયેલો પણ અમેરિકાએ તેને પાકિસ્તાનના અબોટાબાદમાંથી શોધી કાઢીને પતાવી દીધો.

લાદેન પત્યો પછી તેનાં વાઉચરોએ અમેરિકા સામે લડવાનું ચાલુ રાખ્યું પણ અમેરિકાએ એક પછી એક ફટકા મારી મારીને તેને એવું અધમૂઉં કરી નાંખ્યું કે, અલ કાયદા સાવ પતી ગયું. લાદેનના વખતમાં અલ કાયદા એક જ હતું પણ લાદેન ગયો પછી તેનાં કેટલાંય ફાડિયાં થઈ ગયાં. એક્યુએપી તેમાંથી એક છે ને અલ કાયદામાંથી અલગ અલગ થયેલા સંગઠનોમાં સૌથી મોટું ગણાય છે પણ તેનો કોઈ પ્રભાવ કે ડર એ વખતે નહોતો. યમન અને સાઉદી અરેબિયામાં આ સંગઠન સક્રિય છે પણ તેના નામે એવું કશું બોલતું નથી કે જેના કારણે લોકોમાં ખૌફ પેદા થાય.

હવે તાલિબાન પાછા મજબૂત થશે તેથી અલ કાયદા પણ મજબૂત થશે. અમેરિકા અને પશ્ર્ચિમના દેશોએ તાલિબાનની બે દાયકા લગી બરાબર બજાવી છે તેથી હમણાં એ અમેરિકા સામે બાખડી ના બાંધે તેથી પોતાનો ડર પેદા કરવા ભારતમાં હુમલા કરાવે એ ખતરો છે. પાકિસ્તાન અને તાલિબાન પણ એક જ છે તેથી તાલિબાન મજબૂત થાય  તેના કારણે કાશ્મીરમાં પણ તકલીફ વધશે.  

પાકિસ્તાન અફઘાન આતંકીઓનો ઉપયોગ કાશ્મીરમાં કરી શકે છે. તાલિબન અંતે તો પાકિસ્તાને પોષેલું જ પાપ છે તેથી એ પાકિસ્તાનના ઈશારે જ નાચશે. અમેરિકા સામે લડવાનું રહ્યું નહીં એટલે તાલિબાનને પાકિસ્તાન કાશ્મીરમાં આપણી મેથી મારવા માંડે એ ખતરો છે. 
અલ કાયદાનો અત્યાર લગી ભારતમાં પ્રભાવ નથી થયો પણ તાલિબાન મજબૂત થાય તો એ પણ થાય. અલ કાયદાનો કટ્ટરવાદી મુસ્લિમો પર ભારે પ્રભાવ છે. આ વાતને પણ નજરઅંદાજ ના કરી શકાય. એક અહેવાલ પ્રમાણે ભારત સરકારની એજન્સીઓએ ગયા વરસે લગભગ ૨૮૦૦ જેટલાં એવાં ટ્વિટર એકાઉન્ટ શોધી કાઢ્યાં હતાં કે જે ભારતના મુસ્લિમોને ભડકાવીને જિહાદ માટે ઉશ્કેરવા માટે પૂરી તાકાત લગાવી રહ્યાં છે. આ બધાં એકાઉન્ટ અત્યારે પાકિસ્તાનથી ઓપરેટ થાય છે તેથી આપણી એજન્સીઓની નજરે ચડી ગયાં પણ અલ કાયદાનો પ્રભાવ વિશ્ર્વના ઘણા દેશોમાં છે. તેના કારણે આપણી સામે બીજાં દેશોમાંથી ઝેરીલો પ્રચાર શરૂ થાય એ પણ ખતરો છે.  તેને રોકવા આપણે તાકાત તો લગાવવી જ પડે. અલ કાયદા પાસે તાલીમબદ્ધ આતંકવાદીઓ છે ને તેમને ભારતમાં ઘૂસાડીને પણ પાકિસ્તાન આપણને નુકસાન તો કરી જ શકે. આતંકવાદનો એ સીધો ખતરો પણ તાલિબાન મજબૂત થતાં વધી જશે.
ભારત આતંકવાદના ખતરાને પહોંચી વળવા સક્ષમ છે તેમાં શંકા નથી પણ  આપણે આપણી તાકાત વિકાસ કરવામાં લગાવવાના બદલે આતંકવાદ સામે લડવામાં લગાવવી પડે એ નુકસાન તો છે જ

July 5, 2021
cia_society-1280x880.jpg
1min489

‘વિમેન્સ એમ્પાવરમેન્ટ’ અને બહેનોના
વ્યકિતત્વ વિકાસના કાર્યક્રમો યોજવા નવા પ્રેસીડન્ટ જયશ્રી ભાલાળાનું આયોજન

સેવા પ્રવૃતિઓ સાથે વ્યકિત વિકાસના ઘ્યેય સાથે ચાલતી ઈન્નર વ્હીલ કલબ ઓફ સુરત ઈસ્ટની નવી ટીમે તેનો પદભાર સંભાળી લીધો છે. ઉત્રાણ, મૌની ઈન્ટરનેશનલ સ્કુલના ઓડિટોરીયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પાસ્ટ ડીસ્ટ્રીકટ પ્રેસીડન્ટ ડૉ. સુચિતા પંડીતે પદગ્રહણ વિધી કરાવી હતી.

