Alert Archives - Page 126 of 518 - CIA Live

February 1, 2022
Cia_business_news-1280x936.jpg
2min830

Jayesh Brahmbhatt 98253 44944

લોકસભામાં આજે રજૂ થયેલા યુનિયન બજેટમાં સુરત શહેરને લાગે વળગે તેવી અનેક જોગવાઇઓ અને રાહતોની ઘોષણા કરવામાં આવતા સુરતના ઉદ્યોગોના સમૂહ, ચેમ્બર ઓફ કોમર્સ, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ, વેપાર ઉદ્યોગના સંગઠનો અને એસોસીએશનો વગેરેએ મળીને બજેટને આવકાર આપ્યો છે. હીરા ઝવેરાત ઉદ્યોગને રાહત અને ફાયદો કરાવતી અનેક જાહેરાતો બજેટમાં સમાવવામાં આવી છે જ્યારે ટેક્ષટાઇલ ઉદ્યોગને એવો દિલાસો મળ્યો છે કે બજેટ અગાઉથી જ ટેક્ષટાઇલ ઉદ્યોગને ટેક્ષટાઇલ ટેક્નોલોજી ડેવલપમેન્ટ સ્કીમ (ટીટીડીએસ), પીએમ મેગા ટેક્ષટાઇલ પાર્ક, પ્રોડક્શન લિંક્ડ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ વગેરેની સોગાદ મળી ચૂકી છે જ્યારે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરનારા સુરતીઓએ ત્રીસ ટકા ટેક્સનો કડવો ડોઝ આજે ગળે ઉતારવો પડ્યો છે. એ સિવાય સોલાર ઉદ્યોગ, ઇન્ફર્મેશન ટેક્નોલોજી, સ્ટાર્ટ અપ પ્રોત્સાહન, સ્ટીલ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, બાંધકામ ઉદ્યોગ, કેમિકલ ઉદ્યોગોને પણ મોટા ભાગે રાહત મળી છે અગર તો નવી યોજનામાં તેમને સામેલ કરાયા હોઇ, સુરતના ઉદ્યોગકારો માટે એકંદરે યુનિયન બજેટ સાનૂકુળ બની રહ્યાના અહેવાલો મળી રહ્યા છે.

આજે સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા યુનિયન બજેટ અને એ પછી સુરતના ઉદ્યોગકારોના આઘાત પ્રત્યાઘાત માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. મક્કાઇપુલ સ્થિત ચેમ્બર ઓફ કોમર્સના હોલ ખાતે બજેટ સાંભળ્યા બાદ એક જ સ્થળેથી ઉદ્યોગકારો, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ વગેરેએ તેમના ફર્સ્ટ રિસ્પોન્સ મિડીયાને આપ્યા હતા.

અત્યાર સુધીના બજેટની જેમણે આકરી ટીકાઓ કરી એ સુરતના સી.એ. વિરેશ રુદલાલે પણ બજેટને વખાણ્યું

અત્યાર સુધીના કેન્દ્ર સરકારના બજેટની આકરી ટીકા કરનાર સુરતના જાણીતા સી.એ. વિરેશ રુદલાલે આજે કેન્દ્ર સરકારના બજેટના મોંફાટ વખાણ કર્યા હતા તેમણે કહ્યું કે બજેટને 10માંથી 7 માર્ક આપવા પડે તેવું સારું બજેટ છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ આશિષ ગુજરાતી એ કહ્યું કે…

ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ આશિષ ગુજરાતીએ જણાવ્યું કે રેલ્વે ગુડ્સ, લોજિસ્ટીક પાર્ક તથા રિવર લિંકેજ પોલીસી પર ધ્યાન રાખવામાં આવ્યું છે. જેના કારણે વોટર વેઈઝમાં વેગ આવશે. આ ઉપરાંત, એમએસએમઈ માટે ઈશ્રમ સહિતના પોર્ટલને લિંક કરવાની કામગીરી કરી છે. જેના કારણે અનઓર્ગેનાઈઝ સેક્ટરમાં કામ કરતાં કામદારોની ખરી સ્થિતિ જાણીને તેના આધારે ઉદ્યોગ સંબંધિત નવી જાહેરાત કરવામાં આવશે.સુરતમાં વિકસેલી મોટા ભાગની ઇન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહન મળે તેવી જોગવાઇઓ બજેટમાં જોવા મળી છે જે આવકારદાયક બાબત છે.

ચેમ્બરના વાઇસ પ્રેસિડેન્ટ હિમાંશુ બોડાવાળાએ કહ્યું કે..

વાઇસ પ્રેસિડેન્ટ હિમાંશુ બોડાવાલાએ કહ્યું કે બજેટમાં ટેક્ષટાઇલ ઉદ્યોગ માટે કોઇ મોટી ખાસ જોગવાઇ નથી પરંતુ, ટેક્ષટાઇલ ઉદ્યોગને બજેટ પહેલા જ ઘણું બધું મળી ચૂક્યું છે. એટલે ટેક્ષટાઇલ ઉદ્યોગને કોઇ મોટી અપેક્ષા બજેટમાંથી ન હતી.

ફિયાસ્વીના ચેરમેન ભરતભાઇ ગાંધીએ કહ્યું કે…..

ફિયાસ્વીના ચેરમેન ભરતભાઇ ગાંઘીએ પણ જણાવ્યું કે એકંદરે પ્રગતિની દિશામાં લઇ જનારું બજેટ છે. સુરતમાં ઉત્પાદન કરતી કંપનીઓ માટે પ્રોત્સાહક યોજનઓ અને રાહતો જાહેર કરવામાં આવી છે. ટેક્ષટાઇલ ઉદ્યોગના હીતમાં હવે કેન્દ્ર સરકારે 5 વર્ષ સુધી સાતત્યપૂર્ણ અને એક સમાન નીતિ અમલી બનાવવી જોઇએ.

હિરા ઉદ્યોગની 50 ટકા માંગણીઓને બજેટમાં સ્થાન મળ્યું : દિનેશ નાવડીયા

યુનિયન બજેટમાં હીરા ઉદ્યોગને સ્પર્શતી જોગવાઇઓ અંગે સ્પષ્ટતા કરતા જીજેઇપીસીની રિજિનયોનલ કાઉન્સિલના ચેરમેન દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે હીરા ઉદ્યોગવતી માંગણી એવી કરવામાં આવી હતી કે કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ્સ, જેમ સ્ટોન પર ઇમ્પોર્ટ ડ્યૂટી જે હાલમાં 7.5 ટકા વસૂલાય છે એ ઘટાડીને 2.5 ટકા કરવામાં આવે. યુનિયન બજેટમાં માગણીને પ્રતિસાદ આપીને 7.5 ટકાની જગ્યાએ હવેથી 5 ટકા વસૂલ કરવાની ઘોષણા કરવામાં આવી છે. હીરા ઉદ્યોગ આ જોગવાઇથી ખુશ છે અને આ ઘટાડાથી હીરા ઉદ્યોગકારોને મોટી રાહત થશે એવું માનવામાં આવી રહ્યું છે.

જીજેઇપીસીએ એવી પણ માગણી મૂકી હતી કે ઇ કોમર્સ મારફતે એક્સપોર્ટને સરળ બનાવવા માટે એક સર્વગ્રાહી નીતિ બનાવવામાં આવે આ માગણીના પ્રતિસાદમાં આગામી જૂન 2022 સુધીમાં એક પોલીશી રજૂ કરવામાં આવશે જે પણ હીરા ઉદ્યોગ માટે અત્યંત આવકારદાયક છે.

