3 મે 2022ને મંગળવારે અક્ષય તૃતીયા ઉર્ફે અખાત્રીજનો દિવસ છે. વૈશાખ સુદ ત્રીજના આ દિવસને અક્ષય કેમ કહેવાય છે એનો મહિમા સમજવા માટે નીચેનું વાંચન જરૂરી છે.
અંગ્રેજી સમયગણના સૂર્ય પર આધારિત છે. તેમાં તારીખનું મહત્ત્વ છે. દિવસના ૨૪ કલાક પૂરા થાય એટલે તારીખ બદલાઈ જાય, પરંતુ ભારતની સમયગણના ચંદ્ર પર અધારિત છે. ચંદ્ર જ્યારે પૃથ્વીની એક પ્રદક્ષિણા પૂરી કરે તેને તિથિ કહેવાય. આપણે ત્યાં એટલે જ તિથિ બદલાય ત્યારે દિવસ બદલાય છે. હવે રસપ્રદ વાત એ છે કે ચંદ્રની ગતિમાં થોડીક વધઘટ ચાલ્યા કરતી હોય છે. એટલે તિથિના સમયમાં પણ વધધટ આવે એ સ્વાભાવિક છે. ક્યારેક તિથિ એક દિવસના સૂર્યોદય પહેલાં શરૂ થાય અને ૨૪ કલાક વળોટી બીજા દિવસના સૂર્યોદય પછી પણ પૂરી થતી હોય છે. એટલે જ ઘણી વાર તમે નોંધ્યું હશે કે મહિનામાં બે અગિયારસ કે બે બારસ આવતી હોય છે. આને તિથિની વૃદ્ધિ કહેવાય. હવે આનાથી ઊલટું પણ થતું હોય છે. સૂર્યોદય પછી કોઈ તિથિ બદલાય અને બીજા સૂર્યોદય પહેલાં એ સમાપ્ત પણ થઈ જાય. આને તિથિનો ક્ષય કહેવાય. દા.ત. ચોથને દિવસે સૂર્યોદય પછી પાંચમ તિથિની શરૂઆત થાય, પણ બીજે દિવસે સૂર્યોદય પહેલાં જ પાંચમ તિથિ બદલાય અને છઠ શરૂ થાય. તો આગલે દિવસે ચોથ અને બીજે દિવસે છઠ આવી જતાં પાંચમનો ક્ષય થયો કહેવાય. બીજી રીતે જોઈએ તો જે તિથિનું આયુષ્ય ૨૪ કલાક કરતાં ઓછું હોય તે લાગલગાટ બે સૂર્યોદય થાય એની વચ્ચે જ સમાપ્ત થઈ જાય છે. આવી તિથિને એકપણ સૂર્યોદયનો લાભ ન મળતાં તેને ગણતરીમાં લેવામાં આવતી નથી. બોલચાલની ભાષામાં આપણે એમ કહીએ છીએ કે આ વખતે પાંચમ નથી. ચોથ પછી સીધી છઠ આવે છે. અંગેજીભાષીઓ સૂર્ય પર આધાર રાખે છે એટલે એ સરળ બની જાય છે. જ્યારે આપણે સૂર્ય અને ચંદ્ર બન્ને પર આધાર રાખીએ છીએ ત્યારે ગણતરી થોડી અટપટી થઈ જાય છે. જોકે આપણી ગણતરી અટપટી હોવા છતાં વધુ સચોટ છે, તેથી જ તો આપણા બધા તહેવારો અને ઉત્સવો તિથિ પર આધારિત હોય છે. આજે પણ આપણે લગ્ન કે અન્ય ધાર્મિક કાર્યો તિથિ જોઈને જ કરીએ છીએ.
તિથિ વિશે આટલું જાણ્યા પછી હવે આપણે અક્ષય તૃતીયાની વાત કરીએ. તમને જાણીને આશ્ર્ચર્ય થશે, પણ આજ સુધી એકમથી માંડીને પૂનમ કે અમાસ સુધીની અનેક તિથિઓનો અનેક વાર આગળ બતાવ્યા મુજબ ક્ષય થયો હશે, પરંતુ વૈશાખ સુદ ત્રીજનો આજ સુધી ક્યારેય ક્ષય નથી થયો. એટલે જ તેને અક્ષય તૃતીયા કહેવાય છે. આ તિથિને હંમેશાં સૂર્યોદયનો લાભ મળ્યો છે. એમ કહોને કે સૂર્યનારાયણની તેના પર સતત અમી દૃષ્ટિ રહી છે.
આપણે ત્યાં વેપારીઓ કેમિકલથી પકવેલી કેરીઓ અખાત્રીજ પહેલાં જ વેચવા માટે બજારમાં લાવે છે, પણ ખરેખર તો અખાત્રીજના સૂર્યનો તાપ આંબા પર પડે અને પછી કેરીઓ થોડી પીળી થવા લાગે ત્યારે જ તોડીને ઉપયોગમાં લેવી જોઈએ.