ઈન્નર વ્હીલ કલબના ડીસ્ટ્રીકટ ચેરમેન સુષ્મા અગ્રવાલ મુખ્ય મહેમાન તરીકે ઓનલાઈન જોડાયા હતા. વર્ષ ૨૦૨૦-૨૧ના પ્રેસીડન્ટ વીણાબેન પટેલ પાસેથી વર્ષ ૨૦૨૧-૨૨ના પ્રેસીડન્ટ જયશ્રી ભાલાળાને કોલર અને પીન પહેરાવી પદભાર સોંપ્યો હતો. મૌની સ્કુલ્સના ડિરેકટર શ્રી જે.બી. પટેલ અને આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલના ડિરેકટર મહેશભાઈ રામાણી ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઉપસ્થિત રહયા હતા.

કોરોના સંકટમાં પણ ૨૦૨૦-૨૧ના વર્ષમાં વીણાબેન અને ટીમે સુંદર કામગીરી કઈ રીતે કરી હતી તેની માહિતી આપવામાં આવી હતી. આગામી વર્ષ માટે પ્રેસીડન્ટ તરીકે જયશ્રીબેન ભાલાળા અને સેક્રેટરી તરીકે દિવ્યા મોવલીયા અને ટીમની ઓળખ તથા જવાબદારીના શપથ લેવડાવવામાં આવ્યા હતા.

આગામી વર્ષની કામગીરી અને વિઝન ૨૦૨૧-૨૨ રજુ કરતા પ્રેસીડન્ટ જયશ્રીબેન ભાલાળાએ જણાવ્યુ હતુ કે વિમેન્સ એમ્પાવરમેન્ટ તથા જય જવાન પ્રોજેકટ તથા બહેનોના વ્યકિતત્વ વિકાસના કાર્યક્રમો આ મહિનામાં યોજાનાર છે. તેમણે જણાવ્યુ હતું કે ડીસ્ટ્રીકટ ૩૦૬માં ૧૩૫ સભ્યો સાથે સૌથી મોટી કલબ બન્યાનું ગૌરવ વ્યકત કરી સર્વોનો આભાર માન્યો હતો.
આ પ્રસંગે રોટરી કલબ ઓફ સુરત ઈસ્ટના પાસ્ટ પ્રેસીડન્ટ ડૉ. જગદીશભાઈ વઘાસીયા, પ્રેસીડન્ટ મનહરભાઈ વોરા તથા રોટ્રેકટ કલબ ઓફ સુરત ઈસ્ટ અને કર્મભુમિના હોદ્દેદારો તથા રોટરી કલબ ઓફ સુરત મેટ્રોના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ ખુંટ ઉપસ્થિત રહયા હતા. આ પદગ્રહણ સમારોહમાં શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ શ્રી કાનજીભાઈ ભાલાળા, વરાછાબેંકના ચેરમેનશ્રી ભવાનભાઈ નવાપરા, લોકસર્મપ્ણ બ્લડબેંકના પ્રમુખશ્રી હરિભાઈ કથીરિયા તથા વિશ્વ ગુજરાતી સમાજના ઉપપ્રમુખશ્રી સવજીભાઈ વેકરીયા ખાસ ઉપસ્થિત રહયા હતા.

July 5, 2021
dhaval-1.jpg
1min746

સુરત કલેક્ટર પદેથી ગાંધીનગર બદલી પામેલા સનદી અધિકારી ડૉ. ધવલ પટેલને સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સમારોહમાં ફૂલડે ફૂલડે વધાવ્યા

લૉકડાઉનમાં 3 કરોડ ફૂડ પેકેટ્સ અમૂક રાજ્ય સરકારો પણ મેનેજ કરી શકી નથી સુરતના લોકો કોઇપણ ક્રાઇસીસમાં સહાયભૂત થવામાં વહીવટીતંત્રો માટે બેમિસાલ

સુરત કલેક્ટર પદેથી ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી પામેલા સનદી અધિકારી ડો.ધવલ પટેલને વિદાયમાન આપવા માટે ધ સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે યોજાયેલા કાર્યક્રમને સંબોધતા ડો. ધવલ પટેલે એકરાર કર્યો હતો કે સુરતમાં ફરજકાળ દરમિયાન કોરોનાની બીજી લહેર વખતે સર્જાયેલી ઓક્સીજન ક્રાઇસીસ અત્યંત મુશ્કેલ સમય હતો. તેમણે કહ્યું કે એ તરફ ઓક્સીજનની માગ વધતી અને બીજી તરફ ઉત્પાદન વધે તેવી કોઇ શક્યતા નહીં, આપણે વિતરણ વ્યવસ્થા દુરસ્ત કરી શકીએ પણ માગમાં વધારો ઉત્પાદન વગર શક્ય ન હતો અને એ સમય મુશ્કેલી ભર્યો રહ્યો.

