CIA ALERT

આધ્યાત્મિક Archives - Page 27 of 36 - CIA Live

May 5, 2019
Gadhda-Swaminarayan-Temple.jpg
1min5740

જગપ્રસિદ્ધ ગઢડા ગોપીનાથજી મંદિરની વહીવટી ધૂરા સંભાળવાને લઇ 13 વર્ષથી વધુ સમયથી ચાલતાં કાનૂની વિવાદનો સુખદ ઉકેલ બાદ આજરોજ રવિવાર, તા. 5 મે, 2019ના રોજ ચૂંટણી ચૂંટણી યોજાઇ રહી છે. આજે સવારથી જ સમગ્ર ટેમ્પલ પરિસર તેમજ ગઢડા ખાતે આ ચૂંટણીને લઇને ઉત્તેજનાપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે. કોઇ સ્થાનિક સ્વરાજની સંસ્થામાં યોજાતી હોય એ પ્રકારની ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આચાર્ય પક્ષ તેમ જ દેવ પક્ષ દ્વારા 4 ગૃહસ્થ વિભાગ અને 3 ત્યાગી વિભાગની બેઠક મળી કુલ 7 બેઠક પૈકી 6 બેઠક પર ઉમેદવારી

મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે બોટાદ પોલીસે પણ સઘન બંદોબસ્ત ગોઠવ્યો છે. બોટાદ જિલ્લામાં આવેલ જગપ્રસિદ્ધ તિર્થસ્થાન ગઢપુરથી ઓળખાતા ગઢડા ગોપીનાથજી દેવ મંદિર સહિતના મંદિરોના વહીવટ માટે રચાયેલા ગઢડા ટેમ્પલ બોર્ડ દ્વારા લોકશાહી પદ્ધતિએ ચૂંટણી યોજવાની પરંપરા છે, પરંતુ એક યા બીજા કારણોસર છેલ્લાં 13 વર્ષથી આ મંદિરનો વહીવટ હાલમાં આચાર્ય પક્ષ સંભાળે છે.

આજે સાંજ સુધી મતદાન બાદ તા.છઠ્ઠી મે ને સોમવારના રોજ મતગણતરી યોજાશે.

કાનૂની વિવાદના કારણે છેલ્લાં 13 વર્ષથી આ ચૂંટણી પ્રક્રિયા સ્થગિત થઇ પડી હતી. તો બીજી તરફ આ ચૂંટણીમાં આચાર્ય પક્ષ તેમ જ દેવ પક્ષ દ્વારા 4 ગૃહસ્થ વિભાગ અને 3 ત્યાગી વિભાગની બેઠક મળી કુલ 7 બેઠક પૈકી 6 બેઠક પર ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. જયારે ત્યાગી વિભાગની એક બ્રહ્મચારી બેઠક બિનહરીફ જાહેર થઇ છે.

તા.5ના રોજ મતદાન બાદ આગામી તા.6 ના રોજ મતગણતરી યોજાશે.

May 4, 2019
Gadhda-Swaminarayan-Temple.jpg
1min5630

ગઢડાના ગોપીનાથજી સ્વામિનારાયણ દેવ મંદિરના ત્રણ સાધુની ભૂતકાળના ગુના સંદર્ભમાં પોલીસે અટકાયત કરી હતી. રવિવારે મંદિર ટ્રસ્ટ બોર્ડની યોજાનાર ચૂંટણીના સંદર્ભમાં પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દઇને અટકાયતી પગલાં લીધા હતાં.

ભૂતકાળમાં નોંધાયેલા ગુનાના સંદર્ભમાં ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટના સ્વામી સત્યપ્રકાશદાસજી, કોઠારી સ્વામી ઘનશ્યામશાત્રીજી અને પાર્ષદ મૌલિક ભગતની પોલીસે અટકાયત કરી હતી અને ત્રણેયને મેજીસ્ટ્રેટ સમક્ષ રજુ કરીને જામીન લેવડાવ્યા હતાં.
ગઢડાના ગોપીનાથજી સ્વામિનારાયણ દેવ મંદિર ટ્રસ્ટ બોર્ડની તા.5મીએ રવિવારે ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણી પ્રક્રિયા તટસ્થ અને ન્યાયીક રીતે પૂર્ણ થાય તે માટે હાઇકોર્ટના નિવૃત્ત જજ એસ.એમ.સોનીની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીએ ચૂંટણી માટે પોલીસ બંદોબસ્ત ફાળવવાની માગણી કરી હતી. જેના સંદર્ભમાં બોટાદના પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આવતીકાલ તા. 4થી તા. 6 સુધી ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ સહિત 35 થી વધુ અધિકારી, એસઆરપી, હોમગાર્ડ, જીઆરડી સહિત 700નો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.ચૂંટણી બુથો અને આસપાસ ઘોડેશ્વર પોલીસ અને પોલીસનું સતત પેટ્રોલીંગ રાખવામાં આવ્યું છે.
ચૂંટણીના સંદર્ભમાં અગાઉ નોંધાયેલા ગુનાના અનુસંધાને ટ્રસ્ટના સ્વામી સત્યપ્રકાશદાસજી, કોઠારી સ્વામી ઘનશ્યામશાત્રીજી અને પાર્ષદ મૌલિક ભગતની સીઆરપીસી 151 હેઠળ અટકાયત કરવામાં આવી હતી. આ ત્રણેયના એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ પાસે જામીન લેવડાવાયા હતાં. દેવ મંદિર ટ્રસ્ટ બોર્ડની ચૂંટણીના પગલે ગઢડા પંથકમાં ભારે ઉત્તેજના ફેલાઇ છે. ચૂંટણીના મતદારોની યાદી ગુમ થઇ ગયાની અને કેટલાય મતદાર અદૃશ્ય થઇ ગયાની ફરિયાદો ઉઠી છે.
May 3, 2019
amarnathhelicopter.jpg
1min12340