હાફ (સોન) કટ ડાયમંડ પર વસૂલાતી 12 ટકાની આયાત ડ્યૂટી બિલકુલ નાબૂદ

સુરતના હીરા ઉદ્યોગકારો માટે સૌથી મહત્વની એક જાહેરાત એ પણ કરવામાં આવી છે કે આયાતી સોન ડાયમંડ જેને ફેન્સી ડાયમંડ કે હાફ કટ ડાયમંડ તરીકે પણ ઓળખવામાં આવે છે તેની આયાતમાં અત્યાર સુધી 12 ટકા ડ્યૂટી વસૂલ કરવામાં આવતી હતી. પરંતુ, હવે પછી આ ડ્યુટી બિલકુલ નાબૂદ કરીને બિલકુલ ઝીરો કરી દેવામાં આવતા ઉદ્યોગકારોમાં ખુશાલી વ્યાપી ગઇ છે. દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે આ જોગવાઇને કારણે નાના અને મધ્યમકદના ડાયમંડ એક્સપોર્ટર્સ, નાના કારખાનેદારોને મોટી રાહત થઇ છે કેમકે ફેન્સી, સોન કે હાફ કટ ડાયમંડ ઓછી માત્રામાં, નાના જથ્થામાં સ્મોલ એન્ડ મિડીયમ સ્કેલના વેપારીઓ જ આયાત કરતા હોય છે અને 12 ટકાની ડ્યૂટી નાબૂદ થઇ જતા મોટી આર્થિક રાહત મળી છે.

હીરા ઝવેરાત ઉદ્યોગને સ્પર્શતી મહત્વની ઘોષણાઓ

  • મોતીની આયાત પર વસૂલાતી 10 ટકા કસ્ટમ ડ્યૂટી ઘટાડીને 5 ટકા કરાઇ
  • – રોડીયમ પર વસૂલાતી 12.5 ટકા કસ્ટમ ડ્યૂટી ઘટાડીને 2.5 ટકા કરાઇ
  • – ઇમિટશન જ્વેલરીની આયાત પર પ્રતિ કિલોએ રૂ.400 વસૂલાશે
  • – હીરા ઉદ્યોગ માટે બેંક ગેરેંટીને બદલી હવે સ્યોરિટી  બોન્ડ માન્ય ગણવામાં આવશે
  • – ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરેન્ટી સ્કીમ માર્ચ 2023 સુધી લંબાવવામાં આવી.
  • – ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરેન્ટી સ્કીમ અન્વયે કુલ રૂ.50 હજાર કરોડની ફાળવણી

આર્મી યુનિફોર્મ માટે ફેબ્રિક તૈયાર કરવા સુરતના ઉત્પાદકો માટે સુવર્ણ તક

યુનિયન બજેટમાં કેન્દ્રીય નાણાંમંત્રીએ ડિફેન્સ સેક્ટરમાં આયાતી ચીજવસ્તુઓનો વપરાશ ઓછો થાય અને આત્મનિર્ભર ભારત યોજના અંતર્ગત આર્મી માટે જરૂરી યુનિફોર્મ ફેબ્રિક તેમજ અન્ય ઇક્વીપમેન્ટ્સના ઉત્પાદન માટે ભારતના જ ઉત્પાદકોને પ્રોત્સાહિત કરતી અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ચેમ્બર પ્રેસિડેન્ટ આશિષ ગુજરાતી જણાવે છે કે સુરતમાં દરેક પ્રકારનું કાપડ બની રહ્યું છે. સુરતના કપડા ઉત્પાદકોએ હવે આર્મી યુનિફોર્મ માટેનું કાપડ બનાવીને તેને સપ્લાય કરવાની દિશામાં પણ વિચારવું જોઇએ. ડિફેન્સ માટે જુદા જુદા ફેબ્રિકનું ઉત્પાદન પ્રાઇવેટ સંસ્થાઓ કરી શકે તે માટે ડીઆરડીઓના સંકલન સાથે સ્પેશ્યલ પર્પઝ વ્હીકલ કંપની બનાવીને પણ ભારતના કપડા ઉત્પાદકોને ફેબ્રિક સપ્લાયની તક ઉભી કરવામાં આવી છે.

ક્રિપ્ટો કરન્સીમાં રોકાણકારોએ કમાણીનો 30 ટકા ભાગ સરકારને ધરી દેવો પડશે

યુનિયન બજેટમાં આજે ક્રિપ્ટો કરન્સી વિષયની જોગવાઇ અંગે જ્યારે નાણાંમંત્રી નિર્મલા સીતારમને બોલવાનું શરૂ કર્યું તેમ તેમ ક્રિપ્ટો કરન્સીના માર્કેટમાં ભારે ધોવાણ શરૂ થયું હતું. ભારતમાં ક્રિપ્ટો કરન્સીમાં સૌથી વધુ રોકાણ કરનારા લોકોમાં સુરતીઓનો નંબર આવે છે અને સુરતમાંથી કરોડો નહીં પણ અબજો રૂપિયાનું રોકાણ અત્યાર સુધી અનઓર્ગેનાઇઝ્ડ સ્ટ્રક્ચર ગણાતા ક્રિપ્ટો કરન્સી હેઠળના જુદા જુદા કોઇન્સમાં કરવામાં આવ્યું છે. નિર્મલા સીતારમણે આજે બજેટરી જોગવાઇમાં ક્રિપ્ટો કરન્સી પર ત્રીસ ટકાનો તોતિંગ ટેક્સ જાહેર કરતા અત્યાર સુધી નફો રળનાર ક્રિપ્ટો રોકાણકારોએ હવે નફો હોય કે નુકસાન એન્કેશ કરાવશે ત્યારે ભારત સરકારને ત્રીસ ટકા ટેક્સ ભરવો પડશે.

સ્થાનિક ક્રિપ્ટો કરન્સીના જાણકારો કહે છે કે ભારતમાં હવે આ પ્રકારે ક્રિપ્ટો કરન્સી પર ટેક્સ વસૂલવાનું શરૂ થશે તો સુરત સમેત દેશના ક્રિપ્ટો કરન્સીના રોકાણકારોના પોર્ટફોલિયો હવે દુબઇ, સિંગાપોર, થાઇલેન્ડ કે અન્ય દેશો કે જ્યાં ક્રિપ્ટો કરન્સી પરત્વે કૂણું વલણ ધરાવતા દેશોમાંથી ઓપરેટ કરવાનું મુનાસિબ માનશે કેમકે ત્રીસ ટકાનું ટેક્સનું ભારણ અતિશય વધારે લાગી રહ્યું છે.

January 30, 2022
sd.jpg
2min892

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

મિડીયાના કેટલાક મિત્રો સાથે આજે પદ્મશ્રી સવજીભાઇ ધોળકીયાને મળવાનું થયું. ખુલ્લી કિતાબ જેવું જીવન અને જેવા છીએ તેવા વર્તાઇએને જીવન મંત્ર બનાવનાર ઉદ્યોગપતિ કહો, સમાજ સેવક કહો, મેન્ટર કહો કે પછી સવજી કાકા, તમામ પાત્રોમાં પોતાને જીંદાદિલીથી ઢાળી દેનારા સવજીભાઇ ધોળકીયાએ આજે કેટલીક અંતરંગ વાતો અમારી સાથે શેર કરી હતી.

અનેક પ્રવૃતિમાં તમારા હ્રદયની નજીક હોય તેવી પ્રવૃતિ કઇ

સવજીભાઈ ધોળકીયાએ કહ્યું કે ફૂલ છોડ અને વૃક્ષ મળે એટલે મારે મન ભગવાન મળ્યા. હું એકલો હોઉ, સમય મળે એટલે હું છોડવાઓના જતનમાં લાગી જાઉ, ગામડે હોઉ કે સુરતમાં હોઉ બસ મને આ પ્રવૃતિ બહું જ ગમે. સવજીભાઇએ તો ત્યાં સુધી કહ્યું કે ક્યારેક તો એવું લાગે કે વૃક્ષો સાથે મારે જન્મોજનમનો નાતો હશે.