ધ સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની એક પરંપરા છેકે શહેરમાં કોઇપણ સનદી અધિકારીની બદલી થાય અને નવા આવે ત્યારે તેમના માનમાં બન્ને અધિકારીઓને એક મંચ પર તેડાવીને એકને વિદાયમાન અને એકને આવકાર આપવામાં આવે છે. આવો જ એક કાર્યક્રમ શનિવારે સરસાણા પ્લેટીનમ હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં સુરત કલેક્ટર પદે નવનિયુક્ત આયુષ ઑક વ્યસ્તતાના કારણોસર પધારી શક્યા ન હતા જ્યારે ડો.ધવલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, ડાયમંડ એસોસીએશન, ક્રેડાઇ, પાંડેસરા વિવર્સ એસોસીએશન, સાઉથ ગુજરાત પ્રોસેસર્સ એસોસીએશન, વેડરોડ વીવર્સ એસોસીએશન સમેત અનેક સંસ્થાઓને પ્રતિનિધિઓએ ડો. ધવલ પટેલની સુરતમા વિદાય પ્રસંગે તેમને શુભેચ્છા પાઠવી હતી. અનેક અગ્રગણ્ય મહાનુભાવોએ ડો.ધવલ પટેલ સાથેના યાદગાર સંભારણાઓ વ્યક્ત કર્યા હતા.

સમારોહના અંતમાં પોતાનો પ્રતિસાદ આપતા ડો. ધવલ પટેલે કહ્યું કે સુરતના લોકો સતત હેલ્પિંગ હેન્ડ સમાન છે. કોરોનાકાળમાં સુરતના લોકોએ વહીવટીતંત્રોને જે સાથ આપ્યો તે બેમિસાલ છે. તેમણે કોરોનાકાળમાં પરપ્રાંતિય કામદારો માટે વિતરીત કરાયેલા 3 કરોડ નંગ ફૂડ પેકેટનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે જ્યારે તેઓ ફૂડ પેકેટના આંકડાનું રિપોર્ટિંગ સરકારમાં કરતા ત્યારે સરકારી ઉપરી અધિકારીઓના પણ વાત માન્યામાં નહતી આવતી, તેઓ કહેતા કે કોઇ રાજ્ય આટલા ફૂડ પેકેટ મેનેજ કરી શક્તી ન હોય ત્યારે એકલા સુરતમાં આ કેવી રીતે શક્ય છે. ડો. પટેલે આ વાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે સુરતના લોકો કોઇપણ કાર્યમાં સહભાગી થતાં. તેમણે ચેમ્બર ઓફ કોમર્સ તથા સચિન જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીનો ઉલ્લેખ કરતા ખાસ કહ્યું કે આવી સંસ્થાઓને કારણે જ સુરત હંમેશા દરેક કટોકટીમાંથી બહાર આવી જાય છે.

પોતાની ફરજ કાળ દરમિયાન બનેલી ઘટનાઓ અંગે ડો. ધવલ પટેલે કહ્યું કે સુરતમાં વિતાવેલો સમય સાચે જ અવિસ્મરણીય છે. સાર્વજનિક સોસાયટીમાં ઉલબ્ધ હસ્તલિપી સાહિત્યનો ઉલ્લેક કરતા કહ્યું કે આ એક અદભૂત ખજાનો છે, સુરતના લોકો તેનો ઉપયોગ કરે.

સુરતના સૌથી મુશ્કેલ સમય અંગે ડો.ધવલ પટેલે નિખાલસતાથી કહ્યું કે કોરોનાની બીજી લહેર દરમિયાન ઓક્સીજન ક્રાઇસીસ સૌથી મુશ્કેલ અને મૂઝવણભર્યો સમય હતો. એક તરફ સુરતમાં માગ વધુ હતી અને બીજી તરફ ઉત્પાદન ક્ષમતા મર્યાદિત હતી. અમે વિતરણ વ્યવસ્થા અને વેસ્ટેજ ઝીરો કર્યા પછી પણ વધતી માગ સામે ઓક્સીજન ઉત્પાદન ક્ષમતા વધારી શકીએ તેમ ન હતા. એવો સમય હતો કે શું કરવું તેની સમજ નહીં પડે. પણ સદનસીબે ક્રાઇસીસ થોડા દિવસમાં ઓવર થઇ ગઇ.

