કોરોનાની બીજી લહેરને પગલે રાજ્યનાં યાત્રાધામ, મોટાં મંદિરો દર્શાનાર્થીઓ માટે બંધ રખાયાં હતાં જે હવે ભક્તો માટે ખૂલશે. સોમનાથ મહાદેવ મંદિર ૬૧ દિવસ બંધ રહ્યા બાદ ૧૧મી જૂનથી ભાવિકો દર્શન કરે એ રીતે શરૂ કરવામાં આવ્યા છે. વિશ્વપ્રસિદ્ધ દ્વારકા મંદિર પણ આજે તા.૧૧મીની વહેલી સવારથી ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવતા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. બીજી તરફ અંબાજી મંદિર ૫૭ દિવસ બાદ ૧૨ જૂનથી દર્શનાર્થીઓ માટે મૂકવામાં આવ્યું છે.
માતાજીનાં દર્શન કરવા આવનારા શ્રદ્ધાળુઓને ગર્ભગૃહ સામે ઊભા રહેવા નહિ દેવાય, તેના બદલે ચાલતાં ચાલતાં જ દર્શન કરવાં પડશે.
ડાકોરનું રણછોડરાય મંદિર, ચોટીલાનું ચામંડુા માતાજીનું મંદિર અને પાવાગઢ મંદિર ૧૧મી જૂનથી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
કચ્છનું માતાના મઢનું આશાપુરા માતાજીનું મંદિર ૧૧થી ભક્તોના દર્શન માટે શરૂ કરાયું છે. ભાવનગરના ખોડિયાર મંદિર ૧૧મીથી ખૂલ્યું છે તેમજ બગદાણાનું બજરંગદાસ બાપાનું મંદિર ૧૫મી પછી ખૂલશે. વડતાલનું સ્વામિનારાયણ મંદિર અને નડિયાદનું સંતરામપુર મંદિર ૧૧મીથી ભક્તો માટે શરૂ કરવામાં આવ્યું છે.
મુંબઈમાં બુધવારે મોડી રાત્રે એક કરૂણ દુર્ઘટના ઘટી છે. ચાર માળની એક બિલ્ડિંગ ધરાશાયી થતા નવ લોકોના મોત થયા છે. બૃહમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશ (બીએમસી)ના જણાવ્યા મુજબ મુંબઈના મલાડ (વેસ્ટ)માં માલવણી વિસ્તારમાં એક રહેણાંક ઈમારત ધરાશાયી થતા 11 લોકોના મોત થયા છે અને આઠથી વધુ લોકો ઘાયલ થયા છે. સ્થાનિકો તેમજ ફાયરની ટીમ દ્વારા રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલુ છે.
આ બિલ્ડિંગ તેની બાજુમાં નિર્માણાધીન બિલ્ડિંગ ઉપર પડતા તેને પણ અસર થઈ હતી. ધારાશાયી થયેલી બિલ્ડિંગમાં રહેતા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. હજુ પણ સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. ઈજાગ્રસ્તોને બીડીબીએ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. મુંબઈના ઝોન 11ના પોલીસ કમિશનર વિશાલ ઠાકુરના જણાવ્યા મુજબ મહિલાઓ અને બાળકો સહિત 15 લોકોને બચાવી લેવાયા છે અને તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. કાટમાળ નીચે હજુ પણ કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે. લોકોને બચાવવા ટીમ તૈનાત છે.
આ બિલ્ડિંગ તેની બાજુમાં નિર્માણાધીન બિલ્ડિંગ ઉપર પડતા તેને પણ અસર થઈ હતી. ધારાશાયી થયેલી બિલ્ડિંગમાં રહેતા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. હજુ પણ સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. ઈજાગ્રસ્તોને બીડીબીએ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. મુંબઈના ઝોન 11ના પોલીસ કમિશનર વિશાલ ઠાકુરના જણાવ્યા મુજબ મહિલાઓ અને બાળકો સહિત 15 લોકોને બચાવી લેવાયા છે અને તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. કાટમાળ નીચે હજુ પણ કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે. લોકોને બચાવવા ટીમ તૈનાત છે.
મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં ભાર વરસાદ ખાબક્યો છે. જેને પગલે કેટલીક ઈમારતો પ્રભાવિત થઈ છે. મહારાષ્ટ્રના મંત્રી અસલમ શેખે જણાવ્યું કે રાહત અને બચાવ કામગીરી શરૂ છે અને ઈજાગ્રસ્તોને ઝડપથી સારવાર મળે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
એક સ્થાનિકે આ દુર્ઘટના અંગે જણાવ્યું હતું કે, રાત્રે 11 વાગ્યા આસપાસ ઈમારત ધરાશાયી થઈ હતી. બે લોકોએ આ બિલ્ડિંગ ખાલી કરવા જણાવ્યું હતું ત્યારબાદ હું બહાર આવી ગયો હતો. દુર્ઘટના વખતે બિલ્ડિંગમાં 20થી વધુ લોકો હાજર હતા અને કેટલાક બહાર નિકળવામાં સફળ રહ્યા હતા.
મધ્ય અમેરિકી ક્ષેત્રના દેશ અલ સાલ્વાડોરના પ્રેસિડેન્ટ નયી બુકેલેએ આજરોજ તા.9મી જૂન 2021ના રોજ એવી ઘોષણા કરીને સમગ્ર વિશ્વને આશ્ચર્યચકિત કરી દીધા હતા કે વિશ્વમાં ક્રિપ્ટોકરન્સી બીટકોઇનને સત્તાવાર ચલણ તરીકે માન્યતા આપનાર સૌપ્રથમ દેશ બન્યો છે અલસાલ્વાડોર. અલસાલ્વાડોરની સંસદમાં બીટ કોઇનને સત્તાવાર માન્યતા આપવાની દરખાસ્ત પર આજરોજ તા.9મી જૂન 2021ના રોજ વોટિંગ થયું હતું અને તેમાં દરખાસ્તને 84માંથી 62 વોટ તરફેણમાં મળ્યા હતા. પરીણામે હવે અલ સાલ્વાડોરમાં બીટકોઇન સત્તાવાર ચલણ તરીકે કામ કરતું થઇ જશે.
1 Bitcoin = 25,11,049.44 Indian Rupee
Lawmakers in the Central American country’s Congress voted by a “supermajority” in favor of the Bitcoin Law, receiving 62 out of 84 of the legislature’s vote. CiA Live news web
અલ સાલ્વાડોરના પ્રેસિડેન્ટએ આ ટ્વીટ કરીને માહિતી આપી
The #BitcoinLaw has been approved by a supermajority in the Salvadoran Congress.
ધો.10 અને 12 બોર્ડની પરીક્ષા અને એવરેજ પરીણામ લાવતા હજારો વિદ્યાર્થીઓ એવી માગણી કરી રહ્યા છે કે અમને માસ પ્રમોશન કે ધો.12ના ઇન્ટર્નલ માર્કર્સના આધારે પરીણામ નથી જોઇતું, વિદ્યાર્થીઓ વાર્ષિક પરીક્ષા આપીને વધુ માર્કર્સ લાવી શકાશે એવી દલીલ કરી રહ્યા છે. હકીકતમાં આ એવા વિદ્યાર્થીઓ છે જેમણે શાળાકીય શિક્ષણ ધો.11-12માં કશું ધ્યાન કેન્દ્રીત કર્યું ન હતું અને પરીક્ષા આવે ત્યારે જોઇ લઇશું એવા ઓવર કોન્ફીડન્સમાં આવા હજારો વિદ્યાર્થીઓએ હવે નબળા પરીણામનો સામનો કરવાનો વખત આવ્યો છે.
The online survey, led by the study abroad platform The WorldGrad, was conducted among more than 4,000 users who registered on the platform in the last two months. It showed that 60 per cent of the students do not think that it is a good idea to use pre-boards and internal school marks to calculate their Calss XII results.
