જ્યારે આજથી એટલે કે તા.૧૪મી માર્ચથી હોળાષ્ટકનો પ્રારંભ થાય છે અને તા.૧૫મી માર્ચથી મીનાર્ક કમુર્તાનો પ્રારંભ થાય છે અને તા.૧૪મી એપ્રિલ, ૨૦૧૯ સુધી આ કમુર્તા રહે છે એટલે કે આ વર્ષે રામનવમીએ આ કમુર્તા પૂર્ણ થશે. આ સમયગાળામાં લગ્નાદિ સંસ્કાર કાર્યો કરી શકાતા નથી, પરંતુ આ સમયગાળામાં ભક્તિકાર્યો કરી શકાય છે. ચૈત્ર મહિનામાં આવતી નવરાત્રિ તથા વાર્ષિક ઉત્સવ, માતાજીની નવચંડી જેવા ધર્મકાર્યમાં કમુર્તાનો દોષ આવતો નથી. એટલે કે આ સમયગાળા દરમિયાન ચૈત્ર માસમાં આવતા નવરાત્રિ, રામનવમી જેવા પ્રસંગોમાં યજ્ઞક્રિયાઓ મોટી સંખ્યામાં થતી હોય છે, તેવા ધર્મકાર્યો કરવામાં કોઇ જ પ્રકારનો દોષ આવતો નથી.
- તા. 14 માર્ચથી 14 એપ્રિલ 2019 સુધી હોળાષ્ટક, શુભ કાર્ય વર્જિત
- તા. 20મી માર્ચને બુધવારે હોલિકા દહન
- તા.21મી માર્ચને ગુરુવારે ધૂળેટી
- તા.23 મી માર્ચે ચોથો શનિવાર
- તા.24મી માર્ચે રવિવાર

શાસ્ત્રીય માન્યતાઓ મુજબ હોળાષ્ટકમાં કોઈ પણ નવુ કાર્ય, શુભ કાર્ય અથવા કોઈ પણ માંગલિક કાર્ય કરવુ ઉચિત ગણાતું નથી. હોળાષ્ટક હોળી પ્રક્ટાવ્ય (હોળીકા દહન) પછી સમાપ્ત થાય છે. હોળાષ્ટક દરમ્યાન હિંદૂ સંસ્કૃતિના 16 સંસકારો વર્જિત માનવામા આવે છે. એવુ માનવામા આવે છે કે હોળીના આઠ દિવસ પહેલાના દિવસો મોટેભાગે અમંગલ પ્રદાન કરતા હોય છે.
દેશના અમુક ભાગના લોકો હોળાષ્ટકને નથી માનતા. એવી માન્યતાઓ છે કોય તીર્થસ્થાન જેવાકે, શતરુદ્રા, વિપાશા, ઇરાવતી અને પુષ્કર સરોવરને છોડીને બાકીનાં સ્થાનો પર હોળાષ્ટકનો અશુભ પ્રભાવ નથી પડતો. એટલે અન્ય સ્થાનો પર બધી જગ્યાએ વિવાહ જેવા માંગલિક અને શુભ કાર્ય કોઈ પણ જાતની મુશ્કેલી વગર થઈ શકે છે, પરંતુ શાસ્ત્રીય માન્યતાઓ મુજબ હોળાષ્ટક દરમ્યાન શુભ કાર્ય વર્જિત માનવામાં આવે છે.




