લૉકડાઉન પીરીયડ દરમિયાન સુરતથી 10 લાખથી વધુ લોકોને તેમના વતન ટ્રેન મારફતે મોકલવામાં આવ્યા. ક્યાંય કોઇ અનિચ્છનિય ઘટના કે ટોળાશાહી કે ગેરવ્યવસ્થા જોવા મળી નહીં. બીજી શહેરોનો ઉલ્લેખ કરતા ડો.ધવલ પટેલે કહ્યું કે ટ્રેનની જાણકારી મળતા જ ટોળેટોળા ઉમટી પડતા હતા, પણ સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સ અને અન્ય સંસ્થાઓની અદભૂત સહાયને પગલે સૌથી વધુ 450 કરતા વધુ ટ્રેનો બિલકુલ નિયમબદ્ધતા સાથે રવાના કરી શક્યા હતા.

તાપીના કિનારે કોઇ ભૂખ્યુ ન સૂઇ શકે

સુરતમાંથી પોતાના વિદાય સમારોહને સંબોધતા સુરતના પૂર્વ કલેક્ટર ડો.ધવલ પટેલે કહ્યું કે લૉકડાઉન દરમિયાન સુરતમાં કોઇ રાજ્ય નહીં કરી શકે તેટલી સંખ્યામાં લોકો માટે ફૂડપેકેટ તૈયાર કરીને તેનું વિતરણ કરાયું. આની પાછળ કદાચ સરકારી ખર્ચ અને મશીનરી 5થી 10 ટકા હશે, બાકી બધું સુરતના લોકોએ કર્યું, ઉચ્ચ સરકારી અધિકારીઓ, કેન્દ્ર સરકારના અધિકારીઓને માટે આ વાત માન્યામાં આવે તેવી ન હોવાનું જણાવતા ડો. ધવલ પટેલ સાહજિકતાથી એવું બોલી ઉઠ્યા કે તાપી કિનારે કોઇ ભૂખ્યું ન સૂઇ શકે. તેમના આ નિવેદનની સાથે જ ચેમ્બરના મિલેનિયમ હોલમાં ઉપસ્થિત સુરતી મહાજનોએ તાળીઓના ગડગડાટ સાથે પોતાને મળેલું વિશેષણ વધાવી લીધું હતું. સુરતના લોકો સહાયભૂત થવામાં બેમિસાલ હોય છે. એમ તેમણે કહ્યુ હતું.

July 5, 2021
cia_windo-1-1280x793.jpg
1min494

CA श्री आकाश प्रेमकुमार अग्रवाल ने MSME के बारे में विस्तृत जानकारी दी

सूरत मर्कनटाइल ऐसोसिएशन की आज दिनांक 04/07/2021 वार रविवार की साप्ताहिक व्यापारी समस्या समाधान मिटिंग का आयोजन बहुत ही शानदार रहा । दि. 4 जुलाई की बैठक में लगभग 185 कपडा व्यापारियों उपस्थित थे। विशेष उस मिटिंग को SMA की आर्थिक लीगल टीम के एडवाइजर CA श्री आकाश प्रेमकुमार अग्रवाल ने 30 मिनट का उदबोधन कर भारत सरकार द्वारा टेक्सटाइल व्यापारियों को MSME में शामिल किये जाने के बाद कपडा व्यापारियों को इस नियम से क्या क्या लाभ मिलेगा उसकी पुरी जानकारी उदाहरण सहित बहुत ही सरल भाषा में विस्तार पूर्वक वर्णन किया था।

CiA Live वैब पोर्टल में अपने न्युझ-इवेन्टस प्रकाशित करने के लिए संपर्क कर शक्ते है ::: 98253 44944

सभी व्यापारी भाईयों ने बहुत ही उत्साह से CA आकाश अग्रवाल की बातों को सुना एवम् समझा है ओर कई व्यापारियों ने अपनी जिज्ञासा से बहुत सारे प्रश्न किये जिनका सन्तोष पूर्वक जबाब भी CA साहब ने दिया।MSME में आने से कपडा व्यापारियों को अपने व्यापार मे काफी लाभ मिलेगा।

गौरव भसीनने आनलाईन कारोबार के बारे में विस्तृत जानकारी दी

इसके बाद कोर कमेटी के सदस्य श्री गौरव भसीन ने आज की कोरोना महामारी के बाद नयी परिस्थितियों में आनलाइन व्यापार की जरुरत पर तथा कैसे करना चाहिए सभी व्यापारी भाईयों को आनलाइन व्यापार की जानकारीया साझा की है।।

आज की परिस्थितियों में व्यापार में बदलाव की सख्त जरुरत है अतः हमें आफ लाइन व्यापार से आनलाइन व्यापार में अग्रसर होना चाहिए क्योंकि आफलाइन व्यापार की समय सीमा निश्चित है जबकि आनलाइन व्यापार 24×7×365 दिन चलता है।। आज की जरुरत आन लाइन व्यापार की है।।

आज समय सीमा कम होने के बाद भी लगभग 58 व्यापारियों ने अपनी अपनी समस्याएं दर्ज कराई है जिनमें से 5 समस्याओं का समाधान हाथो हाथ किया गया है तथा कुछ मामलें समय लेकर हल हो जायेंगे तथा कुछ मामलें कानुनी कार्यवाही के लिए लीगल टीम को ट्रांसफर कर दिया है।।