અમરનાથ યાત્રા માટે હેલિકૉપ્ટરનું ઓનલાઇન બુકિંગ શરૂ થતા જ 10 દિવસની ટિકિટ વેચાઇ ગઇ છે. આ ઉપરાંત શ્રાઇન બોર્ડ હવે શ્રદ્ધાળુઓને ઓનલાઇન રજિસ્ટ્રેશનની સુવિધા પણ આપવા જઇ રહ્યું છે, જેને 2013માં બંધ કરી દેવામાં આવી હતી.

અમરનાથ શ્રાઇન બોર્ડ તરફથી યાત્રીઓને ઓનલાઇન રજિસ્ટ્રેશનની સુવિધા આપવામાં આવી રહી છે. આ સુવિધામાં ભક્તો ઘરે બેઠા ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકે છે, જેમાં તેઓ જરૂરી જાણકારીની સાથે ફરજિયાત હેલ્થ સર્ટિફિકેટ પણ અપલોડ કરી શકે છે. યાત્રા દરમિયાન બાલતાલ/ દોમેલ અને નુનવાન/ પહેલગામ/ ચંદનવાડી બેઝ કૅમ્પ પર હેલ્થ સર્ટિફિકેટની તપાસ કરવામાં આવશે. યાત્રીઓના રિસ્પોન્સ બાદ ઓનલાઇન સેવાને વધારવામાં આવશે.

અમરનાથ યાત્રા માટે બુધવારથી હેલિકૉપ્ટર સેવાનું ઓનલાઇન બુકિંગ શરૂ થઇ ગયું છે. પહેલા દિવસથી જ શ્રદ્ધાળુઓમાં ઓનલાઇન બુકિંગ માટે ભારે ઉત્સાહ નજર આવ્યો હતો. હેલિકૉપ્ટર સેવા આપવાવાળી કંપનીઓની પહેલા દસ દિવસની ટિકિટ કેટલાક કલાકમાં જ વેચાઇ ગઇ હતી. ઓનલાઇન બુકિંગ સેવા સવારે દસ વાગ્યાથી શરૂ થઇ હતી.

15 જુલાઇ બાદ દરેક દિવસની થોડી ટિકિટ જ ઉપલબ્ધ છે. બોર્ડના જણાવ્યા અનુસાર જેની પાસે હેલિકૉપ્ટરની ટિકિટ હશે, તેને અગાઉથી રજિસ્ટ્રેશન કરવાની જરૂર નથી. યાત્રા પહેલી જુલાઇથી શરૂ થશે અને 15 ઑગસ્ટના રોજ રક્ષાબંધનના દિવસે સંપન્ન થશે. નીલગ્રથ-પંજતરણીથી પ્રતિ વ્યક્તિ એક તરફી હેલિકૉપ્ટર ભાડું 1804 રૂપિયા અને પહેલગામ-પંજતરણીથી 3,104 રૂપિયા નિર્ધારિત કરવામાં આવ્યું છે.

April 21, 2019
baps_logo.jpg
2min15180

યુનાઇટેડ આરબ અમિરાતની રાજધાની અબુધાબીમાં બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ શ્રી સ્વામીનારાયણ મંદિરના સ્વરૂપમાં પહેલા હિંદુ મંદિરનું ખાત મુહૂર્ત મહંત સ્વામી મહારાજના હસ્તે તાજેતરમાં જ સંપન્ન કરવામાં આવ્યું છે. અબુધાબી ખાતે બીએપીએસ હિન્દુ મંદિરના શિલાન્યાસ પ્રસંગે યોજાયેલા દબદબાભર્યા સમારોહમાં સાધુ સંતો અને અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેક જાયેદ પણ હાજર રહ્યા હતા. આ સાથે 5000થી વધુ ભક્તોએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો.

કયા લોકેશન પર હશે મંદિર

દુબઈ-અબુધાબી હાઈ-વે પર અલ રાભા ઉપનગરના કિનારે, આજે 27 એકરની ભૂમિ પર. આ મંદિર અબુધાબીથી 20 અને દુબઈથી 45 મિનિટના અંતરે બનશે. મંદિરનું નિર્માણકાર્ય 55 હજાર વર્ગ મીટરમાં તૈયાર થશે. જેમાં પાર્કિંગ માટે અલગથી જગ્યા રહેશે.