સૂર્યનારાયણના પૂરેપૂરા આશીર્વાદ આ તિથિને મળતા રહેવાથી આ સમયને ઘણો શુભ માનવામાં આવ્યો છે. આ દિવસે વગર મુહૂર્ત જોયે કોઈ પણ સારાં કાર્યો થઈ શકે છે. ભારતમાં લગ્ન-જનોઈ જેવા શુભ પ્રસંગ વધુમાં વધુ આ દિવસે થાય છે. સૂર્યનારાયણ જેવી પીળી કેરી હોય કે પીળું સોનું, આ દિવસે ખરીદવાથી લાભપ્રદ બની રહે છે તેવી પણ એક માન્યતા છે. આ દિવસે ઘણી વિભૂતિઓના જન્મ થયા છે. ઘણાં શુભ કાર્યો પણ થયાં છે એવું શાસ્ત્રોમાં વર્ણન આવે છે. આ દિવસે આપેલા દાનનો પણ ક્યારેય ક્ષય નથી થતો. આ દિવસોમાં ગરમીનું પ્રમાણ ખૂબ હોય છે એટલે ગામડાંઓમાં ઘણા લોકો પાણીની પરબ બેસાડે છે કે પાણીના ઘડાનું દાન પણ કરે છે. કોઈની તરસ બુઝાવવી એ શ્રેષ્ઠ દાન છે. આ એક જ દાન એવું છે જે ગરીબમાં ગરીબ માણસ પણ કરી શકે છે.
આજે પાણી પણ બોટલોમાં ભરી તેના પૈસા લેવાનો ઉદ્યોગ વધી રહ્યો છે ત્યારે સલામ એ પૂર્વજોને જે લોકો ભૂતકાળમાં લોકોને મફ્ત પાણી મળી રહે તે માટે ઠેર ઠેર પરબો બંધાવતા.
અખાત્રીજનો શુભ દિવસ છે ત્યારે આપણે પણ સંકલ્પ લઈ શકીએ કે-
29 એપ્રિલ 2022ના રોજ શનિદેવ 30 વર્ષ બાદ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે અને 24 માર્ચ 2025 સુધી આ જ રાશિમાં બિરાજમાન રહેશે. શનિદેવ લગભગ દર 2.5 વર્ષે પોતાની રાશિ બદલે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ગ્રહનું રાશિ પરિવર્તન ખૂબ જ મહત્વનું ગણાય છે કારણ કે, તમામ રાશિના જાતકો પર તેનો પ્રભાવ પડે છે.
જોકે શનિના રાશિ ગોચરથી મુખ્યત્વે 5 રાશિના જાતકો પ્રભાવિત થાય છે. 2 રાશિઓ પર શનિની ઢૈયા (2.5 વર્ષ) ચાલશે જ્યારે 3 ઉપર એકસાથે શનિની સાડાસાતી.
શનિના કુંભ રાશિમાં પ્રવેશથી ધનુ રાશિના જાતકોને શનિની સાડાસાતીમાંથી મુક્તિ મળશે જ્યારે મીન રાશિના જાતકો પર સાડાસાતી શરૂ થશે. શનિના આ ગોચરથી કર્ક અને વૃશ્ચિક રાશિના જાતકો પર શનિની ઢૈયા શરૂ થઈ જશે. જ્યારે મિથુન અને તુલા રાશિના જાતકો તેમાંથી મુક્ત થઈ જશે.
શનિદેવના રાશિ પરિવર્તનથી 4 લગ્નવાળા જાતકો માટે ભાગ્યશાળી સમય શરૂ થશે. શનિ ‘શશ’ નામના પંચમહાપુરૂષ યોગનું નિર્માણ કરવા જઈ રહ્યો છે. આ યોગનું નિર્માણ વૃષભ લગ્નવાળા જાતકો માટે 10મા ભાવમાં, સિંહ લગ્નવાળા જાતકો માટે સપ્તમ ભાવમાં, વૃશ્ચિક લગ્નવાળા જાતકો માટે ચતુર્થ ભાવમાં અને કુંભ લગ્નવાળા માટે લગ્નમાં બનવા જઈ રહ્યો છે જેનો જોરદાર લાભ મળશે.
‘શશ’ યોગવાળા જાતકો ખૂબ જ મહેનતું હોય છે અને પોતાના પ્રયત્નો દ્વારા સફળતા પ્રાપ્ત કરે છે. તેમના કોઈ ગોડફાધર નથી હોતા. તેઓ અન્ય લોકોની સેવા કરવા માટે હંમેશા તત્પર રહે છે. ‘શશ’ યોગ શનિના પ્રભાવને સુધારવામાં મદદ કરે છે અને શુભ પરિણામ આપે છે. આ યોગ જાતકને શનિના કુપ્રભાવમાંથી બચાવવા માટે ખૂબ જ લાભદાયી છે. ‘શનિની સાડાસાતી’ અને ‘શનિ ઢૈયા’ના દુષ્પ્રભાવને પણ ઘટાડી દે છે. કુંડળીમાં બનેલો ‘શશ’ યોગ જાતકને નિરોગી બનાવે છે અને જીવનને દીર્ઘાયુ બનાવે છે. આવા જાતકો ખૂબ જ વ્યાવહારિક હોય છે. ‘શશ’ યોગવાળા જાતકો ખૂબ જ સફળ થાય છે અને રાજકીય ક્ષેત્રે નવી ઉંચાઈઓ સર કરે છે.