ક્રિશ નામનો વિદ્યાર્થી સુરતમાં રહે છે, સીબીએસઇની સ્કુલમાં અભ્યાસ કરે છે, આ વિદ્યાર્થી કહે છે કે મારે ધો.12નું ઇન્ટર્નલ એસેસમેન્ટના આધારે તૈયાર થનારું પરીણામ નથી જોઇતું. હુ જો એન્યુઅલ બોર્ડ પરીક્ષા આપીશ તો વધારે માર્કર્સ લાવી શકું. આ વિદ્યાર્થીને જ્યારે પૂછ્યું કે તમે આંતરિક મૂલ્યાંકનના માર્કર્સથી કેમ સંતુષ્ઠ નથી ત્યારે તેણે કહ્યું કે ઇન્ટર્નલ માર્કર્સ વખતે સ્કુલમાં ધ્યાન આપ્યું જ ન હતું. ધો.10માં પણ એવું જ કર્યું હતું કે છેલ્લા બે મહિના તૈયારી કરીને 80 પ્લસ લાવી શક્યો હતો. આ વર્ષે મારી પરીક્ષા આપવાની પૂરી તૈયારી છે પણ હવે માસ પ્રમોશન અને આંતરિક મૂલ્યાંકનને કારણે મારા માર્કર્સ ઓછા આવશે એમ ક્રિશે જણાવ્યું.
કેટલાક વિદ્યાર્થીઓની એવી પણ દલીલ છે કે ઓનલાઇન સિસ્ટમથી સ્કુલો જ સેટ ન હત
આંતરિક મૂલ્યાંકનથી રિઝલ્ટ આપવાનો વિરોધ કરી રહેલા કેટલાક વિદ્યાર્થીઓ તથા વાલીઓની એ દલીલ પણ વ્યાજબી છે કે શહેરોની કેટલીક સ્કુલોને બાદ કરતા શહેરમાં આવેલી અન્ય સ્કુલો, ગ્રામીણ વિસ્તારોમાં આવેલી સ્કુલોમાં આખું વર્ષ ઓનલાઇન શિક્ષણના નામે કે ઓનલાઇન ટેસ્ટના નામે કશું થયું નથી, જો સ્કુલો જ સિસ્ટમથી સેટ ન થઇ હોય તો વિદ્યાર્થીઓનો શું વાંક
વાલીઓ અને વિદ્યાર્થીઓ આમાંથી બોધપાઠ લે
હાલમાં હજારો વિદ્યાર્થીઓ એવા છે જેઓ ધો.11-12ના શાળાકીય શિક્ષણની જાણી જોઇને અવગણના થાય તેવા નિર્ણયો લે છે. આવા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં એવી ગેરમાન્યતા પ્રવર્તે છે કે બોર્ડના વર્ષમાં આંતરિક મૂલ્યાંકન કે આંતરિક પરીક્ષાઓ નહીં આપીશું તો સ્કુલ શું કરી લેશે, સ્કુલના અભ્યાસ પર ધ્યાન નહીં આપીશું તો શાળા કશું બગાડી શકવાની નથી. આવી ગેરમાન્યતાઓને કારણે આ વખતે હજારો વિદ્યાર્થીઓને પોતાનું ધો.12નું પરીણામ ગમતું નથી. હવે પછીના ધો.11-12ના વાલીઓ વિદ્યાર્થીઓ એ વાતનો બોધપાઠ લે અને નીચે મુજબનું કામ કરવાથી દૂર રહે.