જુઓ વિડીયો, ભવ્યાતિભવ્ય હશે યુ.એ.ઇ.ના અબુધાબીમાં બનનારું બી.એ.પી.એસ. સ્વામી નારાયણ મંદિર

અબુધાબીમાં બનાવા જઈ રહેલા સ્વામિનારાયણ મંદિરનો ફાઈનલ પ્લાન

અબુધાબીમાં બની રહેલું મંદિર આટલું ભવ્ય હશે, જુઓ મંદિરની અંદરનો પ્લાન

Posted by Mahant Swami Na Ashirwad on Saturday, 20 April 2019

 

April 19, 2019
hanuman.jpg
3min10380

ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતિના નામે ઉજવવામાં આવે છે. માન્યતા છે કે, આ દિવસે રામભક્ત હનુમાનને માતા અંજનીએ જન્મ આપ્યો હતો. આ પર્વ પર દેશ-વિદેશમાં આવેલા હનુમાન મંદિરોમાં પૂજન-કિર્તન કરવામાં આવે છે.

કળિયુગના એકમાત્ર જાગૃત દેવતા તરીકે પૂજાનારા હનુમાનજીના ઘણા પ્રસિદ્ધ મંદિરો છે. અહીં બારેમાસ શ્રદ્ધાળુઓની ભારે ભીડ રહે છે. આજે અમે તમને સમગ્ર દેશના જુદા-જુદા ભાગોમાં આવેલા પ્રસિદ્ધ હનુમાન મંદિરો વિશે જણાવવા જઈ રહ્યાં છે જેના દર્શનમાત્રથી દરેક પ્રાણીને તેના તમામ પાપોમાંથી મુક્તિ મળી જાય છે.

કહેવામાં આવે છે કે, હનુમાનજીની પૂજાથી શનિ દેવના પ્રભાવમાંથી મુક્તિ મળે છે. જ્યારે હનુમાાનજીએ શનિદેવનું ઘમંડ તોડ્યું હતું ત્યારે સૂર્યપૂત્ર શનિદેવે તેમને વચન આપ્યું હતું કે, તેમના ભક્તોને તેઓ ક્યારેય પીડા નહીં આપે. કન્યા, તુલા, વૃશ્ચિક અને શનિની અઢૈયા વાળા કર્ક, મીન રાશિના જાતકોએ હનુમાન જયંતિ પર વિશેષ પૂજા-આરાધના કરવી જોઈએ. હનુમાનજી ભક્તિ અને શક્તિનું બેજોડ સંગમ છે.
ઈલાહાબાદ

ઈલાહાબાદના સંગમના કિનારે આવેલા કિલ્લા પાસે આવેલું આ મંદિર સૂતેલા હનુમાનજીની પ્રતિમાવાળું પ્રાચીન મંદિર છે. આ ભારતનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં હનુમાનજી સૂતેલા છે. આ પ્રતિમા 20 ફૂટ લાંબી છે.

અયોધ્યા

સરયૂ નદીના કિનારે સ્થિત શ્રીરામના જન્મસ્થળ અયોધ્યામાં સૌથી મુખ્ય શ્રીહનુમાન મંદિર, હનુમાનગઢી છે. જમીનથી 60 સીડી ઉપર આવેલું આ મંદિર બહુ વિશાળ છે. હનુમાનગઢીના દક્ષિણમાં સુગ્રીવ ટીલા અને આનંદ ટીલા નામના સ્થળ છે. આ મંદિરની સ્થાપના આશરે 300 વર્ષ પહેલા સ્વામી અભયા રામદાસજીએ કરી હતી.
રાજસ્થાન ચૂરુ
રાજસ્થાનના ચૂરુ જિલ્લાના સાલાસરમાં આવેલા આ મંદિરમાં હનુમાનજી દાઢી અને મૂંછથી સુશોભિત છે. આ મંદિરના સંસ્થાપક મોહનદાસજી હતા. માનવામાં આવે છે કે, હનુમાનજીની આ પ્રતિમા એક ખેડૂતને જમીન ખોદતી વખતે મળી હતી.

ઉત્તર પ્રદેશ સીતાપૂર

ઉત્તર પ્રદેશના સીતાપુર નજીક આ હનુમાન મંદિર સ્થાપિત છે. પહાડના સહારે હનુમાનજીની એક વિશાળ મૂર્તિના માથા પર બે વિશાળ જળકુંડ છે, જે હંમેશા પાણીથી છલોછલ રહે છે અને તેમાં નિરંતર પાણી વહેતુ રહે છે. આ પાણીની ધારનો હનુમાનજીને નિરંતર સ્પર્શ થતો રહે છે.

વારાણસી

વારાણસીમાં આવેલા આ મંદિરના પ્રાંગણમાં હનુમાનજીની દિવ્ય પ્રતિમા સ્થાપિત છે. એવી માન્યતા છે કે, હનુમાનજીની આ મૂર્તિ ગોસ્વામી તુલસીદાસજીના તપ અને પૂણ્યથી સ્વયંભૂ રીતે પ્રગટ થઈ હતી. મૂર્તિમાં હનુમાનજીની જમણા હાથમાં ભક્તોને અભયદાન કરી રહ્યાં છે અને ડાબો હાથ તેમના હૃદય પર સ્થિત છે.

બેટ દ્વારકા

બેટ દ્વારકાથી ચાર માઈલ દૂર મકર ધ્વની સાથે હનુમાનજીની મૂર્તિ સ્થાપિત છે. કહેવાય છે કે, પહેલા મકરધ્વજની મૂર્તિ નાની હતી પરંતુ હવે બંને મૂર્તિઓ એકસમાન ઊંચી થઈ ગઈ છે. કેટલાક ધર્મગ્રંથો અનુસાર મકરધ્વજને હનુમાનજીના પુત્ર કહેવામાં આવ્યા છે, જેમનો જન્મ હનુમાનજીના પરસેવાથી એક માછલી દ્વારા થયો હતો.