મેષ લગ્નઃ
મેષ લગ્નવાળાઓ માટે શનિ દશમ અને એકાદશ ભાવનો સ્વામી છે અને તમારા એકાદશ ભાવમાંથી ગોચર કરશે. જોકે તમારા માટે શનિ અકારક ગ્રહ છે. જોકે શનિ તમને ભરપૂર ધનલાભ કરાવી આપશે. તમને વિભિન્ન સ્ત્રોતમાંથી ધનપ્રાપ્તિ થશે. તમારો આર્થિક પક્ષ મજબૂત બનશે. તમારી ધર્મ પ્રત્યેની રૂચિ વધશે. તમે નવું વાહન કે મકાન ખરીદી શકો છો. તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. ખાણી-પીણી પર નિયંત્રણ રાખો.
વૃષભ લગ્નઃ
વૃષભ લગ્નવાળાઓ માટે શનિ નવમ અને દશમ ભાવનો સ્વામી છે. તમારા માટે શનિ સર્વાધિક કારક ગ્રહ છે. તમારી કુંડળીમાં શનિ ‘શશ’ નામના પંચમહાપુરૂષ યોગનું નિર્માણ કરશે. તમે છેલ્લા 4-5 વર્ષમાં ઘણાં કષ્ટ સહન કર્યા છે, હવે સમય આવી ગયો છે જ્યારે શનિ તમારા પર મહેરબાન થશે. તમારા માટે શાનદાર સમયની શરૂઆત થઈ રહી છે. આ સમય તમારા માટે ભાગ્યશાળી સમય છે.
ચલ-અચલ સંપત્તિ અને જમીનના ખરીદ-વેચાણ સાથે સંકળાયેલા લોકો આ અનુકૂળ અવધિથી લાભાન્વિત થશે. ભવન-મકાન ખરીદવા અને નિર્માણ માટે આ યોગ્ય સમય છે. તમે આનંદ-પ્રમોદના હેતુથી યાત્રા પર જઈ શકો છો. નવા ઉદ્યમ શરૂ કરવા માટે કે નવા રોકાણ માટે આ ઉત્તમ અવધિ છે. જો તમે નોકરિયાત વર્ગના છો તો તમને પ્રમોશન મળવાની પૂરી શક્યતા છે.
મિથુન લગ્નઃ
મિથુન લગ્નવાળાઓ માટે શનિ અષ્ટમ અને નવમ ભાવનો સ્વામી છે. શનિના આ રાશિ પરિવર્તનની સાથે જ તમારા માટે ભાગ્યશાળી સમયની શરૂઆત થઈ છે. તમારા સંઘર્ષના દિવસો સમાપ્ત થયા છે. તમારા વ્યાવસાયિક ક્ષેત્રે જોરદાર વિસ્તાર થશે. તમે પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે જોડાશો જેના સહયોગથી તમારા કામકાજમાં વધારો થશે. નવા ઉદ્યમ શરૂ કરવા માટે આ એક આદર્શ સમય છે. જે લોકો નોકરિયાત વર્ગના છે તેમને પ્રમોશન મળવાની પૂરી શક્યતા છે.
કર્ક લગ્નઃ
કર્ક લગ્નવાળા જાતકો માટે શનિ સપ્તમ અને અષ્ટમ ભાવનો સ્વામી છે. અષ્ટમ ભાવ આયુ અને ગુપ્ત વિદ્યાનો છે. શનિ તમારા માટે અકારક છે. આ સમય દરમિયાન તમને મિશ્રિત પરિણામો મળશે. આ સમય ધૈર્ય રાખીને કામ કરવાનો છે. આ સમય દરમિયાન સફળતા પ્રાપ્ત કરવા માટે તમારે આકરી મહેનત કરવી પડશે. આ સમય દરમિયાન તમારી જીવન શૈલીનું વિશેષ ધ્યાન રાખો. સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની પણ આવશ્યકતા છે. જોકે બેરોજગાર જાતકોને નોકરીના પ્રસ્તાવ કે નોકરી મળવામાં સફળતા મળશે. આ સમય દરમિયાન તમને બિનજરૂરી ખર્ચાથી બચવાની સલાહ આપવામાં આવે છે.
સિંહ લગ્નઃ
સિંહ લગ્નવાળાઓ માટે શનિ છઠ્ઠા અને સપ્તમ ભાવનો સ્વામી છે અને શનિ તમારા સપ્તમ ભાવમાંથી ગોચર કરશે. શનિ તમારા માટે અકારક ગ્રહ છે. જોકે તમારી કુંડળીમાં શનિ ‘શશ’ નામના પંચમહાપુરૂષ યોગનું નિર્માણ કરશે જેનો તમને લાભ મળશે. ચલ-અચલ સંપત્તિ અને જમીનના ખરીદ-વેચાણ કારોબાર સાથે સંકળાયેલા લોકો આ અનુકૂળ અવધિથી લાભાન્વિત થશે. ભવન-મકાન ખરીદવા અને નિર્માણ માટે આ અનુકૂળ સમય છે. નવા ઉદ્યમ શરૂ કરવા કે નવા રોકાણ માટે આ ઉત્તમ અવધિ છે. આ સમય દરમિયાન તમારા જીવનસાથીને કેટલીક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સકારાત્મક દૃષ્ટિકોણ રાખવાથી તમને આ સમય દરમિયાન જે પણ અડચણ આવે તેને દૂર કરવામાં સહાયતા મળશે.