પ્રવેશ પરીક્ષાઓ જેટલું જ જરૂરી શાળાકીય શિક્ષણ પણ છે
આઇ.આઇ.ટી., એન.આઇ.ટી.માં એડમિશનનું સપનું જ્યારે જુઓ ત્યારે એ વાસ્તવિક રીતે શક્ય છે કે નહીં તેની ચકાસણી કરો, ગુજરાત બોર્ડ, ગુજરાતમાંથી કેટલા વિદ્યાર્થીઓ જેઇઇની પરીક્ષા આપે છે અને કેટલા વિદ્યાર્થીઓને દર વર્ષે પ્રવેશ મળે છે એની વિગતો જાણો એટલે બધો ખ્યાલ આવી જશે, પછી નક્કી કરો કે જેઇઇ આપણા માટે જરૂરી છે કે નહીં
ઘણાને ધો.12ની માર્કશીટ જોવાની નહીં ગમે અને એને સુધારી પણ નહીં શકે
ધો.12ની માર્કશીટ એ શૈક્ષણિક કારકિર્દી માટેનો પહેલો પડાવ છે. હવે આ વર્ષે બોર્ડની એકઝામ થવાની નથી એટલે આંતરીક મૂલ્યાંકનના આધારે માર્કર્સ મૂકાશે. જીવનભર માટે ધો.12ની માર્કશીટ એ સંભારણું બની રહેતી હોય છે. પરંતુ, હવે હજારો વિદ્યાર્થીઓ એવા છે જેઓ આંતરિક મૂલ્યાંકનનો વિરોધ કરી રહ્યા છે. કેમકે તેમને ધો.12ની પોતાની જ માર્કશીટ નહીં ગમે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો.કિશોરસિંહ ચાવડાએ ધો.12ના વિદ્યાર્થીઓ તથા વાલીઓને રાહત થાય એવી એક અગત્યની જાહેરાત કરતા જણાવ્યું છે કે ધો.12 પછી વીર નર્મદ યુનિવર્સિટી સંલગ્ન કોઇપણ અભ્યાસક્રમમાં પ્રવેશ કાર્યવાહી તા.21મી જૂન પછી શરૂ થશે. હાલ કોઇપણ પ્રકારની પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.
કેટલીક પ્રાઇવેટ યુનિવર્સિટીઓએ શરૂ કરેલી પ્રવેશ કાર્યવાહીને કારણે ધો.12ના વાલીઓ વિદ્યાર્થીઓમાં પ્રર્વતેલી ગેરસમજ અંગે સ્પષ્ટતા કરતા વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ ડો.કિશોરસિંહ ચાવડા
વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ ડો. ચાવડાએ કહ્યું કે વિદ્યાર્થીઓ અને વાલીઓ ખોટી અફવાથી ગેરમાર્ગે દોરાય નહીં. વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા પ્રવેશ કાર્યવાહી માટે હાલ સિસ્ટમ ગોઠવવામાં આવી રહી છે. હજુ ધો.12ના પરીણામ અંગે કોઇ ક્લેરિટી નથી. આથી તા.21 જૂન 2021 પછી પ્રવેશ કાર્યવાહી અંગે જાહેરાત કરીને ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ કરવા અંગે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને શુલભ હોય તેવા તમામ માધ્યમથી માહિતગાર કરવામાં આવશે. કોઇ વિદ્યાર્થી પ્રવેશ માટે રજિસ્ટ્રેશન વગર રહી નહીં જાય.
હાલમાં કોઇપણ પ્રકારની પ્રવેશ કાર્યવાહી વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા શરૂ કરવામાં આવી નથી.
તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓએ વીર નર્મદ યુનિવર્સિટીની વેબસાઇટ જોતા રહેવું.
2021ના વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાય, ધાર્મિક રીતે પાળવાનું નથી: કોરોનામાં રાહત મળશે
સૂર્યપુત્ર શનીની જન્મજયંતિ આપણે દર વરસે વૈશાખની અમાસના દિવસે ઉજવાય છે. આ વરસે શનિ જયંતિ વૈશાખ વદ અમાસ ગુરુવાર 10મી જૂને છે. દાયકાઓ બાદ આ વરસે આ દિવસે સૂર્યગ્રહણ હોવાથી સૂર્યગ્રહણ અને શનીજયંતિનો સંયોગ ઉભો થાય છે. શની સૂર્ય પુત્ર હોવાથી પુત્રના જન્મના દિવસે જ પિતા પર ગ્રહણની કાળી છાયા આવવાથી આવનારા દિવસોમાં કુદરતી આફતો, વાવાઝોડું, પૂર પ્રકોપ, ભૂકંપ, આગ લાગવી જેવા બનાવો બનશે. રાજકારણમાં ભારે ઉથલ પાથલ, અર્થતંત્રમાં તેજી લાવનારું તેમજ કોરોના જેવી મહામારીમાં રાહત આપશે.