रविवार की सभा का संचालन श्री दुर्गेश टिबडेवाल जी ने किया तथा समस्याओं का विवरण श्री आत्माराम बाजारी जी ने दिया एवं समस्या समाधान SMA प्रमुख श्री नरेन्द्र साबू जी ने किया है।।
सूरत मर्कनटाइल ऐसोसिएशन समय समय पर व्यापारियों के हितार्थ समस्याओ को उठाते हैं तथा निस्वार्थ भाव से व्यापारी की सहायता करतें हैं यही SMA का लक्ष्य है।

विशेष सूचना
सूरत मर्कनटाइल ऐसोसिएशन अपने रजिस्टर्ड सदस्य व्यापारियों को MSME में रजिस्ट्रेशन के लिए SMA आर्थिक लीगल टीम के एडवाइजर CA श्री आकाश प्रेमकुमार अग्रवाल जी के सहयोग से मुफ्त बगैर किसी भी चार्ज के निस्वार्थ सेवा प्रदान करेंगे।।

July 3, 2021
diamond-worker-union.jpg
1min533

ડાયમંડ વર્કર યુનિયન આજે (3-7-21) કલેક્ટર અને લેબર કમિશનરને મધ્યસ્થી કરીને રત્નકલાકારોને પગાર વધારા બાબતે રજૂઆતો કરશે

કોરોના સમયે પગાર કાપ મૂકનાર હીરા ઉધોગપતિઓ હવે રત્નકલાકારોને પગાર વધારો આપે

ભાવનગરમાંથી ઉઠેલી રત્નકલાકારોના પગાર વધારાની ચળવળ સુરતમાં દેખાઇ

ભાવનગર ખાતે હીરા ઉદ્યોગમાં કાર્યરત રત્નકલાકારોએ કોરોના કાળમાં કપાત થયેલા પગારમાં હાલ પૂર્વવત સ્થિતિ અનુસાર પગાર વધારો કરવાની માગ સાથે આંદોલન ઉપાડ્યું છે અને આ આંદોલનના પ્રત્યાઘાત આજે સુરતના હીરા ઉદ્યોગમાં પણ જોવા મળ્યા હતા. સુરતની જાણીતી હીરા પેઢી મીરા જેમ્સના રત્નકલાકારોએ તા.2 જુલાઇને શુક્રવારે પગાર વધારાની માગણી સાથે રસ્તા પર ઉતરીને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. 

ડાયમંડ વર્કર યુનિયનના ભાવેશભાઇના જણાવ્યા અનુસાર છેલ્લા સવા વર્ષ દરમિયાન મંદી અને કોરોના પેન્ડેમિકના કારણે હીરા ઉદ્યોગપતિઓએ રત્નકલાકારોના પગારમાં કપાત કરી દીધી હતી. એ સમયે રત્નકલાકારોએ પરિસ્થિતિ સમજીને કપાત સ્વીકારી હતી કેમકે સમગ્ર દેશમાં સ્થિતિ સારી ન હતી. પરંતુ, હવે હીરાઉધોગમાં ભારે તેજીની સ્થિતિ છે અને આમ છતાં હીરા ઉદ્યોગકારો પોતાના રત્નકલાકારોને પગાર વધારો કરી આપતા નથી આથી આજે મીરા જેમ્સના રત્નકલાકારોએ પગાર વધારાની માગણી સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.

ડાયમંડ વર્કર યુનિયને જણાવ્યું કે મોંઘવારી દિનપ્રતિદિન વધી રહી છે ત્યારે હીરાઉધોગ ના રત્નકલાકારો નો પગાર વધવા ને બદલે ઘટી રહ્યો છે તે બાબતે સરકાર અને ઉધોગપતિઓ એ રત્નકલાકારો ની વેદના ને સમજવી જોઈએ અને તેજી નો લાભ રત્નકલાકારો ને પણ મળે એ માટે રત્નકલાકારો ના પગાર મા વધારો કરવો જોઈએ

ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત છેલ્લા ઘણા સમય થી રત્નકલાકારો ના પગાર વધારા બાબતે માંગણી કરી રહ્યું છેઆવતીકાલે તા.3 જુલાઇના રોજ સુરત જિલ્લા કલેકટર અને ડેપ્યુટી લેબર કમિશનર ને આવેદનપત્ર આપીને પગાર વધારા બાબતે રજુઆત કરવામાં આવશે. બન્ને અધિકારીઓને રત્નકલાકારોના પગારવ ધારા માટે મધ્યસ્થી કરવા માટે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા રજુઆત કરવામાં આવશે

July 3, 2021
SpiceJet-MAX2.jpg
1min423

કોરોના કાળમાં છેલ્લા પાંચેક મહિનાથી સ્પાઇશ જેટ એરવેઝએ સુરતના તમામ ઓપરેશન્સ બંધ કરી દીધા હતા સુરત એરપોર્ટને બખ્ખાં જુલાઇમાં સુરતથી 6 શહેરોની સ્પાઇશ જેટની ડાયરેક્ટ ફ્લાઇટ પોસ્ટ કોવીડ ઓપરેશન્સમાં સુરત-પટણાની પહેલી ફ્લાઇટ 16મી જુલાઇથી શરૂ, સુરત એરપોર્ટ ધમધમી ઉઠશે