લોકોમાં ઉત્સાહનો સંચાર કરો છો ક્યારેક તમારા જીવનમાં હતોત્સાહ અનુભવ્યો

સવજીભાઇએ તરત જ કહ્યું, મારું દુધાળા તળાવ તૂટ્યું ત્યારે તળાવ નહીં હું તૂટી ગયો હતો. 2021ના ચોમાસા દરમિયાન સવજીભાઇના ગામ દૂધાળા ખાતે તેમણે બનાવેલું મુખ્ય તળાવ છલોછલ હતુ અને તેમાં સંજોગોવસાત્ ભંગાણ પડ્યું હતું અને પાણીનો ધોધ એટલો વહી રહ્યો હતો કે જો એના ગણતરીના સમયમાં રિપેર ન કરાયું હોત તો કદાચ સમગ્ર પંથકના ખેતરોમાં વિનાશ વેરાય ગયો હોત. સવજીભાઇએ કહ્યું કે એ દિવસે ના તો દિવસે ચેન પડ્યું ન તો રાત્રે ચેન પડ્યું. મેં મને પહેલીવાર જોયો ધ્રુસ્કે ધુસ્કે રડતા. તેમણે કહ્યું કે એ સમયે નકારાત્મક વિચારોનો જાણે હુમલો થયો હોય, એવી સ્થિતિમાં નકારાત્મકતા ખંખેરીને તૂટેલા તળાવના રિપેરિંગ અંગે જાતે જ વિચાર્યું. પત્થરોની જરૂરીયાત હતી. વહીવટીતંત્રનો એપ્રોચ કર્યો જેટલા ઓછા સમયમાં પત્થરો જોઇતા હતા તે તંત્ર ઉપલબ્ધ કરાવી શકે તેમ ન હતું. બસ પછી સ્વયંના જોરે પ્રયાસો કર્યા 18થી 20 ટ્રકો ભરીને મોટા મોટા પત્થરોની વ્યવસ્થા કરી. તળાવના ભંગાણમાં સામા પ્રવાહે વહેતા પાણીમાં પત્થરો મૂકીને ભંગાણ પૂર્યું અને તળાવને બચાવ્યું.

કઇ રમત ગમે છે અને તમે રમ્યા છો

સવજીભાઇએ કહ્યું કે હું આજે પણ વોલીબોલમાં સેન્ટર પોઝીશનથી રમું છું અને આ ઉંમરે પણ ભલભલા યંગસ્ટર્સની ટીમને ચેલેન્જ આપું છું. તેમણે કહ્યું કે ઘોડેસવારી મને ખૂબ પસંદ છે અને હકીકતમાં આજે સવારે (તા.30-01-22) જ ઘોડેસવારીનો ભરપૂર આનંદ માણ્યો હતો. સવજીભાઇ કહે છે કે રમતગમતની વાત કરું તો વોટર સ્પોર્ટસની પ્રવૃતિ દુધાળા તળાવમાં વિકસાવી છે. યુવાનો કદાજ કરતા ખચકાતા હશે પણ હું તો ડેરીંગથી કોઇપણ રમત રમી જાણું છું.

સોશ્યલ મિડીયાનો ઉપયોગ કરો તેના બંધાણી ન બનો

અનેક યંગસ્ટર્સ માટે મેન્ટરની ભૂમિકા ભજવતા સવજીભાઇ ધોળકીયાએ કહ્યું કે યંગસ્ટર્સ જેઓ સોશ્યલ મિડીયામાં બિનજરૂરી રીતે કલાકો વ્યતિત કરી નાંખે છે. મારું કહેવું છે કે આજના જમાનામાં સોશ્યલ મિડીયા જરૂરી છે પણ તેનો ઉપયોગ કરીને આપણું કામ કાઢી લેવાનું છે, તેના બંધાણી ન બનાય.

મારા ગુરુ ગોવીંદભાઇ ધોળકીયા

સવજીભાઇ ધોળકીયાને જ્યારે પૂછ્યું કે એવી કઇ વ્યક્તિ છે કે જેણે તમને ખુબ પ્રોત્સાહિત કર્યા છે, તેમણે કહ્યું કે મારા વડીલ બંધુ ગોવીદંભાઇ ધોળકીયા મારા માટે ગુરુ સમાન છે. આજે પણ અમે બેઉ ભાઇઓ વચ્ચે એટલું બોન્ડીંગ છે કે જેટલું કદાચ અન્ય કોઇ વચ્ચે ન જોવા મળે. જ્યારે ગોવીંદભાઇ ધોળકીયા સૌરાષ્ટ્રથી સુરત આવ્યા ત્યારે સવજીભાઇનો જન્મ થયો હતો. એ પછી બાર વર્ષની ઉંમરે સવજીભાઇ સુરત આવ્યા હતા.

ડાયમંડ બુર્સ સુરતની સિકલ બદલી નાંખશે

સુરત ડાયમંડ બુર્સ વિશે સવજીભાઇ ધોળકીયાએ કહ્યું કે સુરતની સિકલ બદલી નાંખશે. મુંબઇવાળાઓએ પણ સુરત તો આવવું જ પડશે. સુરતમાં વિશ્વના દસમાંથી આઠ હીરા કટ એન્ડ પોલિશ થતા હોય ત્યારે સ્વાભાવિક છે કે બિઝનેસ માટે મુંબઇવાળાએ નહીં પણ જેણે બિઝનેસ કરવો હશે ડાયમંડનો એ તમામે સુરત આવવું પડશે.

ઇન્ટરનેશનલ બાયર્સ નહીં હવે ઓનલાઇન ટ્રેડિંગ જ ડાયમંડ ઉદ્યોગની વહારે

સુરતમાં હીરા ઉદ્યોગ વિકસી રહ્યો છે પણ સૌથી મોટી સમસ્યા ઇન્ટરનેશનલ બાયર્સની છે, તમે શું માનો છે એવા પ્રશ્નના ઉત્તરમાં સવજીભાઇ ધોળકીયાએ કહ્યું કે કોરોના કાળે સૌથી મોટી ભેંટ આપી છે અને એ ભેટ છે ઓનલાઇન પ્રવૃતિની. આજે 75 ટકાથી વધુ હીરાનું વેચાણ તો ઓનલાઇન ટ્રેડિંગથી થાય છે.

January 29, 2022
cia_multi-1280x1045.jpg
1min679

Jayesh Brahmbhatt 98253 44944

ટ્રાન્સપોર્ટ કેનેડાએ પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર 28 જાન્યુઆરીએ આ અંગે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ભારત અને મોરોક્કોથી આવનારા પેસેન્જર્સે હવે કોરોના ટેસ્ટ કરાવવો જરુરી નથી. જોકે, કેનેડા પહોંચ્યા બાદ પેસેન્જર્સને કોરોનાનો ટેસ્ટ કરાવવો પડશે. આ નિયમ કોઈપણ દેશમાંથી કેનેડા આવતા લોકો પર લાગુ પડે છે.

હાલ માત્ર દિલ્હીથી જ કેનેડાની સીધી ફ્લાઈટ જાય છે, અન્ય શહેરોમાંથી પણ હવે સુવિધા શરુ થશે

કેનેડાની સરકારના જણાવ્યા અનુસાર, કેનેડા પહોંચ્યા બાદ એરપોર્ટમાંથી બહાર નીકળતા પહેલા કોરોનાનો ટેસ્ટ કરાવવો પડશે. સરકારે કેનેડા આવતા લોકોને એરપોર્ટ પર ઉપલબ્ધ ટેસ્ટિંગ ફેસિલિટીનું અગાઉથી બુકિંગ કરાવવા માટે પણ અનુરોધ કર્યો હતો, જેથી તેઓ આ પ્રક્રિયા જલ્દી પૂરી કરી શકે. જોકે, કેનેડાની સરકારે પોતાના નાગરિકોને જરુર ના હોય તો વિદેશ પ્રવાસ ટાળવા માટે સલાહ આપી છે.

અગાઉ ભારતથી સીધી ફ્લાઈટમાં કેનેડા આવતા લોકોને ડિપાર્ચરના 18 કલાક પહેલા ટેસ્ટ કરાવવો પડતો હતો, જે નેગેટિવ હોય તો જ પેસેન્જરનું બોર્ડિંગ થઈ શકતું હતું. ભારતથી વાયા યુએઈ, યુરોપ કે અમેરિકાથી કેનેડા પહોંચતા લોકોને પણ કોરોના ટેસ્ટમાંથી મુક્તિ અપાઈ છે.