કન્યા લગ્નઃ
કન્યા લગ્નવાળા જાતકો માટે શનિ પંચમ અને છઠ્ઠા ભાવનો સ્વામી છે. શનિ તમારા માટે કારક ગ્રહ છે અને આ સમયે તમારા છઠ્ઠા ભાવમાં ગોચર કરશે. આ સમય દરમિયાન તમને મિશ્રિત પરિણામો મળશે. આ સમય ધૈર્ય રાખીને કામ કરવાનો છે. આ સમય દરમિયાન સફળતા પ્રાપ્ત કરવા માટે આકરી મહેનત કરવી પડશે. પારિવારિક જીવન સુખમય રહેશે. આ સમય દરમિયાન તમારી જીવનશૈલીનું વિશેષ ધ્યાન રાખો. સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની પણ આવશ્યકતા છે. તમને પેટ સંબંધી રોગ થઈ શકે છે. જોકે બેરોજગાર જાતકોને નોકરીના પ્રસ્તાવ કે નોકરી મળવામાં સફળતા મળશે. નોકરિયાત લોકોને તેમની આકરી મહેનત અને સમર્પણના બદલામાં વરિષ્ઠો દ્વારા પદોન્નતિ અને વેતન વૃદ્ધિ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે.
તુલા લગ્નઃ
તમારા માટે શનિ ચતુર્થ અને પંચમ ભાવનો સ્વામી છે અને તમારી કુંડળીમાં લગ્નથી પંચમ ભાવમાં ગોચર કરશે. શનિના આ ગોચરથી તમે આ વર્ષે કોઈ અધૂરો રહી ગયેલો અભ્યાસ ફરી શરૂ કરી શકો છો અથવા તો કોઈ વિષયમાં સંશોધન કરી શકો છો. શનિની સ્થિતિ તમારા વિચારને ગંભીર બનાવી દેશે જેથી તમે ખૂબ ઉંડાણમાં જઈને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકશો. આ વર્ષે વ્યાપાર અંગે ભ્રમ જળવાઈ રહેશે અને નવા કાર્યને લઈને પણ કશ્મકશ બની રહેશે. કર્મચારીઓ વચ્ચે મતભેદ પણ થઈ શકે છે. કોઈ જૂનું અટવાઈ પડેલું સરકારી કામ આ વર્ષે પૂર્ણ થશે. તમને માતા-પિતાનો સંપૂર્ણ સહયોગ મળશે. કોઈ મોંઘી ભૌતિક વસ્તુ માટે તમારા નાણાં વપરાઈ શકે છે. તમે તમારી મહિલા મિત્ર માટે આભૂષણ પણ ખરીદી શકો છો.
વૃશ્ચિક લગ્નઃ
શનિ તમારા માટે ત્રીજા અને ચોથા ભાવનો સ્વામી છે. શનિ તમારા માટે અકારક ગ્રહ છે પરંતુ તમારી કુંડળીમાં શનિ ચોથા ભાવમાં ‘શશ’ નામના પંચમહાપુરૂષ યોગનું નિર્માણ કરશે. આ સમય તમારા માટે ખૂબ જ નસીબવંતો છે. વૃશ્ચિક લગ્નવાળાઓને શનિ વ્યાપારમાં નવા અવસર પ્રદાન કરશે. જોકે કોઈ પણ પ્રકારનો અહંકાર તમારા માટે નુકસાનનું કારણ બની શકે છે. જો તમે વિદેશ સાથે સંકળાયેલા કોઈ પ્રોજેક્ટની રાહ જોઈ રહ્યા છો તો તે મળી જવાથી તમને લાભપ્રાપ્તિ થશે. ભવન-મકાન ખરીદવા અને તેના નિર્માણ માટે આ અનુકૂળ સમય છે. નવા ઉદ્યમો શરૂ કરવા કે નવા રોકાણ માટે આ ઉત્તમ અવધિ છે. સકારાત્મક દૃષ્ટિકોણ રાખવાથી તમને આ સમય દરમિયાન કોઈ પણ અડચણોનો સામનો કરવામાં સહાયતા મળશે.
ધનુ લગ્નઃ
ધનુ લગ્નવાળા જાતકો માટે શનિ બીજા અને ત્રીજા ભાવનો સ્વામી છે અને તમારા ત્રીજા ભાવમાંથી ગોચર કરશે. વ્યાપારમાં કોઈ નવું કામ કરવા માટે વિચારી રહ્યા છો તો કાર્ય માટે આ સમય શ્રેષ્ઠ રહેશે. આર્થિક સ્થિતિ પણ સામાન્ય જળવાઈ રહેશે અને આર્થિક સ્થિતિને પગલે કામમાં કોઈ અડચણ નહીં આવે. કોઈ મિત્રની મદદથી તમારા અટકી પડેલા કામો સુચારૂરૂપે આગળ વધશે પરંતુ તે જ મિત્ર સાથે કોઈ નવા કામની શરૂઆત ન કરતા. કોઈ જૂનો અધૂરો રહી ગયેલો અભ્યાસ આ વર્ષે ફરી શરૂ થશે અને પૂર્ણ પણ થઈ શકશે. આ સમય દરમિયાન તમને આળસનો અનુભવ થશે પંરતુ કામને આવતીકાલ પર ટાળવામાં તમારૂં જ નુકસાન છે.