દૌસા રાજસ્થાન

રાજસ્થાનના દૌસા જિલ્લાની પાસે બે પહાડની મેહંદીપુર નામનું એક સ્થળ છે. કહેવામાં આવે છે કે, અહીં એક વિશાળ ખડગમાં હનુમાનજીની આકૃતિ આપમેળે ઉભરી આવી હતી. તેને જ હનુમાનજીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેમના ચરણોમાં નાનકડી કુંડી છે, જેમાં ક્યારેય પાણી ખતમ થતું નથી.

ગણેશપેઠ, પૂના

પૂનાના ગણેશપેઠમાં સ્થિત આ મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે. ડુલ્યા મારુતિનું મંદિર આશરે 350 વર્ષ જૂનું છે. મૂળરૂપે ડુલ્યા મારુતિની મૂર્તિ એક કાળા પથ્થર પર અંકિત કરવામાં આવી છે. આ મૂર્તિ પાંચ ફૂટ ઊંચી અને અઢીથી ત્રણ ફૂટ પહોળી છે.

સાળંગપુર, ગુજરાત
અમદાવાદ-ભાવનગર રેલવે લાઈન પર સ્થિત બોટાદ જંક્શનથી સારંગપુર લગભગ 12 માઈલ દૂર છે. મહાયોગિરાજ ગોપાલાનંદ સ્વામીએ આ મૂર્તિની પ્રતિષ્ઠા વિક્રમ સંવત 1905 આશ્વિન કૃષ્ણ પંચમીના દિવસે કરી હતી. આ સ્વામિનારાયણ સંપ્રદાયનું એકમાત્ર હનુમાન મંદિર છે.
April 3, 2019
amarnath_yatra.jpg
7min16100
  • 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો, 75 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો અને છથી વધુ અઠવાડિયાની ગર્ભવતી સ્ત્રીઓ આ યાત્રામાં ભાગ નહીં લઇ શકે.
  • જમ્મુ અને કાશ્મીરના બાલતાલ અને ચંદનવાડી રૂટથી વાર્ષિક અમરનાથયાત્રાનું રજિસ્ટ્રેશન મંગળવારથી ચાલુ થઇ ગયું છે
  • રજિસ્ટ્રેશન દેશના 32 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલી પંજાબ નેશનલ બૅંક, યસ બૅંક અને જમ્મુ કાશ્મીર બૅંકની કુલ નક્કી કરવામાં આવેલી 440 બ્રાન્ચમાં કરવામાં આવશે

જમ્મુ અને કાશ્મીરના બાલતાલ અને ચંદનવાડી રૂટથી વાર્ષિક અમરનાથયાત્રાનું રજિસ્ટ્રેશન મંગળવારથી ચાલુ થઇ ગયું છે, એવી સ્થાનિક અધિકારીઓએ માહિતી આપી હતી. કોઇ પણ વ્યક્તિને પરમિટ વિના યાત્રા કરવા દેવામાં નહીં આવે. આ પરમિટ કેટલાક દિવસ અને રૂટ માટે આપવામાં આવે છે.

અમરનાથયાત્રાના યાત્રાળુઓનું રજિસ્ટ્રેશન દેશના 32 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલી પંજાબ નેશનલ બૅંક, યસ બૅંક અને જમ્મુ કાશ્મીર બૅંકની કુલ નક્કી કરવામાં આવેલી 440 બ્રાન્ચમાં કરવામાં આવશે.

46 દિવસ સુધી ચાલનારી આ યાત્રાની શરૂઆત પહેલી જુલાઇના માસિક શિવરાત્રીના દિવસથી થશે અને તેની પૂર્ણાહુતિ 15 ઑગસ્ટના શ્રાવણી પૂર્ણિમાના રોજ થશે.

હાલની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ઉપરાંત બૉર્ડે દરરોજ ચોક્કસ સંખ્યામાં યાત્રાળુઓનું ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાનું પણ નક્કી કર્યું છે, એવી અધિકારીએ માહિતી આપી હતી. રજિસ્ટ્રેશન માટે યાત્રાળુએ ફરજિયાત સ્વાસ્થ્ય સર્ટિફિકેટ રજૂ કરવું આવશ્યક છે. દરેક રાજ્યના યાત્રાળુઓ માટે ફરજિયાત સ્વાસ્થ્ય સર્ટિફિકેટ લેવા માટે અધિકૃત ડૉક્ટર્સ અને મેડિકલ સંસ્થાની યાદી શ્રાઇન બૉર્ડની વૅબસાઇટ પર મૂકવામાં આવી છે.

13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો, 75 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો અને છથી વધુ અઠવાડિયાની ગર્ભવતી સ્ત્રીઓ આ યાત્રામાં ભાગ નહીં લઇ શકે. જે વ્યક્તિઓ હૅલિકોપ્ટરના માધ્યમથી યાત્રા કરવા માગતા હોય તેમને રજિસ્ટ્રેશનની જરૂર નહીં પડે. તેમની હૅલિકોપ્ટરની ટિકિટ આ માટે પૂરતી છે. જોકે તેમણે યાત્રા પહેલાં ફરજિયાત સ્વાસ્થ્ય સર્ટિફિકેટ આપવું પડશે.