કોરોના ટેસ્ટમાં કેનેડાએ રાહત આપી, પરંતુ કેનેડા પહોંચ્યા બાદ તો ટેસ્ટ કરાવવો જ પડશે

January 27, 2022
cia_multi-1280x1045.jpg
2min722

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

તાપી, દરીયો, કેનાલ, તળાવો, વરસાદી પાણીનો સંચય અને ખાડી જેવા વોટર સ્પોટને સ્પર્શતા પ્રોજેકેટ્સની ભરમાર સાથે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ આજે સુરત મહાનગરપાલિકાનું કુલ રૂ.6,970 કરોડનું કોઇપણ પ્રકારના વેરા વધારાની દરખાસ્ત વગરનું આગામી નાણાંકીય વર્ષનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલા ડ્રાફ્ટ બજેટમાં ઉડીને આંખે વળગે તેવો એકેય નવો કેપિટલ પ્રોજેક્ટસ નથી. રિવરફ્રન્ટ, સુરત મહાનગરપાલિકાનું નવું વહીવટીભવન અને મેટ્રો રેલ જેવા શરૂ થઇ ચૂકેલા પ્રોજેક્ટ્સ માટે મોટી રકમની ફાળવણી અંદાજપત્રમાં કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનરે બજેટ રજૂ કરતા પહેલા એ વાતનો નિર્દેશ કર્યો હતો કે કોવીડ પેન્ડેમિકને કારણે બે વર્ષ બગડ્યા છે પરંતુ, પાલિકાના બજેટમાં ના તો કોવીડ-19ના કન્ટ્રોલ માટે કેટલો ખર્ચ થયો એની વિગત છે કે ના તો ભવિષ્યમાં કોવીડ મહામારીને પહોંચી વળવા માટે કોઇ જ જોગવાઇ કરાઇ હોવાનો નામોલ્લેખ બજેટમાં સુદ્દાં નથી.

જલ પર કેન્દ્રીત બજેટમાં ક્યાં કેટલી જોગવાઇ

  • તાપી શુધ્ધિકરણ        રૂ.354 કરોડ
  • રીવર ફ્રન્ટ ડેવ. રૂ.239 કરોડ
  • તાપી બેરેજ ડેવ.        રૂ. 30 કરોડ
  • ડુમસ સી ફેસ ડેવ.      રૂ. 50 કરોડ
  • ખાડી ડ્રેજિંગનું કામ     રૂ.116 કરોડ
  • કેનાલ પરના રસ્તા     રૂ. 80 કરોડ
  • તળાવોના વિકાસ       રૂ. 50 કરોડ
  • વરસાદી પાણી સંચય   રૂ. 75 કરોડ

સુરત મહાનગરપાલિકાનું ચાલુ હિસાબી વર્ષના રિવાઇઝ્ડ અને વર્ષ 2022-23 માટેના ડ્રાફ્ટ બજેટને આજે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ ઘોષિત કરીને મુદ્દો હવે સ્થાયી સમિતિ સમક્ષ મોકલી આપ્યો છે. બજેટ રજૂ કરતા કમિશનર બંછાનિધી પાનીએ કહ્યું કે મહાનગરપાલિકાનું આ બજેટ વોટર ફ્રન્ટ ડેવલપમેન્ટ પર કેન્દ્રીત કરવામાં આવ્યું છે. જેમાં રિવરફ્રન્ટ ડેલપમેન્ટ, તાપી શુદ્ધિકરણ, ડુમસ બીચ ડેવલપમેન્ટ, કેનાલ કોરીડોર ડેવલપમેન્ટ, શહેરના 27 તળાવોનો વિકાસ તેમજ રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને ખાડી કિનારાના વિસ્તારોમાં રોડ ડેવલપમેન્ટ મળીને કમસે કમ રૂ.1500 કરોડથી વધુ રકમની જોગવાઇ જળ આધારિત પ્રોજેક્ટ્સ માટે કરવામાં આવી છે અને એટલા માટે જ પાલિકાનું આગામી બજેટ જલમગ્ન કહેવાય રહ્યું છે.

મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે આગામી વર્ષે સુરત મહાનગરપાલિકા ખજોદ સ્થિત સોલિડ વેસ્ટ ડિસ્પોઝલ સાઇટના વિકલ્પમાં નવી સાઇટને કાર્યાન્વિત કરવાનું આયોજન ધરાવે છે અને તેના માટે કુલ રૂ.250 કરોડની જંગી રકમની જોગવાઇ કરવામાં આવી છે.

બજેટના આવક જાવકના પાસાઓ પર પ્રકાશ ફેંકતા કમિશનરે કહ્યું હતું કે રૂ. ચાલુ વર્ષે મિલક્ત વેરા પેટે પાલિકાને કુલ રૂ.331.36 લાખ રૂપિયાની આવક થશે તેવો અંદાજ હતો પરંતુ, એ રિવાઇઝ બજેટમાં ઘટાડીને રૂ.306.79 કરોડ કરવામાં આવ્યો છે જ્યારે આગામી વર્ષ માટે મિલકતવેરા પેટે પાલિકાને કુલ રૂ.331.80 કરોડની આવક થશે તેવો અંદાજ બાંધવામાં આવ્યો છે. પાલિકાને યુઝર ચાર્જિસની આવકમાં ધરખમ વધારો થયો છે, પાલિકા પોતાની સેવાના બદલામાં શહેરીજનો પાસેથી ચાર્જ વસુલ કરી રહી છે એ યુઝર ચાર્જ પેટે ચાલુ વર્ષે પાલિકાને કુલ રૂ.745.85 કરોડની આવક થવાનો અંદાજ છે જેની સામે 2022-23ના વર્ષમાં યુઝર ચાર્જ પેટે પાલિકાને કુલ રૂ.806.52 કરોડની આવક થશે તેવી ગણતરી માંડવામાં આવી છે.

તાપી, દરીયો, કેનાલ, તળાવો, વરસાદી પાણીનો સંચય અને ખાડીને સ્પર્શતા પ્રોજેક્ટોની ભરમાર

2 ની જગ્યાએ હવે 3 કચરા પેટીઓ રાખવી પડશે

સુરત મહાનગરપાલિકાએ હાલમાં વિકસાવેલી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (ઘન કચરાના નિકાલની) વ્યવસ્થા અન્વયે શહેરીજનોએ હાલમાં ભીના કચરા માટે એક અને સૂકા કચરા માટે એક એમ બે કચરાપેટી રાખવી પડે છે. પરંતુ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ કહ્યું કે હવે ત્રણ કચરા પેટી રાખવી પડશે. ત્રીજી કચરા પેટી હેઝાડર્સ વેસ્ટ, ઇ-વેસ્ટ, ડિજિટલ ગેડજેટ્સ વેસ્ટ વગેરે માટે પણ રાખવી પડશે. ટૂંક સમયમાં જ પાલિકા દ્વારા આ નવી સિસ્ટમ અન્વયે કચરો ઉપાડવામાં આવશે. આ માટે શહેરીજનોને પહેલા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.

પાલિકાને 3616 કરોડની આવક ક્યાંથી થશે વાંચો અહીં

સુરત મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે હિસાબી વર્ષ 2022-23માં સુરત મહાનગરપાલિકાને રૂ.3616 કરોડની રકમ રેવન્યુ આવક પેટે મળશે. આ આવક ક્યાં ક્યાંથી મેળવશે તેના પર નજર કરીએ તો (1) જકાતની અવેજીમાં સરકાર તરફથી મળતી ગ્રાન્ટ પેટે રૂ.820 કરોડ, (2) જનરલ ટેક્સમાંથી રૂ. 519 કરોડ (3) યુઝર ચાર્જ પેટે રૂ.838 કરોડ, (4) વાહન વેરા પેટે રૂ.88 કરોડ, (5) વ્યવસાય વેરા પેટે રૂ.160 કરોડ, (6) નોનટેક્ષ રેવન્યુ પેટે રૂ.931 કરોડ (7) ગ્રાન્ટ, સબસિડી અને કન્ટ્રીબ્યુશન પેટે રૂ.218 કરોડ અને (8) અન્ય આવક પેટે રૂ.42 કરોડ મળશે તેવા અંદાજોને કુલ રૂ.3616 કરોડની રેવન્યુ આવકમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.