મૃગશીર્ષ નક્ષત્ર અને વૃષભ રાશિમાં થનારું આ ગ્રહણ ભારતમાં દેખવાનું નહીં હોવાથી તેને ધાર્મિક રીતે પાળવાનું નથી તેમજ સૂતક લાગશે નહીં. ગ્રહણ એ ખગોળીય ઘટના છે.
સૂર્યગ્રહણમાં જ્યારે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવે ત્યારે સૂર્યગ્રહણ થાય જ્યારે સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. સૂર્યગ્રહણ અમાસના રોજ અને ચંદ્રગ્રહણ પૂનમના દિવસે થાય છે. સૂર્યગ્રહણ ત્રણ પ્રકારના જોવા મળે છે. જેમાં પૂર્ણ સૂર્યગ્રહણ કે ખગ્રાસ સૂર્યગ્રહણ, બીજું ખંડગ્રાસ સૂર્યગ્રહણ અને ત્રીજા પ્રકારમાં કંકણાકૃતિ સુર્યગ્રહણ ચંદ્રએ પૃથ્વી અને સૂર્ય દૂર હોવાથી તેનો પડછાયો પૃથ્વી પર પડતો નહીં હોવાથી પણ ચંદ્ર સૂર્યની અને પૃથ્વીની લાઇનમાં આવી જતા સૂર્યનો વચ્ચેનો ભાગ ઢંકાઈ જતો હોવાથી સૂર્ય કંગન અથવા કંકણાકૃતિ જેવો દેખાય છે.
ચંદ્ર કે સૂર્યગ્રહણ જાતકની જન્મરાશિથી 1લે, 4થે, આઠમે અને બારમી રાશિમાં થાય ત્યારે તે અશુભ થાય છે. આ સુર્યગ્રહણ વૃષભ, મિથુન, તુલા અને કુંભ રાશિ માટે અશુભ ફળ આપનારું રહેશે જ્યારે કર્ક, સિંહ, ધન અને મીન રાશિના જાતકો માટે શુભ ફળ આપશે.
વર્ષો પછી શની પોતાની સ્વરાશિ મકર રાશિમાં ભ્રમણ કરે છે અને ઉચ્ચનો ચંદ્ર, નીચનો મંગળનો યોગ થયો છે.
શની એ કર્મ અને ન્યાયના દેવતા હોવાથી શનીની પનોતીના જાતકો ધન, મકર, કુંભ, મિથુન, તુલા, વૃષભ રાશિના જાતકોએ શનીદેવને તેલ, કાળા અડદ, શમીના પુષ્પોથી પૂજન કરી ઓમ શં શનૈશ્વરાયના મંત્રનો જાપ કરવો. શિવપૂજા અને હનુમાનજીની પૂજા કરવાથી શનીની પીડામાંથી મુક્તિ મળે છે.
દાન, જપ, તપ અને સ્નાન કરવાથી અશુભ ફળમાંથી મુક્તિ મળે છે. ગ્રહણની પીડામાંથી બચવા માટે ઘઉં, ત્રાંબુ, ચોખાનું સુપાત્રને દાન કરવું. રાશિવાર ફળ જોઈએ તો,
મેષ રાશિના જાતકોને બીજા સ્થાનમાં થનારું ગ્રહણ અપયશ અને નુકસાન આપે.