અમરનાથ યાત્રા માટેનું ફોર્મ અહીં પ્રસ્તુત છે

સી.એચ.સી.નું ફોર્મ ભરવું પણ અનિવાર્ય

હેલીકોપ્ટર સેવા માટે હેલ્પ લાઇન નંબર

અમરનાથ યાત્રા રૂટ તેમજ અન્ય વિગતો માટે નીચે મુજબની લિંક પર ક્લીક કરો

http://www.shriamarnathjishrine.com/Yatra2019/Booklet%20Yatra%20Nirdeshika.pdf  

 

યાત્રા રૂટ

Traditional Route

From Jammu: How to Reach Amarnath Holy Cave:

A. JAMMU – PAHALGAM – HOLY CAVE

Jammu to Pahalgam (315 km) – The distance between Jammu to Pahalgam can be covered by taxi / buses which are available at Tourist Reception Centre, J & K Govt., Raghunath Bazaar only early in the morning. Another option is going to Srinagar by air and then proceeding to Pahalgam by road.

PAHALGAM – HOLY CAVE

PAHALGAM

Situated 96 Kms from Srinagar, Pahalgam is known all over the world for its beauty. Lidder and Aru Rivers and high mountains kiss the valley. Good Hotels are available for accommodation. Arrangements for free Langars (food kiosks) are also made by Non Government Organisations at Nunwan Yatri Camp, 6 kms. short of Pahalgam. Pilgrims camp at Pahalgam for the first night.

CHANDANWARI

The distance from Pahalgam to Chandanwari is 16 kms. Mini buses run from Pahalgam to reach Chandanwari. The trail runs along the Lidder River with a fabulous scenic view. There are many Langars that offer food to the Yatris.

PISSU TOP

As the Yatra proceeds further from Chandanwari one climbs a height to reach Pissu Top. It is said that to be the first to reach for darshan of Bhole Nath Shivshankar, there was a war between Devtas and Rakshas. With the power of Shiv, devtas could kill the rakshas in such large number that the heap of their dead bodies resulted in this high mountain.

SHESHNAG

Sheshnag – is actually a mountain which derives its name from its Seven Peaks, resembling the heads of the mythical snake. The second night’s camp at Sheshnag overlooks the deep blue waters of Sheshnag lake, and glaciers beyond. There are legends of love and revenge too associated with Sheshnag, and at the camp these are narrated by campfires. The stillness of the Himalayan night increases your inner joy. Once you take bath and enjoy the scenic view, life takes a whole new meaning altogether.

PANCHTARNI

From Sheshnag one has to climb a steep height across Mahagunas Pass at 4276 mtrs.(14000 ft) for 4.6 Km and then descend to the meadow lands of Panjtarni at a height of 3657 mtrs (12000 ft). Due to cold harsh winds it is strongly recommended that Yatris should carry their quota of Woolens and Vaseline! Some Yatris are also affected by deficiency of oxygen. Some may get the feeling of nausea. Dry fruits, sour and sweet eatables like Lemon appear to control these symptoms but it is best to contact the nearest medical post immediately. The route to Mahagunas is full of rivulets, water falls and springs. At Panjtarni, at the feet of BHAIRAV MOUNT, Five Rivers flow which apparently originated from Lord Shiva’s Hair (Jataon). Pilgrims camp at Panjtarni on the 3rd night.

THE HOLY CAVE SHRI AMARNATH

On the way to The Holy Cave, one comes across the Sangam of Amravati and Panjtarni rivers. Some pilgrims take bath at Amravati near the Holy Cave before going for Darshan. There are two smaller Shivlings one of Maa Parvati and other of Shri Ganesh. It may be noted that after having early Darshan of the Shiv Linga at Holy Cave, one can return to Panjtarni well in time the same day.

JAMMU-BALTAL-HOLY CAVE

Sonamarg-Baltal

From Jammu, one has to go by road to Srinagar and then to reach Baltal via Sonamarg.

Baltal- Holy Cave

This is a 14 km. steep trek – one way. Only the very fit can go and come back the same day after trekking for 28 kms. It is possible to hire ponies or palkies. Baltal is, more popular because of its shorter distance.

 

 

March 20, 2019
masood_mumbai11.jpg
1min20040

જયેશ બ્રહ્મભટ્ટ

આજે તા.20મી માર્ચ 2019ને હોલિકા દહનનો પર્વે સમગ્ર ભારતમાં રંગેચંગે ઉજવાશે. ભદ્રા યોગ હોવાથી રાત્રે નવ વાગ્યા પછી મોટા ભાગના સ્થળો પર હોલિકા દહનનો કાર્યક્રમ યોજાશે. હોલિકા દહનના કાર્યક્રમો પૈકી મુંબઇમાં હોલિકા દહનના કાર્યક્રમમાં કેટલીક વેરાયટી મુંબઇગરાઓએ એડઓન કરી છે. જેમકે મુંબઇમાં પાંચેક ઠેકાણે હોલિકા દહનની સાથે પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહરના વિશાલકાય પૂતળાને પણ બાળવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એવી જ રીતે હોલિકા દહન પર્વે બાળકોમાં પબજી ગેમ વિરુદ્ધ અવેરનેસ આવે તે માટે એકાદ બે સ્થળોએ પબજી ગેમના આઇકોનના વિશાળ કદના પૂતળાનું પણ દહન કરવાના આયોજનો કરવામાં આવ્યા છે. હોલિકા દહન સાથે આ પ્રકારે સમાજના દૂષણોને બાળવાના કાર્યક્રમો સોશ્યલ મિડીયા પર ભારે ટ્રોલ થઇ રહ્યા છે.