કયા ઝોનમાં કેટલા રૂપિયાના વિકાસકામો થશે

ઝોન વિસ્તાર   ચાલુ વર્ષ       2022-23

  • વેસ્ટ ઝોન      35     37
  • સેન્ટ્રલ ઝોન    16     24
  • નોર્થ ઝોન      61     68
  • વરાછા એ      36     54
  • વરાછા બી      40     55
  • સાઉથ એ       43     41
  • સાઉથ બી      –       29
  • લિંબાયત       48     59
  • અઠવા ઝોન    67     72
  • હેડક્વાટર્સ      1674   2744
  • કુલ રૂપિયા      2020   3183
  • (નોંધ રકમ કરોડ રૂ.માં)

તાપી પર બેરેજ નિર્માણ માટેનું મૂહૂર્ત નીકળ્યું ખરું

છેલ્લા એક દાયકાથી જેની ફક્ત ચર્ચાઓ જ સંભળાયા કરતી હતી એ તાપી નદીની ડાઉન સ્ટ્રીમમાં ઉમરાથી ડુમસ વચ્ચે કન્વેન્શનલ બેરેજ પ્રોજેક્ટના નિર્માણનું મૂહૂર્ત આખરે 2022માં નીકળ્યું છે. આજે પાલિકાનું બજેટ રજૂ કરતા સુરત મહાનગરપાલિકા કમિશનરે જણાવ્યું હતું કે તાપી નદીની ડાઉન સ્ટ્રીમમાં કન્વેન્શનલ બેરેજ બનાવવા માટેના ટેન્ડરો જારી કરી દેવામાં આવ્યા છે. તાપી નદી પર કન્વેન્શનલ બેરેજ પ્રોજેક્ટ કુલ રૂ.611 કરોડનો છે. અને ચાલુ વર્ષે આ બેરેજ માટે પાલિકાના બજેટમાં કુલ રૂ.25 કરોડની રકમની જોગવાઇ કરવામાં આવી છે. કમિશનરે એમ પણ કહ્યું કે કન્વેન્શનલ બેરેજ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર તરફથી કુલ રૂ.125 કરોડની રકમ ગ્રાન્ટ પેટે મળવાની છે.

નવું ઇલેક્ટ્રીક વાહન વસાવનારને ચાલુ વર્ષે કોઇ ટેક્સ નહીં, 3 વર્ષ પાર્કિંગ ફ્રી

સુરત મહાનગરપાલિકાએ શહેરમાં વાહનોથી વધતા પ્રદૂષણને અટકાવવા માટે ઇલેક્ટ્રીક વ્હીકલને પ્રોત્સાહન આપવા માટે નીતિ ઘડી કાઢી છે. આગામી તા.1લી એપ્રિલથી ચાર વર્ષ માટેની અમલમાં મૂકાનારી નીતિમાં પહેલા વર્ષે ઇલેક્ટ્રીક વ્હીકલ વસાવનારને પાલિકાના ટેક્સમાંથી 100 ટકા મુક્તિ, બીજા વર્ષે 75 ટકા, ત્રીજા વર્ષે 50 ટકા અને ચોથા વર્ષે ઇલેક્ટ્રીક વાહન વસાવનારાઓને પાલિકાના ટેક્સમાંથી 25 ટકા મુક્તિ આપવાની ઘોષણા કરવામાં આવી છે. એવી જ રીતે નવા ઇલેક્ટ્રીક વાહન વસાવનારાને શહેરભરમાં આવેલા પાલિકાના કોઇપણ પાર્કિંગમાં ફ્રી ઓફ ચાર્જ સુવિધા આપવામાં આવશે. એથી વિશેષ ઇલેક્ટ્રીક વ્હીકલ ધારકોને એન્વારન્મેન્ટ ઇમ્પ્રુવમેન્ટ માટે લેવાતા તમામ ચાર્જમાંથી મુક્તિ આપવાની ઘોષણા આજે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ બજેટમાં કરી હતી.

January 24, 2022
sensex_down.jpg
1min783

શેરબજારનો ઘટાડો સતત આગળ વધી રહ્યો છે અને તેનું તળિયું દેખાતું નથી. આજે સતત પાંચમા સત્રમાં શેરમાર્કેટમાં ઘડાડો થયો હતો. પાંચ સેશનની અંદર સેન્સેક્સ (Sensex) 3500 પોઇન્ટ જેટલો ઘટી ગયો છે. આ લખાય છે ત્યારે સેન્સેક્સ 1850 પોઇન્ટ ઘટીને 57186 પર હતો. અગાઉ લગભગ 1.40 વાગ્યે સેન્સેક્સ 2000 પોઇન્ટ સુધી ઘટી ગયો હતો.

સેન્સેક્સના તમામ 30 શેર રેડ ઝોનમાં હતા જેમાં બજાજ ફાઈનાન્સમાં સૌથી વધુ 6.46 ટકા, ટાટા સ્ટીલમાં 6.32 ટકા અને ટાઇટનના શેરમાં 5.93 ટકાનો ઘટાડો થયો હતો. ટેક મહિન્દ્રા, વિપ્રો અને એચસીએલ ટેકના શેર 5.63 ટકાથી લઈને 5.52 ટકા સુધી ઘટ્યા હતા.

બજેટ અગાઉના સપ્તાહમાં માર્કેટ નર્વસ જણાય છે. મંગળવારથી યુએસ ફેડ (US Fed)ની બે દિવસની મિટિંગ શરૂ થાય છે તે અગાઉ ચિંતા પ્રવર્તે છે. આ ઉપરાંત આ સપ્તાહમાં માસિક ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ (Derivative Contract) ની એક્સપાયરી છે.

માર્કેટ ખુલ્યાના એક કલાક પછીની સ્થિતિની વાત કરીએ તો વોડાફોન આઇડિયા (Vodafone Idea) ત્રણ ટકા ઘટ્યો હતો જ્યારે યસ બેન્કનો શેર ડિસેમ્બર ક્વાર્ટરના રિઝલ્ટના રિએક્શનથી બે ટકા ઊંચકાયો હતો.

રેલિગેર બ્રોકરેજના વીપી, રિસર્ચ અજિત મિશ્રાએ જણાવ્યું કે, યુએસ ફેડ દ્વારા રેટમાં વધારાને લગતી અનિશ્ચિતતાથી બજારમાં ભયનો માહોલ છે. રોકાણકારો હવે 26 જાન્યુઆરીએ FOMCની બેઠકના તારણો અંગે સ્પષ્ટતા માંગે છે.

માર્કેટમાં સળંગ પાંચ દિવસના ઘટાડાના કારણે રોકાણકારોએ રૂ. 14 લાખ કરોડની સંપત્તિ ગુમાવી છે. આ સપ્તાહમાં 26મી જાન્યુઆરીએ બજાર બંધ રહેશે. આ ઉપરાંત રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ વધી રહ્યો છે. રશિયા દ્વારા યુક્રેન પર આક્રમણ કરવામાં આવશે તો ભૂરાજકીય ચિંતામાં વધારો થશે.

જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી કે વિજયકુમારે જણાવ્યું કે અત્યારે FPI મોટી વેચવાલી કરી રહ્યા છે જે બજાર માટે મુશ્કેલી પેદા કરે છે. રોકાણકારોએ અત્યાર વધુ સાવધ રહેવાની જરૂર છે.