મકર લગ્નઃ
મકર લગ્નવાળા જાતકો માટે શનિ લગ્ન અને બીજા ભાવનો સ્વામી છે અને શનિ તમારા બીજા ભાવમાંથી ગોચર કરશે. આ સમય તમારી અંદર સકારાત્મક પરિવર્તન લાવશે. જો આ સમય દરમિયાન કોઈ પણ કાર્ય શરૂ કરવા ઈચ્છો તો તમારી જાત પર સંપૂર્ણ ધ્યાન લગાવીને જ કરવું, તો જ શનિ તમને સફળતા દેખાડશે. જોકે શનિ તમને ભરપૂર ધનલાભ કરાવશે. તમને વિભિન્ન સ્ત્રોતોમાંથી ધનપ્રાપ્તિ થશે અને તમારો આર્થિક પક્ષ મજબૂત બનશે. તમારી ધર્મ પ્રત્યેનિ રૂચિ વધશે. તમે નવું વાહન કે મકાન ખરીદો તેવી શક્યતા છે. તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની આવશ્યકતા છે. ખાણી-પીણી પર નિયંત્રણ રાખો. શનિ તમને જમીન સાથે સંકળાયેલો કોઈ ફાયદો અપાવી શકે છે. વ્યાપાર વિસ્તાર માટે આ અનુકૂળ સમય છે. તમારા પરિવારજનો અને મિત્રો સાથે અનાવશ્યક વિવાદથી બચો.
કુંભ લગ્નઃ
કુંભ લગ્નવાળા જાતકો માટે શનિ લગ્ન અને બારમા ભાવનો સ્વામી છે અને તમારા લગ્નમાં જ ગોચર કરશે. આ તમારા માટે ખૂબ જ નસીબવંતો સમય છે. તમારા લગ્નમાં જ શનિ ‘શશ’ નામના પંચમહાપુરૂષ યોગનું નિર્માણ કરશે. હવે સમય આવી ગયો છે અને શનિ તમારા પર મહેરબાન થશે. તમારા માટેના શાનદાર સમયની શરૂઆત થઈ રહી છે. આ ગોચરથી તમારી નિર્ણય શક્તિમાં સંતુલન અને ઉંડાણ આવશે અને તમને નવી મંજિલ મળશે. આ ગોચર વ્યાપાર માટે નવા અવસરો લાવશે અને આર્થિક સ્થિતિમાં પણ લાભ જળવાઈ રહેશે. આર્થિક સ્થિતિમાં સુધારો થવાથી તમે વિદેશ જવાનું સ્વપ્ન પૂર્ણ કરી શકશો અને તમારૂં ઘર લેવા માટે વિચારી રહ્યા છો તો એ સપનું પણ અવશ્યપણે પૂર્ણ થશે. જીવનસાથી સાથે અમુક મતભેદો થઈ શકે છે પરંતુ તમે તમારી સમજણ વડે આ મુશ્કેલીમાંથી છૂટકારો મેળવી લેશો.
મીન લગ્નઃ
મીન લગ્નવાળા જાતકો માટે શનિ એકાદશ અને દ્વાદશ ભાવનો સ્વામી છે અને દ્વાદશ ભાવમાં ગોચર કરશે. તમારા જીવનમાં સંઘર્ષ અને મહેનત વધી જશે અને તમને તમારી જિંદગીની વાસ્તવિકતા ખબર પડશે. આ સમય દરમિયાન તમારા પોતાના લોકો પણ તમારાથી દૂર થઈ જશે અને અમુક એવા સંબંધોમાં ઘનિષ્ઠતા વધશે જેના વિશે તમે કદી વિચાર્યું પણ નહીં હોય. કોઈ વાતને કારણે જીવનસાથી સાથે અંતર વધી શકે છે. નવું કામ કરતા પહેલા કોઈ સીનિયરની સલાહ અવશ્ય લેવી. વ્યવસાયમાં કોઈ મોટા રોકાણ માટે સમજી વિચારીને જ આગળ વધવું. વિદેશ વ્યાપાર માટે આ સમય અનુકૂળ છે.
વડોદરાના હરિધામ સોખડાના ગુણાતીત સ્વામીના રહસ્યમય મોત અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે. ગુણાતીત સ્વામીએ પોતાના રૂમમાં આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હોવાનો ખુલાસો થતાં જ હરિભક્તોમાં ચકચાર મચી જવા પામી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગુણાતીત સ્વામી દ્વારા આપઘાત કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જે બાદ પોલીસ દ્વારા બે અલગ-અલગ ટીમો બનાવી આ મામલે સઘન તપાસ હાથ ધરાઈ હતી. જેમાં ગુણાતીત સ્વામીએ ગત રોજ સાંજે 7.30 વાગ્યાની આસપાસ આપઘાત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયાને અક્ષય તૃતીયા તરીકે ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ધન અને વૈભવની દ્રષ્ટિએ આ દિવસથી વધુ શુભ સમય કોઈ નથી. લગ્ન, ગૃહપ્રવેશ જેવા શુભ કાર્યો માટે વર્ષનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે કોઈપણ કાર્ય કરવા માટે તમારે પંચાંગ જોવાની કે મુહૂર્ત જાણવાની જરૂર નથી. અક્ષય તૃતીયા પર તમે જે પણ કરો છો, તેમાં અક્ષય વૃદ્ધિ થાય છે. એટલે કે જો તમે ખરીદી કરો છો તો તમારું ધન અનેક ગણું વધી જાય છે. જો તમે દાન કરો છો તો તમને અક્ષય પુણ્ય મળે છે અને તે અક્ષય ફળના રૂપે તમારી પાસે પાછું આવે છે. આ દિવસે સોનું અને ચાંદી ખરીદવાની પરંપરા ઘણા સમયથી ચાલી આવે છે. મહિલાઓ આ દિવસે સોનાના ઘરેણા ખરીદે છે કારણ કે તેમ કરવાથી તેમના જીવનમાં વારંવાર ઘરેણાં ખરીદવાનો શુભ પ્રસંગ આવે. આજે અમે તમને જણાવીશું કે અક્ષય તૃતીયાના દિવસમાં એવું શું છે જેને કારણે આ દિવસને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેની પાછળ ઘણી પૌરાણિક કથાઓ છે.