A boy points to an effigy made in the likeness of Jaish-e-Mohammad chief Masood Azhar to be lit as part of the Hindu festival of Holika Dahan in Mumbai, India, Tuesday, March 19, 2019. Holika Dahan is a festival celebrated just before Holi by burning an effigy of Holika, the devil. (AP Photo/Rajanish Kakade)

મુંબઇગરાઓ હોલિકા દહન સાથે પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહર, પબજી ગેમના આઇકોનના પૂતળાઓનું પણ દહન કરશે

મુંબઇમાં સ્કુલે જતા બાળકોના પેરેન્ટસની સૌથી મોટી ફરીયાદ એ હતી કે તેમના બાળકો સ્કુલ-ટ્યુશન જાય છે એ પછીનો મોટા ભાગનો સમય તેઓ મોબાઇલ ફોન પર પબજી ગેમ્સ રમી રહ્યા છે. ઘણાં બાળકો મોડી રાત્રે ઉજાગરા કરીને પબજી ગેમ્સ રમતા હોય છે, ઘણા પેરેન્ટસએ એવી પણ ફરીયાદો કરી હતી કે બાળકો તેમના પર્સનલ બેડરૂપમાં વાંચવાના બહાને પબજી ગેમ રમતા હોય છે. તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે પબજી ગેમ પર પ્રતિબંધ મૂક્યો હતો. મુંબઇગરાઓએ પબજી ગેમ વિરુદ્ધ જાગૃતિ ફેલાવવા માટે આજે તા.20મી માર્ચ 2019ના હોલિકા દહન પર્વે પબજીના વિશાળ કદના પૂતળાઓ બનાવીને તેનું પણ હોળી સાથે દહન કરી દેવાના આયોજનો મોટા પાયે કર્યા છે.

હોલિકા દહન સાથે બાળકો, યુવાનોમાં પબજી ગેમ વિરુદ્ધ અવેરનેસ ફેલાય તે માટે અનેક સ્થળોએ કાર્યક્રમો

મુંબઇમાં એક સ્થળે હોલિકા દહન પ્રોગ્રામની સાથે જ  પાકિસ્તાની આતંકવાદી અઝહર મસૂદના વિશાળ કદનું પૂતળું છેલ્લા ત્રણ દિવસથી ડિસ્પ્લેમાં મૂકવામાં આવ્યું છે. ભારતનો સૌથી મોટો ગુનેગાર મનાતો પાકિસ્તાની આતંકવાદી મસૂદના પૂતળાને આજે હોલિકા દહન દરમિયાન બાળવામાં આવશે. સમગ્ર મુંબઇના લોકોમાં મસૂદના આ વિશાળ કદના પૂતળાના દહનને લઇને વ્યાપક ચર્ચાઓ ચાલી રહી છે અને આજે સાંજે મોટી સંખ્યામાં લોકો મસૂદના બળતા પૂતળાને જોવા માટે તેમજ હોલિકા દહન માટે આયોજન સ્થળે ભેગા થાય તેમ માનવામાં આવી રહ્યું છે. મુંબઇમાં હોલિકા દહન સાથે મસૂદને બાળવાના આયોજનના ફોટો સોશ્યલ મિડીયા તેમજ ટ્વીટર પર પણ મોટા પાયે ટ્રોલ થઇ રહ્યો છે.

મુંબઇગરાઓ આજે હોલિકાદહનની સાથે ભારતના મોસ્ટ વોન્ટેટ ગુનેગાર પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહરનું પૂતળું પણ બાળશે.

March 14, 2019
holi1.jpg
1min15720

જ્યારે આજથી એટલે કે તા.૧૪મી માર્ચથી હોળાષ્ટકનો પ્રારંભ થાય છે અને તા.૧૫મી માર્ચથી મીનાર્ક કમુર્તાનો પ્રારંભ થાય છે અને તા.૧૪મી એપ્રિલ, ૨૦૧૯ સુધી આ કમુર્તા રહે છે એટલે કે આ વર્ષે રામનવમીએ આ કમુર્તા પૂર્ણ થશે. આ સમયગાળામાં લગ્નાદિ સંસ્કાર કાર્યો કરી શકાતા નથી, પરંતુ આ સમયગાળામાં ભક્તિકાર્યો કરી શકાય છે. ચૈત્ર મહિનામાં આવતી નવરાત્રિ તથા વાર્ષિક ઉત્સવ, માતાજીની નવચંડી જેવા ધર્મકાર્યમાં કમુર્તાનો દોષ આવતો નથી. એટલે કે આ સમયગાળા દરમિયાન ચૈત્ર માસમાં આવતા નવરાત્રિ, રામનવમી જેવા પ્રસંગોમાં યજ્ઞક્રિયાઓ મોટી સંખ્યામાં થતી હોય છે, તેવા ધર્મકાર્યો કરવામાં કોઇ જ પ્રકારનો દોષ આવતો નથી.