સેન્સેક્સના શેરોમાં એશિયન પેઇન્ટ્સ (Asian Paints) 2.16 ટકા ઘટીને રૂ. 3203 હતો જ્યારે ટેક મહિન્દ્રા (Tech Mahindra) 1.19 ટકા ઘટીને રૂ. 1563 હતો. બજાજ ફિનસર્વ, વિપ્રો (Wipro), ઇન્ફોસિસ (Infosys), HCL ટેક્નોલોજી અને બજાજ ફાઇનાન્સ (Bajaj Finance)ના શેર પણ 1.8 ટકા સુધી ઘટ્યા હતા. એક્સિસ બેન્ક (Axis Bank) અને ટાઇટન (Titan)ના શેરમાં એક ટકાનો ઘટાડો થયો હતો.

આજે મારુતિ સુઝુકી 1.2 ટકા વધીને રૂ. 8287 પર હતો. પાવર ગ્રીડ, ઇન્ડસઇન્ડ બેન્ક, ICICI બેન્ક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં એક ટકાનો વધારો થયો હતો.

January 22, 2022
devdan.jpg
1min889

સિંગાપોરમાં રહેતા ભારતીય મૂળના એક પરિવારનું બે વર્ષ બાળક (બોય) એક ગંભીર પ્રકારની રેર બિમારી, ન્યુરોમસ્ક્યુલર બીમારીથી પીડાય રહ્યો છે, આ બિમારીને લીધે બાળક તેની ચાલવાની ક્ષમતા ગુમાવી બેઠો હતો. સિંગાપોરમાં રહેતા તેના પરિવારે અંદાજે ૨૯ લાખ સિંગાપોર ડૉલર (અંદાજે ૧૬ કરોડ રૂપિયા)ની જીને થેરેપેટિક દવા ટ્રીટમેન્ટ એ બાળકને આપી અને એ પછી બાળક ફરી ચાલતો થઈ શક્યો છે. ભારતીય મૂળના આ બાળકની વિશ્વની અતિખર્ચાળ દવાનો ખર્ચ સિંગાપોરના એક રહેવાસીએ ઉઠાવ્યો હતો, જેણે તેની ખર્ચાળ સારવાર માટે લગભગ ૩૦ લાખ સિંગાપોર ડૉલર્સનું દાન કર્યું હતું. 

વિશ્વની સૌથી મોંઘી ગણાતી મેડીકલ ટ્રીટમેન્ટ લેવાનો વિક્રમ પણ ભારતીય મૂળના સિંગાપોરમાં રહેતા બાળકના નામે રજિસ્ટર્ડ

Devdan Devaraj: ১৬ কোটি টাকার ওষুধে হাঁটার ক্ষমতা ফিরে পেল খুদে!

ભારતીય મૂળના સિવિલ સર્વન્ટ દવે દેવરાજ અને તેમનાં પત્ની શુ વેન દેવરાજનો એકમાત્ર પુત્ર દેવદાન દેવરાજને તેની સારવાર માટે વિશ્વની સૌથી મોંઘી દવા ઝોલેજેનસ્માની જરૂર પડે છે

દેવદાન દેવરાજની મમ્મી શુ વેન દેવરાજે કહ્યું કે ૨૦૨૧માં તેમનો પુત્ર સીધો ઊભો પણ નહોતો રહી શકતો, પરંતુ હવે તે ઊભા રહેવાનું તો ઠીક, એકલો ચાલી પણ શકે છે અને સાઇકલ પણ ચલાવે છે. 

વાસ્તવમાં ઑગસ્ટમાં ક્રાઉડ ફન્ડિંગ દ્વારા દેવદાન દેવરાજની સારવાર માટે ૮.૭ લાખ સિંગાપોર ડૉલર્સ એકઠા કરાયા હતા. સિંગાપોરના લોકોની મદદને કારણે આજે દેવદાન દેવરાજની જિંદગી સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. 
દેવદાન માત્ર એક મહિનાનો હતો ત્યારે તેને સ્પાઇનલ મસ્ક્યુલર અટ્રોફીનું નિદાન થયું હતું. આ મસલ્સની એક એવી સ્થિતિ છે જેમાં સમય જતાં તે વધુ ને વધુ નબળો પડતો જાય છે. 

સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી ધરાવતતાંબાળકો માટે એક વખતની જીન થેરપી ટ્રીટમેન્ટ, ઝોલ્જેન્સમા સાથે તેની સારવાર સપ્ટેમ્બર ૨૦૨૧માં નૅશનલ યુનિવર્સિટી હૉસ્પિટલમાં થઈ હતી. 

January 22, 2022
ipl.png
8min566
IPL 2022 Mega Auction Date, Team Wise Players List @ www.iplt20.com

2 કરોડની બેઝ પ્રાઇઝ ધરાવતા ક્રિકેટર્સ

  • R Ashwin,
  • Yuzvendra Chahal,
  • Deepak Chahar,
  • Shikhar Dhawan,
  • Shreyas Iyer,
  • Mohammed Shami,
  • Devdutt Padikkal,
  • Krunal Pandya,
  • Harshal Patel,
  • Suresh Raina,
  • Ambati Rayudu,
  • Shardul Thakur,
  • Robin Uthappa,
  • Umesh Yadav, 
  • Dinesh Karthik,
  • Ishan Kishan,
  • Bhuvneshwar Kumar
  • Mujeeb Zadran,
  • Ashton Agar,
  • Nathan Coulter-Nile,
  • Pat Cummins,
  • Josh Hazlewood,
  • Mitchell Marsh,
  • Steve Smith,
  • Matthew Wade,
  • David Warner,
  • Adam Zampa,
  • Shakib Al Hasan,
  • Mustafizur Rahman,
  • Sam Billings,
  • Saqib Mahmood,
  • Chris Jordan,
  • Craig Overton,
  • Adil Rashid,
  • Jason Roy,
  • James Vince,
  • David Willey,
  • Mark Wood,
  • Trent Boult,
  • Lockie Ferguson,
  • Quinton de Kock,
  • Marchant de Lange,
  • Faf du Plessis,
  • Kagiso Rabada,
  • Imran Tahir,
  • Fabian Allen,
  • Dwayne Bravo,
  • Evin Lewis,
  • Odean Smith

1.5 કરોડની બેઝ પ્રાઇઝ ધરાવતા ક્રિકેટર્સ

  • Amit Mishra,
  • Ishant Sharma,
  • Washington Sundar,
  • Aaron Finch,
  • Chris Lynn,
  • Nathan Lyon,
  • Kane Richardson,
  • Jonny Bairstow,
  • Alex Hales,
  • Eoin Morgan,
  • Dawid Malan,
  • Adam Milne,
  • Colin Munro,
  • Jimmy Neesham,
  • Glenn Phillips,
  • Tim Southee,
  • Colin Ingram,
  • Shimron Hetmyer,
  • Jason Holder,
  • Nicholas Pooran.