વૃષભ રાશિના જાતકોને પ્રથમ સ્થાનમાં થનારું ગ્રહણ આરોગ્ય, આર્થિક ક્ષેત્રે નોકરી ધંધા માટે અશુભ રહેશે.
ધો.12 સાયન્સ પછી વિદ્યાર્થીઓ માટે સારી કોલેજ કે સારા કોર્સમાં પ્રવેશ લેવો એટલે લોઢાના ચણા ચાવવા બરાબર બની રહેતું હોય છે. એટલી બધી એન્ટ્રન્સ એકઝામ, ઇન્ટરવ્યુ, એપ્ટીટ્યુડ ટેસ્ટમાંથી પાર કર્યા પછી સારું કેમ્પસ મળે છે. વિદ્યાર્થીઓ લિટરલી થાકી જતા હોય છે. પરંતુ, હવે હાયર એજ્યુકેશનમાં નવો યુગ શરૂ થયો છે.
ધો.10 પછી સળંગ 6 વર્ષના બી.ટેક. અભ્યાસક્રમમાં 3 વર્ષે ડિપ્લોમા એન્જિનિયરિંગનું સર્ટિફિકેટ અને 6 વર્ષે બેચલર ઓફ ટેક્નોલોજીનું સર્ટિફિકેટ મળશે.
2021થી ધો.10 પછી સીધા જ બી.ટેક. ઇન્ટીગ્રેટેડ અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે. મુંબઇની પ્રખ્યાત નરસી મોનજી ઇન્સ્ટીટ્યુટ NMIMS યુનિવર્સિટી તેમજ પૂની પ્રસિદ્ધ એમ.આઇ.ટી. વર્લ્ડ પીસ યુનિવર્સિટી દ્વારા દ્વારા ધો.10 પાસ વિદ્યાર્થીઓ માટે બેચલર ઓફ ટેક્નોલોજીના ઇન્ટીગ્રેટેડ અભ્યાસક્રમ મુંબઇ કેમ્પસ ખાતે શરૂ કરવામાં આવ્યા છે. આ કોર્સમાં ધો.10 પછી સળંગ 6 વર્ષ અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે.
મુંબઇ સ્થિત NMIMS યુનિવર્સિટી ખાતે ચાલતા ધો.10 પછી 6 વર્ષ બી.ટેક. કોર્સની વિગતો
B.Tech Integrated (6 year program after 10th std) Specializations: Mechanical, Computer, Electronics & Telecommunication Artificial Intelligence, Cyber Security, Automation & Artificial Intelligence, Design, Internet of Things(IoT), Network Security
પૂને સ્થિત MIT વર્લ્ડ પીસ યુનિવર્સિટી ખાતે ચાલતા ધો.10 પછી 6 વર્ષ બી.ટેક. કોર્સની વિગતો
સૌથી મોટો ફાયદો પ્રવેશ પરીક્ષાના માનસિક, શારીરીક, આર્થિક બોજથી છુટકારો
વિદ્યાર્થીઓ માટે સૌથી મોટો ફાયદો એ છે કે ધો.12 સાયન્સ પછી સારી કોલેજ કે સારા કોર્સમાં પ્રવેશ માટે ધો.11-12 બે વર્ષ સુધી જુદી જુદી પ્રવેશ પરીક્ષાઓની તૈયારી કરવી પડે છે. પર્સનલ ઇન્ટરવ્યુ, ગ્રુપ ડિસ્કશન, એપ્ટીટ્યુડ ટેસ્ટ, કોલેજ વિઝીટ વગેરેથી વિદ્યાર્થીઓ કંટાળી જતા હોય છે. બીજી તરફ ધો.11-12માં સ્કુલ ફી ઉપરાંત કોચિંગ ક્લાસીસની ફી વિદ્યાર્થીઓના વાલીઓ પર વધુ ભારણ નાખે છે. આ તમામ ઉપદ્રવોમાંથી ધો.10 પછીના 6 વર્ષના બી.ટેક. પ્રોગ્રામ્સ છુટકારો અપાવે છે. હાલમાં ભારતની બે ડીમ્ડ પ્રાઇવેટ ટોપ રેન્ક્ડ યુનિવર્સિટીઓ મુંબઇની NMIMS યુનિવર્સિટી તેમજ પૂનાની પૂને સ્થિત MIT વર્લ્ડ પીસ યુનિવર્સિટી ખાતે ધો.10 પછી 6 વર્ષની ઇન્ટીગ્રેટેડ પ્રોગ્રામ્સ શરૂ થયા છે. હવે પછી ગુજરાતની યુનિવર્સિટીઓ પણ આ અભ્યાસક્રમો શરૂ કરશે એમાં બે મત નથી.
