આજે (10/4/22) રામ નવમી : 2 વર્ષ બાદ મંદિરોમાં ભવ્ય આયોજન
જેમનું નામ માત્ર અૂત સંજીવની છે, જેના હૃદયપૂર્વક સ્મરણમાત્રથી વ્યક્તિનો ઉદ્ધાર થઇ જાય છે અને મર્યાદા પુરુષોત્તમ એવા ભગવાન રામની અવતરણ જયંતિ ‘રામનવમી’ આવતીકાલે અમદાવાદ સહિત રાજ્યભરમાં બે વર્ષ બાદ આસ્થા-ઉલ્લાસપૂર્વક ઉજવાશે. આજે રવિવાર, તા.10મી એપ્રિલે સમગ્ર દેશ દુનિયામાં રામનવમીની ઉજવણી સાથે ચૈત્રી નવરાત્રિની પણ પૂર્ણાહૂતિના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.
રામ નવમી નિમિત્તે અનેક સ્થાનોએ રામકથાના પઠનનું પણ આયોજન કરવામાં આવે છે. ભક્તો દ્વારા ભગવાન રામની મૂતની સેવા-પૂજા કરવામાં આવે છે તેમજ વ્રત-ઉપવાસ પણ કરે છે. રામ નવમી નિમિત્તે શોભા યાત્રા પણ યોજવામાં આવતી હોય છે. અમદાવાદના કાળા રામજી મંદિર ખાતે ભગવાન રામની જન્મપત્રિકાનું વાચન થશે. કેલિકો ડેમ વિસ્તારમાં આવેલા ૬૦૦ વર્ષ પુરાણા કાળા રામજી મંદિરમાં વર્ષોથી રામ નવમીમાં ભગવાન રામચંદ્રજીની જન્મ પત્રિકાનું વાચન થાય છે. સામાન્ય રીતે રામ ભગવાનની પ્રતિમા શ્વેત રંગની હોય છે. પરંતુ અહીંની પ્રતિમા શ્યામ રંગની હોવાથી તે કાળા રામજી મંદિર તરીકે ઓળખાય છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now