1 કરોડની બેઝ પ્રાઇઝ ધરાવતા ક્રિકેટર્સ

  • Manish Pandey,
  • Piyush Chawla,
  • Prasidh Krishna,
  • T Natarajan,
  • Ajinkya Rahane,
  • Nitish Rana,
  • Wriddhiman Saha,
  • Kedar Jadhav,
  • Kuldeep Yadav,
  • Jayant Yadav,
  • Mohammad Nabi,
  • James Faulkner,
  • Moises Henriques,
  • Marnus Labuschagne,
  • Riley Meredith,
  • Josh Philippe,
  • Liam Livingstone,
  • Tymal Mills,
  • Aiden Markram,
  • Rilee Rossouw,
  • Tabraiz Shamsi,
  • Rassie van der Dussen,
  • Wanindu Hasaranga,
  • Roston Chase,
  • Sherfane Rutherford, 
  • D’arcy Short,
  • Andrew Tye,
  • Dan Lawrence, 
  • Ollie Pope,
  • Devon Conway,
  • Colin de Grandhomme,
  • Mitchell Santner

આ પ્લેયર્સની હરાજી નહીં થાય પહેલેથી જ ટીમોએ લઇ લીધા છે

CSKDCKKRMIPBKS
Ravindra JadejaRishabh PantAndre RussellRohit SharmaMayank Agarwal
MS DhoniAxar PatelVarun ChakaravarthyJasprit BumrahArshdeep Singh
Moeen AliPrithvi ShawVenkatesh IyerSuryakumar Yadav
Ruturaj GaikwadAnrich NortjeSunil NarineKieron Pollard
RRRCBSRHTeam AhmedabadTeam Lucknow
Sanju SamsonVirat KohliKane WilliamsonHardik PandyaKL Rahul
Jos ButtlerGlenn MaxwellAbdul SamadRashid KhanMarcus Stoinis
Yashasvi JaiswalMohammed SirajUmran MalikShubman GillRavi Bishnoi
Total of 33 Players have been retained / picked ahead of the Player Auction. The existing 8 IPL Franchises have retained a total of 27 players while the 2 new IPL teams have picked 6 players ahead of the Auction.
January 22, 2022
one_hand_bag.jpg
1min745

મેસ્ટિક પ્રવાસીઓને હવેથી માત્ર એક જ હેન્ડ બેગ લઈ જવાની પરવાનગી આપવામાં આવશે. બ્યૂરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (બીસીએએસ) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના પરિપત્ર મુજબ, ડોમેસ્ટિક મુસાફરોને માત્ર એક જ હેન્ડ બેગ સાથે લઈ જવાની મંજૂરી આપવામાં આવશે.

‘વન હેન્ડ બેગ નિયમ’ તમામ એરપોર્ટ પર લાગુ કરવામાં આવ્યો છે. આ નિર્ણય ભીડ અને સુરક્ષાની અન્ય મુશ્કેલીઓને દૂર કરવા તેમજ એરપોર્ટ સ્ક્રીનિંગ પોઈન્ટ પરના ભારણને ઘટાડવાના હેતુથી લેવામાં આવ્યો છે.

19મી જાન્યુઆરીના રોજ બીસીએએસ સાથે વાતચીત કરતાં એક વરિષ્ઠ સીઆઈએસએફના અધિકારીએ પત્રમાં લખ્યું હતું કે, ‘બીસીએએસ ‘એવીએસઈસી’ પરિપત્ર પ્રમાણે, કોઈપણ મુસાફર મહિલાના પર્સ સહિત પરિપત્રમાં અગાઉથી સૂચિત વસ્તુઓ સિવાયની એકપણ હેન્ડબેગ નહીં લઈ જઈ શકે.’

‘જો કે, તેવું જોવામાં આવ્યું હતું કે, સ્ક્રીનિંગ પોઈન્ટ પર મુસાફરો પોતાની પાસે સરેરાશ બેથી ત્રણ હેન્ડ બેગ રાખે છે. તેના કારણે ક્લિયરન્સના સમયની સાથે-સાથે વિલંબ તેમજ ભીડ પણ થાય છે’, તેવો ઉલ્લેખ પત્રમાં કરવામાં આવ્યો હતો.

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશલ એરપોર્ટના સૂત્રોએ પુષ્ટિ કરી હતી કે, તમામ એરલાઈન્સને ભીડને હળવી કરવા માટે ‘વન હેન્ડ બેગ’ નિયમ લાગુ કરવા માટે જરૂરી પગલા લેવાની સૂચના આપવામાં આવી છે. સૂત્રોએ તેમ પણ જણાવ્યું હતું કે, એરલાઈન્સને કર્મચારીઓને જ્યારે જરૂરી હોય ત્યારે મુસાફરોને માર્ગદર્શન આપવા અને તેમના હાથનના સામાનની સ્થિતિ ચકાસવા માટે સ્ટાફની નિયુક્તિ કરવાનું પણ કહેવામાં આવ્યું છે.

એરલાઈન્સને તેમની ટિકિટ તેમજ બોર્ડિંગ પાસ પર ‘વન હેન્ડ બેગ નિયમ’ દર્શાવવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

January 22, 2022
mumbai_fire.jpg
1min769

મુંબઈ શહેરના તાડદેવ વિસ્તારમાં આજે Dated 22/1/22 વહેલી સવારે લગભગ સાડા સાત વાગ્યાની આસપાસ એક 20 માળની ઈમારતમાં આગ લાગવાની ઘટના બની છે. ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, આ આગ બિલ્ડિંગના 18મા માળ પર લાગી હતી. અત્યારે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ ઓલવવાનું કામ શરુ કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે વિસ્તારમાં સ્થિત ભાટિયા હોસ્પિટલની બાજુની ઈમારતમાં આ આગ લાગી છે.

Mumbai fire, Tardeo building fire: 2 dead, several injured after major fire  at 20-storey building in Tardeo

પ્રાથમિક જાણકારી અનુસાર, મુંબઈના નાના ચૌક પાસે આવેલી જે ઈમારતમાં આગ લાગી છે તેનું નામ કમલા છે. ઈજાગ્રસ્ત લોકોને નજીકમાં આવેલી ભાટિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. પ્રાથમિક સારવાર પછી બાર લોકોને સામાન્ય વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે અમુક દર્દીઓની સારવાર આઈસીયુમાં ચાલી રહી છે અને તેમની સ્થિતિ ગંભીર હોવાની જાણકારી મળી રહી છે.

સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, ઈમારતમાં લેવલ 3 આગ લાગી છે. ઘટનાસ્થળ પર અત્યારે 13 જેટલી ફાયર બ્રિગેડ હાજર છે. બીએમસી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ દુર્ઘટનામાં અત્યાર સુધી સાત લોકોએ જીવ ગુમાવ્યા છે. મુંબઈના મેયર કિશોરી પેડણેકરે જણાવ્યું કે, અમને જાણકારી મળી છે કે હોસ્પિટલના લોકોએ દર્દીઓને દાખલ કરવાની ના પાડી હતી. અમે તપાસ કરીશું કે આખરે તેમણે આવુ કેમ કર્યું અને આ વાતની જાણકારી બીએમસી કમિશનરને આપવામાં આવશે.

આટલી મોટી આગ લાગી કેવી રીતે તે કારણ હજી સુધી સામે નથી આવી શક્યું. આગને કારણે ચારેબાજુ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. એવી અટકળો ચાલી રહી છે કે શોર્ટ સર્કિટને કારણે આગની આ ઘટના બની છે. તપાસ પછી જ આગનું સાચું કારણ સામે આવી શકશે. મુંબઈના મેયરે જણાવ્યું કે, નજીકની ભાટિયા હોસ્પિટલમાં બેડ ફુલ થઈ ગયા છે. આસપાસની હોસ્પિટલોને બેડ ખાલી રાખવાની સૂચના આપવામાં આવી છે. લોકોને ઈમારતમાંથી બહાર નીકાળવામાં આવી રહ્યા છે.

January 21, 2022
Cia_business_news-1280x936.jpg
2min581

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરતના એરપોર્ટ નજીક આકાર પામી રહેલા સુરત હિરા બુર્સનો હજુ તો આરંભ થયો નથી એ પહેલા જ કારભારીઓની અણઆવડતને કારણે સુરત ડાયમંડ બુર્સ મોટા વિવાદમાં સપડાય રહી છે. સુરત હિરા બુર્સને ધમધમતું કરવા માટે સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઇ લાખાણીના નામે એક સરક્યુલર ઇશ્યુ કરવામાં આવ્યો હતો અને તેમાં મુંબઇના ભારત ડાયમંડ બુર્સમાંથી ધંધો બંધ કરીને સુરત શિફ્ટ થનારા હીરા ઉધોગકારોને કેટલીક લલચામણી ઓફર આપવામાં આવી હતી. મુંબઇના હીરા ઉદ્યોગપતિઓમાં સુરત ડાયમંડ બુર્સના સંચાલકોની એવી પ્રતિષ્ઠા ખરડાઇ છે કે લોકો એવું કહી રહ્યા છે કે હજુ તો સુરત ડાયમંડ બુર્સ શરૂ થયું નથી ને આવી હરકતો કરે છે જો આ ડાયમંડ બુર્સ સેટ થઇ જશે પછી તો સુરત ડાયમંડ બુર્સવાળા ઝાલ્યા નહીં ઝલાય.