દેશની અત્યાર સુધીની સૌથી સસ્તી કોરોનારસી’ લોન્ચ થનારી છે. ભારતની કંપની બાયોલોજિકલ-ઈએ ‘કોરબેવેક્સ’ નામની આ રસીને તૈયાર કરી છે. હાલમાં જોકે આ રસીના ત્રીજા ચરણનું ટ્રાયલ ચાલી રહ્યું છે. જાણવા મળ્યા પ્રમાણે આ રસીના બંને ડોઝની કિંમત 500 રૂા.ની આસપાસ રહેશે. ટ્રાયલના અંતિમ પરિણામ આવી જાય એ પછી ઈમરજન્સી એપ્રૂવલ માટે અરજી કરવામાં આવશે. હૈદરાબાદના આ કંપનીની સાથે કેન્દ્ર સરકારે 30 કરોડ રસીના ડોઝનો સોદો કર્યો છે.
રસીની કિંમતને લઈને હાલમાં કોઈ નિર્ણય લેવાયો નથી જોકે એક અંગ્રેજી અખબાર અનુસાર બંને ડોઝની કિંમત 400 રૂપિયાથી પણ ઓછી હોઈ શકે છે. હજુ સુધી આ રસીની ટ્રાયલના બે ચરણ પૂરાં થયાં છે અને બંનેના સારાં પરિણામ આવ્યાં છે. હાલમાં ત્રીજા તબક્કાની ટ્રાયલ ચાલી રહી છે.આ વર્ષે એપ્રિલમાં હૈદરાબાદની આ કંપનીને સેન્ટ્રલ ડ્રગ્સ એન્ડ સ્ટેન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (સીડીએસસીઓ)એ ત્રીજા ચરણના ટ્રાયલ માટે અનુમતિ આપી’ હતી. આ રસીને અમેરિકાની બાયલર કોલેજ ઓફ મેડિસીનના સહયોગથી વિકસિત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત બાયોલોજિકલ-ઈએ ભારતમાં એક એમઆરએનએ (મેસેંજર રાઈબોન્યૂક્લિક એસિડ) રસી પીટીએક્સ-કોવિડ-19-બીના નિર્માણ માટે કેનેડા સ્થિત પ્રોવિડેન્સ થૈરેપ્યૂટિક્સ હોલ્ડિંગ્સ સાથે પણ ભાગીદારી કરી છે.
દેશમાં હાલમાં ત્રણ રસી લગાવાઈ રહી છે જેની અલગ-અલગ કિંમતો છે. ઓક્સફર્ડ એસ્ટ્રાઝેનેકાની કોવિશિલ્ડના બે ડોઝ રાજ્ય સરકારોને 600માં અને ખાનગી હોસ્પિટલોને 1200 રૂપિયામાં આપવામાં આવે છે. ભારત બાયોટેકની કોવેક્સિનના બે ડોઝ રાજ્ય સરકારોને 600માં અને ખાનગી હોસ્પિટલોને 2400 રૂપિયામાં જ્યારે રશિયાની સ્પૂતનિક રસીના પ્રત્યેક ડોઝની કિંમત 995 રૂપિયા છે.