  • તા. 14 માર્ચથી 14 એપ્રિલ 2019 સુધી હોળાષ્ટક, શુભ કાર્ય વર્જિત
  • તા. 20મી માર્ચને બુધવારે હોલિકા દહન
  • તા.21મી માર્ચને ગુરુવારે ધૂળેટી
  • તા.23 મી માર્ચે ચોથો શનિવાર
  • તા.24મી માર્ચે રવિવાર

શાસ્ત્રીય માન્યતાઓ મુજબ હોળાષ્ટકમાં કોઈ પણ નવુ કાર્ય, શુભ કાર્ય અથવા કોઈ પણ માંગલિક કાર્ય કરવુ ઉચિત ગણાતું નથી. હોળાષ્ટક હોળી પ્રક્ટાવ્ય (હોળીકા દહન) પછી સમાપ્ત થાય છે. હોળાષ્ટક દરમ્યાન હિંદૂ સંસ્કૃતિના 16 સંસકારો વર્જિત માનવામા આવે છે. એવુ માનવામા આવે છે કે હોળીના આઠ દિવસ પહેલાના દિવસો મોટેભાગે અમંગલ પ્રદાન કરતા હોય છે.

દેશના અમુક ભાગના લોકો હોળાષ્ટકને નથી માનતા. એવી માન્યતાઓ છે કોય તીર્થસ્થાન જેવાકે, શતરુદ્રા, વિપાશા, ઇરાવતી અને પુષ્કર સરોવરને છોડીને બાકીનાં સ્થાનો પર હોળાષ્ટકનો અશુભ પ્રભાવ નથી પડતો. એટલે અન્ય સ્થાનો પર બધી જગ્યાએ વિવાહ જેવા માંગલિક અને શુભ કાર્ય કોઈ પણ જાતની મુશ્કેલી વગર થઈ શકે છે, પરંતુ શાસ્ત્રીય માન્યતાઓ મુજબ હોળાષ્ટક દરમ્યાન શુભ કાર્ય વર્જિત માનવામાં આવે છે.

આ વર્ષે એટલે કે વિક્રમ સંવત-૨૦૭૫માં ફાગણી પૂનમે જ્યોતિષશાસ્ત્ર અનુસાર હોળીનું પ્રાગટ્ય રાત્રે ૮.૫૮ પછી જ ઉત્તમ છે, એ પહેલાં નહીં. કેમકે આ દિવસે વિષ્ટિ-ભદ્રા ત્યારબાદ પૂર્ણ થાય છે. 
આ વખતે હોળી-ધૂળેટીના પર્વ પછી શનિ રવિની રજાઓ વચ્ચે ફક્ત એક દિવસ 22મી માર્ચ શુક્રવાર આવે છે, ઘણાં કર્મચારીઓ, વ્યવસાયિકો, બિઝનેસમેન એક દિવસની રજા મૂકીને લોંગ વીકએન્ડ પર ફરવાનો પ્રોગ્રામ બનાવી રહ્યા છે.
March 11, 2019
Ramzan-Mubarak-Hindi-2013-500x500.jpg
1min7760
રવિવાર તા.10મી માર્ચ 2019ના રોજ કેન્દ્રના ચૂંટણી કમિશને લોકસભાની સામાન્ય ચૂંટણીઓનું સમયપત્રક જાહેર કર્યા બાદ પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશના મુસ્લિમ સંપ્રદાયમાંથી તીવ્ર વાંધા-વિરોધ એ બાબતો ઉઠ્યા છે કે કુલ 543માંથી 169 લોકસભા સીટો પર મતદાન રમજાન મહિનામાં થશે. રમજાનને કારણે મુસ્લિમ પરિવારો તેમના વોટિંગ રાઇટથી પણ વંચિત રહી શકે તેવી રજૂઆતો કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશના મુસ્લિમ નેતાઓ અને મૌલાનાઓએ ચૂંટણી પંચ પર પ્રશ્નો ઉઠાવ્યા છે. આટલું જ નહીં તેઓએ ચૂંટણી પંચ સમક્ષ મતદાનની તારીખો બદલવા માટેની માગણી પણ કરી છે.
વધુમાં કોલકાતાના મેયર અને તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) નેતા ફિરહાદ હાકીમે કહ્યું કે, ચૂંટણી પંચ એક બંધારણીય એકમ છે અને આપણે તેમના નિર્ણયોનું સન્માન કરવું જોઈએ. આ મતદાન પ્રક્રિયામાં સૌથી વધારે મુશ્કેલી મુસ્લિમોને પડશે કારણકે મતદાન પ્રક્રિયા વખતે રમઝાન મહિનો ચાલતો હશે. અમે ચૂંટણી પંચ વિરુદ્ધ કોઈ જ પગલા લેવા નથી માંગતા, પરંતુ એટલું જરૂરથી કહીશું કે અંતિમ તબક્કામાં યોજાનારી મતદાન પ્રક્રિયા બિહાર, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના લોકો માટે અઘરી રહેશે.
એવી જ રીતે ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી પણ મુસ્લિમ સંપ્રદાયે રમજાન મહિનમાં ચૂંટણી મતદાનની પ્રક્રિયાનો વિરોધ કરીને તારીખ બદલવાની માગ કરી છે.
March 9, 2019
virar_womens.jpg
1min15270