કોરોના પેન્ડેમિકને કારણે એક સમયે દર પોણો કલાકે જ્યાં ફ્લાઇટની આવનજાવન રહેતી હતી એ સુરત એરપોર્ટ પર ફ્લાઇટની સંખ્યા બિલકુલ ઘટી ગઇ હતી. સ્પાઇશ જેટ દ્વારા તો સુરત એરપોર્ટ પર આવતી અને ઉપડતી તમામ ફ્લાઇટના ઓપરેશન્સ બંધ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ, હવે કોરોનાનું જોર ઘટતા સ્પાઇશ જેટ દ્વારા ચાલુ જુલાઇ મહિનામાં સુરત એરપોર્ટ પરથી 6 શહેરોની ડાયરેક્ટ કનેક્ટિંગ ફ્લાઇટ શરૂ કરવામાં આવી રહી છે. સૌથી પહેલી ફ્લાઇટ તા.16મી જુલાઇથી શરૂ થશે જે સુરતથી પટણા એરપોર્ટની છે. આ ફ્લાઇટ માટેના બુકિંગ પણ શરૂ થઇ ચૂક્યા છે.

સુરતને એર કનેક્ટિવીટી મળે તે માટે વી વોન્ટ વર્કિંગ એરપોર્ટ (ડબલ્યુ.ડબલ્યુ.ડબલ્યુ.એ.) ગ્રુપ અને મુવમેન્ટ ચલાવતા સંજય શાહે જણાવ્યું હતું કે સુરત એરપોર્ટ ફ્લાઇટની આવનજાવનથી બિઝી રહે એ દિવસો હવે દૂર નથી. કોરોનાના કારણે બંધ થયેલી ફ્લાઇટ્સ ઉપરાંત બે નવા શહેરોની એરકનેક્ટિવીટી પણ સુરતને મળી રહી છે. તેમણે કહ્યું કે સુરત એરપોર્ટથી સ્પાઇશ જેટ દ્વારા પોતાના ઓપરેશન્સ પોસ્ટ કોવીડ પરિસ્થિતિમાં ફરીથી શરૂ કરવામાં આવી રહ્યા છે.

સ્પાઇશ જેટ ચાલુ જુલાઇ મહિનામાં જે પાંચ શહેરોની ફ્લાઇટ શરૂ કરી રહ્યું છે તેમાં (1) સુરતથી પટણા, વીકમાં 4 દિવસ (2) સુરતથી જયપૂર ડેઇલી ફ્લાઇટ (3) સુરતથી હૈદરાબાદ, વીકમાં 4 દિવસ (4) સુરતથી પૂના વીકમાં 4 દિવસ અને (5) સુરતથી જબલપુર, વીકમાં 3 દિવસનું શિડ્યુલ બની રહ્યું છે અને આ તમામનું બુકિંગ પણ શરૂ થઇ જશે ગયું છે, એમ સંજય શાહે જણાવ્યું હતું.

પૂના અને જબલપુર સાથે પહેલી એક કનેક્ટિવીટી

વી વોન્ટ વર્કિંગ એરપોર્ટ મૂવમેન્ટના આગેવાન સંજય શાહે જણાવ્યું હતું કે સુરતથી પૂનાની ફ્લાઇટ માટે ઘણાં વર્ષોથી રજૂઆતો કરવામાં આવી રહી હતી. સુરત એરપોર્ટ ફુલફ્લેજ ધમધમવા માંડ્યું હતું, પરંતુ, કમનસીબે સુરતથી પૂનાની ફ્લાઇટ મળી શકી ન હતી. પરંતુ, આ વખતે જુલાઇ મહિનો સુરત એરપોર્ટ માટે અનેક ગુડ ન્યુઝ સાથે આવ્યો છે. સુરતથી પૂના અને સુરતથી જબલપુર બન્ને શહેરોની એરકનેક્ટિવીટી સુરત એરપોર્ટ પરથી પહેલી વાર મળી રહી છે. સુરતથી પૂના સુરતના ખાસ્સા લોકોની અવરજવર રહે છે, સુરત અને પૂના વચ્ચે અનેક વ્યાપાર-ધંધાનું પણ જોડાણ છે તેમજ સુરતથી પૂના અનેક વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરી રહ્યા છે. હજારો સુરતીઓ પૂના અને આસપાસ નોકરી પણ કરી રહ્યા હોઇ, આ ફ્લાઇટ માટે વર્ષોથી ડિમાંડ કરવામાં આવી રહી હતી.