કોરોનાના પ્રતિબંધોના કારણે છેલ્લા બે વર્ષથી મોકૂફ રાખેલી માતા મહાલક્ષ્મીની શોભાયાત્રા આ વર્ષે ૧૭ એપ્રિલથી શરૂ થઇ રહી છે. યાત્રા કાઢવાની પરવાનગી વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવવા છતાં તેના નક્કી કરાયેલ સમય મર્યાદા માટે વેપારીઓએ નારાજગી વ્યક્ત કરી છે. યાત્રાનો ઉત્સાહ રાત્રે બેથી ત્રણ વાગ્યા સુધી ચાલે છે, પરંતુ સમય મર્યાદાને કારણે આર્થિક આવક પર અસર પડશે, એવું વેપારીઓનું કહેવું છે.
દહાણું તાલુકાના મહાલક્ષ્મી માતાના દર્શન માટે અને ખરીદી માટે ગુજરાત, પાલઘર, દાદરા નગર હવેલી અને નાસિક વગેરે પ્રાંતમાંથી લાખો ભક્તો આવે છે. હાલમાં ગરમીના કારણે સાંજ પડતાં જ મંદિરે દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓની સંખ્યા વધી જાય છે અને રાત્રે બેથી અઢી વાગ્યા સુધી યાત્રાળુંઓ તીર્થયાત્રાનો આનંદ માણે છે. આ યાત્રા પંદર દિવસ સુધી ચાલે છે. આ દરમિયાન વિવિધ ચીજ વસ્તુઓ અને ખાદ્યપદાર્થોનું મોટા પ્રમાણમાં વેચાણ કરવામાં આવે છે. કોરોના પ્રતિબંધોને લીધે છેલ્લા બે વર્ષથી યાત્રા બંધ હોવાના કારણે મંદિર વિસ્તાર તેમ જ બહારગામથી આવેલા ફેરિયાઓએ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
એક બાજુ, આ વર્ષે યાત્રા શરૂ થતા વેપારીઓ ખુશ છે, તો બીજી તરફ તેની સમય મર્યાદાને લઇને વેપારીઓમાં નારાજગી પણ જોવા મળી રહી છે. વેપારીઓ મંદિરની આસપાસની જમીન કામચલાઉ ધોરણે લીઝ પર આપે છે. આ યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં વેપારીઓ હંગામી ધોરણે દુકાન લગાવે છે.
પંદર દિવસનું ભાડું ત્રીસ હજાર રૂપિયાથી લઇને એક લાખ રૂપિયા સુધીનું હોય છે. યાત્રા શરૂ થવાની હોવાના કારણે વેપારીઓએ મોટા પ્રમાણમાં માલનો ભરાવો કરી દીધો છે. તેથી વેપારીઓ યાત્રાની સમય મર્યાદાને લઇને ચિંતિત છે કે સમય મર્યાદાને કારણે કેટલો ધંધો થશે અને માલનું વેચાણ થશે કે કેમ. જો આ સમય મર્યાદામાં વધારો કરવામાં નહીં આવે તો વેપારી માટે કર્મચારીઓને પગાર અને વીજળીના બિલની ચૂકવણી કરવી પણ શક્ય બનશે નહીં. વેપારીઓ માગ કરી રહ્યા છે કે જિલ્લા વહિવટીતંત્ર શોભાયાત્રાને રાબેતા મુજબ ઓછામાં ઓછા બાર વાગ્યા સુધીની મંજૂરી આપે.
જેમનું નામ માત્ર અૂત સંજીવની છે, જેના હૃદયપૂર્વક સ્મરણમાત્રથી વ્યક્તિનો ઉદ્ધાર થઇ જાય છે અને મર્યાદા પુરુષોત્તમ એવા ભગવાન રામની અવતરણ જયંતિ ‘રામનવમી’ આવતીકાલે અમદાવાદ સહિત રાજ્યભરમાં બે વર્ષ બાદ આસ્થા-ઉલ્લાસપૂર્વક ઉજવાશે. આજે રવિવાર, તા.10મી એપ્રિલે સમગ્ર દેશ દુનિયામાં રામનવમીની ઉજવણી સાથે ચૈત્રી નવરાત્રિની પણ પૂર્ણાહૂતિના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.