પગ ધોઇને પાણી પી જવાનો ટ્રેન્ડ પવનપુત્ર હનુમાનજીએ શરૂ કર્યો હતો એ પછી કેવટએ તમસા નદી પાર કરાવી આપવાના બદલામાં પગ ધોવા દેવાની ભગવાન શ્રી રામ સમક્ષ શરત મૂકી હોવાનો ઉલ્લેખ રામાયણમાં છે

 

વનવાસે નીકળેલા રામ-સીતા અને લક્ષ્મણ તમસા નદીના કિનારે આવે છે. નાવમાં બેસી નદી પાર કરવા રામજી કેવટને બોલાવે છે. કેવટ વિચારે ભગવાનના ચરણ ધોવા મળે તો ભવપાર થાય. રામજીને કહે છે પ્રભુ પગ ધોવા દ્યો તો નદી પાર કરાવું.

થોડા સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજમાં ગંગા સફાઇ કરી રહેલા કર્મચારીઓના પગ ધોયા હતા, આ ઘટના એટલી વાઇરલ થઇ હતી કે દેશમાં હવે પગ ધોવાનો ટ્રેન્ડ ચાલી નીકળ્યો છે.

મહિલા દિને મહારાષ્ટ્રના વિરારની સ્કૂલમાં નાનાં ભૂલકાંઓ પોતાની મમ્મીના પગ ધોઈ પૂજા કરી : બાળકોને પગ ધોતાં જોઈને અનેક મમ્મીની આંખ ભીની થઈ

મુંબઈ: મહિલા દિવસની અનોખી ઉજવણી
વિરારની સ્કૂલમાં બાળકોએ માં ના પગ ધોઈને તેની પૂજા કરી હતી.

મુંબઇના વિરાર (વેસ્ટ)માં આવેલી શ્રીજી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સેન્ટ મૅરી સ્કૂલમાં સંચાલકોએ મહિલા દિન નિમિત્તે તમામ મમ્મીઓને સ્કુલમાં બોલાવીને માતાઓના પગ બાળકો પાસે ધોવડાવીને તેમને માં નું મહાત્મ્ય સમજાવવા પ્રયાસ કર્યો હતો. સ્કૂલનાં ભૂલકાંઓની મમ્મીને સ્કૂલમાં બોલાવી તેમના પગ ધોઈ પુષ્પ અર્પણ કરીને તેમની પૂજા કરવામાં આવી હતી અને એ જોઈને અનેક મમ્મીની આંખો રીતસરની ભરાઈ આવી હતી.

કોઇકના પગ ધોવા એ ભારતીય શાસ્ત્રોમાં અત્યંત પવિત્ર કાર્ય માનવામાં આવે છે અને એ જ રૂએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગંગા નદીની સફાઇ કરી રહેલા સફાઇ કર્મીઓના પગ ધોઇને સમાજને એક પવિત્ર સંદેશો પાઠવ્યો હતો. એવી જ રીતે વિરાની સ્કુલના સંચાલકોએ બાળકોમાં તેમની મમ્મીનું મહત્વ સમજાવવા અને આ પ્રવૃત્તિ કરવાથી તેમનામાં સારા સંસ્કાર કેળવી શકાય એ હેતુથી માં ના પગ ધોવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આજના ડિજિટલ યુગમાં આપણાં બાળકો આપણી સંસ્કૃતિથી દૂર થઈ રહ્યાં છે. આવા સમયમાં આવા કાર્યક્રમના માધ્યમથી આપણે આપણાં બાળકોમાં એ સંસ્કૃતિ અને સંસ્કારનો પરિચય કરાવવો ખરેખર જરૂરી છે. આ કાર્યક્રમ સ્કૂલે જેવો વિચાર્યો એના કરતાં પણ સારો રહ્યો, કારણ કે સ્કૂલના વિદ્યાર્થીઓ સહિત તેમની માતાઓ પણ ખૂબ ઉત્સાહિત જોવા મળી હતી અને સમય પહેલાં જ સ્કૂલમાં પહોંચી ગઈ હતી. તેમનાં નાનાં ભૂલકાંઓને તેમનાં ચરણ ધોયાં અને પુષ્પ અર્પણ કરીને પૂજા કરી એ જોઈને અનેક માતાઓ રીતસરની રડી પડી હતી અને વાતાવરણ ભાવુક થઈ ગયું હતું.

કાર્યક્રમ જોઈ રહેલા લોકો માટે પણ આ દૃશ્ય હૃદયસ્પર્શી બની ગયું હતું. અનોખી રીતે કરવામાં આવેલી મહિલા દિવસની ઉજવણીને કારણે માતાઓએ ખૂબ વિશેષ અનુભવ ક્ર્યો અને બાળકો પણ ઘણું શીખ્યા હતા. ત્યાર બાદ માતા-બાળક માટે હરીફાઈનું પણ આયોજન કર્યું હતું. ગઈ કાલે આખી સ્કૂલમાં ફક્ત મહિલાઓ અને મહિલાઓ જ દેખાઈ રહી હતી.’