મુખ્ય પ્રધાન કેજરીવાલે કહ્યું કે મેટ્રો સર્વિસ ૫૦ ટકા ક્ષમતા સાથે દોડાવાશે, ઑડ અને ઇવનના આધારે બજારો અને મૉલ્સ શરૂ કરાશે , ઓફિસોમાં ૫૦ ટકા સ્ટાફને મંજૂરી
દેશની રાજધાની દિલ્હીમાં બજારો ફરી ખૂલશે તેમ જ અમુક શરતોને આધીન મેટ્રો સર્વિસીસ પણ આવતી કાલથી ફરીથી શરૂ કરવામાં આવશે, એવી જાહેરાત દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ગઈ કાલે કરી હતી. પત્રકારોને સંબોધન કરતાં તેમણે કહ્યું હતું કે ‘અન્ય પ્રવૃત્તિઓમાં હળવી છુટછાટ સાથે લૉકડાઉન ચાલુ રહેશે, જેમ કે બજારની દુકાનો અને મૉલ ઑડ-ઇવનના આધારે ચાલુ રખાશે. દુકાનો સવારે ૧૦ વાગ્યાથી રાત્રે ૮ વાગ્યા સુધી ચાલુ રહેશે,
જ્યારે કે ઑફિસને ૫૦ ટકા કર્મચારીઓ સાથે ચાલુ રાખવાની પરવાનગી આપવામાં આવશે. સરકારી ઑફિસોમાં ગ્રુપ ‘એ’ના સ્ટાફને ૧૦૦ ટકા હાજરી સાથે જ્યારે કે ગ્રુપ ‘બી’ના કર્મચારીઓને ૫૦ ટકા હાજરી સાથે કામ કરવાની પરવાનગી આપવનામાં આવશે. દિલ્હી મેટ્રો પણ ૫૦ ટકા ક્ષમતાએ દોડાવાશે. દવાઓની માગણી પર દેખરેખ રાખવા માટે ડૉક્ટર્સ અને નિષ્ણાતોની ટુકડીનું ગઠન કરવામાં આવ્યું છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડાએ આજે પોતાની કુનેહના દર્શન કરાવતા સુરતથી છેક ત્રીસેક કિમી દૂર આવેલા પોંસરા, જલાલપોર ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધર્યો હતો.
સામાન્ય વાચકને જરૂર સવાલ થશે કે વીર નર્મદ યુનિવર્સિટીનો વૃક્ષારોપણ કાર્યક્રમ સુરતથી છેક ત્રીસ કિલોમીટર દૂર રાખવા પાછળનો આશય શું, હકીકતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની જમીન પોંસરા ખાતે આવેલી છે અને વર્ષોથી આ જમીન બિલકુલ બિનઉપયોગી અવસ્થામાં છે. ડો.કિશોરસિંહ ચાવડાએ દીર્ઘદ્રષ્ટીથી નિર્ણય લઇને યુનિ.ની આ જમીન પર આ સીઝનમાં બરાબર વરસાદના આગમન પહેલા વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધર્યો. જેને કારણે આગામી વર્ષોમાં આ જમીન પર ઘટાદાર વૃક્ષો આકાર પામશે અને યુનિવર્સિટીની બિનઉપયોગી પડી રહેલી જમીનનો એક પ્રકારો સદુપપયોગ પણ થાય.
પોંસરા ખાતેની યુનિવર્સિટીની જમીન પર આજે વડ, પીપળો, લિમડો વગેરે જેવા વૃક્ષો રોપવામાં આવ્યા હતા.
આજે વીર નર્મદ યુનિવર્સિટીના ઉપક્રમે જલાલપોર તાલુકાના પોંસરા ખાતે યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં ડો. કિશોરસિંહ ચાવડા, યુનિવર્સિટીમાં સરકાર નિયુક્ત સિન્ડીકેટ સભ્ય શ્રી હસમુખભાઇ પટેલ, નવસારી સાયન્સ કોલેજના ઇન્ચાર્જ આચાર્યા શ્રી ફરીદાબેન, ઉપાચાર્ય ડો. અલ્કેશ શાહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.