રામ નવમી નિમિત્તે અનેક સ્થાનોએ રામકથાના પઠનનું પણ આયોજન કરવામાં આવે છે. ભક્તો દ્વારા ભગવાન રામની મૂતની સેવા-પૂજા કરવામાં આવે છે તેમજ વ્રત-ઉપવાસ પણ કરે છે. રામ નવમી નિમિત્તે શોભા યાત્રા પણ યોજવામાં આવતી હોય છે. અમદાવાદના કાળા રામજી મંદિર ખાતે ભગવાન રામની જન્મપત્રિકાનું વાચન થશે. કેલિકો ડેમ વિસ્તારમાં આવેલા ૬૦૦ વર્ષ પુરાણા કાળા રામજી મંદિરમાં વર્ષોથી રામ નવમીમાં ભગવાન રામચંદ્રજીની જન્મ પત્રિકાનું વાચન થાય છે. સામાન્ય રીતે રામ ભગવાનની પ્રતિમા શ્વેત રંગની હોય છે. પરંતુ અહીંની પ્રતિમા શ્યામ રંગની હોવાથી તે કાળા રામજી મંદિર તરીકે ઓળખાય છે.
ગુજરાતની બે દિવસની મુલાકાત અંતર્ગત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે રવિવારે તા.10 એપ્રિલ 2022ની સવારે 11.30 કલાકે દેવભૂમિ દ્વારકા ખાતે જગત મંદિરના દર્શનાર્થે આવશે. તે પૂર્વે તેઓ જામનગર એરફોર્સ ખાતે ટૂંકું રોકાણ કરશે, સાંજે 6 કલાકે માધવપુરમાં લોકમેળાનો પ્રારંભ કરાવશે અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે ગુજરાત રાજ્યના રાજયપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
રાષ્ટ્રપતિનું રવિવાર, તા.10 એપ્રિલે સવારે 10 કલાકે જામનગર એરફોર્સ ખાતે આગમન થશે ત્યાં ટૂંકા રોકાણ બાદ તેઓ બપોરે દ્વારકાધિશ મંદિરે દર્શન કરી પૂજન-અર્ચન કરશે તેમની સાથે સાંસદ પૂનમબેન માડમ પણ જોડાશે અને સાંજે 4.30 વાગ્યે હેલિપેડ ખાતેથી વિદાય લેશે. સાંજે 5.30 આસપાસ તેમનું હેલીકોપ્ટર પોરબંદરના માધવપુરમાં લેન્ડ થશે. માધવપુર ખાતે ગુજરાત સરકાર દ્વારા આયોજીત માધવપુર મેળો-2022 સાંસ્કૃતિક કાર્યક્રમો લોકમેળાનું ઉદ્ઘાટન કરશે. રાષ્ટ્રપતિની સાથે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિત અન્ય રાજ્યોના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. સાથે-સાથે સિક્કીમના મુખ્યમંત્રી પ્રેમસિંઘ તમાંગ, મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા તથા કેન્દ્રીય સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના’ રાજ્ય મંત્રી પ્રતિમા ભૌમિક તથા ગૃહમંત્રી હર્ષ સાંઘવી’ ગુજરાત રાજ્ય, રાજ્ય મંત્રી અરવિંદભાઇ રૈયાણી સહિત મહાનુભાવો, અધિકારીઓ, જુદા જુદા રાજ્યના કલાકારો તથા બહોળી સંખ્યામાં યાત્રિકો અને માધવપુર ગ્રામજનો ઉપસ્થિત રહેશે.
માધવપુરમાં બે કલાકના રોકાણ બાદ રાષ્ટ્રપતિ સાજે 7-30 કલાકે સીધા જ હેલીકોપ્ટર મારફતે સોમનાથ જવા રવાના થશે. અગાઉ એવું જાહેર થયું હતું કે તેઓ પોરબંદર ચોપાટીના વીલા સર્કિટ હાઉસ ખાતે રોકાણ કરશે તેથી પોરબંદરમાં રાજ્યભરની પોલીસ આવી પહોંચી હતી અને ચોપાટી ઉપર ફરવા માટે પણ રવિવારે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. પરંતુ હવે રાષ્ટ્રપતિનો પોરબંદરનો કાર્યક્રમ રદ્દ થયો છે ત્યારે લોકો ચોપાટી પર ફરી શકશે.
રાષ્ટ્રપતિ જગપ્રસિધ્ધ સોમનાથ મહાદેવના દર્શનાથે આવી રહ્યાં હોય તેઓની સુરક્ષા માટે વેરાવળ- સોમનાથમાં 300 જેટલા અધિકારી અને સ્ટાફને તૈનાત કરવામાં આવ્યો છે. માધવપુરના મેળામાં હાજરી આપ્યા બાદ મોટર માર્ગે તેઓ સોમનાથ આવશે અને રાત્રી રોકાણ કરશે. ત્યાર બાદ બીજા દિવસ તા.11ના રોજ સવારે સોમનાથ મહાદેવના દર્શન કરવા જશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આવતીકાલથી માધવપુરના મેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણનું પ્રથમ ફૂલેકુ રાત્રે 9 વાગ્યે નિજ મંદિરેથી બ્રહ્મકુંડ સુધી દાંડિયા અને ઢોલ,નગારાના તાલે વાજતે ગાજતે નીકળશે.
51 Shaktipeeth Parikrama Mahotsav: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ શરૂ થતાં જ રાજ્ય અને દેશભરમાંથી હજારો ભક્તજનો પરિવાર સમેત ઉમટી પડ્યા હતા.
આદ્યશક્તિ ધામના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને હવે એક જ સ્થળે એક સાથે 51 શક્તિપીઠના દર્શનનો લાભ મળતો હશે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. સીએમ પટેલે પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે સાંસ્કૃતિક વિલેજનું ઉદઘાટન, અંબાજી મંદિરની અદ્યતન વેબસાઇટનું લોન્ચિંગ તેમજ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિકસાવવામાં આવેલી મોબાઈલ એપનું પણ લોન્ચિંગ કર્યું હતું.