ટેક્ષટાઇલ ઉદ્યોગપતિઓને જયપૂર ફ્લાઇટની રાહ

સુરતના ટેક્ષટાઇલ ઉધોગપતિઓ સમેત અન્ય ઉદ્યોગો સાથે સંકળાયેલા હજારો લોકો જયપૂરથી સુરત આવીને વસ્યા છે. સુરતને કર્મભૂમિ બનાવનારા હજારો લોકો સુરત જયપૂરની ડેઇલી ફ્લાઇટ માટે વખતોવખત રજૂઆતો પણ કરતા આવ્યા છે. કોરોનાના કારણે સુરત જયપુર ફ્લાઇટ સદંતર બંધ રહેતા અનેક પરિવારોએ ટ્રેન કે રોડ ટ્રાન્સપોર્ટનો સહારો લેવો પડતો હતો. પરંતુ, હવે સ્પાઇશ જેટ દ્વારા સુરત જયપુર ફ્લાઇટ ડેઇલી બેઝીસ પર શરૂ કરવામાં આવી રહી હોઇ, સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગકારો તેમજ રાજસ્થાનથી અહીં આવીને વસેલા લોકોમાં ખુશાલી પ્રસરી ગઇ છે.

July 2, 2021
cia_windo-1280x793.jpg
2min1093

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે હાલ ચાલી રહેલી ધો.11ની પ્રવેશ કાર્યવાહી અન્વયે શાળાના આચાર્યોને માર્ગદર્શન આપવા માટે દેશભરમાં આવેલા વેલીડ માધ્યમિક શિક્ષણ બોર્ડ (સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ)ની યાદી જાહેર કરી છે. અગાઉ 62 બોર્ડ ભારતમાં વેલીડ એટલેકે માન્યતા પ્રાપ્ત હતા હવે માન્ય માધ્યમિક શિક્ષણ બોર્ડની સંખ્યા 65ની થઇ છે. જેની નામાવલી અત્રે પ્રસ્તુત છે આ સિવાય બાકીના તમામ બોર્ડ બોગસ ગણાશે અને તેમાંથી ધો.10 પાસ કર્યાની માર્કશીટ રજૂ કરનારને કોઇ શાળા કે ડિપ્લોમા કોલેજમાં પ્રવેશ મળી શકશે નહીં.

ભારતમાં વેલીડ (માન્ય) માધ્યમિક શિક્ષણ બોર્ડની નામાવલી

વિદેશમાં ધો.10 સુધી અભ્યાસ કર્યા બાદ ગુજરાતમાં પ્રવેશ લેવો હોય તો

વિદેશમાં ધો.10 સુધી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ જે વિદ્યાર્થીઓએ ધો.11માં ગુજરાતમાં પ્રવેશ મેળવવો હોય તેમણે ઇકવેલન્સી સર્ટિફિકેટ લેવું પડશે. આ માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અગર તો ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ સ્ટુડન્ટ હેલ્પ સેન્ટર પર સંપર્ક કરવાનો રહે છે.

July 2, 2021
eurocup.jpg
2min639

યૂરો કપના નોકઆઉટ રાઉન્ડ ભારે ઉતાર-ચડવા સાથે સમાપ્ત થયા બાદ હવે તા. બીજી જુલાઈથી 8 ટીમ વચ્ચે ક્વાર્ટર ફાઇનલની ટક્કરનો પ્રારંભ થશે.

UEFA EURO 2020 FIXTURES

QUARTER-FINALS

Friday, 2 July

QF1: Switzerland vs Spain — 9:30 PM IST, St Petersburg

Saturday, 3 July

QF2: Belgium vs Italy — 12:30 AM IST, Munich
QF3: Czech Republic vs Denmark — 9:30 PM IST, Baku

Sunday, 4 July

QF4: Ukraine vs England — 12:30 AM IST, Rome

Euro Cup 2020: Quarterfinal fixtures, schedule and live streams

ક્વાર્ટર ફાઇનલના મેચ સેમિ ફાઇનલની ચાર ટીમ નક્કી કરશે. નોકઆઉટ રાઉન્ડમાં વર્તમાન ચેમ્પિયન રોનાલ્ડોની ટીમ પોર્ટૂગલ, ફીફા વર્લ્ડ ચેમ્પિયન ફ્રાંસ, વર્લ્ડ કપની રનર્સઅપ ટીમ ક્રોએશિયા અને મજબૂત જર્મનની ટીમ બહાર થઈ ગઈ છે.

તો ડેનમાર્ક, ઓસ્ટ્રિયા, ઝેક ગણરાજ્ય અને ઉક્રેનની ટીમ ઉલટફેર કરીને અંતિમ આઠમાં પહોંચી છે.’