સુરત ડાયમન્ડ બુર્સ

સુરત હીરા બુર્સના કેટલાક કારભારીઓનો આ મોટો દાવ હતો પણ હવે એટલે આ દાવ ખોટો પડ્યો છે કેમકે મામલો ગુજરાત હિરા બુર્સ અને શિવસેના સુધી પહોંચી ચૂક્યો છે. મુંબઇ સ્થિત ભારત હિરા બુર્સના આગેવાનોએ તો ત્યાં સુધી કહી દીધું છે કે સુરત ડાયમંડ બુર્સને અમે ભાઇ ગણ્યો હતો પણ સુરત ડાયમંડ બુર્સના મેનેજમેન્ટની હરકતો જોતા એ હવે ભારત પાકિસ્તાન જેવો કટ્ટરવાદ ફેલાવી રહી છે. સુરત ડાયમંડ બુર્સના કારભારીઓની અણઆવડતને કારણે આ સમગ્ર વિવાદ હવે રાજકીય સ્વરૂપ પકડી રહ્યો છે.

મુંબઇના હિરા બુર્સનું કામકાજ સંકેલીને કોઇ સુરત જાય એ વાતમાં માલ નથી

મુંબઇ સ્થિત ભારત હીરા બુર્સના અગ્રણીનું કહેવું છે કે સુરત ડાયમંડ બુર્સના મેનેજમેન્ટનો સરક્યુલર મોટી નાદાની સમાન છે. મુંબઇમાં ભારત ડાયમંડ બુર્સ કયા લેવલ પર કામ કરે છે તેની જરાય માહિતી હોત તો આવો સરક્યુલર કાઢવાની કોઇએ કલ્પના કરી ના હોત પરંતુ, એ વાત હકીકત છે કે સુરત ડાયમંડ બુર્સનું કામકાજ સંકેલીને સુરત ડાયમંડ બુર્સમાં કોઇ જાય એ વાતમાં માલ નથી. હા, એવું જરૂર બને કે મુંબઇના હીરા ઉદ્યોગપતિઓ સુરત ડાયમંડ બુર્સમાં બ્રાન્ચ કે બીજા નામથી ધંધો શરૂ કરે. કેટલાક લોકો જેને મુબઇમાં ફાવટ નથી અથવા નિષ્ફળ નિવડ્યા હોય તેઓ સુરત જાય એ સ્વાભાવિક છે.

સુરત ડાયમંડ બુર્સના સરક્યુલરથી ખોટો મેસેજ ગયો હવે ખુલાસા કરતા થઇ ગયા છે

મુંબઇના હીરા બુર્સમાં કામકાજ કરતા રજનીકાંતભાઇએ જણાવ્યું કે મુંબઇના ભારત હીરા બુર્સ સાથે સરખામણી કરીને જ સુરત ડાયમંડ બુર્સના મેનેજમેન્ટે એટલી મોટી ભૂલ કરી દીધી છે કે હવે પોતાની ઇમેજ ક્લીયર કરવા માટે કેટલાક ઉદ્યોગપતિઓ ખુલાસા કરતા થઇ ગયા છે. ભારત હીરા બુર્સ કેટલા વર્ષથી, કયા લેવલ પર કામ કરે છે, ભારત હીરા બુર્સમાં એક ટેબલ જેટલી જગ્યા લેવામાં સુરત હીરા બુર્સની કેટલી જગ્યા મળી જાય એનો જો ખ્યાલ હોત તો સુરતના હીરા બુર્સવાળાઓએ ખોટો દાવ રમવાની હિંમત ના કરી હોત.

સુરતનાને સુરતના જ ઉધોગપતિઓ હશે સુરત ડાયમંડ બુર્સમાં

ભારત હીરા બુર્સના જાણકારો કહે છે કે સુરતમાં બની રહેલા હીરા બુર્સમાં સુરતના ને સુરતના જ હીરા ઉદ્યોગપતિઓની ઓફિસો હશે. હાલમાં સુરતના ઉદ્યોગપતિઓ મુંબઇ અને વિદેશોમાં પણ ઓફિસ ધરાવે છે એમ હવે તેમની એક બ્રાન્ચ સુરત ડાયમંડ બુર્સમાં હશે. બાકી મુંબઇના ભારત ડાયમંડ બુર્સનું કામકાજ છોડીને કોઇ સફળ વ્યક્તિ સુરત આવે તેવું માનવું ભૂલ ભરેલું છે. સુરત ડાયમંડ બુર્સવાળાએ સમજવું જોઇએ કે એક વખત પ્રોજેક્ટ શરૂ થઇ ગયાના પાંચ સાત વર્ષ બાદ તેમને ખ્યાલ આવશે કે પ્રોજેક્ટ કયા રસ્તે જઇ રહ્યો છે.

મુંબઇ મીડ-ડેના અહેવાલે હીરા ઉદ્યોગમાં ભારે હલચલ મચાવી

મુંબઇથી પ્રસિદ્ધ થતા મીડ-ડે અખબારની તા.20 જાન્યુઆરી 2021ની આવૃતિમાં મુખપુષ્ઠ પર ઉપરોક્ત અહેવાલ છપાયો હતો. જે મુંબઇના હીરા ઉદ્યોગપતિઓ, મુંબઇના ભારત ડાયમંડ બુર્સમાં કામકાજ કરતા હીરા વ્યવસાયિકોથી લઇને શિવસેના અને ગુજરાતી વર્ગમાં ખૂબ વાઇરલ થયો છે. એ પછી જ સુરત ડાયમંડ બુર્સના સંચાલકોને ખ્યાલ આવ્યો કે તેમનો દાવ ખોટો પડ્યો છે અને હવે સુરત ડાયમંડ બુર્સ શરૂ થાય એ પહેલા જ મોટા વિવાદમાં પ્રોજેક્ટ સપડાઇ ચૂક્યો છે.

સુરત ડાયમંડ બુર્સવાળાની હરકત અશોભનીય છે

ભારત ડાયમન્ડ બુર્સ (બીડીબી)ના ટ્રેઝરર અનુપ ઝવેરીએ સુરત ડાયમન્ડ બુર્સના સરક્યુલર વિશે મુંબઇના ‘મિડ-ડે’ અખબારને કહ્યું હતું કે ‘આ જરાય વાજબી નથી. વ્યાપારી માણસ આવું કરે નહીં. આવું તો ઝઘડાળુ વ્યક્તિ જ કરી શકે. તેમનું વર્તન વેપારીને શોભે એવું નથી.’ અહીંના વેપારીઓને રોકવા માટે આપણે કોઈ ઑફર કરવાના છીએ કે કોઈ સવલત આપવાના છીએ? એવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે ‘આપણે કોઈને રોકવાના નથી. જેમને અહીં ફાવે તેઓ અહીં કામ કરે અને જેમને ત્યાં ફાવે તેઓ ત્યાં કામ કરે. લોકો આખી દુનિયામાં અલગ-અલગ જગ્યાએ કામ કરે જ છે. અત્યાર સુધી અમે તો સુરત ડાયમન્ડ બુર્સને અમારો ભાઈ જ માનતા હતા કે ચાલો, અહીં પણ કામ થશે અને ત્યાં પણ કામ થશે. પણ હવે એ લોકો ભારત-પાકિસ્તાન કરી રહ્યા છે.’ આ મુદ્દા પર બીડીબી કોઈ ઍક્શન લેવાનું વિચારી રહી છે? એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે ‘આપણે વેપારી છીએ. આપણે વેપાર પર ધ્યાન આપવાનું હોય, ઝઘડામાં નહીં.’