સાંસ્કૃતિક વિલેજનું ઉદ્ઘાટન કરી ગબ્બર પર્વત ખાતે લાઈટ અને સાઉન્ડ શૉ ખુલ્લો મુક્યો હતો. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ગબ્બર ખાતે 13.35 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત ભારતના સૌથી મોટા લાઇટ એન્ડ સાઉન્ડ શૉથી ગબ્બર પર્વત ઝગમગી ઉઠ્યો હતો. આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, અંબાજી ગબ્બર ખાતે નવનિર્મિત ભારતનો મોટો ‘લાઇટ એન્ડ સાઉન્ડ શૉ’ અંબાજી તીર્થ ધામનું અનેરું આકર્ષણ બનશે.
ચૈત્ર નવરાત્રિના પાવન અવસરે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થયો છે, ત્યારે આ મહોત્સવ પવિત્ર યાત્રાધામના વિકાસ વધુ વેગવંતુ બનાવશે એવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.
શક્તિ ઉપાસના, શક્તિ સંચયના પર્વ ચૈત્ર નવરાત્રિનો આજરોજ તા.2 એપ્રિલ 2022થી પ્રારંભ થયો છે. આ ઉપરાંત આજે મરાઠીઓના નવા વર્ષ ગૂડી પડવા, સિંધીઓના નવા વર્ષ ચેટી ચંડની પણ ગુજરાતભરમાં હર્ષોલ્લાસભેર ઉજવણી થઇ રહી છે. આ જ દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી હોવાથી તેને સૃષ્ટિનો પ્રારંભ દિન પણ કહેવામાં આવે છે.
કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી ચૈત્ર નવરાત્રિ દરમિયાન ભક્તોને ઘરેથી માતાની આરાધના કરવી પડી હતી. પરંતુ હવે કોરોનાના કેસમાં ઘટાડો થતાં ચૈત્રિ નવરાત્રિ દરમિયાન શક્તિપીઠ અંબાજી, પાવાગઢ, ચોટીલા, બહુચરાજી, અમદાવાદના નગરદેવી ભદ્રકાળીમાં સહિતના મંદિરોમાં વિશિષ્ટ અનુષ્ઠાન સહિત વિશિષ્ટ આયોજનો કરવામાં આવ્યા છે.
આજે વહેલી સવારથી માઇ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હોવાના અહેવાલો મળ્યા છે. હિંદુ ધર્મશાસ્ત્રોમાં આસો, મહા, ચૈત્ર, અષાઢ એમ ચાર નવરાત્રિનો મહિમા ગાવામાં આવ્યો છે. જેમાં શક્તિ ઉપાસના માટે શરદ તુ, વસંત તુના અનુક્રમે આસો, ચૈત્રની નવરાત્રિને વધુ ફળદાયી માનવામાં આવી છે.
ચૈત્ર નવરાત્રિમાં પણ દેવીશક્તિની ઉપાસના, અનુષ્ઠાન કરવામાં આવે છે. શાસ્ત્રોમાં નવરાત્રિને માતાજીની ઉપાસનામાં શીધ્ર ફળદાયી ગણવામાં આવી છે. આદિ અનાદિકાળથી નવરાત્રિમાં શક્તિ આરાધનાનો વિશેષ મહિમા વર્ણવવામાં આવ્યો છે. સામાન્ય દિવસોની તુલનાએ નવરાત્રિમાં શક્તિ આરાધનાનું અનેકગણું ફળ પ્રાપ્ત થાય છે.
પવિત્ર અમરનાથ યાત્રાનો પ્રારંભ આગામી તા.૩૦ જૂનથી થશે, એવું એક અધિકારીએ જણાવ્યું હતું. લેફટનન્ટ ગવર્નર મનોજ સિન્હાના અધ્યક્ષપદે મળેલા અમરનાથજી શ્રાઇન બોર્ડની બેઠકમાં ૪૩ દિવસ ચાલનારી આ યાત્રાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બે વર્ષ બાદ સામાન્ય લોકો અમરનાથ યાત્રામાં જોડાઇ શકશે. કોવીડ-19 અંગેના કેન્દ્ર સરકારના પ્રવર્તમાન તેમજ વખતોવખત કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામા આવનારા તમામ ધારાધોરણો લાગૂ કરવાની શરતે અમરનાથ યાત્રામાં સામાન્ય લોકોને મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ટ્વિટર પર જમ્મુ કાશ્મીરના લેફ. ગવર્નર સિન્હાએ લખ્યું કે 27 માર્ચે અમરનાથજી શ્રાઇન બોર્ડની બેઠકની અધ્યક્ષતા કરી હતી. કોવિડના તમામ પ્રોટોકોલનું પાલન કરીને ૪૩ દિવસ ચાલનારી યાત્રાનો પ્રારંભ તા.૩૦ જૂનથી થશે. અમે વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી હતી. વર્ષ ૨૦૧૯માં કલમ ૩૭૦ને નાબૂદ કરવામાં આવતાં અમરનાથ યાત્રાને રદ કરવામાં આવી હતી અને કોરોનાને કારણે છેલ્લા બે વર્ષ પ્રતીકાત્મક યાત્રા કાઢવામાં આવી હતી.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.