July 1, 2021
pm_modi1.jpg
1min1189

Jayesh Brahmbhatt 98253 44944

ઐતિહાસિક મૂલ્યો ધરાવતું સુરત જિલ્લામાં આવેલું હરીપુરા ગામ આજે ટ્વીટર પર ભારે ટ્રેન્ડ થયું હતું. આજે સવારે ભારતમાં અફઘાનિસ્તાનના રાજદૂત ફરીદ મામુન્દઝઇએ સુરત જિલ્લાના હરીપુરા ગામના ઉલ્લેખ સાથે ટ્વીટ કર્યું તે તેના રિપ્લાયમાં બપોરે વડાપ્રધાન શ્રી મોદીએ પણ હરીપુરા ગામના નામનો ઉલ્લેખ કરીને તેની ઐતિહાસિક મહત્વતા અંગે ટ્વીટ કર્યું હતું. સુરત જિલ્લાના હરીપુરા ગામ અંગે પી.એમ. મોદીએ ટ્વીટ કર્યાના 15 મિનિટમાં જ 575થી વધુ લોકોએ તેને રીટ્વીટ તથા દોઢ હજારથી વધુ લોકોએ લાઇક કર્યું હતું.

ભારતમાં અફઘાનિસ્તાનના રાજદૂત ફરીદ મામૂન્દઝઇએ આજે કરેલા એક ટ્વીટમાં સુરત જિલ્લાના હરીપુરા ગામનું નામ લખતા સમગ્ર ભારતમાં આ ટ્વીટ વાઇરલ થઇ હતી.

અફઘાનિસ્તાનના રાજદૂત ફરીદ મામુન્દઝઇએ આજે સવારે એક ટ્વીટ કરીને એક તબીબને સવાલ કર્યો હતો કે તમે ગુજરાતના સુરતના હરીપુરા ગામનો ઉલ્લેખ કરો છો?

PM મોદી પણ ટ્વીટર રિપ્લાયમાં જોડાયા

વડાપ્રધાન શ્રી મોદીએ આજરોજ તા.1 જુલાઇ 2021ના રોજ બપોરે કરેલા એક ટ્વીટમાં સુરત જિલ્લામાં આવેલા હરીપુરા ગામનો ઉલ્લેખ કરતા લખ્યું હતું કે ગુજરાતમાં આવેલું હરીપુરા ગામ પણ ઐતિહાસિક મૂલ્ય ધરાવે છે. વાસ્તવમાં પી.એમ. શ્રી મોદીએ અફઘાનિસ્તાનના ભારતમાં રાજદૂત ફરીદ મામૂન્દઝઇની એક ટ્વીટના રિપ્લાયમાં સુરત જિલ્લાના હરીપુરા ગામનો ઉલ્લેખ કર્યો હતો.

શું છે હરીપુરા ગામની હિસ્ટ્રી

આપને જણાવી દઇએ કે સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં કડોદ નજીક આવેલુ હરીપુરા ગામ ઐતિહાસિક મૂલ્યો ધરાવે છે, અહીં 1938માં નેતાજી સુભાષચંદ્ર બોઝના નેતૃત્વમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું ચાર દિવસિય અધિવેશન મળ્યું હતું જેમાં આઝાદીની લડત અંગેના અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા. આ અધિવેશન માટે હરીપુરા ગામની પસંદગી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલે કરી હતી.

July 1, 2021
CIA_Live_Logo_New2.jpg
1min529

आज सूरत मर्कनटाइल ऐसोसिएशन के एक प्रतिनिधिमंडल में SMA प्रमुख श्री नरेन्द्र साबू जी तथा SMA कोर कमेटी के संजय अग्रवाल तथा SMA वर्किंग कमेटी के कमलेश जी बलार, सुनील जी गुप्ता,अरविंद जैन तथा केवल जी असीजा के साथ सूरत महानगर के नव नियुक्त कलेक्टर महोदय श्री संजय जी ओक से शुभेच्छा मुलाकात की है।।

उपरोक्त मुलाकात के दौरान केलैक्टर महोदय से मार्केट विस्तार में अशान्त धारा का नियम के बाबत चर्चा हुई है तथा उन्होंने हमारी पुरी बात को समझा है तथा उन्होंने सहमति जताई कि मार्केट विस्तार में अशान्त धारा का नियम लागू करना उचित नहीं है तथा इस समस्या पर गम्भीरता से विचार करने का आश्वासन दिया है।।

दुसरे सूरत मर्कनटाइल ऐसोसिएशन sma प्रतिनिधि मण्डल ने मार्केट विस्तार में वैक्सीनेशन की प्रक्रिया को तेज गति से चलाने तथा समय सीमा 31 जुलाई तक करनें के लिए निवेदन किया है।। इस सन्दर्भ में भी केलैक्टर महोदय जी ने पूर्ण विश्वास दिलाया है कि मार्केट विस्तार में वैक्सीनेशन को लेकर किसी भी व्यापारी या कर्मचारी को किसी भी प्रकार की तकलीफ नहि आयेंगी तथा वैक्सीनेशन की गति भी बढाई जायेंगी।।

केलैक्टरने बहुत आत्मीयता से हमारी सबकी बातें सुनी तथा समस्या समाधान हेतू सहयोग का आश्वासन दिया है।।आपके मृदु व्यवहार के लिए सुरत मर्कनटाइल ऐसोसिएशन तथा सभी कपडा व्यापारी ह्रदय से आभार व्यक्त करते हैं।